અમદાવાદ જિલ્લામાં ભારે વરસાદ બાદ અનેક તાલુકાઓમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સાણંદ-વિરમગામ હાઈવે પર વરસાદી પાણી ફરી વળતાં વાહનવ્યવહારને ગંભીર અસર પહોંચી છે. સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા હાઈવે પર વાહનોની અવરજવર તાત્કાલિક બંધ કરવામાં આવી છે. સાણંદ-વિરમગામ હાઈવે બંધ કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ, સાણંદ GIDCથી આગળ હાઈવે પર વરસાદી પાણી ભરાઈ જતાં માર્ગને બેરિકેડ લગાવી બંધ કરવામાં આવ્યો છે. સ્થળ પર પોલીસ બંદોબસ્ત ગોઠવી વાહનચાલકોને આગળ વધતા રોકવામાં આવી રહ્યા છે. હાઈવે બંધ થતાં 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ હાઈવે બંધ થતાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ છે. વિરમગામ ત્રિરંગા સર્કલથી લઈને સચાણા સુધી અંદાજે 20 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાયો હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત વિરમગામથી બજાણા તરફના માર્ગ પર પણ ભારે ટ્રાફિકજામ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે હાઈવેની બંને બાજુ પાણી ભરાઈ જતાં નદીઓ વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા છે. ટ્રક સહિતના ભારે વાહનોને આગળ જવા દેવામાં આવતા ન હોવાથી હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી છે અને વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પાણી ઓસરાયા બાદ માર્ગ ખુલ્લો મુકાશે સ્થાનિક તંત્ર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. વરસાદી પાણી ઓસર્યા બાદ અને માર્ગ સલામત જાહેર થયા પછી જ સાણંદ-વિરમગામ હાઈવે ફરીથી વાહનવ્યવહાર માટે શરૂ કરવામાં આવશે. હાલમાં વાહનચાલકોને વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. Breaking News : હેલિકોપ્ટરથી ભારતીય કોસ્ટગાર્ડનું મેગા રેસ્ક્યૂ ઓપરેશન! 170થી વધુ પૂરપીડિતોને બચાવાયા, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો Post navigation શેરહોલ્ડર્સની બલ્લે-બલ્લે! આ દિગ્ગજ કંપની આપશે ₹240 નું ‘રેકોર્ડબ્રેક ડિવિડન્ડ’, ‘Stock’ રોકાણકારોની નજરે ચડ્યો શું તમે પણ આખો ‘શ્રાવણ મહિનો’ ઉપવાસ કરો છો? તો ભૂલથી પણ ન કરતા આ ‘ભૂલ’, જાણી લો સાચા નિયમો