LIC પર ઇન્કમ ટેક્સ વિભાગની મોટી સ્ટ્રાઈક: ₹7100 કરોડનો ટેક્સ અને વ્યાજ ચૂકવવા ફટકાર્યો આદેશ; શેરધારકોમાં ફફડાટ

ભારતીય જીવન વીમા નિગમ (LIC) ને આવકવેરા વિભાગ તરફથી નાણાકીય વર્ષ 2021-22 માટે એક મોટો ડિમાન્ડ ઓર્ડર પ્રાપ્ત થયો છે. 25 માર્ચે શેરબજારને આપેલી માહિતી મુજબ, ઇન્કમ ટેક્સ વિભાગની એસેસમેન્ટ યુનિટે કંપની પાસેથી ₹6,146 કરોડનો આવકવેરો અને ₹953 કરોડના વ્યાજની માંગ કરી છે. આ માંગ એસેસમેન્ટ પ્રક્રિયા દરમિયાન કરવામાં આવેલી વિવિધ ગણતરીઓ અને એડજસ્ટમેન્ટના આધારે સામે આવી છે.

અપીલની તૈયારીમાં LIC

કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે આ ઓર્ડર સામે અપીલ કરી શકાય તેમ છે અને તે તેને આવકવેરા કમિશનર (અપીલ) સમક્ષ પડકારશે. LIC નું કહેવું છે કે તે ઉપલબ્ધ કાનૂની વિકલ્પોનો ઉપયોગ કરીને આ ટેક્સ ડિમાન્ડને પડકારવાની પ્રક્રિયા અપનાવશે, જેનાથી આ મામલે અંતિમ નિર્ણય આગળની સુનાવણી પછી જ નક્કી થશે.

કયા કારણોસર ટેક્સની માંગ વધી

આવકવેરા વિભાગે એસેસમેન્ટ દરમિયાન અનેક મુદ્દાઓમાં ફેરફાર કર્યા છે, જેમાં વચગાળાના બોનસને આવકમાં ઉમેરવું, જીવન સુરક્ષા ફંડના નુકસાનને આવક તરીકે સામેલ કરવું અને નેગેટિવ રિઝર્વ્સને આવક માનવી મુખ્ય છે. આ ઉપરાંત, વિભાગે સેક્શન 80M હેઠળ લેવામાં આવેલા કેટલાક ડિડક્શન નકારી કાઢ્યા છે અને TDS જમા કરવામાં વિલંબ સાથે જોડાયેલા વ્યાજને પણ માન્ય રાખ્યું નથી. આ તમામ કારણોસર કુલ ટેક્સ જવાબદારીમાં નોંધપાત્ર વધારો થયો છે.

શું અસર થશે?

LIC એ તેના નિવેદનમાં જણાવ્યું છે કે આ આદેશની નાણાકીય અસર માત્ર માંગવામાં આવેલી ટેક્સ અને વ્યાજની રકમ સુધી મર્યાદિત છે અને તેનાથી કંપનીના સંચાલન અથવા અન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ પર કોઈ નોંધપાત્ર અસર પડશે નહીં. કંપનીએ રોકાણકારોને ખાતરી આપી છે કે તેનો વ્યવસાય સામાન્ય રીતે ચાલતો રહેશે.

પેસેન્જરના સ્વાસ્થ્ય સાથે ચેડાં, વંદે ભારત એક્સપ્રેસમાં ફૂડ વેન્ડરની લાપરવાહી જોઈ તમે પણ ચોંકી જશો, જુઓ વાયરલ VIDEO!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *