સાનિયા મિર્ઝા પોતાના દીકરા સાથે દુબઈથી ભારત પાછી ફરી છે. પરત ફર્યા પછી, તેણે દુબઈમાં વિતાવેલા મુશ્કેલ સમય વિશે વાત કરી. ઈઝરાયેલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે મધ્ય પૂર્વમાં ફેલાયેલા ભયથી સાનિયા મિર્ઝા પણ ચિંતિત હતી. તેણીએ કહ્યું કે દુબઈ તેના માટે બીજા ઘર જેવું છે, પરંતુ ત્યાંની પરિસ્થિતિ જોયા પછી, તેણે ઈદ માટે ભારત પાછા ફરવાનું નક્કી કર્યું. સાનિયા મિર્ઝા ગયા અઠવાડિયે તેના પુત્ર સાથે હૈદરાબાદ પાછી ફરી હતી, ત્યારબાદ તેણે વર્ણવ્યું કે કેવી રીતે ઈરાને યુએઈના ઘણા ભાગોને નિશાન બનાવ્યા હતા. સાનિયા મિર્ઝાના જણાવ્યા મુજબ, તેણે દુબઈમાં તેના ઘર ઉપરથી ફાઇટર જેટ ઉડવાનો અવાજ સાંભળ્યો. જેના પછી તેણે તેના દીકરા સાથે ભારત પાછા ફરવાનું નક્કી કર્યું. સાનિયાએ કહ્યું કે તે દુબઈમાં સુરક્ષિત હતી. પરંતુ લડાઈ જલ્દી પૂરી થશે તેવું લાગી રહ્યું ન હતું, તે મૂંઝવણમાં હતી અને તેણે ભારત આવવવાનો નિર્ણય લીધો. (PC: Instagram) Breaking News : ગુજરાતના બે સ્ટાર ખેલાડીઓ જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલના પગારમાં વધારો કરશે BCCI, આ છે કારણ Post navigation Breaking News : ભાવનગર SDMના નામે ડ્રાઈવરે લીધા 10 લાખ ! CCTV-ઓડિયો સામે આવતા ડ્રાઈવર સામે પગલા ભરવા DSP ને કરાઈ અરજી ‘ધુરંધર 2’નું સ્ટોક માર્કેટ કનેક્શન ! આ એક શેર પર ₹900 કમાવવાની તક, ફટાફટ ચેક કરો વિગત