ભારતીય ક્રિકેટના મહાન ખેલાડી સચિન તેંડુલકર માત્ર રમત માટે નહીં, પણ તેમના સારા સ્વભાવ માટે પણ જાણીતા છે. તાજેતરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે ભગવાન પ્રત્યે આદર બતાવ્યો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. લોકો તેમના આ સરળ અને સારા વર્તનને ખુબ પસંદ કરી રહ્યા છે. સચિન તેંડુલકરનો વીડિયો વાયરલ વિશાખાપટ્ટનમની આંધ્ર યુનિવર્સિટીની 100મી વર્ષગાંઠ (શતાબ્દી મહોત્સવ) ની ઉજવણીનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં ઘણા મહાનુભાવો સાથે સચિન તેંડુલકર પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન બનેલી એક નાની ઘટનાએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. વેંકટેશ્વર સ્વામીની મૂર્તિને સ્પર્શતા પહેલા જૂતા કાઢ્યા કાર્યક્રમમાં સચિન તેંડુલકરે ભગવાન વેંકટેશ્વર સ્વામીની મૂર્તિને હાથ લગાવતા પહેલા પોતાના જૂતા ઉતારી દીધા હતા. ત્યારબાદ તેમણે મૂર્તિ સાથે ફોટો પડાવ્યો. આ સમયે તેમની સાથે એન. ચંદ્રબાબુ નાયડુ પણ હાજર હતા. સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા સચિન તેંડુલકરના આ કામની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઘણા લોકો કહી રહ્યા છે કે આ તેમની સરળતા અને સંસ્કૃતિ પ્રત્યેનો આદર બતાવે છે. સચિન હંમેશા શાંત અને નમ્ર સ્વભાવ માટે જાણીતા રહ્યા છે. Sachin Tendulkar removed his shoes before receiving the idol of Venkateswara Swamy pic.twitter.com/hy3QvtAYqH — ¹⁸ (@varunx18) April 28, 2026 ક્રિકેટના ભગવાનની મહાન કારકિર્દી સચિન તેંડુલકરની ક્રિકેટ કારકિર્દી પણ ખૂબ જ શાનદાર રહી છે. તેમણે 1989માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો અને ઘણા વર્ષો સુધી ભારત માટે રમ્યા. ટેસ્ટ અને વનડે બંનેમાં તેમણે અનેક રેકોર્ડ બનાવ્યા છે, જે આજે પણ કોઈ ખેલાડી માટે તોડવા લગભગ અશક્ય છે. સચિન એક મહાન વ્યકતિત્વ આ ઘટનાથી ફરી ફરી એકવાર સાબિત થયું છે કે સચિન તેંડુલકર માત્ર એક મહાન ક્રિકેટર જ નહીં, પરંતુ એક મહાન માણસ પણ છે. તેમની આવી નાની નાની બાબતો લોકોના દિલ જીતી લે છે. Breaking News: 4,6,6,4,4… છેલ્લી ઓવરમાં 24 રન, 20 બોલમાં ફિફ્ટી, પંજાબના ઓલરાઉન્ડરે મચાવી તબાહી Post navigation 28 April 2026 રાશિફળ: કઈ રાશિના જાતકો તેમના કાર્યની ગુણવત્તાથી લોકોને પ્રભાવિત કરશે અને કોણ સેમિનારમાં હાજરી આપશે? Breaking News : 12 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ, 85 ની ઝડપથી હવા ફૂંકાસે