Jio IPO: નફાથી આવક સુધી, મુકેશ અંબાણીની Jio પાસે કેટલા કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે? જાણો A ટુ Z માહિતી

Jio IPO: નફાથી આવક સુધી, મુકેશ અંબાણીની Jio પાસે કેટલા કરોડ સબ્સ્ક્રાઇબર્સ છે? જાણો A ટુ Z માહિતી

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટેલિકોમ અને ડિજિટલ સર્વિસ કંપની Jio Platforms હવે તેના લાંબા સમયથી રાહ જોવાતા IPO (Initial Public Offering) તરફ આગળ વધી રહી છે. કંપનીએ શુક્રવારે માર્કેટ રેગ્યુલેટર SEBI સમક્ષ તેનો Draft Red Herring Prospectus (DRHP) દાખલ કર્યો છે. IPO દ્વારા મળનારી રકમનો ઉપયોગ મુખ્યત્વે દેવું ઘટાડવા અને ભવિષ્યના વિકાસ માટે કરવામાં આવશે.

કંપનીએ આશરે 27 કરોડ નવા શેરના ફ્રેશ ઇશ્યૂનો પ્રસ્તાવ મૂક્યો છે. જોકે, ઇશ્યૂનું કુલ કદ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. DRHPમાં આપવામાં આવેલી વિગતો મુજબ, Jio Platformsએ નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન આવક, નફો અને ગ્રાહક સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે.

આવકમાં જોરદાર વધારો

નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન Jio Platformsની ઓપરેટિંગ આવક 14.6 ટકા વધીને ₹1.47 લાખ કરોડ પર પહોંચી હતી. અગાઉના વર્ષમાં આ આવક ₹1.28 લાખ કરોડ હતી. છેલ્લા બે વર્ષમાં કંપનીની આવકમાં 34 ટકાથી વધુનો વધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ ગ્રાહકોની વધતી સંખ્યા, ARPUમાં વધારો અને ડિજિટલ સેવાઓનું વિસ્તરણ છે.

કંપનીનો EBITDA પણ મજબૂત રહ્યો છે. FY26માં EBITDA વધીને ₹76,255 કરોડ થયો હતો, જ્યારે FY25માં તે ₹64,170 કરોડ હતો. EBITDA માર્જિન પણ વધીને 51.9 ટકા પર પહોંચ્યો છે.

પહેલીવાર ₹30 હજાર કરોડથી વધુ નફો

Jio Platformsનો કર બાદનો નફો (PAT) FY26માં વધીને ₹30,049 કરોડ થયો છે, જે FY25માં ₹26,109 કરોડ હતો. આ પહેલીવાર છે જ્યારે કંપનીનો વાર્ષિક નફો ₹30,000 કરોડના આંકને પાર ગયો છે.

કંપનીનું PAT માર્જિન 20.5 ટકા રહ્યું છે, જે છેલ્લા ત્રણ વર્ષથી સતત સુધરી રહ્યું છે. Jio Platformsએ જણાવ્યું કે 2016માં લોન્ચ થયા બાદ માત્ર 10 વર્ષમાં કંપની આવકના આધારે ભારતના સૌથી મોટા વ્યવસાયોમાં સામેલ થઈ ગઈ છે.

FY24થી FY26 દરમિયાન કંપનીની ઓપરેટિંગ આવક અને EBITDA અનુક્રમે 15.79 ટકા અને 17.79 ટકાના CAGRથી વધ્યા છે.

દેવામાં નોંધપાત્ર ઘટાડો

Jio Platformsની બેલેન્સ શીટ પણ સતત મજબૂત બની રહી છે. કંપનીનું નેટ લીવરેજ FY24માં 0.88x હતું, જે FY25માં ઘટીને 0.71x અને FY26માં માત્ર 0.36x રહ્યું છે.

કંપનીએ જણાવ્યું કે તેની નાણાકીય સ્થિતિ વધુ મજબૂત બની રહી છે અને દેવા પરની નિર્ભરતા સતત ઘટી રહી છે.

રોકડ પ્રવાહમાં મોટો સુધારો

કંપનીના કેશ EBITDAમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. મૂડી ખર્ચ બાદ FY26માં કેશ EBITDA ₹42,071 કરોડ રહ્યો, જ્યારે FY25માં તે ₹19,902 કરોડ હતો. FY24માં આ આંકડો માત્ર ₹1,449 કરોડ હતો.

આ દર્શાવે છે કે Jio હવે તેના મોટા રોકાણના તબક્કામાંથી બહાર આવી રહી છે અને વધુ મુક્ત રોકડ પ્રવાહ (Free Cash Flow) જનરેટ કરી રહી છે.

Jio પાસે કેટલા સબ્સ્ક્રાઇબર્સ છે?

IPO ફાઇલિંગ મુજબ, FY26ના અંતે Jioનો ગ્રાહક આધાર વધીને 52.44 કરોડ (524.4 મિલિયન) સબ્સ્ક્રાઇબર્સ સુધી પહોંચ્યો છે. FY25માં આ સંખ્યા 48.82 કરોડ (488.2 મિલિયન) હતી.

માત્ર એક વર્ષમાં કંપનીએ 3.62 કરોડ નવા ગ્રાહકો ઉમેર્યા છે, જ્યારે FY25 દરમિયાન માત્ર 64 લાખ નવા સબ્સ્ક્રાઇબર્સ જોડાયા હતા.

ગ્રાહક ખર્ચમાં પણ વધારો નોંધાયો છે. કંપનીનો Average Revenue Per User (ARPU) FY26માં વધીને પ્રતિ મહિને ₹214 થયો છે. FY25માં ARPU ₹206.2 અને FY24માં ₹181.7 હતો.

ભવિષ્ય માટે Jioનો પ્લાન

Jio Platformsનું માનવું છે કે આગામી વર્ષોમાં ભારતમાં ડિજિટલ સેવાઓ પર ગ્રાહકોનો ખર્ચ વધુ વધશે. બ્રોડબેન્ડ અને અન્ય ડિજિટલ સેવાઓનો ઉપયોગ કરતા ઘરોની સંખ્યા સતત વધી રહી છે, જ્યારે ભારતીય કંપનીઓ પણ ઝડપથી ડિજિટલ પ્લેટફોર્મ અપનાવી રહી છે.

કંપનીનું કહેવું છે કે તે માત્ર કનેક્ટિવિટી પૂરતી મર્યાદિત નહીં રહે, પરંતુ ઇન્ટિગ્રેટેડ ડિજિટલ અનુભવ અને શ્રેષ્ઠ નેટવર્ક પ્રદર્શન દ્વારા પોતાની અલગ ઓળખ બનાવતી રહેશે. ગ્રાહકોને વધુ સારી સેવા આપવા માટે નેટવર્કમાં સતત રોકાણ ચાલુ રાખવામાં આવશે.

આવક વધારવાના મુખ્ય કારણો

આગામી સમયમાં Jioની આવક વધારવામાં નીચેના પરિબળો મહત્વની ભૂમિકા ભજવી શકે છે:

  • સમયાંતરે કરવામાં આવતા ટેરિફ વધારા
  • વધુ કિંમતી બંડલ પ્લાન્સનો વધતો ઉપયોગ
  • ARPUમાં સતત વધારો
  • ભારતમાં પ્રતિ વ્યક્તિ આવકમાં વૃદ્ધિ
  • બ્રોડબેન્ડ અને ડિજિટલ સેવાઓની વધતી માંગ

આ તમામ પરિબળોને કારણે Jio Platforms આગામી વર્ષોમાં પણ મજબૂત વૃદ્ધિ જાળવી રાખશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ રહી ‘Jio IPO’ના પ્રાઇસ બેન્ડ અને વેલ્યુએશનની ‘ઇનસાઇડ સ્ટોરી’

Breaking News: હાર્દિક પંડ્યાની રાજસ્થાન રોયલ્સમાં થશે એન્ટ્રી, યશસ્વી જયસ્વાલ મુંબઈ ઈન્ડિયન્સમાં જોડાશે!

IPL 2026 માં હાર્દિક પંડ્યાનું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચી શક્યું ન હતું. હવે, આ ખેલાડી IPL 2027 પહેલા રાજસ્થાન રોયલ્સ જઈ શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુંબઈ ઈન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે હાર્દિક પંડ્યાને ટ્રેડ કરવા માટે વાટાઘાટો ચાલી રહી છે. રસપ્રદ વાત એ છે કે, યશસ્વી જયસ્વાલની જગ્યાએ હાર્દિક પંડ્યાનો ટ્રેડિંગ થઈ રહ્યો છે. આનો અર્થ એ થયો કે યશસ્વી જયસ્વાલ IPL 2027 માં મુંબઈ ઈન્ડિયન્સ માટે રમી શકે છે. યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સ માટે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ હવે તે ટીમ છોડવા માટે તૈયાર છે.

હાર્દિક પંડ્યાને નવી ટીમની જરૂર છે

હાર્દિક પંડ્યાના મુંબઈ ઈન્ડિયન્સ છોડવાના સમાચાર IPL 2026 દરમિયાન ફરવા લાગ્યા હતા. હાર્દિક પંડ્યા ત્રણ વર્ષ પહેલા ગુજરાત ટાઈટન્સથી મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયો હતો અને રોહિત શર્માના સ્થાને તેને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જોકે, હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ મુંબઈ ખિતાબ જીતી શક્યું ન હતું, અને સતત ખરાબ પ્રદર્શન બાદ ટીમમાંથી તેની વિદાયનો માર્ગ સ્પષ્ટ થઈ ગયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે હાર્દિક પંડ્યાને મુંબઈ ઈન્ડિયન્સ ટીમ તરફથી સંપૂર્ણ સમર્થન મળી રહ્યું ન હતું, એટલે કે કેટલાક સિનિયર ખેલાડીઓ તેને સહકાર આપી રહ્યા ન હતા. પરિણામે, પંડ્યાને લાગ્યું કે ટીમ છોડી દેવી જ યોગ્ય રહેશે.

 

યશસ્વી રાજસ્થાનથી કેમ અલગ થઈ રહ્યો છે?

યશસ્વી જયસ્વાલ રાજસ્થાન રોયલ્સ કેમ છોડી રહ્યા છે તે બીજો રસપ્રદ પ્રશ્ન છે. હકીકતમાં, ટીમમાં આ ખેલાડીનું મહત્વ ઘટી ગયું છે. જયસ્વાલ રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન બની શક્યો હોત, પરંતુ ટીમે રિયાન પરાગને કેપ્ટનશીપ સોંપી. વધુમાં, રાજસ્થાને વૈભવ સૂર્યવંશીના સ્વરૂપમાં એક વિસ્ફોટક ઓપનર મેળવ્યો છે, જે જયસ્વાલ કરતા ઘણી ઝડપી બેટિંગ કરે છે. આ જયસ્વાલના જવાનું કારણ હોઈ શકે છે.

દિલ્હી-લખનૌમાં પણ પરિવર્તન આવશે

રાજસ્થાન અને મુંબઈ ઈન્ડિયન્સ જ નહીં, પરંતુ દિલ્હી કેપિટલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સમાં પણ મોટા ફેરફારો થવાની તૈયારી છે. આગામી સિઝનમાં રિષભ પંત દિલ્હી કેપિટલ્સ તરફથી રમી શકે છે. કુલદીપ યાદવ દિલ્હી કેપિટલ્સ માટે રમવાની જગ્યાએ લખનૌ સુપરજાયન્ટ્સ તરફથી રમશે. વધુમાં, કેએલ રાહુલ દિલ્હી કેપિટલ્સનું કેપ્ટનશિપ સંભાળી શકે છે. સૌરવ ગાંગુલી ટીમના મુખ્ય કોચ બની શકે છે, અને યુવરાજ સિંહ દિલ્હીના બેટિંગ કોચ બની શકે છે.

Breaking News: વિવાદ પછી હવે ફાઈનલમાં ફરી સામ-સામે! વૈભવ સૂર્યવંશી શ્રીલંકા સામે લેશે બદલો?

મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ, હું પદ છોડવા તૈયાર છું, પણ… પક્ષના વિભાજન વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ ભાજપ અને શિંદે જૂથ પર કર્યા પ્રહારો

શિવસેનાના સ્થાપના દિવસ નિમિત્તે યોજાયેલી વિશાળ રેલીમાં શિવસેના (ઠાકરે જૂથ)ના પ્રમુખ Uddhav Thackerayએ ભાજપ, એકનાથ શિંદે જૂથ અને બળવાખોર સાંસદો પર આકરા પ્રહારો કર્યા. પોતાના સંબોધનમાં તેમણે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાના નિર્ણયથી લઈને વર્તમાન રાજકીય પરિસ્થિતિ સુધીના અનેક મુદ્દાઓ પર ખુલ્લેઆમ વાત કરી હતી.

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે તેઓ સત્તા માટે રાજકારણ કરતા નથી. તેમણે યાદ અપાવ્યું કે જ્યારે તેમની સામે પ્રશ્નો ઊભા થયા ત્યારે તેમણે એક ક્ષણ પણ વિલંબ કર્યા વગર મુખ્યમંત્રી પદ છોડી દીધું હતું. તેમણે કહ્યું કે જો તેમના વિરુદ્ધ કરવામાં આવતા આરોપો સાચા સાબિત થાય તો તેઓ આજે પણ કોઈપણ પદ છોડવા તૈયાર છે. તેમણે ઉમેર્યું કે શિવસેનામાં કોઈ સામાન્ય શિવસૈનિક પણ આગળ આવશે તો તે પાર્ટીનું નેતૃત્વ સંભાળી શકે છે.

રેલી દરમિયાન ઠાકરેએ શિવસેનાના કાર્યકરોને સંબોધતા કહ્યું કે પાર્ટીને ચોરો અને લૂંટારાઓના હાથમાં જવા દેવી નહીં. તેમણે કાર્યકરોને લાચાર અથવા દેશદ્રોહી ન બનવાની અપીલ કરી અને કહ્યું કે ભ્રષ્ટાચાર તથા વિશ્વાસઘાતના આરોપ લગાવનારા લોકોને યોગ્ય જવાબ આપવો જરૂરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ નિરાશ નથી અને તેમની હિંમત પણ તૂટી નથી. અનેક સંકટોનો સામનો કર્યા બાદ પણ તેઓ સંઘર્ષ માટે તૈયાર છે.

તેમણે વધુમાં કહ્યું કે તેઓ પહાડની જેમ અડગ રહીને પાર્ટીની જવાબદારી નિભાવશે. જોકે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે જ્યાં સુધી કાર્યકરો અને જનતા તેમનામાં વિશ્વાસ રાખશે ત્યાં સુધી જ તેઓ આ જવાબદારી સંભાળશે. તેમણે મતદારોનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે અનેક રાજકીય પડકારો વચ્ચે પણ લોકોએ તેમના નેતૃત્વમાં વિશ્વાસ દર્શાવ્યો છે.

ભાજપ પર પ્રહાર કરતાં ઉદ્ધવ ઠાકરેએ આરોપ લગાવ્યો કે પક્ષ ફરી એકવાર અન્ય રાજકીય પક્ષોમાં ભાગલા પાડવાની રાજનીતિ કરી રહ્યો છે. તેમણે રાષ્ટ્રીય સુરક્ષા અને વિવિધ રાજ્યોની પરિસ્થિતિ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા. ઠાકરેએ કહ્યું કે દેશહિતના મુદ્દાઓ પર રાજકારણને બાજુએ રાખીને નિર્ણયો લેવાં જોઈએ અને રાષ્ટ્રીય હિત માટે તેઓ હંમેશા સહકાર આપવા તૈયાર છે.

શિવસેનાની વર્તમાન સ્થિતિ અંગે બોલતાં તેમણે કહ્યું કે કેટલાક લોકોને લાગતું હશે કે પક્ષ નબળો પડી ગયો છે, પરંતુ હકીકતમાં કાર્યકરોનો વિશ્વાસ આજે પણ યથાવત છે. તેમણે પાર્ટીના નેતાઓ, સાંસદો અને કાર્યકરોનો આભાર માનતાં કહ્યું કે છેલ્લા 60 વર્ષમાં શિવસેનાએ અનેક મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કર્યો છે, પરંતુ હાલની સ્થિતિ કોઈ અસાધારણ કટોકટી નથી.

અંતમાં ઉદ્ધવ ઠાકરેએ તેમના પિતા અને શિવસેનાના સ્થાપક Bal Thackerayને યાદ કરતાં કહ્યું કે શિવસેનાનો જન્મ સત્તા માટે નહીં પરંતુ વિચારધારા માટે થયો હતો. તેમણે દાવો કર્યો કે વર્ષો સુધી ભાજપ સાથે ગઠબંધનમાં રહેવા છતાં શિવસેનાએ પોતાની ઓળખ અને સ્વતંત્રતા જાળવી રાખી છે. સાથે જ તેમણે કહ્યું કે જે લોકો ઠાકરે પરિવારની ટીકા કરે છે અથવા તેમની ઈર્ષ્યા કરે છે, તેઓ શિવસેનાએ વર્ષો દરમિયાન કરેલા સંઘર્ષ અને બલિદાનને સમજતા નથી.

શિવસેનાના 60માં સ્થાપના દિવસે મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો દિવસ

Breaking News: 63 સદી ફટકારનાર શ્રીલંકાનો દિગ્ગજ ખેલાડી ટીમ ઈન્ડિયાની હેલ્મેટ પહેરી મેદાનમાં ઉતર્યો

Breaking News: અપમાન કરવાનો કોઈ ઈરાદો નથી, પરંતુ… ટીમ ઈન્ડિયામાં કુલદીપ યાદવનું સ્થાન જોખમમાં!

ઈંગ્લેન્ડે ટીમમાંથી કર્યો બહાર, હવે બેન સ્ટોક્સ આ ટીમ માટે રમશે, કરી મોટી જાહેરાત

ઈંગ્લેન્ડે ટીમમાંથી કર્યો બહાર, હવે બેન સ્ટોક્સ આ ટીમ માટે રમશે, કરી મોટી જાહેરાત

ઈંગ્લેન્ડનો સ્ટાર ઓલરાઉન્ડર અને ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સ ફરી એકવાર ચર્ચામાં છે. ઓવલ ટેસ્ટ પહેલા નાઈટક્લબમાં થયેલા વિવાદને કારણે તેને ઈંગ્લેન્ડની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તે ક્રિકેટના મેદાન પર વાપસી કરવા માટે તૈયાર છે. બેન સ્ટોક્સને આગામી કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ માટે ડરહામની ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

બેન સ્ટોક્સ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમશે

ડરહામ શુક્રવારથી નોર્થમ્પ્ટનશાયર સામે મહત્વપૂર્ણ કાઉન્ટી ચેમ્પિયનશિપ મેચ રમશે. આ મેચ માટે જાહેર કરાયેલી 15 સભ્યોની ટીમમાં બેન સ્ટોક્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઇંગ્લેન્ડના ઝડપી બોલર ગુસ એટકિન્સનને પણ સ્થાનિક ક્રિકેટ રમવાની મંજૂરી મળી છે અને તે સરે તરફથી ગ્લેમોર્ગન સામે રમશે.

ડરહામની ટીમમાં થયો સામેલ

ડરહામની ટીમમાં કોલિન એકરમેન, ડેવિડ બેડિંગહામ, એલેક્સ લીસ, મેથ્યુ પોટ્સ, બેન રેઈન, ઓલી રોબિન્સન અને બેન સ્ટોક્સ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે. બેન સ્ટોક્સની હાજરીથી ટીમને અનુભવ અને સંતુલન બંને મળશે. ચાહકો પણ લાંબા સમય બાદ બેન સ્ટોક્સને ફરી સ્પર્ધાત્મક ક્રિકેટમાં જોવા આતુર છે.

 

નાઈટક્લબમાં દારૂ પીને મારામારી

લોર્ડ્સ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે જીત બાદ બેન સ્ટોક્સ વિવાદમાં ફસાયો હતો. અહેવાલો મુજબ તેણે ટીમના કર્ફ્યુના નિયમનો ભંગ કરી લંડનના નાઈટક્લબમાં દારૂ પીને જીતની ઉજવણી કરી હતી, અને પછી ગુસ એટકિન્સન સાથે મળીને એક રગ્બી ખેલાડી પર હુમલો કર્યો હતો. બેન સ્ટોક્સનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેના કારણે ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેને ઓવલ ટેસ્ટ માટે ટીમમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો.

બેન સ્ટોક્સનો વિવાદો સાથે જૂનો સંબંધ

બેન સ્ટોક્સનો વિવાદો સાથેનો સંબંધ નવો નથી. 2011 થી લઈને 2017 સુધી તે અનેક વખત શિસ્તભંગના કેસોને લઈ ચર્ચામાં રહ્યો છે. જોકે, મેદાન પર તેની મેચ જીતાડવાની ક્ષમતાને કારણે તે હંમેશા ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનો મહત્વનો ખેલાડી રહ્યો છે. હવે તમામની નજર ડરહામ તરફથી રમતા તેની વાપસી પર રહેશે અને તે બેટ તથા બોલથી કેવી અસર પાડે છે તે જોવું રસપ્રદ રહેશે.

Breaking News: ઈશાન કિશને કમજોરીને બનાવી તાકાત, હવે આ એક શોટથી બોલરોમાં ફેલાવી રહ્યો છે ડર

ઘરમાં પિતૃઓનો ફોટો ક્યાં રાખવો? ગરુડ પુરાણના આ નિયમો બદલી નાખશે તમારું નસીબ, જાણી લો સાચી દિશા, વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News: ઈશાન કિશને કમજોરીને બનાવી તાકાત, હવે આ એક શોટથી બોલરોમાં ફેલાવી રહ્યો છે ડર

ટીમ ઈન્ડિયામાં વાપસી કર્યા પછી ઈશાન કિશન સતત રન બનાવી રહ્યો છે. T20 ક્રિકેટમાં ધમાકેદાર પ્રદર્શન બાદ તેણે ODI ફોર્મેટમાં પણ પોતાની તાકાત બતાવી છે. અફઘાનિસ્તાન સામેની બીજી વનડેમાં ફટકારેલી વિસ્ફોટક સદી એ વાતનો પુરાવો છે કે ઈશાન હવે ભારતીય ટીમમાં પોતાનું સ્થાન મજબૂત બનાવી રહ્યો છે.

સુનીલ ગાવસ્કરે ઈશાન કિશનની પ્રશંસા કરી

પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કરે ઈશાન કિશનની બેટિંગમાં આવેલા મોટા બદલાવ પર પ્રકાશ પાડ્યો છે. સુનીલ ગાવસ્કરના મતે, ઈશાન કિશન અગાઉ ઓફ-સ્ટમ્પની બહારના બોલ સામે થોડી મુશ્કેલી અનુભવતો હતો. વિરોધી બોલરો તેની આ નબળાઈનો લાભ ઉઠાવતા હતા, પરંતુ હવે તેણે આ ખામી પર સફળતાપૂર્વક કામ કર્યું છે.

કમજોરીને બનાવી તાકાત

સુનીલ ગાવસ્કરે જણાવ્યું કે ઈશાન કિશને પોતાની ડિફેન્સિવ ટેકનિકમાં સુધારો કર્યો છે અને બેકફૂટ પર રમવાની ક્ષમતા પણ વધુ મજબૂત બનાવી છે. સૌથી મહત્વની વાત એ છે કે હવે તે લોફ્ટેડ કવર ડ્રાઈવ જેવા આક્રમક શોટ્સ આત્મવિશ્વાસ સાથે રમે છે. આ શોટે તેને વધુ ખતરનાક અને અનિશ્ચિત બેટ્સમેન બનાવી દીધો છે.

 

આક્રમકતા અને ટેકનિકનો સુંદર સમન્વય

અફઘાનિસ્તાન સામેની મેચમાં ઈશાન કિશને માત્ર 71 બોલમાં સદી ફટકારી હતી. તેની ઇનિંગમાં આક્રમકતા અને ટેકનિકનો સુંદર સમન્વય જોવા મળ્યો હતો. લાંબા સમય બાદ ODI ટીમમાં વાપસી કરનાર ઈશાન કિશને આ તકનો ભરપૂર લાભ લીધો અને પોતાની પસંદગીને યોગ્ય સાબિત કરી હતી.

ઈશાન કિશનનું શાનદાર પ્રદર્શન

IPL 2026 અને T20 વર્લ્ડ કપમાં પણ ઈશાન કિશનનું પ્રદર્શન શાનદાર રહ્યું હતું. ત્રણેય ફોર્મેટમાં સતત રન બનાવવાના કારણે તેનો આત્મવિશ્વાસ ઊંચો ગયો છે. જો તે આ જ રીતે રમતો રહેશે, તો આગામી ODI વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની યોજનાઓમાં તે મહત્વપૂર્ણ ખેલાડી બની શકે છે. હાલમાં તેની બેટિંગ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે ઈશાન કિશનને રોકવું હવે વિરોધી ટીમો માટે સરળ નથી.

FIFA World Cup 2026: ઘાનાની વર્લ્ડ કપ ટીમમાં અનેક ખેલાડીઓ વિદેશમાં જન્મેલા, જાણો રસપ્રદ હકીકત

PhonePe યુઝર્સ માટે મહત્વપૂર્ણ સૂચના, એક ભૂલ અને લાગી શકે છે ₹100 ચાર્જ

જો તમે PhonePeનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વના સાબિત થઈ શકે છે. કંપનીએ તેની વોલેટ સંબંધિત નીતિમાં ફેરફાર કર્યો છે, જેના કારણે કેટલાક યુઝર્સને ₹100 સુધીની જાળવણી ફી ચૂકવવી પડી શકે છે. જોકે, આ નિયમ તમામ ગ્રાહકો માટે લાગુ પડતો નથી.

નવી નીતિ અનુસાર, જો કોઈ યુઝર સતત 365 દિવસ સુધી PhonePe Walletમાં કોઈપણ પ્રકારનો નાણાકીય વ્યવહાર નહીં કરે, તો તે વોલેટને ‘Inactive’ એટલે કે નિષ્ક્રિય ગણવામાં આવશે. આવી સ્થિતિમાં કંપની દ્વારા ₹100 સુધીની Inactivity Maintenance Fee વસૂલવામાં આવી શકે છે.

આ માહિતી સામે આવતા સોશિયલ મીડિયા પર પણ ચર્ચા શરૂ થઈ હતી. જાણીતા ટિપસ્ટર અભિષેક યાદવે X (અગાઉ Twitter) પર આ અંગે માહિતી શેર કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, ઘણા યુઝર્સ PhonePe Walletનો ઉપયોગ કરતા નથી અને સીધા UPI મારફતે પોતાના બેંક ખાતામાંથી જ ચૂકવણી કરવાનું પસંદ કરે છે.

મહત્વની વાત એ છે કે માત્ર PhonePe એપ ખોલવાથી અથવા UPI દ્વારા પેમેન્ટ કરવાથી Wallet Active ગણાશે નહીં. વોલેટ સક્રિય રાખવા માટે Wallet સંબંધિત કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી રહેશે. જો એક વર્ષ સુધી આવી કોઈ પ્રવૃત્તિ ન થાય, તો જ આ ફી લાગુ પડશે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે ફી કાપવામાં આવે તે પહેલાં યુઝર્સને 15 દિવસ અગાઉ જાણ કરવામાં આવશે. જો Walletમાં પૂરતું બેલેન્સ ઉપલબ્ધ હશે, તો ₹100 સીધા જ કાપી લેવામાં આવશે. જો Walletમાં ₹100 કરતાં ઓછું બેલેન્સ હશે, તો ઉપલબ્ધ રકમ જ કાપવામાં આવશે અને Walletનું બેલેન્સ શૂન્ય થઈ જશે. કંપની Walletને નેગેટિવ બેલેન્સમાં નહીં લઈ જાય.

ડિજિટલ પેમેન્ટ ક્ષેત્રમાં આવી ફી નવી બાબત નથી. અગાઉ MobiKwik સહિત અન્ય કેટલીક કંપનીઓ પણ લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા વોલેટ્સ પર મેન્ટેનન્સ અથવા ઇનએક્ટિવિટી ચાર્જ લાગુ કરી ચૂકી છે.

તેથી જો તમે PhonePe Walletનો ઉપયોગ કરો છો, તો સમયાંતરે Wallet મારફતે કોઈ નાનું ટ્રાન્ઝેક્શન કરીને તેને સક્રિય રાખવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે અને અનાવશ્યક ચાર્જથી બચી શકાય છે.

PAN Cardમાં ખરાબ કે જૂનો થઈ ગયેલો ફોટો કઈ રીતે બદલાવવો? જાણો પ્રોસેસ

ITR ભરનારાઓ માટે એલર્ટ! 30 જૂન પહેલાં આવી શકે છે આવકવેરા વિભાગની ‘નોટિસ’

આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરનારા કરદાતાઓ માટે આ વર્ષે આવકવેરા વિભાગે તપાસ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી દીધી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસે (CBDT) આવકવેરા અધિનિયમની કલમ 143(2) હેઠળ થતી સ્ક્રુટિની (Scrutiny – વિગતવાર તપાસ) વ્યવસ્થાને કડકાઈથી લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

આ પ્રક્રિયાનો હેતુ કરદાતાઓ દ્વારા ફાઇલ કરાયેલા રિટર્નમાં આપવામાં આવેલી માહિતીની પુષ્ટિ કરવાનો અને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે વિસંગતતાની તપાસ કરવાનો છે.

આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ 2025-26 સાથે જોડાયેલા રિટર્ન માટે સ્ક્રુટિની નોટિસ જાહેર કરવાની અંતિમ તારીખ 30 જૂન 2026 નક્કી કરી છે. જો કોઈ કરદાતાને આ તારીખ સુધી નોટિસ નથી મળતી, તો તેનું રિટર્ન આ ફાઇનાન્સિયલ યરમાં તપાસ માટે પસંદ કરવામાં આવશે નહીં.

શું છે સેક્શન 143(2)?

આવકવેરા અધિનિયમની કલમ 143(2) આકારણી અધિકારી (Assessing Officer) ને એ અધિકાર આપે છે કે, તે કોઈ કરદાતાના રિટર્નની વિગતવાર તપાસ કરી શકે. જો અધિકારીને એવું લાગે કે, રિટર્નમાં આવક ઓછી દર્શાવવામાં આવી છે, નુકસાન વધુ બતાવવામાં આવ્યું છે અથવા ટેક્સ ઓછો ચૂકવવામાં આવ્યો છે, તો તે કરદાતાને નોટિસ મોકલી શકે છે.

નોટિસ મળ્યા પછી કરદાતાએ પોતાના દાવાઓના સમર્થનમાં જરૂરી દસ્તાવેજો અને પુરાવા રજૂ કરવાના હોય છે. આમાં આવકની વિગતો, રોકાણને લગતા દસ્તાવેજો, ટેક્સ મુક્તિ અને અન્ય નાણાકીય રેકોર્ડ સામેલ હોઈ શકે છે.

કયા કિસ્સાઓમાં વધી શકે છે તપાસનું જોખમ?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર AIS, Form 26AS અને ITR વચ્ચેનો તફાવત, મોટા નાણાકીય વ્યવહારો, અસામાન્ય ટેક્સ મુક્તિના દાવા અથવા જોખમી પ્રોફાઇલ ધરાવતા કિસ્સાઓને સ્ક્રુટિની માટે પસંદ કરવામાં આવી શકે છે. જો કે, તપાસ માટે પસંદ થવું એ કોઈ કરચોરી કે ગેરરીતિનો પુરાવો ગણાતો નથી.

નોટિસ મળવા પર ગભરાશો નહીં

ટેક્સ નિષ્ણાતોનું કહેવું છે કે, જો સ્ક્રુટિની નોટિસ મળે તો ગભરાવાની જરૂર નથી. કરદાતાએ સમયસર જવાબ આપવો જોઈએ અને જરૂર પડે તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) અથવા ટેક્સ સલાહકારની મદદ લેવી જોઈએ. સાચા દસ્તાવેજો અને સ્પષ્ટ માહિતી પૂરી પાડવાથી તપાસ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થઈ શકે છે. વિભાગનો હેતુ કરદાતાઓને પરેશાન કરવાનો નથી, પરંતુ ટેક્સ નિયમોનું પાલન વધુ સરળ બનાવવાનો છે.

દુનિયાને ‘ડૉલર’ ડૂબવાનો ડર! RBI એ 3 વર્ષમાં આખો ‘ખેલ’ પલટી નાખ્યો, આટલું ‘સોનું’ ભારત લાવીને ‘બાજી’ પલટી

પાકિસ્તાનમાં મસાલા ડોસો બન્યો ‘લક્ઝરી’ ફૂડ? કિંમત સાંભળીને કહેશો- આપણું ભારત જ સારું!

પાકિસ્તાન અને ભારત વચ્ચે ઘણી બાબતોમાં સમાનતા જોવા મળે છે. લોકોની જીવનશૈલીથી લઈને પહેરવેશ સુધી ઘણી વસ્તુઓ એકસરખી લાગે છે. જોકે, ખાવાપીવાના મામલે બંને દેશોમાં ફ્લેવર અને પસંદગીમાં ઘણો તફાવત જોવા મળે છે. પાકિસ્તાનમાં નોનવેજ વાનગીઓ વધુ લોકપ્રિય છે, જ્યારે ભારતમાં વેજ અને નોનવેજ બંને પ્રકારના ખોરાકની વિશાળ પસંદગી ઉપલબ્ધ છે.

હવે ક્રોસ-કલ્ચરના યુગમાં ભારતીય વાનગીઓ પણ પાકિસ્તાન સુધી પહોંચી ગઈ છે. જોકે, ત્યાં કેટલીક ભારતીય વાનગીઓને નોનવેજ સ્વરૂપમાં પણ પીરસવામાં આવી રહી છે. વિદેશી વ્લોગર કાર્લ રોકે કરાચીની મુલાકાત દરમિયાન એક ભારતીય ફૂડ સ્ટોલની મુલાકાત લીધી હતી અને તેનો અનુભવ પોતાના વીડિયોમાં શેર કર્યો હતો.

વીડિયોની શરૂઆતમાં કાર્લ જણાવે છે કે હવે પાકિસ્તાનમાં ભારતીય ખાવાનું પણ મળવા લાગ્યું છે. ત્યારબાદ તેઓ ‘દોસા સ્ટોપ’ નામના ફૂડ કાર્ટ પર પહોંચે છે, જ્યાં તેમને ડોસા અને પાવભાજી બનાવતા જોવા મળે છે. કાર્લ કહે છે કે ઘણા લોકોને વિશ્વાસ નહીં આવે કે પાકિસ્તાનમાં પણ ભારતીય વાનગીઓ મળી રહી છે.

ચોંકાવી દે તેવી કિંમતો

ત્યારબાદ કાર્લ સ્ટોલનું મેનૂ બતાવે છે, જેમાં ડોસા, વડા પાવ અને પાવભાજી જેવા વિકલ્પો જોવા મળે છે. પરંતુ લોકો માત્ર આ વાનગીઓ જોઈને જ નહીં, તેની કિંમતો જોઈને પણ ચોંકી ગયા. આ સ્ટોલ પર ચિકન ડોસાની કિંમત 800 પાકિસ્તાની રૂપિયા હતી, જ્યારે પાવભાજી 600 રૂપિયામાં વેચાતી હતી. વડા પાવ માટે પણ 500 રૂપિયા ચૂકવવા પડતા હતા. નોંધનીય છે કે ભારતીય 1 રૂપિયાની કિંમત લગભગ 2.95 પાકિસ્તાની રૂપિયા જેટલી થાય છે.

ખાસ વાત એ પણ હતી કે અહીં કેટલીક ભારતીય વાનગીઓના નોનવેજ વર્ઝન પણ ઉપલબ્ધ હતા, જે લોકોને આશ્ચર્યમાં મૂકી રહ્યા છે. ભારતમાં સામાન્ય રીતે ડોસાના નોનવેજ સ્વરૂપો બહુ જોવા મળતા નથી, પરંતુ કરાચીના આ સ્ટોલ પર ચિકન ડોસા અને બીફ કીમા ડોસા જેવી વાનગીઓ પણ પીરસવામાં આવી રહી હતી.

80 રૂપિયાનો ડોસો

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક લોકોએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. એક યુઝરે લખ્યું કે ભારતમાં તો 80 રૂપિયામાં ડોસો મળી જાય છે. જ્યારે કેટલાક લોકોએ નોનવેજ ડોસાના કોન્સેપ્ટ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જોકે, એક અન્ય યુઝરે સ્પષ્ટતા કરી હતી કે આ ફૂડ કાર્ટ શહેરના હાઈ-ક્લાસ વિસ્તારમાં આવેલું હોવાથી અહીંના ભાવ સામાન્ય કરતાં વધુ છે.

જુઓ વિડિયો :

 

View this post on Instagram

 

A post shared by Karl Rock (@iamkarlrock)

નોંધ: સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોની TV9 ગુજરાતી સત્તાવાર રીતે પુષ્ટિ કરતું નથી.

આ 4 મૂળાંકવાળા લોકો હોય છે સૌથી મોટા પેટ લવર્સ, પ્રાણીઓ સાથે હોય છે ખાસ આત્મીય જોડાણ

મિનિટોમાં ઠંડું કરી દેશે ‘કેબિન’… કારમાં લાગેલું આ નાનું અમથું બટન બચાવશે ‘ફ્યુઅલ’, જાણો આનો ‘સાચો ઉપયોગ’

ઉનાળાની ઋતુમાં કાર ચલાવતી વખતે AC નો ઉપયોગ લગભગ દરેક ડ્રાઈવર કરે છે. એવામાં બહુ ઓછા લોકો જાણે છે કે, તેમની કારમાં રહેલું એક નાનું બટન AC ની કૂલિંગને વધુ ઝડપી બનાવવાની સાથે ફ્યુઅલનો ખર્ચ પણ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ બટન ડેશબોર્ડ પર કારના નિશાન અને તેની અંદર ફરતા તીરના ચિહ્ન તરીકે જોવા મળે છે, જેને ‘એર રિસર્ક્યુલેશન’ બટન કહેવામાં આવે છે.

આ બટનનો યોગ્ય ઉપયોગ માત્ર કારના કેબિનને ઝડપથી ઠંડું કરતો નથી પરંતુ AC સિસ્ટમ પર પડતો ભાર પણ ઘટાડે છે. પરિણામે એન્જિન પર વધારાનો દબાણ ઓછો થાય છે અને લાંબાગાળે ફ્યુઅલની બચત પણ થઈ શકે છે.

એર રિસર્ક્યુલેશન મોડ કેવી રીતે કામ કરે છે?

જણાવી દઈએ કે, જ્યારે ડ્રાઈવર એર રિસર્ક્યુલેશન બટન ચાલુ કરે છે, ત્યારે કારની AC સિસ્ટમ બહારની હવાને અંદર લેવાનું બંધ કરી દે છે. તેના બદલે, તે કેબિનની અંદર રહેલી હવાને ફરીથી AC સિસ્ટમ મારફતે ઠંડી કરીને સતત સર્ક્યુલેટ કરતી રહે છે. સામાન્ય ફ્રેશ એર મોડમાં AC ને સતત બહારથી આવતી ગરમ હવાને ઠંડી કરવી પડે છે.

જો બહારનું તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ હોય, તો AC ને દર વખતે એ જ ગરમ હવાને ઠંડી કરવા માટે ઊર્જા ખર્ચવી પડે છે. આના કારણે કૂલિંગની પ્રક્રિયા ધીમી થઈ જાય છે. બીજું કે, જ્યારે રિસર્ક્યુલેશન મોડમાં એકવાર કેબિનનું તાપમાન ઘટવા લાગે છે, પછી AC પહેલેથી જ ઠંડી થયેલી હવાને વધુ ઠંડી કરતું રહે છે. આથી કેબિન ખૂબ જ ઝડપથી આરામદાયક તાપમાન સુધી પહોંચી જાય છે.

કૂલિંગ ઝડપથી કેમ થાય છે?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, AC હકીકતમાં ઠંડી હવા બનાવતું નથી પરંતુ હવામાંથી ગરમી દૂર કરે છે. આવી સ્થિતિમાં, જ્યારે સિસ્ટમને પહેલેથી જ ઠંડી હવા મળે છે, ત્યારે તેને ઓછું કામ કરવું પડે છે. ઉદાહરણ તરીકે, જો બહારનું તાપમાન 35 ડિગ્રી હોય અને AC ચાલ્યા બાદ કારની અંદરનું તાપમાન 25 ડિગ્રી સુધી પહોંચી ગયું હોય, તો રિસર્ક્યુલેશન મોડમાં સિસ્ટમ 25 ડિગ્રીની હવાને વધુ ઠંડી કરશે. ત્યારબાદ એ જ હવા વધુ ઠંડી બનીને ફરી સિસ્ટમમાં પહોંચશે. આ પ્રક્રિયાના કારણે કૂલિંગ ખૂબ જ ઝડપી બને છે.

ફ્યુઅલની ખપત પર પણ પડે છે ‘અસર’

કારનો AC કમ્પ્રેસર એન્જિન સાથે જોડાયેલો હોય છે અને બેલ્ટની મદદથી કાર્ય કરે છે. એવામાં જ્યારે AC ને સતત બહારની ગરમ હવાને ઠંડી કરવી પડે છે, ત્યારે કમ્પ્રેસરને વધુ મહેનત કરવી પડે છે. આની સીધી અસર એન્જિન પર પડે છે અને ફ્યુઅલની ખપત વધી શકે છે. જો કે, રિસર્ક્યુલેશન મોડમાં AC નું કામ ઓછું થઈ જાય છે.

આધુનિક કારોમાં ઉપયોગમાં લેવાતા વેરિએબલ ડિસ્પ્લેસમેન્ટ કમ્પ્રેસર તાપમાન ઘટતાં આપમેળે ઓછી ઊર્જાનો ઉપયોગ કરે છે. પરિણામે એન્જિન પરનો ભાર ઘટે છે અને ફ્યુઅલ કાર્યક્ષમતા (ફ્યુઅલ એફિશિયન્સી) સુધરી શકે છે. જો કે, એક-બે મુસાફરીમાં તેનો મોટો ફરક જોવા મળતો નથી પરંતુ આખા ઉનાળા દરમિયાન રોજિંદા ઉપયોગથી ફ્યુઅલની સારી એવી બચત થઈ શકે છે.

ક્યારે કરવો જોઈએ ઉપયોગ?

નિષ્ણાતોના મતે, ગરમ તડકામાં ઊભેલી કારમાં બેસતાની સાથે જ સૌપ્રથમ રિસર્ક્યુલેશન મોડ ચાલુ કરવો જોઈએ. ઉપરાંત, ભારે ટ્રાફિક દરમિયાન પણ આ મોડ લાભદાયી રહે છે કારણ કે તે બહારનો ધુમાડો, ધૂળ અને પ્રદૂષણ કેબિનની અંદર આવવા દેતું નથી. જો કે, આ મોડનો સતત ઘણા કલાકો સુધી ઉપયોગ કરવો યોગ્ય નથી.

જો કારમાં ઘણા લોકો બેઠા હોય, તો લાંબા સમય સુધી બંધ કેબિનમાં કાર્બન ડાયોક્સાઇડ (CO2)નું સ્તર વધી શકે છે. આના કારણે હવા વાસી લાગવા લાગે છે અને મુસાફરોને થાક અથવા સુસ્તી અનુભવાઈ શકે છે. નિષ્ણાતો સલાહ આપે છે કે, દર 20 થી 30 મિનિટે થોડા સમય માટે ફ્રેશ એર મોડનો ઉપયોગ કરવો વધુ સારું રહે છે.

શોરૂમમાં ઉભેલી કાર જૂની તો નથી ને, ખરીદવા જાવ ત્યારે કેવી રીતે જાણશો કાર જૂની છે કે નવી ?

Breaking News: ભારતે અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું, શુભમન ગિલની કેપ્ટનશીપમાં વનડે શ્રેણી પર કર્યો કબજો

લખનૌના અટલ બિહારી વાજપેયી સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી વનડેમાં ભારતે અફઘાનિસ્તાનને 170 રનથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા ભારતે 402 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, પરંતુ જવાબમાં અફઘાનિસ્તાનની ટીમ માત્ર 232 રનમાં જ આઉટ થઈ ગઈ. આ જીત સાથે, ભારતે વનડે શ્રેણીમાં 2-0ની અજેય લીડ મેળવી લીધી. બેટ્સમેન અને બોલર બંનેએ ભારતની જીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

ભારતનો એકતરફી વિજય

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન શુભમન ગિલ ટોસ હારી ગયા અને અફઘાનિસ્તાને તેમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી, યશસ્વી જયસ્વાલ માત્ર 4 રન બનાવી આઉટ થયો. જોકે, રોહિત શર્મા અને કેપ્ટન શુભમન ગિલે ત્યારબાદ શાનદાર અડધી સદીની ભાગીદારી કરીને અફઘાનિસ્તાનને પાછળ છોડી દીધું. બંને બેટ્સમેનોએ મુક્ત બેટિંગ કરી, જોકે રોહિત શર્મા માત્ર 2 રનથી પોતાની અડધી સદી ચૂકી ગયો. તેણે 39 બોલમાં 48 રન બનાવ્યા.

 

કિશન-ગિલનું તોફાન

રોહિતના આઉટ થયા પછી ઈશાન કિશન અને શુભમન ગિલે જોરદાર બેટિંગ કરી, જેના કારણે અફઘાનિસ્તાનને સેટ થવાની તક મળી નહીં. બંનેએ 141 બોલમાં ત્રીજી વિકેટ માટે 224 રન ઉમેર્યા. શુભમન ગિલે 77 બોલમાં પોતાની સદી પૂરી કરી, જ્યારે ઈશાન કિશને ફક્ત 71 બોલમાં પોતાની સદી ફટકારી. ઈશાન કિશન 125 રન બનાવીને આઉટ થયો, ત્યારબાદ શુભમન ગિલે 154 રન બનાવીને 150 રન બનાવ્યા. ગિલના ગયા પછી ભારતીય ઇનિંગ ડગમગી ગઈ. ટીમે તેની છેલ્લી આઠ વિકેટ 82 રનમાં ગુમાવી દીધી. એક સમયે, એવું લાગતું હતું કે ભારતીય ટીમ 450 રન સુધી પહોંચી જશે, પરંતુ સ્કોર 402 પર અટકી ગયો.

ભારતની શાનદાર બોલિંગ

ભારતના બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવી, અને પછી બોલરોએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. ગુર્નુર બ્રારે ભારતને પહેલી સફળતા અપાવી. બ્રારે ગુરબાઝને 41 રને આઉટ કર્યો. ત્યારબાદ અર્શદીપ સિંહે ઇબ્રાહિમ ઝદરાનને આઉટ કર્યો, અને પછી વોશિંગ્ટન સુંદરે સેદીકુલ્લાહ અટલને આઉટ કર્યો. પ્રિન્સ યાદવે ખરોટીને બોલ્ડ આઉટ કરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પોતાની પહેલી વિકેટ લીધી. અફઘાનિસ્તાન માટે સૌથી વધુ 79 રન બનાવનારા રહેમત શાહને પણ પ્રિન્સે આઉટ કર્યો. અર્શદીપ અને ગુર્નુરે અફઘાન મિડલ ઓર્ડરનો સામનો કર્યો. હવે, ટીમ ઈન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રીજી વનડે 20 જૂને ચેન્નાઈમાં યોજાશે

Womens T20 World Cup: સ્મૃતિ મંધાનાએ એક સાથે તોડ્યા 3 મોટા રેકોર્ડ, આ કમાલ કરનાર વિશ્વની પહેલી ક્રિકેટર

અસલી કે નકલી વ્હિસ્કી? ખરીદતા પહેલા જાણી લો આ 5 સરળ ઓળખવાની રીતો

SBIની આ સ્કીમે લોન્ચિંગથી અત્યાર સુધી આપ્યું જોરદાર રિટર્ન, રોકાણકારોના પૈસા 93 ગણા વધ્યા

SBI મ્યુચ્યુઅલ ફંડની સ્કીમ ‘SBI કોન્ટ્રા ફંડ’ના શરૂ થવા પર જેણે વન ટાઈમ ડિપોઝિટ (લમ્પ સમ) કરી હતી, તેના પૈસા હવે 93 ગણા થઈ ગયા છે. એવામાં જ્યારે જેણે માત્ર 1,500 રૂપિયાની એસઆઈપી (SIP) ચાલુ રાખી હશે, તેને હવે 20 લાખ રૂપિયા મળી ગયા હશે. એસબીઆઈ કોન્ટ્રા ફંડે લોન્ચ થયા પછીથી SIP કરનારાઓને 14 ટકા વાર્ષિક અને લમ્પ સમ પર 18.38% વાર્ષિકના દરે રિટર્ન આપ્યું છે.

SBI Contra Fund કોન્ટ્રેરિયન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી (Contrarian Investment Strategy) અપનાવે છે. આનો અર્થ એ થયો કે, આ ફંડ એવી કંપનીઓમાં રોકાણ કરે છે, જેને બજાર હાલમાં નજરઅંદાજ કરી રહ્યું હોય પરંતુ જેમાં ભવિષ્યમાં સારું પ્રદર્શન કરવાની ક્ષમતા હોય.

  • લોન્ચ ડેટ : 5 જુલાઈ, 1999
  • કુલ AUM : 47,263 કરોડ રૂપિયા (31 મે, 2026)
  • એક્સપેન્સ રેશિયો રેગ્યુલર પ્લાન : 1.46% (31 મે, 2026)
  • એક્સપેન્સ રેશિયો ડાયરેક્ટ પ્લાન : 0.72% (31 મે, 2026)
  • લેટેસ્ટ NAV : 372.0468 રૂપિયા (15 જૂન, 2026)
  • શાર્પ રેશિયો : 0.67
  • સ્ટાન્ડર્ડ ડેવિએશન : 14.48%
  • બીટા : 0.91

એક્ઝિટ લોડ

30 દિવસ પહેલાં પૈસા ઉપાડવા પર : 0.25%
30 દિવસ પછી અને 90 દિવસ પહેલાં પૈસા ઉપાડવા પર : 0.10%
90 દિવસ પછી પૈસા ઉપાડવા પર : Nil

ફંડનું લમ્પ સમ પ્રદર્શન

  1. લોન્ચ ડેટ : 5 જુલાઈ, 1999
  2. લોન્ચ થયા પછીથી રિટર્ન : 18.38% વાર્ષિક
  3. લોન્ચ વખતે વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ : 1,00,000 રૂપિયા
  4. હવે રોકાણની વેલ્યુ : 93,87,080 રૂપિયા

બેન્ચમાર્કનું પ્રદર્શન : બેન્ચમાર્ક BSE 500 TRI એ આ સમયગાળા દરમિયાન 14.95% વાર્ષિકના દરે રિટર્ન આપ્યું છે અને તેમાં 5 જુલાઈ 1999 ના રોજ 1 લાખ રૂપિયાના રોકાણની વેલ્યુ હવે 42,51,940 રૂપિયા થઈ છે.

ફંડનું SIP પ્રદર્શન

  • 21 વર્ષમાં SIPનું વાર્ષિક રિટર્ન : 14%
  • મંથલી એસઆઈપી અમાઉન્ટ : 1,500 રૂપિયા
  • 21 વર્ષમાં કુલ રોકાણ : 3,78,000 રૂપિયા
  • હવે એસઆઈપીની માર્કેટ વેલ્યુ : 20,33,729 રૂપિયા

ફંડની રોકાણ વ્યૂહરચના

  1. આ ફંડ ઓછામાં ઓછું 65% રોકાણ એવી કંપનીઓના શેરોમાં કરે છે, જે કોન્ટ્રેરિયન થીમ પર આધારિત હોય. આ સિવાય, ફંડ પાસે 35% સુધીનું રોકાણ અન્ય શેર, ડેટ વિકલ્પો અથવા મની માર્કેટ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં કરવાની પણ સુવિધા છે.
  2. શેર પસંદ કરવા માટે ફંડ ટોપ-ડાઉન અને બોટમ-અપ બંને પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. પહેલા અર્થતંત્ર અને સેક્ટરનું એનાલિસિસ કરવામાં આવે છે, પછી મજબૂત કંપનીઓની પસંદગી કરવામાં આવે છે.
  3. આ ફંડ એવા રોકાણકારો માટે ઉત્તમ વિકલ્પ છે, જેઓ લાંબાગાળે પોતાની સંપત્તિમાં વધારો કરવા માંગે છે. આ સિવાય કોન્ટ્રેરિયન ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજી પર આધારિત, ડાઇવર્સિફાઇડ ઇક્વિટી અને ઇક્વિટી સાથે જોડાયેલા રોકાણોમાં પૈસા લગાવવા માંગે છે.
  4. ધ્યાન રહે કે, કોન્ટ્રેરિયન સ્ટ્રેટેજીમાં એવા શેરમાં રોકાણ કરવામાં આવે છે, જે હાલમાં બજારમાં ઓછા પસંદ કરવામાં આવી રહ્યા હોય પરંતુ ભવિષ્યમાં સારું પ્રદર્શન કરી શકે.
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સોનું, શેરબજાર, રિયલ એસ્ટેટ… બધું જ ફેઈલ! છેલ્લા 10 વર્ષમાં આ એક જ ધાતુએ આપ્યું ‘રેકોર્ડતોડ રિટર્ન’, આંકડા જોઈને ચોંકી જશો

એક ખોટો નિર્ણય વધારી દેશે તમારો ખર્ચ, સ્માર્ટ પ્લગ કે સ્માર્ટ સ્વિચ? જાણો તમારા ઘર અને બજેટ માટે કયો વિકલ્પ છે સૌથી બેસ્ટ

સોનું કે ચાંદી? Gold-Silver Ratio એ આપ્યો ‘મોટો સંકેત’, જાણો અત્યારે કઈ ધાતુમાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે

Breaking News: વૈભવ સૂર્યવંશીની શ્રીલંકામાં લડાઈ પર ટીમ ઈન્ડિયાના કોચનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

પહેલી અને છેલ્લી રોટલી બદલી શકે છે તમારું નસીબ… વાસ્તુના આ નિયમો નહીં જાણો તો ઘરમાં વધી શકે છે દરિદ્રતા

હિન્દુ સનાતન પરંપરા અને વાસ્તુશાસ્ત્રમાં રસોડાને ઘરનું સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે. રસોડું માત્ર ખોરાક રાંધવાની જગ્યા નથી, પરંતુ તે ઘરના સભ્યોની તંદુરસ્તી, આર્થિક સ્થિતિ અને માનસિક શાંતિ સાથે સીધું જોડાયેલું છે. રસોડામાં બનતી રોટલી માત્ર ભૂખ મટાડવાનું સાધન નથી, પણ તે ઘરની સકારાત્મક કે નકારાત્મક ઊર્જાને પણ પ્રભાવિત કરે છે. વાસ્તુ નિષ્ણાતોના મતે, જો રોટલી બનાવવા અને પીરસવા દરમિયાન કેટલાક ખાસ નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરની ગરીબી દૂર થાય છે અને માતા અન્નપૂર્ણાના આશીર્વાદ હંમેશાં બનેલા રહે છે.

શાસ્ત્રોમાં ખાસ ઉલ્લેખ છે કે રસોડામાં બનતી પહેલી રોટલી ગાય માટે અને છેલ્લી રોટલી કૂતરા માટે કાઢવી જોઈએ. આવો જાણીએ આ પરંપરા પાછળનું ધાર્મિક અને વાસ્તુ મહત્વ શું છે.

પહેલી રોટલી ગાયને ખવડાવવાનું મહત્વ

ધાર્મિક માન્યતાઓ અનુસાર ગાયને અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તેમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોવાનું કહેવાય છે. રસોડામાં બનતી સૌથી પહેલી રોટલી, જેને શાસ્ત્રોમાં ‘ગોગ્રાસ’ કહેવામાં આવે છે, તે ગાયને ખવડાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ, શાંતિ અને સકારાત્મક ઊર્જાનો પ્રવાહ વધે છે. આ સાથે પિતૃદોષ અને વાસ્તુદોષની અસરો પણ ઓછી થાય છે.

છેલ્લી રોટલી કૂતરાને આપવાનું કારણ

જ્યોતિષશાસ્ત્રમાં કૂતરાને ભગવાન ભૈરવનું વાહન માનવામાં આવે છે અને તેનો સંબંધ રાહુ-કેતુ ગ્રહ સાથે છે. રસોઈની છેલ્લી રોટલી કૂતરાને ખવડાવવાથી કુંડળીમાં રહેલા રાહુ-કેતુના નકારાત્મક પ્રભાવો શાંત થાય છે. જો આ છેલ્લી રોટલી પર સહેજ સરસવનું તેલ લગાવીને કૂતરાને આપવામાં આવે તો શનિની સાડાસાતી કે ઢૈયાની અસરો પણ ઓછી થઈ શકે છે. માનવામાં આવે છે કે કૂતરો ઘર પર આવનારી તમામ નકારાત્મક શક્તિઓ અને સંકટોને પોતાના પર લઈ લે છે.

રસોડાના અન્ય કેટલાક મહત્વના નિયમો

  • અગ્નિ ગ્રાસની પરંપરા: ઘણા ઘરોમાં રોટલી બનાવતા પહેલા લોટનો એક નાનો ટુકડો અગ્નિદેવને અર્પણ કરવામાં આવે છે, જેને ‘અગ્નિ ગ્રાસ’ કહેવાય છે. આ અગ્નિદેવ પ્રત્યે સન્માન વ્યક્ત કરવાની પરંપરા છે, ત્યારબાદ જ પહેલી રોટલી ગાય માટે બનાવાય છે.
  • પંચબલિ કર્મ: ગાય અને કૂતરા ઉપરાંત ભોજનનો થોડો ભાગ પક્ષીઓ, ખાસ કરીને કાગડા અને કીડીઓ માટે પણ કાઢવો જોઈએ. આ પ્રકૃતિ અને જીવો પ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવાનું પ્રતીક છે.

કયા પ્રકારની રોટલી ક્યારેય ન આપવી જોઈએ?

વાસ્તુશાસ્ત્ર અનુસાર ગાય કે કૂતરાને ક્યારેય પણ બળેલી, વાસી કે બચેલી રોટલી ન આપવી જોઈએ. ઘણા લોકો સૌથી નાની, છેલ્લી વધી ગયેલી અથવા ખરાબ રોટલી પ્રાણીઓને આપી દે છે, પરંતુ વાસ્તુ મુજબ આ પદ્ધતિ તદ્દન ખોટી છે અને તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે. હંમેશાં સાફ, તાજી અને સારી રીતે બનેલી રોટલી જ આપવી જોઈએ. આ નાના-નાના નિયમોનું પાલન કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિના દ્વાર ખુલે છે.

Disclaimer: આ જ્યોતિષીય ગણતરીઓ અને માન્યતાઓ પર આધારિત છે. TV9Gujarati આની જવાબદારી સ્વીકારતું નથી કે તેને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Breaking News: રેલવે પછી હવે ભારતીય સેનાનો મોટો નિર્ણય, હવે ‘ROYAL’ નહીં, બ્રિટિશ કાળની પરંપરાઓને અપાઈ વિદાય

ખેડૂતોનું આંદોલન ગાંધીનગર પહોંચે એ પહેલા જ પડ્યા બે ફાંટા, હવેે 30 જૂને ફરી ચક્કાજામ કરવાનું અપાયુ એલાન

ખેડૂતોના ખેતરોમાં ખાનગી પાવરગ્રીડ કંપની દ્વારા થાંભલા નાખવા સામે વિરોધ તેમજ યોગ્ય વળતરની માગ સાથે ખેડૂતોએ સરકાર સામે મોરચો માંડ્યો છે અને ગાંધીનગર સુધી ટ્રેક્ટર રેલી લઈ કૂચ કરવાનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે ખેડૂતોના આ આંદોલનમાં બે ફાંટા પડી જતા ગાંધીનગર પહોંચે તે પહેલા જ આંદોલનનો ફિયાસ્કો થયો છે. ઓગણજ પહોંચતા જ ખેડૂતોના બે ફાંટા પડી ગયેલા જોવા મળ્યા. જેમા કેટલાક ખેડૂતો ગાંધીનગર કૂચ કરવા માટે મક્કમ હતા. બીજી તરફ ખેડૂતોને ખોટા સંદેશા પહોંચાડવામાં આવ્યા હોવાના પણ દાવા પાલ આંબલિયા અને લાલજી દેસાઈ દ્વારા કરવામાં આવ્યા. ખેડૂતોને સભા સ્થળને બદલે ટ્રેક્ટરોને ગાંધીનગર લઈ જવા માટે કહેવાઈ રહ્યુ છે. કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ દાવો કર્યો કે આંદોલનમાં કેટલાક ટોપીધારીઓ જોડાઈ ગયા છે અને તેઓ આંદોલનમાં આવ્યા નથી અને વાતાવરણ બગાડી રહ્યા છે. સભા કર્યા બાદ ગાંધીનગર જવાનું આયોજન હતુ પરંતુ ખેડૂતોને ગેરમાર્ગે દોરવામા આવ્યા.

ખેડૂતોમાં ભાગલા પડતા જાહેર સભાનો ફિયાસ્કો

ખેડૂતોના ભાાગલા પડી જતા સભા સ્થળે પણ બહુ ઓછા ખેડૂતો પહોંચ્યા હતા. કેટલાક ખેડૂતો હાઇવે પરથી જ પરત ફર્યા હતા. સભાસ્થળે જૂજ ખેડૂતો જ પહોચતા અને આંદોલનમાં વિવાદ થતા પાલ આંબલિયા ભાવુક જોવા મળ્યા હતા. તેમણે સભા સ્થળે ખેડૂતોને સંબોધતા કહ્યુ હતુ કે હું ભાંગી પડ્યો છુ. છેલ્લા 10 દિવસથી હું ઘરે નથી ગયો, શું મારી બે દીકરીઓને બાપની જરૂર નહીં હોય? આંબલિયાએ આક્ષેપ કર્યો કે ખેડૂતોને કેટલાક લોકોએ આવીને ગેરમાર્ગે દોર્યા છે. ખેડૂતો સાથે હું રાજકારણ કરતો હોવાનું કેટલાક લોકો ફેલાવી રહ્યા છે. હવે હું મારા પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ નિર્ણય કરીશ કે મારે ખેડૂતોની લડત લડવી કે નહીં. તેમણે કહ્યુ ખેડૂતોને નમ્ર વિનંતી કે તમારા માટે લડત લડતા લોકોને હિંમત આપો.

30 જૂને ફરી ચક્કાજામ કરવાનો હુંકાર

આંદોલના ભાગલા પડવા અંગે લાલજી દેસાઈએ જણાવ્યુ કે આ આંદોલન કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા કરાયુ હતુ. શાંતિપુરા પાસે લોકોને જોતા સરકાર એક્શનમાં આવી છે. એક પણ નેતા પાસે કોંગ્રેસનો ખેસ નથી, આ આંદોલન કિસાન કોંગ્રેસ તરફથી કરાયું હતુ. અમે દુઃખી છીએ કે આંદોલનની મહેનત પર પાણી ફર્યું છે. તેમણે 30 જૂને ફરીથી ચક્કાજામનો કોલ આપવામાં આવ્યો છે. આંદોલન રાજકીય નથી તો અમિત ચાવડા અને ગેનીબેન માત્ર ત્યાં શુ કરતા હતા? તેવા સવાલના જવાબમાં તેમણે જણાવ્યુ કે તેઓ માત્ર સાથ આપવા માટે આવ્યા હતા. પહેલાથી જ સૂચના અપાઈ હતી કે રાજનૈતિક વ્યક્તિઓ સ્ટેજ પર નહીં આવે. સરકાર રાહ જોઈને બેઠી હતી કે ખેડૂતોના બે ફાંટા પડે. ખેડૂતોને પોલીસે અધવચ્ચે પરત કર્યા છે.

પોલીસે સર્વિસ રોડ પર આડા JCB મૂકી ગાંધીનગર જતા રોક્યા હતા

ખેડૂતોએ આઉટર રિંગ રોડ બ્લોક કર્યો તો પોલીસે સર્વિસ રોડ આડે JCB મૂકી ગાંધીનગર જતા રોક્યા હતા. આક્રોશિત થયેલા ખેડૂતોએ રસ્તા પર ટ્રેક્ટર રાખી વિરોધ કર્યો. જેના કારણે પોલીસે ખેડૂતોને ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન પોલીસ અને ખેડૂત વચ્ચે ઘર્ષણના દૃશ્યો પણ સર્જાયા હતા. ખેડૂતોનો એક વર્ગ ગાંધીનગર કૂચ કરવાની તૈયારીમાં હતો પરંતુ પોલીસે તેમને અધવચ્ચેથી જ રોકી લીધા હતા. આ હોબાળા દરમિયાન ખેડૂતોના બે ભાગલા પડી ગયા, જેમા કેટલાક ખેડૂતો ગાંધીનગર જવાની જીદમાં ટ્રેક્ટરથી ન જઈ શકતા ચાલતા ગાંધીનગર જવા નીકળી ગયો. તો અન્ય ખેડૂતોને કોંગ્રેસ નેતા સમજાવી સભા સ્થળે લઈ ગયા. આ વિવાદ બાદ પાલ આંબલિયા ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના આરોપ બાદ તેઓ ભાવુક થયા.

ખેડૂતોની અધિકાર યાત્રા લઈ AAP પ્રદેશ પ્રમુખનું નિવેદન

ટ્રેક્ટર રેલીમાં ન જોડાવા અંગે ઈસુદાન ગઢવીએ સફાઈ આપતા કહ્યુ કે કેટલાક લોકો નહોતા ઈચ્છતા કે AAPના નેતા રેલીમાં જોડાય. આ ખેડૂતોની રેલી છે કોઈ પાર્ટીની રેલી નથી. અમારે આંદોલન હાઈજેક કરવાની કોઈ જરૂર નથી. ખેડૂતોનો મુદ્દો ભટકી ના જાય એટલે રેલીમાં જોડાતો નથી. 54 લાખ ખેડૂત પરિવારોની માફી માગું છું.

 

Breaking News: વૈભવ સૂર્યવંશી પર લાગશે પ્રતિબંધ? 15 વર્ષના ખેલાડીને મળશે મોટી સજા!

એસી ચાલુ કરતી વખતે સ્વિંગ ફ્લેપ ઓન રાખવાથી વીજળીનું બિલ વધશે કે ઘટશે?

Breaking News: વૈભવ સૂર્યવંશી પર લાગશે પ્રતિબંધ? 15 વર્ષના ખેલાડીને મળશે મોટી સજા!

વૈભવ સૂર્યવંશી તેના છગ્ગા, ચોગ્ગા અને તોફાની ઇનિંગને કારણે હેડલાઇન્સમાં રહે છે, પરંતુ શ્રીલંકામાં રમાઈ રહેલી ત્રિકોણીય શ્રેણીમાં તે એક ઝઘડાને કારણે સમાચારમાં છે. ઈન્ડિયા A ની હાર બાદ વૈભવ સૂર્યવંશીનો શ્રીલંકા A ખેલાડી સાથે ઝઘડો થયો હતો. મેચ જીત્યા પછી, શ્રીલંકા A ના ખેલાડીઓએ આક્રમક રીતે ઉજવણી કરી અને વૈભવ સૂર્યવંશી સામે બૂમો પાડતા જોવા મળ્યા. આ બધું જોઈને વૈભવ સૂર્યવંશી ગુસ્સે થઈ ગયો અને શ્રીલંકાના એક ખેલાડીને ધક્કો માર્યો. જવાબમાં આ ખેલાડીએ પણ સૂર્યવંશીને ધક્કો માર્યો. તરત જ અન્ય ખેલાડીઓએ બંનેને અલગ કર્યા, પરંતુ હવે સૂર્યવંશીની મુશ્કેલીઓ વધી શકે છે.

વૈભવ સૂર્યવંશીને શું સજા થશે?

વૈભવ સૂર્યવંશીએ શ્રીલંકાના ખેલાડીને ધક્કો માર્યો હતો, જે ICC નિયમ હેઠળ મોટો ગુનો છે. આમ કરવાથી દોષિત ખેલાડીને દંડ અને પ્રતિબંધ પણ લાગી શકે છે. આ ગુના માટે સજાના ચાર સ્તર છે.

  • જો કોઈ ખેલાડીએ શારીરિક હુમલાનું નાનું કૃત્ય કર્યું હોય, તો તેને ચેતવણી, તેની મેચ ફી કાપવામાં આવશે અને એક ડિમેરિટ પોઈન્ટ આપવામાં આવશે. આ લેવલ 1 નો ગુનો છે.
  • લેવલ 2 માં બે થી ચાર ડિમેરિટ પોઈન્ટનો દંડ, ખેલાડીની મેચ ફીનો દંડ અને એક થી બે મેચનો પ્રતિબંધ છે. આ સજા ખેલાડીને જાણી જોઈને ધક્કો મારવા બદલ કરવામાં આવે છે.
  • લેવલ 3 કે 4 હેઠળ, જો કોઈ ખેલાડીના ધક્કાથી વિરોધી ખેલાડીને ઈજા થાય છે, તો તેને હિંસા ગણવામાં આવે છે અને તેના પરિણામે ઘણી મેચો અથવા આખી સિઝન માટે પ્રતિબંધ મૂકવામાં આવે છે. જોકે, વૈભવ સૂર્યવંશીના કિસ્સામાં આવું બન્યું નથી.

તિલક વર્માની અમ્પારો સાથે બોલાચાલી

શ્રીલંકા A સામેની મેચમાં ફક્ત વૈભવ સૂર્યવંશી જ આક્રમક જોવા મળ્યો ન હતો, પરંતુ કેપ્ટન તિલક વર્મા પણ અમ્પાયરો સાથે દલીલ કરતો જોવા મળ્યો હતો. મેચ ટાઈ થયા પછી તિલક અમ્પાયર સાથે બોલાચાલી કરતો જોવા મળ્યો હતો. મેચનો સમય પૂરો થઈ ગયો હોવાથી અમ્પાયરો સુપર ઓવર ઇચ્છતા ન હતા, પરંતુ તિલક ગમે તે ભોગે તે ઇચ્છતો હતો. સુપર ઓવરના છેલ્લા બોલ પર જ્યારે અમ્પાયરોએ અરશદ ખાનના છેલ્લા બોલને નો-બોલ ન ગણાવ્યો ત્યારે વિવાદ ફાટી નીકળ્યો અને ભારતીય ખેલાડીઓ ડગઆઉટમાં ગયા. ત્યારબાદ અમ્પાયરોએ પોતાનો નિર્ણય ઉલટાવી દીધો અને તેને નો-બોલ જાહેર કર્યો. ત્યારબાદ તિલક વર્મા ફરીથી અમ્પાયરો સાથે બોલાચાલી કરી. તિલકના આ વલણથી તેની સામે પણ કાર્યવાહી થઈ શકે છે.

ઈન્ડિયા A મેચ હારી ગયું

ત્રિકોણીય શ્રેણીમાં ભારતનું પ્રદર્શન ખરાબ રહ્યું છે. અફઘાનિસ્તાન સામેની મેચ હાર્યા બાદ ભારત A ટીમ શ્રીલંકા A ટીમ સામે પણ મેચ હારી ગયું. ટીમ ત્રણમાંથી બે મેચ હારી ગઈ છે, અને હવે જો તેઓ ફાઇનલમાં પહોંચવા માંગે છે, તો તેમણે અફઘાનિસ્તાન સામેની અંતિમ મેચ જીતવી પડશે. આ મેચ 17 જૂને દામ્બુલામાં રમાશે.

Womens T20 World Cup: પાકિસ્તાનના બાબર આઝમને પાછળ છોડશે ભારતની સ્મૃતિ મંધાના, બનશે નંબર-1

Womens T20 World Cup: 26 વર્ષથી જે નથી થયું તે હવે થશે, ભારત પહેલીવાર આ ટીમ સામે રમશે

Breaking News: ભારતે પાકિસ્તાનને ચટાડી ધૂળ, વિમેન્સ T20 વર્લ્ડ કપની શાનદાર જીત સાથે શરૂઆત

ટીમ ઈન્ડિયાએ ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 ના પોતાના પહેલા મુકાબલામાં પાકિસ્તાનને કચડીને શાનદાર શરૂઆત કરી હતી. બર્મિંગહામમાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને એકતરફી રીતે 64 રનથી હરાવ્યું હતું. શરૂઆતમાં, સ્મૃતિ મંધાનાની શાનદાર 68 રનની ઇનિંગને કારણે, ટીમ ઈન્ડિયાએ 170 રનનો જંગી સ્કોર બનાવ્યો હતો. જવાબમાં, સારી શરૂઆત બાદ પાકિસ્તાની ઇનિંગ અચાનક પડી ભાંગી. દીપ્તિ શર્માએ 5 વિકેટ લીધી અને પાકિસ્તાનને 104 રનમાં ઓલઆઉટ કરી દીધું. આમ, ભારતે T20 વર્લ્ડ કપમાં સાતમી વખત પાકિસ્તાનને હરાવ્યું હતું.

ભારતે પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું

ચાર વર્ષ પહેલાં 2022 કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન એજબેસ્ટન ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ટક્કર થઈ હતી. તે મેચમાં ભારતે પાકિસ્તાનને આરામથી હરાવ્યું હતું, જેમાં સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ વખતે પણ પરિસ્થિતિ અલગ નહોતી. આ T20 વર્લ્ડ કપ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરીને 170 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. મંધાનાએ 68 રન બનાવ્યા હતા, જે પાકિસ્તાન સામે તેનો સર્વોચ્ચ સ્કોર હતો. રિચા ઘોષે પણ ઝડપી 34 રન બનાવ્યા હતા.

 

પહેલી જ મેચમાં બતાવ્યો દમ

જવાબમાં, પાકિસ્તાનના ઓપનરોએ સારી શરૂઆત કરી, પાવરપ્લેમાં માત્ર એક વિકેટ ગુમાવીને 50 રન બનાવ્યા. જોકે, દીપ્તિ શર્મા પહેલેથી જ વિકેટના રિસીવિંગ એન્ડ પર હતી અને પછી પાકિસ્તાની બેટ્સમેન સામે જોરદાર બોલિંગ કરી. તેણીએ પાકિસ્તાનને બીજો ઝટકો આપ્યો, અને તેના થોડા સમય પછી, તેણીએ રન-આઉટ કર્યો.

 

દીપ્તિ શર્માએ લીધી પાંચ વિકેટ

આ દરમિયાન, શ્રી ચારણી અને શેફાલી વર્માએ પણ પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો, શેફાલીએ સૌથી મોટી વિકેટ લીધી, પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સનાને ખાતું ખોલ્યા વિના આઉટ કરી. ત્યારબાદ, 17મી ઓવરમાં, દીપ્તિએ ત્રણ વિકેટ લીધી, જેનાથી પાકિસ્તાનનો સ્કોર 106 થઈ ગયો. જે બાદ દીપ્તિ શર્માએ સ્પિન બોલિંગનો કમાલ બતાવ્યો અને પાંચ વિકેટ લઈ પાકિસ્તાનની હાર નિશ્ચિત કરી દીધી.

Breaking News: જેટલી ભૂલો, તેટલા રેકોર્ડ… સ્મૃતિ મંધાનાએ પાકિસ્તાનને આપી સજા, પહેલી જ મેચમાં આડેહાથ લીધું

અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર 19 કરોડના વિકાસ કાર્યો, 95% કામગીરી પૂર્ણ, જુઓ Video

અમદાવાદ શહેર ભગવાન જગન્નાથજીની 149મી ઐતિહાસિક રથયાત્રાના સ્વાગત માટે સજ્જ થઈ રહ્યું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખો ભક્તો જગન્નાથ ભગવાનના દર્શન અને રથયાત્રામાં ભાગ લેવા ઉત્સુક છે, ત્યારે આ વર્ષની રથયાત્રામાં એક વિશેષ આકર્ષણ ઉમેરાયું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા રથયાત્રાના મુખ્ય રૂટ પર વ્યાપક વિકાસ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે, જે હવે પૂર્ણતાના આરે છે.

19 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ચાલી રહેલા આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ

પ્રાપ્ત માહિતી અનુસાર, જગન્નાથ મંદિરથી નીકળતી ભવ્ય રથયાત્રાના માર્ગને ધ્યાનમાં રાખીને AMC એ જમાલપુર ચાર રસ્તાથી દાણીપીઠ સુધીના અંદાજે 1200 મીટર લાંબા માર્ગનું નવીનીકરણ કર્યું છે. 19 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે ચાલી રહેલા આ મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટનું 95% કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. બાકીનું કામ રથયાત્રા પહેલાં કોઈપણ ભોગે પૂરું કરવા માટે કોર્પોરેશન પ્રતિબદ્ધ છે.

આ વિકાસ કાર્યો માત્ર માર્ગના સમારકામ પૂરતા સીમિત નથી, પરંતુ તેમાં સૌંદર્યીકરણ અને સુવિધાઓના ઉમેરા પર ભાર મૂકવામાં આવ્યો છે. રથયાત્રાના રૂટ પર ઠેર ઠેર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે, જે વાતાવરણને હરિયાળું અને તાજગીભર્યું બનાવશે. આ ઉપરાંત, આધુનિક સેન્ટર લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી છે, જે રાત્રિના સમયે પણ માર્ગને પ્રકાશિત અને સુરક્ષિત રાખશે. ગ્રીન પેચ અને કોટા ગ્રેનાઇટ સ્ટોનના પેવમેન્ટ સાથેની નવી ફૂટપાથ બનાવવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓને ચાલવા માટે આરામદાયક અને સુંદર માર્ગ પૂરો પાડશે.

છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્લાઝાના નિર્માણનું કામ

મંદિરના પ્રવેશદ્વાર અને ગેટ નંબર બે પાસે વિશેષ કલાત્મક પેવિંગ અને એક વિશાળ પ્લાઝાનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્લાઝા ભક્તો માટે એકત્ર થવા અને દર્શન કરવા માટે એક સુંદર સ્થળ બની રહેશે, જે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનશે. છેલ્લા ઘણા મહિનાઓથી આ પ્લાઝાના નિર્માણનું કામ ચાલી રહ્યું હતું, અને હવે રથયાત્રા પહેલા તે પૂર્ણ થવા જઈ રહ્યું છે.

આ સિવાય, જમાલપુર દરવાજા, ચકલા, વૈશ્યસભા, શાહઆલે ગમધણી દરગાહ અને ખમાસા જેવા રથયાત્રાના માર્ગ પર આવતા મહત્વના જંક્શનોનું પણ પુનઃ ડિઝાઇનિંગ કરવામાં આવ્યું છે. આ જંક્શનો પર ટેબલ ટોપ, આઇલેન્ડ, આકર્ષક શિલ્પકૃતિઓ, પ્લેસ મેકિંગ અને હેંગિંગ લાઇટ્સ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે. આનાથી આ વિસ્તારોને એક નવો ઓપ મળ્યો છે અને તે વધુ આકર્ષક દેખાઈ રહ્યા છે.

આ સમગ્ર પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય ભગવાન જગન્નાથની રથયાત્રાને આ વર્ષે વધુ દિવ્યતા અને ભવ્યતા પ્રદાન કરવાનો છે. લાખોની સંખ્યામાં આવતા શ્રદ્ધાળુઓ માટે સુવિધાસભર અને નયનરમ્ય માર્ગ તૈયાર થાય તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. 19 કરોડના ખર્ચે હાથ ધરાયેલા આ વિકાસ કાર્યો અમદાવાદની રથયાત્રાના ઇતિહાસમાં એક નવો અધ્યાય ઉમેરશે, જ્યાં આધુનિક સુવિધાઓ અને પરંપરાનો સુભગ સમન્વય જોવા મળશે. આ નવો ઓપ પામેલો રૂટ રથયાત્રાની ભવ્યતામાં વધારો કરશે અને ભક્તો માટે એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરશે.

ગુજરાતમાં ચોમાસું ક્યારે જામશે? અંબાલાલ પટેલની નવી આગાહી

Breaking News : પાકિસ્તાનની ‘નાપાક’ હરકત, બાલાકોટ સેક્ટરમાં LoC પર PAK આર્મીનો ગોળીબાર

જમ્મુ-કાશ્મીરની નિયંત્રણ રેખા (LoC) પર ફરી એકવાર તણાવ વધ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂંચ જિલ્લાના બાલાકોટ સેક્ટરના તારકુંડી વિસ્તારમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાની માહિતી મળી છે.

8 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે ગોળીબાર

મળતી માહિતી મુજબ, પાકિસ્તાની ચોકીઓમાંથી લગભગ 8 મિનિટ સુધી વચ્ચે-વચ્ચે ગોળીબાર કરવામાં આવ્યો હતો. ગોળીબાર બાદ સમગ્ર વિસ્તારમાં સતર્કતા વધારી દેવામાં આવી છે અને સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘટનાની જાણ થતાં જ ભારતીય સુરક્ષા એજન્સીઓએ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવાની શરૂઆત કરી હતી. સરહદી વિસ્તારોમાં દેખરેખ વધુ કડક બનાવવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને સમયસર પહોંચી વળાઈ શકે.

હજુ સુધી યુદ્ધવિરામ ઉલ્લંઘનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી

હાલ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિ કે નુકસાન થયાના સત્તાવાર અહેવાલ સામે આવ્યા નથી. જોકે, ભારતીય સેના અથવા સંબંધિત સુરક્ષા એજન્સીઓ તરફથી હજુ સુધી યુદ્ધવિરામ ઉલ્લંઘનની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

સરહદી સૂત્રોનું માનવું છે કે જો આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થાય છે, તો તાજેતરના દિવસોમાં નિયંત્રણ રેખા પર તણાવ વધારતી આ બીજી મહત્વપૂર્ણ ઘટના ગણાશે. હાલમાં સુરક્ષા એજન્સીઓ સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

ઘટનાના ચોક્કસ કારણો અને ગોળીબારની પરિસ્થિતિ અંગે વધુ વિગતો સત્તાવાર નિવેદન બાદ જ સ્પષ્ટ થઈ શકશે. ત્યાં સુધી સરહદી વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત રાખવામાં આવી છે અને સ્થાનિક સ્તરે પણ સતર્કતા વધારવામાં આવી છે.

કંગાળી આંટો વાઢી ગઈ, પાકિસ્તાનના ખેલાડીઓને એશિયન ગેમ્સ પહેલા મોટો ઝટકો

Breaking News: જેટલી ભૂલો, તેટલા રેકોર્ડ… સ્મૃતિ મંધાનાએ પાકિસ્તાનને આપી સજા, પહેલી જ મેચમાં આડેહાથ લીધું

ICC મહિલા T20 વર્લ્ડ કપ 2026 પહેલા ટીમ ઈન્ડિયા માટે જે ખેલાડીનું ફોર્મ સૌથી મોટી ચિંતાનો વિષય હતું તે પહેલી જ મેચમાં ખરાબ રીતે બરબાદ થઈ ગઈ. ટીમ ઈન્ડિયાની સ્ટાર બેટ્સમેન અને વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ પહેલી જ મેચમાં પાકિસ્તાની બોલરોને બરબાદ કરી દીધા, જેમાં તેણે ધમાકેદાર અડધી સદી ફટકારી. મંધાનાએ પાકિસ્તાની ખેલાડીઓની ફિલ્ડિંગ ભૂલોનો પણ લાભ લીધો અને ઝડપી 68 રનની મદદથી ટીમને સારા સ્કોર સુધી પહોંચવાનો પાયો નાખ્યો.

પાકિસ્તાન સામે ચમકી સ્મૃતિ મંધાના

રવિવાર, 14 જૂનના રોજ બર્મિંગહામના એજબેસ્ટન સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વર્લ્ડ કપના પોતાના પહેલા મેચમાં એકબીજા સામે ટકરાયા. ભારતે પહેલા બેટિંગ કરી. શેફાલી વર્માએ ઇનિંગના પહેલા જ બોલ પર સિક્સર ફટકારીને વિસ્ફોટક શરૂઆત કરી, પરંતુ તે જ ઓવરમાં શેફાલી આઉટ થઈ ગઈ. જેમીમા રોડ્રિગ્સ પણ માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગઈ. જવાબદારી વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના અને કેપ્ટન હરમનપ્રીત કૌર પર આવી.

પાકિસ્તાને કરી ભૂલ, મંધાનાએ આપી સજા

હરમનપ્રીત કૌર મુક્તપણે રમવા માટે સંઘર્ષ કરી રહી હતી, પરંતુ મંધાનાએ પાકિસ્તાની બોલરોને ફટકારવાનું શરૂ કર્યું. તેણીએ દરેક બોલરને નિશાન બનાવ્યું અને બાઉન્ડ્રી ફટકારવાનું શરૂ કર્યું. જોકે, આ દરમિયાન પાકિસ્તાને મંધાનાને આઉટ કરવાની ત્રણ તક ગુમાવી દીધી, અને મંધાનાએ શાનદાર ઈનિંગ રમીને પાકિસ્તાને તેની ભૂલની સજા આપી. પોતાની અડધી સદી પૂર્ણ કરતા પહેલા એક પાકિસ્તાની ફિલ્ડરે એક સરળ કેચ છોડી દીધો, અને પછી થોડા બોલ પછી રન-આઉટની તક પણ ગુમાવી દીધી.

 

માત્ર 34 બોલમાં અડધી સદી ફટકારી

મંધાનાએ આનો લાભ ઉઠાવીને માત્ર 34 બોલમાં અડધી સદી ફટકારી. પોતાની અડધી સદી પૂર્ણ કર્યા પછી, તેણી ફરી તેનો એક સરળ કેચ ડ્રોપ થયો અને મંધાનાએ માત્ર 44 બોલમાં નવ ચોગ્ગા અને બે છગ્ગા સાથે શાનદાર 68 રન બનાવ્યા. તેની ઇનિંગે મોટા સ્કોરનો પાયો નાખ્યો અને 170 રન સુધી પહોંચાડવામાં મદદ મળી.

મંધાનાએ બનાવ્યા આ રેકોર્ડ્સ

આ ઇનિંગ દરમિયાન મંધાનાએ 3 ખાસ રેકોર્ડ પણ પોતાના નામે કર્યા.મંધાનાએ પાકિસ્તાન સામે T20માં પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. પાકિસ્તાન સામે તેનો અગાઉનો સર્વોચ્ચ સ્કોર અણનમ 63 રન હતો, જે સંયોગથી 2022માં બર્મિંગહામમાં જ બન્યો હતો. એટલું જ નહીં, ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી T20 મેચોમાં સૌથી વધુ 5 છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ મંધાનાના નામે છે. આ ઉપરાંત, સ્મૃતિ મંધાનાએ ભારત-પાકિસ્તાન T20 મેચોમાં સૌથી વધુ ચોગ્ગા (42) ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે.

Breaking News: પાકિસ્તાન સામે 1 રન બનાવતા જ હરમનપ્રીત કૌરે T20 વર્લ્ડ કપમાં રચ્યો ઈતિહાસ, બની નંબર-1 બેટ્સમેન

સીનિયર સિટિઝન્સ માટે કમાણીની મોટી તક: આ બેંકો આપી રહી છે ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.30 ટકા સુધીનું વ્યાજ

60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકો માટે પોતાની જીવનભરની બચતને સુરક્ષિત જગ્યાએ રોકીને નિયમિત કમાણી કરવાનો ફિક્સ્ડ ડિપોઝિટ (FD) હજુ પણ સૌથી ભરોસાપાત્ર રસ્તો માનવામાં આવે છે. જૂન 2026ના આ મહિનામાં કેટલીક નાની ફાઇનાન્સ બેંકો (Small Finance Banks) સીનિયર સિટિઝન્સને સામાન્ય બેંકો કરતાં ઘણું વધારે વ્યાજ ઓફર કરી રહી છે, જે તેમની નિવૃત્તિ પછીની માસિક અને વાર્ષિક આવકમાં મોટો સહારો બની શકે છે.

કઈ બેંક કેટલું વ્યાજ આપી રહી છે?

આ સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં વરિષ્ઠ નાગરિકોને અલગ-અલગ સમયગાળા (Tenure) માટે 7 ટકાથી લઈને 8.30 ટકા સુધીનું વ્યાજ મળી રહ્યું છે, જે સામાન્ય ગ્રાહકોને મળતા વ્યાજ દર કરતાં ઘણું વધારે છે. મુખ્ય બેંકોના વ્યાજ દર નીચે મુજબ છે:

  • શિવાલિક સ્મોલ ફાઇનાન્સ બેંક: ચોક્કસ સમયગાળા પર આશરે 8.30 ટકા સુધી
  • ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક: અંદાજે 8.25 ટકા સુધી
  • સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક: આશરે 8.25 ટકા સુધી
  • ઉત્કર્ષ સ્મોલ ફાઇનાન્સ બેંક: અંદાજે 8.25 ટકા સુધી
  • યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંક: ચોક્કસ સમયગાળા પર આશરે 8.00 ટકા સુધી
  • એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક: આશરે 7.90 ટકા સુધી
  • કેપિટલ સ્મોલ ફાઇનાન્સ બેંક: આશરે 7.65 ટકા સુધી

FD ખાતું ખોલાવવા માટે કયા ડોક્યુમેન્ટ્સ જરૂરી છે?

જો તમે આ યોજનાઓનો લાભ લેવા માંગો છો, તો તમારી પાસે ઓળખ અને સરનામાના પુરાવા તરીકે નીચેના દસ્તાવેજો હોવા જરૂરી છે, પાન કાર્ડ, વોટર આઈડી, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને આધાર કાર્ડ (જેના નંબરની ગુપ્તતા જાળવવી અનિવાર્ય છે). આ ઉપરાંત એડ્રેસ વેરિફિકેશન માટે વીજળી બિલ, ટેલિફોન બિલ અથવા બેંક સ્ટેટમેન્ટની જરૂર પડી શકે છે.

એફડીમાં રોકાણ કરતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો

  • નિયમો અને શરતો: દરેક બેંકમાં અલગ-અલગ સમયગાળા માટે વ્યાજના દર જુદા હોય છે, તેથી રોકાણ કરતા પહેલાં શરતો બરાબર વાંચી લેવી.
  • સમયગાળાની પસંદગી: તમારી નાણાકીય જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ એફડીની મુદત નક્કી કરો. જો તમે સમય મર્યાદા પૂરી થતાં પહેલાં (Premature Withdrawal) પૈસા ઉપાડશો, તો વ્યાજ દર ઘટી શકે છે.
  • ટેક્સની ગણતરી: એફડીમાંથી મળતા વ્યાજ પર ટેક્સ લાગી શકે છે, જેનાથી તમારી ચોખ્ખી કમાણી પર અસર પડે છે. તેથી ટેક્સના નિયમો અગાઉથી જાણી લેવા.
  • બેંકની વિશ્વસનીયતા: સ્મોલ ફાઇનાન્સ બેંકોમાં રોકાણ કરતાં પહેલાં તેમની નાણાકીય સ્થિતિ અને સુરક્ષાના નિયમોની યોગ્ય તપાસ કરી લેવી હિતાવહ છે.

જો તમે વરિષ્ઠ નાગરિક છો, તો નિવૃત્તિ પછીની આવક વધારવા માટે અત્યારે યોગ્ય બેંક અને યોગ્ય સમયગાળો પસંદ કરીને રોકાણ કરવાનો આ એક શ્રેષ્ઠ સમય સાબિત થઈ શકે છે.

ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

નવી ટેક્સ વ્યવસ્થાની મોટી અસર: શું હવે ટેક્સ સેવિંગ મ્યુચ્યુઅલ ફંડ્સનો જમાનો પૂરો થઈ ગયો?

Breaking News: શુભમન ગિલ સામે અફઘાનિસ્તાનના બોલરો ઘૂંટણિયે, ભારતે પહેલી વનડે 7 વિકેટથી જીતી

Breaking News : હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે, ઈરાન સાથે કાલે થશે શાંતિ કરાર પર હસ્તાક્ષર, ટ્રમ્પનો દાવો

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ કરારને લઈને એક મોટો દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે બંને દેશો વચ્ચેનો શાંતિ કરાર કાલે હસ્તાક્ષરિત થઈ શકે છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, કરાર પર હસ્તાક્ષર થયા બાદ તરત જ હોર્મુઝ સ્ટ્રેટને આંતરરાષ્ટ્રીય જહાજરાણી માટે ફરીથી ખુલ્લું મુકવામાં આવશે.

આ દરમિયાન પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પણ આ મુદ્દે મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આગામી 24 કલાકમાં અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. ઇસ્લામાબાદ તરફથી મળેલા સંકેતો અનુસાર, રવિવારે આ કરાર પર સત્તાવાર હસ્તાક્ષર થવાની શક્યતા છે. જો આવું થાય તો લાંબા સમયથી ચાલી રહેલા તણાવ અને રાજદ્વારી વાટાઘાટો પછી એક મહત્વપૂર્ણ સફળતા માનવામાં આવશે.

ટ્રમ્પે ઓબામા સરકારના JCPOA કરારની ટીકા કરી

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા દ્વારા ઈરાન સાથે કરવામાં આવેલ JCPOA કરાર ઈરાનને પરમાણુ શસ્ત્રો સુધી પહોંચવાનો સરળ માર્ગ પૂરો પાડતો હતો. તેમના મતે, જો તે કરાર યથાવત રહ્યો હોત તો ઈરાન વર્ષો પહેલાં પરમાણુ હથિયાર બનાવી શક્યું હોત.

ટ્રમ્પે વધુમાં દાવો કર્યો કે તેમની સરકાર દ્વારા કરવામાં આવતો નવો કરાર સંપૂર્ણપણે અલગ છે. તેમણે કહ્યું કે હાલની પરિસ્થિતિમાં ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવવા માંગતું નથી અને ભવિષ્યમાં પણ તેને કોઈપણ રીતે પરમાણુ હથિયાર મેળવવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

હોર્મુઝ સ્ટ્રેટ ખુલવાની શક્યતા

ટ્રમ્પે જણાવ્યું કે કરાર પર હસ્તાક્ષર થયા બાદ હોર્મુઝ સ્ટ્રેટ તમામ દેશો માટે ખુલ્લું મુકવામાં આવશે. તેમણે દાવો કર્યો કે ઈરાન સાથે અમેરિકાના વર્તમાન સંબંધો અગાઉની સરકારોની સરખામણીએ વધુ સકારાત્મક અને વ્યવહારુ છે.

તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ કરાર હેઠળ કોઈ નાણાકીય સહાય અથવા મોટી રકમની લેવડદેવડ નહીં થાય. ટ્રમ્પે ફરી એકવાર ઓબામા પ્રશાસન પર નિશાન સાધતા કહ્યું કે અગાઉ ઈરાનને અબજો ડોલરની સહાય આપવામાં આવી હતી, જ્યારે હાલના કરારમાં એવો કોઈ મુદ્દો સામેલ નથી.

પરમાણુ કાર્યક્રમ અંગે પણ આપ્યું નિવેદન

ટ્રમ્પે કહ્યું કે ભવિષ્યમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બન્યા બાદ અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા અવશેષો અને સામગ્રીની તપાસ કરશે. તેમણે અમેરિકાના B-2 બોમ્બર્સ અને તેમના પાઇલટ્સની પ્રશંસા કરતા જણાવ્યું કે જરૂરી બનશે તો પરમાણુ સામગ્રીને નિષ્ક્રિય કરવા માટે જરૂરી પગલાં લેવામાં આવશે.

તેમણે ઉમેર્યું કે અમેરિકા ભવિષ્યમાં ઈરાન અને સમગ્ર મધ્ય પૂર્વ સાથે વધુ નજીકથી કામ કરવા ઈચ્છે છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી કે શાંતિ પ્રક્રિયા ઝડપથી અને કોઈ મોટા અવરોધ વિના પૂર્ણ થશે. જોકે, તેમણે ચેતવણી આપતા કહ્યું કે જો પરિસ્થિતિ અનુકૂળ ન રહે તો અમેરિકા પાસે અન્ય વિકલ્પો પણ ઉપલબ્ધ છે, પરંતુ આશા છે કે તેનો ઉપયોગ કરવાની જરૂર નહીં પડે.

કેનેડાના 4 રાજ્યો જ્યા સેટલ થવું એકદમ સરળ, ભણીને PR મેળવવા માંગતા ભારતીય વિદ્યાર્થીઓ જાણો

Breaking News: શુભમન ગિલ સામે અફઘાનિસ્તાનના બોલરો ઘૂંટણિયે, ભારતે પહેલી વનડે 7 વિકેટથી જીતી

ત્રણ મેચની ODI શ્રેણીની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કર્યું અને અફઘાનિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન (HPCA) સ્ટેડિયમમાં વરસાદના વિક્ષેપને કારણે રમત 25 ઓવરની કરવામાં આવેલી 25 ઓવરની મેચમાં કેપ્ટન શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે એકતરફી વિજય મેળવ્યો. ગિલે ન માત્ર કેપ્ટનની ઈનિંગ રમી, પરંતુ ટીમને વિજય તરફ દોરી પણ ગયો. આ જીત સાથે, ભારતે ત્રણ મેચની ODI શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

અફઘાનિસ્તાનને 194 રન બનાવ્યા

ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લેનાર ભારતે યુવા ડેબ્યૂ ખેલાડીઓના કારણે ઉજ્જવળ શરૂઆત કરી હતી. જોકે, અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝે શાનદાર સદી ફટકારીને પોતાની ટીમને સ્થિર કરી હતી, જેમાં તેણે 51 બોલમાં 102 રન બનાવ્યા હતા. જોકે, બાકીના બેટ્સમેન ભારતીય બોલિંગનો સામનો કરી શક્યા ન હતા.

 

ડેબ્યૂ મેચમાં બ્રાર-દુબેની ત્રણ-ત્રણ વિકેટ

ભારત માટે પોતાની પહેલી મેચ રમી રહેલા ફાસ્ટ બોલર ગુર્નુર બ્રાર અને સ્પિનર ​​હર્ષ દુબેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી. આ બે યુવા ખેલાડીઓના શાનદાર પ્રદર્શનના આધારે ભારતીય ટીમે અફઘાનિસ્તાનને 24.5 ઓવરમાં 194 રનમાં ઓલઆઉટ કરી દીધું.

કેપ્ટન ગિલે મેચ વિનિંગ ઈનિંગ રમી

195 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતની ટીમની શરૂઆત રોહિત શર્મા અને શુભમન ગિલ સાથે સારી રહી. જોકે, રોહિત 16 રન બનાવીને રન આઉટ થયો અને પછી ક્રીઝ પર આવેલા ઈશાન કિશને અફઘાન બોલરો પર એટેક શરુ કર્યો. ઈશાનની માત્ર 22 બોલમાં 34 રનની વિસ્ફોટક ઈનિંગે મેચને સંપૂર્ણપણે ભારતની તરફેણમાં ફેરવી દીધી. શ્રેયસ અય્યરના સસ્તા આઉટ થયા પછી, અનુભવી કેએલ રાહુલે કેપ્ટન ગિલને ખૂબ જ સારી રીતે ટેકો આપ્યો અને અણનમ 39 રન બનાવ્યા.

 

શુભમન ગિલે 66 બોલમાં 84 રન બનાવ્યા

કેપ્ટન શુભમન ગિલે મેદાનની ચારે બાજુ શાનદાર શોટ્સ ફટકાર્યા અને એક છેડો પકડી રાખ્યો, તેણે શાનદાર અણનમ અડધી સદી ફટકારી. તેણે 66 બોલમાં 11 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા, જેના કારણે ટીમ ઈન્ડિયાએ 22.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું.

Breaking News: 16000 રન… રોહિત શર્માએ રચ્યો ઈતિહાસ, આ કમાલ કરનાર માત્ર બીજો ભારતીય બન્યો

કેનેડામાં ગ્રેજ્યુએશન પછી કામ કરવાનું વિચારી રહ્યા છો? 

ભરૂચમાં કોંગ્રેસની ‘મોંઘવારી જેલ’, વિરોધ દરમિયાન પોલીસ કાર્યવાહીથી ગરમાયું રાજકારણ

ભરૂચમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા એક અનોખા વિરોધ પ્રદર્શનને કારણે રાજકીય માહોલ ગરમાયો છે. શહેરના રેલવે સ્ટેશન બહાર કોંગ્રેસના કાર્યકરોએ ‘મોંઘવારીની જેલ’ બનાવી સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો. આ પ્રદર્શનનું મુખ્ય કેન્દ્ર વધતી મોંઘવારી હતું, પરંતુ તેની સાથે બેરોજગારી, NEET પેપર લીક કૌભાંડ અને ખેડૂતોને પૂરતું ખાતર ન મળવાના મુદ્દાઓને પણ ઉઠાવવામાં આવ્યા હતા.

‘મોંઘવારીની જેલ’ બની ચર્ચાનો વિષય

વિરોધને સામાન્ય સભા કે રેલી સુધી મર્યાદિત રાખવાના બદલે કોંગ્રેસે પ્રતિકાત્મક રીતે ‘મોંઘવારીની જેલ’ તૈયાર કરી હતી. કાર્યકરોનો દાવો હતો કે વધતી કિંમતોના કારણે સામાન્ય લોકો આર્થિક રીતે કેદ જેવી સ્થિતિમાં જીવી રહ્યા છે. પ્રદર્શન દરમિયાન કેટલાક કાર્યકરો લારી પર બેસીને પણ પહોંચ્યા હતા. તેમનું કહેવું હતું કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે સામાન્ય માણસ માટે વાહન ચલાવવું અને રોજિંદો ખર્ચ ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે.

સરકાર સામે કોંગ્રેસના આક્ષેપ

કોંગ્રેસના નેતાઓએ આરોપ લગાવ્યો કે કેન્દ્ર અને રાજ્ય સરકારો મોંઘવારીને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહી છે. રોજિંદા જીવનની જરૂરી વસ્તુઓના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે મધ્યમવર્ગ અને ગરીબ પરિવારો પર સૌથી વધુ અસર પડી રહી છે. પક્ષે બેરોજગારીના વધતા દર અંગે પણ ચિંતા વ્યક્ત કરી અને યુવાનો માટે રોજગારીની તકો વધારવાની માંગ કરી.

NEET પેપર લીક અને ખેડૂતોના પ્રશ્નો પણ ઉઠાવાયા, વિરોધ દરમિયાન NEET પરીક્ષાના પેપર લીક મુદ્દે પણ સરકારની ટીકા કરવામાં આવી. કોંગ્રેસે કહ્યું કે પરીક્ષા વ્યવસ્થાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઊભા થયા છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં થઈ રહ્યા છે.

 

પોલીસે કરી અટકાયત

વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસે હસ્તક્ષેપ કરી વિરોધ કરી રહેલા કેટલાક કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે કાર્યવાહી કરતા સ્થળ પર થોડો સમય તંગદિલીનો માહોલ સર્જાયો હતો.

આ ઘટનાના કારણે વિરોધ પ્રદર્શન માત્ર મોંઘવારીના મુદ્દે નહીં પરંતુ પોલીસ કાર્યવાહીને લઈને પણ ચર્ચાનો વિષય બન્યું છે. કોંગ્રેસે આ પ્રદર્શન દ્વારા સરકાર સામે જનતાના પ્રશ્નોને ઉઠાવવાનો પ્રયાસ કર્યો છે. ‘મોંઘવારીની જેલ’ જેવા પ્રતીક દ્વારા પક્ષે સામાન્ય લોકો પર વધી રહેલા આર્થિક બોજને રાજકીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કર્યો હોવાનું માનવામાં આવે છે.

જનતાના સળગતા સવાલો

વિરોધ પ્રદર્શન દરમિયાન કેટલાક નાગરિકોએ પણ સરકારની નીતિઓ સામે સવાલો ઉઠાવ્યા હતા. લોકોનું કહેવું હતું કે ચૂંટણી સમયે મોંઘવારી ઘટાડવા અને પેટ્રોલ-ડીઝલના ભાવ ઓછા કરવાની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી હતી, પરંતુ હાલની સ્થિતિ તેના વિપરીત જોવા મળી રહી છે.

નાગરિકોના જણાવ્યા અનુસાર એક સમય એવો હતો જ્યારે પેટ્રોલ 60થી 70 રૂપિયા પ્રતિ લિટરના દરે મળતું હતું અને અનાજના ભાવ પણ સામાન્ય લોકોની પહોંચમાં હતા, જેના કારણે ગરીબ પરિવારો સરળતાથી દિવસમાં બે વખત ભોજન મેળવી શકતા હતા. જોકે હાલમાં દૂધ, બ્રેડ સહિતની રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે.

લોકોનું માનવું છે કે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસરને કારણે પેટ્રોલ, ડીઝલ, CNG, PNG ગેસ સહિત ભારત દ્વારા આયાત કરવામાં આવતી અનેક જરૂરી વસ્તુઓના ભાવમાં વધારો થયો છે. નાગરિકોએ આક્ષેપ કર્યો હતો કે આવી પરિસ્થિતિમાં સરકાર દ્વારા સામાન્ય જનતાને રાહત મળે તેવી યોજનાઓ લાવવી જોઈએ, પરંતુ તેના બદલે લોકોને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે અને વિકાસના નામે દેશની આર્થિક સ્થિતિને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.

અમદાવાદ ફાયર બ્રિગેડના ચાર્જમાં દોઢથી ત્રણ ગણો વધારો, નિયમો તોડનારી કંપનીઓને થશે જેલ અને લાખોનો દંડ

Breaking News : અમદાવાદ એરપોર્ટ પર ‘CREW ફિલ્મ’ જેવા દ્રશ્યો, દુબઈથી આવેલી ફ્લાઇટમાં 4.26 કરોડથી વધારે કિંમતનું સોનું ઝડપાયું

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે એક મોટી સફળતા મેળવી છે. દુબઈથી આવેલી એક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી ₹4.26 કરોડથી વધુની કિંમતનું 2,799 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન દાણચોરીની એક નવી અને ચતુરાઈભરી પદ્ધતિનો પર્દાફાશ થયો છે, જે કસ્ટમ્સ અધિકારીઓ માટે પણ એક નવો પડકાર છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કસ્ટમ્સ અધિકારીઓએ બાતમીના આધારે દુબઈથી આવેલી ફ્લાઇટની તલાશી લીધી હતી. આ તપાસ દરમિયાન, વિમાનના શૌચાલયમાં બે શંકાસ્પદ પાઉચ મળી આવ્યા હતા. આ પાઉચ ખોલતા તેમાંથી 24 સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા, જેનું કુલ વજન 2,799 ગ્રામ થવા જાય છે. કસ્ટમ્સ દ્વારા આ સોનાનો મોટો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.

આ દાણચોરીની મોડસ ઓપરેન્ડી ચોંકાવનારી છે. સામાન્ય રીતે, દાણચોરો સોનાને યાત્રીઓની સીટ નીચે અથવા તેમના સામાનમાં છુપાવવાનો પ્રયાસ કરતા હોય છે. પરંતુ આ કિસ્સામાં, સોનાના બિસ્કિટને વિમાનના શૌચાલયમાં આવેલા સ્પીકરમાં અત્યંત ચાલાકીપૂર્વક સંતાડવામાં આવ્યા હતા. આ પદ્ધતિ અપનાવવાનો મુખ્ય હેતુ દાણચોરી કરનાર વ્યક્તિને ઓળખવાનું અત્યંત મુશ્કેલ બનાવવાનો હતો, કારણ કે આ સોનું બિનવારસી હાલતમાં મળી આવ્યું છે.

કસ્ટમ્સ વિભાગે આ બિનવારસી સોના મુદ્દે ગુનો દાખલ કરીને સઘન તપાસ શરૂ કરી છે. તપાસ અધિકારીઓ એ દિશામાં કામ કરી રહ્યા છે કે આ સોનું વિમાનમાં કોણે મૂક્યું હતું અને તેનો ઉદ્દેશ્ય શું હતો. આ ઉપરાંત, કસ્ટમ્સ વિભાગ શૌચાલયનો ઉપયોગ કરનારા યાત્રીઓની ઓળખ કરવાનો પણ પ્રયાસ કરી રહ્યું છે, જેથી આ દાણચોરીના નેટવર્ક સુધી પહોંચી શકાય.

આ ઘટના દર્શાવે છે કે સોનાની દાણચોરી કરનારાઓ સતત નવી પદ્ધતિઓ અપનાવી રહ્યા છે, જેને તોડવા માટે કસ્ટમ્સ વિભાગે પણ પોતાની તપાસ પદ્ધતિઓમાં સુધારો કરવો પડી રહ્યો છે. આ એક ખૂબ જ સમજી વિચારીને કરવામાં આવેલી દાણચોરીનો પ્રયાસ જણાઈ રહ્યો છે, જેના મૂળ સુધી પહોંચવા માટે કસ્ટમ્સની ટીમો સઘનતાથી કાર્યરત છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતા આ દાણચોરીના નેટવર્કને તોડવું એ કસ્ટમ્સ માટે એક મહત્વપૂર્ણ પડકાર બન્યો છે.

ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ અચાનક ડાઉન, વિશ્વભરના યુઝર્સને પડી રહી છે મુશ્કેલી

ભારતના નંબર-1 વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડના નંબર-1 ખેલાડીની નિવૃત્તિ પર એક ખાસ પોસ્ટ શેર કરી

અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને ઍર ઈન્ડિયાએ લોભામણી ઓફર આપ્યાનો દાવો, પૈસા આપી કેસ સેટલ કરવા મુકી શરત – Video

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાની આજે વરસી છે. આ ગોજારી ઘટનાને એક વર્ષ પૂર્ણ થયુ છે. હજુ પણ પરિવારો ઍર ઈન્ડિયા અને બોઈંગ કંપની સામે કાનુની લડત લડી રહ્યા છે. આ ઘટનાને એક વર્ષ પૂર્ણ થયુ છતા હજુ તેમને ફાઈનલ રિપોર્ટ મળ્યો નથ. પ્લેનક્રેશ ક્યા કારણોસર થયુ, આખરે પ્લેનમાં એવી તો શું ક્ષતિ હતી કે ક્રેશ થઈ ગયુ. સૌથી મોટુ રહસ્ય આજે પણ અકબંધ છે. દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ એ જાણી નથી શકાયુ કે ટેક ઓફની થોડી ક્ષણોમાં જ બંને એન્જિનની ફ્યુલ કંટ્રોલ સ્વિચીસ Run માંથી CUTOFF ક્યા કારણોસર પહોંચી ગઈ જેના કારણે એન્જિનને મળતો ઈંધણનો પૂરવઠો બંધ થઈ ગયો અને પ્લેન ક્રેશ થઈ ગયુ. આ તમામ પરિવારો ન્યાય તેમના સ્વજનો માટે ન્યાય માગી રહ્યા છે. પ્લેનક્રેશનો તપાસ રિપોર્ટ જલદી તેમની સામે આવે તેવી તેઓ છેલ્લા એક વર્ષથી માગ કરી રહ્યા છે.

જો કે તપાસ રિપોર્ટ તો હજુ નથી આવ્યો પરંતુ હવે આ અંગે ચાલી રહેલી કાયદાકીય લડાઈ પણ પૈસા આપીને બંધ કરાવવા માટેના પ્રયાસો શરૂ થયા છે. ઍર ઈન્ડિયાએ મોટી રકમ આપી પરિવારોને ભવિષ્યમાં આ કેસમાં કાનુની લડત ન લડવાની ઓફર આપી છે. 120 પીડિત પરિવારો માટે કાનૂની લડત લડતા વકીલ ફર્મે આ દાવો કર્યો છે. ઍર ઈન્ડિયાએ અનેક પરિવારોને ડોક્યુમેન્ટ પર સહી કરવા સંપર્ક કર્યો હતો.જો પરિવાર ડોક્યુમેન્ટ પર સહી કરશે તો ભવિષ્યમાં કાનૂની લડત નહીં લડી શકે. કેટલાક ઈજાગ્રસ્ત પરિવારોએ સહી કરી હોવાનું જાણવા મળ્યું. વકીલની ટીમ સાથે જોડાયેલા 120 પરિવારમાંથી માત્ર ૧10 પરિવારોને જ ઓફર મળી છે. વકીલ ફર્મે હાલ પરિવારોને વિનંતિ કરી છે કે આવી કોઈ ઓફર સ્વીકારે નહીં અને કોઈ ડોક્યુમેન્ટ પર સહી ન કરે.

આ અંગે ફેડરેશેન ઓફ ઇન્ડિયન પાયલોટ્સના પ્રમુખ સી.એસ. રંધાવાએ જણાવ્યુ છે કે મૃતદેહો મેળવવાથી લઇને અનેક બાબતોમાં પરિવારોએ દુઃખ વેઠ્યું છે. એક વર્ષ બાદ પણ હજુ ફાઈનલ રિપોર્ટ નથી આવ્યો. ફાઇનલ રિપોર્ટ ન આવે તો તેમને ડ્રાફ્ટ રિપોર્ટ મળે. 30 દિવસમાં ફાઇનલ રિપોર્ટ મળે, ક્યા કારણોસર ઘટના બની તે જાણવુ જરૂરી છે.

Input Credit- Narendra Rathod- Ahmedabad

Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગયા 260 મૃતદેહો

Ahmedabad Plane Crash: પ્લેનક્રેશના હત્તભાગી પરિવારો ઝંખી રહ્યા છે ન્યાય, TV9 સમક્ષ ઠાલવી વ્યથા- Video

અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ ઘટેલી ગોજારી દુર્ઘટનાએ અનેક પરિવારોના જીવવાની આશા છીનવી લીધી છે. આ દુર્ઘટનામાં 260 લોકોના મૃત્યુ થયા છે. આ મૃતકોના પરિજનો આજે એક વર્ષ બાદ પણ ન્યાય માટે ઝંખી રહ્યા છે. પ્લેનક્રેશની દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયુ છે પરંતુ આ દુર્ઘટના કેવી રીતે થઈ તે અંગેનો હજુ ફાઈનલ રિપોર્ટ મળ્યો નથી. પોતાના વ્હાલસોયાને ગુમાવનારા આ પરિવારોની ધીરજ હવે ખૂટી રહી છે. આણંદના એક પરિવારે પ્લેનક્રેશમાં પોતાનો 24 વર્ષનો દીકરો ગુમાવ્યો છે. પરિવાર આજે પણ એ પીડાને ભૂલી શક્તો નથી. આણંદનો આ પરિવારે Tv9 સાથેની વાતચીતમાં તેની વ્યથા ઠાલવી. પરિવારે સ્પષ્ટ જણાવ્યુ કે તેમને ન્યાય જોઈએ છે. સરકાર પાસે તેઓ ન્યાયની માગ કરી રહ્યા છે. આકાશ ના માતાએ સરકારને સીધો સવાલ કર્યો કે સિંહોના મોત બાબતે ચિંતા વ્યક્ત કરી મિટીંગો ભરતી સરકાર પાસે આ મૃતકોના પરિજનો માટે કેમ સમય નથી. આખરે તેમને ક્યારે ફાઈનલ રિપોર્ટ મળશે?

“સિંહોના મોત બાબતે ચિંતા કરતા સરકારના એકપણ મંત્રી શ્રદ્ધાંજલિ આપવા ફરક્યા સુદ્ધા નથી”

આકાશના માતાનું કહેવુ છે કે આજે એક વર્ષ બાદ ના તો સરકારના એકપણ મંત્રી કે નેતા અહીં શ્રદ્ધાંજલિ આપવા કે આશ્વાસનના બે શબ્દ કહેવા માટે આવ્યા છે ના તો ઍર ઈન્ડિયા તરફથી તેમને કંઈ સાંતવના પાઠવવામાં આવી છે. પરિજનોની ફરિયાદ છે કે તેઓ આજે એક વર્ષ બાદ પણ ન્યાયની ભીખ માગી રહ્યા છે. વિમાન દુર્ઘટનાનું સાચુ કારણ સામે આવે તેવી પરિજનો માગ કરી રહ્યા છે.

આ તરફ ઍર ઈન્ડિયા દ્વારા ખરી ચકાસણી કર્યા વગર વળતર ચુકવવામાં પણ છબરડા કર્યા હોવાનું સામે આવ્યુ છે. સમીના રફીએ પ્લેન ક્રેશમાં તેમના યુકે રહેતા પુત્ર ફૈઝાનને ગુમાવ્યો, પરંતુ વળતર મૃતક ફૈઝાનના પત્નીને મળ્યું હોવાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે ફૈઝાને હફસા સાથે નિકાહ કર્યા હતા, પરંતુ હફસાએ ફૈઝાનની કોઇ અંતિમ ક્રિયામાં ભાગ લીધો નથી. અમારા પુત્રની અંતિમ ક્રિયા માટે અમારે ગાડી પણ વેચવી પડી પરંતુ ટાટા ગ્રુપે અમને જાણ કર્યા વગર જ ફૈઝાનની પત્નીને વળતર ચૂકવી દીધું.

Input Credit- Narendra Rathod- Ahmedabad

Plane Crash: “એક આહ ભરી હોગી, હમને ન સુની હોગી..જાતે જાતે તુમને…” ચીસો.. ચિત્કાર… અને 1000 ડિગ્રી કરતા પણ વધુ તાપમાનમાં ભડથુ થઈ ગયા 260 મૃતદેહો

Breaking News: ધર્મશાલામાં વરસાદ બનશે વિલન ! ધોવાઈ જશે ભારત-અફઘાનિસ્તાનની પહેલી ODI ? જાણો weather રિપોર્ટ

Breaking News : Vedanta ના રોકાણકારો માટે મોટા સમાચાર, ડિમર્જર બાદ આ તારીખે ચાર નવી કંપનીઓ થશે લિસ્ટ

વેદાંત ગ્રુપના શેરધારકો માટે 15 જૂન, 2026 એક મહત્વપૂર્ણ તારીખ સાબિત થવાની છે. કંપનીના ડિમર્જર બાદ રચાયેલી ચાર નવી કંપનીઓ સ્ટોક એક્સચેન્જ પર લિસ્ટ થવા જઈ રહી છે. વેદાંત ઓઇલ એન્ડ ગેસ લિમિટેડ, વેદાંત પાવર લિમિટેડ, વેદાંત એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ અને વેદાંત આયર્ન એન્ડ સ્ટીલ લિમિટેડનું લિસ્ટિંગ ગ્રુપના પુનર્ગઠનના મહત્વપૂર્ણ તબક્કાની પૂર્ણાહુતિ ગણાશે.

વેદાંત મેનેજમેન્ટનું માનવું છે કે ડિમર્જર બાદ દરેક બિઝનેસ યુનિટને સ્વતંત્ર રીતે કામગીરી કરવાની વધુ સારી તક મળશે. આ ઉપરાંત, દરેક કંપની પોતાની જરૂરિયાત મુજબ મૂડી એકત્ર કરી શકશે અને પોતાના મુખ્ય વ્યવસાયના વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશે. રોકાણકારોને પણ હવે અલગ-અલગ સેક્ટરમાં સીધું રોકાણ કરવાની તક મળશે, જેના કારણે દરેક બિઝનેસ સેગમેન્ટનું વાસ્તવિક મૂલ્ય વધુ સ્પષ્ટ રીતે સામે આવશે.

ડિમર્જરથી શું બદલાશે?

વેદાંતે પોતાના વિવિધ વ્યવસાયોને પાંચ અલગ-અલગ એન્ટિટીમાં વહેંચવાનો નિર્ણય લીધો હતો. આ યોજનાને ગયા વર્ષે ડિસેમ્બરમાં નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) તરફથી મંજૂરી મળી હતી. ડિમર્જર બાદ દરેક કંપની પોતાના મુખ્ય બિઝનેસ ક્ષેત્ર પર ફોકસ કરશે અને સ્વતંત્ર રીતે વિકાસની દિશામાં આગળ વધશે.

નિષ્ણાતોનું માનવું છે કે આ પ્રકારનું પુનર્ગઠન રોકાણકારો માટે લાભદાયી બની શકે છે, કારણ કે હવે તેઓ તેલ અને ગેસ, વીજ ઉત્પાદન, એલ્યુમિનિયમ તેમજ આયર્ન અને સ્ટીલ જેવા અલગ-અલગ ક્ષેત્રોના બિઝનેસનું વ્યક્તિગત મૂલ્યાંકન કરી શકશે.

રોકાણકારોને નવા શેર કેવી રીતે મળશે?

મંજૂર થયેલી 1:1 ડિમર્જર યોજના અનુસાર, વેદાંતના દરેક પાત્ર શેરધારકને મૂળ કંપનીમાં રહેલા દરેક એક શેર સામે ડિમર્જ થયેલી દરેક નવી કંપનીનો એક શેર ફાળવવામાં આવશે.

જોકે, આ લાભ મેળવવા માટે રેકોર્ડ ડેટનું ધ્યાન રાખવું જરૂરી હતું. ભારતની T+1 સેટલમેન્ટ સિસ્ટમને કારણે, 1 મેના રોજ ખરીદાયેલા શેરો ડિમર્જર લાભ માટે પાત્ર ગણાતા નથી. માત્ર 30 એપ્રિલ, 2026 સુધી પોતાના ડીમેટ ખાતામાં વેદાંતના શેર ધરાવતા રોકાણકારો જ નવી કંપનીઓના શેર મેળવવા માટે લાયક ઠર્યા છે.

શરૂઆતના 10 દિવસ ‘ટ્રેડ-ફોર-ટ્રેડ’ સેગમેન્ટમાં ટ્રેડિંગ

BSE દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, ચારેય નવી કંપનીઓના શેર શરૂઆતમાં ‘T ગ્રુપ’ સિક્યોરિટીઝ કેટેગરીમાં લિસ્ટ કરવામાં આવશે. ઉપરાંત, પ્રથમ 10 ટ્રેડિંગ દિવસો સુધી આ શેર ‘ટ્રેડ-ફોર-ટ્રેડ’ સેગમેન્ટ હેઠળ ટ્રેડ થશે.

આ વ્યવસ્થાનો મુખ્ય હેતુ પ્રારંભિક તબક્કામાં વધુ પડતી સટ્ટાબાજીને રોકવાનો અને શેરના ભાવમાં સ્થિરતા જાળવવાનો છે. આ સમયગાળા દરમિયાન ઇન્ટ્રા-ડે ટ્રેડિંગની મંજૂરી નહીં હોય અને દરેક ખરીદ-વેચાણ સોદાનું ફરજિયાત સેટલમેન્ટ કરવું પડશે.

માર્ચ ક્વાર્ટરમાં વેદાંતના મજબૂત પરિણામો

ડિમર્જરની પ્રક્રિયા વચ્ચે વેદાંતે માર્ચ ક્વાર્ટરમાં મજબૂત નાણાકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીની એકીકૃત આવક 12 ટકા વધીને ₹51,524 કરોડ સુધી પહોંચી છે, જ્યારે અગાઉના ક્વાર્ટરમાં તે ₹45,899 કરોડ હતી.

આ ઉપરાંત, EBITDAમાં 22 ટકાનો વધારો નોંધાયો છે અને તે ₹18,447 કરોડ સુધી પહોંચ્યો છે. કંપનીનો ચોખ્ખો નફો પણ 20 ટકા વધીને ₹9,353 કરોડ થયો છે. મજબૂત નાણાકીય પ્રદર્શન અને સુધરેલા માર્જિનને કારણે રોકાણકારોમાં વિશ્વાસ વધ્યો છે.

શેરના ભાવમાં પણ તેજી

ગુરુવારના કારોબાર દરમિયાન વેદાંતનો શેર NSE પર ₹304.90ના સ્તરે બંધ થયો હતો, જે અગાઉની સરખામણીએ 1.87 ટકાનો વધારો દર્શાવે છે. છેલ્લા એક મહિનામાં કંપનીના શેરમાં અંદાજે 2.52 ટકાનો વધારો નોંધાયો છે.

ડિમર્જર બાદ ચાર નવી કંપનીઓના લિસ્ટિંગને લઈને બજારમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. હવે રોકાણકારોની નજર 15 જૂનના લિસ્ટિંગ દિવસ અને નવી કંપનીઓના પ્રારંભિક પ્રદર્શન પર ટકેલી છે.

એક જ વાર રોકાણ કરો અને જીવનભર મળશે 21,000 પેન્શન, જાણો

Breaking News: 6 વખતની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાનું વર્ચસ્વ ખતમ! બાંગ્લાદેશે પહેલીવાર ODI શ્રેણીમાં હરાવ્યું

11 જૂન, 2026 ની તારીખ બાંગ્લાદેશી ક્રિકેટના ઈતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાઈ ગઈ છે. ઢાકાના શેર-એ-બાંગ્લા નેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બાંગ્લાદેશી ખેલાડીઓએ એવી સિદ્ધિ મેળવી જે તેમણે ક્રિકેટ ઈતિહાસમાં પહેલાં ક્યારેય નહોતી મેળવી. યજમાન બાંગ્લાદેશે છ વખતની વિશ્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયન ટીમને બીજી વનડેમાં હરાવી અને ત્રણ મેચની વનડે શ્રેણીમાં 2-0 ની અજેય લીડ મેળવી છે. બાંગ્લાદેશ ક્રિકેટના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે તેઓએ ઓસ્ટ્રેલિયા સામે દ્વિપક્ષીય વનડે શ્રેણી જીતી છે.

બાંગ્લાદેશી બોલરોએ તબાહી મચાવી

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. બાંગ્લાદેશી બોલરો તસ્કિન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાને શરૂઆતની ઓવરોમાં ભારે તબાહી મચાવી દીધી. ઓસ્ટ્રેલિયાની ટીમે ખાતું ખોલ્યા વિના જ ત્રણ મુખ્ય વિકેટ ગુમાવી દીધી. મેટ શોર્ટ, કૂપર કોનોલી અને મેટ રેનશો ખાતું ખોલવામાં નિષ્ફળ ગયા. 65 રનની અંદર ઓસ્ટ્રેલિયાની અડધી ટીમ પેવેલિયનમાં પાછી ફરી ગઈ. જોકે, માર્નસ લાબુશેને અણનમ 55 રન બનાવીને ટીમને સ્થિર કરવાનો પ્રયાસ કર્યો. વરસાદને કારણે મેચની ઓવરોમાં ઘટાડો પણ થયો, જેના પરિણામે ઓસ્ટ્રેલિયાએ 42 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 187 રન બનાવ્યા.

 

ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેનો ફ્લોપ

બાંગ્લાદેશ તરફથી તસ્કિન અહેમદ અને મુસ્તફિઝુર રહેમાને શાનદાર બોલિંગ કરી અને ત્રણ-ત્રણ વિકેટ લીધી. તનવીર ઈસ્લામે પણ બે વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયાના સ્ટાર બેટ્સમેનો બાંગ્લાદેશના બોલરોની સચોટ લાઈન અને લેન્થ સામે સંઘર્ષ કરવો પડ્યો હતો. નાહિદ રાણાએ પણ શાનદાર બોલિંગ કરી, પરંતુ તે એક પણ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા.

 

બાંગ્લાદેશે સરળતાથી રનનો પીછો કર્યો

વરસાદના કારણે બાંગ્લાદેશની ઈનિંગની શરૂઆતમાં વિક્ષેપ પડ્યો, જેના કારણે લક્ષ્ય 41 ઓવરમાં 192 રનનો થઈ ગયો. તનઝીદ હસન કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો. જોકે, સૌમ્ય સરકાર અને નઝમુલ હુસૈન શાંતોએ 42-42 રન બનાવીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. ત્યારબાદ લિટન દાસે 21 રન બનાવ્યા. તૌહીદ હૃદયોયે એક છેડો પકડી રાખ્યો અને અણનમ 40 રન બનાવીને ટીમને વિજય તરફ દોરી ગયો. મેહદી હસન મિરાઝ પણ 22 રન બનાવીને અણનમ રહ્યો. બાંગ્લાદેશે 35 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને આ લક્ષ્ય હાંસલ કરી લીધું.

T20 World Cup 2026 Prize Money: T20 વર્લ્ડ કપમાં આટલા કરોડ રૂપિયાની ઇનામી રકમ દાવ પર, ICCનો મોટો નિર્ણય

Breaking News : અમેરિકાએ જ ભારતીય ખલાસીઓ વાળા જહાજ પર કર્યો હમલો.. કબૂલાત કરી જાહેર કર્યો વીડિયો

અમેરિકાએ ઓમાનના અખાતમાં ગિની-બિસાઉ ધ્વજવાળા તેલ ટેન્કર MT Jalveer સામે કરવામાં આવેલી લશ્કરી કાર્યવાહીની સત્તાવાર પુષ્ટિ કરી છે. ખાસ વાત એ છે કે સતત ત્રીજા દિવસે ભારતીય ખલાસીઓ સવાર હોય એવા જહાજને અમેરિકન દળોએ નિશાન બનાવ્યું છે. આ પહેલાં MT Marivex અને MT Setabelo પર પણ અમેરિકાએ કાર્યવાહી કરી હતી. MT Setabelo પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હોવાનું સામે આવ્યું હતું.

MT Jalveerને કેમ નિશાન બનાવવામાં આવ્યું?

અમેરિકી અધિકારીઓના જણાવ્યા અનુસાર MT Jalveer ઈરાનથી તેલ લઈને ઓમાનના અખાતમાંથી પસાર થઈ રહ્યું હતું. અમેરિકાનો દાવો છે કે આ જહાજ ઈરાન સામે લાગુ કરાયેલા પ્રતિબંધો અને નાકાબંધીનું ઉલ્લંઘન કરી રહ્યું હતું. વધુમાં, અમેરિકી દળોની વારંવારની સૂચનાઓ છતાં જહાજના ક્રૂએ જરૂરી સહકાર આપ્યો નહોતો.

આ પછી અમેરિકી સૈન્યએ કાર્યવાહી હાથ ધરી હતી. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)ના જણાવ્યા મુજબ, એક અમેરિકન વિમાને જહાજના એન્જિન રૂમને નિશાન બનાવી બે હેલફાયર મિસાઇલો ફાયર કરી હતી, જેના કારણે જહાજને કાર્યરત સ્થિતિમાંથી બહાર કરવામાં આવ્યું.

CENTCOMએ શું કહ્યું?

યુએસ સેન્ટ્રલ કમાન્ડે પોતાના નિવેદનમાં જણાવ્યું કે MT Jalveer ઈરાની તેલના પરિવહનમાં સામેલ હતું. અમેરિકી દળોએ જહાજને અનેક વખત રોકાવા અને તપાસ માટે સહકાર આપવા સૂચના આપી હતી, પરંતુ તેનો યોગ્ય પ્રતિસાદ ન મળતા આ કાર્યવાહી કરવામાં આવી.

CENTCOMએ આ કાર્યવાહીનો વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં જહાજ સામેની સૈન્ય કાર્યવાહી દર્શાવવામાં આવી હોવાનું કહેવાય છે.

અગાઉ પણ બે જહાજો પર થઈ હતી કાર્યવાહી

આ પહેલાં અમેરિકાએ MT Marivex અને MT Setabelo નામના જહાજોને પણ નિશાન બનાવ્યા હતા. અમેરિકાનો દાવો છે કે Marivex ઈરાની બંદર તરફ જઈ રહ્યું હતું, જ્યારે Setabelo ઈરાની તેલનું પરિવહન કરી રહ્યું હતું.

MT Setabelo પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય ખલાસીઓના મોત થયા હતા, જેના કારણે સમગ્ર ઘટનાએ ગંભીર રાજદ્વારી સ્વરૂપ ધારણ કર્યું છે.

ભારતે અમેરિકાને નોંધાવ્યો કડક વિરોધ

ભારતે MT Setabelo અને MT Jalveer પર થયેલી કાર્યવાહી અંગે અમેરિકાની સામે સખત વિરોધ નોંધાવ્યો છે. ભારતીય ખલાસીઓના મોત અને તેમની સુરક્ષાને લઈને ભારત સરકારે નવી દિલ્હીમાં અમેરિકન દૂતાવાસના ડેપ્યુટી ચીફ ઓફ મિશનને બોલાવીને પોતાની ચિંતા અને અસંતોષ વ્યક્ત કર્યો હતો.

ભારતનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય જળસીમામાં ભારતીય નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને આવા હુમલાઓ અંગે સંપૂર્ણ સ્પષ્ટતા જરૂરી છે.

અત્યાર સુધી કેટલા જહાજો સામે કાર્યવાહી?

અમેરિકી સૈન્યના જણાવ્યા અનુસાર, 13 એપ્રિલથી શરૂ કરાયેલી નાકાબંધી દરમિયાન અત્યાર સુધી કુલ નવ જહાજોને અક્ષમ કરવામાં આવ્યા છે, કારણ કે તેમણે અમેરિકી દળોની સૂચનાઓનું પાલન કર્યું નહોતું.

આ ઉપરાંત, 135 જેટલા જહાજોને પોતાનો માર્ગ બદલવાની ફરજ પડી હતી, જ્યારે માનવતાવાદી સહાય સામગ્રી લઈ જતા 42 જહાજોને પસાર થવાની મંજૂરી આપવામાં આવી હતી.

આ સમગ્ર ઘટનાક્રમ બાદ આંતરરાષ્ટ્રીય સમુદ્રી સુરક્ષા, વેપાર માર્ગો અને ભારતીય ખલાસીઓની સુરક્ષા અંગે નવા પ્રશ્નો ઊભા થયા છે. ભારત અને અમેરિકા વચ્ચે આ મુદ્દે આગામી દિવસોમાં વધુ રાજદ્વારી ચર્ચા થવાની શક્યતા છે.

ગુજરાતી બિઝનેસમેન ગૌતમ અદાણીનો સ્માર્ટ મીટર માર્કેટમાં જલવો.. એક ડીલથી આવી રીતે થશે ફાયદો

યુદ્ધ વચ્ચે સોના-ચાંદીના ભાવમાં કેમ આવ્યો મોટો કડાકો? ભારતમાં કેટલું સસ્તું થવાના સંકેત?

સોનાને દુનિયાનું સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે, પરંતુ રાતોરાત આ સુરક્ષિત રોકાણમાં મોટો કડાકો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ એક જ રાતમાં આશરે 4 ટકા તૂટી ગયા છે. દિલ્હીના ચાંદની ચોકથી લઈને મુંબઈના ઝવેરી બજાર સુધીના તમામ ઝવેરીઓ અને સામાન્ય રોકાણકારો અત્યારે એક જ સવાલ પૂછી રહ્યા છે કે આખરે આ શું થઈ રહ્યું છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં શું સ્થિતિ સર્જાઈ?

વૈશ્વિક માર્કેટમાં સોનાનો ભાવ ગગડીને 4,100 ડોલર પ્રતિ ઔંસની નીચે આવી ગયો છે. આ ઘટાડા સાથે સોનું છેલ્લા 7 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયું છે. બીજી તરફ, ચાંદીની કહાની થોડી અલગ રહી. રાત્રિના સમયે ચાંદી પણ તૂટીને 60 ડોલર પ્રતિ ઔંસ સુધી પહોંચી ગઈ હતી, પરંતુ સવાર થતાં જ તેણે રિકવરી શરૂ કરી અને ભાવ ફરી વધીને 64 ડોલર પ્રતિ ઔંસની આસપાસ પહોંચી ગયા હતા.

ભારતીય બજાર પર આની શું અસર પડી?

આંતરરાષ્ટ્રીય બજારની આ હલચલ વચ્ચે ભારતમાં ચાંદીનો ભાવ આશરે 2.40 લાખ રૂપિયા પ્રતિ કિલોગ્રામ અને સોનાનો ભાવ આશરે 1.40 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ જોવા મળ્યો હતો. આ સમયે ડોલર સામે રૂપિયો 95 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

ઇન્ટરનેશનલ કિંમત મુજબ ભારતનું ગણિત સમજો:

  • આંતરરાષ્ટ્રીય ભાવ: 4,100 ડોલર પ્રતિ ઔંસ
  • ડોલરનો ભાવ: 95 રૂપિયા
  • 1 ટ્રોય ઔંસ = 31.1035 ગ્રામ
  • ગણતરી મુજબ: 4,100 ડોલર × 95 રૂપિયા = 3,89,500 રૂપિયા પ્રતિ ઔંસ
  • ગ્રામ દીઠ ભાવ: 3,89,500 રૂપિયા ÷ 31.1035 ગ્રામ = આશરે 12,522 રૂપિયા પ્રતિ ગ્રામ
  • 10 ગ્રામનો અંદાજિત ભાવ: 12,522 × 10 = આશરે 1,25,220 રૂપિયા

આ હિસાબે વૈશ્વિક કિંમતો મુજબ ભારતમાં સોનાનો સૈદ્ધાંતિક ભાવ 1.25 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ આસપાસ હોવો જોઈએ, જ્યારે બજારમાં તે 1.40 લાખ રૂપિયાની આસપાસ છે. આ બંને વચ્ચેનો આશરે 15,780 રૂપિયાનો તફાવત આયાત ડ્યુટી, જીએસટી અને લોકલ પ્રીમિયમના કારણે છે. નિષ્ણાતોના મતે, જો વૈશ્વિક મંદી ચાલુ રહેશે તો ભારતીય બજારમાં સોનું 5 થી 8 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી સસ્તું થઈ શકે છે.

યુદ્ધ વચ્ચે પણ સોનું કેમ તૂટી રહ્યું છે?

સામાન્ય રીતે યુદ્ધના સમયે સોનાના ભાવ વધતા હોય છે, પરંતુ આ વખતે ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા સમર્થિત ઈરાન યુદ્ધ શરૂ થયા પછી સોનું 20 ટકાથી વધુ તૂટ્યું છે. આની પાછળના મુખ્ય કારણો નીચે મુજબ છે:

  • મોંઘવારીનો ડર: અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે તણાવ વધતાં તેલના ભાવ આસપાસ વધી રહ્યા છે. મોંઘા તેલના કારણે મોંઘવારી વધવાનો ખતરો ઊભો થયો છે.
  • વ્યાજદરમાં વધારાની આશંકા: મોંઘવારી વધવાના કારણે અમેરિકાની સેન્ટ્રલ બેંક (ફેડરલ રિઝર્વ) વ્યાજદરોમાં ફરીથી વધારો કરે તેવી આશંકા છે. ટ્રેડર્સ ડિસેમ્બરમાં વ્યાજદર વધવાની 67 ટકા શક્યતા જોઈ રહ્યા છે.
  • નૉન-યીલ્ડિંગ એસેટ: સોના પર કોઈ વ્યાજ કે ડિવિડન્ડ મળતું નથી. જ્યારે વ્યાજદરો વધવાની શક્યતા હોય છે, ત્યારે રોકાણકારો સોનામાંથી પૈસા કાઢીને બોન્ડ જેવા વિકલ્પોમાં રોકાણ કરવા લાગે છે, જેનાથી સોના પર દબાણ વધે છે.

ટેકનિકલ ચાર્ટ અને ચાંદીની સ્થિતિ

બજારના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ટેકનિકલ નજરે સોનું તેના 200 દિવસના સિમ્પલ મુવિંગ એવરેજ (200-Day SMA)ની નીચે ગયું છે, જે બજારમાં મંદીનો સંકેત આપે છે. બીજી તરફ, ચાંદીનો ઉપયોગ માત્ર રોકાણ માટે જ નહીં પણ ઉદ્યોગોમાં પણ મોટા પાયે થતો હોવાથી, તેની ઇન્ડસ્ટ્રિયલ ડિમાન્ડના કારણે તેણે સોનાની સરખામણીએ ઝડપથી રિકવરી મેળવી લીધી છે.

રોકાણકારો માટે મોટો પાઠ

આ ઘટાડાએ બજારને મોટો પાઠ આપ્યો છે કે દરેક યુદ્ધ સોનાના ભાવ વધારી શકતું નથી. ઘણી વખત યુદ્ધના કારણે પેદા થતો મોંઘવારીનો ડર સોનાના ક્રેઝ કરતાં પણ મોટો બની જાય છે, જેના કારણે સુરક્ષિત ગણાતા સોનામાં પણ વેચવાલી જોવા મળે છે. હવે જોવાનું એ રહેશે કે આ માત્ર એક સામાન્ય ઘટાડો છે કે પછી સોના-ચાંદીના બજારમાં કોઈ નવા દોરની શરૂઆત છે.

ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી આપવાના હેતુથી તૈયાર કરવામાં આવ્યો છે. આને કોઈ પણ પ્રકારની ઇન્વેસ્ટમેન્ટ કે શેર ખરીદવા-વેચવાની સલાહ માનવી નહીં. બજારમાં પૈસા રોકતા પહેલાં હંમેશા તમારા પ્રમાણિત નાણાકીય સલાહકારની મદદ અવશ્ય લો.

ઓલટાઇમ હાઈ સપાટીને સ્પર્શ્યા બાદ શું હવે સોનામાં મોટો ડાઉનફોલ શરૂ થશે કે પછી તે પોતાનું અસ્તિત્વ જાળવી રાખશે?

 

ઊંઘમાં મોઢામાંથી લાળ કેમ પડે છે? જાણો આ સામાન્ય આદત છે કે કોઈ ગંભીર બીમારીનો સંકેત!, વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Breaking News : 24 ભારતીયોને લઈને જઈ રહેલા જહાજ પર ઓમાનના દરિયાકાંઠે હુમલો, ભારતે વ્યક્ત કરી ગંભીર ચિંતા

ઓમાનના દરિયાકાંઠે વેપારી જહાજ ‘સેટેબેલો’ પર થયેલા હુમલાની ભારત સરકારે કડક નિંદા કરી છે. જહાજમાં કુલ 24 ભારતીય ક્રૂ સભ્યો સવાર હતા, જેમાંથી 21 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. જોકે હજુ પણ ત્રણ ભારતીય ક્રૂ સભ્યો ગુમ હોવાનું જણાવવામાં આવ્યું છે અને તેમની શોધખોળ માટે બચાવ કામગીરી સતત ચાલી રહી છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ સમગ્ર ઘટનાક્રમ પર નજીકથી નજર રાખી રહ્યું છે. દૂતાવાસ સ્થાનિક ઓમાની અધિકારીઓ સાથે સતત સંપર્કમાં છે અને બચાવ કામગીરી અંગેની દરેક માહિતી પર ધ્યાન આપી રહ્યું છે.

ભારતે આ ઘટનાને ગંભીર અને ચિંતાજનક ગણાવી છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં વેપારી જહાજો પર થતા હુમલાઓ વૈશ્વિક દરિયાઈ સુરક્ષા માટે મોટો પડકાર બની રહ્યા છે. આવા હુમલાઓ માત્ર જહાજો અને ક્રૂ સભ્યોની સુરક્ષા માટે જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય વેપાર અને સપ્લાય ચેઇન માટે પણ જોખમ ઊભું કરે છે.

ભારતે તમામ સંકળાયેલા પક્ષોને તણાવ ઘટાડવા અને વાતચીત દ્વારા ઉકેલ શોધવા અપીલ કરી છે. મંત્રાલયે જણાવ્યું કે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતા પુનઃસ્થાપિત કરવી અત્યંત જરૂરી છે, જેથી વેપારી જહાજોની અવરજવર અને આંતરરાષ્ટ્રીય વેપાર સામાન્ય રીતે ફરી શરૂ થઈ શકે.

વિદેશ મંત્રાલયે વધુમાં ભારપૂર્વક જણાવ્યું કે વેપારી જહાજો અને નાગરિક માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવાની ઘટનાઓ તાત્કાલિક બંધ થવી જોઈએ. આંતરરાષ્ટ્રીય કાયદા અને દરિયાઈ નિયમોનું પાલન કરીને વૈશ્વિક સમુદ્રી માર્ગો પર અવિરત નેવિગેશન સુનિશ્ચિત કરવું જરૂરી છે.

મંત્રાલયના જણાવ્યા મુજબ, જહાજમાં સવાર 24 ભારતીયોમાંથી 21 લોકોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે ગુમ થયેલા ત્રણ ભારતીયોની શોધ માટે સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ છે. ભારતીય દૂતાવાસ તેમના પરિવારજનો અને સ્થાનિક સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં છે.

ભારતે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગો પર આવા હુમલાઓ અસ્વીકાર્ય છે અને વૈશ્વિક સુરક્ષા માટે ખતરો સમાન છે. ભારતે ફરી એકવાર તમામ પક્ષોને સંયમ રાખવા, તણાવ ઘટાડવા અને રાજદ્વારી માર્ગે ઉકેલ લાવવાનો આગ્રહ કર્યો છે.

ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ બોલાવશે ધબધબાટી!

કૅન્સરના દર્દીઓ માટે મોટો ઝટકો! હવે કીમોથેરાપીની જરૂરી દવાઓ થશે મોંઘી, સારવારનો ખર્ચ વધવાની ભીતિ

દેશમાં કૅન્સરના દર્દીઓ માટે ઉપયોગમાં લેવાતી કેટલીક મહત્વપૂર્ણ કીમોથેરાપી દવાઓના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ હવે સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન જેવી જરૂરી દવાઓ દર્દીઓને વધુ કિંમતે મળી શકે છે.

હાલમાં દેશના અનેક હોસ્પિટલોમાં આ દવાઓનો સ્ટોક ઝડપથી ઘટી રહ્યો છે. દવા ઉત્પાદકોનું કહેવું છે કે કાચા માલના ખર્ચમાં નોંધપાત્ર વધારો થતા ઉત્પાદન કરવું મુશ્કેલ બની રહ્યું હતું. પરિણામે કેટલીક કંપનીઓએ ઉત્પાદન ઘટાડ્યું અથવા બંધ કરવાની ચેતવણી આપી હતી.

સરકારે ભાવ વધારવાનો નિર્ણય કેમ લીધો?

માહિતી મુજબ, દવા ઉત્પાદકો લાંબા સમયથી સરકાર સમક્ષ વધતા ઉત્પાદન ખર્ચનો મુદ્દો ઉઠાવી રહ્યા હતા. કાચા માલ, પરિવહન અને ઉત્પાદન સંબંધિત ખર્ચ વધતા કંપનીઓ માટે જૂના દરે દવાઓ બનાવવી મુશ્કેલ બની રહી હતી. સરકારે કુલ 82 દવાઓની સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમાં કૅન્સરની સારવાર માટે અત્યંત જરૂરી ગણાતી સિસ્પ્લેટિન અને કાર્બોપ્લેટિન જેવી દવાઓની ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે ભાવ વધારવાની મંજૂરી આપવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે.

દર્દીઓ પર શું અસર પડશે?

દવાઓના ભાવ વધતા હવે કીમોથેરાપીનો કુલ ખર્ચ પણ વધી શકે છે. અનેક દર્દીઓ અને તેમના પરિવારજનો પહેલેથી જ સારવારના ભારે ખર્ચનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં દવાઓ મોંઘી બનવાથી આર્થિક બોજ વધુ વધી શકે છે. ડોક્ટરોનું કહેવું છે કે કેટલીક જગ્યાએ દવાઓની અછતને કારણે સારવારમાં વિલંબ થવાની સમસ્યા પણ ઉભી થઈ રહી છે. જો જરૂરી દવાઓ સમયસર ન મળે તો દર્દીઓની સારવાર પર સીધી અસર પડી શકે છે.

સૌથી મોટી ચિંતા શું છે?

આ નિર્ણયનો મુખ્ય હેતુ દવાઓની સતત ઉપલબ્ધતા જાળવવાનો હોવાનું સરકારનું કહેવું છે. જોકે દર્દીઓ અને તેમના પરિવાર માટે હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે વધતા ખર્ચ વચ્ચે સારવાર કેવી રીતે ચાલુ રાખવી. આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાતો માને છે કે દવાઓ ઉપલબ્ધ રહે તે જરૂરી છે, પરંતુ સાથે સાથે દર્દીઓ પર વધતા આર્થિક બોજને ઘટાડવા માટે પણ યોગ્ય પગલાં લેવાની જરૂર છે.

રસોડામાં છુપાયેલા છે સ્વાસ્થ્યના 5 મોટા દુશ્મન, કેન્સરના જોખમથી બચવા આજે જ કિચનમાંથી કરો આઉટ

Breaking News: સ્વતંત્રતા દિવસે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરશે! શ્રીલંકા પ્રવાસના શેડ્યૂલ અંગે મોટી અપડેટ

ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસ અંગે એક મોટી અપડેટ સામે આવી છે. બંને દેશો વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણી 15 ઓગસ્ટ, 2026 થી શરૂ થવાની છે. જોકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને શ્રીલંકા ક્રિકેટ (SLC) એ હજુ સુધી સત્તાવાર શેડ્યૂલ જાહેર કર્યું નથી, અહેવાલો સૂચવે છે કે આખી શ્રેણીને લગભગ અંતિમ સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે. ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે આ શ્રેણી મહત્વપૂર્ણ છે.

ટીમ ઈન્ડિયાનો શ્રીલંકા પ્રવાસ

અહેવાલો અનુસાર, આ પ્રવાસ ગાલે સ્ટેડિયમથી શરૂ થશે, જ્યાં સ્પિનરો માટે અનુકૂળ પિચ ટીમ ઈન્ડિયા માટે ચેલેન્જ બની શકે છે. આ મેચ 15 ઓગસ્ટથી 19 ઓગસ્ટ દરમિયાન રમવાની અપેક્ષા છે. પ્રથમ મેચ પછી, બંને ટીમો કોલંબો જશે. શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી 27 ઓગસ્ટ દરમિયાન કોલંબોના સિંહાલીઝ સ્પોર્ટ્સ ક્લબ (SSC) ગ્રાઉન્ડ પર રમવાની અપેક્ષા છે.

WTC ફાઈનલમાં પહોંચવા શ્રેણી મહત્વની

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં પહોંચવા માટે બંને ટીમો માટે આ શ્રેણી ખૂબ જ મહત્વપૂર્ણ છે. શ્રીલંકા હાલમાં ટેસ્ટ ક્રિકેટમાં સારા ફોર્મમાં છે. તેમણે તાજેતરમાં જ ઈંગ્લેન્ડને તેમની જ ધરતી પર હરાવ્યું હતું અને ત્યારબાદ દક્ષિણ આફ્રિકા અને ન્યૂઝીલેન્ડ સામે સારું પ્રદર્શન કર્યું હતું. તેથી, તેમના હોમ પિચ પર શ્રીલંકન ટીમના સ્પિનરો ભારતીય બેટ્સમેનોને પડકાર આપી શકે છે.

T20 મેચો પર હજુ પણ સસ્પેન્સ

શરૂઆતની યોજના મુજબ, આ ટેસ્ટ શ્રેણી ઉપરાંત બંને ટીમો ત્રણ મેચની T20I શ્રેણી પણ રમવાની હતી. આ T20I શ્રેણી ગયા વર્ષના ચક્રવાતના પીડિતો માટે ભંડોળ એકત્ર કરવા માટે હતી. જોકે, આ T20Iનાં આયોજન પર હવે સસ્પેન્સ છે. ભારતીય ટીમના વ્યસ્ત શેડ્યૂલ અને શ્રીલંકન ક્રિકેટમાં તાજેતરના ફેરફારોને કારણે આ T20I ટેસ્ટ મેચો સાથે સામેલ થાય તેવી શક્યતા ઓછી છે. જો આ શ્રેણી રમાય છે, તો તે બે ટેસ્ટ મેચો પહેલા થઈ શકે છે.

7661 દિવસ પહેલા જ્યારે રચાયો આ ઈતિહાસ, ત્યારે વિરાટ કોહલીને કોઈ ઓળખતું નહોતું, આજે બ્રાન્ડ વેલ્યુ 3542 કરોડ

Breaking News : છત્રી કાઢી રાખજો.. ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ બોલાવશે ધબધબાટી! જુઓ Video

ગુજરાત રાજ્યમાં આગામી સાત દિવસ સુધી વરસાદનો માહોલ જોવા મળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ પડવાની સંભાવના છે. સામાન્ય રીતે, 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાનું સત્તાવાર આગમન થતું હોય છે, પરંતુ આ વર્ષે 15 થી 20 જૂન વચ્ચે મેઘરાજા ગુજરાતમાં પધરામણી કરી શકે છે. હાલની આગાહી અનુસાર, આગામી થોડા કલાકો બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને કાળઝાળ ગરમીમાંથી લોકોને રાહત મળશે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 13 જૂનથી રાજ્યમાં વિધિવત વરસાદી માહોલ જામવાની શક્યતા છે. પ્રારંભિક તબક્કે, 13 જૂનની સવાર સુધી દક્ષિણ ગુજરાતના ગણતરીના જિલ્લાઓ જેમકે ડાંગ, તાપી, નવસારી અને વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશો દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં 10 થી 16 જૂન દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

13 જૂન બાદ વરસાદનો વ્યાપ નોંધપાત્ર રીતે વધશે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેવા કે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, તેમજ દક્ષિણ ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. આ ઉપરાંત, સૌરાષ્ટ્ર પ્રદેશના પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં પણ છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ સુધી ગુજરાત રીજન અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેશે.

ખાસ કરીને 14 થી 15 જૂન સુધીમાં ઉત્તર ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. દેશના 16 રાજ્યોમાં મોન્સુનની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે, ત્યારે ગુજરાતમાં પણ હવે મેઘરાજાની પધરામણીનો સમય નજીક આવી રહ્યો છે. આ વરસાદ ખેડૂતો માટે પણ રાહત લઈને આવશે, જેઓ ચોમાસાના પ્રારંભની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ આગાહી ગરમી અને બફારાથી પીડાતી જનતાને હાશકારો આપશે અને વાતાવરણમાં ઠંડક પ્રસરાવશે.

રાજકોટમાં ગુરુ-શિષ્ય સંબંધોને કલંકિત કરતી ઘટના, પાંચ સગીર બાળકીઓ પર શિક્ષકે આચર્યું દુષ્કર્મ, જુઓ Video

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભારતીય રોકાણકારો માટે પણ ખુલશે કમાણીનો રસ્તો, આ 5 મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા પરોક્ષ રીતે કરી શકાશે સ્પેસ સેક્ટરમાં રોકાણ

Breaking News: 15 વર્ષનો વૈભવ સૂર્યવંશી લાખોમાં એક કેમ છે? કોચ અને મેન્ટરે આપ્યો 100 ટકા સાચો જવાબ

માત્ર ભારતીય ક્રિકેટ જ નહીં, વિશ્વ ક્રિકેટના આકાશમાં આ સમયે જે સિતારો સૌથી વધુ ચમકતો દેખાઈ રહ્યો છે તે છે – વૈભવ સૂર્યવંશી. દુનિયાનું કોઈ ઘર, કોઈ ખૂણો એવો નથી, જ્યાં વૈભવ સૂર્યવંશીની વાત ન થતી હોય. ભારતથી લઈને ઈંગ્લેન્ડ સુધી મેચ ગમે તે સ્ટેડિયમમાં થઈ રહી હોય, તેના કોમેન્ટ્રી બોક્સમાં ચર્ચા માત્ર સૂર્યવંશીની જ છે. દરેક વ્યક્તિ પોતાની રીતે વૈભવ સૂર્યવંશીને વધુ સારી રીતે દર્શાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. પરંતુ, શા માટે તે ખરેખર લાખોમાં એક છે તેની પાછળનું સાચું કારણ વૈભવના કોચ મનીષ ઓઝા અને ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર વસીમ જાફરે જ જણાવ્યું છે જેમણે તેને માર્ગદર્શન આપ્યું હતું.

કોચ અને મેન્ટરે વૈભવ વિશે શું કહ્યું?

વૈભવ સૂર્યવંશી વિશે વસીમ જાફરે જે કહ્યું અને તેના બાળપણના કોચ મનીષ ઓઝાએ જે કહ્યું તેમાં બહુ ફરક નથી. બંનેએ વૈભવ સૂર્યવંશીની વિશિષ્ટતા માટે સમાન કારણો આપ્યા. વૈભવ સૂર્યવંશી સતત વસીમ જાફર પાસેથી બેટિંગ ટિપ્સ માંગે છે. તે વૈભવ સૂર્યવંશીના માર્ગદર્શક જેવો છે. વસીમ જાફરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે જ્યારે તેણે વૈભવને ક્રિકેટનો સંપૂર્ણ એ-ઝેડ શીખવ્યો નથી, તો પણ તેણે તેને શીખવેલી દરેક સૂક્ષ્મતાને સારી રીતે અમલમાં મૂકી છે.

સૂર્યવંશી બીજા કરતા અલગ-વસીમ જાફર

વસીમ જાફરે વૈભવ સૂર્યવંશી વિશે જે કહ્યું અને તેના બાળપણના કોચ મનીષ ઓઝાએ જે કહ્યું તેમાં બહુ ફરક નથી. બંનેએ વૈભવ સૂર્યવંશી લાખોમાંથી એક હોવા માટે લગભગ સમાન કારણો આપ્યા હતા. વૈભવ સૂર્યવંશી વસીમ જાફર પાસેથી બેટિંગ ટિપ્સ લેતો રહે છે. વસીમ જાફર વૈભવ સૂર્યવંશીના મેન્ટર જેવા છે. વસીમ જાફરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભલે તેણે વૈભવને ક્રિકેટનો સંપૂર્ણ A ટુ Z શીખવ્યો નથી, પરંતુ જેટલું શીખવ્યું વૈભવે દરેકનો સારી રીતે અમલ કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Saurav Yadav (@sauravyaduuvanshi)

 

વૈભવ બીજા કરતા વધુ ઝડપથી શીખ્યો

વસીમ જાફરના કહેવા પ્રમાણે તેણે ઘણા બેટ્સમેનોને ક્રિકેટની ટેકનિક જણાવી છે અને તે જ વાત તેણે વૈભવને પણ કહી છે. પણ ફરક એ હતો કે વૈભવ એ બીજા કરતા વધુ ઝડપથી શીખ્યો અને અમલ પણ કર્યો. વસીમ જાફરે કહ્યું કે વૈભવની આ ગુણવત્તા તેને અન્ય બેટ્સમેનોથી અલગ પાડે છે.

વૈભવ ભગવાનનો જાદુ છે-મનીષ ઓઝા

વૈભવ સૂર્યવંશીના કોચ મનીષ ઓઝાએ TV9 ને જણાવ્યું કે વૈભવ એક અલગ લેવલનો ખેલાડી છે. ક્રિકેટ પ્રત્યેની તેની સમજ ચોક્કસપણે તેને ખાસ બનાવવામાં ભૂમિકા ભજવે છે. પરંતુ તે સિવાય ભગવાનનો જાદુ પણ છે. મનીષ ઓઝાએ કહ્યું કે કોઈ કોચ, કોઈ માતા-પિતા કે કોઈ સિસ્ટમ આવો ખેલાડી બનાવી શકે નહીં. તેણે કહ્યું કે તે માત્ર એક માધ્યમ બની ગયો છે અને પોતાને ભાગ્યશાળી માને છે કે તેને વૈભવને 5 વર્ષ સુધી કોચિંગ કરવાની તક મળી.

વૈભવની સફળતાનું સાચું કારણ શું?

મનીષ ઓઝાએ વધુમાં જણાવ્યું કે તે હજારો બાળકોને ક્રિકેટ શીખવી રહ્યો છે. તો પછી બીજાઓ આટલું સારું કેમ નથી કરતા? કારણ કે, ભગવાન બાળકની અંદર ત્રીજું તત્વ મોકલે છે, જેને કુદરતી પ્રતિભા નહીં પણ ભગવાનનો આશીર્વાદ કહેવાય છે. મનીષ ઓઝાએ એમ પણ કહ્યું કે સખત મહેનત કરીને તમે એક લેવલ સુધી પહોંચી શકો છો. પરંતુ, વૈભવ જ્યાં પહોંચવા તરફ આગળ વધ્યો છે ત્યાં સચિન તેંડુલકર, યુવરાજ સિંહ જેવા ખેલાડીઓ તેની કારકિર્દીમાં પહોંચ્યા છે, આ નક્કી નથી હોતું, આ તો ભગવાનની કૃપા છે.

Breaking News: 21 વર્ષ બાદ બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું, 2005 પછી પહેલીવાર થયો આ ચમત્કાર

હવે ગુગલ વોલેટમાં ડિજિટલ સ્વરૂપે રાખી શકાશે આધાર કાર્ડ, UIDAI સાથે મળીને શરૂ કરાયું નવું ફીચર

હવે ગૂગલ વોલેટમાં રાખો આધાર કાર્ડ, મિનિટોમાં પૂરું થશે કામ, જાણો સરળ રીત, ગૂગલ વોલેટમાં હવે આધાર કાર્ડ ઉમેરવાની સુવિધા મળી ગઈ છે. યુઆઈડીએઆઈ (UIDAI) ની ભાગીદારીથી આ ફીચર ભારતીય યુઝર્સ માટે શરૂ કરવામાં આવ્યું છે. કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરીને આધારને ડિજિટલ વોલેટમાં સેવ કરી શકાય છે.

ગૂગલે ભારતીય એન્ડ્રોઇડ યુઝર્સ માટે પોતાના ગૂગલ વોલેટ એપમાં એક મોટું અપડેટ જાહેર કર્યું છે. હવે યુઝર્સ પોતાના આધાર કાર્ડને પણ ડિજિટલ સ્વરૂપે ગૂગલ વોલેટમાં સુરક્ષિત રાખી શકશે. આ નવા ફીચરના કારણે ઓળખ અને ઉંમરની વેરિફિકેશન જેવા ઘણા કાર્યો પહેલા કરતાં વધુ સરળ થઈ જશે. યુઝર્સને હવે દરેક સમયે ફિઝિકલ આધાર કાર્ડ સાથે રાખવાની જરૂરિયાત પણ ઓછી રહેશે. ચાલો જાણીએ કે તમે ગૂગલ વોલેટમાં આધાર કાર્ડ કેવી રીતે સેવ કરી શકો છો.

ગૂગલ વોલેટમાં આવ્યું આધાર કાર્ડ સપોર્ટ

ગૂગલે વર્ષ 2024માં ભારતમાં ગૂગલ વોલેટ લોન્ચ કર્યું હતું, જેનો હેતુ જરૂરી ડિજિટલ ડોક્યુમેન્ટ્સને એક જ જગ્યાએ સુરક્ષિત રાખવાનો છે. હવે આ પ્લેટફોર્મમાં આધાર કાર્ડ સપોર્ટ પણ ઉમેરી દેવામાં આવ્યો છે. આ સુવિધા આવ્યા બાદ યુઝર્સ પોતાના ઓળખપત્ર, બોર્ડિંગ પાસ, ટ્રાવેલ ટિકિટ અને અન્ય ડોક્યુમેન્ટ્સની સાથે આધાર કાર્ડ પણ ડિજિટલ સ્વરૂપે સેવ કરી શકે છે. ગૂગલે આ ફીચરને લાગુ કરવા માટે યુઆઈડીએઆઈ સાથે મળીને કામ કર્યું છે. આનાથી આધાર કાર્ડને સુરક્ષિત અને પ્રમાણિત રીતે ડિજિટલ વોલેટમાં રાખી શકાશે. સાથે જ ઘણી ઓનલાઈન અને ઓફલાઈન સેવાઓમાં ડિજિટલ આધાર બતાવીને ઓળખ વેરિફાય કરી શકાશે.

mAadhaar એપ દ્વારા આ રીતે ઉમેરો આધાર

જો તમે એમ-આધાર એપની મદદથી ગૂગલ વોલેટમાં આધાર કાર્ડ ઉમેરવા માંગો છો, તો સૌથી પહેલા તમારા સ્માર્ટફોનમાં એમ-આધાર એપ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવી પડશે. ત્યારબાદ આધાર નંબર દાખલ કરીને લોગિન કરવાનું રહેશે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલા ઓટીપી (OTP) થી વેરિફિકેશન પૂરું કરવું પડશે.

લોગિન થયા પછી સ્ક્રીન પર દેખાતા “એડ ટુ વોલેટ” (Add to Wallet) ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે અને પછી ગૂગલ વોલેટને પસંદ કરવું પડશે. આ પછી કંટીન્યુ બટન દબાવીને સ્ક્રીન પર આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે. આ પ્રક્રિયા પૂરી થયા પછી તમારું આધાર કાર્ડ ગૂગલ વોલેટમાં સુરક્ષિત રીતે સેવ થઈ જશે અને જરૂર પડ્યે સરળતાથી ઉપયોગ કરી શકાશે.

સીધા ગૂગલ વોલેટથી પણ કરી શકો છો પ્રોસેસ

  • યુઝર્સ ઈચ્છે તો સીધા ગૂગલ વોલેટ એપ દ્વારા પણ આધાર કાર્ડ ઉમેરી શકે છે.
  • આ માટે સૌથી પહેલા ગૂગલ વોલેટ એપ ઓપન કરવી પડશે.
  • એપની હોમ સ્ક્રીન પર નીચે આપેલા “+” આઇકન પર ટેપ કર્યા પછી આધારનો વિકલ્પ દેખાશે.
  • તેના પર ક્લિક કરતા જ યુઝરને એમ-આધાર એપ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં ઓટીપી આધારિત વેરિફિકેશન પ્રક્રિયા પૂરી કરવી પડશે.
  • વેરિફિકેશન સફળ થયા પછી સ્ક્રીન પર આપેલા નિર્દેશોનું પાલન કરવાનું રહેશે.

બધા જરૂરી સ્ટેપ્સ પૂરા થયા પછી આધાર કાર્ડ ગૂગલ વોલેટમાં જોડાઈ જશે. આ પછી યુઝર્સ જરૂર પડ્યે ડિજિટલ આધારનો ઉપયોગ ઓળખ અને ઉંમર વેરિફાય કરવા માટે કરી શકશે.

વિન્ડ-ફ્રી એસી જે પવન વગર જ રૂમને કરી દેશે ચિલ્ડ, સીધી બરફીલી હવાના કારણે થતી શરીરની અકડાણ અને પીડામાંથી મળશે મુક્તિ

સુરતમાં નાસીરનગર ડિમોલિશન વિવાદ વકર્યો: મનપા કમિશનરના બંગલા બહાર કોંગ્રેસના ધરણા પ્રદર્શન દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ

સુરતના નાસીરનગર ડિમોલિશન મુદ્દે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું છે. અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરના બંગલા બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક અસરગ્રસ્તોની અટકાયત કરી છે. નાસીરનગરમાં 100થી વધુ મકાનો તોડી પાડવાના આ મામલે મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તપાસના આદેશ આપ્યા છે.

આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરે સ્પષ્ટ કર્યું કે SMC દ્વારા આવું કોઈ ડિમોલિશન કરવામાં આવ્યું જ નથી. તંત્રની આ સ્પષ્ટતા બાદ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે બાજુમાં જ એક બિલ્ડરના મોટા પ્રોજેક્ટને ફાયદો કરાવવા માટે આ મકાનો ગેરકાયદેસર રીતે જમીનદોસ્ત કરી દેવાયા છે.

દરમિયાન, ડિમોલિશનમાં વપરાયેલા જેસીબીના માલિકે ચોંકાવનારો દાવો કર્યો છે કે આ જેસીબી શ્રીરામ એજન્સીના માલિક તેજુ રાજપૂતે મંગાવ્યા હતા, જે સામાન્ય રીતે મનપા માટે જ કામ કરે છે. જો કે, જેસીબી ભાડે લેતી વખતે નાસીરનગર માટે કામ કરવાનું છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. મનપાના અસલી રોલ અને બિલ્ડરની મિલીભગત અંગે હાલ તપાસ તેજ કરવામાં આવી છે.

હવે તો હદ થઈ… ગટર અને રસ્તાના કામથી તોબા પોકારી ઉઠ્યા સ્થાનિકો, આખરે કંટાળીને તંત્ર સામે મોરચો માંડ્યો – જુઓ Video

Breaking News: 21 વર્ષ બાદ બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું, 2005 પછી પહેલીવાર થયો આ ચમત્કાર

ODI વર્લ્ડ કપને એક વર્ષથી વધુ સમય બાકી છે, પરંતુ તે પહેલા બાંગ્લાદેશ ક્રિકેટ ટીમ મજબૂત ફોર્મમાં દેખાઈ રહી છે. પાકિસ્તાનને વનડે શ્રેણીમાં હરાવ્યા બાદ, બાંગ્લાદેશે હવે તે પ્રાપ્ત કર્યું છે જેની તે લાંબા સમયથી રાહ જોઈ રહી હતી. 21 વર્ષ પછી, બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું છે. મીરપુરમાં રમાયેલી ODI શ્રેણીની પહેલી મેચમાં બાંગ્લાદેશે નાહિદ રાણાની ઘાતક ઝડપી બોલિંગના આધારે ઓસ્ટ્રેલિયાને 86 રન (DLS પદ્ધતિ) થી હરાવ્યું. 2005 પછી ODI માં બાંગ્લાદેશનો ઓસ્ટ્રેલિયા સામેનો આ પહેલો અને એકંદરે તેનો બીજો વિજય છે.

2005માં પહેલીવાર હરાવ્યું હતું

બરાબર 21 વર્ષ પહેલાં જૂન 2005માં મોહમ્મદ અશરફુલની શાનદાર સદીની મદદથી બાંગ્લાદેશે ઈંગ્લેન્ડના કાર્ડિફમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટથી હરાવ્યું હતું. તે સમયના વિશ્વ ચેમ્પિયન સામે બાંગ્લાદેશનો આ પહેલો ODI વિજય હતો. રિકી પોન્ટિંગ, એડમ ગિલક્રિસ્ટ, મેથ્યુ હેડન, માઈકલ હસી, ગ્લેન મેકગ્રા અને જેસન ગિલેસ્પી જેવા દિગ્ગજોનો સમાવેશ કરતી ઓસ્ટ્રેલિયન ટીમ, તે સમયે કદાચ સૌથી મજબૂત ટીમ હતી.

બાંગ્લાદેશે 284 રન બનાવ્યા

9 જૂનના રોજ મીરપુરમાં રમાયેલી મેચમાં, ઓસ્ટ્રેલિયન ટીમે પોતાની સંપૂર્ણ તાકાતથી મેદાનમાં ઉતર્યું ન હતું, છતાં બાંગ્લાદેશ માટે સફળતા હજુ પણ મુશ્કેલ હતી. ખાસ કરીને ટીમે 140 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. પરંતુ મોસાદ્દેક હુસૈને ઈનિંગને સ્થિર કરી અને 70 બોલમાં અણનમ 86 રનની વિસ્ફોટક ઈનિંગ રમીને ચાર વર્ષ પછી ટીમમાં પાછા ફરવાની ઉજવણી કરી. આનાથી બાંગ્લાદેશને 284 રનનો મજબૂત સ્કોર બનાવવામાં મદદ મળી.

ફાસ્ટ બોલરોએ મચાવ્યો કહેર

બેટ્સમેનોએ ટીમને લડાયક સ્કોર સુધી પહોંચાડી દીધા બાદ બોલરોનો વારો હતો. મીરપુર સહિત બાંગ્લાદેશના તમામ મેદાનો પર સ્પિનરો ઘણીવાર સૌથી મોટો ખતરો હોય છે, પરંતુ બાંગ્લાદેશી ટીમ આ સંદર્ભમાં પરિવર્તનમાંથી પસાર થઈ રહી છે. હવે, ઝડપી બોલરો પણ પોતાની છાપ છોડી રહ્યા છે, અને અહીં પણ એવું જ બન્યું. ઓસ્ટ્રેલિયન ઈનિંગના પહેલા જ બોલે અનુભવી ઝડપી બોલર તસ્કિન અહેમદે ઓપનર મેથ્યુ શોર્ટને ક્લીન બોલ્ડ કર્યો. બીજી જ ઓવરમાં, બીજા ઝડપી બોલર, મુસ્તફિઝુર રહેમાને માર્નસ લાબુશેનને આઉટ કર્યો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેનોએ વચ્ચે-વચ્ચે ભાગીદારી બનાવીને સ્કોરને આગળ વધારવાનો પ્રયાસ કર્યો.

 

ઓસ્ટ્રેલિયાએ 140 રનમાં આઠ વિકેટ ગુમાવી

પરંતુ ત્યાં જ 23 વર્ષીય ઝડપી બોલર નાહિદ રાણાની એન્ટ્રી થઈ. તેનો પહેલો શિકાર ઓસ્ટ્રેલિયન કેપ્ટન જોશ ઈંગ્લિસ હતો, અને તેના આઉટ થયા પછી, બંને વચ્ચે બોલાચાલી થઈ. પછી, 29મી અને 33મી ઓવર વચ્ચે, ઓસ્ટ્રેલિયાએ માત્ર 12 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી, જેમાંથી ત્રણ રાણાની સ્પીડને કારણે આવી. ઓસ્ટ્રેલિયાએ માત્ર 140 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી હતી, અને હાર નિશ્ચિત હતી.

21 વર્ષ બાદ મળી જીત

કેમેરોન ગ્રીને એક છેડેથી કેટલાક રન ઉમેર્યા, જેનાથી ટીમ 191 રન સુધી પહોંચી ગઈ, જ્યાં તેણે અડધી સદી પણ ફટકારી. જોકે, વરસાદે મેચ અટકાવી દીધી, જે ફરી શરૂ થઈ શકી નહીં, અને બાંગ્લાદેશ ડકવર્થ-લુઈસ પદ્ધતિ દ્વારા જીતી ગયું.

FIFA World Cup 2026: ફૂટબોલ વર્લ્ડ કપમાં ઝેરી સાપથી ખતરો, આ ટીમને મળી ખાસ ચેતવણી

FIFA World Cup 2026: ફૂટબોલ વર્લ્ડ કપમાં ઝેરી સાપથી ખતરો, આ ટીમને મળી ખાસ ચેતવણી

FIFA વર્લ્ડ કપ 2026 ઝેરી સાપથી ખતરો છે. સાવચેત રહેવા માટે ચેતવણીઓ જારી કરવામાં આવી છે. જોકે, આ સાવચેતી બધી ટીમોને લાગુ પડતી નથી; ફક્ત સ્વિસ ટીમને જ લાગુ પડે છે. કારણ કે યુએસમાં સ્વિસ ટીમ જ્યાં તાલીમ લઈ રહી છે તે વિસ્તાર રેટલસ્નેકનું ઘર છે, જે વિશ્વના ટોપ પાંચ ઝેરી સાપમાંના એક માનવામાં આવે છે. સ્વિસ ખેલાડીઓને તેમના તાલીમ ક્ષેત્રની બહાર ન જવાની કડક સૂચના આપવામાં આવી છે.

આ ઝેરી સાપથી ખતરો, સ્વિસ ટીમને ચેતવણી

સ્વિસ ટીમ હાલમાં સાન ડિએગોમાં 2026 ફિફા વર્લ્ડ કપ માટે તૈયારી કરી રહી છે. તેમના ટ્રેનિંગ કેમ્પમાં ચાર અલગ-અલગ ઝેરી પ્રજાતિના રેટલસ્નેક રહે છે. સ્વિસ ફૂટબોલરોને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ તેમના ટ્રેનિંગ કેમ્પની બહાર ન જાય. જો કોઈ બોલ આકસ્મિક રીતે ટ્રેનિંગ કેમ્પની બહાર જાય, તો તેને જવા દેવો અને પોતાનો જીવ જોખમમાં નાખવાને બદલે બીજા બોલથી પ્રેક્ટિસ કરવી શ્રેષ્ઠ છે.

 

સ્વિટ્ઝર્લૅન્ડ ફિફા વર્લ્ડ કપના ગ્રુપ-B માં સામેલ

2026 ફિફા વર્લ્ડ કપ માટે સ્વિટ્ઝર્લૅન્ડને ગ્રુપ B માં યજમાન કેનેડા, કતાર અને બોસ્નિયા અને હર્ઝેગોવિના સાથે મૂકવામાં આવ્યું છે. સ્વિટ્ઝર્લૅન્ડને સૌથી બેલેન્સ ફૂટબોલ ટીમોમાંની એક માનવામાં આવે છે, કારણ કે તેઓ રમતને નિયંત્રિત કરે છે અને ખૂબ જ ઓછી ભૂલ કરે છે, જેથી તેમની સામે વધુ ગોલ કરવા કોઈ પણ ટીમ માટે હંમેશા મુશ્કેલ હોય છે.

ફિફા વર્લ્ડ કપ 2026 કેમ ખાસ છે?

FIFA વર્લ્ડ કપ 2026 12 જૂનથી શરૂ થવાનો છે. આ ફૂટબોલ મેળો જુલાઈ મહિનાની 19 તારીખ સુધી સમગ્ર વિશ્વને રોમાંચિત કરશે. FIFA વર્લ્ડ કપના ઈ તિહાસમાં પહેલી વાર 48 ટીમો ભાગ લઈ રહી છે. આ પહેલી વાર બનશે કે ત્રણ દેશો – યુનાઈટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો – સંયુક્ત રીતે FIFA વર્લ્ડ કપનું આયોજન કરશે.

Womens T20 World Cup: ચેમ્પિયન ટીમને મળશે 22.3 કરોડ રૂપિયા, ફાઈનલમાં હારનાર ટીમ પર પણ થશે કરોડોનો વરસાદ

Middle East tension : એક તરફ શાંતિની વાત, બીજી તરફ યુદ્ધ… ટ્રમ્પ- નેતન્યાહૂ વચ્ચે દરાર કે કોઈ ચાલ?

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચી ગયો છે. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે શાંતિ સમજૂતી અને કૂટનીતિક ઉકેલની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સતત આક્રમક વલણ અપનાવી રહ્યા છે. મધ્ય પૂર્વમાં વધતા હુમલા અને પ્રતિહુમલાઓને કારણે સમગ્ર વિશ્વની નજર હવે આ સંઘર્ષ પર ટકેલી છે.

તાજેતરના દિવસોમાં શાંતિ વાર્તાની આશા વચ્ચે ઇઝરાયલે લેબનાનમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. તેના જવાબમાં ઈરાને ઇઝરાયલ પર મિસાઇલ અને ડ્રોન હુમલાઓ કર્યા. ત્યારબાદ પરિસ્થિતિ વધુ ગંભીર બની ગઈ જ્યારે ઇઝરાયલે સીધા ઈરાનની અંદર અનેક મહત્વપૂર્ણ સ્થળોને નિશાન બનાવ્યા. અહેવાલો મુજબ તેહરાન સહિત લગભગ 15 સ્થળો પર હુમલા કરવામાં આવ્યા અને સૈન્ય માળખાને ભારે નુકસાન પહોંચાડવાનો દાવો કરવામાં આવ્યો.

આ ઘટનાઓ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વસનીયતા અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. ટ્રમ્પ જાહેરમાં શાંતિ અને સમજૂતીની વાત કરે છે, પરંતુ તેમનો સૌથી નજીકનો સાથી માનવામાં આવતો ઇઝરાયલ સતત યુદ્ધમુખી પગલાં લઈ રહ્યો છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે અમેરિકાની કૂટનીતિક સ્થિતિ પર ચર્ચા શરૂ થઈ છે.

ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તીવ્ર મતભેદ!

તાજેતરમાં કેટલીક આંતરરાષ્ટ્રીય રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે ફોન પર તીવ્ર મતભેદ થયા હતા. જોકે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી, પરંતુ બંને નેતાઓ વચ્ચેના સંબંધોમાં તણાવ હોવાની અટકળો વધુ તેજ બની છે. હવે ઇઝરાયલના હુમલાઓને ઘણા વિશ્લેષકો ટ્રમ્પના શાંતિ પ્રયાસોને પડકારરૂપ માની રહ્યા છે.

ઇઝરાયલે ઈરાનના મિસાઇલ લોન્ચ સાઇટ્સ, ડ્રોન બેઝ, એરપોર્ટ, કમાન્ડ સેન્ટર અને પેટ્રોકેમિકલ પ્લાન્ટ જેવા વ્યૂહાત્મક લક્ષ્યોને નિશાન બનાવ્યા હોવાનું જણાવ્યું છે. ઇઝરાયલી સેનાનું કહેવું છે કે આ કાર્યવાહીનો મુખ્ય હેતુ ઈરાનની હુમલાખોર ક્ષમતાને નબળી પાડવાનો છે.

પ્રવક્તાએ ચેતવણી આપી

ઈરાન તરફથી પણ કડક પ્રતિક્રિયા સામે આવી છે. ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC)ના પ્રવક્તાએ ચેતવણી આપી છે કે જો ઇઝરાયલ તેના હુમલાઓ ચાલુ રાખશે તો ઈરાન વધુ કડક અને વ્યાપક જવાબ આપશે. સાથે જ ઈરાને રાજદ્વારી મોરચે પણ દબાણ વધાર્યું છે. ઈરાનના વિદેશ મંત્રીએ પાકિસ્તાન, બ્રિટન, ફ્રાન્સ, ઈજિપ્ત, કતાર અને તુર્કિયે સહિત અનેક દેશો સાથે વાતચીત કરીને પોતાનો અભિગમ સ્પષ્ટ કર્યો છે.

બીજી તરફ ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)નું કહેવું છે કે તેની તમામ કાર્યવાહી આતંકવાદી સંગઠનો અને તેમના સમર્થકો સામેની સુરક્ષા કાર્યવાહીનો ભાગ છે. ઇઝરાયલે સ્પષ્ટ કર્યું છે કે તે પોતાની સુરક્ષા સાથે કોઈ સમજૂતી નહીં કરે.

બીજી તરફ અમેરિકા પણ સૈન્ય તૈયારીઓ વધારી રહ્યું છે

આ સમગ્ર પરિસ્થિતિમાં ટ્રમ્પની ભૂમિકા સૌથી વધુ ચર્ચામાં છે. એક તરફ તેઓ ઈરાન સાથે મોટી સમજૂતી થવાની આશા વ્યક્ત કરી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકા પણ સૈન્ય તૈયારીઓ વધારી રહ્યું છે. ઈરાની હુમલાઓ બાદ અમેરિકન સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે અને મધ્ય પૂર્વના સમુદ્રી વિસ્તારોમાં અમેરિકન દેખરેખ વધુ સક્રિય બની છે.

ટ્રમ્પે અગાઉ ચેતવણી આપી હતી કે જો શાંતિ વાટાઘાટો નિષ્ફળ જશે તો અમેરિકા સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ અપનાવી શકે છે. તેમણે ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને પણ કડક વલણ દર્શાવ્યું છે. અમેરિકાનું માનવું છે કે ઈરાનનો પરમાણુ કાર્યક્રમ વૈશ્વિક સુરક્ષા માટે જોખમ બની શકે છે, જ્યારે ઈરાન પોતાનો કાર્યક્રમ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ હોવાનું દાવો કરે છે.

આ દરમિયાન ઈરાને પણ પોતાની સૈન્ય તૈયારીઓ વધારી છે. ઈરાને ઇઝરાયલના અનેક સૈન્ય મથકો અને એરબેઝને નિશાન બનાવ્યાનો દાવો કર્યો છે. ઈરાનના જણાવ્યા મુજબ જો તેના પર ફરી હુમલો કરવામાં આવશે તો તે અગાઉ કરતાં વધુ શક્તિશાળી જવાબ આપશે.

ઈરાની હુમલાઓ બાદ સમગ્ર ઇઝરાયલમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મિસાઇલ ચેતવણીઓ વચ્ચે એર ડિફેન્સ સિસ્ટમ સતત સક્રિય છે અને સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.

વિશ્લેષકોનું માનવું છે કે ટ્રમ્પ અને નેતન્યાહૂ વચ્ચે મતભેદ હોવા છતાં બંને દેશો ઈરાન પર દબાણ જાળવી રાખવાની વ્યૂહરચના અપનાવી રહ્યા હોઈ શકે છે. કેટલાક નિષ્ણાતો માને છે કે જાહેરમાં અલગ-અલગ સંદેશા આપવામાં આવી રહ્યા છે, પરંતુ વ્યૂહાત્મક સ્તરે અમેરિકા અને ઇઝરાયલ હજુ પણ એક જ દિશામાં આગળ વધી રહ્યા છે.

હાલની પરિસ્થિતિને જોતા મધ્ય પૂર્વમાં તણાવ ઘટવાને બદલે વધુ વધી રહ્યો છે. જો રાજદ્વારી પ્રયાસો સફળ નહીં થાય તો આ સંઘર્ષ વધુ મોટા યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી શકે છે, જેનો પ્રભાવ માત્ર મધ્ય પૂર્વ પૂરતો મર્યાદિત નહીં રહે પરંતુ વૈશ્વિક અર્થતંત્ર, તેલ બજાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પણ પડી શકે છે.

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર, હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધની અસર, હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પર વધતું સંકટ, જુઓ Video

મધ્ય પૂર્વમાં ચાલી રહેલો તણાવ, ખાસ કરીને ઈઝરાયેલ-ઈરાન સંઘર્ષ, વૈશ્વિક અર્થતંત્ર પર ગંભીર અસરો કરી રહ્યો છે. આ સંઘર્ષના પરિણામે દુનિયાના બે મહત્ત્વપૂર્ણ જળમાર્ગો – સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ – પર સંકટના વાદળો ઘેરાયા છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પહેલેથી જ સંવેદનશીલ ક્ષેત્ર છે, અને હવે બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ પણ પ્રભાવિત થયો છે.

બાબ-અલ-મંદેબ સ્ટ્રેટ યમન અને લાલ સમુદ્રને જોડે છે, જે એશિયા અને યુરોપના દેશો વચ્ચેના શિપિંગ માટેનો એક મહત્ત્વપૂર્ણ માર્ગ છે. આ બંને જળમાર્ગો ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ અને અન્ય માલસામાનના આંતરરાષ્ટ્રીય પરિવહન માટે અતિ મહત્ત્વના છે. જો આ જળમાર્ગો ખોરવાય છે, તો ક્રુડ ઓઈલ અને ગેસનો પુરવઠો ખોરવાઈ શકે છે, જેની સીધી અસર વૈશ્વિક વેપાર અને અર્થતંત્ર પર પડશે. આયાત-નિકાસ પ્રભાવિત થશે અને વૈશ્વિક સ્તરે મુશ્કેલીઓ વધશે. હાલની પરિસ્થિતિ જોતાં, આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આ એક મોટી ચિંતાનો વિષય છે કારણ કે આખોય સિનારીઓ વિપરીત દિશામાં જઈ રહ્યો છે.

દુબઈમાં ફક્ત નોકરી જ નહીં, ભણી પણ શકે છે ભારતીય સ્ટુડન્ટ? જાણો અહીંથી ડિગ્રી લેવાના ફાયદા

Breaking News: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શરૂઆત, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

ગરીબો માટે શરૂ કરેલી ઉજ્જવલા યોજનામાં મોટો ઝટકો, સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા 9થી ઘટાડીને માત્ર 4

સરકારે ઉજ્જવલા યોજના હેઠળ મળતા સિલિન્ડરની સબસિડીમાં મોટો ઘટાડો કર્યો છે. પહેલા જે વર્ષમાં 9 સિલિન્ડર મળતા હતા, હવે લાભાર્થીઓને માત્ર 4 સિલિન્ડર જ મળશે. આ પહેલા પણ સરકારે સિલિન્ડરની સંખ્યામાં ઘટાડો કર્યો હતો.

ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હવે વર્ષમાં માત્ર 4 જ સબસિડીવાળા સિલિન્ડર મળશે. સરકારે વાર્ષિક મળતા સિલિન્ડરની સંખ્યા 9થી ઘટાડીને 4 કરી દીધી છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) મે 2016માં શરૂ કરવામાં આવી હતી, જેથી ગરીબ પરિવારોની વયસ્ક મહિલાઓને ડિપોઝિટ વગરના એલપીજી કનેક્શન આપી શકાય. શરૂઆતમાં લાભાર્થીઓને વર્ષમાં 12 સબસિડીવાળા 14.2 કિલોના સિલિન્ડર મળતા હતા. ગયા વર્ષે આ કોટા ઘટાડીને નવ કરવામાં આવ્યો હતો અને હવે તેને વધુ ઓછો કરીને ચાર કરી દેવાયો છે.

પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી પ્રવીણ મલ ખનૂજાએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, આ બદલાયેલી મર્યાદા મોટાભાગે ઉજ્જવલા લાભાર્થીઓના સરેરાશ વાર્ષિક વપરાશની બરાબર છે. રસોઈ માટે સ્વચ્છ બળતણના ઉપયોગને પ્રોત્સાહન આપવા અને તેને સસ્તું બનાવવા માટે, સરકારે મે 2022માં 14.2 કિલોના એલપીજી સિલિન્ડર પર 200 રૂપિયાની ટાર્ગેટેડ સબસિડી શરૂ કરી હતી. આ સબસિડી વર્ષમાં 12 સિલિન્ડર સુધીની દરેક રિફિલ ખરીદી પછી સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા કરવામાં આવતી હતી. ઓક્ટોબર 2023માં સબસિડી વધારીને 14.2 કિલોના સિલિન્ડર પર 300 રૂપિયા કરવામાં આવી હતી અને 5 કિલોના સિલિન્ડર માટે પણ તે જ પ્રમાણમાં લાભ આપવામાં આવ્યો હતો.

પહેલા ભાવ વધ્યા, હવે સિલિન્ડરની સંખ્યા ઘટી

સબસિડીવાળા ક્વોટામાં આ ઘટાડો એલપીજીના ભાવમાં થયેલા વધારા બાદ કરવામાં આવ્યો છે. દિલ્હીમાં 14.2 કિલોના સિલિન્ડરની કિંમત છેલ્લા ત્રણ મહિનામાં બે વાર થયેલા વધારા બાદ કુલ 89 રૂપિયા વધી છે. છેલ્લો વધારો 7 જૂનના રોજ થયો હતો, જેનાથી રિટેલ કિંમત 942 રૂપિયા થઈ ગઈ છે. 300 રૂપિયાની સબસિડી બાદ કર્યા પછી, PMUY લાભાર્થીઓને 14.2 કિલોના સિલિન્ડર માટે 642 રૂપિયા ચૂકવવા પડે છે.

તેમણે કહ્યું કે આ નવો ક્વોટા મોટાભાગે PMUY પરિવારોની સરેરાશ વાર્ષિક વપરાશને દર્શાવે છે. સરકારના અંદાજિત સપ્લાય કોસ્ટની સરખામણીમાં લાભાર્થીઓને વાસ્તવમાં પ્રતિ સિલિન્ડર અંદાજે 1000 રૂપિયાની મદદ મળે છે. 7 જૂનના રોજ રાંધણ ગેસ એલપીજીની કિંમતોમાં પ્રતિ સિલિન્ડર 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

તેમણે ઉમેર્યું કે આ વધારો રોજિંદા 1 રૂપિયાની બરાબર છે. પાંચ સભ્યો ધરાવતા પરિવાર માટે આ વધારો રોજિંદા 20 પૈસા સમાન છે. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અડચણોને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે એલપીજીના ભાવોમાં ભારે વધારો થયો હોવા છતાં, ભારતીય ઘરોમાં રાંધણ ગેસ માટે વિશ્વમાં સૌથી ઓછી કિંમત ચૂકવવામાં આવી રહી છે.

એલપીજીના પડતર ખર્ચમાં થયો વધારો

પ્રવીણ મલ ખનૂજાએ જણાવ્યું કે ફેબ્રુઆરીના અંતમાં પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા પછી આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ઉછાળો આવ્યો, જેનાથી સ્થાનિક એલપીજી સિલિન્ડરના સપ્લાયનો પડતર ખર્ચ વધીને 1,600 રૂપિયાથી વધુ થઈ ગયો છે. ભારતમાં એલપીજી આયાત (ઇમ્પોર્ટ) નો ખર્ચ ‘સાઉદી કોન્ટ્રેક્ટ પ્રાઇસ’ (CP) સાથે જોડાયેલો છે, જે આ ફ્યુઅલ માટે ગ્લોબલ બેન્ચમાર્ક છે. ફેબ્રુઆરી પછી આ બેન્ચમાર્કમાં આશરે 46% નો વધારો થયો છે, કારણ કે હોર્મુઝ જળડમરુમધ્ય (Strait of Hormuz) સંબંધિત અડચણોને કારણે ખાડી વિસ્તારમાંથી સપ્લાય ઘટી ગયો છે.

તેમણે માહિતી આપી કે સરકારે 2022થી અત્યાર સુધીમાં 52,000 કરોડ રૂપિયાની સબસિડી આપી છે. કિંમતોમાં વધારો કરવા છતાં, ઓઇલ કંપનીઓને દરેક 14.2 કિલોગ્રામ વાળા સિલિન્ડર પર આશરે 700 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એલપીજી ઉપરાંત, ઓઇલ કંપનીઓને પેટ્રોલ અને ડીઝલ પડતર કિંમત કરતાં ઓછી કિંમતે વેચવા પર પણ નુકસાન થઈ રહ્યું છે. પેટ્રોલ પર અન્ડર-રિકવરી પ્રતિ લીટર 6 રૂપિયા હતી અને ડીઝલ પર તે આશરે 30 રૂપિયા પ્રતિ લીટર હતી. કિંમતોમાં વધારાનું કારણ આપતા તેમણે કહ્યું કે, એકંદરે ઓઇલ કંપનીઓને રોજનું 600-700 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. એલપીજી ઉપરાંત, ઓઇલ કંપનીઓએ ગયા મહિને ચાર હપ્તામાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ પ્રતિ લીટર આશરે 7.50 રૂપિયાનો વધારો કર્યો છે. સીએનજી (CNG) ના ભાવમાં પણ પ્રતિ કિલોગ્રામ 6 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

 

Breaking News: T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાની જીત સાથે શરૂઆત, વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

2026નો મહિલા T20 વર્લ્ડ કપ ઈંગ્લેન્ડમાં શરૂ થવાનો છે, પરંતુ ટીમ ઈન્ડિયા હજુ પણ પૂરજોશમાં હોય તેવું લાગતું નથી. ઈંગ્લેન્ડ સામેની તાજેતરની T20 શ્રેણીમાં ટુર્નામેન્ટ પ્રેક્ટિસ મેચમાં ઘણી ખેલાડીઓ માટે આવી જ સ્થિતિ હતી. ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ જીતી હતી, પરંતુ સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન રિચા ઘોષ ફરી નિષ્ફળ ગઈ. હવે, વર્લ્ડ કપની આટલી નજીક હોવા છતાં, પ્રદર્શનનો આ અભાવ ચિંતાનું કારણ બની ગયો છે.

ભારતે વોર્મ-અપ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું

વર્લ્ડ કપ શુક્રવાર, 12 જૂને શરૂ થવાનો છે, ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો 14 જૂને પાકિસ્તાન સામે રમાશે. તેથી, ભારતીય ટીમ પાસે વધુ સમય નથી, અને બધા ખેલાડીઓને અપેક્ષા છે કે તેઓ જે પણ મેચ માટે તૈયારી કરી શકે તેમાં તેઓ પોતાની લય મેળવશે. જોકે, આ સંપૂર્ણપણે સફળ રહ્યું નથી, જેમ કે વેસ્ટ ઈન્ડિઝ સામેની વોર્મ-અપ મેચમાં સ્પષ્ટ થયું હતું.

સ્મૃતિ-શેફાલીની ઓપનિંગમાં ધમાલ

આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવીને 179 રન બનાવ્યા હતા. સારા સમાચાર એ હતા કે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની ઓપનિંગ જોડી ફોર્મમાં પાછી ફરી, 5.2 ઓવરમાં 59 રનની ભાગીદારી કરી. મધ્યમ ક્રમમાં યાસ્તિકા ભાટિયા અને ભારતી ફૂલમાલીએ મજબૂત યોગદાન આપ્યું. જોકે, વિકેટકીપર રિચા ઘોષ, જે મોટા શોટ રમવા અને ઝડપથી સ્કોર કરવાની અપેક્ષા રાખે છે, તે ચિંતાનું કારણ બની ગઈ છે.

 

રિચા ઘોષનું ખરાબ ફોર્મ ચિંતાનો વિષય

આ ઈનિંગમાં, રિચા 16મી ઓવરમાં બેટિંગ કરવા આવી હતી પરંતુ ખાતું ખોલ્યા વિના પહેલા જ બોલ પર આઉટ થઈ ગઈ હતી. આ સતત ચોથી મેચ હતી જેમાં યુવા વિકેટકીપર કોઈ છાપ છોડી શકી નહીં. અગાઉ, ઈંગ્લેન્ડ સામેની T20 શ્રેણીમાં, તેનો સ્કોર 4, 8 અને 6 (નોટઆઉટ) હતો. ટીમના ફિનિશરની બેટિંગનો અભાવ પરિસ્થિતિને મુશ્કેલ બનાવી રહ્યો છે, અને જો આ વર્લ્ડ કપમાં ચાલુ રહેશે, તો ટાઇટલ જીતવાનું સ્વપ્ન અધૂરું રહી શકે છે.

શ્રેયંકા-રાધાની દમદાર સ્પિન બોલિંગ

મેચની વાત કરીએ તો, બોલરોએ ચોક્કસપણે સારું પ્રદર્શન કર્યું, વેસ્ટ ઈન્ડિઝને લક્ષ્ય સુધી પહોંચતા અટકાવ્યું. ખાસ કરીને સ્પિન આક્રમણ સચોટ સાબિત થયું. ઓફ સ્પિનર ​​શ્રેયંકા પાટિલ અને ડાબોડી સ્પિનર ​​રાધા યાદવે મળીને વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોને 153 રન સુધી મર્યાદિત રાખ્યા. શ્રેયંકાએ 36 રનમાં 4 વિકેટ લીધી અને રાધાએ 25 રનમાં 3 વિકેટ લીધી. ભારતીય ટીમે 26 રનથી મેચ જીતી લીધી. ટીમની આગામી અને અંતિમ પ્રેક્ટિસ મેચ 10 જૂને યજમાન ઈંગ્લેન્ડ સામે છે.

12 ટીમ 33 મેચ, ભારત-પાકિસ્તાન મેચ પર સૌની નજર, જાણો વિમેન્સ T20 વર્લ્ડ કપ 2026નું સંપૂર્ણ શેડ્યૂલ

કેનેડાનું PR મળ્યા બાદ આ 8 ભૂલો તમારી Permanent Residency ને જોખમમાં મૂકશે, ચેતી જજો

કેનેડામાં કાયમી રહેઠાણ (Permanent Residency – PR) મેળવવું હજારો ભારતીયો માટે એક મોટું સપનું હોય છે. PR મળ્યા પછી વ્યક્તિને કેનેડામાં રહેવા, કામ કરવા અને અભ્યાસ કરવાનો અધિકાર મળે છે. જોકે ઘણા લોકો એવું માની લે છે કે એકવાર PR મળી જાય પછી તેમનો દરજ્જો કાયમ માટે સુરક્ષિત થઈ જાય છે, પરંતુ હકીકત કંઈક અલગ છે.

કેનેડાની ઇમિગ્રેશન એજન્સી IRCC (Immigration, Refugees and Citizenship Canada) દ્વારા PR ધારકો માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમો નક્કી કરવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન ન કરવામાં આવે તો PR કાર્ડનું રિન્યુઅલ, વિદેશ પ્રવાસ બાદ કેનેડામાં પરત ફરવું અથવા અન્ય ઇમિગ્રેશન પ્રક્રિયાઓ મુશ્કેલ બની શકે છે. ગંભીર કિસ્સાઓમાં PR સ્ટેટસ ગુમાવવાનો પણ ખતરો રહે છે.

PR ધારકો માટે સૌથી મહત્વપૂર્ણ નિયમ

કેનેડિયન કાયદા અનુસાર, કોઈપણ PR ધારકે દરેક પાંચ વર્ષના સમયગાળામાં ઓછામાં ઓછા 730 દિવસ એટલે કે બે વર્ષ કેનેડામાં શારીરિક રીતે હાજર રહેવું જરૂરી છે. આ 730 દિવસ સતત હોવા જરૂરી નથી, પરંતુ પાંચ વર્ષના “રોલિંગ પિરિયડ” દરમિયાન પૂર્ણ થવા જોઈએ.

ઘણા લોકો અહીં ભૂલ કરે છે. તેઓ માને છે કે શરૂઆતના વર્ષોમાં કેનેડામાં પૂરતો સમય વિતાવી લીધા બાદ લાંબા સમય સુધી વિદેશમાં રહી શકાય છે. પરંતુ પાંચ વર્ષનો સમયગાળો સતત આગળ વધતો રહે છે, જેના કારણે જૂના દિવસો ગણતરીમાંથી બહાર થઈ જાય છે અને રહેઠાણની શરત પૂર્ણ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે.

આ 8 ભૂલો તમારા PR સ્ટેટસને અસર કરી શકે છે

1. કેનેડાની બહાર લાંબા સમય સુધી રહેવું

PR મળ્યા બાદ ઘણા લોકો નોકરી, વ્યવસાય અથવા પારિવારિક કારણોસર ભારત કે અન્ય દેશમાં લાંબો સમય વિતાવે છે. જો પાંચ વર્ષમાં 730 દિવસની હાજરી પૂર્ણ ન થાય તો PR સ્ટેટસ જોખમમાં આવી શકે છે.

2. વિદેશમાં વિતાવેલો દરેક સમય ગણાશે એવી માન્યતા રાખવી

કેટલાક લોકો માને છે કે વિદેશમાં રહેવાનો તમામ સમય રહેઠાણની ગણતરીમાં સામેલ થશે. પરંતુ એવું હંમેશા નથી હોતું. ચોક્કસ પરિસ્થિતિઓમાં જ વિદેશમાં વિતાવેલો સમય ગણવામાં આવે છે અને તેના માટે પૂરતા પુરાવા જરૂરી હોય છે.

ઉદાહરણ તરીકે, જો PR ધારક પોતાના કેનેડિયન નાગરિક જીવનસાથી સાથે વિદેશમાં રહેતો હોય અથવા કેનેડિયન કંપની કે સરકારી સંસ્થા માટે વિદેશમાં કામ કરતો હોય, તો કેટલાક કિસ્સાઓમાં આ સમય ગણવામાં આવી શકે છે.

3. કેનેડામાં હાજરીના પુરાવા ન સાચવવા

IRCC માત્ર મૌખિક દાવા પર વિશ્વાસ કરતું નથી. જરૂર પડે ત્યારે તમારે સાબિત કરવું પડે છે કે તમે કેનેડામાં રહ્યા હતા. તેથી પાસપોર્ટ સ્ટેમ્પ, ફ્લાઇટ ટિકિટ, ભાડા કરાર, બેંક સ્ટેટમેન્ટ, ટેક્સ દસ્તાવેજો અને રોજગાર સંબંધિત રેકોર્ડ સુરક્ષિત રાખવા જરૂરી છે.

4. 730 દિવસની મર્યાદા નજીક હોવા છતાં વિદેશ પ્રવાસ કરવો

ઘણા લોકો 730 દિવસ પૂર્ણ થતાં જ નિશ્ચિંત થઈ જાય છે અને લાંબી વિદેશ યાત્રા પર નીકળી પડે છે. જો ફ્લાઇટ રદ થાય, તબીબી ઇમરજન્સી સર્જાય અથવા અન્ય કારણોસર પરત ફરવામાં વિલંબ થાય તો જરૂરી દિવસોની સંખ્યા ઘટી શકે છે. તેથી હંમેશા થોડો વધારાનો સમય જાળવી રાખવો યોગ્ય છે.

5. નબળા દસ્તાવેજો સાથે PRTD માટે અરજી કરવી

જો PR કાર્ડની મુદત પૂરી થઈ ગઈ હોય અને તમે કેનેડાની બહાર હોવ, તો કેનેડા પરત આવવા માટે Permanent Resident Travel Document (PRTD)ની જરૂર પડી શકે છે. જો અરજી સાથે પૂરતા પુરાવા રજૂ ન કરવામાં આવે તો અરજી નકારી શકાય છે અને PR સ્ટેટસની સમીક્ષા પણ થઈ શકે છે.

6. IRCCની નોટિસ અથવા સમીક્ષાને અવગણવી

જો IRCCને લાગે કે તમે રહેઠાણના નિયમોનું પાલન કર્યું નથી, તો તે નોટિસ મોકલી શકે છે. ઘણા લોકો સમયસર જવાબ આપતા નથી અથવા મામલાને ગંભીરતાથી લેતા નથી. આવી બેદરકારીથી PR સ્ટેટસ ગુમાવવાનો ખતરો વધી શકે છે.

7. ખોટી અથવા વિરોધાભાસી મુસાફરી માહિતી આપવી

PR કાર્ડ રિન્યુઅલ, PRTD અથવા નાગરિકતા અરજી દરમિયાન આપેલી મુસાફરીની વિગતો હંમેશા એકસરખી હોવી જોઈએ. જો અલગ-અલગ અરજીઓમાં જુદી જુદી માહિતી આપવામાં આવે તો IRCCને શંકા થઈ શકે છે. ગંભીર કિસ્સાઓમાં તેને ખોટી માહિતી આપવાનો પ્રયાસ પણ માનવામાં આવી શકે છે.

8. PR અને નાગરિકતાના નિયમોમાં ગૂંચવણ રાખવી

ઘણા લોકો PR જાળવવા અને કેનેડિયન નાગરિકતા મેળવવા માટેના નિયમોમાં ગૂંચવાઈ જાય છે. PR જાળવવા માટે પાંચ વર્ષમાં 730 દિવસની હાજરી જરૂરી છે, જ્યારે કેનેડિયન નાગરિકતા માટે છેલ્લા પાંચ વર્ષમાં ઓછામાં ઓછા 1,095 દિવસ કેનેડામાં હાજર રહેવું જરૂરી છે. બંને નિયમો અલગ છે અને તેને સમજવું મહત્વપૂર્ણ છે.

PR કાર્ડની મુદત પૂરી થવાનો અર્થ શું?

એક સામાન્ય ગેરસમજ એવી છે કે PR કાર્ડની સમયમર્યાદા પૂરી થતાં PR સ્ટેટસ પણ સમાપ્ત થઈ જાય છે. હકીકતમાં એવું નથી. PR કાર્ડ માત્ર મુસાફરી અને ઓળખ માટેનું દસ્તાવેજ છે. તેની સમયમર્યાદા પૂરી થયા પછી પણ વ્યક્તિ PR ધારક રહે છે. જોકે, વિદેશથી કેનેડામાં પરત ફરવું મુશ્કેલ બની શકે છે અને તેના માટે PRTDની જરૂર પડી શકે છે.

ભારતીય PR ધારકો માટે નિષ્ણાતોની સલાહ

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભારતીય PR ધારકોએ તેમની તમામ વિદેશ યાત્રાનો રેકોર્ડ સાચવી રાખવો જોઈએ. કેનેડામાં રહેવા અને કામ કરવા સંબંધિત દસ્તાવેજો સુરક્ષિત રાખવા, PR કાર્ડનું સમયસર રિન્યુઅલ કરાવવું અને IRCC તરફથી આવતી કોઈપણ નોટિસ કે ઇમેઇલને અવગણવી નહીં. નિયમોનું યોગ્ય પાલન કરવાથી PR સ્ટેટસ લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકાય છે.

બ્રિટનમાં 20 હજાર તો અમેરિકામાં 140 લોકો, LinkedIn મારફતે આ દેશોમાં જાસૂસો ઓપરેટ કરી રહ્યું છે ચીન!

તત્કાલ ટિકિટ બુકિંગ વખતે દર વખતે મળે છે માત્ર નિરાશા? એકાઉન્ટમાં અત્યારે જ ઓન કરી દો આ 3 સેટિંગ્સ, મિનિટોમાં કન્ફર્મ થશે સીટ!

મોટાભાગના લોકો એવું માનીને ચાલે છે કે તત્કાલ ટિકિટ કન્ફર્મ બુક થવી નસીબની વાત છે. પરંતુ વાસ્તવમાં આ સ્પીડની રમત છે. IRCTC ની એપ કે વેબસાઇટ પર જો તમે યોગ્ય સમયે સાચા સેટિંગ્સ ઓન રાખો, તો મનપસંદ સીટ અને કન્ફર્મ ટિકિટ બંને મેળવી શકાય છે. તેના માટે નીચે મુજબના ફીચર્સ સેટ કરી લો.

માસ્ટર લિસ્ટ સેટ કરો, તત્કાલ બુકિંગ ખુલતાની સાથે જ સેકન્ડોમાં સીટો ફૂલ થઈ જાય છે. તેવામાં મુસાફરોની વિગતો ટાઈપ કરવામાં સમય બગાડવાને બદલે તેને અગાઉથી સેવ રાખો, સૌથી પહેલા IRCTC એપ ખોલો અને’My Account’ સેક્શનમાં જાઓ. ત્યાં ‘My Master List’ ના ઓપ્શન પર ક્લિક કરો. હવે ‘Add Passenger’ પર ક્લિક કરીને મુસાફરનું નામ, જન્મતારીખ, જેન્ડર અને બર્થ પ્રેફરન્સ ભરીને સબમિટ કરી દો. હવે તત્કાલ બુકિંગ વખતે તમારે માત્ર પેસેન્જરને સિલેક્ટ કરવો પડશે, જેથી ટાઈપિંગનો સમય બચશે અને ટિકિટ તરત બુક થશે.

OTP ની ઝંઝટ ખતમ: IRCTC e-Wallet રીચાર્જ કરી લો, ઘણીવાર પેમેન્ટ કરતી વખતે બેંકના OTP ની રાહ જોવામાં જ સીટ હાથમાંથી નીકળી જાય છે. આનાથી બચવા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે IRCTC નું પોતાનું ઈ-વોલેટ: IRCTC ની વેબસાઇટ કે એપ પર લોગિન કરીને ‘IRCTC e-Wallet’ સેક્શન પર જાઓ. ‘Register Now’ પર ક્લિક કરીને તમારું પાન કાર્ડ કે અન્ય આઈડી કાર્ડ લિંક કરો. રજીસ્ટ્રેશન પછી વોલેટમાં અંદાજિત ભાડા મુજબ પૈસા ટોપ-અપ કરી લો. તત્કાલ બુકિંગ વખતે પેમેન્ટ મોડમાં ‘IRCTC e-Wallet’ પસંદ કરો. આનાથી કોઈ ઓટીપી વગર એક જ ક્લિકમાં સેકન્ડોની અંદર પેમેન્ટ થઈ જશે અને પૈસા અટકવાનું જોખમ પણ નહીં રહે.

પ્રીફર્ડ કોચ આઈડી: મનપસંદ ડબ્બામાં સીટ, જો તમે ઈચ્છતા હોવ કે તમને કોઈ ચોક્કસ બોગી કે કોચમાં જ સીટ મળે, તો આ સેટિંગ કામ લાગશે. ટ્રેન અને ક્લાસ પસંદ કર્યા પછી પેસેન્જર ડિટેલ્સ વાળા પેજ પર નીચે સ્ક્રોલ કરો. ત્યાં ‘Other Preferences’ ના ઓપ્શનમાં ‘Preferred Coach ID’ ના બોક્સ પર ટિક કરો. હવે તમારી પસંદગીનો કોચ નંબર જેમ કે S1, S2 અથવા A1, B1 લખી દો. આનાથી સિસ્ટમ તમારા માટે ઝડપથી સીટ શોધી શકશે.

વેટિંગ ટિકિટથી બચવા: ઓટો અપગ્રેડેશન ઓન કરો, તત્કાલ ટિકિટ બુક કરતી વખતે ક્યારેક પૈસા કપાયા પછી પણ વેઇટિંગ ટિકિટ મળી જતી હોય છે. આ નુકસાનથી બચવા માટે, પેસેન્જર ડિટેલ્સ પેજ પર ‘Other Preferences’ સેક્શનમાં જાઓ. અહીં ‘Consider for Auto-Upgradation’ ના ચેકબોક્સને ઓન (ટિક) કરી દો. તેની બરાબર નીચે આપેલા ‘Book only if confirm berths are allotted’ વાળા ઓપ્શનને સિલેક્ટ કરો.

આનાથી ફાયદો એ થશે કે જો તત્કાલ કોટા ફૂલ થઈ ગયો હશે, તો સિસ્ટમ તમને વેઇટિંગ ટિકિટ નહીં આપે અને તમારા પૈસા પણ સુરક્ષિત રહેશે.

આ પણ વાંચો:

હવે Lower Berth માટે કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે, IRCTC ની આ ઓનલાઇન સેટિંગ્સથી મળશે મનપસંદ સીટ

ચાલુ મુસાફરીએ ટ્રેનમાં જો કોઈ યાત્રિકનું મોત થાય તો શું રેલવે વિભાગ તુરંત ટેન રોકી દે છે?-વાંચો ચોંકાવનારા નિયમો

Forbes Billionaires List: એશિયાના અમીર વ્યક્તિઓની યાદીમાં ગૌતમ અદાણી નંબર 1 પોઝિશન પર, મુકેશ અંબાણીને પણ રાખી દીધા પાછળ

અદાણી ગૃપના ચેરમેન ગૌતમ અદાણીની સંપત્તિ વધીને 89.2 અબજ ડૉલર થઈ ગઈ છે. હાલ એશિયાની સૌથી અમીર વ્યક્તિની યાદીમાં અદાણી નંબર વન પોઝિશન પર પહોંચી ગયા છે. ફોર્બ્સની રિયલ ટાઈમ બિલેનિયર્સની યાદીમાં આ જાણકારી આપવામાં આવી છે. અદાણી બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ RIL ના ચેરમેન મુકેશ અંબાણી 88 અબજ ડૉલર સાથે નંબર ટુ પોઝિશન પર છે. સોફ્ટ બેંકના માસાયોશી સોન 87 અબજ ડૉલર સાથે ત્રીજા નંબર પર છે.

સોન ગુરુવારે જાપાની નિવેશ ફર્મના શેરોમાં ઘટાડા પહેલા એશિયાના સૌથી અમીર વ્યક્તિની યાદીમાં ટોચ પર હતા. ગૌતમ અદાણીની સંપત્તિનો મુખ્ય સ્ત્રોત અદાણી ગૃપની કંપનીઓની ભાગીદારી છે.

  • અદાણી ગૃપની 6 કંપનીઓની વેલ્શુએશ વધી
  • અદાણી ગૃપ ની 6 કંપનીઓની માર્કેટ વેલ્યુ લગભગ શુક્રવાર સુધી 191 અબજ ડૉલર હતી
  • જેમા અદાણી પાવર 47.2 અબજ ડૉલરના મૂલ્યાંકન સાથે ટોપ પર હતી
  • જે બાદ અદાણી ગ્રીન એનર્જીની માર્કેટ વેલ્યુએશન 26.4 અબજ ડૉલર હતી
  • અદાણી એનર્જી સોલ્યુશન્સનુ વેલ્યુઓએશન 19.9 અબજ ડૉલર હતુ
  • અદાણી ટોટલ ગેસ ની માર્કેટ કેપિટલાઈજેશન 8.8 અબજ ડૉલર હતી.

ઝડપથી વધી રહી છે અદાણીની સંપત્તિ

ફોર્બસની રિપોર્ટ અનુસાર, ગૌતમ અદાણીની સંપત્તિમાં ગત મહિને અમેરિકાના જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અદાણી ગૃપ સામે કરવામાં આવેલા છેતરપિંડીના આરોપોને ફગાવ્યા બાદ લગભગ 10 અબજ ડૉલરનો વધારો થયો છે. આ આરોપો સૌર ઉર્જા પુરવઠા કરાર સંબંધિત $250 મિલિયનના વ્યવહારમાં ગ્રુપની સંડોવણીને લગતા હતા; જોકે, અદાણી ગ્રુપે આ દાવાઓનું ખંડન કર્યુ હતુ.

એશિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ તરીકે અદાણીની ફરી વાપસી થઈ છે. પાછલા વર્ષોમાં તેની કંપનીની માર્કેટ વેલ્યુમાં ઘટાડો નોંધાયો હતો.જે તેમના પર લાગેલા આરોપોને કારણે હતો.

હિંડનબર્ગના આરોપો બાદ થયો હતો ઘટાડો

અમેરિકી શોર્ટ-સેલર હિંડનબર્ગ રિસર્ચે 2023માં અદાણી પર સ્ટૉકમાં હેરફેર અને મોટાપાયે ગરબ઼ડીનો આરોપ લગાવ્યો હતો. જોકે ભારતીય નિયામકોએ ગત વર્ષે આ દાવાઓને આરોપો સિદ્ધ નથી થયા એવુ કહીને ફગાવ્યા હતા. અદાણીને અમેરિકામાં પણ આરોપોનો સામનો કરવો પડ્યો હતો. જેનો હવે નિવેડો આવી ગયો છે.

કાયદાકીય પડકારોનો કરવો પડ્યો સામનો

ગયા મહિને શેરધારકોને લખેલા તેમના વાર્ષિક પત્રમાં, અબજોપતિ ઉદ્યોગપતિએ જણાવ્યું હતું કે અદાણી ગ્રુપે યુએસ કાનૂની પડકારોને પાર કરી લીધા છે. ગ્રુપ ઊર્જા, પરિવહન, લોજિસ્ટિક્સ અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ વધારી રહ્યું છે, AI-સંચાલિત વૃદ્ધિની વધતી માંગનો લાભ લેવા માટે પોતાને પોઝિશન આપી રહ્યું છે.

તેમણે ગ્રુપની મુખ્ય કંપની, અદાણી એન્ટરપ્રાઇઝ દ્વારા તાજેતરમાં ₹24,930 કરોડના રાઈટ્સ ઈશ્યૂની સફળતાને રોકાણકારોના વિશ્વાસના પ્રતિબિંબ તરીકે ટાંકી. આ સિદ્ધિ એવા સમયે આવી જ્યારે ગ્રુપ શાસન અને નિયમનકારી મુદ્દાઓ અંગે ચકાસણીનો સામનો કરી રહ્યું હતું.

ચાતક નજરે ચોમાસાની રાહ જોતા રાજ્યવાસીઓ માટે રાહતના સમાચાર, 15 જૂને ગુજરાતમાં દસ્તક દેશે મેઘરાજા

ચાલુ મુસાફરીએ ટ્રેનમાં જો કોઈ યાત્રિકનું મોત થાય તો શું રેલવે વિભાગ તુરંત ટેન રોકી દે છે?-વાંચો  ચોંકાવનારા નિયમો

જ્યારે ટ્રેનમાં કોઈ મુસાફરનું અવસાન થાય છે, ત્યારે તેની જાણ સૌથી પહેલાં ટ્રેનમાં હાજર ટીટીઈ અથવા ગાર્ડને કરવામાં આવે છે. પરંતુ રેલવેના નિયમ મુજબ, ટ્રેનને ક્યારેય પણ વચ્ચે રસ્તામાં કે જંગલમાં રોકવામાં આવતી નથી. ટ્રેનને તેના રૂટ પર આવતા આગામી એવા મોટા સ્ટેશને રોકવામાં આવે છે જ્યાં રેલવેની મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ હોય. ટ્રેન ત્યાં પહોંચ્યા પછી જ આગળની કાયદાકીય કાર્યવાહી શરૂ થાય છે.

જીઆરપી અને મેડિકલ ટીમની કામગીરી

ટ્રેન નક્કી કરેલા નજીકના મોટા સ્ટેશને પહોંચતા જ ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) અને મેડિકલ ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી જાય છે. સૌથી પહેલાં હાજર ડોક્ટર દ્વારા મુસાફરના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવે છે. જો મૃત્યુ હાર્ટ એટેક કે કોઈ લાંબી બીમારી જેવા કુદરતી કારણોસર થયું હોય, તો પોલીસ પ્રાથમિક તપાસ કરીને પંચનામું તૈયાર કરે છે. કાયદાકીય જરૂરિયાત જણાશે તો જ મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવામાં આવે છે. મૃતકની ઓળખ અને તમામ કાગળિયાં પૂરા થયા બાદ જ શબને પરિવારજનોને સોંપવામાં આવે છે.

સાથે મુસાફરી કરતા અન્ય સહ-મુસાફરો માટે શું વિકલ્પ છે?

જો મૃતક વ્યક્તિની સાથે તેમના પરિવારના સભ્યો, સંબંધીઓ કે મિત્રો મુસાફરી કરી રહ્યા હોય, તો તેઓ મૃતદેહની કાયદાકીય પ્રક્રિયા માટે તે સ્ટેશન પર જ ટ્રેનમાંથી ઉતરી શકે છે. જ્યારે ટ્રેનમાં સવાર બાકીના અન્ય મુસાફરો પોતાની આગળની યાત્રા તે જ ટ્રેનમાં ચાલુ રાખી શકે છે.

રેલવે તરફથી વળતર મળશે કે નહીં, તેનો આધાર મુસાફરના મોતના કારણ પર નિર્ભર કરે છે, વળતર ક્યારે મળે? જો મુસાફરનું મોત કોઈ ટ્રેન અકસ્માતના કારણે થયું હોય અથવા રેલવે વહીવટીતંત્રની કોઈ મોટી બેદરકારી સાબિત થાય તો જ વળતર મળવાપાત્ર છે. આ ઉપરાંત, જો મુસાફરે ટિકિટ બુકિંગ વખતે રેલવે વીમો લીધો હોય તો પણ વળતર મળે છે. વળતર ક્યારે ન મળે: જો મુસાફરનું મોત સામાન્ય બીમારી, હાર્ટ એટેક કે અન્ય કોઈ કુદરતી કારણોસર થયું હોય, તો રેલવે તરફથી કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવતું નથી.

મૃતદેહને ઘરે લઈ જવા માટે રેલવેની ખાસ સુવિધા

જો મૃતકના પરિવારજનો શબને પોતાના વતન કે ઘરે લઈ જવા માંગતા હોય, તો ભારતીય રેલવે તેમને આ સુવિધા પૂરી પાડે છે. મૃતદેહને ખાસ ‘પાર્સલ વેન’ અથવા ‘લગેજ વેન’ દ્વારા મોકલી શકાય છે. જો કે, આ સુવિધાનો લાભ લેવા માટે પરિવાર પાસે નીચે મુજબના જરૂરી દસ્તાવેજો હોવા ફરજિયાત છે:

  • ડેથ સર્ટિફિકેટ
  • પોલીસ વિભાગનું એનઓસી
  • મૃતક વ્યક્તિનું સત્તાવાર ઓળખપત્ર

હવે Lower Berth માટે કોઈની સામે હાથ ફેલાવવો નહીં પડે, IRCTC ની આ ઓનલાઇન સેટિંગ્સથી મળશે મનપસંદ સીટ

દુનિયામાં મોટાભાગના લોકો કેમ છે ‘રાઇટ હેન્ડેડ’? વૈજ્ઞાનિકોએ જણાવ્યું મગજનું ચોંકાવનારું કનેક્શન!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News: રશિયાની મીરા એન્ડ્રીવાએ ઈતિહાસ રચ્યો, 19 વર્ષની ઉંમરે જીત્યો ફ્રેન્ચ ઓપનનો ખિતાબ

ટેનિસ જગતને એક નવી સુપરસ્ટાર મળી ગઈ છે. 19 વર્ષની યુવા સેન્સેશન મીરા એન્ડ્રીવાએ શાનદાર પ્રદર્શન કર્યું અને વર્ષના બીજા ગ્રાન્ડ સ્લેમ, ‘ફ્રેન્ચ ઓપન 2026’નો મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો હતો. પેરિસના ફેમસ કોર્ટ ફિલિપ-ચેટિયર પર રમાયેલી ટાઈટલ મેચમાં એન્ડ્રીવાએ પોલેન્ડની માજા ચ્વાલિન્સ્કાને સીધા સેટમાં હરાવીને પોતાનો પહેલો મેજર (ગ્રાન્ડ સ્લેમ) ખિતાબ જીત્યો હતો. ટુર્નામેન્ટમાં આઠમા ક્રમાંકિત એન્ડ્રીવાએ સમગ્ર મેચ દરમિયાન પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું અને મેચ 6-3, 6-2 થી જીતી લીધી.

19 વર્ષની મીરા એન્ડ્રીવાએ ઈતિહાસ રચ્યો

મીરા એન્ડ્રીવાનો વિજય ઘણી રીતે ઐતિહાસિક છે. 19 વર્ષની ઉંમરે ફ્રેન્ચ ઓપન જીતીને તે 1992 પછી પેરિસમાં ક્લે કોર્ટ પર ટાઈટલ જીતનાર સૌથી નાની ઉંમરની ખેલાડી બની. તેના પહેલા દિગ્ગજ મોનિકા સેલેસ 1992માં 18 વર્ષની ઉંમરે આ સિદ્ધિ હાંસલ કરી હતી. વધુમાં, એન્ડ્રીવા 2014 માં મારિયા શારાપોવા પછી ફ્રેન્ચ ઓપન જીતનાર પ્રથમ રશિયન મહિલા બની.

 

એન્ડ્રીવાએ જોરદાર વાપસી કરી

મેચ ખૂબ જ રોમાંચક રીતે શરૂ થઈ હતી. ક્વોલિફાયર તરીકે ફાઈનલ સુધી પહોંચનારી માજા ચ્વાલિન્સ્કાએ શરૂઆતમાં પોતાના ડ્રોપ શોટ્સ અને આક્રમક ફોરહેન્ડ્સથી એન્ડ્રીવા સામે જોરદાર પડકાર ઉભો કર્યો અને એક સમયે તેણે પહેલા સેટમાં 3-2ની લીડ મેળવી લીધી. જોકે, એન્ડ્રીવાએ ટૂંક સમયમાં જ તેના કોચ અને ભૂતપૂર્વ મહાન ખેલાડી કોંચિતા માર્ટિનેઝની સલાહનું પાલન કર્યું અને પોતાની રણનીતિ બદલી. ત્યારબાદ તેણીએ સતત ગેમ જીતીને ન માત્ર પહેલો સેટ 6-3થી જીત્યો, પરંતુ બીજા સેટમાં પણ ચ્વાલિન્સ્કાને કોઈ તક આપી નહીં અને 6-2થી જીતીને મેચ અને ટાઈટલ બંને પોતાના નામે કરી લીધા.

 

મીરા એન્ડ્રીવાને કરોડો રૂપિયાનું ઈનામ મળ્યું

આ ઐતિહાસિક ટાઈટલ જીત બદલ મીરા એન્ડ્રીવાને ચમકતી સુઝાન-લેંગલેન ટ્રોફી સાથે $3.25 મિલિયનની મોટી ઈનામી રકમ પ્રાપ્ત થઈ, જે ભારતીય રૂપિયામાં ₹30 કરોડથી વધુ છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ પ્રદર્શનથી એન્ડ્રીવાના એક નવી ટેનિસ સુપરસ્ટાર તરીકે સ્થાપિત થઈ છે.

Breaking News: સચિન તેંડુલકરની જેમ વૈભવ સૂર્યવંશીને પણ મળી ખાસ પરવાનગી, BCCIએ બદલ્યો પોતાનો નિયમ

ધમાકેદાર રિટર્ન આપનારો શેર અચાનક ગગડ્યો! માર્કેટ એક્સપર્ટે આપ્યો ‘નવો ટાર્ગેટ’, આ લેવલ પર નજર રાખજો

Breaking News: સચિન તેંડુલકરની જેમ વૈભવ સૂર્યવંશીને પણ મળી ખાસ પરવાનગી, BCCIએ બદલ્યો પોતાનો નિયમ

IPL 2026 માં રાજસ્થાન રોયલ્સ માટે પોતાની વિસ્ફોટક ઈનિંગ્સથી સનસનાટી મચાવનાર યુવા બેટ્સમેન વૈભવ સૂર્યવંશીને ભારતીય T20 ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. ખૂબ જ નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે આ અપાર સફળતા અને ખ્યાતિ વચ્ચે, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ એક સંવેદનશીલ અને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. આગામી ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે બે ખાસ વ્યક્તિઓ પણ વૈભવ સાથે મુસાફરી કરશે.

વૈભવ સૂર્યવંશી સાથે બે ખાસ લોકો રહેશે

વૈભવ સૂર્યવંશી હજુ પણ ઘણો નાનો છે. માત્ર 15 વર્ષની ઉંમરે, અચાનક લોકપ્રિયતા, મીડિયા એટેન્શન અને સિનિયર ટીમના ભારે દબાણનો સામનો કરવો કોઈપણ બાળક માટે માનસિક રીતે પડકારજનક હોઈ શકે છે. પરિણામે, BCCI એ નિર્ણય લીધો છે કે વૈભવ સૂર્યવંશીના માતા-પિતા આગામી ઈંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ પર ટીમ ઈન્ડિયા સાથે મુસાફરી કરશે. વિદેશ પ્રવાસ પર તેના માતા-પિતાની હાજરી વૈભવને ઘર જેવું વાતાવરણ પૂરું પાડશે અને તેને એકલતાનો અનુભવ નહીં થાય. આ નિર્ણયથી તેને વિદેશ પ્રવાસની નવી પરિસ્થિતિઓમાં અનુકૂલન સાધવામાં પણ મદદ મળશે.

સચિનને 1989માં આ સગવડ મળી હતી

તેવી જ રીતે, જ્યારે સચિન તેંડુલકર 1989માં ભારતીય ક્રિકેટ ટીમ સાથે પાકિસ્તાન ગયો હતો, ત્યારે તેનો મોટો ભાઈ અજિત તેની સાથે હતો. તે સમયે સચિન તેંડુલકર માત્ર 16 વર્ષનો હતો. આવી સ્થિતિમાં, BCCI એ વૈભવ સૂર્યવંશી માટે પણ આ મોટું પગલું ભર્યું છે. BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે, “તે બાળક છે, તેથી અમે તેના માતાપિતાને તેની સાથે આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ મુસાફરી કરવાની મંજૂરી આપવાનો નિર્ણય લીધો છે જેથી તેઓ તેની સાથે રહી શકે અને તેને નવા વાતાવરણમાં ભળવામાં મદદ કરી શકે. બોર્ડ તેમનો તમામ ખર્ચ પણ ઉઠાવશે.”

BCCIએ વૈભવ માટે નિયમમાં ફેરફાર કર્યો

ભારતીય ક્રિકેટ ટીમના વિદેશ પ્રવાસો અને લાંબી ટુર્નામેન્ટ દરમિયાન પરિવારની હાજરી અંગે BCCI ના કડક નિયમો છે. ખેલાડીઓ સમગ્ર પ્રવાસ દરમિયાન તેમના પરિવાર અથવા પત્નીને તેમની સાથે રાખી શકતા નથી. જો કોઈ શ્રેણી અથવા ટુર્નામેન્ટ 45 દિવસથી વધુ ચાલે છે, તો પરિવારના સભ્યો ખેલાડી સાથે ફક્ત 14 દિવસ જ રહી શકે છે. જોકે, વૈભવ સૂર્યવંશી માટે BCCI એ નિયમો હળવા કર્યા છે.

સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક

વૈભવ સૂર્યવંશીની ભારતીય ટીમમાં પસંદગી 15 વર્ષ અને 71 દિવસની ઉંમરે થઈ છે. જો તે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મેળવે છે, તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર સૌથી નાની ઉંમરનો ભારતીય ક્રિકેટર બનશે. અગાઉ જ્યારે સચિન તેંડુલકરને ટીમમાં પસંદ કરવામાં આવ્યો હતો ત્યારે તેની ઉંમર 16 વર્ષ 194 દિવસ હતી. સચિને તેના પ્રથમ પ્રવાસમાં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. હવે વૈભવને પણ આવી જ તક મળી શકે છે.

Breaking News: ભારત અંડર-18 એશિયા કપમાં બન્યું ચેમ્પિયન, ફાઈનલમાં જાપાનને 4-1થી હરાવી જીત્યો ગોલ્ડ મેડલ

FSSAI: હવે અખબારના કાગળમાં ખાણી-પીણીની વસ્તુઓ પેક કરવા પર લાગ્યો સંપૂર્ણ પ્રતિબંધ

ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (FSSAI) એ દેશભરમાં ખોરાક પેક કરવા માટે અખબારના ઉપયોગ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. મુંબઈમાં એક વડાપાવ વેચનાર દ્વારા અખબારના કાગળમાં ફૂડ પેક કરીને આપવાની ઘટના સામે આવ્યા બાદ, FSSAI અને BMC એ સંયુક્ત રીતે આ કડક કદમ ઉઠાવ્યું છે. આ નિયમનો ભંગ કરનારા વેપારીઓ સામે ભારે દંડ અને જેલની સજા સુધીની કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે.

નાના ઠેલાથી લઈને મોટી હોટલો સુધી આ નિયમ લાગુ

નવા આદેશ અનુસાર, રસ્તા પર લારી-ગલ્લા ચલાવતા ફેરિયાઓથી માંડીને મોટી હોટલો, રેસ્ટોરન્ટ્સ, ક્લાઉડ કિચન અને કેટરર્સ સુધી તમામ માટે આ નિયમ ફરજિયાત છે. માત્ર ગ્રાહકોને ખોરાક લપેટવા માટે જ નહીં, પરંતુ સમોસા કે પકોડા તળ્યા બાદ તેનું વધારાનું તેલ શોષવા માટે અથવા ખોરાકને ઢાંકવા માટે પણ અખબારના કાગળનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ મનાઈ ફરમાવવામાં આવી છે.

અખબારની શાહીમાં રહેલા હાનિકારક કેમિકલ્સ ગરમ ખોરાક સાથે ભળીને સ્વાસ્થ્ય માટે ગંભીર જોખમ ઊભું કરે છે, જેના કારણે પ્રજાના સ્વાસ્થ્યની સુરક્ષા કાજે તંત્ર દ્વારા આ પ્રશંસનીય અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે.

સ્વચ્છ ભારત મિશન હેઠળ ખરીદેલી ઇ-રિક્ષાઓ બની શોભાના ગાંઠિયા, ખોટા બિલ પાસ કરવાનું કૌભાંડ સામે આવ્યું

કેવી રીતે ઓળખશો કે કાકડી અસલી દેશી છે કે કેમિકલવાળી હાઇબ્રિડ? જાણો

FIFA World Cup 2026: ઈરાન પર વિઝા સંકટ! US એમ્બેસીને સોંપ્યા પાસપોર્ટ, ક્યારે મળશે મંજૂરી?

2026 FIFA વર્લ્ડ કપનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, ટુર્નામેન્ટ 11 જૂનથી શરૂ થવાની છે. જોકે, ઈરાની ફૂટબોલ ટીમ વિઝા સંકટનો સામનો કરી રહી છે. ટીમને હજુ સુધી યુએસ વિઝા મળ્યા નથી. ઈરાની ફૂટબોલ ફેડરેશન (FFI) ના પ્રમુખ મેહદી તાજે જણાવ્યું હતું કે, FIFA ના નિર્દેશ પર, ઈરાને તેની રાષ્ટ્રીય ફૂટબોલ ટીમના સભ્યોના પાસપોર્ટ તુર્કીની રાજધાની અંકારામાં યુએસ એમ્બેસીને સોંપી દીધા છે. ટીમ હવે આતુરતાથી યુએસ વિઝાની રાહ જોઈ રહી છે.

યુએસ વિઝાની રાહ જોઈ રહી છે ઈરાની ટીમ

ઈરાનની નેશનલ ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા, ફેડરેશનના પ્રમુખ મેહદી તાજે જણાવ્યું હતું કે ફિફા દ્વારા પોતે અંકારામાં યુએસ દૂતાવાસને તેમના પાસપોર્ટ સોંપવાની માંગણી કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. રાષ્ટ્રીય ટીમના સભ્યોને યુએસ વિઝા આપવામાં આવશે કે કેમ તે જોવા માટે અમે આગામી બે દિવસ રાહ જોઈ રહ્યા છીએ,”. તેમણે આશા વ્યક્ત કરી કે આખી ટીમને વિઝા મળશે, પરંતુ કોઈપણ અનિચ્છનીય ઘટના માટે તૈયારી કરવા માટે ફિફાને પોતાની ચિંતાઓ પણ જણાવી હતી.

ઈરાનની FIFA ને સ્પષ્ટ સુચના

ઈરાની ફેડરેશને આ મુદ્દા પર કડક વલણ અપનાવ્યું છે, અને FIFA ને સ્પષ્ટ કહ્યું છે કે જો તેમના કેટલાક ખેલાડીઓ અથવા પ્રતિનિધિમંડળના સભ્યોને યુએસ વિઝા કેન્સલ કરવામાં આવે તો તે ચૂપ રહેશે નહીં. ફેડરેશને જણાવ્યું હતું કે આવી પરિસ્થિતિમાં તે અન્ય વિકલ્પો પર વિચાર કરશે. જો કે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે તેઓ શું પગલાં લઈ શકે છે.

ટીમનો બેઝ કેમ્પ મેક્સિકોમાં હશે

ઈરાની ટીમના ખેલાડીઓને મેક્સિકોના વિઝા મળી ગયા છે. વર્લ્ડ કપ દરમિયાન ટીમનો બેઝ કેમ્પ તિજુઆના, મેક્સિકોમાં હશે. રસપ્રદ વાત એ છે કે, 2026નો વર્લ્ડ કપ સંયુક્ત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ, કેનેડા અને મેક્સિકો દ્વારા યોજાઈ રહ્યો છે. જોકે ઈરાનની ટીમ મેક્સિકોમાં રહેશે, પરંતુ તેની ગ્રુપ G ની ત્રણેય મેચ યુનાઈટેડ સ્ટેટ્સમાં રમાશે. પરિણામે, ટીમને દરેક મેચ માટે મેક્સિકોથી USA જવું પડશે, જેમાં યુએસ વિઝાની જરૂર પડશે.

USA માં ઈરાનનો મેચ શેડ્યૂલ

ઈરાની ટીમ ટુર્નામેન્ટનો પોતાનો પહેલો મુકાબલો 16 જૂને ન્યુઝીલેન્ડ સામે રમશે. ત્યારબાદ 21 જૂને તેનો મુકાબલો બેલ્જિયમ સામે થશે. 26 જૂને ઈરાન ઈજિપ્ત સામે રમશે. વિઝાની સમસ્યાઓ વચ્ચે, ઈરાની ફૂટબોલ ટીમ વર્લ્ડ કપ માટે સતત મહેનત કરી રહી છે.

Big Cricket League: Universal Bossનું કમબેક રહ્યું ફિક્કું, યુપી બ્રિજ સ્ટાર્સે ક્રિસ ગેલની ટીમને હરાવી

સિક્કાની બીજી બાજુ: નબળો રૂપિયો કેવી રીતે નિકાસકારો માટે વરદાન સાબિત થઈ શકે?

છેલ્લા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં અમેરિકન ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયામાં જોવા મળી રહેલી નબળાઈ ચર્ચાનો વિષય બની છે. જ્યારે પણ વિનિમય દરમાં થોડો ઘટાડો થાય છે, ત્યારે સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલો પર ચિંતાનું વાતાવરણ સર્જાય છે. આમ આદમીના મનમાં પ્રશ્ન થાય છે કે શું નબળો પડતો રૂપિયો ભારતીય અર્થતંત્ર માટે કોઈ જોખમની નિશાની છે? નિષ્ણાતો માને છે કે આ પ્રશ્નનો જવાબ માત્ર ‘હા’ કે ‘ના’ માં આપી શકાય તેમ નથી, કારણ કે આ એક જટિલ આર્થિક પ્રક્રિયા છે જેની પાછળ અનેક વૈશ્વિક અને સ્થાનિક પરિબળો કામ કરી રહ્યા છે

વૈશ્વિક પ્રવાહો અને ડોલરનું વર્ચસ્વ

આજની વૈશ્વિક અર્થવ્યવસ્થા પહેલા કરતા ઘણી વધુ એકબીજા સાથે જોડાયેલી છે. ભારતીય રૂપિયાના મૂલ્યમાં થતા ફેરફારો માત્ર દેશની આંતરિક સ્થિતિ પર જ નહીં, પરંતુ દુનિયાના બીજા છેડે બનતી ઘટનાઓ પર પણ આધાર રાખે છે. અમેરિકામાં વ્યાજ દરોમાં થતા ફેરફાર, રશિયા-યુક્રેન જેવી ભૌગોલિક તણાવની સ્થિતિ અને કાચા તેલની વધતી કિંમતો સીધી રીતે ચલણ બજારને અસર કરે છે. જ્યારે પણ વિશ્વમાં અનિશ્ચિતતા વધે છે, ત્યારે રોકાણકારો સલામત ગણાતી અમેરિકન અસ્કયામતો તરફ વળે છે, જેના કારણે ડોલર મજબૂત થાય છે અને ભારત સહિતની અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓના ચલણ પર દબાણ વધે છે.

ક્રૂડ ઓઈલ અને રૂપિયાનું ગણિત

ભારત માટે સૌથી મોટો પડકાર કાચા તેલની આયાત છે. દેશ તેની ઉર્જા જરૂરિયાતોનો મોટો હિસ્સો વિદેશથી મંગાવે છે. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું થાય છે અથવા રૂપિયો નબળો પડે છે, ત્યારે તેલ ખરીદવા માટે આપણે વધુ ડોલર ચૂકવવા પડે છે. ડોલરની આ વધતી માંગ રૂપિયા પર સીધું દબાણ લાવે છે. આથી જ આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવોમાં થતી હલચલ ભારતની અર્થવ્યવસ્થા અને રૂપિયાના મૂલ્ય માટે નિર્ણાયક સાબિત થાય છે.

નબળો રૂપિયો: નિકાસકારો માટે એક મોટી તક ?

આર્થિક નિષ્ણાતો જણાવે છે કે રૂપિયાની નબળાઈને હંમેશા નકારાત્મક દ્રષ્ટિએ જોવી યોગ્ય નથી. અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ જોઈએ તો, મર્યાદિત મર્યાદામાં નબળું ચલણ નિકાસકારો માટે વરદાન સાબિત થઈ શકે છે. જ્યારે રૂપિયો થોડો નબળો પડે છે, ત્યારે ભારતીય ઉત્પાદનો વિદેશી બજારોમાં સ્પર્ધાત્મક બને છે. ટેક્સટાઈલ (કાપડ), એન્જિનિયરિંગ ઉત્પાદનો, ફાર્માસ્યુટિકલ્સ અને આઈટી (IT) સેવાઓ જેવા ક્ષેત્રોને આ સ્થિતિનો સીધો લાભ મળે છે, જે અંતે દેશના વિકાસમાં ફાળો આપે છે. સમસ્યા ત્યારે જ ઉદભવે છે જ્યારે ચલણમાં અસ્થિરતા ખૂબ વધી જાય, કારણ કે રોકાણકારો અનિશ્ચિતતાથી ડરતા હોય છે.

ભારતની મજબૂત આર્થિક સ્થિતિ

વર્તમાન વૈશ્વિક પડકારો છતાં, ભારતની પાયાની આર્થિક સ્થિતિ ઘણી મજબૂત દેખાય છે. ભારતનો વિકાસ દર વિશ્વની ઘણી મોટી અર્થવ્યવસ્થાઓની સરખામણીમાં ઘણો સારો છે. દેશનું બેન્કિંગ સેક્ટર મજબૂત સ્થિતિમાં છે અને પ્રત્યક્ષ તેમજ પરોક્ષ ટેક્સ કલેક્શનમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. આ ઉપરાંત, સરકાર દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટું રોકાણ અને ઘરેલું વપરાશમાં વધારો અર્થતંત્રને મજબૂત ટેકો પૂરો પાડી રહ્યા છે.

સરકાર અને RBI ના રક્ષણાત્મક પગલાં

રૂપિયાને ટેકો આપવા માટે ભારત સરકાર અને રિઝર્વ બેંક (RBI) સતત કાર્યરત છે. તાજેતરમાં 5 જૂન, 2026 ના રોજ ‘ઇન્કમ-ટેક્સ (એમેન્ડમેન્ટ) ઓર્ડિનન્સ, 2026’ બહાર પાડવામાં આવ્યું છે. આ વટહુકમ દ્વારા વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) અને ‘બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ’ ને સરકારી સિક્યોરિટીઝમાંથી મળતી વ્યાજની આવક અને મૂડી લાભ પર ટેક્સમાં છૂટ આપવામાં આવી છે. આ પગલાનો મુખ્ય હેતુ વિદેશી રોકાણકારોને ભારતીય સરકારી બોન્ડ માર્કેટ તરફ આકર્ષવાનો છે, જેથી દેશમાં વિદેશી હૂંડિયામણનો પ્રવાહ વધે અને રૂપિયાને ટેકો મળે. રિઝર્વ બેંક પણ બજારમાં વધુ પડતી અસ્થિરતા રોકવા માટે સમય-સમય પર હસ્તક્ષેપ કરે છે. ભારત પાસે પૂરતું વિદેશી હૂંડિયામણ ભંડાર છે, જે આર્થિક આંચકા સામે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે.

MSME ક્ષેત્ર પર દબાણ અને પ્રાઇસિંગ સ્ટ્રેટેજી

રૂપિયાની નબળાઈની અસર દરેક ક્ષેત્રે અલગ હોય છે. ખાસ કરીને સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) પર તેની સીધી પ્રતિકૂળ અસર પડે છે કારણ કે તેમની આયાત ખર્ચ (Import Cost) વધી જાય છે. ઘણા ઉદ્યોગોએ આ સ્થિતિમાં ટકી રહેવા માટે તેમની ‘પ્રાઇસિંગ સ્ટ્રેટેજી’ એટલે કે ઉત્પાદનોની કિંમત નક્કી કરવાની પદ્ધતિમાં ફેરફાર કરવો પડે છે. આમ, રૂપિયાની વધ-ઘટ એ માત્ર આંકડાકીય રમત નથી, પરંતુ તે નાના ઉદ્યોગોના અસ્તિત્વ સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે.

ઉદ્યોગ જગત પર અસર અને ભાવિ દૃષ્ટિકોણ

રૂપિયાના મૂલ્યમાં થતા ફેરફારની અસર દરેક ક્ષેત્ર પર સમાન હોતી નથી. આયાતકારો માટે ખર્ચ વધે છે અને MSME ક્ષેત્ર પર દબાણ આવે છે, જ્યારે નિકાસકારો માટે આ એક અવસર સમાન છે. તેથી જ રૂપિયાના મૂલ્યને જોઈને જ આખા અર્થતંત્રનું મૂલ્યાંકન કરવું યોગ્ય નથી. અર્થતંત્રના સ્વાસ્થ્યને સમજવા માટે વિકાસ દર, રોજગાર, ઉત્પાદન અને નાણાકીય સ્થિરતા જેવા અનેક પાસાઓને સાથે રાખીને જોવાની જરૂર છે. આવનારા સમયમાં રૂપિયાની દિશા અમેરિકન ફેડરલ રિઝર્વની નીતિઓ અને ભૂ-રાજકીય ઘટનાક્રમ પર નિર્ભર રહેશે. જોકે, ભારત જે રીતે પોતાની આર્થિક મજબૂતી અને રોકાણના આકર્ષણને જાળવી રહ્યું છે તે જોતા નિરાશાવાદી થવાની જરૂર નથી. જો કે સમસ્યા એ નથી કે રૂપિયો 96 કે 97 ના સ્તરે રહેશે, પરંતુ અસલી પ્રશ્ન એ છે કે બદલાતી વૈશ્વિક પરિસ્થિતિઓમાં ભારત પોતાની સ્પર્ધાત્મક ક્ષમતા અને લાંબા ગાળાના વિકાસને કેટલી મજબૂતીથી જાળવી રાખે છે. પડકારો ચોક્કસ છે, પરંતુ તેની સાથે સાથે ભારત માટે આર્થિક ઉન્નતિના નવા દ્વાર પણ ખુલી રહ્યા છે

ન્યાય માગતા વિદ્યાર્થીઓને ‘એન્ટી નેશનલ’ ચીતરવાનું પાપ, 20 લાખથી વધુ વિદ્યાર્થીઓના માર્ક્સમાં ધાંધલી, CBSE અને સત્તાધિશોના ગાલ પર તમાચો- વાંચો

સૌથી લાંબો Divorce કેસ, ભારતીય મૂળની મહિલાને લંડનમાં 23 વર્ષ બાદ મળ્યા 85 કરોડ

બ્રિટનમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ચર્ચામાં રહેલા સૌથી મોટા અને લાંબા છૂટાછેડાના કેસનો આખરે અંત આવ્યો છે. ભારતીય મૂળની વર્ષા ગોહિલે પોતાના ભૂતપૂર્વ પતિ ભદ્રેશ ગોહિલ સામે 23 વર્ષ સુધી કાનૂની લડાઈ લડી હતી, જેના પરિણામે હવે તેમને £6.6 મિલિયન (આશરે ₹85 કરોડ)નું સમાધાન મળ્યું છે.

આ સમગ્ર મામલો 2002માં શરૂ થયો હતો, જ્યારે 61 વર્ષીય વર્ષા ગોહિલે લંડનમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. તેમણે પોતાના પતિ પર લગ્નેત્તર સંબંધો અને દુર્વ્યવહારના આરોપો લગાવ્યા હતા. તે સમયે દંપતીને ત્રણ સંતાનો હતા.

શરૂઆતમાં કેસ ઝડપથી ઉકેલાઈ ગયો હતો. વર્ષાએ લગભગ £270,000 (આશરે ₹3.47 કરોડ)ની પતાવટ સ્વીકારી હતી અને પરિવારની પ્યુજો કાર પણ તેમની પાસે રહી હતી. જોકે, તેમને શંકા હતી કે તેમના પતિએ પોતાની તમામ સંપત્તિ અંગે સાચી માહિતી કોર્ટ સમક્ષ રજૂ કરી નહોતી.

યુકેના કાયદા અનુસાર, છૂટાછેડાની કાર્યવાહી દરમિયાન બંને પક્ષોએ પોતાની સંપત્તિ અને નાણાકીય સ્થિતિનો સંપૂર્ણ ખુલાસો કરવો ફરજિયાત હોય છે. વર્ષાને લાગતું હતું કે ભદ્રેશ ગોહિલે કેટલીક મહત્વની સંપત્તિઓ છુપાવી છે, પરંતુ તે સમયે તેમની પાસે આ વાત સાબિત કરવા માટે પૂરતા પુરાવા નહોતા.

નાઇજીરિયાના ભૂતપૂર્વ ગવર્નર જેમ્સ ઇબોરીના સહયોગીઓના વકીલ

કેસમાં મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે ભદ્રેશ ગોહિલનું નામ એક આંતરરાષ્ટ્રીય ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં સામે આવ્યું. અહેવાલો મુજબ, તેઓ નાઇજીરિયાના ભૂતપૂર્વ ગવર્નર જેમ્સ ઇબોરીના સહયોગીઓના વકીલ તરીકે કાર્યરત હતા. તેમના પર કરોડો પાઉન્ડના ગેરકાયદે નાણાંને વિવિધ કંપનીઓ અને ખાતાઓ મારફતે કાયદેસર આવક તરીકે દર્શાવવાનો આરોપ હતો.

લાંબી તપાસ બાદ ભદ્રેશ ગોહિલને મની લોન્ડરિંગ, બનાવટી દસ્તાવેજો તૈયાર કરવા અને છેતરપિંડીના કાવતરામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. વર્ષ 2011માં તેમને 10 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.

તપાસ દરમિયાન અધિકારીઓને એવી અનેક સંપત્તિઓ મળી આવી હતી જે છૂટાછેડા વખતે જાહેર કરવામાં આવી નહોતી. ત્યારબાદ બ્રિટિશ સત્તાવાળાઓએ અંદાજે £28 મિલિયન (આશરે ₹360 કરોડ)ની સંપત્તિઓ ફ્રીઝ કરી દીધી હતી. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર આ સંપત્તિઓ ગેરકાયદે કમાણી સાથે જોડાયેલી હોઈ શકે છે.

આ ખુલાસાઓ બાદ વર્ષા ગોહિલની શંકાઓ વધુ મજબૂત બની હતી. તેમણે 2007થી જ મૂળ છૂટાછેડાના સમાધાનને પડકારવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ હવે તેમની પાસે નવા અને મજબૂત પુરાવા હતા.

ફ્રીઝ કરાયેલી સંપત્તિ અને કાનૂની વિવાદ

આખરે કેસ યુકેની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો. વર્ષ 2015માં સુપ્રીમ કોર્ટે વર્ષાને જૂના છૂટાછેડા સમાધાનને ફરીથી ખોલવાની મંજૂરી આપી હતી. કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે પોતાની સંપત્તિ છુપાવીને કોઈ વ્યક્તિ કાયદાનો લાભ મેળવી શકે નહીં. જોકે, તે પછી પણ કેસ પૂર્ણ થયો નહોતો. ફ્રીઝ કરાયેલી સંપત્તિઓની માલિકી અને નાણાંના મૂળ સ્ત્રોત અંગે વર્ષો સુધી કાનૂની વિવાદ ચાલતો રહ્યો.

યુકેની ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS)નું કહેવું હતું કે £28 મિલિયનની તમામ સંપત્તિ ગુનાની આવકમાંથી ઉભી થઈ છે અને તેને જપ્ત કરવી જોઈએ. બીજી તરફ, વર્ષા ગોહિલનો દાવો હતો કે તમામ સંપત્તિ ગેરકાયદેસર રીતે પ્રાપ્ત કરવામાં આવી નથી અને તેમાંનો એક ભાગ કાયદેસર વ્યવસાયિક પ્રવૃત્તિઓ દ્વારા મેળવવામાં આવ્યો હતો, જેના પર તેમનો હક્ક બને છે.

સમગ્ર સંપત્તિ ગુનાની આવક

હાઈકોર્ટમાં કેસ પહોંચતા ત્રણ અલગ-અલગ દાવાઓ સામે આવ્યા. ભદ્રેશ ગોહિલે દાવો કર્યો કે સંપત્તિ તેમની નથી. CPSએ દલીલ કરી કે સમગ્ર સંપત્તિ ગુનાની આવક છે. જ્યારે વર્ષાએ દલીલ કરી કે સંપત્તિ તેમના ભૂતપૂર્વ પતિની છે અને તેનો એક નોંધપાત્ર ભાગ કાયદેસર રીતે મેળવવામાં આવ્યો છે.

આખરે હાઈકોર્ટના ન્યાયાધીશ વિલિયમ્સે વર્ષા ગોહિલના પક્ષમાં ચુકાદો આપ્યો. તેમણે ભદ્રેશ ગોહિલ અને CPS બંનેની કેટલીક મુખ્ય દલીલો ફગાવી દીધી.

કોર્ટે નક્કી કર્યું કે સંપત્તિનો એક ભાગ સંપૂર્ણપણે કાયદેસર હતો અને તે દંપતીની સંયુક્ત વૈવાહિક મિલકતનો ભાગ ગણાય છે. ન્યાયાધીશે આ સંપત્તિનું મૂલ્ય આશરે £6.66 મિલિયન આંક્યું અને આ સંપૂર્ણ રકમ વર્ષા ગોહિલને આપવાનો આદેશ કર્યો.

ચુકાદા દરમિયાન ન્યાયાધીશે ભદ્રેશ ગોહિલના વર્તન અંગે કડક ટિપ્પણી કરતાં તેમને “સંપૂર્ણ અપ્રમાણિક” ગણાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમની અપ્રામાણિકતાને કારણે જ આ કેસ વર્ષો સુધી ખેંચાયો અને અનેક કાનૂની જટિલતાઓ ઊભી થઈ.

વધુ અપીલ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર

ન્યાયાધીશે વધુમાં કહ્યું કે આ કેસ એટલો લાંબો અને જટિલ રહ્યો છે કે ‘ગોહિલ’ નામ લાંબા સમય સુધી વિવિધ દેશોના વકીલો અને ન્યાયાધીશો વચ્ચે યાદ રહેશે. ગયા મહિને યુકે કોર્ટ ઓફ અપીલે વધુ અપીલ કરવાની મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. તેના કારણે હાઈકોર્ટનો ચુકાદો અંતિમ બની ગયો અને વર્ષા ગોહિલની 23 વર્ષ લાંબી કાનૂની લડાઈનો અંત આવ્યો.

છૂટાછેડાથી શરૂ થયેલો આ કેસ મની લોન્ડરિંગ, ફોજદારી તપાસ, સંપત્તિ જપ્તી અને અનેક અદાલતી કાર્યવાહીમાંથી પસાર થયો હતો. આખરે વર્ષા ગોહિલને £6.6 મિલિયન (આશરે ₹85 કરોડ)નું સમાધાન મળ્યું, જે તાજેતરના સમયમાં બ્રિટનના સૌથી મોટા અને ચર્ચિત છૂટાછેડા સમાધાનોમાંનું એક માનવામાં આવે છે.

લંડનની ‘યુનાઇટ ધ કિંગડમ’ રેલીમાં મહિલાઓએ સ્ટેજ પરથી બુરખા ઉતારી કર્યો વિરોધ, Video વાયરલ

Breaking News : જામનગરના વોટર પાર્કમાં દુર્ઘટના, 7 વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત, જુઓ Video

જામનગરમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. શહેરના એક ખાનગી વોટર પાર્કમાં ડૂબી જવાથી 7 વર્ષના બાળકનું મોત થયું હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, બાળક પરિવાર સાથે વોટર પાર્કમાં ફરવા અને મનોરંજન માટે ગયું હતું. દરમિયાન કોઈ કારણસર બાળક પાણીમાં ડૂબી ગયું હતું. ઘટનાની જાણ થતાં જ સ્થળ પર હાજર લોકો અને પાર્કના સ્ટાફે બાળકને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેને બચાવી શકાયું નહોતું.

બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું હતું, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યું હતું. ત્યારબાદ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.

આ અચાનક બનેલી ઘટનાથી પરિવારજનો પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. બાળકના મોતના સમાચાર મળતા જ પરિવાર અને સગા-સંબંધીઓમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં પોલીસ પણ હરકતમાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. હાલ બાળક કેવી રીતે ડૂબ્યું અને ઘટનામાં કોઈ બેદરકારી હતી કે નહીં તે દિશામાં તપાસ ચાલી રહી છે.

જામનગરમાં મહિલાનો શિવ સાક્ષાત્કારના ખોટા દાવાનો વિજ્ઞાન જાથાએ કર્યો પર્દાફાશ, જુઓ Video

Big Cricket League: Universal Bossનું કમબેક રહ્યું ફિક્કું, યુપી બ્રિજ સ્ટાર્સે ક્રિસ ગેલની ટીમને હરાવી

Big Cricket League Season 2: ગ્રેટર નોઈડાના BCL એરેના ખાતે ક્રિકેટ ચાહકોને એક અનોખા રોમાંચનો અનુભવ થયો જ્યારે વિશ્વના સૌથી વિસ્ફોટક બેટ્સમેનોમાંના એક જેને ‘યુનિવર્સલ બોસ’ તરીકે ઓળખવામાં આવે છે, તે ક્રિસ ગેલે સ્પર્ધાત્મક ક્રિકેટમાં શાનદાર વાપસી કરી. ગેલે બિગ ક્રિકેટ લીગ (BCL) સિઝન 2 ની ચોથી મેચમાં નોર્ધન ચેલેન્જર્સનું નેતૃત્વ કર્યું હતું. જોકે, તેનું પુનરાગમન નિષ્ફળ રહ્યું, કારણ કે યુપી બ્રિજ સ્ટાર્સે શાનદાર પ્રદર્શન કરીને નોર્ધન ચેલેન્જર્સને 24 રને હરાવ્યું હતું.

ગેલે ટોસ જીતી બોલિંગ પસંદ કરી

નોર્ધન ચેલેન્જર્સના કેપ્ટન ક્રિસ ગેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા યુપી બ્રિજ સ્ટાર્સે 20 ઓવરમાં 7 વિકેટે 166 રન બનાવ્યા હતા. યુપી તરફથી ચિરાગ ગાંધીએ ટીમને આ સ્કોર સુધી પહોંચવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

યુનિવર્સલ બોસની ટીમ હારી

167 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, ક્રિસ ગેલની નોર્ધન ચેલેન્જર્સ ટીમ શરૂઆતથી જ દબાણમાં જોવા મળી હતી. યુપી બ્રિજ સ્ટાર્સની ચુસ્ત બોલિંગે ચેલેન્જર્સના બેટ્સમેનોને શોટ રમવાથી રોક્યા હતા. આખી ટીમ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને માત્ર 142 રન જ બનાવી શકી, જેના કારણે મેચ 24 રનથી હારી ગઈ. યુપી બ્રિજ સ્ટાર્સના જતિન માવીએ પોતાની શાર્પ લાઇન અને લેન્થથી નોર્ધન ચેલેન્જર્સના મિડલ ઓર્ડરને ધ્વસ્ત કર્યું અને ટીમનો વિજય સુનિશ્ચિત કર્યો. ક્રિસ ગેલની ટીમ ભલે મેચ હારી ગઈ હોય, પરંતુ “યુનિવર્સલ બોસ” ની હાજરીએ ટુર્નામેન્ટમાં એક નવો ઉત્સાહ ફેલાવ્યો છે.

આ ખેલાડીઓએ જીત્યા એવોર્ડ

મેન ઓફ ધ મેચ: ચિરાગ ગાંધી (યુપી બ્રિજ સ્ટાર્સ)
શ્રેષ્ઠ બેટ્સમેન: ચિરાગ ગાંધી (યુપી બ્રિજ સ્ટાર્સ)
શ્રેષ્ઠ બોલર: જતીન માવી (યુપી બ્રિજ સ્ટાર્સ)

ઉભરતા ખેલાડીઓ પર પૈસાનો વરસાદ

બિગ ક્રિકેટ લીગના ખાસ ‘પ્રો-એમ’ (Pro-Am) ફોર્મેટ હેઠળ, જ્યાં યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય દિગ્ગજો સાથે રમવાની તક મળે છે, તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે રોકડ ઈનામ આપવામાં આવ્યા હતા.

સિલ્વર બઝર વિજેતા (₹50,000 ઇનામ)

ભંવર (નોર્ધન ચેલેન્જર્સ – એમેચ્યોર બોલર): તેણે શાનદાર બોલિંગ કરી અને માત્ર 2 રન આપીને 3 વિકેટ લીધી.

બ્રોન્ઝ બઝર વિજેતા (₹25,000 ઈનામ)

  • મુજીબ (નોર્ધન ચેલેન્જર્સ – એમેચ્યોર બોલર)
  • ભંવર (નોર્ધન ચેલેન્જર્સ – એમેચ્યોર બોલર)
  • જતીન માવી (યુપી બ્રિજ સ્ટાર્સ – બોલર)
  • જતીન સૈની (યુપી બ્રિજ સ્ટાર્સ – ઓલરાઉન્ડર)
  • સૌરિન ઠાકુર (યુપી બ્રિજ સ્ટાર્સ – ઓલરાઉન્ડર)

Breaking News: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, અંતિમ ક્ષણોમાં હારેલી મેચ જીતી PAK ને એશિયા કપમાંથી બહાર ફેંક્યું

Mumbai-Ahmedabad Bullet Train: 250 KMPH ની તૂફાની ઝડપે દોડશે ટ્રેન, મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પર આવી મોટી ખુશખબર

ભારતમાં રેલવે ક્ષેત્રે આધુનિકીકરણ તરફ સતત પગલાં ભરવામાં આવી રહ્યા છે. મુસાફરોનો સમય બચાવવા અને પરિવહનને વધુ ઝડપી બનાવવા માટે વંદે ભારત જેવી સેમી-હાઈ સ્પીડ ટ્રેનો બાદ હવે દેશના પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર પણ ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ વચ્ચે મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટને વધુ એક મહત્વપૂર્ણ સફળતા મળી છે.

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં આવેલી MT-07 પર્વતીય ટનલનું ખોદકામ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ (NHSRCL)ના જણાવ્યા અનુસાર, દહાણુ તાલુકાના અંબેસરી ગામ નજીક આવેલી આ ટનલમાં 1 જૂનના રોજ સફળ બ્રેકથ્રુ પ્રાપ્ત થયો હતો. ખાસ વાત એ છે કે છેલ્લા પાંચ મહિનામાં પાલઘર જિલ્લામાં પૂર્ણ થયેલી આ ત્રીજી પર્વતીય ટનલ છે.

MT-07 ટનલ લગભગ 417 મીટર લાંબી અને 14.4 મીટર પહોળી છે. આ ટનલને બુલેટ ટ્રેન કોરિડોરની બંને રેલ લાઇનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવી છે. પ્રોજેક્ટ અધિકારીઓના જણાવ્યા મુજબ, આ વિસ્તાર ભૌગોલિક રીતે પડકારજનક હોવાથી અહીં ટનલનું નિર્માણ કરવું સરળ નહોતું. તેમ છતાં આધુનિક ટેક્નોલોજી અને આયોજનબદ્ધ કામગીરીના કારણે નિર્ધારિત સમયમર્યાદામાં કામ પૂર્ણ કરવામાં સફળતા મળી છે.

ટનલના નિર્માણ દરમિયાન નિયંત્રિત ડ્રિલિંગ અને બ્લાસ્ટિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઇજનેરોએ બંને છેડાથી એકસાથે ખોદકામ શરૂ કરીને કામગીરીને વધુ ઝડપી બનાવી હતી. સલામતી અને માળખાકીય મજબૂતી જળવાઈ રહે તે માટે અદ્યતન મોનિટરિંગ સિસ્ટમ અને ભૂ-તકનીકી સાધનોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

રિયલ-ટાઇમ મોનિટરિંગ ટેક્નોલોજીનો ઉપયોગ

પ્રોજેક્ટ દરમિયાન સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી હતી. જમીનની હિલચાલ, કંપન અને ટનલની સ્થિતિ પર સતત નજર રાખવા માટે Surface Settlement Points (SSP), 3D Targets, Strain Gauges અને Seismograph જેવા આધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કામદારોની સુરક્ષા માટે આધુનિક વેન્ટિલેશન સિસ્ટમ, ફાયર સેફ્ટી વ્યવસ્થા અને નિયંત્રિત પ્રવેશ પ્રણાલીઓ પણ અમલમાં મૂકવામાં આવી હતી.

NHSRCLના જણાવ્યા અનુસાર MT-07 ટનલ પૂર્ણ થતાં વાપી (ગુજરાત) અને બોઈસર (મહારાષ્ટ્ર) વચ્ચે આવેલી ત્રણેય પર્વતીય ટનલ — MT-06, MT-07 અને MT-08 — નું ખોદકામ હવે સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગયું છે. આ વિસ્તાર મહત્વના ઔદ્યોગિક પટ્ટામાં આવતો હોવાથી આ સિદ્ધિ પ્રોજેક્ટ માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

કુલ 8 પર્વતીય ટનલ બનાવાશે

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ કુલ 8 પર્વતીય ટનલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. તેમાંની 7 ટનલ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં જ્યારે 1 ટનલ ગુજરાતના વલસાડ જિલ્લામાં બનાવવામાં આવી રહી છે. આ પહેલાં જાન્યુઆરી 2026માં MT-05 ટનલ અને ફેબ્રુઆરી 2026માં સફાલે નજીક આવેલી બીજી ટનલનું કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.

508 કિલોમીટર લાંબો મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર ભારતનો પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ગુજરાત, મહારાષ્ટ્ર અને દાદરા-નગર હવેલીમાંથી પસાર થશે. જાપાન સરકારની ટેક્નિકલ અને નાણાકીય સહાયથી વિકસાવવામાં આવી રહેલા આ પ્રોજેક્ટમાં બુલેટ ટ્રેનની મહત્તમ ગતિ 320 કિલોમીટર પ્રતિ કલાક રહેશે.

મુંબઈથી અમદાવાદ માત્ર 1 કલાક 58 મિનિટમાં

પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટીને માત્ર 1 કલાક 58 મિનિટ જેટલો રહી જશે. હાલ જ્યાં આ મુસાફરી માટે અનેક કલાકોનો સમય લાગે છે, ત્યાં બુલેટ ટ્રેન દ્વારા મુસાફરો ઝડપથી અને આરામદાયક રીતે ગંતવ્ય સુધી પહોંચી શકશે.

આ હાઈ સ્પીડ રેલ કોરિડોર સાબરમતી, અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, બિલીમોરા, વાપી, બોઈસર, વિરાર, થાણે અને મુંબઈ જેવા મહત્વપૂર્ણ શહેરોને જોડશે. નિષ્ણાતોના મતે આ પ્રોજેક્ટ પશ્ચિમ ભારતના ઔદ્યોગિક, વ્યાપારી અને આર્થિક વિકાસને નવી દિશા આપશે તેમજ પ્રાદેશિક કનેક્ટિવિટીને પણ વધુ મજબૂત બનાવશે.

દક્ષિણ ગુજરાતને મળશે રૂપિયા 12,421 કરોડના વિકાસ કામોની ભેટ, જુઓ Photos

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ખેલાડી અને ગુજરાતનું ગૌરવ કરસન ઘાવરી વસ્તી-ગણતરી 2027 જન જાગૃતિ અભિયાનમાં જોડાયા

ગુજરાતના ગૌરવ અને ભારતીય ક્રિકેટના પૂર્વ આંતરરાષ્ટ્રીય ખેલાડી કરસન ઘાવરીને વસ્તી ગણતરી 2027ના જનજાગૃતિ અભિયાન માટે મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે. વસ્તી ગણતરી કામગીરી નિયામકશ્રીની કચેરી (DCO), ગુજરાત દ્વારા તેમને બંને તબક્કાની વસ્તીગણતરી માટે જાહેર અપીલ અને જનજાગૃતિ અભિયાનનું નેતૃત્વ કરવા સત્તાવાર આમંત્રણ આપવામાં આવ્યું છે.

વસ્તીગણતરીને સફળ બનાવવા જનજાગૃતિ અભિયાન

ગાંધીનગર ખાતે વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રા અને પૂર્વ ક્રિકેટર કરસન ઘાવરી વચ્ચે શુભેચ્છા મુલાકાત યોજાઈ હતી. આ મુલાકાત દરમિયાન આગામી વસ્તીગણતરી 2027ને સફળ બનાવવા માટે જનજાગૃતિ અભિયાનની રૂપરેખા અને નાગરિકોની ભાગીદારી વધારવાના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

પૂર્વ ક્રિકેટર ગૌરવ કરસન ઘાવરી અભિયાનમાં જોડાયા

વસ્તી ગણતરી નિયામક સુજલ જે. મયાત્રાએ જણાવ્યું હતું કે કરસન ઘાવરીનું વ્યક્તિત્વ, તેમની રમતગમત ક્ષેત્રની સિદ્ધિઓ અને સમગ્ર ગુજરાતમાં તેમની લોકપ્રિયતા વસ્તીગણતરી જેવા રાષ્ટ્રીય કાર્યમાં જનસહભાગિતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. તેમની ઉપસ્થિતિ નાગરિકોમાં વહીવટીતંત્ર પ્રત્યે વિશ્વાસ મજબૂત કરવામાં પણ મદદરૂપ બનશે.

 

ગુજરાતનું ગૌરવ છે કરસન ઘાવરી

રાજકોટ સાથે ગાઢ જોડાણ ધરાવતા કરસન ઘાવરી ગુજરાતના જાણીતા રમતવીરોમાંના એક છે. એક શિસ્તબદ્ધ અને સમર્પિત ખેલાડી તરીકે તેમણે વર્ષો સુધી દેશનું ગૌરવ વધાર્યું છે. તેમની સાદગી અને લોકપ્રિયતા તેમને સમાજના વિવિધ વર્ગો સાથે સરળતાથી જોડાવા સક્ષમ બનાવે છે.

કરસન ઘાવરીની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દી

કરસન દેવજીભાઈ ઘાવરીનો જન્મ 28 ફેબ્રુઆરી, 1951ના રોજ રાજકોટમાં થયો હતો. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર અને ઉપયોગી બેટ્સમેન તરીકે તેમણે 1974થી 1981 દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું. તેમના આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 39 ટેસ્ટ અને 19 વન-ડે મેચોનો સમાવેશ થાય છે.

જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ યોગદાન

ઉલ્લેખનીય છે કે કરસન ઘાવરીએ 1975 અને 1979ના પ્રથમ બે ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. હવે તેઓ વસ્તીગણતરી 2027 જેવા મહત્વપૂર્ણ રાષ્ટ્રીય અભિયાન સાથે જોડાતા રાજ્યભરમાં નાગરિકોમાં જાગૃતિ ફેલાવવા અને જનભાગીદારી વધારવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News: T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાને શું-શું આપ્યું? તેની કેપ્ટનશીપ બચાવી શકાઈ હોત જો…

રાજકોટ: પ્રિ-મોન્સુન કામગીરીને લઈને મેયર કડક, તમામ કોર્પોરેટરોને ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરવા આદેશ

રાજકોટ: આગામી ચોમાસાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી તેજ કરી દેવામાં આવી છે. આ અંતર્ગત રાજકોટના મેયર દ્વારા તમામ વોર્ડના કોર્પોરેટરોને એક ખાસ આદેશ આપવામાં આવ્યો છે. મેયરના આદેશ અનુસાર, આજે એક જ સમયે તમામ વોર્ડમાં પ્રિ-મોન્સુન કામગીરીની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવશે.

દરેક કોર્પોરેટરે પોતાના વિસ્તારમાં આવેલા વોંકળા (નાળા) અને મેઇન હોલની સફાઈનું જાતે નિરીક્ષણ કરવાનું રહેશે. રાજકોટમાં પ્રથમ વખત આ પ્રકારનું એક્શન પ્લાનિંગ કરવામાં આવ્યું છે, જેના કારણે મેયરના આદેશ બાદ હવે તમામ કોર્પોરેટરો પોતપોતાના વોર્ડમાં ગ્રાઉન્ડ લેવલની કામગીરીમાં સીધા જોડાશે. આ આયોજનનો મુખ્ય હેતુ ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવવાની સમસ્યાને અટકાવવાનો છે.

શું તમારા PF ખાતામાં પણ વ્યાજની એન્ટ્રી નથી દેખાઈ? જાણો ક્યારે આવશે અટકેલા પૈસા

Breaking News : બ્રિટનમાં 20 હજાર તો અમેરિકામાં 140 લોકો, LinkedIn મારફતે આ દેશોમાં જાસૂસો ઓપરેટ કરી રહ્યું છે ચીન!

ચીન તેના ગુપ્તચર નેટવર્કને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવા માટે નવી અને આધુનિક પદ્ધતિઓ અપનાવી રહ્યું હોવાનું અહેવાલોમાં સામે આવ્યું છે. ફાઇવ આઇઝ (Five Eyes) ગુપ્તચર ગઠબંધનના તાજેતરના અહેવાલ મુજબ, ચીની ગુપ્તચર એજન્સીઓ LinkedIn સહિત વિવિધ રોજગાર વેબસાઇટ્સનો ઉપયોગ કરીને સંભવિત જાસૂસોની ભરતી કરવાનો પ્રયાસ કરી રહી છે.

અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચીને માત્ર બ્રિટનમાં જ LinkedIn મારફતે 20,000થી વધુ લોકોનો સંપર્ક કર્યો છે. એટલું જ નહીં, બ્રિટન બાદ હવે ચીનની નજર અમેરિકા, કેનેડા અને અન્ય યુરોપિયન દેશો પર પણ હોવાનું કહેવાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને યુરોપિયન દેશોને તેમની સુરક્ષા અને દેખરેખ વ્યવસ્થાઓ વધુ મજબૂત બનાવવાની સલાહ આપવામાં આવી છે.

અમેરિકામાં પણ વધી રહી છે ચિંતા

મીડિયા અહેવાલો અનુસાર, છેલ્લા પાંચ વર્ષમાં અમેરિકામાં ચીન માટે જાસૂસી કરવાના આરોપસર 140થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તાજેતરમાં અમેરિકાના ન્યાય વિભાગે કેલિફોર્નિયાના એક મેયરની પણ ધરપકડ કરી હતી, જેમના પર ચીન માટે જાસૂસી કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ઘટનાઓ બાદ અમેરિકામાં ચીની ગુપ્તચર પ્રવૃત્તિઓને લઈને ચિંતા વધી રહી છે અને સુરક્ષા એજન્સીઓ વધુ સતર્ક બની છે.

ચીન જાસૂસી નેટવર્કને શા માટે વિસ્તારી રહ્યું છે?

મીડિયા અહેવાલ અનુસાર પૂર્વ અમેરિકન રાજદ્વારી જીમ લુઈસે જણાવ્યું હતું કે જ્યારે શી જિનપિંગ 2012માં ચીનના રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેમણે દેશના ગુપ્તચર તંત્રને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો.

લુઈસના જણાવ્યા અનુસાર, શી જિનપિંગ માનતા હતા કે જાસૂસી અને માહિતી એકત્ર કરવાની ક્ષમતા દ્વારા અમેરિકા અને યુરોપ જેવા પશ્ચિમી દેશો સામે વ્યૂહાત્મક લાભ મેળવી શકાય છે. તેમણે દાવો કર્યો કે ચીને ત્યારથી પોતાના ગુપ્તચર નેટવર્કના વિસ્તરણ પર વિશેષ ધ્યાન આપ્યું છે. લુઈસના અંદાજ મુજબ, હાલમાં ચીનની વિવિધ ગુપ્તચર એજન્સીઓમાં લગભગ 6 લાખ લોકો કાર્યરત છે, જે વિશ્વના સૌથી મોટા ગુપ્તચર નેટવર્કમાંથી એક ગણાય છે.

ટ્રમ્પની ચીન મુલાકાત દરમિયાન લેવામાં આવી હતી ખાસ તકેદારી

અહેવાલો મુજબ, જ્યારે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીનની મુલાકાતે ગયા હતા, ત્યારે અમેરિકન અધિકારીઓને વ્યક્તિગત મોબાઇલ ફોન અને લેપટોપ સાથે ન લઈ જવાની સલાહ આપવામાં આવી હતી. આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ સંભવિત જાસૂસી અને ડેટા ચોરીનું જોખમ હતું.

એટલું જ નહીં, ચીન પ્રવાસ દરમિયાન પ્રતિનિધિમંડળને મળેલી કેટલીક ભેટો પણ અમેરિકા પરત લાવવામાં આવી નહોતી. આ ઘટના ચીનની ગુપ્તચર ક્ષમતાઓ અંગે અમેરિકન તંત્રની સાવચેતી દર્શાવે છે.

LinkedIn મારફતે ભરતી કેવી રીતે કરવામાં આવે છે?

ફાઇવ આઇઝના અહેવાલ અનુસાર, ચીની ગુપ્તચર એજન્સીઓ સૌપ્રથમ LinkedIn અને અન્ય રોજગાર પ્લેટફોર્મ્સ પર આકર્ષક નોકરીની જાહેરાતો મૂકે છે. આ જાહેરાતો દ્વારા વિવિધ ક્ષેત્રોના અનુભવી અને પ્રભાવશાળી લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવે છે.

જ્યારે કોઈ વ્યક્તિ અરજી કરે છે, ત્યારે તેની પૃષ્ઠભૂમિ અને વ્યવસાયિક વિગતોની વિગતવાર તપાસ કરવામાં આવે છે. ખાસ કરીને સરકાર, સંરક્ષણ ક્ષેત્ર અથવા સૈન્ય સાથે જોડાણ ધરાવતા લોકો પર વધુ ધ્યાન આપવામાં આવે છે. પસંદગીના ઉમેદવારોને ત્યારબાદ ઇન્ટરવ્યુ માટે આમંત્રિત કરવામાં આવે છે. આ પ્રક્રિયા દરમિયાન તેમની સાથે લાંબા ગાળાનો સંપર્ક સ્થાપિત કરવામાં આવે છે અને કેટલીક પરિસ્થિતિઓમાં તેમને ગુપ્ત માહિતી મેળવવા અથવા વહેંચવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

અહેવાલ મુજબ, માત્ર બ્રિટનમાં જ આ રીત દ્વારા લગભગ 20,000 લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે અમેરિકા અને યુરોપમાં વાસ્તવમાં કેટલા લોકોની ભરતી કરવામાં આવી છે તે અંગે કોઈ સત્તાવાર આંકડો જાહેર કરવામાં આવ્યો નથી.

વધતું વૈશ્વિક ગુપ્તચર જોખમ

ફાઇવ આઇઝ દેશોના અહેવાલે એક મહત્વપૂર્ણ ચેતવણી આપી છે કે ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયા અને પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ્સ હવે માત્ર રોજગાર માટે જ નહીં, પરંતુ ગુપ્તચર પ્રવૃત્તિઓ માટે પણ ઉપયોગમાં લેવાઈ રહ્યા છે.

આ કારણે વિશ્વભરના દેશો માટે જરૂરી બની ગયું છે કે તેઓ પોતાની સાયબર સુરક્ષા, ગુપ્તચર વિરોધી નીતિઓ અને સંવેદનશીલ માહિતીની સુરક્ષા માટે વધુ કડક પગલાં ભરે.

પાકિસ્તાન આઉટ, અમેરિકાને પણ મોટો ઝટકો.. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં 5 મોટા ફેરફાર

Breaking News: T20 કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાને શું-શું આપ્યું? તેની કેપ્ટનશીપ બચાવી શકાઈ હોત જો…

ભારતીય T20 ક્રિકેટ હાલમાં મોટા પરિવર્તનમાંથી પસાર થઈ રહ્યું છે. 2024 માં રોહિત શર્માએ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ, સૂર્યકુમાર યાદવને ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. કેપ્ટન તરીકે સૂર્યાનો રેકોર્ડ જોરદાર રહ્યો છે, પરંતુ ક્રિકેટની અનિશ્ચિતતાઓ વચ્ચે, માત્ર તેની કેપ્ટનશીપ જ નહીં પરંતુ ટીમમાં તેમનું સ્થાન પણ હવે જોખમમાં મુકાઈ ગયું છે. એવું માનવામાં આવે છે કે BCCI હવે નવા T20 કેપ્ટનની શોધ કરી રહ્યું છે.

સૂર્યાએ કેપ્ટન તરીકે ટીમ ઈન્ડિયાને શું આપ્યું?

પ્રશ્ન એ છે કે પસંદગીકારો સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકે જાળવી રાખશે કે ભવિષ્ય પર નજર રાખીને કોઈ યુવા ખેલાડીને જવાબદારી સોંપશે? આંકડાકીય રીતે કહીએ તો, સૂર્યકુમાર યાદવે ભારતીય ટીમને વિજય તરફ દોરી છે. રોહિતની ગેરહાજરીમાં કેપ્ટનશીપ શરૂ કરનાર સૂર્યાના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા એક પણ દ્વિપક્ષીય શ્રેણી હારી નથી.

સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન

  • કુલ મેચો: 52 મેચોમાં કેપ્ટનશીપ કરી, જેમાંથી તેણે રેકોર્ડ 42 મેચોમાં ભારતને જીત અપાવી.
  • દ્વિપક્ષીય શ્રેણી: તેની કેપ્ટનશીપ હેઠળ, ભારતે કુલ 9 દ્વિપક્ષીય શ્રેણી રમી અને તે બધી જીતી.
  • એશિયા કપ 2026: ટીમ ઈન્ડિયાએ એક પણ મેચ હાર્યા વિના એશિયા કપ ટ્રોફી જીતી.
  • T20 વર્લ્ડ કપ 2026: સૂર્યાની કેપ્ટનશીપ હેઠળ, ભારત વિશ્વની પ્રથમ ટીમ બની જેણે T20 વર્લ્ડ કપ ટાઇટલનો સફળતાપૂર્વક બચાવ કર્યો. ભારતીય ટીમ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ફક્ત એક જ મેચ હારી.

સતત ઘટતું ફોર્મ બન્યું વિલન

આટલા શાનદાર કેપ્ટનશિપ રેકોર્ડ છતાં સૂર્યાનું સ્થાન કેમ જોખમમાં છે? તેનો સરળ અને એકમાત્ર જવાબ તેનું પોતાનું નબળું ફોર્મ છે. તે કેપ્ટન તરીકે સફળ રહ્યો હતો, પરંતુ બેટ્સમેન તરીકે તે આ વર્ષે સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયો છે. જો તે તેની કેપ્ટનશિપની સાથે બેટથી પણ કમાલ કરી રહ્યો હોત, તો કદાચ આજે કોઈ તેના સ્થાન પર પ્રશ્ન ઉઠાવવાની હિંમત ન કરત.

વર્ષ 2026 ના નિરાશાજનક આંકડા

2026 નો વર્લ્ડ કપ જીતવા છતાં સૂર્યાનું બેટ શાંત રહ્યું. તેણે નવ ઇનિંગ્સમાં ફક્ત 242 રન બનાવ્યા, અને તેનો સ્ટ્રાઇક રેટ ઘટીને 136.72 થઈ ગયો. આખી ટુર્નામેન્ટમાં તેની એકમાત્ર મોટી ઇનિંગ મુંબઈમાં યુનાઇટેડ સ્ટેટ્સ સામે હતી, જ્યાં તેણે અણનમ 84 રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. દરમિયાન, IPL 2026માં મુંબઈ ઇન્ડિયન્સ તરફથી રમતા સૂર્યાએ 13 ઇનિંગ્સમાં 20.76 ની સરેરાશ અને 147.54 ની સ્ટ્રાઇકિંગ સાથે ફક્ત 270 રન બનાવ્યા.

વધતી ઉંમર અને ઘટતું ફોર્મ

વધુમાં, સૂર્યકુમાર યાદવ આ વર્ષે સપ્ટેમ્બરમાં 36 વર્ષનો થશે. તેની વધતી ઉંમર અને ઘટતા જતા ફોર્મને કારણે પસંદગીકારોને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો મોકો મળ્યો છે. જોકે, સૂર્યા હજુ હાર્યો નથી. તેનું લક્ષ્ય લોસ એન્જલસ 2028 ઓલિમ્પિક્સ (LA28) માં રમવાનું છે, જેમાં ક્રિકેટનો સમાવેશ થયો છે. જોકે, હવે આ તક અશક્ય લાગે છે.

Breaking News: ટીમ ઈન્ડિયાના ખેલાડીએ માત્ર 32 વર્ષની ઉંમરે લીધી નિવૃત્તિ, WTC ફાઈનલનો હતો ભાગ

Breaking News: IPL 2026 બાદ IIM માં વૈભવ સૂર્યવંશીની એન્ટ્રી, IIM ઈન્દોર તેની સફળતા પર કરશે રિસર્ચ

સરકારી નોકરીના નામે ₹ 68 લાખની ઠગાઈ ! FCI ડિરેક્ટર બની યુવકોને ફસાવનાર ઝડપાયો

પંચમહાલ જિલ્લાના હાલોલના કંજરી ગામના ભરત પરમાર નામના શખ્સે સરકારી નોકરી વાંચ્છુકોને નિશાન બનાવી મોટી ઠગાઈ આચરી છે. આરોપીએ પોતે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) નો ગુજરાત ડાયરેક્ટર હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે રેલવે, IOC અને ONGC જેવી સરકારી સંસ્થાઓમાં નોકરી અપાવવાની લાલચ આપી પંચમહાલ, દાહોદ અને વડોદરાના 7 યુવાનો પાસેથી કુલ 68 લાખ રૂપિયા પડાવી લીધા હતા.

છેતરપિંડીનો ભોગ બનેલા યુવાનોની ફરિયાદના આધારે પોલીસે સપાટો બોલાવી આરોપી ભરત પરમારની ધરપકડ કરી લીધી છે. પોલીસે ગોધરાની એક દુકાનમાંથી ગુનામાં વપરાયેલું CPU અને નકલી નિમણૂક પત્રો (એપોઇન્ટમેન્ટ લેટર) પણ જપ્ત કર્યા છે.

પશ્ચિમ બંગાળમાં મોટો રાજકીય ભૂકંપ, TMC ના 50 ધારાસભ્યો અને 12 સાંસદો બળવાના મૂડમાં

Breaking News: IPL 2026 બાદ 15 વર્ષીય વૈભવ સૂર્યવંશીની બ્રાન્ડ વેલ્યુમાં જબરદસ્ત ઉછાળો, પ્રતિ ડીલ વસૂલે છે કરોડો રૂપિયા

ટ્રેનના ડબ્બાને ‘બૉગી’ કહેવાની ભૂલ તમે પણ કરો છો ? જાણો કોચ અને બૉગી વચ્ચેનો અસલી તફાવત!

Breaking News: ડોનાલ્ડ ટ્રમ્પનું ‘મોટું નિવેદન’… 7 સપ્ટેમ્બર સુધીમાં ખતમ થઈ શકે છે ‘હોર્મુઝની નાકાબંધી’

ઈરાન સાથે કરાર અને હોર્મુઝની નાકાબંધી હટાવવાને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપ્યું છે. ટ્રમ્પે જણાવ્યું છે કે, કરારમાં બે કારણોસર વિલંબ થઈ રહ્યો છે.

કયા છે 2 મુખ્ય કારણ?

પહેલું કારણ, ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચેનો વિવાદ છે. બીજું કારણ કરારમાં મુજ્તબા ખામેનેઈનો સમાવેશ હોવો તે છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, મુજ્તબા સુધી મોડેથી સંદેશ પહોંચાડવામાં આવે છે, જેના કારણે કરાર સુધી પહોંચવામાં સમય લાગી રહ્યો છે.

આ પહેલા ઈરાનની મહેર ન્યૂઝ એજન્સીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, અમેરિકાએ પરમાણુ કરારને લઈને જે નવો પ્રસ્તાવ મોકલ્યો છે, તેની સમીક્ષા કરવામાં આવી રહી છે. ન્યૂયોર્ક પોસ્ટ સાથે વાત કરતા રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, મને કોઈ ઉતાવળ નથી. મને લાગે છે કે, 7 સપ્ટેમ્બર સુધીમાં હોર્મુઝની નાકાબંધી ખતમ થઈ શકે છે. આનાથી મને થોડું નુકસાન પણ થશે પરંતુ હું તેની ચિંતા કરતો નથી.

ઈરાન પાસે પરમાણુ હથિયાર નહીં હોય: ટ્રમ્પ

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, જ્યારે યુદ્ધની શરૂઆત થઈ, ત્યારે ક્રૂડ ઓઈલની કિંમત 400 ડોલર પ્રતિ બેરલ થવાની વાતો કહેવામાં આવી રહી હતી. અત્યારે ક્રૂડ ઓઈલ 98 ડોલર પ્રતિ બેરલ પર વેચાઈ રહ્યું છે. શેરબજારને પણ બહુ મોટું નુકસાન થયું નથી પરંતુ ઈરાનના પરમાણુ હથિયારો ખતમ કરવા માટે આ જરૂરી છે.

ટ્રમ્પે આગળ કહ્યું કે, જો ઈરાન પાસે પરમાણુ હથિયાર આવી જશે, તો ઈઝરાયેલનું અસ્તિત્વ જોખમમાં આવી જશે. હવે યુદ્ધ પછી એ નક્કી થઈ ગયું છે કે, ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં હોય.

ઈરાન પર કબજો કરવા માટે સેના મોકલવાની જરૂર નથી

ટ્રમ્પે આગળ કહ્યું કે, એર સ્ટ્રાઈક (હવાઈ હુમલા) દ્વારા ઈરાનની સૈન્ય વ્યવસ્થાને ઘણું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. ઈરાનની સ્થિતિ સારી નથી. હવે ત્યાં સૈનિકો મોકલવાની કોઈ જરૂર નથી. વાયુસેના દ્વારા જ ઈરાનની મિલિટરીને નુકસાન પહોંચાડી દેવાયું છે. આગળની વાતચીત પણ યોગ્ય દિશામાં ચાલી રહી છે.

તેમણે કહ્યું કે, ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈ ખૂબ જ સમજદાર છે અને તેઓ પોતે વાતચીતમાં જોડાયેલ છે. આવનારા સમયમાં હું મુજ્તબા ખામેનેઈને મળવા ઈચ્છીશ. આ પહેલા મંગળવારે (2 જૂને) અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયોએ અમેરિકન કોંગ્રેસને મુજ્તબા ખામેનેઈ અંગે અપડેટ આપ્યું હતું. રુબિયોના જણાવ્યા અનુસાર, મુજ્તબા સંપૂર્ણપણે ફિટ છે અને વાતચીતનું નેતૃત્વ કરી રહ્યા છે.

કેનેડા જવાનું થયું સરળ, વિઝા પ્રોસેસિંગના નવા સમય જાહેર, સુપર વિઝામાં 43 દિવસ બચશે જ્યારે વિઝિટર વિઝા માટે…

Breaking News: IPL 2026 ચેમ્પિયન બન્યા બાદ વૃંદાવન પહોંચેલા વિરાટ કોહલીને પ્રેમાનંદ મહારાજ તરફથી ભેટમાં શું મળ્યું ?

મેદાન પર સંપૂર્ણ આક્રમકતા અને મેદાનની બહાર આધ્યાત્મિકતા. આ સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું એક પાસું છે જે છેલ્લા કેટલાક વર્ષોથી પ્રદર્શિત થઈ રહ્યું છે. સફળતા, નિષ્ફળતા અને સામાન્ય પરિસ્થિતિઓમાં પણ, વિરાટ વારંવાર વિવિધ મંદિરોમાં ગયો છે અને ગુરુઓ પાસેથી આશીર્વાદ મેળવ્યા છે. તો, સતત બીજી વખત IPL ચેમ્પિયન બન્યા પછી કહાની કેવી રીતે બદલાઈ શકે? RCB ને IPL 2026 ચેમ્પિયન બનાવ્યા પછી, કોહલીએ વૃંદાવનમાં પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધી, જ્યાં તેને ભેટ તરીકે શ્રીમદ ભગવદ ગીતા પ્રાપ્ત થઈ.

કોહલીએ છગ્ગો ફટકારી RCBને બનાવ્યું ચેમ્પિયન

રવિવાર, 31 મેના રોજ, અમદાવાદમાં, રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળ, બેંગલુરુએ IPL 2026 ની ફાઈનલમાં ગુજરાત ટાઈટન્સને 5 વિકેટે હરાવ્યું. સતત 17 સિઝનમાં નિષ્ફળતા બાદ, આ બેંગલુરુનો સતત બીજો ટાઈટલ વિજય હતો. આ જીતમાં વિરાટ કોહલીએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે ફાઇનલમાં રનચેઝ કરતા 75 રનની અણનમ ઈનિંગ રમી હતી અને છગ્ગો ફટકારી મેચ જીતાડી. તેણે સિઝનમાં RCB માટે સૌથી વધુ રન પણ બનાવ્યા હતા.

 

વિરાટ-અનુષ્કા ખુલ્લા પગે દર્શન માટે પહોંચ્યા

આ સફળતા પછી કોહલી અને RCBના ખેલાડીઓએ એક દિવસ જોરશોરથી ઉજવણી કરી, પરંતુ પછી 2 જૂને, વિરાટ અને તેની પત્ની અનુષ્કા શર્મા સીધા વૃંદાવન ગયા, જ્યાં પ્રેમાનંદ મહારાજનો આશ્રમ આવેલો છે. વિરાટ સિઝનની મધ્યમાં ત્યાં ગયો હતો, અને અગાઉ પણ ઘણી વખત વૃંદાવનની મુલાકાત લીધી હતી. વિરાટ અને અનુષ્કા કારમાંથી ઉતરીને ખુલ્લા પગે આશ્રમ ગયા, જ્યાં તેઓ પ્રેમાનંદ મહારાજને મળ્યા અને તેમની સાથે વાતચીત કરી. ત્યારબાદ તેમને શ્રીમદ્ ભગવદ્ ગીતા ભેટમાં આપવામાં આવી, જે વિરાટ લઈને પાછો ફર્યો.

વિરાટ ક્યારે પાછો મેદાનમાં જોવા મળશે?

IPL જીત્યા પછી અને પ્રેમાનંદ મહારાજની મુલાકાત લીધા બાદ, વિરાટ કોહલી હવે થોડા દિવસ માટે વિરામ પર રહેશે. તેનું આગામી લક્ષ્ય અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી છે, જેના માટે તે ટીમ ઈન્ડિયાનો ભાગ છે. શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ ભારતીય ટીમ 13 જૂનથી અફઘાનિસ્તાન સામેની ODI શ્રેણી માટે મેદાનમાં ઉતરશે, જેનાથી 2027 ODI વર્લ્ડ કપની તૈયારીઓની શરૂઆત થશે.

Breaking News: વૈભવ સૂર્યવંશી જલ્દી કરશે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ? BCCI એ ચીફ સિલેક્ટર અગરકરને આપ્યો નિર્દેશ

ડોનાલ્ડ ટ્રમ્પનો ભારતીય પર મોટો ઉપકાર! કૃષિ અને ઔદ્યોગિક સાધનો પર ટેરિફ ઘટાડીને 15 ટકા કરી

Breaking News: વૈભવ સૂર્યવંશી જલ્દી કરશે ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ? BCCI એ ચીફ સિલેક્ટર અગરકરને આપ્યો નિર્દેશ

IPL 2026 માં પોતાના વિસ્ફોટક પ્રદર્શનથી વૈભવ સૂર્યવંશીએ જે રીતે ટોપના બેટ્સમેનોમાં સ્થાન મેળવ્યું છે તે પ્રશંસનીય છે. પરિણામે, ભારતીય ટીમ પસંદગીકારોને હવે BCCI તરફથી ચોક્કસ સૂચનાઓ મળી છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ અજિત અગરકર અને તેમની ટીમ, જે ભારતીય ટીમ પસંદ કરે છે, તેમને વૈભવ સૂર્યવંશી માટે જે કંઈ જરૂરી છે તે કરવા સૂચના આપી છે.

વૈભવ આયર્લેન્ડ-ઈંગ્લેન્ડ પ્રવાસમાં કરશે ડેબ્યૂ?

દેવજીત સૈકિયાનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતનો આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડનો પ્રવાસ શરૂ થવાનો છે. જૂન-જુલાઈમાં યોજાનાર આ પ્રવાસો માટેની ટીમની જાહેરાત થવાની ધારણા છે. વૈભવ સૂર્યવંશીના સમાવેશ અંગે પહેલાથી જ અટકળો ચાલી રહી હતી, પરંતુ સૈકિયાના નિવેદનથી તેની પસંદગીના ચાન્સ વધી ગયા છે.

વૈભવ વિશે BCCI સચિવે શું કહ્યું?

દેવજીત સૈકિયાએ જણાવ્યું હતું કે આપણે બધા વૈભવના પ્રદર્શનથી ખુશ છીએ. તે ભારતીય ક્રિકેટનો વન્ડર બોય છે. મને વિશ્વાસ છે કે તે ભવિષ્યમાં દુનિયામાં ધમાલ મચાવશે. સૈકિયાએ ઉમેર્યું હતું કે આઈપીએલ 2026 દરમિયાન ટીમ ઈન્ડિયાના બધા પસંદગીકારો હાજર હતા. તેમણે મેચો નજીકથી જોઈ. વૈભવ જે રીતે પ્રદર્શન કરશે તે જોતાં, મને આશા છે કે જ્યારે તેઓ આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડ માટે ટીમો પસંદ કરવા બેસશે, ત્યારે તેઓ વૈભવ માટે જે શ્રેષ્ઠ હશે તે કરશે.

 

પસંદગીકારોને સ્પષ્ટ નિર્દેશ

કેપ્ટન અને ભારતીય પસંદગીકારો ઉપરાંત, BCCI સચિવ દેવજીત સૈકિયા પણ ટીમ ઈન્ડિયાની પસંદગી બેઠકોમાં હાજર રહે છે. તેથી, તેમના નિવેદનને ભારતીય પસંદગીકારોને નિર્દેશ તરીકે જોવામાં આવી રહ્યું છે. BCCI પ્રમુખ મિથુન મિન્હાસ અને ઉપપ્રમુખ રાજીવ શુક્લાએ પણ વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી છે.

વૈભવ ટીમ ઈન્ડિયામાં રમવા માટે તૈયાર

ક્રિકેટ જગતના દિગ્ગજો પણ વૈભવ સૂર્યવંશીની રમતના વખાણ કરી રહ્યા છે. તેઓ કહે છે કે વૈભવ પાસે સાબિત કરવા માટે કંઈ બાકી નથી અને તે ટીમ ઈન્ડિયા માટે રમવા માટે તૈયાર છે. આ ક્રિકેટરોમાં સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર, અજય જાડેજા, વીરેન્દ્ર સેહવાગ, ઈરફાન પઠાણ અને હરભજન સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થાય છે.

સચિન તેંડુલકરે વૈભવના વખાણ કર્યા

સચિન તેંડુલકરે વૈભવ સૂર્યવંશીની પ્રશંસા કરી ત્યારે અજિત અગરકર પણ હાજર હતો, સચિને વૈભવની હિટિંગ એબિલીટી, કાંડાની સ્પીડ અને બોલ સમજવાની કુશળતાની પ્રશંસા કરી હતી. એવી આશા છે કે, વૈભવ સૂર્યવંશી વિશેની સચિનની તાજેતરની ટિપ્પણીઓ ભારતીય પસંદગીકારોને તેને તક આપવાનું વિચારવા માટે મજબૂર કરશે.

Breaking News: IPL 2026 પછી સૂર્યકુમાર યાદવ મુંબઈ T20 લીગમાં પણ નિષ્ફળ ગયો, ટીમને પણ મળી કારમી હાર

નોંધ: અહીં પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ મુજબ આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

સવારે ખાલી પેટે આ 4 વસ્તુઓ ખાવાથી વજન વધવાની સાથે બ્લડ શુગર પણ વધી શકે છે

ઓલા-ઉબેર જેવા મોટા પ્લેયર્સની ‘બોલતી બંધ’ ! 10,000 ઇલેક્ટ્રિક કાર સાથે ભારતમાં એન્ટ્રી કરવા જઈ રહી છે આ ‘વિદેશી કંપની’

વિયેતનામની દિગ્ગજ કંપની વિનગ્રુપ (VinGroup) પોતાની ઇલેક્ટ્રિક ટેક્સી સર્વિસ ‘Green SM’ ને ભારતમાં લોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂકી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ, કંપની 5 જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે દિલ્હીના ભારત મંડપમ ખાતે એક ખાસ કાર્યક્રમમાં આની સત્તાવાર જાહેરાત કરશે.

ઓલા, ઉબેર અને રેપિડો જેવા મોટા પ્લેયર્સ માટે આ એન્ટ્રી એક મોટો પડકાર સાબિત થઈ શકે છે. છેલ્લા કેટલાક અઠવાડિયાથી દિલ્હી-એનસીઆર (Delhi-NCR) ના રોડ પર લીલા રંગની ગાડીઓ દોડતી જોવા મળી રહી છે. આનાથી સ્પષ્ટ થાય છે કે, કંપની લોન્ચિંગ પહેલા પોતાના નેટવર્કનું ટેસ્ટિંગ કરી રહી છે.

કેવું હશે બિઝનેસ મોડલ?

Green SM ની કામ કરવાની પદ્ધતિ હાલની ટેક્સી કંપનીઓ કરતાં તદ્દન અલગ છે. ઓલા-ઉબેર જેવા પ્લેટફોર્મ જ્યાં ખાનગી ગાડીના માલિકો અને ડ્રાઇવરોને પોતાની સાથે જોડે છે, ત્યાં વિનગ્રુપ પોતાની ગાડીઓની માલિક પોતે જ હશે.

કંપની ડ્રાઇવરોને સીધા પગાર (સેલરી) પર રાખશે અને ગાડીના સર્વિસિંગ, ચાર્જિંગથી લઈને મેન્ટેનન્સ સુધીની સંપૂર્ણ જવાબદારી પોતે જ ઉઠાવશે. આ મોડલથી કંપનીને પોતાની સર્વિસની ક્વોલિટી પર પૂરો કંટ્રોલ રાખવામાં મદદ મળશે.

ફ્લીટમાં હશે ‘10,000 ઇલેક્ટ્રિક કાર’

પોતાની સર્વિસ માટે કંપની VinFast ની ઇલેક્ટ્રિક MPV નો ઉપયોગ કરશે. આ એ જ ગાડી છે, જે તાજેતરમાં જ ભારતમાં લોન્ચ થઈ છે અને તેમાં 60.13 kWh ની બેટરી આપવામાં આવી છે. દિલ્હી-એનસીઆરથી શરૂઆત કર્યા બાદ, કંપની ઉત્તર ભારતના અન્ય શહેરોમાં પોતાનું નેટવર્ક ફેલાવશે.

પ્રથમ ફેઝમાં કંપની પોતાની ફ્લીટ (કાફલા) માં 10,000 ઇલેક્ટ્રિક કાર જોડશે. કંપની અહીં જ નહીં અટકે, ભવિષ્યમાં આશરે 1 લાખ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર્સને પણ આ સર્વિસ સાથે જોડવાની યોજના છે. વિનગ્રુપ માત્ર ટેક્સી સેવા પૂરતી જ મર્યાદિત રહેવા નથી માંગતી. કંપની ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટર અને ઇલેક્ટ્રિક બસના માર્કેટમાં પણ ઉતરવાની તૈયારી કરી રહી છે.

ઇવી ઇકોસિસ્ટમમાં ‘મોટો બદલાવ’

તમિલનાડુમાં પોતાના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને વધારવાની સાથે જ કંપની તેલંગાણા અને મહારાષ્ટ્રમાં ઇવી (EV) ચાર્જિંગ નેટવર્ક, ટુરિઝમ અને રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રોમાં મોટા રોકાણનું પ્લાનિંગ કરી રહી છે. આનાથી ભારતના ઇવી ઇકોસિસ્ટમમાં એક મોટો બદલાવ આવવાની અપેક્ષા છે.

AC ચલાવવાથી કારનું માઈલેજ ઘટે છે ? જાણો લિટર પેટ્રોલ પર પડે છે અસર

Breaking News: પંજાબ કિંગ્સે જીત્યો IPL 2026 ફેર પ્લે એવોર્ડ, આ ટીમનું વર્તન સૌથી ખરાબ રહ્યું, જાણો સંપૂર્ણ રેન્કિંગ

સ્કીન કરશે ગ્લો અને વજન પણ રહેશે કંટ્રોલમાં ! બસ રોજ સવારે ખાલી પેટે ખાવાનું શરૂ કરી દો આ 1 નાનું ફળ

કેટરીના કૈફની જગ્યા કોઈ ન લઈ શકે! ‘વેલકમ ટુ ધ જંગલ’ નું નવું ગીત રિલીઝ થતા જ ફેન્સે જૂનું ગીત યાદ કર્યું

બોલિવૂડ અભિનેત્રી કેટરીના કૈફ છેલ્લા કેટલાક સમયથી મોટા પડદાથી દૂર છે પરંતુ તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. આ દરમિયાન, આગામી ફિલ્મ વેલકમ ટુ ધ જંગલ નું ગીત ‘ઊંચા લંબા કદ’ રીલીઝ થઈ ગયું છે અને તેણે ફરી એકવાર દર્શકોને જૂની યાદોમાં ખોવાઈ જવાની તક આપી છે.

ખાસ વાત એ છે કે, ગીતના અંતની એ ક્ષણ કે, જ્યાં અક્ષય કુમાર ખૂબ જ પ્રેમથી કેટરીનાને યાદ કરે છે; તે આ સમયે સોશિયલ મીડિયા પર ચર્ચાનો એક ટ્રેન્ડિંગ વિષય બની ગયો છે.

સોમવારે રીલીઝ થયેલું ગીત ‘Ooncha Lamba Kad’, વર્ષ 2007ની ફિલ્મ Welcome ના પ્રખ્યાત ગીત ‘Ooncha Lamba Kad’ નું એક રીમિક્સ વર્ઝન છે. આ ઓરિજિનલ ગીતમાં અક્ષય કુમાર અને કેટરીના કૈફની જોડી જોવા મળી હતી. ‘ઊંચા લંબા કદ’ ગીતમાં કેટરીનાના ડાન્સ મૂવ્સ આજે પણ ફેન્સ વચ્ચે ખૂબ જ પસંદ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

નવા વર્ઝનમાં, એક્ટ્રેસ ‘દિશા પટણી’ અક્ષય કુમાર સાથે જોવા મળી રહી છે. દુબઈમાં શૂટ કરાયેલા આ ગીતમાં બંનેએ એક જબરદસ્ત ડાન્સ પર્ફોર્મન્સ આપ્યું છે. જો કે, ગીતના અંતમાં અક્ષય કુમારે એવું કહીને ફેન્સનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું કે, “કેટરીના, અમે તને મિસ કરીએ છીએ.”

ફેન્સને કેટરીનાની યાદ આવી

જેવું આ ગીત રીલીઝ થયું, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફેન્સ તરફથી જાતજાતના રિએક્શન આવવા લાગ્યા. ઘણા લોકોએ આ નવા ગીતના વખાણ કર્યા, તો સાથે જ તેમણે એવું પણ કહ્યું કે, કેટરીનાની ખોટ સ્પષ્ટપણે અનુભવાઈ. ગીત પર રિએક્શન આપતા એક ફેને કોમેન્ટ કરી, “મને દિશાથી કોઈ સમસ્યા નથી પરંતુ કેટરીનાની જગ્યા કોઈ લઈ શકે નહીં.”

એક અન્ય યુઝરે લખ્યું કે, ગીતનું ઓરિજિનલ વર્ઝન જ સૌથી બેસ્ટ છે. વળી, એક બીજા યુઝરે ટીકા કરતા સવાલ ઉઠાવ્યો કે, શું બોલિવૂડ પાસે હવે નવા આઈડિયા ખતમ થઈ ગયા છે?

‘વેલકમ ટુ ધ જંગલ’ એ ‘વેલકમ’ ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ છે. આનું ટાઈટલ ટ્રેક, જે પહેલા જ રીલીઝ થઈ ચૂક્યું છે, તેને દર્શકો તરફથી ઘણો સારો રિસ્પોન્સ મળ્યો છે. આ સિવાય, ‘ઘીસ ઘીસ ઘીસ’ અને ‘ઊંચા લંબા કદ’ ગીત પણ ફેન્સ તરફથી ખૂબ જ પ્રશંસા મેળવી રહ્યા છે. આ ફિલ્મ એક્શન, કોમેડી અને સસ્પેન્સનું જબરદસ્ત મિશ્રણ રજૂ કરવાનો વાયદો કરે છે.

Breaking News: જય શાહે આ દેશના ક્રિકેટ બોર્ડ પર કરી કડક કાર્યવાહી, ICC એ અચાનક લગાવ્યો પ્રતિબંધ

ચૂકતા નહીં આ મોકો! ટાટાની કંપની રોકાણકારોને કરવા જઈ રહી છે ‘માલામાલ’, શેર ખરીદવા ઊમટી પડ્યા લોકો

22 ફોન રિકવર, સુરત BRTS બસમાંથી મોબાઇલ ચોરતી ટોળકી ઝડપાઈ, જુઓ Video

સુરત: શહેરમાં વધતી જતી મોબાઈલ ચોરીની ઘટનાઓ, ખાસ કરીને જાહેર પરિવહન સેવાઓ અને ભીડવાળી જગ્યાઓએ મુસાફરો માટે માથાનો દુખાવો બની રહી છે. રેલવે સ્ટેશન હોય કે બસ સ્ટેશન, આવી ભીડભાડ વાળી જગ્યાઓએ તમારો કિંમતી મોબાઈલ ફોન ક્યારે ગાયબ થઈ જાય તેની ખબર પણ પડતી નથી.

આવા જ એક કિસ્સામાં સુરત શહેરમાં BRTS (બસ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ) બસોમાં મુસાફરી કરતા લોકોને નિશાન બનાવતી એક શાતિર મોબાઇલ ચોર ટોળકીનો સુરત પોલીસે સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે. પોલીસે ફિલ્મી ઢબે ઓપરેશન પાર પાડીને પાંચ રીઢા ગુનેગારોને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

છેલ્લા કેટલાક સમયથી સુરત શહેરની BRTS બસોમાં મોબાઇલ ચોરીની ફરિયાદોમાં સતત વધારો જોવા મળી રહ્યો હતો, જેના કારણે પોલીસ તંત્ર એક્શનમાં આવ્યું હતું. પોલીસે આ ગુનાખોરી પર લગામ કસવા અને આરોપીઓને ઝડપી પાડવા માટે એક ખાસ યોજના ઘડી હતી. ગુનેગારોને કોઈ શંકા ન જાય તે માટે, પોલીસકર્મીઓએ સાદા ડ્રેસમાં પોતે જ BRTS બસમાં મુસાફરી શરૂ કરી હતી. આ ગુપ્ત ઓપરેશનનો હેતુ ચોરોને રંગે હાથ પકડવાનો હતો.

આ ઓપરેશન દરમિયાન, ઉતરાણ બ્રિજ પાસે પોલીસે પૂર્વયોજિત રીતે વોચ ગોઠવી હતી. પોલીસની સતર્કતા અને ચાંપતી નજરને કારણે, મોબાઇલ ચોરી કરવાના ઇરાદે BRTS રૂટ પર સક્રિય રહેલા પાંચ આરોપીઓને રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસ પૂછપરછમાં સામે આવ્યું કે આ પાંચેય આરોપીઓ ખાસ કરીને BRTS રૂટ પર જ મોબાઇલ ચોરી કરવા માટે સક્રિય રહેતા હતા.

ઝડપાયેલા આરોપીઓ પાસેથી પોલીસે કુલ 22 ચોરાયેલા એન્ડ્રોઇડ ફોન રિકવર કરવામાં સફળતા મેળવી છે. આ ઉપરાંત, ચોરાયેલા મોબાઇલ ફોન સહિત કુલ ₹1,86,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ ટોળકીનો ભોગ બનેલા અનેક મુસાફરોને આ પોલીસ કાર્યવાહીથી રાહત મળી છે.

આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ઝડપાયેલા પાંચ આરોપીઓમાંથી એક વ્યક્તિ રીઢો ગુનેગાર છે, જેના પર અગાઉ પણ 15 જેટલા મોબાઇલ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે. આ શાતિર ચોર વિવિધ પોલીસ સ્ટેશનના વિસ્તારોમાંથી મોબાઇલની ચોરી કરતો હતો. તેની ધરપકડથી આવા ગુનાઓ પર અંકુશ મેળવવામાં મદદ મળશે. સુરત પોલીસે આ સફળતાથી જાહેર પરિવહનમાં મુસાફરી કરતા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધતા દર્શાવી છે. આ કાર્યવાહી આવા ગુનેગારો માટે એક કડક સંદેશ છે કે તેઓ કાયદાની પહોંચમાંથી બચી શકશે નહીં.

બાગેશ્વર ધામ વિવાદ: સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર

Breaking News: ઓનલાઇન દહીં મંગાવવું પડ્યું ભારે! ગ્રાહક પહોંચ્યો હોસ્પિટલ, FSSAI એ Blinkit પાસે માંગ્યો જવાબ

ફૂડ સેફ્ટી રેગ્યુલેટર FSSAI એ ક્વિક કોમર્સ કંપની બ્લિંકિટ (Blinkit) પાસે જવાબ માંગ્યો છે. આ પગલું એક ફરિયાદ મળ્યા બાદ ઉઠાવવામાં આવ્યું છે. એક ગ્રાહકે આરોપ લગાવ્યો છે કે, પ્લેટફોર્મ પરથી મંગાવેલું દહીં ખાધા પછી તેની તબિયત બગડી ગઈ હતી.

ફરિયાદ અનુસાર, ગ્રાહકને અસહ્ય પેટનો દુખાવો અને ઝાડાની સમસ્યા થઈ હતી, જેના કારણે તેને સારવાર લેવી પડી હતી. આ મામલામાં ફરિયાદ સાથે મેડિકલ પ્રિસ્ક્રિપ્શન (દવાની કાપલી) પણ સબમિટ કરવામાં આવી છે. હવે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ કંપની પાસે જવાબ અને એક્શન ટેકન રિપોર્ટ (કરેલી કાર્યવાહીનો અહેવાલ) માંગ્યો છે.

દહીં ખાધા પછી ગ્રાહકની તબિયત બગડી

આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે એક વ્યક્તિએ ફરિયાદ નોંધાવી કે, તેણે બ્લિંકિટ એપ પરથી દહીં ઓર્ડર કર્યું હતું. ફરિયાદ મુજબ, દહીં ખાધાના થોડા સમય પછી જ તેની તબિયત લથડી ગઈ હતી. તેને અસહ્ય પેટનો દુખાવો અને ઝાડાની તકલીફ થઈ હતી. હાલત બગડતાં તેને મેડિકલ સહાય લેવી પડી હતી. ગ્રાહકે આ અંગેની લેખિત ફરિયાદ FSSAIને મોકલી હતી.

FSSAI એ બ્લિંકિટ પાસે માંગ્યો જવાબ

પીટીઆઈ (PTI) ના અહેવાલ મુજબ, FSSAI એ 29 મેના રોજ બ્લિંક કોમર્સ પ્રાઇવેટ લિમિટેડ (Blink Commerce Pvt Ltd) ના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO) અને કામગીરી સાથે જોડાયેલા અધિકારીઓને પત્ર મોકલ્યો હતો. આમાં કંપની પાસે આ બાબતે જવાબ માંગવામાં આવ્યો છે. સાથે જ આ સમગ્ર મામલામાં શું કાર્યવાહી કરવામાં આવી તેનો રિપોર્ટ પણ માંગ્યો છે.

પહેલાં પણ મળી ચૂકી છે ‘ઘણી ફરિયાદો’

અહેવાલ અનુસાર, તાજેતરના સમયમાં FSSAI ને બ્લિંકિટ પ્લેટફોર્મને લઈને ઘણી ફરિયાદો મળી છે. આમાં ખરાબ અથવા બગડેલી હાલતમાં ખાદ્ય પદાર્થોની ડિલિવરી કરવાની વાત કહેવામાં આવી છે.

કેટલીક ફરિયાદો સોશિયલ મીડિયા દ્વારા સામે આવી છે, જ્યારે કેટલીક સીધી નોંધાવવામાં આવી હતી. આ પહેલાં પણ ખરાબ ક્વોલિટીના ઇંડાના વેચાણને લઈને કંપની પાસે જવાબ માંગવામાં આવ્યો હતો.

ફૂડ બિઝનેસ ઓપરેટર પર હોય છે ‘જવાબદારી’

ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ કોઈપણ ફૂડ બિઝનેસ ઓપરેટરની એ જવાબદારી હોય છે કે, તે ગ્રાહકો સુધી સુરક્ષિત ખાદ્ય પદાર્થો પહોંચાડે. કાયદા મુજબ ખાદ્ય પદાર્થોના મેન્યુફેક્ચરિંગ (ઉત્પાદન), સ્ટોરેજ (સંગ્રહ) અને ડિસ્ટ્રિબ્યુશન (વિતરણ) ની જવાબદારી કંપનીની હોય છે.

FSSAI આ જ નિયમ હેઠળ આ મામલાની તપાસ કરી રહ્યું છે. જો કોઈ પણ પ્રકારની બેદરકારી જણાશે તો આગળની કાર્યવાહી થઈ શકે છે.

Large Cap, Mid Cap કે Small Cap? લાંબાગાળે બમ્પર કમાણી કરવા માટે કયો ઓપ્શન છે ‘સૌથી બેસ્ટ’?

Breaking News: IPL ફાઈનલમાં પહેલીવાર શુભમન ગિલની આવી ખરાબ હાલત થઈ, નબળાઈ ફરી ખુલ્લી પડી

IPL 2026 ના ટાઈટલ મેચમાં ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર ગુજરાત ટાઈટન્સ (GT) ને શરૂઆતમાં જ મોટો ઝટકો લાગ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જ્યારે RCB ના કેપ્ટન રજત પાટીદારે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, ત્યારે તેને આંકડાકીય ભૂલ માનવામાં આવી. જોકે, ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જોશ હેઝલવુડે મેચની ત્રીજી ઓવરમાં ગુજરાતના કેપ્ટન અને સ્ટાર ઓપનર શુભમન ગિલને આઉટ કરીને ટીમને મજબૂત શરૂઆત અપાવી.

શુભમન ગિલની નબળાઈ ફરી ખુલ્લી પડી

આ મોટી મેચ શુભમન ગિલ માટે દુઃસ્વપ્ન સાબિત થઈ, જે બેટ્સમેન તરીકે ઓરેન્જ કેપની રેસમાં હતો. તે ન માત્ર સસ્તામાં આઉટ થયો, પરંતુ જોશ હેઝલવુડ સામે તેની જૂની નબળાઈ ફરી એકવાર ખુલ્લી પડી ગઈ. ગુજરાતની ઇનિંગની ત્રીજી ઓવર ફેંકનાર જોશ હેઝલવુડે તેની ચુસ્ત લાઇન અને લેન્થથી ગિલ પર દબાણ બનાવ્યું. ગિલે ઓવરના બીજા બોલ પર મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે તેના પર ઉલટું પડ્યું.

 

જોશ હેઝલવુડે ગિલની વિકેટ લીધી

હેઝલવુડે ઓફ-સ્ટમ્પની બહાર એક શોર્ટ પિચ બોલ ફેંકી. ગિલ ક્રીઝની બહાર આવ્યો અને બોલની લાઇન ક્રોસ કરીને મોટો શોટ રમવાનો પ્રયાસ કર્યો. પરંતુ બોલ બેટની ટોચ પર વાગ્યો અને ઉપર ગયો. મિડ-ઓફ પર ઉભેલા RCB કેપ્ટન રજત પાટીદારે જમણી બાજુ દોડીને શાનદાર કેચ પકડ્યો. ગિલ 8 બોલમાં માત્ર 10 રન બનાવીને આઉટ થયો.

 

પહેલીવાર IPL ફાઈનલમાં આટલી ખરાબ હાલત

શુભમન ગિલને મોટા ખેલાડીઓમાંનો એક ખેલાડી માનવામાં આવે છે. તે જેટલી પણ IPL ફાઈનલમાં રમ્યો છે, તેમાં તેણે સતત તેની ટીમ માટે મોટા સ્કોર કર્યા છે. આ પહેલીવાર છે જ્યારે ગિલ આટલા મોટા સ્ટેજ પર 20 રન સુધી પહોંચવામાં નિષ્ફળ ગયો છે. આ પહેલા તે 2021, 2022 અને 2023 ની ફાઈનલમાં રમ્યો હતો. 2021 માં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 51 રન બનાવ્યા, 2022 માં તેણે રાજસ્થાન રોયલ્સ સામે અણનમ 45 રન બનાવ્યા, અને 2023 માં તેણે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે 39 રન બનાવ્યા હતા.

હેઝલવુડ સામે શુભમન ફરી લાચાર દેખાયો

શુભમન ગિલનો T20 ક્રિકેટમાં જોશ હેઝલવુડ સામેનો સંઘર્ષ ફેમસ છે. આજની વિકેટ સાથે હેઝલવુડે ફરી એકવાર સાબિત કરી દીધું કે તે ગિલ માટે કેમ મોટો ખતરો છે. હેઝલવુડ સામે ગિલે T20 ક્રિકેટમાં 41 બોલમાં માત્ર 59 રન બનાવ્યા છે, જ્યારે ત્રણ વખત તેની વિકેટ ગુમાવી છે. આ દરમિયાન તેની સરેરાશ 19.67 છે અને તેનો સ્ટ્રાઇક રેટ 143.9 છે.

Breaking News: ઈન્ડિયા A ટીમમાં અચાનક ઋતુરાજ ગાયકવાડની એન્ટ્રી, રિયાન પરાગ બહાર

સુરત બજરંગ દળના પ્રમુખે વિજ્ઞાન જાથાને આપ્યો પડકાર, પાદરીઓ સામે કાર્યવાહી કરવા પર 1001 ડોલરના ઇનામની જાહેરાત

રાજકોટમાં 5 થી 7 જૂન દરમિયાન બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાવા જઈ રહી છે. આ આગમન પહેલા જ અંધશ્રદ્ધા સામે લડતા વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ તેમની દિવ્ય શક્તિઓ સામે સવાલ ઉઠાવી પડકાર ફેંક્યો હતો. આ મામલે હવે સુરત જિલ્લા બજરંગ દળના પ્રમુખ જય પટેલ (નાગરાજ) મેદાનમાં આવ્યા છે અને તેમણે વિજ્ઞાન જાથાને ખુલ્લો પડકાર ફેંક્યો છે. જય પટેલે જયંત પંડ્યાને ફોન પર આડે હાથ લીધા હતા.

બજરંગ દળના પ્રમુખે જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા પ્રાર્થના સભાઓમાં બીમાર લોકોને સાજા કરવાના ખોટા પ્રચારો કરીને મોટા પાયે ધર્માંતરણ કરાવવામાં આવે છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને કચ્છ બાજુ પણ કેન્સર મટાડવાના દાવા થાય છે. જો વિજ્ઞાન જાથામાં તાકાત હોય તો તેઓ ત્યાં રૂબરૂ જાય. જય પટેલે જાહેરાત કરી છે કે જો વિજ્ઞાન જાથા પાદરીઓ અને પાસ્ટરો સામે જઈને આવી ચેલેન્જ આપશે, તો તેમની તરફથી વિજ્ઞાન જાથાને 1001 ડોલરનું ઇનામ આપવામાં આવશે. તેમણે અન્ય ધર્મોમાં ચાલતી અંધશ્રદ્ધા પર નજર કરવા માટે ખુલ્લી ચેતવણી આપી છે.

શું નબળું ચોમાસું તમારા ખિસ્સા પર ભારે પડશે? વધતી મોંઘવારીમાં વધુ એક માર માટે રહેજો તૈયાર, આ બેંકના રિપોર્ટે બધાને ચોંકાવ્યા

ચૂકતા નહીં આ મોકો! ટાટાની કંપની રોકાણકારોને કરવા જઈ રહી છે ‘માલામાલ’, શેર ખરીદવા ઊમટી પડ્યા લોકો

Breaking News: RCB vs GT ફાઈનલ માત્ર સંયોગ નથી, 2022 થી IPLની સૌથી સફળ બે ટીમો છે બેંગલુરુ-ગુજરાત

આવી ગઈ તારીખ ! જુલાઈમાં ધમાકો કરવા તૈયાર છે આ ક્વિક ‘કોમર્સ કંપની’, આવી શકે છે ₹11,000 કરોડનો ‘IPO’

ખુરશી બચાવવા માટે ‘AAP’ પ્રમુખે પાર કરી તમામ હદો! કેન્દ્રીય નેતાને આપી IBના નામે ધમકી, આણંદ પોલીસે ભાંડો ફોડ્યો – જુઓ Video

આણંદમાં આમ આદમી પાર્ટી (AAP)ના આંતરિક વિખવાદનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં આણંદ સાયબર ક્રાઈમ પોલીસે વડોદરાના ‘આપ’ના બે દિગ્ગજ નેતાઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝા અને બીજા એક નેતા નીતિન ડોબરિયાનો સમાવેશ થાય છે.

મળતી માહિતી મુજબ, પક્ષમાં પોતાનું કદ નાનું થઈ જવાના ડરથી શહેર પ્રમુખ અશોક ઓઝાએ એક મોટો કારસો રચ્યો હતો. તેમણે દિલ્હીથી વડોદરા મુકાયેલા ‘આપ’ના કેન્દ્રીય નેતા દુર્ગેશ પાઠકને ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના અધિકારીના નામે ફેક કોલ કર્યા હતા. પક્ષના જ કેન્દ્રીય નેતાને આ રીતે આઈબીના નામે ધમકાવવા કે દબાણમાં લાવવાના આ આંતરિક વિખવાદના મામલે આણંદ સાયબર ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સોર્સના આધારે બંને આરોપીઓને ઝડપી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરી આ મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ આ મુદ્દાને લઈ પોલીસે તપાસ કરતા સમગ્ર ઘટના પાછળ AAPનો આંતરિક કલેહ હોવાનું સામે આવ્યું છે. થોડા સમય પહેલા દિલ્લીથી AAPના પૂર્વ ધારાસભ્ય દુર્ગેશ પાઠકને વડોદરા નિયુક્ત કરવામાં આવ્યા હતા, ત્યારે વડોદરા શહેર પ્રમુખ અશોક ઓઝાને પક્ષમાં કદ નાનું થવાનો ડર હતો. આથી અશોક ઓઝાએ નીતિન ડોબરિયા દ્વારા આ કોલ કરાવ્યા હોવાનો ખુલાસો થયો છે. પોલીસે બંને આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કાગળ પર વિકાસ પણ ગામમાં પાણીનું એક ટીપું નહીં, સરકારી અધિકારીઓની ઢીલી નીતિ સામે ગ્રામજનોનો ‘ઉગ્ર આક્રોશ’ – જુઓ Video

 

કાયદાના દુરુપયોગથી કંટાળી પતિ પહોંચ્યો કલેક્ટર કચેરી, પત્નીને ગણાવી લૂંટારી દુલ્હન, ન્યાય નહીં મળે તો…!

સુરતથી એક અત્યંત ચોંકાવનારો અને ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની પત્નીના કથિત ત્રાસ અને કાયદાના દુરુપયોગથી પરેશાન થઈને જિલ્લા કલેક્ટર પાસે ઇચ્છામૃત્યુની માંગ કરી છે. સુરત રહેવાસી કીરીટ પટેલે કલેક્ટરને આવેદનપત્ર આપીને ચેતવણી આપી છે કે જો તેમને આગામી ત્રણ દિવસમાં ન્યાય નહીં મળે, તો તેમની પાસે આત્મહત્યા કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચશે નહીં.

100 અને 181 નંબરનો ખોટો ઉપયોગ કરવાનો આરોપ

કીરીટ પટેલે પોતાની પત્ની મનીષા ચૌહાણ પર મહિલા સુરક્ષા માટે બનેલા કાયદાઓનો દુરુપયોગ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમનું કહેવું છે કે પત્ની પહેલા તેમની સાથે ઘરની અંદર મારપીટ કરે છે અને ત્યારબાદ પોલીસ હેલ્પલાઇન નંબર 100 અને મહિલા હેલ્પલાઇન 181 પર કોલ કરીને તેમની વિરુદ્ધ જ ઊલટા ખોટા કેસ નોંધાવી દે છે.

બંનેના આ ત્રીજા લગ્ન, પત્નીને ગણાવી ‘લૂંટારી દુલ્હન’

આ કેસનું ચોંકાવનારુ પાસું એ છે કે કીરીટ અને મનીષા બંનેના આ ત્રીજા લગ્ન છે. કીરીટ પટેલે પત્નીને ‘લૂંટારી દુલ્હન’ ની શ્રેણીમાં ગણાવતા કહ્યું કે, કેટલીક મહિલાઓ લગ્ન પછી ઘરનો સામાન લઈને ભાગી જાય છે, જ્યારે કેટલીક મહિલાઓ કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરીને પતિ અને તેના પરિવારને કોર્ટ-કચેરીના કેસોમાં ફસાવી દે છે, તેમની પત્ની આ બીજી શ્રેણીમાં આવે છે.

‘ન્યાય નહીં મળે તો જીવ આપી દઈશ’

કીરીટ પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે તેઓ પોલીસ કમિશનર કચેરી અને કલેક્ટર ઓફિસના અનેક ચક્કર લગાવી ચૂક્યા છે, પરંતુ તેમને ક્યાંયથી ન્યાય મળ્યો નથી. તેમનો આરોપ છે કે પુરુષોના અધિકારોની રક્ષા માટે દેશમાં કોઈ કડક કાયદો નથી, જેના કારણે સમાજ અને કાયદો હંમેશા મહિલાઓની વાતને જ સાચી માની લે છે. ઇચ્છામૃત્યુની આ માંગ બાદ સ્થાનિક વહીવટી તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે. મીડિયામાં કીરીટ પટેલે દુઃખ સાથે જણાવ્યું કે, “મૃત્યુ કોને ગમે છે? પરંતુ જ્યારે માણસ પાસે કોઈ રસ્તો નથી બચતો, ત્યારે જ તે મોત વિશે વિચારે છે.” કલેક્ટરે તેમને પોલીસ કમિશનર પાસે મોકલ્યા હતા, જ્યાં પણ માત્ર આશ્વાસન મળ્યું પણ કોઈ નક્કર કાર્યવાહી થઈ નથી.

પત્ની અને સાસરી પક્ષ પર લાખો રૂપિયા માંગવાના આક્ષેપો

તેમના લગ્ન 14 નવેમ્બર 2024 ના રોજ મનીષા ચૌહાણ સાથે થયા હતા. હાલ તેમની પત્ની, સાસુ તારાબેન અને સાળો દીપકભાઈ ત્રણેય મળીને તેમને સતત માનસિક રીતે પ્રતાડિત કરી રહ્યા છે. કીરીટ પટેલનો દાવો છે કે તેમનો ફોન વ્યસ્ત આવે તો પણ પત્ની તેમના પર શંકા કરીને પૂછપરછ કરતી હતી. એટલું જ નહીં, પત્નીએ કેસ ખતમ કરવાના બદલામાં તેમની પાસે પાછળથી લાખો રૂપિયાની માંગણી પણ કરી છે. તેમણે ઉમેર્યું કે મનીષા અગાઉના બે લગ્નોમાં પણ આ જ રીતે લાખો રૂપિયા લઈને વિવાદ કરી ચૂકી છે અને તેની વિડીયો રેકોર્ડિંગ પણ તેમની પાસે પુરાવા તરીકે મોજૂદ છે.

પુત્રને જાનથી મારી નાખવાનો પ્રયાસ

પીડિત પતિએ પત્ની પર અત્યંત સનસનાટીભર્યો આરોપ લગાવતા કહ્યું કે, એકવાર પત્ની મનીષાએ તેમની પહેલી પત્નીથી થયેલા પુત્રના મોઢા પર રોટલી ડૂચો આપીને અને ગળું દબાવીને તેને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જો તેઓ છેલ્લી ઘડીએ ત્યાં ન પહોંચ્યા હોત તો પુત્રનો જીવ પણ જઈ શકતો હતો. આ ઘટના બાદ તેઓ પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા ગયા હતા, પરંતુ પોલીસે FIR દાખલ કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.

પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો

કીરીટ પટેલના જણાવ્યા મુજબ, ડીસીપી અને અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓએ શરૂઆતમાં આ મામલે કલમ 307 (હાફ મર્ડર) હેઠળ ગુનો નોંધવાની વાત કહી હતી, પરંતુ આજદિન સુધી કોઈ એક્શન લેવાયા નથી. બીજી તરફ, પત્નીએ તેમની સામે કોર્ટમાં ભરણપોષણ અને ઘરેલું હિંસાનો કેસ પણ કરી દીધો છે. કીરીટભાઈ કહે છે કે તેમને આ કોર્ટ કેસોથી કોઈ વાંધો નથી, પરંતુ તેઓ પોતાના માસૂમ પુત્ર પર થયેલા જીવલેણ હુમલાના મામલામાં ન્યાયિક કાર્યવાહી ઈચ્છે છે.

તેમણે તંત્ર સામે રોષ ઠાલવતા આક્ષેપ કર્યો કે જ્યારે તેઓ ન્યાય માટે ગયા ત્યારે અધિકારીઓએ તેમને એવું પણ કહી દીધું કે, “તમે ભલે બે હજાર માણસો લઈને આવી જાઓ, અમને કોઈનાથી ડર નથી લાગતો.” પોલીસ અને પ્રશાસન સામાન્ય માણસની રજૂઆત ન સાંભળતું હોવાથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું તેમણે જણાવ્યું છે. હાલ આ સમગ્ર મામલો સુરત શહેરમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.

પાન કાર્ડ અપડેટ: બદલ્યા ઇન્કમ ટેક્સના નિયમો, ટેક્સપેયર્સ માટે શું છે ખાસ ? હવે કયાં પાન કાર્ડ આપવું અને કયા નહીં…

રોકાણકારોના જીવ અધ્ધરરર… સરકાર જૂન-જુલાઈમાં વેચી શકે છે LIC નો 2% હિસ્સો, બ્રોકરેજ હાઉસે આપ્યું મોટું નિવેદન

Breaking News: ભારતીય PMના નિવાસસ્થાને ડ્રોન ઉડાવ્યા… પાકિસ્તાની રાષ્ટ્રપતિએ શરમ વેચી ખાધી, ‘નકટો’ માણસ આટલું જૂઠું કઈ રીતે બોલી શકે?

પાકિસ્તાન કેટલું જૂઠું છે અને ભારતને લઈને કેવા જૂઠાણાં ફેલાવતું રહે છે, તેવો એક વીડિયો વાયરલ થયો છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ એવો દાવો કર્યો છે કે, ‘પાકિસ્તાને ભારતના આઠ વિમાનને તોડી પાડ્યા હતા અને ભારતીય વડાપ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાવ્યા હતા.’

પાકિસ્તાનનો આ દાવો પોતાના સૈન્ય અપમાનને છુપાવવાનો એક હાસ્યાસ્પદ પ્રયાસ છે, જે હવે દુનિયા સામે આવી ગયો છે. ટૂંકમાં, ‘ઓપરેશન સિંદૂર’ ને લઈને તેમની આ મનઘડંત વાર્તાઓ હવામાં કાલ્પનિક જીત મેળવવાનો એક હલકો પ્રયાસ માત્ર છે. આનાથી પાકિસ્તાનની ચાલ અને ચરિત્ર બંને ખુલ્લા પડી ગયા છે.

આખરે શું છે વાસ્તવિક હકીકત?

ઓપરેશન સિંદૂર દરમિયા, ભારતે પાકિસ્તાનના હવાઈ ક્ષેત્રને ધ્વસ્ત કરી દીધું હતું અને 9 આતંકી ઠેકાણાં તેમજ નૂર ખાન એરબેઝ (કુલ 11 સૈન્ય ઠેકાણાં) પર જોરદાર હુમલો કર્યો હતો. એવામાં જ્યારે ભારતે 36 કલાકમાં 80 ડ્રોન છોડ્યા, ત્યારે પાકિસ્તાનના પોતાના સૈન્ય સચિવ ખુદ ભૂગર્ભ બંકરમાં છુપાવવા માટે વિનંતી કરી રહ્યા હતા. પાકિસ્તાને કરેલા હુમલાનું જૂઠાણું ત્યારે જ સાબિત થઈ ગયું, જ્યારે આ કથિત હુમલામાં કાટમાળનો કોઈ જ પુરાવો મળ્યો નહોતો.

આમાં જ્યારે ન્યૂઝ એજન્સી CNN દ્વારા આ હુમલાના પુરાવા માંગવામાં આવ્યા, ત્યારે ખ્વાજા આસિફે શરમજનક રીતે કહ્યું કે, “તે ભારતીય સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે.” સરળ રીતે જોઈએ તો, આસિફ અલી ઝરદારી કાર્યક્રમમાં મોટી-મોટી ડિંગો હાંકી રહ્યા હતા, જ્યારે સત્ય એ છે કે હુમલા સમયે તેઓ ખુદ બંકરમાં ભરાઈને બેઠા હતા.

કેટલું જૂઠું છે પાકિસ્તાન?

અહેવાલો અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચે જ્યાં સુધી આ સંઘર્ષ ચાલ્યો, ત્યાં સુધી ઝરદારી ખુદ બંકરમાં છુપાયેલા રહ્યા હતા. હવે જ્યારે આ વાતને એક વર્ષ વીતી ચૂક્યું છે, ત્યારે રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ દાવો કર્યો છે કે, “પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન આઠ ભારતીય વિમાનને તોડી પાડ્યા હતા અને ભારતીય વડાપ્રધાનના નિવાસસ્થાન પર ડ્રોન ઉડાવ્યા હતા.” આસિફ અલી ઝરદારી આટલું મોટું જૂઠાણું સહેલાઈથી કેવી રીતે બોલી ગયા? શું તેઓ નશામાં હતા કે પછી ખરેખર તેમનું માનસિક સંતુલન હલી ગયું છે?

Breaking News : વાતચીત વચ્ચે અમેરિકાએ ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો, શું ફરી વધશે તણાવ?

Solar Panel for Home : તમારા ઘર માટે કેટલા kW સોલાર સિસ્ટમ જરૂરી છે ? 

Breaking News: રાજસ્થાને ટોસ જીતી બેટિંગ પસંદ કરી, ગુજરાત પહેલા કરશે બોલિંગ, જાણો બંને ટીમની પ્લેઈંગ 11

IPL 2026માં આજે સિઝનના ક્વોલિફાયર 2 મુકાબલામાં ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે મુકાબલો યોજાઈ રહ્યો છે. મેચ પહેલા બંને ટીમના કેપ્ટનો વચ્ચે ટોસ થયો હતો, જેમાં RRએ ટોસ જીતી બેટિંગ પસંદ કરી, એટલે કે GT આજની મેચમાં પહેલા બોલિંગ કરશે. GT અને RR બંને ટીમ ક્વોલિફાયર 2 જીતી સીધા ફાઈનલમાં પહોંચવા પ્રયાસ કરશે.

રિયાન પરાગે ટોસ જીતી બેટિંગ પસંદ કરી

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન રિયાન પરાગે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. રિયાન પરાગે કહ્યું કે અમે પહેલા બેટિંગ કરીશું. લગભગ એ જ વિકેટ છે, પણ મને લાગે છે કે બેકએન્ડ પર તે ધીમી પડી જાય છે, અને અમારી પાસે તેના માટે બોલરો છે. 40 ઓવર સુધી વધુ સારું ક્રિકેટ રમવાની જરૂર છે, શ્રેષ્ઠ ટીમ જીતશે. સપોર્ટ સ્ટાફ રિકવરી અને ઇજાઓ અંગે અવિશ્વસનીય રહ્યો છે. અમે ટીમમાં કોઈ ફેરફાર કર્યો નથી.

 

શુભમન ગિલે શું કહ્યું?

ટોસ હાર્યા બાદ ગુજરાત ટાઈટન્સના કેપ્ટન શુભમન ગિલે કહ્યું કે અમે પણ પહેલા બેટિંગ કરવાનું વિચારી રહ્યા હતા. આ વિકેટ પર ચાલીસ ઓવર ક્રિકેટ થઈ ચૂકી છે અને આજે પણ તેમ જ થશે એવી આશા છે. કરો યા મરો મેચ છે અમારી પાસે ગુમાવવા માટે કંઈ જ નથી. અમે એક ફેરફાર કર્યો છે, કુલવંત કેજરોલિયાની જગ્યાએ સાઈ કિશોર રમશે.

 

રાજસ્થાન રોયલ્સ પ્લેઈંગ ઈલેવન

યશસ્વી જયસ્વાલ, વૈભવ સૂર્યવંશી, ધ્રુવ જુરેલ (વિકેટકિપર), રિયાન પરાગ (કેપ્ટન), ડોનોવન ફરેરા, દાસુન શનાકા, રવિન્દ્ર જાડેજા, જોફ્રા આર્ચર, નાન્દ્રે બર્ગર, બ્રિજેશ શર્મા, યશ રાજ પુંજા.

ઈમ્પેક્ટ સબ્સ: શુભમ દુબે, સુશાંત મિશ્રા, અમન રાવ પેરાલા, રવિ બિશ્નોઈ, તુષાર દેશપાંડે.

 

ગુજરાત ટાઈટન્સ પ્લેઈંગ ઈલેવન

સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર (વિકેટકિપર), નિશાંત સિંધુ, વોશિંગ્ટન સુંદર, જેસન હોલ્ડર, રાશિદ ખાન, આર સાઈ કિશોર, કાગીસો રબાડા, પ્રસિદ્ધ કૃષ્ણા, મોહમ્મદ સિરાજ.

ઈમ્પેક્ટ સબ્સ: રાહુલ તેવટિયા, ગ્લેન ફિલિપ્સ, અનુજ રાવત, કુમાર કુશાગરા, અરશદ ખાન.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સમાં હાર્દિક પંડ્યાને હેરાન કરનારા ચાર લોકો કોણ હતા ? હવે MIની કમાન કોણ સંભાળશે ?

વર્ષ 2027 માં સોનું સસ્તું થશે કે વધારે મોંઘું ? માર્કેટના આ નવા આંકડાએ ઉડાવી દીધી બધાની ઊંઘ, જાણો અંદરની વાત…

Breaking News : શાળાઓ ખુલતાની સાથે જ સ્કૂલ વાહનોના ભાડા વધશે, વાલીઓનું બજેટ ખોરવાશે

રાજકોટ શહેરમાં નવી શૈક્ષણિક સત્રની શરૂઆત થાય તે પહેલાં જ વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. માર્કેટમાં દરેક ચીજવસ્તુઓના ભાવ વધવાની સાથે-સાથે પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં થયેલા સતત વધારાને પગલે રાજકોટ સ્કૂલ વાહન એસોસિએશન દ્વારા ભાડામાં 10 ટકાનો વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ નિર્ણય અંતર્ગત સ્કૂલ વાન અને રિક્ષા ચાલકોએ પ્રતિ વિદ્યાર્થી માસિક ભાડામાં ₹150નો વધારો ઝીંક્યો છે. આ ભાવ વધારા બાદ, અગાઉ જે ભાડું ₹1200 હતું, તે હવે વધીને ₹1350 થી ₹1400 સુધી પહોંચી ગયું છે. આગામી 8 જૂનથી શાળાઓ ખુલતાની સાથે જ આ નવો ભાવ વધારો સત્તાવાર રીતે લાગુ કરી દેવામાં આવશે, જેના કારણે મોંઘવારીના આ યુગમાં વાલીઓના માસિક બજેટ પર મોટો આર્થિક ફટકો પડશે.

વિકાસના કાર્યોમાં ‘લૂંટ’ ક્યાં સુધી ? ₹1 કરોડથી વધુના ચેકડેમ કામમાં ‘મોટો ખેલ’, ભ્રષ્ટાચારની પોલ ખોલવા ગાંધીનગરની ટીમ મેદાને – જુઓ Video

અમદાવાદમાં ધોળે દિવસે 5 રાઉન્ડ ફાયરિંગ, જુઓ Video

Breaking News: સચિન, ધોની, વિરાટ ? … 15 વર્ષની ઉંમરે IPLમાં ધમાલ મચાવનાર વૈભવ સૂર્યવંશી કોને માને છે પોતાનો આદર્શ?

 

Breaking News: 15 વર્ષની ઉંમરે IPLમાં ધમાલ મચાવનાર વૈભવ સૂર્યવંશી કોને માને છે પોતાનો આદર્શ?, વાંચવા માટે અહીં ક્લિક કરો

સ્માર્ટ ટીવીને ઓફ કર્ચા પછી પણ લાલ લાઈટ કેમ શરૂ રહે છે? મોટાભાગના લોકો કંપનીની આ ચાલાકી થી હોય છે અજાણ

Tv9 ગુજરાતી પર શહેર, નામ પાછળના ઈતિહાસની જાણકારી નિયમિત પ્રકાશિત કરવામાં આવે છે. તો તમારે પણ ઈતિહાસના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.

Breaking News: RCB ફરી બનશે IPL ચેમ્પિયન! ક્વોલિફાયર-1 ની જીત આપી રહી છે મોટા સંકેત

 

સોલાર પેનલ લગાવવા વાળા લોકો માટે 1 જૂનથી નવા નિયમો લાગુ

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Breaking News: ગુજરાતને હરાવી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ IPL 2026 ફાઈનલમાં પહોંચ્યું, 3 બોલમાં 2 ભૂલોને કારણે GT હારી ગયું

 

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

સેવિંગ્સ એકાઉન્ટને ભૂલી જાઓ ! આજના યુગ પ્રમાણે જાણો કયું સુરક્ષિત એકાઉન્ટ આપશે બમણું વળતર

Breaking News: IPL 2026 ક્વોલિફાયર-1 માં RCB vs GT મેચમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે જામશે જંગ!, વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News: 10 વર્ષની માસૂમનો રેપ અને મર્ડર થયું… તોય મહિલા IPS નિર્લજ્જની જેમ હસી રહી છે, ઓફિસરનો વીડિયો જોઈ લોકો થયા ‘લાલચોળ’

તમિલનાડુની એક વરિષ્ઠ મહિલા પોલીસ અધિકારી વિવાદોમાં ઘેરાઈ છે. વાત એમ છે કે, કોઈમ્બતુરમાં એક બાળકીના બળાત્કાર-હત્યા કેસ પર મીડિયાને સંબોધિત કરતા પહેલાં તેના હસવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. આ વીડિયોના કારણે લોકોમાં ભારે આક્રોશ અને ટીકાઓનું વાતાવરણ સર્જાયું છે.

પોલીસ મહાનિરીક્ષક (Inspector General of Police- વેસ્ટ ઝોન) આર.વી. રમ્યા ભારતી ત્યારે ટીકાના ઘેરામાં આવી, જ્યારે એક બાળકીના જાતીય સતામણી અને હત્યા અંગે પ્રેસ બ્રીફિંગ પહેલાં રેકોર્ડ કરાયેલ વીડિયો ઓનલાઈન વ્યાપકપણે ફરતો થયો.

વીડિયોમાં આ અધિકારી પત્રકારો સાથે સંવેદનશીલ કેસ વિશે વાત કરતા પહેલાં હસતા અને સહજતાથી વાતચીત કરતા જોવા મળી રહી છે. આ ફૂટેજ પર તીખી પ્રતિક્રિયાઓ આવી છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે તમિલનાડુને હચમચાવી દેનારા આ ગુનાની ગંભીરતાને જોતાં તેની કથિત અસંવેદનશીલતા પર સવાલો ઉઠાવ્યા છે.

એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું કે, “આખું રાજ્ય એક બાળકીની ઘાતકી હત્યા પર શોક મનાવી રહ્યું છે અને વરિષ્ઠ અધિકારી બ્રીફિંગ પહેલાં હસતા જોવા મળી.” આ પ્રતિક્રિયા ઓનલાઇન વ્યાપકપણે શેર થઈ રહેલી લોકોની સંવેદનાઓને દર્શાવે છે.

ટીવીકે (TVK) સરકાર સામે વિરોધ પ્રદર્શન

કોઈમ્બતુર નજીક સુલુરમાં 10 વર્ષની બાળકીના અપહરણ, જાતીય શોષણ અને હત્યાને લઈને રાજ્યવ્યાપી આક્રોશ વચ્ચે આ વિવાદ સામે આવ્યો છે. આ મામલાએ સત્તાધારી ટીવીકે (TVK) સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શનો અને રાજકીય હુમલાઓને જન્મ આપ્યો છે.

આ વિવાદ એ દિવસે સામે આવ્યો હતો, જ્યારે તમિલનાડુના ઉદ્યોગ મંત્રી એસ. કીર્થનાને પણ અલગ વીડિયો બાદ ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જેમાં તેઓ આ મામલે મીડિયા સાથે વાત કરતી વખતે હસતા જોવા મળ્યા હતા.

કીર્તના સાથે જોડાયેલો વિવાદ ત્યારે શરૂ થયો, જ્યારે એક સત્તાવાર બેઠક બાદ હત્યા વિશે પૂછવામાં આવતા તેમણે પત્રકારોને કહ્યું કે, તેઓ માત્ર “વહીવટી પ્રશ્નો”ના જ જવાબ આપશે.

ભાજપના નેતાઓએ મંત્રી પર “અસંવેદનશીલતા” દર્શાવવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, હત્યા સંબંધિત પ્રશ્નોના જવાબ આપતી વખતે તેમનું વર્તન અસ્વીકાર્ય લાગતું હતું.

મંત્રી અને સરકારની સ્પષ્ટતા

આલોચનાઓનો સામનો કરતા કીર્તનાએ પાછળથી સ્પષ્ટતા જાહેર કરતા કહ્યું કે, રાજકીય કારણોસર તેમની બોડી લેંગ્વેજ (શારીરિક હાવભાવ)ને “ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે અને જાણીજોઈને તોડી-મરોડીને પેશ કરવામાં આવી રહી છે”. તેમણે ઉમેર્યું કે, વાતચીતના અંતે આવેલું હાસ્ય સ્વાભાવિક હતું અને તેનો આ ગુના કે પત્રકારોના સવાલો સાથે કોઈ સંબંધ નહોતો.

આ વિવાદોએ સરકાર અને વરિષ્ઠ અધિકારીઓ પર તપાસનું દબાણ વધારી દીધું છે, એ પણ એવા સમયે જ્યારે આ હત્યા કેસને લઈને જનતાનો ગુસ્સો હજુ પણ ચરમસીમાએ છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે તાત્કાલિક પગલાં લેવા અને ઝડપી તપાસની ખાતરી આપી છે, જ્યારે પોલીસે આ ગુનાના સંબંધમાં બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

જો કે, પોલીસ મહાનિરીક્ષક સાથે જોડાયેલા વાયરલ વીડિયોના સંબંધમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી.

સિસ્ટમ સામે સણસણતા સવાલો

આ કાળજું કંપાવી દેનારી ઘટના બાદ જનતા સિસ્ટમ સામે સણસણતા સવાલો પૂછી રહી છે. સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને એક જ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે, શું 10 વર્ષની માસૂમ બાળકીનો રેપ એ કોઈ રમત છે?

મીડિયા સામે હસતી આ મહિલા IPS ની અસલી જવાબદારી શું છે? પીડિત પરિવારને ન્યાય આપવાની કે કેમેરા સામે આવી બેશરમીથી હસવાની? જનતાના આ આકરા સવાલોનો જવાબ આખરે કોણ આપશે અને આ પીડિત પરિવારને ન્યાય ક્યારે મળશે?

Breaking News : એક્ટરમાંથી મુખ્યમંત્રી બનેલા વિજય થલાપતિ નીકળ્યા આતંકવાદીઓના કટ્ટર સમર્થક ! એક વીડિયોએ ખોલ્યા રહસ્યો, જુઓ

Breaking News: રાજસ્થાન રોયલ્સ મેચ રમ્યા વિના જ IPL 2026 માંથી બહાર ફેંકાઈ જશે ! જાણો શું છે એલિમિનેટરનો નિયમ

IPL 2026 હવે તેના રોમાંચક તબક્કામાં પહોંચી ગયું છે. સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) અને રાજસ્થાન રોયલ્સ (RR) વચ્ચે એલિમિનેટર મેચ 27 મેના રોજ મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. સાંજે 7:30 વાગ્યે શરૂ થનારી આ મેચ બંને ટીમો માટે કરો યા મરો મેચ છે. વિજેતા ટીમ ફાઈનલમાં પહોંચવાના પોતાના સ્વપ્નને જીવંત રાખવા માટે સીધી ક્વોલિફાયર 2 માં આગળ વધશે, જ્યારે હારનારી ટીમની IPL 2026 માં સફર ત્યાં જ સમાપ્ત થશે.

એલિમિનેટર મેચ માટે IPLનો નિયમ

ક્રિકેટ ચાહકો આ મહત્વપૂર્ણ મેચમાં જોરદાર ટક્કરની અપેક્ષા રાખી રહ્યા છે. જોકે, વરસાદ અને ખરાબ હવામાન ઘણીવાર મજા બગાડી શકે છે. સૌથી મોટો પ્રશ્ન એ છે કે: જો આ એલિમિનેટર મેચ ભારે વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર રદ કરવામાં આવે તો શું થશે? આ પ્રશ્નનો જવાબ સત્તાવાર IPL નિયમોમાં સ્પષ્ટપણે લખાયેલો છે, જેના કારણે એક ટીમ મેચ રમ્યા વિના જ બહાર ફેંકાઈ જશે.

એલિમિનેટર મેચ માટે રિઝર્વ ડે નથી

જો એલિમિનેટર મેચ સંપૂર્ણપણે ધોવાઈ જાય અને એક પણ બોલ ફેંકવામાં ન આવે, તો કોઈ રિઝર્વ ડે રાખવામાં આવ્યો નથી. આવા કિસ્સામાં, મેચ રદ ગણવામાં આવશે. IPL રમવાની પરિસ્થિતિઓ અનુસાર, લીગ સ્ટેજ પોઈન્ટ ટેબલમાં સારી સ્થિતિ ધરાવતી ટીમને ફાયદો થશે.

મેચ રદ થાય તો રાજસ્થાન બહાર

સનરાઈઝર્સ હૈદરાબાદ લીગ સ્ટેજમાં ત્રીજા સ્થાને રહીને પ્લેઓફ માટે ક્વોલિફાય થયું, જ્યારે રાજસ્થાન રોયલ્સ ચોથા સ્થાને રહ્યું. તેથી, જો મેચ રદ થાય છે, તો સનરાઈઝર્સ હૈદરાબાદ સીધા ક્વોલિફાયર 2 માં આગળ વધશે, અને રાજસ્થાન રોયલ્સ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

ઓછામાં ઓછી કેટલી ઓવર રમવી જરૂરી?

એલિમિનેટર મેચમાં પરિણામ નક્કી કરવા માટે ઓછામાં ઓછી 5 ઓવર રમવી આવશ્યક છે. મોટી મેચોમાં અમ્પાયરોનું પ્રાથમિક લક્ષ્ય મેચનું પરિણામ નક્કી કરવાનું હોય છે. જો બંને ટીમો ઓછામાં ઓછી 5 ઓવર રમે છે, તો અમ્પાયરો વિજેતા નક્કી કરવા માટે ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરશે. જો કે, જો કોઈપણ ટીમ 5 ઓવરથી ઓછી ઓવર રમે છે, તો મેચ રદ ગણવામાં આવશે.

 

કઈ ટીમનો હાથ ઉપર છે?

IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ 23 વખત એકબીજા સામે ટકરાયા છે. જેમાં SRH એ 14 મેચ જીતી છે, જ્યારે RR ફક્ત 9 મેચ જીતી શક્યું છે. આ સિઝનમાં બંને ટીમો વચ્ચે આ ત્રીજો મુલાબલો હશે અને સનરાઈઝર્સ હૈદરાબાદ અગાઉની બંને મેચ જીતી ચૂક્યું છે. તેથી, આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો હાથ ઉપર રહેશે. જોકે, રાજસ્થાન રોયલ્સ હળવાશથી ન લઈ શકાય.

Breaking News: IPL 2026 ક્વોલિફાયર-1 માં RCB vs GT મેચમાં વિરાટ કોહલી, શુભમન ગિલ અને સાઈ સુદર્શન વચ્ચે જામશે જંગ!

માન્યમાં નહીં આવે પણ સાચુ છે, એક જ વાસણમાં એક સાથે બનાવ્યા મેગી, ભજીયા અને ચા, જુઓ Video

Solar Panel New Rule : સોલાર પેનલ લગાવવા વાળા લોકો માટે 1 જૂનથી નવા નિયમો લાગુ, જાણી લો

જો તમે તમારા ઘરે સોલાર પેનલ લગાવવાનું વિચારી રહ્યા છો અથવા પહેલેથી જ સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરી છે, તો તમારા માટે મહત્વના સમાચાર છે. કેન્દ્ર સરકાર 1 જૂન, 2026થી સોલાર પેનલ ઇન્સ્ટોલેશન માટે નવા નિયમો લાગુ કરવા જઈ રહી છે. આ નવા નિયમો હેઠળ હવે સોલાર પેનલ સાથે તેમાં ઉપયોગમાં લેવાતા સોલાર સેલ્સ પણ સરકાર દ્વારા મંજૂર કરાયેલી યાદીમાં સામેલ હોવા જરૂરી રહેશે.

સરકાર દ્વારા લાગુ થનારા આ નિયમોનો મુખ્ય હેતુ દેશમાં સ્થાનિક સોલાર ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને વિદેશી આયાત, ખાસ કરીને ચીન પરની નિર્ભરતા ઘટાડવાનો છે. જોકે, નવા નિયમો લાગુ થયા બાદ કેટલીક સોલાર સિસ્ટમોની કિંમતમાં વધારો થઈ શકે છે અને સબસિડી તેમજ નેટ મીટરિંગ માટે વધુ નિયમોનું પાલન કરવું પડશે.

શું છે ALM નો નવો નિયમ?

સરકાર દ્વારા લાગુ કરવામાં આવતો આ નિયમ ALM એટલે કે Approved List of Models તરીકે ઓળખાય છે. અત્યાર સુધી સરકાર ફક્ત સોલાર મોડ્યુલની મંજૂરી આપતી હતી, પરંતુ હવે 1 જૂન, 2026થી સોલાર પેનલમાં વપરાતા સોલાર સેલ્સ પણ સરકારની મંજૂર યાદીમાં હોવા ફરજિયાત રહેશે.

આ નિયમ ખાસ કરીને સરકારી સબસિડી યોજનાઓ, નેટ મીટરિંગ અને મોટા સોલાર પ્રોજેક્ટ્સ માટે લાગુ પડશે. આથી ગુણવત્તામાં સુધારો થશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાનને પણ મજબૂતી મળશે.

સોલાર સિસ્ટમ કેટલી મોંઘી થઈ શકે?

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર નવા ALM નિયમોના કારણે સોલાર પેનલના ખર્ચમાં થોડો વધારો થઈ શકે છે. અંદાજ મુજબ 1 કિલોવોટ સિસ્ટમમાં લગભગ ₹3,000 સુધી, 2 કિલોવોટમાં ₹6,000 સુધી અને 3 કિલોવોટ સિસ્ટમમાં ₹9,000 સુધીનો વધારો જોવા મળી શકે છે.

જો બજારમાં પુરવઠાની અછત સર્જાય તો કિંમતમાં વધુ વધારો થવાની શક્યતા પણ નકારી શકાય નહીં. જોકે, દરેક ગ્રાહક માટે આ અસર સમાન નહીં હોય. ખાસ કરીને જેમને સબસિડી અથવા નેટ મીટરિંગની જરૂર નથી, તેમના માટે મોટા ફેરફાર જોવા નહીં મળે.

સબસિડી બંધ થશે?

સોશિયલ મીડિયા પર સોલાર સબસિડી બંધ થવાની અફવાઓ ચાલી રહી છે, પરંતુ હકીકતમાં એવી કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ સબસિડી યથાવત રહેશે.

હાલમાં સરકાર દ્વારા 1 kW માટે ₹30,000, 2 kW માટે ₹60,000 અને 3 kW સુધીની સિસ્ટમ માટે ₹78,000 સુધીની સબસિડી આપવામાં આવી રહી છે. કેટલાક રાજ્યોમાં વધારાની સબસિડીનો લાભ પણ મળી રહ્યો છે. જોકે, સબસિડી મેળવવા માટે યોગ્ય દસ્તાવેજીકરણ, નિરીક્ષણ અને સરકાર દ્વારા નક્કી કરેલી પ્રક્રિયાઓનું પાલન કરવું ફરજિયાત રહેશે.

સોલાર ઇન્સ્ટોલેશન માટે બે વિકલ્પ

  • સબસિડી રૂટ

આ વિકલ્પ ખાસ કરીને એવા ઘરમાલિકો માટે યોગ્ય છે, જે પોતાના વીજળી બિલમાં ઘટાડો કરવા માંગે છે. આ માટે ઓન-ગ્રીડ અથવા હાઇબ્રિડ સિસ્ટમ ઇન્સ્ટોલ કરવી પડે છે. તેમાં સરકાર તરફથી સબસિડીનો લાભ મળે છે, પરંતુ સાથે વધુ કાગળકામ અને નિયમોનું પાલન કરવું પડે છે.

  • ફ્રીડમ રૂટ

આ વિકલ્પમાં કોઈ સબસિડી મળતી નથી, પરંતુ ગ્રાહકોને નવીનતમ ટેકનોલોજીનો લાભ મળે છે. તેમાં HJT પેનલ, લિથિયમ બેટરી અને હાઇબ્રિડ ઇન્વર્ટર જેવી અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જો તમને વીજ પુરવઠા બંધ થતી વખતે બેકઅપની જરૂર હોય અથવા ઓફ-ગ્રીડ સિસ્ટમ ઇચ્છતા હો, તો આ વિકલ્પ વધુ યોગ્ય ગણાય છે.

ગ્રાહકો માટે શું છે યોગ્ય નિર્ણય?

1 જૂન, 2026 પછી સબસિડી આધારિત સોલાર સિસ્ટમ માટે વધુ નિયમોનું પાલન કરવું પડશે. જો તમારો મુખ્ય હેતુ વીજળી બિલમાં બચત કરવાનો હોય અને તમે કાગળકામ માટે તૈયાર હો, તો સબસિડી રૂટ સારો વિકલ્પ બની શકે છે.

બીજી તરફ, જો તમને આધુનિક ટેકનોલોજી, લાંબા ગાળાનો લાભ અને પાવર બેકઅપ જેવી સુવિધાઓ જોઈએ છે, તો ફ્રીડમ રૂટ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

સોલાર સિસ્ટમ ઇન્સ્ટોલ કરતા પહેલા કોઈપણ નિર્ણય ઉતાવળમાં ન લો. તમારી જરૂરિયાત, બજેટ અને વીજળીના ઉપયોગને ધ્યાનમાં રાખીને જ યોગ્ય વિકલ્પ પસંદ કરો. સાથે જ વિશ્વસનીય અને અનુભવી સોલાર વિક્રેતાથી સંપૂર્ણ માહિતી મેળવીને આગળ વધવું વધુ સુરક્ષિત રહેશે.

Flexible solar cells : વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વાળથી પણ પાતળી સોલાર પેનલ

પોકેટ મની બચાવવાનો બેસ્ટ રસ્તો, દેશની આ 5 મોટી બેંકો બાળકો માટે ખોલી રહી છે ખાસ ‘ઝીરો બેલેન્સ’ ખાતા

Breaking News : અમદાવાદની મેડિકલ કોલેજ હોસ્ટેલમાં દારૂ પાર્ટી ! વિદ્યાર્થીઓના શોષણના આરોપો, જુઓ Video

અમદાવાદની જાણીતી એએમસી સંચાલિત એનએચએલ મેડિકલ કોલેજ ફરી એકવાર વિવાદના વમળમાં ફસાઈ છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) દ્વારા કોલેજની હોસ્ટેલમાં દારૂની મહેફિલ અને નશીલા પદાર્થોના સપ્લાય અંગે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેના પગલે ખળભળાટ મચી ગયો છે. ABVPએ આ અંગેનો એક વીડિયો પણ જાહેર કર્યો છે, જેમાં હોસ્ટેલ પરિસરમાં દારૂની ખાલી બોટલો અને મહેફિલનો માહોલ દેખાય છે.

ABVPના આક્ષેપો અનુસાર, હોસ્ટેલના રેક્ટર દારૂના સપ્લાયમાં સીધી રીતે સંકળાયેલા છે. આ ઉપરાંત, બહારના વિદ્યાર્થીઓને હોસ્ટેલના રૂમમાં ગેરકાયદેસર રીતે રહેવા દેવા માટે પૈસા લેવામાં આવે છે. સિક્યોરિટી એજન્સી પર પણ પ્રતિબંધિત વસ્તુઓ જેવી કે માદક દ્રવ્યો અને દારૂ હોસ્ટેલમાં લઈ જવા માટે દબાણ કરવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ABVPએ એવો પણ આક્ષેપ કર્યો છે કે હોસ્ટેલમાં રહેતા જૂના વિદ્યાર્થીઓ દ્વારા જુનિયર વિદ્યાર્થીઓનું નિયમિતપણે રેગિંગ કરવામાં આવે છે, જેના કારણે જુનિયર વિદ્યાર્થીઓ ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે.

આ સમગ્ર મામલાને પગલે ABVPના કાર્યકર્તાઓ NHL મેડિકલ કોલેજ ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે સામાન્ય વિદ્યાર્થીઓના ભવિષ્યને બરબાદ કરવાનું કામ અહીંના રેક્ટર અને વોર્ડન દ્વારા કરવામાં આવી રહ્યું છે. ABVPએ સ્પષ્ટપણે માંગ કરી છે કે આ સમગ્ર કૌભાંડમાં સંકળાયેલા તમામ જવાબદારો, જેમાં રેક્ટર, વોર્ડન અને ડીનનો સમાવેશ થાય છે, તેમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

બીજી તરફ, NHL મેડિકલ કોલેજ તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે. કોલેજના અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે, તેમને અત્યાર સુધી દારૂની મહેફિલ કે અન્ય ગેરરીતિઓ અંગે કોઈ લેખિત, મૌખિક કે ડિજિટલ સિસ્ટમ દ્વારા ફરિયાદ મળેલી નથી. અધિકારીએ ખાલી બોટલો કે ક્યાંથી મળી તે અંગે કોઈ ચોક્કસ માહિતી ન હોવાનું પણ જણાવ્યું હતું અને રેક્ટર કે સિક્યુરિટી અંગે કોઈ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો. જોકે, કોલેજે સ્વીકાર્યું છે કે તેમણે આ સંદર્ભમાં એક તપાસ સમિતિની રચના કરી છે અને તેની કાર્યવાહી પ્રગતિમાં છે.

ABVPએ તપાસ સમિતિને નક્કર પુરાવા, જેમાં વીડિયો ફૂટેજ અને અન્ય દસ્તાવેજોનો સમાવેશ થાય છે, સુપરત કર્યા હોવાનો દાવો કર્યો છે. આ ગંભીર આક્ષેપોને કારણે કોલેજની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે અને તપાસના અંતે શું બહાર આવે છે તે જોવું રહ્યું.

ક્રિકેટ વચ્ચે ગુજરાતમાં ફૂટબૉલને નવી ઓળખ અપાવવાનો પ્રયાસ

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોનામાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

ગોલ્ડ અને સિલ્વર ETFમાં બમ્પર રેલી ! ક્યાં થઈ સૌથી વધુ કમાણી અને હવે ક્યાં છે ‘મોટી તક’?

Breaking News : શુભમન ગિલના નિશાના પર વૈભવ સૂર્યવંશી, GT ના 3 ખેલાડીઓ પાસે ઓરેન્જ-પર્પલ કેપ જીતવાની ગોલ્ડન તક

 

Breaking News : મોંઘવારીને માત આપવા યોજના તૈયાર, Middle East સંકટ વચ્ચે ભારતની મોટી તૈયારી, જાણો

કેન્દ્રીય નાણામંત્રી Nirmala Sitharaman એ મધ્ય પૂર્વમાં ચાલી રહેલી કટોકટી વચ્ચે ભારત માટે ઇંધણ, ખાતર અને ફોરેક્સ એટલે કે ‘3Fs’ પર ખાસ ધ્યાન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. મુંબઈમાં Small Industries Development Bank of India ના 37મા સ્થાપના દિવસના કાર્યક્રમમાં સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિમાં દેશે વધુ સાવચેત અને સંતુલિત આર્થિક અભિગમ અપનાવવાની જરૂર છે.

નાણામંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન Narendra Modi દ્વારા તાજેતરમાં કરવામાં આવેલી ઇંધણ બચાવવાની અપીલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તેમણે કહ્યું કે કેટલાક લોકો દેશની આર્થિક સ્થિતિને લઈને નિરાશાવાદ ફેલાવી રહ્યા છે, પરંતુ હકીકતમાં ભારતનું સ્થાનિક અર્થતંત્ર હજુ પણ મજબૂત અને સ્થિર છે. લોકોમાં ભય ફેલાવવાને બદલે વિશ્વાસ જાળવવો વધુ જરૂરી છે.

દેશના બાહ્ય આર્થિક ક્ષેત્ર પર દબાણ

સીતારમણે જણાવ્યું હતું કે ડીઝલ અને પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટીમાં ઘટાડાના કારણે સરકારને અંદાજે ₹1 લાખ કરોડનું મહેસૂલ નુકસાન સહન કરવું પડશે. સાથે જ ક્રૂડ ઓઇલના વધતા ભાવ અને ખાતરના ખર્ચમાં વધારો સરકાર માટે મોટો પડકાર બની રહ્યો છે. તેમણે કહ્યું કે સોનાના સતત વધી રહેલા ભાવ પણ દેશના બાહ્ય આર્થિક ક્ષેત્ર પર દબાણ ઉભું કરી રહ્યા છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં ઇંધણ, ખાતર અને ફોરેક્સ જેવા ત્રણ મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વિશેષ ધ્યાન આપવું જરૂરી બની ગયું છે. તેમના મતે, સરકારનો પ્રયાસ એવો છે કે વિકાસની ગતિ જળવાઈ રહે અને સાથે સાથે અર્થતંત્ર પર વધતા વૈશ્વિક દબાણનો પણ સંતુલિત રીતે સામનો કરી શકાય.

અનાવશ્યક નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ – નાણામંત્રી

નાણામંત્રીએ કેટલાક વર્ગો પર દેશની આર્થિક સ્થિતિ અંગે ભ્રમ ફેલાવવાનો આક્ષેપ પણ કર્યો. તેમણે કહ્યું કે દેશની સકારાત્મક સિદ્ધિઓ અને લોકો દ્વારા કરવામાં આવતું સારા કામ અવગણવામાં આવી રહ્યું છે, જ્યારે અનાવશ્યક નકારાત્મક વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત હાલ કોઈ ગંભીર આંતરિક આર્થિક સંકટમાં નથી અને દેશની સ્થાનિક પરિસ્થિતિ મજબૂત છે.

આ ઉપરાંત, તેમણે સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો એટલે કે MSMEs સામે ઉભી થયેલી મુશ્કેલીઓનો પણ ઉલ્લેખ કર્યો. સીતારમણે જણાવ્યું કે MSMEsને અંદાજે ₹8.1 લાખ કરોડની બાકી ચૂકવણી મળવાની બાકી છે, જેના કારણે તેમની કાર્યકારી મૂડી અને વિકાસ પ્રભાવિત થઈ રહ્યા છે. તેમણે જાહેર ક્ષેત્રની સંસ્થાઓને 45 દિવસની સમયમર્યાદા બાદ MSMEsને ચૂકવણીમાં વિલંબ ન કરવા અપીલ કરી.

LIC ની મોટી જાહેરાત, 1 શેર પર મળશે 1 શેર મફત.. જાણો વિગત

Disclaimer: અહીં આપેલી તમામ માહિતી સામાજિક અને ધાર્મિક માન્યતાઓ પર આધારિત છે. TV9 Gujarati આની પુષ્ટિ કરતું નથી. આના માટે કોઈ નિષ્ણાતની સલાહ જરૂર લો.

2 લાખને પાર પહોંચશે ’10 ગ્રામ સોનું’! વૈશ્વિક યુદ્ધ વચ્ચે થઈ ગઈ સૌથી ‘મોટી ભવિષ્યવાણી’, શું હવે નવો ઈતિહાસ રચાશે?

તમને આ ખબર છે? ખોરાકના ફોટા કેમ ન લેવા જોઈએ, Food Selfie ન લેવાના ધાર્મિક કારણો અને ગેરફાયદા જાણો

Food Selfie: ભોજનને માતા અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે, જે ભગવાન શિવની પત્ની દેવી પાર્વતીનું સ્વરૂપ છે. ઉપનિષદોમાં, ભોજનને “બ્રહ્મ” માનવામાં આવે છે. કારણ કે તે શરીરને ઉર્જા અને આત્માને ટકાવી રાખવાની અનન્ય શક્તિ પ્રદાન કરે છે. તેથી, ખોરાકનો અનાદર કરવો એ એક ગંભીર પાપ માનવામાં આવે છે, જે જીવનભર વિવિધ મુશ્કેલીઓનો સામનો કરે છે. વધુમાં, પ્રાચીન શાસ્ત્રો પણ ભોજન પહેલાં સેલ્ફી લેવા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોટો પોસ્ટ કરવાની મનાઈ ફરમાવે છે.

અહીં તમે શીખી શકશો કે તમારે ખોરાકનો સેલ્ફી કેમ ન લેવો જોઈએ અને શા માટે તમારે તેને કોઈપણ પ્લેટફોર્મ પર પોસ્ટ કરવાનું ટાળવું જોઈએ.

ખોરાકનું મહત્વ

સનાતન ધર્મ અને વૈદિક જ્યોતિષમાં ભોજન પહેલાં સેલ્ફી લેવી વર્જિત માનવામાં આવે છે. ભોજનને બ્રહ્મા અને માતા અન્નપૂર્ણાનું સ્વરૂપ માનવામાં આવે છે, તેથી ભોજનનો હંમેશા આદર કરવામાં આવે છે. ખોરાકનો બગાડ ન કરવાની પણ સલાહ આપવામાં આવે છે, નહીં તો જીવનમાં કોઈક સમયે ખોરાકની અછતનો સામનો કરવો પડશે.

ભોજન પહેલાં સેલ્ફી લેવાના ગેરફાયદા

શાસ્ત્રો અનુસાર, ખોરાકનો ફોટો લેવાથી અથવા સોશિયલ મીડિયા પર સેલ્ફી શેર કરવાથી ખોરાકનો અનાદર થાય છે, જેના કારણે ઘરમાં સમૃદ્ધિનો અભાવ રહે છે અને પરિવારના સભ્યો માટે તકલીફો ઉભી થાય છે.

એવું માનવામાં આવે છે કે જ્યારે તમે ખોરાકને સજાવો છો, તેના ફોટા લો છો અને તેને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરો છો, ત્યારે તે ઘણા લોકોનું ધ્યાન આકર્ષિત કરે છે, જેના કારણે ખરાબ નજર પડે છે. આવી સ્થિતિમાં, ખોરાક સકારાત્મક ઉર્જા પ્રદાન કરતું નથી, પરંતુ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે.

જમતા પહેલા શું કરવું?

ખાતા પહેલા ભૂલથી પણ તમારા મોબાઇલ ફોનને સ્પર્શ કરશો નહીં. હકીકતમાં, ફોનમાં નકારાત્મક ઉર્જા અને ઘણા બધા બેક્ટેરિયા હોય છે, જે ખોરાકમાં પણ ટ્રાન્સફર થઈ શકે છે. તેથી ખાતી વખતે શુદ્ધતા જાળવી રાખો અને તમારા મોબાઇલ ફોનથી દૂર રહો. ઉપરાંત, ખાતા પહેલા સેલ્ફી લેવાને બદલે, ખોરાક પૂરો પાડવા બદલ ભગવાનનો હાથ જોડીને આભાર માનો.

Astrology Remedies: રત્ન પહેર્યા વિના પણ કુંડળીના બધા દોષ દૂર થઈ જશે, ફક્ત આ સરળ જ્યોતિષીય ઉપાયો નોંધી લો

નાના શહેરો માટે સરકારનો મોટો પ્લાન, આ રાજ્યો સહિત ગુજરાતમાં ઊભા કરાશે 56 નવા EV ચાર્જિંગ સ્ટેશન!

Knowledge: નારિયેળની અંદર પાણી આવે છે ક્યાંથી? જાણો પ્રકૃતિના આ અદ્ભુત ‘નેચરલ બાયો બોટલ’નું વિજ્ઞાન

ગરમીમાં ઠંડુ નારિયેળ પાણી પીતા ઘણા લોકોના મનમાં એક રસપ્રદ સવાલ આવે છે કે આખરે નારિયેળની અંદર આટલું શુદ્ધ પાણી આવે ક્યાંથી? બહારથી સંપૂર્ણ બંધ દેખાતું નારિયેળ અંદરથી પાણીથી ભરેલું કેવી રીતે હોય છે? તેનો જવાબ પ્રકૃતિના એક અદ્ભુત વૈજ્ઞાનિક ચમત્કારમાં છુપાયેલો છે.

છોડ માટેનો સંગ્રહિત પ્રવાહી ખોરાક છે

હકીકતમાં, નારિયેળ સામાન્ય ફળ નથી, પરંતુ એક વિશાળ બીજ છે. તેની અંદર એક નાનો ભ્રૂણ હોય છે, જે આગળ જઈને નારિયેળનું ઝાડ બને છે. નારિયેળની અંદર જે પાણી હોય છે, તેને વૈજ્ઞાનિક ભાષામાં લિક્વિડ એન્ડોસ્પર્મ કહેવામાં આવે છે. આ ભવિષ્યના છોડ માટેનો સંગ્રહિત પ્રવાહી ખોરાક છે.

પારદર્શક પોષક પ્રવાહી હોય છે

નારિયેળનું ઝાડ તેની મૂળ દ્વારા જમીનમાંથી પાણી સાથે ખનિજો, કુદરતી શર્કરા અને અન્ય પોષક તત્વો શોષે છે. ત્યારબાદ ઝાડની અંદરની વાસ્ક્યુલર સિસ્ટમ આ પોષક તત્વોને વિકસતા નારિયેળ સુધી પહોંચાડે છે. શરૂઆતમાં નારિયેળની અંદરનો મોટાભાગનો ભાગ આ પારદર્શક પોષક પ્રવાહીથી ભરેલો હોય છે અને એ જ આગળ જઈને નારિયેળ પાણી બને છે.

એક અનોખી જીવંત પ્રણાલી

આ કારણે નારિયેળ પાણીમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ઇલેક્ટ્રોલાઇટ્સ અને કુદરતી શુગર જોવા મળે છે. રસપ્રદ વાત એ છે કે જેમ જેમ નારિયેળ પાકે છે, તેમ તેમ આ પ્રવાહી ધીમે ધીમે ઘન બનવા લાગે છે અને સફેદ મલાઈમાં બદલાઈ જાય છે. એટલે કે તમે જે મલાઈ ખાઓ છો, તે પહેલાં પ્રવાહી હતી.

નારિયેળની અંદરનું વાતાવરણ સંપૂર્ણપણે સીલબંધ હોવાથી તેનું પાણી લાંબા સમય સુધી લગભગ જંતુરહિત રહે છે. આ જ કારણથી ઇતિહાસમાં કેટલીક કટોકટીની પરિસ્થિતિઓમાં તેનો કામચલાઉ IV ફ્લુઇડ તરીકે પણ ઉપયોગ થયો હતો. ખરેખર, નારિયેળ પ્રકૃતિની એક અનોખી જીવંત પ્રણાલી છે.

Watermelon Peel Fertilizer : તરબૂચની છાલમાંથી ખાતર બનાવો, ઉનાળામાં પણ છોડ રહેશે લીલો

Mini Split AC : એક AC આઉટડોર યુનિટ ઠંડા કરશે ઘરના અલગ અલગ રૂમ, જાણો શું છે Mini Split AC સિસ્ટમ અને તેના ફાયદા

Single Outdoor Multiple Indoor Air Conditioner: ઘરમાં 4-5 રૂમ ઠંડા કરવા માટે હવે અલગ અલગ AC લગાવવાની જરૂર નથી. આજકાલ એવી સ્માર્ટ ટેક્નોલોજી આવી ગઈ છે જેમાં એક જ આઉટડોર યુનિટ આખા ઘરના અનેક રૂમને ઠંડુ કરી શકે છે. આ સિસ્ટમને “મિની સ્પ્લિટ AC” અથવા “મલ્ટી ઝોન AC સિસ્ટમ” કહેવામાં આવે છે. ભારતમાં હજી આ ટેક્નોલોજી વિશે બહુ ઓછા લોકો જાણે છે, પરંતુ વિદેશોમાં તેનો વ્યાપક ઉપયોગ થાય છે.

શું છે મિની સ્પ્લિટ AC સિસ્ટમ?

સામાન્ય સ્પ્લિટ ACમાં એક ઇન્ડોર યુનિટ અને એક આઉટડોર યુનિટ હોય છે, જે માત્ર એક જ રૂમને ઠંડુ કરે છે. પરંતુ મિની સ્પ્લિટ ACમાં એક જ આઉટડોર યુનિટ સાથે અનેક ઇન્ડોર યુનિટ જોડાઈ શકે છે. એટલે કે ઘરના અલગ અલગ રૂમમાં ઇન્ડોર યુનિટ લગાવી શકાય અને બધું એક જ આઉટડોર સિસ્ટમથી ચલાવી શકાય.

આ સિસ્ટમ ખાસ કરીને મોટા ઘર, ફ્લેટ, ઓફિસ અથવા બંગલા માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.

કેવી રીતે કામ કરે છે?

મિની સ્પ્લિટ AC પણ સામાન્ય સ્પ્લિટ ACની જેમ કોપર પાઇપ અને રેફ્રિજરેશન ટેક્નોલોજી પર કામ કરે છે. પરંતુ તેમાં મલ્ટી-ઝોન સપોર્ટ આપવામાં આવે છે. એટલે કે તમે ઇચ્છો તો એક રૂમ ચાલુ રાખી શકો અથવા એક સાથે 4-5 રૂમ ઠંડા કરી શકો.

દરેક રૂમનું ટેમ્પરેચર અલગથી કંટ્રોલ કરી શકાય છે, જેનાથી વીજળીની બચત પણ થાય છે.

સામાન્ય સ્પ્લિટ ACથી કેટલું અલગ?

સ્ટાન્ડર્ડ સ્પ્લિટ ACમાં દરેક રૂમ માટે અલગ આઉટડોર યુનિટ લગાવવું પડે છે. જો ઘરમાં ચાર રૂમ હોય તો ચાર આઉટડોર યુનિટની જરૂર પડે. જ્યારે મિની સ્પ્લિટ ACમાં એક જ મોટું આઉટડોર યુનિટ બધાં ઇન્ડોર યુનિટને સપોર્ટ કરે છે.

આ કારણે ઘરની બહાર જગ્યા ઓછી વપરાય છે અને બિલ્ડિંગનું લુક પણ વધુ ક્લીન રહે છે.

મિની સ્પ્લિટ ACના મોટા ફાયદા

  • એક જ આઉટડોર યુનિટથી અનેક રૂમ કૂલ થાય
  • વીજળીનો ખર્ચ ઘટાડવામાં મદદરૂપ
  • ઘરની બહાર ઓછું સ્પેસ લે
  • દરેક રૂમનું અલગ ટેમ્પરેચર કંટ્રોલ
  • ઓછો અવાજ અને વધુ સ્માર્ટ ઓપરેશન
  • મોટા ઘર માટે લાંબા ગાળે સસ્તો વિકલ્પ

કયા લોકો માટે વધુ સારું?

જો તમને માત્ર એક રૂમ માટે AC જોઈએ છે તો સામાન્ય સ્પ્લિટ AC વધુ યોગ્ય રહેશે. પરંતુ જો ઘરમાં 4-5 રૂમ હોય અને દરેક જગ્યાએ અલગ AC લગાવવાનો ખર્ચ બચાવવો હોય તો મિની સ્પ્લિટ AC વધારે ફાયદાકારક બની શકે છે.

ખાસ કરીને જ્યાં બાલ્કની અથવા ટેરેસમાં જગ્યા ઓછી હોય ત્યાં આ સિસ્ટમ ખૂબ ઉપયોગી સાબિત થાય છે.

ભારતમાં કેટલું લોકપ્રિય?

ભારતમાં હાલમાં મિની સ્પ્લિટ ACનો ઉપયોગ મર્યાદિત છે, પરંતુ મોટા શહેરોમાં ધીમે ધીમે તેનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ખાસ કરીને પ્રીમિયમ હોમ્સ, ઓફિસ અને લક્ઝરી એપાર્ટમેન્ટ્સમાં લોકો હવે આ ટેક્નોલોજી તરફ વળી રહ્યા છે.

વૈજ્ઞાનિકોએ તૈયાર કરી વાળથી પણ પાતળી સોલાર પેનલ, બનાવશે ભરપૂર વીજળી

Gandhinagar Breaking News : સાંતેજની પ્લાસ્ટિક કંપનીમાં ભીષણ આગની ચપેટમાં આવતા એકનું મોત, 3 ઘાયલ

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના સાંતેજ વિસ્તારમાં આવેલી એક પ્લાસ્ટિક અને વેક્સ બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી ગઈ હતી. Faith Industries નામની ફેક્ટરીમાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ એટલી ભયાનક હતી કે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જે દૂર દૂરથી સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. આગની ઊંચી જ્વાળાઓને કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

અગ્નિકાંડમાં એક વ્યક્તિનું દુઃખદ મોત

આ અગ્નિકાંડમાં એક વ્યક્તિનું દુઃખદ મોત થયું હોવાનું સામે આવ્યું છે, જ્યારે અન્ય ત્રણ લોકો ગંભીર રીતે દાઝી જતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આગ લાગતાની સાથે જ ફાયર વિભાગની અનેક ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને સતત કલાકો સુધી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરાયો હતો.

સાંજે લાગેલી આગ બીજા દિવસે કાબુમાં આવી

ફાયર વિભાગના જણાવ્યા મુજબ, ફેક્ટરીમાં રહેલા પ્લાસ્ટિક અને કેમિકલ જેવા જ્વલનશીલ સામાનને કારણે આગ વધુ ભભૂકી ઉઠી હતી. આગ પર કાબૂ મેળવવા માટે ફાયર વિભાગે અંદાજે 12 લાખ લીટર પાણીનો મારો ચલાવ્યો હતો. ગઇકાલે સાંજે લાગેલી આગ આખરે આજે સવારે કાબૂમાં આવી હોવાનું અધિકારીઓએ જણાવ્યું છે.

પોલીસે સમગ્ર મામલે તપાસ શરુ કરી

અગ્નિકાંડ બાદ સમગ્ર ફેક્ટરીનો મોટો ભાગ બળી ને ખાખ થઈ ગયો છે. હાલ ફાયર વિભાગ અને પોલીસ દ્વારા આગ લાગવાના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક અનુમાન મુજબ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનને કારણે આગ લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News : ખોડલધામના ચેરમેન પદેથી નરેશ પટેલે આપ્યા નિવૃતિના સંકેત ! કહ્યું- હવે આરામ કરવો છે, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

આ પણ વાંચો, પિતા શિક્ષક, પાકિસ્તાનની બોર્ડ પાસે ઘર ભારતીય ટીમમાં ડેબ્યુ કરવા જઈ રહેલા માનવ સુથારનો પરિવાર, જુઓ

સ્ટાન્ડર્ડ ડિડક્શનથી લઈને મેડિકલ ક્લેમ સુધી, પેન્શનરો તેમનો ટેક્સ કેવી રીતે બચાવી શકે, અહીં જાણો કેલ્ક્યુલેશન

નિવૃત્તિ પછી ઘણા લોકો ધારે છે કે તેમને હવે આવકવેરા રિટર્ન (ITR) ફાઇલ કરવાની જરૂર નથી કારણ કે તેમનો નિયમિત પગાર બંધ થઈ ગયો છે. જો કે જો પેન્શનરની આવક ચોક્કસ મર્યાદા કરતાં વધી જાય, તો ITR ફાઇલ કરવું ફરજિયાત બની જાય છે. આવકવેરા વિભાગ પેન્શનને પગારની આવક તરીકે ગણે છે અને તેથી, કર નિયમો લાગુ પડે છે.

અસેસમેન્ટ વર્ષ 2026-27 માટે ITR-1 અને ITR-4 નું ઓનલાઈન ફાઇલિંગ શરૂ થઈ ગયું છે. પેન્શનરો માટે ITR ફાઇલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈ, 2026 છે. જો કોઈ આ તારીખ સુધીમાં તેમનું રિટર્ન ફાઇલ કરવામાં નિષ્ફળ જાય, તો તેઓ 31 ડિસેમ્બર, 2026 સુધી લેટ ફી સાથે તેમનું ITR ફાઇલ કરી શકે છે.

પેન્શનરોને આ લાભ મળે છે

ITR ફાઇલ કરવાથી પેન્શનરોને ઘણા ફાયદા થાય છે. તે ટેક્સ રિફંડનો દાવો કરવાનું સરળ બનાવે છે, બેંક વ્યાજ અને પેન્શન આવકનો સચોટ રેકોર્ડ રાખે છે અને લોન અથવા વિઝા જેવી ભવિષ્યની જરૂરિયાતો માટે દસ્તાવેજો પૂરા પાડે છે.

સરકારે સિનિયર સિટિઝન માટે ઘણી મહત્વપૂર્ણ કર મુક્તિઓ પ્રદાન કરી છે. સૌથી મોટી રાહત પ્રમાણભૂત કપાતના રૂપમાં આવે છે. પેન્શન મેળવતા સિનિયર સિટિઝન પ્રમાણભૂત કપાતનો લાભ લઈ શકે છે, જે તેમની કરપાત્ર આવક ઘટાડે છે.

₹50,000 સુધીની કપાતનો દાવો કરી શકે છે

વધુમાં આવકવેરા કાયદાની કલમ 80TTB હેઠળ, સિનિયર નાગરિકો બેંક, પોસ્ટ ઓફિસ અને ફિક્સ્ડ ડિપોઝિટમાંથી મળતા વ્યાજ પર ₹50,000 સુધીની કપાતનો દાવો કરી શકે છે. આનાથી નિવૃત્તિ પછી વ્યાજની આવક પર કરનો બોજ ઓછો થાય છે. તબીબી ખર્ચ પર પણ કર રાહત ઉપલબ્ધ છે.

કલમ 80D હેઠળ, સિનિયર સિટિઝન આરોગ્ય વીમા પ્રીમિયમ પર ₹50,000 સુધીની કપાતનો દાવો કરી શકે છે. વધુમાં કલમ 80DDB હેઠળ, તેઓ ગંભીર બીમારીઓની સારવાર પર ₹1 લાખ સુધીની કર મુક્તિ મેળવી શકે છે. વૃદ્ધો દ્વારા સામનો કરવામાં આવતા વધતા આરોગ્યસંભાળ ખર્ચને ધ્યાનમાં રાખીને આ સુવિધા મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

કલમ 80C હેઠળ ઉપલબ્ધ કપાત

કર બચત રોકાણ કરનારા પેન્શનરોને પણ કલમ 80C હેઠળ લાભ મળી શકે છે. જીવન વીમા પ્રિમીયમ, પીએફ, એનએસસી અને હોમ લોનની મુદ્દલ ચુકવણી જેવા રોકાણો પર ₹1.5 લાખ સુધીની કપાત ઉપલબ્ધ છે.

હોમ લોન ચૂકવતા સિનિયર સિટિઝન કલમ 24(b) હેઠળ હોમ લોનના વ્યાજ પર ₹2 લાખ સુધીની કપાતનો દાવો કરી શકે છે. આ લાભ જૂના કર વ્યવસ્થા હેઠળ ઉપલબ્ધ હતો.

નવી અને જૂની કર વ્યવસ્થા વચ્ચે યોગ્ય વિકલ્પ પસંદ કરવો પણ મહત્વપૂર્ણ

સરકારે સિનિયર સિટિઝનને એડવાન્સ ટેક્સ અંગે પણ રાહત આપી છે. જે પેન્શનરોને વ્યવસાય કે વ્યવસાયમાંથી કોઈ આવક નથી, તેમણે એડવાન્સ ટેક્સ ભરવાની જરૂર નથી. કલમ 234B અને 234C હેઠળ વ્યાજની જોગવાઈઓ પણ આવા કિસ્સાઓમાં લાગુ પડતી નથી.

પેન્શનરો માટે નવી અને જૂની કર વ્યવસ્થા વચ્ચે યોગ્ય વિકલ્પ પસંદ કરવો પણ મહત્વપૂર્ણ છે. જેમના રોકાણ અને કપાત વધારે છે તેઓ જૂના કર વ્યવસ્થાને ફાયદાકારક માની શકે છે, જ્યારે ઓછા રોકાણ ધરાવતા લોકોને નવી કર વ્યવસ્થા વધુ સારો વિકલ્પ લાગી શકે છે.

5 કરોડથી વધુની જમીન વેચી અને ITR પણ ભર્યું લેટ, છતાં ઇનકમ ટેક્સ વિભાગ સામે આ શખ્સે કેવી રીતે જીતી લીધી કાનૂની જંગ?

Dahi Masala Khichdi Recipe: રોજ દાળ-ભાત ખાઇને કંટાળી ગયા છો? ટ્રાય કરો દહીં મસાલા ખીચડી, ઉનાળામાં મળશે ઠંડક અને સ્વાદ

ઘણા લોકો રોજ એકસરખા દાળભાત ખાઈને બોર થઈ જાય છે. ખાસ કરીને ઉનાળાની ગરમીમાં હલકું, સ્વાદિષ્ટ અને પેટને આરામ આપે એવું ખાવાનું મન થાય છે. આવી સ્થિતિમાં દહીં મસાલા ખીચડી એક પરફેક્ટ વિકલ્પ બની શકે છે. આ વાનગી ટેસ્ટી હોવા ઉપરાંત પૌષ્ટિક પણ છે અને બહુ ઓછા સમયમાં તૈયાર થઈ જાય છે

ભારતીય ઘરોમાં ખીચડીને હંમેશા હેલ્ધી ફૂડ માનવામાં આવે છે, પરંતુ ઘણીવાર સાદી ખીચડી બધાને પસંદ આવતી નથી. જો તેમાં થોડા મસાલા અને દહીંનો ટેસ્ટ ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ અનેક ગણો વધી જાય છે. દહીં શરીરને ઠંડક પહોંચાડે છે, જેથી ગરમીના દિવસોમાં આ વાનગી વધુ ફાયદાકારક સાબિત થાય છે.

દહીં મસાલા ખીચડી બનાવવા માટે જરૂરી સામગ્રી

  • 1 કપ ચોખા
  • અડધો કપ તુવેર દાળ
  • અડધો કપ ફેન્ટેલું દહીં
  • 1 બારીક સમારેલો ડુંગળી
  • 1 બારીક સમારેલું ટામેટું
  • 1 ચમચી આદુલસણની પેસ્ટ
  • 1 નાની ચમચી હળદર
  • સ્વાદ મુજબ લાલ મરચું પાઉડર
  • થોડો ગરમ મસાલો
  • 1 ચમચી રાઈ
  • 6-7 મીઠો લીમડો
  • 2 ચમચી તેલ
  • સ્વાદ મુજબ મીઠું

દહીં મસાલા ખીચડી બનાવવાની રીત

  • સૌપ્રથમ ચોખા અને દાળને સારી રીતે ધોઈ લો અને થોડો સમય માટે બાજુએ રાખો.
  • હવે કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં રાઈ અને મીઠો લીમડાનો વઘાર કરો.
  • ત્યારબાદ તેમાં સમારેલી ડુંગળી અને ટમેટાં ઉમેરો અને હળવા સોનેરી થાય ત્યાં સુધી સાંતળો.
  • હવે આદુલસણની પેસ્ટ ઉમેરો અને થોડું શેકો. ત્યારપછી હળદર, લાલ મરચું અને ગરમ મસાલો નાખીને મિક્સ કરો.
  • હવે તેમાં ધોયેલા ચોખા અને દાળ ઉમેરો અને મસાલા સાથે સારી રીતે મિક્સ કરો.
  • ત્યારબાદ 3 કપ પાણી ઉમેરો અને મિશ્રણને કુકરમાં ભરીને મધ્યમ તાપ પર 3 સિટી સુધી રાંધી લો.
  • કુકરનું પ્રેશર ઉતરી જાય પછી તેમાં ફેન્ટેલું દહીં ઉમેરો અને 2-3 મિનિટ સુધી ધીમા તાપે પકાવો.
  • અંતમાં લીલા ધાણા છાંટી ગરમાગરમ દહીં મસાલા ખીચડી સર્વ કરો.

ઉનાળામાં હલકું, સ્વાદિષ્ટ અને પેટને ઠંડક આપતું ખાવાનું શોધી રહ્યા હોવ તો દહીં મસાલા ખીચડી જરૂર ટ્રાય કરો.

Summer Drinks: લૂથી બચાવશે આ ટેન્ગી દેશી પીણાં… ગરમીથી તાત્કાલિક રાહત અને હીટસ્ટ્રોક સામે રક્ષણ પણ આપશે

 

આ પણ વાંચો, Nepal Public Holiday : નેપાળમાં શનિવારે કેમ બંધ રહે છે સ્કૂલ્સ અને ઓફિસો? શું તે ધાર્મિક માન્યતાઓના આધાર પર છે?

Breaking News : AC માં બ્લાસ્ટ, અમદાવાદના મકરબા પાસે સોલિટેર બિલ્ડીંગમાં ભીષણ આગ, જુઓ Video

અમદાવાદના મકરબા અંડરપાસ નજીક એસજી હાઈવે પર આવેલી સોલિટેર નામની એક હાઈરાઈઝ બિલ્ડીંગમાં આજે ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બિલ્ડીંગમાંથી ધુમાડાના ગાઢ ગોટેગોટા બહાર નીકળતા દહેશતનો માહોલ છવાયો હતો.

આગની જાણ થતા જ ફાયર વિભાગની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. પાણીના પ્રેશરથી આગ ઓલવવા ઉપરાંત, ધુમાડો બહાર કાઢવા માટે કાચ તોડી વેન્ટિલેશન કરવામાં આવ્યું હતું. ઉંચી ઇમારત હોવાથી, જરૂર પડ્યે રેસ્ક્યુ ઓપરેશન માટે હેવી લેડર મશીનને પણ કામે લગાડવામાં આવ્યું હતું, જેથી ઉપરના માળ પર ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શકાય. તકેદારીના ભાગરૂપે એમ્બ્યુલન્સ સહિતની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

પ્રાથમિક વિગતો મુજબ, આગ બીજા અને ત્રીજા માળ પર લાગી હતી અને લગભગ બેથી ત્રણ માળ સુધી ફેલાઈ હતી. જોકે, અન્ય એક માહિતી અનુસાર આગ ચોથા અને પાંચમા માળ પર લાગી હોવાનું અનુમાન છે. આગનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી, પરંતુ સ્થાનિકો અને પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, ઓફિસના એસીના કોમ્પ્રેસરમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું મનાય છે. એક સ્થાનિકના જણાવ્યા મુજબ, બી બ્લોકમાં ઓફિસ નંબર 100ના એસીમાં આગ લાગી હતી, જે ધીમે ધીમે ફેલાઈ હતી.

મહત્વની વાત એ છે કે અમદાવાદમાં છેલ્લા ત્રણ દિવસથી તાપમાન 43 ડિગ્રી સેલ્સિયસ કે તેથી વધુ નોંધાઈ રહ્યું છે. આજના દિવસમાં અમદાવાદમાં આગ લાગવાની આ બીજી ઘટના હતી. ગરમીના કારણે વીજ વપરાશમાં વધારો થતા ઇલેક્ટ્રિકલ ઓવરલોડિંગ જેવી ઘટનાઓ બની રહી છે, જે આગનું કારણ બની શકે છે.

સદનસીબે, ફાયર વિભાગની સમયસર કામગીરી અને બચાવ પ્રયાસોને કારણે કોઈ જાનહાનિ થઈ નથી. બિલ્ડીંગમાં હાજર તમામ લોકોને, જેમાં ઘણા ઓફિસના કર્મચારીઓ હતા, તેમને સુરક્ષિત રીતે નીચે ઉતારી દેવામાં આવ્યા હતા. કેટલાક લોકોને ધાબા પર ખસેડવામાં આવ્યા હતા અને ત્યારબાદ કનેક્ટિંગ ફ્લેટ્સ દ્વારા તેમને નીચે લાવવામાં આવ્યા હતા.

અમદાવાદના નારણપુરામાં અંબિકા જ્વેલર્સમાંથી ધોળા દિવસે ચોરી

Tamanna Bhatiaએ રેડ ગાઉનમાં લુટી લાઈમલાઈટ ! કાઉચ પર બેસીને આપ્યા કેચી પોઝ, જુઓ-Photo, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

લોન વસૂલાતના નામે ચાલતો ત્રાસ હવે થશે ખતમ, જો લોન રિકવરી એજન્ટે નિયમ તોડ્યો તો બેંકે આપવો પડશે દંડ-RBI

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Breaking News: મેટા અને એમેઝોન પછી હવે આ દિગ્ગજ કંપનીએ લીધું મોટું પગલું, એક ઝાટકે 600 થી વધુ કર્મચારીઓને બહારનો રસ્તો બતાવ્યો!

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

FBI નું જેટ, 50 હજાર ડોલરનું સ્યુટ, ગુજરાતી મૂળના અને FBI ચીફ કાશ પટેલની ગર્લફ્રેન્ડને મળેલી લક્ઝરી ટ્રીટમેન્ટ વિવાદમાં!

ભારતમાં ઇટાલીથી આવે છે દારૂ ? મેલોનીનું Italy કેવી રીતે બન્યું વાઇન હબ, જાણો મોટું કારણ

દુનિયામાં જ્યારે વાઇનની વાત થાય ત્યારે ઘણા લોકોના મનમાં સૌપ્રથમ Franceનું નામ આવે છે. કેટલાક લોકો United Statesને પણ મોટો ખેલાડી માને છે, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ઇટાલીએ ઉત્પાદનના મામલે સૌને પાછળ છોડી દીધા છે. આજે ઇટાલી દુનિયાનો સૌથી મોટો વાઇન ઉત્પાદક દેશ બની ગયો છે.

ઇટાલી કેવી રીતે બન્યું વાઇન ઉત્પાદનનું કેન્દ્ર?

ઇટાલીમાં સદીઓથી દ્રાક્ષની ખેતી કરવામાં આવે છે. અહીંના ખેડૂતો પેઢીઓથી પરંપરાગત રીતે વાઇન બનાવે છે. દેશના લગભગ દરેક વિસ્તારમાં દ્રાક્ષનું ઉત્પાદન થાય છે. પહાડી વિસ્તારો, સમુદ્રી હવા અને સંતુલિત હવામાન દ્રાક્ષની ગુણવત્તા વધારવામાં મદદ કરે છે. અહીં નાના કુટુંબ આધારિત ફાર્મથી લઈને મોટા ઉદ્યોગો સુધી સૌ વાઇન ઉત્પાદનમાં જોડાયેલા છે. પરંપરા અને આધુનિક ટેક્નોલોજીનું અનોખું સંયોજન ઇટાલીની સૌથી મોટી શક્તિ માનવામાં આવે છે.

દર વર્ષે ઇટાલી અંદાજે 45 થી 55 મિલિયન હેક્ટોલીટર વાઇનનું ઉત્પાદન કરે છે. વર્ષ 2023 દરમિયાન ઇટાલીએ લગભગ 45 મિલિયન હેક્ટોલીટર વાઇનનું ઉત્પાદન કર્યું હોવાનું આંતરરાષ્ટ્રીય અહેવાલોમાં જણાવાયું છે. સારા હવામાનવાળા વર્ષોમાં આ આંકડો વધુ પણ જઈ શકે છે.

Italy Grapes Production

હવામાન અને દ્રાક્ષની વિવિધતા બન્યા સફળતાનું કારણ

ઇટાલીનું હવામાન વાઇન માટે ખૂબ અનુકૂળ માનવામાં આવે છે. અહીં ગરમ દિવસો અને ઠંડી રાતો દ્રાક્ષને ઉત્તમ સ્વાદ આપે છે. દેશના ઉત્તર ભાગમાં પહાડો છે જ્યારે દક્ષિણ ભાગમાં સમુદ્રી વિસ્તાર છે. આ વૈવિધ્યને કારણે અહીં અલગ અલગ પ્રકારની દ્રાક્ષ ઉગાડવામાં આવે છે. નિષ્ણાતોના જણાવ્યા મુજબ ઇટાલીમાં 500થી વધુ દ્રાક્ષની જાતો જોવા મળે છે, જે વિશ્વના ઘણા દેશો કરતાં ઘણી વધારે છે.

Grapes Wine Production In Italy

ફ્રાન્સ પાછળ કેમ રહી ગયું?

એક સમય હતો જ્યારે ફ્રાન્સ વાઇન ઉત્પાદનમાં નંબર વન ગણાતું હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં હવામાનમાં આવેલા બદલાવ, ઠંડી, કરા અને સુકાં જેવી પરિસ્થિતિઓએ ત્યાંની ખેતીને અસર પહોંચાડી છે. બીજી તરફ ઇટાલીએ નવી ટેક્નોલોજી અપનાવી અને ખેડૂતોને સરકારી સહાય પણ મળી. પરિણામે ઉત્પાદન સતત વધતું ગયું અને ઇટાલી ફ્રાન્સને પાછળ છોડી શક્યું.

અમેરિકાની સ્થિતિ શું છે?

અમેરિકા પણ વાઇન ઉત્પાદનમાં મોટું નામ છે, ખાસ કરીને કેલિફોર્નિયા રાજ્ય વાઇન માટે પ્રસિદ્ધ છે. અહીં આધુનિક મશીનો અને મોટા રોકાણને કારણે ઉત્પાદન મજબૂત છે. તેમ છતાં, અમેરિકાનું કુલ ઉત્પાદન ઇટાલી અને ફ્રાન્સ કરતાં ઓછું છે. સાથે સાથે ઉત્પાદન ખર્ચ પણ વધુ હોવાથી અમેરિકા સામાન્ય રીતે ત્રીજા સ્થાન આસપાસ રહે છે.

ઇટાલીની અર્થવ્યવસ્થામાં વાઇનનું મહત્વ

ઇટાલીની અર્થવ્યવસ્થામાં વાઇન ઉદ્યોગનું મહત્વ ખૂબ મોટું છે. લાખો લોકો આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે. ખેતી, પેકેજિંગ, ટ્રાન્સપોર્ટ અને પર્યટન જેવા અનેક ક્ષેત્રોને આથી રોજગાર અને આવક મળે છે. ઇટાલીની વાઇન વિશ્વના અનેક દેશોમાં નિકાસ થાય છે અને યુરોપ, અમેરિકા તેમજ એશિયામાં તેની ભારે માંગ છે. ભારતમાં પણ ઇટાલિયન વાઇનનો બજાર ધીમે ધીમે વધી રહ્યો છે.

વાઇન ટૂરિઝમથી પણ મળે છે મોટો ફાયદો

ઇટાલીમાં વાઇન ટૂરિઝમ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. લોકો દ્રાક્ષના ખેતરો જોવા જાય છે અને વાઇન બનાવવાની પ્રક્રિયા સમજવા માટે ખાસ પ્રવાસ કરે છે. ઘણા ફાર્મ પર્યટકોને રહેવાની અને ભોજનની સુવિધા પણ આપે છે. ટસ્કની, પીડમોન્ટ અને વેનેટો જેવા વિસ્તારો વાઇન પર્યટન માટે વિશ્વભરમાં જાણીતા છે. દર વર્ષે લાખો પ્રવાસીઓ અહીં પહોંચે છે.

ઇટાલીની લોકપ્રિય વાઇન કઈ છે?

ઇટાલી ઘણી પ્રસિદ્ધ વાઇન માટે ઓળખાય છે. તેમાં કિયાન્ટી, પ્રોસેકો અને બારોલો જેવી વાઇન ખાસ લોકપ્રિય છે. અલગ અલગ વિસ્તારોની વાઇનનો સ્વાદ પણ અલગ હોય છે. ઇટાલીમાં વાઇનને માત્ર પીણું નહીં, પરંતુ સંસ્કૃતિનો મહત્વનો ભાગ માનવામાં આવે છે. ભોજન સાથે વાઇન પીવાની પરંપરા અહીં વર્ષોથી ચાલી આવે છે.

વિશ્વના ટોપ વાઇન ઉત્પાદક દેશો

આંતરરાષ્ટ્રીય આંકડાઓ મુજબ વિશ્વમાં સૌથી વધુ વાઇન ઉત્પાદન કરનારા દેશોમાં ઇટાલી પ્રથમ સ્થાને છે. ત્યારબાદ ફ્રાન્સ, સ્પેન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, ચિલી, આર્જેન્ટિના, દક્ષિણ આફ્રિકા, જર્મની અને પોર્ટુગલનો સમાવેશ થાય છે. આ દેશોમાં મોટા પાયે દ્રાક્ષની ખેતી થાય છે, જે વાઇન ઉદ્યોગનો મુખ્ય આધાર છે.

ભારતમાં પણ વધી રહ્યા છે વાઇનના બજાર

ભારતમાં પણ હવે વાઇન પીતા લોકોની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં દ્રાક્ષની ખેતી અને વાઇન ઉત્પાદન વધી રહ્યું છે. નાસિકને ભારતની વાઇન રાજધાની તરીકે ઓળખવામાં આવે છે. હાલમાં ભારત વિશ્વના મોટા ઉત્પાદકોમાં નથી, પરંતુ ભવિષ્યમાં આ ક્ષેત્રમાં મોટી સંભાવનાઓ દેખાઈ રહી છે.

ટેક્નોલોજીથી મળ્યો મોટો ફાયદો

આધુનિક સમયમાં વાઇન ઉદ્યોગમાં નવી ટેક્નોલોજીનો ઝડપથી ઉપયોગ થઈ રહ્યો છે. ડ્રોન, હવામાન પૂર્વાનુમાન અને આધુનિક સિંચાઈ પદ્ધતિઓના કારણે ખેતી સરળ બની છે અને પાકને નુકસાન ઓછું થયું છે. ઇટાલીએ આ ટેક્નોલોજી ઝડપથી અપનાવી, જે તેની સફળતાનું એક મહત્વનું કારણ માનવામાં આવે છે.

વિશ્વમાં સતત વધી રહી છે વાઇનની માંગ

વિશ્વભરમાં વાઇનની માંગ સતત વધી રહી છે. ખાસ કરીને યુવા વર્ગ નવા સ્વાદોને પસંદ કરી રહ્યો છે. તેથી ઘણા દેશો હવે વાઇન ઉદ્યોગમાં વધુ રોકાણ કરી રહ્યા છે. ઇટાલીએ ગુણવત્તા અને બ્રાન્ડિંગ પર ખાસ ધ્યાન આપીને આ તકનો સૌથી વધુ લાભ લીધો છે.

સરળ શબ્દોમાં કહીએ તો ઇટાલીએ મહેનત, પરંપરા અને આધુનિક ટેક્નોલોજીના આધારે વિશ્વમાં વાઇન ઉત્પાદનનું અનોખું સ્થાન બનાવ્યું છે. ફ્રાન્સ, સ્પેન અને અમેરિકા જેવા દેશોને પાછળ છોડવું સરળ નહોતું, પરંતુ ઇટાલીએ તે શક્ય બનાવ્યું. ઉત્તમ હવામાન, વિવિધ પ્રકારની દ્રાક્ષ, મજબૂત નિકાસ અને વધતા પર્યટનના કારણે આજે ઇટાલી વિશ્વનું સૌથી મોટું વાઇન હબ બની ગયું છે.

PM મોદીએ મેલોનીને 1 રુપિયાની ‘મેલોડી ચોકલેટ’ ગિફ્ટમાં આપી, ઈટલીના PMએ શેર કર્યો Video

સૂરજ આથમ્યા પછી શરૂ થાય છે અસલી ખતરો, રાતની આ એક ભૂલ વધારી રહી છે હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ !

મે મહિનો પૂરું થવાના આરે છે અને દેશભરમાં ગરમીનો પારો 47 ડિગ્રીની નજીક પહોંચી ગયો છે. હવામાન વિભાગ સતત હીટવેવની ચેતવણી આપી રહ્યું છે અને આપણને બપોરે બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ આ ભયાનક ગરમીની વચ્ચે એક એવો છુપો ખતરો મંડરાઈ રહ્યો છે, જેના પર સામાન્ય રીતે કોઈનું ધ્યાન જતું નથી. આ ખતરો દિવસના અજવાળામાં નહીં, પરંતુ સૂરજ આથમ્યા પછી એટલે કે અંધારું થયા પછી શરૂ થાય છે. આ ખતરો છે ‘વોર્મ નાઇટ્સ’ એટલે કે ગરમ રાતોનો.

આપણે એવું માની લઈએ છીએ કે રાત પડતાં જ શરીરને ગરમીથી રાહત મળી જશે, પરંતુ હવે એવું નથી રહ્યું. ઘણા શહેરોમાં રાતનું તાપમાન પણ ખૂબ ઊંચું રહે છે, જે સ્વાસ્થ્ય માટે એક મોટું રહસ્યમય જોખમ બની ગયું છે.

રાત્રે શરીર ઠંડું ન થાય તો હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે

આપણા શરીરનું સામાન્ય તાપમાન અંદાજે 36.9 ડિગ્રી સેલ્સિયસ હોય છે. દિવસભર ગરમી સામે લડવા માટે શરીર પસેવો પાડે છે. પરંતુ રાતનો સમય શરીરના આરામ અને રિકવરી માટેનો હોય છે. આ જ સમયે શરીર પોતાની જાતને રિપેર કરે છે.

જો રાત્રે પણ વાતાવરણ ગરમ રહે, તો શરીર સતત તણાવ (સ્ટ્રેસ) માં રહે છે. આનાથી શરીરને રિકવરીની તક મળતી નથી અને તે સીધી તમારા દિલ અને મગજ પર અસર કરે છે.

સંશોધનમાં થયો ચોંકાવનારો ખુલાસો

અમેરિકાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ (NIH) દ્વારા 1993થી 2015 વચ્ચે કરવામાં આવેલા એક લાંબા રિસર્ચમાં ચોંકાવનારી વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોના મતે, રાતનું વધતું તાપમાન સીધું જ મૃત્યુદર સાથે જોડાયેલું છે. જ્યારે દિવસ અને રાત બંને સમયે તાપમાન ઊંચું રહે છે, ત્યારે હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકનું જોખમ અનેક ગણું વધી જાય છે. ચિંતાની વાત એ છે કે આની અસર હવે ઓછી ઉંમરના લોકો પર પણ જોવા મળી રહી છે.

સૌથી પહેલો હુમલો ઊંઘ પર

ડોક્ટરોના જણાવ્યા મુજબ, સારી ઊંઘ માટે શરીરનું તાપમાન થોડું ઓછું થવું જરૂરી છે. પરંતુ ગરમ રાતોના કારણે લોકો વારંવાર જાગી જાય છે, બેચેની થાય છે અને પસેવો વળે છે. પૂરતી ઊંઘ ન મળવાના કારણે આ સમસ્યાઓ થાય છે:

  • બ્લડ પ્રેશર અચાનક વધી જવું
  • હૃદયની બીમારીઓનું જોખમ વધવું
  • ઇમ્યુન સિસ્ટમ નબળી પડવી
  • દિવસભર થાક, ચિડચિડાપણું અને તણાવ રહેવો

કોણે સૌથી વધુ સાવધ રહેવાની જરૂર છે?

ગરમ રાતોની સૌથી વધુ ઘાતક અસર આ લોકો પર થઈ શકે છે:

  • વૃદ્ધો અને નાના બાળકો
  • હાર્ટ પેશન્ટ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ
  • ડાયાબિટીસ અને અસ્થમાના દર્દીઓ

આવતા ખતરાથી કેવી રીતે બચશો?

ડોક્ટરો સલાહ આપે છે કે આ સિઝનમાં માત્ર દિવસ પૂરતું જ નહીં, પણ રાત્રે પણ શરીરને ઠંડક આપવી જરૂરી છે:

  • રાત્રે સૂતા પહેલા હળવો અને ઓછો મસાલાવાળો ખોરાક લો.
  • રૂમને બને તેટલો ઠંડો રાખવાનો પ્રયત્ન કરો અને હળવા સૂતી (કોટન) કપડાં પહેરો.
  • શરીરમાં પાણીની કમી ન થવા દો, રાત્રે પણ થોડું થોડું પાણી પીતા રહો.
  • જો રાત્રે અસહ્ય ગરમી લાગે, તો સૂતા પહેલા નહાઈ શકો છો.

હવામાનનો મિજાજ ઝડપથી બદલાઈ રહ્યો છે, તેથી હવે માત્ર બપોરના તડકાથી જ નહીં, પણ રાતની ગરમીથી બચવું પણ એટલું જ જરૂરી બની ગયું છે.

લીલી કે કાળી એલચી, આરોગ્ય માટે કઈ છે સૌથી વધુ ગુણકારી? જાણી લો બંને વચ્ચેનો અસલી તફાવત

Breaking News: ગુજરાતના સ્ટાર ખેલાડીઓ રવિન્દ્ર જાડેજા અને અક્ષર પટેલને ટીમ ઈન્ડિયામાંથી કેમ કરવામાં આવ્યા બહાર?

 

પાકિસ્તાન અને બાંગ્લાદેશના ખેલાડીઓ મેદાનમાં બાખડ્યા, સ્ટમ્પ માઇકમાં કેદ થઇ બબાલ, જુઓ Video

સિલ્હટ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાની વિકેટકીપરબેટર Mohammad Rizwan મેદાન પર થયેલી ગરમાગરમીને કારણે ચર્ચામાં આવ્યા હતા. મેચના ચોથા દિવસે 437 રનના મુશ્કેલ લક્ષ્યનો પીછો કરતી વખતે રિઝવાન એક છેડે ટકી રહ્યા હતા, પરંતુ આ દરમિયાન તેમની અને બાંગ્લાદેશના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી જોવા મળી હતી.

કેવી રીતે શરૂ થયો વિવાદ?

આ ઘટના પાકિસ્તાનની ઇનિંગ્સના 72મા ઓવરમાં બની હતી. રિઝવાન અચાનક પોતાની બેટિંગ સ્ટાન્સમાંથી બહાર આવ્યા અને અમ્પાયર પાસે સાઇટસ્ક્રીન પાછળ હલચલ થતી હોવાની ફરિયાદ કરી. તેમને લાગ્યું કે બાઉન્ડરી નજીક થતી હરકત તેમની એકાગ્રતા ભંગ કરી રહી છે.

રિઝવાનની આ હરકતથી બાંગ્લાદેશના વિકેટકીપર લિટન દાસ નારાજ દેખાયા. સ્ટમ્પ માઇકમાં લિટન દાસ કહેતા સાંભળાયા, “તમે શું કરી રહ્યા છો?” તેના જવાબમાં રિઝવાને સાઇટસ્ક્રીનની તરફ ઇશારો કરીને ધ્યાન ભંગ થતું હોવાની વાત કરી.

લિટન દાસે તરત જ કહ્યું, “તમે ત્યાં શું જુઓ છો? અહીં બેટિંગ પર ધ્યાન આપો.”

આ બાદ રિઝવાને પણ તીખો જવાબ આપ્યો. તેમણે કહ્યું, “આ તમારું કામ છે, મારું કે પછી અમ્પાયરનું?” જેના કારણે બંને ખેલાડીઓ વચ્ચે વાતાવરણ વધુ તંગ બન્યું.

પરિસ્થિતિ બગડતી જોઈ મેદાન પરના અમ્પાયર અલ્લાહુદ્દીન પાલેકર અને રિચર્ડ કેટલબરો વચ્ચે આવ્યા અને બંને ખેલાડીઓને શાંત પાડવાનો પ્રયાસ કર્યો.

સ્ટમ્પ માઇકમાં કેદ થયા ટિપ્પણીઓ

અમ્પાયરે મામલો શાંત કર્યા બાદ પણ બાંગ્લાદેશના કેટલાક ખેલાડીઓ રિઝવાન પર ટિપ્પણીઓ કરતા રહ્યા. સ્ટમ્પ માઇકમાં નજીક ઉભેલા ફિલ્ડરોની મજાકિય ટિપ્પણીઓ સ્પષ્ટ સાંભળાઈ હતી.

એક ખેલાડીએ બોલીવુડ ફિલ્મ ‘હેરાફેરી’નો જાણીતો ડાયલોગ બોલતા કહ્યું, “ઓવરએક્ટિંગના 50 પૈસા કપાશે.”

બીજા ખેલાડીએ ટિપ્પણી કરી, “ખૂબ જ સારી એક્ટિંગ કરે છે, બધાને શીખવાડે છે.”

જ્યારે અન્ય એક ખેલાડી બોલ્યો, “હવે તો અડધી સદી થઈ ગઈ છે, ટીમમાં જગ્યા પાક્કી થઈ ગઈ એટલે આવું કરે છે.”

આ સમગ્ર ઘટના પછી મેદાન પરનો માહોલ લાંબા સમય સુધી ચર્ચાનો વિષય રહ્યો હતો.

IPL 2026 KKR vs MI : KKR vs MIની મેચમાં ગરમીનો ખતરો, ખેલાડીઓને કરશે પરેશાન?

 

Breaking News : ભરૂચ જેલમાં ફરી મોબાઈલ મળતા ખળભળાટ મચ્યો: લાપરવાહી કે મિલીભગત?

ભરૂચ : હાઈ સિક્યોરિટી ગણાતી ભરૂચ જિલ્લા જેલમાંથી ફરી એકવાર પ્રતિબંધિત વસ્તુ મળી આવતા તંત્રમાં ભારે સળવળાટ શરૂ થયો છે. અમદાવાદની સ્પેશિયલ જેલ સર્ચ સ્ક્વોડ દ્વારા ભરૂચ જેલમાં પાડવામાં આવેલા આકસ્મિક દરોડા દરમિયાન બેરેક નજીકના શૌચાલયમાંથી બિનવારસી હાલતમાં એક મોબાઈલ ફોન મળી આવ્યો છે. આ ઘટનાને પગલે જેલની કડક સુરક્ષા વ્યવસ્થા અને લોખંડી પહેરા પર મોટા સવાલો ઉભા થયા છે.

ફોન મળ્યો પણ સીમકાર્ડ ગાયબ

પ્રાપ્ત વિગતો અનુસાર જેલ મહાનિદેશકની સૂચનાના આધારે અમદાવાદથી 7 સભ્યોની એક્શન પ્લાન સર્ચ સ્ક્વોડ ભરૂચ જિલ્લા જેલ ખાતે પહોંચી હતી. ટીમે જેલના અલગ-અલગ સર્કલો અને બેરેકોની સઘન તપાસ શરૂ કરી હતી. આ દરમિયાન સર્કલ નંબર 02 માં આવેલી બેરેક C/1 ની બાજુના બીજા નંબરના ટોઇલેટમાં પોખરામાં છુપાવી રાખેલો એક કાળા રંગનો નોકિયા કંપનીનો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. આ ફોન ચાલુ હાલતમાં હતો અને તેમાં બેટરી હતી પરંતુ અંદર કોઈ સિમ કાર્ડ રાખવામાં આવ્યું ન હતું.

પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા

આ મામલે સર્ચ સ્ક્વોડના જેલર ગ્રુપ-૧ દેવસીભાઈ રણમલભાઈ કરંગીયાએ ભરૂચ શહેર “બી” ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 223 તથા પ્રિઝન એક્ટની કલમ 42, 43 અને 45(12) હેઠળ ગુનો નોંધીને હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ મકવાણાને તપાસ સોંપવામાં આવી છે.

સુરક્ષા માટે કેટલો મોટો ખતરો?

જેલના બંધ સળિયા પાછળ કેદીઓ પાસે મોબાઈલ ફોન હોવો એ માત્ર નિયમોનું ઉલ્લંઘન નથી પરંતુ કાયદો અને વ્યવસ્થા માટે એક ગંભીર જોખમ માનવામાં આવે છે.

  • ગુનાહિત નેટવર્કના સંચાલનનો ભય : જેલની અંદર બેસીને રીઢા ગુનેગારો બહાર પોતાના સાથીદારો સાથે સંપર્ક જાળવી રાખે છે અને ગુનાહિત કાવતરાંઓ સરળતાથી ઘડે છે.
  • સાક્ષીઓને ધમકાવવાની શક્યતા : કોર્ટમાં ચાલી રહેલા કેસોના સાક્ષીઓ અથવા ફરિયાદીઓને જેલમાંથી જ ફોન કરીને ડરાવવામાં કે ધમકાવવામાં આવે તેવો ભય રહે છે
  • જેલ સ્ટાફની મિલીભગત કે લાપરવાહી? : આટલી કડક તપાસ અને સીસીટીવી કેમેરા હોવા છતાં જેલના સંકુલમાં છેક બેરેક સુધી ફોન કેવી રીતે પહોંચ્યો? આમાં જેલના જ કોઈ કર્મચારી કે બહારના તત્વોની સંડોવણી કે જેલ સ્ટાફની લાપરવાહી તે પ્રશ્ન ઉઠી રહ્યા છે

મોબાઈલ ફોનની FSL તપાસ થશે

હાલમાં પોલીસે આ જપ્ત કરાયેલા મોબાઈલ ફોનને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) માં મોકલવાની તજવીજ હાથ ધરી છે. FSL ના રિપોર્ટ બાદ જ ખબર પડશે કે આ ફોનમાંથી કયા-કયા નંબરો પર વાત થઈ હતી અને કયા કેદીઓ આનો ઉપયોગ કરતા હતા. આ ચકચારી ઘટનાએ ભરૂચ જિલ્લા જેલની આંતરિક સુરક્ષા પોલ ખોલી નાખી છે.

Breaking News: ધોની સામે ઈશાન કિશને CSK ફેન્સની ઉડાવી મજાક, સીટી વગાડી-ઘરે જવાનો ઈશારો કર્યો, વીડિયો વાયરલ

18 મેના રોજ ચેન્નાઈમાં રમાયેલી IPL 2026 ની મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે CSK ને હરાવ્યું. આ જીતનો હીરો ઈશાન કિશન હતો. તેણે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, જીત પછી ઈશાન કિશને જે કર્યું તેની સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા થઈ છે.

ધોની સામે જ કિશનનું અસભ્ય વર્તન

CSK અને SRH વચ્ચેની મેચ પછી ચેપોક સ્ટેડિયમમાં ઈશાન કિશનની હરકત કેમેરામાં કેદ થઈ ગઈ. CSK ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા પછી ઈશાન સ્ટેડિયમમાં બેઠેલા CSK ચાહકો સામે સીટી વગાડતો જોવા મળ્યો હતો. જ્યારે ઈશાન આ કરી રહ્યો હતો, ત્યારે ધોની અન્ય SRH ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સાથે હાથ મિલાવી રહ્યો હતો.

 

CSK ફેન્સ સામે સીટી વગાડી

ચેન્નાઈ સુપર કિંગ્સના ચાહકો તેમની ટીમને ટેકો આપવા માટે સીટી વગાડે છે. આને વ્હિસલ પોડુ તરીકે પણ ઓળખવામાં આવે છે. SRH સામેની મેચ દરમિયાન CSKના ચાહકો સીટી વગાડતા રહ્યા. જોકે, CSK મેચ હારી ગયું. મેચ પછી SRH ના ઈશાન કિશને સીટી વગાડી CSK ફેન્સની મજાક ઉડાવી.

 

સ્ટેડિયમ છોડવાનો ઈશારો કર્યો

ઈશાન કિશન ફક્ત સીટી વગાડીને અટક્યો નહીં. ત્યારબાદ તેણે CSK ચાહકોને સ્ટેડિયમ છોડી જવા માટે પણ ઈશારો કર્યો.

 

CSK સામે ઈશાન કિશનનું પ્રદર્શન

CSK સામે SRHની જીતમાં ઈશાન કિશનને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે 47 બોલમાં 70 રન બનાવ્યા હતા. આ સિઝનમાં આ તેની પાંચમી ફિફ્ટી હતી, જેમાં તેણે સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા.

Breaking News: SRH કેપ્ટન પેટ કમિન્સે T20 માં 200 વિકેટ પૂર્ણ કરી, IPL માં બન્યો નંબર-1

 

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

જામનગરના રણમલ લેકમાં પક્ષીઘરમાં પાણીના ફુવારા કાર્યરત કરાયા, પક્ષીઓને ગરમીથી બચાવવા ખાસ વ્યવસ્થા

જામનગર મહાનગરપાલિકાએ રણમલ લેક સ્થિત પક્ષીઘરમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી પક્ષીઓને રાહત આપવા વિશેષ આયોજન કર્યું છે. પક્ષીઘરના પાંજરાઓમાં આધુનિક પાણીના ફૂવારા અને ઠંડકની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રણમલ લેકના મધ્યભાગમાં આવેલા આ પક્ષીઘરમાં લવબર્ડ, બજરિગર સહિત વિવિધ છ પ્રજાતિના આશરે ચારસો જેટલા રંગબેરંગી પક્ષીઓ વસવાટ કરે છે. તેમના માટે 20 જેટલા વિશાળ પાંજરાઓ બનાવવામાં આવ્યા છે.

વધતી ગરમીને ધ્યાનમાં રાખીને દરેક પાંજરામાં ખાસ પ્રકારના પાણીના ફૂવારા કાર્યરત કરાયા છે. આ ફૂવારા સતત પાણીનો છંટકાવ કરીને ઠંડકનું વાતાવરણ જાળવી રાખે છે, જેથી પક્ષીઓને ગરમીમાં રાહત મળે. મહાનગરપાલિકા દ્વારા બપોરના સમયે ખાસ સમયગાળા દરમિયાન આ ફૂવારા ચાલુ રાખવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વહેલી સવારે પક્ષીઓને ખોરાક અપાય છે, ત્યારબાદ બપોરે ખોરાકની ટ્રે દૂર કરી ફૂવારા શરૂ કરાય છે. સાંજે ફૂવારા બંધ કરી ફરી ખોરાક આપવામાં આવે છે.

મનપા તંત્ર દ્વારા જણાવાયું છે કે આ સંપૂર્ણ વ્યવસ્થા પક્ષીઓના આરોગ્ય અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે. આ આયોજન મ્યુનિ.કમિશ્નરના માર્ગદર્શન હેઠળ ગોઠવવામાં આવ્યું છે. શહેરમાં વધી રહેલી ગરમી વચ્ચે મહાનગરપાલિકાના આ પ્રયાસને પક્ષીપ્રેમીઓ દ્વારા પણ પ્રશંસા મળી રહી છે.

ધાર ભોજશાળા: જ્યાં કાલિદાસ અને બાણભટ્ટ વિદ્યા વહેંચતા, સરસ્વતીનું એ પવિત્ર ધામ જે ફરી ગુંજશે વેદ મંત્રોથી

સરકારી બેંકો અને LIC ના બજેટ પર કેન્દ્ર સરકારની કડકાઈ ! બિનજરૂરી ખર્ચાઓ પર તાત્કાલિક રોક લગાવવાનો આદેશ

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ, આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના આસમાને પહોંચેલા ભાવ અને વધતી મોંઘવારી વચ્ચે કેન્દ્ર સરકારે એક મોટું આર્થિક પગલું ભર્યું છે. નાણાં મંત્રાલયે જાહેર ક્ષેત્રની તમામ સરકારી બેંકો, વીમા કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓને તેમના દૈનિક ખર્ચમાં ભારે કાપ મૂકવાનો સખત આદેશ આપ્યો છે. સરકારનો ઉદ્દેશ્ય સરકારી સંસ્થાઓમાં થતા બિનજરૂરી ખર્ચાઓને રોકીને આર્થિક શિસ્ત લાવવાનો છે.

આ મોટી સરકારી સંસ્થાઓ અને કર્મચારીઓ પર થશે સીધી અસર

સરકારના આ કડક નિર્ણયની સીધી અસર દેશની દિગ્ગજ નાણાકીય સંસ્થાઓ જેવી કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), પંજાબ નેશનલ બેંક (PNB), બેંક ઓફ બરોડા (BoB) અને ભારતીય જીવન વીમા નિગમ (LIC) પર પડવાની છે. આ સંસ્થાઓમાં લાખો કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ફરજ બજાવે છે, જેમના માટે હવે કામ કરવાની આખી રીત બદલાઈ જશે.

હવે પ્રવાસ બંધ, વીડિયો કોન્ફરન્સિંગથી ચાલશે કામ

નાણાં મંત્રાલયના નાણાકીય સેવાઓ વિભાગ દ્વારા જાહેર કરાયેલા નિર્દેશોમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે:

  • બેંકો અને વીમા કંપનીઓની મોટાભાગની મીટિંગ, રિવ્યુ અને કન્સલ્ટેશન હવે રૂબરૂ મળવાના બદલે વીડિયો કોન્ફરન્સિંગ (વર્ચ્યુઅલ માધ્યમ) દ્વારા જ કરવાના રહેશે.
  • માત્ર અત્યંત અનિવાર્ય સંજોગોમાં જ અધિકારીઓ કે કર્મચારીઓને પ્રવાસ કરવાની અને રૂબરૂ હાજર રહેવાની મંજૂરી આપવામાં આવશે.
  • ચેરમેન, એમડી અને સીઇઓ કક્ષાના ટોચના અધિકારીઓની વિદેશ યાત્રાઓ પર પણ મોટી કાતર ચલાવવામાં આવી છે. તેમની વિદેશ યાત્રાઓ મર્યાદિત રાખવા અને આંતરરાષ્ટ્રીય બેઠકોમાં પણ ઓનલાઈન માધ્યમ અપનાવવા જણાવાયું છે.

પેટ્રોલ-ડીઝલની ગાડીઓ હટશે, ઇલેક્ટ્રિક વાહનો ફરજિયાત બનશે

ખર્ચ ઘટાડવાની સાથે પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને મંત્રાલયે વધુ એક મોટો આદેશ આપ્યો છે. તમામ સરકારી નાણાકીય સંસ્થાઓને પેટ્રોલ અને ડીઝલ વાહનોનો ઉપયોગ તબક્કાવાર બંધ કરવા જણાવાયું છે. મુખ્ય મથકો (હેડક્વાર્ટર) અને વિવિધ શાખાઓમાં અત્યાર સુધી ભાડે રાખવામાં આવેલી પરંપરાગત ગાડીઓની જગ્યાએ હવે ફરજિયાતપણે ઇલેક્ટ્રિક કાર (EV) નો વપરાશ વધારવાનો રહેશે.

સરકારે કેમ લેવો પડ્યો આ કડક નિર્ણય?

આ મહત્વપૂર્ણ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એ તાજેતરની અપીલ બાદ લેવામાં આવ્યો છે, જેમાં તેમણે તમામ સરકારી સંસ્થાઓ અને કર્મચારીઓને સંયમ રાખવા તેમજ ઓછામાં ઓછો ખર્ચ કરવાની નીતિ અપનાવવા જણાવ્યું હતું. વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતા વચ્ચે દેશની નાણાકીય સ્થિતિ મજબૂત રાખવા માટે આ આદેશો જાહેર કરાયા છે અને તમામ મંત્રાલયોને તેનું કડકાઈથી પાલન કરાવવા સૂચના અપાઈ છે.

વૈશ્વિક મોંઘવારીના દબાણ વચ્ચે સરકારનો આ નિર્ણય સરકારી બેંકો અને એલઆઈસી જેવી સંસ્થાઓના નફાને વધારવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. હવે જોવાનું એ રહેશે કે આ કડક માર્ગદર્શિકા લાગુ થયા પછી આ મોટી સંસ્થાઓ પોતાના વાર્ષિક બજેટમાં કેટલા કરોડો રૂપિયાની બચત કરી શકે છે.

બેંક એકાઉન્ટ વગર જ બાળકો પણ કરી શકશે UPI પેમેન્ટ ! Paytm લાવ્યું ખાસ પોકેટ મની ફીચર

RRB Technician Recruitment: રેલવેમાં 6565 જગ્યાઓ માટે ભરતી, અરજી પ્રક્રિયા 30 જૂનથી થશે શરૂ, જાણો વિગતો

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

પીએફ ખાતાધારકો માટે ખુશખબર ! EPFO એ પ્રોફાઈલ સુધારવાનું કામ કર્યું વધારે આસાન, જાણો ઘરે બેઠા બેઠા શું સુધારી શકશો

પીએફ ખાતાધારકો માટે સામાન્ય રીતે પ્રોફાઈલમાં રહેલી ભૂલો જેમ કે નામની સ્પેલિંગ, ખોટી જન્મતારીખ અથવા પિતાના નામમાં વિસંગતતા મોટી આફત સમાન સાબિત થતી હતી. ભૂતકાળમાં આ નાની ભૂલો સુધારવા માટે પીએફ ઓફિસ અને કંપનીના અસંખ્ય ધક્કા ખાવા પડતા હતા. પરંતુ હવે કર્મચારીઓ રોકાણ અને ઉપાડની પ્રક્રિયા સરળતાથી કરી શકે તે માટે ઈપીએફઓએ જોઈન્ટ ડિક્લેરેશન (Joint Declaration) ની આખી સિસ્ટમને પેપરલેસ અને ઓનલાઈન કરી દીધી છે. હવે સભ્યો કોઈપણ વચેટીયા વગર સીધા જ પોતાની વિગતો સુધારી શકશે.

આટલી વિગતોમાં ઘરે બેઠા થશે ફેરફાર

નવા નિયમો અને સત્તાવાર માહિતી અનુસાર, પીએફ સભ્યો પોતાની પ્રોફાઈલમાં આપેલું નામ, લિંગ (જેન્ડર), જન્મતારીખ, રાષ્ટ્રીયતા, વૈવાહિક સ્થિતિ, માતા-પિતા અથવા પતિ-પત્નીનું નામ, કંપનીમાં જોડાયાની તારીખ (જૉઇનિંગ ડેટ) અને નોકરી છોડ્યાની તારીખ (એક્ઝિટ ડેટ) સહિતની મહત્વની વિગતોમાં ઓનલાઈન સુધારો કરાવી શકે છે.

ઓનલાઈન અરજી કરવા માટેનો સ્ટેપ-બાય-સ્ટેપ આખો પ્લાન:

આ ઓનલાઈન સુવિધાનો લાભ લેવા માટે કર્મચારી પાસે યુએએન (UAN) નંબર હોવો અને તે આધાર કાર્ડ સાથે લિંક હોવો ફરજિયાત છે. જો આ સુવિધા ઉપલબ્ધ હોય તો નીચે મુજબના પગલાં ભરવાના રહેશે:

  • સ્ટેપ 1: સૌ પ્રથમ ઈપીએફઓના સત્તાવાર યુનિફાઈડ મેમ્બર પોર્ટલ પર જાઓ. ત્યાં તમારો UAN નંબર, પાસવર્ડ અને કેપ્ચા કોડ દાખલ કરીને લોગ ઈન કરો.
  • સ્ટેપ 2: પોર્ટલ ખુલ્યા પછી ઉપર દેખાતા ‘Manage’ ટેબ પર ક્લિક કરો અને ડ્રોપડાઉન મેન્યુમાંથી ‘Joint Declaration’ નો વિકલ્પ પસંદ કરો.
  • સ્ટેપ 3: હવે તમારી કંપનીની મેમ્બર આઈડી (Member ID) ની પસંદગી કરો. આટલું કરતા જ તમારી હાલની પ્રોફાઈલ વિગતો સ્ક્રીન પર દેખાશે.
  • સ્ટેપ 4: જે વિગત કે સ્પેલિંગમાં ભૂલ હોય, તેની સામે આપેલા ખાનામાં સાચી માહિતી ટાઈપ કરો.
  • સ્ટેપ 5: આ સુધારાના સમર્થન માટે જરૂરી દસ્તાવેજો જેવા કે પાનકાર્ડ, માર્કશીટ, અન્ય પ્રમાણપત્ર અથવા ઓળખપત્રની સ્કેન કોપી પીડીએફ (PDF) ફોર્મેટમાં અપલોડ કરો.
  • સ્ટેપ 6: બધી વિગતો ભર્યા પછી આધાર કાર્ડ સાથે લિંક થયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી (OTP) આવશે. તેને એન્ટર કરીને રિક્વેસ્ટ ફાઇનલ સબમિટ કરો.
  • સ્ટેપ 7: આ રિક્વેસ્ટ ડિજિટલ માધ્યમથી સીધી તમારી કંપની પાસે જશે. કંપની આ વિગતો ચકાસીને ડિજિટલ સિગ્નેચર દ્વારા તેને પીએફ ઓફિસને ફોરવર્ડ કરશે અને તમારી પ્રોફાઈલ અપડેટ થઈ જશે.

જો કંપની બંધ થઈ ગઈ હોય તો શું કરવું?

ઘણી વખત એવી પરિસ્થિતિ ઊભી થાય છે જ્યાં કર્મચારીની જૂની કંપની કાયમી ધોરણે બંધ થઈ ગઈ હોય. આવી સ્થિતિમાં ઓનલાઈન અરજી સબમિટ થઈ શકતી નથી. તેના ઉકેલ માટે કર્મચારીએ ઈપીએફઓની વેબસાઈટ પરથી ઓફલાઈન ‘Joint Declaration Form’ ડાઉનલોડ કરવો પડશે. આ ફોર્મ વ્યવસ્થિત ભરીને તેના પર બેંક મેનેજર અથવા કોઈ ગેઝેટેડ (રાજપત્રિત) અધિકારીના સિક્કા અને સહી કરાવીને વેરિફિકેશન કરાવવું પડશે. ત્યારબાદ આ ફોર્મ જરૂરી દસ્તાવેજો સાથે નજીકની પીએફ ઓફિસમાં રૂબરૂ જમા કરાવવાનું રહેશે.

સરકારનું આ ડિજિટલ કદમ લાખો કર્મચારીઓનો સમય અને નાણાં બચાવશે. હવે જોવાનું એ રહેશે કે ઓનલાઈન રિક્વેસ્ટ સબમિટ કર્યા પછી પીએફ ઓફિસ તરફથી કેટલા દિવસમાં આ સુધારો મંજૂર કરવામાં આવે છે.

ઘર બંધ હશે કે એસી-પંખા બંધ રાખશો તો પણ આવશે મોટું બિલ! સરકારી કંપનીઓ વધારી રહી છે આ ચાર્જીસ

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Bike Transport by Train : ટ્રેન દ્વારા બાઇક કેવી રીતે મોકલવી?

કરોડો વિદ્યાર્થીઓનું ભવિષ્ય નક્કી કરતી સંસ્થા NTA ની સ્થાપનાથી લઈને NEET વિવાદ સુધીની ઇનસાઇડ સ્ટોરી

ભારતમાં દર વર્ષે કરોડો વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ અને સરકારી સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે રાષ્ટ્રીય સ્તરની પરીક્ષાઓ આપે છે. આ પરીક્ષાઓને નિષ્પક્ષ, પારદર્શક અને ટેકનોલોજીથી સજ્જ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ એજન્સીની રચના કરવામાં આવી હતી, જેને આપણે NTA (National Testing Agency) તરીકે ઓળખીએ છીએ. પરંતુ, જે એજન્સીને પેપર લીક અને ગેરરીતિઓ રોકવા માટે બનાવવામાં આવી હતી, આજે તે પોતે જ કરોડો વિદ્યાર્થીઓના આક્રોશનો સામનો કરી રહી છે.

NTA શું છે અને તેની સ્થાપના ક્યારે થઈ?

NTA નું પૂરું નામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી (રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી) છે. તે ભારત સરકારના શિક્ષણ મંત્રાલય હેઠળ કામ કરતી એક સંપૂર્ણ સ્વાયત્ત (સ્વતંત્ર) પરીક્ષા સંસ્થા છે. આ એજન્સીની સ્થાપના વર્ષ 2017 માં કરવામાં આવી હતી. આ પહેલાં અલગ-અલગ સંસ્થાઓ વિવિધ પરીક્ષાઓ યોજતી હતી, જેના કારણે વ્યવસ્થા પર સવાલો ઉઠતા હતા. આ સમસ્યાના કાયમી ઉકેલ માટે સરકારે એક પ્રોફેશનલ એજન્સી તરીકે NTA ની શરૂઆત કરી.

સ્થાપના પાછળનો મુખ્ય હેતુ શું હતો?

પહેલાની પરીક્ષા પદ્ધતિમાં વહીવટી તંત્રને ઘણી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો, જેમ કે:

  • પેપર લીક થવાની વારંવાર બનતી ઘટનાઓ.
  • જુદા જુદા રાજ્યોમાં પરીક્ષાની અલગ-અલગ અને અસમાન વ્યવસ્થા.
  • પરીક્ષા કેન્દ્રો પર ટેકનિકલ ખામીઓ સર્જાવી.
  • પરિણામો જાહેર કરવામાં થતો લાંબો વિલંબ.

સરકારનો ઉદ્દેશ્ય આ બધી ખામીઓને દૂર કરી એક એવી સિસ્ટમ બનાવવાનો હતો જે સમયસર અને ડિજિટલ મોડમાં સચોટ મૂલ્યાંકન સાથે પરીક્ષા પૂર્ણ કરી શકે.

NTA કઈ કઈ મોટી પરીક્ષાઓનું આયોજન કરે છે?

જ્યારથી NEET પેપર લીકનો મામલો સામે આવ્યો છે, ત્યારથી લોકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી છે કે આ સંસ્થા બીજી કઈ પરીક્ષાઓ લે છે. NTA દેશની આ ૫ મોટી રાષ્ટ્રીય પરીક્ષાઓનું સંચાલન કરે છે:

  • NEET (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ): મેડિકલ કોલેજોમાં MBBS, BDS અને અન્ય તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની ભારતની સૌથી મોટી પરીક્ષા છે.
  • JEE Main: દેશની પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ કોલેજો જેવી કે NIT અને IIIT માં એડમિશન માટે આ પરીક્ષા લેવાય છે. આ પરીક્ષા પાસ કર્યા પછી જ JEE Advanced આપવાનો રસ્તો ખુલે છે.
  • CUET (કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ): દેશની સેન્ટ્રલ યુનિવર્સિટીઓ અને અન્ય અગ્રણી વિશ્વવિદ્યાલયોમાં પ્રવેશ માટે આ પરીક્ષા દ્વારા તમામ વિદ્યાર્થીઓને સમાન તક પૂરી પાડવામાં આવે છે.
  • UGC NET: કોલેજો અને યુનિવર્સિટીઓમાં આસિસ્ટન્ટ પ્રોફેસર બનવા તેમજ પીએચ.ડી. (Ph.D.) માં પ્રવેશ મેળવવા માટે આ પરીક્ષા પાસ કરવી અનિવાર્ય છે.
  • CMAT અને GPAT: મેનેજમેન્ટ કોર્સમાં પ્રવેશ માટે CMAT અને ફાર્મસી કોર્સ માટે GPAT પરીક્ષાનું આયોજન પણ આ જ સંસ્થા કરે છે.

એજન્સીની મુખ્ય જવાબદારીઓ અને કાર્યપદ્ધતિ

NTA મોટે ભાગે કમ્પ્યુટર બેઝ્ડ ટેસ્ટ (CBT) એટલે કે ડિજિટલ માધ્યમથી પરીક્ષાઓ લે છે, જેથી પરિણામ જલ્દી આવે અને ગેરરીતિ અટકે.

આ ઉપરાંત સંસ્થાની મુખ્ય જવાબદારીઓમાં નીચેની બાબતો શામેલ છે:

  • દેશભરમાં સુરક્ષિત અને હાઇટેક પરીક્ષા કેન્દ્રોની પસંદગી કરવી.
  • ઉમેદવારો માટે ઓનલાઈન એડમિટ કાર્ડ જારી કરવા.
  • પરીક્ષા બાદ પ્રોવિઝનલ અને ફાઇનલ આન્સર કી (ઉત્તરોની ચાવી) જાહેર કરવી.
  • સમયસર પરિણામો આપવા અને વિદ્યાર્થીઓની ફરિયાદોના નિવારણ માટે હેલ્પલાઈન ચલાવવી.
  • વિદ્યાર્થીઓ તમામ માહિતી માટે સંસ્થાની સત્તાવાર વેબસાઇટ nta.ac.in નો ઉપયોગ કરે છે.

વિદ્યાર્થીઓ સામે કયા પડકારો છે?

આધુનિક સિસ્ટમ હોવા છતાં વિદ્યાર્થીઓને ઘણી મુશ્કેલીઓ નડે છે, જેમ કે પરીક્ષા દરમિયાન અચાનક સર્વર ડાઉન થઈ જવું, ટેકનિકલ ખામીઓ આવવી, પરીક્ષા કેન્દ્રો ઘરથી ઘણા દૂર હોવા અને સૌથી મોટો પડકાર એટલે પેપર લીકના આક્ષેપો.

શું છે NEET 2026 પેપર લીકનો વિવાદ?

3 મે 2026 ના રોજ યોજાયેલી NEET-UG પરીક્ષામાં દેશભરના 22 લાખથી વધુ વિદ્યાર્થીઓ ડોક્ટર બનવાનું સપનું લઈને બેઠા હતા. પરંતુ પરીક્ષાના થોડા જ દિવસોમાં પેપર લીક થયાની પુષ્ટિ કરતા સમાચારોએ દેશને હચમચાવી દીધો. આ ઘટનાના માત્ર 9 દિવસ બાદ આખી પરીક્ષા રદ કરવાનો મોટો નિર્ણય લેવાયો. આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ સીબીસી (CBC) (Central Bureau of Communication)ને સોંપવામાં આવી અને તાત્કાલિક ધરપકડનો દોર શરૂ થયો. આ ઘટનાથી દેશની મેડિકલ પ્રવેશ પરીક્ષાની સુરક્ષા અને પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આજે 15 મેના રોજ નીટ યુજી 2026 ની રી-એક્ઝામની તારીખ જાહેર કરી દીધી છે. આ પરીક્ષા 21 જૂના રોજ યોજાશે. આ માટે ફરીથી એક્ઝામ સિટી સ્લિપ અને એડમિટ કાર્ડ જાહેર કરાશે, જેની માહિતી પરીક્ષાના થોડા દિવસ પહેલા આવશે. આ પરીક્ષા માટે રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓએ ન નવું રજીસ્ટ્રેશન કરાવવું પડશે કે ન તો કોઈ ફી ચૂકવવી પડશે.

પેટ્રોલ અને ડીઝલ પછી હવે શું તમારો મોબાઈલ રિચાર્જ પણ થશે મોંઘો? જાણી લો ટેલિકોમ કંપનીઓનો આ ઇનસાઇડ પ્લાન

Big Deal ! ટાટા અને નેધરલેન્ડની કંપની કરશે મોટા પ્રોજેક્ટ પર કામ, PM મોદીએ કરી જાહેરાત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News: ધર્મશાલામાં ‘હાઈ-વોલ્ટેજ’ મુકાબલો! પંજાબે ટોસ જીતીને RCBને આપ્યું ‘બેટિંગ’નું આમંત્રણ, જુઓ બંને ટીમની પ્લેઇંગ 11

ઈન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનની 61મી લીગ મેચ ધર્મશાલાના સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે, જેમાં આ મેચમાં પંજાબ કિંગ્સ ટીમના કેપ્ટન શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

બંને ટીમોની પ્લેઇંગ 11માં કેટલાક ફેરફાર થયા છે, જેમાં RCB ટીમનો કેપ્ટન રજત પાટીદાર ઈજાગ્રસ્ત હોવાના કારણે આ મેચ નથી રમી રહ્યો અને તેની જગ્યાએ વિકેટકીપર બેટ્સમેન જિતેશ શર્મા કેપ્ટનશીપની જવાબદારી સંભાળી રહ્યો છે.

આ મેચ પર ફેન્સની સૌથી વધુ નજર રહેવાની છે, કારણ કે બંને ટીમો પ્લેઓફમાં પહોંચવાની રેસમાં બનેલી છે. આમાં RCB જે હાલમાં પોઈન્ટ ટેબલમાં 16 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે છે, જો તે આ મેચ જીતશે તો પ્લેઓફમાં તેનું સ્થાન લગભગ પાકું થઈ જશે.

પંજાબ કિંગ્સની ટીમની વાત કરીએ તો, તેમણે આ સીઝનના પ્રથમ ફેઝમાં ઘણું શાનદાર પ્રદર્શન કર્યું હતું, જેમાં પ્રથમ 7 મેચમાંથી 6 મેચ પોતાના નામે કરી હતી, જ્યારે એક મેચ વરસાદના કારણે રદ્દ થઈ ગઈ હતી. જો કે, ત્યારબાદ તેમણે અત્યાર સુધી રમાયેલી 5 મેચોમાં સતત હારનો સામનો કરવો પડ્યો છે, જેના કારણે હવે તેઓ પોઈન્ટ ટેબલમાં 13 પોઈન્ટ સાથે ચોથા નંબરે પહોંચી ગયા છે. હવે પંજાબને પ્લેઓફમાં પોતાનું સ્થાન પાકું કરવા માટે બાકી બચેલી બંને મેચોમાં જીત મેળવવી પડશે.

  1. પંજાબ કિંગ્સ: પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ (વિકેટકીપર), કૂપર કોનોલી, શ્રેયસ અય્યર (કેપ્ટન), સૂર્યાંશ શેડગે, શશાંક સિંહ, અઝમતુલ્લા ઉમરઝઈ, હરપ્રીત બ્રાર, લોકી ફર્ગ્યુસન, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલ.
  2. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: જેકબ બેથેલ, વિરાટ કોહલી, દેવદત્ત પડિક્કલ, વેંકટેશ અય્યર, જિતેશ શર્મા (વિકેટકીપર/કેપ્ટન), ટિમ ડેવિડ, રોમારિયો શેફર્ડ, ક્રુણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ, સુયશ શર્મા.

આ મેચ માટે બંને ટીમોના ઈમ્પેક્ટ પ્લેયર્સની યાદી:

  • પંજાબ કિંગ્સ: માર્કસ સ્ટોઈનિસ, ઝેવિયર બાર્ટલેટ, વિષ્ણુ વિનોદ, મુશીર ખાન, પ્રવીણ દુબે.
  • રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ: રસિખ સલામ ડાર, જોર્ડન કોક્સ, અભિનંદન સિંહ, સ્વપ્નિલ સિંહ, કનિષ્ક ચૌહાણ.

Breaking News : IPLની બાકી રહેલી મેચો ચાહકો વગર મર્યાદિત મેદાનમાં રમાડવાની માંગ

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : હોર્મુઝમાંથી પસાર થતા જહાજો માટે નવી સિસ્ટમ લાગુ કરશે ઈરાન, જાણો નવો પ્લાન

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈરાને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતા જહાજો માટે નવી ટ્રાફિક અને ટોલ સિસ્ટમ લાગુ કરવાની જાહેરાત કરી છે. ઈરાનનો દાવો છે કે યુદ્ધ દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. આ નિર્ણય બાદ વૈશ્વિક વેપાર અને તેલ પરિવહન પર તેની અસર અંગે ચર્ચા તેજ બની છે.

ઈરાની સાંસદ Ebrahim Azizi એ જણાવ્યું હતું કે નવી સિસ્ટમ હેઠળ જહાજો માટે ખાસ રૂટ નક્કી કરવામાં આવશે અને કેટલીક સેવાઓ માટે ફી વસૂલવામાં આવશે. તેમના અનુસાર, આ વ્યવસ્થા મુખ્યત્વે વેપારી જહાજો અને ઈરાન સાથે સહકાર રાખતા દેશો માટે લાગુ થશે. જેના કારણે ઈરાન પોતાના વિરોધી દેશોના જહાજો પર વધુ નિયંત્રણ સ્થાપિત કરવાનો પ્રયાસ કરી શકે છે.

પડોશી દેશોના હિતોને ધ્યાનમાં રાખીને નવા નિયમો આવશે

ઈરાનના ઉપરાષ્ટ્રપતિ Mohammad Reza Aref એ પણ સ્પષ્ટ કર્યું કે દુશ્મન દેશોના લશ્કરી સાધનો લઈ જતા જહાજોને હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવા દેવામાં નહીં આવે. ઈરાની સંસદના ઉપાધ્યક્ષ Ali Nikzad એ જણાવ્યું હતું કે દેશની સુરક્ષા, આંતરરાષ્ટ્રીય કાયદા અને પડોશી દેશોના હિતોને ધ્યાનમાં રાખીને નવા નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

આ દરમિયાન Islamic Revolutionary Guard Corps એ હોર્મુઝની સામુદ્રધુનીનો નવો નકશો જાહેર કર્યો છે. આ નકશામાં ઈરાનના દરિયાકાંઠા નજીક જહાજો માટે એક નવા સુરક્ષિત માર્ગની માહિતી આપવામાં આવી છે. આ પગલું પણ ઈરાનની વધતી દરિયાઈ દેખરેખ અને સુરક્ષા નીતિનો ભાગ માનવામાં આવી રહ્યું છે.

Donald Trump એ ઈરાનને ચેતવણી આપી

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump એ ઈરાનને ચેતવણી આપતા કહ્યું છે કે જો ટૂંક સમયમાં શાંતિ કરાર નહીં થાય તો ઈરાનને ગંભીર પરિણામોનો સામનો કરવો પડી શકે છે. બીજી તરફ, ઈરાની સાંસદ Alireza Abbasi એ જણાવ્યું હતું કે સંસદ એક નવા કાયદા પર કામ કરી રહી છે, જેના હેઠળ દુશ્મન દેશો માટે લશ્કરી સામાન લઈ જતા જહાજો પર વધુ નિયંત્રણ અને વધારાની ફી લાદી શકાય છે.

આ મુદ્દે વૈશ્વિક સ્તરે રાજનૈતિક પ્રતિક્રિયાઓ પણ સામે આવી રહી છે. રશિયાએ હોર્મુઝ સ્ટ્રેટ અંગે ચીનના વલણને સમર્થન આપ્યું છે. રશિયન રાજદ્વારી Mikhail Ulyanov એ કહ્યું કે કાયમી યુદ્ધવિરામ જ આ સમસ્યાનો એકમાત્ર ઉકેલ છે. ચીનના વિદેશ પ્રધાન Wang Yi એ પણ અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી વાતચીત અને લાંબા ગાળાના યુદ્ધવિરામની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.

બીજી તરફ, Bahrain અને United States સંયુક્ત રાષ્ટ્રમાં એક ઠરાવ લાવવાની તૈયારી કરી રહ્યા છે, જેમાં ઈરાનને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં હુમલા અને માઇનિંગ જેવી પ્રવૃત્તિઓ બંધ કરવાની માંગ કરવામાં આવશે.

ઇબોલા વાયરસને લઈ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી જાહેર

આ પણ વાંચો, ડાયાબિટીસ જ નહીં, આ રોગોમાં પણ આઈસ્ક્રીમ ન ખાવો જોઈએ, થઈ શકે છે ગંભીર સમસ્યાઓ

સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલના વિદેશી નફા પર લાગશે લગામ, ડીઝલ અને જેટ ફ્યુઅલ પર મોટી રાહત આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

હજારો પરિવારો પર તોળાઈ રહ્યું છે સંકટ, મેટા પછી હવે એમેઝોનમાં છટણીનો ધમધમાટ, શું એઆઈ માનવ રોજગારને ગળી જશે?

આ પણ વાંચો, 6, 6, 6, 6, 6, 6, 6, 6… CSKના બોલરે માત્ર 16 બોલમાં આપ્યા 63 રન , LSGના બેટ્સમેનોએ કરી જબરદસ્ત ધોલાઈ!

Fridge Storage Mistakes: રેફ્રિજરેટરની અંદર પોલીથીનમાં શાકભાજી રાખવા કેટલા જોખમી?

રેફ્રિજરેટરમાં બટાકા, ડુંગળી અને અન્ય વસ્તુઓ સંગ્રહિત કરવાનું ટાળવાની ભલામણ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે લોકો, જાણીજોઈને કે અજાણતાં, દરરોજ રેફ્રિજરેટરમાં સંગ્રહ કરવાની મોટી ભૂલ કરે છે. મોટાભાગના ભારતીય ઘરો તેમના શાકભાજી અને ફળોને બજારમાંથી લાવેલી પ્લાસ્ટિકની થેલીઓમાં જ સંગ્રહિત કરે છે.

નિષ્ણાતો કહે છે કે આ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. તમને એ વિચિત્ર લાગશે કે પ્લાસ્ટિકની થેલીઓમાં સંગ્રહિત કાચા શાકભાજી અથવા ફળો પણ હાનિકારક હોઈ શકે છે. પરંતુ તે સાચું છે.

પોલીથીન બેગમાં શાકભાજી સંગ્રહિત કરવી ખોટી છે?

વ્યસ્ત જીવનને કારણે લોકો હવે રેફ્રિજરેટર સંબંધિત ઘણી ભૂલો કરે છે. જેમ કે રાતોરાત લોટ, સમારેલા શાકભાજી અને કાપેલા ફળો રેફ્રિજરેટરમાં રાખવા. લોકો આ ભૂલોથી વાકેફ છે, પરંતુ બહુ ઓછા લોકો ધ્યાનમાં લે છે કે પોલીથીન બેગમાં શાકભાજી સંગ્રહિત કરવી ખોટી છે. ચાલો આ કેટલું ખોટું છે તે અંગે નિષ્ણાતની સલાહ લઈએ.

રેફ્રિજરેટરમાં ખોરાક સંગ્રહ કરતી વખતે ભૂલો

રેફ્રિજરેટરમાં ખોરાક સંગ્રહ કરવાથી રસોડાના કાર્યો ખૂબ સરળ બની ગયા છે. વ્યસ્ત જીવનમાં તે ખૂબ જ ઉપયોગી સાધન છે, પરંતુ તેમાં ખોરાક સંગ્રહ કરતી વખતે ઘણી ભૂલો ઘણીવાર થાય છે. તે રોજિંદા જીવનમાં એક મહત્વપૂર્ણ ઇલેક્ટ્રોનિક વસ્તુ છે, પરંતુ તેનો દુરુપયોગ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

રેફ્રિજરેટર, જે દૂધ, દહીં, શાકભાજી, ફળો અને અન્ય વસ્તુઓને તાજી રાખે છે અને તેને બગડતા અટકાવે છે, તે ક્યારેક સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. આવી જ એક ભૂલ પ્લાસ્ટિકની થેલીઓમાં શાકભાજી સંગ્રહ કરવાની છે.

નિષ્ણાતે શું કહ્યું?

દહેરાદૂનની કૈલાશ હોસ્પિટલના સિનિયર ડાયેટિશિયન ડૉ. પાયલ દત્ત કહે છે કે જો શાકભાજીને રેફ્રિજરેટરમાં પોલિથીન બેગમાં સંગ્રહિત કરવામાં આવે છે, તો બેગમાં રહેલું કોઈપણ પાણી શાકભાજીમાં શોષાઈ જાય છે. આનાથી શાકભાજી ભીના થઈ જાય છે, જેના કારણે બેક્ટેરિયાનો વિકાસ થાય છે, ખાસ કરીને લીલા પાંદડાવાળા શાકભાજીમાં. અડધા કાપેલા શાકભાજીને રેફ્રિજરેટરમાં પોલિથીન બેગમાં રાખવાથી ગંભીર નુકસાન થઈ શકે છે.

નિષ્ણાતો કહે છે કે કાપેલા શાકભાજીને સુરક્ષિત રાખવું મુશ્કેલ બને છે. તેથી તેમને પોલિથીન બેગમાં સંગ્રહિત કરવાથી સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. એકવાર શાકભાજી પોલિથીન બેગમાં સંગ્રહિત થઈ જાય, પછી તેમાં હવાનું પરિભ્રમણ થઈ શકતું નથી.

ભેજ થાયલેન ગેસ ઉત્પન્ન કરે છે

ઓક્સિજન અને હવાના અભાવને કારણે, ભેજ થાયલેન ગેસ ઉત્પન્ન કરે છે. આ માત્ર શાકભાજીને બગાડે છે એટલું જ નહીં પરંતુ C અને D જેવા આવશ્યક વિટામિન્સને પણ અમુક અંશે ઘટાડે છે.

શાકભાજીનો સંગ્રહ કરવાનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે તેમને બજારમાંથી પાછા લાવ્યા પછી સારી રીતે ધોઈ લો. પછી જો શક્ય હોય તો, તેમને સૂર્યપ્રકાશમાં મૂકો અથવા પંખા નીચે સૂકવવા માટે મૂકો. હવે શાકભાજી અને ફળોને બોક્સમાં અથવા રેફ્રિજરેટરમાં નિયુક્ત જગ્યામાં સંગ્રહિત કરો.

Grafting Technique: એક જ આંબાના ઝાડ પર દશેરી, લંગડા અને આલ્ફાન્સો ઉગાડવાની રીત

Garud Puran: મોક્ષ કેવી રીતે મળે છે? ગરૂડ પુરાણમાં સમજાવ્યો છે આ શબ્દનો યોગ્ય અર્થ- વાંચો

સૌથી ખતરનાક તો એ છે આપણને આપણી આ કેદ (બંદનનો) એહસાસ પણ નથી હોતો કારણ કે આપણે તેને જ સફળતાનું નામ આપી દીધુ છે. જો આટલી સારી ઉપલબ્ધિઓ બાદ પણ અંદરથી ખાલીપણુ અનુભવાય તો સવાલ ઉઠે છે કે આપણે આખરે કઈ ચીજથી ભાગી રહ્યા છીએ.

ગરુડ પુરાણ અનુસાર, બંધન બહાર નથી હોતુ પરંતુ આપણા મનમાં રહેલુ હોય છે. પૈસા, નામ અને સુવિધા મળી શકે છે. પરંતુ સુકુન ત્યારે જ મળશે જ્યારે મન શાંત હશે. આજે માણસ વિતેલા સમયને યાદ કરીને તેના વિશે વિચારતો રહે છે અથવા તો ભવિષ્યની ચિંતામાં રહે છે. આથી તે વર્તમાનમાં જીવી જ નથી શક્તો. આ જ તો છે તેનુ અસલી બંધન.

મોક્ષની પ્રાપ્તિ કંઈક મેળવવામાં નહીં પરંતુ છોડવામાં છે આઝાદી

જિંદગી એક મોબાઈલ ફોનની જેમ સમજો, જો તેમા બહુ બધી એપ્સ એકસાથે ચાલી રહી છે, તો તે સ્લો થઈ જાય છે, એવી જ રીતે આપણા મગજમાં પણ અનેક બેકાર એપ્સ ચાલતી રહે છે કે લોકો શું કહેશે, મને વધુ જોઈએ, મારે હારવુ નથી, આ જ આપણી ઊર્જા ખતમ કરે છે.

મોક્ષનો અર્થ

  • ડર છોડવો
  • લાલચ છોડવી
  • બીજાના અભિપ્રાયની ચિંતા છોડવી

જ્યારે વ્યક્તિ આ ચીજોને છોડી છે કે ત્યારે તે અંદરથી હળવાફુલ અનુભવે છે.

ઈતિહાસમાં એવા પણ ઉદાહરણ મળે છે જ્યા લોકોએ બધુ જ હોવા છતા અંદરથી એક ખાલીપણુ અનુભવ્યુ. જ્યારે કેટલાક લોકો સાધારણ જીવતા પણ અંદરથી એકદમ શાંત અને મુક્ત રહે છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે મોક્ષનો સંબંધ તમારી બાહ્ય સ્થિતિમાં નથી પરંતુ આંતરિક વિચારોમાં છે.

આજના સમયમાં એ વધુ જરૂરી બની ગયુ છે, કારણ કે આપણુ ધ્યાન દરેક સમયે વહેંચાયેલુ રહે છે. ફોન, સોશ્યિલ મીડિયા અને નોટિફિકેશન સતત ધ્યાન ખેંચે છે. આપણને લાગે છે કે આપણે આપણી મરજીથી જીવી રહ્યા છીએ પરંતુ હકીકતમાં આપણે આદતોના ગુલામ બની ચુક્યા છીએ.

અસલી આઝાદી શુ છે?

ગરૂડ પુરાણ અનુસાર અસલી આઝાદી ત્યારે મળે છે જ્યારે તમારી ખુશી બહારની ચીજો પર નિર્ભર નથી રહેતી, ન પૈસા પર, ન લોકોની પ્રશંસા પર.

મોક્ષ એ કોઈ દૂરની વસ્તુ નથી અને ના તો એ મૃત્યુ બાદ જ મળ છે. આ એજ સમયે શરૂ થઈ થાય છે, જ્યારે વ્યક્તિ સત્યને સ્વીકારી તેની ઈચ્છા અને ડરથી ઉપર ઉઠી જાય છે. તમારે આ દોડને જીતવાની જરૂર નથી. બસ આ દોડમાંથી બહાર નીકળવાની જરૂર છે.

Trump-Jinping Meeting: અબજો ડોલરની ડીલ માટે બે કટ્ટર હરીફો એક મંચ પર… વિશ્વની બે સૌથી મોટી અર્થવ્યવસ્થા પર દુનિયાની નજર

Jamie Overton Injury : IPL પ્લેઓફની રેસ વચ્ચે CSK માટે ખરાબ સમાચાર, સ્ટાર બોલર ઈજાને કારણે વતન રવાના !

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2026 પ્લેઓફ માટેની રેસ ખૂબ જ રોમાંચક બની ગઈ છે. ટીમો પ્લેઓફમાં પોતાનું સ્થાન સુરક્ષિત કરવાનો પ્રયાસ કરી રહી છે. દરમિયાન, ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) નો વિદેશી બોલર જેમી ઓવરટોન ઈજાને કારણે પોતાના વતન પરત ફર્યો છે. જેમી ઓવરટોન આ IPLમાં 10 મેચમાં 8.89 ની ઇકોનોમી સાથે 14 વિકેટ લીધી છે. ચેન્નાઈના ટીમના પ્લેયર શરૂઆતથી જ ઈજાની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. મહેન્દ્ર સિંહ ધોની, આયુષ મ્હાત્રે અને ખલીલ અહેમદ ઈજાઓને કારણે પહેલાથી જ ટીમની બહાર છે.

CSKએ સત્તાવાર રીતે કરી જાહેરાત

ચેન્નાઈ સુપર કિંગ્સે તેમના સત્તાવાર ‘X’ હેન્ડલ પર એક પોસ્ટમાં આ જાહેરાત કરી. ચેન્નાઈએ લખ્યું, “જેમી ઓવરટનને જમણી જાંઘમાં ઈજા થઈ છે અને તે વધુ તપાસ અને સારવાર માટે યુકે પરત ફરશે.” ચેન્નાઈ જેમી ઓવરટોન દ્વારા સર્જાયેલી ખાલી જગ્યા કેવી રીતે ભરે છે તે જોવાનું બાકી છે. ચેન્નાઈના અંશુલ કંબોજે આ IPL સિઝનમાં 11 મેચમાં 9.20 ની ઇકોનોમીથી 19 વિકેટ લીધી છે. સંજુ સેમસનએ 11 મેચમાં 169.29 ના સ્ટ્રાઇક રેટથી 430 રન બનાવ્યા છે.

CSK ની પ્લેઓફમાં પહોંચવાની શક્યતાઓ કેટલી છે?

ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ની સતત ત્રીજી જીતથી પ્લેઓફમાં પહોંચવાની તેમની શક્યતાઓ નોંધપાત્ર રીતે વધી ગઈ છે. તેમની બાકીની ત્રણ મેચ ચેન્નાઈ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચેન્નાઈએ 11 મેચ રમી છે અને 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 5માં સ્થાને છે. ચેન્નાઈનો વર્તમાન નેટ રન રેટ +0.185 છે. જો ચેન્નાઈ તેની બાકીની ત્રણ મેચ જીતી જાય છે તો તેમના 18 પોઈન્ટ થશે.

CSK હજુ રેસમાંથી બહાર નથી

IPL 2026 સીઝનની શરૂઆતમાં સતત ત્રણ હાર બાદ ચેન્નાઈ સુપર કિંગ્સ લગભગ સ્પર્ધામાંથી બહાર થઈ ગઈ હતી. પરંતુ તે જ ટીમ હવે પ્લેઓફની રેસમાં પાછી ફરી છે. છેલ્લા આઠ મેચમાં 6 જીતે CSK ને નવું જીવન આપ્યું છે. ટીમનો અનુભવ, શાંત વર્તન અને દબાણ હેઠળ રમવાની ક્ષમતા ફરી એકવાર કામમાં આવી ગઈ છે. હવે સમીકરણ સ્પષ્ટ છે. ચેન્નઈને બાકીની બધી ત્રણ મેચ જીતવી પડશે. લખનૌ, હૈદરાબાદ અને ગુજરાત સામેની મેચો સરળ રહેવાની નથી પરંતુ IPLનો ઈતિહાસ કહે છે કે જ્યારે દબાણ વધે ત્યારે એમ એસ ધોનીની CSKને ક્યારેય હળવાશથી લઈ શકાય નહીં.

આ પણ વાંચો, Sanju Samson’s love story : મેદાનમાં સિક્સર કિંગ… પ્રેમમાં ચારુલતા સામે ક્લીન બોલ્ડ થયો સંજુ !

4 વર્ષે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવાનું કારણ શું ? યુદ્ધ સિવાયના આ કારણો તમારુ બજેટ ખોરવી નાખશે !

હૈદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને 10 મુદ્દાની કરેલ અપીલ બાદ, બીજા જ દિવસે ગુજરાતની ધરતી પરથી ફરી દેશની જનતાને કરકસર અંગે અપીલ કરી હતી. આ અપીલને લઈને દેશની કેટલાક લોકોને અંદેશો આવી ગયો હતો કે, કંઈક મોટુ થવાનુ છે. વડાપ્રધાન તેની પૂર્વભૂમિકા બાધી રહ્યાં છે અને થયું પણ એવું જ. દેશના કેટલાક રાજ્ય સરકારોએ પીએમ મોદીની અપીલને માન આપીને કરકસરના પગલાં લેવાની શરૂઆત કરી દીધી. તો બીજી તરફ રાતોરાત પેટ્રોલ-ડીઝલ અને સીએનજીમાં ભાવ વધારો કરી નાખવામાં આવ્યો.

ભાવમાં નોંધપાત્ર વધારો થવાથી સામાન્ય માણસની ચિંતા વધી ગઈ છે. આમેય વધતા જતા ફુગાવાથી મધ્યમવર્ગ મોંધવારીના મારથી પીસાઈ રહ્યો હતો. તેમાય, ઈંધણમાં પ્રતિ લિટર ₹3 સુધીનો આ વધારો એક મોટા આંચકાથી ઓછો નથી. આવા સંજોગોમાં એવુ મનમાં જરૂર થાય કે, અચાનક એવુ તો શુ થયુ કે ચાર વર્ષે ઓઈલ કંપનીઓને ભાવ વધારવાની ફરજ પડી? આના જવાબ છે ચાર મુખ્ય પરિબળો, જેણે સામૂહિક રીતે ઈંધણના ભાવને આસમાને પહોંચાડ્યા છે.

ઈરાન સંઘર્ષ અને પુરવઠામાં વિક્ષેપ

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાનું પ્રાથમિક અને સૌથી તાત્કાલિક કારણ મધ્ય પૂર્વમાં ઈરાન સાથે ઈઝરાયેલ અને અમેરિકાનુ યુદ્ધ અને હોર્મુઝ સ્ટ્રેટનો રસ્તો બંધ હોવા અંગે છે. ખાસ કરીને, ઈરાન વિશ્વના અગ્રણી તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે, અને વૈશ્વિક તેલ પુરવઠાનો નોંધપાત્ર ભાગ ‘હોર્મુઝ સ્ટ્રેટ’ જેવા મહત્વપૂર્ણ માર્ગોમાંથી પસાર થાય છે. યુદ્ધના ભય અને પ્રવર્તમાન તણાવને કારણે આ દરિયાઈ માર્ગ દ્વારા વહેતો પુરવઠો ખોરવાઈ ગયો છે. જેના કારણે તેલની વૈશ્વિક ઉપલબ્ધતા અંગે અનિશ્ચિતતા ઊભી થઈ છે.

ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

ભારતીય તેલ કંપનીઓ તેમની ક્રૂડ ઓઈલની જરૂરિયાતોનો 80 ટકાથી વધુ વિદેશી સ્ત્રોતોમાંથી ખરીદે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, તાજેતરના ભૂતકાળમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. જ્યારે વૈશ્વિક બજારમાં પ્રતિ બેરલ ક્રૂડ ઓઇલના ભાવ વધે છે, ત્યારે ભારતીય રિફાઇનરીઓ માટે તેને ખરીદવું વધુ મોંઘું થઈ જાય છે. આ વધેલા ખર્ચને સરભર કરવા માટે, સરકારી માલિકીની અને ખાનગી તેલ કંપનીઓ સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવમાં વધારો કરે છે.

ભારતીય તેલ કંપનીને થયેલ નુકસાન

ઘણા સમયથી, આંતરરાષ્ટ્રીય દરોમાં વધઘટ છતાં સ્થાનિક ઇંધણના ભાવ સ્થિર રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. પરિણામે, ઇન્ડિયન ઓઇલ (IOCL), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL) જેવી કંપનીઓ “અંડર-રિકવરી” એટલે કે નાણાકીય નુકસાનનો સામનો કરી રહી હતી. આ કંપનીઓ તેમના સંચાલન ખર્ચ અને નફાકારકતા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહી હતી. જો કે, આ નુકસાનને શોષવાની તેમની ક્ષમતા ઓછી થતી ગઈ અને ક્રૂડ ઓઇલ સતત મોંઘું રહ્યું, કંપનીઓએ આખરે તેમની નાણાકીય સ્થિતિને બચાવવા માટે આ વધેલા ખર્ચનો બોજ ગ્રાહકો પર નાખ્યો.

વૈશ્વિક અનિશ્ચિતતા અને આર્થિક પરિબળો

વિશ્વભરમાં પ્રવર્તમાન આર્થિક અને રાજકીય અનિશ્ચિતતા એ બીજું એક મુખ્ય ફાળો આપતું પરિબળ છે. અમેરિકન ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઘટાડાને કારણે ભારત માટે ક્રૂડ ઓઇલની આયાત વધુ મોંઘી થઈ ગઈ છે, કારણ કે તેલ ખરીદી માટે ચૂકવણી ડોલરમાં જ થવી જોઈએ. વધુમાં, વૈશ્વિક રોકાણ બજારોમાં અનિશ્ચિતતા કોમોડિટીઝમાં સટ્ટાકીય વેપારને વેગ આપે છે, જે બદલામાં તેલના ભાવમાં વધારો કરે છે. સામૂહિક રીતે, આ વિવિધ વૈશ્વિક પરિબળોએ એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે જ્યાં તેલના ભાવને નિયંત્રિત કરવા સરકાર અને તેલ કંપનીઓ બંને માટે એક ભયંકર પડકાર બની ગયો છે.

Breaking News : દિલ્હી સરકારની જાહેરાત, સપ્તાહમાં 2 દિવસ વર્ક ફ્રોમ હોમ, નો વ્હીકલ ડે

આ પણ વાંચો Numerology : અંક શાસ્ત્ર મુજબ 3 અંક ધરાવતા લોકો છળ-કપટથી રહે છે દૂર!

TV9 CBC 2026 : TV9 બેડમિન્ટન ચેમ્પિયનશિપ સીઝન 2 શરૂ, 300 થી વધુ ખેલાડીઓએ લીધો ભાગ

ટીવી9 નેટવર્ક દ્વારા આયોજિત કોર્પોરેટ બેડમિન્ટન ચેમ્પિયનશીપ સીઝન-2નું આયોજન થઈ ચૂક્યું છે. હૈદારાબાદના ગોચીબોવલી સ્થિત પુલેલા ગોપીચંદ બેડમિન્ટન એકેડમીમાં શુક્રવારના રોજ ધામધુમથી શુભારંભ થયો છે. આ મહોત્સ્વ 17 મે સુધી ચાલશે.વિશ્વ ફેમસ આઈટી અને અન્ય દિગ્ગજ કંપનીઓ આ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહી છે. માઈક્રોસોફ્ટ,એમેઝોન અને ઈન્ફોસિસ જેવી કંપનીોના પ્રતિનિધિ મેદાનમાં ઉતરનારા છે. ગત્ત સીઝનમાં ગુગલ,ડેલ,ઉબેર,માય હોમ,આઈકિયા,ડેલોઈટ અને ડો રેડ્ડીઝ જેવી અંદાજે 64 થી વધુ ટીમોએ ભાગ લીધો હતો. 1,000થી વધુ મેચની સાથે ચાહકોનું મનોરંજન કર્યું હતુ.

300થી વધુ ખેલાડી લઈ રહ્યા છે ભાગ

આ વર્ષે ઉત્સાહનો માહૌલ છે. આજે સવારથી મોટી સંખ્યામાં કર્મચારીઓ આ ઈવેન્ટમાં ભાગ લેવા માટે આવી ચૂક્યા છે. આ ચેમ્પિયનશીપમાં 300થી વધુ ખેલાડીઓ પ્રતિસ્પર્ધા કરી રહ્યા છે. આ ટૂર્નામેન્ટ ભારતીય બેડમિન્ટનના દિગ્ગજ અને પદ્મ ભૂષણ એવોર્ડથી સ્ન્માનિત પુલેલા ગોપીચંદના માર્ગદર્શનમાં આયોજિત કરવામાં આવી રહ્યું છે.

મેન્સ સિંગલ ઇવેન્ટ માટે ક્વોલિફાય

  • સેપિયન્સ – શ્રીરંગરાજન એન
  • એમેઝોન – લવી મુલચંદાની
  • માઈક્રોસોફ્ટ – ઈશર મેનન
  • VNRVJIET – ડૉ. શૈલજા
  • FINMKT – વર્ષિતા
  • મેક્રો ગ્રુપ – જ્ઞાનેશ્વરી
  • એન રંગા રાવ એન્ડ સન્સ પ્રાઇવેટ લિમિટેડ – ચિન્મયી
  • માઇક્રોસોફ્ટ – શૈલી જાલોરી

મેચ આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર આયોજિત કરવામાં આવી રહી છે, દેશની સૌથી ફેમસ ગોપીચંદ એકેડમીમાં રમવાનો અવસર કોર્પોરેટ કર્મચારીઓમાં નવો ઉત્સાહ ઉભો કરે છે. તે ફક્ત કામના તણાવને ઘટાડવા માટે એક ઉત્તમ પ્લેટફોર્મ નથી પણ ખેલદિલી દર્શાવવાની પણ એક શ્રેષ્ઠ તક છે.

આ ચેમ્પિયનશીપમાં વિજેતાઓને ટ્રોફીની સાથે-સાથે 5 લાખ રુપિયા આપવામાં આવશે.કુલ 2 કેટેગરી છે.

ટીમ ચેમ્પિયનશિપ: પુરુષોની ટીમ સ્પર્ધામાં બે સિંગલ્સ અને એક ડબલ્સ મેચ હશે. એક ટીમમાં ઓછામાં ઓછા ત્રણ અને વધુમાં વધુ પાંચ સભ્યો હોવા જોઈએ. બધા સભ્યો એક જ સંસ્થાના હોવા જોઈએ.

ઓપન કેટેગરી: આમાં પુરુષોના સિંગલ્સ, મહિલા સિંગલ્સ અને મિક્સ ડબલ્સનો સમાવેશ થાય છે. વિવિધ સંસ્થાઓના ખેલાડીઓ પણ આ શ્રેણીમાં ડબલ્સ તરીકે ભાગ લઈ શકે છે.

પહેલી સીઝન સફળ રહી

પહેલી સીઝનને ટોચની કંપનીઓ તરફથી જબરદસ્ત પ્રતિસાદ મળ્યો. ગૂગલ, ડેલ, ઉબેર, માયહોમ, માઇક્રોસોફ્ટ, ઇન્ફોસિસ, એમેઝોન, આઇકેઇએ, મેકમાયટ્રિપ, ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, એબીબી, ડો. રેડ્ડીઝ, નોવાર્ટિસ, શ્રોડિંગર, કેપજેમિની, ગ્રીનકો, એલએમટી અને ડેલોઇટ જેવી અગ્રણી કંપનીઓએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં 300 થી વધુ ખેલાડીઓ અને 64 થી વધુ કોર્પોરેટ ટીમોએ ભાગ લીધો હતો, અને 1,000 થી વધુ મેચ યોજાઈ હતી. આ બધી કંપનીઓ આ વર્ષે પણ ભાગ લઈ રહી છે.

બેડમિન્ટન એક ઇન્ડોર ગેમ છે જેમાં રેકેટ અને શટલકોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ ખેલાડી સિંગલ્સ અને ડબલ્સ ફોર્મેટમાં રમે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

44 વર્ષ જૂની રસીદે હંગામો મચાવ્યો, શું રાજદૂતની કિંમત માત્ર 10,000 હતી ? સત્ય જાણીને મગજ ચકરાવે ચડશે

Rajdoot Bike 1980 Viral Receipt Fact Check: આજકાલ સોશિયલ મીડિયા પર 44 વર્ષ જૂની એક રસીદ ખૂબ જ ચર્ચામાં છે. આ રસીદ 1980માં ખરીદેલી રાજદૂત મોટરસાઇકલની છે. જૂની પેઢીઓ ભૂતકાળની યાદો તાજી કરી રહી છે, પણ આજની પેઢી વિચારી રહી છે કે શું ફુગાવો ક્યારેય આટલો ઓછો હતો. પણ રાહ જુઓ, શું આ રસીદ એટલી જ સાચી છે જેટલી દેખાય છે? ચાલો આ રસપ્રદ કેસમાં ઊંડા ઉતરીએ.

એક વ્યક્તિએ 175 સીસી રાજદૂત ખરીદી હતી

ભારત મોટર્સની આ વાયરલ રસીદ મુજબ, 20 જૂન 1980 ના રોજ ઉત્તર પ્રદેશના નઈ બસ્તીના રહેવાસી મનોજ સિંહ નામના એક વ્યક્તિએ 175 સીસી રાજદૂત ખરીદી હતી. રસીદમાં મોટરસાઇકલની કિંમત ₹9,000 અને ટેક્સ ₹1,000 દર્શાવવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે તે કુલ ₹10,000 માં એક ચમકતી બાઇક લઈને ઘરે પહોંચ્યો.

કલ્પના કરો આજના વિશ્વમાં જ્યારે આટલા પૈસાથી સારા સ્માર્ટફોનની તૂટેલી સ્ક્રીનને પણ લઈ શકતા નથી, ત્યારે જે કોઈની પાસે રાજદૂત હોત, તે પડોશમાં ચોક્કસ માન મેળવત.

નેટીઝન્સ માથું ખંજવાળવા લાગ્યા

આ રસીદ સાથેની સરખામણી પણ વાયરલ થઈ રહી છે, જેના કારણે નેટીઝન્સ માથું ખંજવાળવા લાગ્યા છે. રસીદનો ફોટો શેર કરનાર વ્યક્તિએ લખ્યું, “તે સમયે, એક એકર જમીન 5,000 રૂપિયામાં મળતી હતી. આનો અર્થ એ થયો કે જે વ્યક્તિ 10,000 રૂપિયામાં બાઇક ખરીદે છે તેની પાસે 2 એકર જમીન હોઈ શકે છે.”

આજે, શહેરની નજીક આટલી જમીન કરોડોની છે, જ્યારે એક ભંગારનો વેપારી પણ તે જૂની બાઇક ન ખરીદી શકે. આ જ કારણ છે કે ઇન્ટરનેટ પર લોકો મજા લઈ રહ્યા છે, “કાશ મારા દાદાએ તે સમયે મોટરસાયકલને બદલે જમીન ખરીદી હોત.”

પણ શું આ રસીદ સાચી છે?

વાયરલ થતાં જ સોશિયલ મીડિયાના તપાસકર્તાઓએ આ વિસંગતતા શોધી કાઢી. નજીકથી નજર નાખતાં કંઈક બીજું જ બહાર આવશે. તમે જોશો કે રસીદ બનાવનાર ડીલરના હસ્તાક્ષર અને ગ્રાહકના હસ્તાક્ષર બરાબર સમાન છે. ડીલર અને ગ્રાહક બંને એક જ શૈલીમાં કેવી રીતે લખી શકે? હકીકતમાં આ રસીદ કૃત્રિમ બુદ્ધિ (AI) નો ઉપયોગ કરીને ડિજિટલ રીતે બનાવવામાં આવી હતી.

આ 44 વર્ષ જૂની રસીદે હંગામો મચાવ્યો

(Credit Source: @MP_m_98)

અહો આશ્ચર્યમ્…સોશિયલ મીડિયા પર વાયરલ થયો હનુમાનજીની પ્રતિમાનો અનોખો Video, Optical Illusion કે પછી ચમત્કાર

મહીસાગર અને ભરૂચના હાંસોટમાં પેટ્રોલ-ડીઝલની અછતથી વાહનચાલકો પરેશાન, પંપો પર લાગી લાંબી કતારો

ગુજરાત રાજ્યના વિવિધ વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલની અછતના સમાચાર સામે આવી રહ્યા છે. જો કે, પેટ્રોલ અને ડીઝલની કોઈ જ અછત ના હોવાનું સરકાર અને પેટ્રોલપંપ ડિલર્સ એસોસિએશન જણાવી રહ્યાં છે. આમ છતા, મહીસાગર જિલ્લામાં મોટા ભાગના પેટ્રોલ પંપો પર પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો ખૂટી જતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ઘણા પેટ્રોલ પંપ પર “નો સ્ટોક”ના પાટીયા લગાવવામાં આવ્યા હોવાનું જોવા મળ્યું હતું.

મહિસાગર જિલ્લાના સામે આવી રહેલા અહેવાલ અનુસાર, ઘણાબધા પેટ્રોલપંપ પૈકી માત્ર એકાદ- બે પેટ્રોલ પંપ પર જ ઈંધણ ઉપલબ્ધ હોવાથી ત્યાં વાહનચાલકોની લાંબી કતારો લાગી ગઈ હતી. પેટ્રોલ પુરાવવા માટે વાહનચાલકોને કલાકો સુધી રાહ જોવી પડતા, લોકોમાં રોષનો માહોલ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે માટે કેટલાક સ્થળોએ પોલીસની મદદ લેવામાં આવી હતી. પોલીસ દ્વારા પેટ્રોલ-ડીઝલ પુરાવવા આવેલ વાહનચાલકો અને ખેડૂતોની ભીડને કાબુમાં રાખવા તેમજ ટ્રાફિક વ્યવસ્થા જાળવવા કાર્યવાહી હાથ ધરાઈ હતી.

બીજી તરફ ભરૂચ જિલ્લાના હાંસોટ વિસ્તારમાં પણ ડીઝલની અછત સર્જાતા પરિસ્થિતિ ગંભીર બની છે. હાંસોટ ખાતે આવેલા પેટ્રોલ પંપ પર, ખેતીના વપરાશ માટે ડીઝલ ભરાવવા માટે લોકોની લાંબી લાઇનો લાગી હતી. ખાસ કરીને ટ્રક ચાલકો, ટેમ્પો અને કૃષિ સંબંધિત વાહનોના ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, અચાનક સર્જાયેલી અછતને કારણે રોજિંદા પરિવહન અને વ્યવસાય પર અસર પડી રહી છે. જો સમયસર પૂરતો જથ્થો ઉપલબ્ધ નહીં થાય તો આગામી દિવસોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

આ અંગે પેટ્રોલપંપ ઓનર્સ એસોસિએશનનું કહેવું છે કે, કેટલાક પંપ ઉપર પુરવઠો ખૂટી જતા ગણતરીના કલાકો માટે આઉટ ઓફ સ્ટોકની સ્થિતિ હોઈ શકે છે. કારણ કે, ઓઈલ કંપનીઓએ એડવાન્સ પેમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકી હોવાથી, જયા સુધી પુરેપુરુ પેમેન્ટ ના ચૂકવાય ત્યાં સૂધી પેટ્રોલ અને ડીઝલનો જથ્થો ઓઈલ કંપની દ્વારા પુરો પાડવામા ના આવ્યો હોય તેમ બની શકે છે. બાકી ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલના પુરવઠામાં કોઈ અછત ના હોવાનું કહેવું છે.

Breaking News : ઈંધણની ગંભીર કટોકટીના સંકેત ? કેરલમાં રૂપિયા 5000 નું જ ખરીદી શકાશે પેટ્રોલ, 200 લિટર ડીઝલ લઈ શકાશે

Breaking News: હવે Strait of Hormuz બ્લોકેજની નહીં પડે અસર! ઓમાનથી ગુજરાત વચ્ચે 40 હજાર કરોડના ગેસ કોરિડોર પર કામ તેજ

હોર્મુઝ જળમાર્ગમાં વધતા તણાવ વચ્ચે ભારત હવે પોતાની ઊર્જા સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે એક મોટું પગલું ભરવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર ઓમાનથી ગુજરાત સુધી સમુદ્રની અંદરથી આશરે 2,000 કિલોમીટર લાંબી ગેસ પાઇપલાઇનની યોજના પર ઝડપથી કામ કરી રહી છે.

પ્રોજેક્ટનો ગુજરાત કનેક્શન

પ્રસ્તાવિત “મિડલ ઈસ્ટ-ઈન્ડિયા ડીપ વોટર પાઇપલાઇન” (MEIDP) આશરે 2,000 કિલોમીટર લાંબી હશે. આ પાઇપલાઇન અરબી સમુદ્રની અંદરથી પસાર થઈને ઓમાનને સીધું ગુજરાતના દરિયાકિનારા સાથે જોડશે. આ માર્ગ દ્વારા દરરોજ લગભગ 31 mmscmd નેચરલ ગેસ ભારત સુધી પહોંચાડી શકાશે.

પ્રોજેક્ટને કેટલો સમય લાગશે?

પેટ્રોલિયમ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ, જો આ પ્રોજેક્ટને અંતિમ મંજૂરી મળી જશે તો તેને પૂર્ણ થવામાં લગભગ પાંચથી સાત વર્ષનો સમય લાગી શકે છે. સરકારનું માનવું છે કે આ યોજના ભારતને LNG સ્પોટ માર્કેટ પરની નિર્ભરતા ઘટાડવામાં મદદરૂપ બનશે અને ગેસ સપ્લાયને વધુ સ્થિર તેમજ સસ્તી બનાવશે.

પ્રોજેક્ટનો ખર્ચ

અંદાજે 40 હજાર કરોડ રૂપિયાના ખર્ચવાળી આ મહત્ત્વાકાંક્ષી યોજના ભારતને દરિયાઈ અવરોધો વિના સ્થિર અને સસ્તી ગેસ સપ્લાય ઉપલબ્ધ કરાવી શકે છે. આ પ્રોજેક્ટથી LNG માર્કેટ પરની નિર્ભરતા ઘટશે અને ભવિષ્યમાં ઊર્જા સંકટનું જોખમ પણ ઓછું થશે.

સરકારી કંપનીઓ કરી છે છે રિપોર્ટ તૈયાર

સરકારે GAIL, Engineers India અને Indian Oil Corporation જેવી સરકારી કંપનીઓને આ પ્રોજેક્ટ માટે વિગતવાર રિપોર્ટ તૈયાર કરવાની પ્રક્રિયા શરૂ કરવા સૂચનાઓ આપવાની તૈયારી શરૂ કરી છે. શરૂઆતનો અભ્યાસ નવી દિલ્હીની ખાનગી કંપની The South Asia Gas Enterprise (SAGE)ની રિપોર્ટના આધારે કરવામાં આવી રહ્યો છે.

દરિયાઈ અવરોધોથી સુરક્ષિત રહેશે પાઇપલાઇન

અહેવાલો મુજબ, આ પાઇપલાઇનને એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે કે તે ભૂરાજકીય રીતે સંવેદનશીલ વિસ્તારો અને દરિયાઈ અવરોધોથી બચી શકે. આ યોજના સફળ બનશે તો ભારતને ઓમાન ઉપરાંત UAE, કતાર, સાઉદી અરેબિયા, ઈરાન અને તુર્કમેનિસ્તાન જેવા ગેસ સમૃદ્ધ દેશોમાંથી સીધી ગેસ આયાત કરવાનો વિકલ્પ મળશે.

માહિતી પ્રમાણે, આ પાઇપલાઇન સમુદ્રની અંદર લગભગ 3,450 મીટર જેટલી ઊંડાઈએ નાખવામાં આવી શકે છે. જો આવું થશે તો આ વિશ્વની સૌથી ઊંડી સમુદ્રી ગેસ પાઇપલાઇન યોજનાઓમાં સામેલ થશે. તાજેતરના ટેક્નિકલ અભ્યાસોમાં આ પ્રોજેક્ટને સુરક્ષિત અને વ્યવહારુ ગણાવવામાં આવ્યો છે.

નિષ્ણાતોનું માનવું છે કે આ યોજના માત્ર ભારતની ઊર્જા સુરક્ષાને જ મજબૂત નહીં બનાવે, પરંતુ દેશની આર્થિક અને વ્યૂહાત્મક શક્તિમાં પણ વધારો કરશે. હોર્મુઝ જેવા મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગોમાં અવરોધ ઉભા થાય અથવા વૈશ્વિક સંકટ સર્જાય તો પણ ભારતની ગેસ સપ્લાય પર તેની મોટી અસર નહીં પડે.

ગેસ પેપરથી લઈને પ્રશ્નોના PDF સુધી… NEET પેપર લીક પાછળ કેટલા ખેલાડીઓ અને કેટલા રહસ્યો છુપાયેલા છે?

Adhik Maas 2026: અધિક માસ દરમિયાન આ ઉપાયો અપનાવો, તમારા જીવનની સમસ્યાઓ થશે દૂર!

Adhik Maas: હિન્દુ ધર્મમાં અધિક માસનું વિશેષ મહત્વ છે. તેને મલમાસ અને પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ મહિનો ભગવાન વિષ્ણુને સમર્પિત છે, અને આ સમયગાળા દરમિયાન પૂજા, દાન અને આધ્યાત્મિક સાધના કરવાથી અનેકગણા લાભ મળે છે.

કેલેન્ડર મુજબ, 2026 માં અધિક માસ રવિવાર, 17 મે, 2026 થી શરૂ થાય છે અને સોમવાર, 15 જૂન, 2026 સુધી ચાલુ રહેશે. એવું માનવામાં આવે છે કે આ મહિના દરમિયાન કરવામાં આવતા શુભ કાર્યો મુશ્કેલીઓ ઘટાડવામાં અને માનસિક શાંતિ લાવવામાં મદદ કરે છે. ચાલો જોઈએ કે અધિક માસ દરમિયાન કયા ઉપાયો શુભ માનવામાં આવે છે, તેનું મહત્વ અને શું ધ્યાન રાખવું જોઈએ.

અધિક માસ શું છે?

હિન્દુ કેલેન્ડર ચંદ્ર અને સૌર ગણતરીઓ પર આધારિત છે. ચંદ્ર અને સૌર વર્ષ વચ્ચે સંતુલન જાળવવા માટે લગભગ દર ત્રણ વર્ષે એક વધારાનો મહિનો, જેને અધિક માસ કહેવાય છે, ઉમેરવામાં આવે છે. શાસ્ત્રોમાં આ મહિનાને ભગવાન વિષ્ણુનો પ્રિય મહિનો માનવામાં આવે છે. તેથી તેને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. ધાર્મિક માન્યતા એવી છે કે આ મહિના દરમિયાન ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી જીવનની મુશ્કેલીઓ ઓછી થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.

અધિક માસ દરમિયાન આ ઉપાયો અજમાવો!

અધિક માસ દરમિયાન પાણીનું દાન

અધિક માસ દરમિયાન પાણીનું દાન કરવું એ સૌથી મોટું પુણ્ય માનવામાં આવે છે. આ મહિના દરમિયાન તરસ્યાને પાણી આપવું અથવા પાણીનો ઘડો દાન કરવો એ ભગવાનની સીધી સેવા માનવામાં આવે છે. આ મહિનો ભગવાન વિષ્ણુનો છે, અને તેથી તેઓ પાણીની સેવા કરનારાઓ પર વિશેષ આશીર્વાદ વરસાવે છે.

તુલસીના છોડની પૂજા કરો

અધિક માસ ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે, તેથી તુલસીની પૂજાનું વિશેષ મહત્વ છે. અધિક માસ દરમિયાન દરરોજ તુલસીના છોડને પાણી અર્પણ કરો અને સાંજે દીવો પ્રગટાવો.

પીળા કપડાં અને પીળી વસ્તુઓનું દાન કરો

આ મહિનામાં પીળો રંગ શુભ માનવામાં આવે છે. અધિક માસ દરમિયાન જરૂરિયાતમંદોને પીળા કપડાં, હળદર, ચણાની દાળ અથવા કેળાનું દાન કરવું ફાયદાકારક માનવામાં આવે છે.

વિષ્ણુ મંત્રોનો જાપ શરૂ કરો

અધિક માસ દરમિયાન ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા વિષ્ણુ સહસ્ત્રનામનો જાપ ખાસ કરીને ફળદાયી માનવામાં આવે છે. તે માનસિક શાંતિ અને સકારાત્મક ઉર્જા લાવે છે.

ગરીબો અને જરૂરિયાતમંદોને મદદ કરો

ધાર્મિક માન્યતાઓ અનુસાર, અધિક માસ દરમિયાન ખોરાક, પાણી અને કપડાંનું દાન કરવાથી પાપોનો નાશ થાય છે અને શુભ પરિણામો મળે છે.

અધિક માસનું ધાર્મિક મહત્વ

અધિક માસને ધ્યાન, ભક્તિ અને આત્મશુદ્ધિનો મહિનો માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કરવામાં આવતા જપ, તપ, દાન અને પૂજાનું ફળ સામાન્ય દિવસો કરતાં વધુ મળે છે. ધાર્મિક ગ્રંથો અનુસાર, ભગવાન વિષ્ણુએ આ મહિનાને પોતાનું નામ આપ્યું અને તેને પુરુષોત્તમ માસ તરીકે નિયુક્ત કર્યું. તેથી, આ મહિના દરમિયાન વિષ્ણુ પૂજા, શ્રીમદ્ ભાગવત કથાનું પાઠ, ગીતાનો પાઠ અને સ્તોત્રો ગાવાનું શુભ માનવામાં આવે છે.

અધિક માસ દરમિયાન શું ન કરવું જોઈએ?

ધાર્મિક માન્યતાઓ અનુસાર, અધિક માસ દરમિયાન તામસિક ખોરાક, માંસાહારી ખોરાક અને કોઈપણ પ્રકારના નશાથી દૂર રહેવું જોઈએ. આ સમયગાળા દરમિયાન જૂઠું બોલવાનું, કોઈનું અપમાન કરવાનું અથવા અન્યને નુકસાન પહોંચાડવાનું ટાળવાની સલાહ આપવામાં આવે છે. ક્રોધ, દલીલો અને નકારાત્મક વિચારોથી દૂર રહીને શાંત અને સકારાત્મક વલણ જાળવી રાખવું શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અધિક માસ દરમિયાન લગ્ન, ગૃહસ્થી સમારોહ, મુંડન સમારોહ અને અન્ય શુભ સમારોહ ટાળવામાં આવે છે. કારણ કે આ સમય પૂજા અને ધ્યાનનો હોય છે.

Shiv Puja: શું ઘરમાં શિવલિંગ રાખવું જોઈએ? તેને રાખવાના નિયમો અને તેની પૂજા કરવાની સાચી રીત જાણો

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Breaking News : આશિષ નેહરાની આ ફોર્મ્યુલા IPLમાં મચાવી રહી છે ધમાલ

આઈપીએલમાં મોટાભાગની ટીમો બેટ્સમેનને ખુશ કરનારી ક્રિકેટ રમી રહી છે. દરેક મેચમાં 220 પ્લસ, દરેક ઓવરમાં સિક્સ, દરેક બોલમાં ઈમ્પૈક્ટ પરંતુ ગુજરાત ટાઇટન્સે આ સમગ્ર ભવ્યતામાં ટેસ્ટ મેચની ક્રૂરતા ઉમેરી છે. ગુજરાતના ફાસ્ટ બોલરને બેટ્સમેનને આઉટ કરતા નહી પરંતુ પરેશાન કરતા આવડે છે. નવા બોલથી મોહમ્મદ સિરાજ અને કાગિસો રબાડા જ્યારે દોડે છે. તો સામે રહેલા બેટ્સમેનન રન ઓછા અને આઉટ થવાથી બચવાનો રસ્તો વધારે શોધે છે. ત્યારબાદ બદલાવ આવે છે.

ડેથ ઓવરોમાં યોર્કર

પ્રસિદ્ધ કૃષ્ણા અને જેસન હોલ્ડર ત્યારબાદ બેકઅપમાં અર્શદીપ ખાન જેવા બોલર, જ્યારે બેટ્સમેન વિચારે છે કે, હવે સ્પિન આવશે અને થોડી રાહત મળશે. ત્યારે સામે રાશિદ ખાન મળે છે. ગુજરાતની બોલિંગ જોઈ લાગે છે કે,જેવી ટીમ મીટિંગમાં માત્ર એક લાઈન બોલવામાં આવે છે કે, સ્ટંપ પછી જોજો. પહેલા બેટ્સમેનને મુશ્કેલીમાં નાંખો.અન્ય ટીમો ડેથ ઓવરોમાં યોર્કર શોધે છે, પણ જીટીના બોલરો હાર્ડ લેન્થને વળગી રહે છે. જેમ ટેસ્ટ મેચનો પાંચમો દિવસ ચાલું થાય છે. બોલ તમારી છાતીની નજીક આવે છે. પુલ મારો તો કેચ, અને તમને હરાવવામાં આવે. ટુંકમાં બેટ્સમેન પાસે ઓછા શોટ અને ભૂલો વધુ રહે છે.

આઈપીએલમાં ફાસ્ટ બોલિંગ કલ્ચર

હેડ કોચ આશિષ નેહરાની સૌથી મોટી સમસ્યા એ છે કે, તેમણે ગુજરાત ટાઈટન્સને માત્ર એક ટીમ નહી પરંતુ બોલરની ફેક્ટ્રી બનાવી છે. મોહમ્મદ શમીએ અહીં પોતાનો ડર ફરીથી શોધી કાઢ્યો. મોહિત શર્માને બીજી કારકિર્દી મળી. હવે સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણા એ જ સિસ્ટમમાં બેટ્સમેનોની ટેકનિકને હલાવી રહ્યા છે.

ગુજરાતના બોલરો માત્ર વિકેટ લેતા નથી. પરંતુ મેચનું આખું મુડ બદલી નાંખે છે. શુભમન ગિલની કેપ્ટનશીપ પણ બદલી ચૂકી છે ,ગિલ હવે માત્ર પોસ્ટર બોય રહ્યો નથી. તેની કેપ્ટનશીપમાં એક અલગ જ અંદાજ જોવા મળે છે, રાશિદ ખાન જેવા મેચ વિનર સ્પિનિર હોવા છતાં ગુજરાત કેટલીક વખત ફાસ્ટ બોલર પર મેચ છોડી દે છે. કારણ કે, ટીમને વિશ્વાસ હોય છે કે, જો હાર્ડ લેન્થ યોગ્ય પડી રહી છે. તો બેટ્સમેન પોતાના હાથે ભૂલ કરશે. ટુકમાં ગુજરાત વિરોધી ટીમને પોતાની જાળમાં ફસાવે છે.

આઈપીએલની અન્ય ટીમ માટે ખતરાની ઘંટી

સૌથી ડરામણી વાત એ છે કે, ગુજરાત માત્ર અમદાવાદમાં જીતી રહી નથી. બહાર પણ તેની સ્ટોરી આવી જ છે. કોઈ હોમ પિચ ફ્રોડ નહી. આખી ક્રિકેટ ફિલોસોફી છે, જ્યારે અન્ય ટીમ મનોરંજન ક્રિકેટ રમી છે. તો નહેરાજી જીટી બેટ્સમેનોને યાદ અપાવે છે કે, ફાસ્ટ બોલિંગ હજુ પણ ક્રિકેટમાં સૌથી મોટો ડર છે.

IPL 2026 : કેટલું કમાય છે આશિષ નેહરા? ગુજરાત ટાઈટન્સને પ્લેઓફમાં પહોંચાડવા માટે કોચ પર થાય છે પૈસાનો વરસાદ અહી ક્લિક કરો

Lucky Wallet Color: તમારા પર્સનો રંગ, તમારી પ્રગતિમાં અવરોધ ઊભો કરે છે? જાણો મૂળાંકના આધારે તમારો લકી કલર

Best Wallet Color for Prosperity: લોકો ઘણીવાર પર્સ ખરીદતી વખતે ફક્ત ડિઝાઇન પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે, પરંતુ અંકશાસ્ત્ર પણ પર્સનો રંગ ખૂબ જ મહત્વપૂર્ણ માને છે. એવું માનવામાં આવે છે કે ખોટા રંગનું પર્સ વ્યક્તિની નાણાકીય પરિસ્થિતિ, આત્મવિશ્વાસ અને માનસિક ઉર્જા પર અસર કરી શકે છે.

કયો મૂળાંક રંગ શુભ માનવામાં આવે છે?

યોગ્ય રંગનું પર્સ સકારાત્મક ઉર્જા, સંપત્તિ આકર્ષવામાં અને પ્રગતિ માટે નવા રસ્તાઓ ખોલવામાં મદદ કરે છે તેવું માનવામાં આવે છે. અંકશાસ્ત્ર અનુસાર, દરેક વ્યક્તિનો મૂળાંક નંબર હોય છે અને તે મુજબ શુભ રંગો નક્કી કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમના મૂળાંક નંબર અનુસાર રંગોનો ઉપયોગ કરવાથી જીવનમાં સંતુલન અને સફળતા વધી શકે છે. ચાલો જાણીએ કે દરેક મૂળાંક માટે કયો મૂળાંક રંગ શુભ માનવામાં આવે છે.

તમારો મૂળાંક કેવી રીતે શોધવો?

મૂળાંકની ગણતરી જન્મ તારીખ ઉમેરીને કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 14મી તારીખે થયો હોય તો 1 + 4 = 5, એટલે કે તેમનો મૂળાંક 5 હશે. તેવી જ રીતે દરેક વ્યક્તિનો મૂળાંક તેમની જન્મ તારીખના સરવાળા દ્વારા નક્કી થાય છે.

મૂળાંક 1

1લી, 10મી, 19મી અથવા 28મી તારીખે જન્મેલા લોકોનો મૂળાંક 1 માનવામાં આવે છે. અંકશાસ્ત્ર અનુસાર આ લોકો માટે સોનેરી, નારંગી અને તાંબાના રંગના પર્સ શુભ માનવામાં આવે છે. આ રંગો આત્મવિશ્વાસ વધારવા અને નેતૃત્વ ક્ષમતાઓને મજબૂત બનાવવા માટે માનવામાં આવે છે. મૂળાંક 1 ધરાવતા લોકોને કાળા પર્સ ટાળવાની સલાહ આપવામાં આવે છે.

મૂળાંક 2

2, 11, 20 અને 29 તારીખે જન્મેલા લોકોનો અંક 2 હોય છે. સફેદ, ચાંદી અને ક્રીમ રંગના પર્સ તેમના માટે શુભ માનવામાં આવે છે. આ રંગો માનસિક શાંતિ અને ભાવનાત્મક સંતુલન જાળવવામાં મદદ કરે છે.

મૂળાંક 3

3, 12, 21 અને 30 તારીખે જન્મેલા લોકો માટે પીળો, આછો નારંગી અને સોનેરી રંગ ફાયદાકારક માનવામાં આવે છે. અંકશાસ્ત્ર અનુસાર, આ રંગો જ્ઞાન, સન્માન અને નાણાકીય સ્થિરતાને પ્રોત્સાહન આપે છે.

મૂળાંક 4

ભૂરા, રાખોડી અને વાદળી રંગના પર્સ 4, 13, 22 અને 31 તારીખે જન્મેલા લોકો માટે શુભ માનવામાં આવે છે. આ રંગો સ્થિરતા અને સખત મહેનતથી સકારાત્મક પરિણામો લાવે છે તેવું માનવામાં આવે છે.

મૂળાંક 5

લીલો રંગ 5 નંબર ધરાવતા લોકો માટે સૌથી શુભ રંગ માનવામાં આવે છે. મિન્ટ ગ્રીન અથવા આછો લીલો રંગ પણ સારો માનવામાં આવે છે. આ રંગો વ્યવસાય અને નાણાકીય તકોમાં વધારો કરે છે.

મૂળાંક 6

6, 15 અને 24 તારીખે જન્મેલા લોકો માટે ગુલાબી, ક્રીમ અને આછો વાદળી રંગ શુભ માનવામાં આવે છે. આ રંગો આરામ, પ્રેમ અને આકર્ષણ સાથે સંકળાયેલા છે.

મૂળાંક 7

7 તારીખે જન્મેલા લોકો માટે આકાશી વાદળી, આછો રાખોડી અને દરિયાઈ લીલો રંગ ફાયદાકારક માનવામાં આવે છે. આ રંગો માનસિક શાંતિ અને આધ્યાત્મિક ઉર્જા વધારવા માટે માનવામાં આવે છે.

મૂળાંક 8

નેવી બ્લૂ, કાળો અને ઘેરો ભૂરો રંગ 8, 17 અને 26 તારીખે જન્મેલા લોકો માટે શુભ રંગો માનવામાં આવે છે. અંકશાસ્ત્રમાં, આ રંગો સખત મહેનત, શિસ્ત અને નાણાકીય શક્તિ સાથે સંકળાયેલા છે.

મૂળાંક 9

નૌકાદળનો નંબર 9 ધરાવતા લોકો માટે લાલ, મરૂન અને ઘેરો ગુલાબી રંગ શુભ રંગો માનવામાં આવે છે. અંકશાસ્ત્ર અનુસાર આ રંગો ઊર્જા, હિંમત અને સફળતા આકર્ષવામાં મદદ કરે છે.

પર્સ અંગેના આ નિયમો પણ ખાસ માનવામાં આવે છે

અંકશાસ્ત્ર અને વાસ્તુ માન્યતાઓ અનુસાર ફાટેલું કે જૂનું પર્સનો ઉપયોગ ન કરવો જોઈએ. પર્સમાં નકામા કાગળો, બિલો અથવા તૂટેલી વસ્તુઓ રાખવાથી નકારાત્મકતા વધે છે તેવું કહેવાય છે. વધુમાં પર્સને સ્વચ્છ અને યોગ્ય રીતે જાળવવાને શુભ માનવામાં આવે છે.

Gold Astrology: સોનું આ 6 રાશિઓ માટે અશાંતિ લાવી શકે છે, તેને પહેરતા પહેલા જાણી લો નિયમો

Breaking News : CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, ગત વર્ષ કરતા ઓછું આવ્યું પરિણામ

CBSE ધોરણ 12ના અંદાજે 18 લાખ વિદ્યાર્થીઓની રાહ હવે પૂરી થઈ ગઈ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધોરણ 12નું પરિણામો જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓ હવે સત્તાવાર વેબસાઇટ્સ, results.cbse.nic.in અને cbseresults.nic.in, DigiLocker અને ઉમંગ એપ દ્વારા સરળતાથી તેમના પરિણામો જોઈ શકશે. બોર્ડે વિદ્યાર્થીઓની સુવિધા માટે ઓનલાઈન માર્કશીટ ડાઉનલોડ કરવાની પણ સુવિધા આપી છે.

વિદ્યાર્થીઓ તેમના રોલ નંબર અને અન્ય જરૂરી વિગતોનો ઉપયોગ કરીને તેમના પરિણામો ચકાસી શકે છે. પરિણામ જાહેર થયા પછી વેબસાઇટ પર ટ્રાફિક વધવાની અપેક્ષા છે, તેથી વિદ્યાર્થીઓએ ધીરજ રાખવી જોઈએ.CBSE 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. CBSE એ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ જાહેરાત કરી છે.

CBSE બોર્ડ 12નું પરિણામ જાહેર, 85.20 % વિદ્યાર્થીઓ પાસ

 

 

આ વર્ષે, કુલ 95.20% વિદ્યાર્થીઓએ CBSE ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કરી છે. ગત વર્ષે, 2025 માં પાસ થવાની ટકાવારી 88.39% હતી.CBSE 12મા બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીનીઓએ ફરી એકવાર વિદ્યાર્થીઓ કરતાં સારો દેખાવ કર્યો છે. છોકરીઓનો કુલ પાસ ટકાવારી 88.86 ટકા છે, જ્યારે છોકરાઓનો પાસ ટકાવારી 82.13 ટકાછે.આ વર્ષે CBSE 12માના પરિણામમાં કુલ 94,028 વિદ્યાર્થીઓએ 90 ટકા અને તેથી વધુ ગુણ મેળવ્યા છે, જ્યારે 17,113 વિદ્યાર્થીઓ એવા છે જેમણે 95 ટકાથી વધુ ગુણ મેળવ્યા છે.

9% થી વધુ વિદ્યાર્થીઓને કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે,આ વર્ષે CBSE 12માના પરિણામોમાં, કુલ 163,800 વિદ્યાર્થીઓ, એટલે કે, 9.26%, કમ્પાર્ટમેન્ટ કેટેગરીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

પરિણામ ઉમંગ એપ પર પણ ઉપલબ્ધ

CBSE એ ઉમંગ એપ પર પણ પરિણામોની ઍક્સેસ આપી છે. વિદ્યાર્થીઓ પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી ઉમંગ એપ ડાઉનલોડ કરી શકે છે. લોગ ઇન કર્યા પછી, CBSE વિભાગમાં જાઓ અને તમારી વિગતો દાખલ કરો. સબમિટ કર્યા પછી, પરિણામો સ્ક્રીન પર દેખાશે.

પૂરક પરીક્ષા 15 જુલાઈના રોજ યોજાશે

આ વર્ષે, CBSE 12મા ધોરણની પૂરક પરીક્ષા 15 જુલાઈના રોજ એક જ દિવસ માટે યોજાશે. કમ્પાર્ટમેન્ટની સમસ્યા ધરાવતા વિદ્યાર્થીઓ અથવા એક જ વિષયમાં પોતાના ગુણ સુધારવા માંગતા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી શકે છે.

શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે.  વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

IPL 2026 : કેટલું કમાય છે આશિષ નેહરા? ગુજરાત ટાઈટન્સને પ્લેઓફમાં પહોંચાડવા માટે કોચ પર થાય છે પૈસાનો વરસાદ

Ashish Nehra Story : IPL 2026ની 56મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને ગુજરાત ટાઈટન્સે હાર આપી આ સીઝનની પ્લેઓફમાં પહોંચનારી સૌથી પહેલી ટીમ બની ગઈ છે. ગુજરાત ટાઈટન્સે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં હૈદરાબાદની ટીમને 82 રનથી હાર આપી છે. જે આઈપીએલમાં રનના મામલે સૌથી પહેલા પહોંચવામાં સફળ રહી છે. ટીમની આ સફળતામાં તેના હેડ કોચ આશિષ નેહરાની ભૂમિકા ખુબ ખાસ રહી છે. જે જીત અપાવવા માટે મેદાન પર ભલે ના ઉતરે પરંતુ મેદાનની બહાર પોતાનો રોલ સારી રીતે નિભાવે છે.

આશિષ નેહરાની કુલ કમાણી કેટલી?

આઈપીએલમાં નેહરાની ટીમની જીતની રણનીતી બનાવવા માટે આખી સીઝનના 3.5 કરોડ રુપિયા મળે છે પરંતુ તેની કુલ કમાણી શું તમે જાણો છો. આશિષ નેહરા વધારે કોમેન્ટ્રી કરતો નથી. તેમજ જાહેરાત પણ નથી કરતો , સોશિયલ મીડિયા પર અન્ય ખેલાડીઓ જેટલો એક્ટિવ પણ નથી. તો સવલા આવે છે કે, તેની કમાણી ક્યાંથી આવે છે. જેની નેટવર્થ 70 કરોડ રુપિયાથી વધારે છે. ગુજરાત ટાઈટન્સના હેડ કોચ હાલમાં 71 કરોડ રુપિયાના માલિક છે. પરંતુ કઈ રીતે, જવાબ એ છે કે, તે અનેક બિઝનેસ સાથે સંકળાયેલ છે. જેમાં તેની વર્ષની સેલેરી કરોડોમાં છે.

આશિષ નેહરાએ ક્યા ક્યા બિઝનેસ શરુ કર્યા?

આશિષનેહરાએ પહેલો બિઝનેસ ક્રિકેટ એકેડમી તરીકેશરુ કર્યો. તેમણે પોતાના નામથી એકેડમી શરુ કરી છે.જેનું પહેલું સેન્ટર નોઈડામાં ખુલ્યું. મોટા શહેરોમાં તેની ક્રિકેટ એકેડમીનો ચાર્જ 4500 થી 5200 રુપિયા સુધી છે. પ્રયાગરાજ,ગૌરખપુર જેવા નાના શહેરોમાં તેનો ચાર્જ 1600 થી 2800 રુપિયા જેવો છે. નેહરાજીની ક્રિકેટ એકેડેમી ખુબ ફેમસ છે.

ક્રિકેટ એકેડમીની સાથે આશિષ નેહરા અને તેનો પરિવારે હોસ્પિટલિટી બિઝનેસ પણ શરુ કર્યો છે. તેમણે રેસ્ટોરન્ટમાં પૈસા લગાવ્યા છે. દિલ્હીમાં તેના 2 મોંઘા રેસ્ટોરન્ટ છે. જે એ કસ્ટમર્સને ટાર્ગેટ કરે છે. તેઓ દર વખતે જ્યારે મુલાકાત લે છે ત્યારે વધુને વધુ પૈસા ખર્ચે છે. નેહરાના રેસ્ટોરાં IPL સીઝન દરમિયાન IPL ડિનરનું પણ આયોજન કરે છે.

આ જગ્યાથી આવે છે પૈસા

સ્પષ્ટ એ પણ છે કે, એકેડમી,રેસ્ટોરન્ટ બિઝનેસ અને ગુજરાત ટાઈટન્સમાંથી દર વર્ષે થનારી કમાણી આશિષ નેહરા પર પૈસા વરસાવવાનો મુખ્ય સ્ત્રોત છે. ફાઈનેશિયલ એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર આ તમામ જગ્યાઓથી સાથે મળી કુલ તેની કમાણી 71 કરોડ રુપિયા વર્ષની છે.

 

 

7 વર્ષ ડેટિંગ કર્યું, 15 મિનિટમાં લગ્નનો પ્લાન બનાવી, 7 દિવસમાં લગ્ન કરનાર નેહરાજીનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

Breaking News : રાજકોટ સિવિલ હોસ્પિટલમાં શ્વાન બાદ હવે ઉંદરનો ત્રાસ, સારવાર માટે આવેલા દર્દીઓને ચેપ ફેલાવાનો ભય! જુઓ Video

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. અગાઉ આ જ સિવિલ હોસ્પિટલમાં શ્વાનોના આંટાફેરાના વિડિયો પણ વાયરલ થયો હતો, ત્યારબાદ હવે ઉંદરોના ત્રાસનો એક ચોંકાવનારો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેને પગલે પ્રશાસન સામે ઘણા સવાલો પણ ઊભા થયેલા છે. પ્રાથમિક માહિતી મુજબ, આ વિડિયો સિવિલ હોસ્પિટલના OPD વિભાગનો છે.

બીમારીઓની સારવાર લેવા આવતા દર્દીઓના નજીક જ કચરા પેટી જોવા મળી રહી છે અને ત્યા ઉંદરો ખુલ્લેઆમ ફરતા વિડિયોમાં જોવા મળી રહ્યા છે. ઉંદરોને કારણે ચેપ ફેલાવાનો પણ ભય દર્દીઓને સતાવી રહ્યો છે.

ડોક્ટર કમલસિંહ ડોડીયાનું નિવેદન

ઉંદરોને પકડવા માટે આગામી દિવસમાં કોન્ટ્રાક્ટ આપવામાં આવશે. ગત વર્ષે ઉંદરોને પકડવા માટે 40થી વધુ પાંજરા મૂકવામાં આવ્યા હતા. 2025ના ફેબ્રુઆરી મહિનામાં પણ ઉંદરોને પકડવા માટે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. સિવિલ હોસ્પિટલ તંત્ર દર્દીઓને સારામાં સારી સારવાર મળે તે માટે કટિબદ્ધ છે આવું નિવેદન ડોક્ટર કમલસિંહ ડોડીયા દ્વારા આપવામાં આવેલું છે.

 

આ પણ વાંચો, Breaking News: ભાવનગરના મહુવામાં ભેળસેળિયા માવાનો મોટો પર્દાફાશ, 1189 કિલો જથ્થો નાશ કરાયો, જુઓ Video

તમારા લેપટોપ ચાર્જર વાયર પર નાનકડો કાળો ગઠ્ઠો કેમ હોય છે ? 90% લોકોને નથી હોતી ખબર, જાણો મોટુ વૈજ્ઞાનિક રહસ્ય

જો તમે લેપટોપનો ઉપયોગ હોવ તો તમે તેના ચાર્જર વાયર ઉપર અચૂક એક નાનો કાળો ગઠ્ઠો જોયો હશે. આ ગઠ્ઠો નળાકાર સ્વરૂપમાં જોવા મળે છે. લોકો ઘણીવાર કાળો ગઠ્ઠો ચાર્જર વાયર ઉપર જ કેમ હોય છે તે જાણવાને બદલે તેને અવગણે છે. મોટાભાગના લેપટોપ યુઝર્સ એવુ ધારતા હશે કે, આ કાળો ગઠ્ઠો એ ચાર્જ વાયર ઉપરની એક પ્રકારે ડિઝાઇન હશે કે પછી લેપટોપ ચાર્જર વાયરમાં સુવિધા અથવા સરળ કેબલ ટાઇ સિવાય બીજું કશું નહીં હોય.પરંતુ શું તમે જાણો છો કે, આ કાળા રંગના પ્લાસ્ટિકનો નાનકડો ‘ગઠ્ઠો’ તમારા મોંઘાદાટ લેપટોપ માટે એક રક્ષક તરીકે કામ કરે છે ? તેના વિના, તમારું લેપટોપ ખરાબ જ થાય એવુ નથી, પરંતુ તે તમારા ઘરના અન્ય વિદ્યુત ઉપકરણોમાં પણ ખામી સર્જી શકે છે. ચાલો આ રહસ્યમય ગઠ્ઠા પાછળ રહેલા વિજ્ઞાનમાં ઊંડા ઉતરીએ.

તે શું છે, અને તેને શું કહેવામાં આવે છે?

એન્જિનિયરિંગ પરિભાષામાં, આ ઘટકને ‘ફેરાઇટ બીડ’ અથવા ‘ફેરાઇટ ચોક’ તરીકે ઓળખવામાં આવે છે. ચાર્જર વાયર ઉપરનો આ ગઠ્ઠો ફક્ત પ્લાસ્ટિકનો એક સામાન્ય ટુકડો નથી. પરંતુ ગઠ્ઠાની અંદર, તે ‘ફેરાઇટ’ નામનો ચુંબકીય પદાર્થ ધરાવે છે, જે આયર્ન ઓક્સાઇડ અને અન્ય વિવિધ ધાતુઓના મિશ્રણથી બનેલો છે. તેનું પ્રાથમિક કાર્ય ચાર્જર દ્વારા વહેતા વિદ્યુત પ્રવાહને તમારા લેપટોપ સુધી પહોંચે તે પહેલાં ‘ફિલ્ટર’ કરવાનું છે.

તે શા માટે જરૂરી છે?

જ્યારે વીજળી ચાર્જર કેબલમાંથી વહે છે, ત્યારે કેબલ અસરકારક રીતે રેડિયો એન્ટેનાની જેમ કાર્ય કરવાનું શરૂ કરે છે. આ પ્રક્રિયા ‘ઇલેક્ટ્રોમેગ્નેટિક હસ્તક્ષેપ’ (EMI) ઉત્પન્ન કરે છે, જેને સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક અવાજ તરીકે ઓળખવામાં આવે છે.

  • ચોક્કસ સંકેતો: આ ગાંઠ તે અનિચ્છનીય અવાજ અથવા તે ઉચ્ચ-આવર્તન સંકેતોને શોષી લે છે.
  • અન્ય ઈલે. ઉપકરણોનું રક્ષણ: આ ગઠ્ઠા વિના, તમારા ચાર્જર દ્વારા ઉત્સર્જિત રેડિયો તરંગો નજીકના અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો, જેમ કે તમારા ટીવી, રેડિયો અથવા Wi-Fi રાઉટરના સિગ્નલોમાં દખલ કરી શકે છે.
  • મધરબોર્ડ સુરક્ષા: સૌથી અગત્યનું, તે વોલ્ટેજ વધઘટને નિયંત્રિત કરે છે, જેનાથી લેપટોપના સંવેદનશીલ મધરબોર્ડને બળી જવાથી અટકાવે છે.

જો તેને દૂર કરવામાં આવે તો શું થાય છે?

જો તમે તમારા ચાર્જરમાંથી આ ફેરાઇટ બીડ દૂર કરો છો, તો તમારું લેપટોપ તરત જ નિષ્ફળ નથી જતું પરંતુ જોકે, લાંબા ગાળે, તે લેપટોપના આંતરિક પાર્ટસ-ભાગને નુકસાન પહોંચાડશે. મોનિટર સ્ક્રીન લબક ઝબક થઈ શકે છે, અથવા કીબોર્ડ અને માઉસની કાર્યક્ષમતામાં અવરોધ ઉભા થઈ શકે છે. ટૂંકમાં આ કાળા ગઠ્ઠા વિના લેપટોપ સરળતાથી ચલાવવું ખૂબ મુશ્કેલ થઈ શકે છે.

હવે એસી ચલાવવા માટે વીજળીની જરૂર નહીં પડે ! Nescod ટેકનોલોજીથી મિનિટોમાં ઠંડક થશે

ખાંડના વાસણમાં ઘૂસી ગઈ કીડીઓ? ફેંકતા પહેલા અજમાવો આ 4 ઘરેલું ઉપાયો

ઉનાળાની ઋતુમાં જ્યારે લોકો સૂર્યના પ્રચંડ તાપથી પરેશાન હોય છે, ત્યારે તેઓ તેમના ઘરની અંદર નાની કીડીઓના ભયનો પણ સામનો કરે છે. આ સમય દરમિયાન કીડીઓ પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે, જે પથારીથી લઈને ખોરાક સુધી દરેક વસ્તુ પર ચઢી જાય છે. કેટલીકવાર, લોકો તેમના કપડાં પર લાલ કીડીઓ ચડી જતી જોવા મળે છે, પરંતુ પહેર્યા પછી જ તેમને પરેશાન કરે છે.

કીડીઓની લાઇન લાગી જાય

આવી સ્થિતિમાં એમ કહેવું ખોટું નહીં હોય કે કીડીઓ ગમે ત્યાં ચઢી જાય છે. ખાસ કરીને જો ખાંડના વાસણને થોડા સમય માટે પણ ખુલ્લું રાખવામાં આવે તો તેની આસપાસ કીડીઓની લાઇન લાગી જાય છે. ઘણા લોકો નિરાશ થઈને બધી ખાંડ ફેંકી દે છે.

જો તમે આવું કરો છો, તો તમે પોતાને નુકસાન પહોંચાડી રહ્યા છો. થોડી સામાન્ય સમજ અને કેટલાક સરળ ઘરેલું ઉપાયોથી આ સમસ્યા મિનિટોમાં ઉકેલી શકાય છે. ખાસ વાત એ છે કે કીડીઓને ખાંડના વાસણમાંથી દૂર કરવા માટે તમારે કોઈ રસાયણોની જરૂર નથી અને ખાંડ પણ બગડવાથી સુરક્ષિત રહે છે. ચાલો જાણીએ કે તમે કીડીઓને ખાંડના વાસણમાંથી કેવી રીતે દૂર કરી શકો છો.

લવિંગ અને સૂર્યપ્રકાશથી કીડીઓને ભગાડો

જો ખાંડમાં કીડીઓનો ઉપદ્રવ હોય તો પહેલા તેને મોટી પ્લેટ અથવા સ્વચ્છ કપડા પર ફેલાવો. તેને 10-15 મિનિટ માટે તડકામાં રહેવા દો. પછી 5-6 લવિંગ ઉમેરો. કીડીઓ તરત જ ભાગી જશે અને ખાંડ સંપૂર્ણપણે સાફ થઈ જશે. આ પદ્ધતિ ખૂબ જ સરળ અને અસરકારક માનવામાં આવે છે.

તજ કીડીઓને ભગાડશે

આ યાદીમાં તજ બીજો સારો વિકલ્પ છે. તજ માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં પણ કીડીઓને દૂર રાખવામાં પણ મદદ કરે છે. આ કરવા માટે ખાંડ પર તજના નાના ટુકડા છાંટો. થોડા સમય પછી કીડીઓ અદૃશ્ય થઈ જશે. વૈકલ્પિક રીતે તમે તજને કપડામાં લપેટીને સીધી ખાંડના કન્ટેનરમાં પણ મૂકી શકો છો. આનાથી કીડીઓ પાછા આવવાની શક્યતા પણ ઓછી થઈ જાય છે.

ગરમ પાણીની ટ્રિક

જો તમારી પાસે રાહ જોવાનો સમય ન હોય અને તમે વધારે પ્રયત્ન કરવા માંગતા ન હોવ તો આ પદ્ધતિ ઉપયોગી થઈ શકે છે. કીડીઓથી ભરેલા ખાંડના કન્ટેનરને ગરમ પાણીથી ભરેલા મોટા કન્ટેનરમાં મૂકો. ખાતરી કરો કે પાણી એટલું ગરમ ​​ન હોય કે ખાંડ ઓગળી જાય. કન્ટેનર પર સ્ટેન્ડ, બાઉલ અથવા વાસણ મૂકો અને ખાંડની પ્લેટ ઉપર મૂકો. લગભગ 10 મિનિટ પછી, કીડીઓ ખાંડ છોડીને ચાલી જશે.

લીંબુની છાલ

કીડીઓને લીંબુની ગંધ ગમતી નથી. તાજા લીંબુની છાલને ખાંડમાં નાખો અથવા કન્ટેનરની આસપાસ થોડો લીંબુનો રસ છાંટો. આ કીડીઓને ઝડપથી દૂર કરશે અને તેમને પાછા ફરતા અટકાવશે.

આ ટિપ્સ અનુસરો

જો તમે ખાતરી કરવા માંગતા હો કે કીડીઓ તમારા ખાંડના કન્ટેનરમાં ભગાડી ગયા પછી ફરી ક્યારેય ચઢી ન જાય, તો આ ટિપ્સ અજમાવી જુઓ.

  • ખાંડને હંમેશા હવાચુસ્ત પાત્રમાં સંગ્રહિત કરો.
  • કન્ટેનરનું ઢાંકણ ક્યારેય ખુલ્લું ન રાખો.
  • રસોડાનું કાઉન્ટર સાફ રાખો.
  • ઢોળાયેલી ખાંડને તાત્કાલિક સાફ કરો.

શું તમારું માટલું પાણી ઠંડુ નથી કરતું? જાણો પાણીને બરફ જેવું રાખવા માટેની એ ગુપ્ત રીત જે ફ્રીજને પણ કરી દેશે ફેલ!

Breaking News : મૌની રોયનું લગ્નજીવન ખતરામાં છે? પતિને ઇન્સ્ટાગ્રામ પર અનફોલો કરતા ચાહકો નારાજ થયા અહી ક્લિક કરો

Breaking News: “સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ”, ઉદયનિધિ સ્ટાલિને CM થલપતિ વિજય સામે વિધાનસભામાં આપ્યુ વિવાદી નિવેદન

તમિલનાડુ વિધાનસભામાં વિપક્ષ નેતા ઉદયનિધિ સ્ટાલિને ફરી એકવાર સનાતન ધર્મ વિશે ઝેર ઓક્યુ છે.વિધાનસભામાં તેના વિવાદી નિવેદનને દોહરાવતા ઉદયનિધિ સ્ટાલિને કહ્યુ કે સનાતનનો જડમૂળથી નાશ થવો જોઈએ. ઉદયનિધિએ જે સમયે આ નિવેદન આપ્યુ એ સમયે મુખ્યમંત્રી વિજય વિધાનસભામાં તેમની સામે જ બેઠા હતા આ અગાઉ વર્ષ 2023માં પણ ઉદયનિધિ સ્ટાલિને આવુ નિવેદન આપ્યુ હતુ. એ સમયે પણ આ નિવેદન પર ખૂબ હંગામો થયો હતો. ભાજપે દેશભરમાં ઉદયનિધિ સ્ટાલિન વિરુદ્ધ પ્રદર્શન કર્યુ હતુ. હવે ફરી એકવાર આ નિવેદનને દોહરાવતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે અને સત્તા પક્ષ-વિપક્ષ બંને વચ્ચે ટકરાવની સંભાવના વધી ગઈ છે.

એક યુઝરે X પર શેર કર્યો વીડિયો

X પર રાહુલ શિવશંકર નામના યુઝરે આ વીડિયોને ટ્વીટ કરતા લખ્યુ કે CM વિજય જોી રહ્યા છે જ્યારે વિધાનસભામાં ઉદયનિધિ સ્ટાલિન કહી રહ્યો છે, સનાતનને ખતમ કરી દેવો જોઈએ. જો કે હવે એ જોવુ રહ્યુ કે તમિલનાડુના નવા CM વિજય કોઈપણ સમયે વિપક્ષ દ્વારા સનાતનની ભાવનાને ઠેસ પહોંચાડવા માટે ટીકા કરે છે કે નહીં. આપને જણાવી દઈએ કે તમિલનાડુના પૂર્વ CM એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ એ સપ્ટેમ્બપ 2023 માં એક સંમેલનમાં કહ્યુ હતુ કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે અને તેનો ખાત્મો કરી દેવો જોઈએ. આ નિવેદનની પણ વિવિધ વર્ગના લોકોએ આકરી ટીકા કરી હતી.

સનાતન ધર્મને ગણાવ્યો મચ્છર, ડેંગૂ, મેલેરિયા અને કોરોના

ઉદયનિધિ સ્ટાલિને તમિલનાડુ પ્રોગ્રેસિવ રાઈટર્સના એક કાર્યક્રમમાં સનાતન ધર્મનો નાશ કરવાની વાત કરતા કહ્યુ હતુ કે તે સામાજિક ન્યાયની વિરુદ્ધ છે. તેમણે એમ પણ કહ્યુ હતુ કે સનાતન ધર્મને મચ્છર, ડેંગુ, મેલેરિયા કે કોરોનાની જેમ ખતમ કરી દેવો પડશે.

પૂર્વ સરકારમાં તમિલનાડુના ખેલ અને યુવા બાબતોના મંત્રી રહેલા ઉદયનિધિ સ્ટાલિને કહ્યુ હતુ કે સનાતન ધર્મનો વિરોધ કરવાને બદલે તેને ખતમ જ કરવો પડશે. તેમણે તેના આ વાણીવિલાસ વિશે માફી માગવાનો ઈનકાર કરતા કહ્યુ હતુ કે હું તેને સતત કહેતો રહીશ

સોમનાથનું જમીનથી અધ્ધર રહી હવામાં તરતું શિવલિંગ- ચમત્કાર કે પ્રાચીન ભારતનું અદભૂત વિજ્ઞાન? ગઝનવી પણ જોઈને રહી ગયો હતો દંગ !

Breaking News Vedanta Demerger : 1:1 શેર ક્રેડિટ શરૂ, હવે લિસ્ટિંગ ટાઇમલાઇન પર સૌની નજર

વેદાંતા લિમિટેડના શેર 1 મે, 2026ને પાંચ અલગ-અલગ કંપનીઓમાં તેના વ્યવસાયોના સ્પિન-ઓફ માટે રેકોર્ડ ડેટ તરીકે નક્કી કર્યા પછી લગભગ 11 દિવસ પહેલા ગુરુવાર, 30 એપ્રિલના રોજ ડિમર્જર માટે એક્સ-ડેટ થઈ ગયા. વેદાંતની વર્તમાન લિસ્ટેડ એન્ટિટી હિન્દુસ્તાન ઝિંકમાં તેના હિસ્સામાંથી તેના મૂલ્યનો મોટો ભાગ ચલાવે છે. જોકે, શેરધારકો માટે સૌથી મોટો પ્રશ્ન એ છે કે તેઓ તેમના ડિમેટ એકાઉન્ટ્સમાં ડિમર્જ થયેલી એન્ટિટીના શેર ક્યારે મેળવવાનું શરૂ કરશે અને ડિમર્જ થયેલી કંપનીઓ માટે લિસ્ટિંગ સમયરેખા શું છે. વેદાંતની ચાર ડિમર્જ થયેલી એન્ટિટી સમય જતાં શેરબજારમાં પ્રવેશ કરશે.

ડિમેટ ખાતામાં ડિમર્જ થયેલી કંપનીઓના શેર

પાત્ર રોકાણકારોને વેદાંતની ચાર ડિમર્જ થયેલી કંપનીઓના શેર મળવાનું શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયા શનિવાર, 08 મેના રોજ શરૂ થઈ હતી અને સોમવાર, 11 મેના રોજ પૂર્ણ થશે. પાત્ર રોકાણકારોને તેના માટે ઇમેઇલ અને SMS મળવાનું શરૂ થઈ ગયું હશે.

ડિમર્જ થયેલી કંપનીઓના શેર માટે કોણ પાત્ર છે

29 એપ્રિલ, 2026ના રોજ તેમના ડીમેટ ખાતામાં વેદાંતના શેર રાખનારા અથવા ખરીદનારા તમામ રોકાણકારો ડિમર્જ થયેલી કંપનીઓના શેર મેળવવા માટે પાત્ર છે. 1 મે રેકોર્ડ તારીખ હોવા છતાં, શેર 30 એપ્રિલના રોજ એક્સ-ડિમર્જર ટ્રેડ થયો કારણ કે રેકોર્ડ તારીખ બજાર રજા હતી. 30 એપ્રિલ, 2026 ના રોજ અથવા તે પછી વેદાંતના શેર ખરીદનારા કોઈપણ રોકાણકારોને ડિમર્જ થયેલી એન્ટિટીનો લાભ મળશે નહીં.

ડિમર્જ થયેલી એન્ટિટી કઈ છે?

વેદાંત લિમિટેડના બધા લાયક રોકાણકારોને રેકોર્ડ ડેટ પર રાખેલા વેદાંતાના દરેક શેર માટે વેદાંતા આયર્ન એન્ડ સ્ટીલ, માલ્કો એનર્જી લિમિટેડ, વેદાંતા એલ્યુમિનિયમ મેટલ લિમિટેડ અને વેદાંતા પાવરનો એક-એક શેર મળશે. આ શેર લિસ્ટેડ ન થાય ત્યાં સુધી, વ્યવસ્થા યોજના અનુસાર છે.

નવા શેર ક્યારે એક્સચેન્જ પર લિસ્ટ થશે?

વેદાંતની ચાર ડિમર્જ થયેલી એન્ટિટી ટૂંક સમયમાં લિસ્ટ થશે. સામાન્ય રીતે ડિમર્જ થયેલી એન્ટિટી સ્પિન-ઓફ પછી એક કે બે મહિનામાં લિસ્ટેડ થઈ જાય છે. મીડિયા અહેવાલો અનુસાર, અનિલ અગ્રવાલની આગેવાની હેઠળની વેદાંતા આગામી સપ્તાહ સુધીમાં તેમના લિસ્ટિંગ માટે એક્સચેન્જનો સંપર્ક કરી શકે છે અને ચાર અલગ થયેલી એન્ટિટી જૂન 2026 ના બીજા ભાગમાં તેમના શેરબજારમાં પ્રવેશ કરી શકે છે.

વેદાંત Q4 પરિણામો

વેદાંતે વાર્ષિક ધોરણે (YoY) ધોરણે ચોખ્ખા નફામાં 89 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. જ્યારે માર્ચ 2026 ક્વાર્ટરમાં તેની આવક 29 ટકા વધીને 51,524 કરોડ રૂપિયા થઈ છે. તેનો Ebitda 59 ટકા વાર્ષિક ધોરણે વધીને 18,447 કરોડ રૂપિયા થયો છે. જ્યારે માર્જિન ક્વાર્ટરમાં 915 બેસિસ પોઈન્ટ સુધરીને 44 ટકા થયો છે.

આ પણ વાંચો, Gold Silver Rate Today : સતત બીજા દિવસે સોનાના ભાવમાં ઘટાડો, ત્રણ દિવસની સ્થિરતા બાદ ચાંદી પણ થઈ સસ્તી

બિઝી મોર્નિંગમાં નથી કરી શકતા એક્સરસાઈઝ? તો આ 10 મિનિટના યોગ તમને રાખશે હેલ્ધી

કામ કરતી હોય કે ગૃહિણીઓ, સ્ત્રીઓની સવારની દિનચર્યા ઘણીવાર વ્યસ્ત હોય છે, કારણ કે તેઓ હજુ પણ મોટાભાગના રસોડા અને ઘરના કામકાજ માટે જવાબદાર હોય છે. પરિણામે, તેઓ ઘણીવાર તેમના સ્વાસ્થ્ય માટે સમય કાઢવાનું ભૂલી જાય છે. જો તમે વારંવાર કસરત કરવાનું શરૂ કરો છો અથવા મોર્નિંગ વોક પર જવા માંગો છો, પરંતુ સમયના અભાવે, આ આદતો ઝડપથી અદૃશ્ય થઈ જાય છે, તો ઘરે 10 મિનિટની સરળ યોગ દિનચર્યા અપનાવો. આ તમને સ્વસ્થ અને ફિટ રહેવામાં મદદ કરશે.

જે દિવસોમાં તમે અન્ય શારીરિક પ્રવૃત્તિઓ કરી શકતા નથી, ત્યારે આ યોગ દિનચર્યાનું પાલન કરો. ભલે તમે બિલકુલ ચાલતા ન હોવ કે કસરત ન કરતા હોવ આ 10 મિનિટના યોગ આસન તમારા સ્વાસ્થ્યમાં નોંધપાત્ર ફેરફારો લાવી શકે છે.

સુખાસન – શ્વાસ લેવાની શરૂઆત

સુખાસનમાં બેસીને તમારી યોગ દિનચર્યા શરૂ કરો અને પછી શ્વાસ લેવાનું શરૂ કરો. તમારી પીઠ સીધી રાખીને ફ્લોર પર ક્રોસ પગવાળા બેસો. આ આસન બે મિનિટ સુધી રાખો. આ સમય દરમિયાન તમારી આંખો બંધ કરો અને તમારા શ્વાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. તમારા નાક દ્વારા સામાન્ય રીતે શ્વાસ લો અને શ્વાસ બહાર કાઢો.

વોરિયર પોઝ

સુખાસન પછી ઉભા થાઓ અને એક પગ આગળ અને બીજો પાછળ લંબાવો. આગળના પગને ઘૂંટણ પર વાળીને એક ખૂણો બનાવો. હવે તમારા હાથ ઉંચા કરો અને તેમને ખભાની ઊંચાઈએ આગળ અને પાછળ લંબાવો. આ આસન લગભગ એક મિનિટ સુધી રાખો. પછી બીજી બાજુ એક મિનિટ માટે પુનરાવર્તન કરો.

ત્રિકોણ આસન

ત્રિકોણ આસન એક વાર અવશ્ય કરવું જોઈએ. આ આસનમાં, સીધા ઊભા રહો અને તમારા પગ ફેલાવો. હવે, એક હાથ નીચે અને બીજો ઉપર તરફ ઉંચો કરો. આ તમારા આખા શરીર માટે સારો ખેંચાણ આપે છે. આ આસન દરેક બાજુ એક મિનિટ માટે રાખો.

ભુજંગાસન (કોબ્રા પોઝ)

ત્રિભુજા પોઝ પછી, તમારા પેટ પર સાદડી પર સૂઈ જાઓ અને તમારા હાથ ખભાના સ્તરે રાખો. તમારા હથેળીઓને જમીન પર રાખો અને તમારી ગરદન અને છાતીને ઉપરની તરફ ઉંચા કરો. આ પોઝ બે વાર 30 સેકન્ડ માટે રાખો. આ પોઝ તમારા હૃદય, યકૃત અને પાચન માટે ફાયદાકારક છે.

બાલાસન

આ પોઝમાં, તમે બાળકના ઘૂંટણ પરની મુદ્રા ધારણ કરો છો. પહેલા, તમારા ઘૂંટણ વાળો અને વજ્રાસનમાં બેસો, પછી તમારા કપાળને જમીન પર રાખો. તમારા હાથને તમારી પીઠ પાછળ રાખો. તમે આ પોઝ બે વાર 30 સેકન્ડ માટે પણ રાખી શકો છો, જે ખૂબ જ આરામદાયક હોઈ શકે છે. તે તણાવ દૂર કરે છે અને તમારા પગ, પીઠ, ખભા અને ગરદનના સ્નાયુઓને આરામ આપે છે.

શવાસન કરો

છેલ્લે તમારા આખા શરીરને આરામ આપો. સાદડી પર તમારી પીઠના બળે સૂઈ જાઓ. તમારા હાથ અને પગને ખેંચો અને તેમને આરામ આપો. તમારા મનને મુક્ત કરો, તમારી આંખો બંધ કરો અને સામાન્ય રીતે શ્વાસ લો. 1 મિનિટ માટે આ મુદ્રામાં રહો અને તમે ખૂબ જ હળવાશ અનુભવશો.

શું કોરોના જેવી બીજી મહામારી દસ્તક દઈ રહી છે? જાણો શું છે આ ‘હંતાવાયરસ’, જેના કારણે ક્રૂઝ શિપ પર મચી ગઈ અફરાતફરી

Breaking News : IPL 2026 માંથી બહાર થઈ મુંબઈ ઈન્ડિયન્સ, ભાવુક થયો કૃણાલ પંડ્યા, જુઓ Video

RCB vs MI મેચ પછી ક્રુણાલ પંડ્યા થોડો ઈમોશનલ જોવા મળ્યો હતો. તેમણે મુંબઈ ઈન્ડિયન્સ સાથે પસાર કરેલા 6 વર્ષને યાદ કર્યા હતા. તેમજ તેના પોલાર્ડ સાથેના સંબંધોનો પણ ઉલ્લેખ કર્યો અને તેને મોટા ભાઈ કહ્યું હતુ.મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આઈપીએલની પ્લેઓફની રેસમાંથી બહાર થઈ છે. રાયપુરમાં ક્રુણાલ પંડ્યાની 73 રનની ઈનિગ્સ મુંબઈ ઈન્ડિયન્સ પર ભારે પડી છે.

આરસીબીએ મેચ 2 વિકેટથી જીતી હતી. ત્યારબાદ ક્રુણાલ પંડ્યાએ મુંબઈ ઈન્ડિયન્સ ફ્રેન્ચાઈઝી અને તેની સાથે સપોર્ટ સ્ટાફમાં જોડાયેલ કિરોન પોલાર્ડ સાથેના પોતાના સંબંધો વિશે વાત કરી. તેમણે એ દિવસો યાદ કર્યા જ્યારે તેઓ MI કેમ્પનો ભાગ હતા. તેમણે પોલાર્ડ અને પંડ્યા બ્રધર્સ વચ્ચેના બંધનનો ઉલ્લેખ કર્યો. કૃણાલ પંડ્યા ભૂતકાળની ક્ષણોને યાદ કરીને ભાવુક પણ થયો હતો.

ભાવુક થયો ક્રુણાલ પંડ્યા

ક્રુણાલ પંડ્યાએ જણાવ્યું કે, તેમણે પોતાના શાનદાર 6 વર્ષ મુંબઈ ઈન્ડિયન્સ સાથે પસાર કર્યો છે. તેમણે કિરોન પોલાર્ડને ટી20 ફોર્મેટનો GOAT એટલે કે, મહત્વનો ખેલાડી ગણાવતા પોતાનો મોટો ભાઈ કહ્યો છે. ક્રુણાલ પંડ્યા પોલાર્ડ અને પંડ્યા બ્રધર્સ તે સમયે મુંબઈ ઈન્ડિયન્સમાં હતા. ક્રુણાલ પંડ્યાએ આઈપીએલ 2021ના એ દિવસોને યાદ કર્યા હતા. જ્યારે પંડ્યા બ્રધર્સ અને પોલાર્ડ મુંબઈ માટે સાથે રમતા હતા. મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલા તે દિવસો યાદ કરી તાજા કરતા ક્રુણાલ પંડ્યા ભાવુક થયો હતો.

 

 

ક્રુણાલ પંડ્યાની મેચ વિનિંગ ઈનિગ્સ

જ્યાં સુધી મેચની વાત કરીએ તો. આરસીબીએ છેલ્લા બોલ પર જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સે પહેલા રમતા 20 ઓવરમાં 7 વિકેટ પર 166 રન બનાવ્યા હતા. જેના જવાબમાં આરસીબીએ 8 વિકેટ ગુમાવી 167 રનના ટાર્ગેટનો પીછો કર્યો હતો. આરસીબી તરફથી સૌથી સફળ બેટ્સમેન ક્રુણાલ પંડ્યા રહ્યો હતો. જેમણે 46 બોલમાં 5 સિક્સ અને 4 ચોગ્ગાની સાથે 73 રનની ઈનિગ્સ રમી હતી. આઈપીએલ 2026માં ક્રુણાલ પંડ્યાના બેટ્માંથી આ સૌથી મોટો સ્કોર છે.

મુંબઈ ઇન્ડિયન્સ સામેની મેચવિનિંગ ઇનિંગ દરમિયાન, કૃણાલ પંડ્યાને શરીરમાં દુખાવો પણ થઈ રહ્યો હતો, જેનો ઉલ્લેખ તેણે મેચ પછી કર્યો હતો. તેણે કહ્યું કે ખેંચાણ તેના પગના પગમાં શરૂ થઈ અને તેના હિપ્સ અને પીઠ સુધી ફેલાઈ. તેણે સ્વીકાર્યું કે તે સામાન્ય રીતે આટલો લાંબો સમય બેટિંગ કરતો નથી, પરંતુ તે મુશ્કેલ ટાર્ગેટનો સામનો કરતી વખતે તેની ટીમ, RCB માટે લડવા માંગતો હતો.

 

 

ભાઈ IPL ટીમનો કેપ્ટન, પત્ની બોલિવુડ સ્ટાર, આવો છે પંડ્યા બ્રધર્સનો પરિવાર અહી ક્લિક કરો

Breaking News : ભરૂચમાં ચોંકાવનારો કિસ્સો : દીકરીની સોશિયલ મીડિયાની લત છોડાવવા પરિવારે પોલીસ બોલાવી

ભરૂચ : અંકલેશ્વર તાલુકાની એક આંખ ઉઘાડતી ઘટના સામે આવી છે. આજના ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાનો અતિરેક કેવી રીતે કિશોરવયના બાળકોના ભવિષ્યને ધૂંધળું કરી શકે છે તેનું જીવંત ઉદાહરણ સામે આવ્યું છે. 10મા ધોરણમાં ભણતી એક 16 વર્ષની કિશોરી ઇન્સ્ટાગ્રામ અને ઓનલાઇન ગેમ્સના વ્યસનમાં એટલી હદે ડૂબી ગઈ હતી કે તેણે પોતાના પરિવાર અને અભ્યાસ બંનેથી અંતર બનાવી લીધું હતું. બાળકીએ લતથી બહાર લાવવા પરિવારે પોલીસની મદદ લેવી પડી હતી

ડિજિટલ દુનિયાનો ભરડો

માતાએ ભારે હૈયે 181 અભયમ હેલ્પલાઇનની મદદ માંગી હતી. તેમની દીકરી મોડી રાત સુધી મોબાઈલમાં વ્યસ્ત રહેતી, મિત્રો સાથે ચેટિંગ કરતી અને જ્યારે માતા-પિતા ટોકતા ત્યારે ઝઘડો કરીને ઘર છોડી જવાની ધમકી આપતી હતી. સ્થિતિ એટલી વણસી હતી કે તેને સુધારવા માટે ગામડે મોકલવામાં આવી પણ ત્યાં પણ તે શાળાએ જવાના બહાને આજ રૂટિનમાં વ્યસ્ત રહેતી હતી.

સોશિયલ મીડિયા આઈડી ડિલીટ કરાવાયા

ઘટનાની ગંભીરતા જોઈને અભયમની ટીમે કિશોરી સાથે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં વાતચીત કરી હતી. કિશોરીને સમજાવ્યું કે સોશિયલ મીડિયા પર દેખાતી આકર્ષક દુનિયા ઘણીવાર જાળ સાબિત થતી હોય છે. સાયબર ક્રાઈમ, બ્લેકમેઇલિંગ અને વ્યક્તિગત વિગતોના દુરુપયોગ જેવા જોખમો વિશે તેને વાકેફ કરવામાં આવી હતી. ટીમે તેને અહેસાસ કરાવ્યો કે આ ઉંમર મોજ-મસ્તીની નહીં પણ કારકિર્દી ઘડવાની છે.

કિશોરીને ભૂલ સમજાઈ

કાઉન્સેલિંગના અંતે કિશોરીને પોતાની ભૂલ સમજાઈ હતી. તેણે સ્વેચ્છાએ પોતાના સોશિયલ મીડિયા આઈડી ડિલીટ કર્યા અને લેખિતમાં બાંહેધરી આપી કે હવેથી તે મોબાઈલનો મર્યાદિત ઉપયોગ કરશે અને પૂરું ધ્યાન અભ્યાસમાં આપશે. વિખરાઈ રહેલા પરિવારે દીકરીમાં આવેલું આ પરિવર્તન જોઈને અભયમ ટીમનો અંતરપૂર્વક આભાર માન્યો હતો.

ચેતવણીરૂપ કિસ્સો

આ ઘટના દરેક માતા-પિતા માટે ગંભીર ચેતવણી સમાન છે. આજના સમયમાં સ્માર્ટફોન અને સોશિયલ મીડિયા બાળકો માટે જરૂરિયાત બની ગયા છે સાથે તેનો અતિરેક વ્યસનનું રૂપ લઈ શકે છે. શરૂઆતમાં સામાન્ય લાગતી આ આદત ધીમે ધીમે અભ્યાસ, પરિવાર અને માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. બાળકો રાતભર મોબાઈલમાં વ્યસ્ત રહેતા હોવાથી ઊંઘ ઓછી થાય છે અને એકાગ્રતા ઘટે છે. પરિણામે અભ્યાસમાં પાછળ પડવાનો ભય વધે છે. સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથેનો સંપર્ક ક્યારેક સાયબર ક્રાઈમનું કારણ પણ બની શકે છે. માતા-પિતાએ બાળકોના ઓનલાઈન વર્તન પર સતત નજર રાખવી જોઈએ. સમયસર સમજાવટ અને સંવાદ દ્વારા આ લતને રોકી શકાય છે. જરૂર પડે ત્યારે કાઉન્સેલિંગ અથવા નિષ્ણાતોની મદદ લેવામાં સંકોચ ન રાખવો જોઈએ. બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રાખવા ડિજિટલ શિસ્ત આજની સૌથી મોટી જરૂરિયાત બની ગઈ છે.

આ પણ વાંચો : Breaking News : ભરૂચમાં ઝેરી કેમિકલ કાંડ! લોકોના સ્વાસ્થ્ય સાથે જીવલેણ ખેલનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો

Breaking News : આણંદના તારાપુર પાસે ભયાનક અકસ્માત, એક જ પરિવારના માસૂમ બાળકી સહિત 4 ના મોત, જુઓ Video

આણંદ : ગુજરાતના હાઈવે પર અકસ્માતોની વણઝાર યથાવત છે, ત્યારે આણંદ જિલ્લાના તારાપુર હાઈવે પરથી એક અત્યંત હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. તારાપુર નજીક આવેલા ફતેપુરા ગામ પાસે મોડી રાત્રે એક ટેમ્પો અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં 4 વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 5 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

કેવી રીતે બન્યો આ ગંભીર અકસ્માત?

મળતી માહિતી મુજબ આ અકસ્માત ફતેપુરા ગામ પાસે આવેલા ગુજરાત ગેસના CNG પંપ નજીક સર્જાયો હતો. હાઈવે પર પંપ પાસે એક ટ્રક ઉભી હતી, તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલો એક ટેમ્પો પાછળથી આ ટ્રક સાથે ધડાકાભેર અથડાયો. ટક્કર એટલી જોરદાર હતી કે ટેમ્પોનો કચ્ચરઘાણ વળી ગયો, અને અંદર બેઠેલા મુસાફરો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા.

મૃતકો અને ઇજાગ્રસ્તો

આ અકસ્માતમાં 4 લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મૃતકોમાં 2 મહિલાઓ, 1 પુરુષ, 1 પાંચ વર્ષની માસૂમ બાળકીનો સમાવેશ થાય છે.

અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી. આ ઘટનામાં ઘાયલ થયેલા અન્ય 5 લોકોને તાત્કાલિક સારવાર અર્થે તારાપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.

શ્રમિક પરિવાર પર આભ ફાટ્યું

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અકસ્માતનો ભોગ બનનાર તમામ લોકો દાહોદ પંથકના શ્રમિકો હતા. આ શ્રમિકો ટેમ્પોમાં સવાર થઈને મજૂરી અર્થે જઈ રહ્યા હતા અથવા વતન પરત ફરી રહ્યા હતા ત્યારે કાળનો પંજો તેમના પર ત્રાટક્યો હતો. એક જ પરિવારના સભ્યો અને માસૂમ બાળકીના મોતના સમાચારથી શ્રમિકોના વતનમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર ઉભેલી ટ્રક અને ટેમ્પો ચાલકની ગફલત આ અકસ્માત પાછળનું મુખ્ય કારણ હોવાનું મનાઈ રહ્યું છે.

 

વૈશ્વિક ક્રૂડ તેલ મોંઘુ છતાં ભારતમાં ઈંધણના ભાવ સ્થિર, ગ્રાહકોને રાહત પણ કંપનીઓને દૈનિક 1,700 કરોડ રૂપિયા સુધીનું નુકસાન આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

ભારતીય અર્થતંત્ર માટે સોનું કેટલું મહત્વનું છે, ભારત આટલું બધું કરે છે ઈમ્પોર્ટ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગરિકોને એક વર્ષ સુધી સોનું ખરીદવાથી દૂર રહેવા અપીલ કરી છે. પરિણામે સોનાની માગ અને પુરવઠા અંગે ચર્ચાઓ તીવ્ર બની છે. અર્થતંત્ર માટે સોનાનું મહત્વ અને તે પ્રદાન કરતી સ્થિરતા વિશે પણ ચર્ચાઓ થઈ રહી છે. ચાલો આપણે સમજાવીએ કે અર્થતંત્ર માટે સોનાનો શું અર્થ થાય છે અને ભારત દર વર્ષે વિદેશમાંથી કેટલું સોનું ખરીદે છે.

વિશ્વનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ

ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ગ્રાહક દેશ છે. દેશ સામાન્ય રીતે વાર્ષિક આશરે 700-900 ટન સોનાની આયાત કરે છે, જેનું મૂલ્ય $50 બિલિયન થી $60 બિલિયનથી વધુ છે. આ દેશની સ્થાનિક માગના લગભગ 90%ને પૂર્ણ કરે છે. જોકે, GST સંબંધિત મુદ્દાઓ અને માંગમાં ઘટાડાને કારણે 2026 થી આયાતમાં ઘટાડો થયો હતો.

ભારતના અર્થતંત્ર માટે સોનું આટલું મહત્વનું કેમ છે?

ભારત વિશ્વમાં સોનાના સૌથી મોટા ગ્રાહકો અને આયાતકારોમાંનો એક છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ દેશ વાર્ષિક આશરે 700-800 ટન સોનાનો વપરાશ કરે છે, પરંતુ દેશ માંડ 1-2 ટનનું ઉત્પાદન કરે છે. આનાથી ભારતને તેની 90% થી વધુ જરૂરિયાતો માટે આયાત પર આધાર રાખવો પડે છે. અન્ય ઘણી ચીજવસ્તુઓથી વિપરીત, સોનાની આયાત ફેક્ટરીઓમાં સીધી રીતે ફાળો આપતી નથી અથવા ઉત્પાદનમાં વધારો કરતી નથી.

તેમ છતાં, તેમને નોંધપાત્ર ડોલર ખર્ચની જરૂર પડે છે, જેના કારણે ભારતના ચાલુ ખાતાની ખાધ અને વિદેશી વિનિમય અનામત પર દબાણ વધે છે. ક્રૂડ ઓઇલના ઊંચા ભાવો દ્વારા આ ચિંતા વધુ વધી છે, કારણ કે ભારત પહેલેથી જ તેની તેલની જરૂરિયાતોનો લગભગ 85% વિદેશથી ખરીદે છે.

ઊર્જા અને ખાતરના ભાવમાં વધારો થઈ રહ્યો છે

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને કારણે ઊર્જા અને ખાતરના ભાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સરકાર અને નીતિ નિર્માતાઓ હવે બિન-આવશ્યક આયાત ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે જે આયાત બિલમાં વધારો કરે છે.

ભારતના કુલ આયાત બિલમાં સોનું લગભગ 9% હિસ્સો ધરાવે છે, જે તેને ક્રૂડ ઓઇલ પછી બીજા ક્રમની સૌથી મોટી આયાત શ્રેણી બનાવે છે. આર્થિક મંદી, યુદ્ધો અથવા ભૂ-રાજકીય અનિશ્ચિતતા દરમિયાન શેરબજારમાં ઘટાડો થાય ત્યારે સોનું સ્થિરતા પ્રદાન કરે છે.

સોનાની આયાતમાં ઘટાડો

વડાપ્રધાનની અપીલ એવા સમયે આવી છે જ્યારે ભારતનું સોનાનું બજાર પહેલાથી જ પુરવઠાની નોંધપાત્ર અછતનો સામનો કરી રહ્યું છે. જાન્યુઆરી 2026માં સોનાની આયાત આશરે 100 ટનથી ઘટીને ફેબ્રુઆરીમાં લગભગ 65-66 ટન થઈ ગઈ, અને પછી માર્ચમાં તે વધુ ઘટીને 20-22 ટન થઈ ગઈ. આ લગભગ 30 વર્ષમાં સૌથી નીચા માસિક સ્તરોમાંનું એક છે, જેમાં કોવિડ-19 રોગચાળો શામેલ નથી. આ ઘટાડો માત્ર વધતી કિંમતોને કારણે માંગમાં ઘટાડો થવાને કારણે નથી, પરંતુ આયાત પ્રક્રિયામાં સરકારી અને કાર્યકારી અવરોધોને કારણે પણ છે.

અધિકૃત બેંકોની વાર્ષિક યાદી અપડેટ કરવામાં વિલંબ થયો હતો

સીએનબીસીના અહેવાલ મુજબ, ભારતમાં સોનાની આયાત અધિકૃત બેંકો અને કસ્ટમ્સ પાસેથી મંજૂરીઓ પર આધાર રાખે છે. નાણાકીય વર્ષની શરૂઆતમાં સોનાની આયાત કરવા માટે અધિકૃત બેંકોની વાર્ષિક યાદી અપડેટ કરવામાં વિલંબ થયો હતો. વધુમાં કસ્ટમ્સ નિયમોમાં વિલંબ અને કર નિયમો અંગેની અનિશ્ચિતતાને કારણે પણ સોનાનો પુરવઠો ધીમો પડ્યો હતો.

Breaking News : વૈશ્વિક ક્રૂડ તેલ મોંઘુ છતાં ભારતમાં ઈંધણના ભાવ સ્થિર, ગ્રાહકોને રાહત પણ કંપનીઓને દૈનિક 1,700 કરોડ રૂપિયા સુધીનું નુકસાન

તમિલનાડુમાં આજથી ‘વિજય’રાજ, 9 ધારાસભ્યે પણ લીધા શપથ, 59 વર્ષમાં પહેલીવાર DMK-AIADMKની સરકાર નહીં

તમિલનાડુના રાજકીય ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય શરૂ થયો. અભિનેતામાંથી રાજકારણી બનેલા ‘થલાપતિ’ સી. જોસેફ વિજયે તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લઈને પદભાર સંભાળ્યો. તેમણે ચેન્નાઈના નહેરુ સ્ટેડિયમમાં તમિલનાડુ રાજ્યના 9મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની સાથે, 9 અન્ય ધારાસભ્યોને પણ પ્રધાનોએ તરીકે મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા. આ 59 વર્ષમાં પહેલી વાર એવું બન્યું છે કે, તમિલનાડુમાં DMK કે AIADMKની ના હોય તેવી સરકાર રચાઈ છે. રાહુલ ગાંધી વિજયના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહ્યા હતા. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને વિજયને અભિનંદન પાઠવ્યા હતા.

શનિવારે, વિજયે, તમિલનાડુના રાજ્યપાલને મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો. તેમને મુખ્યમંત્રી તરીકે નિયુક્ત કરતી વખતે, રાજ્યપાલે તેમને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે 13 મે, 2026 સુધીનો સમય આપ્યો હતો. સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવેલા ટીવીકેને સરકાર બનાવવાની પ્રક્રિયામાં ઘણા પડકારો અને વાટાઘાટોનો સામનો કરવો પડ્યો. ત્યારબાદ, રાજ્યપાલે વિજયને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું.

ગઈકાલ 9મી મે ને શનિવારે, અભિનેતા વિજયે રાજ્યપાલ આર.એન. રવિ (રાજેન્દ્ર વિશ્વનાથ આર્લેકર) ને મળવા રાજભવનની મુલાકાત લીધી અને 121 ધારાસભ્યોના સમર્થન આપતા પત્રો સુપરત કર્યા હતા. વિજયને કોંગ્રેસ, સીપીઆઈ, સીપીએમ, વીસીકે અને આઈયુએમએલનો ટેકો મળ્યો છે.

સી. જોસેફ વિજયને 121 ધારાસભ્યોનું સમર્થન મળ્યું

વિજયની પાર્ટીએ 234 બેઠકોમાંથી 108 બેઠકો જીતી છે. તેમના ગઠબંધન ભાગીદારોના સમર્થનથી, વિજયને 120 ધારાસભ્યોનું સમર્થન છે. વિધાનસભામાં બહુમતી મેળવવા માટે કુલ 118 બેઠકોની જરૂર છે.

  • TVK: 108
  • કોંગ્રેસ: 05
  • CPI: 02
  • CPM: 02
  • VCK: 02
  • IUML: 02

TVK તમિલનાડુમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી

તમિલનાડુમાં, અભિનેતા વિજયની પાર્ટી, TVK, સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવી છે. TVK એ કુલ 108 બેઠકો મેળવી છે. આ ઉપરાંત, DMK એ 59 બેઠકો મેળવી છે, અને ADMK એ 47 બેઠકો જીતી છે. દરમિયાન, કોંગ્રેસે 5 બેઠકો જીતી છે.

રંગાસામી 5મી વખત બનશે પુડુચેરીના મુખ્યમંત્રી, રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત 13 મેના રોજ શપથ લેશે

Breaking News: લંડન જતાં અમદાવાદનો પરિવાર વિદેશમાં બંધક, રડતા ઓડિયોએ પરિવાર અને પોલીસને દોડતા કર્યા

અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં રહેતા એક પરિવારને વિદેશમાં બંધક બન્યાની આશંકાએ ચકચાર મચાવી છે. કિરણભાઈ તેમના પત્ની વૈશાલીબેન અને બે પુત્રો સાથે લંડન જવા માટે નીકળ્યા હતા, પરંતુ હવે પરિવાર સાથેનો સંપર્ક તૂટી જતા અને ધમકીભર્યા ઓડિયો મેસેજ સામે આવતા મામલો ગંભીર બન્યો છે.

મળતી માહિતી મુજબ, અપહરણકારો દ્વારા કિરણભાઈની પુત્રી શ્રેયાને અલગ અલગ પાંચ ઓડિયો ક્લિપ મોકલવામાં આવી છે. આ ઓડિયોમાં શ્રેયાની માતા વૈશાલીબેન રડતા રડતા પૈસા ચૂકવવા માટે આજીજી કરતા સાંભળાઈ રહ્યા છે. ઓડિયો મેસેજમાં તેઓ કહી રહ્યા છે કે “મકાન વેચીને ગમે તેમ કરીને પૈસા ચૂકવો, નહીં તો અમને મારી નાખશે.”

પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ

પરિવાર સાથેનો છેલ્લો સંપર્ક ગયા અઠવાડિયે થયો હતો. તે દરમિયાન વૈશાલીબેને શ્રેયાને કહ્યું હતું કે આ તેમનો છેલ્લો ઓડિયો હોઈ શકે છે. આ ઓડિયો સામે આવ્યા બાદ પરિવારજનોમાં ભારે ચિંતા ફેલાઈ ગઈ છે.

સમગ્ર ગુજરાતમાં ચિંતા ફેલાઈ

મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ગોમતીપુર પોલીસે તપાસ શરૂ કરી છે. ઓડિયો ક્લિપના આધારે પરિવારનું લોકેશન અને સમગ્ર ઘટનાક્રમ અંગે માહિતી મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. આ ઘટનાએ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં ચિંતા ફેલાઈ છે. પોલીસ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ કરી રહી છે અને પરિવારને સુરક્ષિત પરત લાવવા પ્રયાસ તેજ કર્યા છે.

Breaking News : કાજલ મહેરિયાના પતિ પર લાઈવ પ્રોગ્રામ દરમિયાન હુમલો, મારામારીનો જુઓ Video

Live Death Video: ચાલતી ટ્રેનમાં દરવાજા પર બનાવી રહ્યો હતો વીડિયો, થાંભલા સાથે જોરદાર અથડાયો અને પછી…

Live Death Video: સોશિયલ મીડિયા પર વાયરલ થવાની ઇચ્છા ઘણીવાર લોકોને એવા આત્યંતિક પગલાં લેવા મજબૂર કરે છે જેના કારણે તેમનો જીવ પણ ગુમાવવો પડે છે. એક યુવાન ચાલતી ટ્રેનના દરવાજા પરથી લટકીને રીલ ફિલ્માવતો જોવા મળે છે. વીડિયોમાં તે ટ્રેનની બહાર લટકતો દેખાય છે, કેમેરા સામે પોઝ આપતો હોય છે, પરંતુ બીજી જ ક્ષણે, તે થાંભલા સાથે અથડાય છે, જેના કારણે તેનું તાત્કાલિક મૃત્યુ થાય છે.

આ અકસ્માત એટલો અચાનક હતો કે તેના કારણે દર્શકોના શ્વાસ અધ્ધર થઈ ગયા. થોડીક સેકન્ડની લાઈક્સ અને વ્યૂઝ મેળવવાની ઇચ્છાએ એક પરિવારને તેમના પ્રિયજનોથી વંચિત રાખ્યો. આ વીડિયો ફરી એકવાર આપણને યાદ અપાવે છે કે સોશિયલ મીડિયાના ગ્લેમરનો પીછો કરવો ક્યારેક જીવનની અંતિમ કિંમત ચૂકવી શકે છે.

વીડિયોમાં કેદ થયેલો એક દુ:ખદ અકસ્માત

વાયરલ ક્લિપમાં સ્પષ્ટપણે એક યુવાન ચાલતી ટ્રેનના દરવાજા સાથે લટકતો દેખાય છે, જે રીલ ફિલ્માવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેનો ચહેરો બેચેન દેખાય છે, પરંતુ બીજી જ ક્ષણે તે નજીકના થાંભલા સાથે અથડાય છે. આ અથડામણ એટલી તીવ્ર છે કે તેને સ્વસ્થ થવાનો સમય જ નથી. કોઈ કંઈ સમજે તે પહેલાં જ બધું ખતમ થઈ ગયું હતું. આ વીડિયો જોઈને, દરેકને આશ્ચર્ય થાય છે કે કોઈ થોડી સેકન્ડના વીડિયો માટે પોતાનો જીવ કેવી રીતે જોખમમાં મૂકે છે.

વાયરલ થવાની ઇચ્છા જીવલેણ બની રહી છે

આજના સમયમાં લોકો સોશિયલ મીડિયા પર લાઈક્સ અને વ્યૂ મેળવવામાં પોતાની સલામતી ભૂલી જાય છે. ટ્રેનની છત પર ચઢવું, દરવાજા પર લટકવું અથવા રસ્તાની વચ્ચે ખતરનાક સ્ટંટ કરવા એ સામાન્ય બની રહ્યું છે. રીલ બનાવતી વખતે મૃત્યુનો આ પહેલો કિસ્સો નથી. ઘણા યુવાનો અને સ્ત્રીઓ અગાઉ વીડિયો બનાવતી વખતે અકસ્માતનો ભોગ બન્યા છે.

દર વખતે જ્યારે અકસ્માત પછી અફસોસ વ્યક્ત કરવામાં આવે છે, ત્યારે એક નવો વીડિયો સામે આવે છે. આવી ઘટનાઓ વારંવાર આપણને યાદ અપાવે છે કે નાની રીલ માટે પોતાનો જીવ જોખમમાં મૂકવો કેટલું જોખમી હોઈ શકે છે.

સોશિયલ મીડિયા પર યુઝર્સે દુ:ખ અને ગુસ્સો વ્યક્ત કર્યો

વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર મિશ્ર પ્રતિક્રિયાઓ મળી રહી છે. એક યુઝરે લખ્યું, “થોડી લાઈક્સ માટે પોતાનો જીવ ગુમાવવો એ સૌથી મોટી મૂર્ખતા છે.” બીજાએ કહ્યું, “રીલ્સ પર આ ગાંડપણ ક્યારે બંધ થશે?” ઘણા લોકોએ દુ:ખ વ્યક્ત કરતા લખ્યું કે આ અકસ્માતે એક પરિવારને જીવનભરનું દુઃખ આપ્યું છે.

કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે આવા વીડિયો જોવાથી અન્ય યુવાનોને પાઠ ભણાવવો જોઈએ. તેમણે એમ પણ કહ્યું કે સોશિયલ મીડિયા પર ખતરનાક સ્ટંટને પ્રોત્સાહન આપતી સામગ્રી પર સખત પ્રતિબંધ મૂકવો જોઈએ.

જુઓ વીડિયો……

(Credit Source: @Rudhrayadav001)

(Disclaimer: અહીં આપવામાં આવેલો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ટ્રેનમાં આવી રીતે સ્ટંટ કરવો ગુના પાત્ર કૃત્ય છે. Tv9 ગુજરાતી આવા ન્યૂઝને પ્રોત્સાહન આપતું નથી.)

આવા વીડિયો અન્ય ચેટ કે એપ્સ દ્વારા વારંવાર શેર કરવામાં આવતા હોવાથી આવી ક્લિપ્સ ઝડપથી ફેલાઈ જાય છે. મોટાભાગના વાયરલ વીડિયોમાં મજા પડતી હોય છે. આવા જ વાયરલ વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

Breaking News : DRDOએ હાઇપરસોનિક મિસાઇલ ટેકનોલોજીનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું

ભારતે રક્ષા ક્ષેત્ર વધુ એક ઐતિહાસિક સફળતા મેળવી છે. રક્ષા અનુસંધા અને વિકાસ સંગઠને હાઈપરસોનિક મિસાઈલની વિકાસની દિશામાં મોટી સફળતા મેળવી છે. ડીઆરડીઓની લેબ રક્ષા અનુસંધાન અને વિકાસ પ્રયોગશાળા (DRDL)એ એક્ટિવલી કૂલ્ડ ફુલ સ્કેલ સ્કેમજેટ કંબસ્ટરની લાંબી સફળતા સુધી ચાલનારાનું સફળ પરીક્ષણ કર્યું છે.

1200 સેકન્ડ સુધી ચાલ્યું પરીક્ષણ

હૈદરાબાદ સ્થિત અત્યાધુનિક સ્કૈમજેટ કનેક્ટ પાઈપ ટેસ્ટ (SCPT) ફેસિલિટીમાં 9મે 2026ના રોજ આ પરીક્ષણ કર્યું છે. આ દરમિયાન એન્જિનને 1,200 સેકન્ડ (20 મિનટ)થી વધારે સમય સુધી સતત ચલાવવામાં આવ્યું હતુ. આ પહેલા આ વર્ષે જાન્યુઆરીમાં 700 સેકન્ડનું સફળ પરીક્ષણ કર્યું હતુ. આ લાંબા ગાળાના પરીક્ષણ ભારતની અદ્યતન એરોસ્પેસ ક્ષમતાઓનું પ્રદર્શન કરે છે.

 

 

સ્ક્રેમજેટ એન્જિનની વિશેષતા શું છે?

સુપરસોનિક સ્પીડ: આ એન્જિન હવામાં રહેલા ઓક્સિજનનો ઉપયોગ કરીને મિસાઇલને અવાજની ગતિ કરતા અનેક ગણી વધુ હાઇપરસોનિક ગતિએ આગળ જાય છે.

સ્વદેશી ટેકનોલોજી: તે ભારતમાં વિકસિત પ્રવાહી હાઇડ્રોકાર્બન એન્ડોથર્મિક ઇંધણનો ઉપયોગ કરે છે.

ઓવરહિટ પ્રોટેક્શન: એન્જિનને ઓગળતું અટકાવવા માટે, તેમાં ઉચ્ચ-તાપમાન થર્મલ બેરિયર કોટિંગ અને અદ્યતન ઠંડક પ્રણાલી ફીટ કરવામાં આવી છે.

ભારત વિશ્વના પસંદગીના કેટલાક દેશોમાંનો એક છે.

ભારત વિશ્વના કેટલાક પસંદગીના દેશોમાં જોડાયું છે

આ સફળ ગ્રાઉન્ડ ટેસ્ટે માત્ર એન્જિન ડિઝાઇનને માન્ય કરી નથી પરંતુ ભારતની પરીક્ષણ સુવિધાઓની શક્તિ પણ દર્શાવી છે. આ ટેકનોલોજી સાથે, ભારત હવે હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલો વિકસાવવાની ક્ષમતા ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં જોડાય છે.

સંરક્ષણ મંત્રીએ અભિનંદન આપ્યા

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આ સફળતા પર DRDO વૈજ્ઞાનિકો અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન આપ્યા. તેમણે જણાવ્યું હતું કે આ સિદ્ધિ ભારતના હાઇપરસોનિક ક્રુઝ મિસાઇલ વિકાસ કાર્યક્રમ માટે મજબૂત પાયો નાખશે.

DRDOના અધ્યક્ષ ડૉ. સમીર વી. કામતે ટીમના વખાણ કરતા કહ્યું કે,આને ભવિષ્યના યુદ્ધ કૌશલની દિશામાં એક ક્રાંતિકારી પગલું છે.

ISRO (ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન) એ ભારત સરકારની અવકાશ એજન્સી છે. તેનું મુખ્ય મથક બેંગ્લોર, કર્ણાટકમાં છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

આ પણ વાંચો, ઉનાળામાં લીમડાના પાણીથી સ્નાન કરવાના છે અદભૂત ફાયદા, જાણો કઈ બીમારીઓમાં કામ કરે છે રામબાણ ઈલાજ!

Gold-Silver Rate Today : સોનાની તેજી પર લાગ્યો બ્રેક! આજે ગોલ્ડ થયું સસ્તું, ચાંદી ફરી ચમકી, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

આ પણ વાંચો, 1 વાર કપડા ધોવામાં Washing Machine કેટલી વીજળી વાપરે છે? જાણો અહીં

INDIA Alliance : વિપક્ષ સામે પાર્ટી અસ્તિત્વનું સંકટ, બંગાળના પરિણામોએ વધારી ચિંતા!

પશ્ચિમ બંગાળમાં ભાજપની જીતને માત્ર સત્તા પરિવર્તન તરીકે જ નહીં પરંતુ ભારતીય રાજકારણમાં એક મોટા પરિવર્તન તરીકે જોવામાં આવી રહ્યું છે. જે બંગાળને ક્યારેય BJP માટે સૌથી મુશ્કેલ રાજકીય જમીન માનવામાં આવતું હતું, ત્યાં જીત બાદ પાર્ટીનો આત્મવિશ્વાસ નવી ઊંચાઈએ પહોંચ્યો છે. જોકે વિપક્ષ સામે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ભાજપને કેવી રીતે રોકવું. બંગાળના પરિણામોએ વિપક્ષની એકતા, નેતૃત્વ અને વ્યૂહરચના પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

બંગાળમાં ભાજપની જીતથી સ્પષ્ટ થઈ ગયું છે કે પક્ષ હવે હિન્દી ભાષા સુધી મર્યાદિત નથી. મફત યોજનાઓ, મજબૂત સંગઠન અને હિન્દુત્વના ભાવનાત્મક રાજકારણના આ ત્રિપુટીએ ભાજપને બંગાળમાં ઐતિહાસિક લીડ અપાવી.

ભાષા અને પ્રાદેશિક ઓળખથી ઉપર રાજકારણ

આ ચૂંટણીનો સૌથી મોટો સંદેશ એ હતો કે ભાષા અને પ્રાદેશિક ઓળખથી ઉપર પણ રાજકીય ઓળખ બનાવી શકાય છે. બંગાળમાં જેમ ભાજપે પોતાની જગ્યા બનાવી તેમ દક્ષિણ ભારતના રાજકારણમાં પણ ભાજપનો વિશ્વાસ વધ્યો છે. આ વિશ્વાસના જવાબમાં, વિપક્ષ હવે મમતા બેનર્જીની સાથે ઉભો હોય તેવું લાગે છે. રાહુલ ગાંધીએ તેમની સાથે વાત કરી અને મત ચોરીનો આરોપ પણ લગાવ્યો છે. જ્યારે અખિલેશ યાદવે પોતે મમતા બેનર્જીને મળવા કોલકાતા ગયા અને તેમને કહ્યું, “દીદી, તમે હાર્યા નથી.”

કઈ પાર્ટીને કેટલા મત મળ્યા?

ભાજપને 45.84% મત મળ્યા. જ્યારે TMCને 40.80% મત મળ્યા છે. CPMને 4.45%, CPI-RSP અને અન્ય પક્ષોને લગભગ 1% અને કોંગ્રેસને 2.97% મત મળ્યા. સમગ્ર વિપક્ષનો મત હિસ્સો 48.66% થાય છે. જે ભાજપના મત શેર કરતા વધારે છે. આનો અર્થ એ છે કે ભાજપનો લીડ માર્જિન ફક્ત ટીએમસી જ નહીં, પરંતુ અન્ય વિપક્ષી પક્ષો દ્વારા આપવામાં આવેલા મતો જેટલો જ હતો.

મત વિભાજન સામે મત ચોરીનું રાજકારણ

INDIA ગઠબંધન પોતે એકતામાં અનેકતાનું પ્રતિક ધરાવે છે. ઘણા રાજ્યોમાં તેના સાથી પક્ષો એકબીજાના સામે ચૂંટણી લડે છે. આવી સ્થિતિમાં વિપક્ષ વોટ વિભાજન સામે વોટ ચોરીના નેરેટિવ પર આગળ વધી રહ્યા છે. આગામી ચૂંટણીઓમાં, ઉત્તર પ્રદેશ, ગુજરાત અને પંજાબ જેવા રાજ્યોમાં વિપક્ષી પક્ષોએ તેમના આંતરિક વિભાજનથી ઉપર ઉઠવું પડશે. કારણ કે જો વિપક્ષી મતો જુદા જુદા છાવણીઓમાં વિભાજીત થતા રહેશે, તો ભાજપને ઘણા રાજ્યોમાં સીધો ફાયદો થતો રહેશે.

આ પણ વાંચો, બંગાળમાં અમિત શાહનું એલાન! ઘૂસણખોરી ભૂતકાળ બનશે અને ‘સોનાર બાંગ્લા’નું સપનું થશે ‘સાકાર’

કયા ખોરાક કિડનીમાં પથરીનું કારણ બની શકે છે ? ડૉક્ટર પાસેથી જાણો શું ખાવું જોઈએ

આજકાલ ઘણા લોકોમાં કિડનીમાં પથરીની સમસ્યા ઝડપથી વધી રહી છે. આ સમસ્યા ઘણીવાર ખરાબ આહાર, અપૂરતું પાણી પીવાનું અને ખરાબ જીવનશૈલીની આદતો સાથે જોડાયેલી હોય છે. ઘણા લોકો ઘણીવાર એવા ખોરાકનું સેવન કરે છે જે શરીરમાં ચોક્કસ ખનિજોનું સ્તર વધારીને પથરીના નિર્માણનું જોખમ વધારી શકે છે. શરૂઆતમાં લક્ષણો હળવા હોઈ શકે છે, પરંતુ સમય જતાં, આ સમસ્યા ગંભીર પીડાનું કારણ બની શકે છે.

ક્યારેક ઉબકા પણ આવી શકે છે

કિડનીમાં પથરીના કારણે કમરના નીચેના ભાગમાં કે પેટમાં તીવ્ર દુખાવો, પેશાબ કરતી વખતે બળતરા, વારંવાર પેશાબ આવવો અને ક્યારેક ઉબકા પણ આવી શકે છે. ઘણા લોકો આ લક્ષણોને સામાન્ય માનીને અવગણે છે, જે સમસ્યાને વધુ ખરાબ કરી શકે છે. તેથી, સમયસર આહાર અને જીવનશૈલી પર ધ્યાન આપવું મહત્વપૂર્ણ છે.

યોગ્ય માહિતી અને સંતુલિત આહાર અપનાવીને, કિડનીમાં પથરીના જોખમને નોંધપાત્ર રીતે ઘટાડી શકાય છે. તેથી, એ સમજવું મહત્વપૂર્ણ છે કે કયા ખોરાક કિડનીમાં પથરીના જોખમને વધારી શકે છે અને તેને રોકવા માટે કઈ સાવચેતી રાખવી જોઈએ.

કયા ખોરાક કિડનીમાં પથરીનું કારણ બની શકે છે?

લેડી હાર્ડિંગ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડિરેક્ટર ડૉ. એલ.એચ. ઘોટકર સમજાવે છે કે વધુ મીઠું, પ્રોસેસ્ડ ખોરાક અને ખાંડનું પ્રમાણ વધુ હોય તેવા ખોરાક ખાવાથી કિડનીમાં પથરીનું જોખમ વધી શકે છે. વધુમાં, કેટલાક ખોરાકમાં ઓક્સાલેટનું પ્રમાણ વધુ હોય છે, જે શરીરમાં એકઠા થઈને પથરીનું કારણ બની શકે છે.

વધુ પડતું જંક ફૂડ ખાવાથી અને ખૂબ ઓછું પાણી પીવાથી પણ આ સમસ્યા વધી શકે છે. કેટલાક લોકો વધુ પડતા ઠંડા પીણાં અથવા પેકેજ્ડ પીણાંનું સેવન કરે છે, જે કિડનીને અસર કરી શકે છે. તેથી સંતુલિત આહાર અને પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન જરૂરી માનવામાં આવે છે.

સારા કિડની સ્વાસ્થ્ય માટે શું ખાવું?

કિડની સ્વાસ્થ્ય માટે પૂરતું પાણી પીવું જરૂરી માનવામાં આવે છે. વધુમાં, તાજા ફળો, લીલા શાકભાજી અને હળવું ભોજન ફાયદાકારક હોઈ શકે છે. નાળિયેર પાણી, લીંબુ પાણી અને ફાઇબરયુક્ત ખોરાક પણ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે.

વધુ પડતું મીઠું ખાવાનું અને બહારનું ખાવાનું ટાળો. સંતુલિત આહાર જાળવવાથી કિડનીના સ્વાસ્થ્યમાં સુધારો થઈ શકે છે.

ડૉક્ટરને ક્યારે મળવું?

જો તમને સતત પેટમાં કે પીઠમાં તીવ્ર દુખાવો, પેશાબ કરતી વખતે બળતરા અથવા પેશાબમાં લોહીનો અનુભવ થાય તો તમારે તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. વધુમાં, વારંવાર ઉલટી, તાવ અથવા પેશાબ કરવામાં મુશ્કેલી પણ ચેકઅપની જરૂર છે. સમયસર સારવારથી સ્થિતિ ગંભીર બનતી અટકાવી શકાય છે.

Meditation Myths: મેડિટેશનથી જોડાયેલી આ માન્યતામાં તમે પણ માનો છો? જાણો સત્ય શું છે

શું Wireless Charging તમારા ફોનની બેટરી જલદી ખરાબ કરે છે ? જાણો ટેક એક્સપર્ટ શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

આ પણ વાંચો, સ્કેલમાં શૂન્ય પહેલાની એ ‘ખાલી જગ્યા’ પાછળ છુપાયેલું છે મોટું વિજ્ઞાન, એન્જિનિયરોએ વર્ષો પછી ખોલ્યું રાઝ !

Breaking News : આણંદમાં ₹98 લાખના ખર્ચે બનેલી ટાંકીઓનું કૌભાંડ આવ્યું સામે ! ખુલાસા બાદ ચાલ્યુ દાદાનું બુલડોઝર

આણંદ જિલ્લાના હાડગુડ ગામમાં પાણીની ટાંકીઓના નિર્માણમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. ગામમાં અંદાજે ₹98 લાખના ખર્ચે બનાવાઈ રહેલી ત્રણ પાણીની ટાંકીઓમાં હલકી ગુણવત્તાની સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો ખુલાસો થતાં તંત્ર એક્શનમાં આવ્યું છે, આ ટાંકીઓ પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.

₹98 લાખના ખર્ચે બનેલી ટાંકીઓ કરાઈ જમીનદોસ્ત

માહિતી મુજબ, નિર્માણ કામગીરી અંગે સ્થાનિક સ્તરે ઉઠેલા સવાલો બાદ લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તપાસ રિપોર્ટમાં સિમેન્ટની ગુણવત્તા નબળી હોવાનું તેમજ ટાંકીઓમાં ઉપયોગમાં લેવાયેલા લોખંડના સળિયા નક્કી કરાયેલા માપ કરતાં પાતળા હોવાનું સામે આવ્યું હતું.

હલકી ગુણવત્તા વાળા મટિરીયલનો થયો હતો ઉપયોગ

તપાસમાં ખામીઓ સાબિત થતાં ભવિષ્યમાં ટાંકી તૂટી પડવાની અને જાનહાનિ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને બે ટાંકી તોડી પાડવામાં આવી છે. સ્થળ પર જેસીબી મશીનથી ટાંકીઓને જમીનદોસ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

કોન્ટ્રાક્ટરે હવે પોતાના ખર્ચે બનાવી પડશે ટાંકી

અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હવે કોન્ટ્રાક્ટરને પોતાની જ જવાબદારી પર અને કોઈપણ વધારાની ચુકવણી લીધા વગર નવી અને મજબૂત ટાંકીઓનું નિર્માણ કરવું પડશે. ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

Breaking News : બનાસકાંઠાના પાલનપુરમાં આસ્થાના નામે મોટી છેતરપિંડી, આરોપીઓ પૈસા લઈ ફરાર થયા, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : છેલ્લી ઓવરમાં ઋષભ પંતનો માસ્ટરસ્ટ્રોક, ‘મોંઘા ખેલાડી’ દિગ્વેશ રાઠીએ 6 બોલમાં બેંગલુરુ પાસેથી જીત છીનવી લીધી

સતત છઠ્ઠી મેચમાં હાર બાદ લખનૌ સુપર જાયન્ટસે આઈપીએલ 2026માં જીતનો સ્વાદ ચાખ્યો હતો.ગુરુવારે રમાયેલી મેચ પ્રભાવિત મેચમાં લખનૌ સુપર જાયન્ટસે રોયલ ચેલેન્જર્સ બેગ્લુરુને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ 9 રનથી હાર આપી હતી. 19-19 ઓવરની આ મેચમાં લખનૌએ સીઝનમાં પોતાના ઘર આંગણે પહેલી જીત નોંધાવી છે. મેચ બાદ કેપ્ટન પંત હળવા મુડમાં જોવા મળ્યો હતો. તેમણે કહ્યું કે, આ જીત આખી ટીમ માટે ખુબ ખાસ હતી. કારણ કે, ટીમ લાંબા સમયથી કોમ્બિનેશન શોધી રહી હતી.

પંતે કહ્યું આ અમારા માટે ખુબ શાનદાર મેચ રહી છે. આખી ટીમ માટે આ જીતનો મોટો અર્થ છે. અમે સતત અલગ અલગ વસ્તુઓ ટ્રાય કરી રહ્યા હતા. એક ટીમ તરીકે એક પેજ પર આવવું જરુરી હતુ. આ સીઝન અમારા માટે હાર્ડ રહી. પરંતુ ક્યારેક ક્યારેક સંધર્ષથી પસાર થવું પડ્યું હતુ. લખનૌ સુપર જાયન્ટસની સૌથી મોટી જીતમાં મોટો રોલ મિચેલ માર્શે નિભાવ્યો હતો. માર્શે માત્ર 56 બોલમાં 111 રન બનાવી આરસીબીના બોલર પર દબાવ બનાવ્યો હતો. પંતે તેની ઈનિગ્સના ખુબ વખાણ કર્યા હતા.

દિગ્વેશ રાઠી પર વિશ્વાસ વ્યક્ત કર્યો

તેમણે કહ્યું માર્શની ઈનિગ્સ શાનદાર હતી.અમે જાણીએ છીએ કે, ટીમ સતત મહેનત કરી રહી છે. આ સીઝનમાં અમારી શાનદાર બોલિંગ રહી છે.બોલરો દિલ ખોલીને પ્રદર્શન કરી રહ્યા છે. અમે આજ લય આગળ ચાલું રાખવા માંગીએ છીએ.મેચની છેલ્લી મોમેન્ટ શાનદાર હતી. જ્યારે લખનૌ સુપર જાયન્ટને 20 રન બચાવવાના હતા. પંતે અનુભવી બોલર દિગ્વેશ રાઠી પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાઠી આ મોંઘો સાબિત થયો પરંતુ કેપ્ટને તેને જવાબદારી આપી હતી. આ મેચ છેલ્લા બોલ સુધી રસપ્રદ રહી હતી.

છેલ્લી ઓવરમાં શું થયું?

  • છેલ્લી ઓવરમાં શું થયું?
  • છેલ્લી ઓવરમાં જીત માટે આરસીબીને 20 રનની જરુર હતી. આ ઓવર પંતે દિગ્વેશ રાઠીને આપી હતી.
  • પહેલા બોલ માં રોમારિયો શેફર્ડે મોટો શોર્ટ રમ્યો આ ઓવરમાં 1 રન આવ્યો હતો. હવે 5 બોલમાં 19 રનની જરુર હતી.
  • બીજા બોલ પર ક્રુણાલ પંડ્યાએ 1 રન લીધો, હવે 4 બોલમાં 18 રનની જરુર હતી.
  • ત્રીજા બોલ પર શેફર્ડે મોટો શોર્ટ રમવાનો પ્રયાસ કર્યો પરંતુ રમી શક્યો નહી. અહીથી જીત લખનૌના ખાતામાં જતી જોવા મળી હતી.
  • ચોથા બોલમાં વાઈડ બોલ
  • ત્યારબાદ શેફર્ડે ચોગ્ગો ફટકાર્યો
  • પાંચમા બોલ પર શેફર્ડે 2 રન બનાવ્યા.
  • છેલ્લા બોલ પર મોટો શોર્ટ રમ્યો પરંતુ 1 જ રન મળ્યો હતો.

આ રીતે લખનૌ સુપર જાયન્ટસે 9 રનથી શાનદાર જીત મેળવી હતી.

 

 

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

 

Breaking News : 30 દિવસની શાંતિ બાદ ફરી પાછુ શરું થશે યુદ્ધ ! ઈરાને યુએઈ પર કર્યો હવાઈ હુમલો

ઈરાને આજે ફરી એકવાર યુએઈ પર મોટો હુમલો કર્યો છે. અહેવાલો અનુસાર, ઈરાને અનેક બેલિસ્ટિક મિસાઈલો, ક્રુઝ મિસાઈલો અને ડ્રોનનો મારો ચલાવ્યો છે. ઈરાને કરેલા હુમલાથી યુએઈના હવાઈ સંરક્ષણ પ્રક્રિયા સક્રિય કરી દેવાઈ છે. જે ઈરાન તરફથી છોડવામાં આવેલ મિસાઈલોને સતત અટકાવી રહ્યી છે. યુએઈના નેશનલ ઈમરજન્સી ક્રાઈસિસ એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટીએ, લોકોને સલામત સ્થળોએ રહેવા અને ફક્ત સત્તાવાર સરકારી અપડેટ્સ પર જ આધાર રાખવાની અપીલ કરી છે. આ હુમલો યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે મિસાઈલ હુમલા થયાના એક રાત પછી થયો છે.

આ પહેલા, સોમવારે, ઈરાને પણ 15 મિસાઈલો અને 4 ડ્રોનનો ઉપયોગ કરીને યુએઈ પર હુમલો કર્યો હતો. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક વિશ્વ નેતાઓએ યુએઈ પરના હુમલાઓની નિંદા કરી હતી. 8 એપ્રિલે યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ સ્થાપિત થયો હતો. 30 દિવસની પ્રમાણમાં શાંતિ પછી, મધ્ય પૂર્વમાં ફરી એકવાર તણાવ વધી રહ્યો હોય તેવું લાગે છે.

યુએઈ ઈરાની હુમલાઓનો રેકોર્ડ તૈયાર કરશે

યુએઈએ ઈરાનના હુમલાઓથી થયેલા નુકસાનનો વ્યાપક રેકોર્ડ તૈયાર કરવા માટે એક નવી સમિતિની રચના કરી છે. સમિતિનો કાર્યભાર આ હુમલાઓના પરિણામે થયેલા જાનમાલના નુકસાન અંગે પુરાવા એકત્રિત કરવાનો છે. ત્યારબાદ, આ પુરાવાના આધારે, યુએઈ કાનૂની કાર્યવાહી કરવા અને ન્યાય મેળવવાનો ઇરાદો ધરાવે છે.

સત્તાવાર સમાચાર એજન્સી, WAM અનુસાર, આ સમિતિનું નેતૃત્વ યુએઈના એટર્ની જનરલ કરશે. તેમાં વિવિધ મંત્રાલયો અને સરકારી એજન્સીઓના અધિકારીઓનો સમાવેશ થશે. જો જરૂરી લાગે તો વિદેશી નિષ્ણાતોની પણ મદદ લેવામાં આવશે. સમિતિ ફોટોગ્રાફ્સ, ટેકનિકલ રિપોર્ટ્સ અને અન્ય પ્રકારના પુરાવા એકત્રિત કરશે.

2,000 થી વધુ ડ્રોન ફાયરિંગનો દાવો

યુએઈના મતે, સંઘર્ષ દરમિયાન, ઈરાને 2,000 થી વધુ ડ્રોન, સેંકડો બેલિસ્ટિક મિસાઈલ અને અનેક ક્રુઝ મિસાઈલ છોડ્યા હતા. મોટાભાગના હુમલાઓને હવાઈ સંરક્ષણ પ્રણાલીઓ દ્વારા અટકાવવામાં આવ્યા હતા, જ્યારે 13 લોકો માર્યા ગયા હતા અને 200 થી વધુ ઘાયલ થયા હતા. અનેક તેલ અને ઉર્જા સુવિધાઓ ઉપરાંત, મુખ્ય ઇમારતોને પણ નુકસાન થયું હતું.

યુએઈ વળતરની માંગ કરશે

યુએઈએ અગાઉ ઈરાનને હુમલાઓની જવાબદારી સ્વીકારવા અને થયેલા નુકસાનની ભરપાઈ કરવા હાકલ કરી છે. હવે, એક સમિતિ આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ કાનૂની કાર્યવાહીને સરળ બનાવવા માટે માનવ, આર્થિક અને સંપત્તિના નુકસાનનું વ્યાપક મૂલ્યાંકન તૈયાર કરશે. યુએઈએ ઈરાન દ્વારા આપવામાં આવેલા નિવેદનો અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી જેમાં સૂચવવામાં આવ્યું હતું કે યુએઈનો યુનાઇટેડ સ્ટેટ્સ સાથેનો સહયોગ ઈરાનની સુરક્ષા માટે ખતરો છે. યુએઈના વિદેશ મંત્રાલયે ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈપણ દેશ સાથે સંરક્ષણ સહયોગમાં જોડાવું એ તેનો સાર્વભૌમ અધિકાર છે.

Iran missile attack : મિસાઇલ હુમલા બાદ તેહરાનમાં ભારે વિનાશ, TV9નો તેહરાનથી ગ્રાઉન્ડ રિપોર્ટ, જુઓ Video

રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના ફરેણી ગામ નજીક બે સિંહોની લટાર, ખેડૂતો અને પશુપાલકો ચિંતિત, જુઓ Video

Rajkot જિલ્લાના Dhoraji તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે સિંહોના આંટાફેરાથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. ફરેણી ગામ નજીક આવેલા ચેકડેમ વિસ્તારમાં સિંહોને લટાર મારતા જોવામાં આવ્યા હોવાનું ગ્રામજનોએ જણાવ્યું છે.

ચેકડેમ પાસે સિંહોની હાજરીના કારણે ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી છે. ખાસ કરીને વહેલી સવારે અને સાંજના સમયે ખેતરોમાં જતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ગ્રામજનોએ સિંહોના આંટાફેરાની માહિતી તરત જ વનવિભાગને આપી હતી.

વનવિભાગની ટીમે ઘટનાની જાણ થતા જ વિસ્તારમાં નજર રાખવાની કામગીરી શરૂ કરી છે. સાથે જ સ્થાનિક લોકોને સાવચેત રહેવા, એકલા બહાર ન નીકળવા અને પશુઓને સુરક્ષિત સ્થળે રાખવા અપીલ કરવામાં આવી છે.

તાજેતરમાં ગ્રામ્ય વિસ્તારોમાં જંગલી પ્રાણીઓની અવરજવર વધતા લોકોમાં ચિંતા વધી રહી છે. જોકે વનવિભાગે લોકોને ગભરાવાની જરૂર નથી અને કોઈ પણ જંગલી પ્રાણી દેખાય તો તરત જ વિભાગને જાણ કરવા જણાવ્યું છે.

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Numerology : મૂૂળાંક 1 ધરાવતા બાળકો ખૂબ જ તેજસ્વી હોય ​​છે, તેમનું ભાગ્ય સૂર્ય જેવું ચમકે છે?

અંકશાસ્ત્રમાં સરકારી નોકરીનો કારક સૂર્ય ગ્રહને માનવામાં આવેલું છે. એવું કહેવાય છે કે જેમની કુંડળીમાં આ ગ્રહ મજબૂત સ્થિતિમાં હોય છે તેમને સરકારી નોકરી મળવાની સંભાવના હોય છે. અંકશાસ્ત્ર અનુસાર, જેમની કુંડળીમાં 1 મૂૂળાંક હોય છે તેમને ખાસ કરીને સૂર્યનો આશીર્વાદ મળે છે. કારણ કે તે આ મૂૂળાંકના સ્વામી માનવામાં આવેલા છે. 1લી, 10મી, 19મી અને 28મી તારીખે જન્મેલા લોકોનો મૂૂળાંક 1 હોય છે.

ભાગ્ય સૂર્ય જેવું તેજસ્વી હોય છે

અંકશાસ્ત્ર અનુસાર, 1 મૂૂળાંક ધરાવતા બાળકો ખૂબ જ ઉર્જાવાન હોય છે. તેઓ અભ્યાસમાં પણ ખૂબ જ બુદ્ધિશાળી હોય છે. તેમનામાં જન્મથી જ એક અનોખી નેતૃત્વ ક્ષમતા હોય છે. સૂર્યના પ્રભાવને કારણે તેમના વ્યક્તિત્વમાં એક અનોખી તેજસ્વીતા જોવા મળે છે. તેઓ સમાજમાં પોતાની એક અલગ ઓળખ બનાવે છે અને તેમને ખૂબ માન-સન્માન મળે છે.

સરકારી નોકરીની શક્યતા

જે લોકો નંબર 1 ધરાવે છે તેમને સરકારી નોકરી મળવાની પ્રબળ શક્યતાઓ હોય છે. જો તેઓ આ દિશામાં પૂરતી મહેનત કરે છે, તો તેમને ઉચ્ચ કક્ષાના અધિકારી બનતા કોઈ રોકી શકતું નથી. તેઓ ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે. જો તેઓ દૃઢ નિશ્ચયી હોય, તો તેઓ કંઈપણ પ્રાપ્ત કરી શકે છે.

તીક્ષ્ણ મન

જે લોકોનો મૂૂળાંક 1 છે તેમનું મન એટલું તીક્ષ્ણ હોય છે કે તેઓ ખૂબ જ ઝડપથી વસ્તુઓ શીખી જાય છે. તેમની યાદશક્તિ પણ ખૂબ જ તેજ હોય ​​છે. જેના કારણે તેઓ અભ્યાસના ક્ષેત્રમાં સફળ થાય છે.

સૂર્યની કૃપાથી કારકિર્દી ચમકે છે

સૂર્ય નંબર 1 નો અધિપતિ છે. તેથી આ સંખ્યા ધરાવતા બાળકોને સૂર્ય દેવ તરફથી વિશેષ આશીર્વાદ મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં, સૂર્યને શાસન, સત્તા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. આ કારણોસર 1 નંબર ધરાવતા લોકો ઘણીવાર IAS, IPS અથવા રાજકારણમાં ઉચ્ચ પદો પર બિરાજમાન હોઈ શકે છે.

નોંધ: અહીં, પૂરી પાડવામાં આવેલી વિગતો માત્ર રિપોર્ટ્સ અને જ્યોતિષ મુજબ પર આધારિત છે. TV9 ગુજરાતી કોઈપણ પ્રકારની માહિતીને સમર્થન આપતું નથી.

આ પણ વાંચો, Copper Bracelets : આ 3 રાશિઓ માટે તાંબાનું કડું છે ખૂબ જ ભાગ્યશાળી, પહેરતાની સાથે જ સકારાત્મક ફેરફારો દેખાવા લાગશે!

Breaking News : અમદાવાદમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ, 1.69 લાખની કિંમતના શૂઝ પોલીસે કર્યા જપ્ત, જુઓ Video

ગુજરાતમાં એક પછી એક નકલીની ભરમાર જોવા મળી રહી છે. નકલી ઘી, નકલી તેલ, નકલી મસાલા, નકલી પોલીસ પછી હવે નકલી શૂઝનું પણ વેચાણ થઇ રહ્યુ હોય તેવુ સામે આવી રહ્યુ છે. અમદાવાદમાં બ્રાન્ડેડના નામે મોટા પ્રમાણમાં નકલીનો ખેલ ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે રેડ કરતા નકલી શૂઝના વેચાણનો આખો કારોબાર ઝડપાયો છે.

અમદાવાદ પોલીસે બોપલ સ્થિત એક દુકાન પર દરોડા પાડ્યા હતા. ત્યા નકલી બ્રાન્ડેડ ફૂટવેરનો મોટો જથ્થા ઝડપાયો છે. તપાસ દરમિયાન દુકાનમાંથી અનેક કંપનીના બ્રાન્ડેડ નામના અને લોગો લગાવવામાં આવેલા નકલી શૂઝ અને સ્લિપર મળી આવ્યા. પોલીસની ટીમે સ્થળ પરથી ડુપ્લીકેટ શૂઝ જપ્ત કર્યા છે અને પોલીસે દુકાન માલિક વિરુદ્ધ કોપીરાઇટ કાયદા હેઠળ ગુનો નોંધ્યો છે.

નાઈક, જોર્ડન અને કોન્વર્સ જેવી કંપનીના શૂઝની વેચાણ

અમદાવાદના બોપલમાં બ્રાન્ડેડ શૂઝના ડુપ્લીકેટ વેચાણનો પર્દાફાશ થયો છે. એલીગન્સ એમ્પલોઈમ નામની દુકાનમાં પોલીસના દરોડા પાડ્યા. દુકાનમાં અનેક બ્રાન્ડેડ કંપનીના નકલી શૂઝ અને સ્લિપર મળી આવ્યા હતા. દુકાનદાર રૂષીલ ભોમોત્રા નાઈક, જોર્ડન અને કોન્વર્સ જેવી કંપનીના શૂઝ વેચતો હતો. પોલીસે રૂ.1.69 લાખની કિંમતના 169 જોડી શૂઝ જપ્ત કર્યા છે. પોલીસે દુકાન માલિક વિરુદ્ધ કોપીરાઈટ એક્ટ હેઠળ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો, Breaking News : અભિનેતાએ 60 વર્ષની ઉંમરે યુરોપથી આફ્રિકા સુધી સ્વીમિંગ કર્યું, ચાહકો ચોંકી ગયા, જુઓ Video

Breaking News :  ગુજરાતના આ પોલીસ સ્ટેશનમાં પોલીસ જ પીધેલી હાલતમાં, FIR લખાવવા ગયેલા ફરિયાદીઓ જ ગભરાયા, જુઓ Video

આણંદ જિલ્લામાં આવેલા Umreth Police Stationનો એક શરમજનક વીડિયો વાયરલ થતા પોલીસ તંત્રમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. રાજ્યમાં દારૂબંધી કાયદો હોવા છતાં પોલીસ સ્ટેશનની અંદર જ એક પોલીસ કર્મચારી દારૂ પીધેલી હાલતમાં જોવા મળ્યો હોવાનો આક્ષેપ વીડિયોમાં કરવામાં આવ્યો છે.

પોલીસ સ્ટેશનમાં જ ગેરવર્તણુક

ઉમરેઠ પોલીસ મથકનો આ વીડિયો છે. કેટલાક ફરિયાદ તેમની કોઇ પોલીસ ફરિયાદ લખાવવા માટે પોલીસ મથકમાં ગયા હતા અને આ સમયે હરપાલસિંહ નામનો પોલીસ કર્મચારી પીધેલી હાલતમાં જોવા મળ્યો હતો. તે કોન્સ્ટેબલ છે કે હેડ કોન્સ્ટેબલ કે અન્ય કોઇ હોદ્દા પર તે સ્પષ્ટ નથી થયુ. જો કે પોલીસ કર્મચારી થઇ તે પોલીસ સ્ટેશનમાં જ ગેરવર્તણુક કરી રહ્યો હતો. પોલીસ સ્ટેશનમાં અન્ય કર્મચારીઓ પણ હાજર હતા, જે આ પીધેલી પોલીસ કર્મચારીને શાંત કરાવવાનો પ્રયત્ન કરે છે.

આ પીધેલો પોલીસ કર્મી નશાની હાલતમાં અપશબ્દોનો પણ ઉપયોગ કરી રહ્યો હતો. તે સમયે કેટલીક મહિલાઓ પણ પોલીસ સ્ટેશનમાં હાજર હતી. નશાની હાલતમાં આ પોલીસ કર્મી વાણી વિલાસ કરી રહ્યો હતો.

પોલીસ કર્મચારીને ઊભા રહેવાનું પણ ભાન ન હતુ.

મહત્વની વાત એ છે કે અન્ય એક કર્મચારી તેને રોકવાનો પ્રયાસ કરે છે, જો કે નશાની હાલતમાં ધૂત આ પોલીસ કર્મચારીને ઊભા રહેવાનું પણ ભાન ન હતુ. તે પડી પણ જાય છે. ત્યારબાદ કેટલીક મહિલા કર્મચારી પણ ત્યાં આવે છે અને આ પીધેલા પોલીસ કર્મચારીને ચુપ કરાવવાનો પ્રયાસ કરે છે. તેમ છતા તે કોઇના કાબુમાં રહેતો નથી.

બેફામ બોલી રહ્યો હતો પોલીસ કર્મચારી

વીડિયોમાં દેખાતી સ્થિતિ મુજબ સંબંધિત પોલીસકર્મી નશાની હાલતમાં બેફામ બોલતો અને અશોભનીય વર્તન કરતો જોવા મળે છે, જેના કારણે પોલીસ વિભાગની શિસ્ત અને વિશ્વસનીયતા પર સવાલો ઊભા થયા છે. આ ઘટના સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર પણ ભારે પ્રતિક્રિયા જોવા મળી રહી છે અને લોકો પોલીસની જવાબદારી અંગે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

સવાલ એ પણ થઇ રહ્યો છે કે આ પોલીસ કર્મચારી વિરુદ્ધ આણંદ પોલીસ કે આણંદ SP દ્વારા આ મામલે તપાસ કરવામાં આવશે કે કેમ? કેમ કે એક તરફ ગુજરાતમાં દારુબંધીની વાત કરવામાં આવે છે. દર આંતરે દિવસે પીધેલાઓ પકડાય છે, ત્યારે નવાઇની એ વાત છે કે પીધેલાઓને પકડવાનું કામ કરનાર પોલીસ જ આ રીતે પોલીસ સ્ટેશનમાં જ દારુના નશામાં પકડાય એ ખરેખર કેટલીય અયોગ્ય વાત છે. આ વાત પોલીસ માટે જ એક શરમજન વાત છે. સામાન્ય કોઇ વ્યક્તિ જો પીધેલી હાલતમાં પકડાય તો તેની સામે કાર્યવાહી થતી હોય છે, જ્યારે આ તો ખુદ પોલીસ કર્મચારી પીધેલી હાલતમાં છે. તો આ પોલીસ કર્મચારી સામે પણ કોઈ ગંભીર કાર્યવાહી થાય છે કે કેમ તે જોવુ રહ્યુ.

વીથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી, આણંદ

આ પણ વાંચો- Breaking News : અમદાવાદીઓ ચેતી જજો! 10 દિવસ ‘પાણી કાપ, જાણો તમારા વિસ્તારમાં શું અસર થશે? બોરવેલના ભરોસે તંત્ર! જુઓ Video

રસ્તામાં મળેલી નોટ કે સિક્કો ઉઠાવવો જોઈએ કે નહીં? જાણો શું કહે છે વાસ્તુશાસ્ત્ર, આ સંકેતો ચમકાવી શકે છે તમારું ભાગ્ય!

Breaking News: હાઇકોર્ટમાં વિવાદ વચ્ચે સુમુલ ડેરી ચૂંટણીનો માર્ગ મોકળો, જુલાઈના પ્રથમ સપ્તાહમાં જામશે રસાકસીનો જંગ! Watch Video

SUMUL Dairyમાં લાંબા સમયથી ચાલી રહેલા ચૂંટણી વિવાદ મામલે હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. સુરતની સૌથી મોટી સહકારી ડેરી ગણાતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને ચાલી રહેલી કાનૂની પ્રક્રિયા વચ્ચે હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે, જેના કારણે હવે ચૂંટણીનો માર્ગ લગભગ મોકળો બન્યો છે.

ચૂંટણી કાર્યક્રમ રજૂ કરવાનો આદેશ કર્યો

માહિતી અનુસાર ડેરીમાં અગાઉ રહેલા કેટલાક પદો હટાવી દેવામાં આવ્યા હતા અને સીમાંકન પ્રક્રિયા બાદ ચૂંટણી યોજવાની બાબતે વિવાદ ઊભો થયો હતો. આ મામલો કોર્ટ સુધી પહોંચતા હાઇકોર્ટે કલેકટરને 8મી તારીખે ચૂંટણી કાર્યક્રમ રજૂ કરવાનો આદેશ કર્યો છે. કોર્ટના અગાઉના આદેશ મુજબ સીમાંકન બાદ ચૂંટણી યોજવાની હતી, પરંતુ તેના અમલમાં વિલંબ થતા અરજી કરવામાં આવી હતી.

જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે

હવે કોર્ટના નવા નિર્દેશ બાદ સુમુલ ડેરીમાં ચૂંટણી પ્રક્રિયા ઝડપથી આગળ વધે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જુલાઈના પ્રથમ સપ્તાહમાં ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી જાહેર થતા જ ડેરી સાથે જોડાયેલા વિવિધ ગૃપો અને આગેવાનો સક્રિય બન્યા છે.

રસાકસી જોવા મળે તેવી પૂરી શક્યતા

સુમુલ ડેરી માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાતના દૂધ ઉત્પાદકો માટે મહત્વપૂર્ણ સંસ્થા માનવામાં આવે છે. આવી સ્થિતિમાં આવનારી ચૂંટણીમાં કડક રાજકીય અને સંગઠનાત્મક રસાકસી જોવા મળે તેવી પૂરી શક્યતા છે. ડેરીના સંચાલન પર કબ્જો જમાવવા માટે વિવિધ ગૃપો વચ્ચે જોરદાર ટક્કર જામે તેવી ચર્ચાઓ પણ તેજ બની છે.

Breaking News: ગુજરાતના અનેક વિસ્તારમાં આજે પણ રહેશે વાદળછાયુ વાતાવરણ, 8 મેથી તાપમાન વધીને 42 ડિગ્રી થશે, જુઓ Video

Breaking News : સેવન્થ ડે સ્કૂલમાં ફરી વિવાદ, વાલી સંઘર્ષ સમિતિનો ઉગ્ર વિરોધ, પ્રવેશ ન લેવા વાલીઓને અપીલ, જુઓ Video

અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલ હાલમાં વાલીઓના ભારે વિરોધનો સામનો કરી રહી છે. શાળાના વહીવટીતંત્ર અને સંચાલકોના વલણથી નારાજ થઈને ‘વાલી સંઘર્ષ સમિતિ’ના નેજા હેઠળ વાલીઓએ શાળા સામે મોરચો માંડ્યો છે.

વાલીઓ કેમ રોષે ભરાયા છે?

વાલી સંઘર્ષ સમિતિનો મુખ્ય આક્ષેપ છે કે શાળાના સંચાલકો વાલીઓને ગેરમાર્ગે દોરી રહ્યા છે. વાલીઓની મુખ્ય ચિંતા શાળાના દસ્તાવેજોને લઈને છે. સમિતિના સભ્યોનું કહેવું છે કે, શાળા પાસે કાયદેસરની માન્યતા કે જરૂરી દસ્તાવેજોનો અભાવ હોઈ શકે છે. જો આ આક્ષેપો સાચા ઠરે તો શાળાની માન્યતા રદ્દ થવાની પૂરેપૂરી શક્યતા છે, જેનાથી સીધી અસર ત્યાં અભ્યાસ કરતા બાળકોના ભવિષ્ય પર પડશે.

વાલી સમિતિની અપીલ

વિરોધ પ્રદર્શન દરમિયાન સમિતિના હોદ્દેદારોએ અન્ય વાલીઓને પણ ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં અપીલ કરી છે કે, “પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય અને સુરક્ષા માટે આ શાળામાં પ્રવેશ લેવાનું ટાળવું જોઈએ.” વાલીઓનું માનવું છે કે કાયદાકીય લડત અને દસ્તાવેજોની બાબતમાં શાળા પ્રશાસન દ્વારા તેમને અધૂરી કે ખોટી માહિતી આપવામાં આવી રહી છે.

આગળ શું થઈ શકે?

 

આ વિવાદ હવે વધુ ઘેરો બને તેવા સંકેતો દેખાઈ રહ્યા છે

શિક્ષણ વિભાગની તપાસ: સંભવ છે કે વાલીઓની રજૂઆત બાદ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) કચેરી આ મામલે હસ્તક્ષેપ કરે અને શાળાના દસ્તાવેજોની ચકાસણી કરે.
કાયદાકીય લડત: વાલી સંઘર્ષ સમિતિ આ મામલાને લઈને કાયદાકીય માર્ગ અપનાવે તેવી શક્યતા છે, જેથી શાળાની સત્તાવાર સ્થિતિ સ્પષ્ટ થાય.
વિદ્યાર્થીઓનું ભવિષ્ય: જો તપાસમાં શાળા ગેરકાયદેસર કે માન્યતા વગરની જણાશે, તો ત્યાં ભણી રહેલા વિદ્યાર્થીઓની અન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરાવવાની મોટી જવાબદારી અને મુશ્કેલી વાલીઓ માટે ઊભી થઈ શકે છે.

આ સમગ્ર પ્રકરણમાં હવે શાળા પ્રશાસન શું પ્રતિક્રિયા આપે છે અને તંત્ર શું પગલાં લે છે, તેના પર વાલીઓની નજર મંડાયેલી છે.

ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Breaking News : સુરતના વરાછાની મમતા હોસ્પિટલમાંથી ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું, જુઓ વીડિયો

સુરતના વરાછા મમતા હોસ્પિટલમાંથી ગેરકાયદે ગર્ભપાતનું રેકટ ઝડપાયું છે. જિલ્લા આરોગ્ય અધિકારીએ રેડ કરી આ રેકેટ ઝડપી પાડ્યું છે.મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ ભાગી છૂટ્યો હોવાની વિગતો સામે આવી રહી છે.આ પહેલા પણ રામગોપાલ ઝડપાઇ ચુક્યો હતો.પોલીસે PNDT એક્ટ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.તમને જણાવી દઈએ કે,ભારતમાં 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કાયદેસર છે.

આરોપીઓ ગર્ભપાતની પ્રક્રિયા માટે ગેરકાયદેસર રીતે દવાઓ અને સર્જરીનો ઉપયોગ કરતા હોય છે. દીકરી હોય તો ગેરકાયદે ગર્ભપાત કરાવવાનું કે જાતિ પરીક્ષણ કરવાનું પણ કેટલીક વખત રેકેટમાં સામેલ હોય છે.

ગેરકાયદે ગર્ભપાત શું છે?

આ પરિસ્થિતિઓમાં ગર્ભપાત ગેરકાયદે ગણાય છે, જેમ કે ક્યારેક દીકરાની રાહમાં ગર્ભમાં રહેલું બાળક દીકરો છે કે દીકરી તે માટે પરીક્ષણ કરે છે. આવા કિસ્સામાં જ્યારે દીકરી હોય તો લિંગ પસંદગી માટે ગર્ભપાત કરે છે. (જે Pre-Conception and Pre-Natal Diagnostic Techniques Act, 1994 હેઠળ કડક ગેરકાયદે છે),ગેરકાયદેસર ગર્ભપાત રેકેટ એક ગંભીર સામાજિક અને કાનૂની ગુનો છે, જે ઘણીવાર સ્ત્રી ભ્રૂણ હત્યા અને લિંગ નિર્ધારણ સાથે જોડાયેલો હોય છે. તાજેતરના સમયમાં ભારતના ઘણા ભાગોમાં આવા રેકેટનો પર્દાફાશ થાય છે.

 

સુરત, દક્ષિણ ગુજરાતનું દરિયા કિનારાથી 14 કિલોમીટરના અંતરે આવેલું શહેર તથા સુરત જિલ્લાનું વડું મથક છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Breaking News : ગુજરાત-મહારાષ્ટ્રની સરહદે આવેલા નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂનો કહેર, 4 દિવસમાં 2 લાખ મરઘાં માર્યા!

ગુજરાતની સરહદે આવેલા મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂએ હાહાકાર મચાવ્યો છે. નવાપુર જિલ્લામાં અનેક મરઘાં ફાર્મમાં બર્ડ ફ્લૂથી સંક્રમિત મરઘાં મળી આવ્યા છે. આનાથી ગભરાટ ફેલાયો છે. રિપોર્ટ મુજબ, જે મરઘાં ફાર્મમાં ચેપગ્રસ્ત જોવા મળ્યા છે ત્યાંના તમામ મરઘાંઓને મારી નાખવામાં આવ્યા છે. ઇંડાનો પણ નાશ કરવામાં આવી રહ્યો છે. વધુમાં વિસ્તારના રહેવાસીઓને મરઘાં અને ઇંડા ન ખાવાની સલાહ આપી છે અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા વિનંતી કરી છે.

નવાપુરનો આ ત્રીજો મોટો રોગચાળો છે

નંદુરબાર જિલ્લામાં બર્ડ ફ્લૂનો મોટો પ્રકોપ ફેલાયો છે. જેના પરિણામે માત્ર ચાર દિવસમાં લગભગ 2 લાખથી પણ વધુ મરઘાં મારવામાં આવ્યા છે. નવાપુરમાં આ ત્રીજો મોટો રોગચાળો છે. 2006માં આશરે 10 લાખ મરઘાં અને 14 લાખ ઇંડાનો નાશ કરવામાં આવ્યો હતો તો 2021માં આશરે 9 લાખ મરઘાં અને 60 લાખ ઇંડાનો નાશ કરાયો હતો.

2 લાખથી પણ વધુ મરઘાંનો નાશ

નવાપુર વિસ્તારમાં બર્ડ ફ્લૂના પ્રકોપને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે કડક પગલાં લીધા છે. છેલ્લા ચાર દિવસમાં આઠ મરઘાં ફાર્મમાંથી 2 લાખ જેટલા મરઘાં મારવામાં આવ્યા છે. વધુમાં 8લાખથી વધુ ઇંડાનો નાશ કરવામાં આવ્યો છે. આશરે 21.22 મેટ્રિક ટન પશુ આહાર દાટી દેવામાં આવ્યો છે. બર્ડ ફ્લૂના ચેપને અટકાવવા માટે વહીવટીતંત્ર કડક પગલાં લઈ રહ્યું છે. વિસ્તારમાં ચેતવણી જારી કરવામાં આવી છે અને નાગરિકોને વહીવટીતંત્રને સહકાર આપવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવા વિનંતી કરવામાં આવી છે.

150 કર્મચારીઓની 25 ટીમો બનાવવામાં આવી

નંદુરબાર જિલ્લાના નવાપુર તાલુકામાં બર્ડ ફ્લૂને કારણે વહીવટીતંત્રને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ત્રણ મરઘાં ફાર્મમાં બર્ડ ફ્લૂના કેસ નોંધાયા બાદ અસરગ્રસ્ત વિસ્તારનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ કેમ્પેઈન માટે આશરે 150 કર્મચારીઓની 25 ટીમો બનાવવામાં આવી. 1 કિલોમીટર, 3 કિલોમીટર અને 5 કિલોમીટરની ત્રિજ્યામાં વિસ્તારોને અલગ કરીને ચેપના ફેલાવાને રોકવા માટે પગલાં શરૂ કરવામાં આવ્યા છે. અન્ય મરઘાં ફાર્મના નમૂનાઓ ભોપાલની પ્રયોગશાળામાં મોકલવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે.

વહીવટીતંત્ર એલર્ટ પર

સંભવિત જોખમને રોકવા માટે વહીવટીતંત્રને એલર્ટ પર રાખવામાં આવ્યું છે. ખેડૂતો અને ફાર્મ સંચાલકોને સતર્ક રહેવા ચેતવણી આપી છે. તેમને કોઈપણ અચાનક પક્ષીઓના મૃત્યુ, ખોરાક અને પાણીની અછત અથવા ઇંડા ઉત્પાદનમાં ઘટાડો થાય તો તાત્કાલિક જાણ કરવા તાકીદ કરવામાં આવી છે.

આ પણ વાંચો, Breaking News : રાતે 9 વાગ્યે બંગાળના રસ્તાઓ પર ચાલ્યા બુલડોઝર, TMCના ઓફિસને કર્યું ધ્વસ્ત! મમતાની પાર્ટીએ કહ્યું કે ‘BJPએ…’

Breaking News : ફરી મુસીબતમાં ફસાયો પલાશ મુછલ, ક્રિકેટરના મિત્રએ કેસ દાખલ કર્યો

સ્મૃતિ મંધાનાના ભૂતપૂર્વ મંગેતર પલાશ મુછલ ફરી એક વખત કાનુની મુશ્કેલીમાં ફસાયો છે. આ વખતે મામલો સ્મૃતિ મંધાના સાથે જોડાયેલો નથી પરંતુ તેના મિત્રોનું કારણ છે. આ મામલો વધારે ગંભીર બતાવવામાં આવી રહ્યો છે. તો ચાલો જાણીએ કે, કેમ પલાશ મુચ્છલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.મીડિયા સાથે વાત કરતા વિજ્ઞાન માનેએ કહ્યું, ‘તેઓએ મને કહ્યું હતું કે ફિલ્મ 6 મહિનામાં પૂર્ણ થશે, પરંતુ એવું થયું નહીં.’

કોણે કર્યો કેસ?

રિપોર્ટ મુજબ પલાશ મુછાલ પર અનુસુચિત જાતિ અને જનજાતિ અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ ફરિયાદ સાંગલીના રહેવાસી વિજ્ઞાન પ્રકાશ માને દ્વારા દાખલ કરવામાં આવી હતી, જે સ્મૃતિ મંધાના બાળપણના મિત્ર હોવાનું કહેવાય છે.

ફરિયાદ અનુસાર આ ઘટના 22 નવેમ્બરના રોજ સાંગલી અષ્ટા રોડ પર એક ટોલ પ્લાઝા પર થઈ હતી. માનનો આરોપ છે કે,બોલચાલ દરમિયાન પલાશ મુછલે જાતિને લઈ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. પોલિસે એસસી,એસટી એકટની કલમ 3 (1)ની સાથે સાથે અન્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.

પૈસાને લઈ વિવાદ

રિપોર્ટ અનુસાર આ મામલો પૈસાની લેવડ દેવડ સાથે જોડાયેલો છે. પોલીસનું કહેવું છે કે, પલાશ મુછલે એક ફિલ્મ પ્રોજેક્ટ માટે વિજ્ઞાન માન પાસે 25 લાખ રુપિયા લીધા હતા. ત્યારબાદ માને પૈસા પરત માંગતા આ વિવાદ ઉભો થયો છે.

સ્મૃતિ મંધાના સાથે કનેક્શન

આ મામલો સામે આવ્યા બાદ પલાશ મુછાલ અને સ્મૃતિ મંધાનાના જુના સંબંધોની ચર્ચા ચાલી રહી છે. બંન્નેની પહેલા સગાઈ થઈ ચૂકી હતી. નવેમ્બર 2025ના રોજ સાંગલીમાં લગ્ન થવાના હતા. પરંતુ ત્યારબાદ લગ્ન રદ થયા હતા. બંન્નેએ સોશિયલ મીડિયા પર અલગ થવાની જાણકારી આપી હતી. બંન્નેનું અલગ થવાનું કારણ હજુ સાર્વજનિક બહાર આવ્યું નથી.

પોલીસ અધિકારીઓએ પુષ્ટિ આપી છે કે ,કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. હાલમાં કોઈ વધુ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી. જેમ જેમ કેસ આગળ વધશે તેમ તેમ કાનૂની પ્રક્રિયા પર નજર રાખવામાં આવશે.

બહેન અને જીજાજી છે બોલિવુડની મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં આવો છે સિંગરનો પરિવાર અહી ક્લિક કરો

Breaking News : રાજકોટ જિલ્લામાં ધોરણ 10ના પરિણામથી ઉત્સાહ, 130 શાળાનું 100 ટકા પરિણામ, જુઓ Video

રાજકોટઃ આજે રાજ્યભરમાં ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ગુજરાતનું કુલ પરિણામ 83.86 ટકા નોંધાયું છે. આ પરિણામમાં રાજકોટ જિલ્લાએ રાજ્ય સરેરાશ કરતાં વધુ પ્રદર્શન કરીને 88.11 ટકા પરિણામ હાંસલ કર્યું છે. ગત વર્ષ રાજકોટ જિલ્લાનું પરિણામ 87.19 ટકા હતું, જેના કરતાં આ વર્ષે થોડો સુધારો જોવા મળ્યો છે.

130 શાળાઓએ 100 ટકા પરિણામ

જિલ્લા શિક્ષણ વિભાગના આંકડા મુજબ રાજકોટમાં કુલ 130 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવી ઉત્તમ પ્રદર્શન કર્યું છે, જે શિક્ષણ ક્ષેત્રે સકારાત્મક સંકેત માનવામાં આવે છે. જોકે, બીજી તરફ 3 શાળાઓનું પરિણામ ઝીરો ટકા આવ્યું છે, જે ચિંતાનો વિષય બન્યો છે અને શિક્ષણ તંત્ર માટે પડકારરૂપ સ્થિતિ દર્શાવે છે.

પરિણામ જાહેર થતા જ રાજકોટની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક વિદ્યાર્થીઓએ પોતાના પરિણામને લઈને આનંદ વ્યક્ત કર્યો હતો, જ્યારે વાલીઓ પણ ખુશીથી ભાવુક બન્યા હતા. શાળાઓમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો અને વિદ્યાર્થીઓએ એકબીજાને અભિનંદન આપ્યા હતા.કુલ મળીને રાજકોટ જિલ્લાનું આ વર્ષનું પરિણામ સકારાત્મક રહ્યું છે અને રાજ્યમાં સારા પ્રદર્શન કરનાર જિલ્લાઓમાં રાજકોટનું નામ આગળ આવ્યું છે.

આ પણ વાંચો- Breaking News : ગુજરાતમાં કુદરતનો અણધાર્યો ‘ખેલ’, માવઠાથી ખેડૂતોની મહેનત પર ફરી વળ્યું પાણી! જુઓ Video

થલાપતિ વિજયની ટોપ 5 બ્લોકબસ્ટર ફિલ્મો, બોક્સ ઓફિસ પર કર્યો કમાણીનો વરસાદ

આ પણ વાંચો, MI vs LSG Playoff Scenarios : રોહિત-રિકલ્ટનની ધમાકેદાર ઇનિંગ્સથી મુંબઈની પ્લેઓફની આશા જીવંત!

5 સ્ટાર AC કે ઈન્વર્ટર AC ! વીજળીનું બિલ કોણ વધારે બચાવશે? જાણો, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

મમતા બેનર્જીને હરાવી ઈતિહાસ રચનાર, સુવેન્દુ અધિકારીનો પરિવાર જુઓ વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Breaking News : ભારતીય ક્રિકેટમાં ‘ગર્લફ્રેન્ડ કલ્ચર’! BCCI ના નવા નિયમની હાર્દિક પંડ્યા સહિત આ ખેલાડીઓ પર અસર પડશે

BCCIએ ભારતીય ક્રિકેટમાં ફેલાયેલા ગર્લફ્રેન્ડ કલ્ચરને લઈ મોર્ચો ખોલવાનું મન બનાવી લીધું છે. ભારતીય ક્રિકેટ એન્ડ કંટ્રોલ બોર્ડ હવે ગર્લફ્રેન્ડ કલ્ચરને લઈ કડક નિયમો બનાવવા જઈ રહ્યું છે. જેથી તેમાં સામેલ ખેલાડીઓને તેના ખરાબ પરિણામોથી બચાવી શકાય. આઈપીએલ 2026 દરમિયાન અનેક ખેલાડીઓ પોતાની ગર્લફ્રેન્ડ સાથે ફરતા જોવા મળ્યા હતા. પછી હાર્દિક પંડ્યા હોય કે અર્શદિપ સિંહ, ઈશાન કિશન કે યશસ્વી જયસ્વાલ હોય. કેટલાક અન્ય ખેલાડીઓ પણ છે. જે આઈપીએલ 2026માં પોતાની ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યા છે. બીસીસીઆઈની ચિંતા તેમની ગર્લફ્રેન્ડને લઈ વધી છે. જે સ્ટેડિયમ અને ટીમમાં બસથી લઈ ટીમ હોટલ સુધી સાથે રહે છે.

ગર્લફ્રેન્ડ કલ્ચર સાથે જોડાયેલા નિયમો કડક થશે

એક રિપોર્ટ મુજબ આ ગર્લફ્રેન્ડ કલ્ચરની સાથે જોડાયેલા નિયમો કડક બનાવવાની તૈયારીમાં છે. બીસીસીઆઈના એક મોટા અધિકારીએ રિપોર્ટમાં કહ્યું કે, ખેલાડીઓની ગર્લફ્રેન્ડને લઈ નિયમ બનાવવા પર ચર્ચા કરી રહ્યા છે. બીસીસીઆઈની આગામી બેઠકમાં આ વિશે વાત થશે. બીસીસીઆઈના સીનિયર અધિકારીએ કહ્યું કે, પરિવાર અને પત્નીના ખેલાડીઓ સાથે હોટલની રુમમાં રોકાવવું કોઈ સમસ્યા નથી પરંતુ ગર્લફ્રેન્ડનો મામલે થોડો ગંભીર થવાની જરુર છે.

BCCI નવા નિયમો લાવવા કેમ ઉત્સુક છે?

આઈપીએલ રમી રહેલા ખેલાડીઓની નવી ગર્લફ્રેન્ડમાં કેટલીક એવી પણ છે. જે પહેલા બેટિંગ એપ સટ્ટાબાજીને પ્રમોટ કરનારી વેબસાઈટ સાથે જોડાયેલી રહી છે. હાલમાં આઈપીએલમાં અનેક ખેલાડીઓ પર તેની મહિલા ફ્રેન્ડે કેસ પણ નોંધાયો હતો. તેના કારણે હવે બીસીસીઆઈ વધારે ગંભીર છે અને ગર્લફ્રેન્ડ ક્લ્ચરને નવા અને કઠોર નિયમો લાવવાની તૈયારીમાં છે.

બીસીસીઆઈના અધિકારીએ જણાવ્યું કે,પહેલા આઈપીએલ દરમિયાન ગર્લફ્રેન્ડને ખેલાડીઓની હોટલમાં રોકાવવાની પરવાનગી હતી પરંતુ હવે આવું નથી. હવે ગર્લફ્રેન્ડનું ટીમ હોટલમાં રોકાવવું ટ્રેન્ડ બની ગયું છે.

આ કારણે બીસીસીઆઈ એક્શનમાં

રિપોર્ટમાં બીસીસીઆઈ અધિકારીએ આગળ કહ્યું કે, તેમણે આઈપીએલની એક એન્ટી કરપ્શન યુનિટના અધિકારી સાથે ગર્લફ્રેન્ડને ટીમ હોટલમાં લઈ જવા વિશે વાત કરી હતી. આના પર તેમણે જે કહ્યું તે ચોંકાવનારું છે. બીસીસીઆઈ અધિકારીના મુજબ એન્ટી કરપ્શન યુનિટના અધિકારીએ તેને પુછ્યુંકે, તેમણે પત્ની અને ઓફિશિયલી અનાઉન્સ ગર્લફ્રેન્ડને સાથે રોકાવવાની પરવાનગી આપવાનું કહ્યું છે.આના પર બીસીસીઆના અધિકારીએ પૂછ્યું, “સત્તાવાર રીતે જાહેર કરાયેલ ગર્લફ્રેન્ડ નિયમ ક્યાંથી આવ્યો?” એન્ટી કરપ્શનના યૂનિટ અધિકારીએ જવાબ આપ્યો, “સાહેબ, અમે આ રીતે કરીએ છીએ.”

 

એક નવો નિયમ રજૂ કરવામાં આવશે,પંડ્યા સહિત આ ખેલાડીઓને અસર થશે

સ્પષ્ટ છે કે, આ જાણ્યા બાદ હવે ગર્લફ્રેન્ડની સાથે રોકાવવાથી લઈ બીસીસીઆઈ જલ્દી નવો અને કડક નિયમ લાવશે. કારણ કે, બીસીસીઆઈને આ વાતનો ડર છે કે, કોઈ મોટી બબાલ ન થાય. મામલાની ગંભીરતાને જોઈ ગર્લફ્રેન્ડ કલ્ચર સાથે જોડાયેલા નવા નિયમો આઈપીએલની આગામી સીઝનમાં લાગુ થઈ શકે છે. જો આવું થયું તો આ સીઝનમાં પોતાની ગર્લફ્રેન્ડની સાથે ફરી રહેલા તમામ ખેલાડીઓ જેમાં હાર્દિક પંડ્યા, ઈશાન કિશન, અર્શદીપ સિંહ, યશસ્વી જ્યસ્વાલ જેવા નામ છે. આગામી સિઝનમાં તેને આવી સ્વતંત્રતા નહીં મળે.

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Breaking News : રજનીકાંત અને કમલ હસન જે ના કરી શક્યા તે સુપરસ્ટાર ‘વિજયે’ કરી બતાવ્યું ! વલણોમાં સ્ટાલિનને પછાડી નંબર 1 બની અભિનેતાની પાર્ટી, આ વાંચવા અહીં ક્લિક કરો 

 

Breaking News : ધોરણ 12 સાયન્સનું પરીક્ષાનું ગત વર્ષ કરતા વધ્યું,  84.33 ટકા પરિણામ જાહેર

ધોરણ 12 સાયન્સનું 84.33 ટકા પરિણામ આવ્યું છે. સામાન્ય પ્રવાહનું 92.71 ટકા પરિણામ આવ્યું છે.સામાન્ય પ્રવાહમાં ગત વર્ષ કરતા 1 ટકા પરિણામ ઓછું આવ્યું છે. સાયન્સમાં ગત વર્ષ કરતા 0.82 ટકા પરિણામ વધ્યું છે.209 શાળાનોનું 100 ટકા પરિણામ આવ્યું છે.કુંભારીયા કેન્દ્રનું સૌથી વધુ 98.62 ટકા પરિણામ તેમજ દાહોદ કેન્દ્રનું સૌથી ઓછું 42.98 ટકા પરિણામ છે.સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો મોરબી, 94.85 ટકા પરિણામ સૌથી ઓછું 57.44 ટકા પરિણામ દાહોદ જિલ્લાનું છે.A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 1576 છે. તો અમદાવાદ શહેરનું સાયન્સનું 82.86 પરિણામ આવ્યું છે.

ધોરણ 12 સાયન્સ સૌથી વધારે અને સૌથી ઓછું પરિણામ ક્યાં આવ્યું , જાણો

  • સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર – કુંભારીયા 98.62 ટકા
  • સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર – લીમડી દાહોદ – 42.98 ટકા
  • સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો – 94.85 ટકા મોરબી
  • સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો – 57.44 ટકા દાહોદ

 

209 સ્કૂલો 100 ટકા પરિણામ મેળવ્યું

વિધાર્થીઓ Gseb.org પર પરિણામ જોઈ શકશે, તેમજ 6357300971 વોટ્સ એપ થકી પણ પરિણામ જાણી શકાશે.ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહ નું પરિણામ 83.51 % જાહેર કરાયું હતું.સાયન્સ પ્રવાહમાં 1.32 લાખ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી.

શિક્ષણ એટલે જ્ઞાન, સંસ્કાર, આચરણ, વિદ્યા વગેરેને મેળવવાની પ્રક્રિયાને શિક્ષણથી ઓળખવામાં આવે છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

Breaking News: ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર, વિદ્યાર્થિનીઓએ ફરી મારી બાજી

રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહ (General Stream)નું પરિણામ જાહેર થયું છે, જેમાં કુલ પરિણામ 90.10 ટકા નોંધાયું છે. આ વર્ષે વિદ્યાર્થિનીઓએ ફરી એકવાર ઉત્તમ પ્રદર્શન કરતા 95.41 ટકા પરિણામ મેળવ્યું છે, જ્યારે વિદ્યાર્થીઓનું પરિણામ 90.10 ટકા રહ્યું છે. આ રીતે વિદ્યાર્થિનીઓનું પરિણામ વિદ્યાર્થીઓ કરતાં 5.31 ટકા વધુ નોંધાયું છે.

સૌથી વધુ પરિણામ અને સૌથી ઓછું પરિણામ?

પરિણામ મુજબ, સૌથી વધુ પરિણામ ધરાવતાં કેન્દ્રોમાં તડાવ, કોટડા, કાંગવાઇ અને પ્રશ્નાવાડા કેન્દ્રોએ 100 ટકા પરિણામ મેળવી શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. બીજી તરફ, સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર કારઠ રહ્યું છે, જ્યાં 64.88 ટકા પરિણામ નોંધાયું છે.

કયો જિલ્લો આગળ

જિલ્લાવાર પરિણામની વાત કરીએ તો આહવા ડાંગ જિલ્લો 97.88 ટકા સાથે પ્રથમ સ્થાને રહ્યો છે, જ્યારે અમદાવાદ શહેર જિલ્લો 87.10 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો બન્યો છે.

રાજ્યભરમાં કુલ 2030 સ્કૂલોએ 100 ટકા પરિણામ મેળવી ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી છે, જે શિક્ષણક્ષેત્રમાં સકારાત્મક સંકેત આપે છે. આ પરિણામો દર્શાવે છે કે વિદ્યાર્થીઓ સાથે-સાથે વિદ્યાર્થિનીઓ પણ સતત પ્રગતિ કરી રહી છે, જેમાં વિદ્યાર્થિનીઓએ ફરી આગળ રહી પોતાની ક્ષમતા સાબિત કરી છે.

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Breaking News : બંગાળમાં જીતની ઉજવણી પર લાગ્યો બ્રેક, રેલીઓ અને સરઘસ પર પ્રતિબંધ

પશ્ચિમ બંગાળમાં સોમવાર એટલે કે, આજે મતગણતરી શરૂ થતાં ચૂંટણી પંચે કડક સૂચનાઓ જાહેર કરી છે. મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) કાર્યાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, રાજ્યમાં ક્યાંય પણ જીતની ઉજવણી માટે રેલીઓની મંજૂરી આપવામાં આવશે નહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે.પત્રકારો સાથે વાત કરતા, ચૂંટણી પંચના ખાસ નિરીક્ષક સુબ્રત ગુપ્તાએ જણાવ્યું હતું કે, આજે પરિણામો જાહેર થયા પછી કોઈપણ ઉમેદવારની જીતની ઉજવણી કરવા માટે કોઈ સરઘસ કે રેલી કાઢવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તેમણે સ્પષ્ટતા કરી કે ,કાયદો અને વ્યવસ્થા જાળવવા અને કોઈપણ સંભવિત તણાવને રોકવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

એજન્ટોની ફરિયાદો અંગે તેમણે શું કહ્યું?

વિવિધ રાજકીય પક્ષોના એજન્ટો સમયસર મતગણતરી કેન્દ્રો પર પહોંચી શકતા ન હોવાની ફરિયાદો પણ સામે આવી છે. આના જવાબમાં ગુપ્તાએ કહ્યું કે કમિશન આ ફરિયાદોને ગંભીરતાથી લઈ રહ્યું છે. તેમણે ઉમેર્યું કે એજન્ટો કેન્દ્રો પર પહોંચી શકતા ન હોવાના મુદ્દાની તપાસ કરવામાં આવી રહી છે અને ટૂંક સમયમાં તેનો ઉકેલ લાવવામાં આવશે.

 

તમને જણાવી દઈએ કે, પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2026 દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે ચૂંટણી પંચે કડક પગલાં લીધાં છે. 4 મે, 2026ના રોજ મત ગણતરીના દિવસે જીતની ઉજવણી, રેલીઓ અને સરઘસો પર સખત પ્રતિબંધ છે.તાજેતરના અહેવાલો અને વહીવટી આદેશો અનુસાર, કાયદો અને વ્યવસ્થા, સુરક્ષા અને ચૂંટણી આચારસંહિતાને ધ્યાનમાં રાખીને રેલીઓ અને સરઘસો પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

બંગાળમાં ભાજપ નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. શરૂઆતના વલણો દર્શાવે છે કે મમતા બેનર્જી ભવાનીપુરમાં પાછળ છે, જ્યારે સુવેન્દુ અધિકારી આગળ છે.

પશ્ચિમ બંગાળ એ નેપાળ, ભૂતાન અને બાંગ્લાદેશની સરહદને અડીને આવેલું રાજ્ય છે. પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા છે. વધુ સમાચાર માટે અહી ક્લિક કરો

 

GSEB HSC 12th Result 2026: ગુજરાત બોર્ડ ધોરણ 12નું પરિણામ થયું જાહેર, ડાયરેક્ટ લિંકથી કરો ચેક, સાયન્સમાં મોરબી જિલ્લાનો ડંકો

ગુજરાત બોર્ડના HSC પરિણામો અંગે મોટા સમાચાર છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) 4 મેના રોજ સવારે 10:00 વાગ્યે HSC, એટલે કે ધોરણ 12, નું પરિણામ જાહેર થઈ ગયું છે.

છેલ્લા 5 વર્ષની ટકાવારી

ગુજરાત બોર્ડની SSC પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ, 2026 દરમિયાન યોજાઈ હતી. પરીક્ષા માટે 87 ઝોનમાં 1,006 કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. પરીક્ષા માટે 500,000 થી વધુ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી હતી અને કુલ 4.400,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

છેલ્લા પાંચ વર્ષમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની ટકાવારીમાં 2024 માં સામાન્ય પ્રવાહમાં 92%, 2023 માં 92.44% અને 2022 માં 86.91% નો સમાવેશ થાય છે. એવી અપેક્ષા છે કે આ વર્ષે પરિણામ ગયા વર્ષ કરતા વધુ સારું રહેશે.

1,11,270 નિયમિત વિદ્યાર્થીઓ

સાયન્સ 2026 ની પરીક્ષા માટે 156 કેમ્પસમાં કુલ 1,18,973 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી. તેમાંથી 1,18,256 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમાંથી 1,11,270 નિયમિત વિદ્યાર્થીઓ હતા, જેમાંથી 1,11,090 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. તેમાંથી 93,678 વિદ્યાર્થીઓ “ક્વોલિફાઈડ” હતા.

સાયન્સ સ્ટ્રીમમાં 0.82 ટકાનો વધારો

ગુજરાતમાં ધોરણ 12 બોર્ડનું પરિણામ જાહેર થયું છે, જેમાં સાયન્સ સ્ટ્રીમનું કુલ પરિણામ 84.33 ટકા નોંધાયું છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 92.71 ટકા પરિણામ આવ્યું છે. ગત વર્ષની સરખામણીમાં સાયન્સ સ્ટ્રીમમાં 0.82 ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે સામાન્ય પ્રવાહમાં 1 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

મોરબી જીલ્લો ટોપ પર રહ્યો

સાયન્સ સ્ટ્રીમમાં 209 શાળાઓએ 100 ટકા પરિણામ હાંસલ કર્યું છે. કેન્દ્ર મુજબ કુંભારીયાએ સૌથી વધુ 98.62 ટકા પરિણામ નોંધાવ્યું છે, જ્યારે દાહોદનું પરિણામ સૌથી ઓછું 42.98 ટકા રહ્યું છે. જિલ્લાવાર જોવામાં આવે તો મોરબી જિલ્લો 94.85 ટકા સાથે ટોચ પર રહ્યો છે, જ્યારે દાહોદ જિલ્લો 57.44 ટકા સાથે સૌથી પાછળ રહ્યો છે.

સામાન્ય પ્રવાહમાં 2030 શાળાઓએ 100 ટકા પરિણામ મેળવ્યું છે. આહવા ડાંગ જિલ્લો 97.88 ટકા સાથે પ્રથમ સ્થાને રહ્યો છે, જ્યારે અમદાવાદ શહેર 87.10 ટકા સાથે સૌથી ઓછું પરિણામ ધરાવે છે. વિદ્યાર્થીઓની સરખામણીમાં વિદ્યાર્થીનીઓનું પરિણામ વધુ સારું રહ્યું છે. વિદ્યાર્થીઓનું પરિણામ 90.10 ટકા જ્યારે વિદ્યાર્થીનીઓનું 95.41 ટકા નોંધાયું છે, એટલે કે વિદ્યાર્થીનીઓ 5.31 ટકા આગળ રહી છે.

તમારુ રિઝલ્ટ કેવી રીતે તપાસવું?

  • સૌપ્રથમ, GSEB ની ઓફિશિયલ વેબસાઇટ, gseb.org ની મુલાકાત લો.
  • ત્યારબાદ, હોમપેજ પર ઉપલબ્ધ HSC માટે ‘GSEB પરિણામ 2026’ લિંક પર ક્લિક કરો.
  • એક નવું પેજ ખુલશે, જ્યાં વિદ્યાર્થીઓએ HSC લિંક પર ક્લિક કરવાની જરૂર પડશે.
  • તમારી લોગિન વિગતો દાખલ કરો અને સબમિટ કરો પર ક્લિક કરો.
  • ત્યારે વિદ્યાર્થીઓ સ્ક્રીન પર તેમના પરિણામો જોઈ શકે છે.
  • તમારા પરિણામો તપાસો અને તમારી માર્કશીટ ડાઉનલોડ કરો.
  • ભવિષ્યના ઉપયોગ માટે માર્કશીટની હાર્ડ કોપી રાખો.
  • રિઝલ્ટ ચેક કરવા માટે આ લિન્ક પર ક્લિક કરો. gseb.org

Breaking News: ગુજરાત બોર્ડ 12મા ધોરણનું પરિણામ આવતી કાલે થશે જાહેર, વિદ્યાર્થીઓ પોતાના એડમિટ કાર્ડ રાખો તૈયાર

Breaking News : ભારતમાં સ્માર્ટફોન થયા મોંઘા ! Xiaomiથી લઈને OnePlus સુધી મોબાઈલની કિંમતો વધી ગઈ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News : મુંબઈ અને ચેન્નાઈ સુપર કિંગ્સની LIVE મેચમાં ખેલાડીની ઘડિયાળ તુટી, 2.13 કરોડ રુપિયાનું નુકસાન થયું

ચેન્નાઈ સુપર કિંગ્સ વિરુદ્ધ મુંબઈ ઈન્ડિયન્સની 8 વિકેટથી હાર થઈ છે. પરંતુ તેની આ હાર દરમિયાન બેટ્સમેન તિલક વર્માને મોટું નુકસાન થયું છે. મેચ દરમિયાન તિલક વર્માની કરોડો રુપિયાની ઘડિયાળ તુટી ગઈ છે. સીએસકેના ખેલાડી જેમી ઓવર્ટનના કારણે તેની ઘડિયાળ તુટી છે. ઓવર્ટનનો તિલક વર્માની ઘડિયાળ તોડવાનો કોઈ ઈરાદો ન હતો. તેમણે આ જાણી જોઈને કર્યું નથી. આ બધું એક મેચ સાથે જોડાયેલી ઘટનામાં થયું છે.તિલક વર્માની જે ઘડિયાળ મેચ દરમિયાન તુટી તેની અંદાજે કિંમત 2.13 કરોડ રુપિયા બતાવવામાં આવી રહી છે.

ઓવર્ટને ક્યારે અને કેવી રીતે તોડી તિલક વર્માની ઘડિયાળ?

હવે આ સવાલ છે કે, સીએસકેના ઓલરાઉન્ડર જેમી ઓવર્ટને તિલક વર્માની કરોડો રુપિયાની ઘડિયાળ ક્યારે અને કેવી રીતે તોડી? મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગ દરમિયાન મુંબઈની 12મી ઓવર ચાલું હતુ. જે ઓવર્ટન નાંખી રહ્યો હતો. ઓવર્ટને આ ઓવરના છેલ્લા બોલ પર તિલક વર્માને કોઈ રન તો બનાવવા ન દીધો પરંતુ તેની કરોડો રુપિયાનું નુકસાન જરુર કર્યું છે. બોલ લાગવાથી તેની 2.13 કરોડ રુપિયાની ઘડિયાળ તુટી નીચે પડી હતી. જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.વીડિયોમાં તમે જોઈ શકો છો કે, ઘડિયાળ તુટી જમીન પર પડે છે. ત્યારબાદ તિલક વર્મા ઘડિયાળ લે છે અને ડ્રેસિંગ રુમ તરફ ઈશારો કરે છે.

 

 

તિલક વર્મા અને ઓવર્ટનનું મેચમાં પ્રદર્શન

મુંબઈ ઈન્ડિયન્સે સીએસકે વિરુદ્ધ પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 7 વિકેટ પર 159 રન બનાવ્યા હતા. જેમાં તિલક વર્માએ 8 બોલમાં માત્ર 5 રન બનાવ્યા હતા. તેની વિકેટ નુર અહમદે લીધી હતી.

તિલક વર્માની ઘડિયાળ તોડનાર સીએસકેનો બોલર જેમી ઓવર્ટનના પરફોર્મન્સની જો આપણે વાત કરીએ તો. તેમણે 4 ઓવરમાં 23 રન આપી 1 વિકેટ લીધી હતી. ઓવર્ટને માત્ર નમન ધીરની વિકેટ લીધી હતી.

સીએસકે મુંબઈને 8 વિકેટથી હરાવ્યું

ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને મળેલા 160 રનના ટાર્ગેટનો પીછો 11 રન પહેલા કર્યો હતો. તેનો આ ટાર્ગેટ 18.1 ઓવરમાં 2 વિકેટ ગુમાવી મેળવ્યો હતો. સીએસકે 8 વિકેટથી મેચ જીતી હતી.

 

 

IPL એ વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ છે. આ લીગને બીસીસીઆઈનો માસ્ટર સ્ટ્રોક માનવામાં આવે છે. અહી ક્લિક કરો

Khatron Ke Khiladi 15: રોહિત શેટ્ટીના ‘ખતરોં કે ખિલાડી’માં જોવા મળશે આ 15 ધૂરંધર ખેલાડી ! જુઓ લિસ્ટ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Nashik TCS : નાસિકના ધર્માંતરણ કેસમાં આરોપી નિદા ખાનને મોટો ઝટકો, કોર્ટે ફગાવી આગોતરા જામીન અરજી

નાસિકના બહુચર્ચિત TCS કેસમાં નાસિક રોડ કોર્ટે આરોપી નિદા ખાનની આગોતરા જામીન અરજી ફગાવી દીધી છે. કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય આપ્યો છે. સરકારી પક્ષે આરોપ લગાવ્યો હતો કે પીડિતાને ધાર્મિક વિધિઓ માટે પ્રભાવિત કરવામાં આવી હતી. તેનું નામ બદલવામાં આવ્યું હતું અને તેના દસ્તાવેજો આરોપી પાસે હતા.

આરોપી નિદા ખાનની આગોતરા જામીન અરજી ફગાવી દેવી આ કેસની તપાસ માટે મહત્વપૂર્ણ હોવાનું કહેવાય છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે પોતાનો નિર્ણય અનામત રાખ્યો હતો. આ કેસમાં સરકારી પક્ષ વતી વકીલ અજય મિસર કોર્ટમાં હાજર રહ્યા હતા. જ્યારે આરોપી વતી વકીલ રાહુલ કાસલીવાલે દલીલો કરી હતી. 29 એપ્રિલના રોજ બંધ રૂમમાં અરજીની સુનાવણી થઈ હતી. તે સમયે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું પ્રતિનિધિત્વ કરતા આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ સંદીપ મિટકેએ જામીનનો વિરોધ કર્યો હતો.

હિજાબ કેવી રીતે પહેરવું તે શીખવાડ્યું

સરકારી પક્ષે દાવો કર્યો કે આરોપીએ પીડિતાને ધાર્મિક રીતિ રિવાજો માટે પ્રભાવિત કરી હતી. તેને હિજાબ પહેરતા શીખવાડ્યું હતું. પીડિતના ફોનમાં ધાર્મિક પરંપરાઓ સંબંધિત માહિતી મૂકવામાં આવી હતી. પીડિતને ધાર્મિક સામગ્રી પણ મોકલવામાં આવી હતી. આ કેસમાં મલેશિયા સાથે સંભવિત કડીની પણ તપાસ હાત ધરવામાં આવી રહી છે.

પીડિતનું નામ બદલાયું હતું

પીડિતના વકીલે કોર્ટમાં જણાવ્યું હતું કે પીડિતાનું નામ બદલવામાં આવ્યું હતું અને જરૂરી દસ્તાવેજો આરોપી દાનિશ પાસે હતા. એવો પણ આરોપ મૂકવામાં આવ્યો છે કે નોકરી અને પ્રમોશનના બહાને વધુ કાવતરું ઘડવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કેટલાક પુસ્તકો અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી હતી. જે ​​પંચનામા હેઠળ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી.

ડિજિટલ પુરાવા પણ સામેલ

પીડિતાનું નિવેદન, ફોન સંદેશાઓ, ડિજિટલ પુરાવા અને પરિવારના સભ્યોના નિવેદનોનો તપાસમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સરકારી પક્ષે એમ પણ કહ્યું હતું કે આરોપી પર પીડિતાને પ્રભાવિત કરવા માટે ડરાવવા અને ધમકાવવાનો પ્રયાસ કરવાનો આરોપ છે અને તપાસ ચાલી રહી છે. કોર્ટના આ નિર્ણય પછી તપાસ એજન્સીઓને હવે આગળની કાર્યવાહી કરવાની સ્વતંત્રતા મળી ગઈ છે. આગોતરા જામીન અરજી ફગાવી દેવાથી આરોપી પક્ષને મોટો ઝટકો લાગ્યો છે.

8 આરોપીઓ જેલમાં મોકલાયા

કોર્ટના આદેશની પ્રમાણિત નકલ મળતાં જ હાઇકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવશે અને આગળની કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવશે. TCS ધર્માંતરણ કેસમાં હવે 9 FIR નોંધવામાં આવી છે. 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછ બાદ બધાને જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. એક FIRમાં નિદા ખાન અને અન્ય ઘણા લોકોના નામ આપવામાં આવ્યા છે.

નિદા ખાનની આગોતરા જામીન અરજી ફગાવી

એપ્રિલના છેલ્લા અઠવાડિયામાં નિદા ખાને નાસિક રોડ કોર્ટમાં ગર્ભાવસ્થાનો ઉલ્લેખ કરીને આગોતરા જામીન અરજી દાખલ કરી હતી. શનિવારે કેસમાં સરકારની દલીલો સાંભળ્યા પછી કોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો હતો. અન્ય ધરપકડ કરાયેલા આરોપીઓને મદદ કરવાના આરોપોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: ખાનગી ક્લિનિકો પર સરકારની લાલ આંખ: ડોક્ટરની ફી થી લઈને ડિગ્રી સુધીની વિગતો હવે ડિસ્પ્લે કરવી પડશે, જાણો નવો ડ્રાફ્ટ શું છે?

Vitamin D : એકવાર વિટામિન ડીનું સ્તર ઓછું થઈ જાય, તો શું દરરોજ સૂર્યપ્રકાશમાં રહેવાથી તે વધી શકે છે?

વિટામિન ડી (Vitamin D) શરીર માટે એક મહત્વપૂર્ણ પોષક તત્વો છે, જે મજબૂત હાડકાં જાળવવા અને રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આજકાલ, જીવનશૈલીમાં પરિવર્તન, ઘરની અંદર વધુ સમય વિતાવવા અને સૂર્યપ્રકાશ ટાળવાને કારણે, ઘણા લોકો વિટામિન ડીની ઉણપ અનુભવી રહ્યા છે. ખરાબ આહાર, અપૂરતું પોષણ અને વિટામિન ડી શોષણ સંબંધિત સમસ્યાઓ પણ વિટામિન ડીની ઉણપ માટે જવાબદાર હોઈ શકે છે.

લોકો ઘણીવાર આ ઉણપને હળવાશથી લે છે, પરંતુ સમય જતાં, તે શરીર પર અસર કરી શકે છે. થાક, નબળાઇ અને હાડકામાં દુખાવો જેવી સમસ્યાઓ ધીમે ધીમે વધી શકે છે. આવી પરિસ્થિતિઓમાં, લોકો ઘણીવાર સરળ ઉકેલો શોધે છે.

સૂર્યસ્નાન કરવું ઘણીવાર એક સામાન્ય વિકલ્પ માનવામાં આવે છે. જો કે, એ સમજવું મહત્વપૂર્ણ છે કે દરેક વ્યક્તિની જરૂરિયાતો અને શારીરિક સ્થિતિ અલગ હોય છે. તેથી યોગ્ય માહિતી વિના એક જ ઉપાય પર આધાર રાખવો યોગ્ય નથી. આ વિષયને યોગ્ય રીતે સમજવો મહત્વપૂર્ણ છે જેથી સમયસર યોગ્ય પગલાં લઈ શકાય.

શું ફક્ત સૂર્યપ્રકાશ જ વિટામિન ડી પ્રદાન કરી શકે છે?

લેડી હાર્ડિંજ હોસ્પિટલના મેડિસિન વિભાગના ડિરેક્ટર ડૉ. એલ.એચ. ઘોટકર સમજાવે છે કે સૂર્યપ્રકાશને વિટામિન ડીનો મુખ્ય સ્ત્રોત માનવામાં આવે છે, પરંતુ તે દરેક પરિસ્થિતિમાં પૂરતો નથી. કેટલીકવાર, નિયમિત સૂર્યપ્રકાશ હોવા છતાં લોકો હજુ પણ ઉણપથી પીડાય છે. આ વિટામિન ડીનું અપૂરતું શોષણ, ત્વચાનો પ્રકાર, ઉંમર અથવા સૂર્યમાં વિતાવેલો સમય જેવા પરિબળોને કારણે હોઈ શકે છે.

વધુમાં લાંબા સમય સુધી ઘરની અંદર રહેવાથી અથવા યોગ્ય સમયે સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવવાથી તેના સંપૂર્ણ ફાયદાઓ ગુમાવી શકાય છે. સનસ્ક્રીનનો વધુ પડતો ઉપયોગ, પ્રદૂષણ અને હવામાન પણ તેની અસરકારકતાને અસર કરી શકે છે. તેથી, ફક્ત સૂર્યપ્રકાશ પર આધાર રાખવો એ દરેક માટે પૂરતું નથી અને અન્ય પગલાં ધ્યાનમાં લેવાની જરૂર છે.

વિટામિન ડી વધારવા માટે શું કરવું?

વિટામિન ડી વધારવા માટે સંતુલિત આહાર લેવો જરૂરી છે. તમારા આહારમાં દૂધ, દહીં, ઈંડા, માછલી અને ફોર્ટિફાઇડ ખોરાકનો સમાવેશ કરો. વધુમાં તમારા ડૉક્ટરની સલાહ મુજબ પૂરક લેવાથી પણ મદદ મળી શકે છે.

નિયમિત હળવી કસરત અને સક્રિય જીવનશૈલી પણ સ્વસ્થ શરીર જાળવવામાં ફાળો આપે છે. ઉણપનું ચોક્કસ મૂલ્યાંકન કરવા માટે સમયાંતરે પરીક્ષણ પણ જરૂરી છે.

આ પણ મહત્વપૂર્ણ છે

વિટામિન ડીની ઉણપને અવગણવી જોઈએ નહીં, કારણ કે તે હાડકાં અને સ્નાયુઓને નબળા બનાવી શકે છે. કોઈપણ પગલાં લેતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે. વધુમાં, તમારી દિનચર્યામાં નાના ફેરફારો, જેમ કે સંતુલિત આહાર અને નિયમિત તપાસ, લાંબા ગાળે સારું સ્વાસ્થ્ય જાળવવામાં મદદ કરી શકે છે.

Fatty Liver : લીવરમાં ફેટ જમા થવા પહેલા શરીર કેવા સંકેત આપે છે? જાણો

Breaking News: હાઈટેન્શન થાંભલા પર યુવક ચઢતા ખોરવાઈ રેલવે સેવા, જુઓ Video

હાઈટેન્શન લાઈનમાં ઇલેક્ટ્રિક કરંટ હોય છે. થાંભલા પર ચડવાથી કે નજીક જવાથી કરંટ લાગવાની કે મોત થવાની પૂરી શક્યતા હોય છે. જો કે આ વાતને ઘણા લોકો ગંભીરતાથી લેતા નથી, આવી જ એક ઘટના મુંબઈથી સામે આવી છે. જ્યાં એક યુવક રેલવે હાઈટેન્શન લાઈનના થાંભલે ચડ્યો હતો.

રેલવેનું સંચાલન થયું બંદ

રિપોર્ટ મુજબ, લગભગ અડધો કલાક સુધી યુવક થાંભલે બેસેલો રહ્યો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ઈલેક્ટ્રિક સપ્લાય પણ બંધ કરવામાં આવ્યો. ત્યારબાદ યુવકને સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યો. આ ઘટનાના કારણે હાર્બર લાઈન પર રેલવે સેવા સંપૂર્ણ રીતે ખોરવાઈ ગઈ હતી. રેલવેનું સંચાલન બંદ થયું હતું જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

વારંવાર બનતી ઘટનાથી રેલવે તંત્ર ચિંતિત

આ પહેલાં પણ મુંબઈના કલ્યાણ વિસ્તારમાં આવી જ ઘટના બની હતી. જેમાં એક યુવક હાઈટેન્શન લાઈનના થાંભલે ચડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તે સમયે લગભગ બે કલાક સુધી રેલવે સેવા ખોરવાઈ હતી. વારંવાર આવી ઘટનાઓ બનતા રેલવે તંત્રની ચિંતા વધી રહી છે. અધિકારીઓ દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આવી જોખમી હરકતો કરવાથી દૂર રહે.

આ પણ વાંચો: Breaking News: મરાઠી આવડશે તો જ રિક્ષા દોડશે ! મહારાષ્ટ્રમાં પરમિટ મુદ્દે નવો વળાંક : 4 મેના રોજ રસ્તાઓ પર જંગ-એ-એલાન

Breaking News: 1 રૂપિયામાં બાળપણની યાદો તાજા કરાવતી આ વસ્તુ ‘ચુસ્કી’ છે કે ઝેર? વાયરલ વીડિયો જોઈ તમે પણ ચોંકી જશો

ગરમીનો માહોલ શરૂ થાય એટલે રસ્તા પર મળતી રંગીન ચુસ્કી ઘણીવાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. ખાસ કરીને ‘1 રૂપિયાની પેપ્સી’ તરીકે ઓળખાતી આ બરફવાળી મીઠી વસ્તુ ઘણા લોકોના બાળપણની યાદો સાથે જોડાયેલી છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ આ મીઠી લાગતી ચીજ અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

આ ચુસ્કી બીમારીને આમંત્રણ આપે છે

આ વીડિયોમાં ચુસ્કી બનાવવાની પ્રક્રિયા દર્શાવવામાં આવી છે, જેને જોઈને ઘણા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. તેમાં દેખાય છે કે પાણી અને રંગોનું મિશ્રણ એવી જગ્યાએ તૈયાર કરવામાં આવે છે જ્યાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવામાં આવતું નથી. ઉપયોગમાં લેવાતા વાસણો અને આસપાસનું વાતાવરણ પણ એકદમ ગંદકીથી ભરપૂર છે જે તમને ચોંકાવી દેશે.

 

View this post on Instagram

 

A post shared by Arvind Rawat (@_mp35_yatra_vlogs_)

ગુણવત્તા પર ઉઠયા સવાલો

ખાસ કરીને ચોંકાવનારી બાબત એ છે કે ચુસ્કીને આકર્ષક બનાવવા માટે વપરાતા રંગો અને ફ્લેવર વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવતી નથી. કેટલાક દૃશ્યોમાં એવું પણ લાગતું હોય છે કે આમાં ગુણવત્તાહીન અથવા સસ્તા કેમિકલનો ઉપયોગ થતો હોઈ શકે છે.

આ વીડિયો સામે આવ્યા પછી લોકોમાં ચર્ચા તેજ બની ગઈ છે. ઘણા યુઝર્સે પોતાની પ્રતિક્રિયામાં લખ્યું કે તેઓ હવે આવી વસ્તુઓ ખરીદતા પહેલા વધુ સાવચેત રહેશે. બીજી તરફ કેટલાક લોકો માટે આ વીડિયો માત્ર જાગૃતિ લાવવાનો પ્રયાસ છે, જે સ્વચ્છ ખોરાક તરફ ધ્યાન દોરે છે.

આ ચૂસકી બની શકે છે ઝેર !

વિશેષજ્ઞોના મતે, અસ્વચ્છ રીતે તૈયાર થયેલ ખાદ્યપદાર્થો ખાવાથી પેટના રોગો, ઈન્ફેક્શન અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ થવાની શક્યતા રહે છે. ખાસ કરીને બાળકો માટે આવી વસ્તુઓ વધુ જોખમી બની શકે છે.

આ સમગ્ર ઘટનાએ એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો છે- ખાવા-પીવાની વસ્તુઓમાં માત્ર સ્વાદ જ નહીં, પરંતુ સ્વચ્છતા અને ગુણવત્તા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.

અંતમાં, ગરમીમાં ઠંડક મેળવવા માટે વિકલ્પો ઘણા છે, પરંતુ આરોગ્યને ધ્યાનમાં રાખીને યોગ્ય પસંદગી કરવી વધુ જરૂરી છે.

Summer Health Tips: ઉનાળામાં નાકમાંથી લોહી આવે તો શું કરવું? કારણ અને બચાવના સરળ ઉપાય

 

ઉનાળામાં ટમેટાં બગડી જાય છે? તો આ ટિપ્સ કરો ફોલો મહિનાઓ સુધી બગડશે નહીં, જુઓ વીડિયો

ટામેટાંનો ઉપયોગ બટાકાની કઢીથી લઈને મટર પનીર, કોબી, રીંગણ વગેરે ઘણી બધી વાનગીઓમાં થાય છે અને ટામેટાંની ચટણી બધાને ખૂબ જ પ્રિય છે. ક્યારેક જો ઘરમાં અચાનક ટામેટાં ખતમ થઈ જાય, તો રોજિંદા કઢી પણ બનાવવી મુશ્કેલ બની જાય છે.

વધુમાં ટામેટાં મોંઘા થઈ જાય છે. તેથી તેમને પોસાય ત્યાં સુધી સંગ્રહિત કરવા મહત્વપૂર્ણ છે. આ આર્ટિકલમાં અમે એક પદ્ધતિ શોધીશું જેના દ્વારા તમે પાપડને ઘણા મહિનાઓ સુધી સંગ્રહિત કરી શકો છો અને જરૂર પડ્યે તેનો ઉપયોગ કરી શકો છો.

ઓછા લોકો ટામેટાંનો સંગ્રહ કરે છે

આપણા દેશમાં આપણે શાકભાજીને સૂકવીને સંગ્રહિત કરીએ છીએ. જેથી તેઓ અન્ય ઋતુઓમાં તેનો આનંદ માણી શકે અથવા અથાણું બનાવી શકીએ, પરંતુ બહુ ઓછા લોકો ટામેટાંનો સંગ્રહ કરે છે. તે રસદાર હોય છે અને તેથી ઝડપથી બગડી જાય છે. તેમને સૂકવવા પણ મુશ્કેલ છે. લોકો સોશિયલ મીડિયા પર ઘણી ટિપ્સ અને ટ્રિક્સ શેર કરે છે જે ઘણીવાર રોજિંદા જીવનમાં ખૂબ ઉપયોગી થાય છે. ટામેટાંને સંગ્રહિત કરવા વિશે આવી જ એક ટ્રિક્સ શેર કરવામાં આવી છે.

ટામેટાં કેવી રીતે સંગ્રહિત કરવા?

સૌપ્રથમ બધા ટામેટાંને સારી રીતે ધોઈ લો અને પછી તેમના 4 ટુકડા કરો.

  • હવે, સમારેલા ટામેટાંને ગ્રાઇન્ડરમાં નાના ભાગોમાં પીસીને પ્યુરી બનાવો.
  • ત્રીજું પગલું એ છે કે તૈયાર કરેલા ટામેટાંની પ્યુરીમાં થોડું મીઠું નાખો.
  • પાપડ બનાવવા માટે આ પ્યુરીને પાતળી થાય તે રીતે તડકામાં પાથરો. હવે ચમચીનો ઉપયોગ કરીને તેના પર પાપડની જેમ ટામેટાની પ્યુરી ફેલાવો.
  • તમારે આ ટામેટાના પાપડને બે થી ત્રણ દિવસ સુધી તેજસ્વી સૂર્યપ્રકાશમાં સૂકવવા પડશે જેથી બધી ભેજ દૂર થઈ જાય.
  • તૈયાર ટામેટાના પાપડ નરમ થઈ જાય છે, પરંતુ સંપૂર્ણપણે સૂકા રહે છે.
  • તમે આ બધા પાપડને કન્ટેનરમાં સંગ્રહિત કરી શકો છો અને ઓછામાં ઓછા બે થી ત્રણ મહિના અથવા તેથી વધુ સમય માટે તેનો ઉપયોગ કરી શકો છો.

ટામેટાંનો ઉપયોગ કેવી રીતે કરવો?

જ્યારે પણ તમને ટામેટાંની જરૂર હોય ત્યારે ટામેટાંની પેસ્ટના થોડા ટુકડા કાઢીને એક બાઉલ પાણીમાં 1 મિનિટ માટે પલાળી રાખો. પછી તેને તમારા હાથથી મેશ કરો. તે પ્યુરી બની જશે. પછી તમે આ ટામેટાંનો ઉપયોગ શાકભાજીની ગ્રેવીમાં કરી શકો છો.

ટામેટાં સંગ્રહિત કરવાની અન્ય રીતો પણ છે

લોકો ઘણીવાર ટામેટાંની પ્યુરી બનાવે છે અને તેને બરફના ટુકડામાં ફ્રીઝ કરે છે, પરંતુ આ પદ્ધતિ ફક્ત થોડા દિવસો માટે જ ચાલે છે. જો તમે ટામેટાંને સીધા કાપીને સૂકવો છો, તો તમારે ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. ટામેટાંને પાતળા ટુકડાઓમાં કાપો જેથી તે ઝડપથી સુકાઈ જાય. ઉપરાંત, ફૂગથી બચવા માટે ટામેટાંને વારંવાર ફેરવો. આ રીતે તમે 3 થી 4 દિવસમાં ટામેટાંને સંપૂર્ણપણે સૂકવી શકો છો. પછી, તેમને પાવડર પીસીને હવાચુસ્ત પાત્રમાં સ્ટોર કરો.

ઘરે કેમિકલ વગર પકવો કાચી કેરી, બસ ફોલો કરવી પડશે આ સરળ ટિપ્સ

‘લવ યુ, ડાર્લિંગ’… સાક્ષી કે દીકરી ઝીવા નહીં, આ વ્યક્તિએ ખુલ્લેઆમ MS Dhoni ને કહ્યું, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

01 મેના મહત્વના સમાચાર : આજે ગુજરાતનો 66મો સ્થાપના દિવસ, CM ભૂપેન્દ્ર પટેલે ગુજરાતીઓને પાઠવી શુભકામના

આજે 01 મેને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને દેશના વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: ગુજરાત ટાઈટન્સે છેલ્લી મેચમાં મળેલી હારનો બદલો લીધો, RCB ને 4 વિકેટથી હરાવ્યું

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ સામે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો કારમો પરાજય થયો. ગુજરાતની જીતમાં અરશદ ખાન, જેસન હોલ્ડર અને શુભમન ગિલે મુખ્ય ભૂમિકા ભજવી હતી. પહેલા બેટિંગ કરતા RCB 20 ઓવર પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયું અને 155 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ત્યારબાદ ગુજરાત ટાઈટન્સે લક્ષ્ય હાંસલ કર્યું. આ સિઝનમાં નવ મેચમાં ગુજરાતનો આ પાંચમો વિજય છે, જ્યારે RCBનો નવ મેચમાં ત્રીજો પરાજય થયો છે.

 

RCBની બેટિંગ નિષ્ફળ ગઈ

ગુજરાત ટાઈટન્સે ટોસ જીતીને RCB ને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું, જે નિર્ણય સમજદારીભર્યો સાબિત થયો. RCB ની શરૂઆત ખરાબ રહી, જેકબ બેથેલને સિરાજે 5 રન પ આઉટ કર્યો. આક્રમક બેટિંગ કરતા વિરાટ કોહલીએ રબાડાની ઓવરમાં સતત પાંચ ચોગ્ગા ફટકાર્યા, પરંતુ રબાડાના બાઉન્સરથી તે 28 રને આઉટ થયો. પડિકલ અને પાટીદારે ભાગીદારી બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ RCB નો કેપ્ટન પાટીદાર 19 રને આઉટ થયો. જીતેશ શર્માએ માત્ર 1 રને હોલ્ડરનો શિકાર બન્યો. ટિમ ડેવિડને રાશિદ ખાન દ્વારા 9 રને આઉટ કરવામાં આવ્યો. પડિકલે ચોક્કસપણે કેટલાક સારા શોટ રમ્યા, રાશિદ ખાનના શાનદાર બોલથી બોલ્ડ થયા પહેલા તેણે 40 રન બનાવ્યા.

 

શુભમન ગિલે ગુજરાતને ઝડપી શરૂઆત અપાવી

ગુજરાતની શરૂઆત ખરાબ રહી, સાઈ સુદર્શનને 6 રનમાં ગુમાવી દીધો, પરંતુ શુભમન ગિલે જોશ હેઝલવુડની પહેલી ઓવરમાં 24 રન ફટકાર્યા. તેણે 18 બોલમાં 3 છગ્ગા અને 4 ચોગ્ગા સાથે 43 રન બનાવ્યા. જોસ બટલરે 19 બોલમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગા સાથે 39 રન બનાવ્યા. અંતે, રાહુલ તેવતિયાએ ગુજરાતને વિજય અપાવ્યો. આ જીત સાથે, ગુજરાતે RCB સામે હારનો બદલો લીધો. RCBએ પોતાના ઘરઆંગણે ગુજરાતને 5 વિકેટથી હરાવ્યું હતું. RCBએ 206 રનના લક્ષ્યનો પીછો કરવા માટે 7 બોલ બાકી રહેતાં મેચ જીતી હતી. પરંતુ હવે ગુજરાતે મેચ જીતી છે.

Breaking News: વિરાટ કોહલીએ 12,000 રન ફટકારી બનાવ્યો એક મહાન રેકોર્ડ, એશિયામાં પહેલીવાર થયો આ કમાલ

Ahmedabad : લારી જપ્ત થતા મહિલાનો AMC કચેરીએ હંગામો, લારી નહીં છોડો તો.. દારૂ વેચવાની આપી ધમકી, જુઓ Video

અમદાવાદના દાણીપીઠ સ્થિત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) કચેરી ખાતે એક મહિલાએ ભારે હંગામો મચાવ્યો હતો. આ ઘટના ત્યારે બની જ્યારે રાયપુરમાં એસ્ટેટ વિભાગ દ્વારા તેની લારી જપ્ત કરવામાં આવી હતી. આ મહિલા તેની ફરિયાદ રજૂ કરવા અને મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે AMC કચેરીએ પહોંચી હતી.

જોકે, કચેરીના સિક્યુરિટી ગાર્ડે તેને મ્યુનિસિપલ કમિશનરને મળવા દેવામાં રોકી દીધી હતી, જેના પગલે મહિલા રોષે ભરાઈ હતી. તેણે સ્પષ્ટ ધમકી આપી હતી કે જો તંત્ર તેની જપ્ત કરાયેલી લારી પાછી નહીં આપે, તો તે દારૂનો ધંધો શરૂ કરશે.

Ahmedabad Woman Threatens Liquor Sales After AMC Seizes Cart at Danipith Office

મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે દારૂ વેચનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી, પરંતુ મજૂરી કરીને ગુજરાન ચલાવતા લોકોની લારીઓ જપ્ત કરીને તેમને પરેશાન કરવામાં આવી રહ્યા છે. તેણીએ દુકાનદારો પાસેથી પૈસા ન મળતા હોવાની અને ત્રણ-ત્રણ મહિના સુધી હેરાનગતિનો સામનો કરવો પડતો હોવાની વ્યથા પણ વ્યક્ત કરી હતી, જે સ્ટ્રીટ વેન્ડરના જીવનની મુશ્કેલીઓ દર્શાવે છે. આ ઘટનાએ AMCના કાર્યવાહી પર સવાલો ઉભા કર્યા છે.

ગુજરાતની 12 વર્ષની યુવા ટેનિસ ખેલાડીએ તોડ્યો સાનિયા મિર્ઝાનો 25 વર્ષ જૂનો રેકોર્ડ, જુઓ Video

વિરાટ કોહલીએ 12,000 રન ફટકારી બનાવ્યો એક મહાન રેકોર્ડ, એશિયામાં પહેલીવાર થયો આ કમાલ

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: રાયન રિકલ્ટનની સદી વ્યર્થ ગઈ, મુંબઈનો ઘરઆંગણે સતત ચોથો પરાજય, હૈદરાબાદનો રેકોર્ડ વિજય

સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026 માં પોતાનો વિસ્ફોટક દેખાવ ચાલુ રાખ્યો અને રેકોર્ડબ્રેક વિજય નોંધાવ્યો. ઇશાન કિશન પછી હૈદરાબાદ પેટ કમિન્સની કેપ્ટનશીપ હેઠળ પણ વિજયના રથ પર સવાર રહ્યું છે. તેમનો લેટેસ્ટ શિકાર પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બન્યું, જેને તેમણે છ વિકેટથી હરાવ્યું હતું.

243 રન બનાવવા છતાં મુંબઈ હાર્યું

રાયન રિકેલ્ટનની રેકોર્ડબ્રેક સદીના આધારે, મુંબઈએ વાનખેડે સ્ટેડિયમ ખાતે 243 રનનો પોતાનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. જોકે, સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તે પણ ઓછો રહ્યો. ટ્રેવિસ હેડ અને હેનરિક ક્લાસેનની ઝડપી અડધી સદીના આધારે, સનરાઇઝર્સે માત્ર 18.4 ઓવરમાં લક્ષ્ય હાંસલ કર્યું, અને સતત પાંચમી જીત મેળવી.

MI ની વાનખેડેમાં સતત ચોથી હાર

IPL ઈતિહાસમાં પહેલીવાર મુંબઈ ઈન્ડિયન્સે પોતાના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં સતત ચોથી મેચ હારી હતી. જોકે, ટીમે જે રીતે શરૂઆત કરી હતી, તેનાથી એવું લાગતું નહોતું કે આવું થશે. પહેલા બેટિંગ કરતા મુંબઈએ રાયન રિકલ્ટનની માત્ર 44 બોલમાં રેકોર્ડ સદીની મદદથી 243 રન બનાવ્યા. આ IPLમાં રિકલ્ટનની પહેલી સદી અને મુંબઈ ઈન્ડિયન્સના ઈતિહાસમાં સૌથી ઝડપી સદી હતી. તેના સિવાય હાર્દિક પંડ્યા અને વિલ જેક્સે પણ ઝડપી ગતિએ રન બનાવ્યા.

 

હેડ-અભિષેકની આક્રમક બેટિંગ

પરંતુ ટ્રેવિસ હેડને કારણે આ સ્કોર પણ સનરાઇઝર્સ માટે ઓછો સાબિત થયો, જે આ સિઝનમાં અત્યાર સુધી શાંત હતો. હેડે ફક્ત 20 બોલમાં પોતાની પહેલી અડધી સદી ફટકારી અને અભિષેક શર્મા સાથે મળીને ટીમને ફક્ત નવ ઓવરમાં 130 રન સુધી પહોંચાડી દીધી. મુંબઈએ છ બોલમાં ત્રણ વિકેટ લઈને વાપસીની આશા જગાવી, પરંતુ હેનરિક ક્લાસેને તે આશાઓ પર પાણી ફેરવી દીધું.

 

હૈદરાબાદની સતત પાંચમી જીત

ક્લાસેને પણ સિઝનની સૌથી વિસ્ફોટક બેટિંગ કરી અને માત્ર 22 બોલમાં અડધી સદી ફટકારી. ક્લાસેને સલિલ અરોરા સાથે મળીને ટીમને આઠ બોલ વહેલા લક્ષ્ય સુધી પહોંચાડી 249 રન ચેઝ કર્યા અને વાનખેડે ખાતે સૌથી મોટા રનચેઝનો રેકોર્ડ બનાવ્યો. આ હૈદરાબાદની સતત પાંચમી જીત છે અને આ સિઝનમાં કુલ છઠ્ઠી જીત છે. આ મુંબઈની ઘરઆંગણે સતત ચોથી અને એકંદરે છઠ્ઠી હાર છે. વધુમાં, IPLમાં પહેલીવાર મુંબઈ 200 થી વધુ રનના સ્કોરનો બચાવ કરવામાં નિષ્ફળ ગયું છે.

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સના સભ્યની પુત્રીનું અવસાન, ખેલાડીઓ હાથ પર કાળી પટ્ટી પહેરી મેદાનમાં ઉતર્યા

રીહાન્નાનો દેશી અવતાર વાયરલ, લીલી-ગુલાબી સાડીમાં ગ્લોબલ ટ્રેન્ડ કર્યો સેટ, જુઓ Video

લીલી અને ગુલાબી સાડીમાં દિલ જીતવું માત્ર એક સંયોગ નથી. આ લુક પાછળ સ્ટાઇલ, પ્રેઝન્સ અને ગ્લોબલ ફેશનની સમજ સ્પષ્ટ દેખાય છે. ગ્લોબલ સ્ટાર Rihanna એ તાજેતરમાં પોતાના ‘દેશી’ અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે.

મુંબઈની મુલાકાત પછી થોડા જ દિવસોમાં રીહાન્ના ફરી ચર્ચામાં આવી છે. આ વખતે તેનું કારણ છે તેની લીલી અને ગુલાબી સાડી, જેને તેણે પોલ્કી અને કુંદન જ્વેલરી સાથે ખૂબ જ સુંદર રીતે સ્ટાઇલ કરી છે. વાયરલ થયેલા ફોટા અને વીડિયોમાં તે પરંપરાગત ભારતીય લુકમાં ખૂબ જ આકર્ષક લાગી રહી છે, જેમાં હીરા અને નીલમણિના દાગીનાઓએ તેના લુકને વધુ ભવ્ય બનાવ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકો તેની આ સ્ટાઇલની ખુલ્લેઆમ પ્રશંસા કરી રહ્યા છે. કોઈ કહે છે કે “રીહાન્ના સાડીમાં ખૂબ સુંદર લાગે છે,” તો કોઈ તેના જ્વેલરી સેન્સને વખાણી રહ્યો છે. નરમ મેકઅપ અને મિનિમલ એક્સેસરીઝ સાથેનો આ લુક માત્ર ફેશન સ્ટેટમેન્ટ નથી, પરંતુ દેશી સંસ્કૃતિ પ્રત્યેનો એક સ્વીકાર પણ દર્શાવે છે. એ સ્પષ્ટ કરે છે કે રીહાન્ના ફક્ત ટ્રેન્ડ્સને અનુસરે છે નહીં, પણ નવા ટ્રેન્ડ્સ સેટ પણ કરે છે.

આ પહેલો પ્રસંગ નથી જ્યારે રીહાન્ના ભારતીય સૌંદર્યથી પ્રેરિત લુકમાં જોવા મળી હોય. તે અગાઉ પણ અનેક વખત આવી સ્ટાઇલ અપનાવી ચૂકી છે. જો કે, તેની સાચી તાકાત ફક્ત ફેશન સુધી મર્યાદિત નથી. તેની બ્યુટી બ્રાન્ડ Fenty Beauty લોન્ચ થયા બાદ આખા ઉદ્યોગ માટે એક નવો બેન્ચમાર્ક બની ગઈ હતી, ખાસ કરીને દરેક પ્રકારની ત્વચાને ધ્યાનમાં રાખીને બનાવેલા ઉત્પાદનો માટે.

કુલ મળીને જોઈએ તો, રીહાન્નાનો આ દેશી લુક ફેશન અને સંસ્કૃતિના મિલનનું એક ઉત્તમ ઉદાહરણ છે, જે ફરી એકવાર બતાવે છે કે તે ગ્લોબલ સ્ટાર હોવા સાથે સાથે સ્ટાઇલ આઇકોન પણ છે.

Rihanna in Mumbai : અંબાણી પરિવારના જશ્નમાં મુંબઈ પહોંચી રીહાન્ના, રમી ફૂલોની હોળી

Fact Check: શું પેટ્રોલ-ડીઝલના ભાવમાં ₹12 નો તોતિંગ વધારો થયો છે? વાયરલ નોટિસથી જનતામાં ફફડાટ

સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાંક કલાકથી એક મેસેજ વાવાઝોડાની જેમ ફેલાઈ રહ્યો છે, જેમાં દાવો કરાયો છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. આ સમાચાર વાંચીને સામાન્ય જનતામાં ફફડાટ ફેલાયો હતો. જોકે, પ્રેસ ઇન્ફોર્મેશન બ્યૂરો (PIB) અને પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા (PTI) તાત્કાલિક આ મામલે દરમિયાનગીરી કરીને આ વાયરલ નોટિસનું ખંડન કર્યું છે.

શું હતો એ વાયરલ દાવો?

સોશિયલ મીડિયા પર પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયના નામે એક નકલી ઓર્ડર ફરતો કરવામાં આવ્યો હતો. આ મનઘડંત દસ્તાવેજમાં એવો દાવો કરાયો હતો કે:

આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ 100 ટકા વધ્યા હોવાથી ભાવ વધારો અનિવાર્ય છે.

  • પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર 10 રૂપિયા નો વધારો થયો છે.
  • ડીઝલના ભાવમાં પ્રતિ લિટર 12.50 રૂપિયા નો વધારો થયો છે.

સરકારે અફવાઓ ફગાવી: કોઈ ભાવ વધારો થયો નથી

PIB ફેક્ટ ચેકે સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી છે કે ભારત સરકાર દ્વારા આવો કોઈ જ આદેશ જારી કરવામાં આવ્યો નથી. વાયરલ થઈ રહેલા દસ્તાવેજો તદ્દન નકલી અને મનઘડંત છે. અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે દેશના મુખ્ય શહેરોમાં ઈંધણના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી.

મુખ્ય શહેરોમાં આજના ભાવ:

  • દિલ્હી: પેટ્રોલ 94.77 રૂપિયા અને ડીઝલ 87.67 રૂપિયા પ્રતિ લિટર.
  • મુંબઈ: પેટ્રોલ 103.54 રૂપિયા અને ડીઝલ 90.03 રૂપિયા પ્રતિ લિટર.
  • ગુજરાત: પેટ્રોલ 94.44 રૂપિયા અને ડીઝલ 90.11 રૂપિયા પ્રતિ લિટર.
  • રાજસ્થાન: પેટ્રોલ 104.88 રૂપિયા અને ડીઝલ 90.36 રૂપિયા પ્રતિ લિટર.
  • પશ્ચિમ બંગાળ(કોલકાતા):પેટ્રોલ 103.94 રૂપિયા અને ડીઝલ 90.76 રૂપિયા પ્રતિ લિટર.
  • તમિલનાડુ(ચેન્નાઈ):પેટ્રોલ 100.75 રૂપિયા અને ડીઝલ 92.34 રૂપિયા પ્રતિ લિટર.

નાગરિકો માટે મહત્વની સૂચના

સરકારે લોકોને અપીલ કરી છે કે આવી અસ્પષ્ટ અને ભ્રામક માહિતી શેર કરવાથી બચવું જોઈએ. કોઈ પણ મોટી જાહેરાત માટે માત્ર અને માત્ર સરકારી સ્ત્રોત અથવા સત્તાવાર સમાચાર ચેનલો પર જ ભરોસો કરવો. સોશિયલ મીડિયા પર આવતા એડિટ કરેલા દસ્તાવેજો ગેરમાર્ગે દોરવા માટે બનાવવામાં આવતા હોય છે, જેનાથી સાવધ રહેવું જરૂરી છે.

પશ્ચિમ બંગાળમાં લોકશાહીનો મહાકુંભ: 91.66 ટકા મતદાન સાથે સર્જાયો આઝાદી પછીનો સૌથી મોટો રેકોર્ડ

Breaking News: રાયન રિકલ્ટને 44 બોલમાં પોતાની પહેલી IPL સદી ફટકારી, 19 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો

 

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: IPL 2026 માં પંજાબ કિંગ્સનો પહેલો પરાજય, રાજસ્થાન રોયલ્સે 223 રનના લક્ષ્યનો પીછો કર્યો

IPL 2026 ની 40મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે શાનદાર પ્રદર્શન કરીને પંજાબ કિંગ્સને 6 વિકેટથી હરાવ્યું. IPL 2026 માં પંજાબનો આ પહેલો પરાજય છે. વૈભવ સૂર્યવંશી, યશસ્વી જયસ્વાલ, ફરેરા અને શુભમ દુબેની ઉત્તમ બેટિંગને કારણે રાજસ્થાન રોયલ્સે 223 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો.

રાજસ્થાન રોયલ્સની મજબૂત બેટિંગ

રાજસ્થાન રોયલ્સ માટે યશસ્વી જયસ્વાલે 27 બોલમાં 51 રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ રાજસ્થાનને વિસ્ફોટક શરૂઆત અપાવી, 16 બોલમાં 43 રન બનાવ્યા. તેણે 16 બોલની ઇનિંગમાં 5 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. કેપ્ટન રિયાન પરાગે પણ 16 બોલમાં 29 રન બનાવ્યા. અંતે, ડોનોવન ફરેરા અને શુભમ દુબેએ વિસ્ફોટક બેટિંગનો ઉપયોગ કરીને છેલ્લી ઓવરમાં પંજાબ પાસેથી મેચ છીનવી લીધી. ડોનોવન ફરેરાએ 26 બોલમાં અણનમ 52 રન બનાવ્યા. શુભમ દુબેએ 12 બોલમાં અણનમ 31 રન બનાવ્યા.

 

વૈભવ-યશસ્વીની આક્રમક શરૂઆત

223 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે, રાજસ્થાને વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની જોડીને કારણે ઉડતી શરૂઆત કરી. ખાસ કરીને સૂર્યવંશીએ પંજાબના બોલરોને મુશ્કેલીમાં મુક્યા. વૈભવ સૂર્યવંશીએ માત્ર 16 બોલમાં 43 રન બનાવ્યા અને 20 બોલમાં યશસ્વી જયસ્વાલ સાથે 51 રનની ભાગીદારી કરી. વૈભવના આઉટ થયા પછી, યશસ્વી જયસ્વાલે આક્રમક રમત શરૂ કરી, 27 બોલમાં 51 રન બનાવ્યા. ત્રીજા નંબર પર બેટિંગ કરી રહેલા ધ્રુવ જુરેલે 20 બોલમાં 16 રન બનાવીને રાજસ્થાન પર દબાણ વધાર્યું. જોકે, ત્યારબાદ કેપ્ટન રિયાન પરાગે 16 બોલમાં 29 રન બનાવીને ટીમને પાછી ટ્રેક પર લાવી. અંતે, ડોનોવન ફરેરા અને શુભમ દુબેની 32 બોલમાં 77 રનની ભાગીદારીએ પંજાબ પાસેથી મેચ છીનવી લીધી.

 

સ્ટોઈનિસ-પ્રભસિમરનની જોરદાર બેટિંગ

પંજાબ ભલે મેચ હારી ગયું હોય, પરંતુ તેમણે મુશ્કેલ પીચ પર 20 ઓવરમાં 222 રન બનાવીને તેને રોમાંચક બનાવ્યું. પ્રભસિમરન સિંહે 44 બોલમાં 59 રન બનાવ્યા. પ્રિયાંશ આર્યએ 11 બોલમાં 29 રન બનાવ્યા. કૂપર કોનેલીએ 14 બોલમાં 30 રન બનાવ્યા. માર્કસ સ્ટોઇનિસે 22 બોલમાં અણનમ 62 રન બનાવ્યા.

 

IPL 2026 પોઈન્ટ ટેબલમાં ફેરફાર

પંજાબની હાર અને રાજસ્થાનની જીતથી પોઈન્ટ ટેબલમાં રસપ્રદ ફેરફારો થયા છે. પંજાબ કિંગ્સે આઠમાંથી છ મેચ જીતી છે, એક હાર અને એક હાર સાથે તે પ્રથમ સ્થાને છે. તે 13 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. રાજસ્થાન નવ મેચમાંથી છ જીત સાથે ત્રીજા સ્થાને છે. RCB એ આઠમાંથી છ મેચ જીતી છે અને બીજા સ્થાને છે.

Breaking News: આ છે સંસ્કૃતિ… સચિન તેંડુલકરે પહેલા જૂતા ઉતાર્યા, પછી ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિને સ્પર્શ કરી, વીડિયો વાયરલ

કોણ છે રણવીર અલ્હાબાદિયાની Girlfriend જુહી ભટ્ટ?

Breaking News : 12 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 85 ની ઝડપથી હવા ફૂંકાસે

દેશભરમાં પ્રચંડ ગરમી વચ્ચે હવામાન વિભાગ (IMD) દ્વારા વધુ એક મહત્વપૂર્ણ ચેતવણી આપવામાં આવી છે. 29 એપ્રિલના દિવસે ઉત્તર પ્રદેશ, બિહાર અને પંજાબ સહિત કુલ 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની શક્યતા દર્શાવવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 80 થી 85 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને ખાસ સાવચેતી રાખવા વિનંતી કરવામાં આવી છે. ખાસ કરીને ખેડૂતોને અનાવશ્યક રીતે ખુલ્લામાં જવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.

પૂર્વ ભારતના વિસ્તારોમાં વીજળી સાથેના તોફાનને કારણે નુકસાન થવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં નીચલા સ્તરે ચક્રવાતી પરિભ્રમણ સર્જાઈ રહ્યું છે. આ સાથે જ ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને નજીકના વિસ્તારોમાં પણ આવી જ પરિસ્થિતિ વિકસતી જોવા મળી રહી છે, જેના કારણે હવામાન અચાનક બદલાઈ શકે છે.

જોરદાર પવન સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ

IMDની આગાહી મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, તમિલનાડુ અને કેરળમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન જોરદાર પવન સાથે વાવાઝોડા જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.

દિલ્હીમાં 29 એપ્રિલે તીવ્ર ગરમીનો માહોલ રહેશે. મહત્તમ તાપમાન આશરે 38°C અને લઘુત્તમ 26°C આસપાસ રહેવાની શક્યતા છે. પવનની ઝડપ 15 થી 20 કિમી પ્રતિ કલાક રહેવાની ધારણા છે, જેના કારણે ગરમીમાં ખાસ રાહત મળવાની શક્યતા ઓછી છે.

લખનૌમાં 29 એપ્રિલે મહત્તમ તાપમાન

ઉત્તર પ્રદેશમાં 29 એપ્રિલથી 2 મે દરમિયાન વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. મેરઠ, આગ્રા, કાનપુર, ગાઝિયાબાદ, નોઈડા સહિત અનેક શહેરોમાં ભારે વરસાદ અને પવનની શક્યતા છે. લખનૌમાં 29 એપ્રિલે મહત્તમ તાપમાન 38°C અને લઘુત્તમ 25°C રહેવાની ધારણા છે.

બિહારમાં પણ 29 એપ્રિલે ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. પટણા, ગયા, મુઝફ્ફરપુર, દરભંગા સહિતના વિસ્તારોમાં વીજળી અને પવન સાથે ભારે વરસાદ થઈ શકે છે. પટણામાં તાપમાન 36°C થી 23°C વચ્ચે રહેવાની શક્યતા છે.

ગુજરાત રાજ્યમાં પ્રચંડ ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત છે. રાજ્યના સાત શહેરોમાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી ગયું છે, જે ગરમીની તીવ્રતાને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

પર્વતીય વિસ્તારોમાં મુસાફરી કરતા લોકો માટે ખાસ સૂચના

ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ જેવા પર્વતીય રાજ્યોમાં પણ વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. દહેરાદૂનમાં તાપમાન 29°C થી 18°C વચ્ચે રહેશે, જ્યારે હિમાચલના મનાલીમાં તાપમાન ખૂબ જ ઓછું રહી શકે છે. પર્વતીય વિસ્તારોમાં મુસાફરી કરતા લોકો માટે ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

પંજાબ અને રાજસ્થાનમાં પણ 29 થી 30 એપ્રિલ દરમિયાન વરસાદ અને તેજ પવનની શક્યતા છે. પંજાબમાં પવનની ઝડપ 60-65 કિમી પ્રતિ કલાક સુધી જઈ શકે છે, જ્યારે રાજસ્થાનમાં 40 કિમી પ્રતિ કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે.

જમ્મુ-કાશ્મીર, મધ્ય પ્રદેશ અને અન્ય રાજ્યોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ અને વાવાઝોડાની શક્યતા છે. ભોપાલમાં 29 એપ્રિલે મહત્તમ તાપમાન 41°C અને લઘુત્તમ 28°C રહેવાની ધારણા છે.

કુલ મળીને, દેશના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન અચાનક બદલાઈ શકે છે. તેથી બહાર જતાં પહેલા હવામાનની તાજી માહિતી જરૂર તપાસવી અને સુરક્ષિત રહેવા જરૂરી પગલાં લેવા અત્યંત જરૂરી છે.

ભારતનું નવું ‘બ્રહ્માસ્ત્ર’: રશિયાથી આવી રહ્યું છે ચોથું S-400 સિસ્ટમ

Breaking News: આ છે સંસ્કૃતિ… સચિન તેંડુલકરે પહેલા જૂતા ઉતાર્યા, પછી ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિને સ્પર્શ કરી, વીડિયો વાયરલ

ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકર માત્ર રમત માટે નહીં, પણ તેમના સારા સ્વભાવ માટે પણ જાણીતા છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે ભગવાન પ્રત્યે આદર બતાવ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો તેમના આ સરળ અને સારા વર્તનને ખુબ પસંદ કરી રહ્યા છે.

સચિન તેંડુલકરનો વીડિયો વાયરલ

વિશાખાપટ્ટનમની આંધ્ર યુનિવર્સિટીની 100મી વર્ષગાંઠ (શતાબ્દી મહોત્સવ) ની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઘણા મહાનુભાવો સાથે સચિન તેંડુલકર પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બનેલી એક નાની ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો.

 

વેંકટેશ્વર સ્વામીની મૂર્તિને સ્પર્શતા પહેલા જૂતા કાઢ્યા

કાર્યક્રમમાં સચિન તેંડુલકરે ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિને હાથ લગાવતા પહેલા પોતાના જૂતા ઉતારી દીધા હતા. ત્યારબાદ તેમણે મૂર્તિ સાથે ફોટો પડાવ્યો. આ સમયે તેમની સાથે એન. ચંદ્રબાબુ નાયડુ પણ હાજર હતા.

સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા

સચિન તેંડુલકરના આ કામની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ તેમની સરળતા અને સંસ્કૃતિ પ્રત્યેનો આદર બતાવે છે. સચિન હંમેશા શાંત અને નમ્ર સ્વભાવ માટે જાણીતા રહ્યા છે.

 

ક્રિકેટના ભગવાનની મહાન કારકિર્દી

સચિન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દી પણ ખૂબ જ શાનદાર રહી છે. તેમણે 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ઘણા વર્ષો સુધી ભારત માટે રમ્યા. ટેસ્ટ અને વનડે બંનેમાં તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા છે, જે આજે પણ કોઈ ખેલાડી માટે તોડવા લગભગ અશક્ય છે.

 

સચિન એક મહાન વ્યકતિત્વ

આ ઘટનાથી ફરી ફરી એકવાર સાબિત થયું છે કે સચિન તેંડુલકર માત્ર એક મહાન ક્રિકેટર જ નહીં, પરંતુ એક મહાન માણસ પણ છે. તેમની આવી નાની નાની બાબતો લોકોના દિલ જીતી લે છે.

Breaking News: 4,6,6,4,4… છેલ્લી ઓવરમાં 24 રન, 20 બોલમાં ફિફ્ટી, પંજાબના ઓલરાઉન્ડરે મચાવી તબાહી

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: ભુવનેશ્વર કુમાર પર્પલ કેપની રેસમાં નંબર 1 બન્યો, ઓરેન્જ કેપ રેસમાં કોણ આગળ?

IPL 2026 ની 39મી મેચ દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ બાદ પર્પલ કેપ અને ઓરેન્જ કેપ માટેની રેસમાં મોટો ફેરફાર જોવા મળ્યો. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના અનુભવી ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારે આ મેચમાં શાનદાર બોલિંગ કરી અને પર્પલ કેપ રેસમાં ટોચનું સ્થાન મેળવ્યું.

ભુવનેશ્વર પર્પલ કેપ રેસમાં નંબર-1

દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં ભુવનેશ્વર કુમારે ત્રણ ઓવર ફેંકી હતી, જેમાં ફક્ત પાંચ રન આપ્યા હતા. આ સમયગાળા દરમિયાન તેણે ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા હતા. તેણે સાહિલ પરીખ, ટ્રિસ્ટન સ્ટબ્સ અને અક્ષર પટેલને આઉટ કર્યા હતા. આ સાથે તેણે પર્પલ કેપની રેસમાં બધાને પાછળ છોડી દીધા હતા. ભુવનેશ્વર કુમારે હવે આઠ મેચમાં 14 વિકેટ લીધી છે, જેમાં તેણે ફક્ત 7.61 ના ઇકોનોમી રેટથી રન આપ્યા છે.

પર્પલ કેપ રેસમાં અન્ય કોણ સામેલ?

આ યાદીમાં અંશુલ કંબોજ બીજા ક્રમે છે. તેણે CSK માટે આઠ મેચમાં 14 વિકેટ લીધી છે. જોકે, તેનો ઇકોનોમી રેટ 8.56 છે, જેના કારણે ભુવનેશ્વર કુમાર પર્પલ કેપ પર છે. દરમિયાન, ઇશાન મલિંગાએ પણ આઠ ઇનિંગ્સમાં 14 વિકેટ લીધી છે, પરંતુ તેનો ઇકોનોમી રેટ 9.44 છે.

ઓરેન્જ કેપ રેસમાં કોણ આગળ?

હાલ ઓરેન્જ કેપ અભિષેક શર્મા પાસે છે. તેણે 8 મેચમાં 380 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદી અને 1 સદીનો સમાવેશ થાય છે. કેએલ રાહુલ 358 રન સાથે બીજા સ્થાને છે. તેની પાસે અભિષેકને પાછળ છોડી દેવાની તક હતી, પરંતુ તે RCB સામે માત્ર 1 રન જ બનાવી શક્યો.

ઓરેન્જ કેપના દાવેદારો

વૈભવ સૂર્યવંશીએ 8 મેચમાં 357 રન બનાવ્યા છે અને ઓરેન્જ કેપ રેસમાં ત્રીજા સ્થાને છે. વિરાટ કોહલી પણ ટોપ 5 માં પાછો ફર્યો છે, 8 મેચમાં 351 રન સાથે કોહલી ચોથા સ્થાને પહોંચી ગયો છે. હેનરિક ક્લાસેન પણ 8 ઇનિંગ્સમાં 349 રન સાથે પાંચમા સ્થાને છે.

Breaking News: મિશેલ સેન્ટનર આખી સિઝનમાંથી થયો બહાર, મુંબઈએ 75 લાખમાં અનુભવી ખેલાડીને કર્યો ટીમમાં સામેલ

IPL 2026: ફક્ત 39 બોલમાં જીતી RCB, દિલ્હીની સૌથી મોટી હાર

Delhi Capitals vs Royal Challengers Bengaluru: Indian Premier League 2026 ની 39મી મેચમાં Delhi Capitals સામે Royal Challengers Bengaluru એ એકતરફી પ્રદર્શન કરીને માત્ર 39 બોલમાં જ જીત મેળવી. Arun Jaitley Stadium ખાતે રમાયેલી આ મેચમાં દિલ્હીની ટીમ માત્ર 75 રનમાં ઓલઆઉટ થઈ ગઈ, જ્યારે RCB એ 6.3 ઓવરમાં જ લક્ષ્ય હાંસલ કરી લીધું.

દિલ્હી કેપિટલ્સ માટે આ મેચ ખરાબ સપનાની જેમ સાબિત થઈ. ટોસ હાર્યા બાદ તેમને પહેલા બેટિંગ કરવી પડી, પરંતુ શરૂઆતથી જ વિકેટો ઝડપથી પડવા લાગી. ડેબ્યુ કરનાર સાહિલ પારેખ બીજા જ બોલ પર આઉટ થયો. ત્યારબાદ Bhuvneshwar Kumar અને Josh Hazlewood ની ઘાતક બોલિંગ સામે દિલ્હીના બેટ્સમેન ટકી શક્યા નહીં. માત્ર 8 રનમાં જ 6 વિકેટ પડી જતા ટીમ પર ભારે દબાણ આવ્યું.

મધ્યક્રમમાં Abhishek Porel એ 30 રન અને David Miller એ 18 રન બનાવી ટીમને થોડો સંભાર્યો, પરંતુ આખી ટીમ 75 રન સુધી જ સીમિત રહી. RCB તરફથી હેઝલવુડે 12 રનમાં 4 વિકેટ લીધી, જ્યારે ભુવનેશ્વર કુમારે માત્ર 5 રન આપી 3 વિકેટ ઝડપી. અન્ય બોલરો પણ અસરકારક રહ્યા.

લક્ષ્યનો પીછો કરતા RCB એ કોઈ દબાણ લીધું જ નહીં. આક્રમક બેટિંગ સાથે તેમણે માત્ર 39 બોલમાં મેચ પૂર્ણ કરી અને ફક્ત એક વિકેટ ગુમાવી. આ જીત RCB માટે ખાસ છે, કારણ કે IPL માં સૌથી ઓછા બોલમાં જીત મેળવવાના તેમના રેકોર્ડમાં આ સૌથી મોટી સિદ્ધિ છે.

આ હાર દિલ્હી માટે ખૂબ જ શરમજનક રહી, કારણ કે પોતાના હોમ ગ્રાઉન્ડ પર આટલી એકતરફી હાર તેમને પહેલી વાર મળી છે. બીજી તરફ, RCB માટે આ જીત પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર લાવી છે. 8 મેચમાંથી 6 જીત સાથે ટીમ હવે બીજા સ્થાને પહોંચી ગઈ છે.

હાલમાં પોઈન્ટ ટેબલમાં પંજાબ ટોચ પર છે, જ્યારે RCB નું મજબૂત પ્રદર્શન તેમને પ્લેઓફની રેસમાં વધુ મજબૂત બનાવે છે.

Breaking News: મિશેલ સેન્ટનર આખી સિઝનમાંથી થયો બહાર

‘હું લૂપમાં ફસાઈ ગઈ છું’, કેનેડામાં ભણતી ભારતીય વિદ્યાર્થિનીએ સ્ટડી અને કામના સંતુલન અંગે કહી મોટી વાત, જુઓ Video

કેનેડામાં અભ્યાસ કરતી એક ભારતીય વિદ્યાર્થીનીનો અનુભવ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે. જ્યોતિ ખરાયત નામની આ વિદ્યાર્થીનીએ પોતાની વ્યસ્ત અને થાકાવનારી દૈનિક જીવનશૈલી વિશે ખુલ્લેઆમ વાત કરી છે. તેણે શેર કરેલો વીડિયો ઝડપથી વાયરલ થયો છે, જેમાં અભ્યાસ અને નોકરી વચ્ચેનું સંતુલન જાળવવાનો સંઘર્ષ સ્પષ્ટ જોવા મળે છે.

જ્યોતિએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલા વીડિયોમાં પોતાની આખી દિનચર્યા દર્શાવી છે. તેમાં તે કોલેજમાંથી સીધી નોકરી પર જતી જોવા મળે છે, ખાસ કરીને Starbucks માં કામ કરતી વખતે. ક્લાસ પૂરા થતાં જ કામ પર જવું અને સતત દોડધામભર્યું જીવન જીવવું – આ બધું તેના માટે સામાન્ય બની ગયું છે. વીડિયોમાં તે ઘણીવાર થાકેલી દેખાય છે, જે તેની સ્થિતિને સ્પષ્ટ રીતે દર્શાવે છે.

તેણીએ જણાવ્યું કે તે પોતાને એક એવા ચક્રમાં ફસાયેલું અનુભવે છે, જેનો અંત જ નથી. ટ્યુશન ફી અને રહેવાના ખર્ચને પૂરા કરવા માટે તેને કમાણી કરવી પડે છે, અને કમાણી કરવા માટે કામ કરવું ફરજિયાત બને છે. આ કારણે અભ્યાસ અને નોકરી વચ્ચેનું સંતુલન જાળવવું મુશ્કેલ બની જાય છે. તે કહે છે કે કોલેજ પછી સીધી નોકરી, પછી થોડો વિરામ, અને ફરીથી અભ્યાસ – આ બધું એક “અનંત લૂપ” જેવી સ્થિતિ બનાવે છે.

 

Instagram पर यह पोस्ट देखें

 

JYOTI KHARAYAT (@villayaticheli) द्वारा साझा की गई पोस्ट

આ વીડિયો સામે આવ્યા બાદ ઘણા લોકો તેની વાત સાથે જોડાયા છે. ખાસ કરીને વિદેશમાં અભ્યાસ કરતા અન્ય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓએ પણ પોતાની સમાન મુશ્કેલીઓ શેર કરી છે. ઘણા માટે, ટ્યુશન ફી, રહેવાની વ્યવસ્થા અને દૈનિક ખર્ચોને પહોંચી વળવા માટે પાર્ટ-ટાઇમ નોકરી કરવી જરૂરી બની જાય છે. પરિણામે, તેઓ માટે અભ્યાસ અને કામ વચ્ચે સંતુલન જાળવવું એક મોટો પડકાર બની જાય છે.

સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ જ્યોતિને પ્રોત્સાહન આપ્યું છે. એક યુઝરે લખ્યું કે, “જો તમે ખુશ છો, તો જીવનમાં આટલું જ મહત્વનું છે,” જ્યારે બીજા યુઝરે કહ્યું, “અમને તમારી પાસેથી પ્રેરણા મળે છે.” તમામ પડકારો વચ્ચે પણ જ્યોતિનો સકારાત્મક અભિગમ ઘણા લોકો માટે પ્રેરણાદાયક બની રહ્યો છે.

કેનેડામાં 2 વર્ષમાં જ મળી જશે ડિગ્રી! 12માં પછી ઇન્જિનીયરિંગ-મેડિકલ સહિત આ પોપ્યુલર ફિલ્ડમાં કરો ડિપ્લોમા

ઝઘડિયામાં કામદારોના મોત બાદ ચૈતર વસાવા અને મૃતકના સંબંધીઓ વચ્ચે થઈ ઝપાઝપી, ચૈતર વસાવાએ મૃતકના સગાને માર્યો લાફો- Video

ભરૂચમાં ઝઘડિયાની કંપનીમાં થયેલા બ્લાસ્ટમાં બે કામદારોના મોત બાદ હંગામો થયો છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને મૃતકના પરિજનો વચ્ચે ઘર્ષણ થયુ હતુ. બોલાચાલી દરમિયાન ચૈતર વસાવાએ મૃતકના સંબંધીને લાફો મારી દીધો. જે બાદ સમગ્ર ઘટના મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ સમગ્ર ઘટનાક્રમ સીસીટીવી કેમેરામાં પણ કેદ થયો. મૃતકના પરિવારજનોએ ચૈતર વસાવા સામે મૃતકના પરિજનોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો. જો કે પોલીસે ઘટનાસ્થળે પહોંચી જઈ સમગ્ર મામલો થાળે પાડ્યો હતો.

આપને જણાવી દઈએ કે ઝઘડિયાની કંપનીમાં 23 તારીખે ભીષણ આગ લાગી હતી. જેમાં આગમાં દાઝી જવાથી બે કામદારોના આજે સારવાર દરમિયાન મોત થતાં કંપની બહાર ભારે હંગામો થયો. ત્યારે આપ નેતા ચૈતર વસાવા મૃતકો અને ઘાયલો માટે સહાયની માગ કરવા કંપનીમાં પહોંચ્યા હતા. વસાવાનો આરોપ છે કે કંપનીના સત્તાધીશોએ મૃતકના પરિવારજનો સાથે વાત ન કરતાં હંગામો સર્જાયો. ચૈતર વસાવા ગેટ કૂદીને કંપનીના કંપાઉન્ડમાં પહોંચ્યા હતા. ચૈતર વસાવાને ધક્કો મારવામાં આવતા ટોળું ઉશ્કેરાયું હતું અને પછી કંપની બહાર ભારે હંગામો સર્જાયો. ચૈતર વસાવાનું કહેવું છે કે તેમની માગ એટલી જ છે કે મૃતકોને યોગ્ય વળતર મળે.

બીજી તરફ મૃતકના પરિવારજનોએ ચૈતર વસાવા પર આક્ષેપ કર્યા છે. તેમનું કહેવું છે કે કંપનીએ યોગ્ય રીતે જવાબ આપીને વળતર આપવાની ખાતરી આપી છે. પરંતું ચૈતર વસાવા કંપની પાસેથી પૈસા ઉઘરાવવા આવ્યા હોવાનો આરોપ લગાવ્યો છે.

સમગ્ર મામલે ચૈતર વસાવાએ પોલીસ સામે ગંભીર આક્ષેપ કર્યા છે. કંપનીના ઈશારે પોલીસ કામ કરતી હોવાનો ચૈતર વસાવાનો આક્ષેપ કર્યો. તેમણે આરોપ લગાવ્યો કે કંપની અને પોલીસની મિલીભગત છે. તો બીજી તરફ મૃતક પરિવારના સંબંધી રોશન વસાવાએ આક્ષેપ કર્યો કે અમારી અને કંપની વચ્ચે વાટાઘાટો ચાલતી હતી તે દરમિયાન ચૈતર વસાવાએ આવીને હોબાળ કર્યો અને મને લાફો માર્યો એટલે મેં પણ તેમની સાથએ ઝપાઝપી કરી. ચૈતર વસાવા સ્ટંટ કરતા હોવાનો મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે. આ બીજી તરફ AAPના આગેવાનોનું કહેવુ છે કે રોશન વસાવા ભાજપના માણસ છે અને તેમને પીડિત પરિવાર સાથે કોઈ લેવાદેવા નથી. ચૈતર વસાવાએ સ્વબચાવમાં લાફો માર્યો હોવાનો આમ આદમી પાર્ટીએ દાવો કર્યો છે.

પ્રચંડ ગરમીથી બચવા માટે કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો ઢાંસુ આઈડિયા,.. “પોકેટ મે પ્યાઝ લે જાઓ.. કુછ નહીં હોગા”- Video

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: RCB ને મોટો ઝટકો, 6 મેચમાં 27 છગ્ગા અને ચોગ્ગા ફટકારનાર RCBનો સ્ટાર ખેલાડી દિલ્હી સામે નહીં રમે

IPL 2026 સીઝનમાં ભાગ્યે જ કોઈ ટીમ એવી હશે જે તેના ખેલાડીઓની ઈજાઓથી પરેશાન ન હોય. કેટલીક ટીમો સીઝન શરૂ થાય તે પહેલાં જ સંઘર્ષ કરી રહી છે, જ્યારે કેટલીક ટુર્નામેન્ટની મધ્યમાં જ પરાજયનો સામનો કરી રહી છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પણ આવી જ ઝટકો લાગ્યો છે, જેમાં એક સ્ટાર બેટ્સમેનની ઈજા ચિંતાનું કારણ બની છે. આ ખેલાડી વિસ્ફોટક ઓપનર ફિલ સોલ્ટ છે, જે સતત બીજી મેચ માટે બહાર થઈ ગયો છે.

સતત બીજી મેચમાંથી સોલ્ટ બહાર

RCB પોતાની આગામી મેચ 27 એપ્રિલ, સોમવારના રોજ રાજધાની નવી દિલ્હીમાં રમશે . આ મેચમાં રજત પાટીદારના નેતૃત્વ હેઠળની બેંગલુરુ ટીમ યજમાન દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે. બેંગલુરુ ટીમ આ મેચ માટે દિલ્હી આવી ગઈ છે, પરંતુ જ્યારે તેઓ મેદાનમાં ઉતરશે ત્યારે તેઓ ફરી એકવાર સોલ્ટ વગર રમશે. ટીમના બેટિંગ કોચ દિનેશ કાર્તિકે આ વાતની પુષ્ટિ કરી હતી. સોલ્ટ આ જ ઈજાને કારણે પાછલી મેચ ગુમાવી હતી.

સોલ્ટે 16 ચોગ્ગા 11 છગ્ગા ફટકાર્યા

આ સિઝનમાં RCBના વિસ્ફોટક ઓપનર ફિલ સોલ્ટનું પ્રદર્શન એવરેજ રહ્યું છે. તેણે છ ઇનિંગમાં બેટિંગ કરી છે, ત્રણમાં નિષ્ફળ ગયો છે, જ્યારે બે મેચમાં મજબૂત અડધી સદી ફટકારી છે અને એકમાં 40 થી વધુ રન બનાવ્યા છે. કુલ મળીને, તેણે છ ઇનિંગમાં 168 ના સ્ટ્રાઇક રેટ સાથે 202 રન બનાવ્યા છે. તેણે 16 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા છે.

RCB કોને તક આપશે?

RCB માટે આ એક મોટો આંચકો છે, કારણ કે તે વિરાટ કોહલી સાથે મજબૂત ભાગીદારી બનાવે છે, બેંગલુરુ પાસે એક સારો વિકલ્પ છે, જેનો ટીમે છેલ્લી મેચમાં પ્રયાસ કર્યો હતો. આ ખેલાડી જેકબ બેથેલ છે, જે ડાબોડી બેટ્સમેન છે જે સ્પિન બોલિંગ પણ કરી શકે છે. જોકે તે છેલ્લી મેચમાં નિષ્ફળ ગયો હતો, તે સોલ્ટ માટે જગ્યા બનાવી શકે છે અને મજબૂત બેટિંગ કરી શકે છે.

હિસાબ બરાબર કરવાની તક

આ મેચ બેંગલુરુ માટે હિસાબ બરાબર કરવાની તક છે. બંને ટીમો વચ્ચે છેલ્લી મેચ બેંગલુરુમાં રમાઈ હતી, જેમાં દિલ્હીનો વિજય થયો હતો. તે મેચમાં કેએલ રાહુલે શાનદાર અડધી સદી ફટકારી હતી. ગયા સિઝનમાં દિલ્હીએ બેંગલુરુને તેના હોમ ગ્રાઉન્ડ પર હરાવ્યું હતું, જ્યારે RCBએ કોટલા સ્ટેડિયમમાં દિલ્હીને ફરીથી હરાવ્યું હતું. હવે, RCB પાસે એ જ કહાનીનું પુનરાવર્તન કરવાની તક છે.

Breaking News: 6,6,6,6… છેલ્લી ઓવરમાં ચાલ્યો રિંકુ સિંહનો જાદૂ, બેક ટુ બેક ચાર સિક્સર ફટકારી ધમાલ મચાવી

Breaking News: 6,6,6,6… છેલ્લી ઓવરમાં ચાલ્યો રિંકુ સિંહનો જાદૂ, બેક ટુ બેક ચાર  સિક્સર ફટકારી ધમાલ મચાવી

કોલકાતા નાઈટ રાઈડર્સનો વાઈસ કેપ્ટન રિંકુ સિંહ IPL 2026 ની શરૂઆતથી જ ટીકાઓનો સામનો કરી રહ્યો છે. ગયા સિઝનથી તેનું બેટિંગ પ્રદર્શન ખરાબ રહ્યું છે, વાઈસ કેપ્ટન બનાવ્યા પછી પણ તે સતત ફ્લોપ રહ્યો હતો. કોલકાતાની સતત હારથી રિંકુના પ્રદર્શન પર પણ પ્રશ્નો ઉભા થયા છે. પરંતુ હવે, KKRના સ્ટાર બેટ્સમેને પોતાની એ તાકાત બતાવી જેના માટે તે ફેમસ છે. તેણે લખનૌ સુપર જાયન્ટ્સ સામે સતત ચાર છગ્ગા ફટકારીને ટીમને મજબૂત સ્થિતિમાં લાવી દીધી.

કોલકાતાનો ટોપ ઓર્ડર ફરી ફ્લોપ

લખનૌ સુપરજાયન્ટ્સ સામે કોલકાતા પહેલા બેટિંગ કરી રહ્યું હતું. આ સિઝનની લગભગ દરેક મેચની જેમ કોલકાતાની બેટિંગ ફરી એકવાર નિષ્ફળ ગઈ. કોલકાતાના ટોપ અને મધ્યમ ક્રમના બેટ્સમેન સસ્તામાં આઉટ થયા. કોલકાતાએ 15 ઓવરમાં માત્ર 93 રનમાં સાત વિકેટ ગુમાવી દીધી હતી. લડાયક સ્કોર સુધી પહોંચવું મુશ્કેલ લાગતું હતું, પરંતુ રિંકુએ તેને શક્ય બનાવ્યું.

રિંકુએ સતત 4 છગ્ગા ફટકાર્યા

કોલકાતાના વાઈસ કેપ્ટન રિંકુએ એકલા હાથે સ્થિતિ બદલી નાખી. તેણે સુનીલ નારાયણ સાથે મળીને અંતિમ પાંચ ઓવરમાં કોઈ વિકેટ ન લીધી અને 62 રન બનાવ્યા. નારાયણે આમાંથી ફક્ત ચાર રન બનાવ્યા, જ્યારે રિંકુએ બાકીના રન પૂરા કર્યા. તેણે 42 બોલમાં તેની અડધી સદી પૂરી કરી. જોકે, તેનું સૌથી ખતરનાક ફોર્મ 20મી ઓવરમાં આવ્યું. સ્પિનર ​​દિગ્વેશ રાઠીનો સામનો કરતા રિંકુએ સતત ચાર છગ્ગા ફટકાર્યા.

 

રિંકુના 51 બોલમાં 83 રન

રિંકુ ત્રણ વર્ષ પહેલા યશ દયાલ સામે 20મી ઓવરમાં સતત પાંચ છગ્ગા ફટકારીને જે સિદ્ધિ મેળવી હતી તે મેળવી શક્યો નહીં. જોકે, KKRના ઉપ-કેપ્ટને આ ઇનિંગનો ઉપયોગ કરીને તેની ટીમને મેચ 155 રન સુધી પહોંચાડી. વધુમાં, રિંકુના 83 રન ફક્ત 51 બોલમાં આવ્યા, જેમાં પાંચ છગ્ગા અને સાત ચોગ્ગાનો સમાવેશ થાય છે.

 

સતત બે મેચમાં અડધી સદી

આ રિંકુનો IPLમાં સૌથી વધુ સ્કોર છે. વધુમાં, તેણે તેની સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. આ પહેલા, તેણે રાજસ્થાન રોયલ્સ સામે અણનમ 53 રનની ઇનિંગ રમી હતી. આ અડધી સદી રિંકુ માટે પણ ખાસ હતી કારણ કે તેણે પાછલી બે સીઝનમાં એક પણ અડધી સદી ફટકારી ન હતી, પરંતુ આ વખતે તેણે સતત બે મેચમાં અડધી સદી ફટકારી છે.

Breaking News: KKRના ખેલાડી સાથે ચીટિંગ? બોલ બેટ્સમેનના શરીર પર વાગ્યો અને તેને રન આઉટ આપવામાં આવ્યો

Breaking News: KKRના ખેલાડી સાથે ચીટિંગ? બોલ બેટ્સમેનના શરીર પર વાગ્યો અને તેને રન આઉટ આપવામાં આવ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે IPL 2026 ની 38મી મેચમાં એક વિવાદાસ્પદ અને આઘાતજનક ઘટનાએ આખા સ્ટેડિયમને હચમચાવી નાખ્યું. યુવા બેટ્સમેન અંગક્રિશ રઘુવંશીને રન આઉટ કરવાના ત્રીજા અમ્પાયરના નિર્ણયથી ભારે હોબાળો મચી ગયો. કોલકાતા નાઈટ રાઈડર્સ કેમ્પ સ્પષ્ટપણે નારાજ હતું અને અંગક્રિશ રઘુવંશીએ પણ પોતાની નારાજગી દર્શાવી હતી.

શું છે સમગ્ર મામલો

પ્રિન્સ યાદવે KKR ની ઇનિંગની પાંચમી ઓવર નાખી. ઓવરના છેલ્લા બોલ પર અંગક્રિશ રઘુવંશીએ મિડ-ઓન તરફ બેક-ઓફ-લેન્થ શોટ રમ્યો અને રન લેવા દોડવા લાગ્યો. જોકે, મોહમ્મદ શમીએ બોલ પકડી લીધો અને રઘુવંશી અડધે રસ્તે અટકીને પાછો ફર્યો, રઘુવંશીને રન આઉટ કરવા માટે શમીએ થ્રો કર્યો અને અને રઘુવંશીએ ડાઇવ મારી. જોકે, બોલ રઘુવંશીના શરીર પર વાગ્યો. જે બાદ વિવાદ થયો.

થર્ડ અમ્પાયરે રઘુવંશીને આઉટ જાહેર કર્યો

આ ઘટના બાદ, લખનૌ સુપર જાયન્ટ્સ ટીમે અપીલ શરૂ કરી. શરૂઆતમાં એવું લાગતું હતું કે રઘુવંશીએ થ્રો લાઈનમાં જાણીજોઈને વચ્ચે આવવા માટે ડાઈવ કરી નથી. જોકે, જ્યારે થર્ડ અમ્પાયરે રિપ્લેમાં ચેક કર્યું ત્યારે કહાની બદલાઈ ગઈ. થર્ડ અમ્પાયરના મતે રઘુવંશીનો ટર્નિંગ રેડિયસ સામાન્ય કરતાં વધુ હતો. તેણે બોલ તરફ પણ જોયું અને દિશા બદલી. ડાઇવ કરતી વખતે તે કટ સ્ટ્રીપની બહાર ગયો. થર્ડ અમ્પાયર આ મૂલ્યાંકન સાથે સંમત થયા અને રઘુવંશીને આઉટ જાહેર કર્યો.

 

અમ્પાયરના નિર્ણય પર રઘુવંશી ગુસ્સે થયો

આ નિર્ણય પછી રઘુવંશી સ્પષ્ટપણે નારાજ હતો. તેણે મેદાન પર પોતાની નારાજગી વ્યક્ત કરી. તેણે પોતાનું હેલ્મેટ ફેંકી દીધું અને બાઉન્ડ્રી લાઇન પર બેટ પણ ફેરવ્યું. અંગક્રિશ રઘુવંશી 8 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા.

ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ નિયમ શું છે?

ઓબ્સ્ટ્રક્ટિંગ ધ ફિલ્ડ નિયમ જણાવે છે કે જો કોઈ બેટ્સમેન બોલ રમતમાં હોય ત્યારે ફિલ્ડિંગ ટીમને જાણી જોઈને અવરોધે છે તો તેને આઉટ જાહેર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ બેટ્સમેન ફિલ્ડરના થ્રોને રોકવા અથવા સ્ટમ્પ પર અથડાતા અટકાવવા માટે દોડતી વખતે ઇરાદાપૂર્વક દિશા બદલી નાખે છે, તો તેને ફિલ્ડમાં અવરોધ મૂકવા બદલ આઉટ જાહેર કરી શકાય છે.

ચેક કર્યા બાદ આઉટ જાહેર કરી શકાય

આ નિયમમાં બેટ્સમેનનો ટર્નિંગ રેડિયસ સામાન્ય કરતાં વધારે હતો કે નહીં અને તેણે થ્રો સાથે સુસંગત થવા માટે દિશા બદલી હતી કે નહીં તે ધ્યાનમાં લેવામાં આવે છે. જો બેટ્સમેન જાણી જોઈને તેના બેટ અથવા શરીરથી બોલને રોકવા અથવા પાછો ફેંકવાનો પ્રયાસ કરે તો પણ આ આઉટ જાહેર કરી શકાય છે. અંગક્રિશ રઘુવંશીની ઘટનામાં આવી જ એક ઘટના બની હતી, જ્યાં અમ્પાયરે માન્યું હતું કે તેણે ઇરાદાપૂર્વક આવું કર્યું છે, પરંતુ તેણે કહ્યું કે તે ફક્ત ક્રીઝ પર પાછા ફરવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

Breaking News: ગુજરાતના આ ફેમસ ક્રિકેટરોએ ના આપ્યો વોટ, જાણો કેમ?

અંબાણી પરિવારના જશ્નમાં મુંબઈ પહોંચી રીહાન્ના, રમી ફૂલોની હોળી, જુઓ Video

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: સુરતમાં છેડતીના આરોપીના રિકન્સ્ટ્રક્શન સમયે થયેલો હોબાળો સુનિયોજીત હોવાનો ઓડિયો ક્લિપમાં ખૂલાસો- જુઓ Video

સુરતમાં 12 વર્ષિય કિશોરીની વિધર્મી દ્વારા છેડતી કરવામાં આવતા અલથાણ વિસ્તારના સમગ્ર સ્થાનિકો રસ્તા પર આવી જઈને મોટો હંગામો કર્યો હતો. છેડતી સમયે જ આરોપીને તાત્કાલિક દબોચી લઈને માર મારીને પોલીસને સોંપવામાં આવ્યો. વિધર્મી દ્વારા 12 વર્ષિય કિશોરીની છેડતી મામલે સમગ્ર અલથાણ વિસ્તારમાં લોકોમાં ભારે રોષ ભભુકી ઉઠ્યો અને આરોપીનું સરઘસ કાઢવા માટે પોલીસ સમક્ષ માગ કરી હતી. આ આરોપીને જ્યારે રિકન્સ્ટ્રક્શન માટે લવાયો ત્યારે મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકો દ્વારા ભારે હંગામો કરવામાં આવ્યો અને આરોપીને માર મારવામાં આવ્યો હતો.

આ સમગ્ર હોબાળાને લઈને ચોંકાવનારી ઓડિયો ક્લિપ સામે આવી છે. ઓડિયોમાં હોબાળા અંગે ચોંકાવનારી વાત આવી સામે છે. આરોપીની રિકન્સ્ટ્રક્શન સમયે કરાયેલો હોબાળો સુનિયોજીત હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસ સ્ટેશન અને ભાજપ કાર્યાલય પર હોબાળો કરવાનાં આયોજનનો ઉલ્લેખ કરાયો છે. સમગ્ર મામલે પોલીસ અને હર્ષ સંઘવીને યશ મળે નહીં તે માટે હોબાળો કરાયાની આશંકા છે.

સુરતમાં સગીરાની છેડતીના આરોપી મહમ્મદ અઝીઝની ધરપકડ બાદ પોલીસે તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કરેલા. અનેક લોકોની પૂછપરછ અને ગુપ્ત રાહે કરેલી તપાસમાં પોલીસના હાથ એક ખૂબ મોટી કડી લાગી છે જેમાં આ સમગ્ર મામલો આમ આદમી પાર્ટી દ્વારા પ્રિ-પ્લાન્ડ હોવાની આશંકા છે. પોલીસને એક કોલ રેકોર્ડીંગ મળ્યું છે જેમાં આમ આદમી પાર્ટીમાં સુરતના વોર્ડ નંબર ૨૯ અલથાણના ઉમેદવાર જીવરામ પટેલનો માણસ એક વ્યક્તિ સાથે વાત કરીને તેને સૂચના આપે છે કે પોલીસે મહંમદને પકડી લીધો છે, તમારે જઈને તેણે પોલીસની જીપમાંથી બહાર ખેંચીને હોબાળો કરવાનો છે.

જરા પણ ઢીલા નહીં પડવાની સતત સૂચના આપતો આ માણસ એવું પણ સમજાવે છે કે આ કર્યા પછી ભાજપ કાર્યાલય અને પોલીસ સ્ટેશન પર જઈને પણ હોબાળો કરવાનો છે જેનાથી પાટીદારો આમ આદમી પાર્ટી તરફ વળશે અને ભાજપને ઘણું મોટું નુકસાન થશે.

આ વાઇરલ ઓડિયોથી રાજૂ કરપડાની ભવિષ્યવાણી સાચી ઠરી હોય તેવું લાગી રહ્યું છે. તેમણે અગાઉ ગુજરાતના લોકોને સાવધ કરતો વિડીયો પોસ્ટ કરેલો જેમાં તેમણે સ્પષ્ટ જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટી છેલ્લી ઘડીએ કોઈક મોટી ઘટના ઊભી કરશે જે સ્ક્રિપ્ટ હશે. આમ હવે આવનારા સમયમાં વધુ તપાસમાં સામે આવશે કે આ પૂર્વાયોજીત કાવતરૂ હતું કે ખરેખર બનેલી ઘટના

મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના કેસમાં ફરિયાદ નોંધાઈ, કોંગ્રેસના ઉમેદવારના પતિ સહિત 4 સામે ગુનો દાખલ

Breaking News: 12 છગ્ગા 5 ચોગ્ગા… વૈભવ સૂર્યવંશીએ IPLમાં વધુ એક સદી ફટકારી, આવું કરનાર પ્રથમ ખેલાડી બન્યો

સલામ છે પાડોશીને! મણિનગરમાં CBIના નામે વૃદ્ધ દંપતીને ડરાવતા ઠગોનો પ્લાન ફેલ, 23 લાખની છેતરપિંડી ટળી

અમદાવાદના મણિનગર વિસ્તારમાં સાયબર ક્રાઈમની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક જાગૃત પાડોશી અને વિદેશમાં રહેતી દીકરીની સતર્કતાને કારણે 70 વર્ષીય વૃદ્ધા અને તેમના પતિની ₹23 લાખની મરણમૂડી ચોરી થતા બચી ગઈ છે.

48 કલાકનો માનસિક ત્રાસ

મણિનગરના તપસ્વી એપાર્ટમેન્ટમાં રહેતા નિવૃત્ત દંપતીના સંતાનો વિદેશમાં હોવાથી તેઓ એકલા રહે છે. સાયબર ઠગોએ તેમને પહેલા પોલીસ અને બાદમાં CBI અધિકારી તેમજ જજ હોવાનો ડોળ કરીને ફોન પર 48 કલાક સુધી ‘ડિજિટલ એરેસ્ટ’માં રાખ્યા હતા. ઠગોએ દંપતી પર એવો માનસિક ડર પેદા કર્યો હતો કે તેઓ કોઈની સાથે વાત પણ કરી શકતા નહોતા. ઠગોએ તેમને બેંકની FD તોડાવીને ₹23 લાખ ટ્રાન્સફર કરવા માટે સતત દબાણ કર્યું હતું.

અમેરિકાથી દીકરીને થઈ શંકા

વૃદ્ધ દંપતીની અમેરિકા રહેતી દીકરી જ્યારે તેમની સાથે ફોન પર વાત કરી રહી હતી, ત્યારે તેને પિતાના વર્તનમાં શંકા ગઈ હતી. તેણે તરત જ પાડોશી મહિલાનો સંપર્ક કરીને ઘરે જઈને તપાસ કરવા વિનંતી કરી. પાડોશી મહિલા જ્યારે ઘરે પહોંચી ત્યારે સમગ્ર મામલો સામે આવ્યો અને તેમણે તુરંત પોલીસને જાણ કરી.

પોલીસે કર્યું પાડોશીનું સન્માન

પોલીસે સમયસર પહોંચીને વૃદ્ધ દંપતીને સાયબર ઠગોની ચુંગાલમાંથી મુક્ત કર્યા હતા. જો આ ભાંડો ન ફૂટ્યો હોત તો બીજા જ દિવસે દંપતી પોતાની આખી જિંદગીની કમાણી ઠગોને હવાલે કરી દેત. પોલીસે પાડોશી મહિલાની સતર્કતા બિરદાવી તેમનું સન્માન કર્યું છે.

બેંકો સાથે યોજાશે બેઠક

આવી ઘટનાઓ અટકાવવા માટે હવે પોલીસ બેંક અધિકારીઓ સાથે બેઠક યોજશે, જેથી જ્યારે પણ કોઈ સિનિયર સિટીઝન મોટી રકમ ઉપાડવા અથવા ટ્રાન્સફર કરવા આવે ત્યારે બેંક સતર્ક રહે. હાલ પોલીસે વૃદ્ધ દંપતીનું કાઉન્સેલિંગ કરીને તેમને આ આઘાતમાંથી બહાર લાવવા પ્રયાસ કર્યો છે.

(ઈનપુટ ક્રેડિટ: મિહિર સોની)

રાઘવ ચઢ્ઢાએ 7 સાંસદો સાથે ધારણ કર્યો કેસરીયો, જાણો પ્રોફેશનલ લાઈફથી પોલિટિક્સ સુધીની સફર

મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાના કેસમાં ફરિયાદ નોંધાઈ, કોંગ્રેસના ઉમેદવારના પતિ સહિત 4 સામે ગુનો દાખલ

મહેસાણામાં ભાજપ કોંગ્રેસના સમર્થકો વચ્ચે સર્જાયેલા ખૂની ખેલમાં વોર્ડ નંબર 4ના ભાજપ ઉમેદવારના ભાણાની હત્યા કેસમાં ફરિયાદ દાખલ કરાઈ છે. કોંગ્રેસ ઉમેદવારના પતિ સહિત 4 શખ્સો સામે ગુનો દાખલ કરાયો છે. પાલિકા ચૂંટણીની અદાવતમાં યુવકની ઘાતકી હત્યા કરાયાનો આરોપ છ. માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા માર્ગ પર બબાલ થઈ હતી. પહેલા બોલાચાલી કરી આરોપીઓએ ઘાતક હુમલો કર્યો હતો. મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. હુમલો સુનિયોજિત કાવતરૂ હતુ કે કેમ તે દિશામાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો છે.

સમગ્ર ઘટના ક્રમ પર નજર કરીએ તો વોર્ડ નં-4માં ભાજપમાંથી મહેન્દ્ર ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે કોંગ્રેસમાંથી લીલાબેન ચૌધરી ચૂંટણી રહ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યા મુજબ માનવ આશ્રમ ચોકડીથી તાવડિયા જતા માર્ગ પર રાત્રે 12.40 કલાકે બબાલ સર્જાઈ હતી. ભોગ બનનારના કેટલાં સંબંધીઓને લીલા ચૌધરીના પતિ સહિત અન્ય કેટલાંક શખ્સોએ આંતરીને બબાલ કરી હતી. જે બાદ નજીકમાં રહેલ ભાજપ ઉમેદવાર મહેન્દ્ર ચૌધરીનો ભાણો મિત્રો સાથે ત્યાં પહોંચ્યો હતો. ત્યારે આરોપીઓએ તેના પર પણ હુમલો કરી દીધો હતો. સામે પક્ષે કોંગ્રેસ ઉમેદવારના પતિ પણ ઘાયલ હોવાનું સામે આવ્યું છે.

સમગ્ર મામલે લીલા ચૌધરીના પતિ ભરત ચૌધરી સહિત ધવલ ચૌધરી, મયુર ચૌધરી અને યશ નામના શખ્સ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે. પોલીસનું કહેવું છે કે પ્રાથમિક દ્રષ્ટિએ બોલાચાલી બાદ વાત વણસ્યાનું સામે આવ્યું છે. છતાં આશંકા છે કે કોઈ ષડયંત્ર રચીને જ આ હત્યાને અંજામ આપ્યો હોઈ શકે.

ઘટનાને પગલે રેન્જ IG વિરેન્દ્રસિંહ યાદવ, જિલ્લા પોલીસ વડા સહિતનો કાફલો મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો. હાલ અલગ-અલગ ટીમ બનાવીને… આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથ ધરાઈ છે.

બીજી તરફ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોરે યુવકની હત્યાને ‘પોલિટિકલ હત્યા’ ગણાવી અને ઘટનાને મહેસાણા તેમજ સમગ્ર ગુજરાત માટે ખૂબ કલંકિત કહી. કોંગ્રેસ હાર ભાળી ગઈ હોવાથી હતાશામાં કોંગ્રેસે આયોજનપૂર્વક ઘેરીને 21 વર્ષીય યુવાનનો જીવ લીધો હોવાનો આક્ષેપ કર્યો. સાથે હત્યા મુદ્દે મૌન કોંગ્રેસના નેતાઓ પર પણ સવાલ ઉઠાવ્યા.

Input Credit- Manish Mistri- Mehsana

ગીરના રતાંગ ગામમાં બાળકીની પાછળ પડ્યો સિંહ, માંડ-માંડ બચ્યો જીવ – જુઓ Video

નોંધ:અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: બેંગલુરુમાં ચાલ્યો કોહલીનો જાદુ,  205 રન બનાવવા છતાં હાર્યું ગુજરાત

IPL 2026 ની 34મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ગુજરાત ટાઇટન્સને 5 વિકેટથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા, ટાઇટન્સને 205 રન બનાવ્યા, પરંતુ RCB એ વિરાટ કોહલી અને દેવદત્ત પડિકલની શાનદાર અડધી સદીને મદદથી આ લક્ષ્ય હાંસલ કર્યું. બેંગ્લોર તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 81 રન બનાવ્યા. તેણે 44 બોલનો સામનો કર્યો અને 4 છગ્ગા અને 8 ચોગ્ગા ફટકાર્યા. દેવદત્ત પડિકલે 27 બોલમાં 55 રન બનાવ્યા. આ જીત સાથે, RCB પોઈન્ટ ટેબલમાં 10 પોઈન્ટ સાથે રાજસ્થાન રોયલ્સને પાછળ છોડીને બીજા સ્થાને પહોંચી ગયું છે.

વિરાટ-પડિક્કલની આક્રમક બેટિંગ

206 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી બેંગ્લોરની શરૂઆત ખરાબ રહી. સિઝનની પોતાની પહેલી મેચ રમી રહેલા જેકબ બેથેલને સિરાજે 14 રન બનાવીને આઉટ કર્યો. મોટી વાત એ છે કે વિરાટ કોહલીને મેચના પહેલા જ બોલ પર જીવનદાન મળ્યું હતું. સિરાજની બોલિંગમાં સુંદરે કોહલીનો એક સરળ કેચ છોડ્યો હતો. વિરાટને જીવનદાન મળતાની સાથે જ ગુજરાત મુશ્કેલીમાં મુકાઈ ગયું. વિરાટ કોહલીએ પડિકલ સાથે મળીને ગુજરાતના બોલરો સામે આક્રમક બેટિંગ કરી. બંનેએ માત્ર 26 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી, જેનાથી RCBનો સ્કોર નવ ઓવરમાં 100 રનથી વધુ થઈ ગયો.

વિરાટ કોહલી સદી ચૂકી ગયો

પડિકલે છ છગ્ગા મારીને 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જ્યારે વિરાટ કોહલીએ 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. બંને બેટ્સમેનોએ 47 બોલમાં સદીની ભાગીદારી નોંધાવીને ગુજરાતને મેચમાંથી બહાર કરી દીધું. જોકે, વિરાટ કોહલી 81 રન બનાવી આઉટ થયો અને સદી ચૂકી ગયો. જેસન હોલ્ડરના બોલ પર કોહલી બોલ્ડ થયો હતો.

સાઈ સુદર્શનની સદી વ્યર્થ ગઈ

ગુજરાત ટાઇટન્સ માટે સાઈ સુદર્શને શાનદાર સદી ફટકારી. તેણે 58 બોલમાં 100 રન પૂરા કર્યા. ડાબા હાથના બેટ્સમેને તેની ત્રીજી IPL સદી ફટકારી અને સૌથી ઓછી ઇનિંગ્સમાં 2000 IPL રન પૂરા કરનાર ખેલાડી પણ બન્યો. જોકે, તેની ઇનિંગ નિષ્ફળ ગઈ. અંતે, RCBનો વિજય થયો.

Breaking News: દિલ્હી કેપિટલ્સના પ્રેક્ટિસ કેમ્પમાં મોટો અકસ્માત, બેટ્સમેનનો શોટ બોલરના ચહેરા પર વાગ્યો, ખેલાડી હોસ્પિટલમાં સારવાર હેઠળ

Breaking News: દિલ્હી કેપિટલ્સના પ્રેક્ટિસ કેમ્પમાં મોટો અકસ્માત, બેટ્સમેનનો શોટ બોલરના ચહેરા પર વાગ્યો, ખેલાડી હોસ્પિટલમાં સારવાર હેઠળ

દિલ્હી કેપિટલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચ પહેલા દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં એક મોટો અકસ્માત થયો. શુક્રવારે દિલ્હી કેપિટલ્સના પ્રેક્ટિસ સેશન દરમિયાન એક બોલર ઘાયલ થયો હતો. બોલરને ચહેરા પર ઈજા થઈ હતી. તે દિલ્હીનો નેટ બોલર હતો અને બેટ્સમેનના શોટથી તેના ચહેરા પર ઈજા થઈ હતી. બોલ બોલરને વાગતા જ ગભરાટ ફેલાઈ ગયો હતો અને તાત્કાલિક મેદાનમાં એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી. ખેલાડીની ઈજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

ખેલાડીના મોઢામાંથી લોહી નીકળ્યું

દિલ્હી કેપિટલ્સના આ ખેલાડી લોહીથી લથપથ જોવા મળ્યો હતો. તેને એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે પંજાબ કિંગ્સના મુખ્ય કોચ રિકી પોન્ટિંગ તેને મળ્યો હતો. પોન્ટિંગે ખેલાડીને ખાતરી આપી હતી કે બધું સારું થઈ જશે. આ ખેલાડી કોણ છે તે જાણી શકાયું નથી, પરંતુ હાલમાં તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

 

દિલ્હી અને પંજાબ વચ્ચે મુકાબલો

IPLના 35મા મુકાબલામાં દિલ્હી અને પંજાબ એકબીજા સામે ટકરાશે. આ મેચ દિલ્હી માટે સરળ નહીં હોય કારણ કે પંજાબ જોરદાર ફોર્મમાં છે. પંજાબે છમાંથી પાંચ મેચ જીતી છે અને એક મેચ રદ થઈ હતી, જેના પછી તે 11 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. દિલ્હીની વાત કરીએ તો, આ ટીમે છમાંથી ત્રણ મેચ જીતી છે અને ત્રણ હારી છે. દિલ્હીની ટીમ છઠ્ઠા સ્થાને છે. છેલ્લી મેચમાં દિલ્હીની બેટિંગ નિષ્ફળતાએ ચિંતા વધારી છે, જોકે ટીમના ખેલાડી ટ્રિસ્ટન સ્ટબ્સે ગજબ સમજૂતી આપી હતી.

 

દિલ્હીનીખરાબ બેટિંગ પર સ્ટબ્સનો જવાબ

દિલ્હી કેપિટલ્સના બેટ્સમેન ટ્રિસ્ટન સ્ટબ્સે તેની ટીમની બેટિંગ અંગેની ચિંતાઓનો જવાબ આપતા કહ્યું કે “અમારું પ્રદર્શન નબળું લાગે છે કારણ કે અમે દરેક મેચમાં લક્ષ્યોનો પીછો કરી રહ્યા છીએ. છેલ્લી મેચમાં, અમે એક જ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી અને અમારી બેટિંગ ખૂબ સારી નહોતી. છતાં, અમે 190 થી વધુ રન બનાવવામાં સફળ રહ્યા.”

Breaking News: ત્રણ સિઝન, ત્રણ સેન્ચુરી… સાઈ સુદર્શને RCB સામે ફટકારી શાનદાર સદી, નોંધાવી સ્પેશિયલ હેટ્રિક

Breaking News: ત્રણ સિઝન, ત્રણ સેન્ચુરી… સાઈ સુદર્શને RCB સામે ફટકારી શાનદાર સદી, નોંધાવી સ્પેશિયલ હેટ્રિક

ગુજરાત ટાઈટન્સના ઓપનર સાઈ સુદર્શને RCB સામે શાનદાર સદી ફટકારી હતી. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં જોરદાર બેટિંગ કરતા સુદર્શને 57 બોલમાં પોતાની સદી પૂરી કરી. આ સાઈ સુદર્શનની ત્રીજી IPL સદી હતી. સાઈ સુદર્શને 58 બોલમાં 100 રન બનાવ્યા. પોતાની સદી દરમિયાન સાઈ સુદર્શને સૌથી ઓછી ઇનિંગ્સમાં 2000 IPL રન પણ પૂરા કર્યા. સાઈ સુદર્શને માત્ર 47 ઇનિંગ્સમાં ત્રણ સદી ફટકારી છે અને સદીની હેટ્રિક પણ નોંધાવી હતી.

સાઈએ સદીઓની હેટ્રિક લગાવી

સાઈ સુદર્શને સદીઓની હેટ્રિક ફટકારી છે. આ સતત ત્રીજી સિઝન છે જેમાં તેણે ઓછામાં ઓછી એક સદી ફટકારી છે. સાઈ સુદર્શને IPL 2024 માં તેની પહેલી સદી ફટકારી હતી. ત્યારબાદ તેણે IPL 2025 માં બીજી સદી ફટકારી. હવે IPL 2026 માં સાઈ સુદર્શને ત્રીજી સદી ફટકારી છે.

 

57 બોલમાં સદી ફટકારી

સાઈ સુદર્શને RCBની મજબૂત બોલિંગ લાઇનઅપનો મજબૂત રીતે સામનો કર્યો. તેણે ક્રીઝ પર આવતાની સાથે જ ભુવનેશ્વર કુમાર અને હેઝલવુડ સામે આક્રમક બેટિંગ કરી. સાઈ સુદર્શને કેપ્ટન ગિલ સાથે મળીને 33 બોલમાં અડધી સદીની ભાગીદારી કરી. સુદર્શને પોતે 33 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. સુદર્શને બે છગ્ગા અને આઠ ચોગ્ગાની મદદથી પોતાની અડધી સદી પૂરી કરી. ત્યારબાદ સુદર્શને ગિલ સાથે 59 બોલમાં સદીની ભાગીદારી કરી અને સુદર્શને માત્ર 57 બોલમાં પોતાની સદી પૂરી કરી.

 

સાંઈ સુદર્શનનો શાનદાર રેકોર્ડ

પોતાની સદી દરમિયાન સાઈ સુદર્શને સૌથી ઓછી ઇનિંગ્સમાં 2000 IPL રન પૂરા કરવાનો રેકોર્ડ પણ તોડ્યો. સુદર્શને માત્ર 47 ઇનિંગ્સમાં 2000 રન પૂરા કર્યા અને ક્રિસ ગેલના 48 ઇનિંગ્સના રેકોર્ડને તોડી નાખ્યો. સાઈ સુદર્શને 47 IPL ઇનિંગ્સમાં 47.16 ની બેટિંગ એવરેજ સાથે 2028 રન બનાવ્યા છે. તેણે IPLમાં 3 સદી અને 13 અડધી સદી ફટકારી છે.

Breaking News: સાઈ સુદર્શને ક્રુણાલ પંડ્યાના બાઉન્સર પર એક હાથે ફટકાર્યો છગ્ગો, ક્રિસ ગેલનો મોટો રેકોર્ડ તોડ્યો

Breaking News: સાઈ સુદર્શને ક્રુણાલ પંડ્યાના બાઉન્સર પર એક હાથે ફટકાર્યો છગ્ગો, ક્રિસ ગેલનો મોટો રેકોર્ડ તોડ્યો

ગુજરાત ટાઈટન્સનો બેટ્સમેન સાઈ સુદર્શન અગાઉની મેચોમાં નિષ્ફળ રહ્યો હતો, પરંતુ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં RCB સામે તેણે કમાલ પ્રદર્શન કર્યું. સાઈ સુદર્શને RCBના બોલરોને ધોઈ નાખ્યા અને શાનદાર અડધી સદી ફટકારી. આ ખેલાડીએ ક્રિસ ગેલનો મોટો રેકોર્ડ પણ તોડ્યો. પોતાની ઇનિંગ દરમિયાન સાઈ સુદર્શને કૃણાલ પંડ્યાના બોલ પર એક હાથે છગ્ગો પણ ફટકાર્યો.

પાવરપ્લેમાં સાઈ સુદર્શનની ફટકાબાજી

RCBના બોલરો પર સુદર્શનનું ચક્ર જોરદાર ચાલ્યું હતું. સાઈ સુદર્શને ઇનિંગની શરૂઆતથી જ આક્રમક વલણ અપનાવ્યું હતું. તેણે પહેલા બોલર જોશ હેઝલવુડનો સામનો કર્યો. ગુજરાત ટાઈટન્સના પાવરપ્લેમાં સાઈ સુદર્શન જ ચવાયેલો રહ્યો, તે પાવરપ્લેની 36 માંથી 29 બોલ રમ્યો અને 46 રન બનાવ્યા.

 

કૃણાલ પંડ્યાના બાઉન્સર પર એક હાથે છગ્ગો

પછી, સાઈ સુદર્શને નવમી ઓવરમાં કૃણાલ પંડ્યાના બાઉન્સર પર કમાલ શોટ માર્યો. આ સિઝનમાં સ્પિનર ​​કૃણાલ પંડ્યા તેના બાઉન્સરથી બેટ્સમેનોને પરેશાન કરી રહ્યો છે, અને તેણે સાઈ સુદર્શન સામે પણ આવું જ કર્યું હતું, પરંતુ ગુજરાતના બેટ્સમેને એક અદભુત સિક્સર ફટકારી. સુદર્શને કૃણાલના બાઉન્સર પર એક હાથે અપર કટ શોટ માર્યો. સ્પિનરના અપર કટ પર સિક્સર બહુ ઓછા લોકોએ ફટકારી છે.

સાઈ સુદર્શને ક્રિસ ગેલનો રેકોર્ડ તોડ્યો

સાઈ સુદર્શને પોતાની ઇનિંગ દરમિયાન ક્રિસ ગેલનો રેકોર્ડ પણ તોડ્યો હતો. તે સૌથી ઓછી ઇનિંગમાં IPLમાં 2,000 રન પૂરા કરનાર ખેલાડી બન્યો છે. તેણે 47 ઇનિંગમાં 2,000 IPL રન પૂરા કર્યા છે. ગેલે 48 ઇનિંગમાં આ સિદ્ધિ મેળવી હતી.

Breaking News: સાત મેચમાં બે જીત અને પાંચ હાર, હવે મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં કેવી રીતે પહોંચશે? જાણો સમીકરણ

Breaking News: મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કુલ 13 ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા, અમ્પાયરના નિર્ણયથી હોબાળો મચી ગયો

IPL 2026 ની 33મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. મુંબઈ પોતાના હોમ ગ્રાઉન્ડ પર રમ્યું હતું, પરંતુ હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચ દરમિયાન એક અનોખી અને આશ્ચર્યજનક ઘટના બની જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ ટીમના કુલ 13 ખેલાડીઓ મેદાન પર રમતા જોવા મળ્યા. આનું એક મહત્વનું કારણ હતું. જોકે, અમ્પાયરના 13મા ખેલાડીને પરવાનગી આપવાથી પણ મોટો હોબાળો થયો હતો.

MI એ 13 ખેલાડીઓને મેદાનમાં ઉતાર્યા

સામાન્ય રીતે T20 મેચમાં ટીમ પ્લેઈંગ ઈલેવન ઉપરાંત ફક્ત ઈમ્પેક્ટ ખેલાડીઓનો ઉપયોગ કરે છે, જેનાથી કુલ 12 ખેલાડીઓ બને છે. જોકે, આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને કન્કશન સબસ્ટિટ્યુટનો પણ આશરો લેવો પડ્યો હતો, જેના પરિણામે 13 ખેલાડીઓ મેચમાં ભાગ લીધો હતો.

 

શાર્દુલ કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે MI માં રમ્યો

ન્યુઝીલેન્ડના સ્પિનર ​​મિશેલ સેન્ટનરને મેચ દરમિયાન ઈજા થઈ હતી. પ્રથમ ઇનિંગની 17મી ઓવરમાં કાર્તિક શર્માનો કેચ લેતી વખતે સેન્ટનરને ખભામાં ઈજા થઈ હતી. તે તેના ખભાને પકડીને ચાલતો જોવા મળ્યો હતો. ત્યાં સુધીમાં, તેણે ચાર ઓવર પૂરી કરી હતી, 44 રન આપીને એક વિકેટ લીધી હતી. નિયમો મુજબ, મુંબઈ ઈન્ડિયન્સે શાર્દુલ ઠાકુરને કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે ટીમમાં સામેલ કર્યો હતો.

MI ને કેમ મળ્યો કન્કશન સબ?

મેચ દરમિયાન જ્યારે કોઈ ખેલાડીને માથા કે ગરદનમાં ઈજા થાય છે ત્યારે કન્કશન સબસ્ટિટ્યુટનો નિયમ લાગુ પડે છે. અમ્પાયરના આ નિર્ણયથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો, કેટલાક ચાહકોએ તેને ખોટો નિર્ણય ગણાવ્યો હતો. શરૂઆતમાં, ખભામાં ઈજા થવાની શંકા હતી, પરંતુ રિપ્લેમાં માથામાં ઈજાની પુષ્ટિ થઈ હતી, જેના કારણે મુંબઈને રિપ્લેસમેન્ટ ખેલાડીનો ઉપયોગ કરવાની મંજૂરી મળી હતી.

 

એક ઈમ્પેક્ટ પ્લેયર, એક કન્કશન સબ

મુંબઈ ઈન્ડિયન્સે મેચમાં પહેલાથી જ ઈમ્પેક્ટ પ્લેયરનો ઉપયોગ કર્યો હતો. તેમણે અલ્લાહ ગઝનફરની જગ્યાએ દાનિશ માલેવરને ટીમમાં સામેલ કર્યો હતો. આ બે ફેરફારો (એક ઈમ્પેક્ટ પ્લેયર અને એક કન્કશન સબ) ના પરિણામે મુંબઈની ટીમમાંથી કુલ 13 ખેલાડીઓ મેચ રમવા મેદાનમાં આવ્યા. IPLમાં આ પ્રકારનો નિર્ણય ભાગ્યે જ જોવા મળે છે, તેથી જ મુંબઈના નિર્ણયથી બધાને આશ્ચર્ય થયું.

Breaking News: સંજુની સદી બાદ નૂર-અકીલના સ્પિનનો જાદુ, ચેન્નાઈએ મુંબઈને 103 રનથી હરાવ્યું

Breaking News: સંજુની સદી બાદ નૂર-અકીલના સ્પિનનો જાદુ, ચેન્નાઈએ મુંબઈને 103 રનથી હરાવ્યું

IPL 2026 ના 33મા મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સને મોટા અંતરથી હરાવ્યું. મુંબઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ ચેન્નાઈની વિસ્ફોટક બેટિંગ અને પછી શાનદાર બોલિંગે મુંબઈનેને સંપૂર્ણપણે ચકનાચૂર કરી દીધું. CSK એ 20 ઓવરમાં 207 રનનો મજબૂત સ્કોર બનાવ્યો અને મુંબઈને 19 ઓવરમાં માત્ર 104 રનમાં ઓલઆઉટ કરી દીધું. આ સાથે, ચેન્નાઈએ 103 રનથી જીત મેળવી. આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સની આ ત્રીજી જીત છે.

સંજુ સેમસનની વિસ્ફોટક સદી

ચેન્નાઈની ઇનિંગનો હીરો સંજુ સેમસન હતો. તેણે માત્ર 54 બોલમાં અણનમ 101 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેનો સ્ટ્રાઇક રેટ 187 થી વધુ હતો. સંજુએ શાનદાર શોટ્સ રમ્યા અને મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા. ઋતુરાજ ગાયકવાડે 22 રન, ડેવાલ્ડ બ્રેવિસે 21 રન અને કાર્તિક શર્માએ 18 રન બનાવ્યા. ટીમે પાવરપ્લેમાં ઝડપી શરૂઆત કરી અને વચ્ચેની ઓવરોમાં રન રેટ જાળવી રાખ્યો, જેના કારણે CSK 207 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું.

 

મુંબઈની ખરાબ બેટિંગ

આ મોટા લક્ષ્યના જવાબમાં, મુંબઈની શરૂઆત ખરાબ રહી. પાવરપ્લેમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. તિલક વર્માએ 37 રન અને સૂર્યકુમાર યાદવે 35 રન બનાવ્યા, પરંતુ બંને સિવાય કોઈ પણ બેટ્સમેન ખાસ પ્રભાવ પાડી શક્યો નહીં. પરિણામે, ટીમ 19 ઓવરમાં 104 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

 

હુસૈન –અહેમદની જોરદાર બોલિંગ

ચેન્નાઈની બોલિંગમાં અકીલ હુસૈન અને નૂર અહેમદનો દબદબો રહ્યો. હુસૈને ચાર ઓવરમાં માત્ર 17 રન આપીને ચાર વિકેટ લીધી. તેના ઘાતક સ્પિનથી મુંબઈની બેટિંગ સંપૂર્ણપણે ખતમ થઈ ગઈ. નૂર અહેમદે પણ બે વિકેટ લીધી. મુકેશ ચૌધરી, અંશુલ કંબોજ, જેમી ઓવરટન અને ગુર્જપનીત સિંહે એક-એક વિકેટ લીધી.

Breaking News: પાકિસ્તાની મૂળના ખેલાડીની IPL 2026 માં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સનો ચોંકાવનારો નિર્ણય

Breaking News: પાકિસ્તાની મૂળના ખેલાડીની IPL 2026 માં એન્ટ્રી, દિલ્હી કેપિટલ્સનો ચોંકાવનારો નિર્ણય

દિલ્હી કેપિટલ્સે IPL 2026 માં મોટો ફેરફાર જોયો છે. ઈંગ્લેન્ડના ઓપનર બેન ડકેટના રિપ્લેસમેન્ટની જાહેરાત કરવામાં આવી છે. દિલ્હી કેપિટલ્સે યુવા ઈંગ્લિશ લેગ-સ્પિનર ​​રેહાન અહેમદને તેના રિપ્લેસમેન્ટ તરીકે ટીમમાં સામેલ કર્યો છે. રેહાનને ₹75 લાખમાં સાઇન કરવામાં આવ્યો છે.

બેન ડકેટના રિપ્લેસમેન્ટની જાહેરાત

તમને જણાવી દઈએ કે, બેન ડકેટને ગયા વર્ષે ડિસેમ્બરમાં યોજાયેલી IPL હરાજીમાં દિલ્હી કેપિટલ્સે ₹2 કરોડમાં ખરીદ્યો હતો. IPLમાં આ તેની પહેલી તક હતી. જોકે, તેણે તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવા અને તેના ટેસ્ટ ફોર્મમાં સુધારો કરવા માટે IPLમાં ન રમવાનો નિર્ણય લીધો. છેલ્લી ઘડીએ તેની ખસી જવાને કારણે, BCCIએ તેને IPLમાંથી બે વર્ષ માટે પ્રતિબંધિત પણ કરી દીધો છે.

રેહાન અહેમદ દિલ્હીની ટીમમાં સામેલ

21 વર્ષીય રેહાન અહેમદ એક જમણા હાથનો લેગ સ્પિનર ​​છે જેણે ઈંગ્લેન્ડની નેશનલ ટીમ માટે પાંચ ટેસ્ટ, નવ વનડે અને 13 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. તેણે અત્યાર સુધીમાં 49 આંતરરાષ્ટ્રીય વિકેટ લીધી છે. તે બોલિંગ ઓલરાઉન્ડર તરીકે જાણીતો છે, લેગ-બ્રેક બોલિંગમાં ઉત્કૃષ્ટ છે અને ઉપયોગી બેટિંગ પણ કરે છે. રેહાન અહેમદનો પાકિસ્તાન સાથે પણ ખાસ સંબંધ છે.

 

View this post on Instagram

 

A post shared by Delhi Capitals (@delhicapitals)

 

IPLમાં પાકિસ્તાની મૂળના ખેલાડીની એન્ટ્રી

રેહાનનો જન્મ ઈંગ્લેન્ડના નોટિંગહામમાં થયો હતો, પરંતુ તેનો પરિવાર પાકિસ્તાની મૂળનો છે. તેના પિતા, નઈમ અહેમદનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો. નઈમ પોતે ભૂતપૂર્વ ક્રિકેટર હતા. જોકે, વધુ સારા જીવનની શોધમાં તેઓ 2001 માં ઈંગ્લેન્ડ ગયા અને ટેક્સી ડ્રાઇવર તરીકે કામ કરવાનું શરૂ કર્યું. આજે, તેમનો આખો પરિવાર ઈંગ્લેન્ડમાં સ્થાયી થયો છે.

 

 18 વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ માટે ડેબ્યૂ કર્યું

રેહાને 2022 માં માત્ર 18 વર્ષની ઉંમરે ઈંગ્લેન્ડ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું, જેના કારણે તે ટેસ્ટ ક્રિકેટમાં ઈંગ્લેન્ડનો સૌથી યુવા ડેબ્યુ કરનાર ખેલાડી બન્યો હતો. તેણે પાકિસ્તાન સામે પોતાની ડેબ્યુ મેચ રમી હતી.

Breaking News: વાનખેડેમાં મુંબઈ સામે સંજુ સેમસનની આતશબાજી, ફટકારી સિઝનની બીજી સદી

Breaking News: વાનખેડેમાં મુંબઈ સામે સંજુ સેમસનની આતશબાજી, ફટકારી સિઝનની બીજી સદી

ચેન્નાઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસને IPL 2026 માં વધુ એક વિસ્ફોટક ઇનિંગ રમી. તેણે સિઝનની 33મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે શાનદાર સદી ફટકારી. આ સંજુ સેમસનની ચાર મેચમાં બીજી સદી છે. આ પહેલા તેણે દિલ્હી કેપિટલ્સ સામે સદી ફટકારી હતી. વાનખેડે સ્ટેડિયમમાં, તેણે ધમાકેદાર પ્રદર્શન કરતા મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા.

સંજુ સેમસને સિઝનની બીજી સદી ફટકારી

સંજુ સેમસનની આ સિઝનની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ હવે તેણે જોરદાર વાપસી કરી છે. ફરી એકવાર, તેણે પોતાની વિસ્ફોટક બેટિંગ કુશળતા દર્શાવી. વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ સામેની તેની ધમાકેદાર ઇનિંગમાં, તેણે માત્ર 54 બોલમાં અણનમ 101 રન બનાવ્યા, જેમાં 10 ચોગ્ગા અને છ છગ્ગાનો સમાવેશ થાય છે, તેનો સ્ટ્રાઇક રેટ 187.03 રહ્યો છે. ખાસ વાત એ છે કે તેણે ઈનિંગના છેલ્લા બોલ પર એક ચોગ્ગા સાથે પોતાની સદી પૂર્ણ કરી.

 

ચેન્નાઈ માટે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન

સંજુ સેમસનની ઇનિંગ્સ રેકોર્ડથી ભરેલી હતી. આ સદી સાથે, સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી વધુ સદીઓ ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ટોચના સ્થાને પહોંચી ગયો છે. તેના સિવાય, ફક્ત ઋતુરાજ ગાયકવાડ, મુરલી વિજય અને શેન વોટસને જ CSK માટે બે સદી ફટકારી છે. જોકે, ઇનિંગ્સની દ્રષ્ટિએ તે ચાર્ટમાં આગળ છે.

 

ખાસ યાદીમાં સંજુની એન્ટ્રી

આ સંજુ સેમસનની IPL કારકિર્દીની પાંચમી સદી છે. આ સાથે, તે IPLમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં સંયુક્ત ચોથા સ્થાને પહોંચી ગયો છે. IPL ઇતિહાસમાં સૌથી વધુ સદી ફટકારવા મામલે વિરાટ કોહલી ટોપ પર છે. તેણે 8 સદી ફટકારી છે. બીજા ક્રમે 7 સદી સાથે જોસ બટલર અને ત્રીજા ક્રમે 6 સદી સાથે ક્રિસ ગેલ છે. કેએલ રાહુલ અને સંજુ સેમસન પાંચ સદી સાથે ચોથા ક્રમે છે.

 

CSKએ બોર્ડ પર મોટો સ્કોર બનાવ્યો

સંજુ સેમસનની ઇનિંગના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 207 રનનો સ્કોર બનાવ્યો. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પણ 22 રન બનાવ્યા, જ્યારે ડેવાલ્ડ બ્રેવિસે 21 રન અને કાર્તિક શર્માએ 18 રનનું યોગદાન આપ્યું.

Breaking News: સંજુ સેમસને હાર્દિક પંડ્યાની બોલિંગ કરી બરબાદ, 12 બોલમાં કરી જોરદાર ફટકાબાજી

મુંબઈ ઈન્ડિયન્સ સામે CSKના ખેલાડીઓએ કેમ બાંધી કાળી પટ્ટી? – ટીમે આવુ કરીને કોના માટે વ્યક્ત કર્યો શોક વાંચો

 

વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ચાલી રહેલી એલ ક્લાસિકો મેચમાં, ચેન્નાઈના ખેલાડીઓ એક ભાવુક કારણથી હાથ પર કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા છે. ટોસ અને પ્લેઈંગ ઈલેવન સંબંધિત મુખ્ય અપડેટ્સ ઉપરાંત, આ મેચ દરમિયાન શોકનું મોજું પણ જોવા મળી રહ્યુ છે.

CSK ના ખેલાડીએ કેમ બાંધી કાળી પટ્ટી?

ગુરુવારે વાનખેડે ખાતે, ચેન્નાઈ સુપર કિંગ્સના બધા ખેલાડીઓ તેમના હાથમાં હાથે કાળી પટ્ટી બાંધીને રમી રહ્યા છે. ખેલાડીઓએ આ રીતે ચેન્નાઈના ફાસ્ટ બોલર મુકેશ ચૌધરીની માતાને શ્રદ્ધાંજલિ આપી છે. જેનું મંગળવારે લાંબી બીમારી બાદ અવસાન થયું હતું. મેચ પહેલા, CSK મેનેજમેન્ટે એક નિવેદન બહાર પાડીને કહ્યું, “CSK પરિવાર મુકેશ ચૌધરીની માતાના અવસાન પર શોક વ્યક્ત કરે છે. આ મુશ્કેલ સમયમાં, અમે મુકેશ અને તેના પરિવાર સાથે ઉભા છીએ, અને અમારી પ્રાર્થનાઓ તેમની સાથે છે.”

‘એલ ક્લાસિકો’માંથી રોહિત અને ધોની બંને બહાર

મુંબઈ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આ મેચ એક દુર્લભ ઐતિહાસિક સંયોગ જોવા મળી રહ્યો છે. IPLના બે સૌથી મોટા આઇકોન રોહિત શર્મા અને એમએસ ધોની પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો નથી. રોહિત શર્મા હેમસ્ટ્રિંગની સમસ્યાને કારણે સતત ત્રીજી મેચ થી બહાર છે. જ્યારે થાલા, એમએસ ધોની ની રાહ વધુ લંબાઈ છે; પગના સ્નાયુઓના ખેંચાણને કારણે, ધોનીને સિઝનની તેની પહેલી મેચ રમવા માટે ફિટ ન હતો.

 

ધોનીની વાપસીમાં વિલંબ: 25 દિવસ પછી પણ મેદાનથી દૂર

44 વર્ષીય એમએસ ધોની અંગે, શરૂઆતની આશાઓ સૂચવે છે કે તે ફક્ત પહેલા બે અઠવાડિયા માટે જ બહાર રહેશે; જોકે, તેની રિકવરી પ્રક્રિયામાં હવે 25 દિવસ વીતી ગયા છે. પાંચ વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ હાલમાં પોઈન્ટ ટેબલ પર 8મા સ્થાને સંઘર્ષ કરી રહી છે, અને ટીમને તેના સૌથી અનુભવી ખેલાડીની ખોટ સાલતી રહી છે. ધોનીએ પ્રેક્ટિસ સત્રમાં ભાગ લીધો હોવા છતાં, મેનેજમેન્ટ, તેની સાથે કોઈ જોખમ લેવા તૈયાર ન હોવાથી, તેને પ્લેઇંગ ઇલેવનમાં સામેલ નથી કર્યો.

Breaking News: રાજસ્થાન રોયલ્સે દમદાર બોલિંગના દમ પર લખનૌ સુપરજાયન્ટ્સને 40 રનથી હરાવ્યું

IPL 2026 માં લખનૌ સુપરજાયન્ટ્સનું ખરાબ પ્રદર્શન ચાલુ છે. તેઓ રાજસ્થાન રોયલ્સ સામે 160 રનના લક્ષ્યાંકને પણ પ્રાપ્ત કરવામાં નિષ્ફળ રહ્યા. લખનૌ 18 ઓવરમાં ફક્ત 119 રન જ બનાવી શક્યું. 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લેનાર જોફ્રા આર્ચરે રાજસ્થાનની જીતનો હીરો બન્યો. તેની દમદાર બોલિંગને કારણે લખનૌ સુપરજાયન્ટ્સને સતત ચોથી હારનો સામનો કરવો પડ્યો. દરમિયાન, રાજસ્થાને પોતાની પાંચમી મેચ જીતી અને હવે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. દરમિયાન, લખનૌ નવમા ક્રમે ફેંકાયું છે.

વૈભવ-યશસ્વી-ધ્રુવ ફ્લોપ

રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી. યશસ્વી જયસ્વાલે 12 બોલમાં ૨22૨ રન બનાવ્યા. વૈભવ સૂર્યવંશીએ 11 બોલમાં માત્ર 8 રન બનાવ્યા. વિકેટકીપર ધ્રુવ જુરેલ પહેલા જ બોલ પર આઉટ થયો. કેપ્ટન પરાગે પણ 19 બોલમાં 20 રન બનાવ્યા. પરંતુ છઠ્ઠા નંબરે બેટિંગ કરી કરવા આવેલા રવિન્દ્ર જાડેજાએ 29 બોલમાં અણનમ 43 રન બનાવીને રાજસ્થાનને લડાયક સ્કોર આપ્યો.

પંત-બદોની-માર્કરામ o પર આઉટ

લખનૌને ફક્ત 160 રનની જરૂર હતી, પરંતુ તેની શરૂઆત ખૂબ જ ખરાબ રહી. તેમણે પ્રથમ ત્રણ ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. પહેલા આયુષ બદોની 0 રન બનાવીને રન આઉટ થયો. કેપ્ટન પંત o રન બનાવીને આઉટ થયો, અને એડન માર્કરામ પણ રન બનાવવામાં નિષ્ફળ ગયો. ત્યારબાદ નિકોલસ પૂરને 22 રનનું યોગદાન આપ્યું. લખનૌ માટે ઓપનર મિશેલ માર્શે 55 રન બનાવ્યા, પરંતુ તેના આઉટ થવાથી લખનૌની જીતની આશા ખતમ થઈ ગઈ.

રાજસ્થાનના બોલરોનું શાનદાર પ્રદર્શન

રાજસ્થાનના પાંચેય બોલરોએ અસાધારણ રીતે સારું પ્રદર્શન કર્યું. જોફ્રા આર્ચરે 4 ઓવરમાં 20 રન આપીને 3 વિકેટ લીધી. નાંદ્રે બર્ગરે 27 રન આપીને 2 વિકેટ લીધી. બ્રિજેશ શર્માએ 18 રન આપીને 2 વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજા અને બિશ્નોઈએ 1-1 વિકેટ લીધી.

પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન બીજા સ્થાને

IPL 2026 પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સે બીજા સ્થાને પહોંચી મોટી છલાંગ લગાવી છે. રાજસ્થાને સાત મેચમાં 10 પોઈન્ટ મેળવ્યા છે. પંજાબ કિંગ્સે છ મેચમાંથી પાંચ જીતીને પ્રથમ સ્થાને છે. RCB છ મેચમાં આઠ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. સનરાઈઝર્સ હૈદરાબાદ સાત મેચમાંથી આઠ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.

Breaking News: IPL 2026માં ત્રીજીવાર રિષભ પંત થયો ઈજાગ્રસ્ત, બોલ સીધો તેના નાક પર વાગ્યો, જાણો કેવી રીતે થયો અકસ્માત

Breaking News: IPL 2026માં ત્રીજીવાર રિષભ પંત થયો ઈજાગ્રસ્ત, બોલ સીધો તેના નાક પર વાગ્યો, જાણો કેવી રીતે થયો અકસ્માત

લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન રિષભ પંતનો સમય કદાચ સારો નથી ચાલી રહ્યો. એક તરફ તેની ટીમ લખનૌ IPLમાં નિરાશાજનક પ્રદર્શન કરી રહી છે અને બીજી તરફ તે સતત ઈજાગ્રસ્ત થઈ રહ્યો છે. RCB સામે ઈજાગ્રસ્ત થયા બાદ રિટાયર્ડ હર્ટ થયેલા પંતને રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં પણ ઈજા થઈ હતી.

બોલ પંતના નાકમાં વાગ્યો

પંતને વિકેટકીપિંગ કરતી વખતે આ ઈજા થઈ હતી. રાજસ્થાનની ઇનિંગ્સની 11મી ઓવરમાં, એક ફિલ્ડરે ચોથા બોલ પર બોલ ફેંક્યો અને તે સીધો પંતના નાકમાં વાગ્યો. વાસ્તવમાં, થ્રો અચાનક પીચ પરથી ઉછળીને પંતના નાકમાં વાગ્યો. જેનાથી પંતને સ્વસ્થ બચવાની તક પણ મળી નહીં.

મેચ તાત્કાલિક રોકવી પડી

પંતને બોલ વાગતાની સાથે જ મેચ તાત્કાલિક રોકવી પડી. લખનૌ સુપર જાયન્ટ્સના ફિઝિયોએ આવીને પંતની તપાસ કરી. બોલ પંતના નાક પર વાગ્યો, પરંતુ સદનસીબે, તેને ગંભીર ઈજા થઈ ન હતી. જોકે, જો બોલ સહેજ પણ વિરુદ્ધ દિશામાં વાગ્યો હોત, તો તેની આંખમાં ઈજા થઈ શકી હોત. એકંદરે, પંત ખૂબ નસીબદાર હતો.

 

IPL 2026માં ત્રીજીવાર પંત થયો ઈજાગ્રસ્ત

IPL 2026 માં રિષભ પંતની આ ત્રીજી ઈજા છે. અગાઉ RCB સામે ડાબા હાથમાં કોણીમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને રીટાયર્ડ હર્ટ થવાની ફરજ પડી હતી. ત્યારબાદ પંજાબ કિંગ્સ સામે તેના જમણા હાથમાં ઈજા થઈ હતી, અને હવે તેને નાકમાં ઈજા થઈ છે.

પંતે શાનદાર કેચ પકડ્યો

રાજસ્થાન સામે રિષભ પંતે શાનદાર કેચ પણ પકડ્યા હતા. યશસ્વી જયસ્વાલે શમીના બાઉન્સર પર પુલ શોટ રમ્યો. બોલ જયસ્વાલના ગ્લોવ્ઝ પર વાગ્યો અને પંતે શાનદાર કેચ પકડવા માટે કૂદકો માર્યો. જોકે, 15મી ઓવરના પાંચમા બોલ પર પંતની ભૂલને કારણે લખનૌને વિકેટ ના મળી. 15મી ઓવરમાં ફરેરાને રન આઉટ કરવાની તક મળી, પરંતુ પંતે બોલ પકડતા પહેલા જ બેલ્સ ઉડાવી દીધા, જેનાથી રાજસ્થાનના બેટ્સમેનને જીવનદાન મળ્યું.

Breaking News: દુનિયાનો સૌથી ખતરનાક ફિનિશર કોણ છે? ધોનીથી આગળ છે કોઈ ખેલાડી?

Breaking News: વૈભવ સૂર્યવંશીનો કમાલ, IPLમાં સૌથી ઝડપી 500 રન બનાવનાર ખેલાડી બન્યો, દિગ્ગજોને પાછળ છોડ્યા

Breaking News : પંજાબ કિંગ્સને મોટો ઝટકો, સૌથી વધુ રન બનાવનાર ખેલાડી અચાનક ભારત છોડી ગયો, આ છે કારણ

ગજબ કહેવાય, વડોદરામાં ગલુડીયાની ચોરી ! કોથળામાં ભરીને મહિલાઓ કારમાં ભાગી, વીડિયો વાયરલ

વડોદરા શહેરમાં પશુઓ સાથે ક્રૂરતા દાખવતો એક ચોંકાવનારો ગજબનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરા શહેરમાં ત્રણ ગલુડિયાઓને મોટા કોથળામાં ભરીને કારમાં લઈ જતી કેટલીક મહિલાઓનો વીડિયો સોશિયલ મીડિયા પરખૂબ જ વાયરલ થયો છે, જેના પગલે પ્રાણી પ્રેમીઓમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે.

આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણી મહિલાઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ફરિયાદ અમદાવાદ સ્થિત એક એનિમલ વેલફેર એનજીઓ ચલાવતા અને ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત એક લેક્ચરરે નોંધાવી છે. વીડિયોમાં સ્પષ્ટ જોવા મળે છે કે, મહિલા ગલુડિયાઓને કોથળામાં મૂકી કારમાં લઈ જઈ રહ્યા છે, જે પ્રાણી ક્રૂરતાનો ગંભીર કેસ ગણાઈ શકે છે.

પોલીસે જણાવ્યું છે કે, વાયરલ થયેલા વીડિયાના આધારે, ગુલડીયાની ચોરીની ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. કોથળામાં ગલુડિયાઓને લઈ જતી મહિલાઓ કોણ છે તેની ઓળખ મેળવવા માટે પ્રયાસો ચાલી રહ્યા છે. સાથે જ કારના ડ્રાઈવર અંગે પણ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે.

સ્થાનિક પ્રાણી પ્રેમી સંગઠનો દ્વારા, ગલુડીયાઓ પ્રત્યે ક્રુરતા આચરનાર મહિલા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી છે. પોલીસે, પશુ પ્રેમીઓને વિશ્વાસ આપ્યો છે કે તપાસ પૂર્ણ થયા બાદ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ગુજરાતની ધરતી પર જાપાનીઝ ચમત્કાર ! બુલેટ ટ્રેન માટે તૈયાર થઈ રહ્યો છે ‘લોખંડી’ માર્ગ, જાણો શું છે આ J-સ્લેબની ખાસિયત

Breaking News: અભિષેક શર્માની સદીના દમ પર હૈદરાબાદે દિલ્હીને હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

મંગળવારે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં તોફાન આવ્યું અને આ તોફાન અભિષેક શર્માના બેટથી આવ્યું હતું, જેણે તોફાની ઇનિંગ રમીને સનરાઇઝર્સ હૈદરાબાદને જીત અપાવી હતી. IPL 2026 ની 31મી મેચમાં, હૈદરાબાદની ટીમે દિલ્હીને એકતરફી રીતે 47 રનથી હરાવ્યું.

હૈદરાબાદે 242 રન બનાવ્યા

પહેલા બેટિંગ કરતા, હૈદરાબાદ 20 ઓવરમાં 242 રન બનાવ્યા, જેના જવાબમાં દિલ્હીની ટીમ ફક્ત 195 રન જ બનાવી શકી. હૈદરાબાદની જીતનો હીરો અભિષેક શર્મા હતો, જેણે 68 બોલમાં અણનમ 135 રન બનાવ્યા. અભિષેક ઉપરાંત, ટ્રેવિસ હેડે 37, ઇશાન કિશને 25 રન બનાવ્યા. હેનરિક ક્લાસેને 13 બોલમાં અણનમ 37 રન બનાવ્યા.

અભિષેક શર્માની આક્રમક સદી

હૈદરાબાદમાં દિલ્હીના કેપ્ટન અક્ષર પટેલે ટોસ જીત્યો, પરંતુ સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેનોએ જીત મેળવી. હૈદરાબાદના ઓપનર અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે હૈદરાબાદને ધમાકેદાર શરૂઆત અપાવી. ખાસ કરીને અભિષેક શર્માએ પાવરપ્લેમાં દિલ્હીના બોલરોને ધોઈ નાખ્યા. હૈદરાબાદે પાવરપ્લેમાં 67 રન બનાવ્યા અને માત્ર 28 બોલમાં ફિફ્ટી સુધી પહોંચી ગયું. અભિષેક શર્માએ પોતાની હાફ સેન્ચુરી સુધી પહોંચવા માટે માત્ર 25 બોલ લીધા. આ પછી ટ્રેવિસ હેડની વિકેટ પડી, પરંતુ અભિષેક અટક્યો નહીં. તેણે કેપ્ટન ઇશાન કિશન સાથે મળીને 35 બોલમાં 79 રન ઉમેર્યા.

અભિષેકે 10 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા

અભિષેકે દિલ્હીના બોલરોની જોરાર ધુલાઈ કરી. તેણે નીતિશ રાણા સામે પાંચ છગ્ગા ફટકાર્યા, અને કુલદીપ યાદવની બોલિંગમાં બે છગ્ગા ફટકાર્યા. અભિષેકે તેની ઇનિંગમાં 10 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા, અંતિમ ઓવરના છેલ્લા બોલ સુધી અણનમ રહ્યો. આ દરમિયાન, ક્લાસેન પણ ધમાકેદાર ઇનિંગ રમ્યો, જેમાં ત્રણ છગ્ગા અને ત્રણ ચોગ્ગાની મદદથી 37 રન બનાવ્યા.

હૈદરાબાદે દિલ્હીને 47 રનથી હરાવ્યું

દિલ્હીની શરૂઆત ખરાબ રહી હતી. પથુમ નિસન્કા 8 રન બનાવીને આઉટ થયો હતો. જોકે, કેએલ રાહુલ અને નીતિશ રાણાએ ત્યારબાદ મજબૂત ભાગીદારી નોંધાવી. નીતિશ રાણાએ 30 બોલમાં 57 રન બનાવ્યા. કેએલ રાહુલે પણ 23 બોલમાં 37 રન બનાવ્યા. જોકે, તેમની બેટિંગ દિલ્હીને જીત અપાવી શકી નહીં. હૈદરાબાદ તરફથી એહસાન મલિંગાએ 4 વિકેટ લીધી, જ્યારે હર્ષ દુબેએ 3 વિકેટ લીધી. શાકિબ હુસૈન અને મધુશંકાએ 1-1 વિકેટ લીધી.

પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર

હૈદરાબાદની જીત અને દિલ્હીની હારથી પોઈન્ટ ટેબલમાં મોટો ફેરફાર થયો છે. હૈદરાબાદ હવે સાત મેચમાંથી ચાર જીત સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ ચોથા સ્થાને ખસી ગયું છે. પંજાબ પ્રથમ સ્થાને છે, જ્યારે RCB બીજા સ્થાને છે.

Breaking News: અભિષેક શર્માએ કર્યો મોટો કમાલ, ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં પહેલીવાર કોઈ ખેલાડીએ આટલા બઘા છગ્ગા ફટકાર્યા

Breaking News: છગ્ગા ફટકારવાની રેસમાં આગળ નીકળ્યો અભિષેક શર્મા, 24 કલાક પછી વૈભવ સૂર્યવંશી ફરી બનશે નંબર-1?

 

Breaking News: છગ્ગા ફટકારવાની રેસમાં આગળ નીકળ્યો અભિષેક શર્મા, 24 કલાક પછી વૈભવ સૂર્યવંશી ફરી બનશે નંબર-1?

બે ડાબા હાથના બેટ્સમેન. બંને પોતપોતાની ટીમ માટે ઓપનિંગ કરે છે. બંનેની રમતની એક અનોખી શૈલી છે- દરેક બોલને બાઉન્ડ્રીની પાર મોકલવો. જેથી તેમની વચ્ચે સ્પર્ધા (રેસ) સ્વાભાવિક છે. આ બે બેટ્સમેન અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી છે, જેઓ હાલમાં IPL 2026 માં સૌથી વિસ્ફોટક ઓપનરોમાં સામેલ છે. તેઓ ફક્ત રન માટે જ નહીં, પણ છગ્ગા ફટકારવા માટે પણ રેસ કરી રહ્યા છે. આવી જ એક રેસમાં અભિષેક શર્મા હાલમાં નંબર વન બની ગયો છે.

અભિષેક શર્માની સદી

સનરાઇઝર્સ હૈદરાબાદના સ્ટાર ઓપનર અભિષેક શર્માને સિઝનની શરૂઆતમાં પોતાની લય શોધવામાં મુશ્કેલી પડી રહી હતી. જોકે, તે ફોર્મમાં પાછો ફર્યો છે, અને તેણે દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. દિલ્હી સામે હૈદરાબાદના વિસ્ફોટક ઓપનરે ધમાકેદાર સદી ફટકારી અને ટીમને મજબૂત શરૂઆત અપાવી.

 

પાવરપ્લેમાં અભિષેકના નામે સૌથી વધુ છગ્ગા

સદી પૂરી કરતા પહેલા અભિષેકે પાવરપ્લેમાં જ પોતાનો ઈરાદો સ્પષ્ટ કરી દીધો હતો. તેણે દિલ્હીના દરેક બોલરને બાઉન્ડ્રી ફટકારી. પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં અભિષેકે ફક્ત 19 બોલમાં 42 રન બનાવ્યા, જેમાં ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે. આ ત્રણ છગ્ગા સાથે અભિષેક આ સિઝનમાં પાવરપ્લેમાં સૌથી વધુ છગ્ગા મારનાર બેટ્સમેન બની ગયો. તેણે હવે સાત ઇનિંગ્સમાં પાવરપ્લેમાં 18 છગ્ગા ફટકાર્યા છે.

24 કલાક પછી વૈભવ પાસે તક

અભિષેકે હવે આ રેસમાં રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર વૈભવ સૂર્યવંશીને પાછળ છોડી દીધો છે. માત્ર 15 વર્ષની ઉંમરે વૈભવે છ ઇનિંગ્સમાં પાવરપ્લેમાં 17 છગ્ગા ફટકાર્યા છે. અભિષેકે 21 એપ્રિલની સાંજે આ સિદ્ધિ હાંસલ કરી હતી, જો કે માત્ર 24 કલાક પછી વૈભવ પાસે અભિષેકને પાછળ છોડી દેવાની તક હશે. રાજસ્થાન 22 એપ્રિલ, બુધવારના રોજ લખનૌ સુપરજાયન્ટ્સ સામે ટકરાશે. શું વૈભવ આ રેસમાં અભિષેકને પાછળ છોડી શકશે કે પછી અભિષેક જ નંબર વન રહેશે કાલની મેચમાં ખબર પડશે.

 

અભિષેકની શાનદાર ઈનિંગ

આ મેચની વાત કરીએ તો, અભિષેક શર્માએ માત્ર 47 બોલમાં પોતાની સદી ફટકારી, જે IPLમાં તેની બીજી સદી હતી. નોંધપાત્ર વાત એ છે કે, તે આખી 20 ઓવર સુધી ટકી રહ્યો અને અંતે અણનમ રહ્યો. અભિષેકે 68 બોલમાં 135 રનની ધમાકેદાર ઇનિંગ રમી, જેમાં 10 ચોગ્ગા અને 10 છગ્ગાનો સમાવેશ થાય છે. હેનરિક ક્લાસેને પણ માત્ર 13 બોલમાં અણનમ 37 રન બનાવીને સનરાઇઝર્સને 242 રન સુધી પહોંચાડવામાં મદદ કરી.

Breaking News: અભિષેક શર્માએ દિલ્હી સામે શાનદાર સદી ફટકારી, વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી

ભરૂચ: ‘રોડ, રસ્તા અને ગટર આપો નહિતર વોટ ભૂલી જાઓ’, 200 પરિવારોએ મતદાન રોકવાની આપી ચીમકી

ભરૂચમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ જનતા હવે નેતાઓના પોલા વચનોથી કંટાળી ગઈ છે. ભરૂચના એક રહેણાંક વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકોએ આક્રમક વલણ અપનાવ્યું છે. અંદાજે 200 જેટલા મકાનો ધરાવતી સોસાયટીના રહીશોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ ગટર, ખરાબ રસ્તા અને પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, છતાં તંત્ર કે નેતાઓ કોઈ સાંભળતું નથી.

સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે ‘કામ નહીં તો વોટ નહીં’. જો ચૂંટણી પહેલા તેમની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી નહીં મળે તો તેઓ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. આટલું જ નહીં, હવે લોકો નેતાઓને સોસાયટીમાં પ્રચાર માટે પણ આવવા દેવાના મૂડમાં નથી. ચૂંટણી ટાણે જનતાનો આ આક્રોશ ઉમેદવારો માટે ચિંતાનો વિષય બન્યો છે.

(ઈનપુટ ક્રેડિટ; અંકિત મોદી)

અરવલ્લીમાં વર્ગખંડમાં જ દારૂ પીને લથડિયા ખાતો ઝડપાયો શિક્ષક, શું આવા ગુરુઓ ઘડશે બાળકોનું ભવિષ્ય?

Breaking News : અક્ષર પટેલની IPLમાં સ્પેશિયલ સદી, સનરાઈઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઉતરતા જ કર્યો કમાલ

Breaking News: ચાર મેચમાં હાર બાદ મુંબઈ ઈન્ડિયન્સની જીત, તિલક-અશ્વિનીના દમ પર ગુજરાતને કચડી નાખ્યું

સતત ચાર મેચ હાર્યા બાદ, પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે આખરે વિજયનો સ્વાદ ચાખ્યો. IPL 2026 ની પહેલી મેચ જીત્યા બાદ સતત હારનો સામનો કરી રહેલી મુંબઈએ એકતરફી મેચમાં ગુજરાત ટાઇટન્સને 99 રનથી હરાવ્યું. તિલક વર્માની પહેલી IPL સદીના આધારે મુંબઈએ 199 રન બનાવ્યા, તો સતત છ મેચમાં ખાલી હાથે રહેલા બુમરાહે પણ પહેલી વિકેટ લઈને બોલિંગમાં ટીમને શાનદાર શરૂઆત અપાવી. ત્યારબાદ સિઝનની પોતાની પહેલી મેચ રમી રહેલા અશ્વિની કુમારે ચાર વિકેટ લઈને મુંબઈની જીત પર મહોર લગાવી.

ચાર હાર બાદ મુંબઈની જીત

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી IPL 2026 ની 30મી મેચમાં ગુજરાત ટાઇટન્સને કારમી હારનો સામનો કરવો પડ્યો. જોકે, જ્યારે મેચ શરૂ થઈ ત્યારે ભાગ્યે જ કોઈએ આની અપેક્ષા રાખી હશે. ખાસ કરીને કાગીસો રબાડા (3/33) એ પોતાની સ્પીડથી મુંબઈને પાવરપ્લેમાં માત્ર 44 રનમાં ત્રણ વિકેટે લઈ ઝટકો આપ્યો હતો. પરંતુ ત્યારબાદ નમન ધીર (45) એ શાનદાર ઇનિંગ રમીને ટીમને મજબૂત સ્થિતિમાં મુક્યું અને 100 રનની નજીક પહોંચાડી.

તિલક વર્મા શાનદાર સદી

પરંતુ આ પછી, આખી ઇનિંગ તિલક વર્માની થઈ ગઈ. અગાઉની 5 મેચમાં ફક્ત 43 રન બનાવનાર તિલક આ મેચમાં ફક્ત 45 બોલમાં શાનદાર સદી ફટકારી હતી. એક સમયે, તિલક 22 બોલમાં ફક્ત 19 રન બનાવીને રમી રહ્યો હતો, પરંતુ અહીંથી તે અચાનક આક્રમક બની ગયો અને બોલિંગ કરી રહેલા ગુજરાતના બોલરોની જોરદાર ધુલાઇ કરી. બીજી તરફ, હાર્દિક પંડ્યા ફક્ત જોતો રહ્યો અને 16 બોલમાં ફક્ત 15 રન જ બનાવી શક્યો. તિલક (101 રન, 45 બોલ, 7 છગ્ગા, 8 ચોગ્ગા) એ ઇનિંગના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને IPLમાં પોતાની પહેલી સદી પૂર્ણ કરી.

બુમરાહનો દુકાળ સમાપ્ત, અશ્વિનનો ફિનિશિંગ ટચ

તિલક પછી, બુમરાહનો વારો આવ્યો, જે ગયા IPL સીઝનથી સતત 146 બોલ સુધી વિકેટલેસ રહ્યો હતો. આ વખતે, બુમરાહે ઇનિંગની પહેલી ઓવર નાખી અને પહેલા જ બોલે સાઈ સુદર્શનને આઉટ કરીને પોતાનો દુકાળ પૂરો કર્યો. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ બીજી જ ઓવરમાં જોસ બટલરની વિકેટ લીધી. પરંતુ વાસ્તવિક સફળતા ઇમ્પેક્ટ પ્લેયર અશ્વની કુમાર (4/24) દ્વારા મળી. આ ડાબા હાથના ફાસ્ટ બોલરની IPL 2026 માં પહેલી મેચ હતી, અને તેની પહેલી વિકેટ ગુજરાતના કેપ્ટન શુભમન ગિલ (14) ની હતી. ત્યાંથી, ગુજરાતની હાર નિશ્ચિત લાગતી હતી.

ગુજરાત માત્ર 100 રનમાં ઓલઆઉટ

ત્યારબાદ મિશેલ સેન્ટનરે વોશિંગ્ટન સુંદર (26) અને ગ્લેન ફિલિપ્સ (6) ને એક જ ઓવરમાં આઉટ કરીને બાકી રહેલી બધી આશાઓનો નાશ કર્યો. અશ્વિને રાહુલ તેવતિયા, શાહરૂખ ખાન અને રાશિદ ખાનને આઉટ કરીને પોતાનો ધમાકેદાર દેખાવ ચાલુ રાખ્યો. સ્પિનર ​​અલ્લાહ ગઝનફરે છેલ્લી બે વિકેટ લીધી અને ગુજરાત 15.5 ઓવરમાં માત્ર 100 રનમાં ઓલઆઉટ થઈ ગયું. આમ, મુંબઈએ અમદાવાદની પીચ પર પહેલીવાર ગુજરાત ટાઇટન્સને હરાવ્યું.

Breaking News: કાગીસો રબાડા 7 વિકેટ લઈ બન્યો નંબર 1 બોલર, પાવરપ્લેમાં કર્યો મોટો કમાલ

રીલ માટે રોલા પાડવામાં કાયદો ભૂલ્યા ઈન્ફ્લુએન્સર! અકસ્માતનું નાટક કરતાં ટ્રાફિક જામ, 3 સામે નોંધાઈ ફરિયાદ

અમદાવાદમાં સોશિયલ મીડિયા માટે બનાવાતી રીલ્સ ફરી એકવાર ચર્ચામાં આવી છે. બ્રાન્ડ પ્રમોશન અને વાયરલ થવાની દોડમાં કેટલાક ઇન્ફ્લુએન્સર્સ કેટલી હદ સુધી જઈ શકે છે તેનો તાજો ઉદાહરણ સામે આવ્યું છે. નવરંગપુરાના સીજી રોડ વિસ્તારમાં એક ઇન્ફ્લુએન્સરે અકસ્માતનું નાટક કરીને લોકો માટે મુશ્કેલી ઉભી કરી દીધી.

રસ્તા પર વાહનોની અવરજવર રોકાઈ

મળતી માહિતી મુજબ, પાર્થ પરમાર નામના ઇન્ફ્લુએન્સરે એક એજ્યુકેશન કંપનીના પ્રમોશન માટે વીડિયો શૂટ કર્યો હતો. આ શૂટ દરમિયાન એચ.એલ. કોલેજ રોડ પર થાર કાર અને બાઈક વચ્ચે અકસ્માત થયો હોય તેવો દૃશ્ય તૈયાર કરવામાં આવ્યો. શૂટિંગ દરમિયાન રસ્તા પર વાહનોની અવરજવર રોકાઈ ગઈ અને ભારે ટ્રાફિક જામ સર્જાયો. વીડિયોમાં અકસ્માત પછી ઝઘડાનો સીન પણ દાખવવામાં આવ્યો હતો, જેનાથી સ્થિતિ વધુ ગંભીર લાગી રહી હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ ટ્રાફિક પોલીસના ધ્યાન પર આવ્યો. તપાસ બાદ બી ડિવિઝન ટ્રાફિક પોલીસે પાર્થ પરમાર સહિત ત્રણ લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા અને મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.

પોલીસે કરી કાર્યવાહી

પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, છેલ્લા કેટલાક સમયથી ઇન્ફ્લુએન્સર્સ વાયરલ થવા માટે જાહેર સ્થળોએ આવા સ્ટંટ અથવા પ્રેન્ક કરે છે, જેનાથી સામાન્ય લોકો પરેશાન થાય છે અને ઘણી વખત જોખમ પણ ઊભું થાય છે. આ કેસમાં ઉપયોગમાં લેવાયેલી થાર કાર અને બાઈક જપ્ત કરવાની કાર્યવાહી પણ કરવામાં આવશે.

આ સિવાય, પ્રેન્કના નામે લોકો સાથે મજાક કરવાની ઘટનાઓ પણ વધી રહી છે. જીવરાજ પાર્ક વિસ્તારમાં એક ઇન્ફ્લુએન્સરે વૃદ્ધ વ્યક્તિને ડરાવતો વીડિયો બનાવ્યો હતો, જેના કારણે તેની સામે ફરિયાદ નોંધાઈ હતી. કેટલાક અન્ય ઇન્ફ્લુએન્સર્સ પણ પોલીસ કે અન્ય કારણો બતાવીને લોકોને અટકાવી રીલ્સ બનાવતા હોવાની ફરિયાદો સામે આવી છે.

આ સમગ્ર ઘટનાએ એક પ્રશ્ન ઊભો કર્યો છે કે સોશિયલ મીડિયા પર લોકપ્રિય થવા માટે શું લોકોની સુરક્ષા અને સહુલિયતને અવગણવી યોગ્ય છે? પોલીસ તંત્ર હવે આવા કેસોમાં વધુ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.

ધંધુકામાં ધર્મેશ ભરવાડના બંને હત્યારાની પોલીસે કરી ધરપકડ

અદાણી પાવરની ન્યુક્લિયર એનર્જી બિઝનેસમાં એન્ટ્રી

Breaking News: તિલક વર્માએ IPL 2026 માં સૌથી ઝડપી સદી ફટકારી, તોડ્યા આ રેકોર્ડ

Breaking News: તિલક વર્માએ IPL 2026 માં સૌથી ઝડપી સદી ફટકારી, તોડ્યા આ રેકોર્ડ

તિલક વર્માએ આખરે તે સિદ્ધિ મેળવી જેના માટે તે જાણીતો છે. તેણે સંઘર્ષ કરતી મુંબઈ ટીમને સ્થિર કરી અને પાંચમા ક્રમે આવીને ધમાકેદાર સદી ફટકારી. ગુજરાત ટાઈટન્સ સામે, તેણે માત્ર 45 બોલમાં 101 રન બનાવ્યા, જેમાં સાત છગ્ગા અને આઠ ચોગ્ગા ફટકાર્યા. તેનો સ્ટ્રાઇક રેટ 224.44 હતો. આ સદી સાથે, તિલક વર્માએ ઘણા રેકોર્ડ તોડી નાખ્યા.

 

તિલક વર્માની સૌથી ઝડપી સદી

તિલક વર્મા IPLના ઈતિહાસમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય ખેલાડી બની ગયો છે. તિલક વર્મા પહેલા સનથ જયસૂર્યાએ માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. તેણે 2008માં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે આ ઈનિંગ રમી હતી. તિલકની ઈનિંગની બીજી ખાસ વાત એ છે કે તેણે આ સિઝનની સૌથી ઝડપી સદી પણ ફટકારી હતી. તેણે સંજુ સેમસનનો રેકોર્ડ તોડ્યો હતો, જેણે 52 બોલમાં સદી ફટકારી હતી. આ બે ઉપરાંત, ક્વિન્ટન ડી કોકે પણ સદી ફટકારી હતી. આ તિલક વર્માની IPLમાં પહેલી સદી પણ છે.

 

તિલકની જોરદાર બેટિંગ

તિલક વર્માની સદી કોઈ ચમત્કારથી ઓછી નહોતી. તે 20 બોલમાં ફક્ત 17 રન બનાવી રમી રહ્યો હતો, પરંતુ પછી 21 થી 30 મા બોલ સુધી 30 રન બનાવ્યા. તેણે અશોક શર્માની ઓવરમાં ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા ફટકારીને 26 રન બનાવ્યા. ત્યારબાદ તેણે 31 થી 40 મા બોલમાં 33 રન ફટકાર્યા. જે બાદ 41 થી 45મા બોલમાં 21 રન બનાવી પોતાની સદી પૂર્ણ કરી. પહેલા 22 બોલમાં તિલક વર્માનો સ્ટ્રાઇક રેટ 86.36 હતો, અને પછી તેણે આગામી 23 બોલમાં 356ના સ્ટ્રાઇક રેટથી 82 રન બનાવ્યા.

 

ખરાબ ફોર્મ બાદ ફટકારી સદી

આ મેચ પહેલા તિલક વર્મા ખરાબ ફોર્મમાં હતા. આ મેચ પહેલા તેમણે પાંચ મેચમાં ફક્ત 8.6 ની સરેરાશથી ફક્ત 43 રન બનાવ્યા હતા. પરંતુ હવે, તિલક ફરીથી પોતાનું ફોર્મ મેળવી ચૂક્યો છે. તેમણે 45 બોલમાં 101 રન ફટકાર્યા.

Breaking News: રબાડાએ સૂર્યકુમાર યાદવને ફેંક્યો સૌથી ઝડપી બોલ, ઉખડી ગયા સ્ટમ્પ, જુઓ VIDEO

IPL 2026માં ઋષભ પંતની એક ભૂલથી LSG ને પડ્યો 83 રનનો માર, કોનોલીએ ફટકાર્યા 15 છગ્ગા અને ચોગ્ગા, જુઓ

IPL 2026 દરમિયાન પંજાબ કિંગ્સ અને લખનૌ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં એક નાની ભૂલ કેવી રીતે મોટી સાબિત થઈ શકે છે તેનો જીવંત ઉદાહરણ જોવા મળ્યો. લખનૌના કેપ્ટન ઋષભ પંતનો એક નિર્ણય આખી મેચનો ટર્નિંગ પોઇન્ટ બની ગયો, જેના કારણે ટીમને ભારે નુકસાન ભોગવવું પડ્યું.

મેચ પંજાબના હોમ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જ્યાં પંજાબ કિંગ્સે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. શરૂઆતમાં જ ટીમને મોટો ઝટકો લાગ્યો અને પ્રથમ ઓવરમાં પ્રભસિમરન સિંહ આઉટ થયો. આવી સ્થિતિમાં લખનૌ માટે મેચ પર કાબૂ મેળવવાની સારી તક હતી.

બીજી ઓવરમાં કૂપર કોનોલી ક્રીઝ પર આવ્યો ત્યારે મોહસીન ખાનની બોલિંગ દરમિયાન LBW માટે જોરદાર અપીલ કરવામાં આવી હતી. અમ્પાયરે નોટ આઉટ આપ્યો, અને અહીંથી આખી કહાની બદલાઈ ગઈ. લખનૌ પાસે DRS લેવાની તક હતી, પરંતુ કેપ્ટન ઋષભ પંતે રિવ્યૂ ન લેવાનો નિર્ણય કર્યો. બાદમાં રિપ્લેમાં સ્પષ્ટ થયું કે જો રિવ્યૂ લેવામાં આવ્યો હોત, તો કોનોલી આઉટ થઈ ગયો હોત. તે સમયે તે માત્ર 4 રન પર હતો.

આ એક નિર્ણય પંજાબ માટે જીવનરેખા બની ગયો. શરૂઆતમાં થોડી મુશ્કેલી અનુભવનાર કૂપર કોનોલી પછી સંપૂર્ણ રીતે લયમાં આવી ગયો અને તેણે આ તકનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેણે માત્ર 34 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને ત્યારબાદ આક્રમક બેટિંગ ચાલુ રાખી.

કોનોલીએ મેચ દરમિયાન અનેક શાનદાર શોટ્સ રમ્યા. ખાસ કરીને એડન માર્કરામની એક ઓવરમાં તેણે સતત ત્રણ છગ્ગા ફટકાર્યા, જ્યારે પ્રિયાંશ આર્યએ પણ બે છગ્ગા ઉમેર્યા. આ ઓવરમાં કુલ 32 રન બન્યા, જે મેચનો મહત્વપૂર્ણ ક્ષણ બની રહ્યો.

જોકે કોનોલી પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં, તેણે માત્ર 46 બોલમાં 87 રનની જબરદસ્ત ઇનિંગ રમી. તેની ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગાનો સમાવેશ થાય છે, એટલે કે કુલ 15 બાઉન્ડરીથી તેણે સ્કોર બોર્ડને તેજ ગતિથી આગળ ધપાવ્યો.

આ રીતે ઋષભ પંતનો DRS ન લેવાનો નિર્ણય લખનૌ માટે ભારે પડી ગયો. એક સરળ રિવ્યૂથી મળતું વિકેટ ચૂકી જવાથી ટીમને અંતે 83 રનનો મોટો ખર્ચ સહન કરવો પડ્યો, જે મેચના પરિણામ પર સીધી અસર કરતો સાબિત થયો.

IPL 2026માં KKR vs RR વચ્ચેની મેચમાં ફિલ્ડરની એક મોટી ભૂલ બની રાજસ્થાનની હારનું કારણ

માત્ર સુગંધ જ નહીં, ગરમીમાં ‘અમૃત’ છે ચંદનનું લાકડું: જાણો તેનો ઉકાળો પીવાથી શરીરમાં કેવા અદભૂત ફેરફાર થાય છે

દેશભરમાં ઉનાળાએ દસ્તક દઈ દીધી છે અને તાપમાન સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં માત્ર બહારની ઠંડક પૂરતી નથી, શરીરને અંદરથી શીતળ રાખવું પણ એટલું જ જરૂરી છે. આયુર્વેદ પાસે એક એવી અનમોલ ઔષધિ છે જે તન અને મન બંનેને શાંત કરવાની તાકાત રાખે છે – તે છે ચંદનનું લાકડું. વૈજ્ઞાનિક રીતે ‘સેન્ટલમ આલ્બમ લિન’ તરીકે ઓળખાતું ચંદન સ્વાસ્થ્યનો ખજાનો છે.

શું ચંદન ખરેખર બીમારીઓ મટાડી શકે છે?

ચંદનના લાકડાના અંદરના ભાગ (હાર્ટવુડ) નો ઉપયોગ વર્ષોથી દવા તરીકે કરવામાં આવે છે. તે માત્ર સુગંધિત નથી, પરંતુ તેના ગુણો લોહીની શુદ્ધિ માટે અદભૂત માનવામાં આવે છે.

ચંદનનો ઉકાળો પીવાના ચોંકાવનારા ફાયદા:

  • ડાયાબિટીસમાં રાહત: ચંદનમાં એવા ખાસ ગુણો હોય છે જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જે લોકો ડાયાબિટીસથી પીડાય છે તેમના માટે આ આયુર્વેદિક ઉપચાર ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
  • યુરિનરી સમસ્યાઓનો અંત: ઉનાળામાં પેશાબમાં બળતરા થવી કે વારંવાર પેશાબ જવાની સમસ્યા સામાન્ય છે. ચંદનનો ઉકાળો મૂત્ર માર્ગના ચેપને દૂર કરે છે અને ઠંડક આપે છે.
  • લોહીની શુદ્ધિ અને રક્તસ્ત્રાવ: આયુર્વેદ મુજબ ચંદન લોહીને સાફ કરે છે અને અત્યંત રક્તસ્ત્રાવને રોકવામાં મદદરૂપ છે. તે હૃદયને શાંતિ આપે છે અને માનસિક તણાવ ઘટાડે છે.
  • શરીરની આંતરિક ગરમી: ગરમીને કારણે થતી નબળાઈ, થાક અને ત્વચા પરના ખીલ કે બળતરા માટે ચંદન સર્વશ્રેષ્ઠ છે. તેનું સેવન આંતરિક ગરમીને ઘટાડે છે, જેનાથી ચીડિયાપણું દૂર થાય છે.

કેવી રીતે કરવો ઉપયોગ?

ચંદનના લાકડાનો ઉકાળો અથવા પાવડરનો ઉપયોગ નિષ્ણાતની સલાહ મુજબ કરવો જોઈએ. તેની શીતળ પ્રકૃતિ શરીરના અંગોને ઠંડક આપી ઉનાળામાં થતા રોગો સામે રક્ષણ આપે છે. ત્વચા પર તેનો લેપ સોજો અને બળતરા ઘટાડવા માટે પણ જાણીતો છે. જો તમે પણ આ ઉનાળામાં કુદરતી રીતે સ્વસ્થ રહેવા માંગતા હોવ, તો આ આયુર્વેદિક રહસ્ય તમારા માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.

નોંધ: ચંદનનો ઔષધ તરીકે ઉપયોગ કરતા પહેલા હંમેશા આયુર્વેદિક નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

દિલ્હી, મુંબઈ કે ગુજરાત જઈ રહ્યા છો? તો આ 3 સસ્તા માર્કેટમાં જવાનું ચૂકતા નહીં, નહિતર પસ્તાશો!

IPL 2026માં KKR vs RR વચ્ચેની મેચમાં ફિલ્ડરની એક મોટી ભૂલ બની રાજસ્થાનની હારનું કારણ

કેરીના રસિયાઓ આનંદો, તાલાલા મેંગો માર્કેટમાં કેસર કેરીની હરાજીના થયા શ્રીગણેશ- Video

કેરી રસીયાઓએ તેમની પ્રિય કેસર કેરી માટે હવે બહુ રાહ નહીં જોવી પડી. તાલાલા ગીરની મેંગો માર્કેટ કેસર કેરીની હરાજીનો પ્રારંભ થઈ ગયો છે. પરંપરા મુજબ હરાજીમાં કેરીનું પ્રથમ બોક્સ ગૌશાળાની ગાયોને અર્પણ કરવામાં આવ્યું. જેના માટે 11 હજાર એકસો અગિયાર રૂપિયાની બોલી લાગી. જ્યારે બીજા બોક્સ માટે રૂ. 9,000 અને ત્રીજા બોક્સ માટે રૂ. 6,000 ની બોલી લાગી. ત્યારે કેરીના વેપારીઓનું અનુમાન છે કે આગામી દોઢથી પોણા બે મહિના સુધી કેરીની આવક યથાવત રહેશે.

મહત્વનું છે કે હાલમાં સરેરાશ 10 કિલોના કેરીના બોક્સનો ભાવ ક્વોલિટી મુજબ રૂ,600થી રૂ. 1200 સુધી રહ્યા છે. પરંતું કેરી પકવતા ધરતીપુત્રો અને બગીચાના માલિકોનું કહેવું છે કે સતત બદલાતા વાતાવરણના કારણે કેરીના પાકમાં વ્યાપક નુક્સાન સહન કરવાનો વારો આવે છે. ત્યારે દર વર્ષ કરતાં આ વર્ષે કેરીના ઓછા ભાવ મળતાં ખેડૂતો માટે કપરી પરિસ્થિતિ ઉભી થઈ છે..

મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં દર વર્ષે અંદાજે 3 લાખ 34 હજાર મેટ્રિક ટનથી વધુ કેસર કેરીનું ઉત્પાદન થાય છે. જોકે આ વર્ષે કેરીનું ઉત્પાદન ઓછું રહેતા લાંબા ગાળે કેરીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. અને કેરીની આવકને પગલે માર્કેટ યાર્ડમાં વેપારીઓ અને ખેડૂતોને પૂરતી વ્યવસ્થા મળી રહે તે પ્રમાણેનું આયોજન કરાઈ રહ્યું છે.

Breaking News: ધંધુકામાં ધર્મેશ ભરવાડના હત્યારાની ધરપકડ, પોલીસે રિઝવાન અને સમીરનું કાઢ્યુ સરઘસ- Video

Breaking News: ગુજરાતમાં AAPના હવાલા કાંડનો પર્દાફાશ, ચૂંટણી પહેલા જ ફંડિંગના નામે ખેલાયો કરોડોનો ખેલ – જુઓ Video

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી (AAP) માટે મુશ્કેલીઓ વધી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે AAPના હવાલા કૌભાંડમાં મોટો ખુલાસો કર્યો છે. આ મામલે દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનના પીએ (PA) આકાશ મિશ્રાની પૂછપરછ કરવામાં આવી છે.

ક્રાઇમ બ્રાન્ચના DCP ભાવેશ રોજીયાના જણાવ્યા અનુસાર, આકાશ મિશ્રા દિલ્હીથી સુરત ફંડિંગ માટે આવતા પૈસાના હવાલા સંભાળતો હતો. તપાસમાં સામે આવ્યું છે કે, હિમાંશુ પાહુજા નામના વ્યક્તિએ આકાશને હવાલા મારફતે કરોડો રૂપિયા મોકલ્યા હતા. સુરતની એક આંગડિયા પેઢીમાં અંદાજે 1.25 કરોડથી વધુની રકમ મોકલવામાં આવી હોવાની વિગતો બહાર આવી છે.

 

પોલીસના જણાવ્યા મુજબ, આ નાણાંનો ઉપયોગ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ફંડિંગ માટે કરવામાં આવ્યો હતો. આ જ રીતે ગુજરાતના બીજા મહાનગરોમાં પણ નાણાં મોકલાયા હોવાની આશંકાને આધારે તપાસ તેજ કરવામાં આવી છે. આગામી દિવસોમાં સુરતના AAPના ઘણા સ્થાનિક નેતાઓ સુધી તપાસનો રેલો પહોંચવાની શક્યતા છે.

DCP ભાવેશ રોજીયાના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કૌભાંડમાં અંદાજે 8 થી 10 લોકો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. તપાસમાં ખુલાસો થયો છે કે, છેલ્લા 4 થી 5 મહિનાથી સતત ફંડ મોકલવામાં આવતું હતું. આ નાણાં વ્યવહાર માટે કુલ 5 આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના CCTV ફૂટેજ પણ પોલીસ દ્વારા મેળવી લેવામાં આવ્યા છે.

DCP એ વધુમાં જણાવ્યું હતું કે, આ કૌભાંડમાં મુખ્ય ભૂમિકા ભજવનાર હિમાંશુ અગાઉ કોંગ્રેસ સાથે જોડાયેલો હતો પરંતુ હાલમાં તે AAPનો સક્રિય કાર્યકર છે. આ કરોડો રૂપિયાના વ્યવહારના મામલે હવે ઇન્કમ ટેક્સ (IT) વિભાગને સાથે રાખીને આગળની સઘન તપાસ કરવામાં આવશે.

AAPના હવાલા કૌભાંડ અંગે હર્ષ સંઘવીએ આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, “ઈમાનદારીની વાતો કરનારા લોકોનો અસલી ચહેરો હવે સામે આવી ગયો છે. આ મામલે હજુ પણ મોટા ખુલાસા થશે.”

Breaking News: ધંધુકામાં ધર્મેશ ભરવાડના હત્યારાની ધરપકડ, પોલીસે રિઝવાન અને સમીરનું કાઢ્યુ સરઘસ- Video

Breaking News: ગુજરાત ટાઈટન્સે જીતની હેટ્રિક નોંધાવી, કોલકાતા નાઈટ રાઈડર્સને પાંચમી હારનો સામનો કરવો પડ્યો

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે IPL 2026 સિઝન દરેક પસાર થતી મેચ સાથે વધુ ખરાબ થઈ રહી છે. પાંચમાંથી ચાર મેચ હારી ચૂકેલા KKRને વધુ એક હારનો સામનો કરવો પડ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં કોલકાતાનો ગુજરાત ટાઈટન્સ સામે પાંચ વિકેટથી પરાજય થયો. કાગીસો રબાડા સહિતના ઝડપી બોલરોના મજબૂત પ્રદર્શન બાદ કેપ્ટન શુભમન ગિલની શાનદાર ઈનિંગથી ગુજરાતને સતત ત્રીજી જીત મળી.

રબાડા-સિરાજની ઘાતક બોલિંગ

કોલકાતાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો, જેનાથી બધાને આશ્ચર્ય થયું. મેચમાં પણ એવું જ થયું અને ટીમે માત્ર 32 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. રોવમેન પોવેલ (27) અને કેમેરોન ગ્રીને ત્યારબાદ ભાગીદારી કરીને ઇનિંગને સ્થિર કરી. ગ્રીન (79) એ પછી ઈનિંગને આગળ વધારી અને સિઝનની પોતાની પહેલી અડધી સદી ફટકારી. જોકે, કોલકાતા છેલ્લી પાંચ ઓવરમાં ફક્ત 32 રન જ બનાવી શક્યું, જેના પરિણામે 180 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ગુજરાત માટે રબાડાએ ત્રણ વિકેટ લીધી, જ્યારે સિરાજ અને અશોક શર્માએ બે-બે વિકેટ લીધી.

 

ગિલની સતત ત્રીજી અડધી સદી

રનચેઝ કરવા ઉતરેલી GT ના કેપ્ટન શુભમન ગિલ અને સાઈ સુદર્શન (22) એ ફરી એકવાર અડધી સદીની ભાગીદારી કરી 57 રન ઉમેર્યા. ત્યારબાદ જોસ બટલર (25) એ પણ કેટલાક મોટા શોટ ફટકાર્યા. જોકે, કેપ્ટન શુભમન ગિલ (86) ક્રીઝ પર ટકી રહ્યો. તેણે સતત ત્રીજી અડધી સદી ફટકારી અને ટીમની જીત નક્કી કરી. જોકે, તે પોતાની સદી પૂર્ણ કરી શક્યો નહીં અને જીતથી થોડા રન પહેલા આઉટ થઈ ગયો. પરંતુ ગ્લેન ફિલિપ્સ અને રાહુલ તેવટીયાએ અંતિમ ઓવરમાં વિજય અપાવ્યો.

 

ગુજરાતે જીતની હેટ્રિક નોંધાવી

આ જીત સાથે, ગુજરાતના હવે 5 મેચમાં 6 પોઈન્ટ થઈ ગયા છે. ટીમ તેની પહેલી બે મેચ હારી ગઈ હતી પરંતુ પછી સતત ત્રણ જીત સાથે જીતની હેટ્રિક નોંધાવી હતી. આ જીતથી ટીમ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી ગઈ હતી. અત્યાર સુધી, ટીમ છઠ્ઠા સ્થાને હતી. છ મેચમાં પાંચમી હાર સાથે કોલકાતાની આ સિઝનની પહેલી જીતની રાહ વધુ લાંબી થઈ છે. અજિંક્ય રહાણેની કેપ્ટનશીપવાળી ટીમ ફક્ત એક પોઈન્ટ સાથે છેલ્લા સ્થાને છે.

Breaking News: કેમેરોન ગ્રીને ફટકાર્યો જોરદાર સિક્સર, બોલ સીધો કાર પર વાગ્યો, હવે કંપની આટલા પૈસા ખર્ચશે

Breaking News : એક નિર્ણય અને ક્રૂડ ઓઇલના ભાવમાં 10% સુધીનો ઘટાડો, પેટ્રોલ અને ડીઝલ થઈ શકે છે સસ્તા!

હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલતા ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતોમાં લગભગ 10% સુધીનો ઘટાડો થયો છે, જે ભારત જેવા આયાત પર આધારિત દેશો માટે રાહતજનક સમાચાર છે. આ ઘટાડાથી નજીકના ભવિષ્યમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ પરનું દબાણ ઓછું થઈ શકે છે, જેના કારણે મોંઘવારીમાં પણ રાહત મળી શકે છે.

શુક્રવારે ક્રૂડ ઓઇલના ભાવમાં થયેલો આ ઘટાડો મુખ્યત્વે મધ્ય પૂર્વમાં તણાવ ઘટતા અને હોર્મુઝ સ્ટ્રેટ ફરી શરૂ થવાના અહેવાલો બાદ આવ્યો છે. અગાઉ બજારમાં એવી આશંકા વ્યક્ત થઈ રહી હતી કે ઈરાન સંબંધિત તણાવને કારણે આ મહત્વપૂર્ણ જળમાર્ગ બંધ થઈ શકે છે. નોંધનીય છે કે વિશ્વના કુલ તેલ પુરવઠાનો અંદાજે 20 ટકા ભાગ આ સ્ટ્રેટ મારફતે પસાર થાય છે, તેથી તેમાં કોઈ વિક્ષેપ વૈશ્વિક સપ્લાય પર મોટી અસર કરી શકે.

હાલમાં મળેલા સંકેતો અનુસાર હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે ખુલ્લો છે અને શિપિંગ ટ્રાફિક સામાન્ય રીતે ચાલુ છે. આથી સપ્લાયમાં અવરોધની શક્યતા ઘટી છે અને બજારમાં રહેલી અનિશ્ચિતતા પણ ઓછી થઈ છે. તેના પરિણામે બ્રેન્ટ ક્રૂડના ભાવ ઘટીને લગભગ 90 ડોલર પ્રતિ બેરલ સુધી આવી ગયા છે, જ્યારે WTI ક્રૂડ 83 થી 86 ડોલર પ્રતિ બેરલની રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું છે.

બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તાજેતરમાં થયેલી તેજી બાદ રોકાણકારો નફા બુકિંગ તરફ વળ્યા છે, જેના કારણે ભાવમાં વધુ ઝડપથી ઘટાડો નોંધાયો છે. સાથે જ, સંભવિત યુદ્ધવિરામ અને રાજદ્વારી વાટાઘાટોના સંકેતોએ પણ બજારના સેન્ટિમેન્ટને સકારાત્મક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ભારત જેવા દેશો માટે કાચા તેલના ભાવમાં ઘટાડો એક સકારાત્મક સંકેત છે. તે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાને પ્રોત્સાહન આપી શકે છે, જેના કારણે પરિવહન ખર્ચ ઓછો થશે અને મોંઘવારીમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ, શેરબજારમાં પણ તેનો સકારાત્મક પ્રભાવ જોવા મળી શકે છે.

બજાર વિશ્લેષકોના મત મુજબ, હવે ક્રૂડ ઓઇલના ભાવનો આગળનો ટ્રેન્ડ મોટા પ્રમાણમાં ભૂ-રાજકીય પરિસ્થિતિઓ પર નિર્ભર રહેશે. જો મધ્ય પૂર્વમાં તણાવ વધુ ઘટશે, તો કિંમતોમાં વધુ ઘટાડો શક્ય છે. જોકે, કોઈપણ નવી તંગદિલી ફરીથી બજારમાં તેજી લાવી શકે છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, સોમવારે ભારતીય શેરબજારમાં સકારાત્મક શરૂઆત જોવા મળી શકે છે. ખાસ કરીને પેઇન્ટ અને ટાયર ઉત્પાદક કંપનીઓના શેરમાં વધારો થવાની સંભાવના છે, કારણ કે કાચા તેલના ઘટતા ભાવ તેમના ઉત્પાદન ખર્ચને ઓછો કરે છે. સાથે જ, તેલ કંપનીઓના શેર પર પણ તેનો અસરકારક પ્રભાવ પડી શકે છે.

રેમ્પથી રણભૂમિ સુધી..મિસ ઇન્ડિયા Kashish Methwani બની સેનામાં લેફ્ટનન્

Breaking News: કેમેરોન ગ્રીને ફટકાર્યો જોરદાર સિક્સર, બોલ સીધો કાર પર વાગ્યો, હવે કંપની આટલા પૈસા ખર્ચશે

IPL ઈતિહાસના સૌથી મોંઘા વિદેશી ખેલાડી કેમેરોન ગ્રીનને સતત ટીકાઓનો સામનો કરવો પડી રહ્યો છે. IPL 2026 માં કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે ₹25.2 કરોડમાં જોડાયેલા ગ્રીનની શરૂઆત ખરાબ રહી, દરેક મેચમાં તે ખરાબ રીતે નિષ્ફળ ગયો. જોકે, છઠ્ઠી મેચમાં તેનું બેટ ચાલ્યું. ઓસ્ટ્રેલિયન બેટ્સમેને સિઝનની પોતાની પહેલી અડધી સદી ફટકારી, અને એક સિક્સર ફટકારી જે સ્ટેડિયમમાં પાર્ક કરેલી કારને વાગ્યો.

કેમેરોન ગ્રીને બતાવ્યું ફોર્મ

કોલકાતા નાઈટ રાઈડર્સનો ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન IPL 2026 ની પહેલી પાંચ ઈનિંગ્સમાં નિષ્ફળ ગયો હતો, તેના પર સતત સવાલો ઉઠી રહ્યા હતા. નિષ્ણાતોથી લઈને ચાહકો સુધી, બધાએ તેની ક્ષમતાઓ પર સવાલ ઉઠાવ્યા હતા. ટીમની સતત નિષ્ફળતાઓને કારણે ગ્રીન પણ ખાસ નિશાના પર હતો. જોકે, ગુજરાત ટાઈટન્સ સામે ગ્રીને શાનદાર બેટિંગ કરી સંકટ સમયે ટીમ માટે મહત્વપૂર્ણ ઈનિંગ રમી.

ગ્રીનનો સિક્સરથી કાર લક્ષ્ય બની ગઈ

ગ્રીને શરૂઆત ધીમી કરી હતી, પરંતુ એકવાર તેણે બાઉન્ડ્રી મારવાનું શરૂ કર્યું, તો તેણે ગુજરાતના દરેક બોલરને નિશાન બનાવ્યા. પરંતુ તેનો સૌથી ફેમસ શોટ સીધો કાર પર પડ્યો હતો. આ 13મી ઓવરમાં બન્યું, જ્યારે ગ્રીને અશોક શર્માની ઈનિંગનો ત્રીજો બોલ ડીપ સ્ક્વેર લેગ તરફ ફટકાર્યો. બોલ બાઉન્ડ્રી પાર કરીને સીધો પોડિયમ પર પાર્ક કરેલી સ્પોન્સર કાર પર પડ્યો.

 

કંપની આ કામ પર પૈસા ખર્ચ કરશે

બોલ કારના સાઈડ મિરરની નીચે પડ્યો, જેનાથી મોટું નુકસાન થતા રહી ગયું. જોકે, તેનાથી એક ખાડો પડી ગયો, જેના વીડિયો અને ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા. ખાસ વાત એ છે કે ગ્રીનના આ શોટને કારણે ઘણા એવા બાળકોને ફાયદો થયો, જેઓ ક્રિકેટ રમવા માંગે છે પણ તેમને ક્રિકેટ કીટ અને કોચિંગ પોસાતું નથી. સ્પોન્સર ટાટા મોટર્સે એક ખાસ ઝુંબેશ શરૂ કરી છે, જેના હેઠળ જો બોલ કાર સાથે અથડાશે તો કંપની આવા બાળકો માટે ક્રિકેટ કિટ ખરીદવા માટે 5 લાખ રૂપિયાનું દાન કરશે.

કેમેરોન ગ્રીનની 79 રનની દમદાર ઈનિંગ

ગ્રીનની બેટિંગની વાત કરીએ તો, આ ઈનિંગ તેના માટે સારી સાબિત થઈ. એક સમયે, તે 28 બોલમાં ફક્ત 27 રન બનાવીને સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ તેણે ઝડપથી ગિયર બદલ્યા. ગ્રીને 34 બોલમાં સિઝનની પોતાની પહેલી અડધી સદી પૂરી કરી અને ઈનિંગના છેલ્લા બોલ પર આઉટ થતાં પહેલાં 55 બોલમાં 79 રન બનાવ્યા. તેની ઈનિંગમાં 7 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થતો હતો. આ ઈનિંગને કારણે કોલકાતા 180 રન સુધી પહોંચી શક્યું.

Breaking News: ચાલુ મેચમાં મેદાનમાં મોબાઈલ વાપરવાનું રાજસ્થાન રોયલ્સના મેનેજેરને પડ્યું ભારે, લાગ્યો આટલા લાખનો દંડ

Breaking News: ચાલુ મેચમાં મેદાનમાં મોબાઈલ વાપરવાનું રાજસ્થાન રોયલ્સના મેનેજેરને પડ્યું ભારે, લાગ્યો આટલા લાખનો દંડ

રાજસ્થાન રોયલ્સ ટીમ મેનેજરે RCB સામેની મેચ દરમિયાન ડગઆઉટમાં ફોનનો ઉપયોગ કર્યો હતો, જેના પછી BCCIએ તેની સામે કાર્યવાહી કરી છે. BCCIએ RR ના ટીમ મેનેજરને ભ્રષ્ટાચાર વિરોધી નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દોષિત ઠેરવ્યો છે અને તેના પર એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. રોમી ભિંડર બોર્ડની નોટિસનો સંતોષકારક જવાબ આપવામાં નિષ્ફળ રહ્યો હતો અને BCCIએ તેને ચેતવણી પણ આપી છે. BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ માહિતી આપી હતી.

રોમી ભિંડરને કેમ દોષિત ઠેરવવામાં આવ્યો?

શરદ કુમારની આગેવાની હેઠળના એન્ટી કરપ્શન યુનિટે ભીંડરને નોટિસ ફટકારી હતી, જેમાં તેનો જવાબ માંગવામાં આવ્યો હતો. સૈકિયાએ જણાવ્યું હતું કે ACU ભીંડરના જવાબથી સંતુષ્ટ ન હોવાથી તેને દોષિત ઠેરવ્યો હતો. IPL પ્લેયર્સ અને મેચ ઓફિસિયલ્સ એરિયા પ્રોટોકોલ મુજબ ડગઆઉટમાં ફોન પર પ્રતિબંધ છે. તેનો ઉપયોગ ફક્ત પેવેલિયનમાં જ થઈ શકે છે.

 

1 લાખ રૂપિયાનો દંડ અને ચેતવણી

સૈકિયાએ કહ્યું, “ભિંડરને પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવાનો દોષી ઠેરવવામાં આવ્યો છે. કારણ કે આ પહેલીવાર ગુનો છે, તેથી તેને 1 લાખ રૂપિયાનો દંડ અને ચેતવણી આપવામાં આવી છે.” BCCI સચિવે કહ્યું, “ટીમ મેનેજર ડ્રેસિંગ રૂમમાં ફોનનો ઉપયોગ કરી શકે છે, પરંતુ ડગઆઉટમાં નહીં. એક્સપર્ટ ટેબલ પર તેમના કમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે છે.”

 

વૈભવ સૂર્યવંશી બચી ગયો

જ્યારે રોમી ભીંડર પોતાનો ફોન વાપરી રહ્યો હતો, ત્યારે વૈભવ સૂર્યવંશી તેની બાજુમાં બેઠો હતો. તે ભીંડરના ફોનમાં જોઈ રહ્યો હતો. 15 વર્ષીય ખેલાડી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રાજસ્થાનની ટીમ ટુર્નામેન્ટમાં અસાધારણ રીતે સારું પ્રદર્શન કરી રહી છે, 8 પોઈન્ટ સાથે RR ત્રીજા સ્થાને છે. રાજસ્થાનની આગામી મેચ 19 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે છે.

Breaking News: 10 વર્ષ બાદ KKRનો કોઈ કેપ્ટન ગોલ્ડન ડક પર થયો આઉટ, ગૌતમ ગંભીરના નામે આ શરમજનક રેકોર્ડ

ટ્રેનમાં દિલ જીતતી ઘટના, ટોયલેટ પાસે સૂઈ રહ્યા હતા CRPF જવાન, TTE એ કર્યું એવું કામ કે લોકોએ કરી ખૂબ સરાહના

Breaking News: IPL 2026 માં મુંબઈનો સતત ચોથો પરાજય, પ્રભસિમરન-શ્રેયસ અય્યરના દમ પર પંજાબ નંબર-1

મુંબઈ ઈન્ડિયન્સનો હારનો સિલસિલો સતત ચાલુ છે, અને પંજાબ જીતવા માટે ટેવાઈ ગયું હોય તેવું લાગે છે. IPL 2026 ની 24મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને એકતરફી રીતે 7 વિકેટથી હરાવ્યું. મુંબઈએ 195 રનનો વિશાળ સ્કોર કર્યો હોવા છતાં મેચ હારી ગઈ.

મુંબઈનો સતત ચોથો પરાજય

મુંબઈ માટે વિકેટકીપર ક્વિન્ટન ડી કોકે 60 બોલમાં 112 રન બનાવ્યા, પરંતુ તેમની સદી વ્યર્થ ગઈ. પ્રભસિમરન સિંહ અને અર્શદીપ સિંહે બેટિંગથી પંજાબને જીત અપાવી. કેપ્ટન શ્રેયસ ઐયરે પણ શાનદાર અડધી સદી ફટકારી, 35 બોલમાં 66 રન બનાવ્યા.

પંજાબ પોઈન્ટ ટેબલમાં નંબર 1

મુંબઈ પર શાનદાર વિજય સાથે પંજાબ નંબર 1 પર પહોંચી ગયું છે. તેમણે પાંચમાંથી ચાર મેચ જીતી છે, જેમાં એક મેચ વરસાદને કારણે રદ થઈ ગઈ છે. હાલમાં પંજાબ નવ પોઈન્ટ સાથે સૌથી વધુ પોઈન્ટનો રેકોર્ડ ધરાવે છે. તેઓ અત્યાર સુધી એક પણ મેચ હાર્યા નથી. દરમિયાન, બીજી તરફ, મુંબઈએ પોતાની પહેલી મેચ જીતી હતી પરંતુ હવે સતત ચાર મેચ હાર્યું છે.

ક્વિન્ટન ડી કોકની સદી

શ્રેયસ અય્યરે ટોસ જીતીને મુંબઈને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. ટીમની શરૂઆત ખરાબ રહી. રાયન રિકલ્ટન 2 રન બનાવીને અને સૂર્યકુમાર યાદવ ગોલ્ડન 0 પર આઉટ થયા. અર્શદીપ સિંહે બંને વિકેટ લીધી. જોકે, ત્યારબાદ ક્વિન્ટન ડી કોક અને નમન ધીરે સદીની ભાગીદારી સાથે પંજાબને જવાબ આપ્યો.

મુંબઈનો મિડલ ઓર્ડર નિષ્ફળ

નમન ધીરે 31 બોલમાં 50 રન બનાવ્યા, જ્યારે ક્વિન્ટન ડી કોકે પણ શાનદાર સદી ફટકારી, 60 બોલમાં 112 રન બનાવ્યા. જોકે, મુંબઈનો મિડલ ઓર્ડર સંપૂર્ણપણે નિષ્ફળ ગયો. કેપ્ટન પંડ્યા 12 બોલમાં ફક્ત 14 રન બનાવી શક્યો. રુધરફોર્ડે 1 રન બનાવ્યો. તિલક વર્મા 8 રન બનાવીને આઉટ થયો. એક સમયે એવું લાગતું હતું કે મુંબઈ 215 રન સુધી પહોંચશે, પરંતુ તેમનો સ્કોર 195 પર અટકી ગયો.

પંજાબની યાદગાર જીત

પંજાબ સામે 196 રનનો મોટો લક્ષ્યાંક હતો અને ઓપનર પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરન સિંહે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. પ્રિયાંશ આર્ય 9 બોલમાં 15 રન બનાવીને આઉટ થયો હતો, પરંતુ પ્રભસિમરને 39 બોલમાં અણનમ 80 રન બનાવીને મુંબઈને રમતમાંથી બહાર કરી દીધું. કેપ્ટન શ્રેયસ અય્યરે તેની સાથે મળીને 35 બોલમાં 66 રન બનાવીને સદીની ભાગીદારી નોંધાવી. મુંબઈના બોલરો સંપૂર્ણ નિષ્ફળ સાબિત થયા. દીપક ચહર, બુમરાહ અને પંડ્યા એક પણ વિકેટ મેળવી શક્યા નહીં. ગઝનફરે 2 વિકેટ જ્યારે શાર્દુલે 1 વિકેટ લીધી.

Breaking News: ક્વિન્ટન ડી કોકે IPLમાં ત્રીજી સદી ફટકારી, બનાવ્યો મોટો રેકોર્ડ

Breaking News: પાંચમી ઓવરના બીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે કરી મોટી ભૂલ, પંજાબ કિંગ્સને 108 રનનું ભારે નુકસાન

 

IPL 2026માં MI vs PBKS વચ્ચેની મેચમાં આ હતી પૈસા વસૂલ મોમેન્ટ, એક જમ્પ અને પલટી નાખી આખી ગેમ, જુઓ Video

શ્રેયસ ઐયરે Shreyas Iyerએ રોહિત અને સૂર્યાની સામે જ એવો કમાલ કર્યો કે એક જ ક્ષણે આખી મેચનું મૂડ બદલાઈ ગયું. મુંબઈ ઇન્ડિયન્સ સામેની આ મેચમાં પંજાબ કિંગ્સે શરૂઆત સારી કરી હતી, પરંતુ ત્યારબાદ ટીમને વિકેટ લેવા માટે ભારે મહેનત કરવી પડી. ખાસ કરીને નબળી ફિલ્ડિંગને કારણે ઘણી તકો હાથમાંથી સરકી ગઈ, જેના કારણે વિરોધી ટીમને મજબૂત સ્કોર બનાવવા મદદ મળી.

મેચ દરમિયાન પંજાબની ફિલ્ડિંગ ખૂબ જ સામાન્ય રહી. શરૂઆતમાં જ એક સરળ કેચ છોડાયો હતો, ત્યારબાદ રન-આઉટની તકો પણ બગાડી દેવામાં આવી. આવી ભૂલોનો સીધો અસર ટીમના પ્રદર્શન પર પડ્યો અને મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેનોને દબાણમાંથી બહાર આવવાની તક મળી.

પણ મેચના અંતિમ ઓવરોમાં, કેપ્ટન શ્રેયસ ઐયરે પોતાની ટીમ માટે રમત ફેરવી નાખી. 18મી ઓવરમાં, જ્યારે Hardik Pandya બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેણે મોટા શોટ્સ મારવાનો પ્રયાસ કર્યો. એક બોલ પર તેણે છગ્ગો ફટકાર્યો, પરંતુ ત્યારબાદ તે જ શોટ ફરી રમવા ગયો અને ત્યાં જ ગેમ બદલાઈ ગઈ.

લોંગ-ઓન બાઉન્ડ્રી પર ઉભેલા ઐયરે અદભુત ટાઈમિંગ સાથે ઊંચો કૂદકો મારીને બોલ પકડ્યો. પરંતુ તરત જ તેને સમજાયું કે તે બાઉન્ડ્રી લાઇન પાર કરી જશે. એ સ્પ્લિટ સેકન્ડમાં તેણે અદ્ભુત સમજદારી બતાવી અને હવામાં જ બોલને પાછો મેદાનમાં ફેંકી દીધો. જ્યાં Xavier Bartlettએ સરળતાથી કેચ પૂર્ણ કર્યો. આ ક્ષણે માત્ર એક વિકેટ નહીં, પણ આખી મેચનું મોમેન્ટમ બદલાઈ ગયું.

આ દ્રશ્ય એટલું અચંબિત કરનારું હતું કે Rohit Sharma અને Suryakumar Yadav સહિત મુંબઈ ઇન્ડિયન્સના ખેલાડીઓ પણ સ્તબ્ધ રહી ગયા. ખાસ વાત એ હતી કે આ કેચ મુંબઈના ડગઆઉટથી ખૂબ નજીક લેવામાં આવ્યો હતો, જેના કારણે બધાએ આ ક્ષણને લાઈવ જોઈ અને તરત જ પ્રતિક્રિયા આપી.

આ શાનદાર ફિલ્ડિંગના કારણે હાર્દિક માત્ર 14 રન પર આઉટ થયો અને મુંબઈ ઇન્ડિયન્સ, જે 200 પાર જતી દેખાતી હતી, તે 195 રન પર અટકી ગઈ. એક જ ફિલ્ડિંગ મોમેન્ટ કેવી રીતે મેચનું ચિત્ર બદલી શકે છે, તેનો આ એક પરફેક્ટ ઉદાહરણ બની ગયું.

પાંચમી ઓવરના બીજા બોલ પર યુઝવેન્દ્ર ચહલે કરી મોટી ભૂલ, પંજાબ કિંગ્સને 108 રનનું ભારે નુકસાન

નાસિકની TCS કંપનીમાં ચાલતા ધર્માન્તર રેકેટે અનેક કર્મચારીઓની જિંદગી બનાવી દીધી દોજખ, નોકરી કે નરક એ નક્કી કરવુ મુશ્કેલ- વાંચો

નાસિકમાં TCSની એક બ્રાંચમાં હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરી તેમને બળજબરીથી મુસ્લિમ બનાવવાના એક મલ્ટીનેશનલ કંપનીમાં ચાલતી  ધર્માન્તર ગેંગનો ખૂલાસો થયો છે. ‘મક્સદ નહીં ભૂલના’ આ ફ્રેઝ અનેક ફિલ્મો, વેબસિરીઝમાં આતંકીઓની વાતચીતમાં તમે સાંભળ્યુ જ હશે. કટ્ટરવાદી વિચારધારામાં જીવતા કેટલાક મુસ્લિમ યુવકો આ ફ્રેઝને બહુ ગંભીરતાથી લઈ રહ્યા છે. કટ્ટરવાદી વિચારોવાળા આ યુવાનો, ચાહે એ લારીવાળો હોય, ડૉક્ટર હોય, જીમ ટ્રેનર હોય કે સોફ્ટવેર એન્જિનયર કેમ ન હોય. કોઈપણ ઉચ્ચ ડિગ્રી કેમ ન હોય, આવા કટ્ટરવાદી યુવાનોની માનસિક્તા એક જ હોય છે, હિંદુ યુવતીઓને ટાર્ગેટ કરવી અને કોઈપણ ભોગે તેમનુ ધર્માન્તર કરીને તેમને મુસ્લિમ બનાવવી.

દેશની સૌથી મોટી સોફ્ટવેર કંપની TCSમાં ધર્માન્તરનો આટલો મોટો ખેલ ચાલી રહ્યો હતો અને તેમના વડાઓને તેની ભનક પણ ન લાગી. TCS ની ભારતના અનેક શહેરો સહિત વિશ્વના અનેક દેશોમાં બ્રાંચ આવેલી છે. આ આઈટી કંપનીની નાસિક બ્રાંચમાં મુસ્લિમ યુવકો દ્વારા એક ખાસ પ્રકારનુ ગ્રુમિંગ ગેંગ ચાલી રહ્યુ હતુ. આ ગેંગનો લક્ષ્ય હતુ કે કંપનીની 18 થી 25 વર્ષ સુધીની હિંદુ યુવતીઓને પહેલા નોકરી પર રાખવાની, પ્રેમજાળમાં ફસાવવાની અને ત્યારબાદ બ્લેકમેઈલિંગ કરીને કોઈપણ રીતે મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા માટે દબાણ લાવવાનું.

સામાન્ય રીતે એવી માન્યતા હોય છે કે જે લોકો ઓછુ ભણેલા હોય અથવા તો ગરીબ હોય તેમનુ ધર્મ પરિવર્તન કરાવવુ આસાન હોય છે. અથવા તો અંતરિયાળ વિસ્તારોમાં કે મદરેસાઓમાં જ આવી પ્રવૃતિ ચાલતી હોય છે પરંતુ આ ઘટનાએ આ તમામ મિથકને ખોટા સાબિત કરી દીધા છે. જે પ્રકારે ‘ધ કેરલા સ્ટોરી’માં બતાવવામાં આવ્યુ હતુ, થોડીઘણી એ જ મોડસ ઓપરેન્ડી સાથે નાસિકની TCS ઓફિસમાં પણ જોવા મળી. નાસિકની આ કંપનીમાં હિંદુ યુવકોની સાથે કેટલાક મુસ્લિમ યુવકો અને મુસ્લિમ યુવતીએ એક એવુ નેક્સસ ઉભુ કર્યુ હતુ.

TCS કંપનીની HR નિદા ખાન જ ધર્મપરિવર્તનના રેકેટ સાથે જોડાયેલી હતી

TCSમાં હિંદુ યુવતીઓનું બ્રેન વોશ કરીને મુસ્લિમ બનાવવાનો ખેલ ચાલતો હતો. પોલીસના જણાવ્યા અનુસાર કંપનીની મુસ્લિમ HR નિદા ખાન આ સમગ્ર ધર્મપરિવર્તન રેકેટ સાથે જોડાયેલી છે. તેના આ રેકેટમાં દાનિશ શેખ, આસીફ અન્સારી, શફી શેખ, શાહરૂખ કુરેશી, રઝા મેમણ અને તૌસિફ અત્તર જેવા મુસ્લિમ યુવકો સામેલ હતા. આ તમામ મુસ્લિમ યુવકો કંપનીમાં ટીમ લીડર જેવી સિનિયર પોઝિશન પર હતા. આ કંપનીની હિંદુ યુવતીઓને ફસાવીને તેને મુસ્લિમ બનાવવાની કોશિશમાં લાગેલા હતા. આ તમામ લોકો એક વોટ્સએપ ગૃપ જોડાયેલા હતા. જેમા એ વાત પર ચર્ચા થતી હતી કે કઈ હિંદુ યુવતીને ક્યારે ટાર્ગેટ કરવાની છે. તેને કેવી રીતે પ્રતાડિત કરીને, અથવા મિત્રતા કેળવીને જાળમાં ફસાવવાની છે.

કેવી રીતે કરાતુ ધર્મપરિવર્તન?

ધર્મ પરિવર્તનના આ સમગ્ર કાંડની શરૂઆત હિંદુ યુવતીઓને કંપનીમાં નોકરી આપવાથી શરૂ થતી હતી. જે હિંદુ યુવતીઓની આર્થિક સ્થિતિ નબળી હોય અને જેમને નોકરીની તાતી જરૂર હોય એવી જ યુવતીઓને નોકરી પર રાખવામાં આવતી હતી. જેથી સમય આવ્યે તેમને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી આપી ડરાવી શકાય અને ધર્મપરિવર્તન કરવા માટે દબાણ લાવી શકાય. નોકરી પર રાખ્યા બાદ ગેંગમાં સામેલ મુસ્લિમ યુવકો ટીમલીડ હોવાના કારણે આ યુવતીઓના રિપોર્ટીંગ મેનેજર પણ રહેતા. આથી યુવતીઓ તેમની સાથે મિત્રતા કરી લેતી. જે બાદ ધર્મપરિવર્તન કરવા મજબુર કરવામાં આવતી.

કેવી રીતે થયો ખૂલાસો?

આ ધર્માન્તર કાંડનો ખૂલાસો ફેબ્રુઆરી મહિનામાં થયો. જ્યારે રમઝાન માસમાં એક હિંદુ યુવતીએ રોઝા રાખવાનું શરૂ કર્યુ. યુવતીના પરિવારે આ અંગે એક હિંદુ સંગઠનને ફરિયાદ કરી, આ સંગઠને પોલીસને આ ઘટના અંગે જણાવ્યુ અને આરોપ લગાવ્યો કે TCS કંપનીમાં જ હિંદુ યુવતીઓને રોઝા રાખવા દબાણ કરાય છે. આ જાણ્યા બાદ પોલીસે કેટલીક મહિલા પોલીસકર્મીઓને એક ખાસ મિશન પર લગાવી. આ મિશન માટે મહિલા પોલીસકર્મીઓને TCSના હાઉસ કિંપીંગ વિભાગમાં ભરતી કરાવવામાં આવી. તેમણે કંપનીમાં ચાલી રહેલી ગતિવિધિઓ પર નજર રાખવાનું શરૂ કર્યુ. જેમા બહાર આવ્યુ કે કંપનીના જ મુસ્લિમ ટીમ લીડર યુવકો દ્વારા હિંદુ યુવતીને શિકાર બનાવવામાં આવી રહી છે. આ બધુ જાણતા હોવા છતા કંપનીની HR નિદા ખાન હિંદુ યુવતીઓની ફરિયાદ પણ લેતી ન હતી. પોલીસે જે બાદ તેની રીતે ગુપ્ત તપાસ શરૂ કરી તો સામે આવ્યુ કે TCS માં ધર્માન્તરનું આખુ રેકેટ ચાલી રહ્યુ છે. અત્યાર સુધીમાં આ રેકેટની શિકાર 12 હિંદુ યુવતીઓ વિશે જાણ થઈ છે.

હિંદુ યુવતીઓનું યૌન શોષણ પણ કરાતુ, ગૌમાંસ ખાવા મજબુર કરાતી

આ કેસમાં NO FIR માં પીડિતોએ તેમના પર આચરવામાં આવેલા અત્યાચાર વર્ડ ટુ વર્ડ પોલીસને જણાવ્યા છે. પીડિતોઓ જણાવ્યુ કે કંપનીની HR નીદા ખાન મુસ્લિમ ટીમ લીડર્સ હિંદુ યુવતીઓની સામે હિંદુ દેવીદેવતાનો મજાક ઉડાવતા, તેમનુ અપમાન કરતા હતા. ન માત્ર આટલુ, હિંદુ યુવતીઓને અશ્લિલ ઈશારા કરતા, છેડતી કરતા, બેડ ટચ કરી લેતા હતા.  કેટલાક મુસ્લિમ યુવકોએ હિંદુ યુવતીઓ સાથે નિકટતા વધારી તેમની અંગત જિંદગીની વાતો જાણી લીધી હતી, જેને હથિયાર બનાવી તેઓ હિંદુ યુવતીઓને બ્લેકમેલ કરતા હતા, કેટલીક યુવતીઓનું યૌન શોષણ પણ કરવામાં આવ્યુ. આ મુસ્લિમ યુવકોએ હિંદુ યુવતીઓને નમાઝ પઢવા અને ગૌમાંસ ખાવા માટે પણ મજબુર કરી. પીડિત હિંદુ યુવતીઓ માટે 8 કલાકની નોકરી દોજખ બની ગઈ હતી.

“બાળકો ન થતા હોય તો પત્નીને મારી પાસે મોકલ”

હાલ TCS ની ધર્માન્તર ગેંગનો પર્દાફાશ થયા બાદ એક-એક કરીને પીડિતો સામે આવી રહ્યા છે. જેમા સૌથી વધુ તો મહિલા કર્મચારીઓ જ છે. જો કે એક પુરુષ કર્મચારી પણ સામે આવ્યો છે. તેણે ફરિયાદમાં જણાવ્યુ કે તેને બળજબરીથી ટોપી પહેરાવવામાં આવી અને નમાઝ પઢવા માટે મજબુર કરવામાં આવ્યો. સાથે જ એક મુસ્લિમ આરોપીએ કહ્યુ કે બાળકો નથી થતા તો પત્નીને મારી પાસે મોકલી દે. ઈન્ડિયા ટુડે સાથેની વાતચીતમાં નાસિક TCS ના એક કર્મચારીએ કહ્યુ કે તેના ટીમ લીડરે તેને નમાઝ અને કલમા પઢવાનું કહ્યુ અને ટોપી પહેરવા મજબુર કર્યો. ઉત્પીડનની હદ તો ત્યારે થઈ જ્યારે એક આરોપીએ તેની અંગત જિંદગીનો મજાક ઉડાવતા કહ્યુ કે “જો સારવાર છતા બાળકો ન થતા હોય તો તારી પત્નીને મારી પાસે મોકલી દે.”

“ઈસ્લામ અપનાવી લે, પિતા સાજા થઈ જશે”

એક પુરુષ કર્મચારીએ તેની ફરિયાદમાં જણાવ્યુ કે દાનિશ, શાહરૂખ અને રઝા મેનન સહિતના લોકોએ મને ઈસ્લામ અપનાવવા અનેકવાર મજબુર કર્યો. પીડિતે જણાવ્યુ કે જ્યારે મારા પિતા લકવાગ્રસ્ત થઈ ગયા તો એ લોકોએ કહ્યુ, “ઈસ્લામ અપનાવી લે પિતા સાજા થઈ જશે.” પરંતુ તેમની વાત ન માની તો મને નોકરીમાંથી કાઢી મુકવા માટેનું ષડયંત્ર રચ્યુ, હેડ ઓફિસમાં ખોટી ફરિયાદો કરી, આ સિલસિલો 2022 થી 23 માર્ચ 2026 સુધી ચાલતો રહ્યો.

વર્ષ 2022માં થઈ ઉત્પીડનની શરૂઆત

પીડિતે જણાવ્યુ કે ઉત્પીડનની શરૂઆત 2022માં થઈ. એ સમયે યુવકે કંપની જોઈન કરી હતી. તેનો ટીમ લીડ તૌસીફ અખ્તર અને સહયોગી દાનિશ શેખે મળીને તેને પ્રતાડિત કરવાનુ શરૂ કર્યુ. સાથે જ તેના હુકમો માનવા માટે પણ સહુને મજબુર કર્યા. જે ન માને તેના પર કામનો વધુ પડતો બોજો નાખવામાં આવતો હતો.

તૌસિખ, દાનિશ સામે પણ નોંધાઈ ફરિયાદ

હાલ ધર્માન્તર કાંડનો પર્દાફાશસ થયા બાદ તૌસિફ અને દાનિશ સામે પણ FIR નોંધવામાં આવી છે. જે 23 વર્ષિય મહિલા કર્મચારીએ નાસિકમાં નોંધાવી છે. જેમા આરોપ લગાવાયો છે કે દાનિશે તેને બળજબરીથી ચુમવાની કોશિશ કરી. સાથે જ લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. દાનિશ, તૌસિફ, નિદાખાન અને તેના સાગરીતો હિંદુ દેવી દેવતા વિશે અશ્લિલ ટિપ્પણીઓ પણ કરતા હતા. હાલ આ ઘટનામાં સાત આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમા 5 પુરુષ અને 2 મહિલા આરોપી સામેલ છે. પોલીસે અનેક મહિલા કર્મચારીઓની ફરિયાદને આધારે કૂલ 9 કેસ આ આરોપીઓ વિરુદ્ધ દાખલ કર્યા છે.

સાબરમતી નદીને ખાલી કરાતા જ નદીમાં શરૂ થઈ ખજાનાની શોધ, 400 જેટલા શ્રમિકોએ શરૂ કર્યુ ખોદકામ, જુના ચલણી સિક્કા મળ્યા

Breaking News: મધ્ય પૂર્વમાં શાંતિની આશા! ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે 10 દિવસ માટે યુદ્ધ વિરામ; શું ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થી લાવી મોટું પરિણામ….?

વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધોને રોકવાના પોતાના વાદા પર આગળ વધતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મધ્ય પૂર્વના દેશો વચ્ચે એક મોટી સફળતા હાંસલ કરી છે. ઇઝરાયેલ અને લેબનોન વચ્ચે ચાલી રહેલી ભીષણ જંગ પર હવે 10 દિવસ માટે બ્રેક લાગી ગઈ છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર આ ઐતિહાસિક સમજૂતીની જાહેરાત કરી છે.

ટ્રમ્પની ‘ડિજિટલ’ જાહેરાત અને હાઈ-લેવલ મીટિંગ

ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે તેમની લેબનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે લાંબી અને સકારાત્મક વાતચીત થઈ છે. બંને નેતાઓ ઔપચારિક રીતે 10 દિવસના સીઝફાયર માટે તૈયાર થયા છે. વોશિંગ્ટનમાં 34 વર્ષ બાદ પ્રથમ વખત બંને દેશોના પ્રતિનિધિમંડળોએ અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો અને ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સની હાજરીમાં મુલાકાત કરી હતી.

ટ્રમ્પનો 10મો લક્ષ્યાંક

પોતાની આક્રમક શૈલી માટે જાણીતા ટ્રમ્પે કહ્યું કે, “વિશ્વભરમાં અત્યાર સુધીમાં 9 યુદ્ધો ઉકેલવા તે મારા માટે સન્માનની વાત રહી છે અને આ મારું 10મું યુદ્ધ હશે, તો ચાલો તેને પૂરું કરીએ!” તેમણે પોતાના વિદેશ મંત્રી અને ઉચ્ચ સૈન્ય અધિકારીઓને કાયમી શાંતિ સ્થાપવા માટે સતત કામ કરવાના નિર્દેશ આપ્યા છે.

સીઝફાયર પહેલાની ભયાનક સ્થિતિ

નોંધનીય છે કે આ જાહેરાત થવાના થોડા સમય પહેલા જ ઇઝરાયેલી સેનાએ લેબનોનના તાયરમાં આવેલા કાસમીયેહ પુલને નિશાન બનાવીને તબાહ કરી દીધો હતો. આ હુમલાનો હેતુ લેબનોનના દક્ષિણી વિસ્તારને ઉત્તરી વિસ્તારથી અલગ કરવાનો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું. બીજી તરફ, હિઝબુલ્લાહે આ શાંતિ વાટાઘાટોને લેબનોન સરકારની મોટી ભૂલ ગણાવીને વિરોધ નોંધાવ્યો છે.

નિષ્કર્ષ: શું શાંતિ ટકશે?

ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેનો આ સીઝફાયર હાલ પૂરતો રાહત આપનારો છે, પરંતુ હિઝબુલ્લાહનો વિરોધ અને સીમા પરનો તણાવ જોતા આગામી 10 દિવસ અત્યંત મહત્વના સાબિત થશે. શું ટ્રમ્પની મધ્યસ્થીથી 10માં યુદ્ધનો અંત આવશે? તે જોવું રસપ્રદ રહેશે.

‘બેટા, તું ઈન્ડિયા ના આવતો…’ વ્યાજખોરોના ત્રાસથી કંટાળેલા પિતાનો હૃદયદ્રાવક વીડિયો; ગૃહરાજ્ય મંત્રીના કડક આદેશો માત્ર કાગળ પર?

Breaking News: RCBની ઐતિહાસિક જીત, લખનૌ સુપર જાયન્ટ્સને પહેલીવાર ઘરઆંગણે હરાવ્યું

IPL 2026 ની 23મી મેચમાં, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ લખનૌ સુપર જાયન્ટ્સને સરળતાથી હરાવ્યું હતું. એમએ ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં હોમ ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ આખી મેચમાં પ્રભુત્વ રાખ્યું. શરૂઆતમાં, તેમના બોલરોએ જોરદાર બોલિંગ કરી લખનૌ સુપર જાયન્ટ્સને 146 રનમાં ઓલઆઉટ કર્યું. ત્યારબાદ, બેટ્સમેનોએ આક્રમક બેટિંગથી જીત આસાન બનાવી. RCB એ પહેલીવાર ઘરઆંગણે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું.

લખનૌ 146 રનમાં ઓલઆઉટ

રજત પાટીદારના નેતૃત્વ હેઠળની RCBએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો, જે એક સારો નિર્ણય સાબિત થયો. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ 20 ઓવરમાં ફક્ત 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. લખનૌની શરૂઆત નબળી રહી હતી, જેમાં એડન માર્કરામ માત્ર 12 રનમાં આઉટ થયો હતો. ત્યારબાદ, કેપ્ટન રિષભ પંત પાંચમી ઓવરમાં જોશ હેઝલવુડના બોલથી ઘાયલ થઈ ગયો અને રિટાયર્ડ હર્ટ થયો. તે પાછળથી પાછો ફર્યો પરંતુ માત્ર એક રન બનાવીને આઉટ થયો. આ દરમિયાન, આયુષ બદોની (38) અને મુકુલ ચૌધરી (39) એ ટીમને આ સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.

 

RCBના બોલરોએ તબાહી મચાવી

બીજી બાજુ, RCB ની બોલિંગ જોરદાર રહી. રસિક દારે સૌથી વધુ ચાર વિકેટ લીધી, ભુવનેશ્વર કુમારે ત્રણ અને કૃણાલ પંડ્યાએ બે વિકેટ લીધી. જોશ હેઝલવુડે પણ એક વિકેટ લઈને આર્થિક રીતે સફળ સાબિત થયો.

RCBની આસાન જીત

રનચેઝ કરતા RCB એ વિરાટ કોહલીને ઈમ્પેક્ટ પ્લેયર તરીકે મેદાનમાં ઉતાર્યો. વિરાટે આક્રમક શરૂઆત કરી, 34 બોલમાં 49 રન બનાવ્યા, જેમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની ઇનિંગે ટીમ માટે રનચેઝ ખૂબ જ સરળ બનાવ્યો. તેણે દેવદત્ત પડિકલ સાથે બીજી વિકેટ માટે મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી. ત્યારબાદ કેપ્ટન રજત પાટીદારે 13 બોલમાં 27 રનની ધમાકેદાર ઇનિંગ રમી. જીતેશ શર્મા પણ 9 બોલમાં 23 રન બનાવવામાં સફળ રહ્યો. અંતે, ટિમ ડેવિડ અને રોમારિયો શેફર્ડે RCBને જીત અપાવી .

Breaking News: સચિન તેંડુલકરના મિત્ર વિનોદ કાંબલીની તબિયત બગડી, પહેલા યાદશક્તિ નબળી પડી, હવે મોટો ખતરો

Breaking News: સચિન તેંડુલકરના મિત્ર વિનોદ કાંબલીની તબિયત બગડી, પહેલા યાદશક્તિ નબળી પડી, હવે મોટો ખતરો

વિનોદ કાંબલી લાંબા સમયથી આરોગ્યની સમસ્યાઓથી પીડાઈ રહ્યો છે. થોડા મહિના પહેલા તેના ક્રિકેટર મિત્રો અને રાજ્ય સરકારની મદદથી તેની સારવાર કરવામાં આવી હતી, જેના કારણે તેના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ તાજેતરમાં મળેલી માહિતી મુજબ તેની સ્થિતિ ફરી નબળી પડી રહી છે.

કાંબલીની યાદશક્તિમાં નોંધપાત્ર ઘટાડો

ખાસ કરીને તેની યાદશક્તિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તે દવાઓ લેવાનું પણ ઘણીવાર ભૂલી જાય છે, જે તેની સારવાર માટે મોટી અડચણ બની રહી છે. આ સ્થિતિને કારણે તેના સ્વાસ્થ્ય પર વધુ ગંભીર અસર પડી શકે છે.

કાંબલીને મગજના સ્ટ્રોકનો ખતરો

મીડિયા રિપોર્ટ્સ મુજબ, કાંબલીને મગજના સ્ટ્રોકનો ખતરો છે. મગજમાં લોહી ગંઠાવાની સમસ્યા હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. યોગ્ય આહાર અને દવાઓનું પાલન ન થવાને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની શકે છે.

 

કાંબલીની મદદ માટે વોટ્સએપ ગ્રુપ

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તેના ક્રિકેટર મિત્રો ફરી એકવાર મદદ માટે આગળ આવ્યા છે. તેની સારવાર માટે નાણાં એકત્રિત કરવા માટે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં સચિન તેંડુલકર સહિતના નજીકના મિત્રો જોડાયા હોવાના અહેવાલ છે.

ઘણી બાબતો ભૂલી જાય છે કાંબલી

કાંબલીના મિત્રોએ જણાવ્યું કે તેણે દારૂ પીવાનું બંધ કર્યું છે, પરંતુ તે ઘણી બાબતો ભૂલી જાય છે. ક્યારેક તે ભૂલી જાય છે કે તેને ધુમ્રપાન નથી કરવાનું અને રસ્તા પર લોકો પાસેથી સિગારેટ માંગતો જોવા મળે છે, જે તેની હાલતનું ગંભીરની નિશાની છે.

મગજ પર પડતી અસરથી સંતુલન બગડ્યું

હાલમાં કાંબલીની કિડની, હૃદય અને લીવર પર કોઈ ગંભીર અસર નથી, પરંતુ મગજ પર પડતી અસરને કારણે તેના શરીરનું સંતુલન બગડી રહ્યું છે. આ પરિસ્થિતિમાં યોગ્ય સારવાર અને સતત દેખરેખ ખૂબ જરૂરી બની ગઈ છે. ચાહકો તેના સ્વાસ્થ્યમાં સુધારા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

Breaking News: રિષભ પંત સાથે રોહિત શર્મા જેવી જ ઘટના બની, આઉટ થયા વિના જ મેદાન છોડવું પડ્યું

Breaking News: પરમાણુ યુદ્ધના ખતરા વચ્ચે રશિયાનો માસ્ટરપ્લાન! ઈરાનના ‘યુરેનિયમ’ પર પુતિને લીધો મોટો નિર્ણય; શું આ પગલું દુનિયાને બચાવશે?

વિશ્વ અત્યારે પરમાણુ શક્તિઓના વિવાદ વચ્ચે શ્વાસ અધ્ધર કરીને બેઠું છે, ત્યારે રશિયાએ ઈરાનના એનરિચ્ડ યુરેનિયમ (સંવર્ધિત યુરેનિયમ) મામલે મહત્વની જાહેરાત કરી છે. ચીનની મુલાકાતે ગયેલા રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવે સ્પષ્ટ કર્યું છે કે મોસ્કો આ જટિલ સમસ્યા ઉકેલવા માટે સીધી ભૂમિકા ભજવવા તૈયાર છે.

રશિયાનો ‘રીપ્રોસેસિંગ’ પ્લાન

લવરોવે બીજિંગમાં પત્રકારોને જણાવ્યું કે, રશિયા ઈરાન પાસે રહેલા અત્યંત સંવર્ધિત યુરેનિયમને ઈંધણ-ગ્રેડ યુરેનિયમમાં ફરીથી પ્રોસેસ કરી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જે યુરેનિયમ પરમાણુ બોમ્બ બનાવવામાં વપરાય છે, તેને રશિયા એવા સ્વરૂપમાં બદલી નાખશે જેનો ઉપયોગ માત્ર શાંતિપૂર્ણ ઉર્જા કાર્યો માટે થઈ શકે. રશિયાએ તૈયારી બતાવી છે કે ઈરાનને જે રીતે સ્વીકાર્ય હોય તે રીતે તેઓ મદદ કરવા તૈયાર છે.

પુતિને સીધો વોશિંગ્ટન મોકલ્યો પ્રસ્તાવ

આ સમાચાર એટલા માટે મહત્વના છે કારણ કે તાજેતરમાં પાકિસ્તાનમાં અમેરિકા-ઈરાન વચ્ચેની શાંતિ વાર્તા નિષ્ફળ ગઈ હતી. આ નિષ્ફળતા બાદ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ખુલાસો કર્યો છે કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને આ પ્રસ્તાવ સીધો અમેરિકા સુધી પહોંચાડ્યો છે. એટલું જ નહીં, પુતિને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયાન સાથે ફોન પર વાત કરી તેમને રાજદ્વારી સમર્થન આપવાની ખાતરી પણ આપી છે.

IAEA ની કડક નજર

બીજી તરફ, સંયુક્ત રાષ્ટ્રની પરમાણુ એજન્સી (IAEA) ના વડા રાફેલ ગ્રોસીએ પણ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો અમેરિકા અને ઈરાન વચ્ચે કોઈ સમજૂતી થાય, તો ઈરાનની પરમાણુ ગતિવિધિઓની અત્યંત ઝીણવટભરી તપાસ થવી જોઈએ. ટ્રમ્પ પ્રશાસન પહેલેથી જ કહી ચૂક્યું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં ઈરાનને પરમાણુ હથિયાર બનાવવા દેશે નહીં.

શું ઈતિહાસનું પુનરાવર્તન થશે?

ઉલ્લેખનીય છે કે 2015 માં પણ જ્યારે પરમાણુ કરાર થયો હતો, ત્યારે રશિયાએ ઈરાનમાંથી મોટી માત્રામાં યુરેનિયમ હટાવી લીધું હતું. હવે જ્યારે ફરી એકવાર યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે શું રશિયા ફરીથી મધ્યસ્થી બનીને દુનિયાને પરમાણુ જોખમમાંથી બહાર કાઢી શકશે? આ પ્રશ્ન અત્યારે આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે.

H-1B વિઝા પર જેડી વેન્સનું મહત્વનું નિવેદન; સાસરીયાના ખભે બંદૂક મૂકીને કહી આ મોટી વાત

વૈષ્ણોદેવીમાં વિવાદ, મંત્રોચ્ચાર દરમિયાન CEOને બુટ કાઢવાનું કહેતા ભડક્યા, વીડિયો વાયરલ

શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડના સીઈઓ અને IAS અધિકારી સચિન કુમાર વૈશ્ય સાથે જોડાયેલો એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના શ્રી માતા વૈષ્ણોદેવી સાથે સંબંધિત છે, જ્યાં તેઓ એક સંસ્થાના ઉદ્ઘાટન માટે કટરા ગયા હતા.

માહિતી અનુસાર, ઉદ્ઘાટન દરમિયાન પૂજારીઓ દ્વારા ધાર્મિક મંત્રોચ્ચાર ચાલી રહ્યો હતો. તે સમયે એક પૂજારીએ સચિન વૈશ્યને પરંપરા મુજબ બુટ કાઢવા વિનંતી કરી હતી. પરંતુ આ વાત પર તેઓ નારાજ થઈ ગયા હતા. વીડિયોમાં તેઓ કહેતા સાંભળવા મળે છે કે, “આ જ કારણ છે કે હું આવા સ્થળોની મુલાકાત લેતો નથી.” તેમની આ ટિપ્પણીથી ત્યાં હાજર લોકોમાં અસંતોષ જોવા મળ્યો, છતાં કોઈએ ખુલ્લેઆમ વિરોધ કર્યો નહોતો.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ભારે પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. ઘણા યુઝર્સે તેમના વર્તનને અયોગ્ય ગણાવ્યું છે અને તેમને સીઈઓના પદ પરથી દૂર કરવાની માંગ કરી છે. કેટલાક લોકોએ તેમના વર્તનને “ઘમંડી” કહીને આક્ષેપ કર્યો છે.

વિવાદ વધતા લોકોમાં એ પણ ચર્ચા થઈ રહી છે કે જે વ્યક્તિ પવિત્ર સ્થળના વહીવટ માટે જવાબદાર છે, તે જ ત્યાંની પરંપરાઓ પ્રત્યે અનાદર દર્શાવે છે, તે વિસંગતતા દર્શાવે છે. ઘણા લોકોનું માનવું છે કે આવા પદ પર એવી વ્યક્તિ હોવી જોઈએ જે શ્રદ્ધા અને સંસ્કૃતિને સમજતી હોય.

આ મુદ્દે ભાજપ યુવા મોરચાના નેતા તાંડવ સિંહે પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે આવી માનસિકતા ધરાવતા અધિકારીઓની તાત્કાલિક બદલી થવી જોઈએ અને આ પદ પર એવી વ્યક્તિની નિમણૂક કરવી જોઈએ જે ધાર્મિક પરંપરાઓનો સન્માન કરે.

‘જય શ્રી રામ’ બોલો અને ડિસ્કાઉન્ટ મેળવો, ડૉક્ટરે શરૂ કરી અનોખી ઓફર

H-1B વિઝા પર જેડી વેન્સનું મહત્વનું નિવેદન; સાસરીયાના ખભે બંદૂક મૂકીને કહી આ મોટી વાત

અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે દેશની H-1B વિઝા સિસ્ટમ અને ઇમિગ્રેશન નિયમો પર ફરી એકવાર પોતાનું કડક વલણ સ્પષ્ટ કર્યું છે. એક કાર્યક્રમ દરમિયાન ભારતીય મૂળના વિદ્યાર્થીના પ્રશ્નનો જવાબ આપતા વેન્સે વિઝા પ્રોગ્રામમાં થતી ગેરરીતિઓ પર સવાલ ઉઠાવ્યા હતા, પરંતુ સાથે જ તેમણે ભારતીય પ્રવાસીઓના અમેરિકી અર્થતંત્રમાં ફાળાના પણ વખાણ કર્યા હતા.

સાસરી પક્ષના ઉદાહરણથી આપી સમજણ

જેડી વેન્સે આ વિષય પર વાત કરતી વખતે પોતાના પરિવારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, ‘H-1B સિસ્ટમમાં એક તરફ મોટી છેતરપિંડી થાય છે, તો બીજી તરફ એવા લોકો પણ છે જેમણે અહીં આવીને દેશને સમૃદ્ધ બનાવ્યો છે. આવા સારા લોકોમાં મારા સાસરી પક્ષના લોકો પણ સામેલ છે.’ ઉલ્લેખનીય છે કે જેડી વેન્સના પત્ની ઉષા વેન્સના માતા-પિતા આંધ્રપ્રદેશના વતની હતા, જેઓ અમેરિકામાં જઈને સ્થાયી થયા હતા.

‘અમેરિકામાં રહીને અમેરિકાનું જ વિચારો’

વેન્સે ભારતીય મૂળના પ્રવાસીઓ અને અન્ય વિદેશી કર્મચારીઓને એક સ્પષ્ટ સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે જે લોકો અમેરિકા આવે છે, તેમની પ્રથમ ફરજ એ છે કે તેઓ અમેરિકાના હિતોને પ્રાથમિકતા આપે. પ્રવાસીઓએ પોતાની જૂની ઓળખમાંથી બહાર આવીને પોતાને ‘અમેરિકન’ માનવા જોઈએ અને તે દેશ વિશે વિચારવું જોઈએ જ્યાં તેઓ અત્યારે રહી રહ્યા છે, નહીં કે તે દેશ વિશે જ્યાંથી તેઓ આવ્યા છે.

ટ્રમ્પ સરકારનું કડક વલણ

ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસન હંમેશાથી વિઝા નિયમો પર કડક રહ્યું છે. જેડી વેન્સે પણ સરકારના આ વલણનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે નિયમોમાં કડકાઈ દેશની સુરક્ષા અને અર્થવ્યવસ્થા માટે અનિવાર્ય છે. ગત વર્ષે ટ્રમ્પે H-1B વિઝા પર $1,00,000 (આશરે 83 લાખ રૂપિયાથી વધુ) નો શુલ્ક લાદવાનો આદેશ આપ્યો હતો. એટલું જ નહીં, હવે વિઝા અરજદારોના સોશિયલ મીડિયા પ્રોફાઇલની પણ કડક સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે.

ભારતીયો માટે કેમ મહત્વના છે આ સમાચાર?

અમેરિકામાં H-1B વિઝા મેળવનારાઓમાં 80 ટકાથી વધુ લોકો ભારતીય અથવા ચીની નાગરિકો હોય છે, જેમાં સૌથી વધુ સંખ્યા ભારતીયોની છે. આવી સ્થિતિમાં ઉપરાષ્ટ્રપતિનું આ નિવેદન અને ટ્રમ્પ સરકારની કડક નીતિઓ આગામી સમયમાં ભારતીય આઈટી પ્રોફેશનલ્સ માટે પડકારજનક સાબિત થઈ શકે છે.

જાણો લારીવાળા ભાઈની એ ‘સિક્રેટ હેક’, જેનાથી એક જ નારિયેળમાંથી નીકળશે 3 ગ્લાસ પાણી

Breaking News: ચેપોકમાં ચાલ્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો જાદુ, કોલકાતા નાઈટ રાઈડર્સની IPL 2026માં ચોથી હાર

પહેલી ત્રણ મેચ હાર્યા બાદ હવે ચેન્નાઈ સુપર કિંગ્સ વિજય રથ પર સવાર થયું હોય તેવું લાગી રહ્યું છે. CSK એ ચેપોકમાં સતત બીજી મેચ જીતી છે. દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવ્યા બાદ ચેન્નાઈએ કોલકાતા નાઈટ રાઈડર્સને પણ હરાવ્યું હતું. બીજી તરફ KKR પાંચ મેચમાં એક પણ જીત મેળવી શક્યું નથી.

ચેન્નાઈએ કોલકાતાને હરાવ્યું

પહેલા બેટિંગ કરતા, ચેન્નાઈ સુપર કિંગ્સે 20 ઓવરમાં 192 રન બનાવ્યા. જવાબમાં, કોલકાતા આ લક્ષ્યાંક હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું. કોલકાતાએ ફક્ત 160 રન બનાવ્યા અને 32 રનથી હારનો સામનો કરવો પડ્યો. ચેન્નાઈ સુપર કિંગ્સની જીતનો હીરો નૂર અહેમદ હતો, જેણે 7 બોલમાં 3 વિકેટ લઈને મેચનું પાસું ફેરવી દીધું. નૂર અહેમદે 4 ઓવરમાં 21 રન આપીને 3 વિકેટ લીધી. સંજુ સેમસનએ 48 અને ડેવાલ્ડ બ્રેવિસે 41 રન બનાવ્યા. આયુષ મ્હાત્રે પણ 17 બોલમાં 38 રન બનાવી અણનમ રહ્યા.

KKRની સિઝનમાં ચોથી હાર

કોલકાતા નાઈટ રાઈડર્સનું સતત ખરાબ પ્રદર્શન ચાલુ જ રહ્યું છે. તેમણે આ મેચમાં પોતાની ઓપનિંગ જોડી બદલી, પરંતુ પરિણામ યથાવત રહ્યું. ફિન એલન માત્ર 1 રન બનાવીને આઉટ થયો. ઓપનિંગમાં રહાણેના સ્થાને આવેલા સુનીલ નારાયણે 17 બોલમાં 24 રન બનાવ્યા. કેપ્ટન રહાણે 22 બોલમાં માત્ર 28 રન બનાવી શક્યો. અંગક્રિશ રઘુવંશીએ 19 બોલમાં 27 રન બનાવ્યા. આ પછી, KKRની બેટિંગ વચ્ચેની ઓવરોમાં પત્તાના મહેલની જેમ તૂટી પડી.

નૂરની સાત બોલમાં ત્રણ વિકેટ

KKR મેચમાં 10 ઓવર સુધી રમી રહ્યું હતું, પરંતુ પછી 11મી ઓવરમાં નૂર અહેમદે મેચનું પાસું પલટી નાખ્યું. તેણે પહેલા કોલકાતાના કેપ્ટન અજિંક્ય રહાણેને આઉટ કર્યો. પછી, બીજા જ બોલ પર નૂર અહેમદે કેમેરોન ગ્રીનને બોલ્ડ કર્યો. 13મી ઓવરમાં, નૂર અહેમદે કોલકાતાના વાઈસ કેપ્ટન રિંકુ સિંહને આઉટ કર્યો. આમ, નૂર અહેમદે સાત બોલમાં ત્રણ વિકેટ લીધી.

 ચેપોકમાં ચેન્નાઈની બીજી જીત

ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી. કેપ્ટન ગાયકવાડ માત્ર 7 રન બનાવીને આઉટ થયો. જોકે, ત્યારબાદ સંજુ સેમસન અને આયુષ મ્હાત્રેએ વિસ્ફોટક ઇનિંગ્સ રમીને ચેન્નાઈને પાવરપ્લેમાં મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું. આયુષ મ્હાત્રેએ 17 બોલમાં 38 રન બનાવ્યા. સંજુ સેમસને પણ 32 બોલમાં 48 રન બનાવ્યા. ડેવાલ્ડ બ્રેવિસે 41 રન ફટકાર્યા. સરફરાઝ ખાને 23 રન અને શિવમ દુબેએ 13 રન બનાવ્યા.

Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સારા સમાચાર, ચેમ્પિયન કેપ્ટનની જલ્દી થશે ટીમમાં વાપસી

Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી આખી સિઝનમાંથી થયો બહાર

Breaking News: સનરાઈઝર્સ હૈદરાબાદ માટે સારા સમાચાર, ચેમ્પિયન કેપ્ટનની જલ્દી થશે ટીમમાં વાપસી

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે સારા સમાચાર સામે આવ્યા છે. નિયમિત કેપ્ટન જલ્દી ટીમ સાથે જોડાય શકે છે. પેટ કમિન્સ 17 એપ્રિલે ભારત પરત ફરવાની શક્યતા છે. હાલમાં તેઓ ઓસ્ટ્રેલિયામાં છે, જ્યાં તેમની મહત્વપૂર્ણ ફિટનેસ ટેસ્ટ યોજાવાની છે. આ ટેસ્ટમાં સફળતા મળે તો તેઓ સીધા IPL માટે ઉપલબ્ધ બની શકે છે.

ઈજાના કારણે ઓસ્ટ્રેલિયા પરત ફર્યો

કમિન્સ IPL 2026ની શરૂઆતમાં SRH ટીમ સાથે જોડાયો હતો, પરંતુ ઈજાના કારણે તેને ઓસ્ટ્રેલિયા પરત જવું પડ્યું. ગયા વર્ષથી તેને કમરના દુખાવાની સમસ્યા સતાવી રહી છે, જેના કારણે તે લાંબા સમય સુધી મેદાનથી દૂર રહ્યો છે.

 

ચેન્નાઈ સુપર કિંગ્સ સામે કરશે કમબેક?

આ ઈજાના કારણે કમિન્સ T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ શક્યો નહીં. તેણે એશિઝ સિરીઝમાં વાપસી કરી હતી, પરંતુ એક જ ટેસ્ટ મેચ બાદ ફરીથી ઈજાગ્રસ્ત થતા આખી સિરીઝમાંથી બહાર થવું પડ્યું. રિપોર્ટ્સ મુજબ, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાથી તેને ટૂંક સમયમાં ફિટનેસ ક્લિયરન્સ અને NOC મળી શકે છે. જો બધું આયોજન મુજબ રહ્યું તો તે 18 એપ્રિલે ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની મેચમાં રમતો જોવા મળી શકે છે.

 

હૈદરાબાદનું બોલિંગ લાઈનઅપ મજબૂત થશે

કમિન્સની ગેરહાજરીમાં હૈદરાબાદનું બોલિંગ લાઇનઅપ થોડું નબળું પડી ગયું હતું. જોકે, યુવા બોલરો પ્રફુલ હિંગે અને શાકિબ હુસૈને તાજેતરમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો છે. બંનેએ મળીને મહત્વપૂર્ણ વિકેટો લઈ ટીમને સ્પર્ધાત્મક બનાવવામાં યોગદાન આપ્યું છે.

 

ટીમનું કોમ્બિનેશન-પ્રદર્શન સુધરશે!

હાલમાં હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે, પરંતુ ટીમનું પ્રદર્શન સ્થિર રહ્યું નથી. કેપ્ટનશીપ સંભાળતા ઈશાન કિશન માટે આ સમય પડકારજનક રહ્યો છે. જો કમિન્સ વાપસી કરે છે, તો ટીમની બોલિંગમાં સંતુલન આવશે અને પ્લેઓફ માટેની દોડ વધુ મજબૂત બનશે.

Breaking News: CSK ના 17 વર્ષના બેટ્સમેને KKR ના 25 કરોડના ખેલાડીની કરી જોરદાર ધુલાઈ

સુરતીઓને કાળઝાળ ગરમીમાં ટ્રાફિક સિગ્નલથી રાહત, આ સમયે રહેશે બંધ, જુઓ Video

સુરત પોલીસે કાળઝાળ ગરમીને ધ્યાનમાં રાખીને વાહનચાલકોની સલામતી અને સુવિધા માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શહેરના ટ્રાફિક સિગ્નલો બપોરના 1 વાગ્યાથી સાંજના 4 વાગ્યા સુધી બંધ રાખવામાં આવશે. આ નિર્ણય 15/04/2026 થી અમલમાં આવશે.

આ પગલાનો મુખ્ય હેતુ બપોરના સમયે પડતી અતિશય ગરમીથી વાહનચાલકોને રાહત પૂરી પાડવાનો છે. સિગ્નલો બંધ હોવા છતાં ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ટ્રાફિક પોલીસ અને ટીઆરબી (TRB) ના જવાનોને મુખ્ય જંક્શન્સ પર તૈનાત કરવામાં આવશે. આ જવાનો ટ્રાફિકનું નિયમન કરશે અને અકસ્માતો ન થાય તેની તકેદારી રાખશે.

વધુમાં, શહેરમાં મોટા જંક્શન્સ પર તડકાથી બચવા માટે ખાસ શેડ પણ લગાવવામાં આવ્યા છે. આ શેડ વાહનચાલકોને ગરમીથી રાહત આપશે. સુરત પોલીસ ફોર-વ્હીલ વાહનચાલકોને અપીલ કરી રહી છે કે તેઓ ટુ-વ્હીલર વાહનચાલકોને આ શેડ નીચે ઊભા રહેવા માટે જગ્યા કરી આપે, જેથી સૌ કોઈ ગરમીથી બચી શકે. આ પહેલ ગરમીની સિઝનમાં નાગરિકોને સુવિધા અને સુરક્ષા પૂરી પાડવા માટે કરાઈ છે.

સુરત સાઇબર ઠગાઈનો મુખ્ય સૂત્રધાર મુંબઈથી ઝડપાયો, જુઓ Video

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખેડૂત કોની ‘ખેતી’ બગાડશે? ધોરાજીના ખેડૂતોએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર

Breaking News: પ્રફુલ હિંગે સામે રાજસ્થાનની બ્રેક ફેલ, હૈદરાબાદની જીત સાથે મજબૂત વાપસી

IPL 2026 માં દરેક પ્રતિસ્પર્ધીને પરાજિત કરીને એક શક્તિશાળી ટેન્કની જેમ દોડી રહેલી રાજસ્થાન રોયલ્સ પણ થાકી ગઈ હતી. સતત ચાર મેચ જીત્યા બાદ, રાજસ્થાનને સિઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો. સનરાઇઝર્સ હૈદરાબાદના નવા સ્ટાર પ્રફુલ હિંગેએ પોતાની ડેબ્યૂ મેચમાં જ શાનદાર પહેલી ઓવરમાં રાજસ્થાનની બેટિંગને ધ્વસ્ત કરી દીધી, જેનાથી ટીમ 57 રનથી વિજયી બની. કેપ્ટન ઇશાન કિશનની વિસ્ફોટક ઇનિંગે હૈદરાબાદની જીતનો પાયો નાખ્યો, અને પછી પ્રફુલે તેને તેના અંત સુધી પહોંચાડી.

અભિષેક શર્મા 0 પર આઉટ

હૈદરાબાદમાં SRHની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી, પરંતુ તેમની શરૂઆતથી ટીમ અને ચાહકો બંને નિરાશ થયા હતા. સ્ટાર ઓપનર અભિષેક શર્માને ઇનિંગના પહેલા જ બોલ પર જોફ્રા આર્ચર દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. ટ્રેવિસ હેડ પણ મોટી કે ઝડપી ઇનિંગ ફટકારવામાં નિષ્ફળ રહ્યો હતો. જોકે, કેપ્ટન ઇશાન કિશન ટકી રહ્યો અને તેણે રાજસ્થાનના બોલરો પર હુમલો શરૂ કર્યો.

કેપ્ટન ઈશાને 91 રન ફટકાર્યા

ઈશાને માત્ર 30 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને અંતે 44 બોલમાં 91 રન બનાવીને આઉટ થયો. તેણે અને હેનરિક ક્લાસેનએ ત્રીજી વિકેટ માટે 88 રનની ભાગીદારી કરી, જેનાથી ટીમને રિકવર કરવામાં મદદ મળી. ક્લાસેને પણ 40 રનની ઉપયોગી ઇનિંગ રમી, ત્યારબાદ નીતિશ રેડ્ડી અને સલિલ અરોરાએ મોટા શોટ ફટકારીને ટીમને 217 રન સુધી પહોંચાડી.

 

હિંગેએ પહેલી ઓવરમાં ત્રણ વિકેટ લીધી

આ પછી, બધાની નજર વૈભવ સૂર્યવંશી પર હતી, જેમની પાસેથી બધાને બીજી મજબૂત ઇનિંગની અપેક્ષા હતી. પરંતુ પ્રફુલ હિંગેએ પહેલી ઓવરમાં જે કર્યું તેનાથી બધા ચોંકી ગયા. પોતાની પહેલી મેચ રમતા પ્રફુલ હિંગેએ બીજા બોલ પર વૈભવને આઉટ કર્યો અને પછીના ચાર બોલમાં ધ્રુવ જુરેલ સહિત બે વધુ વિકેટ લીધી. એકંદરે, પ્રફુલે તેની પહેલી ઓવરમાં ત્રણ વિકેટ લઈને ઇતિહાસ રચ્યો.

પ્રફુલ-સાકિબની ડેબ્યૂમાં ચાર-ચાર વિકેટ

બીજી ઓવરમાં, પ્રફુલની સાથે રહેલા ડેબ્યુટન્ટ ફાસ્ટ બોલર સાકિબે પણ એક વિકેટ લીધી. જ્યારે પ્રફુલે મેચની ત્રીજી ઓવરમાં બીજી એક વિકેટ લીધી, જેનાથી રાજસ્થાન સંપૂર્ણપણે હચમચી ગયું. રાજસ્થાને ત્રણ ઓવરમાં ફક્ત નવ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી, ડોનોવન ફેરેરા અને રવિન્દ્ર જાડેજાએ થોડા સમય માટે ઇનિંગ્સને સંભાળી 122 રનની ભાગીદારી કરી. પરંતુ પ્રફુલના ગયા પછી, બીજા ડેબ્યુટન્ટ સાકિબે પોતાની કુશળતા બતાવી અને ફેરેરાને આઉટ કર્યો. રાજસ્થાનને 159 રનમાં ઓલઆઉટ થવામાં લાંબો સમય લાગ્યો નહીં, જેમાં સાકિબે પણ ચાર વિકેટ લીધી.

Breaking News: IPL ઈતિહાસની સૌથી ખતરનાક પહેલી ઓવર, વૈભવ સૂર્યવંશી સહિત ત્રણ 0 પર આઉટ, ડેબ્યૂમાં જ ભારે તબાહી મચાવી દીધી

 

Breaking News: IPL ઈતિહાસની સૌથી ખતરનાક પહેલી ઓવર, વૈભવ સૂર્યવંશી સહિત ત્રણ 0 પર આઉટ, ડેબ્યૂમાં જ ભારે તબાહી મચાવી દીધી

જ્યારે કોઈ ટીમ IPLમાં પહેલી વાર ખેલાડીઓ ખરીદે છે, ત્યારે ઘણા અજાણ્યા ખેલાડીઓનું નસીબ બદલાઈ જાય છે. જો તેમને પહેલી વાર રમવાની તક મળે છે, તો કહાની વધુ સારી બની જાય છે. જો તેઓ પહેલી જ મેચમાં સારું યોગદાન આપે છે, તો તે ખૂબ જ સારી વાત છે. પરંતુ જો કોઈ પહેલી જ મેચમાં IPLના 19 વર્ષમાં સૌથી ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરે છે, તો તે હંમેશા માટે યાદગાર બની જાય છે.

પ્રફુલ હિંજનું શાનદાર ડેબ્યૂ

ફક્ત 24 વર્ષીય ફાસ્ટ બોલર પ્રફુલ હિંજની કહાની છેલ્લી છે. IPLમાં ડેબ્યૂ કરવાની તક મળતા જ પ્રફુલે આશ્ચર્યજનક પ્રદર્શન કર્યું અને પહેલી જ ઓવરમાં 3 વિકેટ લીધી, જ્યારે ત્રણેય બેટ્સમેન ખાતું પણ ખોલી શક્યા નહીં.

પ્રફુલ હિંગેનું ડ્રીમ ડેબ્યૂ

13 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયેલી મેચમાં, બધાની નજર અભિષેક શર્મા અને વૈભવ સૂર્યવંશી પર હતી. પરંતુ ભાગ્યે જ કોઈએ કલ્પના કરી હશે કે બંને બેટ્સમેન ખરાબ રીતે નિષ્ફળ જશે, અને મેચના અંત સુધીમાં, તેમની નિષ્ફળતા કરતાં તે ખેલાડી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેની ડેબ્યૂ મેચ હતી. વિદર્ભ માટે રમતા પ્રફુલ હિંગે પોતાની પહેલી જ ઓવરમાં IPL 2026ના સૌથી વિસ્ફોટક બેટ્સમેન, વૈભવ સૂર્યવંશીને પ્રથમ બોલ પર કોઈ રન બનાવ્યા વિના આઉટ કર્યો.

વૈભવને ખાતું ખોલવા દીધું નહીં

હૈદરાબાદ તરફથી પહેલી ઓવર નાખતા પ્રફુલના પહેલા બોલ પર યશસ્વી જયસ્વાલે એક સિંગલ લીધો. ત્યારબાદ ક્રીઝ પર આવેલા વૈભવે ઓવરના બીજા બોલ પર અને તેના પહેલા બોલ પર એક ઊંચો શોટ રમ્યો, પરંતુ આ વખતે તે બાઉન્ડ્રી પાર કરી શક્યો નહીં અને વિકેટકીપર દ્વારા કેચ થઈ ગયો. આ બધા માટે આશ્ચર્યજનક હતું, કારણ કે અગાઉની ચાર મેચોમાં વૈભવે જસપ્રીત બુમરાહ, જોશ હેઝલવુડ અને ભુવનેશ્વર કુમાર જેવા દિગ્ગજ બોલરોના પહેલા બોલ પર બાઉન્ડ્રી ફટકારી હતી.

ઇનિંગની પહેલી ઓવરમાં 3 વિકેટ

આ વખતે વૈભવ નિષ્ફળ ગયો, પણ પ્રફુલનો કરિશ્મા જળવાઈ રહ્યો. પછી ધ્રુવ જુરેલ આવ્યો, જે પણ સારા ફોર્મમાં હતો. પરંતુ તે પણ ફક્ત બે બોલ રમ્યા પછી તે જ ઓવરમાં પ્રફુલનો શિકાર બન્યો. તે પણ 0 રન બનાવીને આઉટ થયો. બાદમાં 19 વર્ષીય લુઆન-ડ્રે-પ્રિટોરિયસ આવ્યો, જે પણ ડેબ્યૂ કરી રહ્યો હતો. પરંતુ તે પણ ખાતું ખોલાવ્યા વિના માત્ર બે બોલ રમ્યા પછી આઉટ થઈ ગયો.

ડેબ્યૂ મેચમાં 4 વિકેટ લીધી

પ્રફુલની પહેલી ઓવરમાં, ફક્ત 1 રનમાં 3 વિકેટ પડી ગઈ, અને ત્રણેય બેટ્સમેન ખાતું ખોલી શક્યા નહીં. આ સાથે, આ જમણા હાથના ઝડપી બોલરે ઇતિહાસ રચ્યો. IPL ના 19 સિઝનના ઇતિહાસમાં આ પહેલી વાર હતું જ્યારે ઇનિંગની પહેલી ઓવરમાં 3 વિકેટ પડી. પરંતુ પ્રફુલ ત્યાં અટક્યો નહીં. તેની બીજી ઓવરમાં, તેણે ફરીથી પ્રહાર કર્યો, આ વખતે રાજસ્થાનના કેપ્ટન રિયાન પરાગની વિકેટ લીધી. આ રીતે, પ્રફુલે પ્રથમ 2 ઓવરમાં ફક્ત 6 રન આપીને 4 વિકેટ લઈને રાજસ્થાનની બેટિંગને સ્તબ્ધ કરી દીધી.

Breaking News: અભિષેક શર્માએ બનાવ્યો શરમજનક રેકોર્ડ, 9 વર્ષ અને 79 ઈનિંગ્સમાં પહેલીવાર આવું બન્યું

થર્મોસમાં રાખેલી ચા કેટલા સમય સુધી સારી રહે ? તમે નહીં જાણતા હોવ આ વાત

UAEએ પાકિસ્તાનનો સાથ છોડ્યો? જૂનું દેવું ચૂકવવા હવે ચીન-સૌદી સામે ફેલાવ્યો ‘ભીખ’નો કટોરો!

પાકિસ્તાનની આર્થિક હાલત દિવસેને દિવસે કથળી રહી છે. હવે સ્થિતિ એવી આવી છે કે જૂનું દેવું ચૂકવવા માટે પાકિસ્તાન નવા દેવાની શોધમાં ભટકી રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનને આપેલા 3 અબજ ડોલર (આશરે 25 હજાર કરોડ રૂપિયાથી વધુ) આ મહિનાના અંત સુધીમાં પરત કરવા અલ્ટીમેટમ આપ્યું છે.

UAE કેમ નારાજ થયું?

છેલ્લા 7 વર્ષથી UAE પાકિસ્તાનના દેવાની મુદત લંબાવતું આવ્યું છે, પરંતુ આ વખતે તેણે સ્પષ્ટ ના પાડી દીધી છે. નિષ્ણાતોનું માનવું છે કે આ પાછળ સૌદી અરેબિયા અને UAE વચ્ચેનો આંતરિક વિવાદ જવાબદાર છે. પાકિસ્તાને તાજેતરમાં સૌદી અરેબિયા સાથે સંરક્ષણ કરાર કરીને ત્યાં ફાઈટર જેટ્સ તૈનાત કર્યા છે, જેનાથી UAE નારાજ થયું હોવાનું મનાય છે.

નવું દેવું મેળવવાની મથામણ

બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, પાકિસ્તાન હવે ચીન અને સૌદી અરેબિયા પાસે 3.5 અબજ ડોલરની મદદ માંગી રહ્યું છે. જો પાકિસ્તાન આ દેવું નહીં ચૂકવે, તો તેના વિદેશી મુદ્રા ભંડારમાં 18% જેટલો જંગી ઘટાડો થશે, જે તેને સંપૂર્ણ કંગાળી તરફ ધકેલી શકે છે. હાલમાં પાકિસ્તાન પાસે માત્ર ત્રણ મહિનાની આયાત કરી શકાય તેટલું જ ભંડોળ બચ્યું છે.

IMF ની શરતો અને મુશ્કેલીઓ

પાકિસ્તાન અત્યારે IMF ના 7 અબજ ડોલરના બેલઆઉટ પેકેજ પર નભી રહ્યું છે. IMF ની શરત છે કે મિત્ર દેશો પાસેથી મળેલું દેવું ‘રોલઓવર’ (મુદત વધારવી) થતું રહેવું જોઈએ. પરંતુ જો UAE પૈસા પાછા માંગવા પર અડગ રહેશે, તો IMF ના પેકેજ પર પણ સંકટ આવી શકે છે.

હવે આખી દુનિયાની નજર ચીન અને સૌદી અરેબિયા પર છે. શું આ બંને દેશો પાકિસ્તાનને આ કટોકટીમાંથી બહાર કાઢશે કે પછી પાકિસ્તાન આર્થિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડશે? તે જોવું રહ્યું.

Breaking News : ટ્રમ્પની ‘નાકાબંધી’ સામે ચીને ઉગામ્યું હથિયાર; ઈરાન મુદ્દે અમેરિકાને આપી ખુલ્લી ચેતવણી – ‘અમારા મામલે દખલ ન કરો’

અમદાવાદના આંગણે અનેરો ઉત્સવ, કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે મહાપ્રભુજીની ભવ્ય શોભાયાત્રા યોજાઈ

કલ્યાણ પુષ્ટિ હવેલી દ્વારા તા. 13 એપ્રિલ 2026, સોમવાર (ચૈત્ર વદ એકાદશી) ના પાવન દિવસે સાંજે 5:00 કલાકે વસ્ત્રાપુર તળાવ પાસે થી મહાપ્રભુજીની ભવ્ય અને દિવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર કાર્યક્રમ ષષ્ઠપીઠાધીશ્વર પરમ પૂજ્ય ગોસ્વામી 108 દ્વારકેશલાલજી મહારાજની આજ્ઞા અને યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી શરણંકુમારજી મહોદયની મંગલમય ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ શોભાયાત્રા અખંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ્ વલ્લભાચાર્યજી મહાપ્રભુજીના 549માં પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે યોજાઈ હતી. યાત્રા દરમિયાન ભાવભર્યા કીર્તન અને ભક્તિભાવે ભરેલા દ્રશ્યો સાથે વૈષ્ણવોએ વિશેષ આનંદનો અનુભવ કર્યો હતો.

આ અવસર પર શ્રી કલ્યાણરાયજી, શ્રી ગોવર્ધનધરન પ્રભુ, શ્રી ગિરિરાજજી, શ્રી યમુનાજી તેમજ શ્રી મહાપ્રભુજીને વિવિધ ભાવસભર સેવાઓ અર્પણ કરવામાં આવી. ભક્તોએ પ્રભુને લાડ લડાવી તેમની કૃપા પ્રાપ્ત કરી અને ભક્તિભાવમાં લીન રહ્યા.

શોભાયાત્રા બાદ કનકાભિષેક અને નંદમહોત્સવના ઉત્સવો આનંદભેર ઉજવાયા. હવેલીમાં કીર્તનમય વાતાવરણ વચ્ચે વિશિષ્ટ રાજભોગ દર્શન અને શયન દર્શનની ઝાંખી યોજાઈ. ઉપરાંત પાળના, નંદમહોત્સવ અને કેસર સ્નાન જેવા પાવન ઉત્સવો દ્વારા વૈષ્ણવોને આધ્યાત્મિક આનંદનો અનોખો અનુભવ થયો.

આ મહોત્સવ અંતર્ગત તા. 10, 11 અને 12 એપ્રિલ દરમિયાન “શ્રી વલ્લભઃ જયતિ મહોત્સવ” ઉજવાયો હતો, જેમાં યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી શ્રી શરણંકુમારજી મહોદયશ્રીએ “વલ્લભ તત્વ ચિંતન” વિષય પર વચનામૃત આપીને વૈષ્ણવોને આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું હતું.

Akshaya Tritiya 2026: અક્ષય તૃતીયા 2026 લાવશે ભાગ્યનો ટર્નિંગ પોઈન્ટ!

IPL 2026માં બની ગયો મહા રેકોર્ડ, શુભમન ગિલે વિરાટ કોહલીને પછાડ્યો, જુઓ

સ્ટેજથી લઈને કિચન સુધી હતું રાજ, સુરની સાથે લગાવતા હતા ‘સ્વાદનો તડકો’, જાણવા માટે અહીં ક્લિક કરો..

Breaking News: વટવામાં મધરાતે તલવારો સાથે ફિલ્મી આતંક: 5 વર્ષ જૂની હત્યાનો બદલો લેવા ગુંડાઓ બેફામ બન્યા, ગણતરીના કલાકોમાં ઝડપાયા

અમદાવાદના વટવા વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોએ માજા મૂકી છે. વટવાના ચાર માળિયા વિસ્તારમાં ગઈકાલે રાત્રે ખુલ્લી તલવારો સાથે લુખ્ખા તત્વોએ આતંક મચાવતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. જાહેર રોડ પર ગાડી પાર્ક કરી, હાથમાં હથિયારો લહેરાવી રહેલા આ શખ્સોએ સામાન્ય નાગરિકોને ધમકાવ્યા હતા. જોકે, વટવા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી મુખ્ય આરોપી સહિત 4 શખ્સોને જેલના સળિયા ગણતા કરી દીધા છે.

5 વર્ષ જૂનું વેર અને મધરાતે બદલો લેવાનો પ્લાન

પોલીસ તપાસમાં જે વિગતો સામે આવી છે તે કોઈ ગેંગસ્ટર ફિલ્મની પટકથા જેવી છે. મુખ્ય આરોપી આદિલ શેખના ભાઈની ૫ વર્ષ પહેલા હત્યા કરવામાં આવી હતી, જેમાં ફરિયાદી આસિફનો ભાઈ આરોપી હતો. આ જૂની દુશ્મનીને કારણે બંને જૂથો વચ્ચે લાંબા સમયથી ઘર્ષણ ચાલતું હતું. તાજેતરમાં આસિફે આદિલના એક માણસને ધમકી આપી હતી, જેનો બદલો લેવા માટે આદિલ શેખ તેની ગેંગ સાથે તલવારો લઈને આસિફના ઘરે ધસી ગયો હતો.

વટવા પોલીસની કડક કાર્યવાહી: ‘ગારદન’ અને ‘લંગડો’ ઝડપાયા

ઘટનાની જાણ થતા જ વટવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને મુખ્ય આરોપી આદિલ શેખ, ફારૂક ગરદન, મોઇન ઉર્ફે લંગડો અને હુસૈન ઉર્ફે ભૈયાની ધરપકડ કરી લીધી છે. પોલીસે તેમની પાસેથી તલવારો સહિતના હથિયારો પણ કબજે કર્યા છે. આ શખ્સોના પકડાઈ જવાથી વટવાના ચાર માળિયા વિસ્તારના રહીશોએ રાહતનો શ્વાસ લીધો છે.

હાલમાં પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ સતત પેટ્રોલીંગ કરી રહી છે, પરંતુ આવા અસામાજિક તત્વોનો વધતો જતો આતંક પોલીસ માટે પડકારરૂપ બની રહ્યો છે.

(ઈનપુટ ક્રેડિટ: મિહિર સોની)

“ટેક્સ ઉઘરાવો છો તો સુવિધા ક્યાં?”, 565 ફ્લેટના રહિશોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા રાજકીય પક્ષોમાં ફફડાટ

Breaking News: એક અબજ ડૉલર અને સુંદર કન્યા આપો, નહીંતો…..  યુગાન્ડાના સેના પ્રમુખે તુર્કીય પાસે કરી વિચીત્ર માગણી

દુનિયામાં અત્યારે અનેક ગંભીર યુદ્ધો ચાલી રહ્યા છે, ત્યારે આફ્રિકન દેશ યુગાન્ડાના સેના પ્રમુખે તુર્કી સામે એક એવી માંગણી મૂકી છે જે સાંભળીને કોઈ પણ માથું ખંજવાળવા લાગે. જનરલ મુહૂઝી કૈનેરુગાબાએ સોશિયલ મીડિયા પર તુર્કી પાસે 1 અબજ ડોલર (આશરે 9 હજાર કરોડ રૂપિયા) અને દેશની સૌથી સુંદર છોકરી સાથે લગ્ન કરવાની માંગ કરી છે. આટલું જ નહીં, તેમણે આ માટે માત્ર 30 દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.

શા માટે માંગી રહ્યા છે 9 હજાર કરોડ રૂપિયા?

કૈનેરુગાબાએ આ માંગણી પાછળ એક અનોખું તર્ક આપ્યું છે. તેમના જણાવ્યા મુજબ, યુગાન્ડા છેલ્લા 20 વર્ષથી સોમાલિયામાં આતંકી સંગઠન અલ-શબાબ સામે લડી રહ્યું છે અને આ રક્ષણ પાછળ યુગાન્ડાના સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ, તુર્કીએ આ સુરક્ષાનો લાભ લઈને સોમાલિયામાં રોડ, બંદર અને એરપોર્ટ બનાવીને અઢળક કમાણી કરી છે. સેના પ્રમુખનું કહેવું છે કે તુર્કીએ કમાણી કરી પણ સુરક્ષાનો બોજ યુગાન્ડાએ ઉપાડ્યો, તેથી હવે તુર્કીએ 1 અબજ ડોલર ‘સુરક્ષા હિસ્સા’ તરીકે ચૂકવવા પડશે.

લગ્ન અને દૂતાવાસ બંધ કરવાની ધમકી

પૈસાની સાથે સાથે જનરલ કૈનેરુગાબાએ પોતાની વ્યક્તિગત ઈચ્છા પણ જાહેર કરી છે. તેમણે લખ્યું છે કે તેમને તુર્કીની સૌથી સુંદર યુવતી સાથે લગ્ન કરવા છે. જોકે આ વાત મજાક જેવી લાગે છે, પરંતુ તેમણે આપેલી ધમકી ઘણી ગંભીર છે. તેમણે કહ્યું છે કે જો 30 દિવસમાં આ બંને માંગણીઓ પૂરી નહીં થાય, તો યુગાન્ડામાં આવેલું તુર્કીનું દૂતાવાસ બંધ કરી દેવામાં આવશે અને તુર્કીની એરલાઇન્સને યુગાન્ડાના આકાશમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.

કોણ છે આ જનરલ કૈનેરુગાબા?

આ આખી ઘટના એટલા માટે ચર્ચામાં છે કારણ કે કૈનેરુગાબા માત્ર સેના પ્રમુખ નથી, પરંતુ યુગાન્ડાના રાષ્ટ્રપતિ યોવેરી મુસેવેનીના પુત્ર છે. તેમને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે જોવામાં આવે છે. તેઓ સોશિયલ મીડિયા પર અવારનવાર આવા વિવાદિત અને વિચિત્ર નિવેદનો આપવા માટે જાણીતા છે. અગાઉ પણ તેમણે પાડોશી દેશો પર હુમલો કરવાની ધમકીઓ આપીને હોબાળો મચાવ્યો હતો.

તુર્કીએ અત્યાર સુધી આ મામલે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આપી નથી, પરંતુ વિશ્વભરના નિષ્ણાતો આ ઘટનાને રાજદ્વારી મર્યાદાઓનું ઉલ્લંઘન ગણાવી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે 30 દિવસ પૂરા થતા યુગાન્ડા ખરેખર કોઈ કડક પગલાં લે છે કે આ માત્ર સોશિયલ મીડિયાનો ગતકડું સાબિત થાય છે.

Breaking News: ઈરાન બાદ હવે અમેરિકાએ હોર્મુઝ પર કરી નાકાબંધી, ટ્રમ્પે કહ્યુ એકપણ જહાજને આવવા-જવા નહીં દઈએ

IPL 2026 : બની ગયો મહા રેકોર્ડ, શુભમન ગિલે વિરાટ કોહલીને પછાડ્યો, જુઓ

Shubman Gill 4000 IPL Runs: IPL 2026 ની 19મી મેચમાં ગુજરાત ટાઇટન્સના કેપ્ટન Shubman Gill એ લખનૌ સુપર જાયન્ટ્સ સામે શાનદાર અને જવાબદાર ઇનિંગ રમી. 165 રનના લક્ષ્યનો પીછો કરતા ગિલે અડધી સદી ફટકારી અને પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. આ ઇનિંગ દરમિયાન તેણે પોતાની IPL કારકિર્દીમાં 4,000 રનનો આંકડો પાર કરીને એક મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી.

આ સિદ્ધિ સાથે ગિલે Virat Kohli નો મોટો રેકોર્ડ પણ પાછળ છોડ્યો. ગિલે ફક્ત 118 ઇનિંગ્સમાં 4,000 રન પૂરા કર્યા, જ્યારે કોહલીએ આ મુકામ સુધી પહોંચવા માટે 128 ઇનિંગ્સ લીધી હતી. આથી ગિલ હવે ભારતીય બેટ્સમેનોમાં બીજા નંબરનો સૌથી ઝડપી ખેલાડી બની ગયો છે, જ્યારે પ્રથમ સ્થાને KL Rahul છે.

બોલની દ્રષ્ટિએ પણ ગિલનું પ્રદર્શન પ્રશંસનીય રહ્યું છે. તેણે માત્ર 2875 બોલમાં 4,000 રન પૂર્ણ કર્યા, જે ભારતીયોમાં બીજો શ્રેષ્ઠ રેકોર્ડ છે. આ યાદીમાં ટોચ પર Suryakumar Yadav છે, જેણે 2714 બોલમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી. ગિલ પછી Suresh Raina અને MS Dhoni જેવા દિગ્ગજ ખેલાડીઓ આવે છે.

ગિલની આ સતત સારો પ્રદર્શન દર્શાવે છે કે તે આજના સમયમાં IPLના સૌથી વિશ્વસનીય અને પ્રતિભાશાળી બેટ્સમેનોમાંનો એક બની ગયો છે. તેની કેપ્ટનશીપ અને બેટિંગ બંને ગુજરાત ટાઇટન્સ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે, અને આવનારા મેચોમાં તેની પાસેથી વધુ મોટી ઇનિંગ્સની અપેક્ષા રહેશે.

Breaking News : IPL 2026માં Live મેચમાં Rajasthan Royals ના મેનેજરે ચલાવ્યો ફોન

Breaking News: ચેન્નાઈ સુપર કિંગ્સની IPL 2026માં પહેલી જીત, સેમસન-ઓવરટન સામે દિલ્હીની હાર

IPL 2026 ની 18મી મેચમાં ચેન્નાઈએ દિલ્હીને 23 રનથી હરાવી સિઝનની પહેલી જીત હાંસલ કરી હતી. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ 212 રન બનાવ્યા અને જવાબમાં દિલ્હી 189 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ચેન્નાઈની જીતના હીરો સંજુ સેમસન અને જેમી ઓવરટન રહ્યા.

ચેન્નાઈએ 212 રન બનાવ્યા

IPL 2026 ની 18મી મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટોસ દિલ્હી કેપિટલ્સ તરફેણમાં ગયો અને કેપ્ટન અક્ષર પટેલે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. સતત ત્રણ હારમાંથી શીખીને, ચેન્નાઈ સુપર કિંગ્સે સાવધાનીપૂર્વક શરૂઆત કરી. તેઓએ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 212 રન બનાવ્યા અને જીત માટે 213 રનનો લક્ષ્યાંક રાખ્યો.

દિલ્હી કેપિટલ્સનો બીજો પરાજય

213 રનનો પીછો કરતા દિલ્હી કેપિટલ્સ 189 રન જ બનાવી શક્યું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સે આ મેચ 23 રનથી જીતી લીધી હતી. દિલ્હી કેપિટલ્સને હરાવીને ચેન્નાઈ સુપર કિંગ્સે ટુર્નામેન્ટમાં પોતાની પહેલી જીત નોંધાવી છે. આ સાથે, ચેન્નાઈ સુપર કિંગ્સે 2 પોઈન્ટ મેળવ્યા છે. આ ટુર્નામેન્ટમાં દિલ્હી કેપિટલ્સનો આ બીજો પરાજય હતો.

 

સંજુ સેમસનની શાનદાર સદી

ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી સંજુ સેમસન અને કેપ્ટન ઋતુરાજ ગાયકવાડની જોડીએ સાવધાનીપૂર્વક શરૂઆત કરી. ઋતુરાજ ગાયકવાડ 18 બોલમાં એક ચોગ્ગાની મદદથી 15 રન બનાવી આઉટ થયો. ત્યારબાદ સંજુ સેમસન અને આયુષ મ્હાત્રેની જોડીએ બીજી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી. સંજુ સેમસને આ સિઝનની પહેલી સદી ફટકારી. સંજુ સેમસનએ 56 બોલમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે અણનમ 115 રન બનાવ્યા.

સારી શરૂઆત બાદ દિલ્હીની ઈનિંગ લથડી

આ IPL મેચમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રનનો પીછો કરવા માટે પથુમ નિસન્કા અને કેએલ રાહુલ મેદાનમાં આવ્યા. આ જોડીએ પ્રથમ વિકેટ માટે 61 રનની ભાગીદારી કરી. પરંતુ કેએલ રાહુલ 18 રન બનાવીને આઉટ થયો. તરત જ, પથુમ નિસન્કા 41 રન બનાવીને આઉટ થયો. તે પછી સમીર રિઝવી 6 રન અને અક્ષર પટેલ 1 રન બનાવીને આઉટ થયો. આ કારણે, દિલ્હી કેપિટલ્સ ટીમ પર દબાણ વધ્યું.

ટ્રિસ્ટન સ્ટબ્સની લડાયક ફિફ્ટી

ડેવિડ મિલર અને ટ્રિસ્ટન સ્ટબ્સે ઇનિંગને રિકવર કરવાનો પ્રયાસ કર્યો. તેમણે છઠ્ઠી વિકેટ માટે 45 રનની ભાગીદારી કરી. પરંતુ ડેવિડ મિલરને જેમી ઓવરટને બોલ્ડ કર્યો. આશુતોષ શર્મા 19 રન બનાવીને આઉટ થયો, જ્યારે આકિબ નબી ડાર 4 રન બનાવીને આઉટ થયો અને દબાણ ફરી વધ્યું. પરંતુ ટ્રિસ્ટન સ્ટબ્સ એક બાજુ લડી રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સ તેની અડધી સદીને કારણે મેચમાં રહ્યું. પરંતુ તે 60 રન બનાવીને આઉટ થયો અને મેચ ચેન્નાઈ સુપર કિંગ્સના પક્ષમાં સમાપ્ત થઈ.

Breaking News: 400 ક્લબમાં સામેલ થયો સંજુ સેમસન, આ કમાલ કરનાર માત્ર ચોથો ભારતીય ખેલાડી

Sanju Samson lucky charm : દરેક મેચમાં આવજો… પત્ની નહીં, આ છે સંજુ સેમસનનો લકી ચાર્મ, સદી ફટકારતા જ લીધું નામ

Sanju Samson vs Delhi Capitals: Sanju Samson એ IPL 2026 માં પોતાની શાનદાર બેટિંગથી ફરી એક વખત ચર્ચામાં આવી ગયા છે. દિલ્હી કેપિટલ્સ સામે રમાયેલી મેચમાં તેણે સદી ફટકારીને માત્ર ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી નથી, પરંતુ મેચ બાદ પોતાના રમુજી નિવેદનથી પણ ચાહકોનું દિલ જીતી લીધું છે.

ચેન્નાઈના M. A. Chidambaram Stadium માં રમાયેલી IPL 2026 ની 18મી મેચમાં સંજુ સેમસને તોફાની ઇનિંગ રમી. તેણે માત્ર 52 બોલમાં પોતાની સદી પૂરી કરી અને અણનમ 115 રન બનાવ્યા. આ ઇનિંગમાં 15 ચોગ્ગા અને 4 છગ્ગાનો સમાવેશ થાય છે. તેની આ શાનદાર બેટિંગના કારણે Chennai Super Kings એ 20 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 212 રનનો મોટો સ્કોર ઉભો કર્યો.

દરેક મેચમાં આવજો – Sanju Samson

સદી ફટકાર્યા બાદ સંજુ સેમસને એક મજેદાર નિવેદન આપ્યું, જે ઝડપથી વાયરલ થયું. તેણે ભૂતપૂર્વ ભારતીય કોચ Ravi Shastri ને પોતાનો ‘લકી ચાર્મ’ ગણાવ્યો. સંજુએ હસતાં કહ્યું, “ખૂબ સારું લાગી રહ્યું છે. તમારો આભાર રવિ શાસ્ત્રી, તમે મારા માટે નસીબદાર છો. કૃપા કરીને દરેક મેચમાં આવજો, સાહેબ.”

પોતાના ફોર્મ વિશે વાત કરતાં સંજુએ જણાવ્યું કે, “જ્યારે તમે દેશ માટે મેચ જીતો છો, ત્યાર બાદ થોડી નિષ્ફળતાઓ શંકા પેદા કરી શકે છે. હું માત્ર મારા મૂળભૂત પર ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. મને લાગ્યું કે કદાચ વધુ આક્રમક રમવું જોઈએ, પરંતુ હું મારા પ્લાન પર ટક્યો રહ્યો અને સદભાગ્યે તે કામ કર્યું.”

પિચ બેટિંગ માટે વધુ અનુકૂળ

પિચ વિશે વાત કરતાં તેણે કહ્યું, “શરૂઆતમાં પિચ થોડી ધીમી લાગી રહી હતી. જ્યારે અક્ષર પટેલ બોલિંગ કરતો હતો ત્યારે બોલ અટકતો હતો, પરંતુ પછી પિચ બેટિંગ માટે વધુ અનુકૂળ બની ગઈ. આયુષ સાથે બેટિંગ કરવાનો અનુભવ સારો રહ્યો અને અમે ટીમ માટે મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કર્યો.”

આ સદી સંજુ સેમસનની આ સિઝનની પહેલી સદી છે અને IPL કારકિર્દીની ચોથી સદી પણ છે. ખાસ વાત એ છે કે તેની અગાઉની ત્રણેય સદીઓ પણ તેણે સિઝનની પહેલી સદી તરીકે જ ફટકારી હતી. 2017, 2019 અને 2021 માં.

IPL 2026 માં સૌ પ્રથમવાર થયો આ કમાલ, CSK ના ખેલાડી સંજુ સેમસને બનાવ્યો મોટો રેકોર્ડ

Breaking News: અર્શદીપ સિંહે 4 ઓવરમાં 50 રન આપ્યા, છતાં તેને 1 લાખ રૂપિયાનું ઈનામ મળ્યું, જાણો કેમ

બાઉન્ડ્રી લાઈન પર સુપરમેન બન્યો માર્કો યાનસન, એક હાથથી કર્યો ઈશાન કિશનનો શિકાર

મહારાજા યાદવિન્દ્ર સિંહ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઉત્સાહ ચરમસીમાએ પહોંચ્યો. પહેલા બેટિંગ કરતા, હૈદરાબાદે 20 ઓવરમાં 219 રનનો વિશાળ સ્કોર બનાવ્યો; જોકે, ઇનિંગ્સની સૌથી મોટી હેડલાઇન્સ માર્કો જાનસેન દ્વારા લેવાયેલ શાનદાર કેચ હતી. દક્ષિણ આફ્રિકાનો ઓલરાઉન્ડર જાનસેન બોલ સાથે કોઈ વિકેટ લેવામાં નિષ્ફળ ગયો હોવા છતાં, બાઉન્ડ્રી પર તેના ચમત્કારિક એક હાથે લેવાયેલા કેચે ચાહકો અને ખેલાડીઓ બંનેને સંપૂર્ણપણે મંત્રમુગ્ધ કરી દીધા. આ કેચ આધુનિક ક્રિકેટમાં ફિલ્ડિંગના ધોરણો કેટલી અવિશ્વસનીય ઊંચાઈએ પહોંચ્યા છે તેની સાબિતી આપે છે.

અભિષેક શર્માની શાનદાર બેટીંગ

પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ સનરાઇઝર્સના ઓપનિંગ બેટ્સમેનોએ તે નિર્ણયને ખોટો સાબિત કરવામાં કોઈ કસર છોડી નહીં. અભિષેક શર્માએ મેદાન પર ઉતરતાની સાથે જ ભારે તબાહી મચાવી દીધી, માત્ર 28 બોલમાં 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી. પોતાની ઇનિંગ દરમિયાન, તેણે 5 ચોગ્ગા અને 8 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા, 264 થી વધુનો સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો. અભિષેક અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડીએ પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં જ 105 રન બનાવીને પંજાબના બોલિંગ આક્રમણની કમર તોડી નાખી. હેડે 23 બોલમાં 38 રનનું મૂલ્યવાન યોગદાન પણ આપ્યું.

ક્લૈસેન અને કિશનનો પ્રહાર

ઓપનર્સ આઉટ થયા પછી પણ, હૈદરાબાદની ગતિ ધીમી પડી નહીં. વિકેટકીપર-બેટ્સમેન હેનરિક ક્લાસેને 33 બોલમાં 39 રન બનાવ્યા, જ્યારે ઇશાન કિશને માત્ર 17 બોલમાં 27 રનની ઝડપી ઇનિંગ રમીને રનનો પ્રવાહ ચાલુ રાખ્યો. અંતિમ ઓવરોમાં, અનિકેત વર્માએ 9 બોલમાં 18 રન બનાવ્યા, અને નીતિશ કુમાર રેડ્ડીએ અણનમ રહીને ટીમને 219 રનનો જંગી સ્કોર બનાવ્યો. પંજાબના બોલર અર્શદીપ સિંહે બે વિકેટ લીધી, પરંતુ તેણે ચાર ઓવરના ક્વોટામાં 50 રન આપ્યા. આ પ્રદર્શન ટીમ માટે ખૂબ મોંઘુ સાબિત થયું.

પંજાબ કિંગ્સ માટે, શશાંક સિંહ સૌથી સફળ અને આર્થિક બોલર તરીકે ઉભરી આવ્યા, તેમણે ત્રણ ઓવરમાં માત્ર 20 રન આપીને બે વિકેટ લીધી. ઝેવિયર બાર્ટલેટે પણ એક વિકેટ લીધી; જોકે, યુઝવેન્દ્ર ચહલ જેવો અનુભવી સ્પિનર ​​આજે નિરાશાજનક દેખાતો હતો, 33 રન આપીને વિકેટ વિહીન રહ્યો. નિયમિત અંતરાલે વિકેટ પડતી હોવા છતાં, હૈદરાબાદના બેટ્સમેનોએ આક્રમક ક્રિકેટ રમવાનું બંધ ન કર્યું. મુલ્લાનપુરના આ મેદાન પર, દર્શકોને રનના આતશબાજીનો આનંદ માણવામાં આવ્યો, જ્યારે માર્કો જેન્સનના શાનદાર એક હાથે કેચે મેચમાં ગ્લેમર અને ઉત્સાહનો વધારાનો ઉમેરો કર્યો.

પંજાબ કિંગ્સે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો, પરંતુ સનરાઇઝર્સના ઓપનિંગ બેટ્સમેનોએ તે નિર્ણયને ખોટો સાબિત કરવામાં કોઈ કસર છોડી નહીં. અભિષેક શર્માએ મેદાન પર ઉતરતાની સાથે જ ભારે તબાહી મચાવી દીધી, માત્ર 28 બોલમાં 74 રનની ધમાકેદાર ઇનિંગ રમી. પોતાની ઇનિંગ દરમિયાન, તેણે 5 ચોગ્ગા અને 8 જબરદસ્ત છગ્ગા ફટકાર્યા, 264 થી વધુનો સ્ટ્રાઇક રેટ જાળવી રાખ્યો. અભિષેક અને ટ્રેવિસ હેડની ઓપનિંગ જોડીએ પાવરપ્લેની પ્રથમ છ ઓવરમાં જ 105 રન બનાવીને પંજાબના બોલિંગ આક્રમણની કમર તોડી નાખી. હેડે 23 બોલમાં 38 રનનું મૂલ્યવાન યોગદાન પણ આપ્યું.

 રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની અંબાલાલ પટેલની આગાહી, કહ્યુ તાપમાનનું ટોર્ચર સહન કરવા રહેજો તૈયાર

કોંગ્રેસના હાઈવોલ્ટેજ ડ્રામાનો કરૂણ અંત, પોલીસ બંદોબસ્ત સાથે આવેલા તસ્નીમ આલમ ટિકિટ કપાતા જ ભભૂકી ઉઠ્યા

Breaking News:  વૈભવ સૂર્યવંશી સામે RCB એ શરણાગતિ સ્વીકારી, રાજસ્થાને જીતની બાઉન્ડ્રી ફટકારી

IPL 2026 ની 16મી મેચમાં, રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને 6 વિકેટથી હરાવ્યું. ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં રાજસ્થાને 4 વિકેટ ગુમાવીને માત્ર 17.5 ઓવરમાં 202 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. વરસાદને કારણે મેચની શરૂઆતમાં વિલંબ થયો હતો, પરંતુ ઓવરની સંખ્યા ઓછી થઈ ન હતી. ત્યારબાદ ચાહકોએ ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ જોયો. આ મેચમાં રાજસ્થાનની જીતનો હીરો વૈભવ સૂર્યવંશી હતો.

RCBએ 201 રનનો સ્કોર બનાવ્યો

ટોસ જીત્યા બાદ રાજસ્થાન રોયલ્સે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જોફ્રા આર્ચરે ફિલ સોલ્ટને પહેલા જ બોલ પર આઉટ કરીને RCBને શરૂઆતમાં જ ઝટકો આપ્યો. RCBનો ટોપ ઓર્ડર સંઘર્ષ કરી રહ્યો હતો, પરંતુ કેપ્ટન રજત પાટીદારે 40 બોલમાં 63 રનની ઉપયોગી ઇનિંગ રમી. કોહલીએ 16 બોલમાં 32 રન બનાવ્યા. ઇમ્પેક્ટ પ્લેયર વેંકટેશ અય્યરે 15 બોલમાં અણનમ 29 રન બનાવ્યા. RCBએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા. રાજસ્થાન તરફથી આર્ચર, બિશ્નોઈ અને બ્રિજેશ શર્માએ બે-બે વિકેટ લીધી.

 

વૈભવ સૂર્યવંશીએ મેચને એકતરફી બનાવી દીધી

લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સના ઓપનર વૈભવ સૂર્યવંશીએ માત્ર 26 બોલમાં 78 રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. તેણે 300ના સ્ટ્રાઇક રેટથી આ રન બનાવ્યા હતા, જેનાથી મેચ એકતરફી બની ગઈ હતી. તેણે ધ્રુવ જુરેલ સાથે બીજી વિકેટ માટે 108 રન ઉમેર્યા હતા. ત્યારબાદ ધ્રુવ જુરેલે અડધી સદી ફટકારી હતી, જેમાં 43 બોલમાં 8 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન, જાડેજાએ 24 રન બનાવીને ટીમને વિજય અપાવ્યો હતો.

 

રાજસ્થાન રોયલ્સની આ સતત ચોથી જીત

આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સની આ સતત ચોથી જીત છે, જેના કારણે તેઓ પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી ગયા છે. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને સિઝનની પહેલી હારનો સામનો કરવો પડ્યો હતો. અગાઉ, તેઓ સતત બે મેચ જીતી ચૂક્યા હતા.

Breaking News: વૈભવ સૂર્યવંશીએ ફક્ત 15 બોલમાં ફટકારી ફિફ્ટી, આ કમાલ કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન

Breaking News: વૈભવ સૂર્યવંશીએ ફક્ત 15 બોલમાં ફટકારી ફિફ્ટી, આ કમાલ કરનાર પ્રથમ ભારતીય બેટ્સમેન

ગુવાહાટીના બારસાપારા સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચેની મેચમાં વૈભવ સૂર્યવંશીએ ફરી એકવાર પોતાનું વિસ્ફોટક ફોર્મ દર્શાવ્યું. 202 રનના લક્ષ્યનો પીછો કરતા, 15 વર્ષીય બેટ્સમેને RCBના મજબૂત બોલિંગ આક્રમણને તોડી પાડ્યું. સૂર્યવંશીએ ભુવનેશ્વર કુમાર અને જોશ હેઝલવુડ જેવા બોલરો સામે જોરદાર રન બનાવ્યા, માત્ર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. આ ઇનિંગ રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન દ્વારા ફટકારવામાં આવેલી બીજી સૌથી ઝડપી અડધી સદી છે.

 

આ સિઝનની બીજી તોફાની અડધી સદી

આ સિઝનમાં વૈભવ સૂર્યવંશીની બીજી અડધી સદી છે. તેણે અગાઉ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે માત્ર 15 બોલમાં 50 રન પૂરા કર્યા હતા. બંને વખત તેણે બરાબર 15 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સિદ્ધિ સાથે, વૈભવ સૂર્યવંશી IPLમાં બે વાર 15 કે તેથી ઓછા બોલમાં અડધી સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો છે. એકંદરે, આ તેની IPL કારકિર્દીની ત્રીજી અડધી સદી છે.

 

દિગ્ગજ બોલરને ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા

સૂર્યવંશીની આક્રમક ઇનિંગે RCB બોલિંગ આક્રમણને સંપૂર્ણપણે તોડી નાખ્યું. તેણે પાવરપ્લેમાં મોટા શોટ ફટકાર્યા, જેનાથી મેચ રાજસ્થાન રોયલ્સના પક્ષમાં ગઈ. વધુમાં, તેણે જોશ હેઝલવુડ જેવા દિગ્ગજ બોલર સામે પણ ચોગ્ગા અને છગ્ગા ફટકારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા.

સૌથી ઝડપી ફિફ્ટી ફટકારનાર ભારતીય ખેલાડીઓ

  • 13 બોલ – યશસ્વી જયસ્વાલ (2023)
  • 14 બોલ – કેએલ રાહુલ (2019)
  • 15 બોલ – યુસુફ પઠાણ (2014)
  • 15 બોલ – વૈભવ સૂર્યવંશી (2026)
  • 15 બોલ – વૈભવ સૂર્યવંશી (2026)*
  • 16 બોલ – સુરેશ રૈના (2014)

ઓરેન્જ કેપ રેસમાં ટોપ પર

આ મેચમાં વૈભવ સૂર્યવંશીએ 26 બોલમાં કુલ 78 રન બનાવ્યા. તેણે 300 ના સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરતા 8 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા. આ સાથે તેણે IPL 2026 માં 200 રન પૂરા કર્યા. તે આ સિઝનમાં 200 રનનો આંકડો પાર કરનાર પ્રથમ બેટ્સમેન છે. આ સાથે, તેણે ઓરેન્જ કેપ માટેની રેસમાં લીડ મેળવી લીધી છે.

Breaking News: વિરાટ કોહલીના પાર્ટનરે બનાવ્યો શરમજનક રેકોર્ડ, IPLમાં પહેલીવાર બની આ ઘટના

Breaking News : અમદાવાદ મનપાની ચૂંટણી માટે ભાજપે 48 વોર્ડના 192 ઉમેદવારો કર્યા જાહેર, જુઓ List

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને Bharatiya Janata Party (ભાજપ) દ્વારા 48 વોર્ડના કુલ 192 ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદી જાહેર થતાં જ શહેરના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં નવા ચહેરાઓને તક આપવામાં આવી છે, જ્યારે કેટલાક અનુભવી નેતાઓને પણ ફરીથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.

આ યાદીમાં હીના પટેલ અને પાયલ પટેલને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વિષ્ણુ પ્રજાપતિ અને કેતન પટેલને પણ પાર્ટી દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે. ઉપરાંત બિંદુ કુકડિયા અને રાજશ્રી પટેલ જેવા ઉમેદવારોને પણ સ્થાન આપવામાં આવ્યું છે, જે સ્થાનિક સ્તરે મજબૂત પકડ ધરાવે છે.

શહેરના મહત્વના વિસ્તારોમાં પણ ભાજપે પોતાની વ્યૂહરચના સ્પષ્ટ કરી છે. થલતેજ વોર્ડમાંથી હિતેશ બારોટને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે બોડકદેવમાંથી દેવાંગ દાણી ચૂંટણી લડશે. આ ઉપરાંત અલ્પેશ મકવાણાને પણ મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી હોવાનું જાણવા મળે છે.

આ ઉમેદવારોની જાહેરાત સાથે જ ચૂંટણીનો માહોલ તેજ બની ગયો છે. હવે વિવિધ પાર્ટીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે અને મતદારો માટે પણ પસંદગીનો સમય શરૂ થયો છે. અમદાવાદના મતદારો હવે આ નવા અને જુના ચહેરાઓમાંથી પોતાની પસંદગી કરશે, જે શહેરના આગામી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

  • અમદાવાદ મનપાના ભાજપના ઉમેદવારોની યાદી જાહેર
  • ભાજપે 48 વોર્ડના 192 ઉમેદવારોના નામ કર્યા જાહેર
  • ઉમેદવારો જાહેર થયા બાદ શહેર પ્રમુખ પ્રેરક શાહની TV9 સાથે ખાસ વાતચીત
  • સંગઠનના હોદ્દેદારોને ટિકિટ મળી તેમના આવતી કાલે લેવાશે રાજીનામા
  • બોડકદેવથી પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી લડશે ચૂંટણી
  • મનપાની ચૂંટણીમાં ભાજપની નો રિપીટ ફોર્મ્યુલા

રાજકોટ મનપાના ભાજપ ઉમેદવારની યાદી જાહેર, પૂર્વ મેયર સ્ટેન્ડિંગ કમિટીની ટિકિટ કપાઈ

Breaking News : સુરત મનપા ચૂંટણી માટે ભાજપે 30 વોર્ડના 107 ઉમેદવારો કર્યા જાહેર, પાટીદાર ચહેરાઓને સોંપાઈ પ્રચારની જવાબદારી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા આખરે 30 વોર્ડ માટે કુલ 107 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલી અટકળો અને ચર્ચાઓનો અંત આવ્યો છે. આ યાદીમાં નવા અને જૂના ચહેરાઓના સમન્વયનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેમાં મોટાભાગે નવા ચહેરાઓને તક આપવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, જાહેર કરાયેલા 107 ઉમેદવારોમાંથી 15 થી 20 જેટલા જૂના અને અનુભવી કોર્પોરેટરોને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે. જ્યારે 90 થી વધુ ઉમેદવારો નવા છે, જે દર્શાવે છે કે ભાજપે નવી પેઢી અને નવા ચહેરાઓને પ્રોત્સાહન આપવાનું નક્કી કર્યું છે. પાર્ટીએ સ્થાનિક ધારાસભ્યો અને નેતાઓની ભલામણોને પણ ધ્યાનમાં લીધી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.

આ યાદીમાં પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને વિવિધ સમિતિઓના ચેરમેન જેવા અગ્રણી નામોને રિપીટ કરવામાં આવ્યા છે. જેમાં દક્ષશ માવાણી, નરેન્દ્ર પાટીલ, રાજન પટેલ, મનીષા આહીર, વૈશાલી શાહ, ઉર્વશી પટેલ, ચિરાગ સોલંકી, ભાવિશા પટેલ, રાજેન્દ્ર પાટીલ, જયશ્રી વોરા, જયશ્રી વરિયા, ની શાહ, નિલેશ પટેલ, આર.પી. પટેલ અને કિશોર મિયાણી જેવા નામોનો સમાવેશ થાય છે.

મહત્વપૂર્ણ છે કે કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને જ્યાં આમ આદમી પાર્ટીનો પ્રભાવ જોવા મળ્યો હતો, ત્યાં ભાજપે નવા ચહેરાઓને તક આપી છે. કતારગામ-ડભોળી વિસ્તારમાં જૂના ચહેરાઓને હટાવીને નવા ચહેરાઓને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. આ ઉપરાંત, વરાછા, સરથાણા, સીમાડા, અમરોલી છાપરા પાટા જેવા વિસ્તારોમાં પણ નવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી છે.

કેટલાક નોંધપાત્ર નામની ટિકિટ કપાઈ છે, જેમાં વોર્ડ નંબર સાતમાંથી નરેન્દ્ર પાંડવનો સમાવેશ થાય છે, જેમણે ભૂતકાળમાં ભાજપ સામે અવારનવાર વિરોધનો સૂર ઉઠાવ્યો હતો. વોર્ડ નંબર 11 માંથી એમાલી બોઘાવાલાની ટિકિટ પણ કપાઈ છે, કારણ કે તેમને સંગઠનમાં પ્રવક્તાનો હોદ્દો આપવામાં આવ્યો છે. બીજી તરફ, પૂર્ણેશ મોદીના ખાસ ગણાતા પરિમલ ચાચિયાને વોર્ડ નંબર 11 માંથી ટિકિટ મળી છે.

આ યાદી જાહેર થયા બાદ, સુરત શહેર ભાજપ સંગઠન દ્વારા તમામ ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે. વોર્ડ પ્રમુખો દ્વારા લીગલ ટીમની મદદથી ઉમેદવારો સવારે 10 વાગ્યાની આસપાસ મામલતદાર કચેરી ખાતે પોતાના ઉમેદવારી ફોર્મ જમા કરાવશે. અત્યાર સુધી, આ નામ જાહેર થયા બાદ કોઈ મોટી નારાજગી કે વિરોધનો સૂર સુરતમાં જોવા મળ્યો નથી. જોકે, ફોર્મ ભરવાનો આવતીકાલે છેલ્લો દિવસ હોવાથી નારાજગીના સૂર ઊઠે છે કે કેમ, અને જો ઊઠે તો તેમને મનાવી લેવાય છે કે નિષ્ક્રિય રહે છે તે જોવું રસપ્રદ બની રહેશે.

માહિતી અનુસાર, વોર્ડ નંબર 4, 23 અને 24માં એકપણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી, જેના કારણે રાજકીય ગલીઓમાં ચર્ચા તેજ બની છે. સાથે જ વોર્ડ નંબર 9માં પણ એક ઉમેદવારની જાહેરાત બાકી છે.

ખાસ વાત એ છે કે આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા તમામ કોર્પોરેટરોને આ વખતે ટિકિટ આપવામાં આવી નથી, જેને કારણે રાજકીય સમીકરણોમાં બદલાવ જોવા મળી રહ્યો છે.

કયા વોર્ડમાં કોણ રીપીટ અને ક્યાં કપાઈ ટિકિટ

ભાજપે ઘણા બેઠેલા કોર્પોરેટરોને ફરી તક આપી છે, જ્યારે કેટલાક મોટા નામોને બહાર રાખવામાં આવ્યા છે.

  • વોર્ડ 1: ભાવિશા પટેલ અને રાજેન્દ્ર પટેલ રીપીટ
  • વોર્ડ 5: જયશ્રી વોરા રીપીટ
  • વોર્ડ 6: જયશ્રી વરીયા અને દક્ષેશ માવાણી રીપીટ
  • વોર્ડ 7: નરેન્દ્ર પાંડવની ટિકિટ કપાઈ
  • વોર્ડ 9: નેન્સી શાહ અને રાજન પટેલ રીપીટ
  • વોર્ડ 10: ઉર્વશી પટેલ અને નિલેશ પટેલ રીપીટ
  • વોર્ડ 11: હેમાલી બોઘાવાલાની ટિકિટ કપાઈ, વૈશાલી શાહ રીપીટ, પરિમલ ચાસીયાને ટિકિટ
  • વોર્ડ 12: આરતી પટેલ અને કિશોર મયાણી રીપીટ
  • વોર્ડ 13: મનીષા મહાત્મા અને સંજય દલાલ રીપીટ
  • વોર્ડ 15: મનીષા આહીર, ધર્મેશ ભાલાળા અને રૂપા પંડ્યા રીપીટ
  • વોર્ડ 18: દર્શીની કોઠીયાની ટિકિટ કપાઈ, દિનેશ રાજપુરોહિત રીપીટ
  • વોર્ડ 19: વિજય ચૌમલની ટિકિટ કપાઈ
  • વોર્ડ 21: ડિમ્પલ કાપડિયા, અશોક રાંદેરિયા અને વ્રજેશ ઉનડકટ રીપીટ
  • વોર્ડ 22: રશ્મિ સાબુ, દીપેશ પટેલ અને હિમાંશુ રાહુલજી રીપીટ
  • વોર્ડ 25: કવિતા એનાગુંડલા રીપીટ
  • વોર્ડ 26: વર્ષા બલદાણીયા, અલકા પાટીલ, અમિત રાજપુત અને ડૉ. નરેન્દ્ર પટેલ રીપીટ
  • વોર્ડ 27: સુધાકર ચૌધરી અને ભાઇદાસ પટેલ રીપીટ
  • વોર્ડ 28: રાજકુંવર રાઠોડ રીપીટ
  • વોર્ડ 29: સુધા પાંડે રીપીટ
  • વોર્ડ 30: રીના દેવી રાજપૂત અને ચિરાગ સિંહ સોલંકી રીપીટ

રાજકોટ મનપાના ભાજપ ઉમેદવારની યાદી જાહેર, પૂર્વ મેયર સ્ટેન્ડિંગ કમિટીની ટિકિટ કપાઈ

જુની નોકરીના PFના અટવાયેલા રૂપિયા, આ રીતે તમારા બેંક એકાઉન્ટમાં મેળવો

Breaking News: લખનૌનો ચૌધરી કોલકાતા પર ભારે પડ્યો, 9 શોટથી KKRના હાથમાંથી મેચ છીનવી લીધી

IPL 2026 ની 15મી મેચ કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ (KKR) અને લખનૌ સુપર જાયન્ટ્સ (LSG) વચ્ચે રમાઈ હતી. આ મેચમાં રોમાંચક મુકાબલો જોવા મળ્યો, જેમાં લખનૌ સુપર જાયન્ટ્સે છેલ્લી ઓવરમાં જીત મેળવી. યુવા ખેલાડી મુકુલ ચૌધરીએ KKRના હાથમાંથી જીત છીનવી લીધી હતી.

KKR એ 181 રન બનાવ્યા

પ્રથમ બેટિંગ કરતા KKR એ 20 ઓવરમાં 181 રન બનાવ્યા. ફિન એલન માત્ર 9 રન બનાવીને આઉટ થતાં ટીમની શરૂઆત ખરાબ રહી. ત્યારબાદ અજિંક્ય રહાણેએ 24 બોલમાં 41 રનની ઝડપી ઇનિંગ રમી. ત્યારબાદ અંકુશ રઘુવંશીએ 33 બોલમાં 45 રન બનાવ્યા. આ દરમિયાન, કેમેરોન ગ્રીને 24 બોલમાં અણનમ 32 રન અને રોવમેન પોવેલે 24 બોલમાં અણનમ 39 રન બનાવીને સ્કોર 181 સુધી પહોંચાડ્યો.

લખનૌની મજબૂત બોલિંગ

લખનૌના બોલિંગ આલિંક્રમણમાં દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ, મણિમારન ​​સિદ્ધાર્થ અને અવેશ ખાનનો સમાવેશ થતો હતો, જેમણે એક-એક વિકેટ લીધી હતી. મોહમ્મદ શમીને ભલે એક પણ વિકેટ ના મળી, પણ તેણે સૌથી સારી બોલિંગ કરી અને ખૂબ ઓછા રન આપ્યા હતા.

 

મુકુલ ચૌધરીએ મેચનું પાસું ફેરવી નાખ્યું

182 રનના લક્ષ્યનો પીછો કરતી વખતે લખનૌની શરૂઆત નબળી રહી. એડન માર્કરામ અને મિશેલ માર્શ વહેલા આઉટ થઈ ગયા. રિષભ પંત અને નિકોલસ પૂરન પણ લાંબો સમય ટકી શક્યા નહીં. લખનૌનો સ્કોર 15.6 ઓવરમાં 128/7 હતો અને મેચ KKR ની તરફેણમાં જતી દેખાઈ રહી હતી. પરંતુ ત્યાંથી મુકુલ ચૌધરીએ શાનદાર બેટિંગ કરી. મુકુલ ચૌધરીએ માત્ર 27 બોલમાં અણનમ 54 રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને સાત છગ્ગાનો સમાવેશ થાય છે. આ નવ શોટ્સે KKRની હાર પર મહોર લગાવી. આયુષ બદોનીએ પણ 34 બોલમાં 54 રનની શાનદાર ઇનિંગ રમી.

મુકુલ ચૌધરી કોણ છે?

રાજસ્થાનનો 21 વર્ષીય યુવા ખેલાડી મુકુલ ચૌધરી ₹30 લાખની બેઝ પ્રાઈઝ સાથે હરાજીમાં ઉતાર્યો હતો અને લખનૌએ તેને 2.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વિકેટકીપર અને બેટ્સમેન હોવા ઉપરાંત, તે એક ઝડપી બોલર પણ છે. મુકુલ મોટા શોટ ફટકારવા માટે પણ ફેમસ છે, અને આજે તેણે તે જ સાબિત કર્યું.

Breaking News: IPLમાં હારેલી મેચોમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી કોણ છે? ટોપ 5 માં ભારતના સુપરસ્ટાર

રેલવેની ભેટ.. ગુજરાતથી સમર સ્પેશિયલ ટ્રેન શરૂ, 5 રાજ્યોમાંથી થશે પસાર, જાણો

ઉનાળાની રજાઓ દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને રેલવે દ્વારા ખાસ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે. આ જ શ્રેણીમાં પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના ઉધના અને બિહારના જયનગર વચ્ચે એક વિશેષ સાપ્તાહિક અનરિઝર્વ્ડ ટ્રેન શરૂ કરવામાં આવી છે.

આ ટ્રેન “ઉધના-જયનગર-ઉધના સમર સ્પેશિયલ” (ટ્રેન નં. 09061/09062) તરીકે દોડશે અને મુસાફરોને સીધી અને સુવિધાજનક મુસાફરીનો વિકલ્પ આપશે.

ટ્રેનનું સમયપત્રક જોઈએ તો.. 

ઉધના થી જયનગર (ટ્રેન નં. 09061)

તારીખો: 5 અને 12 એપ્રિલ, 2026
પ્રસ્થાન સમય: દર રવિવારે 01:30 વાગ્યે ઉધના પરથી
આગમન સમય: સોમવારે બપોરે 14:30 વાગ્યે જયનગર પહોંચશે

જયનગર થી ઉધના (ટ્રેન નં. 09062)

તારીખો: 6 અને 13 એપ્રિલ, 2026
પ્રસ્થાન સમય: સોમવારે સાંજે 17:30 વાગ્યે જયનગર પરથી
આગમન સમય: બુધવારે સવારે 06:15 વાગ્યે ઉધના પહોંચશે
કેટલા સ્ટેશનો પર રોકાણ?

આ ટ્રેન કુલ 5 રાજ્યોમાંથી પસાર થઈને 23 મહત્વના સ્ટેશનો પર રોકાશે. તેમાં ચલથાણ, બારડોલી, નંદુરબાર, ભુસાવલ, ખંડવા, ઈટારસી, જબલપુર, કટની, સતના, માણિકપુર, પ્રયાગરાજ છિઓકી, પંડિત દીન દયાલ ઉપાધ્યાય, દિલદારનગર, બક્સર, રઘુનાથપુર, આરા, પટના, બખ્તિયારપુર, મોકામા, બરૌની, સમસ્તીપુર, દરભંગા અને મધુબની જેવા સ્ટેશનોનો સમાવેશ થાય છે.

કોચ અને સુવિધાઓ

આ વિશેષ ટ્રેનમાં કુલ 22 જનરલ સેકન્ડ ક્લાસ કોચ રાખવામાં આવ્યા છે, જેથી સામાન્ય મુસાફરોને સરળતાથી મુસાફરી કરી શકાય.

મુસાફરો માટે મહત્વપૂર્ણ સૂચના

રેલવે વહીવટીતંત્ર દ્વારા મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ મુસાફરી પહેલાં ટ્રેનની માહિતી જરૂર તપાસે. ટ્રેન સંબંધિત વિગતો નીચેના માધ્યમો દ્વારા મેળવી શકાય છે જેવી કે NTES (નેશનલ ટ્રેન એનક્વાયરી સિસ્ટમ), રેલ મદદ હેલ્પલાઇન (139), નજીકના રેલવે સ્ટેશન વગેરે.

ટ્રેનમાં દિલ જીતતી ઘટના, ટોયલેટ પાસે સૂઈ રહ્યા હતા CRPF જવાન

Breaking News: બેટ હવામાં અને બોલ બાઉન્ડ્રી પાર… અજિંક્ય રહાણેએ ફટકાર્યો મજેદાર શોટ, વીડિયો વાયરલ

 

એક ફિલ્મ બાદ અચાનક ઇન્ડસ્ટ્રીમાંથી ગાયબ થઈ ગઈ, 50 હજાર કરોડની માલકિન છે આ એક્ટ્રેસ

રશિયાનો ‘માસ્ટર સ્ટ્રોક’: યુદ્ધ અને મોંઘવારી વચ્ચે ભારતને આપી 40% ડિસ્કાઉન્ટની ઓફર

દુનિયા અત્યારે ગંભીર ઉર્જા સંકટના ઉંબરે ઉભી છે. એકતરફ ઈરાન અને અમેરિકા વચ્ચેના તણાવને કારણે દરિયાઈ માર્ગો બંધ થવાની ભીતિ છે, ત્યારે બીજી તરફ રશિયાએ દક્ષિણ એશિયાના દેશો, ખાસ કરીને ભારત માટે એક એવો દાવ ખેલ્યો છે જેનાથી પશ્ચિમી દેશોના હોશ ઉડી ગયા છે. રશિયાએ પોતાના પ્રતિબંધિત પ્લાન્ટ્સમાંથી ઉત્પાદિત ગેસ (LNG) પર 40% જેટલું તોતિંગ ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી બતાવી છે.

ઓળખ છુપાવીને ગેસ વેચવાની ‘ગુપ્ત’ વ્યૂહરચના

રશિયા માત્ર સસ્તો ગેસ જ નથી આપી રહ્યું, પરંતુ અમેરિકાના પ્રતિબંધોથી બચવા માટે એક ‘ખતરનાક’ પ્લાન પણ તૈયાર કર્યો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, રશિયા ચીન સ્થિત મધ્યસ્થી કંપનીઓ દ્વારા એવા દસ્તાવેજો આપવાનો દાવો કરી રહ્યું છે જેનાથી એવું લાગે કે આ ગેસ રશિયાથી નહીં પણ ઓમાન કે નાઇજીરિયા જેવા દેશોમાંથી આવી રહ્યો છે. આ રણનીતિ પાછળનો હેતુ ભારત જેવા દેશોને અમેરિકાના સેકન્ડરી પ્રતિબંધોથી બચાવવાનો છે.

ભારત માટે કેમ મહત્વની છે આ ઓફર?

ભારત પોતાની જરૂરિયાતનો લગભગ 50% ગેસ કતારથી મંગાવે છે. અત્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધ જેવી સ્થિતિને કારણે કતારથી આવતો સપ્લાય જોખમમાં છે. જો હોર્મુઝની સામુદ્રધુની બંધ થાય, તો ભારતમાં ખાતરનું ઉત્પાદન અને વીજળીના ભાવ આસમાને પહોંચી શકે છે. આવી સ્થિતિમાં રશિયાનો 40% સસ્તો ગેસ ભારત માટે સંજીવની સમાન સાબિત થઈ શકે છે.

મોટો પડકાર: સસ્તો ગેસ કે અમેરિકા સાથેના સંબંધ?

રશિયાની આ ઓફર લોભામણી તો છે પણ કાંટાની પથારી સમાન છે. ભારત અત્યારે ઉર્જા સુરક્ષા અને અમેરિકા સાથેના વ્યૂહાત્મક સંબંધો વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. જો ભારત આ ઓફર સ્વીકારે છે, તો તે પશ્ચિમી દેશોની નારાજગી વહોરી શકે છે, અને જો નથી સ્વીકારતું, તો દેશમાં ઉર્જા મોંઘી થવાનું જોખમ છે.

હાલમાં ભારત સરકાર તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ નિષ્ણાતો માને છે કે જો કતારથી સપ્લાય લાંબો સમય અટકી જશે, તો ભારતને આવા જોખમી પણ સસ્તા વિકલ્પો પર વિચાર કરવો જ પડશે.

ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત ! બીજા વિશ્વયુદ્ધનો શિકાર બનેલો આ દેશ કેમ ખરીદી રહ્યો છે ટનબંધ Gold જ Gold?

Breaking News: મેચના અંતિમ બોલ પહેલા મિલરની એક ભૂલ દિલ્હી માટે કિલર સાબિત થઈ, ગુજરાતે માત્ર 1 રનથી જીતી મેચ

IPL 2026 ની 14મી મેચમાં, ગુજરાત ટાઇટન્સે અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે દિલ્હી કેપિટલ્સને ફક્ત 1 રનથી હરાવ્યું. પહેલા બેટિંગ કરતા, ગુજરાત ટાઇટન્સને 20 ઓવરમાં 4 વિકેટે 210 રન બનાવ્યા. 211 રનનો લક્ષ્યાંક સામે દિલ્હી કેપિટલ્સ 20 ઓવરમાં 8 વિકેટે 209 રન જ બનાવી શક્યું. મેચ છેલ્લા બોલ સુધી ચાલી, જ્યાં ડેવિડ મિલરની એક ભૂલ મોંઘી સાબિત થઈ.

ગુજરાતની વિસ્ફોટક બેટિંગ

ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે આક્રમક શરૂઆત કરી. કેપ્ટન શુભમન ગિલે 70 રન બનાવ્યા. જોસ બટલરે પણ 27 બોલમાં 52 રનની ઝડપી ઇનિંગ રમી. ચોથા નંબરે બેટિંગ કરતા વોશિંગ્ટન સુંદરે પણ 30 બોલમાં 55 રનનું યોગદાન આપ્યું. આ ઇનિંગ્સને કારણે ગુજરાત 210 રન સુધી પહોંચવામાં સફળ રહ્યું. દિલ્હી તરફથી મુકેશ કુમારે બે વિકેટ લીધી, જ્યારે લુંગી એન્ગીડી અને કુલદીપ યાદવે એક-એક વિકેટ લીધી.

 

છેલ્લા 2 બોલ પર મેચ પલટાઈ ગઈ

211 રનના જવાબમાં, દિલ્હી કેપિટલ્સના કેએલ રાહુલે 52 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 92 રનની શાનદાર ઇનિંગ રમી. પથુમ નિસાન્કાએ પણ 24 બોલમાં 41 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન ડેવિડ મિલર ઇજાને કારણે નિવૃત્ત થયો, પરંતુ તે પાછો ફર્યો અને મેચને ખૂબ નજીક લાવી દીધી. તેણે 20 બોલમાં 41 રનની વિસ્ફોટક ઇનિંગ રમી. જોકે, દિલ્હી જીતથી માત્ર1 રન દૂર રહી ગયું.

 

પાંચમા બોલ પર એક રન ના લીધો

દિલ્હીને છેલ્લા બે બોલમાં બે રનની જરૂર હતી. પરંતુ ડેવિડ મિલરે 20મી ઓવરના પાંચમા બોલ પર એક રન લેવાનો ઇનકાર કર્યો, જે ટીમ માટે મોંઘો સાબિત થયો. તે સારા ફોર્મમાં હતો, તેથી તેણે સ્ટ્રાઈક રાખી અને છેલ્લા બોલ પર બે રન બનાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મેચનો છેલ્લો બોલ ડોટ ગયો, જેના કારણે ગુજરાત એક રનથી મેચ જીતી ગયું. આ સિઝનમાં ગુજરાતની પહેલી જીત હતી, જ્યારે દિલ્હીનો પહેલો પરાજય હતો.

Breaking News: 4 ટીમ અને 69 મેચ બાદ IPLમાં પહેલી ફિફ્ટી, આ ખેલાડીની 9 વર્ષ લાંબી રાહનો આવ્યો અંત

Breaking News : સિઝફાયર તૂટશે..! ઈરાને હોર્મુઝમાં ટેન્કરોની અવરજવર અટકાવી, લેબનાન પર હુમલા

ઈરાને અમેરિકા સાથે થયેલા યુદ્ધવિરામને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. ઈરાનએ સ્પષ્ટ કહ્યું છે કે જો લેબનાન પર હુમલા ચાલુ રહેશે, તો તે યુદ્ધવિરામમાંથી બહાર આવી જશે. સાથે જ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં તેલ ટેન્કરોની અવરજવર પર પણ રોક લગાવી છે, જે વૈશ્વિક સ્તરે ચિંતા વધારનારું પગલું માનવામાં આવે છે.

ઈઝરાયલના સતત હુમલા

અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અંગે ચર્ચા થઈ હોવા છતાં, ઈઝરાયલ અને લેબનાન વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બની રહ્યો છે. ઈરાનનો આરોપ છે કે ઈઝરાયલ સતત હુમલાઓ કરીને યુદ્ધવિરામની ભાવનાનું ઉલ્લંઘન કરી રહ્યો છે. ખાસ કરીને લેબનાન પર વધતા હવાઈ હુમલાઓને ધ્યાનમાં રાખીને ઈરાને કડક ચેતવણી આપી છે.

ઈઝરાયલે અગાઉ સ્પષ્ટતા કરી હતી કે યુએસ અને ઈરાન વચ્ચે થયેલો યુદ્ધવિરામ લેબનાન પર લાગુ પડતો નથી. વ્હાઇટ હાઉસે પણ કહ્યું છે કે આ કરાર ફક્ત અમેરિકા અને ઈરાન વચ્ચેનો છે, જેમાં લેબનાન પક્ષકાર નથી. આ કારણે, ઈઝરાયલ લેબનાન માં તેના સૈન્ય અભિયાનને ચાલુ રાખવા માટે પોતાને સ્વતંત્ર માનતું રહ્યું છે.

ઈરાનના નિવેદનથી આ યુદ્ધવિરામ પર ફરી સવાલો

સંઘર્ષને લગભગ 40 દિવસ થયા બાદ, અમેરિકા અને ઈરાન વચ્ચે 14 દિવસ માટે યુદ્ધવિરામ કરાર થયો હતો. આ સમયગાળા દરમિયાન બંને દેશો એકબીજા સામે સીધા હુમલા નહીં કરે એવી શરત રાખવામાં આવી હતી. જોકે, થોડા સમય પછી જ ઈરાનના નિવેદનથી આ યુદ્ધવિરામ પર ફરી સવાલો ઉભા થયા છે.

લેબનાન ના રાષ્ટ્રપતિ જોસેફ આઉને ઈઝરાયલી હુમલાઓની કડક નિંદા કરી છે. તેમણે બૈરુત અને આસપાસના વિસ્તારોમાં થયેલા હુમલાઓને “બર્બર” ગણાવ્યા છે અને તણાવ વધારવા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. આ હુમલાઓમાં અનેક ઇમારતો તબાહ થઈ ગઈ છે અને હોસ્પિટલોને પણ ભારે નુકસાન થયું છે.

લેબનાન ના આરોગ્ય મંત્રાલય મુજબ, તાજેતરના હુમલાઓમાં ઓછામાં ઓછા 89 લોકોનાં મોત થયા છે, જ્યારે 700થી વધુ લોકો ઘાયલ થયા છે. બચાવ કામગીરી ચાલુ છે અને કાટમાળમાંથી હજુ પણ મૃતદેહો શોધવાની કામગીરી ચાલી રહી છે.

ઈરાનને હથિયાર સપ્લાય કરનારા કોઈપણ દેશ પર અમે 50% ટેરિફ

Breaking News: 4 ટીમ અને 69 મેચ બાદ IPLમાં પહેલી ફિફ્ટી, આ ખેલાડીની 9 વર્ષ લાંબી રાહનો આવ્યો અંત

ગુજરાત ટાઈટન્સના ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરે IPL 2026 માં શાનદાર પ્રદર્શન કર્યું, તેણે તેના નવ વર્ષના IPL કારકિર્દીમાં પ્રથમ અડધી સદી ફટકારી. તેણે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી કેપિટલ્સ સામે આ ઈનિંગ રમી હતી. વોશિંગ્ટન સુંદર માટે આ ઈનિંગ ખૂબ જ ખાસ હતી, કારણ કે તે 2017 થી IPLનો ભાગ છે. પરંતુ આ પહેલા તે ક્યારેય 50 રનના સ્કોર પર પહોંચ્યો ન હતો.

 

વોશિંગ્ટન સુંદરની લાંબી રાહનો અંત

આ મેચમાં ચોથા નંબર પર બેટિંગ કરતા વોશિંગ્ટન સુંદરે માત્ર 30 બોલમાં પોતાની ફિફ્ટી ફટકારીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે 33 બોલમાં 55 રન બનાવ્યા હતા, જેમાં છ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. આ ઇનિંગ મહત્વપૂર્ણ હતી કારણ કે ટીમે 79 રનમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ સુંદરે દબાણભરી સ્થિતિમાં આક્રમક બેટિંગથી મેચને GTના પક્ષમાં બદલી. તેણે શુભમન ગિલ સાથે સદીની ભાગીદારી પણ કરી.

 

વોશિંગ્ટનની પહેલી IPL ફિફ્ટી

2017 માં IPLમાં પ્રવેશ કરનાર વોશિંગ્ટન સુંદર તેની ઓફ-સ્પિન બોલિંગ માટે જાણીતો હતો. તેણે બેટથી ઘણી ઉપયોગી ઇનિંગ્સ રમી હતી, પરંતુ ક્યારેય અડધી સદી ફટકારી ન હતી. નવ સીઝન સુધી ચાલેલો આ દુકાળ આજે સમાપ્ત થઈ ગયો છે. સુંદરની અડધી સદી પણ ખાસ છે કારણ કે તે સામાન્ય રીતે નીચલા ક્રમમાં બેટિંગ કરે છે અને તેની ઓછા બોલ સાથે મોટા શોટ રમવાની જવાબદારી છે. જોકે, આ મેચમાં તેને ઉપરના ક્રમમાં તક મળી અને તે તેનો લાભ લેવામાં સફળ રહ્યો.

 

4 ટીમો અને 69 મેચ, આવી છે તેની કારકિર્દી

સુંદરે માત્ર 17 વર્ષની ઉંમરે IPL માં ડેબ્યૂ કર્યું હતું. તે અત્યાર સુધી તેની IPL કારકિર્દીમાં ચાર અલગ-અલગ ટીમો માટે રમી ચૂક્યો છે અને કુલ 69 મેચ રમ્યો છે. તેનો અગાઉનો શ્રેષ્ઠ સ્કોર 49 રન હતો, જે ગયા સિઝનમાં તે જ ટીમ માટે આવ્યો હતો. તેણે આ 69 મેચોમાં કુલ 588 રન બનાવ્યા છે.

Breaking News: વૈભવ સૂર્યવંશીના સૌથી મોટા ચાહકે મચાવી તબાહી, માત્ર 24 બોલમાં અડધી સદી ફટકારી, 600 છગ્ગા પૂરા કર્યા

Watermelon Peel reuse: તરબૂચની છાલનો ચોંકાવનારો ઉપયોગ તમે નહીં જાણતા હોવ

આવું તો કેવું કુદરતનો કરિશ્મો કે વરસાદના સમયે જ ભૂકંપના આંચકા! અમરેલીમાં 9 કલાકમાં 10 વખત ધ્રુજી ધરા

સૌરાષ્ટ્રના વાતાવરણમાં અત્યારે એક વિચિત્ર કુદરતી ઘટના જોવા મળી રહી છે. સામાન્ય રીતે ભૂકંપ પૃથ્વીના પેટાળની હિલચાલને કારણે આવતા હોય છે, પરંતુ અમરેલી પંથકમાં આવી રહેલા આંચકાઓનું સીધું કનેક્શન વરસાદ સાથે હોવાનું સામે આવ્યું છે. બુધવારે અમરેલીમાં માત્ર 9 જ કલાકના ગાળામાં ભૂકંપના નાના-મોટા 10 આંચકા અનુભવાયા હતા, જેમાં મહત્તમ તીવ્રતા 3.3 નોંધાઈ હતી.

વરસાદ અને ભૂકંપ વચ્ચે શું છે સંબંધ?

ભારે વરસાદ બાદ સૌરાષ્ટ્રમાં ભૂકંપની આ એક્ટિવિટી વર્ષોથી જોવા મળે છે. નિષ્ણાંતોના જણાવ્યા મુજબ, જ્યારે વરસાદનું પાણી જમીનમાં ધીમે-ધીમે ઉતરે છે, ત્યારે તે અંદરના ખડકો પર ભારે દબાણ પેદા કરે છે. ખડકો વચ્ચે સર્જાતા આ દબાણને કારણે પૃથ્વીના ઉપરના પડમાં ધ્રુજારી અનુભવાય છે. આ એક એવી પ્રક્રિયા છે જે મોટાભાગે માત્ર સૌરાષ્ટ્ર પંથકમાં જ જોવા મળે છે.

ડરવાની જરૂર નથી, પણ સાવધ રહેવું જરૂરી

આ આંચકાઓની તીવ્રતા સામાન્ય રીતે 4ની આસપાસ જ રહેતી હોય છે, તેથી તેનાથી કોઈ મોટી જાનહાનિ કે માલહાનિ થતી નથી. જો કે, એક જ દિવસમાં વારંવાર આવતી ધ્રુજારીને કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે વરસાદી પાણી જમીનમાં ઉતરવાની આ પ્રક્રિયા કુદરતી છે અને તેના કારણે આવતા આંચકાઓ ટૂંકા ગાળાના હોય છે. તેમ છતાં, સતત આવતી ધ્રુજારી તંત્ર અને નાગરિકો માટે ચિંતાનો વિષય ચોક્કસ બની છે.

અલા આ શું…! કાલે બેંક બંદ….? જાણો 9 એપ્રિલે કયા કયા રાજ્યોમાં બેંકોના તાળા નહીં ખુલે, ક્યાંક જવું હોય તો આ અહેવાલ જરૂર વાંચી લેજો

Breaking News:  વૈભવ સૂર્યવંશી-યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક બેટિંગ સામે મુંબઈ ધ્વસ્ત, રાજસ્થાને સતત ત્રીજી જીત નોંધાવી

રાજસ્થાન રોયલ્સે IPL 2026 માં પોતાનું પ્રભાવશાળી અભિયાન ચાલુ રાખ્યું અને સતત ત્રીજી મેચ જીતી હતી. ફરી એકવાર ઓપનર વૈભવ સૂર્યવંશી અને યશસ્વી જયસ્વાલની વિસ્ફોટક ઇનિંગ્સને કારણે રાજસ્થાને મોટી જીત મેળવી. ગુવાહાટીમાં વરસાદથી પ્રભાવિત મેચમાં, રાજસ્થાને મુંબઈ ઈન્ડિયન્સને 27 રનથી હરાવ્યું. જયસ્વાલે એકલા હાથે 77 રન બનાવ્યા. ત્રણ મેચમાં મુંબઈનો આ સતત બીજો પરાજય છે.

યશસ્વી-વૈભવે મુંબઈના બોલરોને ધોઈ નાખ્યા

મંગળવાર, 7 એપ્રિલના રોજ બારસાપારા સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં મેચ શરૂ થવા માટે 2 કલાક અને 40 મિનિટ રાહ જોવી પડી હતી. આખરે રાત્રે 10 વાગ્યા પછી મેચ શરૂ થઈ ત્યારે જયસ્વાલ અને સૂર્યવંશીના બેટ્સમેનોનો અવાજ સંભળાયો. પ્રથમ બેટિંગ કરતા, રાજસ્થાને 11 ઓવરમાં 3 વિકેટે 150 રનનો જબરદસ્ત સ્કોર બનાવ્યો. બંને ઓપનરોએ એકલા પાંચ ઓવરમાં 80 રન ફટકારી દીધા હતા.

વૈભવે બુમરાહને બે છગ્ગા ફટકાર્યા

સૌથી રોમાંચક ક્ષણ ત્યારે આવી જ્યારે વૈભવ અને જસપ્રીત બુમરાહ સામ-સામે હતા. પહેલીવાર બુમરાહ સામે રમતા વૈભવે તેના પહેલા જ બોલ પર છગ્ગો ફટકાર્યો. પછી, તે જ ઓવરમાં 15 વર્ષીય સ્ટારે બીજી છગ્ગો મારીને બધાને આશ્ચર્યચકિત કરી દીધા. વૈભવ (39 રન, 14 બોલ, 5 છગ્ગા) આઉટ થયા પછી, જયસ્વાલે 23 બોલમાં અડધી સદી ફટકારી અને અંત સુધી ટકીને ટીમને 151 રનના સ્કોર સ્કોર સુધી પહોંચાડી. જયસ્વાલે 32 બોલમાં 10 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકારીને 77 રન બનાવ્યા.

મુંબઈનો ટોપ ઓર્ડર ધ્વસ્ત

મુંબઈને આ સિદ્ધિ મેળવવા માટે રાજસ્થાનના 151 રનના સ્કોર જેવી જ શરૂઆતની જરૂર હતી. જોકે, મુંબઈનો દાવ અલગ દિશામાં ગયો અને ટીમનો પરાજય પ્રથમ ત્રણ ઓવરમાં જ નિશ્ચિત થઈ ગયો. રાયન રિકેલ્ટન, સૂર્યકુમાર યાદવ અને રોહિત શર્મા પહેલી, બીજી અને ત્રીજી ઓવરમાં માત્ર 22 રનમાં જ આઉટ થઈ ગયા. કેપ્ટન હાર્દિક પંડ્યા અને તિલક વર્મા પણ પાંચમી ઓવરમાં આઉટ થયા.

5 ઓવરમાં જ હાર નિશ્ચિત થઈ ગઈ

મુંબઈએ ફક્ત 46 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી, અને હાર નિશ્ચિત લાગતી હતી. પરંતુ નમન ધીર (25) અને શેરફેન રૂધરફોર્ડ (25) એ આક્રમક બેટિંગ કરી, 47 રનની ભાગીદારી કરીને મુંબઈની આશાઓને જીવંત કરી. જોકે, તેઓ આગામી દસ રનમાં આઉટ થઈ ગયા, અને મુંબઈ કોઈ ચમત્કાર કરી શક્યું નહીં. અંતે, મુંબઈનો દાવ 123 રન પર સમાપ્ત થયો.

Breaking News: મુંબઈ-રાજસ્થાનની મેચ પહેલા હાર્દિક પંડ્યાએ વૈભવ સૂર્યવંશીનું બેટ કેમ ચેક કર્યું?

Breaking News : ગોપાલ ઇટાલિયા સામે નોન બેલેબલ વોરંટ કર્યું ઇસ્યૂ , જુઓ Video

મહેસાણા કોર્ટે ગોપાલ ઇટાલિયા સામે નોન બેલેબલ વોરંટ ઇસ્યૂ કર્યું છે. ગોપાલ ઇટાલિયા સામે નોન-બેલેબલ વોરંટ ઈસ્યૂ થવાથી રાજકીય વાતાવરણમાં નવી ગરમાવો આવ્યો છે. વર્ષ 2020માં નોંધાયેલા એક ગુનામાં કાર્યવાહી આગળ વધતા, થર્ડ એડિશનલ સિવિલ જજ દ્વારા આ આદેશ આપવામાં આવ્યો છે.

કોર્ટના સમન્સ મુદ્દે ઇટાલિયાએ ભાજપ પર નિશાન સાધ્યું છે અને જણાવ્યું છે કે જો પોલીસમાં હિંમત હોય તો તેઓ સીધી તેમની ધરપકડ કરે. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે તેઓ પોલીસ, જેલ કે દંડાથી ડરતા નથી.

આ વચ્ચે, સમગ્ર મામલે વધુ એક નવો વળાંક આવ્યો છે. ગોપાલ ઇટાલિયાની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં તેઓ પોલીસ સમન્સ અંગે પહેલેથી જાણ હોવાનો ઉલ્લેખ કરતા સંભળાય છે. ઓડિયોમાં એવી પણ ચર્ચા છે કે કાયદેસર કાર્યવાહી ને રાજકીય મુદ્દો બનાવવાની વાત કરવામાં આવી હતી. ઉપરાંત, સમન્સની બજવણી દરમિયાન તેમના ઘરે માતા એકલા હોવાનો મુદ્દો ઉઠાવી રાજકીય લાભ મેળવવાની ચર્ચા પણ થઈ હોવાનો દાવો છે.

ઇટાલિયાએ પોલીસ પર આક્ષેપ કર્યો છે કે સમન્સ આપવા આવેલા અધિકારીઓએ તેમની માતા સાથે ગેરવર્તણૂક કરી હતી. જોકે, આ સમગ્ર ઓડિયો ક્લિપ અંગે TV9 Gujarati દ્વારા કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

ગુજરાતમાં ભર ઉનાળે કરા અને પવન સાથે કમોસમી વરસાદ, મહેસાણા, બહુચરાજી સહિતના વિસ્તારોમાં માવઠાનો કહેર

હાર્દિક પંડ્યાએ વૈભવ સૂર્યવંશીનું બેટ કેમ ચેક કર્યું? જાણવા માટે અહીં ક્લિક કરો..

Breaking News: મુંબઈ-રાજસ્થાનની મેચ પહેલા હાર્દિક પંડ્યાએ વૈભવ સૂર્યવંશીનું બેટ કેમ ચેક કર્યું?

રાજસ્થાન રોયલ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની મેચ શરૂ થાય તે પહેલા, MI કેપ્ટન હાર્દિક પંડ્યા વૈભવ સૂર્યવંશી સાથે વાત કરતો જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યા વૈભવ સૂર્યવંશીની પાસે આવ્યો ત્યારે તે બેટિંગ ડ્રીલ કરી રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ તેની સાથે લાંબા સમય સુધી વાત કરી અને આ દરમિયાન તેણે વૈભવ સૂર્યવંશીના બેટનું નિરીક્ષણ કર્યું. હાર્દિક પંડ્યા સૂર્યવંશીના બેટથી ખૂબ પ્રભાવિત થયો, જે તેની બોડી લેંગ્વેજ પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. હાર્દિક સૂર્યવંશીના બેટના સ્વિંગ અને બેલેન્સને તપાસતો જોવા મળ્યો.

 

પંડ્યાએ વૈભવનું બેટ ચેક કર્યું

વૈભવ સૂર્યવંશીનું બેટ ચેક કરવાનું કોઈ ખાસ કારણ નહોતું. હાર્દિક પંડ્યાએ તેનું બેટ આકસ્મિક રીતે ચેક કર્યું. ખેલાડીઓ સામાન્ય રીતે આવું કરે છે. જોકે, વૈભવ સૂર્યવંશીનું બેટ બેસ્ટ જ છે માત્ર 15 વર્ષની ઉંમરે, તે પહેલાથી જ લાંબા છગ્ગા ફટકારી રહ્યો છે. વૈભવ સૂર્યવંશીએ IPL 2026 માં પણ વિસ્ફોટક શરૂઆત કરી છે. ચેન્નાઈ સુપર કિંગ્સ સામેની પહેલી જ મેચમાં, સૂર્યવંશીએ 15 બોલમાં અડધી સદી ફટકારી હતી, જે સિઝનની સૌથી ઝડપી ફિફ્ટી છે.

 

વૈભવ સૂર્યવંશી કયા બેટથી રમે છે?

વૈભવ સૂર્યવંશી SS કંપનીના બેટનો ઉપયોગ કરે છે. તેના બેટનું વજન આશરે 1170 ગ્રામ છે. તેના બેટની કિંમત 50,000 થી 1 લાખ રૂપિયાની વચ્ચે હોવાનો અંદાજ છે.

 

સૂર્યવંશી અને બુમરાહની પહેલીવાર ટક્કર

મુંબઈ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં ઘણા અનુભવી ખેલાડીઓ ભાગ લેશે, પરંતુ સૌથી મોટી ચર્ચા વૈભવ સૂર્યવંશી અને જસપ્રીત બુમરાહની ટક્કરની છે. વૈભવ સૂર્યવંશીએ ક્યારેય જસપ્રીત બુમરાહનો સામનો કર્યો નથી, અને હવે જોવાનું એ છે કે આ 15 વર્ષનો વિસ્ફોટક ડાબોડી બેટ્સમેન વિશ્વના શ્રેષ્ઠ બોલર સામે કેવું પ્રદર્શન કરે છે.

 

મુંબઈ-રાજસ્થાન મેચ માટે નિયમો બદલાયા

મેચની વાત કરીએ તો, ગુવાહાટીમાં વરસાદને કારણે મુંબઈ-રાજસ્થાન રોયલ્સ મેચનું સમયપત્રક બદલવું પડ્યું. ઓવરો ઘટાડીને 11 ઓવર પ્રતિ ટીમ કરવામાં આવી હતી, જેમાં પાવરપ્લે 3.2 ઓવરનો રહેશે.

Breaking News: વૈભવ સૂર્યવંશીની ટીમ ઈન્ડિયામાં નહીં થઈ પસંદગી, આયુષ મ્હાત્રે પણ બહાર

Breaking News : સામાન્ય વર્ગ માટે ખુશખબર.. LPG ને લઈ સરકારે લીધો સૌથી મોટો નિર્ણય, લાખો ભારતીયોને ફાયદો

દેશભરમાં LPG ગેસના પુરવઠાને લઈને લોકોમાં ચિંતા વચ્ચે હવે એક રાહતના સમાચાર આવ્યા છે. કેન્દ્ર સરકારે બળતણનો સ્થિર પુરવઠો સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેના કારણે લાખો ભારતીયોને સીધો લાભ મળશે.

ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે વધતા તણાવના કારણે ખાડી પ્રદેશમાં પરિસ્થિતિ અસ્થિર બની છે. ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા શિપિંગમાં વિક્ષેપ આવતા ભારત સહિત ઘણા દેશોમાં બળતણ પુરવઠા પર અસર પડી છે. આવી સ્થિતિમાં સરકાર દ્વારા ઝડપી પગલાં લેવામાં આવ્યા છે.

કામદારોને મોટી રાહત

સ્થળાંતરિત કામદારોને ધ્યાનમાં રાખીને સરકારે 5 કિલોગ્રામના LPG સિલિન્ડરના દૈનિક ક્વોટાને બમણો કર્યો છે. આ સિલિન્ડર બજાર ભાવે ઉપલબ્ધ હોય છે અને તેને મેળવવા માટે માત્ર ઓળખ પુરાવો પૂરતો છે. સરનામાનો પુરાવો જરૂરી નથી. આ નિર્ણયથી ખાસ કરીને એવા કામદારોને મોટી રાહત મળશે, જેમને નિયમિત ગેસ કનેક્શન ઉપલબ્ધ નથી.

સામાન્ય રીતે, ઘરેલુ ઉપયોગ માટે 14.2 કિલોગ્રામના સબસિડીવાળા સિલિન્ડરનો ઉપયોગ થાય છે, જેની કિંમત હાલમાં દિલ્હીમાં લગભગ ₹913 છે. તેની તુલનામાં 5 કિલોગ્રામનો સિલિન્ડર લગભગ ₹549માં મળે છે. આ નાનો સિલિન્ડર સરળતાથી વિતરકો પાસેથી ખરીદી શકાય છે.

ઘરેલુ રસોઈ માટે વપરાતા LPGને પ્રાથમિકતા

સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગલ્ફ વિસ્તારમાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને ઘરેલુ રસોઈ માટે વપરાતા LPGને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માના જણાવ્યા અનુસાર, 6 એપ્રિલથી દરેક રાજ્યમાં 5 કિલોગ્રામના ‘ફ્રી ટ્રેડ LPG’ (FTL) સિલિન્ડરની ઉપલબ્ધતા વધારી દેવામાં આવી છે.

આંકડાઓ મુજબ, ફેબ્રુઆરીમાં આશરે 77,000 FTL સિલિન્ડર વેચાયા હતા, જ્યારે માર્ચના શરૂઆતના દિવસોમાં આ સંખ્યા વધુ વધી હતી. 23 માર્ચથી અત્યાર સુધીમાં લગભગ 7.8 મિલિયન 5 કિલોગ્રામના સિલિન્ડર વેચાઈ ચૂક્યા છે. માત્ર એક દિવસમાં જ 1.6 મિલિયનથી વધુ સિલિન્ડર વેચાયા હોવાનો પણ અહેવાલ છે.

તારીખ નોંધી લો! સરકારનો મોટો નિર્ણય, હાઈવે પર મુસાફરીના નિયમો બદલાશે

Breaking News: ઈડન ગાર્ડન્સમાં વરસાદી વિઘ્ન, કોલકાતા-પંજાબ મેચ રદ, બંને ટીમોને એક-એક પોઈન્ટ

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે યોજાયેલી આ મેચની શરૂઆતથી જ વરસાદે ખલેલ પહોંચાડી. ટોસ બાદ રમત શરૂ થઈ હતી, પરંતુ થોડા જ સમયમાં વરસાદના કારણે મેચ અટકાવી દેવી પડી. જે બાદ મેચ ફરી શરુ જ ના થઈ શકી અને બંને ટીમને એક-એક પોઈન્ટ મળ્યો હતો.

KKR vs PBKS મેચમાં વરસાદનું વિઘ્ન

KKR ના કેપ્ટન અજિંક્ય રહાણે એ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ ટીમની શરૂઆત અત્યંત નિરાશાજનક રહી હતી. ઓપનર ફિન એલન માત્ર 6 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો.તે બાદ કેમેરોન ગ્રીન પણ ફક્ત 4 રન બનાવીને આઉટ થયો. શરૂઆતમાં જ બે વિકેટ ગુમાવતા KKR દબાણમાં આવી ગઈ હતી. વરસાદ પડ્યો ત્યારે રહાણે 8 રન અને અંગક્રિશ રઘુવંશી 7 રન પર રમતમાં હતા.

 

કટ-ઓફ સમય પહેલાં જ મેચ રદ કરવાનો નિર્ણય

વરસાદ સતત ચાલુ રહેતા મેદાન સંપૂર્ણપણે ભીનું થઈ ગયું હતું. અમ્પાયરોએ મેદાનની પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા બાદ રમત ફરી શરૂ કરવી શક્ય ન હોવાનું માન્યું. કટ-ઓફ સમય પહેલાં જ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ કારણે બંને ટીમો 5-5 ઓવર પણ પૂર્ણ કરી શકી નહીં. IPL ના નિયમો મુજબ મેચ અધૂરી રહેતા બંને ટીમોને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો. આ નિર્ણય બંને કેપ્ટનોની સંમતિથી લેવામાં આવ્યો હતો.

પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર

આ પરિણામ પંજાબ કિંગ્સ માટે ફાયદાકારક સાબિત થયું છે. પંજાબે હવે ત્રણ મેચમાં પાંચ પોઈન્ટ મેળવીને પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સ હજી સુધી જીત વિના સંઘર્ષ કરી રહી છે, જે ટીમ માટે ચિંતાનો વિષય છે.

Breaking News: પંજાબ કિંગ્સના વિકેટકીપરે પોતાની જ ટીમના ફાસ્ટ બોલરને માર્યો બોલ, જુઓ વીડિયો

Breaking News : મોટા યુદ્ધના ભણકારા..! જગત જમાદાર ટ્રમ્પે આપી દીધી ધમકી, કહ્યું.. એક રાતમાં આખા ઈરાનને બરબાદ કરી નાખીશું

અમેરિકાના રાષ્ટ્રપતિ Donald Trump એ ફરી એકવાર Iran ને કડક ચેતવણી આપી છે. તેમણે કહ્યું કે જો ઈરાન શરણાગતિ સ્વીકારશે નહીં, તો અમેરિકા તેની મહત્વપૂર્ણ સ્ટ્રક્ચર સુવિધાઓ પર હુમલો ચાલુ રાખશે.

સોમવારે વ્હાઇટ હાઉસમાં યોજાયેલા બાળકો માટેના વાર્ષિક ઈસ્ટર કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં ટ્રમ્પે આ નિવેદન આપ્યું. આ કાર્યક્રમ દરમિયાન તેમણે ઈરાન મુદ્દે પોતાની કડક ભૂમિકા ફરી સ્પષ્ટ કરી.

ટ્રમ્પે જણાવ્યું હતું કે, “જો તેઓ અમારી વાત નહીં માને, તો તેમની પાસે કોઈ પુલ નહીં રહે, કોઈ પાવર પ્લાન્ટ નહીં રહે અને મૂળભૂત સુવિધાઓ પણ નષ્ટ થઈ જશે.” જોકે, તેમણે સાથે સાથે એવું પણ કહ્યું કે પરિસ્થિતિ વધુ ગંભીર બને તેવું તેઓ નથી ઇચ્છતા.

ટ્રમ્પે કહ્યું, “જો મારી પાસે વિકલ્પ હોત, તો હું ઈરાનનું તેલ લઈશ અને ઘણા પૈસા કમાઈ શકયો હોત.

ટ્રમ્પે એ પણ ઉમેર્યું કે અમેરિકન લોકો હવે લાંબા સમયથી ચાલતા વિદેશી સંઘર્ષોથી થાકી ગયા છે અને તેઓ દેશની સેનાને પાછી ઘરે આવતી જોવાનું ઇચ્છે છે. તેમ છતાં, તેમણે દાવો કર્યો કે તેલ પરથી આવક મેળવીને તેઓ ઈરાનના લોકોને પણ મદદ કરી શકતા.

અમેરિકામાં હજારો નોકરી આપવા તૈયાર છે ટેક સ્ટાર્ટઅપ્સ

IPL 2026: ત્રણ મેચ અને ત્રણ વિવાદ… હવે કાવ્યા મારનની SRH કરશે BCCI ને ફરિયાદ!

Indian Premier League 2026 ની સિઝન ધમાકેદાર રીતે શરૂ થઈ છે, પરંતુ સાથે જ વિવાદો પણ સતત ચર્ચામાં છે. ખાસ કરીને Sunrisers Hyderabad માટે શરૂઆત થોડી મુશ્કેલ રહી છે. ટીમે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે, જેમાં એક જીત અને બે હાર મળી છે. પરંતુ સ્કોરલાઇન કરતાં વધુ ચર્ચા વિવાદાસ્પદ નિર્ણયો વિશે થઈ રહી છે.

ટીમ મેનેજમેન્ટમાં નારાજગીનું મુખ્ય કારણ એ છે કે ત્રણેય મેચમાં કંઈક એવું બન્યું છે જે SRH ને અયોગ્ય લાગ્યું છે. અહેવાલો મુજબ, ફ્રેન્ચાઇઝી માલિક Kavya Maran આ મુદ્દે હવે Board of Control for Cricket in India પાસે સત્તાવાર ફરિયાદ નોંધાવવાની તૈયારીમાં છે.

ફિલ્ડર Phil Salt એ બાઉન્ડ્રી પાસે શાનદાર કેચ લીધો

સીઝનની પહેલી મેચમાં SRH નો સામનો Royal Challengers Bengaluru સામે થયો હતો. આ મેચ દરમિયાન હેનરિક ક્લાસેનનો એક કેચ વિવાદમાં આવ્યો. ફિલ્ડર Phil Salt એ બાઉન્ડ્રી પાસે શાનદાર કેચ લીધો હતો, પરંતુ રિપ્લેમાં એવું જણાયું કે તેનો પગ બાઉન્ડ્રી કુશનને સ્પર્શી ગયો હતો. તેમ છતાં, ત્રીજા અમ્પાયરે આઉટનો નિર્ણય જાળવી રાખ્યો, જે SRH માટે નિરાશાજનક બન્યો.

અભિષેક શર્માનો કેચ ચર્ચામાં

બીજી મેચમાં Kolkata Knight Riders સામે ફરી એકવાર સમાન પ્રકારનો વિવાદ જોવા મળ્યો. આ વખતે અભિષેક શર્માનો કેચ ચર્ચામાં આવ્યો. Varun Chakravarthy દ્વારા લેવામાં આવેલ કેચ જમીનને સ્પર્શતો હોય તેમ લાગતો હતો, છતાં તેને માન્ય ગણવામાં આવ્યો. અભિષેકે આ નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો, જેના કારણે તેમને દંડ પણ ફટકારાયો. જોકે, SRH આ મેચ જીતવામાં સફળ રહી.

Avesh Khan એ બાઉન્ડ્રીની બહારથી બોલને સ્પર્શ કર્યો

ત્રીજો અને તાજો વિવાદ Lucknow Super Giants સામેની મેચમાં થયો. મેચના અંતિમ ઓવરમાં Rishabh Pant ના શોટ પછી બોલ બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો. પરંતુ તે બાઉન્ડ્રી પાર કરે તે પહેલાં જ Avesh Khan એ બાઉન્ડ્રીની બહારથી બોલને સ્પર્શ કર્યો હતો. તે સમયે અમ્પાયરે આ ઘટનાને અવગણેલી હતી, પરંતુ પછી સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ કે આ નિયમોનું ઉલ્લંઘન છે અને SRH ને વધારાના 5 રન મળવા જોઈએ હતા.

આ ત્રણેય ઘટનાઓને લઈને હવે SRH મેનેજમેન્ટ ગંભીર મૂડમાં છે અને તેઓ સત્તાવાર રીતે ફરિયાદ નોંધાવી શકે છે. IPL જેવી મોટી લીગમાં આવા વિવાદો રમતની પારદર્શિતાને લઈને સવાલ ઊભા કરે છે. હવે જોવાનું રહેશે કે BCCI આ મામલે શું પગલાં લે છે અને SRH ને ન્યાય મળે છે કે નહીં.

પંજાબ કિંગ્સના વિકેટકીપરે પોતાની જ ટીમના ફાસ્ટ બોલરને માર્યો બોલ, જુઓ વીડિયો

Breaking News: પંજાબ કિંગ્સના વિકેટકીપરે પોતાની જ ટીમના ફાસ્ટ બોલરને માર્યો બોલ,  જુઓ વીડિયો

કોલકાતા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સ વચ્ચેની મેચમાં વરસાદે વિક્ષેપ પાડ્યો હતો, પરંતુ આ મેચમાં કંઈક એવું જોવા મળ્યું જે ક્રિકેટના મેદાનમાં ભાગ્યે જ જોવા મળે છે. આ મેચમાં પંજાબ કિંગ્સના વિકેટકીપર પ્રભસિમરન સિંહે પોતાની જ ટીમના ફાસ્ટ બોલર ઝેવિયર બાર્ટલેટને બોલ મારી દીધો હતો. જો કે વિરોધી ટીમના બેટ્સમેનને રન આઉટ કરવાનો પ્રયાસ કરતી વખતે પ્રભસિમરને બોલ થ્રો કર્યો હતો.

પ્રભસિમરને બાર્ટલેટને પીઠ પર બોલ માર્યો!

પ્રભસિમરન અને બાર્ટલેટ વચ્ચે આ ઘટના બીજા ઓવરના બીજા બોલ પર બની હતી. ફિન એલને ઝેવિયર બાર્ટલેટની બોલને સ્કૂપ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ બોલ તેના બેટથી ચૂકી ગયો અને વિકેટકીપર અને બાર્ટલેટ વચ્ચે પડ્યો. બંને ખેલાડીઓ બોલ પકડવા માટે દોડ્યા, પરંતુ પ્રભસિમરન પહેલા આવ્યો અને તરત જ તેણે બોલ ઉપાડીને ફેંક્યો. તેનો થ્રો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો, અને બોલ પોતાની જ ટીમના બોલર બાર્ટલેટને કમરમાં જોરથી વાગ્યો. સદનસીબે, બાર્ટલેટને કોઈ ઈજા થઈ ન હતી, પરંતુ આ પછી તેણે વિકેટ લીધી.

 

બાર્ટલેટનો કહેર

જ્યારે પ્રભસિમરનનો થ્રો બાર્ટલેટની પીઠ પર વાગ્યો, ત્યારે તેણે પોતાનો ગુસ્સો KKR બેટ્સમેન પર કાઢ્યો. ઝેવિયર બાર્ટલેટે ચોથા બોલ પર ફિન એલનને આઉટ કર્યો. એલન બાર્ટલેટના આઉટસ્વિંગને સમજવામાં નિષ્ફળ ગયો અને બોલ સીધો વિકેટકીપર પ્રભસિમરન સિંહના ગ્લોવ્સમાં ગયો. આ પછી, છઠ્ઠા બોલ પર, આ ખેલાડીએ 25 કરોડના ખેલાડી કેમેરોન ગ્રીનની વિકેટ લીધી. બાર્ટલેટે કેમેરોન ગ્રીનને પણ પ્રભસિમરનના હાથે જ કેચ આઉટ કરાવ્યો. આ રીતે, કોલકાતાએ ફક્ત 2 ઓવરમાં 16 રનમાં 2 વિકેટ ગુમાવી દીધી, જોકે કોલકાતામાં ભારે વરસાદને કારણે ચોથી ઓવરના ચોથા બોલ પછી રમત બંધ કરવામાં આવી હતી.

Breaking News: એક ICC એવોર્ડ માટે સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ વચ્ચે સ્પર્ધા, કોણ બાજી મારશે?

 

રિલાયન્સના શેરના ભાવ ધડામ ! અંબાણીની સંપત્તિમાં મોટું ગાબડું

અમદાવાદમાં નકલી સોનાનો કૌભાંડ, રીક્ષાચાલક અને તેની ગેંગે 10 રૂપિયાના સિક્કાથી મહિલાઓને છેતરી

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ અંતર્ગત ખોખરા પોલીસે એક મોટા નકલી સોનાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આ કેસમાં કુબેરનગરના રહેવાસી રીક્ષાચાલક ગોપાલ ચૌધરીની ધરપકડ કરવામાં આવી છે, જે પોતાના સાગરીતો સાથે મળીને ભોળી પ્રજાને, ખાસ કરીને મહિલાઓ અને સિનિયર સિટીઝનોને, 10 રૂપિયાના સિક્કાને સોના તરીકે દર્શાવીને છેતરતો હતો. પોલીસે આ મામલે સઘન તપાસ હાથ ધરી છે અને અન્ય ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ છે.

છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી

ગોપાલ ચૌધરી અને તેની ગેંગની કામ કરવાની પદ્ધતિ અતિ ચતુરાઈભરી હતી. તેઓ રીક્ષામાં મુસાફરી કરી રહેલી મહિલાઓ અને સિનિયર સિટીઝનોને નિશાન બનાવતા હતા. વાતોમાં ભોળવીને તેમને એવી લાલચ આપવામાં આવતી કે તેમને બજાર કિંમત કરતાં વધુ સોનું અથવા મોટી રકમ મળી શકે છે. ઠગાઈનો મુખ્ય ભાગ એ હતો કે તેઓ રૂમાલમાં 10 રૂપિયાનો એક નવો સિક્કો ઉપર રાખતા હતા, જેનો પીળો રંગ સોના જેવો દેખાય છે.

આ સિક્કાની નીચે સાદા કાગળના કટિંગ્સ મૂકવામાં આવતા હતા. મુસાફરોને આ સોનાનો સિક્કો બતાવીને અને તેના બદલામાં પોતાની પાસે રહેલા કિંમતી દાગીના અથવા રોકડ આપવા માટે લલચાવવામાં આવતા હતા. ગેંગનો એક સભ્ય ફરિયાદીની ટીમમાં ભળી જતો અને તેમને વિશ્વાસ અપાવતો કે આ સોદો અત્યંત ફાયદાકારક છે અને આ વસ્તુ લઈ લેવી જોઈએ. આમ કરીને, ભોગ બનનારને છેતરપિંડીનો શિકાર બનાવવામાં આવતા હતા અને દાગીના કે રોકડ લઈને અન્ય સાગરીત ફરાર થઈ જતા હતા.

આરોપીઓની ઓળખ અને પૂર્વ ગુનાઓ

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ગોપાલ ચૌધરી આ ઠગાઈને તેના સાગરીતો સાગર મારવાડી, પંકજ ઉર્ફે પખીઓ અને અર્જુન સાથે મળીને અંજામ આપતો હતો. આ ગેંગે અગાઉ ઓઢવ અને નારોલ વિસ્તારમાં બે મહિલાના દાગીના પડાવી લીધા હોવાનો પણ ખુલાસો થયો છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય આરોપી ગોપાલ ચૌધરી વિરુદ્ધ અગાઉ પણ પોલીસ ચોપડે ચાર ગુના નોંધાઈ ચૂક્યા છે અને તેની અગાઉ પણ ધરપકડ થઈ ચૂકી છે. આ દર્શાવે છે કે આ એક આદત ઠગ છે.

પોલીસ કાર્યવાહી અને આગળની તપાસ કઈ દિશામાં?

ખોખરા પોલીસે ગોપાલ ચૌધરીની ધરપકડ કરીને તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. તેની પાસેથી ગુનામાં વપરાયેલ સાધનો અને અન્ય પુરાવાઓ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસ હાલ ગોપાલ ચૌધરીની સાથે સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓ સાગર મારવાડી, પંકજ ઉર્ફે પખીઓ અને અર્જુનની શોધખોળ કરી રહી છે.

પોલીસને આશા છે કે આ તપાસના અંતે આવા વધુ ગુનાઓનો ભેદ ઉકેલી શકાશે અને અન્ય પીડિતોને પણ ન્યાય મળી શકશે. પોલીસ સામાન્ય જનતાને અપીલ કરી રહી છે કે જો કોઈ તમને આસાનીથી સોનું કે મોટી રકમ આપવાની લાલચ આપે તો સાવચેત રહો, કારણ કે આવી લાલચ મુસીબત નોતરી શકે છે.

AMCનો આદેશ: હોટલોએ પનીર ‘મિલ્ક’ છે કે ‘એનાલોગ’ તે ફરજિયાત જણાવવું પડશે

Breaking News : IPL 2026માં RCB vs CSK વચ્ચેની મેચમાં ટિમ ડેવિડની છપ્પરફાડ ઇનિંગે બેંગલુરુને અપાવી બીજી જીત, ચેન્નઈને હારની હેટ્રિક

Royal Challengers Bengaluruએ IPL 2026 સીઝનમાં પોતાની પ્રભાવશાળી શરૂઆત યથાવત રાખી છે અને સતત બીજી જીત નોંધાવી છે. કેપ્ટન Rajat Patidarની આગેવાની હેઠળ ટીમે ફરી સાબિત કર્યું કે તેઓ ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે કેમ મજબૂત દાવેદાર છે. Chennai Super Kings સામે રમાયેલી મેચમાં RCBએ 250 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જે આ સીઝનનો અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.

આ વિસ્ફોટક ઇનિંગ્સમાં Tim David સહિત તમામ બેટ્સમેનોનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. ત્યારબાદ બોલિંગમાં Jacob Duffy અને Bhuvneshwar Kumarએ શાનદાર પ્રદર્શન કર્યું અને ચેન્નઈને 207 રનમાં ઓલઆઉટ કરીને RCBને 43 રનની જીત અપાવી.

ગયા સીઝનમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર ત્રણેય મેચ હારનાર બેંગલુરુએ આ વખતે M Chinnaswamy Stadium ખાતે બંને મેચ જીતીને મજબૂત વાપસી કરી છે. Sunrisers Hyderabad સામે 200થી વધુ રનનો સફળ પીછો કરીને શરૂઆત કરનાર ટીમે હવે ચેન્નઈને પણ હરાવીને આત્મવિશ્વાસ વધાર્યો છે. મેચ દરમિયાન પ્રથમ ત્રણ ઓવરમાં એકપણ બાઉન્ડરી ન ફટકાર્યા છતાં RCBએ આખી ઇનિંગ્સમાં 19 છગ્ગા અને 14 ચોગ્ગા ફટકારીને મેચનો રૂખ બદલી નાખ્યો.

ધીમી શરૂઆત પછી Virat Kohli અને Phil Saltએ ચોથી ઓવરથી રનગતિ વધારી. કોહલી ટૂંકી પરંતુ ઝડપી ઇનિંગ્સ રમીને આઉટ થયો, જ્યારે સોલ્ટે જવાબદારી સંભાળી સ્કોરને આગળ વધાર્યો. ત્યારબાદ ઇન-ફોર્મ Devdutt Padikkalએ સતત બીજી અડધી સદી ફટકારી અને ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી.

મેચનો ખરેખર ટર્નિંગ પોઇન્ટ કેપ્ટન પાટીદાર અને ટિમ ડેવિડની ધમાકેદાર ભાગીદારી હતી. બંનેએ મળીને છેલ્લી પાંચ ઓવરમાં 97 રન ઉમેર્યા. ટિમ ડેવિડે માત્ર 25 બોલમાં 70 રનની તોફાની ઇનિંગ્સ રમી, જેમાં તેણે 8 છગ્ગા અને 3 ચોગ્ગા ફટકાર્યા. ખાસ કરીને 19મી ઓવરમાં તેણે એકલા 30 રન બનાવીને મેચ સંપૂર્ણપણે RCB તરફ ઝૂકાવી દીધી. બીજી તરફ, પાટીદારે પણ માત્ર 19 બોલમાં અણનમ 48 રન બનાવી ટીમને વિશાળ સ્કોર સુધી પહોંચાડી.

પાકિસ્તાનને મોટો ઝટકો, IPL ને પછાડવાનું સપના જોઈ રહ્યું હતું, હવે PSL છોડી રહ્યા છે ખેલાડી

Breaking News : પાકિસ્તાનને મોટો ઝટકો, IPL ને પછાડવાનું સપના જોઈ રહ્યું હતું, હવે PSL છોડી રહ્યા છે ખેલાડી

PSL vs IPL: પાકિસ્તાન ક્રિકેટને એક મોટો ફટકો લાગ્યો છે, કારણ કે ઘણા ખેલાડીઓ હવે Indian Premier League તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે અને Pakistan Super Leagueમાંથી દૂર થવાના સંકેતો આપી રહ્યા છે. PSL અને IPL વચ્ચેની સ્પર્ધા વધુ તીવ્ર બની રહી છે, અને આ પરિસ્થિતિમાં PCB માટે પડકારો વધી રહ્યા છે.

PSL હવે ક્રિકેટ રોકાણ માટે મહત્વપૂર્ણ બજાર બની રહ્યું છે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના ચેરમેન Mohsin Naqviએ તાજેતરમાં PSL અંગે મોટું નિવેદન આપ્યું હતું. ગદ્દાફી સ્ટેડિયમ ખાતે યોજાયેલી બોર્ડ ઓફ ગવર્નર્સની બેઠક બાદ તેમણે જણાવ્યું હતું કે PSL હવે ક્રિકેટ રોકાણ માટે મહત્વપૂર્ણ બજાર બની રહ્યું છે અને ટૂંક સમયમાં વિશ્વની નંબર વન લીગ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે. હાલ, વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ તરીકે IPLનું પ્રભુત્વ છે, છતાં નકવીનો વિશ્વાસ છે કે PSL આવનારા સમયમાં તેને પાછળ છોડી શકે છે.

નકવીએ PSLના ઝડપી વિકાસનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે લીગમાં રોકાણકારોનો રસ સતત વધી રહ્યો છે. PSLની 11મી સીઝન માટે યોજાયેલી ફ્રેન્ચાઇઝ હરાજીમાં મળેલી રેકોર્ડ બોલીઓ પણ તેની લોકપ્રિયતા દર્શાવે છે.

સંયુક્ત આરબ અમીરાત (UAE) પરત ફરવાનો નિર્ણય લીધો

જોકે, આ દાવાઓ વચ્ચે PCBને એક મોટો ઝટકો લાગ્યો છે. Karachi Kingsના બે ખેલાડીઓ Khuzaima Bin Tanveer અને Muhammad Waseemએ અચાનક ટીમ છોડીને સંયુક્ત આરબ અમીરાત (UAE) પરત ફરવાનો નિર્ણય લીધો છે. Emirates Cricket Boardએ તેમને દેશની સ્થાનિક 50-ઓવર (D50) ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે પરત બોલાવ્યા છે.

D50 ટુર્નામેન્ટમાં બે મેચ રમ્યા બાદ ફરી PSLમાં જોડાઈ

આ નિર્ણય PSL માટે મોટો ફટકો સાબિત થયો છે. બંને ખેલાડીઓને તાત્કાલિક યુએઈ પરત ફરવા અને પોતાની સ્થાનિક ટીમ સાથે જોડાવા માટે સૂચના આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, તેઓ D50 ટુર્નામેન્ટમાં બે મેચ રમ્યા બાદ ફરી PSLમાં જોડાઈ શકે છે.

આ ઘટના એવા સમયે બની છે જ્યારે PSL પહેલેથી જ અનેક પડકારોનો સામનો કરી રહી છે. IPL સાથેનો સીધો ટકરાવ, ખેલાડીઓની ઉપલબ્ધતા અને દેશની અંદરની પરિસ્થિતિઓ, જેમ કે પેટ્રોલિયમ કટોકટી અને અફઘાનિસ્તાન સરહદ પર તણાવ, લીગ પર અસર કરી રહ્યા છે.

આ પરિસ્થિતિમાં PSL માટે IPL સાથેની સ્પર્ધામાં ટકી રહેવું વધુ મુશ્કેલ બની રહ્યું છે, અને PCB માટે આ એક ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે.

IPL 2026 માં RCB vs CSK વચ્ચેની મેચમાં એક ભૂલ અને 16 બોલમાં 8 છગ્ગા, એક ઓવરમાં 30 રન, ચેન્નાઈને પડી માર

IPL 2026 માં RCB vs CSK વચ્ચેની મેચમાં એક ભૂલ અને 16 બોલમાં 8 છગ્ગા, એક ઓવરમાં 30 રન, ચેન્નાઈને પડી માર

RCB અને CSK વચ્ચે રમાયેલી IPL 2026 ની મેચમાં એક એવી ધમાકેદાર ઇનિંગ્સ જોવા મળી કે જેના કારણે આખી મેચનો દિશા જ બદલાઈ ગયો. શરૂઆતમાં એવું લાગતું હતું કે બેંગ્લોર માટે મોટો સ્કોર બનાવવો મુશ્કેલ રહેશે, કારણ કે પ્રથમ ત્રણ ઓવરમાં એકપણ બાઉન્ડ્રી આવી નહોતી. પરંતુ ત્યારબાદ જે બન્યું તે IPL ઈતિહાસમાં યાદગાર બની ગયું.

Royal Challengers Bengaluru એ પહેલા બેટિંગ કરતા ધીમો પ્રારંભ કર્યો હતો, પરંતુ ચોથી ઓવરથી મેચનો રંગ બદલાઈ ગયો. ખાસ કરીને અંતિમ ઓવરોમાં ટીમના વિસ્ફોટક બેટ્સમેન ટિમ ડેવિડે જે તોફાની બેટિંગ કરી, તેનાથી Chennai Super Kings ના બોલરો સંપૂર્ણ રીતે દબાઈ ગયા.

15મી ઓવરમાં દેવદત્ત પડિકલ આઉટ થયા બાદ ટિમ ડેવિડ ક્રિઝ પર આવ્યો. શરૂઆતમાં તે થોડો સંઘર્ષ કરતો દેખાયો હતો અને પહેલા થોડા બોલમાં ખાસ રન બનાવી શક્યો નહોતો. પરંતુ 17મી ઓવરથી તેની બેટિંગમાં જબરદસ્ત ફેરફાર આવ્યો. સ્પિનર નૂર અહેમદ સામે તેણે સતત ત્રણ છગ્ગા ફટકારીને તોફાનની શરૂઆત કરી.

ફ્રી હિટ પર તેણે છગ્ગો ફટકાર્યો

18મી ઓવરમાં CSK પાસે ડેવિડને આઉટ કરવાની મોટી તક હતી, પરંતુ અંશુલ કંબોજ દ્વારા ફેંકાયેલ નો-બોલે આખી મેચનો ટર્નિંગ પોઇન્ટ બની ગયો. બોલ્ડ થયા બાદ પણ નો-બોલને કારણે ડેવિડને જીવદાન મળ્યું, અને ત્યારબાદ ફ્રી હિટ પર તેણે છગ્ગો ફટકારીને દબાણ વધાર્યું.

આ પછી 19મી ઓવરમાં ડેવિડે જેમી ઓવરટન સામે પૂરેપૂરી તાકાતથી હુમલો કર્યો. તેણે આ ઓવરમાં ચાર છગ્ગા અને એક ચોગ્ગા ફટકારીને કુલ 30 રન બનાવ્યા. 17મી ઓવરની શરૂઆતથી 19મી ઓવર સુધી તેણે કુલ 16 બોલમાં 8 છગ્ગા અને 2 ચોગ્ગા ફટકાર્યા, જે ખરેખર અદ્ભુત પ્રદર્શન હતું.

ઇનિંગના છેલ્લે બોલ પર ચોગ્ગો ફટકાર્યો

ડેવિડની આ વિસ્ફોટક ઇનિંગ્સના કારણે તે માત્ર 23 બોલમાં 65 રન સુધી પહોંચી ગયો. ખાસ વાત એ હતી કે જ્યાં કેપ્ટન રજત પાટીદાર 40 રન પર હતા, ત્યાં ડેવિડ છેલ્લી ઓવરોમાં આગળ નીકળી ગયો. ઇનિંગના છેલ્લે બોલ પર ચોગ્ગો ફટકારીને તેણે ટીમને 250 રન સુધી પહોંચાડી.

આ સ્કોર માત્ર મોટો જ નહોતો, પરંતુ IPL ના 17 વર્ષના ઇતિહાસમાં CSK સામે કોઈપણ ટીમ દ્વારા બનાવવામાં આવેલો સૌથી મોટો સ્કોર બની ગયો. એક નાની ભૂલ અને એક નો-બોલ કેવી રીતે આખી મેચને બદલી શકે છે, તેનું આ મેચ જીવંત ઉદાહરણ બની રહી.

Breaking News : IPL 2026 માં વિરાટ કોહલીએ તોડ્યો રોહિત શર્માનો મોટો રેકોર્ડ

અમેરિકાના ઈતિહાસનું એ ‘કાળું પાનું’: જ્યારે ઈરાને 444 દિવસ સુધી સુપરપાવરને ઘૂંટણિયે લાવી દીધું હતું!

હાલમાં અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધની જ્વાળાઓ ચરમસીમા પર છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે તેઓ ઈરાનને નેસ્તનાબૂદ કરી દેશે, પરંતુ ઈરાની મીડિયાએ 1979ના એક નિષ્ફળ અમેરિકી મિશનની તસવીરો શેર કરીને અમેરિકાના જખમ પર મીઠું ભભરાવ્યું છે. આ એ સમય હતો જ્યારે અમેરિકા જેવી મહાસત્તા 444 દિવસ સુધી લાચાર બનીને જોતી રહી હતી.

શું હતી 1979ની એ ઘટના?

4 નવેમ્બર, 1979ના રોજ તેહરાન સ્થિત અમેરિકી દૂતાવાસ પર ઉગ્રવાદી વિદ્યાર્થીઓએ કબજો કરી લીધો અને 52 અમેરિકી રાજદ્વારીઓને બંધક બનાવી લીધા. આખી દુનિયા સ્તબ્ધ હતી. બંધકોને છોડાવવા માટે તત્કાલીન રાષ્ટ્રપતિ જિમી કાર્ટરે એક ગુપ્ત સૈન્ય ઓપરેશનને મંજૂરી આપી, જેનું નામ હતું ‘ઓપરેશન ઈગલ ક્લો’.

રણની રેતીમાં અમેરિકાનો ‘ફ્લોપ શો’:

આ ઓપરેશન અમેરિકા માટે કલંક સાબિત થયું. અમેરિકાએ 6 હર્ક્યુલસ C-130 વિમાનો અને 8 હેલિકોપ્ટરો સાથે ઈરાનના રણમાં ઉતરાણ કર્યું હતું. પ્લાન મુજબ, સૈનિકોએ ત્યાંથી ટ્રકો દ્વારા તેહરાન જવાનું હતું. પરંતુ કુદરતને કંઈક અલગ જ મંજૂર હતું. ભયાનક રેતીના તોફાનો અને વિમાનોની અંદરોઅંદર ટક્કરને કારણે આ મિશન ખરાબ રીતે નિષ્ફળ ગયું. અમેરિકાએ પોતાના 8 સૈનિકો ગુમાવ્યા અને 4 હેલિકોપ્ટર ઈરાનમાં જ છોડીને ભાગવું પડ્યું.

પરિણામ: સત્તા પરિવર્તન અને શરમજનક હાર

આ નિષ્ફળતાની જવાબદારી જિમી કાર્ટરે લેવી પડી અને તેઓ ચૂંટણી હારી ગયા. નવા રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગને શપથ લીધા ત્યારે જઈને આ બંધકો મુક્ત થયા. ઈરાને અત્યારે ફરી એ જ જૂની તસવીરો જાહેર કરીને અમેરિકાને તેની તાકાતની યાદ અપાવી છે.

હાલની સ્થિતિમાં પણ ઈરાને અમેરિકી વિમાન તોડી પાડીને સ્પષ્ટ કરી દીધું છે કે તે પોતાની સીમાઓની રક્ષા કરવા માટે આજે પણ સક્ષમ છે. શું ટ્રમ્પ આ ઈતિહાસમાંથી પાઠ ભણશે કે ફરી એકવાર સંઘર્ષની આગમાં કૂદશે? એ તો સમય જ કહેશે.

જાપાન સરકારની ભારતીયોને મોટી ઓફર! દર મહિને ₹1.4 લાખના સ્ટાઈપેન્ડ સાથે રિસર્ચની તક, યુવાનોનું બદલાઈ જશે ભાગ્ય

Breaking News: ગુજરાત ટાઈટન્સ 204 રન બનાવવા છતાં હારી ગયું, તુષાર દેશપાંડેએ 6 બોલમાં મેચ પલટી નાખી

IPL 2026ની નવમી મેચમાં રાજસ્થાન રોયલ્સે ગુજરાત ટાઈટન્સને રોમાંચક મુકાબલામાં 6 રનથી હરાવ્યું. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટે 210 રન બનાવ્યા. 211 રનનો લક્ષ્યાંક મુકવામાં આવ્યો, પરંતુ ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 8 વિકેટે માત્ર 204 રન જ બનાવી શક્યું.

રાજસ્થાનની વિસ્ફોટક બેટિંગ

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 210 રન બનાવ્યા, જેમાં ધ્રુવ જુરેલની 75 રનની ઇનિંગનો સમાવેશ થાય છે, જેમાં 42 બોલમાં પાંચ ચોગ્ગા અને પાંચ છગ્ગાનો સમાવેશ થાય છે. યશસ્વી જયસ્વાલે 55 રનની ઇનિંગ રમીને ટીમને મજબૂત શરૂઆત અપાવી. વૈભવ સૂર્યવંશીએ પણ 31 રન બનાવ્યા, જ્યારે ડોનોવન ફરેરાએ 18 રન બનાવીને ટીમને આ સ્કોર સુધી પહોંચવામાં મદદ કરી.

ગુજરાત ટાઈટન્સ છેલ્લી ઓવર સુધી લડ્યા

જવાબમાં, ગુજરાત ટાઈટન્સની શરૂઆત સારી રહી. સાઈ સુદર્શને યુવા બેટ્સમેન કુમાર કુશાગ્ર સાથે 78 રનની ઝડપી ઓપનિંગ ભાગીદારી કરી. જોકે, ટીમે વચ્ચેની ઓવરોમાં વિકેટ ગુમાવી દીધી. સાઈ સુદર્શને માત્ર 44 બોલમાં 73 રન બનાવ્યા. કુમાર કુશાગ્રે 18 રન અને જોસ બટલરે 26 રન બનાવ્યા. જોકે, બાકીના બેટ્સમેન કોઈ કમાલ કરી શક્યા નહીં. અંતે, કાગીસો રબાડા અને રાશિદ ખાને ટીમને વાપસી તરફ દોરી, 18 ઓવરમાં સ્કોર 196 સુધી પહોંચાડી.

 

છેલ્લી બે ઓવરમાં આર્ચર-પાંડેએ કર્યો કમાલ

મેચની સૌથી રોમાંચક ક્ષણ છેલ્લી બે ઓવરમાં આવી, જ્યારે ગુજરાત ટાઇટન્સ વિજયની નજીક હતું. 18 ઓવર પછી ગુજરાત મજબૂત સ્થિતિમાં હતું, પરંતુ રાજસ્થાન રોયલ્સના બોલરોએ ક્લચ બોલિંગ દર્શાવી. ગુજરાતને છેલ્લી બે ઓવરમાં 15 રનની જરૂર હતી. જોકે, 19 મી ઓવરમાં આર્ચરે ફક્ત ચાર રન આપ્યા. પછી અંતિમ ઓવરમાં, તુષાર દેશપાંડેએ 11 રનનો બચાવ કર્યો, ફક્ત ચાર રન આપ્યા અને છ વિકેટથી મેચ જીતી લીધી.

Breaking News: વૈભવ સૂર્યવંશીની ટેસ્ટ ટીમમાં થશે એન્ટ્રી? BCCIએ બનાવ્યો માસ્ટર પ્લાન, 64 ખેલાડીઓની થશે પસંદગી

Breaking News : SRH ને સૌથી મોટી ખોટ, IPL 2026 અધવચ્ચે જ છોડીને પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયા પરત ફર્યા, ક્યારે પરત ફરશે?

Breaking News: વૈભવ સૂર્યવંશીની ટેસ્ટ ટીમમાં થશે એન્ટ્રી? BCCIએ બનાવ્યો માસ્ટર પ્લાન,  64 ખેલાડીઓની થશે પસંદગી

2024 અને 2025 માં ન્યુઝીલેન્ડ અને દક્ષિણ આફ્રિકા સામે ઘરઆંગણે મળેલી ટેસ્ટ શ્રેણીમાં હાર બાદ, BCCI એ રેડ બોલ ક્રિકેટમાં યુવા પ્રતિભાને તૈયાર કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) એ ટેસ્ટ ક્રિકેટના ભવિષ્યને મજબૂત બનાવવા માટે એક રોડમેપ વિકસાવ્યો છે. VVS લક્ષ્મણની આગેવાની હેઠળના સેન્ટર ઓફ એક્સેલન્સ (COE) દ્વારા વિકસાવવામાં આવેલી આ યોજના ખાસ કરીને યુવા ‘જનરેશન Z’ ખેલાડીઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

BCCI એ માસ્ટર પ્લાન બનાવ્યો

આ માસ્ટર પ્લાનના ભાગ રૂપે, જૂન-જુલાઈમાં બેંગલુરુના COE ખાતે એક ઈન્ટ્રા-COE ટુર્નામેન્ટ યોજાશે, જેમાં 25 વર્ષથી ઓછી ઉંમરના 64 ટોચના યુવા ક્રિકેટરો ભાગ લેશે. આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય આગામી દાયકા માટે ભારતના રેડ-બોલ ટેલેન્ટ પૂલને મજબૂત બનાવવાનો છે. જેમાં વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે જેવા યુવા સ્ટાર્સને ચાર દિવસીય રેડ-બોલ મેચ રમવાની તક પૂરી પાડશે. આ ખેલાડીઓ પહેલાથી જ IPLમાં પોતાની છાપ છોડી ચૂક્યા છે અને હવે લાંબા ફોર્મેટમાં પોતાની ક્ષમતા સાબિત કરવા માટે તૈયાર છે.

 

64 ખેલાડીઓની પસંદગી કેવી રીતે થશે?

25 ખેલાડીઓ (અંડર-23): આ ખેલાડીઓની પસંદગી જુનિયર પસંદગી સમિતિ દ્વારા કરવામાં આવશે, જે એવા ખેલાડીઓ હશે જેમણે કૂચ બિહાર (અંડર-19) અને સીકે ​​નાયડુ (અંડર-22) ટુર્નામેન્ટમાં સારું પ્રદર્શન કર્યું હશે

25 ખેલાડીઓ (અંડર-23 અને અંડર-25): સિનિયર પસંદગી સમિતિ દ્વારા પસંદ કરવામાં આવશે, જેમણે રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં પ્રદર્શન કર્યું હશે, પરંતુ IPL ટીમનો ભાગ નહીં હોય.

14 ખેલાડીઓ: IPLમાં રમી રહેલા યુવા સુપરસ્ટાર, જેમાં આયુષ મ્હાત્રે, વૈભવ સૂર્યવંશી અને સમીર રિઝવી જેવા નામોનો સમાવેશ થાય છે.

 

ઈન્ટ્રા-COE ટુર્નામેન્ટમાં મેચો આ રીતે હશે

64 યુવા ખેલાડીઓને ચાર ટીમોમાં વિભાજીત કરવામાં આવશે, જેમાં પ્રત્યેક ટીમમાં 16 ખેલાડીઓ હશે. દરેક ટીમને COE ખાતે બે ચાર-દિવસીય મેચ રમવાની તક મળશે. ખેલાડીઓને પૂરતી મેચ પ્રેક્ટિસ મળે તે સુનિશ્ચિત કરવા માટે મેચો વિવિધ પિચ પરિસ્થિતિઓ પર રમાશે.

25 ખેલાડીઓને મોટી તક મળશે

ટુર્નામેન્ટ પછી, ઈન્ડિયા ઈમર્જિંગ અને ઈન્ડિયા A ટીમો બનાવવા માટે 25 ખેલાડીઓનો મુખ્ય જૂથ પસંદ કરવામાં આવશે. આ ખેલાડીઓ શેડો ટૂર પર પણ જશે. BCCI ની યોજના મુજબ, IPL સમાપ્ત થયા પછી ઈન્ડિયા અંડર-19 અને ઈમર્જિંગ (અંડર-25) બંને ટીમો શ્રીલંકાનો પ્રવાસ કરશે, જ્યાં ચાર દિવસીય મેચ રમાશે. ટીમની પસંદગી ઈન્ટ્રા-COE ટુર્નામેન્ટમાં પ્રદર્શન પર આધારિત હશે. વધુમાં, આગામી વર્ષ દરમિયાન COE ની અંદર યોજાતા મોટાભાગના હાઈ-પર્ફોર્મન્સ કેમ્પ રેડ-બોલ પ્રતિભા વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સિનિયર ચીફ સિલેક્ટર અજિત અગરકર અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરને સાથે રાખી રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે.

Breaking News: 154.2 km/hr… IPL 2026ની સૌથી ઝડપી બોલ ફેંકનાર ગુજરાત ટાઈટન્સનો બોલર કોણ છે?

RBIનો માસ્ટર પ્લાન: હવે મોબાઈલ નંબરની જેમ જ ‘બેંક એકાઉન્ટ’ પણ થશે પોર્ટ!

Breaking News: 154.2 km/hr… IPL 2026ની સૌથી ઝડપી બોલ ફેંકનાર ગુજરાત ટાઈટન્સનો બોલર કોણ છે?

IPL 2026માં ગુજરાત ટાઈટન્સના યુવા ફાસ્ટ બોલર અશોક શર્માએ રાજસ્થાન રોયલ્સ સામે પોતાના પ્રભાવશાળી પ્રદર્શનથી બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રફ્તાર સિંહ તરીકે જાણીતો અશોક તેની ઝડપી બોલિંગ માટે ફેમસ છે અને સતત 140 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંકે છે. આ મેચમાં અશોકે તેની સ્પીડ બતાવી અને સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંક્યો.

અશોક શર્માએ સૌથી ઝડપી બોલ ફેંક્યો

રાજસ્થાન રોયલ્સની ઈનિંગની 16મી ઓવર દરમિયાન અશોક શર્માએ સિઝનનો સૌથી ઝડપી બોલ ફેંક્યો. ઓવરનો છેલ્લો બોલ 154.2 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો. તે યોર્કર બોલ હતો જે મિડલ અને ઓફ સ્ટમ્પ પર પડ્યો હતો, જેને ધ્રુવ જુરેલે રમ્યો હતો, પરંતુ અશોકની બોલિંગે આખા સ્ટેડિયમને રોમાંચિત કરી દીધું.

4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી

અશોક શર્માએ સમગ્ર મેચ દરમિયાન આક્રમક બોલિંગ કરી, 4 ઓવરમાં 37 રન આપીને 1 વિકેટ લીધી, પરંતુ તેની બોલિંગની ગુણવત્તા અને ગતિએ વિરોધી બેટ્સમેનોને પરેશાન કર્યા. તેના યોર્કર અને હાર્ડ લેન્થ બોલિંગ ખાસ કરીને ડેથ ઓવરમાં અસરકારક રહ્યા.

 

કોણ છે અશોક શર્મા?

અશોક શર્મા જયપુર નજીકના રામપુરા ગામના વતની છે. તેના પિતા નાથુ લાલ શર્મા ખેડૂત છે. 17 જૂન, 2002 ના રોજ જન્મેલો અશોક શર્મા તેના શાળાના દિવસોથી જ ક્રિકેટના મેદાન પર રમી રહ્યો છે. તેણે અગાઉ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં તેની ઝડપી અને સ્વિંગ બોલિંગથી નોંધપાત્ર પ્રભાવ પાડ્યો હતો. સ્થાનિક T20 ટુર્નામેન્ટમાં તેના પ્રદર્શને તેને IPL ડેબ્યૂ કરાવ્યું.

 

ગુજરાત ટાઈટન્સમાં કર્યું ડેબ્યૂ

2022 માં, તેને KKR દ્વારા 55 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી. IPL 2025 માં, અશોક શર્મા રાજસ્થાન રોયલ્સ સાથે 30 લાખ રૂપિયામાં જોડાયો હતો. જોકે, તેને ફરી એકવાર તક મળી ન હતી. પરંતુ આ વખતે તેની રાહ પૂરી થઈ ગઈ છે. ગુજરાતમાં તેણે તક મળી અને તેણે ફાસ્ટ બોલિંગથી કમાલ કર્યો.

Breaking News: એક જ દિવસમાં બે કેપ્ટન બહાર, મુંબઈ ઈન્ડિયન્સ પછી આ ટીમને પણ લાગ્યો મોટો ઝટકો

Breaking News: પંજાબ કિંગ્સે ફરી એકવાર ચેપોકના કિલ્લા પર કબજો જમાવ્યો, CSKએ IPL ઈતિહાસમાં પહેલીવાર આવો દિવસ જોયો

IPL 2026 ની સાતમી મેચમાં પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સના હોમ ગ્રાઉન્ડ MA ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રોમાંચક વિજય નોંધાવ્યો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ, ચેન્નાઈએ 20 ઓવરમાં 209 રનનો મજબૂત સ્કોર બનાવ્યો. જોકે, પંજાબ કિંગ્સે લક્ષ્યનો પીછો કરીને 18.4 ઓવરમાં 210 રન બનાવીને 5 વિકેટે મેચ જીતી લીધી. પ્રિયાંશ આર્ય, પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી અને કેપ્ટન શ્રેયસ અય્યરે શાનદાર ઇનિંગ્સ રમી.

ચેન્નાઈએ મોટો સ્કોર બનાવ્યો

આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેન પણ સફળ રહ્યા હતા. યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેએ 73 રનની શાનદાર ઇનિંગ રમી હતી. શિવમ દુબેએ અણનમ 45 રન અને સરફરાઝ ખાને 12 બોલમાં 32 રનની તોફાની ઇનિંગ રમીને ટીમને 200 રનથી વધુનો સ્કોર અપાવ્યો હતો. પંજાબ તરફથી વિજયકુમાર વૈશાકે સૌથી વધુ બે વિકેટ લીધી હતી, જ્યારે ઝેવિયર બાર્ટલેટ, માર્કો યાન્સન અને યુઝવેન્દ્ર ચહલે એક-એક વિકેટ લીધી હતી.

પંજાબનો રોમાંચક રન ચેઝ

પંજાબ કિંગ્સનો રનચેઝ આક્રમક રહ્યો. ઓપનર પ્રભસિમરન સિંહ અને પ્રિયાંશ આર્યએ 61 રનની ભાગીદારી કરીને જોરદાર શરૂઆત કરી. પ્રિયાંશ આર્યએ માત્ર 11 બોલમાં 39 રન બનાવીને ટીમને શરૂઆતની લીડ અપાવી. પ્રભસિમરન સિંહે પણ 34 બોલમાં 43 રન બનાવવામાં સફળ રહ્યો. ત્યારબાદ કૂપર કોનેલીએ 22 બોલમાં 36 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. કેપ્ટન શ્રેયસ અય્યરે પણ મહત્વપૂર્ણ ઇનિંગ રમી, 29 બોલમાં 50 રન બનાવ્યા, જેમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.

 

પંજાબ કિંગ્સે ઇતિહાસ રચ્યો

આ વિજય પંજાબ કિંગ્સ માટે ઘણી રીતે ખાસ હતો. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 200 રનના લક્ષ્યનો પીછો કરવાનો આ બીજો પ્રસંગ હતો. પંજાબ આ સિદ્ધિ હાંસલ કરનારી પ્રથમ ટીમ છે. અગાઉ, કોઈપણ ટીમે ચેન્નાઈ સામે તેમના ઘરઆંગણે બે વાર 200 રનનો પીછો કર્યો ન હતો.

Breaking News: પિતાની સામે જ નાના ભાઈની ટીમના બોલરોની મોટા ભાઈએ કરી દીધી જોરદાર ધુલાઈ

SBI માં 444 દિવસની FDમાં 2,00,000 રૂપિયા જમા કરો તો કેટલું વ્યાજ મળશે

Breaking News: પિતાની સામે જ નાના ભાઈની ટીમના બોલરોની મોટા ભાઈએ કરી દીધી જોરદાર ધુલાઈ

IPL 2026 માં ચેન્નાઈ સુપર કિંગ્સે એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે તેમની પ્રથમ હોમ મેચમાં પંજાબ કિંગ્સ સામે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું. ટોસ હારીને પ્રથમ બેટિંગ કર્યા પછી CSK એ 20 ઓવરમાં 209 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેએ સૌથી વધુ 73 રન બનાવ્યા અને ટીમને મજબૂત શરૂઆત અપાવી. જોકે, ટીમને મોટા સ્કોર સુધી પહોંચવામાં મદદ કરવામાં સરફરાઝ ખાનનું યોગદાન પણ મહત્વપૂર્ણ રહ્યું.

સરફરાઝ ખાને વિસ્ફોટક ઇનિંગ રમી

સરફરાઝ ખાને ટૂંકી પણ વિસ્ફોટક ઇનિંગ રમીને પોતાની ટીમને 200 રનનો આંકડો પાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે ફક્ત 12 બોલનો સામનો કર્યો અને 32 રન બનાવ્યા. તેનો સ્ટ્રાઇક રેટ 266.66 હતો, જેમાં છ ચોગ્ગા અને એક છગ્ગા ફટકાર્યા હતા. તેની આક્રમક બેટિંગે વચ્ચેની ઓવરોમાં ચેન્નાઈની ઇનિંગને ઝડપી બનાવી, જેનાથી ટીમને 200 રનનો આંકડો પાર કરવામાં મદદ મળી.

 

પિતાની સામે નાના ભાઈની ટીમના બોલરોની ધુલાઈ

નોંધપાત્ર વાત એ હતી કે સરફરાઝ ખાને આ ઇનિંગ તેના પિતાની સામે રમી હતી, જે મેચ જોવા માટે સ્ટેડિયમમાં આવ્યા હતા. તેના પિતાની હાજરીએ સરફરાઝના પ્રદર્શનને વધુ યાદગાર બનાવ્યું. આ મેચનું બીજું એક રસપ્રદ પાસું એ હતું કે સરફરાઝ ખાને તેના નાના ભાઈની ટીમને ખૂબ જ મુશ્કેલીમાં મૂકી દીધી. સરફરાઝનો નાનો ભાઈ મુશીર ખાન પંજાબ કિંગ્સ ટીમનો ભાગ છે, જોકે તેને આ મેચમાં પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. તેના ભાઈની ટીમ સામે રમતા સરફરાઝે કોઈ ઉદારતા દાખવી નહીં અને આક્રમક બેટિંગ કરી.

 

શિવમ દુબેએ પણ પોતાની તાકાત બતાવી

આયુષ અને સરફરાઝ ઉપરાંત, શિવમ દુબેએ પણ આ ઇનિંગમાં પોતાની છાપ છોડી હતી. તેણે 27 બોલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 45 રન બનાવ્યા હતા. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે પણ 22 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું.

 

Breaking News: 4 ચોગ્ગા, 4 છગ્ગા… 18 વર્ષના ખેલાડીની રેકોર્ડબ્રેક અડધી સદી, IPL ઈતિહાસમાં પહેલીવાર થયો આ કમાલ

Breaking News: પંજાબ કિંગ્સ સામેની મેચમાં રમશે MS ધોની ? CSK vs PBKS મેચ પહેલા ‘થાલા’એ શરુ કરી પ્રેક્ટિસ

 

Breaking News: પાકિસ્તાનની ઊંઘ ઉડી! એરપોર્ટ પર ફાઈટર જેટ્સની ગર્જના અને મોક ડ્રિલ પાછળનો અસલી સંકેત શું?

તાજેતરમાં દેશભરમાં વધી રહેલી સૈન્ય ગતિવિધિઓ અને સુરક્ષા એજન્સીઓની સતર્કતાને પગલે સંરક્ષણ ક્ષેત્રે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મોક ડ્રિલથી લઈને સરહદી સુરક્ષા સુધી, ભારત અત્યારે કોઈપણ પ્રકારની આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે સજ્જ દેખાઈ રહ્યું છે.

1. મોક ડ્રિલ દ્વારા સજ્જતાની ચકાસણી

દિલ્હી સહિત દેશના વિવિધ ભાગોમાં સાયરન વગાડીને ખાસ મોક ડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડ્રિલનો મુખ્ય હેતુ યુદ્ધ જેવી કટોકટીની સ્થિતિમાં વહીવટીતંત્ર અને નાગરિકોની તૈયારીઓને પરખવાનો છે. અગાઉ ‘ઓપરેશન સિંદૂર’ વખતે પણ આવી જ તત્પરતા જોવામાં આવી હતી. આ દર્શાવે છે કે, ભારત પોતાની આંતરિક સુરક્ષાને લઈને અત્યંત ગંભીર છે.

2. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનો આકરો મિજાજ

તિરુવનંતપુરમમાં એક કાર્યક્રમ દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાડોશી દેશોને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે, “ભારત પોતાની સુરક્ષા માટે નિર્ણાયક પગલાં લેવામાં સક્ષમ છે. જો કોઈ પાડોશી દેશ ભારત વિરુદ્ધ કોઈ પણ પ્રકારનું ‘મિસ-એડવેન્ચર’ (દુઃસાહસ) કરવાની કોશિશ કરશે, તો ભારતનો વળતો પ્રહાર અભૂતપૂર્વ હશે.”

3. આતંકી મોડ્યુલનો પર્દાફાશ

ભારતીય તપાસ એજન્સીઓ છેલ્લા કેટલાક મહિનાઓથી હાઈ એલર્ટ પર છે. પાકિસ્તાન પ્રેરિત સ્લીપર સેલ્સ અને આતંકી મોડ્યુલ્સને નિષ્ફળ બનાવવામાં મોટી સફળતા મળી છે. ગત 26 માર્ચના રોજ 12 શંકાસ્પદ વ્યક્તિઓની ધરપકડ એ સુરક્ષા એજન્સીઓની સતર્કતાનું જ પરિણામ છે.

4. એરપોર્ટ્સ પર સૈન્ય ગતિવિધિઓમાં વધારો

દેશના વ્યૂહાત્મક રીતે મહત્વના એરપોર્ટ્સ જેવા કે શ્રીનગર, જોધપુર અને પુણે ખાતે મેન્ટેનન્સ અને સૈન્ય ગતિવિધિઓ તેજ કરી દેવામાં આવી છે. આ તૈયારીઓ સંભવિત યુદ્ધકાલીન સ્થિતિમાં વાયુસેનાની તત્પરતા અને સરકારની અગમચેતી દર્શાવે છે.

5. પાકિસ્તાનનો ડર અને પ્રોપેગેન્ડા

ભારતની આ આક્રમક તૈયારીઓથી પાકિસ્તાની મીડિયામાં ફફડાટ જોવા મળી રહ્યો છે. પાકિસ્તાન દ્વારા ભારત પર ‘ફોલ્સ ફ્લેગ ઓપરેશન’ના ખોટા આરોપો લગાવવામાં આવી રહ્યા છે. સંરક્ષણ નિષ્ણાતોના મતે, આ માત્ર પાકિસ્તાનનો ડર અને ભારતની મજબૂત છબીને બગાડવા માટે રચાયેલું ‘નેરેટિવ ઝાળ’ છે.

નિષ્કર્ષ અને સાવચેતી:

આ તમામ ગતિવિધિઓનો હેતુ ભય ફેલાવવાનો નથી પરંતુ દેશના નાગરિકોને જાગૃત રાખવાનો છે. કોઈપણ શંકાસ્પદ હલચલ જણાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવા અપીલ કરવામાં આવી છે. દેશની સુરક્ષામાં જાગૃત નાગરિકોનું યોગદાન અનિવાર્ય છે.

Breaking News : હોર્મુઝ તણાવ વચ્ચે રશિયા બન્યુ ભારતનું ખરા અર્થમાં ભાગીદાર, એક મહિનામાં આયાતમાં 90%નો વધારો થયો

Breaking News: સનરાઇઝર્સ હૈદરાબાદે IPL 2026માં જીતનું ખાતું ખોલ્યું, કોલકાતા નાઈટ રાઈડર્સને 65 રનથી હરાવ્યું

સનરાઇઝર્સ હૈદરાબાદે પણ IPL 2026 માં જીતનું ખાતું ખોલ્યું છે. IPL 2026 ની છઠ્ઠી મેચમાં હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે જીત મળેવી હતી. ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ હાઈ-સ્કોરિંગ મેચમાં પ્રથમ બેટિંગ કરતા SRH એ 20 ઓવરમાં 8 વિકેટે 226 રન બનાવ્યા હતા, પરંતુ મજબૂત શરૂઆત છતાં કોલકાતા નાઈટ રાઈડર્સ ખાસ કંઈ કરી શક્યા નહીં, અને સતત બીજી હારનો સામનો કરવો પડ્યો.

હૈદરાબાદે મોટો સ્કોર બનાવ્યો

ટોસ હારી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લેનાર સનરાઇઝર્સ હૈદરાબાદને અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડે શાનદાર શરૂઆત અપાવી. અભિષેક શર્માએ 21 બોલમાં 48 રન બનાવ્યા અને ટ્રેવિસ હેડે 21 બોલમાં 46 રન બનાવ્યા. બંનેએ મળીને 34 બોલમાં 82 રનની વિસ્ફોટક ભાગીદારી કરી. ત્યારબાદ હેનરિક ક્લાસેને 52 રન સાથે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું. આ દરમિયાન, નીતિશ કુમાર રેડ્ડીએ 39 રનની વિસ્ફોટક ઇનિંગ રમી, જેનાથી ટીમને આ સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી.

મુઝરાબાનીએ 4 વિકેટ લીધી

બીજી તરફ, કોલકાતા નાઈટ રાઈડર્સની બોલિંગ મોંઘી સાબિત થઈ, પરંતુ ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરાબાનીએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 4 ઓવરમાં 41 રન આપીને 4 વિકેટ લીધી. તેણે અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન અને શિવંગ કુમારને આઉટ કર્યા. આ વિસ્ફોટક બેટિંગ વચ્ચે મુઝરાબાનીએ પોતાની ક્ષમતા સાબિત કરવામાં સફળતા મેળવી.

 

રન ચેઝમાં KKRના બેટ્સમેન નિષ્ફળ ગયા

227 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી KKRની શરૂઆત સારી રહી, પરંતુ વિકેટો પડતી રહી, જેના કારણે ટીમ રન ચેઝમાં ઘણી પાછળ રહી ગઈ. અંગક્રિશ રઘુવંશીએ 52 રન બનાવ્યા હોય, પરંતુ તે પણ રન આઉટ થયો. રિંકુ સિંહ પણ 35 રન બનવી આઉટ થઈ ગયો. અગાઉ, ફિન એલને ઝડપી શરૂઆત કરી, 7 બોલમાં 28 રન બનાવ્યા, પરંતુ SRHના બોલરોએ કડક બોલિંગ કરી. પરિણામે, KKR માત્ર 161 રનમાં ઓલઆઉટ થઈ ગયું અને 65 રનથી મેચ હારી ગયું.

Breaking News: IPL ઓક્શનમાં કોઈએ ના ખરીદ્યો, રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે KKRમાં આવ્યો, હવે મચાવી ધમાલ

Breaking News: IPL ઓક્શનમાં કોઈએ ના ખરીદ્યો, રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે KKRમાં આવ્યો, હવે મચાવી ધમાલ

IPL 2026 ની છઠ્ઠી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ઇડન ગાર્ડન્સ ખાતે ધમાકેદાર બેટિંગ પ્રદર્શન કર્યું, 20 ઓવરમાં 226 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. આ મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સના બોલરોને જોરદાર ફટકો પડ્યો, પરંતુ એક બોલરે તેની શાનદાર બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું. નોંધનીય છે કે, આ ખેલાડી હરાજીમાં વેચાયો ન હતો, પરંતુ KKR એ તેને રિપ્લેસમેન્ટ તરીકે સાઇન કર્યો અને તકનો લાભ લીધો.

KKR ખેલાડીની દ્વારા ઘાતક બોલિંગ

કોલકાતા નાઈટ રાઈડર્સ માટે ઝિમ્બાબ્વેના ફાસ્ટ બોલર બ્લેસિંગ મુઝરબાનીએ શાનદાર પ્રદર્શન કર્યું. તેણે 4 ઓવરમાં 41 રન આપીને 4 વિકેટ લીધી. મુઝરબાનીએ અભિષેક શર્મા, ઈશાન કિશન, હેનરિક ક્લાસેન અને શિવંગ કુમારને આઉટ કર્યા. તેની ઘાતક બોલિંગે હૈદરાબાદને વધુ સ્કોર કરતા અટકાવ્યું. બ્લેસિંગ મુઝરબાનીએ આ દરમિયાન 9 ડોટ બોલ પણ ફેંક્યા, જે અન્ય તમામ બોલરોમાં સૌથી વધુ છે. આ 4 વિકેટ સાથે, તે પર્પલ કેપની રેસમાં પણ આગળ વધી ગયો છે.

 

મુઝારબાનીએ લીધી ચાર વિકેટ

ઉલ્લેખનીય છે કે, બ્લેસિંગ મુઝરબાનીને IPL 2026 ની હરાજીમાં કોઈપણ ફ્રેન્ચાઇઝી દ્વારા ખરીદવામાં આવ્યો ન હતો. જોકે, KKR એ તેને રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે સાઇન કર્યો અને તેણે તકનો પૂરો લાભ લીધો. મુઝરાબાનીની જોરદાર બોલિંગે સાબિત કર્યું કે KKR નો તેને તક આપવાનો નિર્ણય સાચો હતો.

રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે ટીમમાં જોડાયો

સિંગ મુઝરબાની હાલમાં પાકિસ્તાન સુપર લીગ (PSL) 2026 માં ઇસ્લામાબાદ યુનાઇટેડ તરફથી રમી રહ્યો હતો. જોકે, તેણે IPLમાં રમવા માટે PSLમાંથી નામ પાછું ખેંચી લીધું. બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનના સ્થાને ટીમમાં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જેનો કરાર રદ થઈ ગયો હતો. રસપ્રદ વાત એ છે કે, મુઝારબાની PSLમાં પણ રિપ્લેસમેન્ટ ખેલાડી તરીકે જોડાયો હતો. આ પ્રદર્શન બ્લેસિંગ મુઝારબાનીના કારકિર્દી માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

Breaking News: અભિષેક શર્માને અમ્પાયરે ખોટી રીતે આઉટ આપ્યો? IPL 2026 માં એક મોટો વિવાદ

ગુજરાત કોસ્ટ ગાર્ડના કાફલામાં આઈસીજીએસ શૌર્ય સામેલ, દરિયાઈ સુરક્ષામાં વધારો

ભારતનો સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું રાજ્ય ગુજરાત તેની ભૌગોલિક સ્થિતિને કારણે રાષ્ટ્રીય સુરક્ષા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. આ દરિયાઈ વિસ્તારોની સુરક્ષાની જવાબદારી ગુજરાત કોસ્ટ ગાર્ડના શીરે છે, અને હવે આ જવાબદારીને વધુ મજબૂત કરવા માટે તેમના કાફલામાં એક નવું શક્તિશાળી જહાજ, આઈસીજીએસ શૌર્ય, પોરબંદર ખાતે જોડાઈ ગયું છે. ચેન્નઈથી પોરબંદર પહોંચેલા આ લડાયક જહાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને તેને ગુજરાતની વિશાળ દરિયાઈ સીમાઓની રક્ષા માટે કાર્યરત કરી દેવાયું છે.

આઈસીજીએસ શૌર્યની વિશેષતા એ છે કે તે સંપૂર્ણપણે સ્વદેશી બનાવટનું છે. આધુનિક શસ્ત્રો અને અત્યંત ટેકનોલોજીથી સજ્જ આ જહાજ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે. કોસ્ટ ગાર્ડ અધિકારીઓ દ્વારા તેના જરૂરી દસ્તાવેજોની આપ-લે કરવામાં આવી હતી, જે પછી તેને સત્તાવાર રીતે સેવાઓમાં સામેલ કરવામાં આવ્યું છે. આ જહાજ અદ્યતન નેવિગેશન સિસ્ટમથી સજ્જ હોવાથી તે દરિયાઈ ક્ષેત્રમાં ચોકસાઈપૂર્વક પેટ્રોલિંગ કરી શકે છે. તેની ક્ષમતાઓ માત્ર ગુજરાતના કિનારાઓની સુરક્ષાને જ નહીં, પરંતુ અરબી સમુદ્રમાં પણ સઘન દેખરેખ રાખીને રાષ્ટ્રીય દરિયાઈ હિતોનું રક્ષણ કરવામાં મદદરૂપ થશે.

આઈસીજીએસ શૌર્યની તકનીકી વિશિષ્ટતાઓ તેને એક શક્તિશાળી સાધન બનાવે છે. તેની મહત્તમ ઝડપ 23 કિલોમીટર પ્રતિ કલાક છે, જે તેને ઝડપી કાર્યવાહી માટે સક્ષમ બનાવે છે. તે 20 દિવસ સુધી સમુદ્રમાં રહી શકે છે અને 6000 નોટિકલ માઇલ સુધીની વિશાળ રેન્જ ધરાવે છે, જે લાંબા અંતરના પેટ્રોલિંગ અને સર્વેલન્સ મિશન માટે અત્યંત ઉપયોગી છે. આ જહાજ સમર્થ ક્લાસનું પાંચમું પોત છે અને તે આધુનિક તથા સ્વદેશી ઉપકરણોથી લેસ છે. તેમાં CRN 91 નામની શક્તિશાળી ગન પણ ફીટ કરવામાં આવી છે, જે કોઈપણ સંભવિત ખતરાનો સામનો કરવા માટે સક્ષમ છે. આ ઉપરાંત, જહાજમાં આધુનિકથી આધુનિક મશીનરી પણ લિપ્ત છે.

આઈસીજીએસ શૌર્યના આગમનથી ગુજરાતના દરિયાકાંઠા અને અપતટીય સુરક્ષાને સુદ્રઢ કરવામાં મદદ મળશે. તે અરબી સમુદ્રમાં દેખરેખ વધારશે અને દરિયાઈ માર્ગે થતી દાણચોરી, નશીલા પદાર્થોની હેરાફેરી જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને ડામવામાં અસરકારક સાબિત થશે. વધુમાં, આ જહાજ ગુજરાતના દરિયાકાંઠે કાર્યરત માછીમારોના હિતોની રક્ષા માટે પણ તેની પ્રતિક્રિયા ક્ષમતાને વધુ વધારશે. ગુજરાતના દરિયાકાંઠાને વધુ સુરક્ષિત બનાવવા માટેના ચાલી રહેલા પ્રયાસોમાં આઈસીજીએસ શૌર્યનો સમાવેશ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે, જે ભવિષ્યમાં રાજ્ય અને રાષ્ટ્રની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત સુરક્ષા કવચ પૂરું પાડશે.

ગુજરાતમાં શુક્રવારથી વાતાવરણમાં આવશે પલટો, અનેક જિલ્લામાં થશે માવઠું

IPLમાં પહેલીવાર પિતા-પુત્રની ટીમો આમને-સામને, જાણો ક્યારે થશે ઐતિહાસિક ટક્કર

Health Tips: ડાયાબિટીસથી લઈને વજન ઘટાડવા સુધી: રોજ સવારે આ પાન ચાવવાથી થશે જાદુઈ અસર

આપણે સામાન્ય રીતે દાળ, કઢી કે વઘારમાં સ્વાદ માટે મીઠા લીમડાનો (Curry Leaves) ઉપયોગ કરીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે આ પાન માત્ર સ્વાદ જ નહીં, પણ સ્વાસ્થ્યનો ખજાનો પણ છે? દરરોજ સવારે ખાલી પેટે 6 થી 10 તાજા મીઠા લીમડાના પાન ચાવવાથી શરીરને અનેક જીવલેણ બીમારીઓ સામે લડવાની શક્તિ મળે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે સંજીવની

ડાયાબિટીસ જેવી સાયલન્ટ કિલર બીમારી સામે ઝઝૂમી રહેલા લોકો માટે મીઠો લીમડો વરદાન સમાન છે. તેમાં રહેલા ફાઈબર અને એન્ટી-ઓક્સિડન્ટ્સ બ્લડ શુગર લેવલને કુદરતી રીતે નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જો તમે હાઈ શુગરથી પરેશાન હોવ, તો સવારે ખાલી પેટે આ પાન ચાવવાની ટેવ પાડવી જોઈએ.

ચરબી ઓગાળવામાં અકસીર

વધતું વજન અનેક બીમારીઓને આમંત્રણ આપે છે. મીઠો લીમડો શરીરના મેટાબોલિઝમને બૂસ્ટ કરે છે. જો તમે નિયમિત કસરતની સાથે મીઠા લીમડાના પાન ચાવવાનું શરૂ કરશો, તો શરીરની વધારાની ચરબી ઝડપથી ઓગળવા લાગશે.

પેટની સમસ્યાઓથી છુટકારો (Gut Health)

કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી પાચનને લગતી સમસ્યાઓ માટે મીઠો લીમડો રામબાણ ઈલાજ છે. તે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને શરીરમાંથી ખરાબ કોલેસ્ટ્રોલ (Bad Cholesterol) ઘટાડીને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.

નિષ્ણાતોની સલાહ:

મીઠા લીમડામાં વિટામિન-A, C, E અને ફાઈબર જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે. જો કે, મહત્તમ લાભ મેળવવા માટે પાનને ધોઈને કાચા ચાવવા અથવા તેના પાણીનું સેવન કરવું સૌથી વધુ ફાયદાકારક છે.

Disclaimer: આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ લો.

હૈદરાબાદમાં અધિકારીની અનોખી ‘ગાંધીગીરી’, કચરો ફેંકનારાના પગ પકડીને શરમાવ્યા- જુઓ Video

Breaking News : LPG-PNG અને ફર્ટિલાઇઝર, Middle East tention વચ્ચે અઢી કલાક ચાલી CCSની મહત્વપૂર્ણ બેઠક, જાણો શું થઈ ચર્ચા

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટીને ધ્યાનમાં રાખીને વડા પ્રધાનના નિવાસસ્થાને લગભગ અઢી કલાક સુધી સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિ (CCS)ની બેઠક યોજાઈ. આ બેઠકમાં કૃષિ, ખાતર, શિપિંગ, ઉડ્ડયન, લોજિસ્ટિક્સ અને MSME જેવા મહત્વના ક્ષેત્રોમાં ઉભા થતા પડકારો પર વિગતવાર ચર્ચા કરવામાં આવી.

બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય આવશ્યક ચીજવસ્તુઓનો સતત પુરવઠો જાળવી રાખવો, બજારમાં ભાવ સ્થિર રાખવા અને સંગ્રહખોરી તથા કાળાબજારને રોકવા માટે અસરકારક પગલાં લેવાં હતો.

ખાતર અને ઊર્જા ક્ષેત્ર પર ખાસ ધ્યાન

વડા પ્રધાન Narendra Modi એ ખાસ કરીને ખાતરની ઉપલબ્ધતા પર ભાર મૂક્યો. ખરીફ અને રવિ બંને સીઝનમાં ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે તે માટે સરકાર તરફથી સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

યુરિયા ઉત્પાદન જાળવી રાખવા ઉપરાંત DAP અને NPK ખાતર માટે વિદેશી સપ્લાયર્સ સાથે સંકલન વધારવામાં આવી રહ્યું છે. LPG અને LNG માટે સપ્લાય ડાયવર્સિફિકેશન, બળતણ પર ડ્યુટીમાં રાહત અને વીજ ક્ષેત્રમાં જરૂરી પગલાંની પણ સમીક્ષા કરવામાં આવી.

ભાવ નિયંત્રણ અને કાળાબજાર સામે કડક કાર્યવાહી

બેઠકમાં સ્પષ્ટ કરવામાં આવ્યું કે આવશ્યક ચીજવસ્તુઓના ભાવ સ્થિર રાખવા માટે સરકાર સતત નજર રાખી રહી છે. સંગ્રહખોરી અને કાળાબજાર સામે કડક કાર્યવાહી માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંકલન વધારવામાં આવ્યું છે.

આ માટે ખાસ કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરવામાં આવ્યા છે, જે બજારમાં કિંમતો અને પુરવઠા પર સતત મોનીટરીંગ કરશે.

કોલસાનો પૂરતો જથ્થો, વીજ પુરવઠો સુરક્ષિત

બેઠકમાં માહિતી આપવામાં આવી કે દેશમાં હાલ પૂરતો કોલસાનો જથ્થો ઉપલબ્ધ છે, જે આગામી મહિનાઓમાં વીજળીની માંગને સરળતાથી પૂર્ણ કરી શકશે. આથી ઊર્જા ક્ષેત્રમાં કોઈ તાત્કાલિક અછતની શક્યતા નથી.

અફવાઓથી દૂર રહેવા અપીલ

વડા પ્રધાન મોદીએ લોકોને અફવાઓથી દૂર રહેવા અને સચોટ માહિતી પર વિશ્વાસ રાખવાની અપીલ કરી. સરકાર તરફથી સમયસર અને સ્પષ્ટ માહિતી પહોંચાડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

અગાઉની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની સમીક્ષા

આ બેઠક દરમિયાન 22 માર્ચે યોજાયેલી અગાઉની બેઠકમાં લેવાયેલા નિર્ણયોનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું. તે સમયે પશ્ચિમ એશિયામાં વધતા તણાવને ધ્યાનમાં રાખીને મંત્રીઓ અને સચિવોના ગ્રુપ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

તે બેઠકમાં કૃષિ, ખાતર, ખાદ્ય સુરક્ષા, પેટ્રોલિયમ, ઊર્જા, MSME, નિકાસ, શિપિંગ અને સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રો પર પડતી અસર અને તેને પહોંચી વળવા માટેના ટૂંકા અને લાંબા ગાળાના પગલાંની ચર્ચા થઈ હતી.

ખેડૂતો માટે શું મહત્વનું?

ખરીફ સીઝન નજીક હોવાથી ખેડૂતો માટે ખાતરની ઉપલબ્ધતા સૌથી મોટો મુદ્દો છે. સરકાર દ્વારા ખાતરનો પુરવઠો સતત જાળવી રાખવા અને વૈકલ્પિક સ્ત્રોતો શોધવા પર પણ કામ ચાલી રહ્યું છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ થઈ જાહેર, જાણો વિગત

Rishabh Pant Unexpected Wicket : ઋષભ પંતના નસીબે આપ્યો દગો

Breaking News: મોહમ્મદ શમીએ ઈનિંગના પહેલા જ બોલ પર કર્યો કમાલ, IPLમાં આવું કરનાર પ્રથમ બોલર

IPL 2026 ની પાંચમી મેચમાં લખનૌ સુપર જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સ માટે 142 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. લક્ષ્યનો બચાવ કરતા, મોહમ્મદ શમીએ ટીમને મજબૂત શરૂઆત આપી. લખનૌ માટે ડેબ્યૂ કરતા મોહમ્મદ શમીએ પહેલા જ બોલે વિકેટ લીધી. તેણે કેએલ રાહુલને ગોલ્ડન ડક પર આઉટ કર્યો. આ વિકેટ મોહમ્મદ શમી માટે ખાસ સાબિત થઈ.

મોહમ્મદ શમીનો કમાલ

મોહમ્મદ શમીએ મેચના પહેલા બોલ પર વિકેટ લીધી હોય તેવી આ પહેલી ઘટના નહોતી. IPLમાં આ પાંચમો પ્રસંગ છે. તેણે અગાઉ ઘણી વખત ઇનિંગના પહેલા બોલ પર બેટ્સમેનને આઉટ કર્યો છે. ઉલ્લેખનીય છે કે, શમીનો ઇનિંગના પહેલા બોલ પર કેએલ રાહુલને આઉટ કરવાનો આ બીજો પ્રસંગ હતો.

પહેલા બોલ પર પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર

મોહમ્મદ શમી હવે IPLના ઇતિહાસમાં ઇનિંગના પહેલા બોલ પર પાંચ વિકેટ લેનાર પ્રથમ બોલર બન્યો છે. આ યાદીમાં અન્ય કોઈ બોલરે આ સિદ્ધિ ત્રણ વખતથી વધુ મેળવી નથી. વધુમાં, શમીએ IPLમાં 11મી વખત ઇનિંગની પ્રથમ ઓવરમાં વિકેટ લીધી છે, જે એક નોંધપાત્ર સિદ્ધિ છે.

 

IPLમાં પહેલા બોલ પર સૌથી વધુ વિકેટો

  • મોહમ્મદ શમી – 5 વિકેટ
  • ટ્રેન્ટ બોલ્ટ – 3 વિકેટ
  • ઉમેશ યાદવ – 3 વિકેટ
  • લસિથ મલિંગા – 3 વિકેટ
  • ભુવનેશ્વર કુમાર – 3 વિકેટ
  • પ્રવીણ કુમાર – 3 વિકેટ
  • અશોક ડિંડા – 3 વિકેટ
  • પેટ કમિન્સ – 3 વિકેટ

વિરોધી ટીમને પહેલા જ બોલ પર આપ્યો ઝટકો

આ આંકડા સ્પષ્ટપણે દર્શાવે છે કે શમી તેના સ્વિંગ અને સચોટ લાઇન અને લેન્થ ઘણીવાર વિરોધી ટીમ માટે સારી શરૂઆત કરવામાં મુશ્કેલી ઉભી કરે છે. આ વખતે પણ તેણે પહેલા જ બોલ પર વિકેટ લઈને લખનૌ સુપર જાયન્ટ્સને મજબૂત શરૂઆત અપાવી. તેનો રેકોર્ડ બતાવે છે કે તે મોટી મેચોમાં કેવી રીતે દબાણ બનાવી શકે છે.

 

મોહમ્મદ શમીની મજબૂત શરૂઆત

આ મેચમાં મોહમ્મદ શમીએ દિલ્હીના બેટ્સમેન પર સફળતાપૂર્વક દબાણ બનાવ્યું. તેણે પોતાની પહેલી ત્રણ ઓવરમાં માત્ર 20 રન આપ્યા અને એક વિકેટ લીધી. આ દરમિયાન, શમીએ 11 ડોટ બોલ ફેંક્યા, જેનો અર્થ એ થયો કે દિલ્હીના બેટ્સમેનોને તેની સામે રન બનાવવા માટે સંઘર્ષ કરવો પડ્યો. પરિણામે, દિલ્હીએ પાવરપ્લેમાં ચાર મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી અને ફક્ત 33 રન જ બનાવી શક્યું.

Breaking News: બે વર્લ્ડ કપ વિજેતા દિગ્ગજ ખેલાડી IPL 2026માં કચરો ઉપાડતો જોવા મળ્યો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો વીડિયો વાયરલ

Breaking News: બે વર્લ્ડ કપ વિજેતા દિગ્ગજ ખેલાડી IPL 2026માં કચરો ઉપાડતો જોવા મળ્યો, નરેન્દ્ર મોદી સ્ટેડિયમનો વીડિયો વાયરલ

IPL 2026 ના દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને ચાહકો તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોમાં ગુજરાત ટાઈટન્સનો કોચ અને દિગ્ગજ ખેલાડી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની સફાઈ કરતો જોવા મળે છે. ગુજરાત GT એ પોતે આ વીડિયો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર શેર કર્યો છે, જેણે બધાના દિલને સ્પર્શી ગયો છે. આ દિગ્ગજ ખેલાડી બીજું કોઈ નહીં પણ ગુજરાત ટાઈટન્સનોના બેટિંગ કોચ મેથ્યુ હેડન છે.

મેથ્યુ હેડને કચરો ઉપાડતો જોવા મળ્યો

ગુજરાત ટાઈટન્સના બેટિંગ કોચ મેથ્યુ હેડનનો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ સાફ કરતો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પ્રેક્ટિસ સેશન દરમિયાન, ખેલાડીઓએ ખાલી પાણીની બોટલો અને કચરો મેદાન પર છોડી દીધો. જ્યારે હેડનને આ વાતની જાણ થઈ, ત્યારે તેણે તરત જ સફાઈ શરૂ કરી દીધી. વીડિયોમાં, ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાઈ બેટિંગ લેજેન્ડ ખેલાડી ડગઆઉટની આસપાસ ફરતો અને વેરવિખેર કચરો ઉપાડતો જોઈ શકાય છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા યુઝર્સમાં ધૂમ મચાવી રહ્યો છે, અને દરેક વ્યક્તિ હેડનની પ્રશંસા કરી રહ્યો છે.

 

મેથ્યુ હેડનનું કોચ તરીકે ડેબ્યૂ

મેથ્યુ હેડને IPL 2026 માં ગુજરાત ટાઈટન્સના બેટિંગ કોચ તરીકે ડેબ્યૂ કર્યું છે. તેને કોચિંગનો વધુ અનુભવ નથી, પરંતુ તે અગાઉ આંતરરાષ્ટ્રીય સ્તરે કોચિંગ કરી ચૂક્યો છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેને 2021 T20 વર્લ્ડ કપ પહેલા ટીમના બેટિંગ કોચ તરીકે નિયુક્ત કર્યો હતો, જેમાં પાકિસ્તાને ભારત સામે જીત મેળવી હતી. આ પછી PCB એ 2022 T20 વર્લ્ડ કપ માટે હેડનને ટીમના મેન્ટર તરીકે પણ નિયુક્ત કર્યો હતો.

 

બે વર્લ્ડ કપ જીત્યા

મેથ્યુ હેડન અગાઉ IPLમાં ખેલાડી તરીકે રમી ચૂક્યો છે. તે પોતાની આક્રમક બેટિંગ માટે વિશ્વભરમાં જાણીતો હતો. તેણે પોતાની કારકિર્દી દરમિયાન બે ODI વર્લ્ડ કપ પણ જીત્યા હતા. તે 2003 અને 2007 ODI વર્લ્ડ કપ જીતનારી ઓસ્ટ્રેલિયન ટીમોનો ભાગ હતો.

Breaking News: એનગીડીએ IPL 2026નો સૌથી ખતરનાક બોલ ફેંક્યો, પૂરન પોતાના જ પગ પર બેટ મારી થયો બોલ્ડ

Kachi Keri Benefits : કાચી કેરી ખાવાથી શરીરને શું ફાયદા થાય ? જાણી લો

IPL 2026 : 6,6,6,6,6,6… રોહિત શર્માએ ફરી માર્યા 11 છક્કા,‘હિટમેન’ની ઓળખ કરી સાબિત

Breaking News: 11 બોલની 1 ઓવર, બનાવ્યો શરમજનક રેકોર્ડ, અર્શદીપ સિંહે પોતાની જ ટીમને આપી ‘સજા’

અર્શદીપ સિંહને T20 ક્રિકેટમાં શ્રેષ્ઠ બોલરોમાંના એક માનવામાં આવે છે, પરંતુ તેણે IPL 2026 ની તેની પહેલી જ મેચમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું. જ્યારે પંજાબના અન્ય બોલરોએ સારી બોલિંગ કરી, ત્યારે અર્શદીપ સિંહે લય ગુમાવી અને ચાર ઓવરમાં 42 રન આપ્યા. વધુમાં તેણે તેના સ્પેલમાં આઠ વાઈડ અને એક નો-બોલ ફેંક્યો. આશ્ચર્યજનક રીતે અર્શદીપ સિંહે છેલ્લી ઓવરમાં જ ચાર વાઈડ અને એક નો-બોલ ફેંક્યો.

અર્શદીપે લય ગુમાવી દીધી

અર્શદીપ સિંહને ડેથ-ઓવરનો બેસ્ટ બોલર માનવામાં આવે છે, પરંતુ ગુજરાત સામેની અંતિમ ઓવરમાં તેણે પોતાની લાઇન અને લેન્થ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. તેણે અંતિમ ઓવર પૂર્ણ કરવા માટે 11 બોલ ફેંક્યા. તેણે ઓવરના પહેલા બોલ પર વાઈડ ફેંક્યો. તેને ચોથી બોલ પૂર્ણ કરવા માટે ચાર બોલ લાગ્યા, જેમાં ત્રણ વાઈડ અને એક નો-બોલ ફેંક્યો. ત્યારબાદ તેણે છઠ્ઠી બોલ પૂર્ણ કરતા પહેલા બીજો વાઈડ ફેંક્યો. અર્શદીપ સિંહ બોલને નિયંત્રિત કરવામાં અસમર્થ રહ્યો અને મેચમાં એક પણ વિકેટ ના મળી.

 

અર્શદીપ સિંહે શરમજનક રેકોર્ડ બનાવ્યો

આ ઓવરમાં 11 બોલ ફેંકીને અર્શદીપ સિંહે શરમજનક રેકોર્ડ બનાવ્યો. તે IPLમાં એક ઓવરમાં સૌથી વધુ બોલ ફેંકનાર ડાબોડી ઝડપી બોલર બની ગયો છે. અન્ય પાંચ બોલરોએ પણ IPLમાં એક ઓવરમાં 11 બોલ ફેંક્યા છે. આમાં મોહમ્મદ સિરાજ, તુષાર દેશપાંડે, શાર્દુલ ઠાકુર, સંદીપ શર્મા અને હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે.

પંજાબ પોતાની પકડ મજબૂત બનાવી

અર્શદીપ સિંહ મોંઘો પડ્યો, પરંતુ પંજાબે ગુજરાતની બેટિંગ પર દબાણ કર્યું. ટીમે પ્રથમ છ ઓવરમાં 54 રન આપ્યા, પરંતુ મિડ અને ડેથ ઓવરમાં તેઓ ગુજરાતના બેટ્સમેનોને રોકવામાં સફળ રહ્યા. મિડ તબક્કામાં, 7 થી 15 ઓવર વચ્ચે ગુજરાત 8.2 ના રન રેટથી ફક્ત 74 રન જ બનાવી શક્યું. 16મી અને 20મી ઓવર વચ્ચે ગુજરાત ફક્ત 34 રન જ બનાવી શક્યું અને રન રેટ પ્રતિ ઓવર 6.8 રન હતો.

Breaking News: મોહમ્મદ શમી ક્યારે લેશે નિવૃત્તિ? પોતે કર્યો મોટો ખુલાસો

IPL 2026 : 6,6,6,6,6,6… રોહિત શર્માએ ફરી માર્યા 11 છક્કા,‘હિટમેન’ની ઓળખ કરી સાબિત

રાજા શિવાજી ટીઝર રિલીઝ, રિતેશ દેશમુખની ભવ્ય ઐતિહાસિક ફિલ્મનો First Look જાહેર, જુઓ Video

ફિલ્મ ‘રાજા શિવાજી’નો પ્રથમ લુક ટીઝર પહેલા થિયેટરમાં ‘ધુરંધર ધ રિવેન્જ’ સાથે ખાસ પ્રિવ્યુ તરીકે દર્શાવવામાં આવ્યો હતો, જ્યાં દર્શકોનો જોરદાર પ્રતિસાદ મળ્યો હતો. હવે આ ટીઝર ડિજિટલ પ્લેટફોર્મ પર પણ રિલીઝ કરવામાં આવ્યો છે, જેના કારણે ફિલ્મને લઈને ઉત્સુકતા વધુ વધી ગઈ છે.

આ ફિલ્મને એક વિશાળ પાયાની સિનેમેટિક પ્રોજેક્ટ તરીકે રજૂ કરવામાં આવી રહી છે, જે Chhatrapati Shivaji Maharaj ના અદભૂત જીવન અને તેમના સ્વરાજ્યના સ્વપ્નને જીવંત કરે છે. ખાસ કરીને મરાઠી સિનેમામાં આટલા મોટા સ્તરે આવી ઐતિહાસિક કહાની રજૂ થવી એક મહત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવી રહી છે.

ફિલ્મની કહાની એક એવા યુવાનની છે, જેણે પોતાના સંકલ્પ, હિંમત અને દૃઢ નિશ્ચય દ્વારા ઇતિહાસ બદલી નાખ્યો. ટીઝરમાં તેની ઝલક જોવા મળે છે, જેમાં ભાવનાત્મકતા, શૌર્ય અને પ્રેરણા ભરપૂર રીતે રજૂ કરવામાં આવ્યા છે.

ફિલ્મની સૌથી મોટી ખાસિયત તેની મજબૂત સ્ટારકાસ્ટ છે. Sanjay Dutt, Abhishek Bachchan, Vidya Balan, Mahesh Manjrekar, Sachin Khedekar, Bhagyashree, Fardeen Khan, Jitendra Joshi, Boman Irani, Amol Gupte અને Genelia Deshmukh જેવા જાણીતા કલાકારો ફિલ્મમાં જોવા મળશે.

ટેકનિકલ રીતે પણ ફિલ્મ ખૂબ મજબૂત છે. સંગીત માટે જાણીતા જોડા Ajay–Atul અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સિનેમેટોગ્રાફર Santosh Sivan સાથે જોડાયા છે, જે ફિલ્મને વધુ ભવ્ય બનાવે છે.

થિયેટરમાં પ્રિવ્યુ દરમિયાન દર્શકોની તાળીઓ અને ઉત્સાહ દર્શાવે છે કે આ ફિલ્મ એક મોટી સિનેમેટિક ઇવેન્ટ બનવાની છે. હવે ડિજિટલ ટીઝર રિલીઝ થતાં આ ઉત્સાહ વધુ વધ્યો છે અને દર્શકો આતુરતાથી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.

Jio Studios દ્વારા રજૂ અને Jyoti Deshpande તથા Genelia Deshmukh દ્વારા નિર્મિત આ ફિલ્મ 1 મે 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં મરાઠી, હિન્દી અને તેલુગુ ભાષામાં રિલીઝ થશે.

‘રાજા શિવાજી’ એક એવી ફિલ્મ બની શકે છે જે ભારતીય ઇતિહાસને ભવ્યતા, ભાવના અને પ્રેરણાથી ભરપૂર રીતે નવી પેઢી સુધી પહોંચાડશે.

‘બચ્ચા હે તું મેરા’ ડાયલોગથી ફેમસ થયેલા જમીલ જમાલીની રિયલ લાઈફ દીકરી છે એક દમ બોલ્ડ

IPL 2026 : 6,6,6,6,6,6… રોહિત શર્માએ ફરી માર્યા 11 છક્કા,‘હિટમેન’ની ઓળખ કરી સાબિત

IPL 2026માં Rohit Sharma ફરી એકવાર પોતાની ઓળખ ‘હિટમેન’ તરીકે સાબિત કરી રહ્યા છે. Mumbai Indiansના ઓપનિંગ મેચમાં તેમણે માત્ર 38 બોલમાં 78 રનની તોફાની ઇનિંગ રમી અને ટીમને જીત અપાવી. તેમની આ શાનદાર ફોર્મનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં રોહિત સતત છગ્ગાઓ વરસાવતા જોવા મળે છે.

આ મેચ પછી પણ રોહિતનો આત્મવિશ્વાસ ઊંચો છે. મુંબઈનો આગામી મુકાબલો 4 એપ્રિલે Delhi Capitals સામે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાનો છે. આ મહત્વપૂર્ણ મેચ પહેલા રોહિતે પ્રેક્ટિસ દરમિયાન પોતાની બેટિંગને વધુ ધારદાર બનાવવાના સંકેતો આપ્યા છે. વાયરલ થયેલા વીડિયોમાં તેઓ કવર, લોંગ-ઓફ, લોંગ-ઓન અને મિડ-વિકેટ વિસ્તારમાં સહેલાઈથી છગ્ગા ફટકારતા જોવા મળે છે.

વીડિયોમાં રોહિતે કુલ 11 છગ્ગા ફટકાર્યા છે, જે તેમની હાલની લય અને આત્મવિશ્વાસને સ્પષ્ટ દર્શાવે છે. દરેક શોટમાં ક્લાસ અને પાવર બંનેનો અનોખો મિશ્રણ જોવા મળે છે, જે વિરોધી ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે.

29 માર્ચે Kolkata Knight Riders સામે રમાયેલી મેચમાં પણ રોહિતે જબરદસ્ત પ્રદર્શન કર્યું હતું. તેમણે 38 બોલમાં 78 રન બનાવ્યા, જેમાં 6 છગ્ગા અને 6 ચોગ્ગાનો સમાવેશ થાય છે. આ દરમિયાન તેમનો સ્ટ્રાઇક રેટ 205.2 રહ્યો. રોહિતે પોતાના સાથી ખેલાડી સાથે 71 બોલમાં 148 રનની ભાગીદારી કરી, જેના કારણે મુંબઈએ 221 રનનો ટાર્ગેટ માત્ર 19.1 ઓવરમાં હાંસલ કરી લીધો.

આઈપીએલ કારકિર્દીની વાત કરીએ તો રોહિત શર્માએ અત્યાર સુધી 7,124 રન બનાવ્યા છે. જોકે, તેમના પ્રતિભાને જોતા આ આંકડા થોડા ઓછા લાગે છે. તેમણે અત્યાર સુધી માત્ર બે સદી નોંધાવી છે અને તેમની સરેરાશ પણ 30થી નીચે રહી છે. ગયા સીઝનમાં તેમણે 418 રન બનાવ્યા હતા, જેમાં તેમની સરેરાશ 29.8 રહી.

હાલની સીઝનમાં રોહિતે ધમાકેદાર શરૂઆત કરી છે. તેમની બેટિંગ જોઈને ચાહકોને આશા છે કે આ વખત તેઓ મોટી ઇનિંગ્સ અને નવા રેકોર્ડ સાથે સીઝનને યાદગાર બનાવશે.

Breaking News: વૈભવ સૂર્યવંશીને ટીમ ઈન્ડિયાથી દૂર રાખો… 15 બોલમાં અડધી સદી છતાં અશ્વિને આવું કેમ કહ્યું?

Breaking News : IPL 2026માં RR vs CSK વચ્ચેની મેચમાં ફાસ્ટ બોલરો બાદ વૈભવ સૂર્યવંશીની તબાહી, રાજસ્થાને ચેન્નઈને કચડી નાખ્યું

Rajasthan Royals એ શાનદાર બોલિંગ અને Vaibhav Sooryavanshi ની ધમાકેદાર અડધી સદીના જોરે Chennai Super Kings ને 8 વિકેટથી હરાવીને Indian Premier League 2026 ના પોતાના અભિયાનની જીત સાથે શરૂઆત કરી. ગુવાહાટી સ્થિત Barsapara Cricket Stadium ખાતે રમાયેલી આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન Riyan Parag એ ટોસ જીતીને CSK ને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું. પ્રથમ બેટિંગ કરતા ચેન્નાઈની ટીમ માત્ર 127 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જવાબમાં રાજસ્થાને માત્ર 12.1 ઓવરમાં 128 રન બનાવીને સરળ જીત મેળવી.

CSK સામે ઇનિંગની શરૂઆત કરતા વૈભવ સૂર્યવંશીએ IPL ઇતિહાસની ત્રીજી સૌથી ઝડપી અડધી સદી ફટકારી, જે તેણે ફક્ત 15 બોલમાં પૂરી કરી. જોકે, મેચની શરૂઆતમાં જ તેને જીવનદાન મળ્યું, જ્યારે કાર્તિક શર્માએ મેટ હેનરીની બોલ પર તેનો કેચ છોડ્યો. આ જીવનદાનનો સંપૂર્ણ ફાયદો ઉઠાવતા વૈભવે આક્રમક બેટિંગ કરી અને CSKના બોલરો પર દબદબો જમાવ્યો. તેણે 17 બોલમાં 52 રનની તાબડતોબ ઇનિંગ રમી, જેમાં 5 છગ્ગા અને 4 ચોગ્ગાનો સમાવેશ થાય છે.

વૈભવ સૂર્યવંશીને Yashasvi Jaiswal નો પણ ઉત્તમ સહકાર મળ્યો. બંને વચ્ચે 75 રનની મહત્વપૂર્ણ ભાગીદારી થઈ, જેમાં યશસ્વીએ 18 રનનું યોગદાન આપ્યું. આ ભાગીદારીને કારણે પાવરપ્લેમાં જ રાજસ્થાનની જીત લગભગ નિશ્ચિત થઈ ગઈ હતી. ત્યારબાદ યશસ્વીએ 36 બોલમાં 38 રન બનાવી ટીમને જીતની નજીક પહોંચાડી. ત્રીજા ક્રમે આવેલા Dhruv Jurel એ 9 બોલમાં 18 રન બનાવ્યા, જ્યારે કેપ્ટન રિયાન પરાગે 11 બોલમાં 14 રનનું યોગદાન આપ્યું.

બીજી તરફ, CSKની બેટિંગ ખુબ જ નિરાશાજનક રહી. વરસાદ પછી પિચમાં થોડી મદદ મળતા રાજસ્થાનના બોલરોએ શાનદાર શિસ્તબદ્ધ બોલિંગ કરી. પાવરપ્લેમાં જ ચેન્નાઈએ 4 વિકેટ ગુમાવી દીધી, જેના કારણે ટીમ ક્યારેય મજબૂત વાપસી કરી શકી નહીં. જોકે Jamie Overton એ 36 બોલમાં 43 રનની લડાયક ઇનિંગ રમી.

રાજસ્થાનની બોલિંગની વાત કરીએ તો, ડેબ્યૂ મેચ રમતા બ્રિજેશ શર્માએ કાર્તિક શર્માની વિકેટ મેળવી. ત્યારબાદ Jofra Archer, Nandre Burger અને Ravindra Jadeja એ બે-બે વિકેટ લઈને ટીમના બોલિંગ પ્રદર્શનને મજબૂત બનાવ્યું. કુલ મળીને રાજસ્થાનના બોલરોએ સમગ્ર મેચમાં દબદબો જમાવીને ટીમને એકતરફી જીત અપાવી.

પહેલી જ મેચમાં કમાલ, વિરાટ કોહલીએ RCB vs SRH મેચમાં 10 રેકોર્ડ તોડી નાખ્યા

પહેલી જ મેચમાં કમાલ, વિરાટ કોહલીએ RCB vs SRH મેચમાં 10 રેકોર્ડ તોડી નાખ્યા

Breaking News: માત્ર એક જ બોલ રમ્યા બાદ મેચમાંથી બહાર, વૈભવ સૂર્યવંશીના મિત્રની હાલત થઈ ખરાબ

IPL 2026માં ચેન્નાઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ થઈ ગઈ હતી. સિઝનની તેમની પહેલી જ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનોને રાજસ્થાન રોયલ્સના ફાસ્ટ બોલરોએ ઘૂંટડીયે લાવી દીધા હતા. એમએસ ધોની અને ડેવાલ્ડ બ્રેવિસની ગેરહાજરીમાં ટીમના બાકીના બેટ્સમેન ખરાબ રીતે નિષ્ફળ ગયા. જોકે, ટીમના યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રે માટે મેચ વધુ ખરાબ રહી કારણ કે તે ફક્ત એક બોલ રમ્યા બાદ મેચમાંથી બહાર થઈ ગયો હતો.

RRની બોલિંગ સામે CSK ટોપ ઓર્ડર ફ્લોપ

30 માર્ચ, સોમવારે ગુવાહાટીમાં IPL 2026 ની ત્રીજી મેચમાં રાજસ્થાન અને ચેન્નાઈ ટકરાયા હતા. રાજસ્થાને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને નવા કેપ્ટન રિયાન પરાગનો નિર્ણય સારો સાબિત થયો. વિદેશી ફાસ્ટ બોલરોની તેમની જોડીએ તેને સફળ બનાવ્યું. નાંદ્રે બર્ગરે સંજુ સેમસનને આઉટ કર્યો, જ્યારે જોફ્રા આર્ચરે ત્રીજી ઓવરમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડને આઉટ કર્યો.

 

આયુષ મ્હાત્રે પહેલા જ બોલ પર આઉટ

ખરાબ શરૂઆત બાદ, CSK એ પોતાના યુવા સ્ટાર આયુષ મ્હાત્રે પર આશાઓ ટકાવી, જેના નેતૃત્વમાં ભારતે ફેબ્રુઆરીમાં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. આયુષનો મિત્ર વૈભવ સૂર્યવંશી, જે રાજસ્થાન રોયલ્સનો ભાગ છે, તે પણ આ જ મેચમાં રમી રહ્યો હતો. જોકે, વૈભવના આ દમદાર પ્રદર્શન પહેલા બધાની નજર મ્હાત્રે પર હતી. મ્હાત્રેએ ગયા સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેબ્યૂ કર્યું હતું અને તેના પ્રદર્શનથી પ્રભાવિત થયા હતા. જોકે, નવી સિઝનની શરૂઆત તેના માટે સારી રહી ન હતી. યુવા બેટ્સમેનને ચોથી ઓવરમાં નંદ્રે બર્ગર દ્વારા આઉટ કરવામાં આવ્યો હતો. મ્હાત્રે પોતાનું ખાતું પણ ખોલી શક્યો ન હતો અને માત્ર એક બોલ રમીને પેવેલિયન પાછો ફર્યો હતો.

 

મ્હાત્રેની મેચ એક જ બોલમાં સમાપ્ત થઈ ગઈ

પરંતુ પછી જે બન્યું તેનાથી મ્હાત્રેની મેચ ખતમ થઈ ગઈ. હકીકતમાં આયુષ મ્હાત્રેના આઉટ થયા પછી ચેન્નાઈએ માત્ર 19 રનમાં ત્રણ વિકેટ ગુમાવી દીધી. CSKને તેમની રણનીતિ બદલવી પડી અને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે બેટ્સમેનને મેદાનમાં ઉતારવો પડ્યો. આ માટે, ટીમે સરફરાઝ ખાનની પસંદગી કરી અને તેની જગ્યાએ આયુષ મ્હાત્રેને ભાર કર્યો. ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો અનુસાર પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરાયેલ ખેલાડી ફરીથી ભૂમિકા ભજવી શકતો નથી. પરિણામે, મ્હાત્રે આ વિકલ્પ સાથે મેચમાંથી બહાર થઈ ગયો.

Breaking News: પત્તાના મહેલની જેમ ઢેર થયો CSK નો ટોપ ઓર્ડર, RR vs CSK મેચમાં ધોની વિના ઢીલા પડ્યા ચેન્નાઈના ધુરંધર

Breaking News: દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના આરે ! સીઝફાયર નહીં થાય તો… ટ્રમ્પની ઈરાનને અત્યાર સુધીની સૌથી ભયાનક ધમકી

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પાયમાલ કરવાની નવી અને અત્યંત ગંભીર ધમકી આપીને હલચલ મચાવી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો ઈરાન જલ્દી સમજૂતી નહીં કરે અને યુદ્ધ વિરામ લાગુ નહીં થાય તો અમેરિકી સેના ઈરાનના ઉર્જા ઠેકાણાઓને નિશાન બનાવશે. ટ્રમ્પના મતે જો હોર્મુઝ સ્ટ્રેટ તુરંત વ્યાપાર માટે ખુલ્લું મૂકવામાં નહીં આવે તો પરિણામ ભયંકર આવશે.

નેસ્તનાબૂદ થશે ઈરાનના ઉર્જા ઠેકાણા

ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને લખ્યું કે અમે ઈરાનમાં સૈન્ય અભિયાન સમાપ્ત કરવા માટે ગંભીર વાતચીત કરી રહ્યા છીએ પરંતુ જો કોઈ કારણસર જલ્દી સમજૂતી નહીં થાય તો અમે ઈરાનના તમામ વીજળી ઉત્પાદન પ્લાન્ટ તેલના કુવા અને વ્યૂહાત્મક રીતે મહત્વના ગણાતા ખાર્ગ આઈલેન્ડને સંપૂર્ણપણે ઉડાવી દઈશું. આટલું જ નહીં ટ્રમ્પે ઈરાનના પાણી શુદ્ધિકરણના પ્લાન્ટ્સ (Desalination Plants) ને પણ નષ્ટ કરવાની ધમકી આપી છે.

શું છે ટ્રમ્પની શરત?

ટ્રમ્પનું કહેવું છે કે ઈરાન સાથેની વાતચીતમાં પ્રગતિ થઈ છે પરંતુ તે પૂરતી નથી. જો ઈરાન ટૂંક સમયમાં વલણ નહીં બદલે તો અમેરિકા એવી કાર્યવાહી કરશે જેનાથી ઈરાનનું અર્થતંત્ર અને પાયાની સુવિધાઓ જમીનદોસ્ત થઈ જશે. ટ્રમ્પની આ ધમકી બાદ ગલ્ફ દેશોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે કારણ કે જો ઈરાનના તેલના કુવાઓ પર હુમલો થાય તો વૈશ્વિક સ્તરે ઈંધણની કટોકટી સર્જાઈ શકે છે.

ઈરાન પર ટ્રમ્પનો કાળો કેર સમજૂતી નહીં થાય તો ઉર્જા મથકો અને તેલના કુવાઓ ગમે ત્યારે રાખમાં ફેરવાઈ જશે. આ ધમકી બાદ સમગ્ર વિશ્વમાં તેલના ભાવ અને સુરક્ષાને લઈને ફફડાટ વ્યાપી ગયો છે.

નાળિયેરના ભાવ મુદ્દે ખેલાયો લોહીયાળ જંગ, વેપારીઓ વચ્ચેના વિવાદમાં પથ્થરમારો અને તીક્ષ્ણ હથિયારોથી હુમલો

નક્સલી હથિયાર ફેંકી દો, ગોળીનો જવાબ ગોળીથી મળશે.. અમિત શાહે લોકસભામાં આપી 5 મોટી ચેતવણી, જુઓ Video

લોકસભામાં નક્સલવાદ મુક્ત ભારત મુદ્દે ચર્ચાનો જવાબ આપતા કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah એ કોંગ્રેસ પર કડક પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે દેશ લાંબા સમયથી નક્સલવાદથી પીડાઈ રહ્યો હતો અને એક સમય એવો હતો જ્યારે દેશના બાર રાજ્યો નક્સલવાદના પ્રભાવ હેઠળ હતા. તેમણે દાવો કર્યો કે વડા પ્રધાન Narendra Modi ના નેતૃત્વમાં દેશ હવે નક્સલવાદ મુક્ત બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે.

શાહે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે નક્સલવાદી હિંસાના દિવસો હવે પૂરા થઈ ગયા છે. નક્સલીઓને સંદેશ આપતા તેમણે જણાવ્યું કે તેઓએ આત્મસમર્પણ કરવું જોઈએ, નહિતર સરકાર ગોળીઓથી જવાબ આપશે. તેમણે વધુમાં ઉમેર્યું કે જે કોઈ હથિયાર ઉપાડશે તેને કાયદા મુજબ કડક રીતે જવાબદાર ઠેરવવામાં આવશે.

તેમણે કહ્યું કે બસ્તર વિસ્તારમાં નક્સલવાદ લગભગ સમાપ્ત થઈ ગયો છે અને હવે ત્યાં વિકાસના કામો ઝડપથી આગળ વધી રહ્યા છે. બસ્તરના ગામોમાં શાળાઓ, રસ્તાઓ અને અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે, જ્યારે અગાઉ લાલ આતંકના કારણે વિકાસ અટક્યો હતો.

કોંગ્રેસ પર નિશાન સાધતા શાહે જણાવ્યું કે વર્ષો સુધીના શાસનમાં આદિવાસીઓના વિકાસ માટે પૂરતા પ્રયાસો થયા નહોતા. તેમણે પ્રશ્ન કર્યો કે 60 વર્ષ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે આદિવાસીઓને ઘર, પાણી, શિક્ષણ અને બેંકિંગ જેવી મૂળભૂત સુવિધાઓ કેમ આપી શકી નહીં.

નક્સલવાદી વિચારધારા પર ટીકા કરતા શાહે જણાવ્યું કે આ વિચારધારામાં બંદૂક દ્વારા સત્તા મેળવવાની વાત થાય છે, જે લોકશાહી માટે ખતરનાક છે. તેમણે આરોપ લગાવ્યો કે નક્સલીઓએ આદિવાસીઓને ભટકાવીને તેમને હિંસાના માર્ગે દોર્યા અને તેમના વિકાસને રોક્યો.

શાહે વધુમાં જણાવ્યું કે રેડ કોરિડોરમાં ગરીબીનું મુખ્ય કારણ નક્સલવાદ છે. નક્સલીઓએ શાળાઓ સળગાવી દીધી જેથી આદિવાસી બાળકો શિક્ષણથી વંચિત રહ્યા. તેમણે દાવો કર્યો કે આજે લોકો નક્સલવાદના અંતને સંપૂર્ણ સમર્થન આપી રહ્યા છે.

ઇતિહાસ પર પ્રકાશ પાડતા શાહે કહ્યું કે 1970ના દાયકામાં નક્સલબારીથી નક્સલવાદની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ તે દેશભરમાં ફેલાયો. તેમણે કોંગ્રેસના શાસનને આ માટે જવાબદાર ગણાવ્યો અને કહ્યું કે માઓવાદી વિચારધારાનો ફેલાવો તે સમય દરમિયાન વધ્યો.

શાહે જણાવ્યું કે નક્સલીઓ સામે લડતમાં અત્યાર સુધીમાં લગભગ 5,000 સુરક્ષા જવાનો શહીદ થયા છે. તેમણે કહ્યું કે બંદૂકો વાપરનારાઓ સાથે કોઈ વાતચીત નહીં થાય, પરંતુ જે નક્સલીઓ હથિયારો મૂકી દે છે તેમને સરકાર દ્વારા સહાય આપવામાં આવશે.

આંકડાઓ રજૂ કરતા તેમણે જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષમાં એન્કાઉન્ટરમાં 706 નક્સલવાદીઓ માર્યા ગયા છે, જ્યારે 2024 થી 2026 દરમિયાન 4,839 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું છે અને 2,208 નક્સલીઓને ધરપકડ કરવામાં આવી છે.

અંતમાં, શાહે દાવો કર્યો કે 2014 પછી નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મોટા પાયે વિકાસ થયો છે. આ વિસ્તારોમાં 20,000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે, 12,500 કિલોમીટર રસ્તાઓ બનાવાયા છે અને 5,000 મોબાઇલ ટાવર સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે 2026 સુધીમાં નક્સલવાદ સંપૂર્ણપણે ખતમ થઈ જશે.

રેલવેનો મોટો નિર્ણય, આ લોકોને આજીવન ટ્રેનમાં મફત મળશે AC કોચ ટિકિટ

MI vs KKR વચ્ચેની મેચમાં છેલ્લી ઓવરના પહેલા બોલે બુમરાહે કરેલી એક ભૂલ બની શકે મુંબઈની હારનું કારણ..!

IPL Breaking: વર્લ્ડ ક્રિકેટમાં મુંબઈ ઈન્ડિયન્સનો દબદબો 300 ટી20 મેચ રમનારી દુનિયાની પ્રથમ ફ્રેન્ચાઈઝી ટીમ બની

MI vs KKR વચ્ચેની મેચમાં ગુજ્જુ ઓલરાઉન્ડર હાર્દિક પંડયાની આ ભૂલ પડશે ભારે, જુઓ સૌથી મોંઘી ઓવર

Breaking News: પાકિસ્તાનમાં લાગ્યુ લોકડાઉન, શાળાઓ અને ઓફિસોમાં ફરજિયાત વર્ક ફ્રોમ હોમનો આદેશ, ઈંધણની કટોકટી વચ્ચે લેવાયો નિર્ણય

આઈપીએલ 2026માં મુંબઈ ઈન્ડિયન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યાનો જુઓ પરિવાર અહી ક્લિક કરો

IPL 2026 નો પહેલો જાદુઈ કેચ, ફિલ સોલ્ટે ઇશાન કિશનની ધમાકેદાર ઇનિંગ્સનો લાવ્યો અંત, જુઓ Video

Breaking News: ઘરેલુ ક્રિકેટ રમ્યા વિના સીધા IPLમાં એન્ટ્રી, જાણો કોણ છે યુપીનો સ્પીડ સ્ટાર અભિનંદન સિંહ?

Breaking News: ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડને એક જ ઓવરમાં આઉટ કરનાર RCBનો આ બોલર કોણ છે?

IPL 2026 નો પહેલો જાદુઈ કેચ, ફિલ સોલ્ટે ઇશાન કિશનની ધમાકેદાર ઇનિંગ્સનો લાવ્યો અંત, જુઓ Video

IPL 2026 RCB vs SRH: IPL 2026 ની શરૂઆતની મેચમાં Phil Salt એ એક એવો અદ્ભુત કેચ લીધો કે દરેક ક્રિકેટ ફેન આશ્ચર્યચકિત થઈ ગયો. Ishan Kishan શાનદાર ફોર્મમાં હતો અને મેચ પર સંપૂર્ણ કાબૂ જમાવી રહ્યો હતો, પરંતુ સોલ્ટના કરિશ્માઈ ફિલ્ડિંગે રમતનું દિશા બદલી નાખી.

સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આ મેચ ખાસ હતી કારણ કે ઇશાન કિશન નવા કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યો હતો. Pat Cummins ની ઈજાને કારણે તેને આ જવાબદારી મળી હતી. ઇશાને આ તકનો પૂરો લાભ લીધો અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલરો સામે આક્રમક બેટિંગ કરી.

જ્યારે ઇશાન કિશન 37 બોલમાં 80 રન બનાવીને સદી તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે મેચનો ટર્નિંગ પોઇન્ટ આવ્યો. ઇનિંગની 16મી ઓવરના છેલ્લાં બોલ પર તેણે જોરદાર શોટ રમ્યો, જે બાઉન્ડ્રી તરફ જઈ રહ્યો હતો. પરંતુ ત્યાં ફિલ સોલ્ટ ઊંડા બેકવર્ડ પોઇન્ટ પરથી ઝડપથી દોડ્યો, હવામાં ઉછળ્યો અને એક હાથથી અદભુત કેચ પકડી લીધો!

આ કેચ એટલો શાનદાર હતો કે કોમેન્ટેટર્સે પણ તેને “સુપરમેન મોમેન્ટ” ગણાવ્યો. આ સાથે જ ઇશાન કિશનની ધમાકેદાર ઇનિંગ્સનો અંત આવ્યો. તેણે 38 બોલમાં 80 રન બનાવ્યા, જેમાં 8 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા.

મેચની વાત કરીએ તો સનરાઇઝર્સ હૈદરાબાદની શરૂઆત ખાસ સારી રહી નહોતી, પરંતુ ઇશાન કિશનની ઇનિંગ્સે ટીમને મજબૂત સ્થિતિમાં પહોંચાડી. અનિકેત વર્માએ ફક્ત 18 બોલમાં 43 રનની ઝડપી ઇનિંગ રમી, જ્યારે Heinrich Klaasen એ 22 બોલમાં 31 રનનું યોગદાન આપ્યું.

આ બેટિંગ પ્રદર્શનના આધારે સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 201 રનનો મોટો સ્કોર ઉભો કર્યો. જોકે, આ મેચમાં સૌથી વધુ ચર્ચામાં રહેલું પળ ફિલ સોલ્ટનો તે અદ્ભુત કેચ જ રહ્યો, જેને IPL 2026 ની શરૂઆતને વધુ યાદગાર બનાવી દીધી.

Breaking News: ડેબ્યૂ મેચમાં અભિષેક શર્મા અને ટ્રેવિસ હેડને એક જ ઓવરમાં આઉટ કરનાર RCBનો આ બોલર કોણ છે?

Breaking News: શું ભારતમાં ઈંધણનું સંકટ સર્જાશે? પીએમ મોદીની બેઠક વચ્ચે રશિયાનો ખતરનાક નિર્ણય 1 એપ્રિલથી પેટ્રોલના નિકાસ પર લગાવી રોક

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેલના પુરવઠામાં અવરોધ વચ્ચે રશિયાએ એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિર્દેશ બાદ 1 એપ્રિલ 2026થી રશિયા વિદેશમાં પેટ્રોલની નિકાસ બંધ કરી દેશે. રશિયાના ડેપ્યુટી પીએમ એલેક્ઝાન્ડર નોવાકની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ પાછળનો મુખ્ય હેતુ રશિયાના સ્થાનિક બજારમાં તેલની કિંમતોને અંકુશમાં રાખવાનો અને પોતાના નાગરિકોને પૂરતું ઈંધણ પૂરું પાડવાનો છે.

ભારત માટે કેટલી ચિંતાની વાત?

ભારત હાલમાં રશિયા પાસેથી મોટા પ્રમાણમાં કાચું તેલ મંગાવી રહ્યું છે. ખાસ કરીને સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાં તણાવને કારણે જ્યારે સપ્લાય ખોરવાયો છે ત્યારે રશિયા ભારત માટે મોટો આધાર હતું. હવે નિકાસ પરના પ્રતિબંધથી ભારતની મુશ્કેલીઓ વધી શકે તેવી આશંકા સેવાઈ રહી હતી.

જોકે ભારત સરકારે આ બાબતે રાહત આપતા જણાવ્યું છે કે દેશમાં હાલમાં પેટ્રોલ ડીઝલ અને કાચા તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

સરકારની તૈયારીઓ અને રાહતના સમાચાર

પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા મુજબ ભારત પાસે આગામી બે મહિના સુધી ચાલે તેટલો સુરક્ષિત સ્ટોક છે. દેશની રિફાઇનરીઓ અત્યારે 100 ટકા કે તેથી વધુ ક્ષમતા પર કામ કરી રહી છે. વધુમાં ભારતમાં એલપીજી ઉત્પાદનમાં પણ 20 ટકાનો વધારો થયો છે જેના કારણે ઘરગથ્થુ વપરાશમાં કોઈ સમસ્યા નહીં આવે. સરકાર સંગ્રહખોરી રોકવા માટે પણ કડક પગલાં ભરી રહી છે જેથી સામાન્ય જનતાને કોઈ તકલીફ ન પડે.

વૈશ્વિક બજાર પર અસર

રશિયા દુનિયાના મોટા તેલ ઉત્પાદક દેશોમાંનો એક છે. તેના આ નિર્ણયથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલની કિંમતોમાં ઉછાળો આવી શકે છે. મિડલ ઈસ્ટના સંઘર્ષને કારણે પહેલેથી જ કાચા તેલ અને એલએનજીના ભાવ વધી રહ્યા છે ત્યારે રશિયાનું આ પગલું બજારને વધુ ટાઈટ બનાવશે. ભારત સરકાર સ્થિતિ પર સતત નજર રાખી રહી છે અને વૈશ્વિક ઉતાર ચઢાવ વચ્ચે સ્થાનિક કિંમતો સ્થિર રાખવા પ્રયત્નશીલ છે.

સુરતમાં વિકાસ કે વિનાશ? મેટ્રો પ્રોજેક્ટના ઉંડા ખાડામાં દંપતી ખાબક્યું, શું તંત્ર કોઈના જીવ જવાની રાહ જોઈ રહ્યું છે? – જુઓ Video

Breaking News: શું પહેલી મેચમાં RCB સનરાઇઝર્સ હૈદરાબાદ સામે હારી જશે? જાણો બંને ટીમનો કેવો છે રેકોર્ડ

ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ તેમના હોમ ગ્રાઉન્ડ, એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમશે. આ મેચ અત્યંત રોમાંચક બનવાની અપેક્ષા છે, કારણ કે બંને ટીમોમાં ઉત્તમ બેટ્સમેન છે. જોકે, આ મેચમાં હૈદરાબાદનો હાથ ઉપર રહેશે તેવી શક્યતા છે, કારણ કે બેંગલુરુ તેમના પ્રીમિયમ ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ વિના રમશે. આવી જ સ્થિતિ ગયા સિઝનમાં IPL 2025માં જોવા મળી હતી, જ્યાં RCB 42 રનથી હારી ગયું હતું.

RCB હૈદરાબાદ સામે બદલો લઈ શકશે?

ગયા સિઝનમાં હૈદરાબાદ અને બેંગલુરુ વચ્ચે ફક્ત એક જ મેચ રમાઈ હતી, જેમાં ઈશાન કિશને ભારે તબાહી મચાવી હતી. ડાબા હાથના બેટ્સમેનએ પાંચ છગ્ગા સહિત 94 રન બનાવ્યા હતા. અભિષેક શર્માએ 17 બોલમાં 34 રન બનાવ્યા હતા અને હૈદરાબાદ 20 ઓવરમાં 231 રન બનાવી શક્યું હતું. જવાબમાં, RCB ફક્ત 189 રન જ બનાવી શક્યું હતું અને હૈદરાબાદ 42 રનના મોટા માર્જિનથી મેચ જીતી ગયું હતું. શું RCB આ વખતે આ હારનો બદલો લઈ શકશે?

હૈદરાબાદની ટીમ બેંગલુરુ પર ભારે

આંકડાકીય રીતે પણ સનરાઇઝર્સ હૈદરાબાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ કરતાં આગળ છે. બંને ટીમોએ સામ-સામે કુલ 25 મેચ રમી છે, જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદે કુલ 14 જીતી છે, જ્યારે રોયલ ચેલેન્જર્સ ફક્ત 11 મેચ જ જીતી શક્યું છે.

RCB vs SRH મેચના આંકડા

વિરાટ કોહલીએ RCB vs SRH મેચોમાં સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 24 મેચોમાં 805 રન બનાવ્યા છે. જોની બેયરસ્ટોએ આ બંને ટીમો વચ્ચેની મેચમાં સૌથી વધુ ઇનિંગ્સ રમી હતી, જેમાં SRH માટે 56 બોલમાં 114 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે આ બંને ટીમો વચ્ચેની મેચમાં સૌથી વધુ 33 સિક્સર ફટકારી છે. બેંગલુરુ પણ હૈદરાબાદ સામે માત્ર 68 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જે તેમનો સૌથી નાનો સ્કોર છે.

Breaking News: IPL 2026 કોમેન્ટ્રી પેનલની જાહેરાત, 12 ભાષાઓમાં 160 થી વધુ કોમેન્ટેટર્સનો અવાજ ગુંજશે

Breaking News: IPL 2026 કોમેન્ટ્રી પેનલની જાહેરાત, 12 ભાષાઓમાં 160 થી વધુ કોમેન્ટેટર્સનો અવાજ ગુંજશે

IPL 2026 માટે કોમેન્ટ્રી પેનલમાં વિવિધ ક્ષેત્રોના જાણીતા ક્રિકેટ નિષ્ણાતો, પૂર્વ ખેલાડીઓ અને પ્રખ્યાત પ્રેઝેન્ટર્સને આ પેનલમાં સ્થાન મળ્યું છે. આ પહેલ દર્શાવે છે કે લીગને વધુ વ્યાપક દર્શકો સુધી પહોંચાડવાનો ઉદ્દેશ છે. આ વખતે કુલ 12 ભાષાઓમાં કોમેન્ટ્રી કરવામાં આવશે, જેમાં હિન્દી, અંગ્રેજી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, બંગાળી, મરાઠી અને ગુજરાતી જેવી ભાષાઓનો સમાવેશ થાય છે. આથી દેશના દરેક ખૂણાના દર્શકોને પોતાની ભાષામાં મેચનો આનંદ માણવાનો મોકો મળશે.

કોમેન્ટ્રી પેનલમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ

કોમેન્ટ્રી પેનલમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ થયો છે, જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રિકેટમાં પોતાની ઓળખ ઉભી કરી છે. તેઓ પોતાના અનુભવ અને વિશ્લેષણ દ્વારા મેચને વધુ રસપ્રદ બનાવશે. સાથે સાથે, કેટલાક નવા અવાજોને પણ તક આપવામાં આવી છે, જે તાજગી લાવશે.

હિન્દી કોમેન્ટ્રીમાં ભારતીય દિગ્ગજો

IPL 2026 માટે આ વખતે હિન્દી, અંગ્રેજી અને ભોજપુરી ભાષામાં જાણીતા કોમેન્ટેટર્સનો વિશાળ સમૂહ તૈયાર કરવામાં આવ્યો છે. હિન્દી કોમેન્ટ્રી પેનલમાં રવિચંદ્રન અશ્વિન, સુરેશ રૈના, હરભજન સિંહ, ઈરફાન પઠાણ, વીરેન્દ્ર સેહવાગ, અનિલ કુંબલે, પિયુષ ચાવલા, ઉમેશ યાદવ, આકાશ ચોપરા, ચેતેશ્વર પૂજારા, આદિત્ય તારે, નવજોત સિંહ સિદ્ધુ, સુનીલ ગાવસ્કર, સંજય બાંગર, અજય જાડેજા, મોહમ્મદ કૈફ, સબા કરીમ, દીપ દાસગુપ્તા, પદમજીત સેહરાવત, અનંત ત્યાગી અને સુનિલ તનેજા સામેલ છે.

અંગ્રેજી કોમેન્ટ્રીમાં વિશ્વભરના ક્રિકેટ એક્સપર્ટ

અંગ્રેજી કોમેન્ટ્રીમાં રવિ શાસ્ત્રી, સુનીલ ગાવસ્કર, એબી ડી વિલિયર્સ, ડેલ સ્ટેન, ફાફ ડુ પ્લેસિસ, કેવિન પીટરસન, એરોન ફિન્ચ, ઇયોન મોર્ગન, માઈકલ ક્લાર્ક, મિશેલ મેકક્લેનાઘન, દીપ દાસ ગુપ્તા, હર્ષા ભોગલે, ઇયાન બિશપ, સિમોન ડૂલી, ડેની મોરિસન, ગંગા, નાઈટ, સ્વાન, મ્બાંગવા, કેટિચ, મુરલી કાર્તિક, ડબલ્યુ.વી. રમન, અંજુમ, મુકુંદ, વિલ્કિન્સ, કેટી માર્ટિન અને રૌનક કપૂરનો સમાવેશ થાય છે. જ્યારે ભોજપુરી કોમેન્ટ્રી માટે સૌરભ સિંહ, સુમિત મિશ્રા, શિવમ સિંહ, સત્યપ્રકાશ કૃષ્ણ, ગુલામ હુસૈન, જ્વાલા સિંહ, અભય કુમાર અને શાલિની સિંહને પસંદ કરવામાં આવ્યા છે.

ઓનલાઈન સ્ટ્રીમિંગ માટે અલગ કોમેન્ટ્રી ટીમ

બ્રોડકાસ્ટર્સે આ વખતે ડિજિટલ પ્લેટફોર્મ પર પણ ખાસ ધ્યાન આપ્યું છે. ઓનલાઈન સ્ટ્રીમિંગ માટે અલગ કોમેન્ટ્રી ટીમ તૈયાર કરવામાં આવી છે, જેથી યુવા દર્શકોને વધુ સારોઅનુભવ મળે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલ સેગમેન્ટ્સ પણ આ વખતે જોવા મળશે.

પ્રેઝેન્ટેશન સ્ટાઈલમાં નવીનતા

આ ઉપરાંત, પ્રેઝેન્ટેશન સ્ટાઈલમાં પણ નવીનતા લાવવામાં આવી છે. મેચ પહેલા અને પછીના વિશ્લેષણમાં ટેક્નોલોજીનો વધુ ઉપયોગ થશે, જેમ કે ડેટા એનાલિટિક્સ અને ગ્રાફિક્સ દ્વારા સમજાવવામાં આવશે. આથી દર્શકોને રમતની વધુ ઊંડી સમજ મળશે. IPL 2026 માટે આ પ્રકારનું ભવ્ય કોમેન્ટ્રી સેટઅપ દર્શાવે છે કે લીગ માત્ર રમત પૂરતી મર્યાદિત નથી, પરંતુ એ એક મનોરંજનનું મોટું પ્લેટફોર્મ બની ગયું છે. આ નવી પહેલથી દર્શકોનો અનુભવ વધુ સમૃદ્ધ અને યાદગાર બનવાની શક્યતા છે.

Breaking News: મેચના એક દિવસ પહેલા ટ્રેનિંગ સેશનમાં ઈજાગ્રસ્ત થવાથી માંડ-માંડ બચ્યો RCB નો સ્ટાર ખેલાડી

Breaking News: મેચના એક દિવસ પહેલા ટ્રેનિંગ સેશનમાં ઈજાગ્રસ્ત થવાથી માંડ-માંડ બચ્યો RCB નો સ્ટાર ખેલાડી

IPL 2026 ની શરૂઆતની મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. આ મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાશે. બંને ટીમો આ મેચ માટે જોરશોરથી તૈયારી કરી રહી છે. આ દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો એક સ્ટાર ખેલાડી ઈજામાંથી માંડ-માંડ બચી ગયો. ટીમના કોચ-ફીઝીયોની હાજરીના કારણે, એક મોટી દુર્ઘટના ટળી ગઈ.

ટ્રેનિંગ સેશન દરમિયાન બની ઘટના

રોયલ ચેલેન્જર્સ બેંગલુરુનો ફાસ્ટ બોલર જોશ હેઝલવુડ હાલમાં ઈજામાંથી સ્વસ્થ થઈ રહ્યો છે, જેના કારણે તે IPL 2026 ની પહેલી મેચમાં રમી શકશે નહીં. તાજેતરમાં, તેના ટ્રેનિંગ સેશનના ફોટા સામે આવ્યા છે, જેમાં તે ટીમના સ્ટ્રેન્થ અને કન્ડીશનીંગ કોચ સાથે સખત મહેનત કરતો જોવા મળે છે. હેઝલવુડ RCB કેમ્પમાં તેની ફિટનેસ પર કામ કરી રહ્યો છે.

ઈજાગ્રસ્ત થવાથી માંડ-માંડ બચ્યો હેઝલવુડ

જોકે, ટ્રેનિંગ દરમિયાન એક ભયાનક ક્ષણ આવી જ્યારે દેવદત્ત પડિકલે એક શોટ માર્યો, અને બોલ સીધો ત્યાં પડ્યો જ્યાં હેઝલવુડ સ્ટ્રેચિંગ કરી રહ્યો હતો. જોકે, ફિઝિયોએ ચતુરાઈ વાપરી હેઝલવુડને બચાવી લીધો. જેનાથી હેઝલવુડ ઈજાગ્રસ્ત થવાથી માંડ-માંડ બચી ગયો, જોકે ચોક્કસપણે RCB ચાહકો અને ટીમ મેનેજમેન્ટની ચિંતાઓ જરૂર વધી ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Cricbuzz (@cricbuzzofficial)

 

હેઝલવુડની શરૂઆતની મેચમાં નહીં રમે

હેઝલવુડ લાંબા સમયથી હેમસ્ટ્રિંગની ઇજાઓથી પીડાઈ રહ્યો છે, જેના કારણે તે IPL 2026 ની શરૂઆતની મેચમાંથી બહાર થઈ ગયો છે. ટીમના કોચ એન્ડી ફ્લાવરે પહેલાથી જ સ્પષ્ટતા કરી દીધી છે કે બોલર હજુ સંપૂર્ણપણે તૈયાર નથી અને તેની ફિટનેસ પર સતત નજર રાખવામાં આવી રહી છે. RCB મેનેજમેન્ટને આશા છે કે હેઝલવુડ સંપૂર્ણપણે ફિટ થઈ જશે અને ટૂંક સમયમાં ટીમમાં રમી શકશે.

Breaking News: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ કરી કિંગ કોહલીને સલામ, IPL 2026 પહેલા રેકોર્ડ શેર કર્યા ‘વિરાટ’ રેકોર્ડ

Breaking News : 11 યુદ્ધોમાં અમેરિકાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડનારી એક ભૂલ, શું જગત જમાદાર ડોનાલ્ડ ટ્રમ્પે એ જ ભૂલનું કર્યું પુનરાવર્તન!

ઈરાન સાથે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકામાં ફરી એકવાર મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. શું રાષ્ટ્રપતિ કોંગ્રેસની મંજૂરી વિના યુદ્ધ શરૂ કરી શકે?

ઇતિહાસ બતાવે છે કે આવા નિર્ણયો લાંબા ગાળે ગંભીર પરિણામો લાવી શકે છે. અત્યાર સુધીમાં અમેરિકાએ ઓછામાં ઓછા 11 મોટા સૈન્ય ઓપરેશન્સ એવા કર્યા છે, જ્યાં કોંગ્રેસની સ્પષ્ટ મંજૂરી લેવામાં આવી નહોતી.

ઈરાન યુદ્ધ અને નવી ચર્ચા

28 ફેબ્રુઆરીએ અમેરિકા દ્વારા “ઓપરેશન એપિક ફ્યુરી” શરૂ કરવામાં આવ્યું, જેના કારણે વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં વધારો અને આર્થિક અનિશ્ચિતતા જોવા મળી. ઈરાનના મીનાબ વિસ્તારમાં શાળામાં થયેલા હુમલામાં બાળકોના મોત થયા બાદ અમેરિકાની આંતરરાષ્ટ્રીય સ્તરે ટીકા થઈ રહી છે.

અમેરિકી બંધારણ મુજબ યુદ્ધ જાહેર કરવાની સત્તા કોંગ્રેસ પાસે છે. છતાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસની પૂર્વ મંજૂરી વિના આ કાર્યવાહી કરી. વહીવટીતંત્રનો દાવો છે કે આ પગલું તાત્કાલિક સુરક્ષા જોખમને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યું, પરંતુ ઘણા નિષ્ણાતો આ દાવા પર સવાલ ઉઠાવી રહ્યા છે.

છેલ્લું ઔપચારિક યુદ્ધ: 1941

અમેરિકાએ છેલ્લે 8 ડિસેમ્બર, 1941ના રોજ જાપાન સામે ઔપચારિક યુદ્ધ જાહેર કર્યું હતું. ત્યારબાદ મોટાભાગના કિસ્સાઓમાં “AUMF” (Authorization for Use of Military Force) હેઠળ મર્યાદિત સૈન્ય કાર્યવાહી માટે મંજૂરી લેવામાં આવી છે.

કોંગ્રેસની મંજૂરી વિના થયેલી મુખ્ય સૈન્ય કાર્યવાહી

  • ફિલિપાઇન્સ-અમેરિકન યુદ્ધ (1899-1902): રાષ્ટ્રપતિ વિલિયમ મેકકિન્લીએ ઔપચારિક મંજૂરી લીધા વિના યુદ્ધ ચલાવ્યું.
  • કોરિયન યુદ્ધ (1950-53): હેરી ટ્રુમેને તેને “પોલીસ એક્શન” ગણાવી મંજૂરી લીધી નહીં.
  • વિયેતનામ યુદ્ધ (1955-75): શરૂઆતમાં મંજૂરી મળી, પરંતુ પછી પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવી.
  • કંબોડિયા બોમ્બમારો (1969-73): ગુપ્ત રીતે બોમ્બિંગ કરાયું.
  • ગ્રેનાડા હુમલો (1983): રોનાલ્ડ રીગને સીધી કાર્યવાહી કરી.
  • પનામા ઓપરેશન (1989): જ્યોર્જ બુશે ઓપરેશન “જસ્ટ કોઝ” શરૂ કર્યું.
  • યુગોસ્લાવિયા બોમ્બિંગ (1999): બિલ ક્લિન્ટનના સમયમાં NATO સાથે કાર્યવાહી.
  • લિબિયા હુમલો (2011): બરાક ઓબામા દ્વારા મંજૂરી વિના કાર્યવાહી.
  • યમન હુમલા (2023-2025): હુથી વિદ્રોહીઓ સામે કાર્યવાહી.
  • ઈરાન પર હુમલો (2025): ટ્રમ્પ દ્વારા “ઓપરેશન મિડનાઈટ હેમર”.
  • વેનેઝુએલા ઓપરેશન (2026): નિકોલસ માદુરોને હટાવવા માટે સૈન્ય કાર્યવાહી.

નિષ્ણાતો શું કહે છે?

વિશ્વયુદ્ધ બાદથી કોંગ્રેસે ધીમે ધીમે યુદ્ધ સંબંધિત સત્તાઓ રાષ્ટ્રપતિને સોંપી દીધી છે. આજે પરિસ્થિતિ એવી બની છે કે રાષ્ટ્રપતિઓ ઘણીવાર પોતાની સત્તાઓનો વિસ્તાર કરીને સીધી કાર્યવાહી શરૂ કરે છે, જ્યારે કોંગ્રેસ પછીથી પ્રતિસાદ આપે છે.

નિષ્ણાતો ચેતવણી આપે છે કે પૂર્વ મંજૂરી વિના યુદ્ધમાં જવું માત્ર બંધારણીય પ્રશ્ન નથી, પરંતુ તે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અને લાંબા ગાળાના રાજકીય-આર્થિક પરિણામોને પણ અસર કરે છે.

શું ટ્રમ્પે ઇતિહાસમાંથી કોઈ પાઠ શીખ્યો છે કે ફરી એકવાર એ જ ભૂલનું પુનરાવર્તન થયું છે? આ પ્રશ્નનો જવાબ સમય જ આપશે, પરંતુ એક વાત સ્પષ્ટ છે. યુદ્ધનો નિર્ણય માત્ર સૈન્ય નહીં, પણ લોકશાહી અને વૈશ્વિક સ્થિરતા માટે પણ મહત્વપૂર્ણ છે.

Strait of Hormuz બ્લોક કરનાર કમાન્ડરને ઇઝરાયલે મારી નાખ્યો, જાણો સ્થિતિ

Breaking News: ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે પણ કરી કિંગ કોહલીને સલામ,  IPL 2026 પહેલા રેકોર્ડ શેર કર્યા ‘વિરાટ’ રેકોર્ડ

IPL 2026 પહેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં વિરાટ કોહલીના પાંચ IPL રેકોર્ડ્સ વિશે પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટ સ્પષ્ટપણે દર્શાવે છે કે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સ પણ કિંગ કોહલીને સ્વીકારવા માટે મજબૂર થયા છે. તો, ચાલો જાણીએ કે કોહલીના કયા મહાન રેકોર્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

વિરાટ કોહલીના મહાન રેકોર્ડ્સ

  • પહેલો રેકોર્ડ: વિરાટ કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે, તેણે અત્યાર સુધીમાં 8661 રન બનાવ્યા છે.
  • બીજો રેકોર્ડ: વિરાટ કોહલીએ એક જ IPL સિઝનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. 2016 ની IPL માં, વિરાટ કોહલીએ 973 રન બનાવ્યા હતા.
  • ત્રીજો રેકોર્ડ: વિરાટ કોહલી IPL ઇતિહાસમાં સૌથી વધુ સદીઓનો રેકોર્ડ પણ ધરાવે છે. તેણે અત્યાર સુધીમાં આઠ સદી ફટકારી છે.
  • ચોથો રેકોર્ડ: વિરાટ કોહલીએ IPL ઇતિહાસમાં સૌથી વધુ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો છે, IPLમાં કોહલીની કુલ 63 અડધી સદી છે.
  • પાંચમો રેકોર્ડ : વિરાટ કોહલીએ મેદાન પર સૌથી વધુ કેચ (117) પકડ્યા છે.

કોહલી IPL 2026 માટે તૈયાર

વિરાટ કોહલી આગામી 2026 ની IPL સિઝન માટે સંપૂર્ણપણે તૈયાર દેખાય છે. સિઝન શરૂ થાય તે પહેલા કોહલીએ પ્રેક્ટિસ મેચોમાં ઉત્તમ ફોર્મ દર્શાવ્યું હતું. પ્રથમ પ્રેક્ટિસ મેચમાં કોહલીએ 12 બોલમાં 29 અને બીજી મેચમાં 19 બોલમાં 45 રન બનાવ્યા હતા. આ ઇનિંગ્સ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોહલી સંપૂર્ણપણે તૈયાર છે.

 

કોહલીની IPL કારકિર્દી

વિરાટ કોહલીના IPL કારકિર્દીની વાત કરીએ તો, તેણે અત્યાર સુધીમાં ટુર્નામેન્ટમાં 267 મેચ રમી છે. 259 ઇનિંગ્સમાં કોહલીએ 39.54 ની સરેરાશ અને 132.85 ના સ્ટ્રાઇક રેટથી 8661 રન બનાવ્યા છે. આ દરમિયાન, તેણે 8 સદી અને 63 અડધી સદી ફટકારી છે, તેનો બેસ્ટ સ્કોર 113 નોટઆઉટ છે.

Breaking News: કોલકાતા નાઈટ રાઈડર્સના આ ત્રણ સ્ટાર ખેલાડીઓની કારકિર્દી IPL 2026 સાથે સમાપ્ત થઈ જશે?

Breaking News: LSGના માલિકે રિષભ પંતને આપ્યું અલ્ટીમેટમ, પ્લેઓફમાં પહોંચવું પૂરતું નથી, ટ્રોફી જીતવી જ પડશે

લખનૌ સુપર જાયન્ટ્સે IPLની શરૂઆતમાં સતત બે સિઝનમાં પ્લેઓફમાં સ્થાન મેળવી પોતાની ઓળખ ઉભી કરી હતી. જોકે, IPL 2024માં ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને તે સાતમા સ્થાને રહી. આ પરિણામ બાદ ટીમની અંદર અસંતોષ પણ સામે આવ્યો હતો. IPL 2025 માટે રાહુલને હટાવીને રિષભ પંતને રેકોર્ડ 27 કરોડ રૂપિયામાં ટીમમાં સામેલ કરીને કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

પ્લેઓફ નહીં, ચેમ્પિયન બનવાનું લક્ષ્ય

પંતની આગેવાનીમાં પણ ટીમનું નસીબ ખાસ બદલાયું નહીં અને ફરીથી લખનૌ સાતમા સ્થાને જ રહી. આ કારણે ગોએન્કાએ હવે IPL 2026 પહેલા સ્પષ્ટ કર્યું છે કે માત્ર પ્લેઓફ સુધી પહોંચવું પૂરતું નથી, ટીમે હવે ચેમ્પિયન બનવાનું લક્ષ્ય રાખવું પડશે.

ગોએન્કાએ પંત પર વિશ્વાસ વ્યક્ત કર્યો

ગોએન્કાએ પંતનો બચાવ કરતાં કહ્યું કે ગયા સિઝનમાં ઈજાઓને કારણે તે પોતાનું સંપૂર્ણ યોગદાન આપી શક્યો નહોતો. તેણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આ સિઝનમાં પંત વધુ સારા પ્રદર્શન સાથે ટીમને આગળ લઈ જશે. સાથે જ કેપ્ટનશીપ બદલવાની અફવાઓને પણ તેમણે નકારી કાઢી.

 

મજબૂત ભારતીય બોલિંગ યુનિટ તૈયાર

આગામી સિઝન માટે ટીમે ખાસ કરીને બોલિંગ વિભાગમાં સુધારા કર્યા છે. ગોએન્કાના જણાવ્યા મુજબ, ગયા વર્ષે મુખ્ય બોલરોની ઈજાઓ ટીમ માટે મોટો પડકાર બની હતી. આ વખતે મજબૂત ભારતીય બોલિંગ યુનિટ તૈયાર કરવામાં આવ્યું છે અને ટીમ હવે વધુ સંતુલિત દેખાય છે.

LSG પ્રથમ IPL ટ્રોફી જીતે તેવી આશા

ગોએન્કાએ અંતમાં ભારપૂર્વક કહ્યું કે વ્યક્તિગત પ્રદર્શન કરતાં ટીમ તરીકે રમવું વધુ મહત્વનું છે. તેમણે આશા વ્યક્ત કરી કે લખનૌ સુપર જાયન્ટ્સ આ સિઝનમાં એક યુનિટ તરીકે મેદાનમાં ઉતરીને પોતાની પ્રથમ IPL ટ્રોફી જીતવામાં સફળ રહેશે.

Breaking News: IPL 2026 માં વિરાટ કોહલી ક્યારે એક્શનમાં જોવા મળશે? જાણો RCB નું સંપૂર્ણ શેડ્યૂલ

US Iran War : અમેરિકા-ઇઝરાયલ સાથે યુદ્ધ રોકવા માટે ઇરાનની 5 શરત, GFX વડે સમજો, જુઓ Video

વૈશ્વિક સ્તરે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે દબાણ વધી રહ્યું છે. વિશ્વભરના દેશો, અને ખાસ કરીને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, યુદ્ધનો તાત્કાલિક અંત લાવવાની ઈચ્છા ધરાવે છે. આ પૃષ્ઠભૂમિમાં, ઇરાને યુએસ સમક્ષ યુદ્ધ રોકવા માટે પાંચ મુખ્ય શરતોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ શરતો પ્રાદેશિક સુરક્ષા, નુકસાન ભરપાઈ અને ભવિષ્યની સ્થિરતાને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવી છે.

ઇરાનની પ્રથમ શરત એ છે કે તેના પર થયેલા તમામ હુમલાઓ તાત્કાલિક બંધ કરવામાં આવે. આ ઉપરાંત, ભૂતકાળમાં ઇરાન પર થયેલા હુમલાઓ માટે યોગ્ય વળતર અથવા જવાબદારી સ્વીકારવામાં આવે તેવી પણ માંગ છે. ઇરાનનું માનવું છે કે તેના પર થયેલા કૃત્યોની ભરપાઈ થવી અનિવાર્ય છે.

બીજી મહત્વપૂર્ણ શરત ભવિષ્યની સુરક્ષા સાથે સંબંધિત છે. ઇરાન એવી ખાતરી અને સુરક્ષા (એશ્યોરન્સ) ઇચ્છે છે કે ભવિષ્યમાં તેના પર કોઈપણ મોટા હુમલાઓ થશે નહીં. આ માટે અમેરિકા તરફથી સ્પષ્ટ અને મજબૂત પ્રતિબદ્ધતાની માંગ કરવામાં આવી છે, જેથી ઇરાન તેની સીમાઓ અને સાર્વભૌમત્વની સુરક્ષા અંગે નિશ્ચિંત રહી શકે.

ત્રીજી શરત યુદ્ધના કારણે થયેલા નુકસાનની ભરપાઈ સાથે સંબંધિત છે. ઇરાન યુદ્ધના પરિણામે થયેલા તમામ ભૌતિક અને આર્થિક નુકસાન માટે વળતરની માંગ કરી રહ્યું છે. અગાઉ પણ ઇરાન દ્વારા આ પ્રકારના નુકસાનની ભરપાઈ (રિએમ્બર્સમેન્ટ) માટેની વાત કરવામાં આવી હતી. આ શરત સંઘર્ષના ભોગ બનેલા વિસ્તારોમાં સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા માટે જરૂરી માનવામાં આવે છે.

ચોથી શરત સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધવિરામની ઘોષણા કરવાની છે. ઇરાન ઇચ્છે છે કે માત્ર ઇરાન-ઇઝરાયેલ સંઘર્ષ જ નહીં, પરંતુ સમગ્ર ગલ્ફ ક્ષેત્રમાં સત્તાવાર રીતે યુદ્ધવિરામ લાગુ કરવામાં આવે. આ પગલું મધ્ય પૂર્વમાં વ્યાપક શાંતિ અને સ્થિરતા સ્થાપિત કરવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે, જેનાથી તણાવમાં ઘટાડો થશે.

અંતિમ અને પાંચમી મુખ્ય શરત હોર્મુઝ ખાડી પર ઇરાનના હક અને નિયંત્રણ સાથે સંબંધિત છે. ઇરાન માંગ કરે છે કે હોર્મુઝ ખાડી પર તેનો અધિકાર જાળવી રાખવામાં આવે અને ત્યાંથી પસાર થતા તમામ જહાજો પર ઇરાનનું સેક્શન (નિયંત્રણ અથવા દેખરેખ) હોવું જરૂરી છે. હોર્મુઝ ખાડી વૈશ્વિક તેલ પરિવહન માટે એક વ્યૂહાત્મક મહત્વનો માર્ગ હોવાથી, આ શરત પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શક્તિ સંતુલન માટે ગંભીર અસરો ધરાવે છે.

આ શરતો ઇરાન દ્વારા અમેરિકા સમક્ષ રજૂ કરવામાં આવી છે, કારણ કે અમેરિકા પોતે પણ આ પ્રાદેશિક યુદ્ધનો અંત લાવવા માટે ઉત્સુક છે. નોંધનીય છે કે આ પ્રસ્તાવ એવા સમયે આવ્યો છે જ્યારે છેલ્લા 72 કલાકથી ઇરાન ઇઝરાયેલમાં ભીષણ હુમલાઓ કરી રહ્યું છે અને સંઘર્ષ ચરમસીમાએ છે. ઇરાનની આ માંગણીઓ વર્તમાન ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિમાં શાંતિ પ્રક્રિયાનો એક મહત્વપૂર્ણ ભાગ બની શકે છે.

વાહન ચાલકો પર સીધી અસર, નાયરાએ વધાર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો કિંમત

Breaking News: ક્રિપ્ટો માર્કેટમાં ‘બ્લેક થર્સડે’: માત્ર 24 કલાકમાં ₹4.70 લાખ કરોડ સ્વાહા, બિટકોઈન અને ઈથેરિયમ પત્તાના મહેલની જેમ ધરાશાયી

Breaking News: IPL 2026 ના સંપૂર્ણ શેડ્યૂલ વિશે 10 મોટી વાતો, લખનૌ સુપરજાયન્ટ્સ સાથે સૌથી થયો અન્યાય!

Breaking News: IPL 2026 ના સંપૂર્ણ શેડ્યૂલ વિશે 10 મોટી વાતો, લખનૌ સુપરજાયન્ટ્સ સાથે સૌથી થયો અન્યાય!

IPLની 19મી સિઝનનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. શરૂઆતમાં, 28 માર્ચથી શરૂ થનારી આ ટુર્નામેન્ટ માટે ફક્ત 20 મેચો જ શેડ્યૂલ કરવામાં આવી હતી, પરંતુ ગુરુવારે, BCCI એ સંપૂર્ણ શેડ્યૂલ જાહેર કર્યું. જોકે, પ્લેઓફ અને ફાઇનલ માટેના સ્થળો હજુ સુધી જાહેર કરવામાં આવ્યા નથી.

કુલ 12 શહેરોમાં મેચો

આ IPL શેડ્યૂલમાં, કુલ 12 શહેરોમાં મેચો રમાશે, અને RCB ટીમ બેંગલુરુ અને રાયપુરમાં તેના હોમ મેચ રમશે. આ સિઝનમાં કુલ 8 ડબલહેડર્સ રમાશે. ચાલો હવે તમને જણાવીએ કે IPLના સંપૂર્ણ શેડ્યૂલમાં 10 ટીમો વિશે કઈ 10 મોટી બાબતો પ્રકાશમાં આવી છે. લખનૌ સુપરજાયન્ટ્સ સૌથી વધુ નુકસાન સહન કરી રહ્યું હોય તેવું લાગે છે, ચાલો તમને જણાવીએ કે કેવી રીતે.

 

IPL 2026 ના સમયપત્રક વિશે 10 મોટી વાતો

  1. IPL 2026 માં KKR એકમાત્ર એવી ટીમ છે જે સતત ચાર મેચ બહાર રમશે. તેઓ બે વાર સતત ત્રણ મેચ હોમ ગ્રાઉન્ડ પર રમશે.
  2. ચેન્નાઈ સુપર કિંગ્સ સતત ત્રણ મેચ બહાર રમશે, જેમાં તેમની છેલ્લી ચાર મેચોમાંથી ત્રણ તેમના હોમ ગ્રાઉન્ડ ચેપોક સ્ટેડિયમમાં રમાશે.
  3. દિલ્હી કેપિટલ્સ ઘરઆંગણેથી સતત ત્રણ મેચ બહાર રમશે, પરંતુ ટુર્નામેન્ટની મધ્યમાં આ ટીમ તેના ઘરઆંગણે અરુણ જેટલી સ્ટેડિયમમાં 5 માંથી 4 મેચ રમવા જઈ રહી છે.
  4. મુંબઈ ઈન્ડિયન્સ સતત ત્રણ મેચ બહાર રમશે અને ત્યારબાદ આગામી પાંચમાંથી ચાર મેચ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.
  5. આ વખતે, RCB બે હોમ મેચ બાદ બે અવે મેચ રમશે. ત્યારબાદ, તેઓ ઘરેલુ મેદાન પર સતત ત્રણ મેચ રમશે, ત્યારબાદ સતત ત્રણ અવે મેચ રમશે. છેલ્લે, ટીમ બે હોમ મેચ અને બે અવે મેચ રમશે.
  6. રાજસ્થાન રોયલ્સ તેમની પહેલી ચાર મેચમાંથી ત્રણ ઘરેલુ મેદાન પર અને પછી સતત ત્રણ મેચ બહાર રમશે.
  7. ગુજરાત ટાઇટન્સ સતત ત્રણ મેચ ઘરઆંગણે એટલે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમશે પરંતુ તેની પહેલી ચાર મેચમાંથી ત્રણ મેચ બહાર રમાશે.
  8. પંજાબ કિંગ્સે તેમની છેલ્લી 4 લીગ મેચોમાંથી 3 તેમના હોમ સ્ટેડિયમમાં રમવાની છે.
  9. સનરાઇઝર્સ હૈદરાબાદ ઘરેલુ મેદાન પર સતત ત્રણ મેચ રમશે પરંતુ તેમની પહેલી ચાર મેચમાંથી ત્રણ બહાર રમશે.
  10. લખનૌની ટીમ સમગ્ર સિઝન દરમિયાન સતત પ્રવાસ કરશે. તેઓ સતત બેથી વધુ મેચ ઘરે અને બહાર રમશે નહીં.

Breaking News: BCCIએ IPLનું સંપૂર્ણ શેડ્યૂલ કર્યું જાહેર, 12 શહેરોમાં મેચો યોજાશે

LIC પર ઇન્કમ ટેક્સ વિભાગની મોટી સ્ટ્રાઈક: ₹7100 કરોડનો ટેક્સ અને વ્યાજ ચૂકવવા ફટકાર્યો આદેશ; શેરધારકોમાં ફફડાટ

ભારતીય જીવન વીમા નિગમ (LIC) ને આવકવેરા વિભાગ તરફથી નાણાકીય વર્ષ 2021-22 માટે એક મોટો ડિમાન્ડ ઓર્ડર પ્રાપ્ત થયો છે. 25 માર્ચે શેરબજારને આપેલી માહિતી મુજબ, ઇન્કમ ટેક્સ વિભાગની એસેસમેન્ટ યુનિટે કંપની પાસેથી ₹6,146 કરોડનો આવકવેરો અને ₹953 કરોડના વ્યાજની માંગ કરી છે. આ માંગ એસેસમેન્ટ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવેલી વિવિધ ગણતરીઓ અને એડજસ્ટમેન્ટના આધારે સામે આવી છે.

અપીલની તૈયારીમાં LIC

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઓર્ડર સામે અપીલ કરી શકાય તેમ છે અને તે તેને આવકવેરા કમિશનર (અપીલ) સમક્ષ પડકારશે. LIC નું કહેવું છે કે તે ઉપલબ્ધ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરીને આ ટેક્સ ડિમાન્ડને પડકારવાની પ્રક્રિયા અપનાવશે, જેનાથી આ મામલે અંતિમ નિર્ણય આગળની સુનાવણી પછી જ નક્કી થશે.

કયા કારણોસર ટેક્સની માંગ વધી

આવકવેરા વિભાગે એસેસમેન્ટ દરમિયાન અનેક મુદ્દાઓમાં ફેરફાર કર્યા છે, જેમાં વચગાળાના બોનસને આવકમાં ઉમેરવું, જીવન સુરક્ષા ફંડના નુકસાનને આવક તરીકે સામેલ કરવું અને નેગેટિવ રિઝર્વ્સને આવક માનવી મુખ્ય છે. આ ઉપરાંત, વિભાગે સેક્શન 80M હેઠળ લેવામાં આવેલા કેટલાક ડિડક્શન નકારી કાઢ્યા છે અને TDS જમા કરવામાં વિલંબ સાથે જોડાયેલા વ્યાજને પણ માન્ય રાખ્યું નથી. આ તમામ કારણોસર કુલ ટેક્સ જવાબદારીમાં નોંધપાત્ર વધારો થયો છે.

શું અસર થશે?

LIC એ તેના નિવેદનમાં જણાવ્યું છે કે આ આદેશની નાણાકીય અસર માત્ર માંગવામાં આવેલી ટેક્સ અને વ્યાજની રકમ સુધી મર્યાદિત છે અને તેનાથી કંપનીના સંચાલન અથવા અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર કોઈ નોંધપાત્ર અસર પડશે નહીં. કંપનીએ રોકાણકારોને ખાતરી આપી છે કે તેનો વ્યવસાય સામાન્ય રીતે ચાલતો રહેશે.

પેસેન્જરના સ્વાસ્થ્ય સાથે ચેડાં, વંદે ભારત એક્સપ્રેસમાં ફૂડ વેન્ડરની લાપરવાહી જોઈ તમે પણ ચોંકી જશો, જુઓ વાયરલ VIDEO!

Breaking News: હર્ષિત રાણાની જગ્યાએ આ ભારતીય ખેલાડીનો  KKRમાં સમાવેશ, જાણો કેટલો મળશે પગાર

ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર નવદીપ સૈનીનો આખરે IPLમાં સમાવેશ કરવામાં આવ્યો છે. સૈનીને હર્ષિત રાણાના સ્થાને કોલકાતા નાઈટ રાઈડર્સ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નવદીપ સૈની આ સિઝનમાં IPL હરાજીમાં અનસોલ્ડ રહ્યો હતો, પરંતુ આ વખતે હર્ષિત રાણાની ઈજાને કારણે તેણે KKR ટીમમાં સ્થાન મેળવ્યું છે. હર્ષિત રાણા T20 વર્લ્ડ કપ પહેલા ઈજાગ્રસ્ત હતો અને તેમાં રમી શક્યો ન હતો, અને હવે તેને IPLમાંથી પણ બહાર બેસવું પડ્યું છે, પરંતુ તેની ઈજાએ નવદીપ સૈનીને તક આપી છે.

નવદીપ સૈનીને કેટલો પગાર મળશે?

કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે આ સિઝન માટે નવદીપ સૈનીને 75 લાખ રૂપિયા મળશે. IPL ના નિયમો અનુસાર, રિપ્લેસમેન્ટ તરીકે પસંદ કરાયેલા ખેલાડીઓને તેના બેઝ પ્રાઈસ પર જાળવી રાખવામાં આવે છે. નવદીપ સૈનીએ 32 IPL મેચ રમી છે અને 23 વિકેટ લીધી છે. તે છેલ્લે 2023 માં IPL રમ્યો હતો, જ્યાં તેને રાજસ્થાન રોયલ્સ દ્વારા બે મેચ માટે પસંદ કરવામાં આવ્યો હતો, જેમાં તેણે ત્રણ વિકેટ લીધી હતી. સૈનીએ 2019 માં RCB માં ડેબ્યૂ કર્યું હતું, જેમાં તેણે 11 વિકેટ લીધી હતી. જોકે, ત્યારથી તેનું પ્રદર્શન ઘટ્યું છે.

 

નવદીપ સૈનીની કારકિર્દી

નવદીપ સૈનીએ ટીમ ઈન્ડિયા માટે બે ટેસ્ટ રમી છે, જેમાં ચાર વિકેટ લીધી છે. તેણે આઠ વનડેમાં છ વિકેટ પણ લીધી છે. તેણે 11 T20Iમાં 13 વિકેટ લીધી છે. T20I તેનો ઈકોનોમી રેટ માત્ર 7.1 હોવા છતાં, તેને ટીમ ઈન્ડિયામાંથી બહાર કરી દેવામાં આવ્યો હતો. આ ખેલાડી છેલ્લા પાંચ વર્ષથી ભારતીય ટીમની બહાર છે. તેણે પોતાની છેલ્લી મેચ 2021માં રમી હતી.

IPL 2026 માટે KKR ટીમ

અજિંક્ય રહાણે, રિંકુ સિંહ, અંગક્રિશ રઘુવંશી, મનીષ પાંડે, ફિન એલન, તેજસ્વી સિંહ, રાહુલ ત્રિપાઠી, ટિમ સેફર્ટ, રોવમેન પોવેલ, અનુકુલ રોય, કેમેરોન ગ્રીન, સાર્થક રંજન, દક્ષ કામરા, રચિન રવીન્દ્ર, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, બ્લેસિંગ મુઝરાબાની, વૈભવ અરોરા, મેથીસા પથિરાના, કાર્તિક ત્યાગી, પ્રશાંત સોલંકી, સૌરભ દુબે, નવદીપ સૈની, ઉમરાન મલિક અને વરુણ ચક્રવર્તી.

Breaking News: IPL 2026માં ફક્ત ભારતીય કેપ્ટનોનું શાસન, 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું

Breaking News: ‘ધુરંધર 2’ એ તો હદ કરી… 6 દિવસમાં જ મચાવી દીધી ધૂમ, વિદેશમાં તોડ્યા 6 બ્લોકબસ્ટર ફિલ્મના રેકોર્ડ

રણવીર સિંહની ફિલ્મ ‘ધુરંધર 2’ અત્યારે સિનેમા જગતમાં સૌથી વધુ ચર્ચાઈ રહેલી ફિલ્મ બની છે. ખાસ કરીને કમાણીની બાબતમાં જે રીતે ‘ધુરંધર: ધ રિવન્જ’ પ્રદર્શન કરી રહી છે, તે જોતા સ્પષ્ટ લાગે છે કે, હિન્દી સિનેમાનો નવો ઈતિહાસ લખાઈ રહ્યો છે.

હવે સમાચાર મળી રહ્યા છે કે, વિદેશમાં પણ ‘ધુરંધર 2’ એ તોફાની કલેક્શન કરીને મોટો રેકોર્ડ બનાવ્યો છે. યુનાઇટેડ કિંગડમ (UK) માં આ ફિલ્મે 6 બ્લોકબસ્ટર ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે.

વિદેશમાં છવાઈ ‘ધુરંધર 2’

અત્યાર સુધી ‘ધુરંધર 2’ ની રિલીઝને 6 દિવસના સમયમાં જ ધમાકેદાર કમાણી કરી બતાવી છે. માત્ર ભારતીય બોક્સ ઓફિસ પર જ નહીં પરંતુ વિદેશમાં પણ આ મૂવી બમ્પર કલેક્શન કરી રહી છે. આ અંગેની માહિતી ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે સોશિયલ મીડિયા પર આપી છે.

તરણ આદર્શના જણાવ્યા અનુસાર, રિલીઝના માત્ર 6 દિવસમાં જ ધુરંધર 2 એ વિદેશોમાં (ઓવરસીઝ) 250 કરોડનો બિઝનેસ કરી લીધો છે. આ રીતે ‘ધુરંધર: ધ રિવન્જ’ એ ઇન્ટરનેશનલ માર્કેટમાં સફળતાનો ઝંડો લહેરાવી દીધો છે. આ સાથે જ યુનાઇટેડ કિંગડમ (UK) માં આ મૂવીએ કમાણીનો મહા-રેકોર્ડ બનાવતા £ 2,460,523 (પાઉન્ડ) નો કારોબાર કર્યો છે.

આ સાથે જ ‘ધુરંધર 2’ યુકેમાં સૌથી વધુ કમાણી કરનારી બોલિવૂડ ફિલ્મ બની ગઈ છે. ‘ધુરંધર: ધ રિવન્જ’ એ આ દિગ્ગજ ફિલ્મોના રેકોર્ડ તોડી નાખ્યા છે:

  1. ચેન્નાઈ એક્સપ્રેસ
  2. પદ્માવત
  3. દિલવાલે
  4. રોકી ઔર રાની કી પ્રેમ કહાની (RRKPK)
  5. પીકે (PK)
  6. એનિમલ

ધુરંધર 2 નું વર્લ્ડવાઇડ કલેક્શન

વિદેશમાં થયેલી આ કમાણીને કારણે ‘ધુરંધર 2’ નું વર્લ્ડવાઇડ કલેક્શન ખૂબ જ ઊંચું રહ્યું છે. અત્યાર સુધી આ ફિલ્મ વૈશ્વિક સ્તરે 915 કરોડથી વધુનો બિઝનેસ કરી ચૂકી છે. એવું માનવામાં આવે છે કે, ‘ધુરંધર: ધ રિવન્જ’ સૌથી વધુ વર્લ્ડવાઇડ કલેક્શન કરનારી બોલિવૂડ ફિલ્મ પણ બની શકે છે.

Breaking News : ધુરંધર 2 ના આ નાના ચહેરાઓએ ચાહકોના દિલમાં બનાવ્યું મોટું સ્થાન, જુઓ ફોટો

Breaking News: IPL 2026માં ફક્ત ભારતીય કેપ્ટનોનું શાસન, 19 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર થયું આવું

IPL 2026 શરૂઆત પહેલા જ ચર્ચાનો વિષય બની ગઈ છે. આ વખતે લીગમાં એક એવો રેકોર્ડ બનવાનો છે, જે અગાઉ ક્યારેય જોવા મળ્યો નથી. તમામ 10 ટીમોની કમાન ભારતીય ખેલાડીઓના હાથમાં હશે, જે લીગના ઈતિહાસમાં મહત્વપૂર્ણ ક્ષણ માનવામાં આવે છે.

તમામ ટીમોના કેપ્ટન ભારતીય

અગાઉ પણ કેટલીક સિઝનમાં તમામ ટીમોના કેપ્ટન ભારતીય રહ્યા હતા, પરંતુ તે સમયે ટીમોની સંખ્યા ઓછી હતી. હવે 10 ટીમો સાથે આ સિદ્ધિ પહેલીવાર પ્રાપ્ત થઈ છે, જે ભારતીય ક્રિકેટની મજબૂતી અને પ્રતિભાનું પ્રતિબિંબ છે.

 

કમિન્સ ઈજાગ્રસ્ત, ઈશાન કેપ્ટન

આ બદલાવ પાછળ એક મહત્વપૂર્ણ કારણ પેટ કમિન્સની ઈજા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે તે ઉપલબ્ધ નહીં હોવાથી, ટીમની કમાન ઈશાન કિશનને સોંપવામાં આવી છે. આથી હવે તમામ ટીમો ભારતીય કેપ્ટન હેઠળ રમશે.

 

10 ટીમના 10 કેપ્ટન

આ સિઝનમાં રજત પાટીદાર (RCB), અજિંક્ય રહાણે (KKR), શ્રેયસ અય્યર (PBKS), રિષભ પંત (LSG), હાર્દિક પંડ્યા (MI), રિયાન પરાગ (RR), ઋતુરાજ ગાયકવાડ (CSK), અક્ષર ટીમ (DC) અને શુભમન ગિલ (GT) ટીમોની કપ્તાની કરશે. ખાસ વાત એ છે કે ઈશાન કિશનને પહેલીવાર IPLમાં (SRH) કેપ્ટનશીપ કરવાનો મોકો છે. જોકે, તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની નેતૃત્વ ક્ષમતા સાબિત કરી છે અને ઝારખંડને મોટી જીત અપાવી છે.

ભારતીય ક્રિકેટમાં નેતૃત્વ માટે પૂરતી પ્રતિભા

IPL 2026ની આ ખાસિયત દર્શાવે છે કે ભારતીય ક્રિકેટમાં નેતૃત્વ માટે પૂરતી પ્રતિભા છે. આ સિઝન યુવા કેપ્ટનો માટે પોતાની ક્ષમતા સાબિત કરવાનો સારો મોકો બની શકે છે અને ભવિષ્યમાં ટીમ ઈન્ડિયાને પણ મજબૂત નેતૃત્વ આપી શકે છે.

Breaking News: 31,000 કરોડમાં વેચાઈ RCB-રાજસ્થાન રોયલ્સ, જાણો BCCI ને કેટલા કરોડ રૂપિયા મળ્યા?

Breaking News: ગુજરાતમાં હવે ‘અશાંત વિસ્તાર’ કહેવાશે ‘નિર્દિષ્ટ વિસ્તાર’; વિધાનસભામાં બહુમતીથી અશાંતધારા ‘સુધારા બીલ’ પસાર

ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક-2026 બહુમતીથી પસાર કરવામાં આવ્યું છે. મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહિડાએ રજૂ કરેલા આ વિધેયક મુજબ, રાજ્યમાં સામાજિક સદભાવ જાળવવા માટે અશાંતધારાના વ્યાપમાં મોટા ફેરફારો કરાયા છે. હવે જે વિસ્તારોમાં શાંતિ ભંગ થવાની સંભાવના હોય તેને પણ ‘નિર્દિષ્ટ વિસ્તાર’ જાહેર કરી શકાશે.

નવા કાયદાની મુખ્ય જોગવાઈઓ:

કલેક્ટરની સત્તા: મિલકતની તબદીલીમાં ગેરરીતિ જણાય તો કલેક્ટર સીધી તપાસ કરી મિલકત આંચકી મૂળ માલિકને અપાવી શકશે.

કડક સજા: કાયદાના ભંગ બદલ હવે 5 વર્ષની જેલની જોગવાઈ કરવામાં આવી છે.

SIT ની રચના: મિલકતના સોદાઓની તપાસ માટે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ વડા SIT ની મદદ લેશે.

લોન સુવિધા: લોકોની આર્થિક જરૂરિયાતને ધ્યાને રાખી હવે નિર્દિષ્ટ વિસ્તારની મિલકત ગિરો મૂકી બેંકમાંથી લોન મેળવી શકાશે.

પુનઃ સમીક્ષા: કલેક્ટરની મંજૂરી બાદ પણ રાજ્ય સરકાર ‘સુઓ મોટો’ સત્તાથી સોદાની ફરી તપાસ કરી શકશે.

આ સુધારા દ્વારા સરકાર નિર્દિષ્ટ વિસ્તારોમાં મિલકતોનું બળજબરીપૂર્વક થતું વેચાણ અટકાવવા કટિબદ્ધ છે.

Breaking News: રાજકોટમાં માનવતા મરી પરવારી? 108 એમ્બ્યુલન્સમાં દર્દી કણસતો રહ્યો અને બહાર ચાલક ટેમ્પો ચાલક સાથે 10 મિનિટ સુધી ઝઘડતો રહ્યો

હવે ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ પહેલા પણ બદલી શકશો ‘બોર્ડિંગ સ્ટેશન’; મુસાફરો માટે ખુશખબર

ભારતીય રેલવેએ મુસાફરોની મુસાફરીને વધુ લવચીક અને આસાન બનાવવા માટે ‘બોર્ડિંગ સ્ટેશન’ (જ્યાંથી ટ્રેનમાં ચઢવાનું હોય) ના નિયમોમાં સુધારો કર્યો છે. ખાસ કરીને વ્યસ્ત સીઝન અને ઇમરજન્સી પ્લાનિંગ માટે આ ફેરફાર ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

શું બદલાયો છે નિયમ?

અત્યાર સુધી મુસાફરોએ ચાર્ટ બનતા પહેલા બોર્ડિંગ સ્ટેશન બદલવું પડતું હતું, જે સામાન્ય રીતે ટ્રેન ઉપડવાના 4 કલાક પહેલા થતું હતું. પરંતુ હવે નવા નિયમ મુજબ:

  • મુસાફરો ટ્રેન ઉપડવાના માત્ર 30 મિનિટ પહેલા સુધી પોતાનું સ્ટેશન બદલી શકશે.
  • જો તમે અમદાવાદથી ટિકિટ લીધી હોય પણ હવે દિલ્હીથી ટ્રેનમાં બેસવું હોય, તો તમે છેલ્લા સમયે આ ફેરફાર કરી શકશો.
  • આ સુવિધા આવતા મહિનાથી તમામ રિઝર્વ ટ્રેનોમાં અમલી બનશે.

બોર્ડિંગ સ્ટેશન બદલવાના ખાસ નિયમો:

  • અધિકાર જશે: એકવાર બોર્ડિંગ સ્ટેશન બદલ્યા પછી, મુસાફર અગાઉના (મૂળ) સ્ટેશનથી ટ્રેનમાં ચઢવાનો અધિકાર ગુમાવશે.
  • દંડની જોગવાઈ: જો તમે બોર્ડિંગ સ્ટેશન બદલ્યા વગર અન્ય સ્ટેશનથી ટ્રેનમાં ચઢતા પકડાયા, તો મૂળ સ્ટેશનથી નવા સ્ટેશન સુધીનું ભાડું અને દંડ ભરવો પડશે.
  • રિફંડ: બોર્ડિંગ સ્ટેશન બદલવા પર ભાડામાં કોઈ રિફંડ મળવાપાત્ર રહેશે નહીં.

ક્યારે નહીં મળે આ સુવિધા?

  • જો તમારી ટિકિટ જપ્ત અથવા સીઝ કરવામાં આવી હોય.
  • જો PNR માં VIKALP (વિકલ્પ) યોજના પસંદ કરેલી હોય.
  • વિન્ડો (કાઉન્ટર) પરથી લીધેલી ટિકિટ માટે ઓનલાઇન સ્ટેશન બદલવાની સુવિધા મળશે નહીં.
  • જો બુકિંગ વખતે જ બોર્ડિંગ સ્ટેશન બદલાવેલું હોય, તો માત્ર એક જ વાર ફરીથી બદલવાની તક મળશે.

રેલવેનો આ નવો નિર્ણય એવા મુસાફરો માટે વરદાન છે જેઓ છેલ્લા સમયે મુસાફરીના પ્લાનમાં ફેરફાર કરે છે. હવે તમારે ટ્રેન પકડવા માટે દૂરના સ્ટેશન સુધી દોડવાની જરૂર નથી, જો ટ્રેન તમારા નજીકના સ્ટેશન પર ઉભી રહેતી હોય તો તમે ઘરે બેઠા જ સ્ટેશન ચેન્જ કરી શકો છો.

શું તમારી બાલ્કનીમાં પણ કબૂતરોએ મચાવ્યો છે આતંક ? આ 9 સિક્રેટ ટિપ્સ અપનાવો એક પણ કબૂતર ફરકશે નહીં

આ પણ વાંચો: મોબાઇલ એપથી આધાર અપડેટ કરવાની સરળ રીત, ઘરે બેઠા આ રીતે કરો નંબર અપડેટ

હોઠની ઉપર રહેલો આ નાનકડો ખાડો શું છે ? વિજ્ઞાન અને જ્યોતિષની દૃષ્ટિએ જાણો તેનું રહસ્ય, વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News: અમદાવાદના મણિનગરમાં મચ્યો હાહાકાર: ન્યૂ ક્લોથ માર્કેટની 10 દુકાનોમાં ભીષણ આગ

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સુમેલ-1 ન્યૂ ક્લોથ માર્કેટના C બ્લોકમાં આજે સવારે અચાનક આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. પ્રાથમિક માહિતી મુજબ, ઇલેક્ટ્રિક ડક્ટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી, જેણે જોતજોતામાં આસપાસની 10 દુકાનોને પોતાની લપેટમાં લીધી હતી.

આગને કારણે આખા બિલ્ડિંગમાં કાળો ડિબાંગ ધુમાડો ફેલાઈ જતાં લોકોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો જીવ બચાવવા ટેરેસ તરફ દોડ્યા હતા. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો અને ટેરેસ પર ફસાયેલા 8 જેટલા લોકોને સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી નીચે ઉતાર્યા હતા. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

India Healthcare Crisis: યુદ્ધના કારણે ‘જીવન રક્ષક’ ગેસની અવગણના, શું ભારત પર મંડરાઈ રહ્યું છે મેડિકલ ઈમરજન્સીનું મોટું જોખમ?

Breaking News: 15,000 કરોડ રૂપિયામાં ટીમ ખરીદનાર રાજસ્થાન રોયલ્સનો નવો માલિક કાલ સોમાણી કોણ છે?

NATO એ સાથના આપતા નિરાશ થયેલા ટ્રમ્પ ભડક્યા ! હોર્મુઝની સુરક્ષા તમે પોતે કરો, અમે નહીં આવીએ!

વિશ્વના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હોર્મુઝની ખાડીને સુરક્ષિત રાખવાના પોતાના વાદાઓમાંથી પીછેહઠ કરી છે. ટ્રમ્પનું માનવું છે કે અમેરિકા આ રસ્તાનો ઉપયોગ કરતું નથી, તો પછી અમેરિકી સેના ત્યાં કેમ તૈનાત રહે?

ટ્રમ્પની સોશિયલ મીડિયા પર ‘ધડાકાભેર’ પોસ્ટ

ટ્રમ્પે ‘ટ્રુથ સોશિયલ’ પર લખ્યું કે, “હોર્મુઝની સુરક્ષાની જવાબદારી એ દેશોની છે જે તેનો ઉપયોગ કરે છે. યુનાઇટેડ સ્ટેટ્સ આ માર્ગનો ઉપયોગ નથી કરતું! જો અન્ય દેશો મદદ માંગશે તો અમે વિચારીશું, પરંતુ ઈરાનનો ખતરો ખતમ થયા પછી અમારી જરૂર રહેવી જોઈએ નહીં.” આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે 28 ફેબ્રુઆરીએ ઈરાન પર થયેલા હુમલા બાદ આ માર્ગ જોખમી બન્યો છે.

48 કલાકનું અલ્ટીમેટમ અને યુ-ટર્ન

રસપ્રદ વાત એ છે કે, હજુ 22 માર્ચે જ ટ્રમ્પે ઈરાનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું કે જો આ રસ્તો ખોલવામાં નહીં આવે તો અમેરિકા ઈરાનના પાવર ગ્રીડને ‘માટીમાં મેળવી દેશે’. પરંતુ હવે અચાનક અમેરિકાએ આ મામલે પલ્લું ઝાડી દેતા પશ્ચિમી દેશોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ છે. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ મધ્ય-પૂર્વમાં અમેરિકી સૈન્ય હસ્તક્ષેપ ઓછો કરવા માંગે છે.

ભારત માટે કેમ ચિંતાનો વિષય?

હોર્મુઝની ખાડી ભારત માટે લાઈફલાઈન સમાન છે:

  • કાચું તેલ: ભારતની જરૂરિયાતનું 40% ક્રૂડ ઓઈલ આ રસ્તેથી આવે છે.
  • LNG ગેસ: ભારતનો 54% ગેસ (LNG) સપ્લાય આ માર્ગ પર નિર્ભર છે.
    જો આ રસ્તો બંધ રહે અથવા સુરક્ષા ન મળે, તો ભારતમાં પેટ્રોલ-ડીઝલ અને એલપીજી ગેસની ભારે તંગી સર્જાઈ શકે છે. અત્યારે પણ ઘણા રાજ્યોમાં ગેસ સંકટની શરૂઆત થઈ ચૂકી છે.

ટ્રમ્પના આ વલણથી હવે ભારત જેવા દેશોએ પોતાની ઉર્જા સુરક્ષા માટે જાતે જ મેદાનમાં ઉતરવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. જો અમેરિકા મદદ નહીં કરે, તો વૈશ્વિક તેલ બજારમાં ભયાનક તેજી આવી શકે છે.

Wedding Ritual: ભારતનું એક એવું ગામ જ્યાં માણસો નહીં પણ દેડકા પરણે છે ! આખું ગામ બને છે જાનૈયા અને શાસ્ત્રોક્ત વિધિથી થાય છે લગ્ન

Breaking News : યુદ્ધના 24મા દિવસે ઘૂંટણીએ પડેલા ડોનાલ્ડ ટ્રમ્પે કેમ સામેથી યુદ્ધવિરામ અને ઈરાન સાથે વાતચીતની કરી વાત ? જાણો Inside Story

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે માત્ર આઠ કલાકના સમયગાળામાં ઈરાન સાથેના યુદ્ધ અંગે યુ-ટર્ન લીધો છે. શરૂઆતમાં સત્તાના ઉપયોગ દ્વારા શાંતિ પ્રાપ્ત કરવાની પ્રતિજ્ઞા લેનારા ટ્રમ્પે હવે જાહેરાત કરી છે કે તેઓ પાંચ દિવસ બળનો ઉપયોગ નહીં કરે. ટ્રમ્પના મતે, ઈરાન સાથે યુદ્ધવિરામ અંગે હાલમાં ચર્ચા ચાલી રહી છે. આ વાટાઘાટો આખા અઠવાડિયા દરમિયાન ચાલુ રહેવાની અપેક્ષા છે. પરિણામે, ઈરાનની કોઈપણ હુમલો કરવામાં નહીં આવે. જો કે ઈરાને આ સમગ્ર ઘટનાક્રમને ટ્રમ્પની હાર તરીકે દર્શાવ્યો છે. સરકારી મીડિયા અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સામેના યુદ્ધમાંથી પીછેહઠ કરી છે.

24દિવસના સંઘર્ષ દરમિયાન, ઈરાને ડ્રોન, મિસાઈલ અને હોર્મુઝ સ્ટ્રેટ પર નિયંત્રણનો ઉપયોગ કરીને, યુનાઇટેડ સ્ટેટ્સને ઘૂંટણિયે લાવી દીધુ. આ જ કારણ છે કે ટ્રમ્પે આજે સોમવારે સવારે યુદ્ધને લંબાવવાને બદલે વિરામની હિમાયત કરી રહ્યા છે. યુદ્ધવિરામની હાકલ કરવાનું ટ્રમ્પે કેમ શરૂ કર્યું. હવે પ્રશ્ન એ ઉભો થાય છે કે આ બધું કેવી રીતે થયું?

અમેરિકા વધુ લશ્કરી કાર્યવાહીથી પાછળ હટી ગયું

જ્યારે યુદ્ધ પહેલી વાર ફાટી નીકળ્યુ, ત્યારે મોસાદે યુએસ રાષ્ટ્રપતિને એક બ્રીફિંગ રજૂ કરી હતી. આ બ્રીફિંગમાં એવું દર્શાવવામાં આવ્યું હતું કે, હવાઈ હુમલાના પ્રારંભિક તબક્કા પછી, ઈરાની જનતા વિરોધમાં રસ્તાઓ પર ઉતરશે. મોસાદે એવી આગાહી કરી હતી કે, જો જનતા મેદાનમાં ઉતરશે તો, ઈરાનની ઈસ્લામિક રિપબ્લિકની સરકારને સત્તા પરથી ઉથલી જશે.

મોસાદની આ વાતને સાચી માનીને, ટ્રમ્પે ઇઝરાયલની સાથે મળીને 28મી ફેબ્રુઆરીના રોજ, ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની હત્યા કરી. અમેરિકા-ઈઝરાયેલે ઈરાનના અલી લારીજાનીની પણ હત્યા કરી. છતાં, આટલી મોટી કાર્યવાહી છતાં, ઈરાની જનતા રસ્તાઓ પર ઉતરી ના હતી.

અમેરિકા પર ગલ્ફ રાષ્ટ્રોનું દબાણ

અમેરિકા ઉપર ગલ્ફ રાષ્ટ્રો ખાસ કરીને ઓમાન, કતાર અને સાઉદી અરેબિયા તરફથી દબાણ આવ્યું હતું. આ દેશોએ દલીલ કરી હતી કે, જ્યારે ઇઝરાયલ યુદ્ધનો લાભ મેળવી રહ્યું હતું, ત્યારે તેઓ નુકસાનનો ભોગ બન્યા હતા. ગલ્ફ રાષ્ટ્રોએ એવો પણ સંકેત આપ્યો હતો કે, તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ સાથેના તેમના રાજદ્વારી સંબંધોના સ્વરૂપ પર પુનર્વિચાર કરી શકે છે.

અમેરિકા અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બંનેનું ગલ્ફ ક્ષેત્રમાં નોંધપાત્ર રોકાણ છે. *એક મીડિયા અહેવાલ મુજબ, જો અમેરિકા ઈરાનના કોઈપણ ક્રુડ-ગેસ માળખા પર હુમલો કરે, તો તેહરાને પહેલાથી જ ગલ્ફ રાષ્ટ્રોને પાયમાલ કરવાની યોજના બનાવી લીધી હતી. ઈરાને આ યોજના હેઠળ, બહેરીન, જોર્ડન, સાઉદી અરેબિયા, કતાર અને કુવૈતમાં તેલ અને ગેસ સુવિધાઓ હુમલાઓ કર્યાં પણ ખરા.

કતરે તાજેતરમાં જ યુનાઇટેડ સ્ટેટ્સ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. ગલ્ફ રાષ્ટ્રો મક્કમ હતા કે તેમના પ્રદેશો અને સુવિધાઓ પર લશ્કરી હુમલા ન કરવા જોઈએ.

હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાનો કોઈ વ્યવહારુ વિકલ્પ ના મળ્યો

મીડિયા રિપોર્ટ અનુસાર ડોનાલ્ડ ટ્રમ્પે તેમના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ડેન કોટ્સ સાથે હોર્મુઝ સ્ટ્રેટ અંગે બેઠક યોજી હતી. આ બેઠક દરમિયાન, ટ્રમ્પે કોટ્સને પૂછ્યું: “તમે લોકો હોર્મુઝ સ્ટ્રેટમાં યુદ્ધ જહાજો કેમ નથી મોકલી રહ્યા?” કોટ્સે જવાબ આપ્યો કે યુદ્ધ જહાજો તહેનાત કરીને હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિનો ઉકેલ લાવી શકાતો નથી. કોટ્સના મતે, હોર્મુઝ સ્ટ્રેટ એક અત્યંત સાંકડો જળમાર્ગ છે. જો ત્યાં યુદ્ધ જહાજો તહેનાત કરવામાં આવે, તો આ સામુદ્રધુની લાંબા સમય સુધી અવરોધિત રહી શકે છે. એક એવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે જે વૈશ્વિક કટોકટીનું કારણ બની શકે છે. કોટ્સે વધુમાં નોંધ્યું હતું કે આવા મર્યાદિત પાણીમાં એક નાનું ઈરાની જહાજ પણ યુએસ યુદ્ધ જહાજને નુકસાન પહોંચાડી શકે છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ માટે ખૂબ જ શરમજનક પરિણામ હશે.

નાટો અને વૈશ્વિક સમુદાય તરફથી સમર્થન નહીં

શરૂઆતમાં, ટ્રમ્પે અનુમાન લગાવ્યું હતું કે, ઈરાન સામે સંભવિત સંઘર્ષમાં તેમને નાટો અથવા વિશ્વભરના અન્ય રાષ્ટ્રો તરફથી સમર્થન મળશે. જો કે, જ્યારે સહાયનો સમય આવ્યો, ત્યારે આ બધા રાષ્ટ્રોએ તેમનો ટેકો પાછો ખેંચી લીધો. આખરે, હોર્મુઝ સામુદ્રધુની પરના મુકાબલામાં એક પણ દેશ યુનાઇટેડ સ્ટેટ્સની સાથે ઉભો રહ્યો નહીં. શરૂઆતમાં, ટ્રમ્પે નાટો અને યુરોપ પર પણ પ્રહારો કર્યા, પરંતુ અંતે, ટ્રમ્પે પોતાનો નિર્ણય પાછો ખેંચવો પડ્યો.

Breaking News : ઈરાન ઈઝરાયેલ યુદ્ધ 23 દિવસ : મધ્ય પૂર્વના કયાં દેશમાં કેટલા લોકો મર્યાં ?

 

Breaking News: રૈના, હરભજન અને હેડન આવ્યા, તો પછી ચેન્નાઈનો શ્રેષ્ઠ બોલર CSK ફેન્સ ઈવેન્ટમાં કેમ ન આવ્યો?

Breaking News : MCXમાં સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, હજુ વધુ ઘટાડાના એંધાણ

અમદાવાદમાં મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના અને ચાંદીના ભાવમાં મોટો કડાકો નોંધાયો છે. છેલ્લા થોડા દિવસોમાં કિંમતોમાં થયેલા આ ઘટાડાએ રોકાણકારો અને ગ્રાહકો બંનેનું ધ્યાન ખેંચ્યું છે. બજારમાં અચાનક આવેલા આ ફેરફારને કારણે જ્વેલરી સેક્ટર પર પણ અસર જોવા મળી રહી છે.

તાજા માહિતી મુજબ 10 ગ્રામ સોનાનો ભાવ લગભગ 9 હજાર રૂપિયા ઘટીને 1.35 લાખ રૂપિયા સુધી પહોંચ્યો છે. બીજી તરફ, 1 કિલો ચાંદીનો ભાવ પણ નોંધપાત્ર રીતે ઘટીને 20 હજાર રૂપિયાનો ઘટાડો સાથે 2.07 લાખ રૂપિયા થયો છે. આ ઘટાડો છેલ્લા ત્રણ દિવસમાં સતત નોંધાયો છે, જે બજારમાં અસ્થિરતા દર્શાવે છે.

વિશ્લેષકોના મતે, વૈશ્વિક બજારમાં ચાલી રહેલા પરિવર્તનો અને રોકાણકારોની બદલાતી માનસિકતાને કારણે કિંમતોમાં આ ઘટાડો જોવા મળી રહ્યો છે. ડોલરની મજબૂતી, આંતરરાષ્ટ્રીય માંગમાં ઘટાડો અને અન્ય આર્થિક પરિબળો પણ તેની પાછળના મુખ્ય કારણો ગણાઈ રહ્યા છે.

આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં હજુ વધુ ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેથી ખરીદદારો માટે આ યોગ્ય તક બની શકે છે, જ્યારે રોકાણકારોએ સાવચેતીપૂર્વક બજારની સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવા જરૂરી છે.

સોના-ચાંદીના બજારમાં ચાલી રહેલા ઘટાડા અંગે વેપારીઓનું કહેવું છે કે હાલની વૈશ્વિક પરિસ્થિતિ તેના માટે જવાબદાર છે. ખાસ કરીને યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે રોકાણકારોની પ્રાથમિકતાઓમાં ફેરફાર આવ્યો છે, જેનો સીધો પ્રભાવ કિંમતો પર જોવા મળી રહ્યો છે.

વેપારીઓ મુજબ, રોકાણકારો હાલમાં સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓમાં રોકાણ કરવાની જગ્યાએ ક્રુડ ઓઈલ તરફ વધુ વળી રહ્યા છે. વૈશ્વિક સ્તરે ઊભી થયેલી અનિશ્ચિતતા અને ઊર્જા ક્ષેત્રમાં વધતી માંગને કારણે ક્રુડ ઓઈલ વધુ આકર્ષક વિકલ્પ બની રહ્યું છે. તેના પરિણામે ધાતુઓમાં માંગ ઘટી રહી છે અને ભાવોમાં કડાકો નોંધાઈ રહ્યો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વેપારીઓએ આગાહી વ્યક્ત કરી છે કે આગામી દિવસોમાં પણ સોના અને ચાંદીના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. તેથી બજારમાં હજુ થોડો સમય અસ્થિરતા રહેવાની શક્યતા છે, અને રોકાણકારોને વિચારપૂર્વક નિર્ણય લેવા સલાહ આપવામાં આવી રહી છે.

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

આ પણ વાંચો: ચૂપચાપ ખેલાઈ રહ્યો છે ચાંદીનો સૌથી ‘મોટો ખેલ’, ડ્રેગનની એક ચાલ અને આખું વિશ્વ ચોંકી ગયું

ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી ગુજરાતની 500 કરોડની કેરી પર નુકસાનની ભીતિ, કોંગ્રેસે નિકાસકારો માટે સહાય પેકેજની કરી માગ

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની જ્વાળાઓ હવે ભારત અને ખાસ કરીને ગુજરાતના એક્સપોર્ટર્સને દઝાડી રહી છે. ગલ્ફ દેશોના પોર્ટ પર સર્જાયેલી અંધાધૂંધીને કારણે ભારતના અર્થતંત્રને મોટો ફટકો પડવાની ભીતિ સેવાઈ રહી છે.

કન્ટેનર અટવાયા, ખર્ચમાં અધધ વધારો

ઓમાન અને UAE ના પોર્ટ પર હાલમાં અંદાજે 29,000 કન્ટેનર અટવાયેલા છે, જેમાં 5,500 થી વધુ કન્ટેનર માત્ર ભારતના છે. આ કન્ટેનરને પરત લાવવા માટે એક્સપોર્ટર્સ પર ₹275 કરોડનો વધારાનો ખર્ચ આવી રહ્યો છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ માંગ કરી છે કે સરકાર આ રિટર્ન ચાર્જ માફ કરે અને વેપારીઓ માટે વિશેષ પેકેજ જાહેર કરે.

ગુજરાતની કેરી અને કાપડ ઉદ્યોગ મુશ્કેલીમાં

આ સંકટની સૌથી વધુ અસર ગુજરાતના કૃષિ અને ગારમેન્ટ ક્ષેત્ર પર પડી છે:

પેરીશેબલ ગુડ્સ: ગલ્ફમાં ફસાયેલા 800 કન્ટેનરમાં ખેતીની જણસો છે, જે બગડવાની અણી પર છે.

કેરીનો વેપાર: ગલ્ફમાં એક્સપોર્ટ થતી ગુજરાતની ₹500 કરોડની કેરી બગડી જવાની આશંકા છે.

ગારમેન્ટ બિઝનેસ: ઈદના તહેવાર સમયે જ કાપડના કન્ટેનર અટવાતા અંદાજે ₹1500 કરોડના બિઝનેસ પર સીધી અસર પડી છે.

જો કેન્દ્ર સરકાર દ્વારા તાત્કાલિક દખલગીરી કરીને એક્સપોર્ટર્સ માટે આર્થિક પેકેજ જાહેર કરવામાં નહીં આવે, તો ગુજરાતના અનેક નાના-મોટા વેપારીઓ પાયમાલ થઈ શકે છે.

(ઈનપુટ ક્રેડિટ: નરેન્દ્ર રાઠોડ)

Solar AC Scheme: ભર ઉનાળે લાઈટ બિલ આવશે ‘ઝીરો’! હવે હાઈબ્રિડ ટેકનોલોજીથી ચાલશે તમારું હાઈટેક AC, જાણો વધુ વિગત

2000 કે 3000 રન બનાવીશ! IPL 2026 પહેલા માત્ર 35 બોલમાં સદી ફટકારનાર બેટ્સમેને આપ્યું ‘મોટું નિવેદન’, જાડેજા પણ તેની વાત સાંભળી ચોંકી ગયો

ઇન્ડિયન પ્રીમિયર લીગની 19મી સીઝનમાં કેટલાક એવા યુવા ભારતીય ખેલાડીઓ છે કે, જેમના પ્રદર્શન પર સૌની નજર રહેવાની છે. આમાં એક નામ 14 વર્ષના ડાબોડી ઓપનિંગ બેટ્સમેનનું પણ છે, જેણે ગત આઈપીએલ સીઝનમાં ડેબ્યૂ કરીને પોતાની પ્રતિભાથી સૌને હેરાન કરી દીધા હતા.

આ સીઝનમાં વૈભવની અસલી પરીક્ષા થવાની છે, કારણ કે તમામ ટીમો તેની સામે વધુ સારી તૈયારી સાથે મેદાનમાં ઉતરવાની છે. આ દરમિયાન આઈપીએલ 2026 સીઝન શરૂ થાય તે પહેલા વૈભવ સૂર્યવંશીનું પણ મોટું નિવેદન સામે આવ્યું છે કે, જેમાં તેણે પોતાના ઇરાદા સ્પષ્ટ કરી દીધા છે.

2000 થી 3000 રન વાત કેમ કરી?

આઈપીએલ 2026ની સીઝનમાં ઓરેન્જ કેપ જીતવાના દાવેદારોમાં એક નામ વૈભવ સૂર્યવંશીનું પણ છે. સીઝન શરૂ થાય તે પહેલા એક ઇવેન્ટમાં વૈભવ સૂર્યવંશીને પૂછવામાં આવ્યું કે, તે કેટલા રન બનાવવાનો ટાર્ગેટ રાખી રહ્યા છે? હવે આના જવાબમાં વૈભવે રમૂજી અંદાજમાં કહ્યું કે, જો તમે આવો સવાલ પૂછશો તો હું કહીશ કે, 2000 થી 3000 રન બનાવવાની કોશિશ કરીશ.

વૈભવ સૂર્યવંશીનો આ જવાબ સાંભળીને તેની બાજુમાં બેઠેલ રવીન્દ્ર જાડેજા પણ હસવા લાગ્યો હતો, કારણ કે એક સીઝનમાં કોઈપણ બેટ્સમેન માટે આટલા રન બનાવવા લગભગ અશક્ય કામ છે. વૈભવ સૂર્યવંશીએ પોતાના રમૂજી જવાબ બાદ આગળ કહ્યું કે, આગામી સીઝન માટે મારો એવો કોઈ ટાર્ગેટ નથી. હું બસ પ્રોસેસ ફોલો કરવાની કોશિશ કરું છું અને પ્રયત્ન માત્ર પોતાના પ્રદર્શનના દમ પર ટીમને જીત અપાવવાનો હોય છે. હું મારા માટે કોઈપણ પ્રકારના પર્સનલ માઈલસ્ટોન માટે મેદાનમાં રમવા નથી ઉતરતો.

અગાઉ 35 બોલમાં સદી ફટકારી ચૂક્યો છે

જણાવી દઈએ કે, ગત સીઝનમાં જ્યારે વૈભવે ડેબ્યૂ કર્યું હતું, ત્યારે તેણે ગુજરાત ટાઇટન્સ સામેના મુકાબલામાં માત્ર 35 બોલમાં સદી ફટકારી દીધી હતી. અત્યાર સુધી આઈપીએલમાં વૈભવે 7 મેચ રમી છે અને તેમાં 36ની એવરેજથી 252 રન બનાવ્યા છે.

Breaking News : હાર્દિક પંડ્યાએ શર્ટલેસ થઈ કાર ચલાવી, ગર્લફ્રેન્ડને ગળે લગાવી ડાન્સ કર્યો, જુઓ વીડિયો

Breaking News : Middle East સંકટ વચ્ચે PM મોદીએ યોજી મોટી બેઠક, તેલ, ગેસ અને વીજળી પર ચર્ચાઓ કેન્દ્રિત

મધ્ય પૂર્વની હાલની તણાવપૂર્ણ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી Narendra Modi એ ભારતની ઉર્જા તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું અધ્યક્ષસ્થાન કર્યું. આ બેઠકમાં ગૃહમંત્રી Amit Shah, સંરક્ષણ મંત્રી Rajnath Singh, નાણાં મંત્રી Nirmala Sitharaman, વિદેશ મંત્રી S. Jaishankar તેમજ અન્ય કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા. બેઠક દરમિયાન મુખ્યત્વે તેલ, ગેસ અને વીજળીના પુરવઠા સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

સપ્લાય ચેઇન અને વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા ભાર

આ બેઠકમાં ખાસ કરીને દેશભરમાં LPG વિતરણ, ખાતરની ઉપલબ્ધતા અને જરૂરી પુરવઠાની સતત સુનિશ્ચિતતા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સરકારે ઉર્જા ક્ષેત્રમાં કોઈપણ પ્રકારની ખલેલ ન પડે તે માટે લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન અને વિતરણ વ્યવસ્થાને મજબૂત બનાવવા પર ભાર મૂક્યો.

અધિકારીઓના જણાવ્યા મુજબ, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં અસ્થિરતા વધી છે. આવી પરિસ્થિતિમાં ભારત સરકાર ગ્રાહકો અને ઉદ્યોગોને અસરથી બચાવવા માટે સતત નજર રાખી રહી છે અને જરૂરી પગલાં લઈ રહી છે.

પ્રધાનમંત્રી મોદીએ અગાઉ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં વધતા સંઘર્ષને કારણે વૈશ્વિક ઉર્જા કટોકટી ઉભી થઈ શકે છે. તેમણે આ પરિસ્થિતિને દેશ માટે એક મહત્વપૂર્ણ પડકાર ગણાવી, શાંતિ, ધીરજ અને જાગૃતતા સાથે તેને સામનો કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

 Strait of Hormuz વિસ્તારમાં અવરજવર પર અસર

મધ્ય પૂર્વમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ખાસ કરીને Strait of Hormuz વિસ્તારમાં અવરજવર પર અસર પડી છે, જે વૈશ્વિક ઉર્જા પુરવઠા માટે અત્યંત મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે. આ કારણે તેલ અને ગેસના પુરવઠામાં વિક્ષેપ સર્જાયો છે, જેનો પ્રભાવ ભારત સહિત અનેક દેશો પર પડી રહ્યો છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રધાનમંત્રી મોદીએ સાઉદી અરેબિયા, યુએઈ, કતાર, બહેરીન, કુવૈત, જોર્ડન, ફ્રાન્સ, મલેશિયા, ઈઝરાયલ અને ઈરાન સહિતના દેશોના નેતાઓ સાથે સતત સંપર્કમાં રહી પરિસ્થિતિ પર નજર રાખી છે. સરકારે આંતરરાષ્ટ્રીય સપ્લાય ચેઇનમાં થતા વિક્ષેપોને દૂર કરવા માટે સક્રિય પ્રયાસો શરૂ રાખ્યા છે.

ભારતે અમેરિકાને આપી લશ્કરી સહાય! સરકારે કરી સ્પષ્ટતા

અમરેલીમાં સામે આવ્યો લવજેહાદનો વધુ કિસ્સો હિંદુ યુવતીએ વિધર્મી સાથે લગ્ન કરી લેતા ખળભળાટ- Video

એક તરફ રાજ્ય સરકાર દ્વારા લગ્ન નોંધણીના નિયમમાં માતાપિતાની મંજૂરી ફરજિયાત કરવા માટેનો સંશોધન પારિત કરવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યમાં લવ જેહાદના કિસ્સાઓ પણ વધી રહ્યા છે. રાજ્યમાં વધુ એક લવ જેહાદનો કિસ્સો સામે અમરેલીના રાજુલાથી સામે આવ્યો છે. પરિવારે યુવતી ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ નોંધાવી છે. હિંદુ યુવતી 10 દિવસ પહેલા ઘરેથી બ્યુટી પાર્લરનો કોર્સ કરવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ વિધર્મી સાથે લગ્ન કરી લીધા છે. યુવતીએ વીડિયો જાહેર કરી પરેશાન ન કરવા જણાવ્યુ છે. પરિવાર સહિત હિંદુ સંગઠનોને પણ પરેશાન ન કરવા અપીલ વીડિયોમાં કરવામાં આવી છે.

હાલ યુવતીનો વીડિયો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનોમાં આક્રોશ ફેલાયો છે. હિંદુ આગેવાનોએ સોશિયલ મીડિયા પર વીડિયો મુકી રોષ ઠાલવ્યો છે. હિન્દુ યુવતીએ મુહિસ ફિરાણી નામના યુવક સાથે લગ્ન કરી લેતા વિવાદ સર્જાયો છે. હિન્દુ સંગઠનના આગેવાનોએ દીકરીઓનું ધ્યાન રાખવા સમાજના લોકોને ટકોર કરી છે અને કહ્યું છે કે જો ધ્યાન નહીં દેવાય તો આવનારા સમયમાં આવા કિસ્સા વધી જશે.

આ તરફ યુવતીએ જણાવ્યું છે કે યુવકના પરિવાર સામે લગાવાયેલા તમામ આરોપ ખોટા છે. તે તેની મરજીથી ગઈ છે. તેને કે યુવકના પરિવારને કંઈપણ થયું તો તેની જવાબદારી તેના પરિવાર અને હિન્દુ સંગઠનોની રહેશે.

Input Credit- Jaudev Kathi- Amreli

“પ્રિવેડીંગ આપણે ત્યાં હતુ જ નહીં, આ તો દેખાદેખીમાં આવ્યુ”– પરશોત્તમ રૂપાલાએ લગ્નોમાં થતા ખોટા ખર્ચા સામે કરી ટકોર

 

ડિસ્ક્લેમર: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા અને રિપોર્ટ્સમાં કરવામાં આવેલા દાવાઓ પર આધારિત છે. ગેસ ભરવાની જણાવેલી રીતો કોઈ નિષ્ણાતની દેખરેખ હેઠળ જ અજમાવવી, કારણ કે તે જોખમી હોઈ શકે છે. ‘TV9 Gujarati’ કોઈપણ પ્રકારના દાવાની સત્યતા કે પ્રમાણિકતાની પુષ્ટિ કરતું નથી.

આ પણ વાંચો: રેલવેની હિસ્ટ્રીમાં સૌથી નાનું નામ! માત્ર 2 અક્ષરના નામમાં છુપાયેલો છે આ સ્ટેશનનો 100 વર્ષ ‘જૂનો ઇતિહાસ’

આ પણ વાંચો: સોના-ચાંદીના રોકાણકારોના ‘જીવ અધ્ધર’, આખરે કેમ તૂટી રહ્યા છે ‘કિંમતી ધાતુ’ના ભાવ?

Vitamin D Deficiency : શરીરમાં વિટામિન D ની ઉણપના કારણો શું છે?

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો.

ગુનેગારોને હર્ષ સંઘવીની સ્પષ્ટ ચેતવણી, ગુજરાત પોલીસ અસામાજિક તત્વો સામે હનુમાન બનીને આવશે, જુઓ Video

નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ ગુનેગારો અને અસામાજિક તત્વોને કડક ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, “ગુનેગારોનો કોઈ ધર્મ નથી હોતો અને તેમની કોઈ જાતિ પણ નથી હોતી.” લોકોને હેરાન કરનારા આવા તત્વોને બક્ષવામાં આવશે નહીં. સંઘવીએ ઉમેર્યું હતું કે એક પણ ગુનેગારને છોડવામાં નહીં આવે અને જો કોઈ ટપોરી કે અસામાજિક તત્વ સામાન્ય નાગરિકોને હેરાન-પરેશાન કરશે તો ગુજરાત પોલીસ હનુમાનજીનું સ્વરૂપ ધારણ કરીને તેમની સામે કાર્યવાહી કરશે.

ડીજીપી કે. એલ. એન. રાવના માર્ગદર્શન હેઠળ ગુજરાત પોલીસે અસામાજિક તત્વોને સીધા કરવા માટે મક્કમ નિર્ધાર કર્યો છે. પોલીસ ગુનેગારોને ખૂણેખૂણેથી શોધી કાઢીને તેમને કાયદાના દાયરામાં લાવશે. આ પ્રયાસોનો મુખ્ય ઉદ્દેશ્ય વડોદરા સહિત સમગ્ર ગુજરાતમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે. શહેરના પોલીસ કમિશનર અને તેમની સમગ્ર ટીમ આ દિશામાં સક્રિયપણે કામ કરી રહી છે, જેથી લોકોને વધુ સુરક્ષિત વાતાવરણ પૂરું પાડી શકાય.

દેશનો પ્રથમ ફોર લેન અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે થશે પહોળો, જાણો વિગત

Breaking News: શું આ જ છે ODI વર્લ્ડ કપ 2027 માટે પસંદ થયેલા 20 ભારતીય ખેલાડીઓ? જાણો કોને મળશે તક

બધાને એક કરીને યુદ્ધ રોકાવવાની ભારત પાસે તાકાત છે : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘના વડા મોહન ભાગવતે જણાવ્યું હતું કે, વિશ્વમાં કાયમી શાંતિ ફક્ત સ્વાર્થ, એકતા અને સદ્ગુણી મૂલ્યોનું પાલન કરીને જ પ્રાપ્ત થશે. તેમણે સ્વાર્થ અને પ્રભુત્વની ઇચ્છાને વૈશ્વિક સંઘર્ષોના મૂળ કારણો તરીકે ઓળખાવી. ભાગવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતની પ્રાચીન પરંપરા – “બધા એક છે” ના સિદ્ધાંતમાં સમાયેલી – વિશ્વને સંવાદિતાના માર્ગ તરફ દોરી શકે છે.

નાગપુરમાં એક કાર્યક્રમમાં બોલતા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) ના વડા મોહન ભાગવતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વૈશ્વિક શાંતિ ત્યારે જ સાકાર થશે જ્યારે લોકો પોતાના સ્વાર્થને બાજુ પર રાખીને સહકારથી બધાની સાથે રહે. વિશ્વભરમાં ચાલી રહેલા યુદ્ધોને રોકવાની ક્ષમતા માત્ર ભારત પાસે જ હોવાનું તેમણે જણાવ્યું છે. ભારત બધાને એક કરવાની સહજ શક્તિ ધરાવે છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કાર્યાલયના શિલાન્યાસ પછી નાગપુરમાં એક સભાને સંબોધતા મોહન ભાગવતે પુનરોચ્ચાર કર્યો કે વૈશ્વિક સંઘર્ષો સ્વાર્થ અને પ્રભુત્વને કારણે જ થયા છે. આ જ પરિબળો છે જે વિશ્વભરમાં સંઘર્ષોને વેગ આપી રહ્યા છે.

મોહન ભાગવતે એમ પણ કહ્યું કે, આજે વિશ્વ વિનાશ તરફ જઈ રહ્યું હોય તેવું લાગે છે. હાલમાં ચાલી રહેલા વૈશ્વિક સંઘર્ષો વચ્ચે, એક અલગ અવાજ ઉભરી રહ્યો છે. જે સૂચવે છે કે, ભારત એક એવું રાષ્ટ્ર છે જે તમામને રોકવા માટે સક્ષમ છે.

રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ, કેન્દ્રને સોગંદનામું કરવા આપ્યો આદેશ…

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: સોનું ₹10 લાખ અને ચાંદી ₹6 લાખ થવાની આગાહી, બિટકોઈનમાં પણ મહા-તેજીના સંકેત

IPL 2026 : વૈભવ સૂર્યવંશી કે અભિષેક શર્મા નહીં, શું આ વખતે વિરાટ કોહલી ફટકારશે સૌથી વધુ છગ્ગા?

પ્રિતી ઝિન્ટાની મોટી વાપસી ! Lahore 1947 પછી આ ફિલ્મમાં કરશે ધમાકેદાર એન્ટ્રી, જાણો કઈ હશે ફિલ્મ …

Preity Zinta Film : આ વર્ષની સૌથી રાહ જોવાડેલી ફિલ્મોમાંની એક ‘લાહોર 1947’ છે. સની દેઓલની આ ફિલ્મ 13 ઓગસ્ટ, 2026 ના રોજ સિ1947ઘરોમાં રિલીઝ થવાની છે. આ વાતની જાહેરાત આમિર ખાન પ્રોડક્શન્સે થોડા સમય પહેલા કરી હતી. સની દેઓલ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે પ્રોડ્યુસર (નિર્માણ) આમિર ખાન કરી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે એક નાનકડી ભૂમિકા પણ ભજવશે. હાલ ભારતમાં રહેલી પ્રીતિ ઝિન્ટા સની પાજી સાથે આ ફિલ્મમાં જોવા મળશે. પ્રીતિ ઝિન્ટા IPL 2026 શરૂ થાય તે પહેલાં આવી ગઈ છે. કારણ કે અભિનેત્રી દર વર્ષે તેની ટીમ પંજાબ કિંગ્સને સપોર્ટ કરતી જોવા મળે છે. પ્રીતિ ઝિન્ટા આઠ વર્ષ પછી વાપસી કરવા માટે તૈયાર છે.

પ્રીતિ ઝિન્ટાની ‘લાહોર 1947’ ફિલ્મ

પ્રીતિ ઝિન્ટાના લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે. તેમની છેલ્લી ફિલ્મ 2018 માં ‘ભૈયાજી સુપરહિટ’ હતી. જેમાં તેઓ સની દેઓલ સાથે જ કામ કર્યું હતું. ઉપરાંત ‘લાહોર 1947’ માં પણ પ્રીતિ ઝિન્ટા સની પાજી સાથે પાછા ફરવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં શબાના આઝમી, કરણ દેઓલ, અલી ફઝલ અને અભિમન્યુ સિંહ પણ છે. તાજેતરમાં કહેવામાં આવ્યું હતું કે ફિલ્મનું શીર્ષક બદલાવા જઈ રહ્યું છે પરંતુ આમિર ખાને આ અંગે સ્પષ્ટ પુષ્ટિ આપી હતી કે ફિલ્મનું શીર્ષક બદલવામાં આવશે નહીં.

પ્રીતિ ઝિન્ટાની નવી ફિલ્મ કઈ છે

પ્રીતિ ઝિન્ટા ફક્ત ‘લાહોર 1947’ સાથે જ નહીં પરંતુ Amazon MGM Studios ની ફિલ્મ ‘Vibe’ સાથે પણ એક મોટી વાપસી કરવાની તૈયારી કરી રહી છે. જેનું દિગ્દર્શન સૈફ અલી ખાનના સાળા કુણાલ ખેમુ દ્વારા કરવામાં આવી છે. આ ફિલ્મમાં કુણાલ ખેમુ, સ્પર્શ શ્રીવાસ્તવ અને વંશિકા ધીર પણ જોવા મળશે. કુણાલ ખેમુએ અગાઉ કોમેડી ફિલ્મ ‘Madgaon Express’નું દિગ્દર્શન કર્યું હતું. જેને લોકોનું જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. તાજેતરમાં Prime Videoના ‘It Starts Here’ ઇવેન્ટમાં આ વર્ષ માટે ઘણી ફિલ્મોની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પ્રીતિ ઝિન્ટા પણ હાજર રહી હતી. ઇવેન્ટ દરમિયાન હોસ્ટ તરીકે આવેલા કરણ જોહરે પ્રીતિ ઝિન્ટાની પ્રશંસા કરતા કહ્યું, ‘મારી પાસે પ્રીતિ સાથે કામ કરવાની સરસ યાદો છે.

અભિનેત્રીએ ‘વાઇબ’ માટે હા કેમ કરી ?

અભિનેત્રીએ કહ્યું, ‘કુણાલના મતે, તે સમયે હું ખૂબ જ સારા મૂડમાં હતી. જ્યારે મેં વાર્તા સાંભળી ત્યારે હું હસી પડી. તે ખૂબ રમુજી હતું કે હું ના કહી શકી નહીં.’

રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે હાઈકોર્ટનું કડક વલણ, કેન્દ્રને સોગંદનામું કરવા આપ્યો આદેશ…વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો 

ધુરંધર 2માં આ 7 નવા ચહેરાઓએ પણ કર્યો કમાલ, યામી ગૌતમ પણ જોવા મળી ફિલ્મ

Breaking News : IPL 2026 પહેલા CSK ને મોટો ઝટકો, સ્ટાર ફાસ્ટ બોલર આખી ટુર્નામેન્ટમાંથી થયો બહાર, જાણો

IPL 2026 પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર નાથન એલિસ ઈજાના કારણે આખી ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે, જેનાથી ટીમના બોલિંગ વિભાગ પર સીધી અસર પડી છે.

ગયા વર્ષે IPLમાં CSKનું પ્રદર્શન ખૂબ નબળું રહ્યું હતું અને ટીમ છેલ્લાં સ્થાને રહી હતી. નાથન એલિસને પણ ફક્ત એક જ મેચ રમવાની તક મળી હતી. જોકે, નવી સીઝનમાં તેને વધુ તકો મળશે તેવી આશા રાખવામાં આવી રહી હતી, પરંતુ ઈજાના કારણે હવે તે શક્ય બનશે નહીં.

નવી સીઝન માટે નવી ઊર્જા અને આશા સાથે મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહેલી CSKને ટૂર્નામેન્ટ શરૂ થવાના માત્ર નવ દિવસ પહેલાં આ મોટો ઝટકો લાગ્યો છે. એલિસની ગેરહાજરીથી ટીમની બોલિંગ લાઇન-અપ નબળી પડી શકે છે અને ટીમની વ્યૂહરચનાઓ પર પણ અસર જોવા મળી શકે છે.

અહેવાલો અનુસાર, ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર નાથન એલિસ હેમસ્ટ્રિંગ ઈજાથી પીડાઈ રહ્યો છે. આ ઈજાને કારણે તે ટૂર્નામેન્ટ શરૂ થાય ત્યાં સુધી સંપૂર્ણ રીતે ફિટ થઈ શકશે નહીં. સ્પોર્ટસ્ટારના અહેવાલ મુજબ, CSKના CEO કાસી વિશ્વનાથને પણ આ વાતની પુષ્ટિ કરી છે અને તેને ટીમ માટે મોટો ફટકો ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે ટીમ હવે એલિસના રિપ્લેસમેન્ટ માટે વિકલ્પો શોધી રહી છે.

31 વર્ષીય નાથન એલિસને ગયા સીઝન પહેલાં મેગા ઓક્શનમાં CSKએ ₹2 કરોડના બેઝ પ્રાઈસ પર ખરીદ્યો હતો. IPL 2025માં તેણે ફક્ત એક મેચમાં ભાગ લીધો હતો અને તેમાં એક વિકેટ મેળવી હતી. છતાં, ફ્રેન્ચાઇઝીએ તેના પર વિશ્વાસ રાખીને તેને ટીમમાં જાળવી રાખ્યો હતો અને IPL 2026 માટે તે ટીમના મહત્વના બોલર તરીકે જોવામાં આવી રહ્યો હતો.

IPL Facts : મેદાન પર કિંગનો દબદબો : આ ખેલાડીઓ સામે બનાવ્યા છે સૌથી વધુ રન

દ્વારકામાં અચાનક તેજ પવન ફુંકાતા બીચ પર ઉડવા લાગી રાઈડ્સ તો ધરતીપુત્રોમાં ઘેરાયા ચિંતાના વાદળો, તૈયાર પાકને બચાવવા મુકી દોટ- Video

રાજ્યના ખેડૂતોની માઠી દશા બેઠી હોય તેમ ફરી એકવાર માવઠાએ મુશ્કેલી વધારી છે. ભર ઉનાળે અનેક જિલ્લાઓમાં કરા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ પવન અને વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટુ આવ્યુ. બપોર બાદ વાતાવરણમાં પલટો આવતા ઓખા સહિતના શહેરોમાં કમોસમી વરસાદ વરસ્યો અને માર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા.

તેજ પવન ફુંકાતા બીચ પર ઉડવા લાગી રાઈડ્સ

આ તરફ દ્વારકાના શિવરાજપુર બીચ પર વાતાવરણમાં અચાનક પલટો આવતા તારાજ સર્જાઈ છે. ભારે પવનને કારણે દરિયા કિનારેથી રાઈડ ઉડી ગઈ હતી. આ તરફ અચાનક આંધી આવતા શિવરાજપુર બીચ પર સહેલાણીઓમાં નાસભાગ મચી ગઈ અને અફરાતફરીનો માહોલ સર્જાયો છે. સહેલાણીઓની આ નાસભાગનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

અચાનક તેજ પવન ફુંકાતા ખેડૂતો પાક બચાવવા દોડ્યા

હાલ ભરઉનાળે વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે ધરતીપુત્રોની ચિંતા વધી છે. આ વરસાદને કારણે ઘઉં, બાજરી, કપાસ, મગફળી, સોયાબિન સહિતના પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે. દર વર્ષે પાક લેવાના સમયે જ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવે છે. હાલ કેરીનો ફાલ આવવાની તૈયારી છે ત્યારે ભારે પવનને કારણે પુષ્કળ પ્રમાણમાં કેરીઓ ખરી જતા આંબાવાડીના ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવુ પડ્યુ છે.

અચાનક આંધી સાથે પવન ફુંકાતા હાઈવે પર અને ખેતરોમાં ધૂળની ડમરીઓ ઉડી હતી. પવનની ગતિ એકાએક વધતા વાહનચાલકો પરેશાન થયા. આ તરફ ખેડૂતો તેમનો પાક બચાવવા દોડ્યા હતા અને તાત્કાલિક કામે લાગી ગયા.

Input Credit- Jay Goswami- Dwarka

પાકિસ્તાનની આ મિસાઈલથી અમેરિકામાં ફેલાયો ફફડાટ, તુલસી ગબાર્ડે આપી ચેતવણી

 

પોલીસને દોડાવનાર ગુંડાઓને ખાખીએ ભણાવ્યા કાયદાના પાઠ!

ક્યારે કોઈ દેશ પોતાની એરસ્પેસ બંધ કરે ? જાણો પાછળનું કારણ

તાજેતરમાં આંતરરાષ્ટ્રીય તણાવ વચ્ચે કેટલાક દેશોએ સુરક્ષા કારણોસર પોતાનું એરસ્પેસ તાત્કાલિક બંધ કરવાની કાર્યવાહી કરી હતી. આવી સ્થિતિઓમાં સામાન્ય લોકોમાં સવાલ ઊભો થાય છે કે કોઈ દેશ એરસ્પેસ કેવી રીતે બંધ કરે છે, તેનો હવાઈ મુસાફરી પર શું અસર પડે છે અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વિમાનો સામે શું પગલાં લેવામાં આવે છે. ચાલો આ સમગ્ર પ્રક્રિયાને સરળ રીતે સમજીએ.

એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય કેમ લેવાય છે?

કોઈ દેશ એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય સામાન્ય રીતે સુરક્ષા અને જોખમોને ધ્યાનમાં રાખીને લે છે. યુદ્ધ જેવી પરિસ્થિતિ, આતંકવાદી ખતરો, સૈન્ય અભ્યાસ, પ્રાકૃતિક આફતો જેમ કે વાવાઝોડું અથવા જ્વાળામુખી વિસ્ફોટ જેવી પરિસ્થિતિઓમાં આ નિર્ણય લેવામાં આવે છે. આ પગલું દેશની સુરક્ષા અને નાગરિકોની સલામતી માટે જરૂરી ગણાય છે.

એરસ્પેસ કેવી રીતે બંધ કરવામાં આવે છે?

જ્યારે કોઈ દેશ એરસ્પેસ બંધ કરવાનો નિર્ણય કરે છે, ત્યારે તે પોતાની સિવિલ એવિએશન ઓથોરિટી દ્વારા NOTAM (Notice to Air Missions) જાહેર કરે છે. આ સૂચના દ્વારા વિશ્વભરના એરલાઈન્સ અને પાઇલટોને માહિતી આપવામાં આવે છે કે કયો વિસ્તાર બંધ છે, કેટલા સમય માટે અને કઈ ઊંચાઈ સુધી પ્રતિબંધ લાગુ રહેશે. આ પછી એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમ તમામ ફ્લાઇટ્સને નવા માર્ગો સૂચવે છે.

પાઇલટ અને એરલાઇન્સ સુધી માહિતી કેવી રીતે પહોંચે છે?

NOTAM દ્વારા મળતી માહિતી ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. પાઇલટો ફ્લાઇટ પહેલાં આ માહિતીનો અભ્યાસ કરે છે અને ત્યારબાદ પોતાના રૂટમાં ફેરફાર કરે છે. એરલાઇન્સ પણ આ આધારે ફ્લાઇટ પ્લાન બદલતી હોય છે. તેથી જ ઘણા વખત ફ્લાઇટ્સ લાંબા રૂટ પરથી જતી જોવા મળે છે.

એરસ્પેસ બંધ હોય ત્યારે ફ્લાઇટ્સ કેવી રીતે ચાલે છે?

જ્યારે કોઈ વિસ્તારનો એરસ્પેસ બંધ હોય છે, ત્યારે ફ્લાઇટ્સને અન્ય વિકલ્પ રૂટ પર મોકલવામાં આવે છે. આ પ્રક્રિયાને ડાયવર્ઝન કહેવામાં આવે છે. તેના કારણે મુસાફરીનો સમય વધી શકે છે અને ઇંધણ ખર્ચ પણ વધે છે. કેટલીક પરિસ્થિતિમાં ફ્લાઇટ્સ મોડી થાય છે અથવા રદ પણ થઈ શકે છે, જેના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

એરસ્પેસ બંધ થવાથી મુસાફરી પર શું અસર પડે છે?

એરસ્પેસ બંધ થવાથી એરલાઇન્સના ખર્ચમાં વધારો થાય છે, જેનો સીધો અસર ટિકિટના ભાવે પડે છે. લાંબા રૂટના કારણે સમય વધારે લાગે છે અને મુસાફરી થાકદાયક બની શકે છે. કેટલીક ફ્લાઇટ્સને સંપૂર્ણ રીતે રદ કરવી પણ પડે છે, જે મુસાફરો માટે અસુવિધાજનક બને છે.

નિયમોનું ઉલ્લંઘન કરનાર વિમાનો સામે કાર્યવાહી

જો કોઈ વિમાન એરસ્પેસ બંધ હોવા છતાં તે વિસ્તારમાં પ્રવેશ કરવાનો પ્રયાસ કરે છે, તો સૌથી પહેલા ATC દ્વારા તેને ચેતવણી આપવામાં આવે છે. પાઇલટને તરત જ માર્ગ બદલવા અથવા પાછા ફરવાનો આદેશ આપવામાં આવે છે. જો વિમાન આ સૂચનાને અવગણે, તો દેશની એરફોર્સ ફાઇટર જેટ મોકલી શકે છે. ફાઇટર જેટ વિમાનને નજીકથી મોનીટર કરે છે અને વિઝ્યુઅલ સિગ્નલ દ્વારા તેને લૅન્ડ કરવાની સૂચના આપે છે. આવા કેસોમાં વિમાનને નજીકના એરપોર્ટ પર ઉતારવામાં આવે છે અને તેની તપાસ કરવામાં આવે છે. જો કોઈ ગંભીર શંકા હોય, તો સુરક્ષા માટે કડક પગલાં પણ લેવામાં આવી શકે છે.

એરસ્પેસ બંધ કરવું એક ગંભીર અને સંવેદનશીલ નિર્ણય છે, જે દેશની સુરક્ષા માટે લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન થાય છે અને મુસાફરોની સલામતીને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે. જોકે, તેનો અસર હવાઈ મુસાફરી પર પડે છે, પરંતુ સુરક્ષા માટે આ જરૂરી પગલું માનવામાં આવે છે.

Breaking News: ભિખારી પાકિસ્તાન પાસે રાષ્ટ્રીય તહેવાર ઉજવવા માટે રૂપિયા ને ઈંધણ જ નથી, પ્રજાસત્તાક દિવસની પરેડ કરી નાખી રદ

Breaking News : કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા

કચ્છ જિલ્લામાં અચાનક આવેલા મીની વાવાઝોડાએ જનજીવનને ભારે અસર પહોંચાડી છે. તોફાની પવન અને અચાનક બદલાયેલા હવામાનને કારણે અનેક વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ વધારે હોવાથી સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.

કંડલા વિસ્તારમાં ભારે પવન ફૂંકાતા મોબાઈલ ટાવર ધરાશાયી થયો હતો, જેના કારણે સંચાર સેવાઓ પર પણ અસર પડી છે. ગાંધીધામમાં પણ તીવ્ર પવનને કારણે હોર્ડિંગ્સ તૂટી પડ્યા હતા, જેનાથી વાહનચાલકો અને સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. કંડલા પોર્ટ પર ધૂળની ડમરી ઉડતા વિઝિબિલિટી ઘટી ગઈ હતી, જેના કારણે કામગીરી પર અસર થઈ હતી.

તોફાની પવનના જોરે કંડલા પોર્ટ પર રાખવામાં આવેલા કન્ટેનરો પણ ખસી ગયા હતા અને કેટલાક ધરાશાયી થયા હતા. મુન્દ્રા પોર્ટ પર પણ આ જ સ્થિતિ જોવા મળી, જ્યાં ભારે પવનને કારણે કન્ટેનરો નીચે પટકાયા હતા. આ બનાવોને કારણે પોર્ટની કામગીરીને તાત્કાલિક અસર પહોંચી છે.

બીજી તરફ, કચ્છના વાગડ વિસ્તારમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ પણ નોંધાયો હતો. કેટલાક વિસ્તારોમાં કરા પડવાના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડ્યું છે. ખાસ કરીને વરિયાળી અને ઈસબગુલ જેવા પાકોને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે.

કુલ મળીને, મીની વાવાઝોડા અને કમોસમી વરસાદે કચ્છ જિલ્લામાં જનજીવન તેમજ કૃષિ ક્ષેત્રને ગંભીર અસર પહોંચાડી છે. પ્રશાસન દ્વારા હાલ સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે.

Breaking News : ધૂળના વાવાઝોડા સાથે વરસાદનો ડબલ હુમલો! ગુજરાત-દિલ્હી સહિત 11 રાજ્યોમાં એલર્ટ

Breaking News: ગુજરાતના બે સ્ટાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલના પગારમાં વધારો કરશે BCCI, આ છે કારણ, વાંચવા માટે અહીં ક્લિક કરો

શું તમે જાણો છો ? દારૂ પીધા પછી મગજની અંદર એવું તો શું થાય છે કે માણસ પોતાનો કાબૂ ખોઈ બેસે છે?

દારૂ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એ જાણવા છતાં લોકો તેનું સેવન કરે છે, પણ જ્યારે નશો હદ વટાવે ત્યારે શરીર અને મગજ પોતાનું સંતુલન ગુમાવી દે છે. લોકો લથડિયાં ખાવા લાગે છે અને ગમે તેમ બડબડવા લાગે છે. આ બધું કેમ થાય છે? તેની પાછળનું અસલી કારણ મગજની અંદર છુપાયેલું છે.

મગજનું ‘કોમ્યુનિકેશન’ થઈ જાય છે જામ

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન આલ્કોહોલ એબ્યુઝ એન્ડ આલ્કોહોલિઝમના રિપોર્ટ મુજબ, દારૂ સીધો મગજના સંદેશા વ્યવહાર પર હુમલો કરે છે:

  • ધીમી ગતિ: જ્યારે આલ્કોહોલ લોહી દ્વારા મગજ સુધી પહોંચે છે, ત્યારે તે ‘ન્યુરોન્સ’ (સંદેશ મોકલતી કોશિકાઓ) વચ્ચેની વાતચીતને અત્યંત ધીમી કરી દે છે.
  • બેલેન્સ ગુમાવવું: આ અવરોધને કારણે વ્યક્તિ સ્પષ્ટ વિચારી શકતી નથી અને શારીરિક પ્રવૃત્તિઓનું તાલમેલ બગડી જાય છે, પરિણામે લથડિયાં આવે છે.

નર્વસ સિસ્ટમ પર કાયમી આફત

દારૂ માત્ર મગજ જ નહીં, પણ આખા નર્વસ સિસ્ટમને ખોખલું કરી દે છે:

  • પેરિફેરલ ન્યુરોપેથી: જે લોકો વધુ દારૂ પીવે છે તેમને હાથ-પગમાં સુન્નતા અથવા બળતરા થવા લાગે છે. આ નસોમાં થતું નુકસાન હૃદયના ધબકારા અનિયમિત કરી શકે છે.
  • સેન્સ ગુમાવવો: જ્યારે નસોનું નેટવર્ક નબળું પડે છે, ત્યારે શરીર પોતાની આસપાસના વાતાવરણ પ્રત્યેની સંવેદના ગુમાવી દે છે.

હોર્મોન્સનું સંતુલન ખોરવાય છે

દારૂ શરીરના એન્ડોક્રાઈન સિસ્ટમને પણ તહેસ-નહેસ કરી નાખે છે. તે એવા હોર્મોન્સને અટકાવે છે જે શરીરની સ્થિરતા જાળવવામાં મદદ કરે છે. તેને કારણે થાઈરોઈડ, અસામાન્ય કોલેસ્ટ્રોલ લેવલ અને માનસિક તણાવ સહન કરવાની ક્ષમતામાં ઘટાડો થાય છે. સંશોધન એમ પણ કહે છે કે દારૂ યુવાનોમાં શારીરિક વિકાસની પ્રક્રિયાને ધીમી કરી શકે છે.

દારૂની એક ચુસ્કી પણ મગજની કાર્યક્ષમતાને અસર કરે છે. લાંબા ગાળે આ આદત મગજની બનાવટમાં કાયમી ફેરફાર કરી શકે છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે.

Disclaimer: દારૂ પીવું સ્વસ્થ માટે હાનિકારક હોયે છે, તેના થી કેન્સર જેવા ગંભીર રોગ થઈ શકે છે. આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. TV9Gujarati કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

શું તમે પણ સવારે ખાલી પેટે પપૈયું ખાઓ છો? જાણો શરીર પર કેવી અસર થાય છે!

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

Stock Market: સરકારી કંપનીમાં ‘BUY સિગ્નલ’ ! 45% ના તોતિંગ ઘટાડા બાદ હવે ઉછાળાની તૈયારી, બસ આ એક લેવલ પાર કરતા જ શેરમાં આવશે ‘તેજી’

Breaking News : ગુજરાતના બે સ્ટાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલના પગારમાં વધારો કરશે BCCI, આ છે કારણ

Breaking News : ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV-ઓડિયો સામે આવતા ડ્રાઈવર સામે પગલા ભરવા DSP ને કરાઈ અરજી

અશાંતધારાની મિલકત ટ્રાન્સફર કરાવવા SDMના ડ્રાઇવરે લાંચ માંગી હોવાનો આરોપ લાગ્યો છે. આ અંગેના એક સીસીટીવીના ફુટેજ સામે આવ્યા બાદ, SDM એ પણ સ્પષ્ટતા કરવી પડી છે. ભાવનગરના ક્રેસન્ટ પાસે હિન્દુની માલિકીની કોમર્શિયલ મિલકત વિધર્મીને તબદીલી કરવા અંગે SDMના ડ્રાઇવરે 14 લાખનો સોદો કરીને રૂપિયા 10 લાખની લાંચની રકમ સ્વીકારતા હોવાના CCTV, ઓડિયો વાયરલ થતા સમગ્ર ભ્રષ્ટાચાર ખુલ્લો પડયો છે.

જે CCTV વાયરલ થયા છે તેમાં કહેવાય છે કે, ભાવનગરના SDM ના ડ્રાઇવર દ્વારા, રુપિયા સ્વીકારવામાં આવી રહ્યાં છે. આ રૂપિયા ભાવનગરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલ હિન્દુની માલિકીની મિલકત મુસ્લિમને વેચવા માટે અશાંતધારાની કોઈ જોગવાઈને કારણે અટકે નહીં તે માટે લેવડ-દેવડ થઈ હતી. હિન્દુ માલિકીનું કોમર્શિયલ કોમ્પ્લેક્ષ વિધર્મીને વેંચવા માટે જરૂરી મંજૂરી મેળવી આપવા માટે SDM ના ડ્રાઇવર મોમીને રૂપિયા 14 લાખની માંગણી કરી હતી. અશાંતધારા મામલે SDM ના ડ્રાઇવર મોમીન નામના શખ્સે 10 લાખની લાંચ લીધી હોવાના આરોપો લાગતા ચર્ચાનો બન્યો માહોલ.

આ અંગે ભાવનગરના એસડીએમ પ્રતિભા દહિયાએ જણાવ્યું કે જે, આ અશાંતધારાનો આપેલો અભિપ્રાય છે તે અમે 27 કે 29 જાન્યુઆરીના રોજ નામંજૂર કર્યો છે. જે ડ્રાઇવરે મારા નામે રૂપિયા લીધા છે એનો તો મને સ્હેજે પણ ખ્યાલ નથી. ગઈકાલ મને આ સમગ્ર મામલાની જાણ થતા જ અમે ડ્રાઇવરને તાત્કાલીક અસરથી છૂટો કરી નાખ્યો છે. ડ્રાઇવર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અમે જિલ્લા પોલીસ વડાને અરજી પણ કરી હોવાનું ભાવનગરના એસડીએમએ જણાવ્યું હતું.

Breaking News: પાંચકુવા સિંધી માર્કેટમાં વિકરાળ આગની ચપેટમાં 30 દુકાન, 100 ફાયરકર્મીઓ મેદાનમાં

Health Tip: શું તમે પણ પગની દુર્ગંધ અને ફાટેલી એડીઓથી પરેશાન છો ?

આ પણ વાંચો: આસામથી ગુજરાત સુધી તેલના કુવા છતાં તિજોરી કેમ ખાલી? શા માટે ભારત 85% તેલ વિદેશથી મંગાવે છે? જાણો આ પાછળનું રહસ્ય

Breaking News : ઈઝરાયેલે, ઈરાનના શક્તિશાળી નેતા અલી લારીજાની પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા

ઈરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા બાદ, ઇઝરાયલે હવે તેહરાનના બીજા સૌથી શક્તિશાળી નેતા, અલી લારીજાની પર નજર રાખી છે. આજે મંગળવારને 17 માર્ચ ના રોજ, ઇઝરાયલે લારીજાનીના સ્થાનોને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. આ હુમલો, ઈઝરાયેલના ગુપ્તચર અહેવાલોના આધારે કરવામાં આવ્યો હતો. હુમલા બાદ ઇઝરાયલે એ તપાસ કરી  હતી કે, શું લારીજાની હુમલામાં માર્યો ગયો છે કે નહીં. ખામેનેઈની હત્યા બાદ, ઈરાનમાં એકમાત્ર લારીજાની છે કે જેઓ ઈરાનના લશ્કરી દળોનું સંકલન કરી રહ્યા હતા. લારીજાની હાલમાં ઈરાનની સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરીનું પદ સંભાળે છે.

ધ ટાઇમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ અનુસાર, ઇઝરાયલે સંઘર્ષના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશતા જ લારીજાનીને નિશાન બનાવ્યો છે. અલી લારીજાનીના સ્થળો પર હુમલો કર્યો છે. ઇઝરાયલ હજુ સુધી લારીજાનીની સ્થિતિ અંગે વિસ્તૃત માહિતી મેળવી શક્યું નથી.

દરમિયાન, ઇઝરાયલ સંરક્ષણ દળો (IDF) એ બાસીજ દળોના વડા ગુલામરેઝા સુલેમાનીને મારી નાખવાનો દાવો કર્યો છે. બાસીજ ઈરાનનું સૌથી મોટું અર્ધ-સરકારી સંગઠન છે.

લારીજાની બધા મોટા નિર્ણયો લેતા હતા

આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા પછી, ઈરાનમાં લારીજાની જ હતા જેઓ બધા મોટા નિર્ણયો લઈ રહ્યા હતા, કારણ કે ઈરાનના નવા સુપ્રીમ લીડર હાલમાં ઘાયલ હોવાનું કહેવાય છે. લારીજાનીને આયાતુલ્લાહ અલી ખામેનેઈના નજીકના વિશ્વાસુ માનવામાં આવે છે. જૂન 2025 માં, ખામેનેઈએ લારીજાનીને સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલના સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા હતા.

યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ તાજેતરમાં લારીજાનીને તેની હિટલિસ્ટમાં ઉમેર્યા હતા. યુનાઇટેડ સ્ટેટ્સે લારીજાની વિશે માહિતી આપનાર કોઈપણને ઇનામ આપવાની જાહેરાત કરી હતી.

લારીજાનીએ મુસ્લિમ રાષ્ટ્રોને પત્ર લખ્યો હતો

લારીજાનીએ ગઈકાલ સોમવારે 16 માર્ચ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાની એક પોસ્ટ લખી હતી. તેમાં, તેમણે ઈરાન વતી બધા મુસ્લિમ રાષ્ટ્રોને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં, લારીજાનીએ યહૂદી અને ખ્રિસ્તી સમુદાયો સામે સંઘર્ષ કરવાની હાકલ કરી હતી. ઈરાને ટ્રમ્પ સામે ધમકી પણ આપી હતી.

લારીજાની અગાઉ ઈરાનમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડી ચૂક્યા હતા; જોકે, તેઓ ચૂંટણી જીતવામાં નિષ્ફળ રહ્યા હતા. ઈરાનમાં, લારીજાનીની ગણતરી કટ્ટરપંથી નેતાઓમાં થાય છે.

ખામેનેઈ સહિત 40 ટોચના કમાન્ડરોની બોમ્બમારાથી કરાઈ હત્યા

28 ફેબ્રુઆરીએ ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સે ઈરાન પર પોતાનો પહેલો હુમલો કરીને ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈ સહિત 40 ટોચના કમાન્ડરોની હત્યા કરાઈ છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઇઝરાયલના હુમલાનું લક્ષ્ય ઈરાનના સર્વોચ્ચ નેતાઓની હત્યા કરવાની વ્યૂહરચનાના ભાગ રૂપે નિશાન બનાવાયા હતા.

જોકે, ઈરાને “ચાર-ઉત્તરાધિકારી ફોર્મ્યુલા” લાગુ કરી છે. આ પ્રોટોકોલ હેઠળ, જો કોઈ ચોક્કસ પદ ધરાવનાર વ્યક્તિની હત્યા કરવામાં આવે, તો તરત જ ઉત્તરાધિકારીની જાહેરાત કરી શકાય છે. દરેક પદ માટે, ઈરાને પહેલાથી જ ચાર સંભવિત અનુગામીઓની યાદી નક્કી કરી દીધી છે.

યુદ્ધભૂમિમાં અમેરિકાને ભેખડે ભરાવી દેતુ ઈરાન, કહ્યું- અમારા દુશ્મન ઈઝરાયેલ માટે થઈને અમેરિકા તેના સૈનિકોના મોત ઈચ્છતું હોય તો અમને વાંધો નથી

કતારથી ગુજરાત આવેલા 46,000 મેટ્રિક ટન LPGથી કેટલા ગેસ સિલિન્ડર ભરાશે?

અમરેલી: રાજ્યકક્ષાના ઊર્જા મંત્રી કૌશિક વેકરીયાએ કુંકાવાવથી જળસંચયની કામગીરીનો કરાવ્યો પ્રારંભ- Video

અમરેલી વિધાનસભામાં આવેલા કુંકાવાવ તાલુકાનું જંગર ગામ હવે સૂર્ય ઊર્જાથી ઝળહળશે. ગામના 350થી વધુ ઘરો પર સોલાર પેનલ લગાવીને આખા ગામને સોલાર વિલેજ બનાવવામાં આવ્યુ છે. આ ભગીરથ કાર્યમાં ઉદ્યોગપતિ અને દાતા હરેશભાઈ વાછાણીનો મોટો સહયોગ સાંપડ્યો છે. હવે આ ગામના લોકોને વીજ બીલમાંથી મુક્તિ મળશે અને પર્યાવરણનું પણ જતન થશે. આ કામગીરી જોવા સમજવા માટે આસપાસના ગામોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

માત્ર વીજળી નહીં પરંતુ કુંકાવાવ તાલુકાનો પાણીના પ્રશ્નનું કાયમી નિરાકરણ લાવવા માટે એકસાથે 42 ગામોમાં જળસંચયની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત દરેક ગામમાં તળાવો અને ચેકડેમ ઊંડા કરવા માટે કૂલ 42 હિટાચી મશીનો ગામદીઠ ફાળવવામાં આવ્યા છે. આગામી બે મહિના સુધી આ મશીનો રાતદિવસ કામ કરશે, જેથી ચોમાસામાં જળસ્તર ઉંચા આવે ખેડૂતોને સિંચાઈનો લાભ મળે.

આ તકે રાજનીતિ પણ ભરપૂર જોવા મળી. મંત્રી કૌશિક વેકરિયાએ જનસભાને સંબોધતા વિપક્ષ કોંગ્રેસ પર આકરા શાબ્દિક પ્રહારો કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દાયકાઓ સુધી સત્તામાં રહેલી કોંગ્રેસે માત્ર વાતો કરી છે, જ્યારે ભાજપ સરકારે વિકાસના કામો જમીન પર ઉતાર્યા છે. ગામડાઓને આત્મનિર્ભર બનાવવાની આ દિશામાં ભાજપ સરકાર મક્કમ હોવાનું તેમણે ઉમેર્યું હતું. બીજી તરફ કૌશીક વેકરીયા કહ્યું આ તો પિક્ચર છે ટ્રેલર હજુ બાકી છે. આ પ્રકારના નિવેદનથી રાજકીય માહોલ ગરમાયો હતો. ઉપરાંત જળસંચયની કામગીરી માટે કુંકાવાવ રાજ્યનો પ્રથમ તાલુકો બન્યો છે, જયાં એકીસાથે 45 તળાવ ઊંડા કરવાની કામગીરી હાથ ધરાઈ છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ભારત અને ઈરાનનો માત્ર તેલ કે વેપારનો નહીં, બે પ્રાચીન સભ્યતાઓનો અતૂટ અને હજારો વર્ષ જુનો સંબંધ

Breaking News : યુદ્ધ વચ્ચે Dubai નું Stock Market ધડામ! એક જ મહિનામાં 21% તૂટયું, જાણો

Dubai Stock Markets: મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે ગલ્ફ દેશોના શેરબજારો પર સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ઈરાન અને યુએસ-ઇઝરાયલ વચ્ચે વધતા સંઘર્ષના કારણે દુબઈનું શેરબજાર તીવ્ર દબાણમાં આવી ગયું છે. દુબઈ ફાઇનાન્સિયલ માર્કેટ જનરલ ઇન્ડેક્સમાં 16 માર્ચે લગભગ 3.2 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.

આ સતત ઘટાડાને કારણે દુબઈ ફાઇનાન્સિયલ માર્કેટ ઇન્ડેક્સ હવે તેની તાજેતરની ટોચથી લગભગ 21 ટકા નીચે આવી ગયો છે. સામાન્ય રીતે, જ્યારે કોઈ ઇન્ડેક્સ તેની ટોચથી 20 ટકા અથવા તેથી વધુ નીચે આવી જાય, ત્યારે તેને ‘બેર માર્કેટ’ (Bear Market) તરીકે ઓળખવામાં આવે છે.

ઇરાને પણ ખાડી દેશોના કેટલાક શહેરોને નિશાન બનાવ્યા

પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર ઊર્જા, શિપિંગ, રિયલ એસ્ટેટ અને પર્યટન સહિતના અનેક ઉદ્યોગો પર પડી રહી છે. અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઇરાન પર કરવામાં આવેલા હુમલાઓ બાદ ઇરાને પણ ખાડી દેશોના કેટલાક શહેરોને નિશાન બનાવીને જવાબી કાર્યવાહી કરી, જેના કારણે સમગ્ર પ્રદેશમાં અસ્થિરતા વધી છે.

આ યુદ્ધના કારણે મુસાફરી વ્યવસ્થા પર પણ અસર પડી છે. દરિયાઈ માર્ગો માટે જોખમો વધતા તેલના ભાવમાં વધારો થયો છે. હાલમાં યુદ્ધ તેના ત્રીજા અઠવાડિયામાં પ્રવેશી ગયું છે અને આ પરિસ્થિતિ દુબઈ જેવી ઝડપી વિકાસ પામતી આર્થિક કેન્દ્ર તરીકે ઓળખાતી જગ્યા માટે પડકારરૂપ બની રહી છે.

લડાઈ શરૂ થયા બાદ દુબઈની રિયલ એસ્ટેટ કંપનીઓના શેરમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. એમાર પ્રોપર્ટીઝના શેરમાં લગભગ 34 ટકા ઘટાડો થયો છે, જ્યારે એમાર ડેવલપમેન્ટના શેરમાં લગભગ 35 ટકા ઘટાડો જોવા મળ્યો છે.

જો કે, યુદ્ધ શરૂ થાય તે પહેલા દુબઈના શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી રહી હતી. છેલ્લા છ વર્ષમાં બજારમાં લગભગ 300 ટકા સુધીનો વધારો નોંધાયો હતો. આ વૃદ્ધિ પાછળ વધતું વપરાશ, પર્યટનમાં વધારો, રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં તેજી અને નાણાકીય સેવાઓના વિસ્તરણ જેવા કારણો જવાબદાર હતા.

રોકાણકારોને નીચલા સ્તરે ખરીદીની સારી તક

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, બજારમાં આ ઘટાડો મોટાભાગે પ્રદેશની ભૂ-રાજકીય પરિસ્થિતિને કારણે થયો છે. કામકો ઇન્વેસ્ટમેન્ટ કંપનીના સંશોધન અને વ્યૂહરચનાના વડા જુનૈદ અન્સારીએ જણાવ્યું હતું કે બજારમાં આ પ્રકારનો ઘટાડો અપેક્ષિત હતો અને લગભગ તમામ ક્ષેત્રોમાં વ્યાપક વેચાણ જોવા મળ્યું છે. તેમણે ઉમેર્યું કે પરિસ્થિતિ સામાન્ય બન્યા બાદ રોકાણકારોને નીચલા સ્તરે ખરીદીની સારી તક મળી શકે છે.

આ દરમિયાન દુબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર પણ પરિસ્થિતિ સંપૂર્ણ રીતે સામાન્ય નથી. સોમવારે ડ્રોન ઘટનાને કારણે થોડા સમય માટે કામગીરી બંધ કરવી પડી હતી, ત્યારબાદ અમીરાત એરલાઇન્સે મર્યાદિત સંખ્યામાં ફ્લાઇટ્સ ફરી શરૂ કરી છે.

ગયા અઠવાડિયે એરપોર્ટ નજીક બે ડ્રોન ક્રેશ થયા હતા, જેમાં ચાર લોકો ઘાયલ થયા હતા. મિસાઇલ અને ડ્રોન હુમલાઓના જોખમને કારણે વિમાનોને દુબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથકની આસપાસ લાંબા ચકરાવો લેવા પડી રહ્યા છે, જેના કારણે ફ્લાઇટમાં વિલંબ અને મુસાફરીનો સમય પણ વધી રહ્યો છે.

Post Office ની આ યોજનામાં દર મહિને થશે 5,550 રૂપિયાની કમાણી
Chaitra Navratri 2026 : ચૈત્ર નવરાત્રી દરમિયાન ગુપ્ત રીતે આ વસ્તુઓનું કરો દાન, દેવી દુર્ગાના મળશે આશીર્વાદ !

ચૈત્ર નવરાત્રી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તે ચૈત્ર મહિનાના શુક્લ પક્ષ ની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. આ વર્ષે, ચૈત્ર નવરાત્રી 19 માર્ચથી શરૂ થાય છે અને 27 માર્ચે સમાપ્ત થાય છે. આ વખતે, દેવી દુર્ગા પાલખી પર સવાર થઈને પૃથ્વી પર આવશે અને હાથી પર સવાર થઈને પ્રસ્થાન કરશે. નવરાત્રીને દેવી દુર્ગાના આશીર્વાદ મેળવવા માટે એક ખાસ પ્રસંગ માનવામાં આવે છે.

નવરાત્રી દરમિયાન, ભક્તો દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા અને ઉપવાસ કરે છે. પ્રાર્થના અને ઉપવાસની સાથે, કેટલાક ખાસ ઉપાયો પણ કરવામાં આવે છે. શાસ્ત્રોમાં, ગરીબી દૂર કરવા માટે દાનને સૌથી મોટો ઉપાય માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે નવરાત્રી દરમિયાન યોગ્ય સમયે અને યોગ્ય વસ્તુ માટે કરવામાં આવેલ ગુપ્ત દાન ઘણી વખત પાછું મળે છે. તો ચાલો જાણીએ કે નવરાત્રી દરમિયાન કઈ વસ્તુઓ ગુપ્ત રીતે દાન કરવી જોઈએ.

નવરાત્રી દરમિયાન આ વસ્તુઓનું દાન કરો

સુહાગની વસ્તુઓ: નવરાત્રી દરમિયાન પરિણીત સ્ત્રીને લાલ ચુનરી, લાલ સાડી અથવા અન્ય લગ્નની વસ્તુઓનું દાન કરો. દેવી દુર્ગાને લાલ રંગ ખૂબ ગમે છે. નવરાત્રી દરમિયાન આ વસ્તુઓનું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી વિવાહિત જીવનમાં સુખ અને શાંતિ આવે છે.

છોકરીઓને અભ્યાસ સંબંધિત વસ્તુઓ: નવરાત્રી દરમિયાન છોકરીઓને ખોરાક, નોટબુક, પેન, પુસ્તકો અથવા અન્ય શૈક્ષણિક સામગ્રીનું દાન કરો. નાની છોકરીઓને દેવી દુર્ગાનું સ્વરૂપ માનવામાં આવે છે.

ફળો: નવરાત્રી દરમિયાન ફળો, ખાસ કરીને કેળાનું દાન કરો. આનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે, આર્થિક સંકટ દૂર થાય છે અને સમૃદ્ધિ આવે છે.

અનાજ અને સફેદ મીઠાઈ: નવરાત્રીના કોઈપણ દિવસે ચોખા, લોટ, ખાંડ અથવા કોઈપણ સફેદ મીઠાઈનું દાન કરો. આમ કરવાથી ઘરમાંથી ગરીબી કાયમ માટે દૂર થઈ જાય છે.

Ravivar Puja : રવિવારે કયો પ્રસાદ વહેંચવો જોઈએ, જાણવા માટે અહીં ક્લિક કરો..

IPL 2026: 3 દિગ્ગજ ખેલાડી 200 વિકેટના ક્લબમાં એન્ટ્રી માટે તૈયાર

નવા વર્ષે T20 ક્રિકેટની સૌથી મોટી લીગ શરૂ થવા જઈ રહી છે. 28 માર્ચથી દુનિયાની સૌથી જાણીતી T20 લીગ, IPLની 19મી સીઝનની શરૂઆત થઈ રહી છે અને પછી શરૂ થશે રોમાંચક અને ઉથલ-પાથલ ભરી લાંબી સફર. દરેક વર્ષની જેમ, આ વર્ષે પણ આ સફરમાં અનેક નવા રેકોર્ડ બનશે, અનેક નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. કેટલાક નવા ચહેરા પોતાની ઓળખ બનાવશે તો કેટલાક અનુભવી દિગ્ગજ પોતાના દબદબાને જાળવવા પ્રયત્ન કરશે. આ અનુભવી ખેલાડીઓમાં 3 દિગ્ગજ એવા પણ છે, જે IPL 2026માં પોતાની વિકેટ લેવાની ડબલ સૅંચ્યુરી પૂર્ણ કરશે.

200 વિકેટના ક્લબમાં આ 3 દિગ્ગજ

IPLના નવા સીઝનમાં અનેક નવા રેકોર્ડ બનાવવાના છે. સામાન્ય રીતે T20 ક્રિકેટમાં વધારે રેકોર્ડ બેટ્સમેનના નામે જ નોંધાય છે અને તેમની જ ચર્ચા થાય છે, પરંતુ બોલિંગમાં પણ નવા રેકોર્ડ સર્જાય છે. આવો જ એક રેકોર્ડ છે 200 વિકેટનો, જે IPLમાં અત્યાર સુધી ખૂબ જ દુર્લભ રહ્યું છે, કારણ કે માત્ર એક બોલર જ આ મંચ સુધી પહોંચ્યો છે. તેનું નામ છે યુવેન્દ્ર ચહલ. પરંતુ IPL 2026 સીઝનમાં ચહલને 3 નવા સાથી મળી શકે છે – ભુવનેશ્વર કુમાર, સુનીલ નરેન અને જસપ્રીત બુમરાહ.

આ T20 લીગમાં ત્રણ સફળ અને ચેમ્પિયન બોલર્સમાં ભુવનેશ્વર કુમાર, જસપ્રિત બુમરાહ અને સુનિલ નરેનની પાસે આ સીજનમાં 200 વિકેટ લેવાનો મોકો છે.ત્રણેય પોત-પોતાની ટીમની બોલિંગનો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે. આ સ્થિતિમાં, તેમના માટે આ મંચ હાંસલ કરવું વધારે મુશ્કેલ નહીં બનવાનું કારણ એ છે કે તેમને ફક્ત થોડી ગણતરીનાં વિકેટ્સની જરૂર છે.

કોણ વધારે નજીક, કોણ દૂર ?

સૌથી પહેલા ભુવનેશ્વર, ડિફેંડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના અનુભવી બોલર ભુવનેશ્વર કુમાર 200 વિકેટથી માત્ર 2 ડગલાં દૂર છે. ભુવનેશ્વરે 190 મેચમાં 198 વિકેટ લીધી છે, જેમાં 2 મેચમાં 5 વિકેટ લીધી છે. બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સના સ્ટાર સ્પિનર સુનિલને માત્ર 8 વિકેટની જરૂર છે. સુનિલે 189 મેચમાં 192 વિકેટ લીધી છે અને 7 મેચમાં 4 વિકેટ લઈ ચૂક્યો છે. વાત કરીએ બુમરાહની તો મુંબઈ ઈંડિયંસના દિગ્ગજ ઝડપી બોલર પણ આ કરી શકે છે. પરંતુ તે બંનેની તુલનામાં થોડો દૂર છે. બુમરાહને 200 વિકેટ સુધી પહોંચવા માટે 17 વીકટ ની જરૂર છે. તેના નામે 145 મેચ માં 183 વિકેટ્સ છે. બુમરાહએ 2 મેચમાં 5 વિકેટ લીધી છે. આ ત્રણ સિવાય બીજા કોઈ બોલર આ રેકોર્ડની નજીક નથી. જ્યાં સુધી નંબર-1 બોલરની વાત છે, તેમાં લેગ સ્પિનર યુવેન્દ્ર ચહલ 221 વિકેટ્સ સાથે ખૂબ આગળ છે.

Breaking News: IPL 2026 પહેલા વિરાટ કોહલીએ પસંદ કરી ઓલ ટાઈમ RCB પ્લેઈંગ 11, જાણો કોને-કોને મળ્યું ટીમમાં સ્થાન?

Breaking News: ઓપનિંગ, નંબર-3 કે મિડલ ઓર્ડર… CSK માં સંજુ સેમસન કયા નંબર પર કરશે બેટિંગ ? પૂર્વ કોચે કરી આગાહી

IPL 2026ની શરૂઆત પહેલા CSKની ટીમ અને તેમના બેટિંગ ક્રમ વિશે ક્રિકેટ જગતમાં ચર્ચા શરુ થઈ ગઈ છે. પૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરે ટીમના સંભવિત બેટિંગ ક્રમ વિશે વાત કરતાં જણાવ્યું કે સંજુ સેમસનને ટોપ ઓર્ડરમાં મહત્વપૂર્ણ ભૂમિકા આપવામાં આવવી જોઈએ.

નંબર-3 પર બેટિંગ કરવી યોગ્ય રહેશે

સંજય બાંગરના મત મુજબ સેમસન માટે નંબર-3 પર બેટિંગ કરવી સૌથી યોગ્ય રહેશે. તેમના જણાવ્યા પ્રમાણે આ સ્થાન પર બેટિંગ કરવાથી સેમસન ટીમના ઓપનરો અને મિડલ ઓર્ડર વચ્ચે સારું બેલેન્સ ઉભું કરી શકે છે અને ટીમની બેટિંગ વધુ મજબૂત બની શકે છે.

ઋતુરાજ-આયુષની ઓપનિંગ જોડી

સંજય બાંગરે સૂચન કર્યું કે CSK માટે ઓપનિંગમાં કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ સાથે યુવા બેટ્સમેન આયુષ મ્હાત્રેને તક આપવી જોઈએ. તેમનું માનવું છે કે ગાયકવાડે પોતાની કારકિર્દીમાં ઓપનર તરીકે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે, તેથી તેણે શરૂઆતમાં જ બેટિંગ કરવી જોઈએ.

 

મિડલ ઓર્ડરમાં બ્રેવિસ-શિવમ-કાર્તિક

જો સંજુ સેમસન નંબર-3 પર બેટિંગ કરશે તો ત્યારબાદ મિડલ ઓર્ડરમાં ડેવોલ્ડ બ્રેવિસને ચોથા નંબર પર મોકલી શકાય છે. જ્યારે પાંચમા નંબર માટે શિવમ દુબે અથવા કાર્તિક શર્મા જેવા ખેલાડીઓ ટીમને વધુ મજબૂત બનાવી શકે છે.

ચહર-નૂરની સ્પિન બોલિંગ

આ ઉપરાંત બાંગરે CSKની બોલિંગ લાઈનઅપ વિશે પણ વાત કરી હતી. તેમના મુજબ લેગ સ્પિનર રાહુલ ચહર ટીમ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. તેના સાથે સ્પિન વિભાગમાં નૂર અહમદ પણ મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

IPL 2026માં CSKને સંજુથી મોટી આશા

ઉલ્લેખનીય છે કે સંજુ સેમસન 2025 માં ટ્રેડ ડીલ દ્વારા રાજસ્થાન રોયલ્સમાંથી CSKમાં જોડાયો હતો. આ ડીલમાં રવિન્દ્ર જાડેજા અને સેમ કરન રાજસ્થાન ટીમમાં ગયા હતા. હવે IPL 2026માં સેમસન CSK માટે મહત્વપૂર્ણ ખેલાડી બની શકે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Breaking News: IPL 2026 પહેલા વિરાટ કોહલીએ પસંદ કરી ઓલ ટાઈમ RCB પ્લેઈંગ 11, જાણો કોને-કોને મળ્યું ટીમમાં સ્થાન?

LPG Gas Cylinder Breaking : એક સાથે PNG અને LPG ગેસ કનેક્શન રાખનાર સાવધાન! બુધવાર સુધી LPG સરેન્ડર ફરજિયાત જુઓ વિડિયો

SBI માં ફક્ત 1,00,000 રૂપિયા જમા કરી મળશે 42,524 રૂપિયા સુધીનું વ્યાજ,

દરેક વ્યક્તિ પોતાના ફોનમાં રિચાર્જ પ્લાન કરાવે છે કારણ કે રિચાર્જ વગર ના તો તે કોઈ સાથે ફોન પર વાત કરી શકે છે ના તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકે છે ત્યારે યુઝર્સ સસ્તા અને બજેટ ફ્રેન્ડલી પ્લાન વિશે જાણવા માંગતા હોય છે ત્યારે આવા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો 

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સરકાર સામે કર્યા આકરા પ્રહાર- જુઓ Video

ગીર સોમનાથથી કોગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ સોમનાથ સ્વાભિમાન પર્વને લઈને સરકાર સામે આકરા પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે સોમનાથના નામે રેલીઓ અને પ્રદર્શનો કરાઈ રહ્યાં છે. કોંગ્રેસે કોઈપણ કાર્યક્રમ રાજકીય સ્ટંટ વગર પુરો કર્યો છે. કોંગ્રેસનો સનાતન પ્રેમ સરકાર દ્વારા સ્વીકારવો મુશ્કેલ છે. આઝાદી બાદ સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠા સરદાર પટેલ અને તત્કાલિન રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે કરી હતી. ચુડાસમાએ આક્ષેપ કર્યો કે તાજેતરમાં રાષ્ટ્રપતિ આવ્યા ત્યારે સોમપુરા બ્રાહ્મણ સમાજને અપમાનિત કરાયો. સોમપુરા બ્રાહ્મણોને બાકાત રાખી બહારથી બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા હતા.આ બ્રાહ્મણોને તેમનો હક આપવામાં આવ્યો ન હતો અને આંદોલન પણ થયું હતું

ચુડાસમાએ સોમનાથની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સરકારને કર્યો સવાલ

વિમલ ચુડાસમાએ પ્રહાર કર્યો કે ભાજપની સરકારમાં વિકાસના નામે દુકાનો, મસ્જીદો, મંદિરો તોડવાનું કામ કરાઈ રહ્યુ છે. ખોડિયાર માતાજીનું મંદિર પણ તોડી પાડવામાં આવ્યુ. દરગાહો પણ તોડી પડાઈ. સાધુ સંતોની સમાધી પણ તોડવામાં આવી રહી છે. તેમણે ભાજપની સરકારને સવાલ કર્યો કે દેશ સ્વતંત્ર થયો એના પહેલા સોમનાથમાં તમારો શું ફાળો હતો?

Input Credit- Ronak Varma- Gandhinagr

ચૈત્ર નવરાત્રી 2026 : નવરાત્રી દરમિયાન કઈ દેવીને કયું ફૂલ ચઢાવવું જોઈએ ? માં દુર્ગાના ભક્તોની લાવશે સુખાકારી, વધુ સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

 

Breaking News : તમિલનાડુમાં ભાજપે રમી મોટી રમત, વિજય થલાપતિને નાયબ મુખ્યમંત્રી પદ સહિત મોટી ઓફર આપી

તમિલનાડુની રાજનીતિમાં સિનેમા અને રાજકારણનો હંમેશા ઉંડો સંબંધ રહ્યો છે. હવે આમાં એક નવો અધ્યાય જોડાતો જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ ભાજપે રાજ્યની સત્તામાં પોતાની પકડ મજબુત કરવા માટે અભિનેતામાંથી નેતા બનેલા વિજયની પાર્ટી ટીવીકેને ગંઠબંધનની ખુલ્લી ઓફર આપી છે. સુત્રોનો દાવો છે કે,ભાજપે વિજયની સામે નાયબ મુખ્યમંત્રીનું પદનો પણ પ્રસ્તાવ રાખ્યો છે. એક રિપોર્ટમાં ભાજપના સુત્રો દ્વાર કહેવામાં આવ્યું કે, પાર્ટીએ ગઠબંધન હેઠળ ટીવીકેની 80 સીટ આપવાની પણ વાત કરી છે.

2 ટકા મત પણ ગેમ પલટી નાંખે

ભાજપના રણનીતિકારો માને છે કે તમિલનાડુની હાઈવોલ્ટેજ લડાઈવાળી ચૂંટણીઓમાં, ફક્ત 2 ટકા મતનો તફાવત પણ પરિવર્તન લાવી શકે છે. રાજ્યના ચૂંટણી ઇતિહાસમાં ખુબ ઓછા માર્જિનથી પણ જીત-હારનો નિર્ણય લેવાયે છે. ત્યારે વિજયનું સમર્થન ભાજપ માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.
વિજયની લોકપ્રિયતાને જોઈ ભાજપે તેને પોતાની સાથે ગઠબંધન કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે.

વિજયની નજર મુખ્યમંત્રીની ખુરશી પર

ભાજપે ભલે વિજયને નાયબમુખ્યમંત્રી નું પદ અને 80 સીટની ઓફર આપી હોય પરંતુ અભિનેતા વિજયની નજર મુખ્યમંત્રીની ખુરશી પર રહેલી છે. રાજનીતિક વિશ્લેષકોનું કહેવું છે કે, વિજય પોતાની પહેલી ઈનિગ્સમાં મુખ્ય ભુમિકા નિભાવવા માંગે છે. એવું પણ કહેવું છે કે, વિજયે પોતાના રાજકારણની શરુઆત ત્રીજા વિકલ્પ અને સ્વતંત્ર તાકતના રુપમાં કરી હતી.સલાહકારનું માનવું છે કે, આટલી જલ્દી રાષ્ટ્રીય ગઠબંધનનો ભાગ બનવાથી તેની નવી અને અલગ રાજકારણની છાપ ધુંધળી થઈ શકે છે.

વિજય પર દબાણ લાવવાના પ્રયાસો

તેમણે કહ્યું કે, રાજ્યમાં રાજકીય પક્ષો પૈસાથી મતદારોને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી શકે છે, પરંતુ તેઓ સફળ થશે નહીં. વિજયે કહ્યું કે,ચૂંટણી દરમિયાન પૈસા વહેંચવામાં આવે તો પણ, આખરે મતદારો જ મતદાન કરશે અને નિર્ણય ટીવીકેના પક્ષમાં આવશે. દરમિયાન, વિજયને ચૂંટણી પહેલા અનેક પડકારોનો સામનો કરવો પડશે.કરુર નાસભાગ કેસની તપાસ અને સીબીઆઈના વારંવાર સમન્સને કારણે તેમના માટે રાજકીય અને વ્યવહારિક મુશ્કેલીઓ ઊભી થઈ છે. સૂત્રો જણાવે છે કે, આ કેસનો ઉપયોગ કરીને વિજય પર દબાણ લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.

અભિનેતામાંથી રાજકારણમાં એન્ટ્રી કરનાર વિજય થલાપતિની કરુરની રેલીમાં ભાગદોડથી 39ના મોત, આવો છે સ્ટારનો પરિવાર અહી ક્લિક કરો

Breaking News : રોહિત અને વિરાટના નામ નહીં… આ ખેલાડીઓને મળશે એવોર્ડ, BCCI એ કરી મોટી જાહેરાત

ભારતીય ક્રિકેટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન અને યોગદાનને સન્માનિત કરવા માટે BCCI નમન એવોર્ડ્સ 2026નું આયોજન કરી રહ્યું છે. આ એવોર્ડ સમારોહ 15 માર્ચ, 2026 ના રોજ નવી દિલ્હીમાં યોજાશે. બોર્ડ દ્વારા દર વર્ષે વિવિધ શ્રેણીઓમાં ખેલાડીઓ, ભૂતપૂર્વ ખેલાડીઓ, કોચ અને અમ્પાયરોને આ એવોર્ડ્સ આપવામાં આવે છે. આ વર્ષે, કયા ખેલાડીઓને કયા સન્માન મળ્યા તેની જાહેરાત કરવામાં આવી છે.

BCCI કયા ખેલાડીઓનું સન્માન કરશે?

BCCIએ જાહેરાત કરી છે કે ભારતીય ટેસ્ટ અને વનડે કેપ્ટન શુભમન ગિલને પોલી ઉમરીગર એવોર્ડ મળશે, જે પુરુષોના ક્રિકેટમાં શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરનો એવોર્ડ છે. શુભમન ગિલને આ એવોર્ડ સતત બીજી વખત મળ્યો છે. સ્મૃતિ મંધાનાને મહિલા માટે શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ક્રિકેટરનો એવોર્ડ મળશે. સ્મૃતિ મંધાનાને તેની કારકિર્દીમાં પાંચમી વખત આ સન્માન મળશે.

વિવિધ કેટેગરીમાં એવોર્ડની જાહેરાત

ઘરેલુ ક્રિકેટમાં, મુંબઈની ઇરા જાધવને ઘરેલુ ક્રિકેટમાં શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર માટે જગમોહન દાલમિયા ટ્રોફી મળશે. હરિયાણાની શેફાલી વર્માને સિનિયર ઘરેલુ વનડેમાં શ્રેષ્ઠ મહિલા ક્રિકેટર માટે જગમોહન દાલમિયા ટ્રોફી મળશે. આ દરમિયાન, મુંબઈના આયુષ મ્હાત્રેને ઘરેલુ મર્યાદિત ઓવરની ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માટે લાલા અમરનાથ એવોર્ડ મળશે. વિદર્ભના હર્ષ દુબેને રણજી ટ્રોફીમાં શ્રેષ્ઠ ઓલરાઉન્ડર માટે લાલા અમરનાથ એવોર્ડ મળશે. વધુમાં, મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) ને ફરી એકવાર BCCI ડોમેસ્ટિક ટુર્નામેન્ટનો શ્રેષ્ઠ પ્રદર્શન એવોર્ડ મળશે, જેણે ચાર ટ્રોફી જીતી છે અને બેમાં રનર-અપ રહી છે.

5 ટીમોનું એકસાથે સન્માન

આ વર્ષે, નમન એવોર્ડ્સ પાંચ ICC ટ્રોફી જીતનાર ભારતીય ટીમોને પણ સન્માનિત કરશે. ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં આ પહેલીવાર બનશે કે આટલી મોટી સંખ્યામાં ટાઇટલ ધરાવતી ટીમોને એકસાથે સન્માનિત કરવામાં આવશે.

  • સિનિયર મેન્સ ટીમ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને ICC T20 વર્લ્ડ કપ 2026
  • સિનિયર મહિલા ટીમ: ICC મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2025
  • પુરુષોની અંડર-19 ટીમ: ICC અંડર-19 વર્લ્ડ કપ 2026
  • મહિલા અંડર-19 ટીમ: ICC અંડર-19 વર્લ્ડ કપ 2025

Breaking News: અભિષેક-શુભમન બાદ IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો યુવરાજ સિંહનો શિષ્ય, IPL 2026 પહેલા લીધી ખાસ ટ્રેનિંગ

Breaking News: 1 એપ્રિલ 2026 થી બદલાઈ જશે ટેક્સના આ 7 નિયમ, સામાન્ય માણસના ખિસ્સા પર શું અસર પડશે?

આ પણ વાંચો: આસામથી ગુજરાત સુધી તેલના કુવા છતાં તિજોરી કેમ ખાલી? શા માટે ભારત 85% તેલ વિદેશથી મંગાવે છે? જાણો આ પાછળનું રહસ્ય

ગેસની અછત હોવા છતા અંબાજીમાં યાત્રિકો માટે નિ:શુલ્ક ભોજનની વ્યવસ્થા રહેશે યથાવત્-Video

અમેરિકા ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સમગ્ર વિશ્વમાં તેલની અને ગેસની કટોકટી સર્જાઈ છે. જેની અસર હવે ભારત પર પણ પડવાની શરૂ થઈ ગઈ છે. દેશમાં હાલ તો પૂરવઠો જાળવી રાખવા અને ડોમેસ્ટિક ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે કોમર્શિયલ ગેસ પર કાપ મુક્યો છે. ત્યારે યાત્રાધામ અંબાજીમાં હાલ તો ગેસની કોઈ અછત જણાતી નથી. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર
યાત્રાધામ અંબાજી ખાતે દરરોજ 5 હજાર જેટલા ભક્તો બંને ટાઈમ નિશુલ્ક જમી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ તો ગેસનો પૂરતો જથ્થો હોવાથી ગેસ પર જ રસોઈ કરવામાં આવે છે પરંતુ આગામી સમયમાં ગેસની વધુ અછત સર્જાશે તો ચુલા પર લાકડાની મદદથી યાત્રિકોને નિ:શુલ્ક જમાડવામાં આવશે.

જો કે કોમર્શિયલ ગેસ આપવાનું બંધ કરાતા અંબાજીમાં 30 થી 40 હોટેલો પર તેની સીધી અસર જોવા મળી રહી છે. જો કોમર્શિયલ ગેસ નહીં મળે તો તમામ રેસ્ટોરન્ટ્સ અને હોટેલો બંધ કરવાની ફરજ પડશે.

આ અંગે ગેસ એજન્સીના માલિકે જણાવ્યુ કે જે રીતે સોશિયલ મીડિયામાં ગેસની જેટલી અછત બતાવવામાં આવી રહી છે. તે તદ્દન ખોટી છે. હાલમાં પુરતો સ્ટોક છે અને તમામને સમયસર ગેસ પુરો પાડવામાં આવી રહ્યો છે. દરેક ઘરમાં ગેસની અછત ન સર્જાય તે માટે માત્ર કોમર્શિયલ ગેસ પર કાપ મુકવામાં આવ્યો છે. જોકે આ બાબતે બનાસકાંઠા જિલ્લા કલેકટરે પણ જિલ્લામાં ત્રણ કંપનીની 37 જેટલી ગેસ એજન્સી ધારકો સાથે બેઠક યોજી. ગેસની તકલીફ ન પડે અને સાથે ગેસ ન સંગ્રહખોરી સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

Breaking News: ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈની જાણકારી આપનારને અમેરિકા આપશે 10 કરોડ ડૉલરનું ઈનામ, ટ્રમ્પની નવી ચાલ

 

Fridge Electricity Bill : ઉનાળામાં તમારા રેફ્રિજરેટર ચલાવતી વખતે આ ભૂલો ન કરતાં

લગ્નએ એવી ઈવેન્ટ છે, જ્યાં બે લોકો એટલે કે એક કપલ વૈવાહિક સંબંધમાં જોડાય છે. જેને ભારતીય સંસ્કૃતિ મુજબ ‘વિવાહ’ પણ કહેવામાં આવે છે.  અહી ક્લિક કરો

US-Israel-Iran War: યુદ્ધ હવે ડિજિટલ મોરચે! ઈરાનની હિટ લિસ્ટમાં મોટી ટેક કંપનીઓ

મિડલ ઈસ્ટમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધ હવે ખતરનાક વળાંક લઇ રહ્યું છે. ઈરાને હવે એક નવી યાદી જાહેર કરી છે જેમાં જણાવ્યું છે કે ઈઝરાયેલ, દુબઇ, અભુ ધાબી અને પશ્ચિમી એશિયાના અન્ય સ્થળો પર આવેલી અમેરિકાની મોટી ટેક્નોલોજી કંપનીઓજેવી કે Google, Amazon, Microsoft, Nvidia, IBM, Oracle અને Palantirના ઓફિસો પર હુમલો કરવામાં આવશે. આ યાદી સામે આવતા જ હવે આ કંપનીઓને એલર્ટ પર રાખવામાં આવી છે.

ઈરાન સાથે જોડાયેલ ન્યુઝ એજન્સિ ‘Tasnim’એ હાલમાં જ આ લિસ્ટને બહાર પાડી છે. આ લિસ્ટમાં જણાવાયું છે કે ઈરાન હવે અમેરિકાની મોટી ટેક કંપનીઓની ઓફિસ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરશે. ઈઝરાયેલએ આ કંપનીઓની ટેકનોલોજીનો ઉપયોગ સૈનિક કામો માટે કર્યો છે, અને એ જ કારણ છે કે હવે આ કંપનીઓ ઈરાનની હિટ લિસ્ટમાં સામેલ થઇ ગઈ છે.

જે ઓફિસો અને ક્લાઉડ‑સર્વિસ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે ઈઝરાયેલના અનેક શહેરોમાં તેમજ કેટલાક ખાડી દેશોમાં પણ ફેલાયેલું છે. તસનિમ ન્યૂઝ એજન્સીના એક નિવેદન અનુસાર, હવે આ યુદ્ધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર કેન્દ્રિત યુદ્ધનો સ્વરૂપ લઈ રહ્યું છે, જેના કારણે ઈરાનના સંભવિત લક્ષ્યો (ટાર્ગેટ્સ)નો વિસ્તાર પણ વધ્યો છે.

Amazon Data Centre પર હુમલો

છેલ્લા એક અઠવાડિયામાં, ખબર મુજબ ઈરાનના ડ્રોન દ્વારા બેહરિનમાં Amazon Web Services (AWS)ના એક ડેટા સેન્ટર પર હુમલો કરવામાં આવ્યો હતો અને યુનાઇટેડ આરબ અમીરાતમાં AWSના બે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.આ હુમલાથી આગ લાગી, સેવાઓ બંધ થઈ ગઈ અને ઇમર્જન્સી શટડાઉન કરવું પડ્યું. CNNના રિપોર્ટ મુજબ, ઈરાનના સરકારી મીડિયાએ જણાવ્યું કે આ ડેટા સેન્ટરોનું યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈઝરાયેલના સૈનિક ઓપરેશન્સ સાથે સંકળાયેલ હોવાથી તેઓને ટાર્ગેટ બનાવવામાં આવ્યો હતો.

Breaking News: ઈરાનના નવા સુપ્રીમ લીડર મુજ્તબા ખામેનેઈ કોમામાં હોવાનો દાવો, એક પગ ગુમાવ્યાની પણ ચર્ચા

આ 3 રાશિના જાતકોનો શરુ થશે ગોલ્ડન ટાઈમ, મહાલક્ષ્મી રાજયોગ કરાવશે મોટો લાભ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

શું મોડી રાત્રે ખાવાથી સ્વાસ્થ્યના જોખમો વધી શકે છે? જાણો નિષ્ણાંતોની સલાહ

આજકાલના ઝડપી જીવનમાં ઘણા લોકો મોડી રાત્રે જ ભોજન લે છે. કામ, મોબાઈલ અથવા ટીવી જોવું અને પછી જ ખાવું એ સામાન્ય બની ગયું છે. ઘણીવાર લોકો આને નાના મુદ્દા તરીકે અવગણે છે, પરંતુ આ સ્વાસ્થ્ય માટે જોખમભર્યું હોઈ શકે છે. લાંબા સમય સુધી આવી આદત ચાલુ રહે તો શરીરની કાર્યપ્રણાલી ધીમે ધીમે પ્રભાવિત થવા લાગે છે અને અનેક આરોગ્ય સમસ્યાઓ ઉભી થઈ શકે છે.

કુદરતી જૈવિક ઘડિયાળ પર અસર

શરીરમાં પાચન, ઊંઘ અને ઊર્જા માટે કુદરતી જૈવિક ઘડિયાળ હોય છે. જ્યારે ભોજનનો સમય વારંવાર બદલાય છે અથવા મોડી રાત્રે ખાવામાં આવે છે, ત્યારે આ ઘડિયાળ પ્રભાવિત થાય છે, જે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. વિજ્ઞાન મુજબ આ આંતરિક ઘડિયાળ શરીરના હોર્મોન, ઊંઘ અને પાચન પ્રક્રિયાને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.

પાચન સંબંધિત સમસ્યાઓ

સૂતા પહેલા ખાવાથી શરીરને ખોરાક પચાવવા પૂરતો સમય નહીં મળે. પરિણામે પેટમાં એસિડિટી, ગેસ, અપચો અને હાર્ટબર્ન જેવી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. કેટલાક લોકોને પેટમાં બળતરા અથવા અસ્વસ્થતા પણ અનુભવાય છે, જે દૈનિક જીવનને અસર કરી શકે છે.

વજન અને સ્થૂળતાનો જોખમ

મસાલેદાર અથવા તળેલું ભોજન મોડી રાત્રે લેવાને કારણે શરીરમાં વધુ કેલરી સંગ્રહ થાય છે. આથી લાંબા ગાળે વજન વધે છે અને સ્થૂળતાનો જોખમ વધી શકે છે, જે હૃદય રોગ, હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ તરફ દોરી શકે છે. કારણ કે રાત્રિના સમયે શરીર ઊર્જા ઓછું વાપરે છે અને વધારાની કેલરી ચરબી તરીકે સંગ્રહિત થઈ શકે છે.

ઊંઘ અને હોર્મોનલ બેલેન્સ પર અસર

મોડી રાત્રે ખાવાની આદત ઊંઘની ગુણવત્તા પર અસર કરે છે. ઓછી ઊંઘ હોર્મોનલ સંતુલન ખોટું કરે છે, જે ધીમે ધીમે અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે. સારી અને પૂરતી ઊંઘ શરીરને આરામ અને પુનઃસ્થાપન માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે.

લક્ષણો કેવી રીતે દેખાય છે

મોડી રાત્રે ખાવાથી સંબંધિત લક્ષણોમાં પેટમાં ભારેપણું, એસિડિટી, ગેસ, હાર્ટબર્ન, સવારે ઉઠતી વખતે થાક અને સુસ્તી, ભૂખ ન લાગવી અને પાચનમાં તકલીફ આવવી સામેલ છે. આ લક્ષણો શરૂઆતમાં સામાન્ય લાગે છે પરંતુ સમય જતા ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓમાં બદલાઈ શકે છે.

સલાહ અને ઉકેલ

સૂવાના બે થી ત્રણ કલાક પહેલાં રાત્રિભોજન કરવું. ભોજન હળવું અને સંતુલિત હોવું જોઈએ. મસાલેદાર, તળેલું અને ભારે ભોજન ટાળવું. નિયમિત સૂવા અને જાગવાની આદત કેળવવી. સાથે સાથે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું અને હળવી કસરત કરવી પણ આરોગ્ય માટે લાભદાયી બની શકે છે.

ડૉક્ટરની સલાહ લેવી

જો પાચન સમસ્યાઓ ફરી શરૂ થાય તો ડૉક્ટરની સલાહ જરૂરી છે. યોગ્ય ખાવાથી, નિયમિત દિનચર્યા અને હલકી આદતો જાળવીને મોડી રાત્રે ખાવાની આદતના જોખમો ટાળી શકાય છે. સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી લાંબા ગાળે શરીર અને મન બંનેને લાભ મળે છે.

Viral Video: ગેસ સિલિન્ડર ના મળતાં હોટેલ માલિક મજબૂર, લાકડા ભેગા કરી ચૂલા પર બનાવી રસોઈ

Breaking News : મ્યુચ્યુઅલ ફંડથી કરવી છે મોટી કમાણી? રોકાણ પહેલાં જાણો મહત્વપૂર્ણ વાતો

આજના સમયમાં પોતાની મહેનતની કમાણી યોગ્ય જગ્યાએ રોકાણ કરવું દરેક માટે મોટો પડકાર બની ગયું છે. દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમના પૈસા ઝડપથી વધે અને મોંઘવારી સામે ટકી શકે. આવી સ્થિતિમાં મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે એક લોકપ્રિય વિકલ્પ બની રહ્યો છે. ખાસ કરીને છેલ્લા થોડા સમયમાં મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સ રોકાણકારોનું ખાસ ધ્યાન ખેંચી રહ્યા છે, કારણ કે તેમાં સારૂ વળતર મળવાની શક્યતા રહેલી છે.

વિશેષજ્ઞોના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં ઘણા મિડ કેપ ફંડ્સે લગભગ 24 ટકા સુધીનું વળતર આપ્યું છે. પરંતુ તેમાં રોકાણ કરતાં પહેલાં મિડ કેપ ફંડ્સ કેવી રીતે કામ કરે છે અને તેમાં પૈસા કેવી રીતે પૈસાનું રોકાણ કરવું તે સમજવું ખૂબ જરૂરી છે.

મિડ કેપ ફંડ્સ શું છે?

શેરબજારમાં કંપનીઓને તેમના કદ અને માર્કેટ કેપિટલાઇઝેશનના આધારે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ તરીકે વહેંચવામાં આવે છે. મિડ કેપ ફંડ્સ મુખ્યત્વે મધ્યમ કદની કંપનીઓમાં રોકાણ કરે છે.

આ કંપનીઓ ન તો ખૂબ મોટી હોય છે અને ન તો ખૂબ નાની. પરંતુ ભવિષ્યમાં ઝડપથી વિકાસ કરીને મોટી કંપની બનવાની તેમાં સારી શક્યતા રહેલી હોય છે. તેથી આવા ફંડ્સમાં ગ્રોથની સંભાવના વધારે હોય છે.

જોખમ અને રિટર્ન કેટલું?

મિડ કેપ ફંડ્સમાં સ્મોલ કેપ ફંડ્સની સરખામણીએ જોખમ થોડું ઓછું હોય છે, પરંતુ લાર્જ કેપ ફંડ્સ કરતાં થોડું વધારે હોઈ શકે છે. એટલે કે, આ ફંડ્સ રિસ્ક અને રિટર્ન વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કરે છે. જો કોઈ રોકાણકાર મધ્યમ જોખમ લઈને સારો નફો મેળવવા માંગતી હોય, તો મિડ કેપ ફંડ્સ તેના માટે યોગ્ય વિકલ્પ બની શકે છે. જોકે, અંતિમ રિટર્ન હંમેશા શેરબજારની સ્થિતિ પર નિર્ભર રહે છે.

કોણ રોકાણ કરી શકે?

  • મિડ કેપ ફંડ્સ ખાસ કરીને એવા રોકાણકારો માટે યોગ્ય છે:
  • જે લોકો લાંબા ગાળાનું રોકાણ કરવા માંગે છે
  • મધ્યમ સ્તરનું જોખમ લઈ શકે છે
  • નવી કંપનીઓમાં રોકાણ કરીને વધુ રિટર્ન મેળવવા માંગતા વ્યક્તિઓ.

એકસાથે (Lumpsum) રોકાણ કે SIP?

મિડ કેપ ફંડ્સમાં રોકાણ કરતી વખતે મોટો પ્રશ્ન એ હોય છે કે એકસાથે (Lumpsum) રોકાણ કરવું કે SIP (Systematic Investment Plan) દ્વારા?

ફાઇનાન્સિયલ નિષ્ણાતોના જણાવ્યા મુજબ મિડ કેપ જેવા ઈક્વિટી ફંડ્સમાં SIP (Systematic Investment Plan) વધુ સુરક્ષિત અને અસરકારક રીત માનવામાં આવે છે. SIPમાં તમે દર મહિને નિશ્ચિત રકમ રોકાણ કરવામાં આવે છે. જ્યારે બજારમાં વધારો કે ઘટાડો થાય ત્યારે તમને તે પ્રમાણે યુનિટ્સ મળે છે. અને જ્યારે બજાર ફરીથી ઊંચું જાય છે ત્યારે આ યુનિટ્સનું મૂલ્ય વધે છે, જેના કારણે રોકાણકારને સારો નફો મળી શકે છે.

નિષ્ણાતોની સલાહ

રોકાણ કરતાં પહેલાં પોતાની જોખમ લેવાની ક્ષમતા, રોકાણનો સમયગાળો અને નાણાકીય લક્ષ્યો ધ્યાનમાં લેવા ખૂબ જરૂરી છે. યોગ્ય માહિતી અને લાંબા ગાળાની યોજના સાથે મિડ કેપ મ્યુચ્યુઅલ ફંડ્સમાં રોકાણ કરવાથી સારું રિટર્ન મળવાની શક્યતાઓ વધી શકે છે.

Gold-Silver Rate Today: યુદ્ધ વચ્ચે સતત ઘટી રહ્યો સોના-ચાંદીનો ભાવ, જાણો આજની લેટેસ્ટ કિંમત વધુ જાણો

Breaking News : હવે વિપક્ષના નિશાને છે ચૂંટણી પંચ, મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા ઈતિહાસમાં પહેલીવાર કરાશે આવી કાર્યવાહી

દેશભરના વિરોધ પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે બંધારણીય માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે. આના માટે વિપક્ષના સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કરવામાં આવ્યા છે અને તેઓ આગામી થોડા દિવસોમાં લોકસભા અને રાજ્યસભામાં મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગની નોટિસ રજૂ કરવાની યોજના બનાવી રહ્યા છે. વિપક્ષનો આરોપ છે કે, મુખ્ય ચૂંટણી કમિશનરે તેમના કાર્યકાળ દરમિયાન પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ રીતે કાર્ય કર્યું છે, પશ્ચિમ બંગાળમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) સંબંધિત બાબતોમાં પણ અનિયમિતતાઓ કરાઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

CEC ને હટાવવા માટે વિપક્ષ આ અઠવાડિયે જ, બંને ગૃહોના મહાસચિવ સમક્ષ પ્રસ્તાવ રજૂ કરાશે. વિપક્ષ ઇચ્છે છે કે, મહાભિયોગ પ્રસ્તાવ ફક્ત એકને બદલે બંને ગૃહોમાં રજૂ કરવામાં આવે. સોમવારે વિરોધ પક્ષોની બેઠકમાં તમામ પક્ષો આ મુદ્દે સંમત થયા પછી આગળ વધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મહાભિયોગના પ્રસ્તાવ માટે સંસદના બંને ગૃહોમાં વિપક્ષના સાંસદોના હસ્તાક્ષર એકત્રિત કરવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થઈ ગઈ છે.

સાંસદોના હસ્તાક્ષર

સૂત્રોના જણાવ્યાનુ, લોકસભામાં રજૂ થનારી નોટિસ પર આશરે 120 સાંસદોએ હસ્તાક્ષર કર્યા છે, જ્યારે રાજ્યસભા માટે તૈયાર કરાયેલી નોટિસ પર આશરે 60 સાંસદોના હસ્તાક્ષર હોવાના અહેવાલ છે. મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કરવા માટે લોકસભામાં ઓછામાં ઓછા 100 સાંસદો અને રાજ્યસભામાં 50 સાંસદોના હસ્તાક્ષરો જરૂરી છે. એવું જાણવા મળ્યું છે કે જરૂરી હસ્તાક્ષરો લગભગ એકત્રિત થઈ ગયા છે.

કલમ 324 હેઠળ હટાવવાની માંગ

બંધારણની કલમ 324 હેઠળ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની માંગણી કરતા તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ઠરાવને અનેક વિપક્ષી પક્ષોએ સમર્થન આપ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. કલમ 324 ભારતના ચૂંટણી પંચની સત્તાઓ અને કામગીરીનું નિયમન કરે છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પાર્ટી, તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ આ પહેલમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. વરિષ્ઠ TMC સાંસદો બંને ગૃહોમાં વિપક્ષી સાંસદોનો સક્રિયપણે સંપર્ક કરી રહ્યા છે અને સહીઓ એકત્રિત કરી રહ્યા છે.

કોંગ્રેસે પ્રસ્તાવને આપ્યુ સમર્થન

કોંગ્રેસ પાર્ટીએ પણ આ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું. કોંગ્રેસ નેતા ઉદિત રાજે કહ્યું હતું કે તેમની પાર્ટી લાંબા સમયથી મતદાર યાદીઓમાં કથિત અનિયમિતતાઓનો મુદ્દો ઉઠાવી રહી છે અને તૃણમૂલ કોંગ્રેસની પહેલનું સ્વાગત કરે છે. કોંગ્રેસના સાંસદ સુખદેવ ભગતે બિહાર અને પશ્ચિમ બંગાળમાં ખાસ સઘન સુધારણા પ્રક્રિયા પર પણ પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે આવા અભિયાનોનો ઉપયોગ ઘણીવાર રાજકીય હથિયાર તરીકે થાય છે.

સપાનું પણ સમર્થન

પૂર્ણિયાના સ્વતંત્ર સાંસદ પપ્પુ યાદવે પણ મુખ્ય ચૂંટણી કમિશનર સામે કાર્યવાહીની માંગને સમર્થન આપ્યું હતું. તેઓ કહે છે કે હાલમાં, એવું લાગે છે કે ચૂંટણી પંચ સંપૂર્ણપણે સ્વતંત્ર રીતે કામ કરી રહ્યું નથી. સમાજવાદી પાર્ટીએ પણ આ પ્રસ્તાવને ટેકો આપ્યો છે, જેમાં પાર્ટીના સાંસદ ધર્મેન્દ્ર યાદવે જણાવ્યું છે કે તેમનો પક્ષ આ મુદ્દા પર તૃણમૂલ કોંગ્રેસ સાથે છે.

સીઈસીને હટાવવાનો પ્રથમ પ્રસ્તાવ

જો કે વિપક્ષે ઔપચારિક રીતે નોટિસ દાખલ કરે છે, તો આ મામલો સંસદમાં એક મોટો રાજકીય મુદ્દો બની શકે છે. આ પહેલી વાર હશે જ્યારે સીઈસીને હટાવવાનો પ્રસ્તાવ સંસદમાં રજૂ કરવામાં આવશે. સીઈસીને હટાવવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટના ન્યાયાધીશ જેવી જ છે, અને તે ફક્ત “ગેરવર્તણૂક” અથવા “અક્ષમતા” ના આધારે જ શક્ય છે. સીઈસીને હટાવવાનો પ્રસ્તાવ કોઈપણ ગૃહમાં રજૂ કરી શકાય છે, અને તેને પસાર કરવા માટે હાજર રહેલા સાંસદ અને મતદાન કરનારા કુલ સભ્યોની બહુમતી હોવી જરૂરી છે.

કેન્દ્રના માર્ગ અને પરિવહન વિભાગે, ગુજરાતમાંથી પસાર થતા નેશનલ હાઈવે પર છેલ્લા પાંચ વર્ષમાં 20,383 કરોડનો ટોલ ટેક્સ વસૂલ્યો

Breaking News: અફવા ફેલાવનારાઓ પર રાખો કડક નજર, PM મોદીએ મંત્રીઓને આપી ચેતવણી

પ્રધાનમંત્રી મોદીએ આજે ગુરુવારે પોતાના મંત્રીઓને કહ્યું કે-ઈરાનમાં ચાલી રહેલા સંકટને ધ્યાનમાં રાખીને દેશની અંદરની સ્થિતિ પર સતત નજર રાખવી જરૂરી છે. તેમણે ચેતવણી આપી કે કેટલાક લોકો હાલની પરીસ્થિતિને લઈ અફવા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, તેથી આવા લોકો પર કડક નજર રાખવી જોઈએ.

ઈરાનમાં ચાલી રહેલા યુદ્ધના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ગેસની અછત જોવા મળી રહી છે. LPG સિલિન્ડર મેળવવા માટે લાંબી લાઈનો લાગી રહી છે. આ સ્થિતિ વચ્ચે પ્રધાનમંત્રી મોદીએ પોતાના મંત્રીઓને સૂચના આપી છે કે લોકોમાં ભય અને ગેરસમજ ફેલાવનાર તત્વો પર નજર રાખવી જરૂરી છે. તેમણે જણાવ્યું કે સંભવિત સંકટ સામે ભારતની તૈયારીઓ મજબૂત છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, મોદીએ મંત્રીઓને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા અને વિરોધ પક્ષના પ્રચારનો તીવ્ર રીતે જવાબ આપવા પણ જણાવ્યું છે.

અન્ય દેશોની સરખામણીએ ભારતમાં સ્થિતિ સારી

મંત્રીઓમાં આત્મવિશ્વાસ જળવાઈ રહે તે માટે મોદીએ કહ્યું કે આવી સ્થિતિ માત્ર એક દેશને નહીં પરંતુ આખી દુનિયાને અસર કરતી હોય છે. તેમ છતાં ભારતની તૈયારી ઘણા પડોશી દેશો અને અન્ય દેશોની તુલનામાં વધુ મજબૂત છે.

આ પહેલા બુધવારે તમિલનાડુમાં એક જાહેર સભાને સંબોધતા મોદીએ લોકોને ગભરાશો નહીં તેવી અપીલ કરી હતી. તેમણે વિશ્વાસ આપ્યો હતો કે ગેસ સંકટનો જલ્દી ઉકેલ લાવવામાં આવશે. દેશમાં કોમર્શિયલ ની LPG સિલિન્ડર અછતના કારણે હોટેલ ઉદ્યોગ પર પણ અસર પડી રહી છે.

મોદીએ લોકોને અપીલ કરતાં કહ્યું કે લોકો માત્ર સાચી અને સચોટ માહિતી જ ફેલાવે.

હોર્મુઝ જળમાર્ગ અંગે ભારતને રાહત

હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા આંતરરાષ્ટ્રીય શિપિંગ બંધ કરવા અથવા વિક્ષેપિત કરવાના ઈરાનના પ્રયાસો વચ્ચે ભારતે એક મોટી સફળતા મેળવી છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે તેમના ઈરાની સમકક્ષ, અબ્બાસ અરાઘચી સાથે આ દરિયાઈ માર્ગ દ્વારા જહાજોની અવરજવર અંગે ઉચ્ચ સ્તરીય વાટાઘાટો કરી હતી.

ચર્ચા બાદ ઈરાન ભારત માટે હોર્મુઝ જળમાર્ગ ખોલવા માટે તૈયાર થઈ ગયું છે. હવે ભારતના રાષ્ટ્રધ્વજ ધરાવતા ટેન્કરોને આ માર્ગથી પસાર થવાની મંજૂરી આપવામાં આવશે. માહિતી મુજબ ભારતના બે ટેન્કર પુષ્પક અને પરિમલ સુરક્ષિત રીતે આ જળમાર્ગથી પસાર થઈ રહ્યા છે.

મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ગુજરાતમાં! અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો, સપ્લાય ઘટતાં લોકોમાં ચિંતા

Jio Recharge Plan: મુકેશ અંબાણીએ કરોડો યુઝર્સને આપી મોટી રાહત, એક જ રિચાર્જથી અડધા વર્ષનું ટેન્શન ખતમ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News :  લવ મેરેજ બાદ ભડક્યો વિવાદ! કિંજલ રબારીનો આક્ષેપ ‘મારા જીવને જોખમ’

પાટણ : ગુજરાતી સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈને પાટણમાં એક મોટો વિવાદ સામે આવ્યો છે. રાધનપુર તાલુકાના સિનાડ ગામની રહેવાસી અને જાણીતી લોકપ્રિય ગાયિકા કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમલગ્ન કર્યા બાદ તેના પરિવાર અને રબારી સમાજમાં ભારે રોષ અને વિરોધ જોવા મળી રહ્યો છે. આ ઘટના બાદ સમાજ દ્વારા કિંજલ રબારી વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરવામાં આવી રહી હોવાના દાવા પણ સામે આવ્યા છે.

પોલીસ રક્ષણ માગી પરિવારને ઠેરવ્યો જવાબદાર

આ સમગ્ર વિવાદને પગલે સિંગર કિંજલ રબારીએ પોતાના અને તેના પતિના જીવને જોખમ હોવાનું જણાવી પોલીસ રક્ષણ માગ્યું છે. કિંજલ રબારીએ આક્ષેપ કર્યો છે કે, પ્રેમલગ્ન કરવા બદલ તેને બદનામ કરવામાં આવી રહી છે. તેણે સમાજ અને પરિવાર સામે પણ વાંધો ઉઠાવ્યો છે, જેઓ તેના પ્રેમલગ્નને કારણે વિરોધ કરી રહ્યા છે.

વિવાદ વકરતા કિંજલ રબારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. તેણે જણાવ્યું કે સોશિયલ મીડિયા પર તેમજ ખૂબ જ મારા પતિ વિશે જે તે લખેલું મેં જોયું છે. જેથી હું આ બધાને તેમજ આખા રબારી સમાજને જણાવવા માંગુ છું કે હું મારા સમાજને ખૂબ કદર કરું છું. પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે, એ ખોટું છે. મને તેમજ મારા પતિને જીવનું જોખમ છે.

કિંજલ રબારીએ વધુમાં ઉમેર્યું કે, તેણે એડવોકેટનો સંપર્ક કરીને કાયદેસરના પગલા લીધા છે અને પોલીસ પ્રોટેક્શન માગ્યું છે. તેણે સ્પષ્ટપણે ચેતવણી ઉચ્ચારી છે કે, મારા લગ્નને લઈને કોઈ પણ અફવા કે વાતો ફેલાવવી નહીં અને આ બાબતે લઈને મને કે મારા પતિને કે અમારા લગતા વળગતાને કોઈ પણ નુકસાન થયું તો એનો જિમ્મેદાર મારો પરિવાર રહેશે.

 

ગુજરાતી સિંગર કિંજલ રબારીના પ્રેમલગ્નને લઈ મોટો વિવાદ

બીજી તરફ રબારી સમાજ દ્વારા પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કિંજલનો સંપર્ક કરવા અને તેને પરત લાવવા માટેના પ્રયાસો કરવા અપીલ કરવામાં આવી છે. હાલ કિંજલ રબારી ક્યાં છે તેની ભાળ મળતી નથી, પરંતુ તેણે પોતાના નિવેદનમાં પોતાના પરિવાર અને સમાજને જ જવાબદાર ઠેરવ્યા છે. આ વિવાદ હજુ વધુ વકરે તેવી શક્યતાઓ છે, કારણ કે કિંજલ રબારીએ પોતાના પતિના રક્ષણ માટે પણ અપીલ કરી છે. આ મામલે તમામ ગતિવિધિઓ પર નજર રાખવામાં આવી રહી છે.

AC Using Tips : 24 કલાક AC ચલાવવું સલામત છે કે જોખમી? નિષ્ણાતોની ચેતવણી આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

બેડરુમમાં બેડની સામે બાથરુમનું હોવું વાસ્તુની દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

Breaking News: ઈરાન-અમેરિકા યુદ્ધની અસર ગુજરાતમાં, ગેસ અછતથી હોટેલ ઉદ્યોગ પર સંકટના વાદળો ઘેરાયા

ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા તણાવ અને વૈશ્વિક ઊર્જા સંકટની અસર હવે ભારતના વિવિધ ઉદ્યોગો પર જોવા મળી રહી છે. ગુજરાતમાં પહેલેથી જ સિરામિક અને ફાર્મા ઉદ્યોગ ગેસ પુરવઠાની અછતનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવે હોટેલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ પર પણ સંકટના વાદળો ઘેરાયા છે.

કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ

માહિતી મુજબ રાજ્યમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની સપ્લાયમાં અવરોધ ઉભો થતા હોટલો અને રેસ્ટોરન્ટ ચલાવવું મુશ્કેલ બનતું જઈ રહ્યું છે. કેટલાક વિસ્તારોમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરનો ભાવ બ્લેક માર્કેટમાં લગભગ ₹3500 સુધી પહોંચી ગયો છે. જેના કારણે નાના અને મધ્યમ હોટેલ વ્યવસાયકારો માટે ખર્ચ વધતા વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે.

અહેવાલ મુજબ ગુજરાતમાં અંદાજે 10 હજાર જેટલી હોટલો પર આ પરિસ્થિતિની અસર થઈ શકે છે. સાથે જ લગભગ 7 હજાર જેટલા કેટરર્સના વ્યવસાય પર પણ જોખમ ઉભું થયું છે. ગેસની અછત લાંબા સમય સુધી રહે તો લગ્ન, પાર્ટી અને અન્ય કાર્યક્રમોમાં કેટરિંગ સેવાઓ પણ અસરગ્રસ્ત થઈ શકે છે.

વધતા ભાવને લઈને ચિંતા યથાવત

આ પરિસ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર તરફથી ખાતરી આપવામાં આવી છે કે ઘરેલું ગેસ પુરવઠો ખોરવાશે નહીં અને દરેક ઘરમાં રસોઈ માટે જરૂરી ગેસ ઉપલબ્ધ રહેશે. તેમ છતાં ઉદ્યોગો માટે ગેસ પુરવઠો અને વધતા ભાવને લઈને ચિંતા યથાવત છે.

વિશેષજ્ઞોના મતે જો વૈશ્વિક સ્તરે ઊર્જા પુરવઠાની સ્થિતિ વધુ ખરાબ બને તો આગામી દિવસોમાં હોટેલ અને હૉસ્પિટાલિટી સેક્ટર પર તેની વધુ ગંભીર અસર પડી શકે છે.

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધને પગલે, ગુજરાત-ભારતના ફાર્માસ્યુટીકલ ઉદ્યોગને 4500 થી 5000 નું કરોડનું નુકશાન

Breaking News: યુદ્ધની અસર ભાવનગરના અલંગ યાર્ડ પર, શિપ બ્રેકિંગ યાર્ડમાં ગેસ અછતથી કામગીરી ધીમી

મધ્ય પૂર્વમાં વધતા તણાવના કારણે વૈશ્વિક બજારમાં ગેસ અને તેલના ભાવમાં વધારો થયો છે અને સાથે જ પુરવઠામાં પણ અડચણો ઊભી થઈ રહી છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ભાવનગર જિલ્લાના અલંગ સ્થિત શિપ બ્રેકિંગ ઉદ્યોગ પર પડ્યો છે. અલંગમાં જહાજ ભાંગવાની પ્રક્રિયા દરમિયાન ઓક્સિજન સાથે LPG ગેસની પણ મોટી માત્રામાં જરૂર પડે છે. પરંતુ ગેસ સપ્લાયમાં ઘટાડો થવાને કારણે અહીં કામગીરી પર અસર થઈ રહી છે.

માહિતી મુજબ ગેસ પુરવઠો ઓછો મળતા ઘણા શિપ બ્રેકિંગ યાર્ડોએ પોતાની કામગીરી ધીમી કરવાની ફરજ પડી છે. ઉદ્યોગકારોમાં ચિંતા એ બાબતને લઈને પણ છે કે જો આ સ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે તો ઉત્પાદન અને રોજગારી પર પણ તેની અસર થઈ શકે છે.

અલંગમાં પહેલેથી જ મંદીનો માહોલ

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી અલંગમાં પહેલેથી જ મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો. હવે યુદ્ધ જેવી વૈશ્વિક પરિસ્થિતિને કારણે ઘણા જહાજોના અલંગ સુધી આવવામાં પણ ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના કારણે સમગ્ર શિપ બ્રેકિંગ ઉદ્યોગમાં અનિશ્ચિતતા વધી રહી છે.

ઉદ્યોગકારોનું માનવું છે કે જો ગેસ પુરવઠાની સ્થિતિ જલ્દી સુધરે નહીં તો આગામી દિવસોમાં અલંગના ઉદ્યોગને વધુ પડકારોનો સામનો કરવો પડી શકે છે.

Big Breaking News: ટ્રમ્પની મોટી જાહેરાત, USમાં 50 વર્ષ પછી ખુલશે પહેલી તેલ રિફાઈનરી, રિલાયન્સ સાથે મોટો સોદો, જુઓ વીડિયો

નારંગીથી લઈને તરબૂચ અને દ્રાક્ષ સુધી… રસદાર, મીઠા ફળો કેવી રીતે ખરીદવા? ટિપ્સ જાણવા અહી ક્લિક કરો.

Iran Israel War Breaking : ભારત જે UAE રિફાઇનરીમાંથી તેલ ખરીદતું હતું તેના પર થયો ડ્રોન હુમલો,તેલની અછત સર્જાઈ

મિડિલ ઈર્સ્ટમાં ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે અરબ અમીરાત (UAE)ના અર્થતંત્રની કરોડરજ્જુ, રુવૈસ ઇન્ડસ્ટ્રિયલ સિટી પર એક મોટો ડ્રોન હુમલો થયો છે. આ હુમલા બાદ, સાવચેતીના પગલા તરીકે વિશ્વની ચોથી સૌથી મોટી રિફાઇનરી રુવૈસ રિફાઇનરીમાં કામગીરી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. આ હુમલા દરમિયાન સરકારી તેલ કંપની ADNOCમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. જેનાથી ગ્લોબલ તેલ બજારમાં હડકંપ મચી ગયો છે. રુવૈસની રિફાઈનરીમાંથી ભારત પોતાની જરુરતનો એક મોટો ભાગ આયાત કરતું હતુ. આના શટડાઉન થવાથી દુનિયા માટે હોર્મુઝ બાદ સૌથી મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.

સરકારી તેલ કંપની ADNOC દ્વારા આ બંધ અને હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાની ગાર્ડ્સ (IRGC)ના બળવાને કારણે વૈશ્વિક સ્તરે તેલની અછત સર્જાઈ છે, જેમાં ક્રૂડ ઓઇલના ભાવ120 ને વટાવી જવાની ધારણા છે.

હોર્મુઝ પછી યુએઈને સૌથી મોટો ઝટકો

અબુ ધાબી નેશનલ ઓયલ કંપની ADNOCની રુવૈસ રિફાઈનરી દરરોજ 9 લાખ 22 હજાર બેરલ કાચું તેલ પ્રોસેસ કરવાની ક્ષમતા છે. આ બંધ થવાથી દુનિયાભરમાં પેટ્રોલ અને ડિઝલની સપ્લાયમાં નોંધપાત્ર અછત સર્જાઈ શકે છે. નિષ્ણાતો માને છે કે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝના નાકાબંધી પછી આ હુમલો તેલની કિંમતને $120 પ્રતિ બેરલને પાર કરી શકે છે.

ભારત પોતાની તેલ જરુરતનો અંદાજે 10 ટકા થી 11 ટકા ભાગ સીધી રીતે યુએઈથી મંગાવે છે. રુવૈસ રિફાઈનરી ભારતની સરકારી તેલ કંપનીઓ (IOCL, BPCL) માટે એક મહત્વની સપ્લાયર છે. આ શટડાઉનનો મતલબ એ છે કે, ભારત આવનાર તેલના જહાજ મોડા આવશે. કાચું તેલ મોંધુ થવાની સીધી અસર પેટ્રોલ, ડીઝલ અને ઘરેલું ગ્રેસની કિંમતો પર પડી શકે છે.કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે ,ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધવાના નથી અને કોઈએ ગભરાવાની જરૂર નથી.

ઈરાન સાથે યુદ્ધમાં ઝઝૂમી રહેલા અમેરિકાએ એક મોટી જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે 50 વર્ષમાં અમેરિકામાં પહેલી ઓઈલ રિફાઈનરી ખુલવા જઈ રહી છે.

ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડ્યા અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર પણ હુમલો કર્યો. અહી ક્લિક કરો

 

Kitchen Oil Spill Cleaning: રસોડામાં ઢોળાયેલું તેલ મિનિટોમાં સાફ કરો, અજમાવો આ સરળ ઘરગથ્થુ ઉપાયો

Remove Oil From Kitchen Floor: રસોડામાં તેલ ઢોળવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે. એક ક્ષણે, તમે વઘાર કરી (ટેમ્પરિંગ સોસ) રહ્યા છો અને બીજી ક્ષણે તેલ ફ્લોર અથવા કાઉન્ટર પર ઢોળાઈ જાય છે, જેનાથી પડી જવાનું જોખમ રહેલું છે. મોટાભાગના લોકો તરત જ ટીશ્યુ માટે હાથ લંબાવી દે છે, પરંતુ આ ફક્ત તેલને વધુ ફેલાવે છે અને સફાઈ મુશ્કેલ બનાવે છે.

સદનસીબે તમારા રસોડામાં પહેલેથી જ રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને તેલ સાફ કરવાની સરળ અને અસરકારક રીતો છે. ચાલો અમે તમને તેમના વિશે જણાવીએ.

મીઠું અસરકારક છે

જ્યારે તેલ ઢોળાય ત્યારે સૌપ્રથમ મીઠું વાપરવામાં આવે છે. તે માત્ર સ્વાદ વધારનાર જ નથી, પણ તેલ શોષક પણ છે. ઢોળાયેલી જગ્યા પર મીઠાનો જાડું લેવલ છાંટો અને તેને એક કે બે મિનિટ માટે રહેવા દો. મીઠું તેલ શોષી લે છે, જેને પછી કપડા અથવા કાગળના ટુવાલથી સરળતાથી દૂર કરી શકાય છે. મોટા ડાઘ માટે બરછટ મીઠું વધુ અસરકારક છે.

બેકિંગ સોડા

બેકિંગ સોડા તેલ સાફ કરવામાં પણ ખૂબ અસરકારક છે. તેને તેલ પર રેડો, થોડીવાર રાહ જુઓ, અને પછી તેને સાવરણી અથવા કપડાથી સાફ કરો. તે માત્ર તેલ શોષી લેતું નથી પણ ગંધ પણ દૂર કરે છે. જો તેલ ફ્લોર પર ઢોળાયેલું હોય, તો તેને સૂકા કપડાથી દૂર કરવું સરળ છે.

મકાઈનો સ્ટાર્ચ

જો તેલ મોટા પ્રમાણમાં ઢોળાય છે તો મકાઈનો સ્ટાર્ચ ખૂબ જ ઉપયોગી છે. તેને તેલ પર છાંટો અને 5 થી 10 મિનિટ સુધી રહેવા દો. તે જાડા તેલને પણ ઝડપથી શોષી લે છે અને વધુ ફેલાતું અટકાવે છે. પછી તેને  વેક્યુમ અથવા કપડાથી દૂર કરો.

ખાવાનો સોડા

કેટલીકવાર, જો તમારી પાસે ઘરે મીઠું કે ખાવાનો સોડા ન હોય, તો સાદો લોટ પણ કામ કરી શકે છે. તેલ પર લોટ છાંટવો, થોડીવાર રાહ જુઓ અને પછી તેને સાફ કરો. તેને હળવા ભીના કપડાથી સાફ કરો અને સપાટી સંપૂર્ણપણે સાફ થઈ જશે. કટોકટીમાં આ ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે. તે ઝડપથી તેલ સાફ કરી શકે છે.

ડીશ ધોવાનું લિક્વિડ અથવા હૂંફાળું પાણી

જે તેલ સરળતાથી સાફ નથી થતું. તેના માટે ડીશ ધોવાનું લિક્વિડ અને હૂંફાળું પાણી શ્રેષ્ઠ ઉકેલ છે. સાબુ તેલના કણોને તોડી નાખે છે, જેનાથી ડાઘ સાફ કરવાનું સરળ બને છે. સ્ટવ અથવા કાઉન્ટર પર ચોંટેલા તેલ માટે, દ્રાવણને થોડા સમય માટે છોડીને પછી તેને ધોઈ નાખવા વધુ અસરકારક છે. આ તેને ખૂબ મુશ્કેલી વિના દૂર કરી શકે છે.

કામની વાત ટોપિક પેજ પર તમને એવી ઘણી બધી વસ્તુઓ મળી જશે, જેનાથી તમે તમારી લાઈફસ્ટાઈલને સરળ બનાવી શકશો. જેમ કે સોયથી લઈને સોના સુધી તેમજ કિચન હેક્સથી લઈને વસ્તુને કેવી રીતે સાચવવી ત્યાં સુધીની વાતોનું ધ્યાન આ ટોપિક પેજ રાખશે. તેમજ સાથે સાથે તમને અવનવું જાણવાનું પણ મળશે.

 

આજથી આ ત્રણ રાશિના જાતકોના કિસ્મતના દ્વાર ખુલશે, થશે નાણાકીય લાભ, બુધ અને ગુરુ બનાવી રહ્યો છે ખાસ યોગ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

શહેરોમાં ઝડપથી વધતા શોપિંગ મોલ, શું પરંપરાગત બજારો પર પડી રહી છે અસર?

છેલ્લા કેટલાક વર્ષોમાં મોટા શહેરો ઉપરાંત મધ્યમ શહેરોમાં પણ શોપિંગ મોલનું નિર્માણ ઝડપથી વધી રહ્યું છે. આધુનિક સુવિધાઓ, એક જ જગ્યાએ વિવિધ બ્રાન્ડ્સ અને મનોરંજનની વ્યવસ્થા હોવાથી મોલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. ખાસ કરીને વીકએન્ડ અને રજાના દિવસોમાં મોલમાં મોટી સંખ્યામાં લોકો જોવા મળે છે. પરિવારો સાથે શોપિંગ અને મનોરંજનનો અનુભવ પણ મળતો હોવાથી મોલ સંસ્કૃતિ શહેરોમાં ઝડપથી વિકસતી જોવા મળે છે.

ખરીદીની પદ્ધતિમાં બદલાવ

મોલના વધતા પ્રભાવને કારણે લોકોની ખરીદી કરવાની રીતમાં પણ નોંધપાત્ર ફેરફાર આવ્યો છે. અગાઉ લોકો રોજિંદી જરૂરિયાતો માટે પરંપરાગત બજારો અથવા નાની દુકાનો પર આધાર રાખતા હતા. પરંતુ હવે ઘણા ગ્રાહકો મોલમાં જઈને એક જ જગ્યાએ થી કપડાં, ઈલેક્ટ્રોનિક્સ, ખાદ્યપદાર્થો અને અન્ય વસ્તુઓ ખરીદવાનું પસંદ કરે છે. મોલમાં મળતી સુવિધાઓ, પાર્કિંગ અને બ્રાન્ડેડ વસ્તુઓને કારણે ગ્રાહકો માટે તે વધુ આકર્ષક બની રહ્યું છે.

પરંપરાગત બજારો પર પડતી અસર

મોલના વધતા પ્રભાવને કારણે કેટલાક પરંપરાગત બજારોના વેપારીઓને વેપારમાં ઘટાડો અનુભવાઈ રહ્યો છે. નાના વેપારીઓ માટે મોટી કંપનીઓ અને બ્રાન્ડેડ સ્ટોર્સ સાથે સ્પર્ધા કરવી મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને કપડાં, ફૂટવેર અને ગિફ્ટ આઇટમ્સ જેવા ક્ષેત્રોમાં મોલનો પ્રભાવ વધુ જોવા મળે છે. તેમ છતાં ઘણા ગ્રાહકો હજુ પણ પરંપરાગત બજારોમાં મળતા ઓછા ભાવ અને વિવિધતા માટે ત્યાં જ ખરીદી કરવું પસંદ કરે છે.

નાના વેપારીઓ માટે પડકાર અને તક

નિષ્ણાંતોના મતે બદલાતા સમયમાં નાના વેપારીઓએ પણ નવી રીતો અપનાવવાની જરૂર છે. સારી ગ્રાહક સેવા, યોગ્ય ભાવ અને ગુણવત્તા દ્વારા તેઓ પોતાનો વ્યવસાય ટકાવી શકે છે. કેટલાક વેપારીઓ હવે ઓનલાઇન વેચાણ અથવા હોમ ડિલિવેરી જેવી સુવિધાઓ શરૂ કરીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ રીતે જોવામાં આવે તો શહેરોમાં વધતા શોપિંગ મોલ શહેરી વિકાસ અને આધુનિક જીવનશૈલીનું પ્રતિક બની રહ્યા છે. પરંતુ તેની સાથે પરંપરાગત બજારો માટે નવી સ્પર્ધા ઊભી થઈ છે. ભવિષ્યમાં બંને પ્રણાલીઓનું સંતુલન જાળવવામાં આવે તો ગ્રાહકોને વધુ વિકલ્પો અને વેપારીઓને પણ નવી તક મળી શકે છે.

Breaking News : યુદ્ધ વચ્ચે ખાંડ માર્કેટમાં ઝટકો! ભારતને ફાયદો કે નુકસાન? જાણવા માટે અહી ક્લિક કરો.

દુનિયાભરમાં વિશ્વકપમાં ભારતની જીતની ચર્ચા પરંતુ વિધાનસભામાં હજુ પણ ટિકિટ ન મળ્યાની ચર્ચા

સામાન્ય રીતે વિધાનસભામાં રાજ્યના નાગરિકોને નડતી સમસ્યાની ચર્ચા કરવાની હોય છે, પરંતુ છેલ્લા 2 દિવસથી વિધાનસભા ગૃહમાં ફાઈનલ મેચની ટિકિટ ન મળ્યાની ફરિયાદ ધારાસભ્યો કરી રહ્યા છે.ખુદ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ પર ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આજ ફરિયાદ કરી રહ્યા છે. જાણીને નવાઈ લાગશે કે ભાજપના ધારાસભ્ય અરવિંદ પટેલ કે જેઓ ધરમપુર બેઠકથી ચૂંટાઈને આવ્યા છે તેમને ગૃહમાં કહ્યું કે અમે તો ટિકિટ માટે જયરામ ગામીતને પણ ફોન કર્યા હતા પણ તેમની પાસે પણ ટિકિટ ઉપલબ્ધ ન હતી, મહત્વનું છે કે જયરામ ગામીત હાલ રાજ્ય સરકારમાં મંત્રી છે અને રમત ગમત વિભાગનો સ્વતંત્ર હવાલો સંભાળી રહ્યા છે.

ધારાસભ્યોને પણ ક્રિકેટ મેચની વિશેષ ટિકિટ આપવા કોંગ્રેસની રજૂઆત

આ અગાઉ કોંગ્રેસના નેતા અને વિધાનસભાના સભ્ય શૈલેષ પરમારે પણ સોમવારે ગૃહમાં કહ્યું હતું કે ધારાસભ્યોને પણ વિશેષ ટિકિટો આપવી જોઈએ અને પરિવાર સાથે મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા થવી જોઈએ. બીજી તરફ કોંગ્રેસ નેતા અને ગીર સોમનાથ બેઠક પરથી ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કહ્યું કે તમામ ધારાસભ્યોને 2-2 ટિકિટો આપવી જોઈએ જેથી તેઓ જોઈ શકે કે ખેલાડીઓ કેવી રીતે અને કેવું રમે છે. વાત અહીં પૂર્ણ નથી થતી.

પ્રવક્તા મંત્રીએ આગામી મેચમાં ધારાસભ્યોને ટિકિટ આપવાનું આપ્યુ આશ્વાસન

મહત્વની વાત તો એ છે કે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી પણ ગૃહમાં બોલવા ઊભા થાય છે અને આશ્વાસન આપે છે કે આગામી સમયમાં યોજાતી મેચની અને તેમાં પણ ખાસ ફાઈનલ હોય તો તમામ ધારાસભ્યોને ટિકિટ મળે તે માટે ક્રિકટ એસોસિએશનને યોગ્ય રજૂઆત કરવામાં આવશે.

મહત્વનું છે કે વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે, જેમાં ધારાસભ્યો પાસે તક હોય છે કે તેઓ પોતાના મત વિસ્તારની જરૂરી માંગણીઓ કરી શકે છે અને સરકાર ઇચ્છે તો તેને પૂર્ણ પણ કરી શકે છે. પરંતુ ભાજપ હોય કે કોંગ્રેસ હાલ પોતે ફાઇનલની ટિકિટ ન મળ્યા નો અફસોસ કરી રહ્યા છે અને આગામી સમયમાં ટિકિટની વ્યવસ્થા થઈ જાય તેવી આશા રાખી રહ્યા છે.

બાંગ્લાદેશ બાદ હવે નેપાળમાં બનવા જઈ રહી છે ભારત વિરોધી-અમેરિકા સમર્થિત સરકાર…. શું ભારતનું વધશે ટેન્શન?

Breaking News : ઇઝરાઇલ ઈરાન યુદ્ધની સુરત શહેરમાં ગેસ સપ્લાય પર મોટી અસર, કોમર્શિયલ ગેસની અછત સર્જાઇ

અમેરિકા-ઈઝરાયલ જંગ શરુ થયા બાદ ઈરાને મિડિલ ઈર્સ્ટમાં તબાહી મચાવી દીધી છે. ખામેનાઈના મૃત્યુથી શરુ થયેલી જંગનો આજે 11મો દિવસ છે. ઈરાન અંદાજે 11 દેશો પર મિસાઈલ અને ડ્રેનથી સતત હુમલા કરી રહ્યું છે. આની અસર હવે અન્ય દેશો પર જોવા મળી રહી છે.સુરત શહેરમાં ઇઝરાઇલ ઈરાન યુદ્ધની લઈ ગેસ સપ્લાય પર મોટી અસર પડી છે.

સુરતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર મળી રહ્યા નથી.સુરતના કોમર્શિયલ ગેસ ડિસ્ટ્રીબ્યુટર્સને પ્લાન્ટ પરથી ગેસનો પુરવઠો મળી રહ્યો નથી.સુરતમાં HP ગેસ, ઇન્ડિયન ગેસ અને ભારત ગેસ કંપનીમાં ગેસની અછત જોવા મળી રહી છે.સુરતના 67 જેટલા કોમર્શિયલ ડિસ્ટ્રીબ્યુટર્સને પૂરતો જથ્થો મળતો નથી.

તમામ ગેસ પ્લાન્ટ ઉપર ડિસ્ટ્રીબ્યુટર્સોની ગાડીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. રેસ્ટોરન્ટ, કેન્ટીન અને ઇન્ડસ્ટ્રીયલ માર્ક કોમર્શિયલ ગેસનો પૂરતો જથ્થો પહોંચાડી શકાતો નથી. આખો દિવસ એક પણ ડિસ્ટ્રીબ્યુટર્સને કંપની દ્વારા ગેસનો સપ્લાય આપવામાં આવ્યો નહીં.

ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ

રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નિવેદન પણ સામે આવ્યું હતુ.ગેસનો પૂરવઠો ખોરવાય નહીં તેના માટે સરકાર આયોજન કરી રહી છે. ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50 ટકા કાપ મૂકવામાં આવ્યો છે.ફર્ટિલાઈઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40 ટકાનો કાપ મૂકવામાં આવ્યો છે.ગુજરાતમાં એકપણ ચૂલો બંધ ન થાય તેની ચિંતા સરકાર કરી રહી છે.કોમર્શિયલ સિલિન્ડરમાં હજુ સુધી કોઈપણ પ્રકારનો કાપ મુકવામાં આવ્યો નથી.

 

સુરત ગુજરાતનું બીજા ક્રમનું અને ભારતનું નવમા ક્રમનું મોટું શહેર છે. વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Breaking News : ભારતમાં LPGની અછત ન ઉદ્ભવે તે માટે કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય, કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો

યુએસ અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને પગલે ભારત સરકારે દેશના એલપીજી (LPG) પુરવઠાને મજબૂત બનાવવા માટે સક્રિય પગલાં લીધાં છે. એક તરફ યુદ્ધના માહોલ વચ્ચે કેન્દ્ર સરકારે  દેશભરમાં આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ, 1955 (ECA) લાગુ કરવામાં આવ્યું છે. આ નિર્ણય પેટ્રોલિયમ અને તેની પેદાશોના યોગ્ય પુરવઠા સુનિશ્ચિત કરવા માટે લેવાયો છે. તો બીજી તરફ સરકારે કટોકટીની સત્તાઓનો ઉપયોગ કર્યો છે.

એક તરફ સરકાર સંગ્રહખોરી અટકાવવા માટે પગલાં ભરી રહી છે અને ખાસ કરીને ગેસ સિલિન્ડરની સંગ્રહખોરી ન થાય તે સુનિશ્ચિત કરવા માટે વ્યવસ્થા કરી છે. તો બીજી તરફ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે કહ્યું કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ ઇંધણ પુરવઠા પર દબાણ લાવી રહી છે, ખાસ કરીને ઘરગથ્થુ વપરાશ માટે, અને આ સ્થિતિને પહોંચી વળવા સરકાર તૈયાર છે.

મંત્રાલયે રિફાઇનરીઓને આદેશ આપ્યો છે કે તેઓ એલપીજીનું ઉત્પાદન વધારવામાં કાર્યરત રહે અને વધારેલા ઉત્પાદનનો ઉપયોગ સ્થાનિક બજારમાં કરીને પુરવઠો યથાવત્ રહે તે સુનિશ્ચિત કરે.

ઈન્ટર-બુકિંગ નિયમ અને પ્રાથમિકતા

સરકારે સંગ્રહખોરી અને કાળાબજારને અટકાવવા માટે 25 દિવસનો ઇન્ટર-બુકિંગ નિયમ લાગુ કર્યો છે. સ્થાનિક એલપીજી, ખાસ કરીને હોસ્પિટલ, શૈક્ષણિક સંસ્થાઓ, અને અન્ય આવશ્યક બિન-ઘરેલું વપરાશ માટે અનામત રાખવામાં આવી છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ ઘરગથ્થુ વપરાશ માટે ગેસનો પુરવઠો સતત જળવાઈ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.

હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગ ક્ષેત્ર માટે સમીક્ષા સમિતિ

મંત્રાલયે હોટલ, રેસ્ટોરન્ટ અને ઉદ્યોગોમાં વપરાતા એલપીજીની માંગને નિયંત્રિત કરવા માટે સમીક્ષા સમિતિની રચના કરી છે. તેલ કંપનીઓના ત્રણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરો દ્વારા આયોજિત આ સમિતિ નિયમિત રીતે પુરવઠાની સમીક્ષા કરશે અને જરૂરી પડે તો વધારો સુપરિશ કરશે.

વૈશ્વિક બજાર પર અસર અને ભારતમાં રણનીતિ

ભારતે 2024-25માં લગભગ 31.3 મિલિયન ટન એલપીજી વપરાશ કર્યો હતો, જેમાં ફક્ત 12.8 મિલિયન ટન સ્થાનિક સ્તરે ઉત્પાદન થયું, અને બાકીનો મોટાભાગનો આયાત સાઉદી અરેબિયા જેવા દેશોમાંથી થાય છે. હોર્મુઝ સ્ટ્રેટ પર તણાવ અને અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને, સરકારના પગલાંનો ઉદ્દેશ્ય એ છે કે વૈશ્વિક સંકટ હોવા છતાં, ભારતમાં ઘરગથ્થુ અને આવશ્યક સેવાઓ માટે એલપીજી પુરવઠો સતત જળવાઈ રહે.

આ પણ વાંચો- Breaking News: ગેસ પુરવઠા પર સરકાર સતર્ક, ઉર્જા પ્રધાન ઋષિકેશ પટેલનું નિવેદન, “ઘરોમાં એકપણ ચૂલો બંધ નહીં થાય”

Iran Israel War Breaking News : તહેરાનમાં ઓઈલ સ્ટોરેજમાં લાગેલી આગની અસર ભારતમાં! ધુમાડાના વાદળો ભારત સુધી પહોંચશે

ઈરાનની રાજધાની તહેરાનમાં આવેલા એક મોટા ઓઈલ સ્ટોરેજ વિસ્તારમાં લાગી આગને કારણે ધુમાડાના વાદળો આકાશમાં ફેલાઈ ગયા છે. આગ બાદ ઊભા થયેલા ઘેરા ધુમાડાએ આસપાસના વિસ્તારમાં હવામાં પ્રદૂષણનું સ્તર વધારી દીધું છે. સ્થાનિક અધિકારીઓ અને બચાવ ટીમો આગ પર કાબૂ મેળવવા માટે સતત પ્રયાસ કરી રહી છે, પરંતુ ઘટનાના કારણે ઊભી થયેલી ધુમાડાની અસર લાંબા વિસ્તાર સુધી પહોંચી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ધુમાડાના વાદળો મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યા છે

પર્યાવરણ અને હવામાન નિષ્ણાતોના અનુમાન મુજબ આ ધુમાડાના વાદળો પવનની દિશાને કારણે ધીમે ધીમે મધ્ય એશિયા તરફ આગળ વધી રહ્યા છે. જો પવનની હાલની દિશા યથાવત રહે તો આ ધુમાડો આગળ વધીને દક્ષિણ એશિયાના કેટલાક વિસ્તારો સુધી પહોંચી શકે છે.

ભારતમાં અસર

નિષ્ણાતો માને છે કે ભારતના ઉત્તર ભાગોમાં તેની અસર જોવા મળી શકે છે. ખાસ કરીને જમ્મુ-કાશ્મીર અને પંજાબ જેવા રાજ્યોમાં આ ધુમાડાના વાદળોની અસર જોવા મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે નિષ્ણાતોનું કહેવું છે કે આ અસર કેટલી ગંભીર રહેશે તે પવનની ગતિ, દિશા અને વાતાવરણની સ્થિતિ પર આધાર રાખશે. કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે જો ધુમાડો લાંબા સમય સુધી વાતાવરણમાં રહેશે તો તે હવાની ગુણવત્તા પર તાત્કાલિક અસર કરી શકે છે.

પર્યાવરણ સંબંધિત અસર

આ ઘટના પર્યાવરણ માટે પણ ચિંતા ઊભી કરે છે. ઓઈલ સ્ટોરેજમાં લાગેલી આગમાંથી નીકળતા રસાયણિક તત્વો હવામાં ભળી જતા હોય છે, જે લાંબા અંતર સુધી પ્રવાસ કરી શકે છે. આવા ધુમાડા ક્યારેક હજારો કિલોમીટર દૂર સુધી પહોંચી જતા હોવાના કિસ્સાઓ અગાઉ પણ નોંધાયા છે.

ભારતમાં પર્યાવરણ નિષ્ણાતો પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. જો આ ધુમાડાના વાદળો ઉત્તર ભારત સુધી પહોંચે તો હવાના ગુણવત્તા પર થોડોક પ્રભાવ પડી શકે છે. હાલમાં અધિકારીઓએ કોઈ સત્તાવાર ચેતવણી જાહેર કરી નથી, પરંતુ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે વિશ્વના કોઈપણ ખૂણે બનેલી મોટી ઔદ્યોગિક અથવા પર્યાવરણ સંબંધિત ઘટના તેની અસર દૂરના વિસ્તારો સુધી પણ પહોંચાડી શકે છે. વૈશ્વિક સ્તરે પર્યાવરણ અને સુરક્ષા અંગે વધુ સાવચેતી રાખવાની જરૂરિયાત પણ આ ઘટનાથી ઉજાગર થાય છે.

Breaking news: દુનિયા ભરમાં તેલનું ભારે સંકટ! યુદ્ધ વચ્ચે કાચા તેલનો ભાવ $115 ને પાર, સપ્લાય પણ થઈ ઓછી

Celebs On T20 WC Final Win: T20 વર્લ્ડ કપ જીતતા જ બોલિવૂડમાં ઉજવણી, શાહરૂખથી સની દેઓલ સુધી સૌએ આપી શુભેચ્છા

ભારતીય ક્રિકેટ ટીમે રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપનો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો. આ ભારતની ત્રીજી T20 વર્લ્ડ કપ ટ્રોફી છે. આખો દેશ આ ફાઇનલ મેચ પર નજર રાખી રહ્યો હતો. પ્રથમ ઇનિંગમાં અઢીસોથી વધુ રન બનાવીને, ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને મેચમાં ઘણું આગળ ધપાવી દીધું હતું અને ન્યૂઝીલેન્ડની ટીમ આ દબાણનો સામનો કરી શકી નહીં. ભારતના 96 રનના વિજયથી સમગ્ર દેશ ખુશ થઈ ગયો.

વર્લ્ડ કપ જીત પર પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે

સામાન્ય માણસથી લઈને ઉચ્ચ વર્ગ સુધી, દરેક વ્યક્તિ આ ખિતાબી જીતની ઉજવણી કરી રહ્યા છે. ઘણા બોલિવૂડ સ્ટાર્સ પણ વર્લ્ડ કપ જીત પર પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે. શાહરૂખ ખાનથી લઈને સની દેઓલ સુધી, ઘણી હસ્તીઓએ ટીમ ઈન્ડિયાને અભિનંદન આપ્યા છે અને જીતનો આનંદ માણ્યો છે.

શાહરૂખ ખાને આ લખ્યું

(Credit Source: @iamsrk)

T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યા પછી બોલિવૂડના કિંગ શાહરૂખ ખાન પણ ખુશીથી કૂદતા જોવા મળ્યા. તેમણે ઇન્સ્ટાગ્રામ પર ચેમ્પિયન ટીમનો ફોટો શેર કર્યો અને લખ્યું, “કેટલો અદ્ભુત વિજય. અમારી ટીમે શાનદાર પ્રદર્શન કર્યું. તમે બધા ચેમ્પિયન છો અને તમને મેદાન પર જોઈને અમને બધાને ગર્વ થાય છે. તમને સલામ. જય હિંદ.”

સની દેઓલે ખુશી વ્યક્ત કરી

 

View this post on Instagram

 

A post shared by Sunny Deol (@iamsunnydeol)

(Credit Source: Sunny Deol)

સની દેઓલે લખ્યું, “ટીમ ઈન્ડિયાના ગબરુ… તમે જીતી ગયા. ચેમ્પિયન, તું દેશને ગૌરવ અપાવ્યું છે. ભારતીય ટીમને સતત વર્લ્ડ કપ જીતવા બદલ અભિનંદન. તમે ખરેખર ગબરુની જેમ, ડર્યા વિના, પૂરા દિલથી રમ્યા.” સની દેઓલે પોતાની પોસ્ટમાં ખાસ કરીને જસપ્રીત બુમરાહ, સંજુ સેમસન, ઈશાન કિશન, અક્ષર પટેલ, અભિષેક શર્મા અને શિવમ દુબેની પ્રશંસા કરી.

અનિલ કપૂર કીવી ખાતા જોવા મળ્યા

 

View this post on Instagram

 

A post shared by anilskapoor (@anilskapoor)

(Credit Source: anilskapoor )

તેવી જ રીતે અનિલ કપૂરે પણ ટીમ ઈન્ડિયાની જીત પર ખુશી વ્યક્ત કરતો એક વીડિયો શેર કર્યો. તેમણે લાઈવ ટીવી પર એક વીડિયો શૂટ કર્યો, જેમાં તેઓ કીવી ખાતા જોવા મળી રહ્યા છે. તેમના કેપ્શનમાં તેમણે લખ્યું, “આજે કીવીનો સ્વાદ થોડો મીઠો છે. ટીમ ઈન્ડિયાને અભિનંદન, તમે અમને ગર્વ અપાવવામાં ક્યારેય નિષ્ફળ જશો નહીં.” હકીકતમાં, ન્યુઝીલેન્ડની ટીમને કીવી તરીકે પણ ઓળખવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Karan Kundrra (@kkundrra)

(Credit Source: Karan Kundrra)

આ ઉપરાંત ઘણા અન્ય સ્ટાર્સે ફોટા શેર કરીને ટીમ ઈન્ડિયાની મોટી જીતની ઉજવણી કરી છે. ટીવી અભિનેતા કરણ કુન્દ્રા અને અભિનેત્રી તેજસ્વી પ્રકાશે સ્ટેડિયમમાં મેચ જોઈ અને ત્યાંથી ફોટા શેર કર્યા. અલી ગોનીએ પણ પોતાની ખુશી વ્યક્ત કરી.

Breaking news: શું સૂર્યકુમાર યાદવ T20 World Cup જીત્યા પછી નિવૃત્તિ લેશે? પ્રેસ કોન્ફરન્સમાં મોટી જાહેરાત

Kitchen Vastu Tips: રસોડામાં ચપ્પલ પહેરીને કેમ ના જવું જોઈએ? જાણો વાસ્તુ શાસ્ત્ર શું કહે છે, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

 

T20 વર્લ્ડ કપ વિશ્વ વિજેતા ભારતની ટીમનો કેપ્ટન છે સૂર્યકુમાર યાદવ, આવો છે ક્રિકેટરનો પરિવાર અહી ક્લિક કરો

T20 WC Breaking : ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા કોણ છે? T20 WC ફાઇનલમાં ભારતની જીત પછી સાથે મળીને ઉજવણી કરી, જુઓ ફોટો

ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવી ચેમ્પિયન બની છે. આ સાથે ટીમે અનેક રેકોર્ડ પણ તોડ્યા છે. જીત બાદ ઈશાન કિશનની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા ચર્ચામાં આવી હતી. જીત દરમિયાન અદિતિ અને ઈશાન કિશન સાથે જોવા મળ્યા હતા. ત્યારે હવે ચાહકો એ વાત જાણવા માંગે છે કે, આ આદિતિ હુંડિયા કોણ છે.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલમાં સ્ટાર ક્રિકેટર ઈશાન કિશનને ચીયર કરવા માટે તેની ગર્લફ્રેન્ડ અને ફેમસ મોડલ અદિતિ હુડિયા સ્ટેડિયમમાં આવી હતી. આ દરમિયાન અદિતિએ ચાહકોનું ધ્યાન પોતાની તરફ ખેચ્યું હતુ. અદિતિ અને ઈશાનના સંબંધોની ચર્ચા આઈપીએલ 2019થી થતી આવે છે. ત્યારબાદ તે અવાર-નવાર મેદાન પર ઈશાન કિશન સાથે જોવા મળે છે.T20 વર્લ્ડ કપ 2026નો ખિતાબ જીત્યા બાદ, ઇશાન કિશન ત્રિરંગામાં લપેટાયેલો જોવા મળ્યો હતો અને તેની ગર્લફ્રેન્ડ અદિતિ હુંડિયા ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણીમાં તેની સાથે જોડાવા માટે સ્ટેન્ડમાંથી આવી હતી.

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

અદિતિ રાજસ્થાનની રાજધાની જયપુરની રહેવાસી છે. તે એક મોડલ છે. તેના કરિયરની શરુઆત વર્ષ 2017માં થઈ હતી. આ દરમિયાન તેમણે ફેમિના મિસ ઈન્ડિયા પેઝેન્ટમાં ફાઈનલિસ્ટના રુપમાં સ્થાન બનાવ્યું હતુ. 2018માં તેમણે મિસ દીવા સુપરનેશનલનો ખિતાબ પોતાને નામ કર્યો હતો. અદિતિ ફેશન ઈન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ છે. તે પોતાની સુંદરતા અને ગ્લેમર્સના કારણે ચર્ચામાં રહે છે.

અદિતિ એજ્યુકેશન

જયપુરના ઈન્ડિયા ઈન્ટરનેશનલ સ્કુલમાંથી અદિતિએ અભ્યાસ કર્યો છે. ત્યારબાદ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થઈ છે.કોલેજના દિવસથી તે ફેશન અને રેમ્પ વોક કરવા ઉત્સાહિત હતી. તેમણે દેશના સૌથી મોટા બ્યુટી પ્રેઝેન્ટમાં પણ ભાગ લીધો છે.

 

 

View this post on Instagram

 

A post shared by Aditi Hundia (@aditihundia)

 

અદિતિ ફેમિલી બ્રેકગ્રાઉન્ડ

જયપુરના એક બિઝેનેસમેનના પરિવારમાં જન્મેલી અદિતિના પિતા લલિત હુંડિયા એક બિઝનેસમેન છે. જ્યારે તેની માતા બબીતા હુંડિયાએ તેને મોડલિંગમાં કરિયર બનાવવા માટે એનેક પડકારમાં મજબુત સ્તંભ બની સાથ આપ્યો હતો. તેનો ભાઈ યશ હુંડિયા સાથે સારા સંબંધો છે.

 

શાનદાર બેટ્સમેન અને વિકેટ કીપર ક્રિકેટરના પરિવાર વિશે જાણો, ભાઈ પણ છે ક્રિકેટર અહી ક્લિક કરો

T20 WC Breaking : T20 World Cup વચ્ચે ICCના આ નિર્ણય પર ધમાલ મચી, ભારત છોડવા માગે છે આ ખેલાડી

ટી20 વર્લ્ડકપ 2026ની ફાઈનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે. આ વચ્ચે ભારતમાં ફસાયેલી ટીમોની વાપસીને લઈ એક વિવાદ સામે આવ્યો છે. મિડિલ ઈર્સ્ટમાં તણાવ છે. જેના કારણે એરસ્પેસ બંધ હોવાને કારણે કેટલીક ટીમોને ઘરે જવામાં મોડ઼ું થઈ રહ્યું છે. આ કારણે સાઉથ આફ્રિકાના વિકેટકીપર બેટ્સમેન ક્વિંટન ડીકોકે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ પર નારાજગી વ્યક્ત કરી છે.

આઈસીસી પર કેમ ક્વિંટન ડિકોક ગુસ્સે થયો?

મિડિલ ઈર્સ્ટની ખરાબ હાલત વચ્ચે કેટલીક ટીમો પર અસર પડી છે. તેને મેચ પૂર્ણ થયાં બાદ પર ભારતમાં રહેવાનો વારો આવ્યો છે. વેસ્ટઈન્ડિઝની ટીમ સુપર 8માં ભારત સામે હારી 1 માર્ચના રોજ બહાર થઈ હતી. સાઉથ આફ્રિકાની ટીમ સેમિફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે 4 માર્ચના રોજ હારી બહાર થઈ હતી. ઈંગ્લેન્ડ બીજી સેમિફાઈનલમાં ભારતને હરાવી 6 માર્ચના રોજ બહાર થઈ હતી પરંતુ આઈસીસીએ ઈંગ્લેન્ડને પહેલા ઘરે મોકલવાનો નિર્ણય લીધો હતો. ત્યારબાદ ધમાલ મચી હતી. ક્વિંટન ડીકોકે આઈસીસીના આ નિર્ણય પર સવાલો ઉઠી રહ્યા છે.

ચિંતા વ્યક્ત કરી

ડીકોકે ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી કહ્યું આઈસીસી અમને તો કાંઈ ખબર ન પડી, ઈંગ્લેન્ડ અમારી પહેલા ઘરે કેમ જઈ રહી છે. વેસ્ટઈન્ડિઝ અને સાઉથ આફ્રિકાની તો કાંઈ ખબર જ નથી. રસપ્રદ વાત છે કે,કેટલીક ટીમનો પ્રભાવ બીજી ટીમથી વધારે હોય છે. આ પહેલા ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને પણ પ્રવાસની સ્થિતિને લઈ આ પ્રકારની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે સવાલ ઉઠાવ્યા હતા કે, અન્ય ટીમ લાંબા સમયથી ફસાયેલી હોવા છતાં ઈંગ્લેન્ડની ટીમ પહેલા કેમ જઈ રહી છે. તેને કઈ રીતે પરવાનગી મળી. તેમનું કહેવું છે કે, તમામ ટીમ સાથે એક સમાન વ્યવ્હાર કરવો જોઈએ. આઈસીસીમાં વધારે તાકતવર હોવાનો ફાયદો મળવો જોઈએ નહી. વેસ્ટઈન્ડિઝના હેડ કોચ ડેરેન સેમીએ પહેલા પોતાની નિરાશા વ્યક્ત કરી હતી અને કહ્યું હતુ. કે, તેઓ ઘરે જવા માંગે છે.

ચાર્ટર્ડ ફ્લાઈટથી ટીમ જશે

રિપોર્ટ મુજબ આઈસીસીએ ચાર્ટર્ડ ફ્લાઈટની વ્યવસ્થા કરી છે. ઈંગ્લેન્ડની ટીમ શનિવારના રોજ મુંબઈથી સીધી લંડન માટે રવાના થશે. તો સાઉથ આફ્રિકા અને વેસ્ટઈન્ડિઝની ટીમ રવિવારના રોજ કોલકત્તાથી જોહન્સબર્ગ જવા રવાના થશે. ત્યાંથી વેસ્ટઈન્ડિઝ એન્ટીગુઆકે માટે જશે પરંતુ આ બંન્ને ટીમોને હજુ ચોક્કસ સમયની પુષ્ટિ મળી નથી.

 

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

T20 WC Breaking : ભારત જીતે કે ન્યુઝીલેન્ડ, T20 વર્લ્ડ કપમાં ઇતિહાસ રચાશે

આઈસીસી ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ભારત અને ન્યુઝીલેન્ડ આમને -સામને હશે. જો ભારતીય ટીમ અમદાવાદમાં રમાનારી ટી20 વર્લ્ડકપની ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હાર આપે છે તો તે એક અનોખો રેકોર્ડ પોતાને નામ કરી શકે છે. ટીમ ઈન્ડિયા પોતાના ઘરમાં ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીતનારી પહેલી ટીમ બની શકે છે. તેમજ ટીમ ઈન્ડિયા પાસે ટી20 વર્લ્ડકપનું ટાઇટલ બચાવનારી પ્રથમ ટીમ બનવાની પણ તક છે. કોઈપણ ટીમે ક્યારેય સતત બે ટાઇટલ જીત્યા નથી.

બીજી બાજુ ન્યુઝીલેન્ડને જો આજે જીત મળે છે. તો તે પહેલી વખત ટી20 વર્લ્ડકપનો ખિતાબ પોતાને નામ કરશે. તમને જાણીને નવાઈ લાગશે કે, ટી20 વર્લ્ડકપમાં અત્યારસુધી માત્ર 6 દેશો જીતવામાં સફળ રહ્યા છે. ન્યુઝીલેન્ડ આજે ખિતાબ જીતનારી 7મી ટીમ બની શકે છે.

 

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

 

ફાઈનલમાં ઈતિહાસ રચાશે

હવે અમદાવાદમાં રમાનારા ટી20 વર્લ્ડકપની વાત કરીએ તો. ફાઈનલમાં ભારત પાસે ફરી ઈતિહાસ રચવાની તક હશે. જો ટીમ જીતી જાય છે તો 3 ટી20 વર્લ્ડકપ જીતનારી દુનિયાની પહેલી ટીમ બની જશે. ભારત સામે પડકાર સરળ નથી. કારણ કે, ન્યુઝીલેન્ડને મોટી આઈસીસી ટૂર્નામેન્ટમાં ભારત વિરુદ્ધ રેકોર્ડ ખુબ મજબુત રહ્યો છે. ન્યુઝીલેન્ડે અત્યારસુધી જેટલી પણ આઈસીસી ટ્રોફી જીતી છે. તેમાં 2 ટ્રોફી ભારતને હરાવી જીતી છે. તેનાથી અંદાજો લગાવી શકાય કે, આઈસીસી ફાઈનલમાં કીવી ટીમનો ભારત વિરુદ્ધ રેકોર્ડ કેટલો શાનદાર રહ્યો છે.

ફાઈનલમાં ભારતને કેવી રીતે જીત મળશે?

ટી20 વર્લ્ડકપ 2006માં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન અત્યારસુધી શાનદાર રહ્યું છે. પરંતુ ફાઈનલમાં ન્યુઝીલેન્ડને હરાવવું આસાન નહી હોય. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ વિરુદ્ધ એક પણ મેચ જીતી નથી. બંન્ને ટીમ વચ્ચે ટી20 વર્લ્ડકપમાં કુલ 3 મેચ રમાઈ છે. તેમજ ત્રણેય વખત ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવો પડ્યો છે.વર્લ્ડ કપ ફાઇનલ 8 માર્ચ, રવિવારના રોજ સાંજે 7 વાગ્યે શરૂ થશે. ટોસ અડધો કલાક પહેલા, સાંજે 6:30 વાગ્યે થશે.

T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

અમેરિકાની નંબર 1 સરકારી યુનિવર્સિટી કઈ છે? ફી જાણીને ચોંક્યા વિના નહીં રહો

અમેરિકા હાયર એજ્યુકેશનનું હબ ગણાય છે. કારણ કે અહીં પ્રાઈવેટની સાથે સાથે ટોપ લેવલની સરકારી યુનિવર્સિટીઝ પણ સામેલ છે. અહીં સવાલ એ છે કે અમેરિકાની નંબર વન સરકારી યુનિવર્સિટી કઈ છે. ટાઈમ્સ હાયર એજ્યુકેશન અને યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ અનુસાર યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલે(UCB)ને અમેરિકાની નંબર વન સરકારી યુનિવર્સિટીનો ખિતાબ હાસિલ છે. આ યુનિવર્સિટી કેલિફોર્નિયા રાજ્યના બર્કલે શહેરમાં આવેલી છે. જે દેશના પ્રતિષ્ઠિત સંસ્થાનોમાંથી એક છે.

UCB ની સ્થાપના 1868 માં કરાઈ હતી. આ યુનિવર્સિટી સેન ફ્રાન્સિસ્કો બે એરિયા નજીક છે અને અહી 37 હજારથી વધુ લોકો અભ્યાસ કરી રહ્યા છે. UCBની પ્રતિષ્ઠાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે ફિજિક્સ, કેમેસ્ટ્રી અને ઈકોનોમિક્સ ક્ષેત્રે 19 નોબેલ પુરસ્કાર આ સંસ્થાનના વિદ્યાર્થીઓને મળેલા છે. હવે સવાલ એ છે કે જો કોઈ ભારતીય વિદ્યાર્થીએ UCBમાં અભ્યાસ કરવો છે તો તેને કેટલા રૂપિયા ખર્ચવા પડશે. અહીની ફી કેટલી છે અને ક્યા ક્યા વિષયો અહીં ભણાવવામાં આવે છે.

UCB માં ક્યાં વિષયો ભણાવવામાં આવે છે?

ધ પ્રિન્સ્ટન રિવ્યુ પ્રમાણે, યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા- બર્કલમાં ભણવા માટે દર વર્ષે હજારો વિદ્યાર્થીઓ એપ્લાય કરે છે. આ સંસ્થાનમાં એક્સેપ્ટેન્સ રેટ માત્ર 11% છે. જો અહીં ભણાવવામાં આવતા કોર્સિસની વાત કરીએ તો આર્ટ્સ એન્ડ હ્યુમેનિટીઝ, બિઝનેસ એન્ડ ઈકોનોમિક્સ, કમ્પ્યુટર સાઈન્સ, એન્જિનિયર, લૉ, લાઈફ સાઈન્સ, મેડિકલ એન્ડ હેલ્થ, ફિઝિકલ સાઈન્સ, સાઈકોલોજી અને સોશિયલ સાયન્સ સાથે સંબંધિત વિષયો સામેલ છે.

UCB માં ભણવાનો ખર્ચ?

અમેરિકામાં ભણવુ અત્યંત મોંઘુ છે અને આ જ વાત UCBમાં ભણનારા પર પણ લાગુ થાય છે. ભલે એ અમેરિકાની એક સરકારી યુનિવર્સિટી હોય પરંતુ અહીં ભારતીયો સહિત વિદેશી છાત્રોને તગડી ફી ભરવી પડે છે. યુએસ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટ અનુસાર વિદેશી વિદ્યાર્થીઓને વાર્ષિક ટ્યુશન ફી સરેરાશ 55,323 ડૉલર (51 લાખ) છે. તેમા હોસ્ટેલ ફી, જમવાનો ખર્ચ અને પુસ્તકોના ખર્ચને પણ સામેલ કરી લઈએ તો આ બજેટ 83,062 ડૉલર (76 લાખ) સુધી પહોંચી જાય છે.

 

શું પાયમાલ પાકિસ્તાન ઈરાન-ઈઝરાયેલ-અમેરિકાના યુદ્ધની આગમાં ખુદને હોમવાની ભૂલ કરશે?

Health Tips: ભોજન સાથે પાણી પીવાની આદત છે? પાણી પીવાથી પાચન બગડે છે? સત્ય જાણીને તમે પણ ચોંકી જશો

આપણા રોજિંદા જીવનમાં પાણી પીવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. પરંતુ એક પ્રશ્ન ઘણી વાર લોકોના મનમાં ઉદ્ભવે છે કે ભોજન કરતી વખતે પાણી પીવું યોગ્ય છે કે પછી ભોજન પછી પીવું જોઈએ. આ મુદ્દે ઘણા લોકો અલગ-અલગ માન્યતાઓ ધરાવે છે. કેટલાક લોકો માને છે કે ખાવાની સાથે પાણી પીવાથી પાચન પ્રક્રિયા ધીમી પડી જાય છે, જ્યારે કેટલાક લોકો કહે છે કે પાણી પાચન માટે મદદરૂપ બને છે.

પાચન માટે પાણીની ભૂમિકા

સ્વાસ્થ્ય નિષ્ણાતોનું કહેવું છે કે પાણી આપણા શરીરની અનેક પ્રક્રિયાઓ માટે જરૂરી છે. પાણી ખોરાકને નરમ બનાવવામાં મદદ કરે છે, જેથી ખોરાક સરળતાથી ગળી શકાય અને પેટમાં પચવામાં સહેલાઈ રહે. જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે શરીરમાં લાળ અને અન્ય પાચક પ્રવાહીઓ બને છે, જેમાં પાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

કેટલાક લોકો માને છે કે ભોજન દરમિયાન પાણી પીવાથી પેટના એસિડ પાતળા થઈ જાય છે અને પાચન બગડે છે. પરંતુ ઘણા નિષ્ણાતો મુજબ સામાન્ય માત્રામાં પાણી પીવાથી એવી મોટી સમસ્યા થતી નથી. જો ભોજન દરમિયાન થોડા ઘૂંટ પાણી પીવામાં આવે તો તે ખોરાકને પેટમાં સરળતાથી આગળ વધવામાં મદદ કરી શકે છે.

પાણી ક્યારે પીવું યોગ્ય?

ભોજન પછી પાણી પીવાનું પણ સામાન્ય છે. પરંતુ નિષ્ણાતો સલાહ આપે છે કે ભોજન કર્યા બાદ તરત ખૂબ વધારે પાણી પીવું ટાળવું જોઈએ. વધારે પાણી પીવાથી પેટમાં ભારપણું, ગેસ અથવા અસ્વસ્થતા અનુભવાઈ શકે છે. તેથી ભોજન પછી થોડો સમય રાહ જોઈને પાણી પીવું વધુ સારું માનવામાં આવે છે.

દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ?

દિવસ દરમિયાન શરીરને હાઇડ્રેટ રાખવા માટે સામાન્ય રીતે 7થી 8 ગ્લાસ પાણી પીવું યોગ્ય માનવામાં આવે છે, જોકે વ્યક્તિની ઉંમર, હવામાન અને શારીરિક પ્રવૃત્તિ મુજબ જરૂરિયાત બદલાઈ શકે છે. ગરમી, વ્યાયામ અથવા વધુ પરિશ્રમ કરતી વખતે શરીરને પાણીની જરૂરિયાત વધુ હોય છે.

સ્વસ્થ જીવન માટે મહત્વપૂર્ણ બાબત એ છે કે દિવસ દરમિયાન પૂરતું પાણી પીવું જોઈએ. શરીરને હાઇડ્રેટ રાખવા માટે સમયાંતરે થોડું-થોડું પાણી પીવું શ્રેષ્ઠ રીત માનવામાં આવે છે.

આખરે કહી શકાય કે ભોજન દરમિયાન તરસ લાગે તો થોડું પાણી પીવું નુકસાનકારક નથી, પરંતુ એક સાથે વધારે પાણી પીવાનું ટાળવું જોઈએ. યોગ્ય આહાર, પૂરતું પાણી અને સારા જીવનશૈલીના નિયમો અનુસરવાથી પાચન અને સ્વાસ્થ્ય બંને સારી રીતે જાળવી શકાય છે.

Disclaimer: આ સમાચારમાં આપવામાં આવેલી માહિતી આરોગ્ય સંબંધિત સામાન્ય જાણકારી અને નિષ્ણાતોના મત પર આધારિત છે. વ્યક્તિગત આરોગ્ય સમસ્યાઓ માટે ડૉક્ટર અથવા લાયક તબીબની સલાહ લેવી જરૂરી છે. TV9 Gujarati આ માહિતીની સંપૂર્ણ પુષ્ટિ કરતું નથી.

Drinking Hot Water in Summer : શું ગરમીમાં દરરોજ ગરમ પાણી પીવું સલામત અને ફાયદાકારક છે?

Breaking News : અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ, 15થી વધુ ફાયર ફાઇટરો ઘટના સ્થળે, મેજર કોલ જાહેર

ભરૂચના અંકલેશ્વરના પાનોલીની કંપનીમાં ભીષણ આગ લાગી છે.ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડમાં આગની ઘટના સામે આવતી છે.આગની જ્વાળા અને ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા. 80 કામદારોને તાત્કાલિક ફેક્ટરીની બહાર કાઢવામાં આવ્યા છે. 3 કામદારોને ધુમાડાની અસર થઈ છે.ઇજાગ્રસ્ત 3 કામદારોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 15થી વધુ ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવા કામગીરીમાં જોડાયા છે.

 

આગ એટલી વિકરાળ છે કે ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરવામાં આવ્યો છે.કંપની વિસ્તારમાં લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આગ લાગવાના કારણ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.ફાયર બ્રિગેડ દ્વારા સતત કૂલિંગ કામગીરી ચાલુ છે.

ગુજરાત રાજ્યનું નામ ગુજ્જર પરથી પડેલ છે. જેમણે ઇ.સ. 700 અને ઇ.સ. 800 દરમિયાન અહીં રાજ કર્યું હતું.  અહી ક્લિક કરો

સુરતમાં પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી કેનાલમાં પધરાવી દીધા ₹2 લાખ, પછી જે થયું તે જાણીને ચોંકી જશો!

સુરત શહેરના પુણા વિસ્તારમાંથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. અહીં એક પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી બે લાખ રૂપિયા કેનાલના પાણીમાં પધરાવી દીધા હતા. આ ઘટનાથી પરિવારજનોમાં હડકંપ મચી ગયો હતો. રુપિયા પાણીમાં પડી ગયા બાદ પરિવારને ભાન થયુ કે પૂજા સામગ્રી સાથે રુપિયા પણ વહી ગયા છે.

શું હતી ઘટના?

મળતી માહિતી મુજબ પુણા વિસ્તારમાં રહેતા લીંબા પરિવારે પૂજા પૂર્ણ કર્યા બાદ સામગ્રી અને ફૂલોને કબાટની તિજોરી પાસે રાખ્યા હતા. ત્યારબાદ પૂજાની સામગ્રીને એકત્ર કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કેનાલમાં પધરાવવા ગયા હતા.આ દરમિયાન ભૂલથી પ્લાસ્ટિકની થેલીમાં રાખેલા ₹500 રૂપિયાના નોટોના ચાર બંડલ પણ પૂજા સામગ્રી સાથે જ રહી ગયા હતા. પરિવારજનોને ખબર ન રહી અને પૂજા સામગ્રી સાથે કુલ બે લાખ રૂપિયા પણ પુણા કેનાલમાં પધરાવી દીધા હતા.

રુપિયાનું કરાયુ રેસ્ક્યૂ!

થોડા સમય બાદ પરિવારને ખબર પડી કે પૂજા સામગ્રી સાથે મોટી રકમ પણ પાણીમાં નાખી દીધી છે. ત્યારબાદ પરિવારજનો ગભરાઈ ગયા અને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી. માહિતી મળતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર કર્મચારીઓ કેનાલના પાણીમાં ઊતરી ભારે જહેમત બાદ શોધખોળ હાથ ધરી હતી. લાંબા પ્રયત્નો પછી પાણીમાંથી તમામ રકમ શોધી કાઢવામાં સફળતા મળી હતી.

અંતે ફાયર વિભાગે પાણીમાંથી મળેલી બે લાખ રૂપિયાની રકમ સલામત રીતે પરિવારને પરત સોંપી હતી. ફાયર વિભાગની આ કામગીરીથી પરિવારજનોને મોટી રાહત મળી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કારની ઉપર કેમેરા ન હોવા છતાં, 360° Birds Eye View કેવી રીતે દેખાય છે? જાણો રહસ્ય

આજકાલ નવી કારમાં 360-ડિગ્રી કેમેરા સિસ્ટમ વધુને વધુ લોકપ્રિય બની રહી છે. પહેલાં, આ સુવિધા ફક્ત હાઇ-એન્ડ વાહનોમાં જ ઉપલબ્ધ હતી, પરંતુ હવે તે મધ્યમ-રેન્જ મોડેલોમાં પણ ઉપલબ્ધ છે. ઘણા લોકો નવી કાર ખરીદતી વખતે તેને એક આવશ્યક સુવિધા માને છે. તે ડ્રાઇવરને સ્ક્રીન પર કારનો આગળનો, પાછળનો, ડાબો, જમણો અને આસપાસનો ભાગ જોવાની મંજૂરી આપે છે. પરંતુ એક પ્રશ્ન વારંવાર ઉદ્ભવે છે: જ્યારે કારની છત પર કોઈ કેમેરા લગાવવામાં આવતો નથી ત્યારે સ્ક્રીન પર ઉપરથી બર્ડ્સ-આઈ વ્યૂ કેવી રીતે બની જાય છે?

એડવાન્સ્ડ કાર સોફ્ટવેર

આ ટેકનોલોજી મૂળભૂત રીતે કેમેરા અને સોફ્ટવેરનું મિશ્રણ છે. કારના વિવિધ ભાગોમાં, જેમ કે આગળ, પાછળ અને બંને બાજુના અરીસાઓ હેઠળ નાના કેમેરા લગાવવામાં આવે છે. આ કેમેરા વિવિધ ખૂણાઓથી આસપાસના વાતાવરણનો લાઇવ વીડિયો રેકોર્ડ કરે છે. કારનું એડવાન્સ્ડ સોફ્ટવેર પછી આ બધા કેમેરામાંથી મળેલા ફોટા જોડીને એક દૃશ્ય બનાવે છે જે ઉપરથી જોવામાં આવે તેવું લાગે છે.

આ સોફ્ટવેર અનેક પગલાઓમાં કામ કરે છે

આ પ્રક્રિયામાં સોફ્ટવેર અનેક પગલાઓમાં કામ કરે છે. પ્રથમ, સિસ્ટમ બધા કેમેરામાંથી વીડિયો એકત્રિત કરે છે. પછી, સોફ્ટવેર દરેક છબીમાં સામાન્ય બિંદુઓ શોધે છે જે અન્ય છબીઓમાં પણ હાજર હોય છે. આ બિંદુઓનો ઉપયોગ કરીને, બધી છબીઓને વાહનના કદ અને સ્થિતિ અનુસાર યોગ્ય સ્થાને ફીટ કરવામાં આવે છે.

કેમેરા વાઇડ-એંગલ લેન્સથી સજ્જ છે

આ પછી, બીજું એક મહત્વપૂર્ણ કાર્ય કરવામાં આવે છે, જેને ઇમેજ કરેક્શન કહેવામાં આવે છે. હકીકતમાં, આ કેમેરામાં વાઇડ-એંગલ લેન્સ હોય છે, જેના કારણે છબીઓ થોડી વિકૃત દેખાઈ શકે છે. સોફ્ટવેર આ છબીઓને સમાયોજિત કરે છે અને તેમને યોગ્ય કદમાં માપ આપે છે, જેથી રસ્તો, રેખાઓ અને આસપાસની વસ્તુઓ સ્પષ્ટ રીતે દેખાય.

પેનોરેમિક વ્યૂ બનાવવું

એકવાર બધી છબીઓ યોગ્ય રીતે ગોઠવાઈ જાય પછી, સોફ્ટવેર તેમને જોડીને એક સરળ, પેનોરેમિક વ્યૂ બનાવે છે. બધી છબીઓની તેજ અને રંગ પણ સમતળ કરવામાં આવે છે, જેનાથી સ્ક્રીન પરનું દ્રશ્ય સંપૂર્ણપણે કુદરતી દેખાય છે. આ બનાવેલ દૃશ્ય કારની ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ પર બર્ડ્સ-આઇ વ્યૂ તરીકે પ્રદર્શિત થાય છે. આ સમજવાનો એક સરળ રસ્તો સ્માર્ટફોનના પેનોરેમિક ફોટો મોડ દ્વારા છે, જે બહુવિધ છબીઓને એક મોટી છબીમાં જોડે છે.

360-ડિગ્રી કેમેરા ડ્રાઇવિંગને ખૂબ સરળ બનાવે છે. તે બ્લાઇન્ડ સ્પોટ ઘટાડે છે, ઓછી જગ્યાઓમાં પાર્કિંગને સરળ બનાવે છે અને નજીકના વાહનો અથવા અવરોધો જોવાનું સરળ બનાવે છે. આ જ કારણ છે કે આજે આ સુવિધા ડ્રાઇવરો માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે.

જનરલ નોલેજમાં ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન, સાહિત્ય, વર્તમાન બાબતો સહિતના વિષયોનો સમાવેશ થાય છે. જનરલ નોલેજની સારી સમજ હોવી જરૂરી છે, કારણ કે તે તમને વિશ્વની ઘટનાઓથી અપડેટ રાખે છે. અહીંયા દરરોજ અવનવી બાબતોની સ્ટોરી તમને જાણવા મળશે. તમારૂ નોલેજ વધારવા માટે જનરલ નોલેજના ટોપિકને ફોલો કરતા રહો. 

Breaking News: અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી ‘ઈમરજન્સી સાયરન’, જાણો શું છે કારણ

અમદાવાદમાં આજે વહેલી સવારે લાલ દરવાજા વિસ્તારમાં અચાનક જ ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યા હતા. સાયરન સાંભળીને લોકોમાં કુતુહલ જાગ્યુ હતુ. લોકોના મનમાં ચાલી રહ્યુ હતુ કે એક તરફ મિડલ ઇસ્ટમાં વૈશ્વિક યુદ્ધની સ્થિતિ છે.ત્યાં શું હવે અમદાવાદમાં તેની અસરના પગલે તો કોઇ સાયરન વાગી રહ્યા નથી ને?

તો અમે તમને જણાવી દઇએ કે અમદાવાદમાં નાગરિક સુરક્ષા મજબૂત બનાવવા માટે નગરપાલિકા દ્વારા નવા ઈમરજન્સી સાયરનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. લાલદરવાજા હોમગાર્ડ ઓફિસ પર ટેસ્ટિંગ યોજાયું જેના પગલે શહેરના આસપાસના વિસ્તારોમાં સાયરનનો અવાજ સંભળાયો. આ પ્રયોગમાં નાગરિકોને સમયસર એલર્ટ આપવા માટેના સિસ્ટમની કાર્યક્ષમતા ચકાસવામાં આવી.

પરીક્ષણ સમયે સાયરનના અવાજ 8થી 10 કલાકની વચ્ચે સમયાંતરે સંભળાવવાનો આયોજન કરવામાં આવ્યું હતું, જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રભાવકારક રીતે અવાજ પહોંચી શકે. નગરપાલિકા અને હોમગાર્ડ સ્ટાફે સાયરનના દરેક ફંક્શનનું વિશ્લેષણ કરીને તેની અસરકારકતા ચકાસી.

Breaking News Iran Israel War : યુદ્ધના માહોલ વચ્ચે ભારતમાં LPG ગેસના ભાવમાં વધારો, દેશભરના લાખો પરિવારો પર અસર

Thalapathy Vijay Divorce : છૂટાછેડાના સમાચારો વચ્ચે વિજય થલાપતિ ત્રિશા કૃષ્ણન સાથે જોવા મળ્યો, એક લગ્નપ્રસંગમાં સાથે જ પહોંચ્યા, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

ટી20 વર્લ્ડકપમાં સેમિફાઈનલ મેચમાં ભારતની જીતના હીરો અક્ષર પટેલનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

ટી20 વર્લ્ડકપમાં સેમિફાઈનલ મેચમાં ભારતની જીતના હીરો અક્ષર પટેલનો આવો છે પરિવાર અહી ક્લિક કરો

નિયમિત રીતે યોગ કરવાથી ઘણા લાભ થાય છે. જેમ કે મનને શાંતિ મળે છે, તણાવ મુક્ત જીવન, શરીરનો થાક દૂર થાય છે, શરીર રોગ મુક્ત બને છે, વજન પર કંટ્રોલ કરી શકાય છે. યોગના વધારે ન્યૂઝ વાંચવા માટે આ પેજ સાથે જોડાયેલા રહો.

Stock Market Breaking: શેરમાર્કેટમાં આવશે જોરદાર તેજી? આ ત્રણ કારણ રોકાણકારોને કરશે માલામાલ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

World War Criteria: કોઈ પણ યુદ્ધ ‘વિશ્વ યુદ્ધ’ ક્યારે બને છે? ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ વચ્ચે ઉઠ્યો સવાલ, જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Iran Israel War  Breaking:  ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે ખતરામાં છે  ICCની આ ટૂર્નામેન્ટ, પોસ્ટપોન કરાઈ મેચ

World Cup League 2 : અમેરિકા-ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે આખા મિડિલ ઈર્સ્ટ પર પડી છે. અમેરિકા અને ઈઝરાયલે ઈરાન પર સતત હુમલા કરી રહ્યું છે. તો ઈરાન પણ સામે જડબાતોડ જવાબ આપી રહ્યું છે. જેના કારણે હવાઈ યાત્રા સંપુર્ણ રીતે બંધ કરવામાં આવી છે. આ મેચ 10 માર્ચના રોજ રમાવાની હતી.

આ આઈસીસી ટૂર્નામેન્ટની મેચ પોસ્ટપોન

મિડિલ ઈર્સ્ટમાં ચાલી રહેલા સૈન્ય સંધર્ષના કારણે આઈસીસી પુરુષ ક્રિકેટ ક્રિકેટ વર્લ્ડકપ લીગ 2ની કેટલીક મેચ પોસ્ટપોન કરી દેવામાં આવી છે. આ નિર્ણય મુસાફરી અને સુરક્ષા સંબંધી ચિંતાઓના કારણે લેવામાં આવ્યો છે. આ મેચ નેપાળના કિર્તિપુરમાં ત્રિભુવન વિશ્વવિદ્યાલય ઈન્ટરનેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની હતી. શેડ્યુલ મુજબ 10 માર્ચથી 20 માર્ચ સુધી ઓમાન,સંયુક્ત અરબ અમીરાત, અને મેજબાન નેપાળ વચ્ચે કુલ 6 વનડે મેચ રમાવાની હતી. આ ટીમને નેપાળ પહોંચવાનું હતુ. પરંતુ મિડિલ ઈર્સ્ટમાં વધતા તણાવના કારણે આ મુસાફરી પર પ્રભાવિત થઈ છે. જેના કારણે મેચને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે.

 

 

 

ટુંક સમયમાં નવી તારીખની જાહેરાત

નેપાળ એસોશિએશને 4 માર્ચ 2026ના રોજ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી આ જાણકારી આપી હતી. કે, નેપાળ ક્રિકેટ એસોશિએશને કહ્યું મિડિલ ઈર્સ્ટમાં હાલની સ્થિતિ જોઈને કાઠમાંડુમાં 10 માર્ચથી શરુ થનારી સીડબલ્યુસી લીગની 2 મેચ આગામી સુચના સુધી મુલતવી રાખવામાં આવી છે. પ્રભાવિત મેચમાં ઓમાન,યુએઈ અને નેપાળની મેચ સામેલ છે. ટુંક સમયમાં નવી તારીખની જાહેરાત કરવામાં આવશે.

વર્લ્ડકપ 2027ની ટિકિટ પર નજર

આઈસીસી પુરુષ ક્રિકેટ વર્લ્ડકપ લીગ 2 સાઉથ આફ્રિકા , ઝિમ્બાબ્વે અને નામીબિયામાં રમાનાર છે. 2027 વર્લ્ડકપ માટે ક્વોલિફિકેશનની પ્રકિયા ખુબ મહત્વની છે. આ 8 ટીમોની લાંબી ટૂર્નામેન્ટ છે. જે 3 વર્ષ સુધી ચાલે છે. લીગમાં સૌથી ઉપર રહેનારી ટીમ ક્વોલિફાયમાં સ્થાન બનાવે છે.અહીંથી વર્લ્ડ કપ માટે અંતિમ સ્થાનો નક્કી થાય છે. આગામી લીગ મેચો સ્કોટલેન્ડ, ઓમાન અને નામિબિયા વચ્ચે નામિબિયાના વિન્ડહોકમાં 2 એપ્રિલથી રમાશે. હાલમાં, યુનાઇટેડ સ્ટેટ્સ આ રાઉન્ડમાં આગળ છે.

 

 ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ છોડ્યા અને મધ્ય પૂર્વમાં અમેરિકન લશ્કરી થાણાઓ પર પણ હુમલો કર્યો. અહી ક્લિક કરો

Iran Israel War: છ દિવસના યુદ્ધમાં ઈરાન, અમેરિકા, ઈઝરાયલ અને ખાડી દેશોને કેટલું નુકસાન થયું? સમજો આ 10 પોઈન્ટમાં

28 ફેબ્રુઆરીએ ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલા પછી શરૂ થયેલી મધ્ય પૂર્વની કટોકટી શાંત થવાના કોઈ સંકેત દેખાતા નથી. ઈરાન યુદ્ધે ઘણા ખાડી દેશોને અસર કરી છે, કારણ કે તેહરાન અમેરિકન બેઝ પર હુમલો કરવાનું ચાલુ રાખે છે. હિંદ મહાસાગરમાં એક અમેરિકન સબમરીન દ્વારા ઈરાની યુદ્ધ જહાજને ટોર્પિડો કરવામાં આવ્યું હતું, જેમાં 87 મૃતદેહો મળી આવ્યા હતા.

ઈરાનમાં મૃત્યુઆંક 1,045 પર પહોંચ્યો

શનિવારે અમેરિકા અને ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈરાનમાં મૃત્યુઆંક 1,045 પર પહોંચી ગયો છે. લેબનોનમાં 60 થી વધુ લોકો અને ઈઝરાયલમાં લગભગ એક ડઝન લોકો માર્યા ગયા. આ સંઘર્ષમાં છ અમેરિકન સૈનિકોએ પણ જીવ ગુમાવ્યા છે.

દરમિયાન, ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનેઈની દફનવિધિ મુલતવી રાખવામાં આવી છે. યુદ્ધ હવે નેતૃત્વ, મિસાઈલ બેઝ અને પરમાણુ કાર્યક્રમોને લક્ષ્ય બનાવતા અનિશ્ચિત સંઘર્ષમાં ફેરવાઈ ગયું છે.

ઈઝરાયલને કેટલું નુકસાન થયું?

ઈઝરાયલના નાણા મંત્રાલયે જણાવ્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલા હવાઈ યુદ્ધથી દેશની અર્થવ્યવસ્થાને દર અઠવાડિયે 9 અબજ શેકેલ (આશરે 2.93 અબજ ડોલર) થી વધુનું નુકસાન થઈ શકે છે. આનો અર્થ એ થયો કે ઈઝરાયલ નોંધપાત્ર નુકસાન સહન કરી રહ્યું છે. જો આ યુદ્ધ ચાલુ રહેશે તો આ નુકસાન વધુ વધી શકે છે.

10 મુદ્દાઓમાં સંપૂર્ણ વાર્તા સમજો

  1. મધ્ય પૂર્વ મીડિયા અનુસાર, અત્યાર સુધીમાં, યુદ્ધમાં ઈરાનમાં 1,045, લેબનોનમાં 50, ઇઝરાયલમાં 11, જોર્ડનમાં 5, કુવૈતમાં 4, યુએઈમાં 3 અને બહેરીન અને ઓમાનમાં એક-એક સૈનિકો માર્યા ગયા છે. કુવૈતમાં યુએસ દૂતાવાસ પર ઈરાની હુમલામાં કુલ 6 સૈનિકો માર્યા ગયા હતા.
  2. ઇઝરાયલ અને અમેરિકાએ ઈરાનના આંતરિક સુરક્ષા કમાન્ડ અને બાસીજ ફોર્સની ઇમારતોને નિશાન બનાવી છે. આ હુમલાઓ સાથે ઇઝરાયલનો ઉદ્દેશ્ય ઈરાનની સુરક્ષા વ્યવસ્થાને નબળી પાડવાનો છે.
  3. તેહરાનમાં સરકારી ટેલિવિઝન પર હુમલામાં નાશ પામેલા ઇમારતોના ખંડેર દર્શાવવામાં આવ્યા હતા. કોમ શહેરમાં એક ઇમારત, જ્યાં મૌલવીઓની પેનલ આગામી સુપ્રીમ લીડર પસંદ કરવા માટે હતી, તેને પણ નિશાન બનાવવામાં આવી હતી.
  4. આ હુમલાઓએ ઈરાનની હવાઈ સંરક્ષણ પ્રણાલી અને ડ્રોન બેઝને નોંધપાત્ર નુકસાન પહોંચાડ્યું હોવાના અહેવાલ છે.
  5. યુદ્ધની અસર હવે ઈરાનની સરહદોની બહાર અને સમગ્ર પ્રદેશમાં ફેલાઈ ગઈ છે. ઈરાને બહેરીન, કુવૈત અને ઇઝરાયલ પર મિસાઇલો છોડીને બદલો લીધો છે.
  6. હોર્મુઝ સ્ટ્રેટમાં એક માલવાહક જહાજ મિસાઇલથી અથડાયા બાદ આગ લાગી ગઈ. યુદ્ધને કારણે આ વ્યૂહાત્મક માર્ગ પરથી ઓઇલ ટેન્કરોની અવરજવર 90 ટકા ઘટી ગઈ છે. આના કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસ પુરવઠો ખોરવાઈ ગયો છે અને ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યો છે. ઈરાને ધમકી આપી છે કે જો હુમલાઓ બંધ નહીં થાય તો આ પ્રદેશના સમગ્ર લશ્કરી અને આર્થિક માળખાને નષ્ટ કરી દેશે.
  7. યુએસ સંરક્ષણ સચિવે જણાવ્યું છે કે આ કાર્યવાહી માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા નથી. તેમણે સંકેત આપ્યો છે કે તે ત્રણ, છ કે આઠ અઠવાડિયા સુધી ચાલી શકે છે.
  8. ઇઝરાયલી સંરક્ષણ પ્રધાને ખુલાસો કર્યો હતો કે જૂન 2026 માં મૂળ રીતે નિર્ધારિત હુમલો ફેબ્રુઆરીમાં શરૂ કરવો પડ્યો હતો, ખાસ સંજોગોને કારણે.
  9. મધ્ય પૂર્વમાં લાખો મુસાફરો ફસાયેલા છે, અને આંતરરાષ્ટ્રીય શિપિંગ તૂટી ગયું છે.
  10. તેલના ભાવમાં વધારો વૈશ્વિક અર્થતંત્રને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે તેવી આશંકા વચ્ચે વિશ્વભરના શેરબજારો ડૂબી રહ્યા છે.

ઈરાન-ઈઝરાયેલ, યુએસએ યુદ્ધનો પાંચમો દિવસ, ઈઝરાયેલ-અમેરિકાને કલ્પના બહારનું નુકસાન પહોંચાડતુ ઈરાન ! 10 મોટી ઘટનાનો જુઓ વીડિયો

સારી આરોગ્ય સંભાળ તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. સારું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે, સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આનાથી તમે તમારી જાતને ઘણી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓથી પણ બચાવી શકો છો. સ્વાસ્થ્યને લગતા સમાચાર વાંચવા અહીં ક્લિક કરો.

Guru Mahadasha: ગુરુ ગ્રહની મહાદશા કેટલો સમય ચાલે છે, જાણો ગુરુવારે ગુરુ ભગવાનને કેવી રીતે પ્રસન્ન કરવા?

Guru Mahadasha: જેમ સનાતન ધર્મમાં દરેક દિવસ કોઈ ચોક્કસ દેવતાને સમર્પિત છે. તેવી જ રીતે, દરેક દિવસ કોઈ ગ્રહને સમર્પિત છે. ગુરુવાર બ્રહ્માંડના રક્ષક ભગવાન વિષ્ણુ અને દેવતાઓના ગુરુ અને નવ ગ્રહોમાં સૌથી મહત્વપૂર્ણ બૃહસ્પતિ દેવને સમર્પિત છે. ગુરુવારે ભગવાન વિષ્ણુનું ઉપવાસ અને પૂજા કરવી એ સમૃદ્ધિનો આશ્રયદાતા માનવામાં આવે છે. આનાથી જીવનમાં ખુશીઓ આવે છે.

પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે

આ દિવસે ગુરુ ગ્રહની પણ ધાર્મિક પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતા મુજબ ગુરુવારે ગુરુ ગ્રહની પૂજા કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થાય છે અને પદ અને પ્રતિષ્ઠામાં વધારો થાય છે. પરંતુ શું તમે જાણો છો કે કુંડળીમાં ગુરુની મહાદશા કેટલો સમય ચાલે છે? જો નહીં, તો ચાલો જાણીએ. આ ઉપરાંત ગુરુવારે ગુરુ ગ્રહને કેવી રીતે પ્રસન્ન કરવું તે શીખીએ.

ગુરુની મહાદશા 16 વર્ષ સુધી ચાલે છે

જ્યોતિષીઓના મતે ગુરુની મહાદશા 16 વર્ષ સુધી ચાલે છે. આ સમયગાળા દરમિયાન બધા શુભ અને અશુભ ગ્રહોની અંતર્દશા પણ થાય છે. પ્રથમ ગુરુની અંતર્દશા છે, જે બે વર્ષ સુધી ચાલે છે. આ પછી શનિનો અંતર્દશા આવે છે. ગુરુની મહાદશા દરમિયાન, શુભ ગ્રહોની અંતર્દશા શુભ પરિણામો આપે છે. જોકે, રાહુ અથવા કેતુની અંતર્દશા શુભ કાર્યોમાં નિષ્ફળતા આપે છે. જો ગુરુ રાહુ અને કેતુ સાથે યુતિમાં હોય, તો ચાંડાલ દોષ રચાય છે.

તમારા ગુરુને આ રીતે પ્રસન્ન કરો

ગુરુદેવને પ્રસન્ન કરવા માટે, ગુરુવારે ભગવાન વિષ્ણુ અને દેવતાઓના ગુરુની ભક્તિભાવથી પૂજા કરો. પીળા વસ્ત્રો પહેરો. પીળા વસ્ત્રો, પીળા ફળ, ચણા, કેળા, પપૈયા વગેરે જેવી પીળી વસ્તુઓનું દાન કરો. લક્ષ્મી નારાયણની પૂજા કરો. પૂજા દરમિયાન, ભગવાન વિષ્ણુને કેસર મિશ્રિત દૂધથી અભિષેક કરો. સૂર્યદેવને જળ અર્પણ કરો. કેળાના છોડને હળદર મિશ્રિત પાણી અર્પણ કરો. આ પગલાંઓનું પાલન કરવાથી તમારા ગુરુ પ્રસન્ન થાય છે.

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

Holi 2026: હોળી પર ગ્રહોની વક્ર ચાલ, જાણો શું આ વખતે શનિની દૃષ્ટિનો કોઈ પ્રભાવ પડશે

Saturn in Pisces Effects: રંગોનો તહેવાર હોળી આજે દેશભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવી રહી છે. જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ સમય અત્યંત ખાસ છે. કારણ કે ગ્રહોની ગોઠવણી એક દુર્લભ અને શક્તિશાળી સંયોજન બનાવી રહી છે. આ વર્ષની હોળી ફક્ત રંગો સાથે રમવા વિશે નથી; તે આપણા જીવનમાં ભાવનાત્મક ઊંડાણ, શાંતિ અને માનસિક સ્પષ્ટતા લાવે છે.

કુંભ રાશિમાં બુધની વક્રી ગતિ અને મીન રાશિમાં શુક્ર અને શનિનું યુતિ આ તહેવારને એક નવું પરિમાણ આપી રહ્યા છે. આ અદ્ભુત ગ્રહોનું સંરેખણ સૂચવે છે કે તહેવાર દરમિયાન સંબંધો ગંભીર બનશે અને ક્રિયાપ્રતિક્રિયાઓ વધુ હળવા બનશે. તમારી રાશિ અનુસાર રંગો પસંદ કરીને તમે આ સકારાત્મક ગ્રહોની ઉર્જા સાથે વધુ સારી રીતે સંરેખિત થઈ શકો છો. જીવનને યોગ્ય રીતે સંચાલિત કરવા અને પોતાને અંદરથી સમજવા માટે આ એક ઉત્તમ સમય છે.

વક્રી બુધ અને ક્રિયાપ્રતિક્રિયા પર તેની અસર

આ હોળીમાં બુધ કુંભ રાશિમાં વક્રી છે. બુધને બુદ્ધિ, સંદેશાવ્યવહાર અને સંકલનનો સ્વામી માનવામાં આવે છે. જ્યારે પણ બુધ વક્રી થાય છે, ત્યારે વસ્તુઓ થોડી ધીમી પડી જાય છે. આની સીધી અસર આપણા સંદેશાવ્યવહાર અને તહેવારની તૈયારીઓ પર પડી શકે છે.

બુધ ગ્રહનો આ પ્રભાવ નીચેની રીતે સામે આવી શકે છે:

  • તમારે તમારી હોળીની યોજનાઓ અથવા તૈયારીઓમાં છેલ્લી ઘડીએ કેટલાક ફેરફારો કરવા પડી શકે છે.
  • વાતચીત દરમિયાન નાની-મોટી ગેરસમજ થવાની શક્યતા છે, તેથી સરળતાથી વાત કરો.
  • તમે અણધારી રીતે કોઈ જૂના મિત્રને મળી શકો છો, જે તમારા આનંદને બમણો કરશે.
  • જૂની યાદો અને પ્રિય યાદો ફરી એકવાર તમારા હૃદયને આનંદથી ભરી દેશે.

જોકે આ કેટલાક પડકારો રજૂ કરી શકે છે, બુધ વક્રી સ્વ-સમજણ અને ઊંડા ચિંતન માટે ઉત્તમ છે. આ સમયે, ઘણા લોકો પ્રિયજનો સાથે બેસીને હૃદયપૂર્વકની વાતચીત શેર કરવાનું અને ઘોંઘાટીયા મેળાવડાને બદલે નાના મેળાવડામાં ભાગ લેવાનું પસંદ કરશે. આ સમય સંબંધોમાં પ્રામાણિકતા અને જોડાણને પ્રોત્સાહન આપશે.

મીન રાશિમાં શનિદેવ: શિસ્ત અને ગૌરવનું સંયોજન

શનિદેવને આપણા કાર્યો અને શિસ્તનો પાયો માનવામાં આવે છે. આ હોળીમાં શનિદેવ મીન રાશિમાં સ્થિત છે, જે આપણી લાગણીઓ અને આધ્યાત્મિકતા સાથે સીધો સંબંધ ધરાવે છે. શનિની આ સ્થિતિ ઉત્સવના વાતાવરણમાં ગંભીરતા અને ગૌરવની એક અનોખી ભાવના ફેલાવશે. આ ગ્રહોના પ્રભાવને કારણે લોકો આ વર્ષે હોળીની ઉજવણી ધમાલ કરતાં શાંતિ અને નમ્રતાથી કરવાનું પસંદ કરશે. આ સમય દેખાડાથી દૂર રહેવાનો અને તહેવારનો સાચો આનંદ અનુભવવાનો છે.

શનિદેવની આ સ્થિતિ કેટલાક પરિણામો આપી શકે છે:

  • લોકો વચ્ચે પરસ્પર સમજણ વધશે, અને વાતચીત વધુ સંયમિત અને નમ્ર બનશે.
  • આપણે આપણા પ્રિયજનોનું મહત્વ સમજીશું અને તેમના પ્રત્યેની આપણી જવાબદારીઓ પૂર્ણ કરવા માટે પ્રેરિત થઈશું.
  • રંગોનો આ તહેવાર ફક્ત આનંદ અને આનંદ જ નહીં, પણ ભક્તિ અને આધ્યાત્મિકતા સાથે ઊંડો જોડાણ પણ લાવશે.
  • અરાજકતાને બદલે લોકો તેની જૂની પરંપરાઓ અને મૂલ્યોનો આદર કરીને આ તહેવારની ઉજવણી કરશે.

શનિદેવ આપણને જીવનમાં સંતુલન જાળવવાનું શીખવે છે, તેથી આ સમય દરમિયાન અતિશય ભાવનાત્મકતા અથવા બિનજરૂરી ખર્ચ ટાળવો મહત્વપૂર્ણ છે. સારા સમાચાર એ છે કે શનિદેવ હંમેશા સખત મહેનત અને પ્રામાણિકતાને પુરસ્કાર આપે છે. આ સમય દરમિયાન તમે તમારા સંબંધો અથવા નાણાકીય બાબતો અંગે જે પણ સારું પગલું ભરશો તેમાં લાંબા ગાળાની સફળતાની શક્યતા રહેશે.

શુક્ર અને શનિની જોડી: પ્રેમ અને ખુશીનો સંગમ

આ વર્ષની હોળીનું મુખ્ય આકર્ષણ મીન રાશિમાં શુક્ર અને શનિની મિલન છે. શુક્રને પ્રેમ અને આરામનો ગ્રહ માનવામાં આવે છે અને તે મીન રાશિમાં ખાસ કરીને મજબૂત હોય છે. જ્યારે શુક્ર અને શનિ સાથે હોય છે, ત્યારે પ્રેમ સંબંધો મજબૂત બને છે અને સર્જનાત્મક કાર્ય ખીલે છે.

આ ખાસ સંયોજન તમને ભાવનાત્મક રીતે વધુ જોડાયેલા અનુભવ કરાવશે, તમારા સંબંધોને ગાઢ બનાવશે. જો તમે કલા અથવા કોઈપણ સર્જનાત્મક કાર્યમાં સામેલ છો, તો આ તમારી પ્રતિભા દર્શાવવા માટેનો ઉત્તમ સમય છે. વધુમાં, તમારી નાણાકીય પરિસ્થિતિને મજબૂત બનાવવાની સારી તક છે. વધુમાં રાહુ અને વક્રી બુધનો પ્રભાવ તમને કંઈક નવું વિચારવા અને સ્વીકારવા માટે પ્રેરણા આપશે.

હોળીને વસંતના વધામણા કરનારા રંગોના પર્વ તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે, લોકો એક બીજા ઉપર વિવિધ રંગ છાટીને આનંદ ઉત્સાહ મનાવે છે. હોળી પર્વની સાંજે લોકો પોતાના વિસ્તારમાં લાકડા અને છાણા મુકીને હોલીકા દહન એટલે કે હોળી પ્રગટાવે છે. હોળીના દિવસે લોકો ખજૂર અને ધાણી ખાય છે. આ એક ધાર્મિક રીતરિવાજની સાથે પરંપરા છે. હોળીને લગતા વઘુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

Breaking News : શાળાઓને ધમકી આપનાર કોણ? અમદાવાદની શાળાઓને બોમ્બ બ્લાસ્ટની ધમકી આપનાર સકંજામાં

તાજેતરમાં અમદાવાદની પ્રતિષ્ઠિત શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઈલ મળતા જ સમગ્ર શહેરમાં ફફડાટ વ્યાપી ગયો હતો. હજારો વાલીઓના જીવ અદ્ધર થઈ ગયા અને નિર્દોષ વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ સર્જાયો. પરંતુ આ ગંભીર સાયબર હુમલા પાછળ કોણ હતું? જ્યારે શહેર ઊંઘતું હતું ત્યારે સાયબર ક્રાઈમની ટીમ તપાસનો ધમધમાટ ચલાવી રહી હતી. આ કેસની તપાસમાં જે ખુલાસા થયા છે તે માત્ર ચોંકાવનારા જ નથી, પરંતુ ડિજિટલ યુગમાં છુપાયેલા મોટા જોખમો તરફ ઈશારો કરે છે. એક ક્રાઈમ એનાલિસ્ટ તરીકે આ કેસના પડદા પાછળની વિગતો પર નજર કરીએ.

ધમકી આપવા પાછળ શાતિર દિમાગ કોનું ?

આ કેસમાં સૌથી પહેલો અને મહત્વનો વળાંક ત્યારે આવ્યો જ્યારે સાયબર ક્રાઈમની ટીમે અત્યંત જટિલ ટેકનિકલ એનાલિસિસ દ્વારા આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું. આ કોઈ સ્થાનિક તોફાની તત્વ નહોતું, પરંતુ છેક પશ્ચિમ બંગાળમાં છુપાયેલો શાતીર દિમાગ હતો.

ડિજિટલ ગુનેગારો એવી ભ્રમણામાં રાચે છે કે હજારો કિલોમીટર દૂર બેસીને તેઓ સુરક્ષિત છે, પરંતુ આ ઓપરેશને સાબિત કરી દીધું કે સાયબર પોલીસના હાથ ભૌગોલિક સરહદોથી બંધાયેલા નથી. આરોપીને બીજા રાજ્યમાંથી ઝડપી પાડી અમદાવાદ લાવવો એ તપાસ એજન્સીની ટેકનિકલ ક્ષમતા અને કુશળતાનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

ઈ-મેઈલ આઈડીનો કાળો કારોબાર: તપાસમાં મોટો ઘટસ્ફોટ

જેમ જેમ તપાસ ઉંડી ઉતરી, તેમ તેમ એક ચોંકાવનારું પાસું બહાર આવ્યું. પકડાયેલો આરોપી સૌરવ બિશ્વાસ માત્ર ધમકી આપનારો શખ્સ જ નથી, પરંતુ તે આખા એક ગેરકાયદેસર નેટવર્કનો ભાગ હોવાની આશંકા છે.

“આરોપી સૌરવ બિશ્વાસ ઇ-મેઈલ આઇડી વેચતો હોવાનો પણ ખુલાસો”

આ વિગત આખા કેસનું સ્વરૂપ બદલી નાખે છે. ઈ-મેઈલ આઈડી વેચવાનો વ્યવસાય એ સાયબર ક્રાઈમની દુનિયાનું ‘બેકબોન’ છે. ગુનેગારો પોતાની ઓળખ છુપાવવા માટે આવા આઈડી ખરીદતા હોય છે. સૌરવ બિશ્વાસ દ્વારા ઈ-મેઈલ આઈડીનું વેચાણ એ સૂચવે છે કે તે ડિજિટલ અંધકારની દુનિયામાં એક સપ્લાયર તરીકે કાર્યરત હતો. આ માત્ર એક વ્યક્તિની શરારત નથી, પણ એક આખું સાયબર નેટવર્ક હોઈ શકે છે જે ગુનાહિત પ્રવૃત્તિઓ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે.

કોર્ટે ગુનાની ગંભીરતા સમજીને આરોપી સૌરવ બિશ્વાસના ૧૪ માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. પોલીસ માટે આ સમયગાળો અત્યંત મહત્વનો છે. હાલમાં સાયબર ક્રાઈમની ટીમ મિનિટ-ટુ-મિનિટ ટેકનિકલ તપાસ કરી રહી છે.

રિમાન્ડ દરમિયાન તપાસનો મુખ્ય ધ્યેય

  • આરોપીએ અત્યાર સુધી કોને કોને ગેરકાયદેસર ઈ-મેઈલ આઈડી વેચ્યા છે?
  • શાળાઓને જ નિશાન બનાવવાની પાછળનો અસલી ‘માસ્ટર પ્લાન’ શું હતો?
  • શું આની પાછળ કોઈ મોટા આંતરરાષ્ટ્રીય કે સ્થાનિક સંગઠનનો હાથ છે?
  • તપાસ અધિકારીઓ અત્યારે એવા ડિજિટલ પદચિહ્નો (Digital Footprints) શોધી રહ્યા છે જેને આરોપીએ ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો હોય.

અમદાવાદ શાળા બોમ્બ ધમકી કેસ એ લાલબત્તી સમાન કિસ્સો છે. તે દર્શાવે છે કે સાયબર ક્રાઈમ હવે માત્ર નાણાકીય છેતરપિંડી પૂરતો મર્યાદિત નથી, પરંતુ તે આપણી સામાજિક શાંતિ અને શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા પર સીધોગુજરાત, પ્રહાર છે. ટેકનોલોજી જેટલી ઝડપથી વધી રહી છે, તેટલી જ સતર્કતા આપણે રાખવી અનિવાર્ય છે. સાયબર ક્રાઈમ બ્રાન્ચની આ સફળતા પ્રશંસનીય છે, પણ નાગરિક તરીકે આપણી જવાબદારી પણ એટલી જ મોટી છે.

વિવાદથી ઘેરાયેલી કીર્તિ પટેલ, હવે સંતસમાજ સામે નમવું પડ્યું? ગુરુની હાજરીમાં લીધો મોટો વળાંક આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Iran Israel War Breaking News: રીવોલ્યુશનરી ગાર્ડ્સના દબાણ હેઠળ મોજતબા ખામેનેઇને સુપ્રીમ લીડર તરીકે પસંદ કરાયા- મીડિયા રેપોર્ટ્સ

ઈરાનની રાજનીતિમાં તાજેતરમાં એક મોટો વળાંક નોંધાયો છે. દેશના સુપ્રીમ લીડર તરીકે લાંબા સમય સુધી સત્તા સંભાળનાર અયાતોલ્લા અલી ખામેનેઇ પછી હવે તેમના પુત્ર મોજતબા ખામેનેઇને નવા સુપ્રીમ લીડર તરીકે પસંદ કરવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ મહત્વપૂર્ણ અને વિવાદાસ્પદ નિર્ણાય જ કમિશન નામે ઓળખાતી અસેમ્બલી ઓફ એક્સપર્ટ્સે કર્યો છે, જેમાં ઘણાએ જણાવ્યાનું અહેવાલ છે કે આ પસંદગી ઇસ્લામિક રેવોલ્યુશ્નરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના દબાણ હેઠળ કરવામાં આવી હતી.

મોજતબા ખામેનેઇ કોણ છે અને શા માટે વિવાદ છે?

મોજતબા ખામેનેઇની ઉંમર અંદાજે 56 વર્ષ છે. તેઓ લાંબા સમયથી રાજકીય રીતે પડદા પાછળ સક્રિય રહ્યા છે. મોજતબા ખામેનેઇ અત્યાર સુધી કોઈ સત્તાવાર સરકારી પદ પર રહ્યા નથી, પરંતુ ધાર્મિક અને રાજકીય વર્તુળોમાં તેમનો પ્રભાવ નોંધપાત્ર માનવામાં આવે છે. દેશની આંતરિક સત્તા રચનામાં તેમનો પરોક્ષ પ્રભાવ વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે. વિશ્લેષકો માને છે કે સૈનિક અને કટ્ટરપંથી તત્વોની સમર્થન શક્તિ તેમના નેતૃત્વને મજબૂત આધાર આપી શકે છે.

IRGC દબાણ અને યુદ્ધના પ્રભાવ

આ નિર્ણયને લઈને દેશની અંદર તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા અને પ્રતિભાવની લહેર ઉઠી છે. 1979ની ઇસ્લામિક ક્રાંતિ પછી ઇરાને રાજશાહી પ્રણાલીનો અંત લાવી ધાર્મિક નેતૃત્વ આધારિત શાસન વ્યવસ્થા અપનાવી હતી. એ સંદર્ભમાં પિતા બાદ પુત્રને સર્વોચ્ચ પદ સોંપવાનો નિર્ણય કેટલાક વર્ગોમાં પ્રશ્નો ઊભા કરે છે. વિરોધીઓ આને પારદર્શિતાની કમી તરીકે જોતા હોય છે, જ્યારે સમર્થકોનો મત છે કે આ પગલું રાજકીય સ્થિરતા જાળવવા માટે લેવામાં આવ્યું હોઈ શકે.

IRGC ઈરાનની સુરક્ષા, રાજકીય અને આર્થિક માળખામાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેની સંસ્થાકીય શક્તિ અને પ્રભાવને ધ્યાનમાં લેતાં નવા સુપ્રિમ લીડર માટે આ સમર્થન સકારાત્મક કે વિવાદાસ્પદ – બંને રીતે જોવામાં આવી શકે છે.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે મોજતબા ખામેનેઇ દેશની અંદર ધાર્મિક માન્યતા અને રાજકીય સ્વીકાર્યતા કેટલી ઝડપથી મેળવી શકે છે. આંતરિક રાજકારણ, જનમાનસ અને વૈશ્વિક રાજકીય દબાણ વચ્ચે સંતુલન સાધવું તેમની માટે પડકારરૂપ બનશે. ઇરાનની આગલી દિશા માત્ર દેશ માટે નહીં, પરંતુ સમગ્ર મધ્યપૂર્વ અને વૈશ્વિક રાજકીીય પરિસ્થિતિ માટે પણ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

એ માસુમ ઢીંગલીઓ… ઈરાનમાં એકસાથે દફનાવવામાં આવી 160 નિર્દોષ દીકરીઓ, ઈઝરાયેલના હુમલામાં ગયો જીવ

Breaking News: ઈરાનના 500 મિસાઈલ અને 2000 ડ્રોન હુમલા બાદ અમેરિકાનો જોરદાર પ્રતિકાર, 17 જહાજો ખતમ

અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા લશ્કરી સંઘર્ષ અંગે એક મોટું નિવેદન સામે આવ્યું છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના અધિકારી બ્રેડ કૂપરે જણાવ્યું હતું કે ઈરાને અત્યાર સુધીમાં બદલામાં 500 થી વધુ બેલિસ્ટિક મિસાઇલો અને 2,000 થી વધુ ડ્રોન છોડ્યા છે. આમાંથી મોટાભાગના હુમલાઓ યુએસ લશ્કરી દળો દ્વારા નાશ પામ્યા છે.

લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે

બ્રેડ કૂપરે જણાવ્યું હતું કે યુએસ લશ્કરે સબમરીન સહિત 17 ઈરાની જહાજોનો નાશ કર્યો છે અને ઈરાનની અંદર આશરે 2,000 લક્ષ્યો પર હુમલો કર્યો છે. આ હુમલાઓથી ઈરાનને નોંધપાત્ર નુકસાન થયું છે. તેમણે ઉમેર્યું હતું કે ઈરાનના મિસાઇલ ઠેકાણાઓ પર પણ સતત હુમલો થઈ રહ્યો છે. ઈરાનના હવાઈ સંરક્ષણ પણ નોંધપાત્ર રીતે નબળા પડી ગયા છે. કૂપરે દાવો કર્યો હતો કે રાજધાની તેહરાનમાં ઈરાનના લશ્કરી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની લાંબી કતાર

યુએસ સેન્ટ્રલ કમાન્ડના બ્રેડ કૂપરે દાવો કર્યો હતો કે હાલમાં એક પણ ઈરાની જહાજ અરબી ખાડી, હોર્મુઝ સ્ટ્રેટ કે ઓમાનના અખાતમાં નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની લાંબી કતાર છે. મોટાભાગના દેશોના જહાજો ત્યાં તૈનાત છે.

ઈરાની હુમલાના ડરથી કોઈ પણ જહાજ આગળ વધવાની હિંમત કરતું નથી. બોર્ડ પરના ક્રૂને પોતાના જીવનો ડર છે. મોટાભાગના દેશોના જહાજો પરિસ્થિતિ સુધરશે ત્યારે જ ત્યાંથી જવાની તૈયારી દર્શાવી રહ્યા છે.

ઈરાનના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નિશાન બનાવાયું

અગાઉ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, “મેં જે કર્યું છે તેના માટે મને ક્યારેય આટલી પ્રશંસા મળી નથી.” યુએસ સેના ઈરાન સામે સતત મોટો વળતો હુમલો કરી રહી છે. આ ઘણા દિવસો સુધી ચાલુ રહેશે.

આ દરમિયાન યુએસ સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું છે કે, યુએસ સેનાએ ઈરાનમાં 1,700 થી વધુ લક્ષ્યો પર હુમલો કર્યો છે. શનિવારથી શરૂ થયેલા આ હુમલાઓમાં ઈરાની નૌકાદળના જહાજો, સબમરીન, એન્ટી-શિપ મિસાઈલ સ્થળો તેમજ કમાન્ડ અને નિયંત્રણ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

US Iran War Breaking : ચાલુ યુદ્ધ વચ્ચે ઈરાનના રાષ્ટ્રપતિ પેઝેશકિયાનનું મોટું નિવેદન, કહ્યું, “ભીષણ હુમલાઓ ચાલુ રહેશે..

04 March 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોએ વરિષ્ઠ લોકોને મળવું જોઈએ અને કોણ આસપાસના લોકોને પ્રભાવિત કરશે? જુઓ Video

આજનું રાશિફળ વીડિયો: આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

તમારું આકર્ષણ અને વ્યક્તિત્વ તમને કેટલાક નવા મિત્રો બનાવવામાં મદદ કરશે. વિદેશી વેપાર સાથે સંકળાયેલા લોકો આજે ઇચ્છિત પરિણામો પ્રાપ્ત કરે તેવી અપેક્ષા છે.

વૃષભ રાશિ:-

શારીરિક કસરત અને વજન ઘટાડવાના પ્રયાસો તમારા દેખાવને સુધારવામાં ફાયદાકારક સાબિત થશે. તમે સાંજનો મોટાભાગનો સમય મહેમાનો સાથે વિતાવી શકો છો.

મિથુન રાશિ:-

આજે તમે કંઈ ખાસ કર્યા વિના સરળતાથી લોકોનું ધ્યાન આકર્ષિત કરી શકશો. તમારા જીવનસાથી આખો દિવસ તમારા વિશે વિચારતા રહેશે.

કર્ક રાશિ:-

આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, જેનાથી તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ ઓછી થશે. જૂના પરિચિતોને મળવા અને જૂના સંબંધોને ફરીથી જીવંત કરવા માટે આ દિવસ સારો છે.

સિંહ રાશિ:-

ઘરેણાં તેમજ પ્રાચીન વસ્તુઓમાં રોકાણ કરવાથી ફાયદો થશે અને સમૃદ્ધિ મળશે. તમારું જ્ઞાન અને રમૂજ તમારી આસપાસના લોકોને પ્રભાવિત કરશે.

કન્યા રાશિ:-

તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય તણાવ અને ચિંતાનું કારણ બની શકે છે. આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, જે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર કરશે.

તુલા રાશિ:-

આજે તમારા વ્યક્તિત્વમાં સુગંધ આવશે અને તે બધાને આકર્ષિત કરશે. આજે વડીલોના આશીર્વાદ સાથે ઘરની બહાર નીકળો, કારણ કે આનાથી તમને આર્થિક લાભ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ:-

પરિવારમાં એકબીજાના દ્રષ્ટિકોણને સમજીને વ્યક્તિગત સમસ્યાઓનું નિરાકરણ લાવો. ભાગીદારી અને વ્યવસાયિક વાતો અજાણ્યા વ્યક્તિ સાથે શેર કરવાનું ટાળો.

ધન રાશિ:-

આજે તમારે સારું બજેટ બનાવવાની જરૂર છે; જે તમારી ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. તમે બહાર ફરવાની યોજના બનાવી શકો છો, જે તમારી ઊર્જા અને ઉત્સાહને તાજગી આપશે.

મકર રાશિ:-

પરિવારના કોઈ સભ્યની બીમારી નાણાકીય મુશ્કેલીઓનું કારણ બની શકે છે. નાના બાળકો તમને વ્યસ્ત રાખશે અને માનસિક શાંતિ આપશે.

કુંભ રાશિ:-

આજે તમે પ્રેમાળ મૂડમાં રહેશો, તેથી તમારા પ્રિયજન સાથે થોડો સમય વિતાવવાનું આયોજન કરો. આ એવો દિવસ છે કે, જ્યારે તમારે મહત્વપૂર્ણ લોકો અને વરિષ્ઠ લોકોને મળવું જોઈએ.

મીન રાશિ:-

દિવસ પસાર થતાં નાણાકીય બાબતોમાં સુધારો થશે. વસ્તુઓ તમારી ઇચ્છા મુજબ નહીં ચાલે પરંતુ તમે તમારા પ્રિયજન સાથે સારો એવો સમય વિતાવી શકશો.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Wi-Fi કનેક્શન માટે Airtel કે Jio, કોણ આપી રહ્યું છે કન્ઝ્યુમર-ફ્રેન્ડલી પ્લાન?

ભારતમાં ઝડપી ઇન્ટરનેટની માંગ સતત વધી રહી છે. વર્ક ફ્રોમ હોમ, ઓનલાઈન ક્લાસ, OTT સ્ટ્રીમિંગ અને ગેમિંગ જેવી જરૂરિયાતોને કારણે હવે ઘરમાં મજબૂત અને સ્થિર Wi-Fi કનેક્શન અનિવાર્ય બની ગયું છે. આવી પરિસ્થિતિમાં બે મોટી ટેલિકોમ કંપનીઓ Airtel અને Jio પોતાના ફાઇબર બ્રોડબેન્ડ પ્લાન સાથે બજારમાં સ્પર્ધા કરી રહી છે.

Jio vs Airtel

એન્ટ્રી-લેવલ બ્રોડબેન્ડ સેગમેન્ટમાં JioFiber સામાન્ય રીતે ઓછી કિમતે બજારમાં ઉતરશે છે. કંપનીનો બેઝ પ્લાન અંદાજે ₹399માં 30 Mbps સ્પીડ આપે છે, જે બેઝિક બ્રાઉઝિંગ અને ઑનલાઈન ક્લાસ માટે પૂરતો માનવામાં આવે છે. બીજી બાજુ, Airtel Xstream Fiber નો શરૂઆતનો પ્લાન લગભગ ₹499થી શરૂ થઈને 40 Mbps સ્પીડ ઓફર કરે છે. સ્પીડના અભિપ્રાયથી Airtel થોડી આગળ દેખાય છે, પરંતુ બજેટ યુઝર્સ માટે Jioનો પ્લાન વધુ કિફાયતી છે. એટલે કે, ઓછા ખર્ચે ઈન્ટરનેટ જોઈએ તો Jio પસંદ કરો, જ્યારે થોડી વધુ સ્પીડ માટે Airtel પસંદ કરવું ફાયદાકારક હોઈ શકે છે.

મિડ-રેન્જ પ્લાન્સમાં OTT અને સ્પીડનો ખેલ

₹699 થી ₹999 રેન્જમાં બંને કંપનીઓ સૌથી વધારે યુઝર્સને ટાર્ગેટ કરે છે. JioFiber આ સેગમેન્ટમાં 100 Mbps સુધીની સ્પીડ અને કેટલાક પ્લાન્સમાં સેટ-ટોપ બોક્સ અને OTT બેનિફિટ્સ આપે છે. જ્યારે Airtel Xstream Fiber પણ આ કિંમત પર 100 Mbps સુધીની સ્પીડ સાથે ઘણા લોકપ્રિય OTT પ્લેટફોર્મ્સનો એક્સેસ આપે છે. યુઝર્સના અનુભવના આધારે Airtelનું નેટવર્ક સ્ટેબિલિટી સામાન્ય રીતે વધુ સારી માનવામાં આવે છે, જ્યારે Jio કિંમતની દૃષ્ટિએ સસ્તું છે.

હાઈ-સ્પીડ અને પ્રીમિયમ યુઝર્સ માટે વિકલ્પ

જ્યાં સુધી યુઝર્સને ભારે ડાઉનલોડ, ગેમિંગ અથવા વર્ક-ફ્રોમ-હોમ માટે ઝડપી ઈન્ટરનેટની જરૂર હોય છે, ત્યાં બંને કંપનીઓ 300 Mbps થી લઈને 1 Gbps સુધીના પ્લાન્સ ઓફર કરે છે. JioFiberનો 1 Gbps પ્લાન પ્રીમિયમ કિમતે આવે છે, જયારે Airtel પણ સમાન સ્પીડ સાથે હાઈ-એન્ડ પ્લાન ઓફર કરે છે. એરટેલ પાસે આ રેન્જમાં ₹1199, ₹1599 અને ₹3999 પ્રતિમહિના વાળા પ્લાન છે, જેમાં 100 Mbps, 300 Mbps અને 1024 Mbps સુધી ઈન્ટરનેટ સ્પીડ મળે છે. જ્યારે Jio ₹1199, ₹1499, ₹2499, ₹3999 અને ₹8499 વાળા પ્લાન ઓફર કરે છે. આ પ્લાનમાં તમને 100 Mbps થી લઈને 1 Gbps સુધી ઈન્ટરનેટ સ્પીડ મળે છે.

LTE vs 5G: ઝડપી ડાઉનલોડ કે પાવર સેવિંગ? જાણો કયો વિકલ્પ છે શ્રેષ્ઠ

Chandra Grahan 2026: ભારતમાં આજે આ સમયે વર્ષનું પહેલું ચંદ્રગ્રહણ થશે, સૂતક કાળ શરૂ

Lunar Eclipse 2026 Live Updates: પંચાંગ મુજબ, વર્ષ 2026 ની પહેલી ખગોળીય ઘટના આજે, 3 માર્ચે થશે. દેશ અને વિશ્વના ઘણા ભાગોમાં આંશિક ચંદ્રગ્રહણ દેખાશે. ધાર્મિક રીતે મહત્વપૂર્ણ માનવામાં આવે છે, આ ગ્રહણ સિંહ રાશિ અને પૂર્વાફાલ્ગુની નક્ષત્રમાં થશે. સૌથી અગત્યનું, આ ગ્રહણ ભારતમાં દેખાશે, જેના કારણે સૂતક કાળ અસરકારક બનશે. ભારતમાં આજે સવારે 6:20 વાગ્યાથી સૂતક શરૂ થઈ ગયું છે, જેના માટે કેટલાક મહત્વપૂર્ણ નિયમોનું પાલન કરવું જરૂરી છે.

આજે ચંદ્રગ્રહણ કેટલા વાગ્યે થશે?

ભારતીય માનક સમય મુજબ વર્ષનું આ પહેલું ચંદ્રગ્રહણ બપોરના સમયે શરૂ થશે.

  • ગ્રહણ શરૂ થાય છે: 03:20 વાગ્યે
  • ગ્રહણ સમાપ્ત થાય છે: 06:46 વાગ્યે
  • કુલ સમયગાળો: આશરે 3 કલાક અને 27 મિનિટ

સૂતક કાળનો સમય અને મહત્વ

શાસ્ત્રો અનુસાર, ચંદ્રગ્રહણના નવ કલાક પહેલા સૂતક કાળ શરૂ થાય છે. સૂતક આજે સવારે 6:20 વાગ્યે શરૂ થયો હતો અને સાંજે 6:46 વાગ્યે સમાપ્ત થશે. સૂતક કાળને અશુભ સમય માનવામાં આવે છે, જે દરમિયાન પ્રકૃતિમાં નકારાત્મક ઉર્જા વધે છે. તેથી, આ સમયગાળા દરમિયાન મંદિરોના દરવાજા બંધ રહે છે.

સૂતક દરમિયાન શું કરવું અને શું ન કરવું?

  • મૂર્તિઓને સ્પર્શ કરવાની મનાઈ છે: સૂતક દરમિયાન દેવી-દેવતાઓની મૂર્તિઓને સ્પર્શ કરવાની મનાઈ છે. તમે માનસિક જાપ કરી શકો છો.
  • શુભ કાર્ય ટાળો: આ સમયગાળા દરમિયાન કોઈ શુભ કે નવું કાર્ય શરૂ ન કરવું જોઈએ.
  • ખાવા-પીવા પર પ્રતિબંધો: ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂતક દરમિયાન રસોઈ બનાવવા અને ખાવાની મનાઈ છે. જો કે, બીમાર, વૃદ્ધો અને બાળકો માટે છૂટ આપવામાં આવે છે.
  • અન્ય સાવચેતીઓ: ગ્રહણ અને સૂતક દરમિયાન વાળ કાપવા, નખ કાપવા અથવા દાઢી કરવી અશુભ માનવામાં આવે છે.

ભારત અને વિશ્વના કયા ભાગોમાં ગ્રહણ દેખાશે?

વિશ્વભરમાં: ભારત ઉપરાંત તે અન્ય એશિયન દેશો, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અને દક્ષિણ અમેરિકા અને પેસિફિક મહાસાગરમાં પણ દેખાશે.

ભારતના મુખ્ય શહેરો: ભારતમાં, દિલ્હી-એનસીઆર, મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ, બેંગલુરુ, હૈદરાબાદ, અમદાવાદ અને પટના જેવા મુખ્ય શહેરોમાં ગ્રહણ દેખાશે.

ગ્રહણ પછી શું કરવું?

ગ્રહણ સમાપ્ત થયા પછી, આખા ઘરમાં ગંગા પાણી છાંટો અને સ્નાન કર્યા પછી, દાન કરો. તાજો ખોરાક રાંધો અને તુલસીના પાનનો ઉપયોગ કરો.

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

 

Iran Israel War: માર્કેટ માટે ક્રૂડ ઓઈલ બનશે વિલેન, કે પછી કરાવશે છપ્પરફાડ કમાણી? જાણો સ્ટોકમાં રોકાણ કરતા લોકોને ક્યાં થશે કમાણી

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઇઝરાયલી મિસાઇલ હુમલાઓ બાદ, વિશ્વભરના શેરબજારો ધટાડાની સ્થિતિમાં છે. આ સમયમાં રોકાણકારોના મનમાં ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે કે તેમના મહેનતથી કમાયેલા પૈસા પાછા ખેંચીને તેને સુરક્ષિત રીતે રમે, કે શું આ ઘટાડો ખરીદી માટે સુવર્ણ તક આપે છે. આ ગભરાટ વચ્ચે, આંતરરાષ્ટ્રીય બ્રોકરેજ ફર્મ જેફરીઝે એક સારો અહેવાલ બહાર પાડ્યો છે. બ્રોકરેજ માને છે કે આ તણાવ લાંબો સમય ટકશે નહીં, અને તાજેતરનો ઘટાડો ખરેખર રોકાણકારો માટે ખરીદીની એક મોટી તક સાબિત થઈ શકે છે. જો કે, તે ચેતવણી પણ આપે છે કે જો આ લશ્કરી તણાવ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો તેના ગંભીર આર્થિક પરિણામો આવી શકે છે.

ભારતીય અર્થતંત્ર માટે કેટલો મોટો ખતરો છે?

ભારતના મધ્ય પૂર્વ સાથે ઊંડા વેપાર સંબંધો છે. આપણી કુલ નિકાસનો આશરે 17 ટકા આ પ્રદેશમાં જાય છે, જ્યારે આપણી કાચા તેલની 55 ટકા જરૂરિયાતો અહીંથી પૂરી થાય છે. વધુમાં, ત્યાં કામ કરતા ભારતીયો દર વર્ષે આશરે $45 બિલિયન (કુલ રેમિટન્સના આશરે 40 ટકા) ઘરે મોકલે છે. જ્યારે ઈરાન સાથે આપણો સીધો વેપાર મર્યાદિત છે, ત્યારે વાસ્તવિક ભય એ છે કે સમગ્ર પ્રદેશ સાથે વેપાર અને મુસાફરી ખોરવાઈ શકે છે. જો આવું થાય, તો તે ભારતીય અર્થતંત્ર માટે મોટો ફટકો હશે.

હોર્મુઝ સ્ટ્રેટ તેલના ભાવ નક્કી કરે છે

1 માર્ચના રોજના જેફરીઝના અહેવાલ મુજબ, સૌથી મોટો ખતરો હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાનો છે. વિશ્વના 20 ટકા ક્રૂડ ઓઇલ અને 15 ટકા LNG આ દરિયાઈ માર્ગમાંથી પસાર થાય છે. ભારત તેના 50 થી 60 ટકા ક્રૂડ ઓઇલ અને તેના અડધા LNG ની આયાત કરે છે.

જો આ માર્ગ ખોરવાઈ જાય છે, તો થોડા સમય માટે પણ, ક્રૂડ ઓઇલના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. અર્થશાસ્ત્ર અનુસાર, ક્રૂડ ઓઇલના ભાવમાં પ્રતિ બેરલ $10 નો વધારો ભારતની ચાલુ ખાતાની ખાધ (CAD) પર 0.35 ટકાનો પ્રભાવ પાડે છે. જો ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ $80 થી ઉપર રહે છે, તો પેટ્રોલ અને ડીઝલના ભાવ, જે અઢી વર્ષથી સ્થિર રહ્યા છે, વધી શકે છે, જેના કારણે રિટેલ ફુગાવા (CPI) માં 0.20 થી 0.25 ટકાનો વધારો થઈ શકે છે. વધુમાં, મોંઘા LNG IGL અને ગુજરાત ગેસ જેવી કંપનીઓ માટે ખર્ચમાં પણ વધારો કરી શકે છે.

કયા ક્ષેત્રને ભારે ફટકો પડશે, તેનો ફાયદો ક્યાં થશે?

આ ભૂ-રાજકીય કટોકટી મુસાફરી અને પર્યટન સાથે સંકળાયેલી કંપનીઓને સીધી અસર કરશે.

  1. ઉડ્ડયન અને પર્યટન: ઇન્ડિગો જેવી એરલાઇન્સ, જેમની આંતરરાષ્ટ્રીય ક્ષમતાના 35 થી 40 ટકા મધ્ય પૂર્વ સાથે જોડાયેલી છે, તેમને મોંઘા ઉડ્ડયન ટર્બાઇન ઇંધણ (ATF) અને ઘટતી માંગના બેવડા ફટકાનો સામનો કરવો પડી શકે છે. GMR અને હોટેલ કંપનીઓ જેવા એરપોર્ટ ઓપરેટરોને પણ વિદેશી પ્રવાસીઓમાં ઘટાડોનો સામનો કરવો પડી શકે છે.
  2. મધ્ય પૂર્વ સંબંધો ધરાવતી કંપનીઓ: L&T જેવી કંપનીઓ, જે તેની આવકનો 25% આ પ્રદેશમાંથી મેળવે છે, ન્યુજેન (તેની આવકનો 30%), ડાબર, ટાઇટન, સિપ્લા, બાયોકોન અને વોલ્ટાસ પણ તેમના વ્યવસાયો પર આંશિક અસર અનુભવે તેવી અપેક્ષા છે.
  3. સંરક્ષણ ક્ષેત્રને લાભ: બીજી બાજુ, આ તણાવ સંરક્ષણ ક્ષેત્રની કંપનીઓ માટે સકારાત્મક તક બની શકે છે. વર્તમાન વૈશ્વિક વાતાવરણને જોતાં, ભારતનું સંરક્ષણ બજેટ સતત વધી રહ્યું છે. BEL, ડેટા પેટર્ન અને HAL જેવી સ્વદેશી સંરક્ષણ કંપનીઓ માટે ભવિષ્ય મજબૂત છે, અને ભવિષ્યમાં તેમની ઝડપી વૃદ્ધિ થવાની અપેક્ષા છે.

India Iran Israel Trade: ભારત ઈરાન અને ઈઝરાયલ પાસેથી શું ખરીદે છે, યુદ્ધ શરૂ થાય તો કઈ વસ્તુઓ મોંઘી થશે?, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો 

03 March 2026 રાશિફળ: કઈ રાશિના જાતકોએ બિઝનેસમાં ઝડપથી નિર્ણય લેવો જોઈએ અને કોણ મદદ માટે આગળ આવશે? – જુઓ Video

આજનું રાશિફળ વીડિયો: આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

તમારા પરિવારને પૂરતો સમય આપો. તેમની સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો અને તેમને ફરિયાદ કરવાની તક ન આપો.

વૃષભ રાશિ:-

તમારી આસપાસના લોકોનો સહયોગ તમને સુખદ અનુભૂતિ કરાવશે. આજે કામ કરતી વખતે તમને કોઈ મોટી સમસ્યાનો સામનો કરવો પડશે પરંતુ અંતે બધું જ સારું થઈ જશે.

મિથુન રાશિ:-

આજે તમારું વ્યક્તિત્વ સુગંધિત અને મનમોહક રહેશે. સંબંધીઓ સાથેની મુલાકાત તમારી અપેક્ષા કરતાં ઘણી સારી રહેશે.

કર્ક રાશિ:-

ખર્ચ વધશે પરંતુ આવકમાં વધારો આને સરભર કરશે. મિત્રો અને નજીકના લોકો મદદ માટે આગળ આવશે.

સિંહ રાશિ:-

ધ્યાન અને યોગ આધ્યાત્મિક રીતે ફાયદાકારક સાબિત થશે. છૂટક વેપારીઓ અને જથ્થાબંધ વેપારીઓ માટે આજનો દિવસ સારો છે.

કન્યા રાશિ:-

બિઝનેસને આગળ વધારવાના પ્રયાસો સંતોષકારક સાબિત થશે. આજે તમારા જીવનસાથી સાથે થોડો વિવાદ શક્ય છે.

તુલા રાશિ:-

આ દિવસ તમારા પ્રિયજન સાથે ભેટની આપ-લે કરવાનો સારો દિવસ છે. આજે કાર્યસ્થળ પર તમારી કાર્યક્ષમતાની કસોટી થશે.

વૃશ્ચિક રાશિ:-

એક સજ્જનના દિવ્ય શબ્દો તમને સંતોષ અને આશ્વાસન આપશે. બોલતી વખતે અને નાણાકીય વ્યવહારો કરતી વખતે તમારે સાવચેત રહેવાની જરૂર છે.

ધન રાશિ:-

તમારા પ્રયત્નો તમને ચોક્કસ સફળતા અપાવશે. ઘરમાં આનંદી વાતાવરણ તમારા તણાવને ઓછો કરશે.

મકર રાશિ:-

ધાર્મિક લાગણીઓથી પ્રેરાઈને તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો અને કોઈ સંત પાસેથી દૈવી જ્ઞાન મેળવશો. ખર્ચ વધશે પરંતુ આવકમાં વધારો આને સરભર કરશે.

કુંભ રાશિ:-

તમારા મોહક વર્તનથી બીજાઓનું ધ્યાન આકર્ષિત થશે. જો તમે આવક વૃદ્ધિના સ્ત્રોત શોધી રહ્યા છો, તો સુરક્ષિત નાણાકીય પ્રોજેક્ટ્સમાં રોકાણ કરો.

મીન રાશિ:-

બિઝનેસમાં ઝડપથી નિર્ણય લો અને પરિણામોનો સામનો કરવા માટે તૈયાર રહો. તમારે તમારી આર્થિક સ્થિતિ પર નજર રાખવાની જરૂર છે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News: “હથિયાર હેઠા મુકી દો, નહીં તો માર્યા જશો..” યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનની સેનાને આપી ધમકી

ઈરાનના સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા બાદ વધી રહેલા લશ્કરી અભિયાનના ભાગ રૂપે, અમેરિકા અને ઇઝરાયેલે રવિવારે ઈરાનમાં અનેક સ્થળો પર બોમ્બમારો કર્યો, દેશના બેલિસ્ટિક મિસાઇલ બેઝ પર ભારે બોમ્બ ફેંક્યા અને યુદ્ધ જહાજોનો નાશ કર્યો. આ દરમિયાન, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મહત્વપૂર્ણ નિવેદન બહાર પાડ્યું. તેમણે ઈરાની સુરક્ષા દળોને સંપૂર્ણ સુરક્ષાના બદલામાં તેમના હથિયારો મૂકવાની અપીલનો પુનરોચ્ચાર કર્યો. તેમણે એવી પણ ધમકી આપી કે જો તેઓ શરણાગતિ નહીં લે તો તેમને મૃત્યુનો સામનો કરવો પડશે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્વતંત્રતા માટે ઝંખતા ઈરાની દેશભક્તોને ક્ષણનો લાભ લેવા, હિંમતવાન, નિર્ભય અને વીર બનવા અને તેમનો દેશ પાછો મેળવવા હાકલ કરી. શનિવારે, તેમણે ઈરાનીઓને બોમ્બમારા બંધ ન થાય ત્યાં સુધી તેમના ઘરોમાં રહેવા વિનંતી કરી, તેમને તેમની સરકારને વળગી રહેવા વિનંતી કરી. ટ્રમ્પે એમ પણ કહ્યું કે ઈરાનમાં યુએસ હુમલા ચાલુ રહેશે. તેમણે ઈરાની નાગરિકોને કહ્યું, “મેં તમને વચન આપ્યું હતું, અને મેં તે પૂર્ણ કર્યું છે.” બાકીનું તમારા પર નિર્ભર છે, પરંતુ અમે તમને મદદ કરવા માટે હાજર રહીશું.

ઈરાન સામે લશ્કરી કાર્યવાહી કેટલો સમય ચાલશે?

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું હતું કે ઇઝરાયલ સાથે ભાગીદારીમાં હાથ ધરવામાં આવેલ યુએસ લશ્કરી કાર્યવાહી ચાર અઠવાડિયા સુધી ચાલી શકે છે. યુએસ સૈનિકોના મૃત્યુ અંગે ટિપ્પણી કરતા ટ્રમ્પે કહ્યું, “કમનસીબે, અમને આની અપેક્ષા હતી, તે ફરીથી થઈ શકે છે.” તેમણે જણાવ્યું હતું કે ઓપરેશન એપિક ફ્યુરી, જે ઓપરેશનનું યુએસ નામ છે, તે યોજના મુજબ આગળ વધી રહ્યું છે. તેમણે જાહેરાત કરી હતી કે યુએસએ 48 ટોચના ઈરાની નેતાઓને મારી નાખ્યા હોવાની શક્યતા છે.

200 થી વધુ લોકો માર્યા ગયા

સંઘર્ષ વચ્ચે, ઈરાની નેતાઓ કહે છે કે ખામેની અને અન્ય વરિષ્ઠ નેતાઓના મોત થયાના હુમલા શરૂ થયા પછી 200 થી વધુ લોકો માર્યા ગયા છે. ઈરાને ઇઝરાયલ અને ગલ્ફ આરબ દેશો પર મિસાઇલો છોડીને બદલો લીધો.

ત્રણ યુએસ સૈનિકો માર્યા ગયા

યુએસ સૈન્ય કહે છે કે બદલો લેવાના હુમલામાં ત્રણ યુએસ સૈનિકો માર્યા ગયા, જે સંઘર્ષમાં પ્રથમ જાણીતી અમેરિકન મૃત્યુ છે. ઇઝરાયલની બચાવ સેવાઓએ અહેવાલ આપ્યો છે કે મધ્ય શહેર બેટ શેમેશમાં એક યહૂદી પ્રાર્થના સ્થળ પર થયેલા હુમલામાં નવ લોકો માર્યા ગયા છે અને 28 ઘાયલ થયા છે, જેના કારણે દેશમાં કુલ મૃત્યુઆંક 11 થયો છે. પોલીસે જણાવ્યું હતું કે હુમલા પછી 11 લોકો હજુ પણ ગુમ છે.

અમેરિકા સૈનિકોના મૃત્યુનો બદલો લેશે

એક વિડિઓ સંદેશમાં બોલતા, ટ્રમ્પે કહ્યું કે અમેરિકા શહીદ સૈનિકોના મૃત્યુનો બદલો લેશે અને સંઘર્ષ સમાપ્ત થાય તે પહેલાં વધુ સૈનિકો માર્યા જશે તેવી શક્યતા છે. રાષ્ટ્રપતિએ રવિવારે બપોરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલા લગભગ છ મિનિટના વિડિઓમાં આ ટિપ્પણીઓ કરી. તેમણે ત્રણ સૈનિકોને “સાચા અમેરિકન દેશભક્તો” કહ્યા જેમણે આપણા રાષ્ટ્ર માટે અંતિમ બલિદાન આપ્યું, જ્યારે અમે તે ઉમદા મિશન ચાલુ રાખીએ છીએ જેના માટે તેમણે પોતાનો જીવ આપ્યો.”

Breaking News : US-Iran War ને લઈ ડોનાલ્ડ ટ્રમ્પનો સૌથી મોટો દાવો, ‘એક જ હુમલામાં 48 ઈરાની નેતાઓ માર્યા ગયા’, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

02 March 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો જીવનસાથીને સરપ્રાઈઝ આપશે અને કોણ આખો દિવસ ઉર્જાવાન રહેશે?

આજનું રાશિફળ: આજનો દિવસ કેવો રહેશે? દિવસ દરમિયાન તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડશે? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન, પ્રેમી યુગલો માટે શું છે સમાચાર?

મેષ રાશિ:-

આરામદાયક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહો. જૂના પરિચિતોને મળવા અને જૂના સંબંધોને ફરીથી જીવંત કરવા માટે આ સારો દિવસ છે.

વૃષભ રાશિ:-

તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢો અને તમારા પરિવાર સાથે કોઈ કાર્યક્રમમાં હાજરી આપો. કામનો બોજ હોવા છતાં તમે આજે ઉર્જાવાન અનુભવી શકો છો.

મિથુન રાશિ:-

માનસિક તણાવ હોવા છતાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. આ રાશિ હેઠળ જન્મેલા લોકોએ આજે ​​તેમના ફ્રી સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ.

કર્ક રાશિ:-

તમારી ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતાઓ તમને ખામીઓ દૂર કરવામાં મદદ કરશે. ફક્ત સકારાત્મક વિચારસરણી જ આ સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરી શકે છે.

સિંહ રાશિ:-

લાભ મેળવવા માટે વડીલોએ તેમની વધારાની ઊર્જાનો સકારાત્મક ઉપયોગ કરવો જોઈએ. આજે તમારી આર્થિક સ્થિતિ નબળી રહેશે પરંતુ સંબંધો મજબૂત બનશે.

કન્યા રાશિ:-

ધ્યાન અને આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે. ફક્ત યોજનાઓ બનાવવામાં તમારો કિંમતી સમય બગાડો નહીં; તે તરફ પગલાં લો અને તેનો અમલ શરૂ કરો.

તુલા રાશિ:-

આજે તમે તમારા જીવનસાથીને સરપ્રાઈઝ આપી શકો છો. તમે તમારા બધા કામ બાજુ પર મૂકીને તેમની સાથે સમય વિતાવી શકો છો.

વૃશ્ચિક રાશિ:-

આજે ઘરે કોઈ કૌટુંબિક કાર્યક્રમમાં તમારે ઘણા પૈસા ખર્ચવા પડી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિને તણાવપૂર્ણ બનાવી શકે છે. જરૂરિયાતના સમયે, મિત્રો તમને ટેકો આપશે.

ધન રાશિ:-

આજે તમારો ઉદાર સ્વભાવ ઘણી ખુશીઓની ક્ષણો લાવશે. જો તમે સમજદારીપૂર્વક કામ કરશો, તો તમે આજે વધારાના પૈસા કમાઈ શકો છો.

મકર રાશિ:-

આજે તમારી ઉચ્ચ ઊર્જાને સકારાત્મક કાર્યમાં વાપરો. ખાલી બેસવાને બદલે એવું કંઈક કરો કે, જે તમારી આવકમાં વધારો કરી શકે.

કુંભ રાશિ:-

નજીકના મિત્રો અને ભાગીદારો નારાજ થઈ શકે છે. ત્રીજા પક્ષની દખલગીરી તમારા અને તમારા પ્રિયજન વચ્ચે અણબનાવ પેદા કરશે.

મીન રાશિ:-

કૌટુંબિક તણાવને તમારી એકાગ્રતામાં ખલેલ પહોંચાડવા ન દો. લોકો તમારા ઉત્તમ કાર્ય માટે કામ પર તમને ઓળખશે.

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Chandra Grahan 2026: ગર્ભવતી મહિલાઓને બહાર ન જવાની સલાહ કેમ આપવામાં આવે છે?

દર વર્ષે બે કે ત્રણ વખત સૂર્ય અને ચંદ્ર ગ્રહણ જેવી વિશિષ્ટ ખગોળીય ઘટનાઓ બને છે. વર્ષ 2026નું પ્રથમ ચંદ્ર ગ્રહણ 3 માર્ચે લાગવાનું છે, જે ભારત સહિત અનેક વિસ્તારોમાં દેખાશે. ખગોળશાસ્ત્ર મુજબ, ચંદ્ર ગ્રહણ ત્યારે બને છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે અને પૃથ્વીની છાયા ચંદ્ર પર પડે છે. વૈજ્ઞાનિક દૃષ્ટિએ આ એક સ્વાભાવિક ખગોળીય પ્રક્રિયા છે, પરંતુ ધાર્મિક પરંપરાઓમાં ગ્રહણને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે.

સૂતક કાળ મહત્વ

હિંદુ પરંપરામાં ગ્રહણ પહેલાં “સૂતક કાળ” માનવામાં આવે છે. ચંદ્ર ગ્રહણ માટે સૂતક સામાન્ય રીતે લગભગ 9 કલાક પહેલાં શરૂ થાય છે. આ સમયગાળા દરમિયાન ધાર્મિક ક્રિયાઓ ટાળવામાં આવે છે અને ખાસ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓને ઘરની બહાર ન જવા, તીખી વસ્તુઓનો ઉપયોગ ન કરવા અને આરામ કરવાની સૂચવવામાં આવે છે.

બાળક પર નકારાત્મક અસરનો ડર

ધાર્મિક માન્યતાઓ મુજબ ગ્રહણ દરમિયાન નકારાત્મક ઉર્જા સક્રિય બને છે. માનવામાં આવે છે કે આ સમય દરમિયાન ગર્ભમાં વિકસતા બાળક પર અસર પડી શકે છે. પ્રાચીન ગ્રંથોમાં રાહુ અને કેતુની છાયા સાથે ગ્રહણને જોડવામાં આવ્યું છે અને ગર્ભવતી સ્ત્રીઓએ જાપ-ધ્યાન કરીને શાંતિપૂર્ણ વાતાવરણમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.

વૈજ્ઞાનિક કારણો

વૈજ્ઞાનિક રીતે જોવામાં આવે તો ચંદ્ર ગ્રહણ સમયે ખાસ હાનિકારક કિરણો પૃથ્વી પર આવતી હોવાનો સ્પષ્ટ પુરાવો નથી. જોકે, કેટલાક નિષ્ણાતો માને છે કે ગર્ભાવસ્થા દરમિયાન તણાવ, ભય અથવા અશાંતિ માતા અને શિશુ બંને માટે હાનિકારક હોઈ શકે છે. તેથી સાવચેતીરૂપે આરામદાયક અને સુરક્ષિત વાતાવરણમાં રહેવું યોગ્ય ગણાય છે.

ચંદ્રગ્રહણ 2026 સુતક સમયગાળો

3 માર્ચ 2026ના ચંદ્ર ગ્રહણનો સમય બપોરે 3:20થી સાંજે 6:47 સુધીનો રહેશે. સૂતક કાળ સવારે અંદાજે 9 વાગ્યાથી શરૂ થઈ શકે છે. ગર્ભવતી મહિલાઓ માટે મુખ્ય સલાહ એ છે કે તેઓ અફવાઓથી દૂર રહી, શાંતિપૂર્વક અને સકારાત્મક મનોભાવ સાથે આ સમય પસાર કરે.

અંતમાં, ગ્રહણને લઈને ધાર્મિક અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ અલગ હોઈ શકે, પરંતુ ગર્ભવતી મહિલાઓ માટે સાવચેતી, આરામ અને માનસિક શાંતિ સૌથી વધુ મહત્વપૂર્ણ છે.

First Solar-Lunar Eclipse 2026: ફાગણમાં દ્વિ-ગ્રહણનો સંયોગ, આ સપ્તાહમાં જ જોવા મળશે વર્ષનું પ્રથમ ગ્રહણ, ભારત માટે શું રહેશે ખાસ?

 

02 માર્ચના મહત્વના સમાચાર : પીએમ મોદીએ ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહૂ સાથે વાત કરી

આજે 02 માર્ચના સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Breaking News : ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીનુ મોત, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું, “અમે સાંભળ્યું છે કે તેમના ઘણા IRGC, લશ્કરી અને અન્ય સુરક્ષા અને પોલીસ દળો હવે લડવા માંગતા નથી અને અમારી પાસેથી રાહત માંગી રહ્યા છે. જેમ મેં પહેલા કહ્યું હતું, તેમને હવે રાહત મળી શકે છે, પરંતુ પછીથી તેઓ ફક્ત મૃત્યુનો સામનો કરશે.”

ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહૂના દાવા બાદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીના મોતની વાત કરી. ટ્રમ્પે કહ્યું કે ઇતિહાસના સૌથી ક્રૂર માણસોમાંના એક ખામેનીના મોત થયા છે. આ ફક્ત ઈરાનના લોકો માટે જ નહીં, પરંતુ વિશ્વના તમામ મહાન અમેરિકનો અને વિશ્વના ઘણા દેશોના લોકો માટે પણ ન્યાય છે જેમને ખામેની અને તેમના આતંકવાદીઓ દ્વારા માર્યા ગયા હતા. જો કે, ઈરાને હજુ સુધી ખામેનીના મોતની પુષ્ટિ કરી નથી, અને તેનાથી વિપરીત, ઈરાન દાવો કરે છે કે ખામેની મેદાનનું નેતૃત્વ કરી રહ્યા છે.

(Disclaimer: જો તમારી પાસે કોઈ ચોક્કસ કેસ હોય તો કાનૂની નિષ્ણાત (વકીલ) ની સલાહ લેવી સલાહભર્યું છે. અહીં આપેલી માહિતી ફક્ત કોર્ટના નિર્ણયો અને કલમોને આધારે આપવામાં આવી છે. તમારે કોઈ કેસ માટે જાણવું હોય તો યોગ્ય વકીલની સલાહ લઈ શકો છો.)

કાનૂની સલાહ લેવા માટે વકીલો પહેલા હકીકતોનું વિશ્લેષણ કરે છે અને પછી બીજી વ્યક્તિને કહે છે કે કયા ક્રમમાં શું કરવું. કાનુની સલાહ લેવા માટે તમે વકીલનો સંપર્ક કરી શકો છો. તમે નિષ્ણાત અથવા વ્યાવસાયિક સલાહકારનો સંપર્ક કરી શકો છો. તમે ઓનલાઈન કાનૂની સલાહ સેવાઓનો લાભ લઈ શકો છો. તમે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ (NALSA) નો પણ સંપર્ક કરી શકો છો. લીગલ એડવાઈઝની સ્ટોરી વાંચવા માટે  અહીં ક્લિક કરો.

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

T20 WC Breaking : જો ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ વરસાદને કારણે રદ થાય, તો કોણ થશે સેમિફાઈનલમાં ક્વોલિફાય?

T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની સુપર 8 રાઉન્ડની ટક્કર ટૂર્નામેન્ટનું સૌથી મહત્વપૂર્ણ મુકાબલો બની રહ્યો છે. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાનારી આ મેચમાં જીતનાર ટીમ સીધી સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. બંને ટીમો માટે આ મેચ ક્વાર્ટર ફાઇનલ જેવી બની ગઈ છે, જેના કારણે રોમાંચ ચરમસીમાએ છે.

ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે નોકઆઉટ મુકાબલો

દક્ષિણ આફ્રિકાએ સુપર 8 ના અગાઉના મુકાબલામાં વેસ્ટ ઈન્ડિઝને હરાવતાં ગ્રુપનું સમીકરણ બદલાયું છે. જો વેસ્ટ ઈન્ડિઝ તે મેચ જીતી હોત, તો ભારત માટે આગળનો માર્ગ કઠિન બન્યો હોત. હવે પરિસ્થિતિ એવી છે કે ભારતે પોતાની બંને મેચ જીતવી જરૂરી છે, જેમાંથી એકમાં ઝિમ્બાબ્વે સામે 72 રનની ભવ્ય જીત મેળવી ટીમે આત્મવિશ્વાસ વધાર્યો છે.

મેચ વરસાદને કારણે રદ થાય તો શું થશે?

હાલના પોઈન્ટ્સ ટેબલ પ્રમાણે નેટ રન રેટ પણ નિર્ણાયક બની શકે છે. વેસ્ટ ઈન્ડિઝનો રન રેટ +1.791 છે, જ્યારે ભારતનો -0.100 છે. આવી સ્થિતિમાં જો ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચ વરસાદને કારણે રદ થાય, તો બંનેને એક-એક પોઈન્ટ મળશે. તે સ્થિતિમાં વેસ્ટ ઈન્ડિઝ રન રેટના આધારે આગળ વધી જશે અને ભારતની સફર સમાપ્ત થઈ શકે છે.

વરસાદની કોઈ શક્યતા નથી

તેથી હવામાનની પરિસ્થિતિ પર સૌની નજર છે. તાજેતરના હવામાન અહેવાલો મુજબ કોલકાતામાં મેચના દિવસે વરસાદની કોઈ શક્યતા નથી. દિવસભર આકાશ ખુલ્લું રહેવાની અને તડકો નીકળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ચાહકો માટે આ સારા સમાચાર છે.

40 ઓવરની સંપૂર્ણ મેચ રમાશે?

તાપમાન 26 થી 31 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેવાની આગાહી છે. ભેજનું પ્રમાણ થોડું વધારે હોઈ શકે છે, પરંતુ વરસાદી વાદળોની કોઈ સંભાવના નથી. એટલે 40 ઓવરની સંપૂર્ણ મેચ રમાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સેમિફાઇનલથી માત્ર એક જીત દૂર ભારત

વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં અનેક મેચવિનર ખેલાડીઓ છે, જે એકલા હાથે મેચનું પાસું ફેરવી શકે છે. ભારતે તેમને હળવાશથી ન લેવું જોઈએ. મજબૂત બેટિંગ, ચોક્કસ બોલિંગ અને ચુસ્ત ફિલ્ડિંગ સાથે ટીમ ઈન્ડિયાએ ઉતરવું પડશે. સેમિફાઇનલનો રસ્તો હવે માત્ર એક જીત દૂર છે, અને ઇડન ગાર્ડન્સમાં થનારી આ ટક્કર વિશ્વ ક્રિકેટના ચાહકો માટે યાદગાર બની શકે છે.

T20 WC Breaking : પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું, ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પહોંચ્યું

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

નોંધ: અહીં આપવામાં આવેલો લેખ ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News : દેશ છોડી દો… ઇઝરાયલમાં અમેરિકી દૂતાવાસ સ્ટાફને દેશ છોડવાની મંજૂરી, ઈરાન સાથે વધતા તણાવ વચ્ચે US થી આવ્યો મેઇલ

અમેરિકાએ ઇઝરાયલમાં સ્થિત તેના દૂતાવાસના કર્મચારીઓને ઈમેઇલ દ્વારા સૂચના આપી છે કે જો તેઓ ઇચ્છે તો આજે જ દેશ છોડવાની વ્યવસ્થા કરી શકે છે. United States Department of State એ બિન-આવશ્યક સરકારી કર્મચારીઓ અને તેમના પરિવારોને ઇઝરાયલ છોડવાની મંજૂરી આપી છે. સાથે સાથે અમેરિકન નાગરિકોને ઇઝરાયલની મુસાફરી ન કરવા સલાહ આપવામાં આવી છે. ઇઝરાયલમાં અમેરિકાના રાજદૂત Mike Huckabee એ દૂતાવાસના સ્ટાફને મોકલેલા સંદેશમાં જણાવ્યું છે કે કોમર્શિયલ ફ્લાઇટ ઉપલબ્ધ થાય ત્યારે દેશ છોડવાનું વિચારવું જોઈએ.

આ પગલાં વચ્ચે ચીન અને કેનેડાએ પણ તેમના નાગરિકોને ઇઝરાયલ છોડવા અથવા ત્યાંની મુસાફરી ટાળવા અપીલ કરી છે. ચીને ઈરાનની હાલની સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોતાના નાગરિકોને ત્યાં જવાની મનાઈ કરી છે. કેનેડાએ ઈરાનમાં રહેલા પોતાના નાગરિકોને ચેતવણી આપી છે કે સંઘર્ષ કોઈપણ સમયે ભભૂકી શકે છે, તેથી શક્ય તેટલી વહેલી તકે દેશ છોડવો યોગ્ય રહેશે. પોલેન્ડ અને સ્વીડન સહિતના કેટલાક અન્ય દેશોએ પણ આવી જ સલાહ જાહેર કરી છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ આ વર્ષે સતત વધતો રહ્યો છે. Donald Trump દ્વારા ઈરાન સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને વારંવાર ચેતવણીઓ આપવામાં આવી છે. બીજી તરફ ઈરાને પણ અમેરિકી કાર્યવાહીનો જવાબ ઇઝરાયલ પર મિસાઈલ હુમલાથી આપવાની ધમકી આપી છે. આ પરિસ્થિતિને કારણે સંભવિત હુમલાની અટકળો તેજ બની છે, પરંતુ સત્તાવાર રીતે કોઈ હુમલો શરૂ થયો હોવાની પુષ્ટિ થઈ નથી.

તે દરમિયાન તેહરાનના પરમાણુ કાર્યક્રમ મુદ્દે અમેરિકા અને ઈરાન વચ્ચે પરોક્ષ વાટાઘાટો ચાલુ છે. ઈરાનના વિદેશ પ્રધાન Abbas Araghchi એ જણાવ્યું છે કે પરમાણુ મુદ્દે ચર્ચા સ્પષ્ટ રીતે આગળ વધી રહી છે. જીનીવામાં થયેલી ચર્ચાઓમાં Badr Albusaidi એ મધ્યસ્થી તરીકે ભાગ લીધો હતો અને નોંધપાત્ર પ્રગતિ થયાનું જણાવ્યું હતું. આગામી તબક્કામાં વિયેનામાં ટેકનિકલ સ્તરની વધુ વાટાઘાટો થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

આ તમામ ઘટનાક્રમ દર્શાવે છે કે પ્રદેશમાં તણાવ ઊંચો છે. છતાં, હાલમાં સુધી કોઈ સત્તાવાર હુમલો શરૂ થયો હોવાનો સ્પષ્ટ પુરાવો ઉપલબ્ધ નથી. પરિસ્થિતિ સંવેદનશીલ છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે સતત નજર રાખવામાં આવી રહી છે.

T20 WC Breaking : ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને હરાવ્યું, પાકિસ્તાનની સેમિફાઈનલની આશા જીવંત

T20 વર્લ્ડ કપ 2026 ની સેમિફાઇનલ માટેની દોડ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. સુપર 8 રાઉન્ડની રોમાંચક મેચમાં ઇંગ્લેન્ડે અંતિમ ઓવરમાં ન્યુઝીલેન્ડને ચાર વિકેટથી હરાવ્યું. સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયા પછી, ઇંગ્લેન્ડે ન્યુઝીલેન્ડની સેમિફાઇનલમાં પહોંચવાની આશાઓને મોટો ફટકો આપ્યો. આ જીતથી પાકિસ્તાનની આશાઓ પણ વધી ગઈ, અને હવે સલમાન આગાની ટીમનું ભાગ્ય તેમના પોતાના હાથમાં છે.

ન્યુઝીલેન્ડની હાર, પાકિસ્તાન માટે મોટી તક

27 ફેબ્રુઆરી, શુક્રવારના રોજ કોલંબોમાં રમાનારી ગ્રુપ 2 મેચ પર ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનની નજર એક સાથે હતી. જીતથી ન્યુઝીલેન્ડ સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયું હોત, જ્યારે પાકિસ્તાનની સફર પૂરી થઈ ગઈ હોત. મિશેલ સેન્ટનરની ટીમ આ સિદ્ધિની નજીક પહોંચી ગઈ હતી, પરંતુ ઇંગ્લેન્ડે અંતિમ ત્રણ ઓવરમાં તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું, અને સેમિફાઇનલને અંતિમ ગ્રુપ મેચમાં મોકલી દીધી.

ઇંગ્લેન્ડની સ્પિન ત્રિપુટી સામે કીવી બેટ્સમેન ફ્લોપ

પ્રેમાદાસા સ્ટેડિયમની ધીમી પિચ પર પ્રથમ બેટિંગ કરતા ન્યુઝીલેન્ડે ટીમે ઝડપી શરૂઆત કરી, ટિમ સીફર્ટ અને ફિન એલને ફક્ત સાત ઓવરમાં 64 રન બનાવ્યા. જોકે, બંને બેટ્સમેન આઉટ થતાં ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ. આદિલ રશીદ, વિલ જેક્સ અને રેહાન અહેમદની સ્પિન ત્રિપુટીએ કિવી બેટિંગ પર બ્રેક લગાવી દીધી. એક સમયે 180 રન સુધી પહોંચવા માટે તૈયાર દેખાતી ન્યુઝીલેન્ડ ફક્ત 159 રન જ બનાવી શકી. ત્રણેય સ્પિનરોએ બે-બે વિકેટ લીધી.

ઇંગ્લેન્ડે 117 રનમાં છ વિકેટ ગુમાવી

આમ છતાં, ન્યુઝીલેન્ડ પાસે એક શક્તિશાળી બોલિંગ આક્રમણ હતું જે આ ટીમને રોકવામાં સક્ષમ હતું, અને બરાબર એવું જ થયું. ઇંગ્લેન્ડે પ્રથમ બે ઓવરમાં ફક્ત બે રનમાં તેના બંને ઓપનર ગુમાવી દીધા. પછી, કેપ્ટન હેરી બ્રુક અને જેકબ બેથેલ વચ્ચે ભાગીદારી શરૂ થતાં, ન્યુઝીલેન્ડના સ્પિનરોએ તેમની કુશળતા દર્શાવી, બંનેને આઉટ કર્યા. ગ્લેન ફિલિપ્સ અને રચિન રવિન્દ્રએ ઇંગ્લેન્ડની ઇનિંગ પર બ્રેક લગાવી, તેમને 117 રનમાં છ વિકેટ ગુમાવી દીધી.

વિલ જેક્સ-રેહાન અહેમદે જીતાડી મેચ

ઇંગ્લેન્ડને છેલ્લી ત્રણ ઓવરમાં 43 રનની જરૂર હતી, અને ન્યુઝીલેન્ડની જીત નિશ્ચિત લાગતી હતી, પરંતુ પરિસ્થિતિ પલટાઈ ગઈ. વિલ જેક્સ, જેમણે આ વર્લ્ડ કપમાં ત્રણ કે ચાર મેચ જીતવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, તેણે ફરીથી ધમાલ મચાવી અને તેની સાથે રેહાન અહેમદ પણ જોડાયો, જે તેની ડેબ્યૂ વર્લ્ડ કપ મેચ રમી રહ્યો હતો. બંનેએ 18મી ઓવરમાં 22 રન બનાવ્યા, અને પછીના નવ બોલમાં બીજા 22 રન બનાવીને 19.3 ઓવરમાં મેચ જીતી લીધી.

પાકિસ્તાનની સેમિફાઇનલની આશા જીવંત

આ પરિણામથી ન્યુઝીલેન્ડ પાસે ફક્ત ત્રણ પોઈન્ટ બચ્યા છે અને હવે પાકિસ્તાન-શ્રીલંકા મેચના પરિણામની રાહ જોવી પડશે. જો શ્રીલંકા તે મેચ જીતે છે, તો ન્યુઝીલેન્ડ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. જો પાકિસ્તાન આ મેચ જીતે છે, તો નિર્ણય નેટ રન રેટ (NRR) પર આધારિત હશે. ન્યુઝીલેન્ડનો NRR 1.390 છે, જ્યારે પાકિસ્તાનનો -0.461 છે. તેથી, સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાનને મોટી જીતની જરૂર છે.

Breaking News : રિંકુ સિંહ ટીમ ઈન્ડિયામાં પાછો ફરશે, પિતાના મૃત્યુના થોડા જ કલાકોમાં લીધો હિંમતવાન નિર્ણય

Breaking News : રિંકુ સિંહ ટીમ ઈન્ડિયામાં પાછો ફરશે, પિતાના મૃત્યુના થોડા જ કલાકોમાં લીધો હિંમતવાન નિર્ણય

ભારતીય ક્રિકેટ ટીમનો યુવા સ્ટાર રિંકુ સિંહ હાલમાં તેના જીવનના સૌથી મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. ટીમ ઈન્ડિયાને ફરીથી વર્લ્ડ ચેમ્પિયન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે જ તેણે તેના પિતાને ગુમાવ્યા. 2026 ના T20 વર્લ્ડ કપમાં ભારત-ઝિમ્બાબ્વે મેચના થોડા કલાકો પછી તેના પિતાનું અવસાન થયું. આ દુઃખ અને પીડા છતાં રિંકુએ હિંમત બતાવી છે અને દેશ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવવાનો નિર્ણય લીધો છે. અહેવાલો અનુસાર, તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા પછી રિંકુ ફરીથી ટીમ ઈન્ડિયામાં જોડાશે.

સુપર-8 ની છેલ્લી મેચ પહેલા પાછો ફરશે

એક અહેવાલ મુજબ રિંકુ સિંહ 28 ફેબ્રુઆરી, શનિવારના રોજ કોલકાતામાં ટીમ ઈન્ડિયામાં જોડાશે, જ્યાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ટકરાશે. આ મેચ 1 માર્ચે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ ખાતે રમાશે, અને વિજેતા ટીમ સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. ટીમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રિંકુએ આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને હિંમત દર્શાવી છે. રિંકુ હાલમાં તેના પરિવાર સાથે અલીગઢમાં છે.

ઝિમ્બાબ્વે સામેની મેચ પહેલા પિતાને મળ્યો હતો

રિંકુના પિતા ખાનચંદ સિંહનું શુક્રવાર, 27 ફેબ્રુઆરીના રોજ સવારે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડાની એક હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ છેલ્લા કેટલાક સમયથી સ્ટેજ 4 લીવર કેન્સર સામે લડી રહ્યા હતા. તેમના મૃત્યુ પહેલા, રિંકુ ટુર્નામેન્ટ દરમિયાન ગ્રેટર નોઈડા ગયો હતો અને પિતાની બગડતી તબિયત જોઈ હતી. જોકે, તે 26 ફેબ્રુઆરી, ગુરુવારના રોજ ઝિમ્બાબ્વે સામેની મેચના એક દિવસ પહેલા ટીમમાં પાછો ફર્યો હતો.

મેચ પૂરી થયા પછી મૃત્યુના સમાચાર મળ્યા

ઝિમ્બાબ્વે સામેની મેચમાં રિંકુ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મેળવી શક્યો ન હતો, પરંતુ તે અવેજી ફિલ્ડર તરીકે મેદાનમાં ઉતર્યો હતો. જોકે, મેચ સમાપ્ત થયાના થોડા કલાકો પછી, શુક્રવારે સવારે તેને તેના પિતાના અવસાનના સમાચાર મળ્યા. આ દુ:ખદ સમાચાર મળતાં રિંકુ તરત જ ચેન્નાઈથી તેના વતન અલીગઢ ગયો, જ્યાં તેના પિતાના મૃત્યુ પછી તેમના પાર્થિવ શરીરને લાવવામાં આવ્યું. ઘરે પહોંચ્યા પછી, રિંકુએ તેના પિતાના અંતિમ સંસ્કાર કર્યા અને પુત્ર તરીકેની જવાબદારી નિભાવી.

T20 WC Breaking : મને આશા છે કે હું તમને મળીશ… તિલક વર્માએ આ ક્રિકેટરની બહેનને ખાસ વીડિયો મેસેજ કર્યો

નોંધ: અહીં આપવામાં આવેલો ઉપાય ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે

T20 WC Breaking : સેમિફાઇનલથી એક ડગલું દૂર ભારત, સુપર-8માં ઝિમ્બાબ્વેને કચડી નાખ્યું, હાર્દિક પંડ્યા જીતનો હીરો બન્યો

ભારતે તેની બીજી સુપર 8 મેચ જીતી છે. તેણે ચેન્નાઈમાં ઝિમ્બાબ્વે સામે 72 રનથી શાનદાર વિજય મેળવ્યો. જોકે, તેનાથી પોઈન્ટ ટેબલમાં તેના સ્થાન પર કોઈ અસર પડી નથી. તેનો રન રેટ થોડો સુધર્યો, પરંતુ સેમિફાઇનલમાં પહોંચવા માટે, ભારતે હવે અંતિમ સુપર 8 મેચમાં વેસ્ટ ઇન્ડીઝને હરાવવું પડશે. કોલકાતામાં જીત ભારતનો સેમિફાઇનલમાં પ્રવેશ સુનિશ્ચિત કરશે. આ સુપર સન્ડે મેચ નોકઆઉટ મેચ હશે.

ભારતે ઝિમ્બાબ્વેને ખરાબ રીતે હરાવ્યું

ભારતે ઝિમ્બાબ્વેને 257 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો, પરંતુ તેઓ તેનો પીછો કરવામાં ખરાબ રીતે નિષ્ફળ ગયા. બ્રાયન બેનેટ સિવાય, ઝિમ્બાબ્વેનો કોઈ પણ બેટ્સમેન ભારતીય બોલિંગ સામે ટકી શક્યો નહીં. બેનેટે 59 બોલમાં છ છગ્ગા ફટકારીને અણનમ 97 રન બનાવ્યા, જે T20 વર્લ્ડ કપમાં ભારત સામે બેટ્સમેન દ્વારા કરવામાં આવેલી બીજી સૌથી મોટી ઇનિંગ છે.

 

બંને ટીમો વચ્ચેનો સૌથી વધુ સ્કોર

ભારતના 257 રનના લક્ષ્યાંકનો પીછો કરતી વખતે, ઝિમ્બાબ્વે 20 ઓવરમાં 6 વિકેટે 184 રન જ બનાવી શક્યું અને 72 રનથી મેચ હારી ગયું. અર્શદીપ સિંહ ભારતનો સૌથી સફળ બોલર રહ્યો, તેણે ત્રણ વિકેટ લીધી. ભારત અને ઝિમ્બાબ્વેએ કુલ 440 રન બનાવ્યા. આ T20 વર્લ્ડ કપમાં બંને ટીમો વચ્ચેનો સૌથી વધુ સ્કોર ધરાવતો મેચ છે.

ભારતે T20 વર્લ્ડ કપ 2026નો સૌથી મોટો સ્કોર કર્યો

ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 256 રન બનાવ્યા, જે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજા ક્રમનો સૌથી મોટો સ્કોર છે અને ટુર્નામેન્ટના ઇતિહાસમાં ભારતનો સૌથી મોટો સ્કોર પણ છે. તે T20 વર્લ્ડ કપ 2026 નો સૌથી મોટો સ્કોર પણ છે. આ ઇનિંગ દરમિયાન ભારતે 17 છગ્ગા ફટકાર્યા હતા.

 

હાર્દિક પંડ્યા બન્યો પ્લેયર ઓફ ધ મેચ

ભારત તરફથી અભિષેક શર્મા અને હાર્દિક પંડ્યાએ અડધી સદી ફટકારી. અભિષેકે 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જ્યારે હાર્દિકે માત્ર 23 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. હાર્દિકે 50 રન બનાવી અણનમ રહ્યો, તેણે ચાર છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા, જેના માટે તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો. અભિષેક શર્માએ 30 બોલમાં 55 રન બનાવ્યા, જેમાં ચાર છગ્ગા અને ચાર ચોગ્ગાનો સમાવેશ થાય છે.

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાએ સૌથી મોટો સ્કોર બનાવ્યો, વિશ્વ રેકોર્ડ તૂટવાથી માંડ-માંડ બચી ગયો

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાએ સૌથી મોટો સ્કોર બનાવ્યો, વિશ્વ રેકોર્ડ તૂટવાથી માંડ-માંડ બચી ગયો

ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપ 2026 નો સૌથી વધુ સ્કોર નોંધાવ્યો છે. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે સુપર 8 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. ઝિમ્બાબ્વે સામે ભારતના 256 રન વર્તમાન T20 વર્લ્ડ કપમાં કોઈપણ ટીમ દ્વારા બનાવેલ સૌથી વધુ સ્કોર છે. વધુમાં, આ T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં બીજો સૌથી વધુ સ્કોર અને ભારતનો સૌથી વધુ સ્કોર છે.

ભારતે 19 વર્ષનો રેકોર્ડ તોડ્યો

T20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી વધુ સ્કોર 218 હતો, જે તેમણે 2007 માં ડરબનમાં ઇંગ્લેન્ડ સામે બનાવ્યો હતો. ઝિમ્બાબ્વે સામે, ટીમ ઇન્ડિયાએ સૌથી વધુ સ્કોરનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો.

વિશ્વ રેકોર્ડ તૂટવાથી માંડ-માંડ બચી ગયો

ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે જે રીતે રમી, તે જોઈને એવું લાગતું હતું કે આ વર્લ્ડ રેકોર્ડ જોખમમાં છે. પરંતુ તે રેકોર્ડ માંડ માંડ બચી ગયો. આ રેકોર્ડ T20 વર્લ્ડ કપમાં કોઈપણ ટીમ દ્વારા બનાવેલા સૌથી વધુ સ્કોરનો છે. ભારતીય ટીમ તે સીમાચિહ્ન પાર કરવાથી માત્ર 5 રન દૂર હતી. ટીમ ઈન્ડિયાએ ઝિમ્બાબ્વે સામે 20 ઓવરમાં 4 વિકેટે 256 રન બનાવ્યા હતા. જ્યારે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં સૌથી વધુ સ્કોર 260 રનનો છે, જે શ્રીલંકાએ 2007 ના T20 વર્લ્ડ કપમાં કેન્યા સામે બનાવ્યો હતો.

T20 મેચોમાં ભારતનો 5મો સૌથી મોટો સ્કોર

ઝિમ્બાબ્વે સામે બનાવેલા 256 રન T20 વર્લ્ડ કપમાં ભારતનો સૌથી મોટો સ્કોર હોઈ શકે છે, પરંતુ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં આ તેમનો પાંચમો સૌથી મોટો સ્કોર છે. હવે, ચાલો જોઈએ કે ટીમ ઈન્ડિયાએ આ વિશાળ સ્કોર કેવી રીતે બનાવ્યો. આ શક્ય બન્યું તેના ટોચના ત્રણ બેટ્સમેનોએ નાખેલો પાયો અને હાર્દિક પંડ્યા અને તિલક વર્મા દ્વારા વિસ્ફોટક ફિનિશ દ્વારા.

સંજુ-અભિષેક-ઇશાન-સૂર્યાની આક્રમક બેટિંગ

ભારતે પહેલી જ ઓવરથી ઝિમ્બાબ્વે સામે પોતાનો ઇરાદો સ્પષ્ટ કરી દીધો હતો. પહેલા અભિષેક શર્મા અને સંજુ સેમસનએ સારું પ્રદર્શન કર્યું. જે બાદ અભિષેક અને ઇશાન, અને પછી સૂર્યકુમાર યાદવે જોરદાર ફટકાબાજી કરી. સેમસને 15 બોલમાં 24 રન બનાવ્યા. અભિષેકે 30 બોલમાં 55, ઇશાન કિશને 24 બોલમાં 38, જ્યારે સૂર્યકુમાર યાદવે 13 બોલમાં 33 રન બનાવ્યા.

હાર્દિક-તિલકની જોરદાર ફટકાબાજી

ભારતના ટોચના ચાર બેટ્સમેનોએ આક્રમક રમત બતાવી, ત્યારબાદ હાર્દિક પંડ્યા અને તિલક વર્માએ જોરદાર ફટકાબાજી કરી. બંનેએ ચાર-ચાર છગ્ગા ફટકાર્યા. હાર્દિક પંડ્યાએ માત્ર 23 બોલમાં અણનમ 50 રન બનાવ્યા, જ્યારે તિલક વર્માએ 16 બોલમાં 44 રનની અણનમ ઇનિંગ રમી. ઝિમ્બાબ્વે સામેની ભારતની ઇનિંગમાં કુલ 17 છગ્ગા ફટકારવામાં આવ્યા હતા, જેનાથી ભારત 256 રન સુધી પહોંચવામાં મદદ કરી હતી.

T20 WC Breaking : અભિષેક શર્મા-સંજુ સેમસને ઓપનિંગમાં રેકોર્ડ તોડ્યો, ઝિમ્બાબ્વે સામે સૌથી મોટી ભાગીદારી કરી

શું તમને ખબર છે કે કૂતરાનો પણ DNA ટેસ્ટ થાય છે..! ચાલો સંપૂર્ણ ઘટના પર નજર કરીએ

સામાન્ય રીતે લોકો પોતાના પૂર્વજો કે પરિવાર વિશે જાણવા માટે DNA ટેસ્ટ કરાવતા હોય છે, પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે કોઈએ કૂતરાનો DNA ટેસ્ટ કરાવ્યો હોય? અમેરિકાના મિશિગનમાં રહેતી કેથલીન શીહાન નામની મહિલાએ આવું જ કંઈક કર્યું અને જે પરિણામ આવ્યું તેણે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

જીજ્ઞાસા બની આશ્ચર્યનું કારણ

કેથલીને ‘ડોટી’ નામના એક રેસ્ક્યૂ ડોગને લોકલ હ્યુમન સોસાયટીમાંથી દત્તક લીધો હતો. ડોટી ખૂબ જ રમતિયાળ હતો અને દેખાવમાં તે ‘ટેરિયર’ (Terrier) બ્રીડના કૂતરા જેવો લાગતો હતો. કેથલીને અગાઉ પોતાના જૂના પાલતુ કૂતરાનો પણ DNA ટેસ્ટ કરાવ્યો હતો, તેથી તેણે માત્ર જીજ્ઞાસા ખાતર ડોટીનો પણ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. તેને લાગ્યું હતું કે રિપોર્ટમાં ટેરિયર બ્રીડ જ આવશે, પરંતુ સત્ય કંઈક અલગ જ હતું.

રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

જ્યારે DNA રિપોર્ટ આવ્યો ત્યારે કેથલીન અને સોશિયલ મીડિયા યુઝર્સ બંને ચોંકી ગયા. રિપોર્ટ મુજબ, ડોટી કોઈ એક નસલનો નહીં પણ અનેક નસલોનું મિશ્રણ હતો:

  • 55% ડોબરમેન પિન્સર (Doberman Pinscher)
  • 10% પોમેરેનિયન (Pomeranian)
  • 6% પેકિંગિસી (Pekingese)
  • 6% પૂડલ (Poodle)
  • 16% યોર્કશાયર ટેરિયર

સૌથી વધુ આશ્ચર્યની વાત એ હતી કે ડોટીમાં 55 ટકા અંશ ડોબરમેન ના હતા. દેખાવમાં ડોટી ક્યાંયથી પણ ડોબરમેન જેવો શક્તિશાળી કે ઊંચો લાગતો નહોતો.

Say What?
by
u/miz_k in
DoggyDNA

સોશિયલ મીડિયા પર ચર્ચા

કેથલીને જ્યારે આ રિપોર્ટ રેડિટ (Reddit) પર શેર કર્યો, ત્યારે લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી. ઘણા લોકોએ લખ્યું કે, “આ જોઈને વિશ્વાસ નથી આવતો કે આટલો નાનો કૂતરો અડધો ડોબરમેન હોઈ શકે છે!” આ કિસ્સો દર્શાવે છે કે ક્યારેક પાલતુ પ્રાણીઓનો બાહ્ય દેખાવ તેમની અસલી જીનેટિક ઓળખ કરતા તદ્દન અલગ હોઈ શકે છે.

Hair Tip: શું ટામેટાનો રસ ખરેખર નવા વાળ ઉગાડી શકે છે?,વાંચવા માટે અહીં ક્લિક કરો

બાળકો સાથેના યૌન શોષણ કેસમાં સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિને બેલ મળશે કે થશે જેલ? મેડિકલ રિપોર્ટમાં ઉત્પીડન થયુ હોવાનો ખૂલાસો

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીની જામીન અરજી પર આવતીકાલે (27 ફેબ્રુઆરી)અલાહાબાદ હાઈકોર્ટમાં સુનાવણી થવાની છે. જેલ કે પછી બેલ એ કાલે સ્પષ્ટ થઈ જશે. અવિમુક્તેશ્વારનંદની બગી જેલ પહોંચશે કે તેમને આગોતરા જામીન મળશે તે તો કાલે કોર્ટ કાર્યવાહી બાદ જ સામે આવશે. પરંતુ આ મામલો હવે ઘણો ગંભીર બની ગયો છે કારણ કે જે બટુકોએ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સામે યૌન શોષણનો આરોપ લગાવ્યો છે તે બાળકોનો મેડિકલ રિપોર્ટ આવી ગયો છે અને મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણ થયુ હોવાની પુષ્ટિ થઈ છે. તો આ તરફ સ્વામી અવિમુક્તેશ્વારનંદ સરસ્વતીએ પણ મેડિકલ રિપોર્ટ પર સવાલ ઉઠાવ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં પીડિત બટુકોએ એ પણ દાવો કર્યો છે કે અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં તેમની સાથે ગંદી હરકતો કરવામાં આવી, બટુકોને મઠમાં પ્રતાડિત કરવામાં આવતા હતા અને આપત્તિજનક કામ કરવામાં આવતુ હતુ. દાવો તો ત્યાં સુધી પણ કરાયો છે કે 20 થી વધુ બટુકો યૌન શોષણનો શિકાર થયા, તેમનુ કહેવુ છે કે માત્ર તેઓ નહીં અન્ય પણ બટુકો છે જેઓ સામે આવવાથી ડરી રહ્યા છે.

અવિમુક્તેશ્વરાનંદ વિરુદ્ધ ભૂમિકા દ્વીવેદી નામની એક લેખિકા પણ સામે આવી છે. તેમનું કહેવુ છે કે તેઓ પણ આશ્રમમાં રહેતા હતા. તેમના કહેવા મુજબ આશ્રમનો માહોલ બિલકુલ પવિત્ર નથી. તેમના મતે મઠમાં અનેક સિક્રેટ રૂમ છે. જ્યાં અન્ય કોઈ જવાની મંજૂરી નથી હોતી. ભૂમિકા દ્વીવેદીનો દાવો છે કે અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં સ્વિમિંગ પૂલ જેવી આલિશાન સુવિધાઓ છે. આટલુ જ નહીં એક સખી અવિમુક્તેશ્વારનંદની ઘણી નજીક છે.

આરોપ લગાવનાર ભૂમિકા દ્વીવેદી કોણ છે?

ભૂમિકા દ્વીવેદી એક લેખક છે અને એક સંશોધન પેપર તૈયાર કરવા માટે તેઓ અવિમુક્તેશ્વરાનંદના આશ્રમમાં લાંબા સમય સુધી રોકાઈ હતી. જેના આધારે જ તેઓ દાવો કરી રહ્યા છે કે આશ્રમમાં અનેક ગુપ્ત રૂમ છે, સ્વિમિંગ પૂલ છે.

આ મામલે રાજનીતિ પણ સક્રિય થઈ છે. સમાજવાદી પાર્ટી બાદ હવે કોંગ્રેસ પણ ખૂલીને ફ્રન્ટ ફુટ પર રમવા માટે આવી ગઈ છે. અવિમુક્તેશ્વારનંદ તો આ બહાને ભાજપને સનાતન વિરોધી ગણાવી રહ્યા છે. અત્રે એ પણ નોંધનિય છે કે અવિમુક્તેશ્વરાનંદ સામે યૌન શોષણની FIR કોર્ટના ઓર્ડરના આધારે થઈ અન મેડિકલ રિપોર્ટમાં યૌન શોષણ થયુ હોવાની પુષ્ટિ થઈ છે. જો કે આ રિપોર્ટની સત્યતા પર સ્વામી અવિમુક્તેશ્વરાનંદ એ સવાલ ઉઠાવ્યા છે. તેમણે જણાવ્યુ કે એક વ્યક્તિ ખુલ્લેઆમ દાવો કરી રહ્યો છે કે 20 બટુકો સામે દુષ્કૃત્ય કરાયુ છે છતા દોઢ મહિનાથી તેઓ તેને પોતાની સાથે રાખીને છુપાવી રહ્યા છે. શા માટે છુપાવી રહ્યા છો? શું પોક્સો એક્ટમાં એવુ છે કે કોઈ ફરિયાદ થાય એટલે તરત કોઈની ધરપકડ કરી લેવી?

આ તરફ આરોપ લગાવનારા આશુતોષ બ્રહ્મચારીએ સ્વામી અવિમુક્તેશ્વારનંદ સામે આરોપ લગાવ્યો છે કે માત્ર 2 નહીં 20 થી વધુ બટુકો સામે દુષ્કૃત્ય થયુ છે ન માત્ર બટુકો પરંતુ મહિલા પણ સામેલ છે. તેમણે શંકરાચાર્યને પડકાર ફેંક્યો કે એટલા જ સાચા હોય તો આવી જાય સામે. અખીલેશ કે રાહુલ જેને બચાવવા હોય એ આવી જાય, એવા એવા પુરાવા છે .
આશુતોષ બ્રહ્મચારીનો દાવો છે કે યુપી પોલીસ તેમની FIR નહોંતી લઈ રહી આથી જ તેમણે કોર્ટના શરણે જવુ પડ્યુ છે. અને તેમની યાચિકાને ધ્યાને લઈને જ કોર્ટ સ્વામી અવિમુક્તેશ્વારનંદ વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ FIR દાખલ કર છે.

કોણ છે ફરિયાદ કરનાર આશુતોષ બ્રહ્મચારી?

આશુતોષ બ્રહ્મચારી શ્રીકૃષ્ણ જન્મભૂમિ મુક્તિ નિર્માણ ટ્ર્સ્ટના અધ્યક્ષ છે. તે શાકંભરી પીઠાધીશ્વર છે. આશુતોષ બ્રહ્મચારી કથિત રીતે જગદ્દગુરુ રામભદ્રચાર્યના શિષ્ય છે. તેવો આરોપ પણ તેમની સામે લાગે છે. અત્રે ઉલ્લેખનિય છે કે જગદગુરુ રામભદ્રાચાર્ય અગાઉ સ્વામી અવિમુક્તેશ્વારનંદને પાખંડી ગણાવી ચુક્યા છે અને તેમની શંકરાચાર્યની ઉપાધિ પર પણ તેમણે અનેકવાર સવાલ ઉઠાવ્યા છે. ત્યારે આશુતોષ બ્રહ્મચારી રામભદ્રાચાર્યના શિષ્ય હોવાના નાતે શુ તેમના ઈશારે અવિમુક્તેશ્વરાનંદની સામે પડ્યા છે તે પણ સવાલ ઉઠવો સ્વાભાવિક છે.

આશુતોષ બ્રહ્મચારીએ 8 ફેબ્રુઆરીએ પ્રયાગરાજની પોક્સો કોર્ટમાં અવિમુક્તેશ્વારનંદ સામે FIR દાખલ કરવાની યાચિકા દાખલ કરી હતી. આ યાચિકામાં આરોપ લગાવાયો હતો કે અવિમુક્તેશ્વારનંદ સરસ્વતિ ગુરુકુળની આડમાં બાળકોનું યૌન ઉત્પીડન કરે છે. કોર્ટમાં પીડિત બાળકોને રજૂ કરવામાં આવ્યા અને તેમના નિવેદન ઓન કેમેરા રેકોર્ડ કરવામાં આવ્યા. આશુતોષ બ્રહ્મચારીનો દાવો છે કે તેમણે કોર્ટમાં બાળકોની યૌન શોષણ સંબંધિત સીડી પણ કોર્ટમાં સોંપી છે. તેમનો દાવો છે કે તેમની પાસે 7 થી 8 ડીવીડી છે.

આપને જણાવી દઈએ કે અવિમુક્તેશ્વરાનંદ સામે કોર્ટમાં જનારા આશુતોષ બ્રહ્મચારી વિરુદ્ધ પણ અનેક કેસમાં FIR દાખલ થયેલી છે. આથી ખુદ અવિમુક્તેશ્વરાનંદ અને કોંગ્રેસનો આરોપ છે કે આશુતોષ બ્રહ્મચારીને યુપી સીએમ યોગી આદિત્યનાથનો વિરોધ કરવાને કારણે ટાર્ગેટ કરાઈ રહ્યા છે.

ક્યાંથી શરૂ થઈ અવિમુક્તેશ્વારનંદ સરસ્વતિની મુશ્કેલી?

શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિના વિવાદનું ભૂત મૌની અમાસના દિવસે પ્રયાગરાજમાં પ્રશાસન સાથે થયેલા સ્નાન વિવાદથી ધુણી રહ્યુ છે. પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિ અને યુપી પ્રયાગરાજ પ્રશાસન વચ્ચે માઘ મેળા દરમિયાન ઘર્ષણ થયુ હતુ. જ્યાં તેમને પવિત્ર સ્નાન કરવાથી રોકવામાં આવ્યા હતા.

દરમિયાન, સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિષ્યો અને મેળા પ્રશાસન વચ્ચે અથડામણ થઈ. આ વિવાદ વધુ વકર્યો અને રાજકીય વળાંક લીધો. આરોપ-પ્રત્યારોપ વચ્ચે, મેળા પ્રશાસને સ્વામી અવિમુક્તેશ્વરાનંદને નોટિસ મોકલીને પૂછ્યું કે તેમણે કયા આધારે શંકરાચાર્ય હોવાનો દાવો કર્યો છે. આ તરફ

જે બાદ સમગ્ર વિવાદ રાજકીય સ્વરૂપ લઈ રહ્યો છે અને ખુદ સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતિએ યોગી આદિત્યનાથની સરકાર સામે ગૌહત્યા સહિત અન્ય મુદ્દાઓને લઈને સવાલ કર્યા. જે બાદ આરોપ પ્રતિ આરોપ અને તીખી પ્રતિક્રિયાઓ સામે આવી.

મેળા પ્રશાસને તરફથઈ આ શંકરાચાર્યનો પુરાવો માગતો સવાલ સુપ્રીમ કોર્ટના એક આદેશના આધારે પૂછ્યો હતો જેમાં શંકરાચાર્યની નિમણૂક અને અભિષેક પર રોક લગાવવામાં આવી હતી. સ્વામી અવિમુક્તેશ્વરાનંદને 2022 થી જ્યોતિર્મઠના શંકરાચાર્ય તરીકે ઓળખવામાં આવે છે. જોકે, આ પદ પર તેમની નિમણૂક શરૂઆતથી જ વિવાદાસ્પદ માનવામાં આવે છે.

શંકરાચાર્યની પદવી અંગેનો વિવાદ

આ કહાનીની શરૂઆત 1941 થી શરૂ થાય છે. સૌ પ્રથમ, જ્યોતિર્મઠ ખાતે શંકરાચાર્યની બેઠક 1941 પહેલા લગભગ 168 વર્ષ સુધી ખાલી રહી હતી. આ પહેલા, 18મી સદીમાં, સ્વામી રામકૃષ્ણ તીર્થ શંકરાચાર્યનું પદ સંભાળતા હતા. જોકે, ઘણી જગ્યાએ તેમના માટે શંકરાચાર્યનું પદ નોંધાયેલું ન હોવા છતાં, મઠ તેમના આશ્રય હેઠળ રહ્યો. તેમના નિર્વાણ (મૃત્યુ) પછી, મઠ લગભગ 165 વર્ષ સુધી નિષ્ક્રિય રહ્યો. આ સમયગાળા દરમિયાન, ઘણા સાધુઓ અને ગુરુઓએ શંકરાચાર્યના પદ પર દાવો કર્યો, જેના કારણે 1900ના દાયકાથી અનેક દિવાની મુકદ્દમા દાખલ થયા.

પોતાને લેડી ડોન અને દબંગ ગણાવતી કીર્તિ પટેલની ટિકટોકથી જેલ સુધીની સફર અને ગુનાઓની ક્રાઈમ કુંડળી- વાંચો

કાયદો એ નિયમોનો સમૂહ છે. જેને સમુદાય દ્વારા માન્ય તરીકે સ્વીકારવામાં આવે છે. કાયદો દેશના વહીવટ માટે નૈતિક માર્ગદર્શક તરીકે પણ કાર્ય કરે છે. કાયદો એ માનવ વર્તન અને ક્રિયાઓનું નિયમન કરવાની એક પદ્ધતિ છે. અહી ક્લિક કરો

નોંધ: અહીં આપવામાં આવેલો લેખ ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

T20 WC Breaking : ચેન્નાઈની પિચ પર બેટ્સમેનો મચાવશે ધમાલ કે બોલરો કરશે કમાલ? જાણો કેવો છે પિચનો હાલ

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે T20 વર્લ્ડ કપ 2026ની સુપર 8 મેચ ગુરુવારે સાંજે 7 વાગ્યે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે રમાશે. સેમિફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ટીમ ઈન્ડિયા માટે આ મુકાબલો અત્યંત મહત્વપૂર્ણ છે. દક્ષિણ આફ્રિકા સામેની ભારે હાર બાદ ભારત પર જીતનું દબાણ વધ્યું છે.

સુપર 8 માં ભારત-ઝિમ્બાબ્વેની ટક્કર

સુપર 8 ની પહેલી મેચમાં ભારતને દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પરાજય પછી ભારત ગ્રુપ 1 ના પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને સરકી ગયું છે. નેટ રન રેટ -3.800 હોવાથી આગામી બંને મેચોમાં ભારતને મોટો વિજય નોંધાવવો જરૂરી બન્યો છે.

ભારત માટે જીત જરૂરી

ગ્રુપમાં વેસ્ટ ઇન્ડીઝ ટીમ (+5.350) પ્રથમ અને દક્ષિણ આફ્રિકા (+3.800) બીજા સ્થાને છે, જ્યારે ઝિમ્બાબ્વે (-5.350) છેલ્લે સ્થાને છે. ભારતને સેમિફાઇનલમાં પહોંચવા માટે પોતાની બાકીની બંને મેચ મોટા અંતરથી જીતવી પડશે અને અન્ય મેચના પરિણામો પણ અનુકૂળ રહેવું પડશે.
બેટિંગ માટે અનુકૂળ પિચ

બેટિંગ માટે અનુકૂળ પિચ

ચેન્નાઈની કાળી માટીની પિચ આ ટુર્નામેન્ટમાં બેટિંગ માટે અનુકૂળ સાબિત થઈ છે. અહીં બેટ્સમેનોને સારો બાઉન્સ અને ગતિ મળે છે, જેના કારણે મોટા સ્કોર બન્યા છે. ઝડપી બોલરો માટે અહીં રન રોકવા અને વિકેટ લેવું મુશ્કેલ રહ્યું છે. તેથી ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ કરતા ચેઝ કરવાનું પસંદ કરે તેવી શક્યતા છે.

હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના

આ જ મેદાન પર ન્યૂઝીલેન્ડ ટીમે અફઘાનિસ્તાન સામે 17.5 ઓવરમાં 183 રનનો લક્ષ્યાંક સરળતાથી હાંસલ કર્યો હતો. હવામાન સ્વચ્છ રહેવાની સંભાવના છે અને તાપમાન આશરે 20 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે, જે ખેલાડીઓ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરશે.

T20 માં ભારત-ઝિમ્બાબ્વેના આંકડા

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધી 13 T20 મેચ રમાઈ છે, જેમાં ભારતે 10 જીત મેળવી છે જ્યારે ઝિમ્બાબ્વેએ 3 વખત જીત નોંધાવી છે. T20 વર્લ્ડ કપમાં બંને ટીમો એક વખત આમને-સામને આવી હતી અને તેમાં ભારતે 71 રનથી જીત મેળવી હતી. આંકડાઓ ભારતના પક્ષમાં હોવા છતાં, સુપર 8 ના દબાણ વચ્ચે દરેક ઓવર નિર્ણાયક સાબિત થવાની છે.

T20 WC Breaking : શ્રીલંકા પર મોટી જીત સાથે ન્યૂઝીલેન્ડનો સેમિફાઇનલ માટે દાવો મજબૂત, પાકિસ્તાન બહાર?

T20 WC Breaking : શ્રીલંકા પર મોટી જીત સાથે ન્યૂઝીલેન્ડનો સેમિફાઇનલ માટે દાવો મજબૂત, પાકિસ્તાન બહાર?

કોલંબોમાં રમાયેલી સુપર 8 ની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 61 રનથી હરાવ્યું. આ મોટી જીત સાથે, ન્યૂઝીલેન્ડે માત્ર બે પોઈન્ટ જ નહીં પરંતુ તેમનો રન રેટ પણ વધાર્યો. આ બે સિદ્ધિઓ સાથે તેઓએ સુપર 8 ગ્રુપ B ના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાનને પાછળ છોડી દીધું. એટલું જ નહીં, પરંતુ સેમિફાઇનલમાં સ્થાન મેળવવાનો પોતાનો દાવો પણ મજબૂત બનાવ્યો. આનો અર્થ એ થયો કે પાકિસ્તાનનો સેમિફાઇનલમાં પહોંચવાનો માર્ગ પહેલા કરતા વધુ મુશ્કેલ બની ગયો છે. આ સ્થિતિમાં ટુર્નામેન્ટમાંથી બહાર થવાની તેમની શક્યતા વધી ગઈ છે.

શ્રીલંકા સેમિફાઇનલની રેસમાંથી બહાર

25 ફેબ્રુઆરીના રોજ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને જીતવા માટે 169 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં, શ્રીલંકાએ 20 ઓવર રમી હતી પરંતુ લક્ષ્યથી ઘણું દૂર રહી ગયું. ન્યૂઝીલેન્ડે શ્રીલંકાને 107 રન સુધી મર્યાદિત રાખ્યું. 61 રનથી મેચ જીતીને કિવીઓએ શ્રીલંકાને ટુર્નામેન્ટના સેમિફાઇનલની રેસમાંથી બહાર કરી દીધું એટલું જ નહીં પરંતુ પાકિસ્તાન માટે બહાર થવાનું જોખમ પણ વધારી દીધું.

ન્યૂઝીલેન્ડનો સેમિફાઇનલમાં સ્થાન મેળવવા મજબૂત દાવો

ન્યૂઝીલેન્ડ-શ્રીલંકા મેચ પહેલા પાકિસ્તાન સુપર 8 ના ગ્રુપ B ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને હતું. જોકે, આ મેચના પરિણામ પછી તેઓ હવે ત્રીજા સ્થાને સરકી ગયા છે. ન્યૂઝીલેન્ડની પાકિસ્તાન સામેની પહેલી સુપર 8 મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી, અને હવે તેઓએ શ્રીલંકા સામે પોતાની બીજી મેચ 61 રનથી જીતી છે. આના પરિણામે ન્યૂઝીલેન્ડને પોઈન્ટ ટેબલમાં ત્રણ પોઈન્ટ મળ્યા છે. વધુમાં તેમનો 3.050 નો રન રેટ પણ અન્ય ટીમો કરતા સારો છે.

 

પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર?

પાકિસ્તાનનું બહાર થવાનું જોખમ વધી ગયું છે કારણ કે, બે મેચ પછી, સુપર 8 ગ્રુપ B પોઈન્ટ ટેબલમાં તેનો ફક્ત એક જ પોઈન્ટ છે. તેનો રન રેટ પણ -0.461 છે, જે અત્યંત ખરાબ છે. જો તે શ્રીલંકા સામેની તેની છેલ્લી સુપર 8 મેચ જીતી જાય, તો પણ તેનો રન રેટ ન્યૂઝીલેન્ડને વટાવી જાય તેવી શક્યતા ઓછી છે. આ સ્થિતિમાં, પાકિસ્તાન હજુ સુધી બહાર થયું નથી, પરંતુ તે થઈ શકે છે.

ન્યૂઝીલેન્ડે 20 ઓવરમાં 168 રન બનાવ્યા

શ્રીલંકાએ ટોસ જીતીને ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. તેમનો નિર્ણય સફળ રહ્યો, કારણ કે તેમણે ન્યૂઝીલેન્ડની 84 રનમાં 6 વિકેટ પાડી દીધી હતી. જોકે, કેપ્ટન મિશેલ સેન્ટનર અને કોલ મેકકોન્ચીએ સાતમી વિકેટ માટે 84 રનની ઝડપી ભાગીદારી નોંધાવી, જેના કારણે ન્યૂઝીલેન્ડ 20 ઓવરમાં કુલ 168 રન બનાવી શક્યું, જેને શ્રીલંકા પાર કરવામાં નિષ્ફળ ગયું.

T20 WC Breaking : મિશેલ સેન્ટનર આ સિદ્ધિ મેળવનાર ન્યૂઝીલેન્ડનો13 મો ખેલાડી બન્યો, શ્રીલંકા સામે તોડ્યો રેકોર્ડ

T20 WC Breaking : મિશેલ સેન્ટનર આ સિદ્ધિ મેળવનાર ન્યૂઝીલેન્ડનો13 મો ખેલાડી બન્યો, શ્રીલંકા સામે તોડ્યો રેકોર્ડ

મિશેલ સેન્ટનર ફરી એકવાર ન્યૂઝીલેન્ડ ટીમ માટે તારણહાર સાબિત થયો હતો. તેણે એક મહત્વપૂર્ણ મેચમાં અને એક મહત્વપૂર્ણ સમયે એક શક્તિશાળી ઇનિંગ રમી હતી. શ્રીલંકા સામે ન્યૂઝીલેન્ડે 84 રનમાં છ વિકેટ ગુમાવી દીધી હતી. તે સમયે મિશેલ સેન્ટનર મેદાનમાં ઉતર્યો અને આઠમા ક્રમના બેટ્સમેન કોલ મેનોકી સાથે મળીને તેની ટીમ માટે ન માત્ર એક મહત્વપૂર્ણ ભાગીદારી કરી પરંતુ એક મોટો રેકોર્ડ પણ તોડ્યો.

સેન્ટનરે મેકકોન્ચી સાથે 84 રન ઉમેર્યા

હવે પ્રશ્ન એ છે કે મિશેલ સેન્ટનરે શું કર્યું અને કોલ મેકકોન્ચી સાથે તેણે કયો રેકોર્ડ તોડ્યો? ન્યૂઝીલેન્ડના 6 વિકેટે 84 રન બન્યા પછી, મિશેલ સેન્ટનરે કોલ મેકકોન્ચી સાથે 47 બોલમાં 84 રનની ભાગીદારી નોંધાવી, જેના પરિણામે એક સમયે ડગમગતી ન્યૂઝીલેન્ડની ઇનિંગ 20 ઓવરમાં 7 વિકેટે 168 રન સુધી પહોંચી ગઈ.

7 મી વિકેટની ભાગીદારીનો રેકોર્ડ તૂટ્યો

મિશેલ સેન્ટનર અને કોલ મેકકોન્ચી વચ્ચેની ભાગીદારીએ સાતમી વિકેટ માટે સૌથી વધુ ભાગીદારીનો ન્યૂઝીલેન્ડ તરફથી નવો રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉનો રેકોર્ડ 24 રનનો હતો જે મિશેલ સેન્ટનર અને ઇશ સોઢીના નામે હતો.

 

સેન્ટનરે 47 રન બનાવ્યા

મિશેલ સેન્ટનરે કોલ મેકકોન્કી સાથે ભાગીદારીમાં 26 બોલમાં 47 રનનું યોગદાન આપ્યું, જેમાં ચાર છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થાય છે. તે ન્યૂઝીલેન્ડની ઇનિંગના છેલ્લા બોલ પર આઉટ થયો. મેકકોન્કી 23 બોલમાં 31 રન બનાવીને અણનમ રહ્યો, જેમાં ત્રણ ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે.

T20I માં 1000 રન કરનાર 13 મો કિવી ખેલાડી

શ્રીલંકા સામેની 47 રનની ઇનિંગ દરમિયાન મિશેલ સેન્ટનરે T20 ઇન્ટરનેશનલમાં 1,000 રન પૂરા કર્યા. સેન્ટનરે તેની ઇનિંગનો 26મો રન બનાવતાની સાથે જ આ સીમાચિહ્ન હાંસલ કર્યો. મિશેલ સેન્ટનરે હવે 132 મેચોમાં 88 ઇનિંગમાં 1,021 રન બનાવ્યા છે. તે T20 ઇન્ટરનેશનલમાં 1,000 થી વધુ રન બનાવનાર ન્યુઝીલેન્ડનો 13 મો ખેલાડી બની ગયો છે.

T20 WC Breaking : 0,0,0 છતાં અભિષેક રેન્કિંગમાં નંબર 1 પર યથાવત, ઇશાન-બુમરાહને મોટો ફાયદો

નોંધ: અહીં આપવામાં આવેલો લેખ ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

T20 WC Breaking : ઈંગ્લેન્ડ સેમિફાઈનલ માટે ક્વોલિફાય, પાકિસ્તાન T20 વર્લ્ડ કપમાંથી બહાર?

સુપર 8 મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી. ઇંગ્લેન્ડે પલ્લેકેલમાં રમાયેલી રોમાંચક મેચ અંતિમ ઓવરમાં બે વિકેટથી જીતી લીધી. ઇંગ્લેન્ડે અંતિમ ઓવરના પહેલા બોલ પર ફોર ફટકારીને વિજય મેળવ્યો. આ જીતથી ઇંગ્લેન્ડ સેમિફાઇનલમાં જગ્યા બનાવી લીધી, પરંતુ પાકિસ્તાનની ટુર્નામેન્ટમાંથી બહાર થવાની શક્યતા હવે વધી ગઈ છે.

પાકિસ્તાનને હરાવીને ઈંગ્લેન્ડે સેમિફાઇનલમાં

ઇંગ્લેન્ડ સામે હાર્યા પછી, પાકિસ્તાનની તકો “જો” અને “તો” ના ચક્રવ્યૂહમાં ફસાઈ ગઈ છે. કેવી રીતે તેની ચર્ચા કરતા પહેલા, ઇંગ્લેન્ડની જીતનો વિચાર કરવો મહત્વપૂર્ણ છે. પાકિસ્તાનના 165 રનના લક્ષ્યનો પીછો કરતા, ઇંગ્લેન્ડની શરૂઆત નબળી રહી. પાવરપ્લેમાં જ તેઓએ ત્રણ મુખ્ય વિકેટ ગુમાવી દીધી. જોકે, કેપ્ટન હેરી બ્રુક અને વિલ જેક્સ વચ્ચેની ભાગીદારીએ ટીમને જીત અપાવવામાં મદદ કરી.

 

કેપ્ટન હેરી બ્રુકે સદી ફટકારી

કેપ્ટન હેરી બ્રુક 51 બોલમાં 100 રન બનાવીને આઉટ થયો, જે તેની T20 આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી સદી હતી. તેના આઉટ થયા પછી, ઇંગ્લેન્ડને વધુ બે આંચકાનો સામનો કરવો પડ્યો, પરંતુ ઇંગ્લેન્ડે આખરે પોતાનો વિજય સુનિશ્ચિત કર્યો હતો. ઇંગ્લેન્ડે 165 રનના લક્ષ્યનો પીછો કરતા પાંચ બોલ બાકી રહેતાં સેમિફાઇનલ માટે ક્વોલિફાય કર્યું હતું.

ઇંગ્લેન્ડ સતત પાંચમી વખત સેમિફાઇનલમાં પહોંચ્યું

આ સતત પાંચમી વખત છે જ્યારે ઇંગ્લેન્ડે T20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઇંગ્લેન્ડે 2016, 2021, 2022, 2024 અને હવે 2026 માં T20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં ક્વોલિફાય કર્યું છે.

 

પાકિસ્તાનની બેટિંગ નિષ્ફળ ગઈ

અગાઉ, પાકિસ્તાનની બેટિંગ ફરી એકવાર સાહિબજાદા ફરહાનની આસપાસ ફરતી રહી. ફરહાન અડધી સદી ફટકારનાર એકમાત્ર પાકિસ્તાની બેટ્સમેન હતો. અન્ય કોઈ પાકિસ્તાની બેટ્સમેન 30 રન પણ કરી શક્યો નહીં, જેના કારણે તેઓ મોટો સ્કોર કરી શક્યા નહીં.

T20 WC Breaking : શાહીન આફ્રિદીએ 3 ઓવરમાં 3 વિકેટ લઈને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, પાવરપ્લેમાં ઇંગ્લેન્ડની રમત બગાડી

T20 WC Breaking : શાહીન આફ્રિદીએ 3 ઓવરમાં 3 વિકેટ લઈને તોડ્યો વર્લ્ડ રેકોર્ડ, પાવરપ્લેમાં ઇંગ્લેન્ડની રમત બગાડી

ઈંગ્લેન્ડ સામે વિશ્વ ક્રિકેટે જૂના શાહીન આફ્રિદીને જોયો. શાહીન આફ્રિદી જે પહેલા બોલે વિકેટ લેતો, પહેલી ઓવરમાં વિકેટ લેતો અને પાવરપ્લેમાં વિરોધી ટીમના ટોપ ઓર્ડરને તોડી નાખતો. લાંબા સમય પછી, શાહીન શાહ આફ્રિદીનો તે અવતાર ઈંગ્લેન્ડ સામેની મેચમાં જોવા મળ્યો. જ્યારે ઈંગ્લેન્ડની ટીમ પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલા 165 રનના લક્ષ્યનો પીછો કરવા માટે મેદાનમાં આવી, ત્યારે તેમને ખબર નહોતી કે આ બોલર સામે ક્રીઝ પર ઊભા રહેવાનું પણ મુશ્કેલ બની જશે.

શાહિને પહેલા જ બોલે વિકેટ લીધી

સેમિફાઇનલમાં પહોંચવાનું સ્વપ્ન જોતા શાહીન આફ્રિદીએ પાવરપ્લેમાં ઈંગ્લેન્ડની શરૂઆત બગાડી નાખી હતી. તેણે પહેલા જ બોલથી સારી શરૂઆત કરી. તે ઈંગ્લેન્ડ સામે પહેલી ઓવર નાખવા આવ્યો અને પહેલા જ બોલે ફિલ સોલ્ટની વિકેટ લીધી. T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં પહેલા જ બોલ પર સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ તેના નામે હતો, અને હવે તેણે તેની વિકેટમાં વધુ એક વિકેટ ઉમેરી છે. તે T20 વર્લ્ડ કપમાં પહેલી જ ઓવરમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ છે.

પાવરપ્લેમાં 3 ઓવરમાં 3 વિકેટ લીધી

પછી, જ્યારે શાહીન આફ્રિદી પોતાની બીજી ઓવર નાખવા આવ્યો, ત્યારે તેણે જોસ બટલરની મહત્વપૂર્ણ વિકેટ લીધી. શાહીને પાવરપ્લેમાં પોતાની ત્રીજી ઓવર પણ નાખી, જેમાં તેણે જેકબ બેથેલને આઉટ કર્યો. આમ, તેની ત્રણ ઓવરમાં શાહીન આફ્રિદીએ 13 રન આપીને ત્રણ વિકેટ લીધી. પાવરપ્લેમાં ઇંગ્લેન્ડે ફક્ત 35 રનમાં ત્રણેય વિકેટ ગુમાવી દીધી, જેનાથી તેમની શરૂઆત ખરાબ થઈ ગઈ.

શાહીન આફ્રિદીએ વર્લ્ડ રેકોર્ડ તોડ્યો

ઇંગ્લેન્ડ સામે પાવરપ્લેમાં ત્રણ વિકેટ લઈને શાહીન શાહ આફ્રિદીએ કાગીસો રબાડાનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો. તે હવે પુરુષોના T20 વર્લ્ડ કપના પાવરપ્લેમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. ઇંગ્લેન્ડ સામેની મેચ પહેલા, શાહીન આફ્રિદીએ પાવરપ્લેમાં 15 વિકેટ લીધી હતી. કાગીસો રબાડાએ 16 વિકેટનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. જોકે, ઇંગ્લેન્ડ સામે ત્રણ વિકેટ લીધા બાદ, શાહીન હવે T20 વર્લ્ડ કપ પાવરપ્લેમાં 18 વિકેટ લઈ ચૂક્યો છે.

Breaking News : IPL 2026 માટે BCCI નો મોટો નિર્ણય, શેડ્યૂલ બે તબક્કામાં જાહેર થશે

Breaking News: લો બોલો…પોસ્ટ ઓફિસના કર્મચારીઓએ આચર્યું ₹2.81 કરોડનું કૌભાંડ!

ભરૂચ ડિવિઝનની પોસ્ટ ઓફિસ સેવિંગ્સ બેંક (POSB) ના ખાતાધારકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ભરૂચની ONGC કોલોની સબ-પોસ્ટ ઓફિસમાં ગ્રાહકો દ્વારા જમા કરાવવામાં આવેલા ₹2.81 કરોડ કથિત રીતે તેમના ખાતામાં પહોંચ્યા જ નથી. આ નાણાં કર્મચારીઓએ પોતાના અંગત અને આંતરિક ખાતાઓમાં ડાયવર્ટ કર્યા હોવાનો ખુલાસો થયો છે, જે બાદ CBI ગાંધીનગરે 12 કર્મચારીઓ સામે ગુનો નોંધ્યો છે.

શું હતી કૌભાંડની પદ્ધતિ (Modus Operandi)?

CBIની FIR મુજબ, ઓગસ્ટ 2024 થી ડિસેમ્બર 2025 દરમિયાન આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. મુખ્ય આરોપી અને તત્કાલીન સબ-પોસ્ટમાસ્ટર યાસીન ઘાંચી એ એજન્ટો મારફતે ગ્રાહકો પાસેથી રોકડ અને ચેક મેળવ્યા હતા.

  • સિસ્ટમમાં છેડછાડ: ફિનાકલ કોર બેંકિંગ સિસ્ટમમાં એવી એન્ટ્રી કરવામાં આવી કે પૈસા ગ્રાહકના ખાતામાં જમા થયા છે, પણ વાસ્તવમાં તે પૈસા અન્ય કર્મચારીઓના ખાતામાં મોકલવામાં આવ્યા હતા.
  • ડિજિટલ ટ્રાન્સફર: કર્મચારીઓના ખાતામાં પૈસા આવ્યા બાદ Google Pay અને અન્ય UPI પ્લેટફોર્મ દ્વારા તે રકમ મુખ્ય આરોપીઓ સાથે જોડાયેલા ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી.
  • પાસબુકનો ખેલ: તપાસમાં જાણવા મળ્યું છે કે અનેક ગ્રાહકોને પાસબુકમાં એન્ટ્રી કરીને આપી દેવાઈ હતી, પરંતુ સરકારી રેકોર્ડમાં તે નાણાં જમા જ નહોતા થયા.

કુલ 56 ખાતાધારકો ભોગ બન્યા

ભરૂચ ડિવિઝનના પોસ્ટ ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની ફરિયાદ મુજબ, મુખ્યત્વે ‘ટાઇમ ડિપોઝિટ’ સ્કીમ હેઠળના 56 ખાતાઓમાં ગેરરીતિ થઈ છે. કૌભાંડીઓએ સુપરવાઈઝરના આઈડી-પાસવર્ડનો ઉપયોગ કરીને આ ટ્રાન્ઝેક્શનને મંજૂરી આપી હોવાનું પણ બહાર આવ્યું છે.

તપાસનો ગાળિયો કસાયો

ડિસેમ્બર 2025માં આંતરિક તપાસ દરમિયાન ટ્રાન્ઝેક્શનમાં વિસંગતતા દેખાતા આખું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. CBI એ હવે ભારતીય ન્યાય સંહિતા (BNS) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ તેજ કરી છે. તપાસ અધિકારીઓ હવે ડિજિટલ ટ્રાન્ઝેક્શનના પુરાવા અને અન્ય કેટલા ખાતાઓમાં પૈસા ડાયવર્ટ થયા છે તેની વિગતો એકત્ર કરી રહ્યા છે.

જો તમારું ખાતું પણ ભરૂચ ડિવિઝનની પોસ્ટ ઓફિસમાં હોય, તો એકવાર ઓનલાઈન અથવા હેડ ઓફિસ જઈને બેલેન્સની ખરાઈ કરી લેવી હિતાવહ છે.

ઈરાનમાં યુદ્ધના વાદળો ! ભારત સરકારની ‘દેશ છોડવા’ની સલાહ બાદ ભારતીય કામદારોનું શું થશે?, વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News : IPL 2026 માટે BCCI નો મોટો નિર્ણય, શેડ્યૂલ બે તબક્કામાં જાહેર થશે

IPL 2026 ને લઈને એક મહત્વપૂર્ણ ફેરફાર સામે આવ્યો છે. BCCI આવનારી સિઝનનું શેડ્યૂલ બે તબક્કામાં જાહેર કરવાની તૈયારીમાં છે. પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને આસામમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે.

પહેલા 2 થી 3 અઠવાડિયાના મેચોનું શેડ્યૂલ

આવતી IPL સિઝન 26 માર્ચથી 31 મે વચ્ચે યોજાય તેવી સંભાવના વ્યક્ત થઈ રહી છે. પરંતુ ચૂંટણીના કારણે સુરક્ષા વ્યવસ્થા અને આયોજનમાં મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા છે. તેથી BCCI પહેલા 2 થી 3 અઠવાડિયાના મેચોનું શેડ્યૂલ જાહેર કરશે અને ત્યારબાદ બાકીના મેચોની જાહેરાત કરશે.

વિધાનસભા ચૂંટણીની અસર

પ્રથમ તબક્કામાં આશરે 20 થી 25 મેચોનો સમાવેશ થવાની શક્યતા છે. આ મેચો એવા રાજ્યોમાં યોજાશે જ્યાં વિધાનસભા ચૂંટણી નક્કી નથી. ફેબ્રુઆરીના અંત સુધીમાં પ્રથમ તબક્કાનું શેડ્યૂલ જાહેર થઈ શકે છે.

બીજા તબક્કાનું શેડ્યૂલ માર્ચમાં જાહેર થશે

બીજા તબક્કાનું શેડ્યૂલ માર્ચના મધ્યમાં જાહેર થવાની શક્યતા છે. ચૂંટણી પંચ દ્વારા મતદાનની તારીખોની જાહેરાત થયા બાદ BCCI બાકીની મેચો માટે સ્થળ અને તારીખો નક્કી કરશે. આ રીતે ચૂંટણીવાળા રાજ્યોમાં સુરક્ષા સંબંધી સમસ્યાઓ ટાળી શકાય છે.

ચૂંટણી દરમિયાન સુરક્ષા પૂરી પાડવી મુશ્કેલ

ચૂંટણી દરમિયાન રાજ્ય પોલીસ પર વિશેષ જવાબદારી હોય છે. તેથી કોલકાતાના ઇડન ગાર્ડન્સ અને ચેન્નાઈના એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ જેવા મોટા મેદાનોમાં સુરક્ષા પૂરી પાડવી મુશ્કેલ બની શકે છે. આ કારણસર BCCI ચૂંટણીના દિવસોમાં આ સ્થળોએ મેચો યોજવાનું ટાળવા ઈચ્છે છે.

આસામમાં પણ ચૂંટણી

આ વખતે એક વધુ પડકાર એ છે કે, અગાઉ કોલકાતામાં કોઈ અવરોધ આવે ત્યારે આસામના ગુવાહાટીમાં બારસાપારા સ્ટેડિયમ વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતું હતું. પરંતુ આસામમાં પણ ચૂંટણી યોજાવાની હોવાથી આ વિકલ્પ મર્યાદિત બની શકે છે.

T20 વર્લ્ડ કપ બાદ થોડા જ સમયમાં IPL

ઉપરાંત, T20 વર્લ્ડ કપ 2026 પૂર્ણ થયા બાદ થોડા જ સમયમાં IPL શરૂ થવાની છે. તેથી મેદાનોને ફરી તૈયાર કરવા માટે સપોર્ટ સ્ટાફને પૂરતો સમય આપવો જરૂરી છે. તમામ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને BCCI સુચિત આયોજન સાથે IPL 2026 માટે તૈયારી કરી રહ્યું છે.

T20 WC Breaking : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ સ્ટાર ક્રિકેટર T20 વર્લ્ડ કપ અધવચ્ચે છોડીને ઘરે પાછો ફર્યો

નોંધ: અહીં આપવામાં આવેલો લેખ ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

Breaking News : દિલ્હી જઈ રહેલી Air Ambulance Crash, ચાર્ટર પ્લેન જંગલમાં પડ્યું, જાણો ઘટના વિશે

ઝારખંડમાં સોમવારે સાંજે એક દુખદ એર એમ્બ્યુલન્સ દુર્ઘટના બની હતી. રાંચીથી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સ ચતરા જિલ્લાના સિમરિયા નજીક આવેલા ગાઢ જંગલ વિસ્તારમાં ક્રેશ થઈ ગઈ હતી. આ વિમાનમાં એક ગંભીર રીતે બીમાર દર્દી સહિત કુલ સાત લોકો સવાર હતા. ટેકઓફ થયા બાદ લગભગ 20 મિનિટમાં એર ટ્રાફિક કંટ્રોલ સાથે વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો.

આ એર એમ્બ્યુલન્સમાં દર્દી સંજય સાઓ (40), તેમની પત્ની અર્ચના દેવી (35), તેમના 17 વર્ષીય ભત્રીજા ધ્રુવ કુમાર, બે પાઇલટ, એક ડૉક્ટર અને એક પેરામેડિક સવાર હતા. દુર્ઘટનામાં તમામ સાત લોકોના કરૂણ મોત થયા હતા. મૃતકોમાં પાઇલટ વિવેક વિકાસ ભગત અને સવરાજદીપ સિંહ, ડૉ. વિકાસ ગુપ્તા અને પેરામેડિક સચિન કુમાર મિશ્રા સામેલ છે.

સંજય સાઓ લાતેહાર જિલ્લાના બકોરિયા ગામના રહેવાસી હતા અને ત્યાં ઢાબો ચલાવતા હતા. ગયા અઠવાડિયે તેમના ઢાબામાં ભીષણ આગ લાગતા તેઓ લગભગ 65 ટકા સુધી દાઝી ગયા હતા. ત્યારબાદ તેમને રાંચીની દેવકમલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની હાલત ગંભીર બનતાં ડૉક્ટરોએ તેમને વધુ સારી સારવાર માટે દિલ્હી રિફર કરવાની સલાહ આપી હતી.

ઉડાન ભર્યા બાદ માત્ર 20 મિનિટમાં જ વિમાન ક્રેશ

પરિવારજનોએ સંજય સાઓને બચાવવાની આશામાં એર એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી હતી. સોમવારે સાંજે લગભગ 4:30 વાગ્યે તેઓ રાંચીથી દિલ્હી જવા માટે હોસ્પિટલમાંથી નીકળ્યા હતા.

આ દુર્ઘટનાના સમાચાર મળતાં જ બકોરિયા ગામમાં શોકની લહેર ફરી વળી હતી. સંજય સાઓના બે પુત્રો શિવમ (13) અને શુભમ (17) હવે પિતાવિહોણા થઈ ગયા છે. સમગ્ર પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.

મૃતક ડૉ. વિકાસ ગુપ્તા અગાઉ ગારુ અને ચંદવા વિસ્તારોમાં સેવાઓ આપી ચૂક્યા હતા અને પ્રભારી પદ પર પણ રહ્યા હતા. તેમની મૃત્યુથી આરોગ્ય વિભાગમાં પણ શોકની લાગણી છે.

રાંચી એરપોર્ટથી સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી

નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) દ્વારા આપવામાં આવેલા નિવેદન મુજબ, રેડબર્ડ એરવેઝ પ્રાઇવેટ લિમિટેડનું બીચક્રાફ્ટ C90 વિમાન (VT-AJV) એર એમ્બ્યુલન્સ તરીકે રાંચી એરપોર્ટથી સાંજે 7:11 વાગ્યે ઉડાન ભરી હતી. ટેકઓફ થયા બાદ અંદાજે 20 મિનિટમાં વિમાનનો એર ટ્રાફિક કંટ્રોલ સાથે સંપર્ક તૂટી ગયો હતો.

જિલ્લા વહીવટીતંત્રની બચાવ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. સાથે જ, આ દુર્ઘટનાની તપાસ માટે એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ની ટીમને પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી રહી છે.

દિલ્હીમાં ભારત વિરોધી પોસ્ટરો ચોંટાડનાર આરોપીઓને લઈ મોટા ખુલાસા

T20 WC Breaking : વેસ્ટ ઈન્ડીઝની જીતથી ભારતનું વધ્યું ટેન્શન, હવે બધું દક્ષિણ આફ્રિકા પર નિર્ભર!

વેસ્ટ ઈન્ડીઝની ટીમ T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 રાઉન્ડમાં દક્ષિણ આફ્રિકાથી શ્રેષ્ઠ બની ગઈ છે. આ કારણે, ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. કારણ કે હવે સેમિફાઇનલનું ગણિત વધુ જટિલ બની ગયું છે. તેથી, ભારતે હવે સંપૂર્ણપણે દક્ષિણ આફ્રિકા પર આધાર રાખવો પડશે. કારણ કે વેસ્ટ ઇન્ડીઝે ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું છે. વેસ્ટ ઇન્ડીઝનો નેટ રન રેટ +5.350 છે.

નેટ રન રેટ બન્યું ટેન્શન

સુપર 8 રાઉન્ડની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાએ ભારતને 76 રનથી હરાવ્યું હતું. આ કારણે, ભારતનો નેટ રન રેટ -3.800 હતો. તેથી, ભારતીય ટીમ પર નેટ રન રેટ સુધારવા માટે ઘણું ટેન્શન હતું. હવે તેમાં વધુ ઉમેરો થયો છે. કારણ કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ નેટ રન રેટની દ્રષ્ટિએ ઘણી આગળ વધી ગઈ છે. હવે આ નેટ રન રેટને ઓવરટેક કરવું સરળ નથી. તેથી, સેમિફાઇનલનું ભારતનું ગણિત ખૂબ જટિલ બની ગયું છે. હકીકતમાં, હવે આપણે પ્રાર્થના કરવી પડશે કે દક્ષિણ આફ્રિકા બધી મેચ જીતે.

આફ્રિકા મેચ જીતે તો ભારતને ફાયદો

દક્ષિણ આફ્રિકાએ પહેલી મેચમાં ભારતને 76 રનથી હરાવ્યું હતું. તો હવે જો આપણે ભારતના દૃષ્ટિકોણથી વિચારીએ તો, દક્ષિણ આફ્રિકાએ બાકીની બે મેચ જીતવી પડશે. એમ કહેવું પડશે કે દક્ષિણ આફ્રિકાએ વેસ્ટ ઈન્ડિઝ અને ઝિમ્બાબ્વેને હરાવવા પડશે. જો તેઓ વેસ્ટ ઈન્ડિઝને હરાવશે તો જ ભારતને સેમિફાઇનલમાં પહોંચવાની તક મળશે. નહીં તો, ભારત માટે મુશ્કેલ બનશે. કારણ કે જો તેઓ વેસ્ટ ઈન્ડિઝને હરાવશે, તો નેટ રન રેટનું કોઈ ટેન્શન રહેશે નહીં. અને જો નાં હરાવે તો, ભારતે સુપર 8 રાઉન્ડમાં બંને મેચ ખૂબ મોટા માર્જિનથી જીતવી પડશે. કારણ કે બંને ટીમોનો નેટ રન રેટ ભારત કરતા ઘણો સારો છે. આ રન રેટ તોડવો સરળ કાર્ય નથી.

ભારતીય ટીમે શું કરવું પડશે?

ભારતીય ટીમે હવે બાકીની બંને મેચ જીતવી પડશે. ભારતની આગામી મેચ ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝ સામે છે. પહેલી મેચ ઝિમ્બાબ્વે સામે હશે. ઝિમ્બાબ્વેને મોટા માર્જિનથી હરાવવું પડશે. પછી નેટ રન રેટમાં થોડો સુધારો થશે. તે પછી, દક્ષિણ આફ્રિકા વેસ્ટ ઇન્ડીઝને હરાવે. પછી બધું ગણિત 1 માર્ચે યોજાનારી ભારત વેસ્ટ ઇન્ડીઝ મેચ પર આવશે. કારણ કે જો ઉપરોક્ત ગણિત સેટ થશે, તો આ મેચમાં જીતનાર ટીમને સેમિફાઇનલની ટિકિટ મળશે. એટલે કે, જો ભારત આ મેચ જીતી જશે, તો ભારત અને દક્ષિણ આફ્રિકા સેમિફાઇનલમાં પહોંચશે.

આફ્રિકા હારી જાય તો શું થશે?

ભારતની આશાઓ વેસ્ટ ઇન્ડીઝ અને દક્ષિણ આફ્રિકાની મેચ પર ટકેલી છે. જો દક્ષિણ આફ્રિકા આ ​​મેચ હારી જાય તો ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જાય તેવી શક્યતા વધુ રહેશે. ટીમ ઇન્ડિયાને છેલ્લી આશા ઝિમ્બાબ્વેથી રહેશે. જો ઝિમ્બાબ્વે દક્ષિણ આફ્રિકાને હરાવે છે, તો ભારતને તક મળી શકે છે. આગળ શું થાય છે? તે જોવું રસપ્રદ રહેશે.

T20 WC Breaking : વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી મોટો વિજય, સુપર-8માં ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું

T20 WC Breaking : વેસ્ટ ઈન્ડિઝનો બીજો સૌથી મોટો વિજય, સુપર-8માં ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને કચડી નાખ્યું. વેસ્ટ ઈન્ડિઝે ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું હતું અને T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં રનની દ્રષ્ટિએ તેમનો બીજો સૌથી મોટો વિજય પણ નોંધાવ્યો હતો. સુપર 8 માં ઝિમ્બાબ્વે સામેની આ જોરદાર જીત સાથે, વેસ્ટ ઈન્ડિઝે ભારતનું ટેન્શન વધાર્યું છે.

વેસ્ટ ઇન્ડીઝનો બીજો સૌથી મોટો વિજય

વેસ્ટ ઈન્ડિઝે પોતાની બીજી મોટી જીત સાથે વધુ એક સિદ્ધિ હાંસલ કરી. T20 વર્લ્ડ કપમાં પહેલીવાર તેઓએ સતત પાંચ મેચ જીતી. આમાં ગ્રુપ સ્ટેજમાં ચાર મેચ અને ઝિમ્બાબ્વે સામે સુપર 8 મેચનો સમાવેશ થાય છે. સુપર 8 માં ઝિમ્બાબ્વેને હરાવ્યા બાદ, વેસ્ટ ઈન્ડિઝની ટીમ ગ્રુપ A પોઈન્ટ ટેબલમાં પણ ટોચ પર પહોંચી ગઈ.

ઝિમ્બાબ્વેને 107 રનથી હરાવ્યું

વેસ્ટ ઈન્ડિઝના 255 રનના લક્ષ્યાંકનો સામનો કરી રહેલા ઝિમ્બાબ્વેની શરૂઆત ખરાબ રહી હતી. પાવરપ્લેમાં તેમની ત્રણ વિકેટ 50 રનની અંદર જ પડી ગઈ હતી. સ્કોરબોર્ડ 100 રન સુધી પહોંચે તે પહેલા જ ઝિમ્બાબ્વેની અડધી ટીમ ડગઆઉટમાં પાછી ફરી ગઈ. જ્યારે ટોપ-ઓર્ડર સારું પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યું, ત્યારે નીચલા ક્રમ પાસેથી શું અપેક્ષા રાખી શકાય? ઝિમ્બાબ્વે સંપૂર્ણ 20 ઓવર પણ પૂર્ણ કરી શક્યું નહીં, ફક્ત 17.4 ઓવરમાં 147 રનમાં ઓલાઆઉટ થઈ ગયું.

 

બેટિંગ બાદ બોલિંગમાં મચાવી તબાહી

ઝિમ્બાબ્વે તરફથી નંબર 8 બેટ્સમેન બ્રેડ ઇવાન્સે સૌથી વધુ 43 રન બનાવ્યા. વેસ્ટ ઇન્ડીઝ તરફથી ગુડાકેશ મોતી સૌથી સફળ બોલર રહ્યો, તેણે 4 ઓવરમાં 28 રન આપીને 4 વિકેટ લીધી. અકીલા હુસૈને પણ 3 વિકેટ લીધી.

 

વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ 1 માં ટોપ પર

આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝ ગ્રુપ 1 માં પ્રથમ સ્થાને પહોંચી ગયું છે. જ્યારે ઝિમ્બાબ્વે ચોથા સ્થાને આવી ગયું છે. વેસ્ટ ઈન્ડિઝનો નેટ રન રેટ +5.350, દક્ષિણ આફ્રિકાનો નેટ રન રેટ +3.800, ભારતનો નેટ રન રેટ -3.800 અને ઝિમ્બાબ્વેનો નેટ રન રેટ -5.350 છે.

T20 WC Breaking : રોવમેન પોવેલનો પાવરફૂલ શોટ, 106 મીટરના ગગનચુંબી સિક્સરે મચાવી હલચલ

Stock Market : બીયર બનાવતી આ જાણીતી કંપની રોકાણકારોને કરાવશે મોટી કમાણી, લોન્ચ કરશે 6,400 કરોડનો IPO

વિશ્વપ્રસિદ્ધ બીયર કંપની Carlsberg A/S ટૂંક સમયમાં ભારતીય શેરબજારમાં પ્રવેશ કરી શકે છે. મીડિયા અહેવાલો મુજબ, કંપની અંદાજે $700 મિલિયન એટલે કે લગભગ ₹6,400 કરોડનો IPO લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ પ્રસ્તાવિત IPO માટે કંપનીએ ત્રણ મોટી બેંકોને સલાહકાર તરીકે નિયુક્ત કરી છે, જેમાં કોટક મહિન્દ્રા કેપિટલ કંપની, JPMorgan Chase & Co. અને Citigroup Inc. ના ભારતીય એકમોનો સમાવેશ થાય છે.

આ મામલે જાણકાર સૂત્રોએ જણાવ્યું છે કે ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) મે મહિનાની શરૂઆતમાં ફાઇલ થઈ શકે છે. અહેવાલો અનુસાર, આ ઓફરમાં પેરેન્ટ કંપની દ્વારા સેકન્ડરી શેર વેચાણનો સમાવેશ થવાની શક્યતા છે અને IPO વર્ષના અંત ભાગમાં આવી શકે છે. જોકે, વ્યવહારનું કદ, માળખું અને સમય અંગેની વિગતો હજી અંતિમ નથી અને તેમાં ફેરફાર થઈ શકે છે.

ભારતીય બજાર તરફ વધી રહેલી વૈશ્વિક કંપનીઓ

આ લિસ્ટિંગથી કાર્લ્સબર્ગ તે વધતી જતી બહુરાષ્ટ્રીય કંપનીઓની યાદીમાં જોડાશે, જે ઊંચા સ્થાનિક મૂલ્યાંકનનો લાભ લેવા માટે ભારતીય બજારનો ઉપયોગ કરી રહી છે. છેલ્લા બે વર્ષમાં Hyundai Motor Company, LG Electronics Inc. અને Carraro India Limited જેવી કંપનીઓએ પોતાના ભારતીય એકમોને સૂચિબદ્ધ કર્યા છે.

બ્લૂમબર્ગ દ્વારા સંકલિત ડેટા મુજબ, હ્યુન્ડાઇ મોટર તેના વૈશ્વિક સ્તરે અંદાજિત કમાણીના 11 ગણા પર ટ્રેડ કરી રહી છે, જ્યારે તેનો ભારતીય એકમ લગભગ 32 ગણા મૂલ્યાંકન પર ટ્રેડ થઈ રહ્યો છે. આથી સ્પષ્ટ થાય છે કે ભારતીય શેરબજારમાં રોકાણકારોની ઊંડી અને મજબૂત રસ છે.

અન્ય કંપનીઓ પણ IPOની તૈયારીમાં

એબ્સોલ્યુટ વોડકા અને ચિવાસ રીગલ સ્કોચ વ્હિસ્કીના નિર્માતા Pernod Ricard SA પણ તેના ભારતીય વ્યવસાયને લિસ્ટ કરવાની સંભાવના પર વિચાર કરી રહી છે. ઉપરાંત, Bonfiglioli Transmission Private Limited, Hindustan Coca-Cola Beverages અને Fossil Group Inc. જેવી કંપનીઓ પણ સમાન યોજનાઓ પર કામ કરી રહી હોવાનું જાણવા મળે છે.

બીયર માર્કેટમાં મજબૂત હાજરી

ETના રિપોર્ટ અનુસાર, કાર્લ્સબર્ગ ગ્રુપના બાહ્ય સંચાર વડા કેની લેથે જણાવ્યું હતું કે કંપની શેરધારકોના મૂલ્યમાં વધારો કરવા માટે વિવિધ વિકલ્પો પર વિચાર કરી રહી છે, જેમાં ભારતમાં તેના વ્યવસાયનો IPO પણ એક વિકલ્પ છે. જોકે, હાલ સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી.

કંપનીના પ્રેઝન્ટેશન મુજબ, કાર્લ્સબર્ગ ઇન્ડિયા દેશની બીજી સૌથી મોટી બ્રુઅર કંપની છે અને ભારતીય બીયર માર્કેટમાં આશરે 22 ટકા હિસ્સો ધરાવે છે. ડેટા પ્રદાતા Tracxn અનુસાર, માર્ચ 2025માં પૂર્ણ થતા નાણાકીય વર્ષ દરમિયાન કંપનીએ અંદાજે ₹90 અબજ (લગભગ $1.1 અબજ)ની આવક નોંધાવી હતી.

Post Office માં 1 હજાર રૂપિયા 5 વર્ષ માટે જમા કરો તો રિટર્ન કેટલું મળે

T20 WC Breaking : દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાનો પરાજય, 1200 દિવસના વર્ચસ્વનો અંત, T20 વર્લ્ડ કપમાં પહેલી હાર

T20 WC Breaking : દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાનો પરાજય, 1200 દિવસના વર્ચસ્વનો અંત, T20 વર્લ્ડ કપમાં પહેલી હાર

ટીમ ઈન્ડિયાને T20 વર્લ્ડ કપ 2026 માં કારમી હારનો સામનો કરવો પડ્યો. ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતને ટુર્નામેન્ટના સુપર 8 રાઉન્ડની શરૂઆતની મેચમાં દક્ષિણ આફ્રિકા સામે 76 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. રવિવાર, 22 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં, દક્ષિણ આફ્રિકાએ ડેવિડ મિલરની શાનદાર અડધી સદીની મદદથી 187 રનનો શાનદાર સ્કોર બનાવ્યો. જવાબમાં, ભારતીય બેટિંગ જેન્સન સહિત આફ્રિકાના બોલિંગ આક્રમણ સામે ખરાબ રીતે નિષ્ફળ ગઈ અને આખી ટીમ માત્ર 111 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

2024 T20 વર્લ્ડ કપ ફાઈનલની રિમેચ

આ મેચ, જેને 2024 T20 વર્લ્ડ કપ ફાઇનલના રિમેચ તરીકે જોવામાં આવી રહી હતી, તેમાં ટીમ ઇન્ડિયાનો દબદબો રહેવાની અપેક્ષા હતી. ટોસ હારીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધા પછી, થોડીવાર માટે એવું જ લાગ્યું. દક્ષિણ આફ્રિકાના ટોચના ત્રણ બેટ્સમેન ચોથી ઓવરમાં માત્ર 20 રનમાં આઉટ થઈ ગયા, જેમાં જસપ્રીત બુમરાહે બે વિકેટ લીધી. જોકે, ડેવિડ મિલર અને ડેવાલ્ડ બ્રેવિસે ત્યારબાદ એક ભાગીદારી બનાવી જેણે ટીમ ઇન્ડિયાને પાછળ છોડી દીધી. સાથે મળીને, તેઓએ ચોથી વિકેટ માટે 97 રન ઉમેર્યા.

હાર્દિક પંડ્યાની છેલ્લી ઓવરમાં 20 રન

મિલરે માત્ર 26 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે આવી પરિસ્થિતિઓમાં બેસ્ટ સાબિત થઈ. જોકે, 13 મી ઓવરમાં બ્રેવિસના આઉટ થયા પછી, ટીમ ઈન્ડિયાએ વાપસી કરી, સમયાંતરે વિકેટો લઈને દક્ષિણ આફ્રિકાને 200 રન પહેલા રોકી દીધું. જોકે, ટ્રિસ્ટન સ્ટબ્સે શાનદાર ઇનિંગ રમી અને ટીમને 187 રન સુધી પહોંચાડી. તેણે હાર્દિક પંડ્યા સામે છેલ્લી ઓવરમાં આમાંથી 20 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા માટે બુમરાહે ત્રણ વિકેટ અને અર્શદીપ સિંહે બે વિકેટ લીધી.

ઈશાન-તિલક-અભિષેક સુપર ફ્લોપ

ત્યારબાદ ટીમ ઈન્ડિયા બેટિંગમાં આવી, અને બધાની નજર અભિષેક શર્મા પર હતી, જે અગાઉની ત્રણ મેચમાં ખાતું ખોલવામાં નિષ્ફળ રહ્યો હતો. અભિષેકે આ વખતે ખાતું ખોલ્યું, પરંતુ ટીમ ઈન્ડિયા પહેલાથી જ મુશ્કેલીમાં હતી. આ વખતે, ઈશાન કિશન પહેલી ઓવરમાં શૂન્ય રને આઉટ થયો, જ્યારે તિલક વર્મા બીજી ઓવરના પહેલા બોલ પર આઉટ થયો. અભિષેકે ચોગ્ગો મારીને ખાતું ખોલ્યું અને પછી બે વધુ બાઉન્ડ્રી ફટકારી, પરંતુ મોટા શોટ પ્રત્યે તેની અધીરાઈ સ્પષ્ટ દેખાઈ આવી, અને તે પણ ચોથી ઓવરમાં આઉટ થયો. માર્કો જેન્સેને તિલક અને અભિષેકને આઉટ કર્યા હતા.

ભારત 111 રનમાં ઓલઆઉટ

કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને વોશિંગ્ટન સુંદર ઝડપથી સ્કોર કરી શક્યા નહીં કે મોટી ભાગીદારી બનાવી શક્યા નહીં. 10 મી ઓવરમાં માત્ર 51 રનમાં પાંચ વિકેટ પડી ગઈ. બંનેને સતત ઓવરમાં કોર્બિન બોશે આઉટ કર્યા. આ પછી, જવાબદારી હાર્દિક પંડ્યા અને શિવમ દુબે પર આવી, જે થોડીવાર ટકી રહ્યો. જોકે, 15 મી ઓવરમાં સ્પિનર ​​કેશવ મહારાજે હાર્દિક, રિંકુ સિંહ અને અર્શદીપ સિંહની વિકેટ લીધી અને મેચનો અંત લાવ્યો. ત્યારબાદ શિવમે થોડી બાઉન્ડ્રી ફટકારીને ટીમને 100 રનથી વધુનો સ્કોર પાર કરાવ્યો, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. 19 મી ઓવરમાં યાનસને દુબે સહિત છેલ્લી બે વિકેટ લીધી અને ઈનિંગનો અંત માત્ર 111 રન પર પૂરો થયો .

1200 દિવસ પછી T20 વર્લ્ડ કપમાં હાર

આ સાથે, ટીમ ઈન્ડિયાને 1200 દિવસ પછી T20 વર્લ્ડ કપમાં હારનો સામનો કરવો પડ્યો. આ ટુર્નામેન્ટમાં ભારતનો અગાઉનો પરાજય 10 નવેમ્બરે વર્લ્ડ કપ 2022 સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડ સામે થયો હતો. આ પછી, ભારતે સતત 12 મેચ જીતી હતી, જ્યારે એક અનિર્ણિત રહી હતી. એટલું જ નહીં, 826 દિવસ પછી ICC ટુર્નામેન્ટમાં ભારતનો આ પહેલો પરાજય છે. 19 નવેમ્બર, 2023 ના રોજ આ જ મેદાન પર રમાયેલા વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ, ભારતે T20 વર્લ્ડ કપ 2024 અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં બધી મેચ જીતી હતી, બધી મેચ જીતી હતી. આ વર્લ્ડ કપમાં પણ, તેઓએ સતત ચાર મેચ જીતી હતી.

T20 WC Breaking : જસપ્રીત બુમરાહની બે ઓવરમાં બે વિકેટ, દક્ષિણ આફ્રિકાની ટોપ ઓર્ડરને કર્યું ધ્વસ્ત

ગર્લફ્રેન્ડ પાછળ લાખોનો ખર્ચ કરનાર હાર્દિકે એક્સ-વાઈફને અને પુત્રને આપી કરોડોની ભેટ, ફેન્સ બોલ્યા- ‘દિલ જીતી લીધું’

ભારતીય સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક ભલે અંગત જીવનમાં અલગ થઈ ગયા હોય, પરંતુ તેમના પુત્ર અગસ્ત્યની ખુશીઓ માટે તેઓ આજે પણ એકસાથે ઉભા છે. તાજેતરમાં મુંબઈમાં આ સંબંધની એક ખૂબ જ સુંદર ઝલક જોવા મળી હતી. હાર્દિક પંડ્યાએ નતાશા અને અગસ્ત્યને એક અત્યંત લક્ઝરી લેન્ડ રોવર ડિફેન્ડર (Land Rover Defender) કાર ગિફ્ટ કરી છે.

ગિફ્ટ હેમ્પર લેતી જોવા મળી નતાશા

શોરૂમ દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં નાનો અગસ્ત્ય તેની નવી કાળા રંગની ‘મોટી ગાડી’ જોઈને ઘણો ઉત્સાહિત જણાતો હતો. તે ક્યારેક કારની અંદર જોતો તો ક્યારેક તેને સ્પર્શ કરીને ખુશી વ્યક્ત કરતો હતો. બીજી તરફ, નતાશા ડીલરશીપ સ્ટાફ પાસેથી ગિફ્ટ હેમ્પર લેતી વખતે હસતી જોવા મળી હતી. શોરૂમે પોતાની પોસ્ટમાં લખ્યું કે હાર્દિકે ફરી એકવાર ‘ભરોસો અને મજબૂતી’ પસંદ કરી છે. આ પળ દર્શાવે છે કે ભલે પતિ-પત્ની તરીકે રસ્તા અલગ થયા હોય, પણ માતા-પિતા તરીકે તેઓ એકબીજાનું સન્માન કરે છે.

SUV ની કિંમત અને પાવર

લેન્ડ રોવર ડિફેન્ડર માત્ર કાર નથી પણ સ્ટેટસ સિમ્બોલ છે. આ ‘બાહુબલી’ ગાડીના સૌથી પાવરફુલ મોડલમાં BMW નું એન્જિન લાગેલું છે જે 635bhp નો પાવર જનરેટ કરે છે.

  • કિંમત: આ લક્ઝરી SUV ની એક્સ-શોરૂમ કિંમત 1.26 કરોડથી શરૂ થઈને 2.59 કરોડ રૂપિયા સુધી જાય છે.
  • રફ્તાર: આ વિશાળ ગાડી માત્ર 3.8 સેકન્ડમાં 0 થી 100 કિમીની ઝડપ પકડી લે છે.

ચાલતા-ફરતા મહેલ જેવા ફીચર્સ

આ ગાડી અંદરથી કોઈ મહેલથી ઓછી નથી. તેમાં મોટી ટચસ્ક્રીન, પ્રીમિયમ સાઉન્ડ સિસ્ટમ અને વેન્ટિલેટેડ સીટ્સ મળે છે. સુરક્ષા માટે તેમાં 6 એરબેગ્સ અને 360-ડિગ્રી કેમેરા આપવામાં આવ્યો છે. હાર્દિકે આ કાર ગિફ્ટ કરીને સ્પષ્ટ કરી દીધું છે કે તેના પુત્રની સુરક્ષા અને આરામ તેના માટે સૌથી ઉપર છે.

ગાર્ડનિંગનો શોખ છે પણ માટીની જગ્યા નથી? આ 6 છોડ માત્ર એક ગ્લાસ પાણીમાં ઉગાડો, ફૂલો પણ ખીલશે!, વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહી, ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો, જુઓ Video

અંબાલાલ પટેલની તાજેતરની આગાહી મુજબ, ગુજરાતમાં બદલાતી ઋતુના કારણે માનવ સ્વાસ્થ્ય અને કૃષિ પાકો પર ગંભીર અસરો જોવા મળી શકે છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેનો પ્રભાવ અંદાજે 14 એપ્રિલ સુધી રહેશે. આ વિષમ હવામાન માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે લોકોએ પોતાની તબિયતનું વિશેષ ધ્યાન રાખવું પડશે.

Ambalal Patel Forecasts Health Risks and Crop Damage Amidst Double Season in Gujarat

આ ઉપરાંત, ઊભા કૃષિ પાકો પર પણ આ બેવડી ઋતુની વિપરીત અસર થશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, કૃષિ પાકોમાં રોગ આવવાની સંભાવના છે. પશ્ચિમી વિક્ષેપના કારણે બંગાળ ઉપસાગર સક્રિય થવાથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે.

ખાસ કરીને, 24 અને 25 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હવામાન પલટા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 27 ફેબ્રુઆરીના રોજ પણ માવઠું થઈ શકે છે. વધુમાં, 4 થી 8 માર્ચ દરમિયાન વધુ એક વિક્ષેપ આવવાની સંભાવના છે. ખેડૂતો માટે 15 માર્ચનું વાતાવરણ યોગ્ય નહીં રહે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. આ આગાહીઓને ધ્યાનમાં રાખીને નાગરિકો અને ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.

બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો બેવડા સંકટમાં, જાણવા માટે અહીં ક્લિક કરો..

શું તમે પાયલટ બનવા માંગો છો? સાયન્સ ન હોવાનો અફસોસ છોડો! જાણો સંપૂર્ણ પ્રોસેસ

સામાન્ય રીતે એવી માન્યતા છે કે પાયલટ બનવા માટે 12માં ધોરણમાં ફિઝિક્સ અને મેથ્સ હોવું અનિવાર્ય છે. આ કારણે આર્ટ્સ અને કોમર્સના ઘણા તેજસ્વી વિદ્યાર્થીઓ પોતાનું સપનું પડતું મૂકે છે. પરંતુ આધુનિક શિક્ષણ પદ્ધતિ અને એવિએશન સેક્ટરની વધતી જતી માંગને કારણે હવે આ ધારણા બદલાઈ ગઈ છે.

DGCA ના નિયમો અને ‘નોન-સાયન્સ’ વિદ્યાર્થીઓ માટે રસ્તો

ભારતમાં કોમર્શિયલ પાયલટ બનવા માટે DGCA (Directorate General of Civil Aviation) ના નિયમો મુજબ 12માં સ્તરનું ફિઝિક્સ અને મેથ્સનું જ્ઞાન હોવું જરૂરી છે. પરંતુ, જો તમે આ વિષયો સાથે 12મું પાસ નથી કર્યું, તો પણ સરકાર અને એરલાઈન્સે તમારા માટે ખાસ વ્યવસ્થા કરી છે.

NIOS નો ‘ઓન-ડિમાન્ડ’ પરીક્ષા મોડલ

જો તમે આર્ટ્સ કે કોમર્સથી 12મું કર્યું હોય, તો તમે NIOS (National Institute of Open Schooling) દ્વારા માત્ર ફિઝિક્સ અને મેથ્સની પરીક્ષા આપી શકો છો.

  • તમે આ બે વિષયો માટે રજીસ્ટ્રેશન કરાવીને પરીક્ષા આપી શકો છો.
  • આ પરીક્ષા પાસ કર્યા પછી તમને ‘ઇક્વિવેલન્સી સર્ટિફિકેટ’ મળે છે, જેને DGCA સંપૂર્ણ માન્યતા આપે છે.
  • આ માર્કશીટના આધારે તમે પાયલટ ટ્રેનિંગ માટે લાયક (Eligible) ગણાશો.

કેડેટ પાયલટ પ્રોગ્રામ (Cadet Pilot Programs)

ઇન્ડિગો, એર ઇન્ડિયા અને સ્પાઈસ જેટ જેવી મોટી એરલાઈન્સ હવે પોતાના કેડેટ પ્રોગ્રામ્સ ચલાવે છે.

  • પસંદગી: લેખિત પરીક્ષા, એપ્ટિટ્યુડ ટેસ્ટ અને ઇન્ટરવ્યુ દ્વારા પસંદગી થાય છે.
  • ટ્રેનિંગ: એરલાઈન પોતે જ વર્લ્ડ ક્લાસ ફ્લાઈંગ સ્કૂલમાં ટ્રેનિંગ અપાવે છે.
  • નોકરીની ગેરંટી: ટ્રેનિંગ પૂર્ણ થયા પછી તે જ એરલાઈનમાં ‘ફર્સ્ટ ઓફિસર’ તરીકે નોકરી મળવાની પૂરેપૂરી સંભાવના હોય છે.

ગ્રાઉન્ડ સબ્જેક્ટ્સ અને ફ્લાઈંગ ક્લબ

એકવાર તમારી પાસે જરૂરી વિષયો આવી જાય પછી તમારે કોઈ ફ્લાઈંગ ક્લબમાં એડમિશન લેવાનું રહે છે. સાથે જ, DGCA દ્વારા લેવામાં આવતી ગ્રાઉન્ડ સબ્જેક્ટ્સની પરીક્ષાઓ (જેમ કે એર નેવિગેશન, મેટિયોરોલોજી) પાસ કરવાની હોય છે. આ વિષયો લોજિક અને ગણતરી પર આધારિત છે, જે આર્ટ્સના વિદ્યાર્થીઓ પણ યોગ્ય કોચિંગથી સરળતાથી સમજી શકે છે.

મેડિકલ ટેસ્ટ છે સૌથી મહત્વનો

ડિગ્રીની સાથે શારીરિક ફિટનેસ પણ અનિવાર્ય છે. પાયલટ બનવા માટે DGCA માન્ય ડોકટરો પાસે ક્લાસ-2 અને ત્યારબાદ ક્લાસ-1 મેડિકલ ટેસ્ટ કરાવવો પડે છે. જેમાં આંખોની દ્રષ્ટિ, સાંભળવાની ક્ષમતા અને સામાન્ય સ્વાસ્થ્યની ઝીણવટભરી તપાસ કરવામાં આવે છે.

ગાર્ડનિંગનો શોખ છે પણ માટીની જગ્યા નથી? આ 6 છોડ માત્ર એક ગ્લાસ પાણીમાં ઉગાડો, ફૂલો પણ ખીલશે!, વાંચવા માટે અહીં ક્લિક કરો

T20 WC Breaking : સુપર 8 માં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે હાઈ-વોલ્ટેજ મેચ, પિચ અને હવામાનની ભૂમિકા મહત્વપૂર્ણ

T20 વર્લ્ડ કપ 2026ના સુપર 8 રાઉન્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની હાઈ-વોલ્ટેજ મેચ 22 ફેબ્રુઆરીએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. સેમિફાઇનલની રેસ માટે આ મુકાબલો નિર્ણાયક માનવામાં આવી રહ્યો છે. બંને ટીમો અજેય અભિયાન સાથે આવી રહી હોવાથી પિચ અને હવામાનની ભૂમિકા મહત્વપૂર્ણ બનશે.

ભારત vs દક્ષિણ આફ્રિકા

સુપર 8 રાઉન્ડમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેનો મુકાબલો ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવી રહ્યો છે. ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યા પછી બંને ટીમો આત્મવિશ્વાસથી ભરપૂર છે. ચારેય મેચ જીત્યા બાદ સુપર 8 માં પ્રવેશ કરનાર આ બંને દાવેદારો હવે સેમિફાઇનલની નજીક પહોંચવા માટે એકબીજાને ટક્કર આપશે.

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મુકાબલો

મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. ભારતે ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ પણ આ જ મેદાન પર રમી હતી, જેના કારણે ટીમને પિચની પ્રકૃતિનો સારો અંદાજ છે. નેધરલેન્ડ્સ સામેની મેચ દરમિયાન ટીમ મેનેજમેન્ટે ટોસ અને ઝાકળને ધ્યાનમાં રાખીને વ્યૂહરચના ગોઠવી હતી.

મોટો સ્કોર બનવાની સંભાવના

અમદાવાદની પિચ સામાન્ય રીતે બેટ્સમેન માટે અનુકૂળ ગણાય છે. બોલ સારી રીતે બેટ પર આવે છે અને આઉટફિલ્ડ ઝડપી હોવાથી બાઉન્ડ્રી મેળવવી સહેલી બને છે. મેદાનનું કદ મોટું હોવા છતાં ગેપ શોધી રન બનાવવાની તક મળે છે. તેથી અહીં મોટો સ્કોર બનવાની સંભાવના નકારી શકાય તેમ નથી.

બોલરો માટે પડકાર

જો કે, બોલરો માટે અહીં પડકાર ઓછો નથી. જો લાઇન અને લેન્થમાં નાની ભૂલ થાય તો બેટ્સમેન તેનો પૂરો લાભ ઉઠાવી શકે છે. ખાસ કરીને પાવરપ્લે અને ડેથ ઓવરમાં ચોકસાઈ જરૂરી રહેશે. સ્પિનરોને પણ મધ્ય ઓવરમાં રન રોકવા માટે સાંભળીને બોલિંગ કરવી પડશે.

ઝાકળ મહત્વપૂર્ણ પરિબળ

ઝાકળ (ડ્યૂ) આ મેચમાં મહત્વપૂર્ણ પરિબળ બની શકે છે. બીજી ઇનિંગ દરમિયાન બોલ ભીનો થવાથી બોલરોને ગ્રીપમાં મુશ્કેલી પડે છે. તેથી ટોસ જીતનાર ટીમ પહેલા બોલિંગ પસંદ કરી શકે છે, જેથી લક્ષ્યનો પીછો કરતી વખતે બેટિંગ સરળ બને.

વરસાદની કોઈ શક્યતા નથી

હવામાનની વાત કરીએ તો અમદાવાદમાં આકાશ સ્વચ્છ રહેવાની આગાહી છે અને વરસાદની કોઈ શક્યતા નથી. સાંજે તાપમાન 24 થી 29 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે રહેશે, જ્યારે ભેજ 40 ટકા આસપાસ રહેવાની સંભાવના છે. આમ, ખેલાડીઓ અને દર્શકો બંને માટે અનુકૂળ વાતાવરણમાં એક રોમાંચક મુકાબલો જોવા મળશે.

Breaking News: શિખર ધવન ફરી બન્યો વરરાજા, સોફી શાઇન સાથે કર્યા લગ્ન, આ સ્ટાર ખેલાડી લગ્નમાં પહોંચ્યો

Breaking News : મુકેશ અંબાણીએ Jio ને લઈ કરી સૌથી મોટી જાહેરાત

T20 WC Breaking : સુપર 8 ની પહેલી મેચ વરસાદને કારણે રદ, પાકિસ્તાનને મોટો ઝટકો

T20 WC Breaking : સુપર 8 ની પહેલી મેચ વરસાદને કારણે રદ, પાકિસ્તાનને મોટો ઝટકો

2026 ના T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડની શરૂઆત ખરાબ રહી, વરસાદને કારણે ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની પહેલી મેચ રદ થઈ. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ ફક્ત ટોસ સુધી પહોંચી. ત્યારબાદ હળવો ઝરમર વરસાદ શરૂ થયો, જે ધીમે ધીમે ભારે વરસાદમાં ફેરવાઈ ગયો. લગભગ બે કલાક રાહ જોયા પછી, અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો. આનાથી ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાનને પોઈન્ટ શેર કરવા પડ્યા. જોકે, આ પાકિસ્તાન માટે વધુ ખરાબ સમાચાર લાવ્યું.

વરસાદને કારણે ટોસ બાદ મેચ રદ

21 ફેબ્રુઆરી, શનિવારની સાંજે કોલંબોમાં વરસાદને કારણે ટોસ શરૂ થવામાં વિલંબ થયો હતો. જોકે, પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા અને ન્યુઝીલેન્ડના કેપ્ટન મિશેલ સેન્ટનર ટોસ માટે મેદાનમાં ઉતર્યા પછી, મેચ શરૂ થવાની આશા જાગી ગઈ. ટોસ થયો અને પાકિસ્તાન જીતી ગયું અને તેણે પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો. બંને ટીમો મેદાનમાં ઉતરવાની તૈયારી કરી રહી હતી, ત્યારે ફરીથી વરસાદ શરૂ થયો, જેનાથી મેદાન ઢંકાઈ ગયું. પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહીં, અને રાત્રે 9 વાગ્યા પછી, અમ્પાયરોએ મેચ રદ કરવાનો નિર્ણય લીધો.

બંને ટીમોને 1-1 પોઈન્ટ

આ મેચ રદ થવાથી બંને ટીમોને નુકસાન થયું છે, કારણ કે તેમને 1-1 પોઈન્ટથી સંતોષ માનવો પડશે. જો મેચ થઈ હોત, તો એક ટીમને 2 પોઈન્ટ મળ્યા હોત. જોકે, એવું થયું નહીં, અને હવે ધ્યાન આ રાઉન્ડમાં આગામી મેચો પર રહેશે. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન સુપર 8 ના ગ્રુપ 2 માં, ઈંગ્લેન્ડ અને યજમાન શ્રીલંકા સાથે છે. અહીં પાકિસ્તાનનો આગામી મુકાબલો 24 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે થશે, જ્યારે ન્યુઝીલેન્ડનો આગામી મુકાબલો 25 ફેબ્રુઆરીએ શ્રીલંકા સામે થશે. ત્યારબાદ ન્યુઝીલેન્ડનો મુકાબલો 27 ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ સામે થશે અને શ્રીલંકાનો મુકાબલો 28 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે થશે.

સેમિફાઇનલમાં પહોંચવાના નિયમો શું છે?

મેચ રદ થવાથી બંને ટીમોને નોંધપાત્ર નુકસાન થયું છે, પરંતુ પાકિસ્તાન માટે આ એક મોટો આંચકો છે અને તેની પાછળનું કારણ T20 વર્લ્ડ કપ 2026 માટે ICC દ્વારા બનાવવામાં આવેલી શરતો એટલે કે ‘પ્લેઇંગ કન્ડીશન’ છે. આ નિયમો અનુસાર, જો બે ટીમો એક ગ્રુપમાં પોઈન્ટ પર સમાન હોય, તો સૌથી વધુ જીત મેળવનાર ટીમ આગળના રાઉન્ડમાં આગળ વધશે. જો તે પણ સમાન હોય, તો વધુ સારા નેટ રન રેટ ધરાવતી ટીમ આગળ વધશે. જો પરિણામ ન આવે, તો બંને ટીમો વચ્ચેની મેચનું પરિણામ નક્કી કરવામાં આવશે. જો તે પણ શક્ય ના હોય તો 6 ફેબ્રુઆરી, 2026 ના રોજ ICC રેન્કિંગમાં ઉપરના ક્રમે રહેલી ટીમ સેમિફાઈનલમાં પહોંચશે.

ન્યુઝીલેન્ડ-પાકિસ્તાન – કોને ફાયદો?

હવે, જો આપણે આ ગ્રુપ વિશે વાત કરીએ, તો બાકીની મેચોના પરિણામો પર ઘણું નિર્ભર રહેશે. જો ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન તેમની બાકીની બંને મેચ જીતી જાય, તો તેઓ 5-5 પોઈન્ટ સાથે આગળના રાઉન્ડમાં જશે. જો આ ગ્રુપની બધી મેચ વરસાદને કારણે ધોવાઈ જાય, તો બધી ટીમોના 3-3 પોઈન્ટ સમાન હશે. આવી સ્થિતિમાં, નિર્ણય રેન્કિંગના આધારે થશે, અને પાકિસ્તાન અહીં હારશે. હકીકતમાં, 6 ફેબ્રુઆરીના રેન્કિંગ અનુસાર, ઈંગ્લેન્ડ ત્રીજા સ્થાને, ન્યુઝીલેન્ડ ચોથા સ્થાને હતું. પાકિસ્તાન છઠ્ઠા સ્થાને હતું અને શ્રીલંકા આઠમા સ્થાને હતું. આવી સ્થિતિમાં, પાકિસ્તાન અને યજમાન શ્રીલંકા બહાર થઈ જશે, જ્યારે ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ સેમિફાઈનલમાં પહોંચશે.

Breaking : સુપર સન્ડે… ભારતનો મુકાબલો ફક્ત દક્ષિણ આફ્રિકા જ નહીં પણ બાંગ્લાદેશ સાથે પણ થશે

શું ટેરિફ હટ્યા બાદ ભારતીય નિકાસકારોને અમેરિકા પાસેથી રિફંડ મળશે? રૂ. 15420000000000 નો છે સવાલ

અમેરિકી સુપ્રીમ કોર્ટે ટ્રમ્પ પ્રશાસન તરફથી લગાવવામાં આવેલા ટેરિફને રદ કરી દીધો છે. આ નિર્ણય બાદ અમેરિકી કંપનીઓ ગયા વર્ષે ટ્રમ્પના ટેરિફ લગાવવા પર જે અબજો ડૉલરનું ચુકવ્યા હતા. તેનુ શું થશે? આના પર ટ્રમ્પ પ્રશાસન તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ નથી આવ્યો. આ સ્થિતિ ત્યારે છે જ્યારે પ્રશાસને ઔપચારિક અને અનૌપચારિક બંને પ્રકારે વસુલવામાં આવેલા ટેક્સને પરત કરવાનું વચન આપ્યુ હતુ. જો કે, વહીવટીતંત્ર કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોએ આ રિફંડ પ્રક્રિયા કેવી રીતે કાર્ય કરશે તે સમજાવ્યું નથી. આનો અર્થ એ થયો કે ભારતીય નિકાસકારોને થયેલા નુકસાન માટે વળતર આપવાની કોઈ વ્યવસ્થા નથી.

30 લાખથી વધુ વ્યવસાયોએ 170 અબજ ડોલર (આશરે રૂ.15 લાખ 42 હજાર કરોડ) ટેરિફ રદ કરવાની માંગ કરી છે. ન્યાયાધીશ બ્રેટ કેવનોઘે સુનાવણી દરમિયાન લખ્યું હતું કે અબજો ડોલરની ચુકવણીની યુએસ ટ્રેઝરી પર નોંધપાત્ર અસર પડશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “આયાતકારો પાસેથી એકત્રિત કરેલા અબજો ડોલરની ચુકવણી સરકાર કેવી રીતે કરશે તે અંગે કોર્ટ આજે કંઈ કહી રહી નથી. પરંતુ મૌખિક દલીલો દરમિયાન સ્વીકાર્યા મુજબ પ્રક્રિયા ‘ગડબડ’ હોવાની શક્યતા છે.”

કોર્ટના આદેશનો અર્થ શું છે?

કોર્ટના આદેશનો સીધો અર્થ એ છે કે સરકાર પાસે ટેરિફ ચુકવણીના વિગતવાર રેકોર્ડ હોવા છતાં, વ્યક્તિગત આયાતકારોએ ચુકવણી મેળવવા માટે પોતાના મુકદ્દમા દાખલ કરવા પડશે.

ટ્રેડ વકીલ ટેડ પોસ્નરે જણાવ્યું હતું કે આ કેસ ક્યારેય ચુકવણી વિશે નહોતો. “એ પણ અકલ્પનીય હતું કે સુપ્રીમ કોર્ટ ચુકવણી પ્રક્રિયાની બારીક વિગતોમાં ઊંડાણપૂર્વક તપાસ કરશે,” તેમણે કહ્યું. અગાઉ, ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે રોઇટર્સને જણાવ્યું હતું કે એજન્સી પાસે આયાતકારોને ચૂકવણી કરવા માટે પૂરતી રોકડ છે, પરંતુ ચેતવણી આપી હતી કે પ્રક્રિયામાં એક વર્ષ જેટલો સમય લાગી શકે છે.

કંપનીઓએ શું કરવું પડશે?

સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે ટેરિફ ખોટા હતા, પરંતુ તેઓ તેમના પૈસા કેવી રીતે પાછા મેળવશે તે સમજાવ્યું ન હતું. જસ્ટિસ કેવનોએ કહ્યું હતું કે અબજો ડોલરના વળતરથી સરકારના ખજાના પર અસર પડશે. તેમણે એ પણ સ્વીકાર્યું હતું કે રિફંડની પ્રક્રિયા ‘ગડબડ’ હોઈ શકે છે. આનો અર્થ એ છે કે કંપનીઓએ વળતર મેળવવા માટે કોર્ટમાં જવું પડી શકે છે. આ એક લાંબી અને મુશ્કેલ પ્રક્રિયા હોઈ શકે છે. એક ટ્રેડ વકીલે કહ્યું હતું કે આ કેસ બિલકુલ રિફંડ માટેનો નથી, અને સુપ્રીમ કોર્ટ આ ઝંઝટમાં પડવા માગતી પણ નથી.

પહેલા પણ પરત કરવા પડ્યા હતા રૂપિયા

સુપ્રીમ કોર્ટના નિર્ણય પછી યુએસ સરકારે ટેરિફ રિફંડ કરવાની આ પહેલી ઘટના નથી. 1998ના ચુકાદાના પરિણામે યુએસ કંપનીઓને $730 મિલિયન રિફંડ મળ્યું, જોકે આ પ્રક્રિયામાં બે વર્ષ લાગ્યા.

શું ભારતીય નિકાસકારોને રિફંડ મળશે?

ટેરિફ હટાવ્યા પછી, હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ભારતીય નિકાસકારોને રિફંડ મળશે. ઘણા નિષ્ણાતો માને છે કે સીધા રિફંડ મેળવવાની શક્યતા ખૂબ ઓછી છે. આનું કારણ એ છે કે ટેરિફ અમેરિકન સરકારને ભારતીય નિકાસકારો દ્વારા નહીં, પરંતુ અમેરિકન આયાતકારો દ્વારા ચૂકવવામાં આવ્યા હતા.

વાસ્તવમાં, જ્યારે કોઈ અમેરિકન કંપની ભારતમાંથી માલ આયાત કરે છે, ત્યારે તે યુએસ કસ્ટમ્સને ટેરિફ ચૂકવે છે. આ વધારાનો ખર્ચ પાછળથી અમેરિકન ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો રિફંડ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તો પણ, લાભ અમેરિકન આયાતકારોને મળશે, ભારતીય નિકાસકારોને નહીં. હવે, ભલે યુએસ કોર્ટે ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા હોય, પરંતુ તે સમયગાળા દરમિયાન ભારતીય નિકાસકારોને થયેલા નુકસાન માટે વળતર આપવા માટે યુએસમાં કોઈ સ્પષ્ટ કાનૂની જોગવાઈ નથી.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ટેરિફ રદ થવાથી વૈશ્વિક વેપાર જગતમાં કાયદાકીય અને નીતિગત ચર્ચા ફરી તેજ બની છે. ટેરિફ સંબંધિત વિવાદોમાં મુખ્ય મુદ્દો માત્ર રિફંડનો નથી, પરંતુ ભવિષ્યમાં અમેરિકી ટ્રેડ પોલિસી કેટલી સ્થિર રહેશે તે પણ છે. જો સતત અદાલતી પડકારો ઉભા થાય, તો આંતરરાષ્ટ્રીય વેપાર ભાગીદારો માટે અમેરિકા સાથે લાંબા ગાળાની કિંમતી અને સપ્લાય કરાર કરવાની જોખમી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે.

વિશેષજ્ઞો સૂચવે છે કે ટેરિફ રદ થયા બાદ અમેરિકન કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન વિભાગ પાસે દરેક આયાતની એન્ટ્રીનો ડેટા ઉપલબ્ધ હોય છે, પરંતુ રિફંડ માટે કંપનીઓએ ચોક્કસ સમયમર્યાદામાં પ્રશાસકીય દાવા નોંધાવવા પડે છે. જો સમયસર દાવો ન કરવામાં આવે તો કાનૂની હક્ક ગુમાવવાનો ભય રહે છે. આ પ્રક્રિયામાં રિફન્ડ મળશે કે નહીં તે પણ અલગ કાનૂની વ્યાખ્યાઓ પર આધારિત રહેશે.

ભારત-અમેરિકા વેપાર સંબંધોની દૃષ્ટિએ, આ ઘટનાથી દ્વિપક્ષીય વાટાઘાટો પર અસર પડી શકે છે. જો ટેરિફ નીતિઓ અસ્થિર ગણાશે, તો ભારત વૈકલ્પિક બજારો, યુરોપિયન યુનિયન અથવા દક્ષિણ-પૂર્વ એશિયા સાથે વધુ સક્રિય વેપાર કરાર તરફ આગળ વધી શકે છે. આ પરિસ્થિતિ ભારતીય નિકાસકારોને બજાર વૈવિધ્યકરણ (market diversification) તરફ દોરી શકે છે, જે લાંબા ગાળે જોખમ ઘટાડવા માટે સકારાત્મક માનવામાં આવે છે.

સાથે સાથે, ટેરિફના કારણે થયેલા ભાવવધારાના કારણે કેટલાક અમેરિકન ખરીદદારો પહેલેથી જ સપ્લાય ચેઇન બદલવા મજબૂર થયા હતા. હવે ટેરિફ રદ થયા પછી પણ, બધા કરારો તાત્કાલિક પાછા ફરી જશે તેવી ગેરંટી નથી. વેપારમાં વિશ્વાસ અને નીતિની સ્થિરતા ઘણી વાર કાનૂની નિર્ણય કરતાં વધુ મહત્વપૂર્ણ સાબિત થાય છે. તેથી આ ચુકાદો માત્ર નાણાકીય મુદ્દો નહીં, પરંતુ ભવિષ્યની વૈશ્વિક વેપાર દિશા માટે એક મહત્વપૂર્ણ સંકેત તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ ઉપરાંત, જો રિફંડ પ્રક્રિયા લાંબી ચાલશે તો કંપનીઓના કેશ ફ્લો પર દબાણ રહી શકે છે, જે ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે પડકારરૂપ બનશે. નિષ્ણાતો માને છે કે આવનારા મહિનાઓમાં અમેરિકી કોંગ્રેસ અથવા ટ્રેડ એજન્સીઓ તરફથી સ્પષ્ટ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી શકે છે, જેનાથી અનિશ્ચિતતા ઓછી થશે અને વેપાર પરિસ્થિતિ વધુ સ્પષ્ટ બનશે.

સૌથી મોટી AI સમિટમાં ગલગોટિયા યુનિવર્સિટીના ચાઈનિઝ રોબોટે દેશની કરાવી ફજેતી, વિશ્વભરમાં ખરડાઈ ભારતની છબી

T20 WC Breaking : હાર્દિક પંડ્યાના શોટથી સ્ટાર ભારતીય ખેલાડી ઘાયલ, સુપર 8 મેચ પહેલા ટીમ ઈન્ડિયાની વધી ચિંતા

ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકા સામે સુપર 8 રાઉન્ડની મેચ પહેલા પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. T20 વર્લ્ડ કપ 2026 માં ગ્રુપ સ્ટેજ મેચ પૂર્ણ થયા બાદ, ભારતીય ટીમે એક દિવસનો વિરામ લીધો. આ વિરામ બાદ ટીમ ઈન્ડિયાએ શુક્રવારે પહેલીવાર પ્રેક્ટિસ કરી. આ સેશન દરમિયાન બધાની નજર અભિષેક શર્મા પર હતી, પરંતુ ધ્યાન સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ પર ગયું. આ હાર્દિક પંડ્યાના કારણે થયું, જેનો શોટ સિરાજને વાગ્યો અને તે ઘાયલ થયો.

હાર્દિકના શોટથી સિરાજના ઘૂંટણમાં ઈજા

સુપર 8 મેચના બે દિવસ પહેલા, 20 ફેબ્રુઆરીના રોજ, ટીમ ઈન્ડિયાએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સાંજની પ્રેક્ટિસ કરી હતી. જ્યારે ભારતીય બેટ્સમેન નેટમાં પ્રેક્ટિસ કરી રહ્યા હતા, ત્યારે હાર્દિક પંડ્યાએ એક પાવરફુલ શોટ માર્યો. આ શોટ એટલો જોરદાર હતો કે તે સીધો ઝડપી બોલર સિરાજના ઘૂંટણ પર વાગ્યો. સિરાજ પીડાથી કણસવા લાગ્યો અને મેદાન પર બેસી ગયો. આ જોઈને, હાર્દિક સહિત અન્ય ખેલાડીઓ તરત જ તેની પાસે દોડી ગયા.

 

સિરાજની ઈજા ગંભીર નથી

સિરાજને દુખાવામાં જોઈને ટીમ ઈન્ડિયાનો મેડિકલ સ્ટાફ તાત્કાલિક ત્યાં પહોંચ્યો અને તેની તપાસ શરૂ કરી. ફિઝિયોએ સિરાજના ઘૂંટણ પર બરફ લગાવ્યો અને થોડીવાર તેની તપાસ કરી. રાહતની વાત એ હતી કે સિરાજની ઈજા ગંભીર નહોતી, અને તે ઝડપથી ઊઠી શક્યો. આ પહેલી ઘટના નથી કે ટીમ ઈન્ડિયાના કોઈ ખેલાડીને પ્રેક્ટિસ દરમિયાન સાથી ખેલાડી દ્વારા ઈજા થઈ હોય. થોડા દિવસો પહેલા જ, જસપ્રીત બુમરાહના ઝડપી બોલથી ઈશાન કિશનને પગમાં ઈજા થઈ હતી. જોકે, થોડી રાહત એ પણ હતી કે ઈજા ગંભીર નહોતી.

સિરાજે કરી પ્રેક્ટિસ

જ્યાં સુધી સિરાજની ઈજાનો સવાલ છે તો સિરાજ થોડા સમય બાદ ફરી પ્રેક્ટિસમાં જોડાયો હતો, પરંતુ તે પ્રેક્ટિસમાં અસ્વસ્થતા દેખાતો હતો. જોકે, સિરાજની ઈજા ટીમ ઈન્ડિયા માટે મોટી ચિંતાનો વિષય રહેશે નહીં, કારણ કે તે પહેલી પસંદગીની પ્લેઈંગ ઈલેવનમાં નથી. દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયા બે ઝડપી બોલરો જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહને મેદાનમાં ઉતારશે. અર્શદીપ સિંહની જગ્યાએ કોઈ સ્પિનરને તક મળી શકે છે.

કોઈએ ધર્મ પરિવર્તન કર્યું, તો કોઈએ અટકમાં ફેરફાર કર્યો… આ 5 ક્રિકેટરોએ બદલ્યા પોતાના નામ

T20 WC Breaking : દક્ષિણ આફ્રિકા એકમાત્ર એવી ટીમ જેની સાથે નથી થઈ આ ધટના, ભારત 8 વખત બન્યું ભોગ

શું હવે આખી દુનિયામાંથી હટાવવામાં આવશે ટ્રમ્પના ટેરિફ? અમેરિકાની કોર્ટે તેમને ગેરકાયદેસર જાહેર કર્યા, જાણો રાષ્ટ્રપતિ પાસે હવે કયા વિકલ્પો છે?

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ને વૈશ્વિક વેપાર મુદ્દે મોટો કાનૂની ઝટકો લાગ્યો છે.  યુનાઇટેડ સ્ટેટ્સ સુપ્રીમ કોર્ટએ ટ્રમ્પ દ્વારા રાષ્ટ્રીય કટોકટીનો હવાલો આપી લાદવામાં આવેલા મુખ્ય વૈશ્વિક ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યા છે. કોર્ટના 6-3ના ચુકાદાએ સ્પષ્ટ કર્યું છે કે રાષ્ટ્રપતિ પાસે કોંગ્રેસની મંજૂરી વિના વ્યાપક આયાત શુલ્ક લાદવાની સત્તા નથી. આ નિર્ણય પછી સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થયો છે કે શું ટ્રમ્પના ટેરિફ હવે વિશ્વભરમાં હટાવવામાં આવશે.

મુખ્ય ન્યાયાધીશ જોન રોબર્ટ્સ દ્વારા લખાયેલા ચુકાદામાં કોર્ટએ જણાવ્યું હતું કે બંધારણ મુજબ કર અને આયાત ડ્યુટી લાદવાની સત્તા કોંગ્રેસ પાસે છે. કોર્ટએ સ્વીકાર્યું કે 1977નો ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) રાષ્ટ્રપતિને આર્થિક વ્યવહારોને નિયંત્રિત કરવાની સત્તા આપે છે, પરંતુ તે ટેરિફ લાદવાની સ્પષ્ટ મંજૂરી આપતો નથી. કોર્ટનું કહેવું છે કે રાષ્ટ્રપતિ કોઈ પણ સમયમર્યાદા કે વ્યાપ વિના ટેરિફ લાદી શકે એવી અપરિમિત સત્તાનો દાવો કરી શકતા નથી.

“પારસ્પરિક ટેરિફ” અને ફેન્ટાનાઇલ કટોકટી સાથે જોડાયેલા વધારાના ટેરિફનો સમાવેશ

TIMEના અહેવાલ અનુસાર, આ ચુકાદા કારણે ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ગયા વર્ષે લગભગ તમામ આયાત પર લાદવામાં આવેલા કટોકટીના ટેરિફ અમાન્ય થઈ શકે છે. તેમાં ઘણા દેશો પર લાદવામાં આવેલા “પારસ્પરિક ટેરિફ” અને ફેન્ટાનાઇલ કટોકટી સાથે જોડાયેલા વધારાના ટેરિફનો સમાવેશ થાય છે. જો કે, કોર્ટએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે અન્ય કાયદાઓ હેઠળ લાદવામાં આવેલા ટેરિફ પર આ નિર્ણયની અસર પડશે નહીં.

ઉદાહરણ તરીકે, 1962ના ટ્રેડ એક્સપાન્શન એક્ટની કલમ 232 હેઠળ રાષ્ટ્રીય સુરક્ષાના આધાર પર લાદવામાં આવેલા સ્ટીલ, એલ્યુમિનિયમ અને ઓટોમોબાઇલ પરના ટેરિફ હાલ યથાવત રહેશે. એટલે કે, ટ્રમ્પના તમામ ટેરિફ સંપૂર્ણપણે સમાપ્ત થશે એવું નથી, પરંતુ તેમની ટેરિફ નીતિના સૌથી આક્રમક અને વ્યાપક ભાગને આ ચુકાદાથી મોટો ફટકો પડશે.

આર્થિક રીતે જોવામાં આવે તો, આ કટોકટીના ટેરિફથી અત્યાર સુધી અંદાજે 89 અબજ ડોલરની આવક થઈ હતી. હવે આ ચુકાદા બાદ સરકાર આ માળખા હેઠળ વધુ આવક મેળવી શકશે નહીં. સાથે સાથે, જે કંપનીઓએ પહેલાથી જ આ ટેરિફ ચૂકવ્યા છે તેમની તરફથી રિફંડની માંગ વધવાની સંભાવના છે.

કોર્ટનો તર્ક “મુખ્ય પ્રશ્નો સિદ્ધાંત” સાથે સુસંગત

આ કેસ માત્ર ટેરિફ સુધી મર્યાદિત નથી, પરંતુ રાષ્ટ્રપતિની કટોકટીની સત્તાઓ પર પણ સ્પષ્ટ મર્યાદા નક્કી કરે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વેપાર ખાધ અને ફેન્ટાનાઇલના પ્રવાહને રાષ્ટ્રીય કટોકટી ગણાવી ટેરિફ લાદ્યા હતા, પરંતુ કોર્ટએ આ દલીલોને અપૂરતી ગણાવી છે. કોર્ટનો તર્ક “મુખ્ય પ્રશ્નો સિદ્ધાંત” સાથે સુસંગત છે, જેમાં મોટા આર્થિક અને રાજકીય નિર્ણયો માટે સ્પષ્ટ સંસદીય મંજૂરી જરૂરી ગણવામાં આવે છે.

આ ચુકાદા બાદ ટ્રમ્પ વહીવટીતંત્ર પાસે હવે વિકલ્પો મર્યાદિત રહ્યા છે. અન્ય વેપાર કાયદાઓ હેઠળ કામચલાઉ અને મર્યાદિત ટેરિફ લાદી શકાય છે, પરંતુ તે ટૂંકા ગાળાના હોય છે. કલમ 301 હેઠળ નવી તપાસ શરૂ કરવાનો વિકલ્પ પણ છે, પરંતુ તે લાંબી પ્રક્રિયા છે અને કાનૂની પડકારોને આમંત્રણ આપે છે. કોંગ્રેસ દ્વારા નવો કાયદો પસાર કરવો એક વિકલ્પ છે, પરંતુ વર્તમાન રાજકીય પરિસ્થિતિને ધ્યાનમાં લેતા તે શક્ય લાગતું નથી.

US સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો ઝટકો, જાણવા માટે અહીં ક્લિક કરો..

US સુપ્રીમ કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને આપ્યો ઝટકો, જાણવા માટે અહીં ક્લિક કરો..

T20 WC Breaking : અમદાવાદમાં ભારત-દક્ષિણ આફ્રિકાનો હાઈ-વોલ્ટેજ મુકાબલો, જાણો ક્યારે, ક્યાં અને કેવી રીતે ખરીદવી ટિકિટ

Bangladesh Central Contract: બાંગ્લાદેશના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત, આ ખેલાડીઓને મળશે માત્ર 1.5 લાખ રૂપિયા

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમનો નવો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ જાહેર કરવામાં આવ્યો છે. BCB એ 28 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યા છે, તેમને ચાર ગ્રેડમાં વિભાજીત કર્યા છે. રસપ્રદ વાત એ છે કે, BCB આ વખતે તેના ખેલાડીઓને માસિક પગાર ચૂકવશે.

BCB સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ

BCCI ની જેમ, BCB એ પણ તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A + ગ્રેડ દૂર કર્યો છે. ખેલાડીઓ હવે A, B, C and D ગ્રેડમાં સામેલ છે. ટેસ્ટ ઓપનર મહમુદુલ હસન જોય સહિત ઘણા સ્ટાર ખેલાડીઓ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી ગાયબ છે. સિનિયર ખેલાડી મહદુલ્લા ખાનને પણ નિવૃત્તિના કારણે બાકાત રાખવામાં આવ્યો છે.

કયા ખેલાડીને કયા ગ્રેડમાં સ્થાન મળ્યું?

BCBએ ગ્રેડ A માં ચાર અગ્રણી ખેલાડીઓનો સમાવેશ કર્યો છે. તેમાં નઝમુલ હુસૈન શાંતો, મેહદી હસન મિરાઝ, લિટન દાસ અને તસ્કિન અહેમદનો સમાવેશ થાય છે. આ ખેલાડીઓને દર મહિને 8 લાખ બાંગ્લાદેશી ટાકા એટલે આશરે 6 લાખ રૂપિયા મળશે.

મુસ્તાફિઝુર રહેમાન ગ્રેડ B માં સામેલ

ગ્રેડ B માં મુશ્ફિકુર રહીમ, મોમિનુલ હક, તૈજુલ ઈસ્લામ, મુસ્તાફિઝુર રહેમાન, તૌહિદ હ્રદોય, શાદમાન ઈસ્લામ, તન્ઝીદ હસન તમીમ, રિશાદ હુસૈન, મહેદી હસન, હસન મહમૂદ અને નાહીદ રાણાનો સમાવેશ થાય છે. આ જૂથના ખેલાડીઓ દર મહિને 600,000 ટાકા કમાશે, જે ભારતીય રૂપિયામાં ₹4.5 લાખની બરાબર છે.

ગ્રેડ C માં 2.9 લાખ રૂપિયા મળશે

ગ્રેડ C માં સૌમ્યા સરકાર, ઝાકિર અલી અનિક, શોરીફુલ ઈસ્લામ, તનઝીમ હસન સાકિબ, નસુમ અહેમદ અને સૈયદ ખાલિદ અહેમદનો સમાવેશ થાય છે. તેમનો માસિક પગાર 4 લાખ ટાકા અથવા અંદાજે 2.9 લાખ રૂપિયા હશે.

ગ્રેડ D માં સાત ખેલાડીઓને 1.5 લાખ રૂપિયા

ગ્રેડ D માં સાત ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યા છે. સૈફ હસન, પરવેઝ હુસૈન ઈમોન, તનવીર ઈસ્લામ, નઈમ હસન, હસન મુરાદ, શમીમ હુસૈન અને કાઝી નુરુલ હસન સોહન. આ ખેલાડીઓને 27 ટાકા (અંદાજે 1.5 લાખ રૂપિયા) મળશે.

યાદીમાં યુવા ખેલાડીઓનો સમાવેશ

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તેના મોટાભાગના હાલના ખેલાડીઓને જાળવી રાખ્યા છે અને તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સાત વધુ ક્રિકેટરો ઉમેર્યા છે. આ નવા ખેલાડીઓમાં શમીમ હુસૈન પટવારી, પરવેઝ હુસૈન ઇમોન, સૈફ હસન, નઈમ હસન, તનવીર ઇસ્લામ, કાઝી નુરુલ હસન સોહાન અને હસન મુરાદનો સમાવેશ થાય છે.

The Hundred 2026: 4 ટીમો પાકિસ્તાની ખેલાડીઓને નહીં કરે ટીમમાં સામેલ, ઓક્શન પહેલા લેવાયો મોટો નિર્ણય

The Hundred 2026: 4 ટીમો પાકિસ્તાની ખેલાડીઓને નહીં કરે ટીમમાં સામેલ,  ઓક્શન પહેલા લેવાયો મોટો નિર્ણય

હવે પાકિસ્તાની ખેલાડીઓને ધ હંડ્રેડમાં પણ ભારત સાથે ખરાબ સંબંધોનો ભોગ બનવું પડશે. ધ હંડ્રેડમાં ચાર ટીમોના માલિકો ભારતીય છે અને તેમણે પાકિસ્તાની ખેલાડીઓને ન ખરીદવાનો નિર્ણય લીધો છે. માન્ચેસ્ટર સુપર જાયન્ટ્સ, એમઆઈ લંડન, સધર્ન બ્રેવ અને સનરાઇઝર્સ લીડ્સના માલિકો ભારતીય છે અને પાકિસ્તાની ખેલાડીઓ હવે આ ટીમોમાં જોવા મળશે નહીં.

ધ હંડ્રેડ 2026 ની હરાજી યોજાશે

તમને જણાવી દઈએ કે ધ હંડ્રેડની હરાજી બે દિવસ માટે યોજાશે. મહિલા ખેલાડીઓ માટે 11 માર્ચે અને પુરુષ ખેલાડીઓ માટે 12 માર્ચે બોલી લગાવવામાં આવશે, આ હરાજી લંડનમાં યોજાશે. એક અહેવાલ મુજબ, 18 દેશોના લગભગ 1,000 ક્રિકેટરોમાં પાકિસ્તાની ક્રિકેટરોનો સમાવેશ કરવામાં આવ્યો છે, પરંતુ ચાર ટીમો તેમના પર બોલી નહીં લગાવે.

પાકિસ્તાની ખેલાડીઓને નહીં કરે સામેલ

પાકિસ્તાન અને ભારત વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ છે. છેલ્લા એક વર્ષમાં, બંને દેશો યુદ્ધ જેવા સ્તરે પણ પહોંચી ગયા છે. તેથી, કોઈપણ IPL ફ્રેન્ચાઇઝી તેની ટીમમાં પાકિસ્તાની ક્રિકેટરોનો સમાવેશ કરતી નથી. માત્ર IPLમાં જ નહીં, પરંતુ SA20 અને CPL જેવી અન્ય ક્રિકેટ લીગમાં પણ, ભારતીય માલિકો દ્વારા પાકિસ્તાની ખેલાડીઓની પસંદગી કરવામાં આવતી નથી. ILT20 માં પણ ફક્ત અમેરિકન માલિકીની ડેઝર્ટ વાઇપર્સ જ પાકિસ્તાની ખેલાડીઓની પસંદગી કરે છે.

હરાજી પહેલા નિર્ણય લેવામાં આવ્યો

એક અહેવાલ મુજબ, ECBના એક વરિષ્ઠ અધિકારીએ એક ખેલાડી એજન્ટને અનૌપચારિક રીતે કહ્યું છે કે ચાર IPL ફ્રેન્ચાઇઝી પાકિસ્તાની ક્રિકેટરોને સાઇન કરવાનો પ્રયાસ કરશે નહીં. ધ હંડ્રેડના વેચાણ પહેલા ECBના કાર્યકારી અધ્યક્ષ રિચાર્ડ ગોલ્ડને પૂછવામાં આવ્યું હતું કે શું ભારતીય રોકાણને કારણે પાકિસ્તાની ખેલાડીઓને લીગમાં રમવાની મંજૂરી આપવામાં આવશે. તેમણે ખાતરી આપી હતી કે ખેલાડીઓ સાથે તેમની રાષ્ટ્રીયતાના આધારે ભેદભાવ કરવામાં આવશે નહીં, પરંતુ હાલમાં એવું લાગતું નથી. મોહમ્મદ આમિર, ઇમાદ વસીમ, શાહીન આફ્રિદી, શાદાબ ખાન અને હરિસ રૌફ જેવા ખેલાડીઓ મેન્સ હંડ્રેડમાં રમી ચૂક્યા છે. હવે આ ખેલાડીઓનું શું થાય છે તે જોવું રસપ્રદ રહેશે.

T20 WC Breaking : એક પણ મેચમાં આઉટ ન થયો અને સૌથી વધુ રન બનાવ્યા, હવે સુપર-8 માં પોતાની તાકાત બતાવશે આ ખેલાડી

T20 WC Breaking : એક પણ મેચમાં આઉટ ન થયો અને સૌથી વધુ રન બનાવ્યા, હવે સુપર-8 માં પોતાની તાકાત બતાવશે આ ખેલાડી

આ વર્ષના T20 વર્લ્ડ કપમાં વીસ ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમના બેટ્સમેન ક્રીઝ પર ઉતર્યા, પોતાની ઇનિંગ્સ રમી અને આઉટ થયા. જોકે, ઝિમ્બાબ્વેના બ્રાયન બેનેટની કહાની થોડી અલગ હતી. આ ઝિમ્બાબ્વેનો બેટ્સમેન કોઈપણ મેચમાં નિર્વિવાદ રહ્યો. એક પણ મેચમાં આઉટ થયા વિના તેણે ગ્રુપ સ્ટેજમાં તેની ટીમ માટે સૌથી વધુ રન બનાવ્યા. એટલું જ નહીં પરંતુ ઝિમ્બાબ્વેને સુપર 8 માં પહોંચવામાં અને ગ્રુપ B માં નંબર વન ટીમ બનવામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી.

દરેક મેચમાં નોટઆઉટ, 175 રન બનાવ્યા

ઝિમ્બાબ્વેએ ગ્રુપ સ્ટેજમાં ચાર મેચ રમી હતી, જેમાંથી એક આયર્લેન્ડ સામે વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. બ્રાયન બેનેટને તે મેચમાં બેટિંગ કરવાની તક મળી ન હતી. જોકે, તે બાકીની ત્રણ મેચમાંથી ત્રણ ઇનિંગ્સમાં અણનમ રહ્યો હતો, કુલ 175 રન બનાવ્યા હતા. આ દરમિયાન, તે ઓમાન સામે 48 રન બનાવીને અણનમ રહ્યો હતો. ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે તેણે 56 બોલમાં અણનમ 64 રન, જ્યારે શ્રીલંકા સામે તે 48 બોલમાં અણનમ 66 રન બનાવીને અણનમ રહ્યો હતો.

 

સુપર-8 માં તાકાત બતાવશે

બ્રાયન બેનેટ 2026 ના T20 વર્લ્ડ કપમાં ઝિમ્બાબ્વેનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. ટુર્નામેન્ટમાં ઝિમ્બાબ્વેને સુપર 8 માં પહોંચવામાં તેની ભૂમિકા સૌથી મહત્વપૂણ સાબિત થઈ છે. જોકે, તેનું કામ હજી પૂરું થયું નથી. હવે ગ્રુપ સ્ટેજ બાદ સુપર 8 માં તેની સિદ્ધિઓનું પુનરાવર્તન કરવાનો સમય આવી ગયો છે.

ડેવિડ મિલર આ કમાલ કરનાર પહેલો ખેલાડી

2026 ના T20 વર્લ્ડ કપમાં ઓછામાં ઓછી ત્રણ ઇનિંગ્સ રમનારા બેટ્સમેનોમાં બ્રાયન બેનેટ કોઈપણ મેચમાં અણનમ રહેનાર બીજો બેટ્સમેન છે. ડેવિડ મિલરનો પણ આવો જ રેકોર્ડ ધરાવે છે. જોકે, તેણે પોતાની ત્રણ ઇનિંગ્સમાં ફક્ત 83 રન બનાવ્યા છે. દક્ષિણ આફ્રિકા માટે મિલરે કેનેડા સામે અણનમ 39, અફઘાનિસ્તાન સામે અણનમ 20 અને ન્યુઝીલેન્ડ સામે અણનમ 24 રન બનાવ્યા હતા.

Vaibhav Suryavanshi : વૈભવ સૂર્યવંશીનો મોટો નિર્ણય, મટન-ચિકન છોડી દીધું અને આ ખોરાક ખાવાનું શરૂ કર્યું, જાણો કેમ

ચીની રોબોટ મુદે ગલગોટિયા યુનિવર્સિટી સામે લેવાશે એક્શન, કેન્દ્રીય મંત્રીએ શું કહ્યું જાણો

ઇન્ડિયા AI ઇમ્પેક્ટ સમિટમાં ચીની રોબોટિક ડોગને પોતાનું સંશોધન ગણાવનાર ગલગોટિયા યુનિવર્સિટીની મુશ્કેલીઓ વધી છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને આ ઘટનાને મોટી ચૂક ગણાવી સમિટ પૂર્ણ થયા બાદ કડક કાર્યવાહીના સંકેત આપ્યા છે.

ઈન્ડિયા AI ઈમ્પેક્ટ સમિટ 2026’માં ગલગોટિયા યુનિવર્સિટી દ્વારા પ્રદર્શિત કરવામાં આવેલા રોબોટિક ડોગ (Unitree Go2) ને પોતાનું સ્વદેશી નવતર સંશોધન ગણાવવાનો વિવાદ હવે રાજકીય વળાંક લઈ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને ગુરુવારે આ મામલે અત્યંત આક્રમક નિવેદન આપતા તેને ભારતની વૈશ્વિક પ્રતિષ્ઠા પર દાગ સમાન ગણાવ્યું છે.

ચિરાગ પાસવાનનું આકરું વલણ: “આ ગંભીર ગુનો છે”

ચિરાગ પાસવાને મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, “કોઈ યુનિવર્સિટી દ્વારા ચીની પ્રોડક્ટ પર પોતાનો માલિકી હક જતાવો એ માત્ર ભૂલ નથી પણ એક મોટી ચૂક છે. જ્યારે દેશમાં આટલી મોટી વૈશ્વિક AI સમિટ યોજાઈ રહી હોય, ત્યારે આવી ખોટી માહિતી આપવી એ ગંભીર બાબત છે.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, યુનિવર્સિટીના પ્રતિનિધિ જે રીતે શબ્દોની રમત રમી રહ્યા હતા તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તેઓ સ્થિતિને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આનાથી આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતની છબી ખરડાઈ છે.

સમિટ પૂરી થયા બાદ થશે એક્શન

મંત્રીએ ચેતવણી આપી છે કે હાલ સમિટ ચાલુ હોવાથી સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. પરંતુ જેવી આ ઈવેન્ટ પૂર્ણ થશે, સરકાર નક્કી કરશે કે ગલગોટિયા યુનિવર્સિટી સામે કેવા પ્રકારના કડક પગલાં લેવા જોઈએ. બીજી તરફ, શિવસેના (UBT) ના સાંસદોએ પણ આ મામલે ભારે દંડ અને યુનિવર્સિટી વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે.

શું હતો સમગ્ર વિવાદ?

ગલગોટિયા યુનિવર્સિટીના પેવેલિયન પર કોમ્યુનિકેશન પ્રોફેસર નેહા સિંહે એક ઇન્ટરવ્યુમાં દાવો કર્યો હતો કે ત્યાં બતાવવામાં આવેલ રોબોટિક કૂતરો યુનિવર્સિટીના ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ દ્વારા બનાવવામાં આવ્યો છે અને તેનું નામ ‘ઓરિયન’ રાખ્યું છે. જોકે, થોડી જ વારમાં ખબર પડી કે તે ચીની કંપની ‘યુનિટ્રી રોબોટિક્સ’નું મોડલ ‘Unitree Go2’ છે.

સોશિયલ મીડિયા પર ભારે ટીકા થયા બાદ પ્રોફેસરે તેને ‘મિસ-કોમ્યુનિકેશન’ ગણાવ્યું હતું, જ્યારે યુનિવર્સિટીએ આ નિવેદનથી છેડો ફાડી નાખ્યો હતો અને માફી માંગી હતી. જોકે, સરકાર હવે આ માફીથી સંતુષ્ટ જણાતી નથી.

LIC એ લોન્ચ કર્યો નવો ટેકનોલોજી ફંડ NFO; રોકાણની નવી તક, જાણો એક્સપર્ટની સલાહ, વાંચવા માટે અહીં ક્લિક કરો

T20 WC Breaking : 5 કેચ છોડવા છતાં ભારત જીત્યું, શિવમ દુબે નેધરલેન્ડ્સ સામે જીતનો હીરો બન્યો

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ભારતે નેધરલેન્ડ્સને હરાવ્યું. આ સાથે, ટીમ ઈન્ડિયાએ તેના ગ્રુપ સ્ટેજના ચારેય મેચ જીતી લીધી છે. ભારતે નેધરલેન્ડ્સને 17 રનથી હરાવ્યું હતું. મેચનો નિર્ણય મેચની અંતિમ ઓવરમાં થયો, જ્યાં નેધરલેન્ડ્સને 28 રનની જરૂર હતી. ભારત માટે શિવમ દુબેએ અંતિમ ઓવર ફેંકી અને તે સ્કોરનો બચાવ કરવામાં સફળ રહ્યો. એ પણ નોંધનીય છે કે ટીમ ઈન્ડિયાએ પાંચ કેચ છોડ્યા બાદ નેધરલેન્ડ્સ સામે મેચ જીતી હતી.

ભારતે નેધરલેન્ડ્સને 17 રને હરાવ્યું

ભારતે નેધરલેન્ડ્સને જીતવા માટે 194 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, અને તેઓએ 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવી લીધા હતા. ભારત તરફથી વરુણ ચક્રવર્તી અને શિવમ દુબે બે સૌથી સફળ બોલર રહ્યા. વરુણ ચક્રવર્તીએ ત્રણ વિકેટ લીધી, જ્યારે શિવમ દુબેએ બે વિકેટ લીધી. બુમરાહ અને હાર્દિકે એક-એક વિકેટ લીધી.

 

શિવમ દુબેએ બેટ-બોલ બંનેથી તબાહી મચાવી

નેધરલેન્ડ્સ સામે શિવમ દુબેએ બેટિંગ અને બોલિંગ બંનેમાં કૌશલ્ય બતાવ્યું હતું. તે ટીમ ઈન્ડિયા માટે સૌથી સફળ બેટ્સમેન હતો. છ છગ્ગા સહિત તેના 66 રનથી ટીમ ઈન્ડિયાએ મેચમાં કુલ 193 રન બનાવ્યા હતા. શિવમ દુબેએ બોલિંગમાં પણ યોગદાન આપ્યું હતું અને બે વિકેટ લીધી હતી.

ગ્રુપ સ્ટેજમાં ટીમ ઈન્ડિયાએ બધી મેચ જીતી

નેધરલેન્ડ્સ સામેની મેચ પહેલા જ ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2026 ના સુપર 8 માં પહોંચી ગઈ હતી. આ જીત બાદ ટીમ ઈન્ડિયા હવે સુપર 8 માં રમશે. ટીમ ઈન્ડિયા ગ્રુપ સ્ટેજમાં એક પણ મેચ હારી નથી. ચાર મેચમાં આઠ પોઈન્ટ સાથે ગ્રુપ A માં ટોપ પર રહ્યું હતું.

 

5 કેચ છોડવા છતાં ભારત જીત્યું

જોકે, જો ટીમ ઈન્ડિયાએ મેચમાં પાંચ કેચ ન છોડ્યા હોત તો નેધરલેન્ડ્સ સામે ભારતનો વિજય વધુ મોટો હોત. ભારતના કેચ અક્ષર પટેલ, અભિષેક શર્મા, વોશિંગ્ટન સુંદર, સૂર્યકુમાર યાદવ અને તિલક વર્માએ છોડ્યા હતા.

Sourav Ganguly Biopic: સૌરવ ગાંગુલીની બાયોપિક પર આવ્યું મોટું અપડેટ, રાજકુમાર રાવ લોર્ડ્સમાં કરશે શૂટિંગ

Sourav Ganguly Biopic: સૌરવ ગાંગુલીની બાયોપિક પર આવ્યું મોટું અપડેટ, રાજકુમાર રાવ લોર્ડ્સમાં કરશે શૂટિંગ

ફિલ્મ સ્ટાર રાજકુમાર રાવ જુલાઈ 2025 માં રિલીઝ થયેલી ફિલ્મ “માલિક” પછી કોઈ ફિલ્મમાં દેખાયો નથી. ચાહકો તેને ફરીથી મોટા પડદા પર જોવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હાલમાં તેની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. હવે, સમાચાર આવ્યા છે કે તે એક મોટી ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનો છે. તે ફિલ્મ બીજી કોઈ નહીં પણ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટ કેપ્ટન સૌરવ ગાંગુલીની બાયોપિક છે. આ ફિલ્મ વિશે ચર્ચાઓ લાંબા સમયથી ચાલી રહી છે. અને હવે રાજકુમાર આખરે શૂટિંગ શરૂ કરવાનો છે.

શૂટિંગ માર્ચમાં શરૂ થશે

સૌરવ ગાંગુલીની બાયોપિકનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ લાંબા સમયથી ફિલ્મ વિશે દરરોજ નવી માહિતી બહાર આવી રહી છે. વિક્રમાદિત્ય મોટવાની આ બાયોપિકનું દિગ્દર્શન કરી રહ્યા છે. બોક્સ ઓફિસ વર્લ્ડવાઇડના અહેવાલ મુજબ, શૂટિંગ આવતા મહિને શરૂ થશે. નિર્માતાઓએ પ્રાઈમરી લોકેશન ફાઇનલ કરી લીધું છે.

ફિલ્મનું શૂટિંગ ક્યાં થશે?

રિપોર્ટમાં જણાવાયું છે કે સૌરવ ગાંગુલીની બાયોપિકનું શૂટિંગ લંડનના લોર્ડ્સ અને કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં કરવામાં આવશે. લવ રંજન અને અંકુર ગર્ગ નિર્માતા છે. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વિક્રમાદિત્ય મોટવાની અને લવ ફિલ્મ્સ આ બાયોપિકને મોટા પાયે બનાવવા માટે ઉત્સાહિત છે. વાસ્તવિક સ્થળો પર શૂટિંગ હંમેશા તેમના આયોજનનો ભાગ રહ્યું છે. પસંદ કરેલા સ્થળોએથી પરવાનગી મેળવવાની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. શૂટિંગ માર્ચમાં શરૂ થવાની ધારણા છે. લંડન અને કોલકાતા ઉપરાંત ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં પણ કરવામાં આવશે.

રાજકુમાર રાવના આગામી પ્રોજેક્ટ્સ

સૌરવ ગાંગુલીની ફિલ્મ પહેલા રાજકુમાર રાવે તાજેતરમાં વકીલ ઉજ્જવલ નિકમ વિશેની ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું. આનો અર્થ એ થયો કે હાલમાં તેમની પાસે બે બાયોપિક છે. તે “રોસ્ટર” નામની વેબ સિરીઝમાં પણ કામ કરી રહ્યો છે. આ સિરીઝની રિલીઝ તારીખ હાલમાં નક્કી નથી. આ સિરીઝ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

T20 WC Breaking : શિવમ દુબેએ 25 બોલમાં અડધી સદી ફટકારી, T20 વર્લ્ડ કપમાં પહેલીવાર કર્યો આ કમાલ

વડોદરા: વિપક્ષના કાઉન્સિલરો સસ્પેન્ડ થતા રાજકારણમાં ઉથલપાથલ, જુઓ Video

વડોદરા મહાનગરપાલિકાની બજેટ સંબંધિત સામાન્ય સભામાં વિપક્ષના કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવામાં આવતા શહેરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મેયરે સભાની મર્યાદા ભંગ અને આદેશની અવગણના કરવાનો આક્ષેપ લગાવી વિપક્ષના તમામ 7 કાઉન્સિલરોને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. આ પગલાં બાદ સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે તણાવ વધુ તેજ બન્યો છે.

માહિતી મુજબ, વિપક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિત અન્ય 6 કાઉન્સિલરોને સતત વિરોધ અને હોબાળો કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા. સામાન્ય સભા દરમિયાન વિપક્ષના સભાસદોએ કમિશનરને હાજર બોલાવવાની માંગ ઉઠાવી હતી, જેને સત્તાપક્ષના નેતાએ નકારી કાઢી હતી. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી.

3.70 લાખનો ચેક જાહેરમાં કમિશનરને સોંપ્યો!

સભા દરમિયાન વિપક્ષના સભાસદો છેલ્લા ત્રણ કલાકથી સતત બોલી રહ્યા હોવાની ફરિયાદ પણ સામે આવી હતી. આ દરમિયાન કાઉન્સિલર આશિષ જોશીએ તિરંગા યાત્રા માટે પોતાના ભાગે આવતા રૂ. 3.70 લાખનો ચેક જાહેરમાં કમિશનરને સોંપ્યો હોવાનો આક્ષેપ થયો છે. સાથે જ PRO વિભાગ દ્વારા થયેલી કથિત ગેરરીતિ અંગેની બુકલેટ પણ સોંપવામાં આવી હોવાનું કહેવાય છે.

મેયર અને સિનિયર નેતાઓના આદેશની અવગણના તથા સભાની મર્યાદા ભંગ બદલ સસ્પેન્શનનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સત્તાપક્ષનું કહેવું છે. બીજી તરફ, વિપક્ષના નેતા આશિષ જોશીએ બજેટ તેમજ સસ્પેન્શનના નિર્ણયની કડક શબ્દોમાં નિંદા કરી છે. સમગ્ર ઘટનાક્રમ બાદ વડોદરાના રાજકારણમાં ભારે ચકચાર મચી છે અને આગલા દિવસોમાં આ મુદ્દે વધુ રાજકીય તણાવ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

સુરતમાં સ્માર્ટ મીટર મુદ્દે ફરી વિવાદ, અડાજણના શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં DGVCL સામે ઉગ્ર વિરોધ

T20 WC Breaking : જર્સી બદલવાથી રન નથી બનતા… સિરાજની જર્સી પહેરીને બેટિંગ કરવા આવ્યો અભિષેક, કારણ જાણી ચોંકી જશો

સુરતમાં સ્માર્ટ મીટર મુદ્દે ફરી વિવાદ, અડાજણના શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં DGVCL સામે ઉગ્ર વિરોધ, જુઓ Video

સુરત શહેરમાં સ્માર્ટ વીજ મીટર લગાડવાના મુદ્દે ભૂતકાળમાં ભારે વિરોધનો વંટોળ ઉઠ્યો હતો. આ મુદ્દો શાંત પડ્યો હોવાનું લાગતું હતું, પરંતુ ફરી એકવાર અડાજણ વિસ્તારમાં આવેલા હની પાર્ક નજીકના શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં સ્માર્ટ મીટર સામે ઉગ્ર વિરોધ જોવા મળ્યો છે.

શિવ-શક્તિ એપાર્ટમેન્ટમાં DGVCLના કર્મચારીઓ સ્માર્ટ મીટર લગાવવા માટે પહોંચ્યા હતા. રહીશોએ આરોપ લગાવ્યો હતો કે તેમની મંજૂરી લીધા વગર જૂના મીટર કાઢીને નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે. આ બાબતે ગુસ્સે ભરાયેલા રહીશોએ કર્મચારીઓને મીટર લગાવવાની કામગીરી અટકાવી હતી.

સ્થાનિક રહેવાસીઓની એક જ માંગ હતી કે જ્યાં જૂના મીટર કાઢીને નવા મીટર લગાવવામાં આવ્યા છે, ત્યાં ફરીથી જૂના મીટર જ લગાવવામાં આવે. રહેવાસીઓનું કહેવું છે કે સ્માર્ટ મીટર અંગે પૂરતી માહિતી આપવામાં આવી નથી અને કોઈ સ્પષ્ટ સંમતિ લેવામાં આવી નથી.

ઉગ્ર વિરોધ વચ્ચે DGVCLના કર્મચારીઓ પણ રોષે ભરાયા હતા. તેમનો દાવો હતો કે વીજ મીટરની માલિકી DGVCLની છે અને તેમને મીટર બદલવાનો અધિકાર છે. તેમ છતાં, મીટર બદલવાનું કારણ શું છે તે અંગે પૂછાયેલા પ્રશ્નોનો તેઓ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા.

સ્માર્ટ મીટર મુદ્દે ફરી એકવાર ઊભો થયેલો વિવાદ સ્થાનિકોમાં ચિંતા અને અસમંજસ ઊભી કરી રહ્યો છે. રહેવાસીઓ સ્પષ્ટતા અને પારદર્શિતાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિજ કંપની પોતાની કાર્યવાહી યોગ્ય હોવાનું કહી રહી છે.

તમને સ્પર્શતી ગુજરાતના બજેટની 20 મોટી જાહેરાતનો વીડિયો

T20 WC Breaking : નેપાળે 12 વર્ષ પછી પહેલી મેચ જીતી, સ્કોટલેન્ડને હરાવી T20 વર્લ્ડ કપનો યાદગાર અંત કર્યો

નેપાળે T20 વર્લ્ડ કપ 2026 ની પોતાની છેલ્લી મેચમાં યાદગાર વિજય નોંધાવ્યો હતો. પોતાની શરૂઆતની મેચમાં ઈંગ્લેન્ડ સામે છેલ્લા બોલે હારનો સામનો કર્યા પછી નેપાળે આખરે સાત વિકેટથી શાનદાર વિજય મેળવ્યો અને ટૂર્નામેન્ટનો શાનદાર અંત કર્યો. ઝડપી બોલર સોમપાલ કામી અને બેટ્સમેન દીપેન્દ્ર સિંહ એરીની વિસ્ફોટક અડધી સદીએ નેપાળને સ્કોટલેન્ડને હરાવવામાં મદદ કરી. આ 12 વર્ષમાં તેમનો પ્રથમ T20 વર્લ્ડ કપ વિજય મેળવ્યો.

જોન્સની શાનદાર ઈનિંગ

ટુર્નામેન્ટમાં અગાઉ ઇટાલી સામે જીત મેળવી ચૂકેલા સ્કોટલેન્ડે મજબૂત શરૂઆત કરી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓપનર માઈકલ જોન્સે માત્ર 45 બોલમાં આઠ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 71 રન બનાવ્યા હતા. જોકે, અન્ય બેટ્સમેન સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. જ્યાં સુધી જોન્સ ક્રીઝ પર હતો ત્યાં સુધી સ્કોટલેન્ડ 200 રન સુધી પહોંચશે તેવું લાગતું હતું. જોકે, 16 મી ઓવરમાં સોમપાલ કામીને તેની વિકેટ લીધી અને સ્કોટલેન્ડ 20 ઓવરમાં ફક્ત 170 રન જ બનાવી શક્યું.

પાંચ ઓવરમાં 50 રન ફટકાર્યા

નેપાળના ઓપનરોએ ઝડપી શરૂઆત કરી. કુશલ ભુર્તેલ અને આસિફ શેખની જોડીએ માત્ર પાંચ ઓવરમાં 50 રન પૂરા કર્યા. આ દરમિયાન ભુર્તેલે એક જ ઓવરમાં ત્રણ છગ્ગા પણ ફટકાર્યા. પરંતુ પાવરપ્લે સમાપ્ત થતાં ઈનિંગ ધીમી પડી ગઈ અને વિકેટો પડવા લાગી. આ માટે સ્પિનર ​​માઈકલ લીસ્ક જવાબદાર હતો, તેણે ત્રણ વિકેટ લીધી અને 13 ઓવરમાં નેપાળનો સ્કોર 98/3 થઈ ગયો.

 

23 બોલમાં એરીની ફિફ્ટી

અહીંથી નેપાળની વાપસી મુશ્કેલ લાગતી હતી, પરંતુ પછી દિપેન્દ્ર સિંહ એરી આવ્યો. અઢી વર્ષ પહેલા એશિયન ગેમ્સમાં માત્ર નવ બોલમાં વર્લ્ડ રેકોર્ડ હાફ સેન્ચુરી ફટકારનાર આ બેટ્સમેને બાજી પલટી નાખી. એરીએ લીસ્કની ઓવરમાં સતત બે સિક્સર ફટકારી. ત્યારબાદ તેણે બ્રેડ વ્હીલ અને બ્રેડ કરીની ઓવરમાં બે બાઉન્ડ્રી ફટકારી. આ દરમિયાન એરીએ માત્ર 23 બોલમાં પોતાની હાફ સેન્ચુરી પણ પૂરી કરી.

12 વર્ષ બાદ પહેલી જીત

આ સાથે નેપાળને છેલ્લી બે ઓવરમાં ફક્ત 15 રનની જરૂર હતી અને ગુલશન ઝાએ કમાલ કર્યો. 19 મી ઓવરના પહેલા બોલ પર છગ્ગો ફટકાર્યા પછી ગુલશને 20 મી ઓવરના બીજા બોલ પર ચોગ્ગો ફટકારીને ટીમને યાદગાર વિજય અપાવી. આ જીત 12 વર્ષમાં નેપાળની પહેલી જીત હતી. અગાઉ, નેપાળે 2014 ના વર્લ્ડ કપમાં હોંગકોંગ અને અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. આ પરિણામ સાથે, ગ્રુપ C માંની બધી ટીમોએ ઓછામાં ઓછી એક જીત સાથે ટુર્નામેન્ટનો અંત કર્યો હતો.

T20 WC Breaking : અભિષેક શર્માનો વિસ્ફોટક બેટિંગનો પ્લાન તૈયાર, બુમરાહના રમવા અંગે આવ્યા મોટા સમાચાર

T20 WC Breaking : અભિષેક શર્માનો વિસ્ફોટક બેટિંગનો પ્લાન તૈયાર, બુમરાહના રમવા અંગે આવ્યા મોટા સમાચાર

ભારત નેધરલેન્ડ્સ સામે પોતાની છેલ્લી લીગ મેચ રમશે. આ મેચ પહેલા ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે જાહેરાત કરી હતી કે જસપ્રીત બુમરાહ મેચ રમશે અને અભિષેક શર્મા વિશે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. સિતાંશુ કોટકે જણાવ્યું કે બુમરાહને નેધરલેન્ડ્સ સામે આરામ આપવામાં આવશે નહીં. પાકિસ્તાન સામેની T20 વર્લ્ડ કપ મેચમાં બુમરાહનું શાનદાર પ્રદર્શન હતું. તેણે પાકિસ્તાન સામે પહેલી બે ઓવરમાં બે વિકેટ લીધી, જેનાથી ભારતને સુપર 8 માં પહોંચવામાં મદદ મળી.

બુમરાહ પર કોચનું મોટું નિવેદન

સિતાંશુ કોટકે કહ્યું, “મને નથી લાગતું કે બુમરાહને આરામ આપવામાં આવશે. અમે તેના પર પછીથી નિર્ણય લઈશું.” તેમણે અભિષેક શર્મા વિશે પણ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે અભિષેક શર્મા યુએસએ સામેની મેચ દરમિયાન બીમાર પડ્યો હતો, પરંતુ અમને વિશ્વાસ છે કે તે ટૂંક સમયમાં સારું પ્રદર્શન કરશે. તેમણે ઉમેર્યું કે અભિષેક શર્મા પાસે તેની યોજનાઓ તૈયાર છે. જો સિતાંશુ કોટકનું માનીએ તો, અભિષેક શર્મા ટૂંક સમયમાં મોટી ઇનિંગ રમશે.

અભિષેક શર્માનું ફોર્મ ચિંતાનો વિષય

ટીમ ઈન્ડિયા માટે ચિંતાનો વિષય અભિષેક શર્માનું ફોર્મ છે. વિશ્વનો નંબર 1 બેટ્સમેન હજુ સુધી T20 વર્લ્ડ કપમાં પોતાનું ખાતું ખોલી શક્યો નથી. તે યુનાઇટેડ સ્ટેટ્સ સામે પહેલા બોલે અને પછી ચાર બોલ પછી પાકિસ્તાન સામે આઉટ થયો હતો. ન્યુઝીલેન્ડ શ્રેણી પછી, તે સાત મેચમાં ચાર વખત શૂન્ય પર આઉટ થયો છે.

કોચે ઈશાન કિશનની પ્રશંસા કરી

સીતાંશુ કોટકે ઈશાન કિશનના સ્વભાવની પ્રશંસા કરી હતી. સીતાંશુએ કહ્યું, “કિશન હંમેશા આત્મવિશ્વાસુ ખેલાડી રહ્યો છે. તેની માનસિકતા તેને T20 ક્રિકેટમાં મદદ કરે છે.” ઈશાન કિશન T20 વર્લ્ડ કપમાં ઉત્તમ ફોર્મમાં છે. તેણે 40 બોલમાં 77 રનની ઇનિંગ રમીને ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે વિજય અપાવ્યો અને તેને પ્લેયર ઓફ ધ મેચ પણ જાહેર કરવામાં આવ્યો હતો.

T20 World Cup : વિરાટ-રોહિત નહીં, આ ખેલાડીએ ફટકારી છે ભારતની એકમાત્ર T20 વર્લ્ડ કપ સદી, જાણો કોણ છે આ ‘ધુરંધર’

સોનું અને ચાંદી ખરીદવા માટે ગોલ્ડન ચાન્સ, જાણવા માટે અહીં ક્લિક કરો.. 

સતત બીજા દિવસે સોનાનો ભાવ ઘટ્યો, ચાંદીનો ભાવ પણ ઘટ્યો

T20 WC Breaking :  2003 અને 2015 પછી ફરી એ જ કિસ્મત? પાકિસ્તાન સામેની જીતે વધારી ચિંતા

ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજમાં પાકિસ્તાનને હરાવીને સુપર 8 માં પ્રવેશ કર્યો. આ પરિણામથી કોઈને આશ્ચર્ય થયું નહીં. જોકે, પાકિસ્તાની ટીમે જે સરળતાથી શરણાગતિ સ્વીકારી તે ચોક્કસપણે થોડું આશ્ચર્યજનક હતું. ભારતીય ટીમે પાકિસ્તાનને એકતરફી રીતે 61 રનથી હરાવ્યું હતુ. આ પ્રદર્શનથી ફરી એકવાર એવી આશા મજબૂત થઈ છે કે ટીમ ઈન્ડિયા તેના ખિતાબનો બચાવ કરી શકે છે. પરંતુ શું આ પરિણામ ટીમ ઈન્ડિયાની T20 વર્લ્ડ કપ જીતવાની તક છીનવી લેશે?

બની રહ્યો છે ગજબ સંયોગ

આ વાંચીને તમને આશ્ચર્ય થયું? ટીમ ઈન્ડિયા જે દમદાર પ્રદર્શન કરી રહી છે તે જોતાં, આવા પરિણામની કલ્પના કરવી મુશ્કેલ લાગે છે. સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમ તેના ખિતાબને બચાવવા માટે એક મજબૂત દાવેદાર લાગે છે. જોકે, અચાનક એક સંયોગ બની રહ્યો છે જેણે ચોક્કસપણે કેટલીક ચિંતાઓ ઉભી કરી છે, અને તેનું કારણ પાકિસ્તાન સામેની આ જીત છે. શું તે સંયોગ છે, અને તેનો પાકિસ્તાન સાથે શું સંબંધ છે? ચાલો સમજાવીએ.

મહાશિવરાત્રી અને 15 ફેબ્રુઆરી

ભારત-પાકિસ્તાનનો આ મુકાબલો રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયો હતો. ટીમ ઈન્ડિયાએ તેમાં સરળતાથી જીત મેળવી હતી. જોકે, આ પહેલીવાર નહોતું કે ટીમ ઈન્ડિયાએ 15 ફેબ્રુઆરીના રોજ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હરાવ્યું હોય. આ પહેલા, 2015ના વર્લ્ડ કપમાં પણ ભારતીય ટીમે 15 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનને સરળતાથી હરાવ્યું હતું.

22 વર્ષ જૂની મેચની યાદ તાજી થઈ

એટલું જ નહીં, રવિવારે દેશભરમાં મહાશિવરાત્રીની ઉજવણી પણ કરવામાં આવી હતી. ટીમ ઇન્ડિયાએ આ પ્રસંગે શિવભક્તો સહિત સમગ્ર દેશને એક અદ્ભુત ભેટ પણ આપી હતી. જોકે, તેનાથી આપણને 22 વર્ષ જૂની મેચની યાદ અપાવી દીધી. અગાઉ, 2003 માં, મહાશિવરાત્રી પર ભારત-પાકિસ્તાન મેચ રમાઈ હતી, અને ટીમ ઇન્ડિયા ત્યારે પણ જીતી ગઈ હતી.

પછી ટાઈટલ ગુમાવ્યું…

હવે, આખો સંયોગ અહીં જ રહેલો છે. ટીમ ઈન્ડિયા 2015 ના વર્લ્ડ કપ સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી, જે આખરે વર્લ્ડ ચેમ્પિયન બની હતી. તે પહેલા, ટીમ ઈન્ડિયા 2003 ના વર્લ્ડ કપમાં પણ ઓસ્ટ્રેલિયા સામે ફાઇનલમાં હારી ગઈ હતી અને ટાઇટલ ગુમાવી દીધી હતી.

આ વખતે શું થશે?

આ વર્ષે, 15 ફેબ્રુઆરી અને મહાશિવરાત્રી એક જ દિવસે આવી હતી, અને ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધીના સૌથી મોટા માર્જિનથી હરાવ્યું હતું. તો, શું ટીમ ઈન્ડિયા ફરી એકવાર ટાઇટલ વિના પરત ફરશે? કે પછી કેપ્ટન સૂર્યાની ટીમ આ વખતે ઇતિહાસ બદલી નાખશે? આ આગામી દિવસોમાં સ્પષ્ટ થઈ જશે.

T20 WC Breaking : ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર? શ્રીલંકા શાનદાર જીત સાથે સુપર 8 માં પ્રવેશ્યું

T20 WC Breaking :  ઓસ્ટ્રેલિયા T20 વર્લ્ડ કપમાંથી બહાર? શ્રીલંકા શાનદાર જીત સાથે સુપર 8 માં પ્રવેશ્યું

T20 વર્લ્ડ કપ 2026 નું કો-હોસ્ટ શ્રીલંકા, શાનદાર વિજય સાથે સુપર 8 રાઉન્ડમાં પ્રવેશ્યું હતું. ઓપનર પથુમ નિસાન્કાની વિસ્ફોટક સદીથી શ્રીલંકાએ ઓસ્ટ્રેલિયાને આઠ વિકેટથી કચડીને આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. નિસાન્કા આ વર્લ્ડ કપમાં સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો અને પોતાની ટીમને વિજય તરફ દોરીને પેવેલિયન પાછો ફર્યો, જેમાં તેણે માત્ર 18 ઓવરમાં 182 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો. સતત બીજી હાર સાથે, પૂર્વ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયા પ્રથમ રાઉન્ડમાં જ બહાર થવાની આરે છે.

ઝિમ્બાબ્વ બાદ શ્રીલંકા સામે હાર્યું ઓસ્ટ્રેલિયા

16 ફેબ્રુઆરી, સોમવારે સાંજે પલ્લેકેલેમાં રમાયેલી આ મેચ પર બધાની નજર હતી. યજમાન શ્રીલંકા સતત બે જીત સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન પર હતું, પરંતુ આ મેચ ઓસ્ટ્રેલિયા માટે મહત્વપૂર્ણ હતી. પાછલી મેચમાં ઝિમ્બાબ્વે સામેની હાર બાદ ઓસ્ટ્રેલિયાને અહીં જીતની ખૂબ જ જરૂર હતી, પરંતુ કેપ્ટન મિશેલ માર્શની વાપસી પણ તેમનું નસીબ બદલી શકી નહીં.

માર્શ-હેડની 104 રનની ભાગીદારી

માર્શના કમબેકથી ઓસ્ટ્રેલિયાની બેટિંગ પર ચોક્કસ અસર પડી. ઓસ્ટ્રેલિયન કેપ્ટને વિસ્ફોટક શરૂઆત આપી હતી. ખરાબ ફોર્મમાં સંઘર્ષ કરી રહેલા સ્ટાર ઓપનર ટ્રેવિસ હેડે પણ આક્રમક રમત બતાવી. બંને બેટ્સમેનોએ ઝડપથી અડધી સદી ફટકારી, માત્ર 8.3 ઓવરમાં 104 રનની મજબૂત ભાગીદારી નોંધાવી. જોકે, પહેલી વિકેટ પડ્યા પછી ઓસ્ટ્રેલિયન ઇનિંગ પડી ભાંગી, અને ટીમે આગામી ચાર ઓવરમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી.

ઓસ્ટ્રેલિયાએ 21 રનમાં પાંચ વિકેટ ગુમાવી

જોશ ઈંગ્લિસ અને ગ્લેન મેક્સવેલ ઇનિંગને મોટા સ્કોર તરફ આગળ લઈ જઈ રહ્યા હતા ત્યારે નિસાન્કાએ એક શાનદાર કેચ સાથે આ ભાગીદારી તોડી. ત્યારબાદ ઓસ્ટ્રેલિયાએ 21 રનમાં બાકીની પાંચ વિકેટ ગુમાવી દીધી અને માત્ર 181 રનમાં જ ટીમ ઓલઆઉટ થઇ ગઈ. શ્રીલંકા તરફથી સ્પિનર ​​દુષણ હેમંથાએ ત્રણ અને દુષ્મંથા ચમીરાએ બે વિકેટ લીધી હતી.

નિસાન્કા-મેન્ડિસની દમદાર બેટિંગ

બીજી તરફ, શ્રીલંકાની શરૂઆત ખરાબ રહી, તેમણે જ બીજી ઓવરમાં ઓપનર કુસલ પરેરાની વિકેટ ગુમાવી. જોકે, તેનાથી યજમાન ટીમ નિરાશ ન થઈ અને નિસાન્કાએ કુસલ મેન્ડિસ સાથે મળીને આક્રમક રમત શરૂ કરી. બંને બેટ્સમેન ઓસ્ટ્રેલિયા માટે માથાનો દુખાવો સાબિત થયા. મેન્ડિસે સતત ત્રીજી અડધી સદી ફટકારી, જ્યારે નિસાન્કાએ પણ 50 રનનો આંકડો પાર કર્યો.

નિસાન્કાએ 52 બોલમાં સદી ફટકારી

માર્કસ સ્ટોઇનિસે 13મી ઓવરમાં કુસલ મેન્ડિસને આઉટ કરીને ભાગીદારી તોડી નાખી, જેનાથી વાપસીની આશા જાગી. પરંતુ તે અપૂરતું સાબિત થયું. આ સમય સુધીમાં નિસાન્કાએ ઇનિંગ પર સંપૂર્ણ પ્રભુત્વ મેળવી લીધું હતું. અંતે, 18મી ઓવરમાં નિસાન્કાએ માત્ર 52 બોલમાં ટુર્નામેન્ટની પોતાની પ્રથમ સદી પૂરી કરવા માટે એક સિંગલ લીધો, જેનાથી ટીમને 8 વિકેટની યાદગાર જીત મળી. પવન રત્નાયકેએ પણ અણનમ 28 રન સાથે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું.

ઓસ્ટ્રેલિયાનું ભાગ્ય આયર્લેન્ડના હાથમાં

ઓસ્ટ્રેલિયા ફક્ત બે પોઈન્ટ સાથે ટેબલમાં ત્રીજા સ્થાને છે. શ્રીલંકા આગામી રાઉન્ડમાં આગળ વધી ગયું છે, જ્યારે બીજા ક્રમે રહેલ ઝિમ્બાબ્વે પાસે ઓસ્ટ્રેલિયાને ભાર કરવાની તક છે. ઝિમ્બાબ્વે મંગળવારે આયર્લેન્ડ સામે ટકરાશે. જો સિકંદર રઝાની ટીમ આ મેચ જીતી જશે, તો તેઓ પણ આગામી રાઉન્ડમાં પ્રવેશ કરશે, અને ઓસ્ટ્રેલિયા બહાર ફેંલાઈ શકે છે.

T20 WC Breaking : બેટ્સમેનના છક્કાથી એક મહિલાનું મોં તૂટી ગયું, જાણો સારવારનો ખર્ચ કોણ ઉઠાવશે, શું છે નિયમ?

T20 WC Breaking : બેટ્સમેનના સિક્સરથી મહિલાને થઇ ઈજા, જાણો સારવારનો ખર્ચ કોણ ઉઠાવશે, શું છે નિયમ?

T20 વર્લ્ડ કપ 2026 ની 29મી મેચમાં ઈંગ્લેન્ડે ઈટાલીને 24 રનથી હરાવ્યું. આ મેચનો હીરો વિલ જેક્સ હતો, જેણે આ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ઈંગ્લેન્ડ માટે સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી હતી. જોકે, તેની તોફાની ઇનિંગ દરમિયાન એક મહિલા ઘાયલ થઈ હતી. આ મેચમાં વિલ જેક્સે એક સિક્સર ફટકારી હતી જે સીધી સ્ટેન્ડમાં બેઠેલી એક મહિલાને વાગી હતી. બોલ મહિલાને વાગતાની સાથે જ તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. સદનસીબે, મહિલાની આંખ બચી ગઈ, પરંતુ તેને ગંભીર ઈજાઓ થઈ હતી.

મહિલાની સારવારનો ખર્ચ કોણ ઉઠાવશે

મહિલાને બોલ વાગતાં જ સુરક્ષા કર્મચારીઓ તાત્કાલિક તેની મદદ માટે દોડી ગયા હતા. તેણીને સારવાર માટે મેડિકલ રૂમમાં લઈ જવામાં આવી હતી. એ નોંધનીય છે કે જો કોઈ દર્શક ઘાયલ થાય છે, તો સ્ટેડિયમ વહીવટીતંત્ર તબીબી સારવાર પૂરી પાડે છે. જોકે, સ્ટેડિયમ આવું કરવા માટે બંધાયેલું નથી. મેચ ટિકિટમાં જણાવાયું છે કે સ્ટેડિયમ વહીવટીતંત્ર કોઈપણ અકસ્માત કે ઈજા માટે જવાબદાર રહેશે નહીં. ચાહકો ઘણીવાર સ્ટેડિયમમાં ઘાયલ થાય છે, અને ખેલાડીઓ પોતે તેમની તબિયત પૂછે છે, ક્યારેક તેમની સારવારનો ખર્ચ પણ ઉઠાવે છે.

ઇંગ્લેન્ડ સુપર 8 માં પ્રવેશ્યું

ઇંગ્લેન્ડે ઇટાલીને હરાવીને સુપર 8 માં સ્થાન મેળવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા, ઇંગ્લેન્ડે 20 ઓવરમાં 202 રન બનાવ્યા. 7 નંબર પર બેટિંગ કરતા, વિલ જેક્સે 22 બોલમાં અણનમ 53 રન બનાવ્યા, જેમાં ચાર છગ્ગા અને ત્રણ ચોગ્ગા ફટકાર્યા. ત્યારબાદ જેક્સે બોલિંગમાં એક વિકેટ લીધી. ઇટાલીએ પણ ઇંગ્લેન્ડને જોરદાર લડત આપી અને 20 ઓવરમાં 178 રન બનાવ્યા હતા. બેન મેનેટીએ 25 બોલમાં 60 રન બનાવ્યા હતા અને ગ્રાન્ટ સ્ટુઅર્ટે 45 રન ફટકાર્યા હતા. જ્યારે જસ્ટિન મોસ્કાએ 43 રન બનાવ્યા હતા. જોકે, ઇટાલી મેચ જીતવામાં નિષ્ફળ રહ્યું હતું.

T20 WC Breaking : પાકિસ્તાનને હરાવી કોલંબોથી અમદાવાદ પહોંચી ટીમ ઈન્ડિયા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં નેધરલેન્ડ્સ સામે મુકાબલો

Ind vs Pak વચ્ચેની T20 મેચમાં પાકિસ્તાને કરેલી 5 ભૂલ બની કારમી હારનું કારણ, આખી ટીમ ઓલ આઉટ, જાણો

ક્રિકેટ જગતમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની લડાઈને હંમેશા ‘મધર ઓફ ઓલ રાઈવલરી’ માનવામાં આવે છે. પરંતુ T20 World Cup 2026 દરમિયાન કોલંબોના R. Premadasa Stadium ખાતે રમાયેલી આ મેચમાં હરીફાઈ એકતરફી બની ગઈ હોય તેવું સ્પષ્ટ દેખાયું. ભારતની 61 રનથી મળેલી ભવ્ય જીત માત્ર સ્કોરકાર્ડ સુધી સીમિત ન રહી, પરંતુ તે વ્યૂહાત્મક શ્રેષ્ઠતાનું જીવંત ઉદાહરણ બની.

એક વ્યૂહરચના વિશ્લેષક તરીકે જોવામાં આવે તો, આ મેચમાં એવા પાંચ નિર્ણાયક વળાંકો હતા જેણે સાબિત કર્યું કે શા માટે આધુનિક ક્રિકેટમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું આગળ છે.

ટોસની ટેક્ટિકલ ભૂલ: મેદાનમાં ઉતરતા પહેલા જ નુકસાન

મેચ શરૂ થાય તે પહેલાં જ પાકિસ્તાની કેપ્ટન Salman Ali Agha એક મોટી વ્યૂહાત્મક ભૂલ કરી બેઠા. કોલંબોની પિચ, ખાસ કરીને પ્રેમદાસા સ્ટેડિયમમાં, રન ચેઝ કરવો હંમેશા મુશ્કેલ સાબિત થયો છે. ક્રિકેટ વિશ્લેષક Ravichandran Ashwin મુજબ, આ મેદાન પર બીજી ઇનિંગમાં ફિંગર સ્પિનર્સ વધુ અસરકારક રહે છે.

અશ્વિનના શબ્દોમાં, “પાકિસ્તાને ટોસ જીતીને બોલિંગ પસંદ કરી ત્યારે જ મેચ હાથમાંથી નીકળી ગઈ હતી. અહીં 170 રન પણ ચેઝ કરવા અઘરા હોય છે.” આ નિર્ણયે પાકિસ્તાનને શરૂઆતથી જ બેકફૂટ પર ધકેલી દીધું.

મેચ-અપ્સની અવગણના અને ઈશાન કિશનનું તોફાન

આધુનિક ક્રિકેટ ડેટા અને મેચ-અપ્સ પર આધારિત છે, પરંતુ પાકિસ્તાને આ હકીકતને અવગણવી ભારે પડી. Ishan Kishan એ 40 બોલમાં 77 રનની વિસ્ફોટક ઇનિંગ રમીને પાકિસ્તાની બોલિંગની લય તોડી નાખી.

ડેટા સ્પષ્ટ કહે છે કે કિશન લેફ્ટ-આર્મ પેસર્સ સામે અત્યંત આક્રમક રમે છે, છતાં Shaheen Afridi ને પાવરપ્લેમાં તેની સામે બોલિંગ સોંપવામાં આવી. પરિણામે, શાહીને પોતાની પ્રથમ બે ઓવરમાં જ 31 રન આપ્યા અને અંતિમ ઓવરમાં પણ ભારે નુકસાન સહન કરવું પડ્યું. આ મેચ-અપ નિષ્ફળતા પાકિસ્તાન માટે ઘાતક સાબિત થઈ.

મિસ્ટ્રી સ્પિનરનો મોડો ઉપયોગ અને મેનેજમેન્ટની નિષ્ફળતા

પાકિસ્તાન પાસે ઉસ્માન તારિક જેવો અસરકારક મિસ્ટ્રી સ્પિનર હોવા છતાં, તેને બોલિંગમાં લાવવામાં અતિશય મોડું કરવામાં આવ્યું. તેણે ઓછા રન આપી દબાણ બનાવ્યું, પરંતુ ત્યારે સુધી મેચ પાકિસ્તાનના હાથમાંથી સરકી ચૂકી હતી.

ભૂતપૂર્વ કેપ્ટન Mohammad Hafeez એ પણ આ બાબતે મેનેજમેન્ટની ખુલ્લી ટીકા કરી. ઈશાન કિશન જ્યારે મેચનું દિશાનિર્દેશ કરી રહ્યો હતો, ત્યારે તરત જ તારિકને લાવવો જરૂરી હતો, જે નિર્ણય લેવામાં આવ્યો નહીં.

ભારત એક યુનિટ તરીકે, પાકિસ્તાન ટુકડાઓમાં

આ મેચમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સ્કિલ ગેપ સ્પષ્ટ રીતે જોવા મળ્યો. ભારતીય ટીમ એક સંપૂર્ણ યુનિટ તરીકે રમતી દેખાઈ. Hardik Pandya ની વેરિએશન્સ, Jasprit Bumrah ની ચોકસાઈ અને Axar Patel નું નિયંત્રણ સંપૂર્ણ સંતુલનમાં હતું.

બીજી તરફ, પાકિસ્તાની બેટ્સમેનોમાં ટેક્નિક અને ધૈર્યનો અભાવ જોવા મળ્યો. સ્પિન સામે ક્રીઝનો યોગ્ય ઉપયોગ ન કરવો તેમની સૌથી મોટી કમજોરી બની. સ્થિતિ એટલી ખરાબ હતી કે ટીમનો 10માં નંબરનો બેટ્સમેન બીજો સર્વોચ્ચ સ્કોરર રહ્યો. આ બાબતે Irfan Pathan એ કહ્યું, “હવે ભારત અને પાકિસ્તાન વચ્ચે મેદાન પર વાસ્તવિક સ્પર્ધા રહી નથી.”

Ind vs Pak મેચમાં ભારત સામે હાર બાદ પાકિસ્તાનની ટીમમાં ભૂકંપ, આ સ્ટાર ખેલાડીઓ પર લટકતી તલવાર

ગોલ્ડ, ETF કે બોન્ડ.. શેની ખરીદી અને વેચાણ પર લાગે છે સૌથી વધુ Tax ?

IND vs PAK T20 WC Breaking : સદી તરફ આગળ વધી રહ્યો હતો, 8 મી ઓવરમાં એવું શું થયું કે કિશન 3 બોલ પછી જ થઈ ગયો આઉટ

T20 વર્લ્ડ કપ 2026 માં પાકિસ્તાન સામેની મેચમાં ટીમ ઈન્ડિયા માટે ફક્ત એક જ બેટ્સમેને સારું પ્રદર્શન કર્યું હતું અને તે હતો ઈશાન કિશન. કોલંબોમાં 15 ફેબ્રુઆરીની સાંજે થયેલી આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પહેલા બેટિંગ કરી હતી અને ઈશાન કિશન ફરી એકવાર વિસ્ફોટક ઇનિંગ રમી હતી, જેમાં તેણે અડધી સદી ફટકારી હતી. પરંતુ જ્યારે ભારતીય ઓપનરની સદી નિશ્ચિત લાગતી હતી, ત્યારે કંઈક એવું બન્યું જેની તેની બેટિંગ પર અસર પડી અને તે આઉટ થઈ ગયો. આ આઠમી ઓવર પછી થયું, જેની ટીમ ઈન્ડિયાના સ્કોર પર પણ અસર પડી.

ઇશાનની ધમાકેદાર ઇનિંગ

રવિવારે પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી. અનેક વિવાદો પછી, આખરે મેચ શક્ય બની, અને ઇશાને તેની વિસ્ફોટક બેટિંગથી માહોલ બનાવી દીધો. મેચ પહેલા અભિષેક શર્મા ચર્ચામાં હતો, જેને પાકિસ્તાન માટે સૌથી મોટો ખતરો માનવામાં આવતો હતો, પરંતુ કહાની તેનાથી વિપરીત થઈ. અભિષેક પહેલી જ ઓવરમાં કોઈ રન બનાવ્યા વિના આઉટ થઈ ગયો, પરંતુ ઇશાને ધમાકેદાર ઇનિંગ રમી.

પગમાં થયેલી ઇજા ભારે પડી

આ ઇનિંગમાં ઇશાને પાકિસ્તાની બોલરોને બરબાદ કરી દીધા, માત્ર 27 બોલમાં અડધી સદી ફટકારી. ભારતીય ઇનિંગની આઠમી ઓવર સુધીમાં, ટીમ ઇન્ડિયાએ 82 રન બનાવી લીધા હતા, જેમાંથી એકલા ઇશાને 72 રન બનાવ્યા હતા. પરંતુ આ ઓવરના અંતે બધું બદલાઈ ગયું. હકીકતમાં, ઓવર પૂરી થતાંની સાથે જ, ઇશાનને પગમાં દુખાવો થવા લાગ્યો કારણ કે હેમસ્ટ્રિંગ ખેંચાઈ ગયું હતું, જેના કારણે તેને દોડવામાં મુશ્કેલી પડી રહી હતી.

ઈજા બાદ ત્રણ બોલમાં જ આઉટ

ટીમ ઈન્ડિયાના ફિઝિયોએ તેની તપાસ કરી, અને તે ફરીથી રમવા માટે તૈયાર થઈ ગયો. જોકે, ઈજાની અસર દેખાવા લાગી, અને તે લાંબો સમય ટકી શક્યો નહીં. બીજી ઓવરમાં, ઈશાન માત્ર ત્રણ બોલમાં જ આઉટ થઈ ગયો. સ્પિનર ​​સેમ અયુબની બોલ રમવાનો પ્રયાસ કરતી વખતે તે બોલ્ડ થઈ ગયો. પરંતુ પેવેલિયન પરત ફરતા પહેલા તેણે પોતાનું કામ કરી દીધું હતું. તેણે ભલે સદી ન ફટકારી હોય, પરંતુ ઈશાને માત્ર 40 બોલમાં 70 રન ફટકાર્યા, જેમાં 10 ચોગ્ગા અને ત્રણ છગ્ગાનો સમાવેશ થાય છે.

ઈશાન વિકેટકીપિંગ માટે ઉતર્યો

ઇશાંત શર્મા સિવાય બીજો કોઈ બેટ્સમેન આવી ઇનિંગ રમી શક્યો દમ પર જ ટીમ ઇન્ડિયા પાકિસ્તાન સામે 20 ઓવરમાં 175 રન બનાવી શકી. ઇશાંત શર્માની ઇજા ગંભીર ન હતી અને ટીમ ઇન્ડિયાની ઇનિંગના અંત પછી તેણે વિકેટકીપિંગની જવાબદારી સંભાળી લીધી.

IND vs PAK T20 WC Breaking : ઈશાન કિશને પાકિસ્તાન સામે રેકોર્ડબ્રેક અડધી સદી ફટકારી, પહેલીવાર આ સિદ્ધિ મેળવી

IND vs PAK T20 WC Breaking : ઈશાન કિશને પાકિસ્તાન સામે રેકોર્ડબ્રેક અડધી સદી ફટકારી

“ગુજરાતમાં મતોના વિભાજનથી કોંગ્રેસને નુકસાન, 60 ધારાસભ્યો ગુમાવ્યા”- પ્રતાપ દૂધાત

અમરેલી કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાત મહાશિવરાત્રિના દિવસે શિવજીના દર્શને ગયા હતા. જ્યાં તેમણે મીડિયાને સંબોધતા રાજુ કરપડાના રાજીનામા અને આપમાં ચાલી રહેલા આંતરિક વિખવાદને લઈ એવુ નિવેદન આપ્યુ કે ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચાઓ શરૂ થવા લાગી. એમ તો રાજકીય નિષ્ણાતો માને છે કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ ચૂંટણીમાં ચાલતો નથી અને નિષ્ણાતોની આ જ વાતને રિપિટ કરતા  પ્રતાપ દૂધાતે કહ્યું કે થર્ડ પાર્ટીના વિભાજન દ્વારા ગુજરાતને નુક્સાન થઈ રહ્યું છે. સાથે જ મત વિભાજનના કારણે કોંગ્રેસના 60 ધારાસભ્યો મટી ગયા હોવાનું નિવેદન આપ્યું છે.

તો બીજી તરફ રાજુ કરપડા રાજીનામા પર નિવેદન આપતા દૂધાતે કહ્યું કે ધીમે ધીમે સાવરણાની સળીઓ વિખાઈ રહી છે તે દેખાઈ આવે છે. તેમણે કહ્યુ વર્તમાન સ્થિતિ પ્રમાણે જે રાજકીય ગણિત બેસી રહ્યુ છે એ પ્રમાણે હવે પછી ઈસુદાનનો વારો છે. આ અગાઉ તેમણે રાજુ કરપડાના રાજીનામા પર ચોંકાવનારુ નિવેદન આપ્યુ હતુ. તેમણે કહ્યુ કે રાજુ કરપડાના જે હાલ થયા છે તેવા જ હાલ ઈસુદાન ગઢવીના થવાના છે. ઈસુદાન ગઢવીનો રાજકીય ભોગ લેવાશે. ઈટાલિયા આપને મુક્ત કરી ઝાડુ મારીને ભાજપમાં જા રહેશે. દૂધાતના આ નિવેદનોથી રાજકીય માહોલ ગરમાયો છે.

Input Credit- Rahul Bagda- Amreli

અમરેલીમાં ઉદ્યોગપતિના પુત્રની હેલિકોપ્ટરમાં આવી જાન, Video થયો વાયરલ

ગુજરાતનું ચેરાપૂંજી તરસ્યું! ડાંગના લવચાલી ગામમાં ઉનાળા પહેલા જ પાણી માટે પોકાર, મહિલાઓ જીવના જોખમે 1 કિમી દૂર જવા મજબૂર

ડાંગ જિલ્લાના સુબિર તાલુકામાં આવેલા લવચાલી ગામમાં ઉનાળાની શરૂઆત પહેલા જ ગંભીર જળ સંકટ સર્જાયું છે. છેલ્લા 26 વર્ષથી ધાણા જૂથ યોજના હેઠળ દહેર ગામથી મળતું પાણી એકાએક બંધ કરી દેવાતા સ્થાનિકો પીવા માટે ટીપે-ટીપે પાણી માટે વલખાં મારી રહ્યા છે. ગામ ઊંચાઈ પર હોવાથી મહિલાઓને 1 કિલોમીટર દૂર જોખમી રસ્તે ચાલીને પાણી લેવા જવું પડે છે.

ગામલોકોની અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા પાણી કેમ બંધ કરાયું તેનો સંતોષકારક જવાબ મળ્યો નથી. ઉનાળાની શરૂઆત પહેલા જ લવચાલી ગામમાં જળ સંકટ ઘેરાયું છે. 26 વર્ષથી ચાલતી યોજના એકાએક બંધ કરી દેવામાં આવી છે.

શું સરકાર અને તંત્ર આ ગંભીર સ્થિતિની નોંધ લેશે? કે પછી વાતાનુકૂલિત ઓફિસોમાં બેઠેલા કર્મચારીઓ વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ પર આવી જ રીતે પાણી ફેરવતા રહેશે? જનતા હવે માત્ર આશ્વાસન નહીં, પણ ‘નળમાં પાણી’ માંગી રહી છે. જો સમસ્યા નહીં ઉકેલાય, તો ચૂંટણી બહિષ્કારનો મિજાજ સ્પષ્ટ બતાવે છે કે લોકો હવે છેતરાવા તૈયાર નથી.

મહુડી મંદિર ટ્રસ્ટનો વિવાદ ઘેરો, સોનાની ઉચાપતના આરોપો પર આક્ષેપબાજી, વાંચવા માટે અહીં ક્લિક કરો

આણંદ: કરમસદની મેડિકલ હોસ્પિટલ વિવાદના વમળમાં, આયુષ્માન કાર્ડ સ્વીકારવાનો ઇનકાર કરી દર્દી પાસે મસમોટું બિલ વસૂલ્યું

આણંદના કરમસદ સ્થિત શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. શ્વાસની તકલીફ ધરાવતા એક દર્દીને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ હોસ્પિટલ તંત્રએ આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. દર્દીના પરિવારે આક્ષેપ કર્યો છે કે હોસ્પિટલે પરાણે 60 હજાર રૂપિયાનું બિલ વસૂલ્યું છે.

આ દરમિયાન હોસ્પિટલ સ્ટાફ અને દર્દીના સગા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેમાં સ્ટાફ સભ્ય દર્દીના પરિવાર પર રોફ ઝાડતો હોય તેવો વીડિયો વાયરલ થયો છે. સામે પક્ષે હોસ્પિટલે પણ દર્દીના સંબંધીઓ પર અભદ્ર વર્તનના પ્રતિઆક્ષેપ કર્યા છે. હાલ પીડિત પરિવારે આ મનસ્વી વહીવટ સામે કડક પગલાં લેવાની માંગ કરી છે.

ગરીબ જનતા માટે આશીર્વાદ સમાન બનેલી સરકારી યોજનાઓનો અમલ કરવાને બદલે, કરમસદ જેવી હોસ્પિટલોમાં દર્દીઓને આયુષ્માન કાર્ડ હોવા છતાં હેરાન કરવામાં આવે છે અને મસમોટા બિલ વસૂલવામાં આવે છે. પીએમ મોદીના ડિજિટલ ઇન્ડિયા અને હેલ્થ મિશનના સપનાને આવા ‘રોફ ઝાડતા’ કર્મચારીઓ જ ધૂળમાં મેળવી રહ્યા છે. શું આવા સંવેદનહીન સ્ટાફ સામે સરકાર કડક પગલાં લેશે ખરા?

ગુજરાતમાં પ્રથમ લાંબા અંતરની રોબોટિક ટેલી-સર્જરી સફળ, વાંચવા માટે અહીં ક્લિક કરો

T20 World Cup Breaking : માંડ-માંડ જીત્યું ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડને હરાવતા સુપર-8 ની આશા જીવંત

2026 ના T20 વર્લ્ડ કપમાં, મુખ્ય ટીમો જીતવા માટે સંઘર્ષ કરી રહી છે, અને અપસેટનો ભય હજુ પણ છે. ઓસ્ટ્રેલિયાની હાર બાદ, ઇંગ્લેન્ડે આવા અપસેટથી માંડ બચી શક્યું. હેરી બ્રુકની આગેવાની હેઠળ ઇંગ્લેન્ડે તેમની ત્રીજી મેચમાં સ્કોટલેન્ડને 5 વિકેટથી હરાવ્યું. કોલકાતામાં રમાયેલી આ મેચમાં, સ્કોટલેન્ડે 152 રન બનાવ્યા, પરંતુ આ લક્ષ્ય પ્રાપ્ત કરવું પણ મુશ્કેલ સાબિત થયું. આખરે, ટોમ બેન્ટનની શાનદાર અડધી સદીના કારણે, ઇંગ્લેન્ડે વિજય મેળવ્યો અને સુપર 8 માં પોતાની આશા જીવંત રાખી.

આર્ચર-બેન્ટનના દમ પર ઈંગ્લેન્ડ જીત્યું

14 ફેબ્રુઆરી, શનિવારે ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી આ મેચ બંને ટીમો માટે મહત્વપૂર્ણ હતી. બંને ટીમોના બે-બે પોઈન્ટ હતા અને આગામી રાઉન્ડમાં જવા માટે જીતની જરૂર હતી. ઈંગ્લેન્ડની બોલિંગમાં બોલરોએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર (2/24) અને અનુભવી સ્પિનર ​​આદિલ રશીદ (3/36) એ સ્કોટલેન્ડને ઉચ્ચ સ્કોર સુધી પહોંચતા અટકાવ્યું. કેપ્ટન રિચી બેરિંગ્ટન (49) અને માઈકલ જોન્સ (33) એ સ્કોટલેન્ડને 152 સુધી પહોંચવામાં મદદ કરી.

19 મી ઓવરમાં જીત મળી

પરંતુ જવાબમાં, ઇંગ્લેન્ડની સ્થિતિ પણ ખરાબ હતી, બંને ઓપનર ફક્ત 13 રનમાં આઉટ થઈ ગયા હતા. કેપ્ટન હેરી બ્રુક (4) સહિત ચાર વિકેટ કુલ 86 રનમાં પડી ગઈ હતી. ઇંગ્લેન્ડની સ્થિતિ ખરાબ દેખાઈ રહી હતી. પરંતુ આ સમયે, ટોમ બેન્ટને ઇનિંગ્સને સ્થિર કરી. બેન્ટને પહેલા જેકબ બેથેલ (32) સાથે 66 રનની મહત્વપૂર્ણ ભાગીદારી કરી અને પછી સેમ કરન (28) સાથે 46 રનની પાર્ટનરશીપ કરીને ટીમને બચાવી અને 19મી ઓવરમાં વિજય અપાવ્યો. બેન્ટન 41 બોલમાં 63 રન બનાવીને અણનમ રહ્યો.

 

ગ્રુપ C ના પોઈન્ટ ટેબલની આ સ્થિતિ

આ જીતથી ઇંગ્લેન્ડની સુપર 8 માં પહોંચવાની આશા ફરી જીવંત થઈ ગઈ છે, જ્યારે સ્કોટલેન્ડને મોટો ફટકો પડ્યો છે. આ મેચ પહેલા ઇંગ્લેન્ડ ગ્રુપ C માં ચોથા સ્થાને સરકી ગયું હતું. જોકે, આ જીત પછી, તેમના ત્રણ મેચમાંથી ચાર પોઈન્ટ છે, જે તેમને વેસ્ટ ઈન્ડિઝ પાછળ બીજા સ્થાને રાખે છે. તેમનો અંતિમ મુકાબલો ઇટાલી સામે છે, જ્યાં જીત તેમને આગામી રાઉન્ડમાં પ્રવેશ અપાવી શકે છે.

સ્કોટલેન્ડનું આગળના રાઉન્ડમાં પહોંચવું મુશ્કેલ

ત્રણ મેચમાં બે હાર બાદ સ્કોટલેન્ડના ફક્ત બે પોઈન્ટ છે. તેમનો અંતિમ મુકાબલો નેપાળ સામે છે. જો સ્કોટિશ ટીમ આ મેચ જીતી જાય, તો પણ તેમને આશા રાખવી પડશે કે ઇંગ્લેન્ડ અથવા વેસ્ટ ઈન્ડિઝ ફક્ત ચાર પોઈન્ટ સુધી મર્યાદિત રહે, જે લગભગ અસંભવ છે.

T20 World Cup Breaking : T20 વર્લ્ડ કપમાં સૌથી મોટી ઉંમરના ખેલાડીની ફિફ્ટીનો રેકોર્ડ 48 કલાકમાં જ તૂટી ગયો

Girlfriend on Rent : અહીં ભાડે મળે છે ગર્લફ્રેન્ડ, જણાવ માટે અહીં ક્લિક કરો

Breaking News : ગુજરાતમાં તાપમાન 42°C પાર જવાની આગાહી, આ વર્ષે ગરમી તોડશે બધા રેકોર્ડ!

રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. બપોરે ઉનાળાની ગરમી અનુભવાય છે, જ્યારે રાત્રે અને વહેલી સવારે ઠંડીનો સ્પર્શ રહે છે. આ બદલાતા હવામાન વચ્ચે હવે ગરમીને લઈને જે ભવિષ્યવાણી સામે આવી છે તે ચોંકાવનારી છે. 2025ના ઉનાળામાં અપેક્ષા મુજબ આકરી ગરમી પડી નહોતી અને કમોસમી વરસાદના અનેક રાઉન્ડને કારણે તાપમાન ખાસ વધી શક્યું નહોતું. પરંતુ હવે ફેબ્રુઆરી મહિનામાં જ તાપમાન 41 ડિગ્રીની નજીક પહોંચી શકે તેવી આગાહી કરવામાં આવી છે, જેને કારણે આ વર્ષે ગરમી જૂના તમામ રેકોર્ડ તોડી શકે તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. જાણકારોનું માનવું છે કે સરેરાશ તાપમાનમાં 1થી 2 ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે અને માર્ચથી જૂન દરમિયાન ગુજરાતમાં પ્રચંડ ગરમીનો કહેર જોવા મળી શકે છે.

ગુજરાતમાં શિયાળાની વિદાય અને ઉનાળાના આગમનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ફેબ્રુઆરીમાં જ માર્ચ જેવી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલએ આગાહી કરી છે કે આગામી 48 કલાકમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવી શકે છે. પશ્ચિમી વિક્ષેપના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વાદળછાયું આકાશ જોવા મળી શકે છે, જ્યારે દક્ષિણ ગુજરાત, કચ્છ અને સરહદી વિસ્તારોમાં માવઠાના એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. અરબ સાગર અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાની શક્યતા છે, જેના પરિણામે ઉત્તર ભારતમાં હિમવર્ષાના સંકેત પણ મળી રહ્યા છે.

બેવડી ઋતુના કારણે આરોગ્ય પર પણ અસર જોવા મળી શકે છે. હવામાનમાં અચાનક ફેરફાર થતાં શરદી, ઉધરસ અને તાવ જેવા રોગોમાં વધારો થવાની શક્યતા છે. સાથે સાથે પાકમાં પણ રોગચાળો ફેલાવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ખેડૂતોને આગોતરું આયોજન કરી પાકને નુકસાનથી બચાવવા અપીલ કરવામાં આવી છે.

વૈશ્વિક સ્તરે પણ હવામાનમાં મોટા પાયે પલટો આવવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને વધતા તાપમાનને કારણે 2026 વર્ષ સૌથી વધુ ગરમ વર્ષોમાંનું એક બની શકે છે. અંદાજ મુજબ વૈશ્વિક સરેરાશ તાપમાનમાં 1.4 ડિગ્રી સુધીનો વધારો નોંધાઈ શકે છે. તેના પ્રભાવથી ભારત સહિત અનેક દેશોમાં ગરમીનો ભીષણ કહેર જોવા મળી શકે છે.

ગુજરાતમાં ખાસ કરીને માર્ચથી જૂન દરમિયાન તાપમાન 42 ડિગ્રીથી ઉપર જઈ શકે છે અને હીટવેવની સ્થિતિ લાંબા સમય સુધી રહી શકે છે. સામાન્ય રીતે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ઉનાળામાં ચારથી સાત હીટવેવ દિવસ જોવા મળે છે, પરંતુ આ વર્ષે તે સંખ્યા સાતથી દસ અથવા તેનાથી વધુ પણ થઈ શકે છે. આમ, આ વર્ષે ગરમી ત્રાટકવાની સંપૂર્ણ શક્યતા છે અને લોકો માટે સાવચેતી રાખવી જરૂરી બની રહેશે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

IND vs PAK T20 WC Breaking: અભિષેક શર્મા રમશે કે નહીં? સૂર્યકુમાર યાદવે પાકિસ્તાની કેપ્ટનને જવાબ આપતા કરી જાહેરાત

પોતું કરતી વખતે પાણીમાં આ બે વસ્તુઓ મિક્સ કરો, ઘરનું ફ્લોર કાચની જેમ ચમકશે…

Video : ભક્તિ અને સેવાનો અનોખો સંગમ, જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળામાં સંત ભંડારો

જૂનાગઢની પાવન ધરામાં યોજાયેલા સંત ભંડારાએ મહાશિવરાત્રીના મેળામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ સર્જ્યો. મોટી સંખ્યામાં સંતો અને શ્રદ્ધાળુઓની હાજરીથી સમગ્ર વાતાવરણ ભજન, ભક્તિ અને સેવાભાવથી ગુંજાયમાન બન્યું હતું.

જૂનાગઢની ધરા સદીઓથી ભજન અને ભક્તિના સંગમ તરીકે ઓળખાય છે. મહાશિવરાત્રીના પાવન પર્વ દરમિયાન અહીં લાખો ભક્તો ઉમટી પડે છે. ભક્તોની સુવિધા અને સેવાભાવના હેતુથી દર વર્ષે અવિરત અન્નક્ષેત્રનું આયોજન કરવામાં આવે છે, જેમાં કોઈપણ ભેદભાવ વિના સૌને ભોજન પ્રસાદ આપવામાં આવે છે.

આ વર્ષે શ્રી કેશવાનંદ બાપુ અન્નક્ષેત્રમાં પૂજ્ય માં કનકેશ્વરી દેવીના સાનિધ્ય હેઠળ સંતો માટે વિશાળ ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિવરાત્રી મેળાના ત્રીજા દિવસે અગ્નિ, જૂના અને આવાહન અખાડાના હજારો સાધુ-સંતોએ ભંડારામાં ભોજન પ્રસાદ ગ્રહણ કર્યો હતો.

મહત્વનું છે કે 11 થી 16 ફેબ્રુઆરી દરમિયાન જૂનાગઢમાં લાખો શ્રદ્ધાળુઓ માટે અવિરત ભોજન પ્રસાદની સેવા સતત ચાલુ રહેશે. આ સેવાકાર્ય દ્વારા ભક્તોને આધ્યાત્મિક સંતોષ સાથે માનવસેવાનો અનુભવ પણ પ્રાપ્ત થાય છે.

આ ઉપરાંત મોરબીના ખોખરા હનુમાન હરિહર ધામ દ્વારા પણ અન્નક્ષેત્રનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ભંડારા અને અન્નક્ષેત્રમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ ભોજન પ્રસાદ લઈને ધન્યતાનો અનુભવ કર્યો હતો.

ગુજરાતના 5 અમીર બિઝનેસમેન કોણ? જાણવા માટે અહીં ક્લિક કરો..

IND vs PAK T20 WC Breaking: 15 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાનની ટક્કર, જાણો મેચ ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી લાઈવ

વિવાદનો અંત આવ્યો છે, મામલો ઠંડો પડી ગયો છે, અને રાહ પૂરી થવાની છે. જે મેચે ખૂબ જ હોબાળો મચાવ્યો હતો અને જેના રમાવાને લઈ અસમંજસ હતું તે મેચનો સમય આખરે આવી ગયો છે. ભારત અને પાકિસ્તાન ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026માં ટકરાશે. બંને ટીમો 15 ફેબ્રુઆરી, રવિવારના રોજ તેમના ગ્રુપ સ્ટેજ મેચમાં ટકરાશે. આ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આ ફક્ત ત્રીજી મેચ હશે, અને વિજેતા ટીમ આગળના રાઉન્ડમાં જશે.

ભારત vs પાકિસ્તાન

થોડા દિવસો પહેલા જ ભારત-પાકિસ્તાન મેચ યોજાશે કે નહીં તે મોટો સવાલ હતો. બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા પછી પાકિસ્તાને ટુર્નામેન્ટમાં ભારત સામેની મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી. લગભગ એક અઠવાડિયાની ચર્ચા પછી મામલો ઉકેલાઈ ગયો અને પાકિસ્તાને પોતાનો બહિષ્કાર પાછો ખેંચી લીધો. આનો અર્થ એ થયો કે ક્રિકેટ ચાહકોને ફરી એકવાર વિશ્વ ક્રિકેટના બે સૌથી મોટા હરીફોને એકબીજા સાથે રમતા જોવાની તક મળશે. પરંતુ મેચ કયા સમયે શરૂ થશે, ક્યાં રમાશે અને કેવી રીતે જોવામાં આવશે? આ બધા પ્રશ્નોના જવાબો અહીં મળી શકે છે.

ભારત-પાકિસ્તાનની મેચ ક્યારે રમાશે?

T20 વર્લ્ડ કપ 2026 માં ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ A ની આ મેચ રવિવાર, 15 ફેબ્રુઆરીના રોજ રમાશે.

ટોસ કેટલા વાગ્યે થશે, મેચ ક્યારે શરૂ થશે?

આ ભારત-પાકિસ્તાન મેચ માટે ટોસ સાંજે 6:30 વાગ્યે (ભારતીય સમય મુજબ) થશે, જ્યારે મેચ અડધા કલાક પછી એટલે કે સાંજે 7 વાગ્યે (ભારતીય સમય મુજબ) શરૂ થશે.

આ મેચ ક્યાં રમાશે?

T20 વર્લ્ડ કપ 2026 ના સૌથી વધુ ચર્ચિત આ ભારત-પાકિસ્તાન મેચ શ્રીલંકાની રાજધાની કોલંબોમાં આવેલ આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.

ટીવી પર મેચ લાઈવ કેવી રીતે જોવી?

ભારતમાં આ મેચનું ટીવી પર લાઇવ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સની વિવિધ ચેનલો પર થશે. આ મેચનું સ્ટાર સ્પોર્ટ્સ 1, સ્ટાર સ્પોર્ટ્સ 1 HD અને સ્ટાર સ્પોર્ટ્સ 2 જેવી ચેનલો પર લાઇવ પ્રસારણ કરવામાં આવશે.

લાઈવ ઓનલાઈન સ્ટ્રીમિંગ ક્યાં થશે?

T20 વર્લ્ડ કપ 2026 ની બધી મેચોની જેમ, ભારત-પાકિસ્તાન મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ પણ ડિઝની+ હોટસ્ટાર (Disney+ Hotstar) એપ અને વેબસાઇટ પર થશે.

IND vs PAK T20 WC Breaking: ભારત-પાકિસ્તાન મેચમાં ફરી સંકટના વાદળો, 15 ફેબ્રુઆરીએ શ્રીલંકામાં ભારે વરસાદની આગાહી

Post Office ની ધાંસૂ સ્કીમ, દરરોજ ફક્ત 200 રૂપિયા બચાવી ભેગું થશે 10 લાખનું ફંડ

T20 WC Breaking : ઝિમ્બાબ્વેની જીત ટીમ ઈન્ડિયા માટે ‘શુભ સંકેત’, T20 વર્લ્ડ કપ 2026 માં ભારત બનશે વર્લ્ડ ચેમ્પિયન!

Breaking News : ગુજરાતમાં રેશનકાર્ડના બદલે ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ, સરકારનો મોટો નિર્ણય

ગુજરાતમાં સસ્તા અનાજની દુકાનો અંગે ભ્રષ્ટાચાર અને ગુણવત્તા સંબંધિત ફરિયાદો વર્ષોથી સાંભળવા મળે છે. લાભાર્થીઓને આપવામાં આવતા અનાજમાં ગેરરીતિ, સગેવગે અથવા ઓછું વજન જેવી સમસ્યાઓની ફરિયાદો વારંવાર રાજ્યના ગુજરાત રાજ્ય અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ સુધી પહોંચતી રહી છે. આ પરિસ્થિતિમાં કાયમી ઉકેલ લાવવા માટે રાજ્ય સરકાર હવે એક મહત્વપૂર્ણ પગલું ભરવા જઈ રહી છે.

ગુજરાત સરકાર ટૂંક સમયમાં પરંપરાગત રેશનકાર્ડની જગ્યાએ ડિજિટલ ફૂડ કૂપન સિસ્ટમ લોન્ચ કરશે. નવી વ્યવસ્થામાં લાભાર્થીઓને ફિંગરપ્રિન્ટ આપવાની જરૂર નહીં રહે, પરંતુ ક્યુઆર કોડ સ્કેન કરીને તેમને મળવાપાત્ર જથ્થો મળી શકશે. આ ટેક્નોલોજી આધારિત વ્યવસ્થાથી વિતરણ પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે.

સરકારના અનુમાન મુજબ આ બદલાવથી ગાંધીનગરથી લઈને અંતિમ લાભાર્થી સુધી રિયલ ટાઈમ મોનીટરીંગ શક્ય બનશે. કયા લાભાર્થીએ કેટલો જથ્થો લીધો, ક્યારે લીધો અને દુકાન પર કેટલું અનાજ પહોંચ્યું તેની સંપૂર્ણ માહિતી તાત્કાલિક ઉપલબ્ધ રહેશે. પરિણામે અનાજ સગેવગે થવા, ઓછું આપવાની અથવા ગેરરીતિની ફરિયાદોમાં ઘટાડો થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

આ સાથે જ હવે તુવેરની દાળ લાભાર્થીઓને ખુલ્લી નહીં પરંતુ પેકિંગમાં આપવામાં આવશે. પેકિંગ વ્યવસ્થાથી ગુણવત્તા જાળવાશે, ઓછું વજન આપવાની શક્યતા ઘટશે અને સગેવગે થવા જેવી સમસ્યાઓ પણ ઓછી થશે.

નવી વ્યવસ્થાના ભાગરૂપે અમદાવાદના સાબરમતી વિસ્તારમાં 15મી તારીખથી રાજ્યનું પ્રથમ અનાજ એટીએમ શરૂ થવા જઈ રહ્યું છે. ત્યારબાદ વર્ષના અંત સુધીમાં દરેક જિલ્લામાં અનાજ એટીએમ સ્થાપિત કરવાની યોજના છે. આ સુવિધાથી લાભાર્થીઓ પોતાની અનુકૂળતા મુજબ અને સમયસર અનાજ મેળવી શકશે.

લાભાર્થીઓનું કહેવું છે કે હાલની સિસ્ટમમાં ગુણવત્તા સંબંધિત ફરિયાદો તેમજ સર્વર ડાઉન જેવી સમસ્યાઓ ઘણીવાર સર્જાય છે. જો નવી ડિજિટલ વ્યવસ્થાથી આ ખામીઓ દૂર થાય તો તે લાભાર્થીઓ માટે અત્યંત લાભદાયી સાબિત થશે.

રાજ્યમાં હાલમાં અંદાજે 3 કરોડ લોકો દર મહિને સરકારી અનાજ વ્યવસ્થાનો લાભ લે છે. જો આ નવી સિસ્ટમ સફળતાપૂર્વક અમલમાં મુકાઈ અને યોગ્ય રીતે કાર્યરત રહે, તો તે પારદર્શકતા, ગુણવત્તા અને સુવિધા ત્રણેય ક્ષેત્રમાં નોંધપાત્ર સુધારો લાવી શકે છે.

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

ભારતમાં ટેક્સીનો ઇતિહાસ : જાણો ક્યારે અને કયા શહેરમાં દોડી હતી દેશની પ્રથમ ટેક્સી ?

તાજેતરમાં, ભારત ટેક્સી સેવા દિલ્હી-એનસીઆરમાં સત્તાવાર રીતે શરૂ કરવામાં આવી હતી. હાલમાં, તે મુખ્યત્વે દિલ્હીમાં ઉપલબ્ધ છે, પરંતુ ધીમે ધીમે અન્ય મોટા શહેરોમાં પણ વિસ્તરશે. શું તમે જાણો છો કે ભારતમાં ટેક્સીઓ ક્યારે શરૂ થઈ? કયા શહેરમાં? તે કોની માલિકીની હતી? અને કોણ ચલાવતું હતું? તેમની વાર્તાઓ અસંખ્ય છે. માર્ગ દ્વારા, ભારતમાં ટેક્સીઓ 100 વર્ષથી વધુ સમયથી કાર્યરત છે.

તેથી, એમ કહી શકાય કે ભારતની ટેક્સીની વાર્તા મોટાભાગના લોકો જે સમજે છે તેના કરતાં ઘણી જૂની અને વધુ રંગીન છે. ભારતમાં ટેક્સીઓની શરૂઆત 1911-1912 ની આસપાસ મુંબઈમાં થઈ હતી. ભારત યુરોપની બહાર ટેક્સીઓનો ઉપયોગ કરનારા પ્રથમ દેશોમાંનો એક બન્યો. તે સમયે આ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હતી, અને તે જિજ્ઞાસાનો સ્ત્રોત હતી.

બાય ધ વે, ભારતીય શહેરોમાં મોટર ટેક્સીઓના આગમન પહેલાં, ઘોડાગાડીઓ સામાન્ય હતી. 1900 ના દાયકાની શરૂઆતમાં જ્યારે મોટર કાર ભારતમાં આવી, ત્યારે મુંબઈમાં શ્રીમંત પારસીઓ અને બ્રિટિશ અધિકારીઓને તરત જ વ્યવસાયની તક દેખાઈ. તેથી, જ્યારે મુંબઈમાં મોટર ટેક્સીઓ પહેલી વાર શેરીઓમાં આવી, ત્યારે તે પારસીઓની માલિકીની હતી. દોરાબજી ટાટા પાસે ઘણી ટેક્સીઓ હતી. પારસી ગેરેજ માલિકો ઈંગ્લેન્ડથી કાર આયાત કરતા હતા.

તે સમયે, ભારતમાં ફિયાટ, હમ્બર અને ઓસ્ટિન જેવી કારનો ઉપયોગ ટેક્સી તરીકે થતો હતો. તે કલાકના ભાડા પર મળતી હતી. યુરોપિયન અધિકારીઓ, શ્રીમંત ભારતીય ઉદ્યોગપતિઓ અને તાજમહેલ અને વોટસન જેવી ફાઇવ સ્ટાર હોટેલો તેમની સેવાઓનો ઉપયોગ કરતી હતી.

ટેક્સી મીટર કેવી રીતે આવ્યું?

શરૂઆતમાં, ભાડાની વાટાઘાટો મૌખિક રીતે કરવામાં આવતી હતી, જેના કારણે અંધાધૂંધી અને છેતરપિંડી થતી હતી. તેથી, 1912-1913માં મુંબઈમાં ટેક્સીઓમાં મીટર શરૂ કરવામાં આવ્યા. આ યાંત્રિક ટેક્સી મીટર બ્રિટનથી આયાત કરવામાં આવ્યા હતા. તે સમયે, ઘણા ડ્રાઇવરો મીટર પર અવિશ્વાસ કરતા હતા, તેમને છેતરપિંડી કરનારા મશીનો માનતા હતા. ડ્રાઇવરો મીટર વિશે કહેતા હતા, “આ લોખંડનું બોક્સ પૈસા ખાઈ જાય છે.” મુસાફરો ધારતા હતા કે ડ્રાઇવર તેમની સાથે છેડછાડ કરી રહ્યો છે.

ત્યારે ટેક્સીઓ કોણ વાપરતું હતું?

ભારતમાં ટેક્સીઓ સૌપ્રથમ મુંબઈમાં દેખાઈ હતી તેમાં કોઈ શંકા નથી. ત્યારબાદ કોલકાતા અને પછી દિલ્હી આવ્યું. દિલ્હીમાં, તેનો ઉપયોગ મોટાભાગે બ્રિટિશ અધિકારીઓ અને રાજદ્વારીઓ દ્વારા કરવામાં આવતો હતો. તે સમયે, મોટી અમેરિકન કાર ટેક્સી તરીકે વધુ લોકપ્રિય હતી. આજે તમે જે કાળી અને પીળી બોમ્બે ટેક્સીઓ જુઓ છો તે 1930 અને 1940 ના દાયકા સુધીમાં પ્રતિષ્ઠિત બની ગઈ.

શરૂઆતના ટેક્સી ડ્રાઇવરો મોટાભાગે કોંકણ, ઉત્તર પ્રદેશ અને પંજાબના હતા. તેમાંના ઘણા ભૂતપૂર્વ આર્મી મિકેનિક હતા જેમણે નોકરી દરમિયાન આ વ્યવસાય શીખ્યો હતો. જોકે, તે સમયે ટેક્સી ચલાવવા માટે ઘણા કલાકો સુધી કામ કરવું પડતું હતું અને અંગ્રેજી શેરીઓના નામ યાદ રાખવા પડતા હતા. સ્વતંત્રતા પછી, ફિયાટની પ્રીમિયર પદ્મિની ભારતીય ટેક્સીઓની રાજા બની, ખાસ કરીને મુંબઈમાં. આ ટેક્સીઓ ત્યાં 30-40 વર્ષ સુધી કાર્યરત રહી.

2000 ના દાયકામાં રેડિયો ટેક્સીઓ શરૂ થઈ. 2013 પછી, ઓલા અને ઉબેરે બધું બદલી નાખ્યું. જોકે, મુંબઈ અને કોલકાતામાં હજુ પણ જૂની શૈલીની ટેક્સીઓ ટકી રહી છે.

ટેક્સી શબ્દ ક્યાંથી આવ્યો?

ટેક્સી શબ્દ ફ્રેન્ચ શબ્દ ટેક્સીમીટર પરથી આવ્યો છે, જેનો અર્થ “ભાડું મીટર” થાય છે. આ શબ્દ લેટિન શબ્દ ટેક્સા પરથી પણ આવ્યો છે, જેનો અર્થ ફી અથવા દર થાય છે. પેરિસમાં 19મી સદીના અંતમાં ઘોડાગાડીઓ (હેકની ગાડીઓ) માટે ટેક્સીમીટરનો ઉપયોગ શરૂ થયો, જે અંતરના આધારે ભાડા માપતા હતા.

જ્યારે લોકો આ ગતિશીલ મશીનથી ડરતા હતા

1912 ની આસપાસ જ્યારે મુંબઈની શેરીઓમાં મોટર ટેક્સીઓ દોડી આવી, ત્યારે ઘણા ભારતીય રાહદારીઓ તેનાથી દૂર રહેતા હતા. અખબારોમાં ફરિયાદો પ્રકાશિત થઈ કે આ મશીનો ઘોડાઓને ગાંડા બનાવી દે છે. કેટલાક વિસ્તારોમાં, ટેક્સીઓને ફક્ત દિવસ દરમિયાન ચલાવવાની મંજૂરી હતી, રાત્રે નહીં.

પારસી ટેક્સી ડ્રાઈવર અને બ્રિટિશ અધિકારી

1910 અને 1930 ના દાયકામાં, મોટાભાગની ટેક્સીઓ પારસી માલિકોની માલિકીની હતી. ડ્રાઇવરોને કડક સૂચના આપવામાં આવી હતી કે તેઓ બ્રિટિશ અધિકારીઓ સાથે દલીલ ન કરે, તેમની ટોપીઓ અને કોટ વ્યવસ્થિત રાખે અને દારૂ પીને વાહન ન ચલાવે.

કોલકાતામાં ઘોડા અને ટેક્સી વચ્ચે યુદ્ધ

જ્યારે કોલકાતામાં ટેક્સીઓ શરૂ થઈ, ત્યારે ટોંગા યુનિયને ખુલ્લેઆમ વિરોધ કર્યો. ટેક્સી ડ્રાઈવરો પર પથ્થરમારો કરવામાં આવ્યો. કેટલીક ટેક્સીઓના ટાયર કાપવામાં આવ્યા. મ્યુનિસિપલ કોર્પોરેશનને કયા રસ્તાઓ પર કોણ વાહન ચલાવી શકે તે માટે અલગ નિયમો બનાવવા પડ્યા.

એક વર્ષમાં 41.68 અબજ SPAM કોલ્સ! શું ભારત બની ગયું છે સ્કેમર્સનું નવું હબ?, વાંચવા માટે અહીં ક્લિક કરો

સાવધાન ! મોબાઈલમાંથી નેટવર્ક ગયું અને બેંક ખાતું સાફ : જાણો ઈ-સિમ દ્વારા મહિલા સાથે કેવી રીતે થઈ લાખોની છેતરપિંડી

મુંબઈની એક મહિલાને ઈ-સિમની આડમાં સાયબર ગુનેગારોએ નિશાન બનાવી હતી. થોડી જ મિનિટોમાં તેના બેંક ખાતામાંથી ₹1.1 મિલિયન ઉપાડી લેવામાં આવ્યા હતા. આ માહિતી સાયબર દોસ્ત I4C દ્વારા X પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં શેર કરવામાં આવી હતી. સાયબર દોસ્ત I4C એ ગૃહ મંત્રાલય હેઠળની એક નોડલ એજન્સી છે. સાયબર દોસ્તનું કામ સાયબર કૌભાંડો વિશે જનજાગૃતિ લાવવાનું છે. હવે, ચાલો ઈ-સિમ છેતરપિંડી પર પાછા ફરીએ.

ટેલિકોમ કંપનીના કર્મચારી તરીકે કોલ કરે છે

સાયબર સ્કેમર્સ ટેલિકોમ કંપનીના કર્મચારીઓ તરીકે પોતાને રજૂ કરે છે અને તમારો સંપર્ક કરે છે, તમારા સિમને અપગ્રેડ કરવાનું અથવા ઇ-સિમમાં કન્વર્ટ કરવાનું વચન આપે છે. ઇ-સિમ મૂળભૂત રીતે એક વર્ચ્યુઅલ સિમ છે.

સિમ રીન્યુ માટે ગેરમાર્ગે દોરે છે

સાયબર સ્કેમર્સ ઈ-સિમનો પ્રચાર કરવા માટે વિવિધ બહાનાઓનો ઉપયોગ કરે છે. ક્યારેક તેઓ કહેશે કે તમારું જૂનું સિમ ખરાબ થઈ ગયું છે, તો ક્યારેક તેઓ કહેશે કે ઈ-સિમ સારા નેટવર્ક અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી માટે ઉપયોગી છે.

ગ્રાહકની સંમતિ પછી આગળના પગલાં

એકવાર ગ્રાહકો ઈ-સિમ માટે સંમત થાય છે, પછી સાયબર ગુનેગારો આગળનું પગલું ભરે છે. તેઓ પીડિતને લિંક પર ક્લિક કરવા અથવા તેમનો OTP શેર કરવા કહે છે.

OTP અને લિંક સાથે આ ભૂલ ન કરો

એકવાર લિંક અથવા OTP શેર થઈ જાય, પછી સાયબર ગુનેગારો તરત જ તેમના ફોનમાં eSIM ઉમેરી દે છે. આનાથી તેમને બેંકિંગ એપ્સ, UPI અને ક્રેડિટ કાર્ડ સંબંધિત તમામ OTP ની ઍક્સેસ મળે છે.

તેઓ તરત જ બેંક ખાતા ખાલી કરવા માટેની પ્રક્રિયા શરું કરી દે છે

ત્યારબાદ સ્કેમર્સ ઝડપથી બધા બેંક ખાતા, ક્રેડિટ કાર્ડ અને UPI ખાતા ખાલી કરી દે છે. પીડિત સમજી શકે તે પહેલાં જ, પૈસા ખચ્ચર ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે અને ઉપાડી લેવામાં આવે છે.

ઈ-સિમ છેતરપિંડીથી કેવી રીતે બચવું?

  • અજાણ્યા ક્વિક રિસ્પોન્સ કોડ્સ (QR કોડ્સ) સ્કેન કરશો નહીં.
  • KYC અપડેટના નામે કોઈપણ અજાણ્યા કોલ પર વિશ્વાસ ન કરો.
  • ટેલિકોમની સત્તાવાર એપ્લિકેશન અથવા વેબસાઇટ પરથી જ ઇ-સિમ સક્રિય કરો.
  • તમારા બેંક ખાતામાં હંમેશા સિમ ચેન્જ એલર્ટ ચાલુ રાખો.

સલામતી માટે આ બાબતો યાદ રાખો

સલામતી માટે, અજાણ્યાઓ સાથે તમારા OTP શેર ન કરવા મહત્વપૂર્ણ છે. કોઈપણ લિંક પર ક્લિક કરશો નહીં. જો તમને ઈ-સિમની જરૂર હોય, તો સીધા કંપનીના આઉટલેટ પર જાઓ અને મદદ માટે પૂછો.

ટેકનોલોજી ક્ષેત્રે ક્રાંતિ, મોબાઈલ, સ્માર્ટવોચ, ટેબલેટ ચાલશે eSIMથી, જાણો કેવી રીતે કરશે કામ ?, વાંચવા માટે અહીં ક્લિક કરો

T20 World Cup Breaking : સૂર્યકુમાર યાદવ ફરી હાર્યો ટોસ, સંજુ સેમસનનું ફ્લોપ કમબેક

બાંગ્લાદેશમાં કેવી રીતે થાય છે મતોની ગણતરી? ચૂંટણી પરિણામો જાહેર કરવાની આવી હોય છે પ્રક્રિયા

ગુરુવારે મતદાન પૂર્ણ થતાં જ બાંગ્લાદેશમાં મત ગણતરી શરૂ થઈ ગઈ. બાંગ્લાદેશ ચૂંટણી પંચ અનુસાર, મતદાનનો સત્તાવાર સમય સવારે 7:30 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો હતો. જોકે, આ સમય પહેલા મતદાન મથકમાં પ્રવેશ કરનારા મતદારોને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બાંગ્લાદેશમાં 13મી રાષ્ટ્રીય ચૂંટણી માટે 42,651 મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા હતા. ચૂંટણી પંચના વરિષ્ઠ સચિવ અખ્તર અહેમદે જણાવ્યું હતું કે 36,031 મથકોમાંથી એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે, બપોરે 2:00 વાગ્યા સુધીમાં મતદાનની ટકાવારી 47.91 હતી. બાંગ્લાદેશમાં ચૂંટણી પછી મતોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે તે જાણો.

બાંગ્લાદેશમાં મતોની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે

ડેઇલી સ્ટારના અહેવાલ મુજબ, મતદાન સમાપ્ત થતાંની સાથે જ, મતદાન મથકના પ્રમુખ અધિકારી ઉમેદવારોના મતદાન એજન્ટોની હાજરીમાં મતપેટીને સીલ કરે છે. ન વપરાયેલ મતપત્રોની ગણતરી કરવામાં આવે છે અને અલગથી રાખવામાં આવે છે. મત ગણતરી સામાન્ય રીતે મતદાન કેન્દ્ર પર જ થાય છે. અધિકારીઓ પહેલા મતદાતા યાદી સાથે મતદાન કરાયેલા મતપત્રોની સંખ્યાઓની તુલના કરે છે જેથી ખાતરી થાય કે તે મેળ ખાય છે. ત્યારબાદ મતપેટીઓ ખોલવામાં આવે છે, અને દરેક મતપત્રની વ્યક્તિગત રીતે તપાસ કરવામાં આવે છે.

માન્ય અને અમાન્ય મતો કેવી રીતે જાહેર કરવામાં આવે છે

મત ગણતરી દરમિયાન, ઉમેદવાર દ્વારા મતપત્રોને અલગ કરવામાં આવે છે. જો સીલ એક જ પ્રતીક પર યોગ્ય રીતે લગાવવામાં આવે છે, તો મતપત્ર માન્ય ગણવામાં આવે છે. બહુવિધ સીલ, અસ્પષ્ટ નિશાનો અથવા અન્ય ખામીઓવાળા મતપત્રોને ચૂંટણી નિયમો અનુસાર અમાન્ય જાહેર કરી શકાય છે. પ્રિસાઇડિંગ ઓફિસર વિવાદિત મતપત્રો પર નિર્ણય લે છે.

બાંગ્લાદેશ ચૂંટણી પરિણામો કેવી રીતે જાહેર કરવામાં આવે છે

ગણતરી પૂર્ણ થયા પછી, કેન્દ્રમાં પરિણામ પત્રક, જેને પરિણામોનું નિવેદન કહેવામાં આવે છે, તૈયાર કરવામાં આવે છે. પરિણામો ઉમેદવારના એજન્ટને જાહેર કરવામાં આવે છે, જે નિવેદનની નકલ મેળવી શકે છે. પછી પરિણામો કેન્દ્ર દ્વારા રિટર્નિંગ ઓફિસરને મોકલવામાં આવે છે. રિટર્નિંગ ઓફિસર મતવિસ્તારના તમામ મતદાન મથકોમાંથી પરિણામો એકત્રિત કરે છે અને બેઠક માટે બિનસત્તાવાર પરિણામ જાહેર કરે છે. ત્યારબાદ ચૂંટણી પંચ ગેઝેટ સૂચના દ્વારા સત્તાવાર પરિણામ પ્રકાશિત કરતા પહેલા બેઠક માટે બિનસત્તાવાર પરિણામ જાહેર કરે છે.

“PM મોદીનું પોલિટિકલ કરિયર બરબાદ કરવા નથી માગતો”, ટ્રમ્પના આ નિવેદન પર ભારતની પ્રતિક્રિયા

ભારત સહિત આ પાંચ દેશોએ છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ ખરીદ્યુ સોનુ, વેચવામાં આ દેશ રહ્યો નંબર 1

તાજેતરમાં સોના અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. 2020 થી 2025 ના પાંચ વર્ષના સમયગાળામાં સોનાના ભાવમાં 265% નો વધારો થયો છે. આ સમયગાળા દરમિયાન, ચીન, પોલેન્ડ, તુર્કી અને ભારત સહિત ઘણા દેશોની મધ્યસ્થ બેંકોએ મોટા પાયે સોનું ખરીદ્યું છે. જો કે, છેલ્લા પાંચ વર્ષમાં ઘણા દેશોએ તેમના સોનાના ભંડારમાં ઘટાડો કર્યો છે. આમાં ફિલિપાઇન્સ, કઝાકિસ્તાન, શ્રીલંકા, જર્મની, મંગોલિયા અને તાજિકિસ્તાનનો સમાવેશ થાય છે.

2020 થી 2025 સુધી સૌથી વધુ સોનું ખરીદનારા દેશોની યાદીમાં ચીન મોખરે છે. છેલ્લા પાંચ વર્ષમાં ચીને 357.1 ટન સોનું ખરીદ્યું છે. જોકે, નિષ્ણાતો કહે છે કે ચીને ગુપ્ત રીતે આના કરતાં ઘણું વધારે સોનું ખરીદ્યું છે. ચીન પછી, પોલેન્ડ બીજા ક્રમનું સૌથી મોટું સોનાનું ખરીદનાર હતું. આ યુરોપિયન દેશે છેલ્લા પાંચ વર્ષમાં 314.6 ટન સોનું ખરીદ્યું. આ પછી તુર્કી (251.8 ટન) અને ભારત (245.3 ટન)નો ક્રમ આવ્યો. આ સમયગાળા દરમિયાન બ્રાઝિલે 105.1 ટન, અઝરબૈજાન (83.6 ટન), જાપાન (80.8 ટન), થાઈલેન્ડ (80.6 ટન), હંગેરી (78.5 ટન) અને સિંગાપોર (77.3 ટન) ખરીદ્યું.

સૌથી વધુ વેચાણ

છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ સોનું વેચનારા દેશોમાં ફિલિપાઇન્સ ટોચ પર છે, 65.2 ટનનું વેચાણ થયું. કઝાકિસ્તાને 52.4 ટનનું વેચાણ કર્યું. તેવી જ રીતે, આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકાએ 19.1 ટનનું વેચાણ કર્યું. 2020 અને 2025 વચ્ચે જર્મનીના સોનાના ભંડારમાં 16.3 ટનનો ઘટાડો થયો, જ્યારે મંગોલિયાએ 15.9 ટનનું વેચાણ કર્યું. તાજિકિસ્તાને 11.9 ટન, યુરો એરિયાએ 10.8 ટન, કોલંબિયાએ 9.2 ટન અને ફિનલેન્ડે 5.4 ટનનું વેચાણ કર્યું.

“PM મોદીનું પોલિટિકલ કરિયર બરબાદ કરવા નથી માગતો”, ટ્રમ્પના આ નિવેદન પર ભારતની પ્રતિક્રિયા

T20 World Cup Breaking : ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, અભિષેક શર્મા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, નામિબિયા સામે રમશે?

Breaking News : T20 વર્લ્ડ કપ 2026 માં બુમરાહની એક ભૂલને કારણે ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, જાણો

સતત બીજી વખત ખિતાબ જીતવાના લક્ષ્ય સાથે T20 વર્લ્ડ કપ 2026માં ઉતરેલી ભારતીય ટીમ માટે ચિંતાઓ ઓછી થતી દેખાતી નથી. જ્યાં સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર ફિટ થઈ ચૂક્યા છે, ત્યાં ઓપનર અભિષેક શર્માની બીમારી ટીમ માટે મુશ્કેલી બની છે. હવે આ વચ્ચે અભિષેકના ઓપનિંગ પાર્ટનર ઈશાન કિશન અંગે પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે.

બુમરાહના યોર્કરથી ઈશાન કિશન ઘાયલ

T20 વર્લ્ડ કપમાં અમેરિકા સામે જીત સાથે અભિયાનની શરૂઆત કરનાર ટીમ ઈન્ડિયા હવે તેની બીજી મેચમાં નામિબિયા સામે ટકરાવાની છે. આ મુકાબલો ગુરુવાર, 12 ફેબ્રુઆરીએ રમાવાનો છે, પરંતુ તે પહેલાં જ ઈશાન કિશન સાથે અકસ્માત થયો છે.

બુધવારે સાંજે દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં યોજાયેલા પ્રેક્ટિસ સત્ર દરમિયાન, ઈશાન કિશન નેટ્સમાં બેટિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો સામનો કર્યો. બુમરાહે એક પરફેક્ટ યોર્કર ફેંક્યો, જેને ઈશાન યોગ્ય રીતે રમવામાં નિષ્ફળ ગયો. બોલ સીધો તેના ડાબા પગના અંગૂઠામાં વાગ્યો, જેના કારણે તે ભારે પીડામાં મુકાઈ ગયો.

બોલ વાગતાં જ ઈશાન પીડાથી ચીસો પાડવા લાગ્યો અને તેણે તરત જ પ્રેક્ટિસ બંધ કરી નેટ છોડી દીધી. ટીમના ફિઝિયોથેરાપિસ્ટ્સ તરત જ તેની પાસે દોડી આવ્યા અને પ્રાથમિક સારવાર શરૂ કરી. મેડિકલ ટીમ દ્વારા પગની તપાસ દરમિયાન ઈશાનને તીવ્ર દુખાવો થતો હોવાનું જોવા મળ્યું.

શું ઈશાન કિશન IND vs NAM મેચમાં રમશે?

અહેવાલો મુજબ, થોડા સમય બાદ ઈશાન કિશન ફરી પોતાના પગ પર ઊભો થઈ શક્યો હતો, જેના કારણે ટીમ મેનેજમેન્ટે થોડી રાહતનો શ્વાસ લીધો. તેણે ફરી નેટ્સમાં બેટિંગ શરૂ કરી, પરંતુ સ્પષ્ટ રીતે પીડા સાથે સંઘર્ષ કરતો નજરે પડ્યો.

હાલમાં ઈશાનની ઈજાની ગંભીરતા કેટલી છે અને તે ભારત-નામિબિયા મેચમાં રમવા માટે ઉપલબ્ધ રહેશે કે નહીં, તેનો નિર્ણય ગુરુવાર સાંજે લેવામાં આવશે. જો ઈશાન કિશન મેચમાંથી બહાર રહે છે, તો ટીમ ઈન્ડિયાની ઓપનિંગ જોડીમાં મોટો ફેરફાર કરવો પડી શકે છે.

અભિષેક શર્મા પહેલેથી જ પેટના ચેપથી પીડાઈ રહ્યો હોવાથી તેના રમવાની શક્યતા ઓછી માનવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં સંજુ સેમસન ટીમ માટે એકમાત્ર વિકલ્પ રૂપે ઓપનિંગની જવાબદારી સંભાળી શકે છે.

ટીમ ઈન્ડિયા માટે સારા સમાચાર, અભિષેક શર્મા હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ, નામિબિયા સામે રમશે?

સાવધાન! ચપ્પલ પહેરીને ગાડી ચલાવતા પહેલા ટ્રાફિકના આ નિયમો ખાસ જાણી લો, નહીં તો કપાઈ શકે છે મેમો

ભારતમાં ઘણા ડ્રાઇવરોને ટ્રાફિક નિયમોનું સંપૂર્ણ જ્ઞાન હોતું નથી. જોકે, કેટલાક નિયમો એવા પણ છે જે મૂંઝવણમાં મૂકે છે. આવી જ એક ચર્ચા ચપ્પલ પહેરીને વાહન ચલાવવા બદલ ટ્રાફિક દંડ મેળવવાના મુદ્દા સાથે સંબંધિત છે. ઘણા લોકો માને છે કે ચપ્પલ પહેરીને વાહન ચલાવવાથી દંડ થઈ શકે છે, જ્યારે અન્ય લોકો માને છે કે આવું નથી.

ચંપલ કે સેન્ડલ કરતાં જૂતા પેડલ પર વધુ સારી પકડ, સ્થિરતા અને નિયંત્રણ પ્રદાન કરે છે. તે બ્રેક કે એક્સિલરેટર પરથી પગ લપસી જવાનું જોખમ ઘટાડે છે, ખાસ કરીને એવી પરિસ્થિતિઓમાં જ્યાં બ્રેક લગાવવી જરૂરી હોય. યોગ્ય જૂતા પહેરવાથી પેડલ પર યોગ્ય માત્રામાં દબાણ આવે છે, જેના પરિણામે વધુ સારી રીતે હેન્ડલિંગ થાય છે.

બીજી બાજુ, પગમાં પરસેવો થવા થી ચંપલ સરળતાથી લપસી શકે છે અથવા પેડલમાં ફસાઈ શકે છે, જેના કારણે રોકવામાં કે વળવામાં વિલંબ થાય છે. ચંપલ અચાનક અવરોધોનો સામનો કરવા માટે પૂરતા વિશ્વસનીય નથી. મજબૂત શૂઝ પહેરવાથી વાહન ચલાવવું વધુ સુરક્ષિત બને છે અને તમારો આત્મવિશ્વાસ વધે છે.

શું છે કાયદો ?

કાયદો ચંપલ પહેરીને વાહન ચલાવવા પર પ્રતિબંધ મૂકતો નથી, પરંતુ તેમાં રહેલા જોખમોને ધ્યાનમાં લેતા, બૂટ પહેરવું એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ટ્રાફિક નિયમો અનુસાર, ચંપલ પહેરીને વાહન ચલાવવા બદલ કોઈ દંડ નથી. તમે ચંપલ પહેરો કે ચંપલ, મોટર વાહન કાયદામાં એવી કોઈ જોગવાઈ નથી કે જેના પરિણામે દંડ થઈ શકે.

સાચો રસ્તો કયો છે?

સપ્ટેમ્બર 2019 માં, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરીએ સોશિયલ મીડિયા (X) પર સ્પષ્ટતા કરી હતી કે આવો કોઈ નિયમ નથી. નવા નિયમો હેઠળ પણ, ચંપલ પહેરીને વાહન ચલાવવું એ સજાપાત્ર ગુનો નથી. જો કે, કાયદેસર રીતે પરવાનગી હોવા છતાં, નિષ્ણાતો હંમેશા સલામતીના કારણોસર સારા જૂતા પહેરવાની ભલામણ કરે છે.

અદાણી માનહાનિ કેસમાં પત્રકાર રવિ નાયર દોષિત, કોર્ટે ફટકારી 1 વર્ષની જેલ અને દંડ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Breaking News : અદાણી માનહાનિ કેસમાં પત્રકાર રવિ નાયર દોષિત, કોર્ટે ફટકારી 1 વર્ષની જેલ અને દંડ

ગાંધીનગરના માણસા ખાતેની મેજિસ્ટ્રેટ કોર્ટે, પત્રકાર રવિ નાયરને ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવ્યા છે અને દંડ સાથે એક વર્ષની કેદની સજા ફટકારી છે.

આ કેસ અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ બાદ ઉભો થયો હતો, જેમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે રવિ નાયરે AEL અને અદાણી ગ્રુપની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના ઇરાદાથી ખોટા અને બદનક્ષીભર્યા નિવેદનો ધરાવતી શ્રેણીબદ્ધ ટ્વીટ્સ પ્રકાશિત અને પ્રસારિત કરી હતી. સોશિયલ મીડિયામાં બદનક્ષી ભરેલ સમાચાર વહેતા કરવાને કારણે તેમની પ્રતિષ્ઠાને નુકસાન થયું હતું.

AEL એ દલીલ કરી હતી કે વાંધાજનક ટ્વીટ્સ વાજબી ટિપ્પણી કે કાયદેસર ટીકા સમાન નથી, પરંતુ તેનો હેતુ જનતા અને રોકાણકારોની નજરમાં કંપનીની વિશ્વસનીયતાને નબળી પાડવાનો હતો.

સંપૂર્ણ સુનાવણી પછી, કોર્ટે ચુકાદો આપ્યો કે, AEL એ પોતાનો કેસ સફળતાપૂર્વક સાબિત કર્યો છે અને રવિ નાયરને ફોજદારી માનહાનિનો દોષી ઠેરવ્યો છે. કોર્ટે રવિ નાયરને દોષિત ઠેરવ્યા અને તેમને એક વર્ષની જેલ અને દંડની સજા ફટકારી.

માણસા ખાતેની મેજિસ્ટ્રેટ કોર્ટે ફટકારેલી સજા અંગે વધુ માહિતી માટે રવિ નાયરનો તાત્કાલિક સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નહોતો તેમ પીટીઆઈના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.

Bharat Taxi vs Ola vs Uber : ટેક્સી ભાડામાં મોટો તફાવત : કઈ કંપની વસૂલે છે સૌથી ઓછું ભાડું ? Ola vs Uber vs Bharat taxi, વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુંડાઓની ભરતી માટે અમદાવાદ આવેલો કોટાનો ખૂંખાર ગેંગસ્ટર ક્રાઈમ બ્રાંચના હાથે ઝડપાયો

ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનના કોટાનો ગેંગસ્ટર, પોતાની ગેંગમાં ગુંડ્ડાઓની ભરતી કરવા માટે અમદાવાદ આવ્યો હતો. પોતાના સાગરીત સાથે અમદાવાદ આવીને કોટાનો ગેંગસ્ટર અમદાવાદના આરોપીઓને પોતાની ગેંગમાં ભરતી કરવા માટે આવ્યો હોવાની માહિતી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાચે, કોટાના કુખ્યાત ગેંગસ્ટર અમન ઉર્ફે બચ્ચા અહેસાનઅલી સૈયદ અને તેના સાગરીત સુહેબ ઉર્ફે ચિન્ટુ ફિરોઝખાન પઠાણને પકડવા માટે જૂહાપુરામાં દરોડા પાડ્યા હતા.

જો કે અમદાવાદ ક્રાઈમ બ્રાંચ તેનુ પગેરુ દબાવીને પકડવા આવી રહી હોવાની ગંધ આવી જતા, ગેંગસ્ટર અમન ઉર્ફે બચ્ચા અહેસાનઅલી સૈયદ અને સુહેબ ઉર્ફે ચિન્ટુ ફિરોઝખાન પઠાણ બન્ને જૂહાપુરાથી ભાગી છૂટ્યા હતા. જો કે, ક્રાઈમ બ્રાન્ચે અમદાવાદ શહેરના વિવિધ નાકાઓ દબાવી રાખ્યા હોવાથી, કોટાનો ગેગસ્ટર અમન ઉર્ફે બચ્ચા અહેસાનઅલી સૈયદ અને તેના સાગરીત સુહેબ ઉર્ફે ચિન્ટુ ફિરોઝખાન પઠાણ ઈસ્કોન નજીકથી ઝડપાઈ ગયા હતા.

ક્રાઈમ બ્રાન્ચે બન્નેથી કરેલ પુછપરછમાં એવો ચોકાવનારા ખુલાસો થયો હતો કે, અમન ઉર્ફે બચ્ચા અહેસાનઅલી સૈયદ જેલમાં હતો તેથી તેની ગેંગનો સફાયો થઈ ગયો છે. નવેસરથી ગેંગ ઉભી કરવા કેટલાક આરોપીઓની જરૂર હતી આથી તે અમદાવાદમાં તેના સંપર્કમાં રહેલા આરોપીઓને પોતાની ગેંગમાં સામેલ કરવા માંગતો હતો. આ માટે તે અમદાવાદ આવ્યો હતો.

ગેંગસ્ટર અમન ઉર્ફે બચ્ચા ખંડણી, ટાર્ગેટ શૂટિંગ, હથિયાર તેમજ ડ્રગ્સ સહિતની ગુનાહિત પ્રવૃત્તિઓંમાં સંડોવાયેલો છે. અમન બચ્ચા છેલ્લા છ વર્ષથી જેલની સજા ભોગવી રહ્યો હતો અને એક મહિના પહેલા જ જેલમાંથી બહાર આવ્યો હતો. ગેંગસ્ટર અમન તેની ગેંગના સભ્યો અને જૂના સંપર્કોને ફરીથી સક્રિય કરવા માટે તે અલગ અલગ રાજ્યોમાં જઈ રહ્યો હતો તેમજ તેની ગેંગ માટે નવા સભ્યોની ભરતી કરી રહ્યો હતો.

સુરતમાં અજીબોગરીબ ચોરી, 48 ઘરને નિશાન બનાવ્યા, બે મોટા થેલા ભરી બૂટ-ચપ્પલની કરી ચોરી, જુઓ Video

રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવા -15 APMCની મુદત લંબાવવા સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેજા હેઠળની ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (APMC)ના સુચારુ વહીવટ માટે બે મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે રાજ્યની 09 APMCમાં ચૂંટણી યોજવા માટેની સૂચનાઓ જાહેર કરવામાં આવી છે. જ્યારે, વહીવટી કારણોસર અન્ય 15 APMCની મુદત લંબાવવામાં આવી છે.

આ સંદર્ભે વિગતવાર માહિતી આપતા કૃષિ અને સહકાર પ્રધાન જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, કૃષિ વિભાગ દ્વારા રાજ્યમાં જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ છે, ત્યાં ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવાની નિયમોનુસારની કાર્યવાહી તાત્કાલિક ધોરણે હાથ ધરવા ‘ખેત બજાર અને ગ્રામ્ય અર્થતંત્ર’ નિયામકને જાણ કરવામાં આવી છે. આ નિર્ણયથી સ્થાનિક સ્તરે ખેડૂત પ્રતિનિધિઓની પસંદગીનો માર્ગ વધુ મોકળો થયો છે.

ગુજરાત સરકારે લીધેલા મહત્વપૂર્ણ નિર્ણયના પરિણામે, ગુજરાતની નીચે દર્શાવેલ 09 બજાર સમિતિઓમાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાશે.

  1. ભાણવડ (દેવભૂમિ દ્વારકા)
  2.  ધોલેરા (અમદાવાદ)
  3.  તલોદ (સાબરકાંઠા)
  4. સાગબારા (નર્મદા)
  5. કુકરમુંડા (તાપી)
  6. સુરેન્દ્રનગર
  7. કામરેજ (સુરત)
  8. રાણપુર (બોટાદ)
  9. બરવાળા (બોટાદ)

જીતુ વાધાણીએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્યમાં હાલ ચાલી રહેલી મતદારયાદી સુધારણા (SIR)ની કામગીરીમાં રાજ્ય ચૂંટણી પંચના આદેશથી જિલ્લા રજિસ્ટ્રાર અને કચેરીનો સ્ટાફ વ્યસ્ત છે. આથી જે બજાર સમિતિઓની મુદત પૂર્ણ થઈ છે અથવા પૂર્ણ થવામાં છે, તેવી સમિતિઓમાં ચૂંટણીનું તાત્કાલિક આયોજન કરવું શક્ય ન હોવાથી 15 APMCને 06 મહિનાનો મુદત વધારો આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ખેડા જિલ્લાની ઠાસરા અને ગળતેશ્વર, બનાસકાંઠાની દિયોદર, ભાભર અને ધાનેરા, જૂનાગઢ, અમદાવાદની ધોળકા અને બાવળા, મહેસાણાની બેચરાજી, પંચમહાલની શહેરા, છોટાઉદેપુરની નસવાડી અને છોટાઉદેપુર, સાબરકાંઠાની પ્રાંતિજ, બોટાદની ગઢડા તથા અમરેલીની ખાંભા બજાર સમિતિને જાહેરનામાની તારીખથી 06 મહિનાનો મુદત વધારો આપવામાં આવ્યો છે.

અત્રે નોંધનીય છે કે, રાજ્યની જે બજાર સમિતિઓની ચૂંટણી પ્રક્રિયા ન્યાયિક હુકમો કે અદાલતી ચુકાદાના આધારે હાથ ધરાયેલ હોય, તેવી સમિતિઓને આ મુદત વધારાનો લાભ મળશે નહીં.

અમદાવાદની રોનક બદલવાનું સ્વપ્ન, આધુનિક વિકાસ માટે ખર્ચાશે કરોડો રૂપિયા, રૂ. 18518 કરોડનું રજૂ કરાયું બજેટ

Breaking News : બોલિવૂડ પર કોની નજર? ધુરંધર 2 રિલીઝ પહેલા જ રણવીર સિંહને સીધી વોટ્સએપ પર મળી ધમકી

બોલિવૂડ અભિનેતા Ranveer Singh અંગે એક ગંભીર ઘટના સામે આવી છે. તેમની આગામી ફિલ્મ ધુરંધર 2 ની રિલીઝ પહેલા જ તેમને વોટ્સએપ મારફતે ધમકી મળ્યાનું જાણવા મળ્યું છે. આ ધમકી વોઇસ નોટ સ્વરૂપે મોકલવામાં આવી હતી, જેમાં કરોડો રૂપિયાની ખંડણીની માંગ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, આ ઘટના બાદ રણવીર સિંહે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. મામલાની ગંભીરતા ધ્યાનમાં રાખીને Mumbai Police એ તરત કાર્યવાહી શરૂ કરી અને તેમના ઘરની બહાર સુરક્ષા વધારી દીધી છે.

પોલીસનું કહેવું છે કે ફિલ્મ નિર્માતા-દિગ્દર્શક Rohit Shetty ના જુહુ સ્થિત ઘરની બહાર થયેલી ગોળીબારની ઘટનાના થોડા સમય બાદ રણવીર સિંહને આ ધમકી મળી હતી. અજાણ્યા વ્યક્તિએ સીધી ધમકી આપતી વોટ્સએપ વોઇસ નોટ મોકલી હતી, જેના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

ઘરની બહાર કડક સુરક્ષા વ્યવસ્થા

ધમકીની જાણ થતાં જ પોલીસ દ્વારા રણવીર સિંહના નિવાસસ્થાનની આસપાસ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. વધારાની સશસ્ત્ર પોલીસ તૈનાત કરવામાં આવી છે. વોઇસ નોટ મોકલનારની ઓળખ માટે સાયબર સેલ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કોલ ડિટેલ્સ અને ડિજિટલ પુરાવાઓની તપાસ ચાલી રહી છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ રહે છે તે સોસાયટીના રહેવાસીઓએ પણ ચિંતા વ્યક્ત કરી છે. વધેલી સુરક્ષા કારણે રોજિંદા જીવન પર અસર પડી રહી હોવાની વાત સામે આવી છે. સોસાયટી વહીવટીતંત્રે આ મુદ્દે પોલીસને લેખિતમાં પોતાની વાત રજૂ કરી છે.

બોલિવૂડની સલામતી પર પ્રશ્નો

આ ઘટનાઓ બાદ મુંબઈના અગ્રણી કલાકારોની સલામતી મુદ્દે ફરી એક વખત ચર્ચા શરૂ થઈ છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે રણવીર સિંહને મળેલી ધમકી અને ગોળીબારની ઘટનામાં કોઈ સીધો કે પરોક્ષ સંબંધ છે કે નહીં.

પોલીસે સ્પષ્ટ કર્યું છે કે રણવીર સિંહ અને તેમના પરિવારની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ધમકી આપનાર વ્યક્તિને ટૂંક સમયમાં પકડવામાં આવશે તેવી આશા વ્યક્ત કરી છે.

14 વર્ષ પહેલાં રિલીઝ થયેલું વિદ્યા બાલનનું ‘ઓહ લા લા’ ગીત ફિલ્મ ‘ધ ડર્ટી પિક્ચર’માંથી ભારે વિવાદનું કારણ બન્યું હતું 

Tv9 ના અહેવાલ બાદ સફાળા જાગ્યા ભાવનગર મનપાના સત્તાધિશો, હવે ધૂળ ખાતી ઈ-બસ રસ્તા પર થશે દોડતી- Video

 

ભાવનગર મહાનગરપાલિકાના સત્તાધિશોનો જ્યા સુધી કાન ન આમળવામાં આવે ત્યા સુધી તેમને કોઈ કામગીરી દેખાતી નથી. છેલ્લા ઘણા સમયથી શહેરમાં સિટી બસ સેવા ઠપ્પ થઈ છે. કેન્દ્ર સરકારની યોજનાથી શહેરને નવી નકોર ઈલેક્ટ્રીક બસો ફાળવાઈ હતી. કૂલ 100 બસ પૈકી 40 બસો મહાનગરપાલિકાને સોંપવામાં આવી હતી. કરોડોના ખર્ચે આ બસોને રાખવા માટેનો ડેપો પણ બનાવી દેવાયો હતો. પરંતુ મનપાના શાસકો અને અધિકારીઓ પ્લાનિંગ અને કાગળ પર જ બસોના રૂટ નક્કી કરવામાં રહ્યા. છેલ્લા એક મહિનાથી આ બસો ધૂળ ખાઈ રહી હતી પરંતુ મનપાના સત્તાધિશોને કોઈ સારુ મુહૂર્ત નહોંતુ દેખાતુ. આ મુદ્દે tv9 એ વધુ એકવાર લોકોના હિતમાં ધારદાર અહેવાલ પ્રસારીત કરતા મનપાના સત્તાધિશો હરકતમાં આવ્યા છે અને 14 ફેબ્રુઆરીથી ઈ-બસોનું લોકાર્પણ કરવાનું નક્કી કરાયુ છે.

ભાવનગર શહેરની વસતી અને વિસ્તાર વધ્યો હોવાથી ભાવનગર શહેરમાં સિટી બસની ખૂબ જરૂરિયાત હતી. તેવા સમયે કેન્દ્ર સરકારની યોજનાથી હાલ 40 ઈલેક્ટ્રીક બસો ફાળવત ભાવનગરના લોકોની મોટી મુશ્કેલી ઉકેલાઈ છે અને TV9ના અહેવાલ બાદ ઈ-બસો શહેરમાં ફરતી થશે. જેને લઈ વિપક્ષે પણ TV9નો આભાર વ્યક્ત કર્યો છે.

Input Credit- Ajit Gadhvi- Bhavnagar

Breaking News: ICC T20 WC 2026: વર્લ્ડ કપના પ્રારંભે જ શ્રીલંકાને મોટો ઝટકો, 154 વિકેટ લેનારો સ્ટાર લેગ સ્પીનર થયો બહાર

 

 

IND vs PAK T20 WC Breaking : બંધબારણે પાકિસ્તાન અને ICC વચ્ચે થઈ સોદાબાજી ! T20 વર્લ્ડ કપ બાદ થશે મોટી જાહેરાત

2026 T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચને લઈને ચાલી રહેલા વિવાદનો હવે અંત આવ્યો છે. શરૂઆતમાં, પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે બાંગ્લાદેશ સાથે એકતા દર્શાવતા, 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામેની ગ્રુપ મેચનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. જોકે હવે પાકિસ્તાન મેચ તૈયાર થયું છે, જેના પરિણામે ICC તરફથી તેમને ખાસ ભેટ મળી શકે છે.

ICC અને પાકિસ્તાન વચ્ચે મોટી ડીલ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) ને ભારત સામેની મેચનો બહિષ્કાર સમાપ્ત કરવાના બદલામાં કેટલીક છૂટછાટો આપવાનું વચન આપ્યું છે. એક સૂત્રએ PTI ને જણાવ્યું હતું કે આ છૂટછાટો વર્લ્ડ કપ સમાપ્ત થયા પછી જ જાહેર કરવામાં આવશે. જોકે, આ છૂટછાટોની વિગતો હજુ સુધી જાહેર કરવામાં આવી નથી. અગાઉ, ICC એ સ્પષ્ટતા કરી હતી કે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) ને ટુર્નામેન્ટમાંથી ખસી જવા બદલ કોઈ પ્રતિબંધોનો સામનો કરવો પડશે નહીં અને તેને 2028-2031 સર્કલમાં ICC ઇવેન્ટનું આયોજન કરવાની તક આપવામાં આવશે.

વર્લ્ડ કપ બાદ થશે જાહેરાત

અહેવાલો અનુસાર, ICC એ PCB ના અધ્યક્ષ મોહસીન નકવી સાથે સંમતિ વ્યક્ત કરી છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ અને અન્ય બોર્ડ સાથે થયેલી ચર્ચાઓની વધુ વિગતો જાહેર કરવામાં આવશે નહીં. પરિણામે, ICC એ તેના નિવેદનમાં પુષ્ટિ આપી હતી કે BCB સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં, પરંતુ PCB ને થતા ફાયદાઓનો ઉલ્લેખ કર્યો નથી. તેથી, બેઠક દરમિયાન શું નિર્ણય લેવામાં આવ્યો તેની વિગતો T20 વર્લ્ડ કપ સમાપ્ત થયા પછી જ જાણી શકાશે.

પાકિસ્તાને આ માંગણીઓ કરી

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નકવીએ ICC પાસેથી આવક વહેંચણીમાં વધારો કરવાની માંગ કરી છે, પરંતુ આવું થવાની શક્યતા ઓછી છે. નકવીએ એવી પણ માંગ કરી છે કે ભારત અને પાકિસ્તાન ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તટસ્થ સ્થળોએ હોમ અને બહાર શ્રેણી રમે, કારણ કે તેઓ અન્ય વ્હાઇટ-બોલ ICC ઇવેન્ટ્સમાં ભાગ લઈ રહ્યા છે. જોકે, WTC ફાઇનલ સીધી ICC ઇવેન્ટ છે; અન્ય શ્રેણીઓ દ્વિપક્ષીય છે. તેથી, આ માંગ પણ પૂર્ણ થવાની શક્યતા ઓછી લાગે છે.

T20 WC Breaking : ભારતના પાવર-હિટિંગથી પાડોશી દેશનો ખેલાડી બોખલાયો, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ પર લગાવ્યા ગંભીર આરોપ

અમદાવાદની રોનક બદલવાનું સ્વપ્ન, આધુનિક વિકાસ માટે ખર્ચાશે કરોડો રૂપિયા, રૂ. 18518 કરોડનું રજૂ કરાયું બજેટ

અમદાવાદ મહાનગરપાલિકાની આ વર્ષે સામાન્ય ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ફરી સત્તા મેળવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીન ભાજપ હસ્તકની સ્ટેન્ડિંગ કમિટીએ, રૂપિયા 18518 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. આ બજેટમાં નવા ઓવરબ્રિજ, નવા અંડરબ્રિજ બનાવવાની દરખાસ્ત કરાઈ છે. નવા અન્ડરપાસ બનાવવાશે પરંતુ ચોમાસામાં તે અન્ડરપાસમાં વરસાદી પાણીના ભરાવા અંગે કોઈ વાત નથી. પૂર્વ અને પશ્ચિમમાં વિકાસને સમતોલ કરવા માટે પૂર્વ વિસ્તારમાં પણ સારી એવી નાણાકીય ફાળવણી કરાઈ છે.

શહેરમાં અંડરપાસ અને ઓવરબ્રિજ માટે 50 કરોડ ફાળવવામાં આવ્યા છે. જેમાં ઓવરબ્રિજ મણિનગર રેલવે ક્રોસિંગ, દાણીલીમડા ખોડિયાર બ્રિજ, ત્રાગડ ક્રોસિંગ અંડરપાસ, થલતેજમાં અંડરપાસ, ચાંદલોડિયા હીલલોક પાસે અંડરપાસ, બનવાશે. વિરાટનગરમાં મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવા માટે રૂપિયા 50 કરોડ ફાળવ્યાં છે. ઓલમ્પિક અને કોમનવેલ્થ ગેમ્સને ધ્યાને લઈને મીની સપોર્ટ કોમ્પ્લેક્ષ,માટે રૂ.33 કરોડ ફાળવ્યા છે. શહેરમાં નવા અર્બન હેલ્થ સેન્ટર માટે રૂ 32 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

કોર્પોરેટરનું બજેટ વધારીને ચાલીસ કરોડ કરવામાં આવ્યું છે. દબાણમાં હટાવેલા લોકો માટે આવાસના મકાન માટે રૂ.149 કરોડની જોગવાઈ કરાઈ છે. પૂર્વ અને પશ્ચિમમાં ગ્લો ગાર્ડન બનાવવા રૂ 20 કરોડ ખર્ચાશે. Ai ની મદદથી ટ્રાફિક સિગ્નલ ડેવલપ કરવામાં રૂ 20 કરોડ ખર્ચાશે. વાયએમસીએથી મુમતપુરા રોડને પીપીપી ધોરણે મોડલ બનાવવા રૂ 10 કરોડની જોગવાઈ કરાઈ છે.

પૂર્વ વિસ્તારમાં સીટીએમ થી ખોખરા રોડના વિકાસ રૂ 10 કરોડ ખર્ચાશે. સાબરમતી રિવરફ્રન્ટ પર સિંગાપોર આઈ ફ્લાયર બનશે, જેમાં રૂ 10 કરોડ ખર્ચાશે. શહેરમાં વર્ટિકલ વિન્ડ સિસ્ટમ લગાવવામા આવશે. દરેક ઝોનમાં રૂ પાંચ કરોડના ખર્ચે મહિલાઓ માટે જિમનેશિયમ બનાવાશે. ડોગ શેલ્ટર માટે રૂ 3 કરોડ ખર્ચવામાં આવશે. Amc હોસ્પિટલમાં કેન્સરની સારવાર માટે રૂ 2 કરોડ ફાળવાયા છે. ભિખારી મુક્ત અમદાવાદ માટે બેગરલેસ સીટી બનાવા રૂ 1 કરોડ ખર્ચાશે. એરપોલ્યુશન માટે સોસાયટીઓમાં 70 :20 :10 માં એરસેન્સર લગાવાશે. નવી મજુર થયેલ 8 ટીપી પર વિકાસના કામો થશે રૂ 120 કરોડ ના ખર્ચ. ઇન્ડિયા કોલોનીમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બનશે, ચાંદલોડિયામાં ફિઝિયોથેરાપી સેન્ટર બનાવાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદીઓને હાશકારો.. 6 મહત્વના બ્રિજના રિપેરિંગને મળી લીલી ઝંડી, 68 કરોડના ખર્ચે 12 મહિનામાં થશે મરામત, જાણો નામ

અમદાવાદ શહેરમાં આવેલા કુલ 6 મહત્વના બ્રિજનું રિપેરિંગ કામ ટૂંક સમયમાં હાથ ધરવામાં આવશે. આ નિર્ણય બ્રિજોના ઈન્સ્પેક્શન બાદ લેવામાં આવ્યો છે, જેમાં બેરિંગ ખામીયુક્ત હોવાનું સામે આવ્યું હતું. ઈન્સ્પેક્શન રિપોર્ટના આધારે તાત્કાલિક રિપેરિંગ કરવાની ભલામણ કરવામાં આવી છે.

આ રિપેરિંગ પ્રોજેક્ટ માટે અંદાજે 68 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. આગામી 12 મહિનાની અંદર આ તમામ 6 બ્રિજમાં જરૂરી મરામત કામગીરી પૂર્ણ કરવામાં આવશે. આ દરમિયાન કુલ 152 સ્પાન લિફ્ટિંગ કરવામાં આવશે તેમજ 1,746 બેરિંગનું રિપ્લેસમેન્ટ કરવામાં આવશે.

રિપેરિંગ દરમિયાન સામાન્ય વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવશે, પરંતુ સલામતીના કારણોસર હેવી વાહનો માટે પ્રતિબંધ મૂકવામાં આવશે. બ્રિજ બંધ કર્યા વિના કામગીરી કરવામાં આવશે જેથી શહેરના ટ્રાફિક પર ઓછો પ્રભાવ પડે.

આ રિપેરિંગ કાર્યમાં ગિરધરનગર બ્રિજ, ચામુંડા બ્રિજ, કેડિલા રેલવે બ્રિજ અને નાથાલાલ ઝગડા બ્રિજનો સમાવેશ થાય છે. ઉપરાંત, ચાંદલોડિયા રેલવે ઓવરબ્રિજ અને ચીમભાઈ રેલવે ઓવરબ્રિજનું પણ રિપેરિંગ કરવામાં આવશે.

પ્રશાસન દ્વારા જણાવવામાં આવ્યું છે કે રિપેરિંગ પૂર્ણ થયા બાદ બ્રિજોની સલામતી અને આયુષ્યમાં વધારો થશે, જે શહેરના વાહનવ્યવહાર માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

મહત્વનું છે કે, આ સિવાય અમદાવાદમાં ફ્લાયઓવર અને એલિવેટેડ કોરિડોરના વિકાસ માટે મોટા પગલા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વર્ષ 2026–27ના ડ્રાફ્ટ બજેટમાં 1,000 કરોડ રૂપિયાનાં એલિવેટેડ કોરિડોર પ્રોજેક્ટનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે મહત્વના એલિવેટેડ કોરિડોર સૂચવવામાં આવ્યા છે. જેમાં એક કોરિડોર નેહરુનગર–શિવરંજની–રામદેવનગર જંકશન–ઇસ્કોન બ્રિજ સુધીનો હશે, જ્યારે બીજો એલિવેટેડ કોરિડોર બોપલ એસ.પી. રિંગ રોડથી ઘુમા સુધી બનાવવાની યોજના છે.

પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો જોવા મળ્યો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા, જુઓ Video

IND vs PAK T20 WC Breaking : ICC એ પાકિસ્તાનને આપ્યો મોટો ઝટકો, ભારત સાથે ત્રિકોણીય શ્રેણી સહિતની ત્રણેય માંગણીઓ ફગાવી

2026 T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચનો મુદ્દો હવે નવો વળાંક લઈ રહ્યો છે, જેમાં ICC એ પાકિસ્તાનની ત્રણ મુખ્ય માંગણીઓ ફગાવી દીધી છે. ICC એ ભારત-પાકિસ્તાન શ્રેણી, ત્રિકોણીય શ્રેણી અને ટીમ ઈન્ડિયાના બાંગ્લાદેશ પ્રવાસને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

ICC, PCB અને BCB ની બેઠક

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ વચ્ચેની બેઠક બાદ, આ મામલો હવે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફ પાસે પહોંચ્યો છે, જે અંતિમ મંજૂરીની રાહ જોઈ રહ્યો છે. ICC, PCB અને BCB રવિવારે લાહોરમાં મળ્યા હતા. બેઠકમાં, PCB એ સંકેત આપ્યો હતો કે તે તેના વલણ પર પુનર્વિચાર કરશે. PCBના અધ્યક્ષ મોહસીન નકવી વડા પ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરવાના છે, જ્યાં આ મુદ્દા પર અંતિમ નિર્ણય લેવાની અપેક્ષા છે. જો કે, આ બધા વચ્ચે, પાકિસ્તાન અને બાંગ્લાદેશે પણ ICC સમક્ષ એક મહત્વપૂર્ણ માંગણી મૂકી છે.

પાકિસ્તાન-બાંગ્લાદેશે ત્રિકોણીય શ્રેણીની માંગ કરી

ICC એ ડિસેમ્બર 2024 માં થયેલા સભ્ય ભાગીદારી કરાર અને હાઇબ્રિડ હોસ્ટિંગ કરારનો ઉલ્લેખ કરીને પાકિસ્તાન સાથે મેચની આશા વ્યક્ત કરી છે. જોકે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આ મેચના બદલામાં ઘણી માંગણીઓ કરી છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભારત સાથે દ્વિપક્ષીય શ્રેણી ફરી શરૂ કરવા માંગે છે, ફક્ત પાકિસ્તાન માટે જ નહીં પરંતુ બાંગ્લાદેશ માટે પણ. વધુમાં, PCB અને BCB એ પોતાની અને ભારત વચ્ચે ત્રિકોણીય શ્રેણીની માંગ કરી છે.

પાકિસ્તાનની માંગણી ICC સ્વીકારશે નહીં

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડની કેટલી માંગણીઓ પૂર્ણ કરવામાં આવી તે સ્પષ્ટ નથી, પરંતુ ICC ભારત સાથે દ્વિપક્ષીય અને ત્રિકોણીય શ્રેણીની ગેરંટી આપી શકતું નથી. આ સત્તા ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) પાસે છે, જે ભારત સરકાર હેઠળ કાર્ય કરે છે. દરમિયાન, ભારત અને બાંગ્લાદેશ સપ્ટેમ્બરમાં એક શ્રેણી રમવાના છે, જેના માટે ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશનો પ્રવાસ કરવો પડશે, પરંતુ આ શ્રેણી પણ અશક્ય લાગે છે.

15 ફેબ્રુઆરીએ ભારત-પાકિસ્તાનની ટક્કર થશે?

આ વિવાદ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં 2026 T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની ગ્રુપ મેચથી ઉભો થયો છે. પાકિસ્તાને અગાઉ મેચમાંથી ખસી જવાનો નિર્ણય જાહેર કર્યો હતો, જેના કારણે ટુર્નામેન્ટની તૈયારીઓ અને ચાહકો બંને માટે અનિશ્ચિતતા ઊભી થઈ હતી. આ નિર્ણય બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) સાથે લેવામાં આવ્યો હતો, જેણે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ ICC દ્વારા તેને ટુર્નામેન્ટમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો.

Breaking News : 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની ચમકી કિસ્મત, ₹13,000 કરોડની કિંમતની કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

પોરબંદરમાં હથિયાર સાથે દાંડિયારાસ રમતો જોવા મળ્યો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા, વીડિયો વાયરલ

પોરબંદરમાંથી એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે, જેમાં હથિયાર સાથે ફરતો ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા દાંડિયારાસ રમતો જોવા મળ્યો છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને ચર્ચાનો વિષય બન્યો છે. મળતી માહિતી અનુસાર, આ વાયરલ વીડિયો પોરબંદરનો છે જ્યાં ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા કોઈ એક પ્રસંગમાં દાંડિયારાસ રમી રહ્યા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ગેંગસ્ટર ભીમા દુલા ઓડેદરા દાંડિયારાસ રમી રહ્યા છે અને તેમની પાસે હથિયાર પણ છે.

આ ઘટના વધુ ગંભીર ત્યારે બની જ્યારે વાયરલ થયેલા આ વીડિયોમાં ગેંગસ્ટરની સાથે એક પૂર્વ સાંસદ પણ જોવા મળ્યા. હથિયાર સાથે જાહેરમાં દાંડિયારાસ રમતા અને તેમાં એક રાજકીય વ્યક્તિની હાજરીએ અનેક સવાલો ઉભા કર્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ આવા તત્વોની ખુલ્લી છૂટ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે. આ પ્રકારના દ્રશ્યો સમાજમાં ખોટો સંદેશો પહોંચાડી શકે છે અને તેના પર સત્તાવાળાઓ દ્વારા ધ્યાન આપવું જરૂરી છે.

Breaking News : 14 વર્ષીય વૈભવ સૂર્યવંશીની ચમકી કિસ્મત, ₹13,000 કરોડની કિંમતની કંપનીનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

ભારતના યુથ સેન્સેશન વૈભવ સૂર્યવંશીએ 14 વર્ષની ઉંમરે ક્રિકેટની દુનિયામાં પોતાનું નામ બનાવી લીધું છે. તેણે તાજેતરમાં જ ભારતની અંડર-19 વર્લ્ડ કપ જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી, ફાઇનલમાં ઐતિહાસિક 175 રન બનાવ્યા હતા. વૈભવ સૂર્યવંશી હવે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની દુનિયામાં પોતાની ઓળખ બનાવવા માટે તૈયાર છે. ₹5,000 કરોડથી વધુ મૂલ્યની બ્રાન્ડે તેને પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યો છે.

વૈભવ કોમ્પ્લેનનો બ્રાન્ડ એમ્બેસેડર બન્યો

વૈભવ સૂર્યવંશી કોમ્પ્લેનની એક નવી જાહેરાતમાં દેખાયો છે. ઝાયડસ વેલનેસેની આ ન્યુટ્રીશનલ ડ્રીંક બ્રાન્ડે વૈભવને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યો છે અને તેની સાથે એક નવી ઝુંબેશ શરૂ કરી છે. આ ઝુંબેશનું શીર્ષક “થોડા પ્લાન, થોડા કોમ્પ્લેન” છે. મીડિયા અહેવાલો અનુસાર, ઝાયડસ વેલનેસની કુલ નેટવર્થ ₹13,000 કરોડથી વધુ છે. આ જાહેરાત વૈભવની સફર પર કેન્દ્રિત છે, કેવી રીતે તેણે નાનપણથી જ સખત મહેનત, આયોજન અને સતત પ્રેક્ટિસ દ્વારા તેના મોટા સપનાઓ સાકાર કર્યા.

અંડર-19 વર્લ્ડ કપમાં તાકાત બતાવી

વૈભવ સૂર્યવંશીએ અંડર-19 વર્લ્ડ કપ 2026 ની ફાઇનલમાં ભારતની ઐતિહાસિક જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. ઇંગ્લેન્ડ સામે માત્ર 80 બોલમાં 15 ચોગ્ગા અને 15 છગ્ગાની મદદથી તેણે કરેલા ધમાકેદાર 175 રન બનાવ્યા. ટુર્નામેન્ટમાં, વૈભવ સૂર્યવંશીએ સાત મેચમાં 62.71 ની સરેરાશથી 439 રન બનાવ્યા. તેણે એક સદી અને ત્રણ અડધી સદી ફટકારી અને ભારતનો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો.

IPL 2026 માં મચાવશે ધમાલ

હવે, IPL 2026 વૈભવ સૂર્યવંશી માટે એક મોટું પ્લેટફોર્મ હશે. તે રાજસ્થાન રોયલ્સ માટે ઓપનર તરીકે રમી શકે છે. IPLમાંથી તેને મળતો અનુભવ તેને આંતરરાષ્ટ્રીય સ્તર માટે તૈયાર કરશે, અને તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાં પણ એક મોટું નામ બની શકે છે, જેમ તે 2025 માં ભારતનો સૌથી વધુ સર્ચ કરાયેલ ખેલાડી બન્યો હતો.

T20 WC Breaking : નેપાળે પાકિસ્તાનને પાછળ છોડી દીધું, T20 વર્લ્ડ કપમાં મોટો અપસેટ

Breaking News : ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણી ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન Pat Cummins સાથે મળી ભારતમાં લોન્ચ કરશે આ વસ્તુ, જાણો

Reliance Industries Limitedની FMCG કંપની Reliance Consumer Products Limited (RCPL) એ ઓસ્ટ્રેલિયાની ‘બેટર-ફોર-યુ’ પીણા કંપની Goodness Group Global (GGG) માં બહુમતી હિસ્સો હસ્તગત કર્યો છે. આ સોદા સાથે RCPL એ ઓસ્ટ્રેલિયન કન્ઝ્યુમર માર્કેટમાં સત્તાવાર પ્રવેશ કર્યો છે અને વૈશ્વિક વિસ્તરણ તરફ મહત્વપૂર્ણ કૂદકો માર્યો છે. આ ડીલ Mukesh Ambaniની આગેવાની હેઠળની રિલાયન્સ માટે સ્ટ્રેટેજિક રીતે મહત્વની માનવામાં આવે છે.

આરોગ્ય-આધારિત પીણાં પર ફોકસ

વ્યૂહાત્મક ભાગીદારી હેઠળ RCPL, ગુડનેસ ગ્રુપના ફ્લેગશિપ બ્રાન્ડ Nexba તેમજ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ કેપ્ટન Pat Cummins સાથે સહ-નિર્મિત PACE હાઇડ્રેશન ડ્રિંકને ભારત સહિત અનેક નવા બજારોમાં લોન્ચ કરશે. કંપનીના જણાવ્યા મુજબ, આ પગલું તેના હેલ્થ-ફોકસ્ડ પીણા પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે અને ગ્રાહકોને ઓછા શુગર તથા કાર્યકારી પોષણવાળા વિકલ્પો મળશે.

RCPLનું નિવેદન

RCPLના ડિરેક્ટર ટી. કૃષ્ણકુમારે જણાવ્યું કે આ ભાગીદારી ભારતમાંથી વૈશ્વિક FMCG કંપની બનવાની દિશામાં એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન છે. Nexba અને PACE જેવી આરોગ્ય-કેન્દ્રિત બ્રાન્ડ્સ પોર્ટફોલિયોને મજબૂત બનાવશે. કંપની પોતાની સપ્લાય ચેઇન અને વિતરણ ક્ષમતાનો ઉપયોગ કરીને આ બ્રાન્ડ્સને ભારત અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં વ્યાપકપણે ઉપલબ્ધ કરાવશે. લક્ષ્ય સ્પષ્ટ છે: ગ્રાહકોને પોસાય તેવા ભાવે વૈશ્વિક ગુણવત્તાવાળા ઉત્પાદનો પહોંચાડવા.

RCPLની હાજરી અને પોર્ટફોલિયો

RCPL પહેલેથી જ UAE, કતાર, ઓમાન, બહેરીન, નેપાળ અને શ્રીલંકા જેવા બજારોમાં હાજર છે. તેના પોર્ટફોલિયોમાં Raskik, Sun Crush જ્યુસ, ઝીરો-સુગર કાર્બોનેટેડ પીણાં અને હર્બલ-નેચરલ બ્રાન્ડ Shunyaનો સમાવેશ થાય છે. GGG સાથેની ભાગીદારી આ શ્રેણીને વધુ વૈશ્વિક બનાવશે.

ગુડનેસ ગ્રુપનું નિવેદન

ગુડનેસ ગ્રુપના સ્થાપક ટ્રોય ડગ્લાસે જણાવ્યું કે તેમના બ્રાન્ડ્સ અને નવીનતાને મળતી સ્વીકૃતિ ઉત્સાહજનક છે. RCPL ઝડપથી વિકસતી અગ્રણી FMCG કંપની છે અને વૈશ્વિક વિસ્તરણના આગામી તબક્કા માટે મજબૂત ભાગીદાર સાબિત થશે. કંપની આગામી પાંચ વર્ષમાં 50 પશ્ચિમી બજારો સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે અને આ ભાગીદારી ‘વધુ સારા સ્વાસ્થ્ય’ શ્રેણીમાં વૈશ્વિક નેતૃત્વ મેળવવામાં મદદરૂપ થશે.

ગુડનેસ ગ્રુપ વિશે

સિડની સ્થિત ગુડનેસ ગ્રુપ ગ્લોબલ ઓસ્ટ્રેલિયા સહિત 21થી વધુ દેશોમાં આરોગ્ય-કેન્દ્રિત પીણા વિકલ્પો પ્રદાન કરે છે. તેના ઉત્પાદનોમાં Nexba ગટ-હેલ્થ ડ્રિંક, BISON પ્રોટીન ડ્રિંક, GOOD BREKKIE લિક્વિડ બ્રેકફાસ્ટ અને PACE હાઇડ્રેશન ડ્રિંકનો સમાવેશ થાય છે.

આ રીતે, રિલાયન્સ–GGG ડીલ માત્ર એક અધિગ્રહણ નથી, પરંતુ વૈશ્વિક FMCG સ્પેસમાં ભારતની હાજરીને વધુ મજબૂત બનાવતું વ્યૂહાત્મક પગલું છે.

દેવાયત ખવડને હાઈકોર્ટથી હંગામી રાહત, ધરપકડ પર રોક

બનાસકાંઠામાં ઠાકોર સમાજના બંધારણના નિયમોનો છડેચોક ઉલાળિયો, વરઘોડામાં કરાયુ ફાયરિંગ- Video

ઠાકોર સમાજના આગેવાનો દ્વારા સમાજના કુરિવાજો, ખોટા દેખાડા, દેખાદેખીમાં થતા ખર્ચા અને વ્યસન મુક્તિ માટે સમાજનું એક 16 સૂત્રીય બંધારણ ઘડ્યુ છે. સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા સમાજ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી આ બંધારણને લઈને સમાજમાં દબાયેલા સૂરે પણ અવાજ ઉઠવાનું શરૂ થયુ છે. તો બીજી તરફ ઓગડ તાલુકાના ભલગામમાંથી જે દૃશ્યો સામે આવ્યા છે તે તો બંધારણના નિયમોનો ઉલાળિયો કરી રહ્યા છે. ભલગામમાં વરઘોડામાં જાહેરામાં ફાયરિંગ કરવામાં આવ્યુ. ફિલ્મી ગીતો પર નોટોના વરસાદ સાથે બંદૂકના ભડાકા કરવામાં આવ્યા. રજપૂત લગ્નના વરઘોડાનો આ વીડિયો વાયરલ થયો છે. જો કે આ વરઘોડામાં પોલીસ કર્મચારીઓ પણ હાજર હોવાની ચર્ચા છે. ત્યારે પોલીસ તપાસમાં શું કાર્યવાહી કરશે તે પણ મોટો સવાલ છે.

બંધારણનો મુદ્દો બાજુ પર મુકીએ તો પણ વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ કરવું એ જાહેરનામાનો ભંગ મનાય છે. ત્યારે ઓગડ તાલુકાના ભલગામમાં વરઘોડામાં જાહેરમાં ફાયરિંગ કરવામાં આવ્યું. એ પણ પોલીસની હાજરીમાં તે સુરક્ષા અને નિયમોના પાલન સામે અનેક સવાલ ઉભા કરે છે.

ઉલ્લેખનીય છે કે આ તરફ ઠાકોર સમાજનું બંધારણ લાગૂ થયા બાદ પણ સતત વિવાદો સામે આવી રહ્યા છે અને નિયમો ભંગ કરનારાઓને સમાજની બહાર પણ મુકાયા છે. એક તરફ સમાજના શ્રેષ્ઠીએ સમગ્ર ગુજરાતમાં ફરીને સમાજ સુધારણા માટેના કામો કરી રહ્યા છે. સમાજની બદીઓ દૂર કરવા માટે આગળ આવ્યા છે ત્યારે બીજી તરફ કેટલાક લોકો એ જ નિયમોનો છડેચોક ભંગ કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ, તો દારુબંધી અને વ્યસન મુક્તિ પર મુકાયો ભાર

T20 WC Breaking : લાઈવ મેચ દરમિયાન યુઝવેન્દ્ર ચહલની બોડી-શેમિંગ? બે દિગ્ગજ ક્રિકેટરો વિવાદમાં ફસાયા

ટીમ ઈન્ડિયાનો સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દૂર છે. તેણે તાજેતરમાં જ કોમેન્ટ્રી ડેબ્યૂ કર્યું છે. તેઓ T20 વર્લ્ડ કપ 2026 માટે સ્ટાર સ્પોર્ટ્સની હિન્દી કોમેન્ટ્રી ટીમનો પણ ભાગ છે. ટીમ ઈન્ડિયાએ આ ટુર્નામેન્ટમાં પોતાનો પહેલો મુકાબલો યુનાઇટેડ સ્ટેટ્સ સામે રમ્યો હતો, જ્યાં યુઝવેન્દ્ર ચહલ કોમેન્ટ્રી બોક્સમાં દેખાયો હતો. જો કે, આ સમય દરમિયાન બે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરોએ યુઝવેન્દ્ર ચહલ સાથે મજાક કરવામાં હદ પાર કરી દીધી હતી, જેના કારણે તેઓ વિવાદમાં ફસાઈ ગયા છે.

ચહલની બોડી-શેમિંગનો શિકાર બન્યો!

હકીકતમાં, આ મેચ દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરો હરભજન સિંહ અને વીરેન્દ્ર સેહવાગે યુઝવેન્દ્ર ચહલની પાતળા શરીર માટે મજાક ઉડાવી હતી. તેઓએ ચહલને “લાકડી,” “માચીસ” અને “ડાન્સિંગ પોલ” જેવા નામોથી બોલાવ્યો અને લાંબા સમય સુધી તેના પર હસ્યા. આ હિન્દી કોમેન્ટ્રી દરમિયાન થયું, જ્યાં ચહલ પોતે પેનલમાં હાજર હતો. હરભજન અને સેહવાગની શૈલી લોકલ બોયઝ જેવી હતી, પરંતુ લાઇવ ટીવી પર થતી મજાક ચહલ માટે થોડી અસહજ સાબિત થઈ. ચહલ મૌન રહ્યો, ન તો હસ્યો કે ન તો જવાબ આપ્યો, જેના કારણે બધું એકતરફી લાગ્યું.

 

View this post on Instagram

 

A post shared by Rahuleyyyy (@rahulleyyyyy)

 

કોમેન્ટ્રી દરમિયાન બની ઘટના

પ્રેઝેન્ટર જતીન સપ્રુને પણ પરિસ્થિતિ થોડી વિચિત્ર લાગી અને તેણે ચર્ચાને ઝડપથી મેચ તરફ પાછી વાળી. આ ઘટના સોશિયલ મીડિયા પર વાયરલ થયા પછી, ચાહકોએ તેને યુઝવેન્દ્ર ચહલના બોડી-શેમિંગ સાથે જોડી દીધી. કેટલાક ચાહકોએ તેને મૈત્રીપૂર્ણ મજાકનો એક ભાગ તરીકે લીધો, જ્યારે અન્ય લોકોએ તેને અપમાનજનક ગણાવ્યું. ચાહકોએ કહ્યું કે ભૂતપૂર્વ ખેલાડીઓએ લાઇવ કોમેન્ટ્રી દરમિયાન વધુ સંયમ રાખવો જોઈએ, ખાસ કરીને જ્યારે કોઈ સાથી હાજર હોય અને જવાબ આપી શકતો ન હોય.

T20 WC Breaking : 24 કલાકમાં બદલાઈ ગઈ જિંદગી, સૂર્યકુમાર યાદવના ફોન કોલે આપી વર્લ્ડ કપની તક

આ પણ વાંચો: સવારે કે સાંજે ? ‘નાળિયેર પાણી’ પીવાનો સાચો સમય કયો ? આટલું ધ્યાન રાખશો તો, ભરપૂર ફાયદા મળશે

બજારમાં માત્ર 20 રૂપિયામાં મળતી આ શાકભાજી ઘટાડશે તમારું કોલેસ્ટ્રોલ

AI ડૉક્ટરો બનશે દેશના નાગરિકોના નવા સાથી, IHD 2026માં ડૉ. સંગીતા રેડ્ડીનું ચોંકાવનારું નિવેદન

આઇએચડી 2026 માં, એપોલો હોસ્પિટલ્સ ગ્રુપના જોઇન્ટ એમડી ડૉ. સંગીતા રેડ્ડીએ આરોગ્ય સંભાળના વિવિધ પાસાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે દર્દીની સુરક્ષા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડિજિટલ સ્વાસ્થ્યના પરિવર્તનકારી પ્રભાવ તેમજ વૈશ્વિક આરોગ્ય સંભાળમાં નેતૃત્વની ભૂમિકા અંગે વિસ્તૃત ચર્ચા કરી.

AI ડૉક્ટરોને પ્રિસ્ક્રિપ્શન બદલવામાં મદદ

ડૉ. રેડ્ડીએ સમજાવ્યું કે દર્દીની સુરક્ષા, જે પરંપરાગત રીતે ભૂલો શોધવા અને સુધારવા પર કેન્દ્રિત હતી, તે હવે ટેક્નોલોજીના કારણે સક્રિય બની ગઈ છે. AI અને ફોરવર્ડ ડિપ્લોય્ડ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને, આરોગ્ય પ્રણાલીઓ સંભવિત સમસ્યાઓની આગાહી કરી શકે છે અને કટોકટી થાય તે પહેલાં જ તેને અટકાવી શકે છે. તેમણે દૈનિક રાઉન્ડ અને હડલ્સનું ઉદાહરણ આપ્યું, જ્યાં AI ડૉક્ટરોને પ્રિસ્ક્રિપ્શન બદલવા અથવા દવાના પ્રતિભાવના આધારે સારવારમાં ફેરફાર સૂચવવા માટે મદદ કરે છે. આ અભિગમ “કોર્સ કરેક્શન” ને બદલે “સિસ્ટમ-બિલ્ટ આગાહીઓ” અને પ્રથમ વખત યોગ્ય સંભાળ સુનિશ્ચિત કરે છે, જેનાથી સુરક્ષામાં નોંધપાત્ર વધારો થાય છે.

AI પ્રારંભિક સ્કેનનું વિશ્લેષણ કરીને સંભવિત બ્લીડની આગાહી કરી શકે

ડિજિટલ આરોગ્ય અને AI, ખાસ કરીને ક્લિનિકલ અને ઓપરેશનલ વર્કફ્લોમાં અલ્ગોરિધમ્સને સમાવીને, દર્દીની સુરક્ષામાં વધારો કરે છે. ડૉ. રેડ્ડીએ ઝડપના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે લેબોરેટરી એનાલિટિક્સ મશીનને હોસ્પિટલ ઇન્ફોર્મેશન સિસ્ટમ અને રેસિડેન્ટ ડૉક્ટરના ફોન સાથે જોડવાનું ઉદાહરણ આપ્યું. આનાથી લો બ્લડ સુગરવાળા દર્દીઓ માટે સમયસર માહિતી પહોંચાડવામાં મદદ મળે છે, જે સંભવિત ગંભીર પરિણામોને અટકાવે છે. ઇમરજન્સી રૂમમાં બ્રેઇન બ્લીડના કિસ્સામાં, AI પ્રારંભિક સ્કેનનું વિશ્લેષણ કરીને સંભવિત બ્લીડની આગાહી કરી શકે છે. આનાથી ન્યુરોસર્જનને સમયસર બોલાવી શકાય છે અને ઓપરેશન થિયેટર તૈયાર કરી શકાય છે, જેનાથી કટોકટીમાં 15 મિનિટ પણ બચાવવાથી દર્દીને થતી ઇજા ઓછી થાય છે.

નેતૃત્વની દ્રષ્ટિએ, ડૉ. રેડ્ડીએ ડિજિટલ અપનાવવાની ઝડપ અને ક્લિનિકલ જવાબદારી અને નૈતિક દેખરેખ વચ્ચે સંતુલન જાળવવાના પડકારો અંગે ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે ટેક્નોલોજી અપનાવવાની ઝડપને અમલીકરણના ખર્ચ, અલ્ગોરિધમની માન્યતા અને યોગ્ય સંભાળના સિદ્ધાંતો સાથે સંતુલિત કરવી પડે છે. એપોલો હોસ્પિટલ્સ અને ભારતમાં, તેઓ પોતાની ટેક્નોલોજી વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યાં “હ્યુમન ઇન ધ લૂપ” રહે છે. આનાથી જોખમનું સ્તર ઓછું થાય છે અને ખર્ચ ઘટે છે, જેનાથી વધુ પ્રયોગો અને નવીનતા શક્ય બને છે. ડૉ. રેડ્ડી માને છે કે ભારત AI અપનાવવામાં અગ્રેસર બની શકે છે, ખાસ કરીને એપ્લિકેશન સ્તરે.

ડૉ. રેડ્ડીએ તેમના વ્યક્તિગત નેતૃત્વના સિદ્ધાંતો વિશે પણ જણાવ્યું, જેમાં હેતુ પ્રત્યેની પ્રતિબદ્ધતા મુખ્ય છે. તેમનું માનવું છે કે જો તમારો હેતુ સ્પષ્ટ અને શુદ્ધ હોય, તો અન્ય તમામ અવરોધો ગૌણ બની જાય છે. આરોગ્ય સંભાળને બહેતર બનાવવાનો અને જીવન બચાવવાનો તેમનો હેતુ તેમને સતત પ્રયાસ કરવા અને ટકી રહેવા પ્રેરિત કરે છે.

120 દેશોમાંથી દર્દીઓ આવે છે..

આઇએચડી 2026 માટેના તેમના નેતૃત્વ વારસાના સંદર્ભમાં, ડૉ. રેડ્ડીએ “દર્દી-કેન્દ્રિત સંભાળ” અને “સારા સ્વાસ્થ્ય” ના મહત્વ પર ભાર મૂક્યો. તેમણે “સિક કેર” ને બદલે “હેલ્થ કેર” ના ખ્યાલને પુનર્વ્યાખ્યાયિત કરવાની વાત કરી, જ્યાં ઉદ્દેશ્ય દર્દીને હોસ્પિટલની બહાર રાખીને સ્વસ્થ અને ખુશ રાખવાનો છે. તેમણે ત્રણ મુખ્ય વિઝન રજૂ કર્યા: “હીલ ઇન ઇન્ડિયા” (ભારતની ઉચ્ચ-ગુણવત્તાવાળી અને ઓછી ખર્ચાળ સંભાળને કારણે 120 દેશોમાંથી દર્દીઓ આવે છે), “હીલ્ડ બાય ઇન્ડિયા” (ભારતની વસ્તી વિષયક લાભાંશનો ઉપયોગ કરીને યુવાનોને આરોગ્ય સંભાળમાં તાલીમ આપીને વૈશ્વિક જરૂરિયાતો પૂરી કરવી), અને “હીલ ફ્રોમ ઇન્ડિયા” (ટેક્નોલોજી અને AI દ્વારા રિમોટ કેર અને આરોગ્ય સંભાળને સ્કેલેબિલિટી અને ઘાતાંકીય વૃદ્ધિમાં લઈ જવી). ડૉ. સંગીતા રેડ્ડીનો આ પરિપ્રેક્ષ્ય આરોગ્ય સંભાળના ભવિષ્ય માટે એક વ્યાપક અને પ્રગતિશીલ માર્ગ પૂરો પાડે છે.

બજારમાં માત્ર 20 રૂપિયામાં મળતી આ શાકભાજી ઘટાડશે તમારું કોલેસ્ટ્રોલ, જાણી લો

ICC T20 WC 2026: 17 વર્ષની રાહનો અંત: હેટમાયર બન્યો વેસ્ટ ઇન્ડીઝનો નવો ‘સિક્સર કિંગ’, દિગ્ગજ ગેઇલ પાછળ છૂટ્યો

વેસ્ટ ઈન્ડિઝ અને સ્કોટલેન્ડ વચ્ચેની મેચમાં શિમરોન હેટમાયરનું વિસ્ફોટક પ્રદર્શન સ્પષ્ટ જોવા મળ્યું. હેટમાયરએ પોતાના બેટથી એવી આગ લગાવી કે ક્રિસ ગેઈલનો રેકોર્ડ પણ તૂટી જવાથી બચી શક્યો નહીં. ક્રિસ ગેઈલને પાછળ છોડીને, શિમરોન હેટમાયર હવે T20 વર્લ્ડ કપમાં વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી ઝડપી અડધી સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. હેટમાયરએ ગેઈલનો રેકોર્ડ માત્ર એક બોલથી તોડી નાખ્યો.

હેટમાયર ગેઇલનો રેકોર્ડ તોડ્યો

સત્તર વર્ષ પહેલાં, 2009 ના T20 વર્લ્ડ કપમાં, ક્રિસ ગેલે ઓસ્ટ્રેલિયા સામે માત્ર 23 બોલમાં અડધી સદી ફટકારી હતી. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ કેરેબિયન બેટ્સમેનનો સૌથી મોટો રેકોર્ડ હતો, અને શિમરોન હેટમાયરે 2026 ના T20 વર્લ્ડ કપની તેની પહેલી જ મેચમાં તેને તોડ્યો હતો. હેટમાયરે વેસ્ટ ઈન્ડિઝની સ્કોટલેન્ડ સામેની પહેલી મેચમાં 22 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

હેટમાયરે 6 છગ્ગાની મદદથી 64 રન બનાવ્યા

સ્કોટલેન્ડ સામે, શિમરોન હેટમાયરે 36 બોલમાં 64 રન બનાવ્યા. 177.77 ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી આ ઇનિંગમાં છ છગ્ગા અને બે ચોગ્ગાનો સમાવેશ થતો હતો. હેટમાયરે પોતાની ટીમનો સૌથી સફળ બેટ્સમેન હતો. તેના વિસ્ફોટક પ્રદર્શનને કારણે, વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરીને સ્કોટલેન્ડ સામે 20 ઓવરમાં 5 વિકેટે 182 રન બનાવ્યા.

વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોએ આ રીતે પ્રદર્શન કર્યું

કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાઈ રહેલી મેચમાં, શિમરોન હેટમાયર ઉપરાંત, વેસ્ટ ઈન્ડિઝ માટે રૂથરફોર્ડે 13 બોલમાં 26 રન બનાવ્યા હતા, જેનો સ્ટ્રાઈક રેટ 200 હતો. રોવમેન પોવેલે પણ 14 બોલમાં 24 રનની ઇનિંગ રમી હતી. બ્રાન્ડન કિંગ અને કેપ્ટન શાઈ હોપની ઓપનિંગ જોડીએ 54 રનની ભાગીદારી નોંધાવી હતી. કિંગે 30 બોલમાં 35 રન બનાવ્યા હતા, જ્યારે શાઈ હોપે સંઘર્ષ કર્યો હતો, તેણે 22 બોલમાં 19 રન બનાવ્યા હતા.

સ્કોટલેન્ડ તરફથી બ્રેડ ક્યુરી સૌથી સફળ બોલર રહ્યા, તેમણે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી. શફિયાન શરીફ, ડેવિડસન અને માઈકલ લીસ્કે 1-1 વિકેટ લીધી.

હારેલી બાજી જીત્યુ પાકિસ્તાન, 18.1, 18.3, 18.5, 18.6, આ ચાર બોલે વર્લ્ડકપમાંથી બહાર થતુ માંડ-માંડ બચાવ્યુ, વાંચવા માટે અહીં ક્લિક કરો

ICC T20 WC 2026: સૂર્યકુમાર યાદવનો ખાસ મિત્ર હવે બનશે ‘દુશ્મન’, જાણો કોણ છે આ ખેલાડી જે મેદાન પર આપશે ટક્કર!

સૂર્યકુમાર યાદવના નેતૃત્વ હેઠળની ટીમ ઈન્ડિયા આજે T20 વર્લ્ડ કપ 2026 ના પ્રથમ મેચ માટે મેદાનમાં ઉતરશે. સૂર્યા લાંબા સમયથી ભારતીય ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે, પરંતુ આ તેની પહેલી વાર ICC ટુર્નામેન્ટમાં કેપ્ટનશીપ કરી રહ્યો છે. આજે પહેલી મેચ USA સામે છે, જે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે. દરમિયાન, સૂર્યકુમાર યાદવનો એક જૂનો મિત્ર હવે તેની વિરુદ્ધ થઈ ગયો છે અને આજની મેચમાં વિરોધી ટીમ તરફથી રમતા જોવા મળશે.

ભારતમાં જન્મેલા મોનંક પટેલ યુએસએ ટીમના કેપ્ટન છે

આ વર્ષે ICC T20 વર્લ્ડ કપમાં રમી રહેલી USA ટીમમાં ફક્ત ચાર ખેલાડીઓ છે જેમનો જન્મ USAમાં થયો છે. બાકીના બધા ખેલાડીઓ અન્ય દેશોમાં જન્મ્યા હતા, પછીથી USAમાં સ્થાયી થયા હતા અને પછી તેમના માટે ક્રિકેટ રમ્યા હતા. USA ટીમમાં ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે જેઓ પાકિસ્તાનમાં જન્મ્યા હતા. USA ટીમનું નેતૃત્વ ભારતના ગુજરાતમાં જન્મેલા મોનંક પટેલ કરે છે. દરમિયાન, ભારત સામેની મેચ પહેલા, Monank પટેલે કહ્યું હતું કે જ્યારે ટીમ USA માટે રમે છે, ત્યારે તે ભારતીય છે કે પાકિસ્તાની છે તેનાથી કોઈ ફરક પડતો નથી. પટેલ ઉપરાંત, ટીમમાં ઘણા અન્ય ખેલાડીઓ છે જેમના મૂળ ભારતીય છે.

હરમીત સિંહનો જન્મ મુંબઈમાં થયો હતો અને તે પણ રમ્યો હતો

હરમીત સિંહ એક એવો જ ખેલાડી છે. 7 સપ્ટેમ્બર, 1992 ના રોજ મુંબઈમાં જન્મેલા, તે સૂર્યકુમાર યાદવ જેટલો જ ઉંમરનો છે. હાલમાં તે લગભગ 33 વર્ષનો છે. હરમીત સિંહ ડાબા હાથે બેટિંગ કરે છે અને સ્પિન બોલર છે. જ્યારે હરમીત હવે યુએસ ટીમ માટે રમે છે, તે અગાઉ ઇન્ડિયા બી, ઇન્ડિયા અંડર-19 અને મુંબઈ માટે રમી ચૂક્યો છે. વધુમાં, તે રેસ્ટ ઓફ ઇન્ડિયા માટે પણ રમી ચૂક્યો છે.

સૂર્યા અને હરમીત સિંહ 2015માં એક જ ટીમ માટે રમી રહ્યા હતા

રસપ્રદ વાત એ છે કે, થોડા વર્ષો પહેલા, હરમીત સિંહ અને સૂર્યકુમાર યાદવ એક જ ટીમ માટે રમ્યા હતા. આ વાત લગભગ 11 વર્ષ પહેલા 2015 ની છે. તે સમયે, સૂર્યકુમાર યાદવ અને હરમીત સિંહે એક જ ટીમ માટે છ મેચ એકસાથે રમી હતી. આ એક ફર્સ્ટ-ક્લાસ મેચ હતી. છ મેચ એકસાથે રમ્યા પછી, હરમીત સિંહ અને સૂર્યકુમાર યાદવ ફક્ત એક જ વાર એકબીજાનો સામનો કરી શક્યા છે, અલગ અલગ ટીમો માટે. જ્યારે 2024 માં T20 વર્લ્ડ કપ યોજાયો હતો, ત્યારે હરમીત સિંહ હજુ પણ યુએસએ માટે રમી રહ્યા હતા. હરમીત સિંહે ભારત સામે 10 બોલમાં 10 રન બનાવ્યા હતા, પરંતુ તેમને અર્શદીપ સિંહે આઉટ કર્યા ન હતા, જોકે તેમણે બોલિંગ કરી ન હતી.

હરમીત સિંહે ભારત સામે એક મેચ રમી છે

હવે ફરી એક વાર હરમીત સિંહ અને સૂર્યકુમાર યાદવ એકબીજાનો સામનો કરશે. જો આ વખતે હરમીતને બોલિંગ સોંપવામાં આવે, તો તે સૂર્યકુમાર યાદવ જ્યારે મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવા આવશે ત્યારે દેખાઈ શકે છે. તે ચોક્કસપણે એક રસપ્રદ તમાશો બનશે. ભલે હરમીત સિંહ પહેલા ભારત સામે રમી ચૂક્યો હોય, આ વખતે તે મુંબઈમાં રમશે, જ્યાં તેનો જન્મ થયો હતો. આજે હરમીત સિંહ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું બાકી છે.

હારેલી બાજી જીત્યુ પાકિસ્તાન, 18.1, 18.3, 18.5, 18.6, આ ચાર બોલે વર્લ્ડકપમાંથી બહાર થતુ માંડ-માંડ બચાવ્યુ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Icc T20WC Breaking News: WI vs SCO: T20 વર્લ્ડ કપના પહેલા દિવસે WIની શાનદાર જીત, સ્કોટલેન્ડને હરાવી રચાયો ઈતિહાસ

વેસ્ટ ઇન્ડીઝે 2026 ના T20 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડને 35 રનથી હરાવ્યું હતું. વર્લ્ડ કપના પહેલા જ દિવસે હેટ્રિક નોંધાઈ હતી. રોમારિયો શેફર્ડ T20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર વેસ્ટ ઇન્ડીઝનો પ્રથમ બોલર બન્યો હતો. કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી મેચમાં, વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ બેટિંગ કરીને 182 રન બનાવ્યા હતા. જવાબમાં, સ્કોટલેન્ડ ફક્ત 147 રન જ બનાવી શક્યું હતું.

અગાઉ, નેધરલેન્ડ્સે પાકિસ્તાનને મુશ્કેલ સમય આપ્યો હતો, પરંતુ અંતે ત્રણ વિકેટથી જીત મેળવવામાં સફળ રહ્યો હતો. સ્કોટલેન્ડ પણ એક ક્ષણ માટે વિજય માટે તૈયાર લાગતું હતું, પરંતુ રોમારિયો શેફર્ડની હેટ્રિકે મેચનું પાસું પલટી નાખ્યું. તેણે 17મી ઓવરમાં સતત ત્રણ બોલમાં ત્રણ વિકેટ લીધી.

પહેલા દિવસે હેટ્રિક

183 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, સ્કોટલેન્ડનો સ્કોર એક સમયે 3 વિકેટે 115 રન હતો, જેનો રનરેટ લગભગ 9 હતો. જોકે, સ્કોટલેન્ડે સતત ગતિએ વિકેટ ગુમાવવાનું શરૂ કર્યું.

રોમારિયો શેફર્ડ 17મી ઓવર ફેંકવા આવ્યા. તેમણે બીજા બોલ પર મેથ્યુ ક્રોસ (11), ત્રીજા બોલ પર માઈકલ લીસ્ક (0) અને ચોથા બોલ પર ઓલિવર ડેવિડસન (0) ને આઉટ કરીને પોતાની હેટ્રિક પૂર્ણ કરી. તે T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં હેટ્રિક લેનાર વિશ્વનો નવમો અને વેસ્ટ ઈન્ડિઝનો પ્રથમ બોલર બન્યો.

વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે સૌથી વધુ પાંચ વિકેટ લીધી, જ્યારે જેસન હોલ્ડરે પણ ઘાતક બોલિંગ કરી, ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યા. શમર જોસેફ અને ગુડાકેશ મોતીએ પણ એક-એક વિકેટ લીધી.

હારેલી બાજી જીત્યુ પાકિસ્તાન, 18.1, 18.3, 18.5, 18.6, આ ચાર બોલે વર્લ્ડકપમાંથી બહાર થતુ માંડ-માંડ બચાવ્યુ, વાંચવા માટે અહીં ક્લિક કરો

Breakig News : ગુજરાતી બિઝનેસમેન મુકેશ અંબાણીની નવી ચાલ, વેનેઝુએલાનું તેલ બનશે ભારતનું વ્યૂહાત્મક હથિયાર!

રશિયા નહીં, હવે વેનેઝુએલાનું તેલ ભારત માટે એક નવી વ્યૂહાત્મક શક્તિ બની રહ્યું છે. દેશના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની આગેવાની હેઠળ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વેનેઝુએલા સાથે ફરી એક મોટો તેલ કરાર કર્યો છે. લગભગ દોઢ વર્ષના વિરામ બાદ રિલાયન્સે ત્યાંથી ક્રૂડ તેલની આયાત ફરી શરૂ કરી છે અને બે મિલિયન બેરલ તેલ વહન કરતું વિશાળ જહાજ ખરીદ્યું છે.

યુએસ દ્વારા વેનેઝુએલાના તેલ ઉદ્યોગ પરના કેટલાક પ્રતિબંધો હળવા

આ નિર્ણય એવા સમયે લેવાયો છે જ્યારે રશિયાથી ભારતની તેલ આયાતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આંતરરાષ્ટ્રીય દબાણ અને ચુકવણી સંબંધિત પડકારોને કારણે ભારત હવે ઊર્જા જરૂરિયાતો માટે નવા વિકલ્પો શોધી રહ્યું છે. યુએસ દ્વારા વેનેઝુએલાના તેલ ઉદ્યોગ પરના કેટલાક પ્રતિબંધો હળવા થતાં, વેનેઝુએલાનું તેલ ફરી વૈશ્વિક બજારમાં પ્રવેશી રહ્યું છે, જેનો સીધો લાભ ભારતીય કંપનીઓને મળી રહ્યો છે.

ભારતની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વૈશ્વિક તેલ બજારમાં પોતાની વ્યૂહરચના બદલીને ફરી સાબિત કર્યું છે કે તે માત્ર એક કે બે દેશો પર નિર્ભર રહેવા માગતી નથી. વેનેઝુએલા પાસેથી બે મિલિયન બેરલ ક્રૂડ તેલનો આ ઓર્ડર માત્ર એક વ્યવસાયિક સોદો નથી, પરંતુ ભારતની ઊર્જા સુરક્ષા મજબૂત કરવાની લાંબા ગાળાની યોજના નો ભાગ છે.

ગયા વર્ષના મધ્યમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો અને રાજદ્વારી દબાણને કારણે રિલાયન્સે વેનેઝુએલાથી તેલ ખરીદવાનું સંપૂર્ણપણે બંધ કર્યું હતું. હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. દક્ષિણ અમેરિકન દેશ સાથેના જૂના વેપાર સંબંધોને ફરી સક્રિય કરીને રિલાયન્સે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે ભારત વૈશ્વિક રાજકારણ વચ્ચે પણ પોતાની ઊર્જા જરૂરિયાતો માટે સંતુલિત રસ્તો અપનાવી રહ્યું છે.

નવેમ્બર 2022 બાદનું સૌથી નીચું સ્તર

આ સમગ્ર ઘટનાક્રમની બીજી બાજુ રશિયા સાથે જોડાયેલી છે. કૅપ્લર ડેટા મુજબ, ગયા વર્ષે જૂન સુધી ભારત દરરોજ લગભગ 2 મિલિયન બેરલ રશિયન તેલ આયાત કરતું હતું. જોકે, આ વર્ષે જાન્યુઆરીમાં આ આંકડો ઘટીને લગભગ 1.1 મિલિયન બેરલ પ્રતિ દિવસ થયો છે, જે નવેમ્બર 2022 બાદનું સૌથી નીચું સ્તર છે.

નિષ્ણાતોનું માનવું છે કે રશિયન તેલ પર લાગેલા પ્રતિબંધો અને ચુકવણી સંબંધિત મુશ્કેલીઓએ ભારતને વિકલ્પો શોધવા માટે મજબૂર કર્યું છે. આ વચ્ચે અમેરિકાએ વેનેઝુએલાના તેલ ઉદ્યોગ અંગે પોતાની નીતિઓમાં ફેરફાર કર્યો છે, જેના કારણે વેનેઝુએલાનું તેલ ફરી આંતરરાષ્ટ્રીય બજારમાં ઉપલબ્ધ બન્યું છે.

ભારત અને અમેરિકા વચ્ચે થયેલા તાજેતરના વેપાર કરાર પણ આ બદલાવમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા હોવાનું માનવામાં આવે છે. આ કરારથી ભારતીય નિકાસ પરના કરમાં રાહત મળી છે. બજાર સંકેતો સૂચવે છે કે રશિયાથી ઘટતી આયાત અને વેનેઝુએલાથી ફરી શરૂ થયેલી ખરીદી આ રાજદ્વારી સમીકરણનો ભાગ હોઈ શકે છે, જોકે સરકાર તરફથી સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી.

રશિયાથી આયાત ઘટી રહી

વેનેઝુએલા ભારત માટે કોઈ નવું નામ નથી. 2019માં વેનેઝુએલાનો હિસ્સો ભારતની કુલ તેલ આયાતમાં આશરે 25 ટકા જેટલો હતો. યુએસ પ્રતિબંધોમાં રાહતના સમયગાળા દરમિયાન પણ રિલાયન્સે ત્યાંથી તેલ આયાત કર્યું હતું. હવે જ્યારે રશિયાથી આયાત ઘટી રહી છે, ત્યારે વેનેઝુએલા સાથેનો આ નવો કરાર ભારતની ઊર્જા સુરક્ષા તરફનું એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

આ 10 આંતરરાષ્ટ્રીય સ્કોલરશિપ્સ તમને મોકલશે ABROAD, જાણી લો

T20 World Cup Breaking : USA એ જીત્યો ટોસ, ટીમ ઈન્ડિયા પહેલા કરશે બેટિંગ,  સંજુ-બુમરાહ ટીમમાંથી બહાર

ભારત T20 વર્લ્ડ કપ 2026 માં પોતાના અભિયાનની શરૂઆત કરવા માટે તૈયાર છે. ભારતનો પહેલો મુકાબલો યુનાઇટેડ સ્ટેટ્સ સામે છે. આ મેચ માટે ટોસ થઈ ચૂક્યો છે. યુએસએના કેપ્ટન મોનંક પટેલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ થયો કે ટીમ ઇન્ડિયા પહેલા બેટિંગ કરશે. ટોસ પછી, બંને ટીમોએ તેમની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી.

સંજુ સેમસન-બુમરાહ બહાર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમાર યાદવે ભારતીય પ્લેઈંગ ઈલેવનમાંથી બે ખેલાડીઓને બાકાત રાખવાની જાહેરાત કરી. તેણે કહ્યું કે સંજુ સેમસન ટીમમાંથી બહાર છે, અને કમનસીબે, બુમરાહ પણ વાયરલ ફીવરને કારણે બહાર થઈ ગયો છે.

 

તિલક વર્મા-મોહમ્મદ સિરાજ પ્લેઈંગ ઈલેવનમાં સામેલ

સંજુ સેમસન અને જસપ્રીત બુમરાહ ટીમમાંથી બહાર થયા છે તો બીજી તરફ તિલક વર્મા અને મોહમ્મદ સિરાજ ભારતીય ટીમની પ્લેઇંગ ઇલેવનમાં પાછા ફર્યા છે. તિલક વર્મા સંજુ સેમસનનું સ્થાન લેશે, જ્યારે મોહમ્મદ સિરાજ જસપ્રીત બુમરાહનું સ્થાન લેશે.

સિરાજનું વનડે ટીમમાં કમબેક

સિરાજ શરૂઆતમાં ભારતની T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ નહોતો. જોકે, ઘૂંટણની ઇજાને કારણે હર્ષિત રાણા ટુર્નામેન્ટમાંથી બહાર થયા બાદ તેને બોલાવવામાં આવ્યો હતો, અને બુમરાહને તાવ હોવાને કારણે તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું.

 

બંને ટીમોની પ્લેઇંગ ઈલેવન

ભારત

અભિષેક શર્મા, ઈશાન કિશન (વિકેટ કિપર), તિલક વર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), હાર્દિક પંડ્યા, રિંકુ સિંહ, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, વરુણ ચક્રવર્તી.

USA

એન્ડ્રીસ ગોસ (વિકેટ કિપર), સૈતેજા મુકામલ્લા, મોનાંક પટેલ (કેપ્ટન), મિલિંદ કુમાર, સંજય કૃષ્ણમૂર્તિ, શુભમ રાંજને, હરમીત સિંહ, મોહમ્મદ મોહસીન, શેડલી વાન શાલ્કવિક, અલી ખાન, સૌરભ નેત્રાવલકર

T20 World Cup Breaking : T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન ટક્કર થશે કે નહીં? શ્રીલંકાની વિનંતીથી બદલાયું ગણિત

Breaking News: મેડિકલમાં પ્રવેશ માટેની NEET PGમાં -40 કટ-ઓફ જોઈને સુપ્રીમ કોર્ટ પણ થઈ સ્તબ્ધ, NBEMSને કર્યો આ નિર્દેશ

નીટ પીજી કટ-ઓફ ઘટાડીને -40 ગુણ કરવો યોગ્ય છે કે નહીં? તે અંગે સુપ્રીમ કોર્ટનો નિર્ણય હજુ આવવાનો બાકી છે. ન્યાયાધીશ પામિદિઘંટમ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે મેડિકલ પોસ્ટગ્રેજ્યુએટ કોર્સમાં એડમિઇશન માટે અપનાવવામાં આવેલી પદ્ધતિ પર આશ્ચર્ય વ્યક્ત કર્યું. કોર્ટે અનામત શ્રેણીઓ માટે 0th પર્સન્ટાઇલ (-40 ગુણ) કટ-ઓફ પર નારાજગી વ્યક્ત કરતા પૂછ્યું, “આ ધોરણોનો મામલો છે. શું તેમની સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે?”

આ કેસમાં રેગ્યુલર ડોકટરોની લાયકાત પર આશ્ચર્ય વ્યક્ત કરતા, સુપ્રીમ કોર્ટની બેન્ચે કહ્યું, “આ પદ્ધતિ કેમ અપનાવવામાં આવી તે જોઈને અમને આશ્ચર્ય થયું છે. આ બધા નિયમિત ડોકટરો છે.” જવાબમાં, વકીલે સમજાવ્યું કે આ નિર્ણય અનુસ્નાતક બેઠકો ન ખાલી રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે લેવામાં આવ્યો હતો.

નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS) એ 13 જાન્યુઆરીના રોજ NEET PG કાઉન્સેલિંગ માટે કટ-ઓફમાં નોંધપાત્ર ઘટાડો કર્યો હતો. રિવાઈઝ્ડ ક્વોલિફાઈંગ ક્રાઈટેરિયા (સુધારેલા લાયકાત માપદંડ) NEET-PG 2025-26 માટે કાઉન્સેલિંગના ત્રીજા રાઉન્ડ પર લાગુ પડે છે. સૌથી આશ્ચર્યજનક ફેરફાર SC, ST અને OBC શ્રેણીઓ માટે છે, જ્યાં લાયકાત ટકાવારી 40મા પર્સેન્ટાઈલથી ઘટાડીને શૂન્ય પર્સેન્ટાઈલ કરવામાં આવી છે. આનો અર્થ એ થયો કે 800 માંથી માઈનસ 40 મેળવનારાઓ પણ મેડિકલ પોસ્ટગ્રેજ્યુએટ અભ્યાસ કરી શકે છે. આ સુધારેલા કટ-ઓફ સ્કોરે સહુ કોઈને ચોંકાવી દીધા છે.

વધુમાં, જનરલ અને EWS ઉમેદવારો માટે, ક્વોલિફાઈંગ પર્સન્ટાઈલ 50થી ઘટાડીને 7 મ પર્સેન્ટાઈલ કરવામાં આવી છે, જેનાથી કટ-ઓફ સ્કોર 276 થી ઘટાડીને 103 થઈ ગયો છે. જનરલ PwD ઉમેદવારો માટે, કટ-ઓફ 45માથી ઘટાડીને 5મા પર્સેન્ટાઈલ કરવામાં આવ્યો છે, જેનાથી સ્કોર 255 થી ઘટાડીને 90 કરવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટે NBEMS ને  આપ્યો આ નિર્દેશ

NEET PG કટ-ઓફને માઈનસ 40 ગુણ સુધી ઘટાડવાને પડકારતી સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. સામાજિક કાર્યકર હરિશરણ દેવગન, ન્યુરોસર્જન સૌરભ કુમાર, ડૉ. લક્ષ્ય મિત્તલ (પ્રમુખ, યુનાઇટેડ ડૉક્ટર્સ ફ્રન્ટ), અને ડૉ. આકાશ સોની (સભ્ય, વર્લ્ડ મેડિકલ એસોસિએશન) એ PIL દાખલ કરી હતી. શુક્રવારે અરજીની સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટે NEET PG 2025-26 માટે ક્વોલિફાઇંગ કટ-ઓફ ટકાવારીમાં ઘટાડા અંગે કેન્દ્ર અને NBEMS પાસેથી જવાબ માંગ્યો. કોર્ટે બોર્ડને સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો.

સુનાવણી દરમિયાન, કોર્ટે ટિપ્પણી કરી કે આ સ્ટેન્ડર્ડ (ધોરણો)નો મામલો છે, અને સવાલ એ છે કે શું તે ધોરણો સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. બેન્ચે સંકેત આપ્યો કે કોર્ટ તપાસ કરશે કે શું નિર્ણય ‘સંપૂર્ણપણે અયોગ્ય’ હતો કે નહીં.

Breaking News: જે બાંગ્લાદેશી ક્રિકેટરને IPL માંથી પડતો મુકાયો, તેના પર પાકિસ્તાને લૂંટાવ્યા આટલા કરોડ રૂપિયા

ભારતના દરેક ઘરમાં સોનું અને ચાંદી અવશ્ય જોવા મળે છે લોકોનો સોના-ચાંદીને ઘરના દરેક શુભ પ્રસંગે ખરીદતા હોય છે, ત્યારે રોજનો સોના-ચાંદીનો ભાવ જાણવા અહીં ક્લિક કરો  

Breaking News : T20 World Cup 2026 માં ઇન્જરી નો આતંક, 7 ખેલાડીઓ ટુર્નામેંટમાંથી બહાર

T20 વર્લ્ડ કપ શરૂ થવાના માત્ર 24 કલાક પહેલાં ભારતીય ટીમને મોટો ફટકો પડ્યો છે. ઝડપી બોલર હર્ષિત રાણા ઘૂંટણની ઈજાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકા સામેની વોર્મ-અપ મેચ દરમિયાન તેને આ ઈજા થઈ હતી અને સમયસર સ્વસ્થ થવાની શક્યતા ઓછી હોવાથી તેને બહાર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયાએ હર્ષિત રાણાની જગ્યાએ મોહમ્મદ સિરાજને સ્ક્વોડમાં સામેલ કર્યો છે.

ઓસ્ટ્રેલિયાને બે મુખ્ય બોલરો ગુમાવવા પડ્યા

ઓસ્ટ્રેલિયાને ઈજાઓને કારણે મોટું નુકસાન સહન કરવું પડ્યું છે. ટીમના બે મુખ્ય ઝડપી બોલર પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. પેટ કમિન્સ પીઠની ઈજાને કારણે બહાર થયો છે, જ્યારે હેઝલવુડ હેમસ્ટ્રિંગ અને એચિલીસ ઈજામાંથી હજી સંપૂર્ણ સ્વસ્થ થયો નથી. તેમના સ્થાને બેન દ્વાર્શિયસ અને શોન એબોટને તક મળી શકે છે.

દક્ષિણ આફ્રિકાને પણ બેવડો ફટકો

દક્ષિણ આફ્રિકાની ટીમને પણ ઈજાઓનો સામનો કરવો પડ્યો છે. ડાબોડી બેટ્સમેન ટોની ડી જોર્ઝી ભારત પ્રવાસ દરમિયાન હેમસ્ટ્રિંગ ઈજાને કારણે ટુર્નામેન્ટ માટે અયોગ્ય ઠર્યો છે. સાથે જ, ડોનોવન ફેરેરા પણ SA20 દરમિયાન ખભાની ઈજા ભોગવી ચૂક્યો છે, જેના કારણે તે પણ વર્લ્ડ કપમાંથી બહાર થયો છે.

ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને પણ નુકસાન

ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર એડમ મિલ્ને ડાબા હેમસ્ટ્રિંગની ઈજાને કારણે T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયા છે. તેમના સ્થાને કાયલ જેમિસન ને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. બીજી તરફ, અફઘાનિસ્તાનના ઝડપી બોલર નવીન ઉલ હક ને જમણા ખભામાં સ્ટ્રેસ ફ્રેક્ચર થવાને કારણે ટુર્નામેન્ટમાંથી બહાર રહેવું પડશે.

હર્ષિત રાણાની જગ્યાએ આ સ્ટાર ખેલાડીને મળી તક, દોઢ વર્ષ પછી ટીમ ઈન્ડિયામાં વાપસી

સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ ગામે ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ

સાબરકાંઠાના પ્રાંતિજના સલાલ ગામમાંથી પોલીસે, આરોગ્ય માટે અતિ જોખમી એવુ ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી બનાવવામાં આવતા કૃત્રિમ દૂધ, બનાવટી દૂધ બનાવવાનો કાચો માલસામાન અને મશીનરી સાથે ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે.

સાબરકાંઠાના પ્રાંતિજની એલસીબી પોલીસે, બાતમીના આધારે સલાલ ગામે દરોડા પાડ્યા હતા.દરોડા દરમિયાન, ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતરથી દૂધ બનાવતી ફેક્ટરી ઝડપાઈ હતી. ફેકટરીમાંથી બનાવટી આરોગ્ય માટે જોખમી એવુ કૃત્રિમ દૂઘ બનાવવા માટે વપરાતો ડિટર્જન્ટ પાવડર અને યુરિયા ખાતર સાથે પામોલીન તેલ, સોયાબીન તેલ, કોસ્ટીક સોડા અને દૂધ પાવડરનો જથ્થો ઝડપાયો છે. આરોપીઓ બનાવટી દૂધ બનાવવા માટે ડિટર્જન્ટ પાઉડર, યુરિયા ખાતર સાથે પામોલીન તેલ, સોયાબીન તેલ, કોસ્ટીક સોડા અને દૂધના પાવડરનો ઉપયોગ કરતા હતા.

સ્વાસ્થ્યને હાનિકારક બનાવટી દૂધ તૈયાર કરીને પેકિંગ કરીને બજારમાં વેચવામાં આવતુ હતુ. એલસીબી પોલીસે દરોડા દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સાથે રાખી કરીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મુખ્ય આરોપી ધમો ઉર્ફે રાકેશ પટેલ દરોડો પડતા ભૂગર્ભમાં ઉતરી ગયો છે. એલસીબીએ દરોડો પાડી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. એક સગીર પણ નકલી દૂધના ખેલમાં સામેલ હોવાથી તેની સામે જુવેનાઈલ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે સત્યા ડેરી પ્રોડક્ટ ફેક્ટરીના સંચાલકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

કલમ 307ના ગુનામાં કઈ રીતે સમાધાન થઈ શકે ? દેવાયત ખવડ પ્રખ્યાત નહીં પરંતુ કુખ્યાત છે: ગુજરાત હાઈકોર્ટ

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Breaking News : સૂર્યકુમાર યાદવે ખોલ્યું મોટું રાઝ, ગંભીરના આવ્યા પછી ટીમ ઈન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં શું બદલાયું? જાણો

T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થવાની છે. ડિફેન્ડિંગ ચેમ્પિયન India national cricket team તે દિવસે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યુએસએ સામે પોતાનો પહેલો ગ્રુપ મેચ રમશે. સાંજે 7 વાગ્યે શરૂ થનારી આ મેચમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને મુખ્ય કોચ ગૌતમ ગંભીરની જોડી પર સૌની નજર રહેશે. ટીમ છેલ્લા સમયથી સતત સારું પ્રદર્શન કરી રહી છે અને ગંભીરના કોચિંગ હેઠળ ડ્રેસિંગ રૂમનું વાતાવરણ ખૂબ જ સકારાત્મક બન્યું છે.

ગંભીરના આગમન પછી ડ્રેસિંગ રૂમનું વાતાવરણ

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમાર યાદવે જણાવ્યું કે ગૌતમ ગંભીરના આગમન પછી ટીમમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ડ્રેસિંગ રૂમ હવે વધુ હળવું અને સકારાત્મક બન્યું છે. વ્યક્તિગત સિદ્ધિઓ અથવા સીમાચિહ્નો કરતાં હવે ટીમની જરૂરિયાતોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવે છે.

તેમણે ઇશાન કિશનનું ઉદાહરણ આપ્યું. તાજેતરની એક ઇનિંગમાં ઇશાને 90થી વધુ રન બનાવ્યા હતા, પરંતુ તેણે પોતાની સદી પૂર્ણ કરવા માટે રોકાઈ ન જઈને સતત સિક્સર ફટકારી, કારણ કે તે સમયે ટીમને ઝડપી રનની જરૂર હતી. કેપ્ટને ભારપૂર્વક જણાવ્યું કે મેદાન પરના બંને બેટ્સમેનોને તેમની શૈલી અને પરિસ્થિતિ અનુસાર રમવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવામાં આવે છે.

ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઇન્ડિયાનું પ્રભુત્વ

2024 T20 વર્લ્ડ કપ બાદ ગૌતમ ગંભીરને ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ત્યારથી ટીમે T20 ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. આ સમયગાળા દરમિયાન ભારતે કુલ 41 T20 મેચ રમી છે, જેમાંથી 33 મેચ જીતી છે અને માત્ર 6 મેચ હારી છે. એટલે કે, ટીમનો જીતનો દર લગભગ 85 ટકા રહ્યો છે, જે અન્ય તમામ ટીમોમાં સૌથી વધુ છે.

ગૌતમ ગંભીરના માર્ગદર્શન હેઠળ ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પણ જીતી હતી. હવે ટીમની નજર T20 વર્લ્ડ કપ 2026 પર છે. આ ટુર્નામેન્ટમાં ભારત ગ્રુપ Aમાં યુએસએ, નામિબિયા, પાકિસ્તાન અને નેધરલેન્ડ્સ સાથે છે. યુએસએ સામેની પહેલી મેચથી ટીમ મજબૂત શરૂઆત કરવા ઈચ્છે છે.

સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ યુવા અને અનુભવનો સુંદર સમન્વય જોવા મળી રહ્યો છે. ચાહકોને પૂરો વિશ્વાસ છે કે આ જોડી ફરી એકવાર ભારતને વિશ્વ ચેમ્પિયન બનાવીને ઇતિહાસ રચશે.

ICC T20 WC 2026: ભારતની આ ચાલથી બર્બાદ થઈ જશે પાકિસ્તાન ક્રિકેટ, ટીમ ઈન્ડિયા કોલંબો જશે, ટોસ માટે મેદાન પર આવશે સૂર્યકુમાર યાદવ

Breaking News : 6,95,699 રોકાણકારો વાળી કંપનીને મળ્યો 150 મેગાવોટનો મોટો ઓર્ડર, શેર બન્યા રોકેટ

ભારતની અગ્રણી નવીનીકરણીય ઉર્જા કંપની Waaree Energies માટે વર્ષ 2026ની શરૂઆત અત્યંત સકારાત્મક રહી છે. કંપનીને અમેરિકા તરફથી 150 મેગાવોટના સોલાર મોડ્યુલ સપ્લાયનો મહત્વપૂર્ણ ઓર્ડર મળ્યો છે. આ ઓર્ડરથી વારી એનર્જીની આંતરરાષ્ટ્રીય હાજરી વધુ મજબૂત બની છે અને વૈશ્વિક બજારમાં તેની વિશ્વસનીયતા વધેલી જોવા મળે છે.

કંપનીએ સ્ટોક એક્સચેન્જને આપેલી માહિતી મુજબ, તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની વારી સોલાર અમેરિકા ઇન્ક.ને અમેરિકાના એક પ્રતિષ્ઠિત સૌર ઉર્જા વિકાસકર્તા પાસેથી આ ઓર્ડર મળ્યો છે. આ વિકાસકર્તા મોટા પાયે સૌર પ્રોજેક્ટ્સ વિકસાવે છે અને સ્વતંત્ર પાવર ઉત્પાદક તરીકે કાર્ય કરે છે. 150 મેગાવોટના આ સૌર મોડ્યુલ્સનો સપ્લાય 2026 અને 2027 દરમિયાન તબક્કાવાર કરવામાં આવશે, જેનાથી કંપનીને આગામી વર્ષોમાં સ્થિર અને મજબૂત આવક થવાની અપેક્ષા છે.

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ સોદો કોઈપણ પ્રમોટર અથવા પ્રમોટર ગ્રુપના હિતો સાથે સંકળાયેલો નથી. આ એક સામાન્ય વ્યાપારી વ્યવહાર છે, જે તમામ નિયમનકારી ધોરણોનું સંપૂર્ણ પાલન કરે છે. આ બાબત વારી એનર્જીના કોર્પોરેટ ગવર્નન્સ અને પારદર્શિતાને વધુ મજબૂત બનાવે છે.

મુંબઈ સ્થિત વારી એનર્જીઝ સોલર પેનલ ઉત્પાદન, EPC સેવાઓ, પ્રોજેક્ટ ડેવલપમેન્ટ તેમજ રૂફટોપ સોલર સિસ્ટમ્સ જેવી સેવાઓની સંપૂર્ણ શ્રેણી પ્રદાન કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કંપનીએ ભારતમાં તો મજબૂત પાયો ઊભો કર્યો જ છે, સાથે સાથે અમેરિકા અને અન્ય આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ પોતાની નોંધપાત્ર હાજરી સ્થાપિત કરી છે.

અમેરિકા તરફથી મળેલો આ 150 મેગાવોટનો ઓર્ડર દર્શાવે છે કે ભારતીય સૌર કંપનીઓ હવે ગુણવત્તા, ટેકનોલોજી અને સ્કેલના મામલે વૈશ્વિક સ્તરે વિશ્વસનીય બની ગઈ છે. ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સોલાર મોડ્યુલ્સ અને અદ્યતન ટેકનોલોજી પર વારી એનર્જીનું ધ્યાન તેને આંતરરાષ્ટ્રીય વિકાસકર્તાઓની જરૂરિયાતોને વધુ સારી રીતે પૂર્ણ કરવામાં મદદરૂપ બની રહ્યું છે.

115%થી વધુ નફામાં ઉછાળો, રોકાણકારોની વધતી રસપ્રતિક્રિયા

નાણાકીય દૃષ્ટિએ પણ વારી એનર્જીએ નાણાકીય વર્ષ 2026ના ત્રીજા ત્રિમાસિકમાં ઉત્કૃષ્ટ પરિણામો દર્શાવ્યા છે. કંપનીનો એકીકૃત ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 115.64% વધીને ₹1,062.46 કરોડ થયો છે, જ્યારે ગયા વર્ષના સમાન ત્રિમાસિકમાં તે ₹492.69 કરોડ હતો. સાથે સાથે કામગીરીમાંથી આવક પણ 118.81% વધીને ₹7,565.05 કરોડ સુધી પહોંચી છે.

આ મજબૂત નાણાકીય પ્રદર્શનનો પ્રતિબિંબ શેરબજારમાં પણ જોવા મળ્યો છે, જ્યાં કંપનીના શેર બીએસઈ પર અંદાજે ₹3,103ના સ્તરે મજબૂત વેપાર કરી રહ્યા છે. બજાર નિષ્ણાતોના મતે, અમેરિકા જેવા મોટા અને પરિપક્વ બજારોમાંથી સતત મળતા ઓર્ડર અને મજબૂત નાણાકીય વૃદ્ધિ ભવિષ્યમાં વારી એનર્જીને વૈશ્વિક સૌર ક્ષેત્રમાં એક અગ્રણી નામ બનાવી શકે છે.

સરકારી કંપનીના શેરમાં મોટો ધડાકો, પ્રતિ શેર 250 રૂપિયાનું નુકસાન

પાકિસ્તાન ક્રિકેટમાં જેટલુ 7 વર્ષમાં કમાય છે એટલો વકરો માત્ર IND vs PAKની એક મેચમાં થઈ જાય છે, જો ભારત સામેની મેચ નથી રમતુ તો…

 

વર્લ્ડ કપને લગતા આવાજ સમાચારો વાંચવા માટે ક્લિક કરો 

Breaking News : હવે ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે! જગત જમાદાર ટ્રમ્પના દાવા પર સરકારે આપ્યું મોટું નિવેદન

છેલ્લા કેટલાક દિવસોથી ભારતની તેલ ખરીદી નીતિ અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચા ચાલી રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ Donald Trump દ્વારા કરવામાં આવેલા એક દાવા બાદ આ મુદ્દો વધુ ચર્ચામાં આવ્યો હતો. ટ્રમ્પે કહ્યું હતું કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરી રહ્યું છે અને તેના બદલે અમેરિકા અથવા વેનેઝુએલા તરફ વળી રહ્યું છે. આ નિવેદન બાદ વૈશ્વિક રાજદ્વારી અને ઉર્જા બજારમાં અનેક અટકળો શરૂ થઈ હતી.

આ દાવાઓ પર હવે ભારત સરકારે પોતાની સ્થિતિ સંપૂર્ણપણે સ્પષ્ટ કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારત માટે સૌથી મોટી પ્રાથમિકતા 1.4 અબજ ભારતીયોની ઉર્જા સુરક્ષા છે. સરકારનું સ્પષ્ટ કહેવું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સતત રહે અને કિંમતો નિયંત્રણમાં રહે, તે માટે તમામ યોગ્ય વિકલ્પો ખુલ્લા રાખવામાં આવ્યા છે.

તેલ ખરીદવાનો નિર્ણય

સરકારના નિવેદન અનુસાર, ભારત કોઈ એક દેશ પર આધાર રાખવા માગતું નથી. તેની ઉર્જા વ્યૂહરચનાનો આધાર વૈવિધ્યીકરણ પર છે. જ્યાંથી શ્રેષ્ઠ કિંમત અને સ્થિર પુરવઠો મળે, ત્યાંથી તેલ ખરીદવાનો નિર્ણય લેવામાં આવે છે. આ પ્રક્રિયામાં રશિયા, યુનાઇટેડ સ્ટેટ્સ અને વેનેઝુએલા સહિત તમામ દેશો વિકલ્પ રૂપે જોવામાં આવે છે.

વિદેશ મંત્રાલયે વધુમાં જણાવ્યું કે વેનેઝુએલા ભારત માટે લાંબા સમયથી ઉર્જા ક્ષેત્રમાં મહત્વનો ભાગીદાર રહ્યો છે. 2019-20 સુધી, ત્યાં લાગુ થયેલા પ્રતિબંધો પહેલાં, વેનેઝુએલા ભારત માટે ક્રૂડ તેલનો એક મોટો સ્ત્રોત હતો. પ્રતિબંધોમાં છૂટ મળ્યા બાદ 2023-24માં ભારતે ત્યાંથી ફરી તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું, પરંતુ પછીથી પ્રતિબંધો ફરી લાગુ થતા ખરીદી અટકાવી દેવામાં આવી હતી.

ભારત લાંબા ગાળાના વિકલ્પો ખુલ્લા રાખવા

સરકારનું વલણ સ્પષ્ટ છે કે જો કિંમતો યોગ્ય હોય અને પુરવઠામાં કોઈ અવરોધ ન હોય, તો વેનેઝુએલા પાસેથી ફરી તેલ ખરીદવા અંગે વિચાર કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે ભારતીય જાહેર ક્ષેત્રની કંપનીઓ 2008થી વેનેઝુએલામાં હાજર છે, જે દર્શાવે છે કે ભારત લાંબા ગાળાના વિકલ્પો ખુલ્લા રાખવા માંગે છે.

આ મુદ્દે રશિયાનો પ્રતિભાવ પણ સંતુલિત રહ્યો છે. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદી બંધ કરવાની કોઈ સત્તાવાર માહિતી તેમને મળી નથી. તેમણે સ્પષ્ટ કર્યું કે ભારત એક સાર્વભૌમ દેશ છે અને પોતાની જરૂરિયાતો મુજબ કોઈપણ દેશ પાસેથી તેલ ખરીદવાનો સંપૂર્ણ અધિકાર ધરાવે છે.

રશિયા વિરુદ્ધ પગલું તરીકે જોવું યોગ્ય નથી

રશિયાએ એ પણ જણાવ્યું કે તે ક્યારેય ભારતનો એકમાત્ર તેલ સપ્લાયર રહ્યો નથી. ભારત હંમેશા વિવિધ દેશોમાંથી ઉર્જા ઉત્પાદનો ખરીદતું આવ્યું છે. તેથી, જો ભારત પોતાના વિકલ્પોમાં વૈવિધ્ય લાવે છે, તો તેને રશિયા વિરુદ્ધ પગલું તરીકે જોવું યોગ્ય નથી.

સારાંશરૂપે, ભારતની ઉર્જા નીતિ કોઈ રાજકીય દબાણ પર નહીં, પરંતુ રાષ્ટ્રીય હિત, બજારની પરિસ્થિતિ અને સામાન્ય નાગરિકોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ઘડવામાં આવે છે.

દુનિયાના સૌથી અમીર ચમકદાર શહેરની ગરીબી તમે જોઈ ? જુઓ Video

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે. અહી ક્લિક કરો

વડોદરા: JCB કેબિનમાં 10 મહિલાઓ અને ટ્રોલીમાં બાળકો ! 17 શ્રમિકોને ‘કચરા’ની જેમ ભરી ચાલકે જોખમી મુસાફરે…

વડોદરામાં ટ્રાફિક નિયમોના ધજાગરા ઉડાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં એક JCB ચાલકે માનવતા અને કાયદો બંને ભૂલીને શ્રમિકોના જીવ જોખમમાં મૂક્યા હતા. રસ્તા પરથી પસાર થઈ રહેલા આ JCBમાં જે દ્રશ્યો જોવા મળ્યા તે જોઈને કોઈપણ વ્યક્તિ સ્તબ્ધ થઈ જાય તેમ હતું.

JCB કે ‘બસ’? વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, જેસીબીની નાનકડી કેબિનમાં ઠાંસી-ઠાંસીને 10 જેટલી મહિલાઓને બેસાડવામાં આવી હતી. આટલું ઓછું હોય તેમ, JCBના આગળના ભાગમાં અને અન્ય જગ્યાએ બાળકો સહિત કુલ 17 શ્રમિકોને બેસાડીને ચાલક બિન્દાસ રીતે રસ્તા પર ફરી રહ્યો હતો. એક સામાન્ય ભૂલ કે અચાનક બ્રેક પણ આ તમામ નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થઈ શકી હોત.

માણસોની કિંમત કચરા સમાન? થોડા સમય પહેલા ‘ડોર-ટુ-ડોર’ કચરો ઉઠાવતી ગાડીઓમાં કચરાને બદલે માણસોને ભરીને લઈ જવાનો વીડિયો વાયરલ થયો હતો. ફરી એકવાર આવી જ ઘટના પુનરાવર્તિત થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ગરીબ શ્રમિકોના જીવની કિંમત કચરા સમાન છે? જો કોઈ અકસ્માત સર્જાય અને કોઈનો જીવ જાય, તો તેની જવાબદારી કોની? JCB માલિકની, ચાલકની કે પછી ઊંઘતા ઝડપાયેલા તંત્રની?

તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલ શહેરના ભરચક વિસ્તારોમાં જ્યારે આવી રીતે જોખમી મુસાફરી થતી હોય ત્યારે RTO અને શહેર ટ્રાફિક પોલીસ ક્યાં છે? સ્માર્ટ સિટીના સીસીટીવી કેમેરામાં આવા દ્રશ્યો કેમ ઝડપાતા નથી? ખોડિયારનગરનો આ વીડિયો વાયરલ થયા બાદ હવે પોલીસ આ બેદરકાર ચાલક સામે શું પગલાં લે છે તે જોવું રહ્યું.

સ્થાનિક નાગરિકોની માંગ છે કે આવા બેદરકાર ચાલકો અને વાહન માલિકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી હોનારત ટાળી શકાય.

Input Credit: Anjali Oza

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પ્રમોશન કૌભાંડના આક્ષેપો : 2020ની શિક્ષણ નીતિનો 2015ના પેપરમાં ઉલ્લેખ થતા હોબાળો- જુઓ Video

Brandy For Cough : શું બ્રાન્ડી પીવાથી ખરેખર શરદી અને ખાંસી મટે છે ?

આ વર્લ્ડકપ ક્રિકેટમાં 20-20 ઓવરની મેચ રમાતી હોય છે, તેમજ આને ક્રિકેટનો સૌથી નાના ફોર્મેટનો વર્લ્ડકપ પણ કહેવામાં આવે છે.વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો

Breaking News : 7,10,900 રોકાણકારો વાળી કંપનીનું ક્રિકેટમાં ડેબ્યૂ, IPL 2026 માટે RCBની પ્રિન્સિપાલ સ્પોન્સર બની

ભારતની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝે ક્રિકેટની દુનિયામાં સત્તાવાર રીતે પગલું મૂક્યું છે. કંપનીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે ત્રણ વર્ષની મહત્વપૂર્ણ ભાગીદારી કરી છે. આ કરાર અંતર્ગત, સન ફાર્મા RCBની મુખ્ય પ્રાયોજક તેમજ અધિકૃત આરોગ્ય ભાગીદાર બનશે.

દેશની સૌથી લોકપ્રિય રમત

આ ભાગીદારી સન ફાર્મા માટે ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે ક્રિકેટ સ્પોન્સરશિપ ક્ષેત્રમાં આ તેનો પ્રથમ અનુભવ છે. આ સહકાર દ્વારા કંપની તેનો બ્રાન્ડ વિસ્તાર માત્ર હોસ્પિટલ અને મેડિકલ સ્ટોર સુધી મર્યાદિત ન રાખતા, દેશની સૌથી લોકપ્રિય રમત સાથે જોડીને જનતામાં વધુ મજબૂત ઓળખ બનાવવાનો પ્રયાસ કરી રહી છે.

આ કરાર મુજબ, સન ફાર્માનો લોગો RCBની લાલ અને કાળી મેચ જર્સીના આગળના ભાગમાં મુખ્ય રીતે દેખાશે. સાથે સાથે, ટીમની લીલી મેચ કીટ અને ટ્રેનિંગ ગિયર પર પણ કંપનીનું બ્રાન્ડિંગ કરવામાં આવશે. RCBના ઘરેલુ મેચો દરમિયાન સ્ટેડિયમમાં ઉચ્ચ-અસરકારક બ્રાન્ડિંગ દ્વારા સન ફાર્માને સમગ્ર IPL સીઝન દરમિયાન વ્યાપક દૃશ્યતા મળશે.

RCB સાથેની આ ભાગીદારી વિશ્વસનીયતાનું પ્રતિબિંબ

સન ફાર્માના મેનેજિંગ ડિરેક્ટર કીર્તિ ગાનોરકરે જણાવ્યું હતું કે ભારતમાં ક્રિકેટ માત્ર રમત નહીં પરંતુ લાખો લોકોની લાગણી છે. તેમણે ઉમેર્યું કે RCB સાથેની આ ભાગીદારી વિશ્વસનીયતા, જુસ્સો અને નવીનતા જેવા સહિયારા મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે. આ પહેલનો મુખ્ય હેતુ એ છે કે લોકો રોજિંદા જીવનમાં જે દવાઓ પર વિશ્વાસ કરે છે, તે કંપની સાથે ભાવનાત્મક જોડાણ વધારવું.

RCB માટે પણ આ કરાર માત્ર જર્સી પર લોગો સુધી સીમિત નથી. ટીમના COO રાજેશ મેનનના જણાવ્યા અનુસાર, આ ભાગીદારી ડિજિટલ પ્લેટફોર્મ, ફેન એન્ગેજમેન્ટ એક્ટિવિટીઝ અને વિશિષ્ટ મેચ-ડે અનુભવો દ્વારા ચાહકોને વધુ નજીક લાવશે. આથી ચાહકોને ટીમ અને બ્રાન્ડ બંને સાથે જોડાવાની નવી તકો મળશે.

દર મિનિટે 1,000 જીવનને સ્પર્શવાની કંપનીની પ્રતિબદ્ધતા

આ સ્પોન્સરશિપ સન ફાર્માની તાજેતરમાં શરૂ કરાયેલ કોર્પોરેટ બ્રાન્ડ ઝુંબેશને પણ વેગ આપશે, જેમાં દર મિનિટે 1,000 જીવનને સ્પર્શવાની કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી છે. IPL જેવા વિશાળ અને ગતિશીલ મંચ પર RCB સાથે ભાગીદારી કરીને, સન ફાર્મા તેના દર્દી-કેન્દ્રિત મિશનને સામાન્ય લોકો સુધી વધુ અસરકારક રીતે પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે.

T20 World Cup  માં કઈ ટીમે સૌથી વધુ મેચ જીતી છે? 4 ટીમોએ ફક્ત 1 મેચ જીતી

Breaking News : લોકસભામાં ના બોલી શક્યા પીએમ મોદી, વિપક્ષના હોબાળા બાદ ગૃહની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત

સંસદના બજેટ સત્રમાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. બંને પક્ષો એકબીજા પર ગૃહની અંદર અને ગૃહની બહાર શાબ્દિક હુમલો કરી રહ્યા છે. ભૂતપૂર્વ આર્મી ચીફ એમએમ નરવણેના પુસ્તક પર વિવાદ થયો. રાહુલ ગાંધી ચીની ઘૂસણખોરીનો આરોપ લગાવીને સરકાર પર હુમલો કરવા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે. જવાબમાં, ભાજપના સાંસદ નિશિકાંત દુબે પણ ગૃહમાં એક પુસ્તક લાવ્યા. જેને લઈને સરકાર પક્ષ અને વિપક્ષ વચ્ચેનો હોબાળો વધ્યો. આ બધાની વચ્ચે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે સાંજે 5 વાગ્યેનું સંબોધન થઈ શક્યું નહીં. દિવસભર વિપક્ષે મચાવેલા હોબાળા બાદ, ગૃહની કાર્યવાહી આવતીકાલ સવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.

અગાઉ, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં પીએમ મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત લોકસભામાં પીએમના નિર્ધારિત ભાષણ પહેલાં થઈ હતી. અમિત શાહે, લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા સાથે પણ મુલાકાત કરી હતી, જેઓ પણ હાજર હતા. ગૃહમાં આખો દિવસ હોબાળો જોવા મળ્યો.

નિશિકાંત દુબેના નિવેદનથી સંઘર્ષ વધુ તીવ્ર બન્યો

આનું કારણ ભાજપના સાંસદ નિશિકાંત દુબેનું લોકસભામાં આપેલું નિવેદન હતું. તેમણે ગાંધી પરિવાર વિશે લખાયેલા પુસ્તકોનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં વાંધાજનક ટિપ્પણીઓ હતી. નિશિકાંત દુબેના નિવેદનથી ગૃહમાં હોબાળો વધ્યો હતો અને અધ્યક્ષને કાર્યવાહી સ્થગિત કરવાની ફરજ પડી હતી. આ પછી, વિપક્ષી પક્ષોના સાંસદોએ સ્પીકરની ચેમ્બરમાં ધસી ગયા હતા. જ્યા તેમણે પ્રશ્ન કર્યો હતો કે, જ્યારે રાહુલ ગાંધીને પુસ્તક પર બોલવાની મંજૂરી આપવામાં આવી ના હતી તો પછી ભાજપના સાંસદને પુસ્તક પર કેમ બોલવા દેવામાં આવ્યા.

એવું લાગતું નથી કે આજે પીએમ ગૃહમાં આવેઃ રાહુલ

કોંગ્રેસ અને વિપક્ષી પક્ષના સાંસદોએ, વ્હાલા દવલાના મુદ્દાએ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાના કાર્યાલયમાં હોબાળો મચાવ્યો. દરમિયાન, રાહુલ ગાંધી પણ સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા છે. પુસ્તક પર ચાલી રહેલા આ વિવાદમાં રાહુલ ગાંધીએ કહ્યું, “એવું લાગતું નથી કે પીએમ આજે ગૃહમાં આવશે. જો તેઓ સંસદમાં આવશે તો હું તેમને આ પુસ્તક આપીશ.” જો કે, રાહુલ ગાંધી નરવણેનું પુસ્તક લઈને સંસદ પહોંચ્યા હતા. જે પુસ્તક પ્રકાશીત થયું નથી તેમ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકસભામાં જણાવ્યું હતું.

Breaking News: મુસ્લિમ દબંગોની ગુંડાગીરી સામે પોલીસ લાચાર? 40 પરિવારો પલાયન કરવા મજબૂર, ઘરો પર લાગ્યા ‘મકાન વેચવાનું છે’ના પોસ્ટરો

ભારતીય શેરબજારમાં ‘માર્કેટ 2.0’નો આગાઝ ! રોકાણકારો હવે તૈયાર રહેજો, જાણવા માટે અહીં ક્લિક કરો..

ટ્રેડ ડિલના પગલે અમેરિકાએ ભારત પરનો ટેરિફ ઘટાડતા, જેમ્સ એન્ડ જ્વેલરી વ્યવસાય ચમકી ઉઠશે

અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડિલ થવાની સાથે અમેરિકાએ લાદેલ ટેરિફનો દર ઘટાડ્યા બાદ જેમ્સ એન્ડ જ્વેલરી વ્યવસાય ફરી ધમધમતો થશે. અમેરિકાએ ભારત ઉપર ટેરીફ ડ્યુટી વધારતા જ, ભારતીય જેમ્સ એન્ડ જ્વેલરી વ્યવસાયને ભારે અસર થવા પામી હતી. કેટલાક ઉદ્યોગ તો બંધ થઈ ગયો હતો. દોઢ વર્ષ પછી ફરી જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ શરૂ થાય તેવી શક્યતા હોવાનું જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ જણાવી રહ્યાં છે.

જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણી વેપારીઓું કહેવું છે કે, સોનાના 9 અને 14 કેરેટના દાગીના અમેરિકામાં એક્સપોર્ટ થતા હતા. આ સાથેસાથે જ ડાયમંડ મુખ્ય અમેરિકા માર્કેટ હતું. અમદાવાદ જ્વેલર્સ એસોસિએશન પ્રમુખ કહેવું છે કે હજી પણ ટેરિફ ઘટે તેવી શક્યતા જોવાઈ રહી છે.

અમેરિકા દોઢ વર્ષ પહેલા ટેરિફ વધારવાના કારણે ભારતને યુરોપના દેશમાં સોનાના દાગીના વેચાણ શરૂ થયું હતું. હાલ સ્પેન અને યુરોપ, બ્રિટનમાં દાગીનાનું વેચાણ શરૂ થયું છે. જે અમેરિકા સિવાયના વૈશ્વિક માર્કેટ તરીકે જોવામાં આવી રહ્યું છે પરંતુ આ ક્ષેત્રે વિશ્વના અન્ય દેશની સાથે સ્પર્ધા પણ એટલી જ છે.

સસંદમાં કાગળો ફેંકવા બદલ 8 વિપક્ષી સાંસદ સમગ્ર બજેટ સત્રમાંથી સસ્પેન્ડ

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં કે IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. શેરબજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

આ પણ વાંચો: Stock Market : 1 શેર પર થશે 600 રૂપિયાનો નફો, આ સ્ટોક હવે રોકેટ બનવાની તૈયારીમાં; રોકાણકારોના ખિસ્સા ભરાશે

સસંદમાં કાગળો ફેંકવા બદલ 8 વિપક્ષી સાંસદ સમગ્ર બજેટ સત્રમાંથી સસ્પેન્ડ

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન થયેલા, થયેલા હોબાળા દરમિયાન ટેબલ પર ચઢીને સ્પીકરના પોડિયમ તરફ કાગળો ફેંકનારા વિપક્ષી સાંસદો સામે સ્પીકર ઓમ બિરલાએ કડક કાર્યવાહી કરી છે. ગૃહમાં અશિસ્ત દાખવનારા સાંસદો સામે કડક કાર્યવાહી કરતા, સ્પીકરે બજેટ સત્રના બાકીના સમયગાળા માટે 8 વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કર્યા છે. આ બધા સાંસદો હવે બજેટ સત્રમાં ભાગ લઈ શકશે નહીં. સસ્પેન્ડ કરાયેલા સાંસદો કોંગ્રેસ અને સીપીએમના છે.

સસ્પેન્ડ કરાયેલા લોકસભા સાંસદોમાં અમરિંદર સિંહ રાજા વારિંગ, ડીન કુરિયાકોસે, કિરણ કુમાર રેડ્ડી અને કોંગ્રેસના મણિકમ ટાગોર, તેમજ ગુરજીત સિંહ ઔજલા, હિબી એડન, પ્રશાંત પોડોલે અને એસ. વેંકટેશ્વરનનો સમાવેશ થાય છે. ગૃહમાં કાગળો ફેંકવા અને અધ્યક્ષના આદેશનો અનાદર કરવા બદલ તેમને વર્તમાન બજેટ સત્રના બાકીના દિવસો માટે લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

રાહુલ પોતાની ફરજ બજાવી રહ્યા છે: વેણુગોપાલ

અગાઉ, ટેબલ પર ચઢી રહેલા સાંસદોના મુદ્દે જવાબ આપતા કોંગ્રેસના સાંસદ કે.સી. વેણુગોપાલે સરકારને પડકાર ફેંકતા કહ્યું હતું કે રાહુલ ગાંધી પોતાની ફરજ બજાવી રહ્યા છે અને સરકાર તેમને અવરોધી રહી છે.

તેમણે કહ્યું, “માત્ર કોંગ્રેસના તમામ સાંસદોને જ નહીં, પરંતુ સમગ્ર વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ.” આ દરમિયાન, કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ સાંસદોના સસ્પેન્શન અંગે લોકસભા સ્પીકરને મળ્યા હતા.

રાહુલના ચીન મુદ્દા પર વિવાદ વધ્યો

અગાઉ, આજે મંગળવારે પણ સંસદીય કાર્યવાહી સરળતાથી ચાલી શકી ન હતી. બપોરે 2 વાગ્યે સંસદ ફરી શરૂ થતાં, રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ શરૂ કર્યું. જોકે, ચીન-અમેરિકા સોદા પર તેમણે ઉઠાવેલા હોબાળાને કારણે પ્રમુખ સ્પીકરે રાહુલને રાષ્ટ્રપતિના ભાષણ પર આભાર પ્રસ્તાવ પર બોલવા માટે વારંવાર કહ્યું.

પરંતુ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ અને લોકસભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી ચીનનો મુદ્દો ઉઠાવતા રહ્યા, ત્યારબાદ સ્પીકરે તેમને બોલવા દેવાનો ઇનકાર કર્યો, અને અહીંથી જ હોબાળો શરૂ થયો. હોબાળા વચ્ચે, કેટલાક વિપક્ષી સાંસદો ટેબલ પર ચઢવા લાગ્યા, અને કેટલાકે સ્પીકરના પોડિયમ તરફ કાગળો ફેંકવાનું પણ શરૂ કર્યું. અરાજકતાને કારણે, ગૃહને બપોરે 3 વાગ્યા સુધી સ્થગિત કરવું પડ્યું.

જોકે, જ્યારે કાર્યવાહી ફરી શરૂ થઈ, ત્યારે હંગામો કરવા બદલ આઠ વિપક્ષી સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આ કાર્યવાહીથી વિપક્ષી સાંસદો ગુસ્સે થયા અને તેઓએ સૂત્રોચ્ચાર કરવાનુ શરૂ કર્યું, જેના કારણે ગૃહની કાર્યવાહી આવતીકાલ બુધવાર સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી.

લોકસભામાં સત્તાવાર રીતે સંબોધન ના કરી શકનારા, રાહુલ ગાંધીએ સંસદની બહાર દાવો કર્યો કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે દબાણ હેઠળ સમાધાન કરવામાં આવ્યું છે, જેના કારણે તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વેપાર કરાર પર હસ્તાક્ષર કર્યા. તેમણે સંસદ સંકુલમાં એવો પણ દાવો કર્યો કે, વડા પ્રધાને આ કરાર દ્વારા દેશને વેચી દીધો છે.

Breaking News : ટ્રેડ ડિલ અંગે સરકારનો જવાબ, ખેડૂતોના ભોગે કોઈ કરાર નહીં, ઈંધણ ખરીદવા મુદ્દે પણ કરાઈ સ્પષ્ટતા

સોલાર એનર્જી પર સરકારે વધાર્યું ફોકસ, સોલાર પેનલ લગાવવા 22,000 કરોડની ફાળવણી

‘બજેટ 2026’ માત્ર આંકડા નહીં ‘વિકસિત ભારત’નો આખો નકશો બદલી નાખશે, મેન્યુફેક્ચરિંગ, AI અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર મોટો દાવ

ઉત્પાદન (Manufacturing) અને AI પર ધ્યાન કેન્દ્રિત કરીને આ બજેટ એ સુનિશ્ચિત કરે છે કે, ભારત વિશ્વનું સૌથી ઝડપથી વિકસતું મોટું અર્થતંત્ર બની રહે. આ બજેટમાં આશરે 60-70% સાતત્ય (Continuity) જાળવવામાં આવ્યું છે, જેથી કોવિડ પછીની ગતિ જળવાઈ રહે. આ સાથે સાથે વૈશ્વિક તકોને ઝડપી લેવા માટે નવી યોજનાઓ પણ રજૂ કરવામાં આવી છે.

બજેટ 2026 નો મોટો હિસ્સો અગાઉના વર્ષોના માળખાગત પાયા (Infrastructure) પર નિર્મિત છે:

  1. Fiscal Prudence and Stability: નાણાકીય ખાધને નાણાકીય વર્ષ 2027 માટે GDP ના 4.3% સુધી રાખવાનું લક્ષ્ય છે. આવકવેરા અધિનિયમ 2025 દ્વારા નિયમોને સરળ બનાવવામાં આવ્યા છે પરંતુ કોર્પોરેટ કે વ્યક્તિગત ટેક્સના દરોમાં ફેરફાર કરાયો નથી.
  2. Infrastructure Momentum: પબ્લિક કેપિટલ એક્સપેન્ડિચર (મૂડી ખર્ચ) વધારીને રેકોર્ડ ₹12.2 લાખ કરોડ કરવામાં આવ્યો છે. આમાં 20 નવા જળમાર્ગ અને 7 હાઈ-સ્પીડ રેલ કોરિડોરનો સમાવેશ થાય છે.
  3. Scaling Tech and Manufacturing: સેમિકન્ડક્ટર મિશન 2.0 અને ઇલેક્ટ્રોનિક્સ ઘટકોના ઉત્પાદન માટે ₹40,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે.
  4. MSME and Rural Support: ખેડૂતો માટે ‘નેશનલ ફાઇબર સ્કીમ’ અને હાઇ વેલ્યૂના પાક પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. ટાયર-II અને III શહેરોમાં ‘કોર્પોરેટ મિત્ર’ ની નિમણૂક કરવામાં આવશે.

આગામી દાયકાની તૈયારી

  • Strategic Resource Security: ઓડિશા, કેરળ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં ‘રેર અર્થ કોરિડોર’ (Rare Earth Corridors) ની સ્થાપના કરવામાં આવશે.
  • New Frontiers in Science: ભારતને બાયોફાર્મા ઇનોવેશનનું ગ્લોબલ હબ બનાવવા માટે બાયોફાર્મા શક્તિ (SHAKTI) યોજના (₹10,000 કરોડ) શરૂ કરાઈ છે.
  • Financial Evolution: ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોખમો માટે નવું ‘ગેરંટી ફંડ’ અને MSMEs માટે ‘SME ગ્રોથ ફંડ’ બનાવવામાં આવ્યું છે.

આજના આર્થિક બોજમાં રાહત

નાગરિકો અને વ્યવસાયો માટે બજેટમાં કેટલીક તાત્કાલિક રાહતો આપવામાં આવી છે:

  1. Direct Relief for Families: વિદેશમાં અભ્યાસ, તબીબી સારવાર અને ટૂર પેકેજ માટે TCS (Tax Collected at Source) 5% થી ઘટાડીને 2% કરવામાં આવ્યો છે. આનાથી પરિવારો પાસે રોકડ પ્રવાહ (Cash flow) વધશે.
  2. Affordable Healthcare and Consumption: 17 આવશ્યક દવાઓને કસ્ટમ ડ્યુટીમાંથી છૂટ આપવામાં આવી છે અને વ્યક્તિગત આયાત ટેરિફ 20% થી ઘટાડીને 10% કરાયો છે.
  3. Trust-Based Compliance: નાની ભૂલોને ગુનાહિત શ્રેણીમાંથી બહાર કાઢવામાં આવી છે અને ITR સુધારવાની સમય મર્યાદા લંબાવવામાં આવી છે.
  4. Empowering the Workforce: જેન્ડર બજેટમાં 11% નો વધારો કરી તેને ₹5 લાખ કરોડથી વધુ કરવામાં આવ્યું છે.

બજેટ 2026 કોઈ “ઝડપી ઉકેલ” (Quick fix) ને બદલે “લોંગ-ટર્મ સોલ્યુશન” પર ભાર મૂકે છે, જે ઘરેલું વેલ્યુ ચેઈનને મજબૂત કરશે અને મોટાપાયે રોજગારીની તકો ઊભી કરશે.

Category

Measure / Scheme

Key Details

Policy Nature

Fiscal Policy

Fiscal Deficit Target

4.3% of GDP in FY27; debt-to-GDP at 50% by FY31

Continuation

Infrastructure

Capital Expenditure

12.2 lakh crore (3.1% of GDP); rail, waterways, logistics

Continuation

Taxation

Income Tax Act, 2025

Simplified tax law from April 2026; no rate changes

Continuation

Manufacturing

Electronics & Semiconductors

Expanded Semiconductor Mission; ₹40,000 cr component scheme

Continuation

MSMEs & Jobs

Clusters & Skilling

200 clusters revived; tourism guides, AVGC labs

Continuation

Agriculture

High-value Crops & Fibre

Export focus; National Fibre Scheme

Continuation

Healthcare & Tech

Biopharma SHAKTI

10,000 cr over 5 years; 1,000 trial sites

New

Critical Minerals

Rare Earth Corridors

Odisha, Kerala, AP, Tamil Nadu

New

MSME Finance

SME Growth Fund

10,000 cr fund for scaling MSMEs

New

Infrastructure Finance

Risk Guarantee Fund

Partial credit guarantee for infra projects

New

Trade & Customs

Integrated Customs System

Single digital platform in 2 years

New

Exports

Courier Export Limit

10 lakh value cap removed

New

ETF (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ) એ એક રોકાણ ભંડોળ છે જે સ્ટોક્સ, બોન્ડ્સ, કોમોડિટીઝ અથવા અન્ય સંપત્તિઓની બાસ્કેટમાં રોકાણ કરે છે અને સ્ટોક એક્સચેન્જ પરના શેરની જેમ દિવસભર ખરીદી અને વેચી શકાય છે, જે મ્યુચ્યુઅલ ફંડના વૈવિધ્યકરણ લાભોને સ્ટોક ટ્રેડિંગની સરળતા સાથે જોડે છે. રોજબરોજ થતાં ગોલ્ડ અને સિલ્વરની ETF ભાવ જાણવા માટે TV9 ગુજરાતી સાથે જોડાયેલા રહો અને અપડેટ જાણવા માટે અહીં ક્લિક કરો.

Breaking News: રાજકોટ: જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર હાઈકોર્ટે લગાવ્યો વચગાળાનો સ્ટે

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશન કાર્યવાહી પર હાઈકોર્ટે ત્રણ મહિનાનો વચગાળાનો સ્ટે આપ્યો છે. આ નિર્ણયથી 1358 પરિવારોને મોટી રાહત મળી છે. હાઈકોર્ટે GRT ને અપીલ પર ત્રણ મહિનામાં નિર્ણય લેવા અને અરજદારોના પુનર્વસન માટે વિચારણા કરવા નિર્દેશ આપ્યો છે.

રાજકોટમાં જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાઈકોર્ટે જંગલેશ્વર વિસ્તારમાં સૌથી મોટી ડિમોલિશન કાર્યવાહી પર રોક લગાવી છે. હાઈકોર્ટ દ્વારા કલમ 202 સામે વચગાળાનો સ્ટે આપવામાં આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં 3 મહિના સુધી કોઈ ડિમોલિશન કાર્યવાહી ન કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. હાલ ડિમોલિશન નોટિસ રદ કરતા જંગલેશ્વરમાં વસતા 1358 પરિવારોને ત્રણ મહિનાની રાહત મળી છે.

હાઈકોર્ટે GRT ને અપીલ પર નિર્ણય કરવા આદેશ આપ્યો છે. GRT ને અપીલ પર 3 મહિનામાં નિર્ણય કરવા હાઈકોર્ટે આદેશ કર્યો છે. અરજદારોને રિહેબિલિટેશન માટે પણ કન્સીડર કરવા કોર્ટે નિર્દેશ આપ્યો છે. હાઈકોર્ટના આદે બાદ જંગલેશ્વર વિસ્તારમં ખુશીનો માહોલ છે. .સરકાર વિસ્તારને રેગ્યુલાઈઝ કરે તેવી સ્થાનિકો માગ કરી રહ્યા છે.

શું હતો સમગ્ર મામલો?

રાજકોટના મામલતદારે 20 હજારથી વધુ લોકોની વસ્તી ધરાવતા જંગલેશ્વર વિસ્તારમાં ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ નોટિસ આપી સાત દિવસની અંદર આ વિસ્તારમાં રહેલા જેટલા પણ મકાનો છે તે ખાલી કરવા જણાવ્યુ હતુ. આ નોટિસને પડકારતી હાઈકોર્ટમાં પિટિશન કરાઈ હતી.

અરજદારના વકીલે કોર્ટમાં કરેલી રજૂઆત

જેમા અરજદારોના વકીલની રજૂઆત હતી કે સરકારની 2013ની પુનર્વસન માટેના GR મુજબ કેસને જોવામાં આવે.અન્ય રજૂઆત એ હતી કે 202ની નોટિસ ફટકારતા પહેલા 61નો ઓર્ડર પાસ કરવાનો હોય છે, તેને પડકારવા માટે 90 દિવસ માટેનો ટાઈમ હોય છે. તેની અપીલ GRTમાં કરાઈ હતી, જેમા મામલતદારની નોટિસમાં 7 દિવસની મર્યાદા હતી. આ તમામ પાંસાઓને ધ્યાને લઈ કોર્ટે મામલતદારની 202ની નોટિસ રદ કરી છે અને 2013ના સર્ક્લુલર મુજબ રિહેબિલિટેશન માટે કન્સીડર કરવા આદેશ કર્યો છે.

આપને જણાવી દઈએ કે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં નાના-મોટા, વડીલો અને બાળકો સહિત 20 હજારની વસ્તી રહે છે. અહીં રહેતા મોટાભાગના લોકો ગરીબો છે અને છૂટક મજૂરીકામ કરતા કામદારો છે.

Input Credit- Mohit Bhatt- Rajkot

યુરોપિયન યુનિયન અને ભારતની ટ્રેડ ડીલથી બાંગ્લાદેશ ચિંતામાં, મોહમ્મદ યુનુસે EU ને કરી આ વિનંતિ

લોકો મનોરંજન માટે કંઈકને કંઈક જોતા હોય છે. જેમ કે સિરિયલ, મુવી, કાર્ટુન, ટિપ્સ એન્ડ ટ્રિક્સ. આટલું તો ચાલતું હતું પણ છેલ્લા કેટલાક વર્ષોથી આમાં પણ એક નવા પીછાંનો ઉમેરો થયો છે અને આ નવું પીછું એટલે વેબ સિરીઝ.

ETF (એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ) એ એક રોકાણ ભંડોળ છે જે સ્ટોક્સ, બોન્ડ્સ, કોમોડિટીઝ અથવા અન્ય સંપત્તિઓની બાસ્કેટમાં રોકાણ કરે છે અને સ્ટોક એક્સચેન્જ પરના શેરની જેમ દિવસભર ખરીદી અને વેચી શકાય છે, જે મ્યુચ્યુઅલ ફંડના વૈવિધ્યકરણ લાભોને સ્ટોક ટ્રેડિંગની સરળતા સાથે જોડે છે. રોજબરોજ થતાં ગોલ્ડ અને સિલ્વરની ETF ભાવ જાણવા માટે TV9 ગુજરાતી સાથે જોડાયેલા રહો અને અપડેટ જાણવા માટે અહીં ક્લિક કરો.

Breaking News: IND vs PAK T20 World Cup: વર્લ્ડ ક્રિકેટમાંથી પાકિસ્તાનની હકાલપટ્ટી કરી શકે છે ICC, ભારત સામેની મેચનો બહિષ્કાર કરતા થયુ લાલઘુમ

IND vs PAK T20 World Cup Boycott Controversy: પાકિસ્તાન સરકારે તેમની મેન્સ ક્રિકેટ ટીમને 7 ફેબ્રુઆરીથી શરૂ થવા જઈ રહેલી T20 વિશ્વ કપને લઈને શ્રીલંકા જવાની અનુમતી આપી દીધી છે. જો કે તેમણે એ પણ ઘોષણા કરી છે કે ટીમ 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં ભારત સામે થનારી તેની ગૃપ મેચમાં નહીં રમે. ભારત સામેની મેચનો બહિષ્કાર કરવા અંગે તેમણે ખાસ કોઈ કારણ રજૂ નથી કર્યુ.

T20 World Cup 2026 ને લઈને શરૂ થયેલો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા બાંગ્લાદેશે ટુર્નામેન્ટનો બહિષ્કાર કર્યો તો હવે પાકિસ્તાને બાંગ્લાદેશનો સાથ દેતા ભારત સામેની તેની 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં રમાનારી T-20 વર્લ્ડ કપની મેચ ન રમવાનો નિર્ણય કર્યો છે. ભારત- પાકિસ્તાન સામે 15 ફેબ્રુઆરીએ કોલંબોમાં મુકાબલો થવાનો હતો. આવામાં પાકિસ્તાને ભારત વિરુદ્ધ તેની ગૃપ લીગ મેચનો બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. જેનાથી પાકિસ્તાન ચારેબાજુથી ઘેરાઈ શકે છે.

હવે છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાન સરકાર અને તેના ક્રિકેટ બોર્ડ (PCB) ના આ નિર્ણયથી વર્લ્ડ ક્રિકેટની રાજનીતિ ગરમાઈ ગઈ છે. PCB ની આ હરકતથી દુબઈ હેડક્વાર્ટર સ્થિત ICC ની મોટી બેઠક મળવાની સંભાવના છે.

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Breaking News : 22 વર્ષના ખેલાડીએ 38 વર્ષના 24 વખત ચેમ્પિયન બનેલા ખેલાડીને હરાવ્યો

ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં સર્બિયાના નોવાક જોકોવિચનો સામનો સ્પેનના કાર્લોસ અલ્કારાઝ સામે હતો. આ મેચ ખુબ જ રસપ્રદ રહી છે. એક બાજુ યુવા જોશ તો બીજી બાજુ અનુભવી ખેલાડી હતો. પહેલો સેટ જોકોવિચે 6-2થી પોતાને નામ કર્યો હતો. પહેલા સેટમાં જોકોવિચે સર્વિસ અને ફોર હેન્ડની શાનદાર રમત દેખાડી હતી.બીજો સેટ સ્પેનના કાર્લોસ અલ્કારાઝે જીત્યો હતો.જોકોવિચ પોતાના 25માં ગ્રાન્ડ સ્લેમની શોધમાં હતો. તો અલ્કારાઝ પણ પોતાનો સાતમો ગ્રાન્ડસ્લૈમ જીતવા માટે મેદાનમાં ઉતર્યો હતો. તે હજુ સુધી એક પણ વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતી શક્યો નથી. અલ્કારાઝની નજર પહેલા ઓસ્ટ્રેલિયન ખિતાબ પર હતી.

જોકોવિચે પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત ઓસ્ટ્રેલિયન ઓપન ફાઈનલ હારી છે, તે પહેલાં તેમણે છેલ્લા 10 ફાઈનલમાં જીત નોંધાવી હતી. આ વખતે તેમનો મુકાબલો અલકારાઝ સામે થયો, જોકોવિચે પ્રથમ સેટ જીતી હતી, પરંતુ આખી મેચ માટે આ એનર્જી જાળવી શક્યા નહીં. તેમ છતાં, 38 વર્ષની ઉંમરે ફાઈનલ સુધી પહોંચવું પોતે જ અનેક રીતે અદ્ભુત સિદ્ધિ છે.

જોકોવિચ જીતી ચૂક્યો છે 24 ગ્રાન્ડસ્લૈમ

ટેનિસ જગતમાં નોવાક જોકોવિચે છેલ્લા એક દશકમાં અંદાજે દરેક મોટી મેચ જીતી છે. તેના નામે કુલ 24 ગ્રાન્ડ સ્લૈમ છે. તેના પર વિસ્તારથી નજર કરીએ તો.

10 ઓસ્ટ્રેલિયન ઓપન ખિતાબ : (2008, 2011, 2012, 2013, 2015, 2016, 2019, 2020, 2021, 2023)

3 ફ્રેન્ચ ઓપન ખિતાબ (2016, 2021, 2023)

7 વિમ્બલડન ખિતાબ (2011, 2014, 2015, 2018, 2019, 2021, 2022)

4 યુએસ ઓપન ખિતાબ (2011, 2015, 2018, 2023)

 

 

 

View this post on Instagram

 

A post shared by Australian Open (@australianopen)

 

 

જોકોવિચે રચ્યો ઈતિહાસ

જોકોવિચ અત્યારસુધી 25 ગ્રાન્ડ સ્લૈમ ખિતાબ જીતવાથી એક ડગલું દુર હતો. આ સફળતા તેમણે ટેનિસના ઈતિહાસમાં સૌથી ઉંચા સ્થાન પર લઈ ગઈ છે. પુરુષ અને મહિલા બંન્નેમાંથી કોઈ પણ વર્ગમાં 25 ગ્રાન્ડસ્લૈમ જીત્યા નથી. મહિલામાં સૌથી વધારે ગ્રાન્ડસ્લૈમ જીતવાનો રેકોર્ડ માર્ગ્રેટ કોર્ટના નામે છે. જેમણે 24 ગ્રાન્ડસ્લૈમ જીત્યા હતા. જોકવિચ ગોલ્ડન થ્રોનથી એક ખિતાબ દુર હતો.

 

 

 

View this post on Instagram

 

A post shared by Australian Open (@australianopen)

 

 

અલ્કારાઝના 6 ગ્રાન્ડસ્લૈમ

2 ફ્રેન્ચ ઓપન ખિતાબ : 2024, 2025

2 વિમ્બલડન ખિતાબ : 2023, 2024

2 યુએસ ઓપન : 2022, 2025

જોકોવિચ જેલેના રિસ્ટિકને હાઈસ્કૂલમાં મળ્યો હતો અને 2005માં તેની સાથે ડેટિંગ કરવાનું શરૂ કર્યું હતું. સપ્ટેમ્બર 2013માં બંનેએ સગાઈ કરી હતી અને 10 જુલાઈ 2014ના રોજ બંનેએ લગ્ન કર્યા હતા. આ દંપતીને બે બાળકો છે. તેમના પુત્રનો જન્મ ઓક્ટોબર 2014માં અને પુત્રીનો જન્મ 2017માં થયો હતો.

તમને જણાવી દઈએ કે, કઝાકિસ્તાનની એલેના રાયબાકીનાએ ઓસ્ટ્રેલિયન ઓપન 2026ની મહિલા સિંગલ્સ ફાઇનલ જીતી. તેમણે રોમાંચક મેચમાં વિશ્વની નંબર 1 આરીના સબાલેન્કાને હરાવીને ટાઇટલ જીત્યું છે.

મહત્વનું છે કે, રવિવારે યોજાયેલી મેચમાં કાર્લોસ અલકારાઝ 22 વર્ષની ઉંમરે કરિયર ગ્રાન્ડ સ્લેમ પૂર્ણ કરતા પુરુષ ટેનિસ ખેલાડીઓમાં સૌથી યુવાન બની ગયા

Rich Tennis Players: ફેડરર-નડાલને પાછળ છોડી સૌથી વધુ ગ્રાન્ડસ્લેમ જીતનાર ટેનિસનો મહાન ખેલાડી ‘નોવાક જોકોવિચ’ અહી ક્લિક કરો

Breaking News: Budget 2026 અનુસાર ઈન્કમટેક્સ ચોરી કરનારાઓને હવે નહીં થાય જેલ, સરકારે કરી આ મોટી જાહેરાત

Budget 2026: જો તમે કડક આવકવેરા નિયમો અને ચકાસણી પ્રક્રિયાઓથી ડરતા હતા, તો નાણાકીય વર્ષ 2026-27 માટેનું બજેટ રાહતનો શ્વાસ લે છે. સંસદમાં બજેટ રજૂ કરતી વખતે, નાણામંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટ કર્યું કે સરકાર હવે કરદાતાઓ પર વિશ્વાસ કરવાની નીતિ અપનાવી રહી છે. સૌથી મોટી જાહેરાત એ છે કે આવકવેરા ચોરીથી હવે જેલની સજા નહીં થાય. વધુમાં, વિદેશ યાત્રાથી લઈને મિલકત ખરીદી સુધીની દરેક બાબતોના નિયમોમાં સામાન્ય માણસના ખિસ્સા અને સુવિધા પર સંપૂર્ણ વિચાર કરવામાં આવ્યો છે.

જેલ નહીં, માત્ર દંડ

ટેક્સપેયર્સ માટે સૌથી મોટા સમાચાર એ છે કે સરકારે આવકવેરા કાયદાને ગુનાહિત અપરાધની શ્રેણીમાંથી બહાર લાવવાની દિશામાં એક મોટું પગલું ભર્યું છે. નાણામંત્રીએ જાહેરાત કરી છે કે જો કોઈ કરદાતાની આવકમાં વિસંગતતા જોવા મળે છે અથવા તેમણે ટેક્સ છુપાવ્યો છે, તો તેમને હવે જેલની સજા ભોગવવી પડશે નહીં. આવા કિસ્સાઓમાં, ફક્ત દંડ ભરીને મામલો ઉકેલી શકાય છે. આ નવો ફેરફાર ‘નવા આવકવેરા કાયદા’નો ભાગ હશે, જે 1 એપ્રિલ, 2026 થી અમલમાં આવશે. સરકારનો ઉદ્દેશ્ય કરદાતાઓને ડરાવવાનો નહીં, પરંતુ કર પ્રણાલીને પારદર્શક બનાવવાનો છે. વધુમાં, વિદેશમાં અઘોષિત સંપત્તિ ધરાવતા લોકોને આગામી છ મહિનાની અંદર ડિસ્ક્લોઝર સ્કીમ હેઠળ તેમની સંપત્તિ જાહેર કરવાની તક આપવામાં આવી છે.

NRI પાસેથી મિલકત ખરીદવી હવે સરળ થશે

અત્યાર સુધી, જો કોઈ રહેવાસી NRI પાસેથી ભારતમાં મિલકત ખરીદે છે, તો તેમને TDS કાપવા માટે TAN નંબર મેળવવો જરૂરી હતો. આ સરેરાશ ખરીદનાર માટે માથાનો દુખાવો હતો. બજેટમાં આને દૂર કરવામાં આવ્યું છે. હવે, મિલકત ખરીદનારાઓ સીધા TDS કાપી શકે છે અને તેમને અલગ TAN નંબર માટે અરજી કરવાની જરૂર રહેશે નહીં. વધુમાં, જે રોકાણકારોએ બહુવિધ કંપનીઓમાં નાણાં રોકાણ કર્યા છે તેમના માટે ફોર્મ 15G અને 15H ફાઇલ કરવાની પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે. ડિપોઝિટરીઝ હવે આ ફોર્મ સ્વીકારી શકશે અને તેમને સીધા સંબંધિત કંપનીઓને મોકલી શકશે, જેનાથી રોકાણકારોના કામ ઘર બેઠા આરામથી થઈ જશે.

Breaking News: ટેક્સ્ટાઈલ સેક્ટરને બળ આપી ભારતે માર્યો નવો માસ્ટરસ્ટ્રોક, દક્ષિણ એશિયામાં સપ્લાય ચેઈન વધારવા પર ભાર

ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર… પીએમ મોદીએ કહ્યું, “એક એવું બજેટ જે વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે”

નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે, 1 ફેબ્રુઆરીને રવિવારે સંસદમાં નાણાકીય વર્ષ 2026-2027 માટેનુ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. પીએમ મોદીએ બજેટને ઐતિહાસિક ગણાવ્યું અને નાણામંત્રીને અભિનંદન આપ્યા. તેમણે કહ્યું, “આ બજેટ વર્તમાનના સપનાઓને પૂર્ણ કરે છે. આજે, ભારત રિફોર્મ એક્સપ્રેસ ઉપર સવાર છે.”

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “આ બજેટ 2047 માં વિકસિત ભારતના વિઝનની ઉડાન માટે મજબૂત પાયો નાખે છે. આ બજેટ ‘રિફોર્મ એક્સપ્રેસ’ ને નવી ઉર્જા અને ગતિ આપશે જેના પર ભારત આજે સફર કરી રહ્યું છે. આ ક્રાંતિકારી સુધારાઓ ભારતના હિંમતવાન અને પ્રતિભાશાળી યુવાનો માટે આકાશ ખોલશે.”

પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “આ એક અનોખું બજેટ છે જે રાજકોષીય ખાધ ઘટાડવા અને ફુગાવાને નિયંત્રિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ સાથે, બજેટમાં ઉચ્ચ મૂડીખર્ચ અને ઉચ્ચ વૃદ્ધિનું પણ મિશ્રણ છે.”

 

નાણા પ્રધાન નિર્મલા સિતારમણે રવિવારને 1 ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. બજેટને લગતા તમામ નાના મોટા સમાચાર જાણવા માટે તમે અહીં ક્લિક કરો. 

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

પૂજામાં વપરાતું કપૂર અસલી છે કે કેમિકલ વાળું? આ 5 સરળ ટેસ્ટથી તરત ઓળખો

જ્યારે જ્યારે પરમાત્માના આવિષ્કાર માટે પરમ શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક પ્રયત્નો થાય તોજ યથાર્થ ભક્તિ કહી શકાય. ભક્તિના વધુ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો.

Breaking News: શું પાકિસ્તાને બલૂચિસ્તાન ગુમાવ્યું? BLA એ એકસાથે 10 શહેરોમાં બોલાવ્યો સપાટો, જીવ બચાવીને ભાગ્યા પાકિસ્તાની જવાનો

‘ધ બલૂચિસ્તાન પોસ્ટે’ (The Balochistan Post) X પર પોસ્ટ કરીને માહિતી આપી છે કે, BLA ના લડવૈયાઓ બજારો પર કબજો કરી રહ્યા છે, ત્યારે સ્થાનિક બલૂચ જનતા ખુશીઓ અને તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કરી રહી છે.

અત્યાર સુધીમાં તેઓએ બલૂચિસ્તાનના આશરે 10 શહેર પર કબજો કરી લીધો છે, જેમાં અનેક મોટા બજારો અને પોલીસ ચોકીઓનો સમાવેશ થાય છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લડવૈયાઓ બજારોમાં ફરતા જોવા મળે છે, જ્યારે સ્થાનિક લોકો ઉત્સાહપૂર્વક તેમનું અભિવાદન કરી રહ્યા છે. બીજી તરફ, અહેવાલો અનુસાર પાકિસ્તાની સૈનિકો પોતાની પોસ્ટ છોડીને ભાગી ગયા છે.

આ ઘટનાને ‘ઓપરેશન હીરોફ’ ના બીજા તબક્કાનો હિસ્સો ગણાવવામાં આવી રહી છે, જેમાં BLA એ બલૂચિસ્તાનના અનેક શહેરો જેમાં ક્વેટા, નોશકી, મસ્તુંગ, દલબંદીન, કલાત, ખારાન, ગ્વાદર, પાસની, ટમ્પ અને બુલેદામાં એકસાથે હુમલા કર્યા છે. BLA એ દાવો કર્યો છે કે, તેમના લડવૈયાઓએ પાકિસ્તાની આર્મી અને ISI ના કેમ્પ પર હુમલા કર્યા છે તેમજ ઘણા વિસ્તારો પર કબજો જમાવી લીધો છે. ક્વેટામાં પોલીસ સ્ટેશનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે, વાહનો તબાહ થયા છે અને ધાબા પર BLA ના લડવૈયાઓ તૈનાત જોવા મળી રહ્યા છે.

આ ઘટનામાં અત્યાર સુધી પાકિસ્તાની સુરક્ષા દળોના 10 જવાનો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે, જ્યારે અનેક BLA લડવૈયાઓ પણ ઠાર થયા હોવાના અહેવાલ સામે આવ્યા છે. ક્વેટામાં સ્થિતિ અત્યંત ગંભીર છે, જેના કારણે ત્યાંની હોસ્પિટલોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. સુરક્ષાના કારણોસર મોબાઈલ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે અને ટ્રેન વ્યવહાર પણ સ્થગિત કરી દેવાયો છે.

BLA ના લડવૈયાઓ હવે ગ્વાદર પોર્ટ (બંદર) સુધી પહોંચી ગયા છે, જ્યાં પાકિસ્તાની સુરક્ષા દળો સાથે ગોળીબાર થયો હોવાના અહેવાલ છે. સમગ્ર વિસ્તારમાં ગોળીબારના અવાજો સંભળાઈ રહ્યા છે અને આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા ઉડતા જોવા મળી રહ્યા છે.

આ ઘટના બાદ પાકિસ્તાની સેનામાં ભારે ફફડાટ અને નાસભાગ મચી ગઈ છે. આ ઓપરેશનની ખાસ વાત એ છે કે, તેમાં BLA ની મહિલા લડવૈયાઓ પણ જોડાયેલી છે. સમગ્ર બલૂચિસ્તાનમાં BLA દ્વારા કરવામાં આવી રહેલા આ ભીષણ હુમલાઓ વચ્ચે બલૂચ નેતા સરદાર અખ્તર મેંગલે નિવેદન આપતા કહ્યું કે, “મેં મારા જીવનમાં ક્યારેય આવી ભયાનક સ્થિતિ જોઈ નથી.”

આ પણ વાંચો: Breaking News : શું શી જિનપિંગની સત્તા જોખમમાં છે ? ચીનમાં વધતી જતી રાજકીય ઉથલપાથલ વચ્ચે ઊભા થયા અનેક સવાલો

માત્ર 30 મિનિટમાં સોના અને ચાંદીમાથી 3 ટ્રિલિયન ડૉલર થી વધુનું ધોવાણ, આ મોટી ઉથલ પાથલ પાછળનું જાણો સ્પષ્ટીકરણ

સોના અને ચાંદીમાંથી મિનિટોમાં $3 ટ્રિલિયન ડૉલરથી વધુ રકમ ગાયબ થઈ જવાથી વિશ્વભરના રોકાણકારો અને વેપારીઓ આઘાતમાં છે. તાજેતરના અઠવાડિયામાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો થયો છે. વિશ્લેષકો આ અચાનક ઘટાડાને નફા-બુકિંગ, અટકળો અને વૈશ્વિક અનિશ્ચિતતાને આભારી માને છે. કેટલાક રોકાણકારો પ્રશ્ન કરી રહ્યા છે કે શું આ ઘટાડો કુદરતી હતો કે સંપૂર્ણપણે ચાલાકીથી કરવામાં આવ્યો હતો. ભૂ-રાજકીય તણાવ, ફેડરલ રિઝર્વના નિર્ણયો અને ક્રિપ્ટો રોકાણકારો અને ETF તરફથી વધતી માંગે બજારની અસ્થિરતાને વધુ વધારી દીધી. આ ભારે નુકસાનથી કિંમતી ધાતુઓના બજારોની સંવેદનશીલતા ઉજાગર થાય છે અને આ પ્રકારે ભાવમાં આવતી ઝડપી વધઘટ ટકાઉ છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કરે છે.

શું આ ચાલાકીથી કરાયેલી હેરફેર છે?

કેટલાક રોકાણકારો અને વિશ્લેષકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું સોના અને ચાંદીના ભાવમાં અચાનક, તીવ્ર ઘટાડો ફક્ત ચાલાકી હતી. સોશિયલ મીડિયા પોસ્ટ્સે તેને ઇતિહાસમાં સૌથી મોટી લિક્વિડિટી વધઘટ તરીકે વર્ણવી છે. નિષ્ણાતો કહે છે કે ભાવમાં તીવ્ર ફેરફાર નફા-બુકિંગ, સટ્ટા અથવા મોટા રોકાણકારો દ્વારા મિલીભગતને કારણે હોઈ શકે છે. ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમનું નાનું બજાર કદ તેમને અચાનક પ્રવાહ અથવા બહારના પ્રવાહ માટે વધુ સંવેદનશીલ બનાવે છે. જ્યારે ચાલાકીની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, ત્યારે તીવ્ર ઘટાડાએ બજારની ન્યાયીતા અને સ્થિરતા અંગે ચિંતાઓ ઉભી કરી છે, અને નિયમનકારોએ કિંમતી ધાતુઓના વેપારની સમીક્ષા કરવાની જરૂર છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.કેટલાક રોકાણકારો અને વિશ્લેષકોએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે શું સોના અને ચાંદીના ભાવમાં અચાનક, તીવ્ર ઘટાડો ફક્ત ચાલાકી હતી. સોશિયલ મીડિયા પોસ્ટ્સે તેને ઇતિહાસમાં સૌથી મોટી પ્રવાહિતા વધઘટ તરીકે વર્ણવી છે. નિષ્ણાતો કહે છે કે ભાવમાં તીવ્ર ફેરફાર નફા-બુકિંગ, સટ્ટા અથવા મોટા રોકાણકારો દ્વારા મિલીભગતને કારણે હોઈ શકે છે. ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમનું નાનું બજાર કદ તેમને અચાનક પ્રવાહ અથવા બહારના પ્રવાહ માટે વધુ સંવેદનશીલ બનાવે છે. જ્યારે ચાલાકીની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, ત્યારે તીવ્ર ઘટાડાએ બજારની ન્યાયીતા અને સ્થિરતા અંગે ચિંતાઓ ઉભી કરી છે, અને નિયમનકારોએ કિંમતી ધાતુઓના વેપારની સમીક્ષા કરવાની જરૂર છે કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા કર્યા છે.

સોના અને ચાંદીની કિંમતોમાં મોટો કડાકો

તાજેતરમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યા પછી સોનાના ભાવમાં પાંચ ટકાથી વધુનો ઘટાડો થયો. ચાંદીના ભાવમાં આઠ ટકાથી વધુનો ઘટાડો થયો. તાંબા અને નિકલના ભાવમાં પણ ઘટાડો થયો. વિશ્લેષકો કહે છે કે કિંમતી ધાતુઓમાં તીવ્ર વધારો સ્થિર થવાનો હતો. XTB ટ્રેડિંગ ગ્રુપના કેથલીન બ્રુક્સે જણાવ્યું હતું કે ભાવ ખૂબ જ ઝડપથી વધવાને કારણે તેજીનો અંત આવ્યો.

રેકોર્ડ ઊંચાઈ પછી નફો વધારવો

રોકાણકારોએ નફો બુક કરવા માટે સોના અને ચાંદીનું વેચાણ કર્યું. ઘટાડા છતાં, ધાતુઓ 1980 ના દાયકા પછીના તેમના શ્રેષ્ઠ મહિના માટે ટ્રેક પર છે. હાઇ રિજ ફ્યુચર્સના મેટલ ટ્રેડિંગના ડિરેક્ટર ડેવિડ મેગરે જણાવ્યું હતું કે કિંમતી ધાતુઓ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચ્યા પછી વેચાણ થયું છે.

વધતી માંગ અને ભૂરાજકીય તણાવ

ક્રિપ્ટો રોકાણકારોથી લઈને કેન્દ્રીય બેંકો સુધી, સોનાની માંગમાં વધારો થયો. ગોલ્ડસિલ્વર સેન્ટ્રલના મેનેજિંગ ડિરેક્ટર બ્રાયન લેને જણાવ્યું હતું કે રોકાણકારો કિંમતી ધાતુઓમાં વધુ વળતર મેળવવા માંગે છે. ભૂરાજકીય મુદ્દાઓએ અનિશ્ચિતતામાં વધારો કર્યો છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને પરમાણુ કરાર પર વાટાઘાટોમાં પાછા ફરવા વિનંતી કરી, જ્યારે ઈરાને યુએસ અને તેના સાથીઓ સામે બદલો લેવાની ધમકી આપી.

ક્રિપ્ટો અને સોનામાં રોકાણ

ટેથરના સીઈઓએ તેમના રોકાણ પોર્ટફોલિયોના 10%-15% ભૌતિક સોનામાં રોકાણ કરવાની યોજના જાહેર કરી. સૌથી મોટા સોના-સમર્થિત ETF, SPDR ગોલ્ડ ટ્રસ્ટમાં હોલ્ડિંગ લગભગ ચાર વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું. આ પગલાં ભાવમાં વધઘટ છતાં સોનામાં સતત રસ દર્શાવે છે.

ફેડરલ રિઝર્વ અને બજાર અપેક્ષાઓ

યુએસ ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી. રોકાણકારો જેરોમ પોવેલના સ્થાને નવા સેન્ટ્રલ બેંક ચેરમેનની જાહેરાતની રાહ જોઈ રહ્યા છે. બજારો જૂનમાં વ્યાજ દરમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે, જે સોના અને ચાંદીના બજારોમાં રોકાણકારોના નિર્ણયોને પ્રભાવિત કરશે.

નાના બજારની નબળાઈ

ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમના બજારો સોના અથવા S&P 500 કરતા નાના છે. સટ્ટાકીય રોકાણથી કિંમતો વાસ્તવિક ભૌતિક માંગથી વિચલિત થઈ શકે છે. મેરેક્સના ગાય વુલ્ફે કહ્યું કે આ ધાતુઓ ઝડપી વધઘટ પ્રત્યે સંવેદનશીલ છે.

 

Breaking News : મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી તરીકે સુનેત્રા પવારે લીધા શપથ

રાજકીય વર્તુળોમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે: સુનેત્રા પવારે આખરે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. નાયબ મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ રાજભવન ખાતે યોજાયો હતો. સુનેત્રા પવારના શપથ ગ્રહણ સમારોહમાં NCPના ટોચના નેતાઓ હાજર રહ્યા હતા. સુનેત્રા પવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બનવાનું ગૌરવ મેળવ્યું છે.

દરમિયાન, નાયબ મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહ પહેલા, મુંબઈમાં NCPના તમામ ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં, સુનેત્રા પવારને NCPના જૂથ નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમણે પદના શપથ લીધા હતા. જૂથ નેતા તરીકે ચૂંટાયા બાદ, તેમણે રાજ્યસભાના સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું હતું.

અજિત પવારનું વિમાન એક જીવલેણ અકસ્માતમાં પરિણમ્યું, જેના પરિણામે તેમનું મૃત્યુ થયું. અજિત પવારના મૃત્યુ પછી, નવા NCP જૂથના નેતા કોણ હશે અને નવા નાયબ મુખ્ય પ્રધાન કોણ હશે તે અંગે પ્રશ્નો ઉભા થયા. આખરે, આ પ્રશ્નોના જવાબ મળી ગયા છે. સુનેત્રા પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. રાજ્યપાલે આજે રાજભવન ખાતે શપથ લેવડાવ્યા. તેઓ મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્ય પ્રધાન બન્યા છે. અગાઉ, તેઓ NCP જૂથના નેતા તરીકે પણ ચૂંટાયા હતા.

સુનેત્રા પવાર જૂથના નેતા તરીકે ચૂંટાયા

આજે મુંબઈમાં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના તમામ ધારાસભ્યોની એક મહત્વપૂર્ણ બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં તમામ પક્ષના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓએ હાજરી આપી હતી. બેઠકમાં બે ઠરાવ રજૂ કરવામાં આવ્યા હતા: સુનેત્રા પવારને જૂથના નેતા તરીકે ચૂંટવા અંગેનો પહેલો ઠરાવ, જ્યારે બીજો ઠરાવ સુનેત્રા પવારના પક્ષ સંબંધિત તમામ નિર્ણયો લેવાના બંધારણીય અધિકાર સાથે સંબંધિત હતો.

બંને ઠરાવોને મંજૂરી આપવામાં આવી હતી, અને સુનેત્રા પવારને જૂથના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતા. આ પછી, સુનેત્રા પવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. નાયબ મુખ્ય પ્રધાન બનતા પહેલા, તેઓ રાજ્યસભાના સાંસદ હતા.

શરદ પવાર સાથે થવાની હતી સુનેત્રાની મીટિંગ, પહેલા જ નક્કી થઇ ગઇ તાજપોશી

આ પણ વાંચો: સોના-ચાંદીને લઈને સૌથી મોટો ખુલાસો ! વૈશ્વિક બજારમાં અનિશ્ચિતતા અને રોકાણકારો માટે ખતરાનો સંકેત

ભારતમાં ગેસ્ટ્રોએન્ટેરોલોજીકલ રોગો: એક વધતો જતો જાહેર આરોગ્ય પડકાર

ભારતમાં ગેસ્ટ્રોએન્ટેરોલોજીકલ રોગો એક ગંભીર જાહેર આરોગ્ય પડકાર તરીકે ઉભરી રહ્યા છે. દેશની વિશાળ વસ્તી વિવિધતા, ઝડપી શહેરીકરણ, બદલાતી જીવનશૈલી અને આહારની બદલાયેલી આદતો, આ રોગોના વધતા જતા કેસ માટે જવાબદાર આપી રહી છે. આ રોગોના લક્ષણો વિશાળ છે અને તેમાં પેટનું ફૂલવું, અપચો, ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ રોગ (GERD) અને ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ (IBS) જેવી સરળ કાર્યાત્મક ફરિયાદોથી લઈને ગંભીર રોગો સુધીનો સમાવેશ થાય છે. આમાં પેટમાં બળતરા, આંતરડા રોગ (IBD), ક્રોનિક લીવર ડિસઓર્ડર, સ્વાદુપિંડના રોગો અને જઠરાંત્રિય કેન્સરનો સમાવેશ થાય છે. આ રોગોનો વધતો જતો વ્યાપ, જાહેર જાગૃતિ, વહેલા નિદાન અને મજબૂત આરોગ્યસંભાળ નીતિઓની તાત્કાલિક જરૂરિયાતને પ્રકાશિત કરે છે.

શહેરીકરણ અને જીવનશૈલીમાં પરિવર્તનની જઠરાંત્રિય વિકૃતિઓના વધતા વ્યાપ પર મોટી અસર પડી છે. શહેરોમાં લગભગ પાંચમાંથી એક વ્યક્તિ સ્થૂળતા, વધુ ચરબીયુક્ત આહાર, અનિયમિત ખાવાની આદતો અને નિષ્ક્રિય જીવનશૈલીને કારણે GERD થી પ્રભાવિત છે. IBS, જે તણાવ સાથે સંકળાયેલ કાર્યાત્મક વિકાર છે, તે પણ પ્રચલિત છે; જોકે, ઓછુ ધ્યાન આપવા અને તેના મોડા નિદાનને કારણે રોગ અંદાજોમાં વ્યાપકપણે ફેરફાર કરે છે. IBD, જે ભારતમાં અગાઉ દુર્લભ માનવામાં આવતું હતું, તે હવે મહાનગરીય વિસ્તારોમાં વધુને વધુ પ્રચલિત છે.

આ પશ્ચિમી આહાર પેટર્ન, આંતરડાના માઇક્રોબાયોટામાં ફેરફાર અને પર્યાવરણીય પરિબળોને કારણે છે. હેપેટાઇટિસ B અને C, આલ્કોહોલ-પ્રેરિત યકૃત રોગ અને નોન-આલ્કોહોલિક ફેટી લીવર રોગ (NAFLD) જેવા યકૃતના રોગો દેશભરના લાખો લોકોને અસર કરે છે અને નોંધપાત્ર બોજ ઊભો કરે છે. વધુમાં, ભારતમાં પેટ અને અન્નનળીના કેન્સરનું પ્રમાણ પણ ઊંચું છે, જે તમાકુના ઉપયોગ, દારૂનું સેવન, આહારની આદતો અને હેલિકોબેક્ટર પાયલોરી જેવા ક્રોનિક ચેપ સાથે સંકળાયેલા છે.

રોગના આ વધતા ભાર માટે ઘણા પરિબળો જવાબદાર છે. પ્રોસેસ્ડ ખોરાક, ખાંડ અને બિનઆરોગ્યપ્રદ ચરબીથી ભરપૂર આહાર એસિડ રિફ્લક્સ, ફેટી લીવર અને મેટાબોલિક ડિસઓર્ડરનું જોખમ વધારે છે. શારીરિક પ્રવૃત્તિનો અભાવ અને વધેલો તણાવ IBS અને GERD જેવી પરિસ્થિતિઓને વધારે છે. કેટલાક વિસ્તારોમાં સ્વચ્છતા અને સ્વચ્છતાના અભાવે જઠરાંત્રિય ચેપનું જોખમ વધે છે, અને જો સારવાર ન કરવામાં આવે તો, આ ચેપ ક્રોનિક રોગોમાં વિકસી શકે છે.

તબીબી વિજ્ઞાનમાં પ્રગતિ હોવા છતાં, ભારતની આરોગ્યસંભાળ પ્રણાલીને આ રોગોનો અસરકારક રીતે સામનો કરવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે. શહેરી વિસ્તારોમાં નિષ્ણાત સેવાઓ ઉપલબ્ધ હોવા છતાં, ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં પ્રશિક્ષિત નિષ્ણાતોના અભાવને કારણે નિદાન મોડું થાય છે અને ઓછી અસરકારક સારવાર થાય છે. શરૂઆતના લક્ષણો વિશે ઓછી જાહેર જાગૃતિને કારણે આ સમસ્યા વધુ વકરી છે, જે શિક્ષણ અને નિવારક આરોગ્ય પહેલની જરૂરિયાત પર ભાર મૂકે છે.

આ પડકારનો સામનો કરવા માટે બહુપક્ષીય અભિગમની જરૂર છે. આમાં જાગૃતિ અભિયાન, જીવનશૈલીમાં ફેરફાર કાર્યક્રમો, નિષ્ણાત સારવારની સુલભતામાં સુધારો અને સંશોધન અને દેખરેખ પ્રણાલીને મજબૂત બનાવવાનો સમાવેશ થાય છે. સંતુલિત આહાર, નિયમિત શારીરિક કસરત, તણાવ વ્યવસ્થાપન અને સમયસર તબીબી સલાહ રોગના ભારણને નોંધપાત્ર રીતે ઘટાડી શકે છે.

આ મહત્વપૂર્ણ વિષયો પર વધુ પ્રકાશ પાડવા માટે, TV9 ડિજિટલ એક ખાસ કાર્યક્રમ રજૂ કરી રહ્યું છે. આ કાર્યક્રમમાં એર કોમોડોર (ડૉ.) ભાસ્કર નંદી, પ્રખ્યાત ગેસ્ટ્રોએન્ટેરોલોજિસ્ટ, હેપેટોલોજિસ્ટ અને એડવાન્સ્ડ એન્ડોસ્કોપી નિષ્ણાત, 36 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા દર્શાવવામાં આવશે. પ્રતિષ્ઠિત સેવા ચંદ્રક વિજેતા અને જીઆઈ અને લીવર સાયન્સના ક્ષેત્રમાં રાષ્ટ્રીય નેતા ડૉ. નંદી રોગના નિવારણ, વહેલા નિદાન અને અદ્યતન સારવાર વિકલ્પો પર માર્ગદર્શન આપશે. દર્શકોએ TV9 નેટવર્કની યુટ્યુબ ચેનલો પર આ માહિતીપ્રદ કાર્યક્રમ જોવો જોઈએ. એપોઇન્ટમેન્ટ માટે, સર્વોદય હોસ્પિટલ, સેક્ટર-8, ફરીદાબાદનો 18003131414 પર સંપર્ક કરો અથવા વેબસાઇટ sarvodayahospital.com ની મુલાકાત લો.

સાવધાન! ડાયાબિટીસ નથી પણ વારંવાર પેશાબ આવે છે? હોય શકે છે આ રોગના લક્ષણો- જાણો

આ પણ વાંચો: રોજ રાત્રે સૂતા પહેલા લવિંગનું પાણી કેમ પીવું જોઈએ ? આખરે આ પીણું શરીર માટે કેટલું લાભદાયક છે?

8 કરોડમાં બનેલી એક ગુજરાતી ફિલ્મે રેકોર્ડ બનાવ્યો, 16 કરોડની કમાણી કર્યા બાદ OTT ડીલથી પણ મોટી કમાણી કરી

હવે તમારે લક્ઝરી કાર લેવા માટે બહુ નહીં વિચારવું પડે, 100% ટેરીફની છૂટ!

આ બિહારી ‘Chayguy’ લોસ એન્જલસમાં ચા બનાવીને કમાય છે આટલા, સોશિયલ મીડિયા પર બહુ વાયરલ થઈ રહી છે તેની રિલ્સ- Video

નોકરી ગઈ… બીજુ કામ તુરંત મળવુ તો ઘણુ મુશ્કેલ હતુ. પોતાના વતન-ઘરથી હજારો કિલોમીટર દૂર, એક એવા દેશમાં રહેવુ જ્યા શ્વાસ લેવાના પણ પૈસા જોઈએ. એવા સ્થળે કોઈ જોબ વિના રહેવુ એ કોઈ મોટા પડકારથી ઓછુ નથી. તો પણ નોકરી ગુમાવવાના દુ:ખથી વધુ આઝાદ થવાની ખુશી વધુ હતી કારણ કે આ એક અવસર હતો પોતાનું કંઈક કરવાનો.પોતાના સપનાને જીવવાનો. સોશિયલ મીડિયા પર ‘Chaiguy’ થી જાણીતા પ્રભાકર તેની પીડા નહીં પરંતુ સંઘર્ષ અને તેમાથી મળતા આનંદને અભિવ્યક્ત કરે છે. પ્રભાકર અમેરિકાના લોસ એન્જેલસમાં રહે છે, હાલના દિવસોમાં ઈન્સ્ટાગ્રામ પર LA ચા વેચવાની તેની વીડિયો ઘણી વાયરલ થઈ રહી છે. ભારતમાં મેઈનસ્ટ્રીમ મીડિયામા પણ તેની ઘણી ચર્ચા છે.

અમેરિકાના લોકોને હસતા-હસતા શુદ્ધ દૂધની દેશી મસાલા ચા પીવડાવતા પ્રભાકર ઘણો ખુશ જણાય છે. અસલી જિંદગીમાં પણ તેના વીડિયોની જેમ તે હંમેશા ખુશ રહે છે. ચાહે પરિસ્થિતિ ગમે તેવી કેમ ન હોય. બિહારના નાનકડા ગામથી નીકળી વધુ સફળતા મેળવવા તેઓ અમેરિકા પહોંચ્યા. ત્યાં નોકરી પણ મળી ગઈ પરંતુ કંપનીએ શરૂ કરેલી છટણીમાં તેઓ પણ આવી ગયા અને અમેરિકામાં સ્થાયી થવાનું તેનુ સપનુ તૂટી ગયુ. જો કે સપનું તૂટ્યુ હતુ.. હિંમત નહીં.. તેમણે આ પડકારને તેને મળેલી એક તક સ્વરૂપે લીધો અને ત્યાંથી જ શરૂ થઈ ગઈ તેની નવા સફરની શરૂઆત.

હાલમાં કમાણી ઘણી ઓછી થઈ રહી છે- પ્રભાકર

પ્રભાકરે કોઈ જ સંકોચ વિના ખુલીને જણાવ્યુ કે સોશિયલ મીડિયા પર લોસ એન્જલસમાં ચા વેચતા હોય તેવા વીડિયો તે જુએ છે તો લોકો તરત તેમની આવકનો અંદાજ લગાવે છે. કારણ કે તેઓ તેમના રીલ્સમાં ઉલ્લેખ કરે છે કે તેઓ $8 માં એક કપ ચા અને $16 માં એક પ્લેટ પોહા વેચે છે. તો લોકો ધારી લે છે કે તેઓ સારી કમાણી કરી રહ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આવા અહેવાલ જોઈને, મને આશ્ચર્ય થયું કે તેમની કમાણી વિશે કરવામાં આવેલી ગણતરીઓ સત્યથી ઘણી વેગળી છે.

હાં એ વાત ખરી છે કે હું ખુદ મારા વીડિયોમાં એક કપ ચા અને એક કપ પોહાની કિંમત જણાવુ છુ કે આજે મારી કમાણી આટલી થઈ. તેનો મતલબ એ નથી કે મારી રોજની એટલી કમાણી થાય છે. જો હું એક દિવસમાં 300 થી 400 કમાઈ રહ્યો છુ તો એ પણ જાણવુ જરૂરી છે ક મારો સ્ટોલ માત્ર મહિનામાં 7-8 દિવસ જ લાગી શકે છે. બાકીના દિવસોમાં હું એવા જ સંઘર્ષમાં રહુ છુ કે હજુ વધુ શું કરી શકાય જેનાથી અમેરિકાના આ મોંઘા શહેરમાં ટકી રહેવા માટે ઠીક-ઠાક ઈનકમ મળી રહે.

હા, હું મારા વીડિયોમાં વ્યક્તિગત રીતે એક કપ ચા અને પોહાની પ્લેટની કિંમતનો ઉલ્લેખ કરું છું અને એ પણ બતાવું છું કે મેં તે દિવસે કેટલી કમાણી કરી હતી. આનો અર્થ એ નથી કે હું દરરોજ આટલી કમાણી કરું છું. જો હું દરરોજ $300 કે $400 કમાઈ રહ્યો છું, તો એ નોંધવું મહત્વપૂર્ણ છે કે મારો સ્ટોલ મહિનામાં ફક્ત 7-8 દિવસ જ ખુલ્લો રહે છે. બાકીના દિવસોમાં, હું યુએસના આ મોંઘા શહેરમાં ટકી રહેવા માટે સારી આવક મેળવવા માટે વધુ શું કરી શકું તે માટે સંઘર્ષ કરું છું.

લોસ એન્જલસમાં રહેવાનો ખર્ચ છે આટલો

પ્રભાકરે સમજાવ્યું કે અહીં રહેવા માટે દર મહિને $3,000 ભાડામાં જ ખર્ચ થાય છે. પછી કારની મેઈન્ટેનન્સ અને વીમો પણ છે. હું જ્યાં પણ મારો ફૂડ સ્ટોલ લગાવું છું ત્યાં મારે ફી પણ ચૂકવવી પડે છે. તેથી, મારા માટે બધું સરળ નથી. છતાં, હું ખૂબ ખુશ છું. હું મારા વ્યવસાયને વધારવાનો પ્રયાસ કરી રહ્યો છું અને તે માટે સખત મહેનત કરી રહ્યો છું. સૌથી મોટી વાત તો એ છે કે હાલ હું મારા મનનો માલિક છુ. બેશક, મારી આવક ઘટી ગઈ છે, પણ હવે હું કોર્પોરેટ ગુલામ નથી.

જ્યારે પ્રભાકરને પૂછવામાં આવ્યું કે તેણે અમેરિકામાં ચા વેચવાનું જ કેમ પસંદ કર્યું, ત્યારે તે ચા વેચતો હતો અને સોશિયલ મીડિયા પર તેના વીડિયો પોસ્ટ કરતો હતો, જેના કારણે તે વાયરલ થયો છે. શું આ બધું કોઈ પૂર્વ-આયોજિત યોજનાનો ભાગ હતું? પ્રભાકરે જે કહ્યું તે આંખ ખોલી નાખે છે. તેણે સમજાવ્યું, “હું તમને શરૂઆતથી જ બધું કહીશ. હું જે કરી રહ્યો છું તે કોઈ શોખ નથી.

મેં LA માં સર્વાઈવ કરવા માટે આ કામ શરૂ કર્યું

મારી પાસે નોકરી હતી. મારો પગાર સારો હતો. મારી પાસે પૂરતી આવક હતી જેથી કોઈ કમી તો ન હતી. ન રહે. આજે, હું ચા વેચીને એટલું નથી કમાઈ શકતો. ત્યાં સુધી કે તેનાથી મહિનાનો ખર્ચ પણ નથી નીકળતો. છતાં, હું ખુશ છું. તે સમયે, પૈસા વધુ હતા, આઝાદી ઓછી હતી, અને આનંદ તો તેનાથી પણ ઓછો હતો. હવે, ઓછા પૈસા, વધુ સ્વતંત્રતા અને નિજાનંદ વધુ છે. મેં આ બધું અસ્તિત્વ ટકાવી રાખવા માટે શરૂ કર્યું હતું.”

પ્રભાકરે સમજાવ્યું, “ચા વેચવા અને સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટેની કોઈ પૂર્વ આયોજિત યોજના ન હતી. આ બધુ આપોઆપ થતુ ગયુ. એક પછી એક આઈડિયા આવતો રહ્યો અને તેના પર અમલ કરતો રહ્યો. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં, મારી કંપનીમાં છટણી થઈ, અને મેં મારી નોકરી ગુમાવી. મેં આને એક તક તરીકે લીધુ. કારણ કે એ જ સમય હતો જ્યારે મે મારુ પોતાનું કંઈક કરવાનું નક્કી કર્યુ. આ પહેલા જ્યારે માણસ જોબ કરતો હોય છે અને સારી સેલરી મળતી હોય છે તો લોકો એક ચક્રમાં જ ફસાયેલા રહે છે. કંઈક નવુ કે પોતાના મનનું ઈચ્છે તો પણ નથી કરી શક્તા.

જ્યારે મને કાઢી મૂકવામાં આવ્યો, ત્યારે મેં એક નાનો વ્યવસાય શરૂ કરવાનું વિચાર્યું જે ઓછી મૂડીથી શરૂ કરી શકાય અને જેમાં મને રસ હોય. મને રસોઈ બનાવવી અને બીજાને ખવડાવવાનું ખૂબ ગમે છે. તેથી હું એવું કંઈક શરૂ કરવા માંગતો હતો. અહીં એક નાનું રેસ્ટોરન્ટ અથવા ફૂડ સ્ટોલ ખોલવાનું પણ ભાડું દર મહિને ઓછામાં ઓછું $3,000 છે. તેથી, મેં સાપ્તાહિક ખેડૂત બજારમાં ફૂડ સ્ટોલ સ્થાપવાનું આયોજન કર્યું.

લોસ એન્જલસમાં, હું ટોપાંગા નામના વિસ્તારમાં રહું છું, જે પર્વત પર છે. નજીકમાં માલિબુ નામનો વિસ્તાર છે. અહીં શુક્રવાર, શનિવાર અને રવિવારે ખેડૂત બજારો યોજાય છે. આ ભારતમાં યોજાતા નાના સાપ્તાહિક બજારો જેવા જ છે, જ્યાં લોકો સપ્તાહના અંતે દૈનિક જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા આવે છે. મેં પહેલા માલિબુ ખેડૂત બજારમાં એક સ્ટોલ લગાવવાનું શરૂ કર્યું. પછી, મેં રવિવારે પણ મારો પોતાનો સ્ટોલ લગાવવાનું શરૂ કર્યું. સ્ટોલ માટે બજાર સમિતિને દૈનિક ફી ચૂકવવામાં આવતી હતી.

મેં મારા સ્ટોલ પર ચા અને પોહા બનાવવાનું અને વેચવાનું શરૂ કર્યું. આ વ્યવસાયિક વિચાર કામ કરતો હતો, પરંતુ તેનાથી વધુ આવક થતી ન હતી. જોકે, લોકો મારી ચા અને પોહાની પ્રશંસા કરવા લાગ્યા છે. ચાનો સ્ટોલ ખોલતા પહેલા, મેં કેરળના એક આયુર્વેદિક નિષ્ણાતનો સંપર્ક કર્યો અને આયુર્વેદિક ચા માટે ખાસ મસાલા ફોર્મ્યુલા મેળવ્યો. આ પછી, મેં સંપૂર્ણપણે ઓર્ગેનિક ચા વેચવાનું શરૂ કર્યું. તેવી જ રીતે, પોહા પણ સંપૂર્ણપણે ઓર્ગેનિક રીતે તૈયાર કરવામાં આવે છે.

શરૂઆતમાં, બધું સરળતાથી ચાલ્યું. મેં દર સપ્તાહના અંતે ખેડૂત બજારમાં ચા અને પોહાનો સ્ટોલ લગાવ્યો. તે પહેલાં, હું બજારમાં વેચવા માટે પોહા અને ચા તૈયાર કરતો. આ રીતે છ મહિના પસાર થયા. છ મહિના પછી, મેં મારા કામને પ્રોત્સાહન આપવા માટે પબ્લિસિટી સ્ટંટ તરીકે LA માં બિહારી શૈલીમાં ચા વેચતી મારી એક રીલ બનાવી. મેં આ રીલ ‘ચાયગાય’ નામથી શેર કરી. ત્યારબાદ, મેં આવી જ બીજી ઘણી રીલ્સ બનાવી.

આ રીતે આવ્યો ‘Chaiguy’નો આઈડિયા

ધીમે ધીમે, ઇન્સ્ટાગ્રામ પર લોકો મારી રીલ્સને પસંદ કરવા લાગ્યા. ફોલોઅર્સની સંખ્યા વધવા લાગી, અને મને ખ્યાલ પણ ન આવ્યો કે હું ક્યારે વાયરલ થઈ ગયો. હવે, મેં સોશિયલ મીડિયા પર ‘ચાયગાય’ તરીકે મારી ઓળખ સ્થાપિત કરી છે. જોકે હું હજુ સુધી સોશિયલ મીડિયાથી કોઈ આવક કમાઈ રહ્યો નથી, હું તેને એક વિકલ્પ તરીકે વિચારી રહ્યો છું.

પ્રભાકરે કહ્યું કે આ મારી વાર્તા છે. નોકરી ગુમાવ્યા પછી, આવકનો સ્ત્રોત શોધતા, મેં યુએસમાં ચા વેચવાનું શરૂ કર્યું, અને પ્રચાર માટે, મેં મારા કામ વિશે વ્લોગિંગ કરવાનું શરૂ કર્યું, ‘ચાયગાય’ બન્યો. આગળની સફર લાંબી છે. આ ‘ચાયગુય’ ને એક બ્રાન્ડ બનવાની અને સામગ્રી બનાવવાના ક્ષેત્રમાં કંઈક શરૂ કરવાની જરૂર છે. ઘણા પ્રોજેક્ટ પાઇપલાઇનમાં છે. બિહારના એક નાના શહેરથી અમેરિકા સુધીની અને પછી મારા માટે એક અનોખી ઓળખ અને સ્થાન બનાવવાની લાંબી વાર્તા છે.

આઝાદી મળ્યા બાદ પણ ઈન્ડિયન કરન્સી પર ગાંધીજી પહેલા કોની તસવીર છપાતી હતી? શા માટે?- વાંચો

સોનાના ભાવમાં મોટી નવાજૂની થવાના એંધાણ, જાણવા માટે અહીં ક્લિક કરો..

વેબ સિરીઝ એટલે સાદી ભાષામાં સમજીએ તો એ એક અલગ જ કન્ટેન્ટ છે. વેબ સિરીઝ એક કરતાં વધારે ભાગોમાં રિલીઝ થાય છે. અહી ક્લિક કરો

રોકાણ એટલે કે બચત. તે એક એવું શસ્ત્ર છે જે તમારા ખરાબ સમયમાં તમારો સાચો સાથી છે. આજના યુગમાં બચત કે રોકાણ કરવાના અનેક સાધનો બજારમાં ઉપલબ્ધ છે. અહી ક્લિક કરો

સિલ્વર ETFમાં તેજી: બંધન સિલ્વર 14% રિટર્ન સાથે ટોચ પર, જાણવા માટે અહીં ક્લિક કરો..

Vastu Tips: નાડા-છડી ઘરના વાસ્તુ દોષોને દૂર કરશે, આ સ્થળોએ બાંધવાથી સુખ અને સમૃદ્ધિમાં થશે વધારો

વાસ્તુ શાસ્ત્રમાં પવિત્ર દોરો, જેને મૌલી તરીકે પણ ઓળખવામાં આવે છે, તેને ખૂબ જ શુભ અને ઉર્જાવાન માનવામાં આવે છે. આ લાલ-સફેદ અથવા પીળો-સફેદ દોરો ભગવાન ગણેશ, હનુમાન અને દેવી લક્ષ્મીના આશીર્વાદનું પ્રતીક છે. પૂજા દરમિયાન હાથ પર પહેરવા ઉપરાંત, તેને ઘરમાં વિવિધ સ્થળોએ બાંધવાથી વાસ્તુ દોષો દૂર થાય છે, નકારાત્મક ઉર્જાનો પ્રભાવ ઓછો થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનું પરિભ્રમણ વધે છે.

ઘરમાં વાસ્તુની ખામીઓને સંતુલિત કરે છે

આનાથી પરિવારમાં સુખ, શાંતિ, સંપત્તિ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યમાં સુધારો થાય છે. ઘણા વાસ્તુ નિષ્ણાતોના મતે, પવિત્ર દોરો બાંધવો એ એક સરળ પણ અસરકારક ઉપાય છે જે ઘરમાં વાસ્તુની ખામીઓને સંતુલિત કરે છે. ચાલો ઘરમાં ચોક્કસ સ્થાનો શોધીએ જ્યાં પવિત્ર દોરો બાંધવો જોઈએ અને આ પ્રથા માટેના નિયમો જાણો.

વાસ્તુશાસ્ત્રમાં કલાવાનું મહત્વ અને તેની ભૂમિકા

વાસ્તુશાસ્ત્રમાં કલાવાને રક્ષણાત્મક કવચ માનવામાં આવે છે. તે ઘરને નકારાત્મક ઉર્જા, ખરાબ નજર અને વાસ્તુ દોષોથી રક્ષણ આપે છે. લાલ દોરો શક્તિ અને ઉર્જાનું પ્રતીક છે, જ્યારે સફેદ દોરો શુદ્ધતા અને શાંતિનું પ્રતીક છે. જ્યારે ઘરમાં મહત્વપૂર્ણ સ્થાનો પર બાંધવામાં આવે છે, ત્યારે તે ઘરની ઉર્જાને સંતુલિત કરે છે. વાસ્તુ અનુસાર જ્યાં ઉર્જા પ્રવાહ અવરોધિત હોય અથવા નકારાત્મકતા એકઠી થાય ત્યાં કલાવા બાંધવાથી સકારાત્મક ફેરફારો થાય છે. તે નાણાકીય નુકસાન અટકાવે છે, કૌટુંબિક સંઘર્ષ ઘટાડે છે અને જીવનમાં ખુશીઓ વધારે છે.

મુખ્ય દરવાજા પર દોરો બાંધવાના ફાયદા

ઘરનો મુખ્ય દરવાજો ઉર્જાનો મુખ્ય પ્રવેશદ્વાર છે. જો અહીં વાસ્તુ દોષ હોય તો, ઘરમાં નકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. મુખ્ય દરવાજાના ખૂણા, કડી, દરવાજાની ચોકઠા અથવા દરવાજાના હેન્ડલ પર દોરો બાંધો. આ દુષ્ટ નજર, કાળો જાદુ અને નકારાત્મક શક્તિઓના પ્રવેશને અટકાવે છે. તે ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે અને પરિવારના સભ્યો પર સકારાત્મક અસર કરે છે. જો મુખ્ય દરવાજો ઉત્તર-પૂર્વ અથવા દક્ષિણ દિશામાં હોય તો દોરો બાંધવો ખાસ કરીને ફાયદાકારક છે.

રસોડામાં ઉપયોગ

વૈદિક વાસ્તુમાં રસોડાને ધન, સમૃદ્ધિ અને સ્વાસ્થ્યનું કેન્દ્ર માનવામાં આવે છે. અહીં વાસ્તુ દોષો ખરાબ સ્વાસ્થ્ય અને આર્થિક મુશ્કેલીઓ તરફ દોરી શકે છે. ગેસના ચૂલા, ચીમની, કબાટના હેન્ડલ પાસે અથવા રસોડાના ખૂણામાં દોરો બાંધો. આનાથી ખોરાકની વિપુલતા સુનિશ્ચિત થાય છે, ખોરાકનો સ્વાદ વધે છે અને ઘરમાં નાણાકીય મુશ્કેલીઓ દૂર થાય છે. જો રસોડું દક્ષિણપૂર્વ દિશામાં ન હોય, તો દોરો બાંધવાથી વાસ્તુ દોષોની અસર ઓછી થાય છે.

પાણીની ટાંકી અને નળ પાસે દોરો (એક પવિત્ર દોરો) બાંધવો

વાસ્તુમાં પાણી ટપકવું એ નાણાકીય નુકસાનનું પ્રતીક માનવામાં આવે છે. જો ઘરમાં ઓવરહેડ ટાંકી, નળ અથવા પાણીની પાઇપમાંથી પાણી ટપકતું રહે છે, તો તે નકામા ખર્ચમાં વધારો કરે છે. ટાંકી પાસે, નળના હેન્ડલ પર અથવા પાઇપના સાંધા પર દોરો બાંધો. આ પાણીનો બગાડ અટકાવે છે, પૈસા બચાવે છે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનાવે છે. વાસ્તુ નિષ્ણાતો ભલામણ કરે છે કે જો ઉત્તર-પૂર્વ દિશામાં પાણીની ખામી હોય તો આ ઉપાય નિયમિતપણે કરો.

તિજોરી, કપડા અને વાહન પર દોરો બાંધવાના ફાયદા

તિજોરી અથવા લોકર સંપત્તિનું પ્રતીક છે. તિજોરીના હેન્ડલ, ચાવી અથવા અંદરના ખૂણા પર દોરો બાંધો. આનાથી સંપત્તિ વધે છે, ચોરી અને લૂંટનું જોખમ ઓછું થાય છે અને નાણાકીય સ્થિરતા આવે છે. તેવી જ રીતે કપડા અથવા વાહન (કાર, બાઇક) ના હેન્ડલ, અરીસા અથવા કીચેન પર દોરો બાંધવો શુભ છે. વાહન પર દોરો બાંધવાથી અકસ્માતોનું જોખમ ઓછું થાય છે અને સલામત મુસાફરી સુનિશ્ચિત થાય છે.

દોરો બાંધવા માટેના નિયમો અને સાવચેતીઓ

કલાવા બાંધતા પહેલા તે વિસ્તારને સારી રીતે સાફ કરો. દોરો હંમેશા નવો અને સ્વચ્છ હોવો જોઈએ. તેને બાંધતી વખતે સકારાત્મક વિચારો ધ્યાનમાં રાખો અને નકારાત્મક વિચારો ટાળો. શ્રેષ્ઠ દિવસ મંગળવાર અથવા ગુરુવાર છે. જો જૂનો દોરો ક્ષતિગ્રસ્ત થઈ ગયો હોય, તો તેને ખોલીને નવો બાંધો. જૂના દોરાને ઝાડના મૂળમાં અથવા નદીમાં ડૂબાડી દો. દોરો બાંધતી વખતે “ઓમ ગં ગણપતયે નમઃ” અથવા “ઓમ હ્રં હ્રં હનુમતે નમઃ” મંત્રનો જાપ કરો. આ નિયમોનું પાલન કરવાથી ઝડપી પરિણામો મળશે.

વાસ્તુશાસ્ત્ર એ પ્રકૃતિ અને ઉર્જાના નિયમો પર આધારિત ભારતીય સંસ્કૃતિનું એક પ્રાચીન વિજ્ઞાન છે, જેને મોટાભાગના હિંદુ ધર્મોમાં લોકો ઘર બનાવતી વખતે અથવા ઘરમાં વસ્તુઓ ગોઠવતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રની વધુ સ્ટોરી વાંચવા આ ટોપિકને ફોલો કરતા રહો.