સુરતના નાસીરનગર ડિમોલિશન મુદ્દે વિરોધ પ્રદર્શન ઉગ્ર બન્યું છે. અસરગ્રસ્તોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ દ્વારા મનપા કમિશનરના બંગલા બહાર ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ જેવી સ્થિતિ સર્જાતા પોલીસે કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ સ્થાનિક અસરગ્રસ્તોની અટકાયત કરી છે. નાસીરનગરમાં 100થી વધુ મકાનો તોડી પાડવાના આ મામલે મનપા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તપાસના આદેશ આપ્યા છે. આ કેસમાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે સેન્ટ્રલ ઝોનના કાર્યપાલક ઈજનેરે સ્પષ્ટ કર્યું કે SMC દ્વારા આવું કોઈ ડિમોલિશન કરવામાં આવ્યું જ નથી. તંત્રની આ સ્પષ્ટતા બાદ સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે બાજુમાં જ એક બિલ્ડરના મોટા પ્રોજેક્ટને ફાયદો કરાવવા માટે આ મકાનો ગેરકાયદેસર રીતે જમીનદોસ્ત કરી દેવાયા છે. દરમિયાન, ડિમોલિશનમાં વપરાયેલા જેસીબીના માલિકે ચોંકાવનારો દાવો કર્યો છે કે આ જેસીબી શ્રીરામ એજન્સીના માલિક તેજુ રાજપૂતે મંગાવ્યા હતા, જે સામાન્ય રીતે મનપા માટે જ કામ કરે છે. જો કે, જેસીબી ભાડે લેતી વખતે નાસીરનગર માટે કામ કરવાનું છે તેવી સ્પષ્ટતા કરવામાં આવી નહોતી. મનપાના અસલી રોલ અને બિલ્ડરની મિલીભગત અંગે હાલ તપાસ તેજ કરવામાં આવી છે. હવે તો હદ થઈ… ગટર અને રસ્તાના કામથી તોબા પોકારી ઉઠ્યા સ્થાનિકો, આખરે કંટાળીને તંત્ર સામે મોરચો માંડ્યો – જુઓ Video Post navigation Breaking News: 21 વર્ષ બાદ બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને વનડે મેચમાં હરાવ્યું, 2005 પછી પહેલીવાર થયો આ ચમત્કાર હવે ગુગલ વોલેટમાં ડિજિટલ સ્વરૂપે રાખી શકાશે આધાર કાર્ડ, UIDAI સાથે મળીને શરૂ કરાયું નવું ફીચર