ઘરના સિટિંગ રૂમને ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલું છે. અહીં પરિવારના સભ્યો કામકાજ, મીટિંગ અને મહત્વપૂર્ણ ચર્ચાઓ કરે છે. આ બેઠક વિસ્તાર ઉત્તર-પૂર્વ (ઈશાન) દિશામાં રાખવામાં આવેલું છે. કારણ કે સુનીતા આહુજા વાસ્તુશાસ્ત્ર અનુસાર આ દિશાને અત્યંત શુભ માને છે. તેની માન્યતા છે કે આ દિશામાં બેસીને લેવાયેલા નિર્ણયો વધુ સકારાત્મક પરિણામ આપી શકે છે. સુનીતા આહુજાનો સ્વભાવ છે ધાર્મિક ઘરની બાલ્કનીમાં તુલસી માતાનો છોડ પણ લગાવવામાં આવેલો છે. દર સાંજે સુનીતા આહુજા તુલસી પાસે રાઈના તેલનો દીવો પ્રગટાવે છે. હિંદુ પરંપરા અનુસાર તુલસીની પૂજા ઘર માટે સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. સુનીતા આહુજા પોતાના ધાર્મિક સ્વભાવ અને નિયમિત પૂજા-પાઠ માટે જાણીતી છે. આ ઉપરાંત, સુનીતા આહુજા દરરોજ સવારે સૂર્યદેવને જળ અર્પણ કરે. એન્જલ્સ ટેબલ ઘરની એક ખાસ વિશેષતા એન્જલ્સ ટેબલ છે. સુનીતા આહુજાની માન્યતા મુજબ, આ સ્થળ સકારાત્મક ઊર્જાનું પ્રતીક છે. દર સાંજે અહીં મીણબત્તી પ્રગટાવે છે. જે ઘરમાં શાંતિ અને સકારાત્મક વાતાવરણ જાળવવાની પરંપરાનો એક ભાગ માનવામાં આવે છે. સ્ટાફ સાથે જન્મદિવસની કરી હતી ઉજવણી સુનીતા આહુજાએ પોતાનો છેલ્લો જન્મદિવસ ખૂબ જ સાદગીથી ઉજવ્યો હતો. ભવ્ય પાર્ટીના બદલે તે પોતાના સ્ટાફ સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી. આ પ્રસંગે તે સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો અને પરિવાર જેવી લાગણી સાથે સમય વિતાવ્યો. ઘરની રચના વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને કરી છે સુનીતા આહુજાના મુજબ, ઘરની રચના પણ વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલી છે. રૂમોની દિશા, ખુલ્લી જગ્યાઓ અને પૂજાસ્થળનું આયોજન વાસ્તુ અનુસાર કરવામાં આવ્યું છે. જેથી ઘરમાં સકારાત્મકતા, સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે. સુનીતા આહુજાનું આ ઘર દર્શાવે છે કે આધુનિક જીવનશૈલી વચ્ચે પણ આધ્યાત્મિકતા, પરંપરા અને વાસ્તુમાં વિશ્વાસને કેવી રીતે જીવનનો અભિન્ન ભાગ બનાવી શકાય. આ પણ વાંચો, Celebrities Film Stars House : ઘર હો તો એસા ! ચેન્નાઈના સૌથી પોશ વિસ્તારમાં નયનતારા-વિગ્નેશે ખરીદ્યું કરોડોનું ઘર, જુઓ વીડિયો Post navigation 2027 સુધીમાં ભારત છોડી દેશે OnePlus ! તો પછી કંપનીમાં મોબાઈલ યુઝર્સનું શું થશે? Breaking News : સલમાન બાદ હવે આમિર ખાન લોરેન્સ બિશ્નોઈના નિશાના પર, સોશિયલ મીડિયા પર આપી ધમકી