અમદાવાદના ગરીબનગર ચાર રસ્તા નજીક મંગળવારે એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર કાર ચલાવી રહેલા વ્યક્તિને અચાનક તબિયત બગડતા અથવા આંચકો આવતાં વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો, જેના કારણે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હોવાનું જાણવા મળ્યું છે. તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુર્ભાગ્યવશ, અકસ્માતમાં એક યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. યુવતીના મોતને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે. ઘટનાની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનને હટાવી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે અને અકસ્માત પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદની જનતા પર મોંઘવારીનો વધુ એક ડામ : સીએનજી મોંઘો થતાં રિક્ષાના ભાડામાં ઝીંકાયો તોતિંગ વધારો Post navigation આણંદના પૂર્વ RAC કેતકી વ્યાસ સામે ₹3.56 કરોડના ભ્રષ્ટાચારનો ગુનો દાખલ, જુઓ Video Breaking News : ઈરાન ઝૂક્યું! લાંબા સમય સુધી ન્યુક્લિયર દેખરેખ માટે તૈયાર.. ટ્રમ્પનો દાવો