ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઝિમ્બાબ્વે પ્રવાસ માટે રવાના થઈ ગયા છે. ઝિમ્બાબ્વે સામે 23 જુલાઈથી શરૂ થનારી ત્રણ T20 મેચ રમાશે. (Image Source | AI Generated) આયર્લેન્ડ અને ઈંગ્લેન્ડનો પ્રવાસ કર્યા બાદ, વૈભવ સૂર્યવંશી હવે ટીમ ઈન્ડિયા સાથે ઝિમ્બાબ્વે માટે રવાના થયો છે. તેના પ્રસ્થાન પહેલા તેનો એક ફોટો સામે આવ્યો છે. જે BCCI દ્વારા શેર કરવામાં આવ્યો છે. (Image Source | BCCI) BCCI એ ટીમ ઈન્ડિયાના અન્ય ખેલાડીઓના ફોટા પણ શેર કર્યા છે જે ઈંગ્લેન્ડમાં ચાલી રહેલી ODI સિરીઝનો ભાગ નથી. (Image Source | BCCI) ભારતીય ટીમનો વાઈસ-કેપ્ટન તિલક વર્મા અને મુખ્ય કોચ તરીકે ઝિમ્બાબ્વેની યાત્રા કરી રહેલા VVS લક્ષ્મણનો પણ ફોટો BCCI દ્વારા શેર કરવામાં આવ્યો છે. ભારત 23 જુલાઈથી ઝિમ્બાબ્વેમાં ત્રણ T20 મેચ રમશે. (Image Source | BCCI) પ્રભસિમરન સિંહ આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાનો સૌથી નવો ચહેરો હશે. તે પણ અન્ય ખેલાડીઓ સાથે રવાના થયો છે. પ્રભસિમરનને ઓપનર તરીકે સંજૂ સેમસનના વિકલ્પ રૂપે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. (Image Source | BCCI) ટીમ ઈન્ડિયાનો ટી20 કેપ્ટન શ્રેયસ અય્યર, જે હાલમાં ઓડીઆઈ સિરીઝ માટે ઈંગ્લેન્ડમાં છે તે પણ ઝિમ્બાબ્વે પ્રવાસ પર રહેશે. શ્રેયસની સાથે, ટી20 ટીમના ઘણા અન્ય ખેલાડીઓ ઈંગ્લેન્ડથી સીધા ઝિમ્બાબ્વે જશે. (Image Source | BCCI) આ પણ વાંચો, લોર્ડ્સમાં મેચ પહેલાં રોહિત શર્મા અને ગૌતમ ગંભીરનો આ VIDEO કેમ થયો વાયરલ ? Post navigation જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં ધસમસતા પૂરથી ભારે વિનાશ, 200થી વધુ કાર રમકડાની માફક તણાઈ, જુઓ Video Numerology Prediction : અંકશાસ્ત્રનું સૌથી સુપરહિટ કોમ્બિનેશન! મૂળાંક 1 અને ભાગ્યાંક 9 વાળાની કિસ્મત હોય છે જબરદસ્ત