અંબાલાલ પટેલની તાજેતરની આગાહી મુજબ, ગુજરાતમાં બદલાતી ઋતુના કારણે માનવ સ્વાસ્થ્ય અને કૃષિ પાકો પર ગંભીર અસરો જોવા મળી શકે છે. હાલ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે, જેનો પ્રભાવ અંદાજે 14 એપ્રિલ સુધી રહેશે. આ વિષમ હવામાન માનવ સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે, જેના કારણે લોકોએ પોતાની તબિયતનું વિશેષ ધ્યાન રાખવું પડશે. આ ઉપરાંત, ઊભા કૃષિ પાકો પર પણ આ બેવડી ઋતુની વિપરીત અસર થશે. અંબાલાલ પટેલના અનુમાન મુજબ, કૃષિ પાકોમાં રોગ આવવાની સંભાવના છે. પશ્ચિમી વિક્ષેપના કારણે બંગાળ ઉપસાગર સક્રિય થવાથી ગુજરાતના હવામાનમાં પલટો આવી શકે છે. ખાસ કરીને, 24 અને 25 ફેબ્રુઆરીના રોજ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં હવામાન પલટા સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. 27 ફેબ્રુઆરીના રોજ પણ માવઠું થઈ શકે છે. વધુમાં, 4 થી 8 માર્ચ દરમિયાન વધુ એક વિક્ષેપ આવવાની સંભાવના છે. ખેડૂતો માટે 15 માર્ચનું વાતાવરણ યોગ્ય નહીં રહે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. આ આગાહીઓને ધ્યાનમાં રાખીને નાગરિકો અને ખેડૂતોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. બનાસકાંઠાના બટાકા પકવતા ખેડૂતો બેવડા સંકટમાં, જાણવા માટે અહીં ક્લિક કરો.. Post navigation શું તમે પાયલટ બનવા માંગો છો? સાયન્સ ન હોવાનો અફસોસ છોડો! જાણો સંપૂર્ણ પ્રોસેસ ગર્લફ્રેન્ડ પાછળ લાખોનો ખર્ચ કરનાર હાર્દિકે એક્સ-વાઈફને અને પુત્રને આપી કરોડોની ભેટ, ફેન્સ બોલ્યા- ‘દિલ જીતી લીધું’