Breaking News : અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે આણંદમાં બની ઘટના, ટ્રેનો પ્રભાવિત થવાની સંભાવના, જુઓ Video

આણંદ જિલ્લામાં આજે બપોરના સુમારે એક માલગાડીનો ડબ્બો રેલવે ટ્રેક પરથી ઉતરી જવાની ઘટના બની છે. આ દુર્ઘટનાને કારણે વ્યસ્ત અમદાવાદ-મુંબઈ રેલવે રૂટ પર ટ્રેન વ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા ઊભી થઈ છે. ઘટનાની જાણ થતાં જ રેલવે વિભાગની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રેક પરથી ઉતરેલા ડબ્બાને હટાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી છે.

રેલવે અધિકારીઓ દ્વારા પરિસ્થિતિને ઝડપથી સામાન્ય બનાવવા અને રેલવે ટ્રેકને પુનઃસ્થાપિત કરવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હાલમાં, રેલવે વિભાગ દ્વારા ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. જોકે, સ્થિતિ અને દ્રશ્યો જોતાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સાંજ પછી અમદાવાદ-મુંબઈ રૂટ પરની કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર થઈ શકે છે.

રેલવે વિભાગ દ્વારા આ અંગે કોઈ પણ માહિતી જાહેર કરવામાં આવે તેની પર સૌ કોઈની નજર રહેશે. આ ઘટનાને કારણે મુસાફરોને સંભવિત અસુવિધાનો સામનો કરવો પડી શકે છે.

સુરતના RTI એક્ટિવિસ્ટની અભિજીત દિપકે અને તેમના પિતા સામે તપાસની માંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *