Breaking News: અમદાવાદ લાલ દરવાજા વિસ્તારમાં વાગી ‘ઈમરજન્સી સાયરન’, જાણો શું છે કારણ

અમદાવાદમાં આજે વહેલી સવારે લાલ દરવાજા વિસ્તારમાં અચાનક જ ઇમરજન્સી સાયરન વાગવા લાગ્યા હતા. સાયરન સાંભળીને લોકોમાં કુતુહલ જાગ્યુ હતુ. લોકોના મનમાં ચાલી રહ્યુ હતુ કે એક તરફ મિડલ ઇસ્ટમાં વૈશ્વિક યુદ્ધની સ્થિતિ છે.ત્યાં શું હવે અમદાવાદમાં તેની અસરના પગલે તો કોઇ સાયરન વાગી રહ્યા નથી ને?

તો અમે તમને જણાવી દઇએ કે અમદાવાદમાં નાગરિક સુરક્ષા મજબૂત બનાવવા માટે નગરપાલિકા દ્વારા નવા ઈમરજન્સી સાયરનનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. લાલદરવાજા હોમગાર્ડ ઓફિસ પર ટેસ્ટિંગ યોજાયું જેના પગલે શહેરના આસપાસના વિસ્તારોમાં સાયરનનો અવાજ સંભળાયો. આ પ્રયોગમાં નાગરિકોને સમયસર એલર્ટ આપવા માટેના સિસ્ટમની કાર્યક્ષમતા ચકાસવામાં આવી.

પરીક્ષણ સમયે સાયરનના અવાજ 8થી 10 કલાકની વચ્ચે સમયાંતરે સંભળાવવાનો આયોજન કરવામાં આવ્યું હતું, જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રભાવકારક રીતે અવાજ પહોંચી શકે. નગરપાલિકા અને હોમગાર્ડ સ્ટાફે સાયરનના દરેક ફંક્શનનું વિશ્લેષણ કરીને તેની અસરકારકતા ચકાસી.

Breaking News Iran Israel War : યુદ્ધના માહોલ વચ્ચે ભારતમાં LPG ગેસના ભાવમાં વધારો, દેશભરના લાખો પરિવારો પર અસર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *