ભરૂચમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે બીજી તરફ જનતા હવે નેતાઓના પોલા વચનોથી કંટાળી ગઈ છે. ભરૂચના એક રહેણાંક વિસ્તારમાં પાયાની સુવિધાઓના અભાવે સ્થાનિકોએ આક્રમક વલણ અપનાવ્યું છે. અંદાજે 200 જેટલા મકાનો ધરાવતી સોસાયટીના રહીશોનો આરોપ છે કે છેલ્લા ઘણા સમયથી તેઓ ગટર, ખરાબ રસ્તા અને પીવાના પાણીની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે, છતાં તંત્ર કે નેતાઓ કોઈ સાંભળતું નથી. સ્થાનિકોએ સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે ‘કામ નહીં તો વોટ નહીં’. જો ચૂંટણી પહેલા તેમની સમસ્યાનો ઉકેલ લાવવાની ખાતરી નહીં મળે તો તેઓ મતદાનનો સંપૂર્ણ બહિષ્કાર કરશે. આટલું જ નહીં, હવે લોકો નેતાઓને સોસાયટીમાં પ્રચાર માટે પણ આવવા દેવાના મૂડમાં નથી. ચૂંટણી ટાણે જનતાનો આ આક્રોશ ઉમેદવારો માટે ચિંતાનો વિષય બન્યો છે. (ઈનપુટ ક્રેડિટ; અંકિત મોદી) અરવલ્લીમાં વર્ગખંડમાં જ દારૂ પીને લથડિયા ખાતો ઝડપાયો શિક્ષક, શું આવા ગુરુઓ ઘડશે બાળકોનું ભવિષ્ય? Post navigation Breaking News: અભિષેક શર્માએ દિલ્હી સામે શાનદાર સદી ફટકારી, વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી Breaking News: છગ્ગા ફટકારવાની રેસમાં આગળ નીકળ્યો અભિષેક શર્મા, 24 કલાક પછી વૈભવ સૂર્યવંશી ફરી બનશે નંબર-1?